SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ 268 તપાગચ્છાધિષ્ઠાયક કરનાર અનંતગણી પૂજાનું ફળ પ્રાપ્ત કરે છે. અરે ! પૂજક પોતે પૂજનીય અર્થાત્ અરિહંત સમાન થાય છે. જિનપૂજા, ગુરુભક્તિ, શત્રુંજય મહાતીર્થની સેવા અને ચતુર્વિધ સંઘનો સમાગમ – આ ચાર વસ્તુ જીવને શિવ બનાવે છે. શ્રી શત્રુંજય તીર્થ ત્રિભુવનમાં તિલક સમાન અને ધરતીના અલંકાર સમાન મહાપવિત્ર તીર્થ છે. આ તીર્થની સૌથી વધારે વિશેષતા એ છે કે, બીજાં તીર્થો મંદિરોની મહત્તાને કારણે આકર્ષે છે, જ્યારે શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર કોઈ મંદિરો જ ન હતાં, ત્યારે એની પરમ પાવક પવિત્રતાના દિવ્ય મહિમાગાનથી આકર્ષાઈને સ્વયં તીર્થપતિ શ્રી ઋષભદેવ પરમાત્મા એક-બે વાર નહીં પણ પૂર્વે નવ્વાણું વાર સમવસર્યા હતા. તીર્થાધિરાજ શ્રી શત્રુંજયસિદ્ધગિરિનાં ભારોભાર વખાણ અને તેનો મહિમા શ્રી ઋષભદેવ પરમાત્માએ સમવસરણમાં બેસી સ્વયં શ્રીમુખે ભરત મહારાજાને કહ્યો હતો. ભરત મહારાજાએ આ તીર્થનો દિવ્ય મહિમા સાંભળી સુવર્ણનાં જિનાલયો રત્નોથી મઢી અને તેમાં મણિમય મૂર્તિઓ પધરાવી હતી. તેમાંનો " રૈલોક્યવિભ્રમ મહાપ્રાસાદ" તો ખૂબ જ ભવ્ય હતો. શ્રી શત્રુંજયનો દિવ્ય મહિમા ગાતા મહાવિદેહ ક્ષેત્રમાં સદેહે વિચરતા અરિહંત પરમાત્મા શ્રી સીમંધરસ્વામી સમવસરણમાં બેસી પોતાની દેશનામાં ફરમાવે છે કે, હે ભવ્ય જીવો ! તે ભરતક્ષેત્રને ધન્ય છે કે જ્યાં શ્રી શત્રુંજય મહાતીર્થ છે અને તેમાં રહેનારા મનુષ્યને પણ ધન્ય છે જેઓ તે તીર્થની અને શ્રી જિનેશ્વરદેવની પૂજા કરે છે. જે બોધિબીજ સમ્યકત્વ સંસારમાં કોડો ભવમાં પણ દુઃખે કરી પ્રાપ્ત થાય તે શ્રી શત્રુંજય તીર્થ ઉપર શ્રી જિનેશ્વરદેવનું ધ્યાન કરવા માત્રથી ક્ષણવારમાં પ્રાપ્ત થાય છે. જેમ સર્વ તત્ત્વોમાં સમ્યગુદર્શન અને સર્વ દેવોમાં શ્રી જિનેશ્વરદેવ દુર્લભ છે તેમ સર્વ તીર્થોમાં શ્રી શત્રુંજયગિરિ દુર્લભ છે. શ્રી શત્રુંજયગિરિમાન, મોહ, કામ, કોધ, લોભ આદિ અત્યંતર શત્રુઓનો નાશ કરનાર, સર્વ પાપને હરનાર, મુક્તિનું લીલાગૃહ છે. અહીં કલ્યાણકુંભ જેવા કલ્યાણના કરનારા સુવર્ણ જેવા વર્ણવાળા પ્રભુશ્રી આદિનાથ બિરાજમાન છે. અરિહંતો મુક્તિ પામ્યા હોવા છતાં, કેવળજ્ઞાનીઓનો વિરહ હોવા છતાંય આ તીર્થ જ સર્વ કલ્યાણ કરનારું થશે. અનાદિ-અનંત સંસારસાગરમાં કર્મવશ ચારેય પ્રકારની ગતિઓમાં પરિભ્રમણ કરતા ભવ્ય જીવોને માટે પરમ કલ્યાણનું કારણ, અપ્રતિમ ઉદ્ધારક, મહાદિવ્ય મહિમાશાળી, તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો પ્રભાવ અચિંત્ય છે. સઘળાં તીર્થોના રાજા સમાન શ્રી શત્રુંજય મહાતીર્થ જેવું ચૌદ રાજલોકમાં અન્ય એકેય તીર્થ નથી. જેઓ આ તીર્થમાં આવી ભક્તિભાવથી અરિહંત પરમાત્માનું ધ્યાન અને પૂજન કરે છે તેઓ અલ્પકાળમાં અજરામર પુણ્યને ઉપાર્જન કરે છે. પાપનો ભાર અને વિકારરૂપ અંધકારનો નાશ કરનાર, સેંકડો સુકૃતોથી પામવાયુક્ત, સર્વ પીડાને હરનાર અને અનુપમ દિવ્ય મહિમાનું પાત્ર અને અતિશય પરમ પવિત્ર અને અત્યંત કલ્યાણકર પર્વતોમાં ઈન્દ્ર સમાન આ પુંડરીકગિરિ સદા જયવંતો છે, એવા શ્રી શત્રુંજય ગિરિરાજને કોટી કોટી વંદના. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy