SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 275 કે, " હે ભગવન્! સર્વ દેવોમાં અનંત નાગકુમારના દેહની કાંતિ આટલી અધિક કેમ છે? આ પ્રશ્ન સાંભળી પ્રભુએ ફરમાવ્યું કે, સુગ્રામ નામના ગામમાં કોઢરોગથી પીડિત એક બ્રાહ્મણે સુવ્રત નામના મારા શિષ્યમુનિને પોતાને કોઢ થવાનું કારણ પૂછ્યું ત્યારે મુનિવરે કહ્યું કે, "પૂર્વભવે મુનિરાજને પીડા કરવાથી તેને કોઢ થયો છે." બ્રાહ્મણે મુનિવરનાં ચરણોમાં પડી પોતાના કોઢ રોગના નાશનો ઉપાય પૂછયો ત્યારે મુનિએ કહ્યું કે 'તું ભાવનાપૂર્વક તીર્થાધિરાજ શ્રી શત્રુંજયની સેવાભક્તિ કર. ગિરિરાજની ભાવપૂર્વક સેવાભક્તિથી આત્મા પાપકર્મથી મુક્ત બને છે અને સઘળા રોગો નાશ પામે છે. ત્રણ ભુવનમાં શત્રુંજય જેવું કોઈ પવિત્ર પ્રભાવક તીર્થ નથી, જેના સ્પર્શ માત્રથી રોગો દૂર દૂર ભાગી જાય છે. આ પ્રમાણે મુનિના મુખેથી તીર્થનો દિવ્ય મહિમા સાંભળી તે બ્રાહ્મણ સિદ્ધગિરિની યાત્રાએ આવી સેવાભક્તિ કરે છે અને રોગરહિત થાય છે. તીર્થના આ પ્રભાવથી તેના મનમાં દઢ વૈરાગ્ય જાગે છે. અનશન કરી, મૃત્યુ પામી, આ ભવે એ અનંત નાગકુમાર દેવ બનવા સાથે અદ્દભુત કાંતિને પ્રાપ્ત કરે છે. " પશુ પંખી જે ઈણ ગિરિ આવે ત્રીજે ભવે તે સિદ્ધ જ થાવે.... અજરામર પદ પાવે." શ્રી શત્રુંજય ગિરિરાજનું ધ્યાન, એની સ્પર્શના માત્ર માનવીને જ નહીં, પશુઓ અને પક્ષીઓ-જીવમાત્રને ઉદ્ધારનારી બને છે. પાવન ગિરિરાજ સહુને પવિત્ર બનાવવા માટે સમર્થ છે. સોળમા તીર્થપતિ શ્રી શાંતિનાથ પરમાત્મા દીક્ષા ગ્રહણ કરીને તીર્થાધિરાજ શત્રુંજયની ભૂમિ પર પધાર્યા છે. એક સિંહ ભયાનક ત્રાડો પાડતો પરમાત્માની સામે આવે છે. શ્રી શાંતિનાથ પરમાત્માએ સિંહને પ્રતિબોધ કર્યો અને તિર્થાધિરાજ શ્રી શત્રુંજયનો દિવ્ય મહિમાગાન સંભળાવ્યો. ભગવાનની દિવ્ય વાણીથી પ્રતિબોધ પામેલા સિંહને જાતિસ્મરણ-જ્ઞાન થયું, શ્રી શત્રુંજયના ધ્યાનમાં લીન પોતાના આત્માનું શ્રેય સાધ્યું. હિંસક એવો સિંહ પણ શ્રી ગિરિરાજના ધ્યાનથી હિંસાને છોડી આત્મકલ્યાણ સાધે છે. ધન્ય છે એ ગિરિરાજના દિવ્ય મહિમાને ! શ્રી ઋષભદેવના સમયની આ ઘટના છે. શ્રી શત્રુંજય ગિરિરાજ પર પ્રભુજી ધ્યાનમાં ઊભા હતા. તેમને જોઈ મોરપક્ષી ત્યાં આવ્યું. પ્રભુને ત્રણ પ્રદક્ષિણા કરી નમસ્કાર કર્યા. પ્રભુજી તેને સિદ્ધગિરિનો મહિમા સંભળાવે છે, જેના શ્રવણથી શ્રી શત્રુંજયગિરિનું ધ્યાન ધરતાં ધરતાં મોરનો જીવ ચોથા દેવલોકની અંદર દેવ તરીકે ઉત્પન્ન થાય છે. એટલું જ નહીં, એ દેવ ત્યાંથી ચ્યવને આ જ તીર્થભૂમિ પર આવીને આવતા ભવે મોક્ષમાં જશે. આવા અનેક આત્માઓ શ્રી શત્રુંજયના ધ્યાનના પ્રભાવથી દેવગતિને પામી શ્રી શત્રુંજયની ભક્તિ કરી રહ્યા છે. અરે ! ઇન્દ્ર જેવા ચોસઠ ઇન્દ્રો પણ શ્રી શત્રુંજય ગિરિવરની સેવાભક્તિ કરવા અહર્નિશ ખડા છે. શ્રી ઉદયરત્નવિજયજી મ.સા. એક સ્તવનમાં લખે છે કે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy