SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ 426 ભયોમાંથી પાર તું જ કરે છે અને નિંદા કરનારા શત્રુને તું દૂર કરે છે. (૬) ગજેન્દ્રના મુખથી શોભતા એવા ઐરાવણની સવારી કરી રહેલા મહાન ઉપકારી માણિભદ્ર મોટા મહારાજા છે. જેની પાસે સદા છત્રીસો વાજાં વાગી રહ્યાં છે, એવા માણિકવીરે આ. હેવિમલસૂરિને સહાય કરી હતી. તે વેળાએ તું જ પ્રસન્ન થયો ને ભૈરવને દૂર કરી શાસનપ્રભાવના કરાવી હતી. (૭–૮) તપાગચ્છાધિષ્ઠાયક હે માણિભદ્ર ! અમારા વચનને માન્ય કરો, કારણ તું મહાન છે; જ્યારે હું તો તારો અદનો સેવક છું – અને માણિભદ્રજી વીર ! તારા વચનને માનીને તો કાલા—ગોરાને દૂર કર્યા છે તારા ભક્તોએ. - પેલાં ભક્ત માટે પણ વચન તારા માણી ગયેલી સર્વ સામગ્રી પાછી મેળવી હતી. માટે જ શત્રુના વારે માણિકે બહુ ઝાલ્યો ને અઢાર દેશને પણ તેં જ પ્રકાશ્યો છે. તપગચ્છના મંડણ એવા માણિભદ્ર ખરાબ મતિને દૂર કરીને ભાવ આરોગ્ય આપે છે. જ્યારે એકતાન બનીને ધ્યાન કરે છે ત્યારે સર્વ પ્રકારનાં કાર્યો માણિભદ્ર સિદ્ધ કરે છે. (૧૧) આઠમ ને ચૌદશની જે આરાધના કરે છે અને દિવાળીના દિવસે જે જાપની સાધના કરે છે તેનો પડ્યો બોલ રાજદરબારમાં માન્ય થાય છે. સારી પૃથ્વી ઉપર તેનો યશ ફેલાય છે. (૧૨) આજના દારીદરના યુગમાં એક એવો સુભટ છે જે માનવીના દારિદ્રયને દૂર કરી શકે તો તે માણિભદ્રને મોટા માનથી પૂજનારને જગતમાં કયારે પણ નુકસાન પડતું જ નથી. (૧૩) યશ–કીર્તિને સારા જગતમાં ફેલાવનાર માણિકનું સ્મરણ કરનાર તે જ ક્ષણે રોગને દૂર કરે છે ને ધન–સંપત્તિ તો કયારેય પણ ખૂટે જ નહિ, જ્યારે માણિભદ્રને સાથી તરીકે માનવામાં આવે છે. (૧૪) આ શ્લોકમાં કવિ કહે છે, માણિભદ્રવીર ! મને સેવક તરીકે માનતા હો તો મારી નાનીશી વિનંતીને માન્ય કરો. કંઈ વિનંતી તો દિલ ભરપૂર દર્શન મને આપો ને કૃપા વરસાવી આ સેવકને સુખી કરો. (૧૫) હવે અહીંયાં બતાવે છે કે માણિભદ્ર રહેવાસી ગુજરાતના છે; પણ તેનું નામ–જાપ તો સારા નવેય ખંડમા ગાજતું છે અને તારું ધામ મગરવાડામાં કવિનાં સારાં કાર્ય થયાં છે. કારણ કે તું મહાન પુરુષ છે. (૧૬) સેવકનાં કાર્યો થાય ને પ્રમુખ રાજાના નામથી પંકાવે છે ત્યારે હું પણ તારા હુકમ પ્રમાણે પ્રતિદિન પૂજા કરું છું – દ્રવ્ય કે ભાવથી. (૧૭) સળગતા સંસારના તાપ ને સંતાપથી હે વીરા ! માતા ને પિતા તુલ્ય દિલમાં દર્શન આપી કવિને આગળ વધારો શાશ્વત શાંતિના પંથે. (૧૮) આ સ્તોત્રના પાઠ દ્વારા કવિ કે કરનાર અરજ કરે છે કે મને એટલે તારા બાળકને મૂલમંત્ર આપીને મહારત લાજ રાખો. (૧૯) પૃથ્વીમાં મારી લાજ વધારો ને ન્યાત-ગોત્રમાં-કુળમાં ને સમાજ કશું જ ન મળે કે મળેલો દૂર કરો. માણિક ! તું શું નથી આપતો ! સર્વ આપે છે માટે જ મારી ઇચ્છા પુત્રની પણ તું પૂરે ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy