SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ 682 તપાગચ્છાધિષ્ઠાયક જેમ ફૂટી નીકળ્યા હતા. જેને જેમ ફાવે તે રીતે મનઘડંત શાસ્ત્રોના અર્થ કરી ચાલી આવતી શુદ્ધ સમાચારી પરંપરાઓના ભુક્કા બોલાવી રહ્યા હતા. શુદ્ધ આત્માના ચૈતન્યનો મૂળ માર્ગ અહિંસા, સંયમ અને તપની ખરી કસોટી હતી. બારમી સદીમાં પૂ. આ. શ્રી જગચંદ્રસૂરિજીએ શુદ્ધ કરેલ તપાગચ્છ ઉપર પુનઃ મિથ્યાત્વનાં વાદળાં અંધકાર પ્રસરાવી રહ્યાં હતાં. કડવામતી લુપકો આદિ પોતાના નવા મતોની પ્રરૂપણા જોરશોરથી કરી ભવિ આત્માઓને સ્વમાર્ગેથી દૂર કરી રહ્યા હતા. આવા સમયે ઉજ્જૈન નગરનાં નગરશેઠાણીએ સન્માર્ગની રક્ષા માટે સાક્ષાત્ સંયમની મૂર્તિ સમા પૂજયપાદ આ.શ્રી આણંદવિમલસૂરિજી મ.સા.ને ઉજ્જૈન નગરમાં પધારવા વિનંતી કરી. દયાના સાગર સૂરિજી પધાર્યા. સામૈયાપૂર્વક શેઠાણીએ પોતાની હવેલીમાં વિશાળ સમુદાય સાથે સૂરિજીની પધરામણી કરી. ઉજ્જૈન નગરીના વાતાવરણમાં ધર્મની સુવાસ પુનઃ પ્રસરવા લાગી. હવેલી ધર્મમય બની ગઈ. તપ, ત્યાગ અને તિતિક્ષાને વરેલા આ સૂરિજીના શિષ્યગણની સુગંધ ઝપાટાભેર માળવામાં પ્રસરવા લાગી. સૂરિજી સ્વયં મહાન તપસ્વી હતા. તપ સાથે વૈરાગ્ય અને ત્યાગ ઝગારા મારતો હતો. એકસો ચાર ઉપવાસની ઘોર તપસ્યા આદરી હતી. સાધુઓ પણ માસક્ષમણ, સોળ ઉપવાસ, અઠ્ઠાઈ વગેરે ઉલ્લાસથી કરી રહ્યા હતા. ચારે બાજુ વાતાવરણ ધર્મમય બની ચૂકયું હતું. ચાતુર્માસની પણ ત્યાં જ જય બોલાવી હતી. એક દિવસની વાત છે. શેઠાણીને આજે વર્ધમાન તપનું પારણું હતું. શેઠાણીનો એકનો એક પુત્ર માણેકચંદ પોતાનાં માતુશ્રીને પારણું કરાવવાની રાહ જોઈ બેઠો હતો. પુત્રવધૂએ પારણાની તમામ તૈયારીઓ કરી લીધી હતી. માં દર્શન-પૂજન-પ્રવચન વગેરે પતાવી પારણું કરવા પધાર્યા. પુત્ર માણેકે બહુમાન પૂર્વક પારણું કરાવવાની તૈયારી કરી. " બેટા માણેકે માની કટોરીમાં રાબડી પીરસી પણ તેમાં ઘીનો છાંટોય ન હતો. બેટાએ ઘીની વાઢી હાથમાં લીધી. માએ ઘી લેવાની મનાઈ કરી. " કેમ મા ! ઘી વગર પારણું થતું હશે? આટલા દિવસ તો લૂખું ખાધું, હવે તો લ્યો." ખૂબ આગ્રહ કર્યો, પણ માએ ઘી લેવાની સ્પષ્ટ મનાઈ કરી. હતાશ થયેલા બેટાએ પૂછ્યું: " કેમ મા! ઘી નથી લેતી?" પરાણે રાબડીમાં ઘી નાંખવાનો પુનઃ પ્રયત્ન કર્યો. માએ બેટાને હાથ પકડીને કહ્યું : " બેટા ! મારે નિયમ છે, જ્યાં સુધી તું આપણી હવેલીમાં પધારેલા પૂજ્ય આ. ભ. શ્રી આણંદવિમલસૂરિજી મ.ના દર્શન ન કરે, પ્રવચન ન સાંભળે ત્યાં સુધી ઘી મારે બંધ છે." " મા ! તને કેટલીવાર કહ્યું, તું આ જીદ છોડી દે. આજે આડંબર અને સ્વ–પૂજા સિવાય સાધુઓમાં શું રહ્યું છે? નાહકની તું જીદ કરી દુઃખી થાય છે. આજના કોઈ સાધુ કે આચાર્યમાં મને રસ જ નથી." Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy