SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ 130 તપાગચ્છાધિષ્ઠાયક ગયેલો શ્વાસ ઉતારવા થોડીવાર શાંતિથી બંને જણા બોલ્યા વગર મૌન બેસી રહ્યા. થોડી વારે થાક ઊતર્યો પછી બંને જણા અંદર અંદર ગુસપુસ કરવા લાગ્યા. પાંચાએ કહ્યું : " આલ્યા છગન ! આ વાણિયા તો જબરા નીકળ્યા. સિપાઈઓ રાખ્યા લાગે છે. " છગને કહ્યું ' નારે ના, સિપાઈઓને તો પહોંચી વળાય. આ તો ઘોડેસવારો હતા, ઘોડેસવારો.' પોંચાનું માં પડી ગયું. એણે કહ્યું, 'છગન ! તો કાલે શું કરશું? આજે તો આપણે પાછા આવ્યા. હવે આવતી કાલનો કાંઈક વિચાર કર. મને તો કાંઈ સૂઝતું નથી. જો કાલનો આજે કાંઈ વિચાર નહિ કરીએ તો પછી આવતીકાલે પણ આજની જેમ વીલા મોંઢે પાછા આવવું પડશે.' થોડીવાર વિચાર કરીને છગન બોલ્યો : ' જો પોચા ! મને એમ લાગે છે કે આજની રાત વીતી જવાદે. સવાર પડવા દે. કાલે આપણા સાથીદારોને આપણે ભેગા કરીએ અને વાત કરીએ. પછી બધાયનો જે મત પડશે તે કરશું. બોલ પાંચા! તને મારી વાત કેમ લાગે છે?" મારી મતિ તો અત્યારે બેર મારી ગઈ છે. તે કહે છે તો આપણે સવારે બધાની સાથે વિચારશું. અત્યારે તો મને ઊંઘ આવે છે એટલે એક ઊંઘ ખેંચી લઉં.' પોંચાએ કહ્યું. ' 'મનેય ઊંઘ આવે છે. હું પણ ઊંઘી જાઉં છું. ઊંઘશું તો થાક ઊતરશે. થાક ઊતરશે તો સવારે કાંઈક બુદ્ધિ ચાલશે'. એમ કહી છગને ખાટલા પર જ લંબાવી દીધું. સવાર પડી. પૂર્વાકાશમાં સૂર્યનારાયણે દર્શન દીધાં. એકાદ પ્રહર જેટલો સમય વીતી ગયો. પોંચો અને છગન ઊઠ્યા. પ્રાતઃ કાર્યની વિધિ પતાવીને ગામમાં રહેતા બધાને એક જગ્યાએ ભેગા કર્યા. રાતની બધી વાત કરી. બધા હેબતાઈ ગયા, અને બોલ્યા : ' આ વાણિયા તો ભારે નીકળ્યા. આપણને તો આવી કલ્પના ય ન હતી.' અંદર અંદર ચર્ચા-વિચારણા કરીને અંતે સહુએ એમ નક્કી કર્યું કે હમણાં ચારપાંચ દિવસ સુધી કોઈએ માછલાં પકડવા જવું નહિ. ચારપાંચ દિવસ પછી પંદરવીસ જણાએ સાથે મળીને ત્યાં જવું અને ત્યાં શું થાય છે એની તપાસ કરવી. ચાર-પાંચ દિવસ વીતી ગયા. પછી એક મધરાતે સરખે સરખા પંદર-વીસ જણા ભેગા થયા અને હોજ ઉપર જવા ઊપડ્યા. કોઈને ખબર ન પડે એટલી ચૂપકીદીથી તેઓ હોજ પાસે પહોંચી ગયા, જાળ સરખી કરીને માછલાં પકડવા જેવી હોજમાં નાંખી કે સામેથી ' પકડો ! પકડો! મારો! મારો!' કરતા ચાલીસથી પચાસ ઘોડેસવારો છૂટટ્યા. વિધર્મીઓ તો મુઠ્ઠી વાળીને જાય ભાગ્યા. માંડ માંડ ગામના ગોંદરે પહોંચ્યા. ભયને લીધે સહુને આખા શરીરમાં પરસેવો વળી ગયો. સવાર પડતાં તો બધા વિધર્મીઓ ભેગા થઈ ગયા. આજે અભિમાની ગણાતી આ કોમના અભિમાન ઉપર જબરી ચોટ પડી હતી. અભિમાનને ચોટ લાગ્યા પછી સીધા દોર થઈ જવાને બદલે તેઓ વધારે વૃદ્ધ બન્યા. એમના કપાળે કરચલીઓ વળી ગઈ. એમની આંખો મરચાં જેવી લાલઘૂમ થઈ ગઈ. શરીર થરથર ધ્રૂજી રહ્યું હતું. આખા શરીરમાં કયાંય કોઇ માતો ન'તો. કાંઈક ઊંચુંનીચું કરી નાખવા તેઓ તૈયાર થઈ ગયા હતા, પણ મોટેરાઓએ એમને શાંત પાડ્યા. કહ્યું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005141
Book TitleYakshraj Shree Manibhadradev
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages860
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy