SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ 294 તપાગચ્છાધિષ્ઠાયક ગુણ અનંત આતમ તણા રે, મુખ્યપણે તિહાં દોય, તેહમાં વળી જ્ઞાન જ વડું રે, જિણથી દંસણ હોય રે. ભવિયણ ચિત્ત ધરો. વિશ્વમાં રહેલા પદાર્થોની સાચી સમજણ, સાચી ઓળખાણ જેના દ્વારા થાય છે તે જ્ઞાન છે. જ્ઞાન પાંચ પ્રકારનું છે. મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન. આ પાંચ પ્રકારનાં જ્ઞાનમાં પ્રત્યક્ષ અને પરોક્ષ એવા બે વિભાગ છે જે જ્ઞાન ઇન્દ્રિયોની મદદ સિવાય આત્માથી સીધું થાય તે પ્રત્યક્ષ જ્ઞાન છે અને ઇન્દ્રિયોથી થતું જ્ઞાન તે પરોક્ષ જ્ઞાન છે. અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન અને કેવળજ્ઞાન ઇન્દ્રિયોની મદદ સિવાય આત્માથી સીધાં થતાં હોવાથી આ ત્રણ જ્ઞાન પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે અને મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઇન્દ્રિયોની મદદથી થતાં હોવાથી તે પરોક્ષ જ્ઞાન કહેવાય છે. - આ પાંચ જ્ઞાનમાં શ્રુતજ્ઞાન સિવાયનાં ચાર જ્ઞાન તે મૂંગાં છે, મૌન છે. તેની પાસે બોલવાની શક્તિ નથી. ત્યારે શ્રુતજ્ઞાન તે બોલતું જ્ઞાન છે. પોતાનું અને બીજાનું સ્વરૂપ કહેવાની કોઈનામાં શક્તિ હોય તો તે શ્રુતજ્ઞાનમાં છે. હવે આટલા લખાણથી સિદ્ધ થઈ ગયું છે કે અવધિજ્ઞાન તે આત્માથી સીધું થતું પ્રત્યક્ષ જ્ઞાન છે. હવે આપણે તે વિચારીએ કે આ અવધિજ્ઞાનનો વિષય શું છે. આ જ્ઞાનનો વિષય દૂર દૂરના રૂપી પદાર્થોને જાણવા (અને જોવા) પૂરતો છે. વર્ણ (૫), ગન્ધ (૨), રસ અને સ્પર્શ (૮) આ ચારથી સહિત જે હોય તે રૂપી પદાર્થ કહેવામાં આવે છે. અને આ જ્ઞાનરૂપી પદાર્થોને જ જાણે (અને જોવે) છે. આ અવધિજ્ઞાનના ભેદ કેટલા? એ પણ જીવને પ્રશ્ન થાય તે સ્વાભાવિક છે. તો આ અવધિજ્ઞાનના ઉત્કૃષ્ટથી સંખ્યાતીત ભેદો શાસ્ત્રકારે કહેલા છે. તેમાં સામાન્ય રીતે જે છ ભેદો બતાવ્યા છે તે આ મુજબ છેઃ અનુગામી, અનનુગામી, વર્ધમાન, હીયમાન, પ્રતિપાતિ અને અપ્રતિપાતિ. અનુગામી – જે સ્થાનમાં જેટલા સમયનું અવધિજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે સ્થાનમાં તેટલા સમય સુધી જ્ઞાન જીવની સાથે રહેવા પૂર્વક જ્યાં જાય ત્યાં પોતાની ચક્ષની જેમ સાથે જાય તે અનુગામી અવધિજ્ઞાન કહેવાય. અનનુગામી – જે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન દીપકની જેમ સ્થિર રહે, બીજે સ્થાને જતાં સાથે ન જાય તે અનનુગામી અવધિજ્ઞાન કહેવાય. વર્તમાન – જે અવધિજ્ઞાન ઉત્પન થયા પછી ક્રમે ક્રમે વધતું જાય તે વદ્ધમાન અવધિજ્ઞાન કહેવાય. હીયમાન – જે અવધિજ્ઞાન ઉત્પન થયા પછી ઘટતું જાય–ઓછું થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન કહેવાય. પ્રતિપાતિ – જે અવધિજ્ઞાન આવ્યા પછી ચાલ્યું જાય તે પ્રતિપાતિ અવધિજ્ઞાન કહેવાય. * ***** **** * ** ** Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy