SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 351 પોતાના અધ્યાત્મ–ઉત્તમ જીવન અને શુભકર્મોથી, મનુષ્ય તેમ જ દેવગતિ પામી શકે છે, તો નિકૃષ્ટ જીવન અને અશુભ કર્મોથી તિર્યંચ તથા નકરગતિમાં જઈ શકે છે. ચાર ગતિની પાર પંચમ ગતિ પણ છે. પંચમ ગતિ શુદ્ધભાવે થાય, ધર્મ પસાયે તે સમજાય. પંચમગતિ - યાને આત્મોપલબ્ધિ – સ્વસ્વરૂપની સિદ્ધિને મનુષ્ય શુદ્ધ ધર્મ વડે જ પામી શકે છે. તેથી ધર્મ એ જ તારણહાર છે. તારણહાર ધર્મ એ વસ્તુનો મૂળભૂત સ્વભાવ છે. વન્યુ સહાઓ ધમ્મો." વસ્તુનો સ્વભાવ એ જ ધર્મ છે. ધર્મ એ જીવન છે, જીવન એ ધર્મ છે અને આત્મોપલબ્ધિનો એ જ માર્ગ છે. ધર્મ સામે કર્મ છે. કર્મ જડ છે. કર્મ કરનાર ચેતન છે. કર્મ ચેતનના ભાવ અનુસાર બંધાય છે અને ભાવ મનમાં થાય છે. ભાવ તેવા ભવનું નિર્માણ કરનાર માનવ-મન છે. એ મનને મહાન કરવા માટેનાં જે કાર્ય છે, તે ધર્મ છે અને ધર્મકાર્ય માનવ શરીરથી થાય છે. પ્રબળ પુણ્યની અદ્ભુત દેન સમા આ માનવ શરીરમાં ચૈતન્ય (આત્મા)નો વાસ જ અધ્યાત્મનો ઉજાસ છે, ધર્મની સુવાસ છે અને શિવ-સુખનો આવાસ છે. જ્યાં નજર જડ દાગીના પર છે ત્યાં સુધી દર્શન મૂર્ણિત અને મિથ્યાત્વ રહેવાનું પણ દાગીનાની પાર, દષ્ટિ દ્રવ્ય તરફ મંડાશે ત્યારે તે દર્શન સજાગ થવાનું. સમ્યગુ થવાનું. આ સજાગ અને સમ્યગુ દષ્ટિથી અસલ ઓળખાય છે, પરમ પમાય છે. પછી તો જ્યાં જ્યાં નજર જાય, ત્યાં ત્યાં એની જ યાદ વરતાય છે. ફરિયાદ રહેતી નથી. દાગીનામાંથી મુક્તિ મળે છે અને મૂલ્યવાન દ્રવ્ય આપોઆપ પ્રકાશી ઊઠે છે. આ પ્રકાશમાન તત્ત્વ એ જ દેહમાં રહેલું દેવતત્ત્વ છે. એને પ્રકાશિત કરનાર શુભ કે શુદ્ધ ભાવો છે. શુભ ભાવોની ઉત્કૃષ્ટતા ઉજ્જૈનમાં જન્મેલા માણેકશાહ નામના મહાન માનવીમાં કેવી પરિણમી હતી કે જેના પરિણામે માણેકશાહ, માણેકશાહ મટીને માણિભદ્રદેવ બન્યા! અતીતમાં ડોકિયું કરવા જેવું છે.... પ્રાચીન અવંતિનગરીનિવાસી માણેકશાહ લોકપ્રિય અને રાજપ્રિય શાહ સોદાગર હતા. કુળપરંપરાએ તેઓ મૂર્તિપૂજા અને પરમાત્મભક્તિના અનન્ય ઉપાસક હતા. જો કે લોકશાહના થતિઓના પરિચયે કેટલોક સમય મૂર્તિપૂજાદિથી વેગળા બન્યા હતા, પણ તપાગચ્છાધિપતિ આચાર્યપ્રવર શ્રી હેમવિમલસૂરિજી મહારાજના સમાગમથી શંકાનું સમાધાન મેળવી પુનઃ મૂર્તિપૂજાદિના દઢ અનુરાગી બન્યા. પુનઃ સમકિતમૂળ બારવ્રત સ્વીકાર્યા. રોજ અષ્ટપ્રકારી પૂજા તથા સુપાત્રની ભક્તિ ખૂબ ઉત્સાહથી કરવા લાગ્યા. પૂ. આચાર્ય શ્રી હેમવિમલસૂરિજી મહારાજ ત્યાંથી વિહાર કરતા કરતા ચાતુર્માસ માટે આગ્રા પધાર્યા. તે સમયે વેપાર માટે માણેકશાહનું ત્યાં આવવાનું થયું. લાભનું કારણ જાણી રોકાઈ જતાં ગુરુમુખેથી શ્રી શત્રુંજય તીર્થાધિરાજનું માહાભ્ય સાંભળવા મળ્યું: " શત્રુંજયની યાત્રા છરી પાળતાં જે કરે, ત્યાં જઈને નવાણું યાત્રા કરે, ચૌવિહાર છઠ્ઠ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy