SearchBrowseAboutContactDonate
Page Preview
Page 514
Loading...
Download File
Download File
Page Text
________________ 498 તપાગચ્છાધિષ્ઠાયક અહીંનું આફ્લાદક વાતાવરણ જોઈ પૂજ્યશ્રીના રોમરોમમાં હર્ષોલ્લાસ છવાઈ ગયો. દિલની દુનિયામાં આનંદ અને ઉત્સાહનો મહાસાગર ઊમટી પડ્યો. જ્યાં બે નદીઓ મળતી હોય તે સ્થાનને સંગમ કહેવાય છે, તેમ જ જ્યાં ત્રણ નદીઓનો સમન્વય થતો હોય તો તે તીર્થ બની જાય છે. અહીંયાં પણ એવી જ અનુભૂતિ થઈ. આંબાનાં ત્રણ વૃક્ષોનું એકસાથે મિલનપૂજ્યશ્રીએ જોયું... પહોંચ્યા. ધ્યાનમાં બેઠા... કોઈ અગમ્ય પ્રસન્નતાનો પ્રકાશપુંજ પ્રેરણા કરવા લાગ્યો. અદશ્ય શક્તિ દ્વારા ત્રણ વખત સંકેતનો સ્વર સંભળાયો : " તમારો સંકલ્પ અહીં પૂરો થશે, સહજતા સરળતા સાથે. આ સ્થાન સદા જાગૃત છે. પૂર્વકાળમાં આ સાધકોની સિદ્ધિની ભૂમિ હતી." વૈશાખમાસને શુકલપક્ષનો પાવન દિવસ હતો, આજે રવિવારની સાથે પુષ્પક્ષત્રનો પરમ સંયોગ હતો. સૌભાગી પલ ને દિવ્ય ક્ષણ હતી આજ ... આધ્યાત્મિક જ્ઞાનશિબિરનો આજે સમાપન દિન હતો. તે જ સમયે એક ચમત્કારી ઘટના બની, આશ્ચર્યજન અને ચમત્કારપૂર્ણ.. જે વૃક્ષની નીચે પૂજ્યશ્રી ધ્યાનસ્થાન બન્યા હતા સ્થાન ખોજના સમયે.. તે વૃક્ષની નીચેથી અચાનક પાષણખંડ સિંદૂરવર્ણનાં પ્રગટ થયા માનો.. હમણાં જ સિંદૂરનો ઉપયોગ ન કર્યો હોય.... લોકો પામી ન શક્યાં... આ શું છે? અને પાષાણખંડ આમથી તેમ નાંખવા માંડયા. અને તે સાથે જ ભયંકર તોફાન ચારે બાજુ ઊભું થઈ ગયું! પથરાઓ ઉડવા માંડયા બધે હાહાકાર પૂજ્યશ્રી ત્યાં પધાર્યા...! " આ શું કરી રહ્યાં છો તમે? જ્યારે શક્તિ સ્વયં પ્રગટ થવા ઈચ્છે છે! આ તો બાબાના સાક્ષાત્ દર્શન છે." સવિજય ક્ષમાપના સાથે પ્રગટિત પાષાણખંડ એકત્રિત કરીને તે જ વૃક્ષ નીચે સ્થાપિત કરવામાં આવ્યાં. અને તે જ સમયે તોફાન શાંત...! વિજયમુહૂતનો સમય સામે જ હતો. પૂજ્યશ્રીએ પૂર્ણ ગંભીરતા સાથે દેવ આહ્વાન આદિ નિધાન કરીને દિવ્યપલે માણિભદ્રવીરની ત્યાં પ્રાણપ્રતિષ્ઠા કરી. અને આશ્ચર્ય! દાદાના સ્થાનમાંથી તેજકિરણો પ્રસારિત થઈ રહ્યાં છે. અને પૂજ્યશ્રીની મુખાકૃતિને આલોકિત કરીને સહુના તન-મનને પ્રસન્નતા પ્રદાન કરી રહ્યાં છે. હજારો ભક્તો તે સમયે મૂલસ્થાનમાં સંપૂર્ણ આકારના દર્શન કરીને રોમાંચિત બની ગયા! જૈનશાસનના ઇન્દ્રોમાં શ્રી માણિભદ્રવીરનું એક વિશિષ્ટ સ્થાન છે. ઉજજૈન, આગલોડ, મગરવાડા, રાંદેર, પાબલ આદિ સ્થાનોમાં ચમત્કારી પ્રતિમાઓ બિરાજમાન છે. મહા સુદિ ૫ (વસંત પંચમી) શ્રી માણિભદ્રજીની સાધનાનો ઉત્તમ દિવસ છે. આ દિવસે જૈનાચાર્યપ્રવર શ્રી શાંતિસોમસૂરીશ્વરજી મ.સા.એ સતત ૧૨૧ દિવસીય ઉપવાસ કરીને વીરને પ્રત્યક્ષ કર્યા હતા. પૂજ્યશ્રીની હાર્દિક ઇચ્છા હતી કે, આ દિવસે સ્વામિવાત્સલ્ય સહ વિશાળ મેળાનું આયોજન કરવામાં આવે. વસંત પંચમીનો આજે પ્રથમ મેળો હતો. ભક્તજનોનો અવિરત પ્રવાહ ચારે તરફથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy