SearchBrowseAboutContactDonate
Page Preview
Page 693
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ છે. વ્યંતરદેવ આઠ જાતના હોય છે. (૧) કિન્નર, (૨) કિંપુરુષ, (૩) મહોરગ, (૪) ગંધર્વ, (૫) યક્ષ, (૬) રાક્ષસ, (૭) ભૂત, (૮) પિશાચ. એ સર્વે સ્વર્ગ, મૃત્યુ, પાતાલ– બધી જગ્યાએ સ્પર્શ કરતાં સ્વતંત્રપણે અનેક ગુફા, નદી, પર્વત, ગિરિકન્દરામાં ભ્રમણ તેમ જ નિવાસ કરે છે. આથી એને વ્યંતરદેવ કહેવાય છે. કેટલાંયે ક્ષેત્રોમાં ક્ષેત્રદેવતા તરીકે રક્ષણ કરતા રહે છે, તેથી તેઓ ક્ષેત્રપાલ પણ કહેવાય છે. કિન્નર ઃ ઉપર જે આઠ જાતિ વ્યંતરોની બતાવી તેમાં પહેલી જાતિના દેવ દસ પ્રકારના હોય છે : (૧) કિન્નર, (૨) કિંપુરુષ, (૩) કિંપુરુષોત્તમ, (૪) કિંનરોત્તમ, (૫) હૃદયંગમ, (૬) રૂપશાલી, (૭) અગ્નિદંત, (૮) મનોરમ, (૯) રતિપ્રિય, (૧૦) રતિશ્રેષ્ઠ. કિંપુરુષ : બીજી પણ દસ પ્રકારની છે : (૧) પુરુષ, (૨) સંત્પુરુષ, (૩) મહાપુરુષ, (૪) પુરુષવૃષભ, (૫) પુરુષોત્તમ, (૬) અતિપુરુષ, (૭) મરુદેવ, (૮) મરુત, (૯) મેરુષભ, (૧૦) યશસ્વત. મહોરગ : ત્રીજા પણ દસ પ્રકારના છે : (૧) ભુજંગ, (૨) ભોગશાલી, (૩) મહાકાય, (૪) અતિકાય, (૫) સ્કન્દુશાલી, (૬) મનોરમ, (૭) મહાવેગ, (૮) મહેશ્વર, (૯) મેરુકાંત, (૧૦) ભાસ્યાન. ગંધર્વ : ચોથા બાર પ્રકારના છે : (૧)હા હા, (ર) તુમ્બરું, (૩) હું હું (૪) નારદ, (૫) ફળવાદિક, (૬) ભૂતવાદિક (૭) કાદમ્બ, (૮) મહા કાદમ્બ, (૯) રૈવત, (૧૦) વિશ્વાસુ, (૧૧) ગીતરતિ, (૧૨) ગીતપ્રસરી. 677 યક્ષ : પાંચમા તેર પ્રકારના છે : (૧) પૂર્ણભદ્ર, (૨) મણિભદ્ર, (૩) સ્વભદ્ર, (૪) હરિભદ્ર, (૫) સુમનોભદ્ર, (૬) વ્યતિપાત ભદ્ર, (૭) સુભદ્ર, (૮) સર્વતોભદ્ર, (૯) મનુષ્યક્ષ, (૧૦) વનાધિપતિ, (૧૧) વનહાર, (૧૨) રૂપયક્ષ, (૧૩) યક્ષોત્તમ. : બ્રહ્મરાક્ષસ : છઠ્ઠા સાત પ્રકારના છે : (૧) ભીમ, (ર) મહાભીમ, (૩) વીન્ધ, (૪) વિનાયક, (૫) મહાવિનાયક, (૬) જલરાક્ષસ, (૭) બ્રહ્મરાક્ષસ. ભૂત : સાતમા નવ પ્રકારના છે : (૧) સુરૂપ, (૨) પ્રતિરૂપ, (૩) અતિરૂપ, (૪) ભૂતોત્તમ, (૫) સ્કન્દિક, (૬) મહાસ્કન્દિક, (૭) મહાવેગ, (૮) પ્રતિછન્ન, (૯) આકાશમ. પિશાચ : આઠમા પંદર પ્રકારના છે : (૧) કુસ્માન્દ, (૨) પટક, (૩) જોષ આહ્વક, (૪) કાળ, (પ) મહાકાળ, (૬) ઊક્ષા (૭) અચૌક્ષ, (૮) તાલ, (૯) પિશાચ, (૧૦) મુખ્ખર પિશાચ, (૧૧) અધર તારક, (૧૨) દેહ, (૧૩) મહાવિદેહ, (૧૪) તૃષ્ણીક, (૧૫) વનપિશાચ. વ્યંતરદેવોના રૂપ–રંગ–ચિહ્ન તથા સ્વભાવ અને શરીર જાત–જાતનાં હોય છે, તે બધું અહીં લખતા નથી. શ્રી માણિભદ્ર ઇન્દ્ર ઃ વ્યંતરોના સોળ ઇન્દ્ર બતાવ્યા છે, તેમાંના એક શ્રી માણિભદ્ર ઇન્દ્ર છે અને તેની આરાધના કરવા માટે અલગ અલગ રીતે વર્ણન શાસ્ત્રોમાં મળે છે. એ પ્રમાણે માણેકશાહ શેઠ શુભધ્યાનથી મૃત્યુ પામી દેવગતિ પામ્યા અને એક ભવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy