SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ 298 તપાગચ્છાધિષ્ઠાયક પણ હજુ અઘાતિકર્મ બાકી હોય તે ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે અને આઠે કર્મ દૂર થયાં હોય તે જ્ઞાન તે સિદ્ધ કેવળજ્ઞાન કહેવાય છે. ભવસ્થ કેવળજ્ઞાનના પણ બે ભેદ છેઃ સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અને અયોગી ભવસ્થ કેવળજ્ઞાન. સયોગી ભવસ્થ કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે. પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન. અપ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમસમય સયોગી ભવસ્થા કેવળજ્ઞાન. અચરમ સમય યોગી ભવસ્થ કેવળજ્ઞાન. અયોગી ભવસ્થ કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે. પ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અપ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અથવા ચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન અચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન. આ ઉપરના ભેદો સમજવા માટે કેટલીક સમજૂતી અહીં અપાઈ છે. ભવ = સંસાર / ભવસ્થ કેવળજ્ઞાન – ચાર ઘાતિકર્મ નષ્ટ થયાં હોય પણ અઘાતિ કર્મ બાકી હોય તે ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય. જેના જ્ઞાનાવરણીયાદિ આઠે કર્મ દૂર થયાં હોય તે અવસ્થ અથવા સિદ્ધ કેવળજ્ઞાની કહેવાય. મન-વચન-કાયાનો વ્યાપાર-પ્રવૃત્તિયોગ કહેવાય. તે યોગવાળું ભવસ્થ કેવળજ્ઞાન તે સયોગી મવસ્થ કેવળજ્ઞાન કહેવાય.. ચોદમાં ગુણસ્થાનકે જે કેવળજ્ઞાન હોય તે અયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. (શેલેષી અવસ્થા પ્રાપ્ત થયેલ.) સયોગી ભવસ્થ કેવળજ્ઞાન પણ બે પ્રકારનું છે : પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન અપ્રથમ સયોગી ભવસ્થ કેવળજ્ઞાન. કેવળજ્ઞાન ઉત્પત્તિના પહેલા સમયને છોડીને બાકીનું કેવળજ્ઞાન પ્રથમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન -- સયોગી અવસ્થાના છેલ્લા સમયનું જે કેવળજ્ઞાન તે ચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય અને અચરમ સમય સયોગી ભવસ્થ કેવળજ્ઞાન તેરમાં ગુણસ્થાનકના છેલ્લા સમયને છોડીને તેની ઉત્પત્તિના પહેલા સમયથી છેલ્લા સમયની પૂર્વના સમયનું અચરમ સમય યોગી ભવસ્થ કેવળજ્ઞાન કહેવાય છે. અયોગી ભવરણ કેવળજ્ઞાન બે પ્રકારનું : પ્રથમ સમય અયોગી ભવરણ કેવળજ્ઞાન અપ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન. રમયોગી ગુણઠાણાના પહેલા સમયનું કેવળજ્ઞાન તે પ્રથમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન છે. અર્થાત્ (શૈલેષી અવસ્થા પ્રાપ્તિ પહેલા સમયનું કેવળજ્ઞાન) અયોગી ગુણઠાણાના પ્રથમ સમયને છોડીને બાકીનું અયોગી ગુણઠાણાના સર્વ સમયનું કેવળજ્ઞાન અપ્રથમ સમયનું કેવળજ્ઞાન કહેવાય છે. શૈલેષી અવસ્થાના છેલ્લા સમયનું દેવળજ્ઞાન ચરમ સમય અયોગી ભવસ્થ કેવળજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy