SearchBrowseAboutContactDonate
Page Preview
Page 528
Loading...
Download File
Download File
Page Text
________________ 512 તપાગચ્છાધિષ્ઠાયક ધામ તરીકે જાણીતું છે. અહીંની હવા દર્દીઓ માટે અનુકૂળ હોવાથી અહીંયાં હૉસ્પિટલોની હારમાળા છે. અત્રે જૈનોને રોકાણ કરવા દહેરાસરની પાછળ સુંદર અતિથિગૃહની વ્યવસ્થા અત્રેના શ્રીસંઘ તરફથી કરવામાં આવેલી છે. આ તીર્થક્ષેત્રમાં પણ શ્રી માણિભદ્રજીની પ્રભાવકતા પણ ખૂબ જ જણાય છે. કરાડઃ- ૪૪ સ્તંભોથી યુક્ત નવજીર્ણોદ્ધારિત અને નવપ્રતિષ્ઠિત (નૂતન) શ્રી સંભવનાથ ભગવાનું ત્રણ શિખરોયુક્ત ગગનચુંબી જિનમંદિર સારાયે મહારાષ્ટ્ર રાજ્યમાં અલૌકિક છે. અહીં પણ શ્રી માણિભદ્રજીનું મંદિર આવેલું છે, જેની બે વર્ષ પૂર્વે પ્રતિષ્ઠા કરવામાં આવેલી છે. અહીં પણ શ્રી માણિભદ્રજીની પ્રભાવકતા જણાય છે. પૂના-ગોડીજી પાર્શ્વનાથ :- પેશવા સરકાર દ્વારા ર૫૦ વર્ષ પહેલાં જિનાલય માટે વેતાલ પેઠમાં (વર્તમાનમાં ગુરુવાર પેઠ) ભૂમિ પ્રાપ્ત થતાં પૂના નગરમાં પ્રથમવાર જિનાલયનું નિર્માણ થયેલ. આ રીતે પૂના શહેરમાં સર્વપ્રથમ શ્રી ગોડીજી દાદાના જિનાલયનું નિર્માણ થયું. સંવત ૨૦૪૭ દ્વિ. વૈશાખ સુદ ૧૧ના નવીન જીર્ણોદ્ધારિત ભવ્ય જિનાલયમાં તેની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. આ તીર્થમાં પણ માણિભદ્ર યક્ષરાજની પ્રભાવકતા ખૂબ જ જોવામાં આવે છે. તાસગાંવ :- અહીંયાં ૧૦૦ વર્ષ પ્રાચીન માણિભદ્રવીરજીનું મંદિર આવેલ છે, જેની પ્રભાવકતા આજે પણ જાણીતી છે. શાહપુર (જિ.થાણા) – અત્રે શ્રી માણિભદ્રવીરનું મંદિર આવેલું છે, જેની પ્રભાવકતા ઘણી જ છે. બારામતી (મહારાષ્ટ્ર) – આ તીર્થક્ષેત્રમાં પણ માણિભદ્ર યક્ષરાજની પ્રભાવકતા ખૂબ જ જણાય છે. F F G H વંથલી (સોરઠ) :- આ એક પ્રાચીન તીર્થ છે. અત્રેના દેરાસરમાં મૂળનાયક ભગવાન શ્રી શીતલનાથ છે. એકદમ ચમત્કારિક ૬૪ ઈચના છે. સૂરજકુંડની બાજુમાં કૂવો ખોદતાં નીકળતાં સં. ૧૯૭૧માં પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બીજા દેરાસરમાં મૂળનાયક પદ્મપ્રભુજી છે. સાથે ચંદ્રપ્રભુજી પણ છે. બન્ને પ્રતિમાજી અત્રેના કિલ્લાની રાંગ ખોદતાં નીકળ્યાં છે. બન્ને સાથે જીવતા નાગ-નાગણી નીકળેલ કે જે પૂજા કરતી વખતે વિનંતી કરતાં અદશ્ય થઈ જતાં. આ રીતે છ માસ સુધી ચાલેલ. જિનાલય ૧૫૦ વર્ષ પ્રાચીન છે. રાત્રે કયારેક ભાવના તથા નાટારંભ સંભળાય છે. સ્થાપના સંવત ૧૯૧૩માં થયેલ છે. અત્રે બિરાજતા શ્રી માણિભદ્રદેવ ઘણા જ ચમત્કારિક છે. બીજા માણિભદ્ર દેવ અને અત્રેના માણિભદ્ર દેવની મૂર્તિમાં ઘણો જ તફાવત છે. અત્રેના માણિભદ્રદેવ સન્મુખ છે. ઘણા જ ચમત્કારિક છે. અવારનવાર ઘણાને પરચા મળ્યા છે. ઘણાને માનતાઓ ફળી છે. સુખડી ધરાઈ છે. ઘણા મુનિભગવંતોને દેવનો ભાસ પણ થયેલ છે. જૂનાગઢથી ૧૫ કિ.મી.ના અંતરે આ તીર્થ આવેલું છે. ધર્મશાળા તથા ભોજનશાળાની સુંદર સગવડ પણ છે. [ માહિતી પ્રાપ્ત ઃ શ્રી વંથળી (સોરઠ) છે. મૂ. તપગચ્છ જૈન સંઘ ] Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy