SearchBrowseAboutContactDonate
Page Preview
Page 336
Loading...
Download File
Download File
Page Text
________________ 320 તપાગચ્છાધિષ્ઠાયક વસનારા દેવોના આવાસોને ભવનો કહે છે. જંબૂદ્વીપમાં ૨ ચંદ્ર–૨ સૂર્ય, લવણ સમુદ્રમાં ૪ ચંદ્ર, ૪ સૂર્ય ઘાતકી ખંડમાં ૧૨ ચંદ્ર–૧૨ સૂર્ય, કાલોદધી સમુદ્રમાં ૪૨ ચંદ્ર – ૪૨ સૂર્ય અને પુષ્પરાવર્ધદ્વીપમાં ૭ર ચંદ્ર – ૭ર સૂર્ય. આમ અઢી દ્વીપની અંદર ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્યનાં વિમાનો આવેલાં છે. દરેક ચંદ્ર-સૂર્યના પરિવારમાં ૮૮ ગ્રહ, ૨૮ નક્ષત્ર અને ૬૯૭૫ કોટાકોટી તારા છે. પ્રત્યેક જ્યોતિષીના માલિકને ચાર અગ્રમહિષી ઈન્દ્રાણી છે. પ્રત્યેક અગ્રમહિષીને ચાર–ચાર હજાર દેવીઓનો પરિવાર છે. ચાર હજાર સામાનિક દેવ છે, સોળ હજાર આત્મરક્ષક દેવ છે. સૂર્યના વિમાનથી ૮૦ યોજન ઉપર ચંદ્રનું વિમાન આવેલું છે. (૧) ચંદ્ર :- ચંદ્રના વિમાનની લંબાઈ-પહોળાઈ ૫૬૧ યોજન છે. ૧૬000 દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ અને એક લાખ વરસ જઘન્ય આયુષ્ય – ૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. ' (૨) સૂર્ય – તારામંડળના ૧૦ યોજન ઊંચે સૂર્યનું વિમાન આવેલું છે. સૂર્યના વિમાનનો વિસ્તાર ૪૮/૧ યોજન છે. ૧૬૦૦૦ દેવો આ વિમાનને વહન કરે છે. દેહ–ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય ૧ પલ્યોપમ અને એક હજાર વર્ષ જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય. દેવીઓનું આયુષ્ય અડધા ભાગે હોય છે. (૩) તારાઓના વિમાનો:- ૭૯૦ યોજન ઊંચાઈએ તારાઓનાં વિમાનો આવેલાં છે. તારાનાં વિમાન Oા ગાઉ લાંબાં હોય છે; ૨૦૦૦ દેવો વિમાનને વહન કરે છે. દેહ-ઊંચાઈ ૭ હાથ, ઉત્કૃષ્ટ આયુષ્ય Oા પલ્યોપમ, જઘન્ય આયુષ્ય ૧/૮ પલ્ય. (૪) નક્ષત્ર :- ચંદ્ર વિમાનથી ૪ યોજન ઉપર નક્ષત્રનાં વિમાન આવેલાં છે. તેમના વિમાન પંચરત્નમય છે. તે એક–એક ગાઉના લાંબા-પહોળા અને અડધા ગાઉના ઊંચાં છે. નક્ષત્ર વિમાનવાસી દેવોનું જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્યોપમ અને ઉત્કૃષ્ટ આયુષ્ય અડધો પલ્યોપમ છે. નક્ષત્રના વિમાનને ૪000 દેવતાઓ ઉપાડે છે. (૫) ગ્રહ - નક્ષત્ર માળની ઉપર ૪ યોજન ઊંચે ગ્રહોનાં વિમાન આવેલાં છે. ગ્રહોનાં વિમાન પાંચ વર્ણના રત્નમય છે. ગ્રહોનાં વિમાન બબ્બે કોશના લાંબાં-પહોળાં અને એક કોશના ઊંચાં છે. ગ્રહોના વિમાનને 2000 દેવો ઉપાડે છે. બુધનું વિમાન લીલા રત્નમય છે. બૃહસ્પતિનું વિમાન પીળા રત્વનું છે. શુક્રનું વિમાન સ્ફટિક રત્નમય છે. મંગળનું વિમાન રક્ત રત્નમય છે અને શનિનું વિમાન જંબુનંદ રત્નમય છે. ગ્રહોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૧૫ પલ્યોપમ અને જઘન્ય આયુષ્ય ૧/૪ પલ્ય છે. જ્યોતિષી દેવલોકનાં દરેક વિમાનો ઉત્તમ રત્નોથી ચમકતાં હોય છે અને પ્રકાશને આપનારાં હોય છે. જ્યોતિષી દેવલોકના ઇન્દ્ર સૂર્ય અને ચંદ્ર છે. સૂર્યના વિમાનથી એક યોજન નીચે કેતુનું વિમાન છે અને ચંદ્રના વિમાનથી એક યોજન નીચે કેતુનું વિમાન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy