SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 633 (૫) અષ્ટાપદ, સમેતશિખરજી, પાવાપુરી, ગિરનાર, ચંપાપુરી વગેરે તીર્થોના દર્શન– વંદનના લાભ કરતાં શતગણો લાભ સિદ્ધગિરિ– દર્શનથી થાય છે. પૂજન કરવાથી હજારગણું પ્રતિમા ભરાવવાથી તથા તીર્થના રક્ષણથી અનંતગણું ફળ પ્રાપ્ત થાય છે. પ્રતિમા ભરાવવાથી તે ચક્રવર્તીપદ, દેવગતિ અને ક્રમશઃ મુક્તિપદને પામે (૬) જે પુણ્યશાળી ચઉવિહાર છઠ્ઠ કરીને તીર્થરાજની સાત યાત્રાઓ કરે છે તે ત્રીજા ભવે મોક્ષની પ્રાપ્તિ કરે છે. (૭) આ તીર્થના સ્મરણ, ભજન, સ્તવન ને ધ્યાનથી સિંહ, વાઘ, સર્પ વગેરે હિંસક ભયો નાશ પામે છે, ભૂતપ્રેતના વળગાડ દૂર થાય છે અને આધિ-વ્યાધિ-ઉપાધિ ટળે છે. (૮) તીર્થની સ્પર્શનાથી સમ્યગુ દર્શનનું નિર્મલીકરણ થાય છે. (૯) ૯૯ યાત્રા કરનાર ભાગ્યશાળી સંસારથી મુક્ત બની જાય છે. (૧૦) બ્રહ્મચર્યપાલન, એકાસણવ્રત, ધરતી પર શયન, સચિતત્યાગ અને આવશ્યક પ્રતિક્રમણાદિ ક્રિયા-આ છ વિશેષતાઓ સાથે જે ભાગ્યશાળી પગે ચાલતાં ચાલતાં તીર્થાધિરાજની યાત્રા કરે છે તેના પુણ્યનો તો કોઈ પાર રહેતો જ નથી. "ધન્યવાણી... ધન્યગિરિરાજ....ધન્યાતિધન્ય જય શત્રુંજય" પૂજ્ય પ્રવર... આચાર્ય મહારાજની વાણીના પાવન શ્રવણ કરતા સહુ શ્રોતા એકસાથે બોલી ઊઠયા, સેંકડો-હજારોના–મનમંદિરમાં પાલીતાણાની પ્રતિકૃતિ સ્થાપિત થઈ ગઈ. " ગિરિવર દર્શન વિરતા પાવે "નું ગીત છેડાઈ ગયું. ગરવા ગિરિરાજની ગૌરવભરી ગાથા-કથા સુણીને માણેકશાહનો મનમયૂર તો સોળે કળાએ નાચી ઊઠ્યો હતો. ભર સભાની વચ્ચે તેમણે આચાર્ય ભગવંતને પ્રાર્થના કરીઃ " ભગવંત! મને પ્રતિજ્ઞા આપો. કાર્તિક પૂર્ણિમા પછી ચઉવિહાર ઉપવાસ, સંપૂર્ણ મૌન વ્રત, નવકાર મહામંત્ર ને શત્રુંજયનું ધ્યાન, સંપૂર્ણ આવશ્યક ક્રિયા અને પદયાત્રા સાથે શ્રી સિદ્ધાચલજીનાં પાવન દર્શન કરીને ધન્ય બનીશ. ત્યાં સુધી આહાર–પાણી ત્યાગ" માણેકશાહની પ્રતિજ્ઞાના આ સ્વર સુણીને આખી સભા સ્તબ્ધ બની ગઈ. આટલી કઠોર પ્રતિજ્ઞા...! આટલું દુષ્કર કાર્ય...! આટલી મહાન સાધના ...! ધન્ય ધન્ય ધન્ય....! હજારો શ્રોતાઓ માણેકશાહની પ્રતિજ્ઞાની મુક્ત મને પ્રશંસા કરવા લાગ્યા. દીર્ઘદૃષ્ટા ગુદેવે માણેકશાહને સાવધાન કર્યા..."ભાગ્યશાળી....!આવી મહાન પ્રતિજ્ઞા સ્વીકાર કરતાં પૂર્વ બધો વિચાર કરી લો. પાલીતાણા અહીંથી અતિ દૂર છે. આગ્રા.. મારવાડ... ગુજરાત અને પછી સૌરાષ્ટ્રનું પાલીતાણા. અન્ન-જળ વિના તમે શી રીતે પહોંચી શકો ગિરિવરની ગોદમાં રસ્તામાં વિદનો પણ કેટલાં? માણેકશાહ...! તમારી ભાવના ઊંચી છે પણ વિચારણા માંગી લે તેવી છે." " ગુરુદેવ! આપ જેવા સમર્થ સૂરિદેવના હૃદયના આશીર્વાદ મારી સાથે હોય પછી મારે શેની ચિંતા....! ભોજન અને પાણી તો જન્મોજન્મ આ જીવાત્માએ ગ્રહણ કર્યો છે. ગિરિરાજની CO, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy