SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ - - I જ છે . આ ગ્રંથના પ્રેરક :: મધુર વક્તા, શાસન પ્રભાવક, જાપ ધ્યાનનિષ્ઠ આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરીશ્વરજી મ. સા.ની જીવનઝલક મધુર વક્તા, શાસન પ્રભાવક પૂ. આચાર્ય શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મહારાજ ખરેખર જિનશાસનના એક તપસ્વી સાધુપુરુષ છે, જેઓ આ વર્ષે જ –અર્થાત્ વિ. સં. ૨૦૧૩ના મહાસુદ-૧૩ ગુરુવાર તા.૨૦-૨-૧૯૯૭ના શુભ દિવસે જૈન શાસનના સર્વોચ્ચ ગણાતા "સૂરિપદથી સમલંકૃત " બન્યા છે, અને જિનશાસનને વધુ એક તેજસ્વી અને ધર્મપ્રભાવક આચાર્યદેવની અણમોલ ભેટ પ્રાપ્ત થઈ છે. તે સમયના સાગરગચ્છાધિપતિ અને સુવિશુદ્ધ સંયમમૂર્તિ દાદા ગુરુદેવ આચાર્યદેવ શ્રીમદ્ દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજની વરદ કૃપાને વરેલા અને તેઓશ્રીના જ શિષ્યરત્ન સંગઠ્ઠનપ્રેમી પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરીશ્વરજી મ. સા.ના શિષ્યરત્ન પૂ.આ. શ્રી ચંદ્રાનનસાગરસૂરિજી મ. સાગર સમુદાયના શણગારરૂપ છે અને પ્રસિદ્ધ એવા પ્રવચનકાર છે. ધર્મભૂમિ ગુજરાતની પ્રસિદ્ધ તીર્થભૂમિ શંખેશ્વરની પાસે આવેલું આદરિયાણા ગામ પૂજ્યશ્રીનું જન્મસ્થળ. પૂનમચંદ તલકશીભાઈ એ પિતાનું નામ અને પુષ્પાબેન એ ધર્મિષ્ઠ માતાનું નામ. વિ.સં. ૨૦૧૭ ભાદરવા સુદિ ૧ ના રોજ આ તેજસ્વી બાળકનો જન્મ. ચંદ્રકાન્ત નામ પાડ્યું. શ્રી પૂનમચંદભાઈ અને પુષ્પાબેનનું આ પ્રથમ સંતાન. - પૂ. આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ. સા. ચંદ્રકાન્તના સંસારી સગા કાકા થાય, તો પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ. સા. પૂ.આ. શ્રી નિત્યોદયસાગરસૂરિજી મ.સા.ના પણ સંસારીપણે કાકા થતા. આ બધા સાંસારિક સુભગ સંગમે ચંદ્રકાન્તને ઉત્તમ સંયોગ ઊભો કરી આપ્યો. અગિયાર વર્ષની ખેલકૂદની ઉમરમાં જ ચંદ્રકાન્તને પ્રબળ પુણ્યોદયે સંયમધર્મની પ્રાપ્તિ થઈ. વિ. સં. ર૦ર૭ના જેઠ વદિ ૧૧ ને શુભ દિવસે પૂ. આ. શ્રી દર્શનસાગરસૂરિજી મ.સા.ના વરદ હસ્તે રાજસ્થાનના ફાલના શહેરમાં ચંદ્રકાન્ત સંયમધર્મનો સ્વીકાર કર્યો. મુનિ ચંદ્રાનનસાગરજી બનિને પૂ. મુનિરાજશ્રી નિત્યોદયસાગરજી મ.ના શિષ્યપદે આરૂઢ થયા. બાળ મુનિનો પ્રારંભિક શાસ્ત્રાભ્યાસ થવા લાગ્યો. ગુરુદેવોની મંગળ આશિષ ભાવપૂર્વક વરસવા લાગી. ૨૦૩૭માં મુંબઈના દાદર (વેસ્ટ)માં "મુનિવર"માંથી "ગણિવર" બન્યા. પછી સળંગ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy