SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ સાંભળતાં તેમને ગિરિરાજની યાત્રાની તાલાવેલી લાગી. ગુરુમુખેથી સાંભળેલા "શત્રુંજય માહાત્મ્ય"ને વાગોળતાં એમના મનમાં થયું કે, હવે તો મારે વહેલામાં વહેલી તકે એ ગિરિરાજને ભેટવા જ છે. કેવી એ અનુપમ ભૂમિ છે, જ્યાં આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર શ્રી ઋષભદેવ પ્રભુ પૂર્વનવ્વાણું વાર પધાર્યા હતા, જેના કાંકરે કાંકરે અનંત આત્માઓ કર્મ ખપાવી મોક્ષમાં ગયા. ઘોર પાપોને કરનારા એવા જીવો પણ ગિરિરાજના સાંનિધ્યમાં બધાં પાપોને ખપાવી વિશુદ્ધ થઈ પરમપદને પામ્યા. શ્રી ઋષભદેવ પ્રભુએ પોતાના પ્રથમ ગણધર પુંડરીકસ્વામીજીને પોતાની પાસે ન રાખતાં આ ગિરિરાજની નિશ્રામાં રહેવાનું જણાવી આ ગિરિરાજના મહિમાને ચાર ચાંદ લગાવી દીધા. માણેકચંદ શેઠે ગુરુમહારાજને કહ્યું કે – મારે આ શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રા ઉત્કૃષ્ટ ભાવે કરવી છે, ચાલીને તો ખરું જ; સાથે સાથે ચારે આહારનો ત્યાગ કરીને એટલે ઉપવાસ કરવા પૂર્વક. પણ એ માટે આપના આશીર્વાદ ખાસ જોઈએ. એ જ તો મારી યાત્રાને સફળ બનાવનાર પરમ તત્ત્વ છે. ગુરુ મહારાજે એમને ઘણી ઘણી રીતે ચકાસી જોયા; પણ અગ્નિમાં નાખવામાં આવેલ સો ટચના સોનાની જેમ તેઓ એ ચકાસણીમાં સફળ પુરવાર થયા. ગુરુ મહારાજે આશીર્વાદ આપ્યા અને શુભ મુહૂર્તે સિદ્ધગિરિજીની યાત્રાના દઢ સંકલ્પ પૂર્વક થોડા પરિવારને લઈ જરૂરી સુરક્ષાના સાધન સાથે તેઓએ રાજસ્થાનમાં આવેલ પાલીથી પ્રયાણ કર્યું. ક્રમશઃ આગળ વધતાં વધતાં સાતમા દિવસે તેઓ પાલનપુર નજીક મગરવાડા ગામ પાસે પહોંચ્યા. ગામની આસપાસની ગીચ ઝાડી ચોર-ડાકુઓ માટે છુપાઈને રહેવાના સુરક્ષિત સ્થાનની ગરજ સારતી. કોઈને કલ્પના ય ક્યાંથી હોય કે મગરવાડાની એ ભૂમિ માણેકચંદને પરલોક પહોંચાડનારી નીવડવાની છે ! માણેકચંદ શેઠ પોતાના કાફલાની સાથે જ્યારે એ પ્રદેશમાં થઈને આગળ વધી રહ્યા હતા ત્યાં જ તેઓના ઉપર ચોરો ત્રાટક્યા. મર્દાનગીથી તેઓનો સામનો તો કર્યો પણ શસ્ત્રાસ્ત્રોથી સજ્જ ચોરોની આગળ તેઓ ટકી ન શક્યા. સાતમા ઉપવાસે શ્રી સિદ્ધગિરિજીના જાપ અને ધ્યાનપૂર્વક તેઓ વીરમૃત્યુને વર્યા. ચોરોએ તેમના શરીરના ત્રણ ભાગ કરી નાખ્યા. એક મસ્તક, બીજું ધડ અને ત્રીજા પગની પિંડી. શ્રી શત્રુંજય ગિરિરાજની યાત્રાના દૃઢ સંકલ્પે એમને ત્યાંથી લઈ જઈને સીધા યક્ષરાજ માણિભદ્રના સ્થાને બિરાજિત કરી દીધા. આચાર્ય શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજ પરિવાર સાથે રાજસ્થાનથી વિહાર કરતા જ્યારે મગરવાડા પધારી પોતે ધ્યાનમાં બેઠા હતા તે સમયે યક્ષરાજ પ્રત્યક્ષ થયા અને યક્ષરાજ પૂ. આચાર્યશ્રીને પ્રણામ કરી તેઓના પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરી, કહેવા લાગ્યા કે આપની કૃપાના યોગે જ હું આ સ્થાન પામ્યો છું. તો ફરમાવો, હું આપની શી સેવા કરું ? ગુરુ મહારાજે તેમને તપાગચ્છની સેવા કરવાનું જણાવ્યું ત્યારે એમણે પણ સામે તપાગચ્છના દરેક ઉપાશ્રયમાં પોતાની સ્થાપના કરવાનું તથા જે કોઈ આચાર્યપદ પ્રાપ્ત કરે તેઓ મગરવાડા કે આગલોડ આવી અક્રમ કરી પોતાને ધર્મલાભ આપી જાગૃત રાખે એ પ્રમાણે જણાવ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy