SearchBrowseAboutContactDonate
Page Preview
Page 847
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 83] યક્ષેન્દ્રના દર્શનનો પ્રથમ અને પ્રત્યક્ષ અનુભવ, -પૂ.આ.શ્રી અશોકસાગરસૂરિ મ.સા. ચાર રૂપના અનુભવથી નામ પડ્યું ચારુપ. શામળા પાર્શ્વનાથજીનાં જ્યાં બેસણાં છે. આ ચારુપ તીર્થ ચમત્કારોની હારમાળા સર્જે છે. ચૈત્ર સુદ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. આગમ વિશારદ પૂજ્યપાદ પં. ગુરુદેવશ્રી બિરાજમાન છે. સિદ્ધચક્ર આરાધક સમાજ તરફથી શાશ્વત ઓળીની આરાધનાનો રંગ જામ્યો છે. પૂજ્ય ગુરુદેવશ્રી પોતાના ત્રીસ ઉપરાંત શિષ્ય-પ્રશિષ્યોથી પરિવરી આરાધનામાં વ્યાખ્યાન અને વાચના દ્વારા પ્રેરણાનાં પીયૂષપિવડાવી રહ્યા છે. આ ચારુપ તીર્થમાં માણિભદ્ર યક્ષરાજની પ્રતિષ્ઠાનું આયોજન છે. ટ્રસ્ટી શ્રી અરવિંદભાઈની એક જ ઇચ્છા છે કે ૧૬ વિધાદેવી તથા શ્રી માણિભદ્ર યક્ષેન્દ્રનું વિધાન પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં થાય. સાક્ષાત્ દેવોએ આવીને સોળે વિધાદેવીનું પૂજન કર્યું. જેણે જોયું-જાણ્યું અને સાંભળ્યું તે આશ્ચર્યવિભોર બની ગયા. રાતના ૧રનો સમય છે. અરવિંદભાઈઅનુષ્ઠાનમાં બેઠા છે. ગુરુદેવે પ્રથમથી જ કહી રાખેલ કે નાગરાજ આવે તો ચલિત ન થતા. ગભરાતા નહીં, વિધિવિધાન ચાલુ રાખજો. બરાબર ૧રને ૫ મિનિટ થઈ ને પૂજ્યશ્રીએ ફરમાવ્યા મુજબ નાગરાજ કહ્યા પ્રમાણેની દિશામાંથી જ પધાર્યા. અરવિંદભાઈને ગુરુજી પર ભારે શ્રદ્ધા. ચલિત થયાવિના ગુરુજી પ્રદત્ત શ્રી નવકાર મંત્રનો જાપ ચાલુ જ રાખ્યો. નાગરાજે પોતાનું કાર્ય પૂર્ણ કરી વિદાય લીધી. હવે શ્રી માણિભદ્ર ઇન્દ્ર મહારાજાનું વિધાન શરૂ કરવાનું હતું. પૂ.ગુરુદેવશ્રીએ મને કહ્યું, તું ચાલ મારી સાથે ! શ્રી પાર્શ્વનાથ દાદાની જમણી બાજુના રૂમમાં અરવિંદભાઈ વિધિ-વિધાનની સામગ્રી લઈ હાજર થઈ ગયા. પૂજ્યપાદશ્રીની સાથે હું વાસક્ષેપનો વટવો લઈ સાથે ચાલ્યો. રૂમમાં આવ્યા. દરવાજો બંધ કરી દીધો. મને જમણા હાથે બેસાડ્યો. પૂજ્યશ્રી મંત્રોચ્ચાર પૂર્વક વિધિવિધાન કરાવી રહ્યા છે. પૂજ્યશ્રીની સૂચના મુજબ અરવિંદભાઈ કેશર ચંદન કસ્તુરી બરાસ દ્વારા ફૂલધૂપદીપકનૈવેદ્ય ફળવિ. કિયા કરતા જાય! હું તો બધું જોયા કરતો અને મનમાં શ્રી નવકાર મંત્રનું સતત સ્મરણ કરતો હતો. અચાનક પૂજ્યશ્રી ઊભા થયા અને શ્રી માણિભદ્ર યક્ષરાજનું આવાહન કર્યું. અને જ્યાં મંત્રોચ્ચાર પૂર્વક વાસક્ષેપ કર્યો અને ઝળહળાટ ભૂરા બ્લપ્રકાશથી સારા રૂમમાં પ્રકાશ પ્રકાશ થઈ ગયો. હું તો આશ્ચર્યચકિત થઈ ગયો. આવો પ્રકાશ ક્યારેય કયાંય જોયો ન હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy