SearchBrowseAboutContactDonate
Page Preview
Page 774
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી માણિભદ્રજીની પૂજા–પૂજન અનુષ્ઠાનાદિ સંબંધી ઉપયોગી નોંધ પ્રસ્તુતકર્તા : ગચ્છાધિપતિ પૂ. શ્રી જયઘોષસૂરીશ્વરજી મ.સા.ના પ્રશિષ્ય મુનિશ્રી જયદર્શનવિજયજી મહારાજ ૧. શ્રી માણિભદ્રવીર હાલે દેવેન્દ્ર છતાંય શ્રાવકો માટે ધર્મસંબંધથી સાધર્મિક ગણાય છે, માટે તેમના બહુમાનરૂપે તેમની અંગપૂજા અંગૂઠા વડે ફક્ત તેમના મસ્તકે તિલક કરીને કરી શકાય; પણ પરમાત્માની જેમ નવાંગી પૂજા ન થાય. ૨. તેમની પંચોપચાર પૂજા પણ પ્રથમ દહેરાસરમાં રહેલ પ્રભુ–પરમાત્માની સેવાપૂજા સંપન્ન થઈ ગયે જ કરાય; જેથી ક્રમના આધારે પ્રથમ અરિહંત, સિદ્ધોની પ્રતિમાઓ, ગણધરોની પૂજા થઈ ગયે તેઓની પૂજા તે જ ચંદન-કેસરથી થાય પણ તેમની કરેલ પૂજા પછી તે જ ચંદન-કેસરથી પરમાત્માની પૂજા ન થઈ શકે. ૩. પ્રભુ પરમાત્માની આરતી વગેરેના ઠાઠ કરતાં માણિભદ્રજીની આરતીમાં વધુ શ્રદ્ધા–ભક્તિ સમયનું યોગદાન એ હકીકતમાં અજ્ઞાનતા કહેવાય. કારણ કે તેઓશ્રી જે પ્રભુ પૂજ્ય છે અને તેઓ હાલની ઉચ્ચાવસ્થા છતાંય પ્રભુના પૂજક-સેવક છે. ૪. માણિભદ્રજીને ચડાવેલ સુખડી વગેરેનો ઉપયોગ–ઉપભોગ શ્રાવકો કરે છે; પણ તે જ ચડાવેલ નૈવેધ વગેરે જો પરમાત્માની દષ્ટિમાં પણ પડતું હોય તો તેનો ઉપયોગ–ઉપભોગ ન કરી શકાય. ૫. અન્ય મિથ્યાત્વી દેવદેવીઓની બાધા–માનતા રાખી કલ્ય–અકલ્પ્ય વસ્તુઓનું તર્પણ ન કરી, ખૂબ ઊંચા ઉદ્દેશ્યો ને અધ્યવસાયોથી માણિભદ્રજીની માનતાઓ ફળે જ છે. છતાંય તુચ્છ નજીવી સંસારસુખની આશા-અપેક્ષાઓ માટે બાધા-માનતા રાખવા કરતાં વિઘ્નરહિત, ધર્મવૃદ્ધિમાં પડતા અંતરાયો કે શાસનસેવાના કાર્ય માટે શ્રી માણિભદ્રજીની સાધના, બાધા, માનતા ઉપાદેય જણાય છે. ૬. મૂર્તિ કે સ્થાપનાની સામે અક્ષતનો સાથિયો, શોભા શણગાર કે વિવિધ ઉપચારો તે ફક્ત પરમાત્મા પ્રતિ અષ્ટપ્રકારી પૂજા કે સત્તરભેદી પૂજાને લક્ષમાં રાખીને જ ગોઠવી શકાય. દેવદેવીઓની અષ્ટપ્રકારી પૂજા-આરાધનાને બદલે આશાતના જેવું ગણાય. ૭. શ્રમણ ભગવંતો માણિભદ્રજીને ધર્મલાભ પાઠવી શકે. શ્રાવકો સાધર્મિકતાના સંબંધથી ફકત મસ્તક ઝુકાવી વંદન કરી શકે. ૮. માણિભદ્રજીના જાપ, પૂજા, પૂજન કે અનુષ્ઠાનોના સમયે પુરુષ તથા સ્ત્રીઓના અધિકાર – કર્તવ્યમાં જે ભેદો છે તે સમજવા તથા માણિભદ્રજી સંબંધી ઉપયોગી અનેક માહિતીઓ પ્રાપ્ત કરવા પ્રસ્તુત ગ્રંથ સાદ્યંત વાંચવો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy