SearchBrowseAboutContactDonate
Page Preview
Page 788
Loading...
Download File
Download File
Page Text
________________ 772 શાંતિસૂરિ દે વી, આપો મુજ્ઞ સુવ્ સા ॥ ૪ ॥ इति श्री माणिभद्रजीनो छंद संपूर्ण ॥ संवत १९१४ना मासोत्तम मासे कृष्ण पक्षे षष्ठी दिने लख्युं छे. सा. अमृतलाल नीहालचंद्रने भणवा सारु लखी छे । लखितं मुनी लक्ष्मीरत्नने लपीकृत्यं गांम नावलीमध्ये श्री नागेश पार्श्वनाथ सुभं भवतु कल्याणमस्तु ॥ श्री ॥ श्री ॥ श्री ॥ श्रीं ॥ શ્રી માણિભદ્રના આ છંદની રચના શ્રી શાંતિસૂરિએ કરી છે. શ્રી માણિભદ્રનો આ જ છંદ લા. દ. વિદ્યામંદિરની લા.દ. ભેટ સૂ. ૨૮૧૫૨ પ્રતમાં પણ છે અને તે પં. વિધાવિજયે લખેલ છે. લેખન સંવત નથી પરંતુ અક્ષરના મરોડ જોતાં તે વિક્રમની વીસમી સદીમાં લખાયેલી હોવી જોઈએ, એવું અનુમાન થઈ શકે. લા. દ. વિદ્યામંદિરની લા. દ. ભેટ સૂ. ૩૦૨૪૫, ૨૭૭૮૯ અને ૨૫૦૬૦માં શ્રીમાણિભદ્રના એક એક છંદ છે પરંતુ તે પૂર્વે બતાવેલી લા. દ. ભેટ સૂ. ૨૭૭૪૪ ક્રમાંકવાળી પ્રતિમાં છે, તે જ છે. ક્રમાંક ૩૦૨૪પવાળી પ્રતિ વિ. સં. ૧૯૧૦માં ૫. માનસોમે ભાઈ રતનસોમને ભણવા માટે ગોલ ગ્રામે લખી છે. બાકીની બે પ્રતોમાં લેખન સંવત્ નથી પરંતુ ક્રમાંક ૨૭૭૮૯વાળી પ્રતિ મુનિ ખેમાવિજયે લખી છે. તપાગચ્છાધિષ્ઠાયક આમ મારી પાસે અત્યારે મોજૂદ લા. દ. વિધામંદિર (અમદાવાદ)ની છ પ્રાચીન હસ્તપ્રતોનો સંક્ષિપ્ત પરિચય આપ્યો છે. આવા બીજા જ્ઞાનભંડારોમાં પ્રાપ્ત હસ્તપ્રતોનો પણ પરિચય આપી શકાય; પરંતુ વિવિધ જ્ઞાનભંડારોના કાર્યવાહકો પાસેથી તેની ઝેરોક્ષ નકલો મેળવવામાં ઘણો સમય પસાર થઈ જાય તેમ હોવાથી ફક્ત આટલાથી જ સંતોષ માનવો પડે છે. અંતે આ હસ્તપ્રતોના આધારે શ્રી માણિભદ્ર વીરની સ્તુતિ તથા સ્તોત્રપાઠ દ્વારા આરાધના કરી સૌ જીવો શાસન પ્રભાવના દ્વારા આત્મકલ્યાણ કરે એ જ શુભ ભાવના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy