SearchBrowseAboutContactDonate
Page Preview
Page 821
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 805 ત્યાંના બધાય ઉંદરોને આકર્ષ અપરાધીને પકડી પાડ્યો. ચમત્કાર દેખાડી પછી બધાયને મુક્ત પણ કર્યા. અન્યલિંગી આવ્યો ને ટોપી આકાશમાં અધ્ધર કરી, ત્યારે રજોહરણથી ખેંચી નીચે ઉતારી. બીજા દિવસે પાણી ભરેલો ઘડો આકાશમાં બિનાધાર કર્યો, તો ઘડો ઉતારી પાણીને અલગ કરી દેખાડ્યું, ૫૦- ઈર્ષાવશ સાધુતા ખોઈ મરણ પામેલ ભાઈ વરાહમિહિર વ્યંતરદેવ થયો ને ગામમાં મરકી ફેલાવી, જેનું વારણ કરવા ભદ્રબાહુસ્વામીએ ઉવસગ્ગહર સ્તોત્રની રચના કરી છે. પ૧- આ જ પ્રમાણે ધર્મભાવના અને નિષ્ઠામૃત્યુ મેળવી જનાર શેઠ માણેકશાહ મટી યક્ષેન્દ્ર બનનાર માણિભદ્ર દેવ પણ આજે જાગૃત છે, અનેકોને પરચાઓ આપ્યા છે, આજેય આપે છે. ઉપવાસાદિ દ્વારા જાપ દ્વારા કે વિશિષ્ટ પુણ્યના બળે તેઓને સાધી શાસનરક્ષા ને પ્રભાવનાનાં અનેક કાર્યો કરી શકાય છે તેવી સત્ય ઘટનાઓ સાક્ષીમાં છે. જાણવા મુજબ આજે પણ અનેક દેવતાઓ પૃથ્વી ઉપર પ્રત્યક્ષ ન દેખાવા છતાંય ગેબી અવાજો, સંકેતો, સ્વપ્નાંઓ અથવા પ્રેરણા દ્વારા પોતાનાં ઇચ્છિત કાર્યો ઇચ્છિત વ્યક્તિઓ પાસે કરાવતા હોય છે અને તેવાં કાર્યો પણ નિર્વિજ્ઞ પાર ઉતારે છે. જ્ઞાનીઓ શ્રુતબળે સહાયક તત્ત્વોને પિછાણી લે છે, પણ અલ્પજ્ઞાની કે અજ્ઞાનીઓ સાથે ચર્ચા કે વાદ-વિવાદ ટાળવા સત્ય પ્રરૂપણા કર્યા પછી પણ " વં તુ હુશ્રુતા વિન્તિ " કહી પૂર્વપુરુષોનું ગૌરવ વધારે છે. માણિભદ્રવીરનો પૂર્વભવ માણેકશાહ શેઠની જીવનજ્યોતિના પ્રકાશતત્વને પામવા પ્રખર પુરુષાર્થ કર્યા પછી એવું લાગ્યા વગર ન રહે કે વિશ્વનાં અનેક આશ્ચર્યો આંખ સામે આવ્યા પછી પણ આશ્ચર્ય જેવું કશુંય ન લાગે, કારણ કે..... " पए पए निहाणाइं जोयणे रस-कुविगा भग्गहीणा न पासंति, बहुमणी बसुंधरा " - અસ્તુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy