SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ तिर्यक्चरा जीवगणा हि यस्य, प्रभावतो भद्रकभावमाप्ताः । गताश्च स्वर्गादिकसद्गतिं वै, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २४ ॥ જેના પ્રભાવથી તિર્યંચ જીવો પણ ભદ્રકભાવને પામીને સ્વર્ગાદિ સદ્ગતિને પામ્યા છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૪. प्रायो हि नाऽऽयान्ति कदापि यत्र, दुर्भव्यजीवाः खलु वायसाश्च । संसेव्यमानं लघुकर्मभिश्च, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २५ ॥ દુર્વ્યવ્ય જીવો તથા કાગડાઓ પ્રાયઃ કરીને જ્યાં કદાપિ આવતા નથી, તથા જે હળુકર્મી જીવો દ્વારા સારી રીતે સેવાઈ રહેલ છે. તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૫. अनेकभूपालसुमन्त्रिमुख्यैः सङ्घाधिपैर्यत्र विनर्मिताऽहो । विराजते भव्यसुचैत्यपंक्ति:, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २६ ॥ અહો ! અનેક રાજાઓ તથા શ્રેષ્ઠ મંત્રીશ્વરો વગેરે સંઘપતિઓ દ્વારા નિર્મિત થયેલી ભવ્ય મંદિરોની હારમાળા જ્યાં અત્યંત શોભી રહેલ છે... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૬. सहस्रशो यत्र जिनेश्वराणां, देदीप्यमानानि सुबिम्बकानि । यच्छन्ति बोधिं खलु दर्शकानां सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २७ ॥ 259 જ્યાં હજારો દેદીપ્યમાન જિનબિંબો દર્શકોને બોધિ (સમ્યક્ત્વ)નું દાન કરે છે... તે શ્રી સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૭. देवेन्द्रराजेन्द्रनरेन्द्रवृन्दै मंत्री श्वरैर्वै वरश्रेष्ठिभिश्च । उद्धारका यस्य कृता असंख्याः, सिद्धाचलं तं प्रणमामि भक्त्या ॥ २८ ॥ Jain Education International દેવેન્દ્રો, ચક્રવર્તીઓ, તથા રાજાઓના સમૂહો વડે તેમ જ મંત્રીશ્વરો અને ઉત્તમ શ્રેષ્ઠીઓ દ્વારા જેના અસંખ્ય ઉદ્ધારો થયા છે. તે સિદ્ધાચલજી મહાતીર્થને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું. ૨૮. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy