SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 279 મોતીશા શેઠની ટ્રક: શ્રી આદીશ્વર દાદાની મુખ્ય ટૂક અને હેમવસહી ટૂકની વચ્ચે કુતાસણની મોટી ખીણ હતી. મુંબઈના ઉદારદિલ દાનવીર શેઠશ્રી મોતીશાએ આ ખીણ પુરાવી દેવવિમાન જેવી ટૂક બંધાવી છે. આ ટ્રકની વચ્ચે નલિની ગુલ્મ વિમાન જેવા આકારનું ભવ્ય મંદિર છે. આ ટૂકમાં ૧૬દેરાસરો અને લગભગ ૧રપ દેરીઓ છે. જૈન ઇતિહાસમાં શેઠ મોતીશાનું નામ સોનેરી અક્ષરે લખાયેલું છે અને તેથી તો એક કવિએ લખ્યું છે કે, " લાવે લાવે મોતીશા શેઠ, નવણજળ લાવે રે." શેઠ બાલાભાઈની ટૂંકઃ ઘોઘા બંદર નિવાસી શેઠ બાલાભાઈએ આ ટૂક બંધાવી છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાન છે. અદ્ભુત શ્રી આદિનાથજી (શ્રી અબદજી)નું મંદિર આખાયગિરિરાજ પર આ અદ્ભુત છે. વિ.સં. ૧૬૮૬માં ધરમદાસ શેઠે આ પ્રતિમાજીની અંજનશલાકા કરાવેલ છે. આ પ્રતિમાજી ૧૮ ફૂટ ઊંચાં અને ભવ્ય હોવાથી અબદજી દાદાના નામે ઓળખાય છે. આ સ્થાન પરથી દાદાના દરબારની ટૂકનાં ભવ્ય દર્શન થાય છે. મોદીની ટૂક : અમદાવાદ નિવાસી શેઠ પ્રેમચંદ મોદીએ આ ટૂક બંધાવી છે. વિ.સં. ૧૮૪૩માં આ પ્રતિમા ભરાવી છે. આ ટ્રકમાં ૭ મંદિરો છે. લગભગ પચાસ જેટલી દેરીઓ છે. હેમાભાઈ શેઠની ટૂકઃ અમદાવાદના નગરશેઠ હેમાભાઈએ આ ટૂક બંધાવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy