SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ યક્ષરાજશ્રી માણિભદ્રદેવ 231 શ્રદ્ધાનો ભાવ છલોછલ જોવા મળે છે. પ્રત્યેક હિંદુ પોતાનાં મંગલ કાર્યોના પ્રારંભે વદે છે કે – " જંબૂદ્વીપે ભરતક્ષેત્રે આર્યખંડે (અમુક, પ્રદેશ (અમુકી નગરે." તે જ રીતે જૈન પરંપરામાં પણ જેબૂદ્વીપની પૂજ્યતાનો સ્વીકાર થયેલો છે. હિંદુ–વૈદિક અને જૈન તો ઠીક પણ બૌદ્ધ પરંપરામાં ય જંબૂદ્વીપના અસ્તિત્વનો સ્વીકાર કરેલો છે અને જેન્દ્વીપ નામની સાર્થકતાનો આધાર તેની મધ્યમાં રહેલા જંબૂ' નામના અકૃત્રિમ 'જંબૂવૃક્ષ ને માને છે.. જૈનધર્મમાં બે ટ્રીપ પ્રત્યે ઘણા શ્રદ્ધા ભરેલી દષ્ટિએ જોવાય છે જેમાં એક છે' નંદીશ્વર, અને બીજો છે' જંબૂદીપ.' જબૂદ્વીપમાં અનેક પવિત્ર જિન ચેત્યાલય છે, તેના અંગભૂત ક્ષેત્ર વિદેહમાં આજે પણ તીર્થંકર વિહાર કરી રહ્યા છે. જેબૂદ્વીપના ભરત–ઐરાવતના આર્યખંડને એવું ગૌરવ પ્રાપ્ત થયેલું છે કે અહીં તીર્થંકર વગેરે મહાપુરુષોની પવિત્ર જન્મભૂમિ, તપોભૂમિ તથાનિર્વાણભૂમિ વિદ્યમાન છે. અહીં મનુષ્યભવમાં જન્મ લેનાર પ્રાણી તપશ્ચર્યા દ્વારા કર્મમુક્તિ પામી શકે છે, ધર્મસાધના કરી શકે છે અને તેના દ્વારા સર્વ દુઃખોને દૂર કરી શાશ્વત-અનંત સુખને સાધી શકે છે.. ભરતક્ષેત્ર : આ વિશ્વના ત્રણ વિભાગ પાડવામાં આવે છે. જેમાં – (૧) ઊર્ધ્વલોક (૨) અધોલોક અને (૩) તિચ્છલોક. બે પગ પહોળા કરીને, બે હાથ કેડે રાખીને ઊભા રહેલા મનુષ્યની આકૃતિ હોય તે રીતે આ વિશ્વ ચારે બાજુથી એકસરખું ગોળાકાર છે, જેમાં કેડનો ભાગ તિથ્વલોક કહેવાય છે, તેનાથી ઉપરનો ઊદ્ગલોક અને નીચેનો અધોલોક કહેવાય છે. (જૂઓ ચિત્ર) અગાઉ જોયું તે પ્રમાણે તિર્થાલોકના મધ્યમાં જંબૂદ્વીપ આવેલો છે. તેના છેડે ભરતક્ષેત્રનો આકાર અર્ધચંદ્રાકાર અથવા ધનુષ્યની કામઠીને દોરી બાંધેલી હોય તેવો છે, તેમાં દોરી સમાન સીધો ભાગ હિમવંત પર્વત તરફ પૂર્વ છેડાથી પશ્ચિમ છેડા સુધી રહેલો છે, જ્યારે ભરતક્ષેત્રનો , ભાગ, ગોળાઈનો ભાગ લવણ સમુદ્ર સુધી જાય છે. ભરતક્ષેત્રના દક્ષિણ છેડાથી ઉત્તર તરફ હિમવંત પર્વત સુધીની પહોળાઈ શાસ્ત્રીય પરદ ૧૯ યોજન પ્રમાણ છે, ધનુ પૃષ્ઠનો ભાગ ૯૭ ૬૧/૧૮ યોજન પ્રમાણ અને પૂર્વ-પશ્ચિમ જીવા લંબાઈ ૯૭૪૮ ૧૨, યોજન પ્રમાણ છે. ભરતક્ષેત્રના વચ્ચેના ભાગમાં ઉત્તર-દક્ષિણે ૫૦ યોજન પહોળો અને પૂર્વ-પશ્ચિમ લવણ સમુદ્ર સુધી લાંબો ૨૫ યોજન ઊંચો વૈતાઢય નામનો પર્વત આવેલો છે. તે ભરતક્ષેત્રના બે ભાગ કરે છે જેમાં સમુદ્ર તરફના ભાગને દક્ષિણ ભરતાર્ધ અને પર્વત તરફના ભાગને ઉત્તર ભરતાર્ધક્ષેત્ર કહેવાય છે. તેની પહોળાઈ ૧૩૮, યોજન છે. આ ક્ષેત્રને અડીને લઘુ હિમવંત પર્વત રહેલો છે. તેની પહોળાઈ ૧૦૫ર યોજન જેટલી છે અને લંબાઈમાં સમુદ્ર સુધીનો છે. તેની વચ્ચે ૧૦૦૦ યોજન લાંબું અને ૫00 યોજન ઉત્તર-દક્ષિણ પહોળું પદ્મ નામનું મોટું સરોવર (દ્રહ) આવેલ છે, તેમાં પૂર્વ દિશા તરફ ગંગા મહાનદી અને પશ્ચિમ તરફથી સિંધુ મહાનદી નીકળે છે અને (લઘુ હિમવંત પર્વત પર) ત્યાં ૫00 યોજન સુધી વહી, દક્ષિણ તરફ વળાંક લઈને ઉત્તર ભારત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy