SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ 226 . હિંમતપૂર્વકનાં સંશોધનોથી તેવા અપભ્રંશોને દૂર કરી, ધાર્મિક ગ્રંથોમાં દર્શાવેલી હકીકતોની સત્ય અને શુદ્ધ સ્વરૂપે રજૂઆતો કરીએ છીએ ત્યારે આધુનિક છીછરાં સંશોધનોથી ઊંચામાં ઊંચી કક્ષાના જ્ઞાનવાળો ધર્મ, અને ધાર્મિક ગ્રંથોની હકીકતો, આપણી દષ્ટિ સામે ખડી થાય છે........૧ તપાગચ્છાધિષ્ઠાયક વર્તમાન સમયને કોઈ ' ફૅશનયુગ ' કહે છે તો બીજા વળી ' બુદ્ધિયુગ', 'પ્રગતિયુગ', 'વિજ્ઞાનયુગ', 'અણુયુગ' કહે છે. પરંતુ એક લેખકે વર્તમાન સમયને ' પ્રચારયુગ ' કહીને નવાજ્યો છે. આનું કારણ એ છે કે વર્તમાનપત્રો, લેખો-પુસ્તકો, રેડિયો, ટી.વી. અને ઇરાદાપૂર્વક વહેતી મુકાયેલી જાહેરાતો મોટે ભાગે સત્યને દળી નાખે છે ! આથી જ હાલની પ્રચલિત માન્યતાથી જુદી પડતી જંબૂદ્દીપ અને ભરતખંડના રચનાવર્ણન' ને આપણે શાસ્ત્રની મદદથી તપાસવી રહી – કારણ કે કેટલાંક સત્યોની સાબિતી મેળવતાં આપણને ઘણો સમય લાગે છે (કદાચ ન પણ મળે અને મળે ત્યારે હૈયાત ન પણ હોઈએ ) પરંતુ તીર્થંકર ભગવંતોએ કેવલજ્ઞાનરૂપે આગમોમાં તેનું વર્ણન આપેલું છે. સમગ્ર વિશ્વના મધ્ય ભાગમાં અને સર્વ પર્વતોમાં સૌથી ઊંચો એક લાખ યોજનની ઊંચાઈવાળો મેરુ પર્વત આવેલો છે. આ મેરુ પર્વત, જંબૂટ્ટીપની મધ્યમાં આવેલો છે અને આકા૨ે ગોળાકાર થાળી જેવા જંબૂદ્વીપ ફરતો આઠ યોજન ઊંચો કિલ્લો છે અને તે ' તિÁલોક 'ની મધ્યમાં આવેલો છે. તિÁલોક એક ' રાજ ' લાંબો-પહોળો છે. અસંખ્યાત જોજન મળીને 'રાજ' બને છે. આમ તિńલોકની મધ્યમાં એક લાખ જોજનનો લાંબો-પહોળો જેમાં આપણે રહીએ છીએ તે જંબુદ્રીપ છે, તેની મધ્યમાં મેરુ પર્વત છે. જંબુદ્રીપની ચારે બાજુ, બંગડી આકારે સમુદ્રો અને દ્વીપો આવેલા છે જે બમણા—બમણા થઈને પહોળાઈમાં વિસ્તરેલા છે. યોગ્ય ઉદાહરણ લેતાં જંબુદ્રીપ એક લાખ જોજન લાંબો–પહોળો છે, તેની ફરતે ચારે બાજુ ' લવણ સમુદ્ર વિંટળાયેલો છે જે બે લાખ જોજનનો છે, તેની ફરતા ચાર લાખ જોજનનો ' ઘાતકીખંડ ' છે, તેની ફરતા ' કાલોદધિસમુદ્ર ' આઠ લાખ જોજનનો છે, તેની ફરતા 'પુષ્કરવર 'દ્વીપ ૧૬ લાખ જોજનનો છે, તેની ફરતાં બત્રીસ લાખ યોજનના વિસ્તારવાળો પુષ્પકરવર સમુદ્ર છે.... તે પછી એક દ્વીપ અને તે જ નામવાળો સમુદ્ર એમ બમણા–બમણા વિસ્તારવાળા આવે છે. આ દ્વીપ અને સમુદ્રનાં નામો ક્રમસર લઈએ તો – પુષ્કરવર, વારૂણીવર, ક્ષીરવર, ધૃતવર, ઈક્ષુવર, નંદીશ્વર, આ પછી દરેક નામની સાથે વર–વરાવભાસ એમ ત્રણ ત્રણ દ્વીપ–સમુદ્રો આવેલા છે તે વિસ્તારમાં બમણા—બમણા વિસ્તારવાળા છે તેમાં છેલ્લે સ્વયંભૂરમણ દ્વીપ અને સ્વયંભૂરમણ સમુદ્ર આવેલો છે. જેમકે – જંબુદ્રીપ ( તેની વચ્ચે અસંખ્ય દ્વીપ–સમુદ્ર આવેલા છે ) તે પછી બીજો જંબૂટ્ટીપ–જંબૂસમુદ્ર આવે, તેના પછી જંબૂવર દ્વીપ–જંબૂવર સમુદ્ર આવે, તે પછી જંબૂવરાવભાસ દ્વીપ – જંબૂવરાવભાસ સમુદ્ર આવે, તે પછી અસંખ્ય દ્વીપ–સમુદ્રો; પછી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy