SearchBrowseAboutContactDonate
Page Preview
Page 628
Loading...
Download File
Download File
Page Text
________________ 612 તપાગચ્છાધિષ્ઠાયક માણેકચંદશાહે અભિગ્રહ કર્યો. પાલી–મારવાડથી પ્રયાણ કરી શ્રીસંઘ સાથે સાતમા દિવસે ઉત્તર ગુજરાતના શ્રી સિદ્ધપુરનગરથી પચ્ચીસેક માઈલના અંતરે મગરવાડા નામના ગામમાં પધાર્યા. તે ગામમાં માનવોનો વાસ નહિવત્ હતો. એકદમ ઘાટી વનરાજિના કારણે તે ગામ બીહડ વન જેવું ભયંકર ભાસતું હતું. વિશ્રામ કરતા શ્રીસંઘ ઉપર ચોરોએ આક્રમણ કર્યું. શેઠશ્રી માણેકચંદશાબ ઘવાયા. પરિણામે શ્રી સિદ્ધ ગિરિરાજમંડન શ્રી આદીશ્વરજી પરમાત્માના શુભ ધ્યાનમાં શેઠશ્રી કાળધર્મ પામીને શ્રી માણિભદ્રજી નામે વ્યંતરનિકાયના છઠ્ઠા યક્ષેન્દ્ર મહારાજા થયા. શેઠશ્રી માણેકચંદશા મહામિથ્યામતીઓના મહાપાપમય ઉન્માર્ગરૂપ અધર્મનો ત્યાગ કરીને પુનઃ સુધર્મનું આરાધન કરવા લાગ્યા હતા. તેના કારણે તેજોષી, મિથ્યાત્વી કડવામતી વેષવિડમ્બકોને લાગ્યું કે, આપણો પરમ ભક્ત આપણો મટીને તપાગચ્છીય આચરણ કરવા લાગ્યો. તેના મુખ્ય સૂત્રધારરૂપે પ.પૂ. આ. પ્રવરશ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.અને પ.પૂ.આ.શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મ. સાહેબ છે. તેનો બદલો લેવા માટે કાળા-ગોરા ભૈરવદેવોની સાધના કરીને સિદ્ધ કર્યા. મંત્રથી બંધાયેલ શ્રી ભૈરવદેવોને કડવામતી વેષવિડંબકે આજ્ઞા કરી કે આ. શ્રી હેમવિમળસૂરીશ્વરજી સહિત સર્વ સાધુ પરિવાર ચિત્તભ્રમિત થઈને ભૂંડા હાલે મરે એવું કરો. મંત્રબદ્ધ કાળા-ગોરા ભૈરવદેવોએ પ.પૂ. આ. પ્ર. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. તેમ જ પ.પૂ. આ. શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ.સા.ના સાધુ મહારાજોને ચિત્તભ્રમિત કર્યા છે. તેમાંથી કાળક્રમે દશ (૧૦) સાધુઓ કાળધર્મ પામ્યા. પ્રસ્તુત મરણાંત ઉપદ્રવ કોના દ્વારા થઈ રહ્યો છે? તે જાણવા માટે પ.પૂજ્યપાદ આ. પ્ર. શ્રી હેમવિમળસૂરીશ્વરજી મ.સા. પદ્માસને બેસીને સૂરિમંત્રનું ધ્યાન કરવા લાગ્યા. સૂરિમંત્રના અધિષ્ઠાતા દેવે આકાશવાણી દ્વારા જણાવ્યું કે આપ ગુજરાતમાં પ્રવેશ કરો એટલે તત્કાળ અઠ્ઠમતપ કરવા કૃપા કરજો. ત્યાં મુનિવરો ઉપર કરેલ દેવકૃત ઉપદ્રવ ટળી જશે. શેષ સાધુ મહારાજ સાથે પ.પૂ. આ. શ્રી. હેમવિમળસૂરીશ્વરજી મ. તથા પ.પૂ. આ.શ્રી આનંદવિમળસૂરીશ્વરજી મ. આદિ મુનિવરો ગ્રામાનુગ્રામ વિહાર કરતા પાલનપુર પાસે મગરવાડા ગામે પધાર્યા. ગુજરાત દેશમાં પ્રવેશ થયેલ જાણી પરમ પૂજ્યપાદશ્રીજી અઠ્ઠમતપનું પચ્ચકખાણ કરીને રાયણવૃક્ષ નીચે કાઉસ્સગ્ગ ધ્યાનમાં પદ્માસને વિરાજમાન થયા. - અઠ્ઠમતપ અને ધ્યાનના પ્રભાવથી ત્રીજા દિવસની રાત્રીએ શ્રી જિનશાસન સુરક્ષક શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજનું સિંહાસન ચલિત થયું. શ્રી માણિભદ્રજી યક્ષેન્દ્ર મહારાજે અવધિજ્ઞાનનો ઉપયોગ મૂક્યો. અવધિજ્ઞાનથી જણાયું કે જેઓશ્રીના કલ્પનાતીત અસીમ ઉપકારથી હું માણેકચંદશામાંથી મહાસમૃદ્ધિવાન, મહાબલિષ્ઠ, એકાવતારી, વ્યંતરનિકાયના યક્ષ-યક્ષિણી ને દેવદેવીઓના અધિપતિરૂપ છઠ્ઠો ઇન્દ્ર થયો છું. શ્રી માણિભદ્રજી ઈન્દ્ર મહારાજા વિચારે છે કે ગુરુદેવેશ મારા પરમ ઉપકારક, પરમ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy