SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 211 ચમત્કાર છે, જેમની પુનિત પ્રેરણાના પ્રતાપે હું શત્રુંજયના ધ્યાનમાં લીન બન્યો... ગિરિરાજની પુનિત યાત્રા કાજે હું નીકળ્યો અને અંતે આવું દિવ્ય દેવતાઈ સ્વરૂપ પામ્યો છું. તે મારા ગયા ભવના મહાન ઉપકારી ગુરુદેવ શ્રી હેમવિમલસૂરીશ્વરજી મ.સા. મારા મગરવાડાના મૂળ સ્થાને પધાર્યા છે. તેઓશ્રીની આરાધનાના બળે મારું સિંહાસન ચલિત થયું છે. તો લાવ ! હું શીધ્ર સદ્ગુરુનાં ચરણોમાં પહોંચી જાઉં." ગુરુ-ઉપકારનું સ્મરણ કરતા માણિભદ્રદેવ પળવારમાં ગુરુદેવશ્રીની સંમુખ હાજર થયા. પ્રત્યક્ષ પ્રગટ થઈને ગુરુચરણોમાં ભાવપૂર્વક વંદન કર્યું. પછી વિનત સ્વરે માણિભદ્રજી બોલ્યાઃ " ગુરુદેવ ! આ આપના સેવકને નજરે નિહાળો અને કૃપાદષ્ટિ વરસાવો. આપશ્રીએ મને ઓળખ્યો?" પૂ. આચાર્યદેવે આંખો ખોલી. સામે એક દિવ્ય તેજોમય પ્રતાપી પુરુષ ઊભેલો દેખાય છે. સૂરિવર્ષે ધર્મલાભ ની આશિષ અર્પી અને કહ્યું " આપના સ્વરૂપને નિહાળતાં આપ દેવાત્મા છો તેમ સ્પષ્ટ જણાય છે." " ના! ગુરુદેવ! હું દેવાત્મા તો છું જ પણ ઓળખાણો નહિ. મારો અને આપનો ગયા જન્મનો વિશેષ પરિચય છે. એ રીતે આપે મને ઓળખ્યો?" માણિભદ્ર ઈન્દ્ર વધા. સૂરિદેવ વિચાર કરતા રહ્યા. તેમનું દેવી રૂ૫ નિહાળતા જ રહ્યા. ત્યારે માણિભદ્રજી બોલ્યા " ગુરુવર્ય! હું તો આપનો ચરણસેવક માણેકશાહ છું. આપની પાવન પ્રેરણાએ અન્ન જળના ત્યાગપૂર્વક શત્રુંજય ગિરિવરના દર્શન-પૂજન કાજે હું પગપાળા જઈ રહ્યો હતો ત્યારે આ જ મગરવાડાની ભૂમિ ઉપર ડાકુઓએ મારા દેહને તલવારના પ્રહારથી વિશીર્ણ કરી નાંખ્યો. પરંતુ મૃત્યુની પળોમાં ય મારું મન સિદ્ધાચલજીના તીર્થાધિપતિ પ્રભુ આદિનાથના ધ્યાનમાં લયલીન હતું. તેથી જ શુભ ધ્યાનમાં મરીને હું વ્યંતરનિકાયનો યક્ષેન્દ્ર માણિભદ્ર બન્યો છું. મારી પહેલાંના માણિભદ્રદેવ ચ્યવન પામ્યા, તેથી તેમના જ સ્થળે હુંઉત્પન થયો. મારું નામ માણિભદ્રદેવ જ છે. મારી આવી ઉત્તમ ગતિની પ્રાપ્તિમાં આપનો જ પ્રભાવ મુખ્ય કારણ સ્વરૂપ છે. " ગુરુદેવ! હવે આપશ્રી જણાવો કે આપે મને કેમ યાદ કર્યો? " માણિભદ્રવીર બોલ્યા. ગુરુવરે કહ્યું : "હે માણિભદ્ર ! આગ્રાથી વિહાર કર્યા બાદ અમારા મુનિસંઘ પર ભારે આફતોના ઓળા ઊતરી પડ્યા છે. અમારા દસ-દસ મુનિવરો ચિત્તભ્રમિત બની જઈને મરણ શરણ બન્યા છે. અને અગિયારમા એક મુનિરાજ એ જ રીતે ચિત્તભ્રમના રોગના ભોગ બન્યા છે. ઇન્દ્રરાજ ! મુનિ ૧ ઉપર આવી પડેલા આ ઘોર ઉપસર્ગના કારણને શોધીને તેનું નિવારણ કરવું તે તમારું કર્તવ્ય છે. શાસનની રક્ષા કાજે તમારી શક્તિઓનો સદુપયોગ કરો." તરત જ માણિભદ્રજી બોલ્યા " ગુરુદેવ! આપ હવે નિશ્ચિંત બની જાઓ. આપની ઉપરનાં વિદ્ગોનું અવશ્ય નિવારણ થઈ જશે." અને દેવેન્દ્ર અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકીને જોયું " અરે ! આ તો મારી જ સેનામાં રહેલા કાળા-ગોરા ભૈરવ દેવો, મારા સેવકો મારા જ પરમોપકારી ગુરુદેવોને પરેશાન કરે છે." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy