SearchBrowseAboutContactDonate
Page Preview
Page 694
Loading...
Download File
Download File
Page Text
________________ 678 તપાગચ્છાધિષ્ઠાયક પછી દેવગતિથી પાછા મનુષ્યગતિમાં આવી શુદ્ધ ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામી મોક્ષે જશે. ઈર્ષાની આગ : હવે બીજી બાજુ, જ્યારે માણેકશાહ લૉકામતી પંથ છોડી પાછા પવિત્ર શુદ્ધ તપાગચ્છીય ક્રિયાઓ સ્વીકારીને પૂજા આદિ ધર્માનુષ્ઠાન કરવા લાગ્યા એ જોઈ લોંકામતી – કડવામતીના પતિના હૈયામાં પૂ. આચાર્ય હેમવિમલસૂરિજી તથા પૂ. આચાર્ય આનંદવિમલસૂરિજી ઉપર તેજોદ્વેષ ઉત્પન્ન થયો. એમણે ભૈરવદેવ સિદ્ધ કર્યો અને કડવામતીના યતિએ ભૈરવ દેવને આજ્ઞા કરી કે, 'જાઓ, હેમવિમલસૂરિ સહિત બધા જ સાધુઓને ચિત્તભ્રમિત કરીને ભટકતા (નાશ) કરી દો." ભૈરવદેવથી ભ્રમિત સાધુઓ : ભૈરવ પણ મંત્રશક્તિથી બંધાયેલો હોવાથી, તેના મંત્રબળે આચાર્યશ્રીના કેટલાક સાધુઓ ચિત્તભ્રમિત થઈ ભટકતા ભટકતા મૃત્યુ પામે છે. એમ સત્તર સાધુઓમાંથી દસ સાધુઓ કાળધર્મ પામતાં, એ ઉપદ્રવ જોઈને આચાર્યદેવશ્રી સૂરિમંત્રના ધ્યાનમાં પદ્માસને બેઠા. સૂરિમંત્રના અધિષ્ઠાયકે અવાજ કરી કહ્યું કે, ગુજરાતમાં તમારો પ્રવેશ થતાં જ તમો અઠ્ઠમતપ કરજો અને ત્યાં તમારો દેવકૃત ઉપદ્રવ છે તે મટી જશે." એ સાંભળી પૂ. આચાર્યમહારાજ શેષ રહેલા સાધુઓ સાથે વિહાર કરતાં કરતાં પાલનપુર પાસે મગરવાડા ગામે આવ્યા. ઉપદ્રવ નિવારણ તપશ્ચર્યા : ત્યાં ગુજરાતમાં પ્રવેશ થઈ ગયો છે એમ સમજીને આચાર્યશ્રી ગામની ભાગોળે એક રાયણવૃક્ષ નીચે અક્રમ તાપૂર્વક કાઉસ્સગ્ગ ધ્યાનમાં પદ્માસને બિરાજમાન થયા. એ અઠ્ઠમતપ અને ધ્યાનના પ્રભાવથી માણિભદ્ર ઈન્દ્રનું આસન ચલાયમાન થયું. માણિભદ્રદેવને અવધિજ્ઞાનથી જાણ થઈ કે પોતાના પરમ ઉપકારી ગુરુદેવ પૂર્વના મારા અંતિમ સ્થાને પધારેલા છે. તેમના જ ઉપદેશથી હું ઇન્દ્રની રિદ્ધિસિદ્ધિ પામ્યો છું. મારી પહેલાંના માણિભદ્ર ઇન્દ્ર અહીંનું આયુષ્ય પૂર્ણ કરીને અન્ય મનુષ્યગતિમાં જતાં તેમના સ્થાને હવે હું આવ્યો છું. (કારણ કે) દેવલોકની સ્થિતિ છે કે જે પહેલાંના ઇન્દ્રો અહીંથી અન્ય ગતિ પામે ત્યારે બીજા અહીં ઉત્પન્ન થાય તેનું પણ માણિભદ્રદેવ તરીકે જ નામ રહે છે. તે રીતે હું પણ ગુરુમહારાજની કૃપાથી જ વ્રતોનું પાલન કરીને અહીં ઉત્પન્ન થયો છું. માણિભદ્રનું સ્વરૂપઃ હું ઇન્દ્રદેવ થયો છું. મારું શ્યામ વર્ણ અજમુખ (તુદિલ) મનોહર પ્રિયદર્શન મનોન્માન સહિત હાથપગ, નાક, નખ, જીભ અને હોઠ લાલ રંગના છે. લાલ અને તેજસ્વી મુગટ મેં ધર્યો છે. જાતજાતના અલંકારો મેં પહેર્યા છે. રાયણવૃક્ષની શાખા મંદિરના આકારની મુખ ઉપર ધારણ કરી છે. તે ઉપર સિદ્ધાચલના મંદિરની દેરી છે અને તેમાં આદીશ્વર ભગવાનનું ચિહ્ન છે, જેથી મારી આંખની સ્થિર દષ્ટિશ્રી આદીશ્વર ભગવાનની ઉપર રહે છે. છ ભુજાઓ છે. ત્રિશૂલ, ડમરૂ, મુગલ, અંકુશ અને નાગ ધારણ કર્યા છે. ઐરાવત હાથી મારું વાહન છે અને હું ચોસઠ જોગણી અને બાવન વીરોનો અધિપતિ બન્યો છું. વીસ હજાર મારા સામાનિક દેવતાઓ છે. એ બધી જ રિદ્ધિસિદ્ધિ પૂજ્ય ગુરુમહારાજની કૃપાથી અહિંસા, સંયમ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy