SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 194 તપાગચ્છાધિષ્ઠાયક માણેક હવે જુવાન થયો. સુંદર રૂપ, મોહી લે તેવા સંસ્કાર અને નજર ઠરે તેવું સૌન્દર્ય. માતા જિનપ્રિયાએ સુપુત્ર માટે સોહામણી સુકન્યા શોધી. ધારાનગરીના સુખ્યાત કરોડપતિ શેઠ ભીમરાજની સુપુત્રી આનંદરતિ. ખૂબ ધામધૂમ પૂર્વક લગ્ન ઊજવાયાં. માણેકશાહ હવે પિતા ધર્મપ્રિય શાહ જેવા જ શ્રેષ્ઠી–સોદાગર બની ગયા. બજારમાં તેમને પણ, પિતાની જેમ " શાહ સોદાગર "ની સુપદવી પ્રાપ્ત થઈ. કેમ કે તેમના વ્યવહારમાં વિવેક હતો, વ્યાપારમાં નીતિમત્તા હતી, દાન દેવામાં તે વીર હતા. આથી માણેકશાહ લોકપ્રિય અને રાજપ્રિય પણ બની ગયા. માણેકશાહ અને આનંદરતિ, આનંદ અને રતિમાં નિમગ્ન બન્યાં. સુખસહિત તેમનો સંસાર આગળ વધવા લાગ્યો. વ્યવહારના કર્મમાં અને જીવનના ધર્મમાં બને સહપ્રયાણ કરવા લાગ્યાં. માણેકશાહનાં માતા અને પિતા ઓસવાળ વંશના અને તપાગચ્છ રૂપી શાખાના આદરણીય પૂજ્ય આચાર્યદેવ શ્રી આનંદવિમલસૂરીશ્વરજી મહારાજના પરમ અનુયાયી હતાં. માણેકશાહે પણ દેવ તરીકે વિતરાગ શ્રી અરિહંત દેવને અને ગુરુ તરીકે પૂ. આ. શ્રી આનંદવિમલસૂરિજી મ.ને હૃદયમંદિરમાં પધરાવ્યા હતા. પરમાત્માના પરમ ભક્ત માણેકશાહની હવેલીમાં જ જિનમંદિર અને પૌષધશાળા હતાં. તેઓ પ્રતિદિન પોતાના ગૃહમંદિરમાં શ્રી વીતરાગ ભગવંતની ભક્તિભાવ પૂર્વક જિનપૂજા કરતા હતા. માતા જિનપ્રિયા અને પુત્રવધૂ આનંદરતિ પણ આનંદ સહિત નિત્ય પ્રભુજીની પૂજા કરતાં. પરિચય જો સપુરુષનો થાય તો તેમાંથી સણ અને સંસ્કારની સૌરભ ખીલી ઊઠે અને જો દુષ્ટજનોનો સંગ થઈ જાય તો સંપ્રાપ્ત સદ્ગણોની સરિતાનાં જળ પણ સુકાઈ જાય અને સંસ્કારનાં ફૂલોથી આચ્છાદિત જીવનબાગ પણ મૂરઝાઈ જાય. માટે જ શાસ્ત્રકારો આપણને ભારપૂર્વક સમજાવે છે કે જીવનમાં સંતોનો–સજ્જનોનો સંગ કરવો જેટલો આવશ્યક છે, તેનાથી વધુ અગત્યતા અને આવશ્યકતા દુર્જનોના સંગના ત્યાગની છે.' માણેકશાહના જીવનમાં પણ એક ભીતરી હોનારત સર્જાઈ ગઈ. એક એવી વ્યક્તિનો પરિચય તેમને થયો કે જેના કારણે શ્રદ્ધાનો ઝળહળતો દીપ બુઝાઈ ગયો.પરમાત્મા શ્રી વીતરાગ પ્રભુની પ્રતિમાના પૂજન પ્રત્યેની માણેકશાહની અવિચલ શ્રદ્ધા ડગમગી ગઈ. જે માણેકશાહ પ્રતિદિન પોતાના ગૃહમંદિરમાં ભક્તિભાવથી જિનેશ્વરદેવની પૂજા કરતા હતા, તે જ માણેકશાહે પ્રતિમાજીની પૂજા તો છોડી દીધી; પણ ' મૂર્તિપૂજા કરવી તે પાપરૂપ છે' તેવું ઘોર મિથ્યાત્વ તેમના હૃદયભવનમાં અંધકાર વેરી રહ્યું. બન્યું હતું એવું કે ઉજ્જૈનને આંગણે લોકાશાહના મતાનુયાયી એક સાધુ આવ્યા હતા. તે મૂર્તિપૂજાના વિરોધી મતના તો હતા જ... સાથોસાથ તેમની પાસે કુતર્કરૂપ કાતિલ પ્રવાહ હતો. તે કુતર્કયુક્ત પ્રવચનના પ્રવાહમાં પ્રગલ્મ બુદ્ધિશાળી માણેકશાહ પણ તણાઈ ગયા. માણેકશાહે આવા સાધુના વધુ પડતા કુસંગના છેદે ચઢી જઈને પ્રભુજીની પ્રતિમાપૂજામાંથી વિશ્વાસ ગુમાવી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy