SearchBrowseAboutContactDonate
Page Preview
Page 274
Loading...
Download File
Download File
Page Text
________________ 258 તપાગચ્છાધિષ્ઠાયક यक्षः कपर्दी खलु सेवते यं, यात्रार्थिविघ्नानि करोति दूरम् । चक्रेश्वरी देव्यपि जागरूका, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ १९ ॥ કપર્દી યક્ષ તથા જાગરૂક એવી ચક્રેશ્વરી દેવી જેની સેવા કરે છે અને યાત્રિકોનાં વિનોને દૂર કરે છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૧૯. यस्य प्रभावान्मुनयः सलीलं, रागादिशत्रून्सकलाञ्जयन्ति । सान्वर्थशत्रुजयनामधेयं, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २० ॥ જેના પ્રભાવથી મુનિઓ રાગાદિ સર્વઆંતરશત્રુઓને લીલાપૂર્વક જીતી લે છે તેથી 'શત્રુંજય' એવા યથાર્થ નામવાળા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૦. इन्द्रस्य पार्श्वे खलु यन्महत्त्वं, प्रोक्तं हि सीमंधरस्वामिनाऽहो । इन्द्रप्रकाशेतिप्रसिद्धिभाज, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २१ ॥ અહો!જેનો મહિમા શ્રી સીમંધરસ્વામી ભગવંતે ઇન્દ્રની આગળ વર્ણવ્યો તેથી જે ઇન્દ્રપ્રકાશ ' એવા નામથી પ્રસિદ્ધ થયેલ છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૧. मानं हि यस्य प्रथमारके स्यान्नूनं ह्यशीतिः खलु योजनानाम् । महागिरित्वेन तत: प्रसिद्ध, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २२ ॥ અવસર્પિણીકાળના પ્રથમ આરામાં જેનું પ્રમાણ ૮૦ યોજન જેટલું હોય છે તેથી 'મહાગિરિ' તરીકે પ્રસિદ્ધ થયેલ એવા શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. રર. कृत्वोपवासद्वयमेव यत्र, करोति यात्राः खलु सप्तकृत्वः । • भवत्रये स्यात्स हि मोक्षगामी, सिद्धाचलं तं प्रणमामि भक्त्या |॥ २३ ॥ જ્યાં ચોવિહાર છઠ્ઠ તપ કરીને વિધિપૂર્વક ભાવ સહિત સાત યાત્રા કરનાર આત્મા ત્રણ ભવમાં મોક્ષગામી થાય છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ર૩. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy