SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ દીધો. પરમાત્મભક્તિના પરમ ઉપાસક માણેકશાહે પ્રભુજીની પૂજા તો છોડી દીધી; પણ નિજ ગૃહમંદિરમાં પરમાત્માની મૂર્તિના દર્શન-વંદનને પણ તિલાંજલી આપી દીધી. એટલું જ નહિ, કુળક્રમથી પ્રાપ્ત થયેલા તપાગચ્છ મૂર્તિપૂજક શ્રાવકધર્મને પણ માણેકશાહે ફગાવી દીધો. હવે માણેકશાહ નિજ ગૃહમંદિરમાં કદી જતા નથી. પરમાત્માનો પ્રક્ષાલ કરીને નિજ આતમને ઉજાળતા નથી. સ્તુતિ-સ્તવનનો લલકાર અને આરતીવેળાએ થતા ઘંટનાદના રણકારમાં તેઓ રસ લેતા નથી. હા... આ બધું ચાલુ તો રહ્યું જ હતું, પરંતુ તે માતા જિનપ્રિયા અને વધૂ આનંદરતિ પૂરતું સીમિત રહ્યું હતું. માણેકશાહને એની સાથે કોઈ લેવાદેવા રહી ન હતી. માતા જિનપ્રિયાને પુત્ર માણેકશાહ પ્રત્યે અતિ વહાલ હતું; પણ એથી વધુ વહાલ જિનધર્મ પ્રત્યે હતું. વિશુદ્ધ મૂર્તિપૂજક જિનધર્મ પ્રત્યેની જિનપ્રિયાની આસ્થા અવિચલ અને અજોડ હતી. આથી જ જ્યારે તેમને પુત્રના આ પ્રકારના માનસ–પરિવર્તનની જાણ થઈ ત્યારે તેમના આઘાતનો પાર ન રહ્યો. એમનું હૈયું વેદનાનો મહાસાગર બની ગયું. મારો લાખેણો લાલ માણેકચંદ કરોડો રૂપિયા કરતાં વધુ કીમતી જિનપૂજાથી વંચિત રહે? જે ઘરમાં ભગવાનની પૂજા ન હોય તેને ઘર કહેવાય કે માત્ર જીવતા માણસોનાં હાડકાંઓનું રહેઠાણ? અને વેદનાની આ પળોમાં પ્રતિજ્ઞા કરી લીધી માતા જિનપ્રયાએ કે, "જ્યાં સુધી મારો માણેક પુનઃ જિનપૂજાનો આરાધક ન બને. પુનઃ સન્માર્ગના પંથે પ્રયાણ ન આરંભે ત્યાં સુધી મારે ઘી-વિગઈનો સંપૂર્ણ ત્યાગ.” મધ્યાહુનકાળે ભોજનની વેળા થઈ ત્યારે માતા જિનપ્રિયા ભોજન કાજે રસોડામાં પ્રવેશ્યાં. પુત્રવધૂ આનંદરતિએ ભક્તિસભર હૃદયે સાસુજીનું ભાણું કાઢવા માંડ્યું. કઢાયાં દૂધ.... અને લીલાં શાક! રસીલી દાળ અને ઘીની સોડમથી સુવાસિત રોટલી ! ભાણું પીરસાવા માંડ્યું ત્યારે માતા જિનપ્રિયાએ જણાવ્યું કે: " બેટા! આજથી મારે ઘીનો સદંતર ત્યાગ છે. આજથી મને રોટલી લુખી જ આપવાની." આનંદરતિની આંખો આશ્ચર્યથી મૂઢ બની ગઈ." પણ... માતાજી! શા માટે? આજે કોઈ પર્વતિથિ નથી કે જેથી આપને ઘીનો ત્યાગ હોય." માતાની આંખોમાંથી આંસુ સરતાં જોઈ પુત્રવધૂ વધુ વ્યથિત બની ગઈ : " અરે ! માતાજી ! આપ કેમ રડો છો માતાજી ! મારો કોઈ અપરાધ? મારો કે આપના સુપુત્રનો કોઈ વાંક-ગુનો? શા માટે આજે આપની આંખમાં વાસ આ આંસુનો?" "આનંદરતિ! તારા માટે મારી કોઈ ફરિયાદ નથી. તું તો મારી લાખેણી કુલવધૂછો. તારો વિનય અને તારા સંસ્કાર તો તને 'સ્ત્રીરત્ન'ની પદવી અપાવે તેવાં અમૂલાં છે. પરંતુ મારા ઘી–ત્યાગનું કારણ મારો પુત્ર માણેક છે." માતા જિનપ્રિયા બોલ્યાં. પુત્રવધૂએ કહ્યું : " પણ... માતાજી! એવો તો એમનો કયો ઘોર અપરાધ થયો છે કે જેના કારણે આપને ઘી–ત્યાગનો આવો સંકલ્પ કરવો પડ્યો?" Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy