Page #1
--------------------------------------------------------------------------
Page #2
--------------------------------------------------------------------------
________________
ૐ હ્રી શ્રી અર્જુ નમઃ
સિદ્ધિગતિસોપાનાય શ્રી સિદ્ધગિરિવરાય શ્રી આદિનાથાય નમો નમઃ
પરમારાધ્યપાદપદ્બેભ્યઃ શ્રીમદ્-આર્યરક્ષિત-કલ્યાણ-ગૌતમ નીતિ-ગુણસાગરસૂરિશ્વરેભ્યો નમઃ
અર્હદ—ગુણ–વારિધિ–નરેન્દ્ર—નૌકા
[ L
TM 0
: સંયોજિકા અને સંગ્રાહિકા :
પરમ પૂજ્ય સ્વર્ગસ્થ દાદાસાહેબ ગૌતમસાગરજી મ. સા. ના પટ્ટધર પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાર્તિની પૂ. સાધ્વીજી ગુલાબશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. દોલતશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શીતલશ્રીજી મ. ના શિષ્યા બા. બ્ર. પૂ. સા. નરેન્દ્રશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. વિદ્યુત્પ્રભાશ્રીજી મ.
: પ્રકાશક :
શ્રી સુથરી જૈન સંઘ
તા. અબડાસા, સુથરી, કચ્છ. પીન : ૩૭૦ ૪૯૦. ફોન : : ૨૨૩
Page #3
--------------------------------------------------------------------------
________________
અહંદ - ગુણ - વારિધિ - નરેન્દ્ર - નૌકા * વિભાગ ૧લો - નમસ્કાર મહામંત્ર, દેવ દર્શન-ગુરુવંદન વિધિ વ. વિભાગ રજો - ચૈત્યવંદનો, સ્તુતિઓ
વિભાગ ૩જો - વિવિધ સ્તવનોનો વિપુલ સંગ્રહ - વિભાગ ૪થો - પૂર્વાચાર્યો કૃત સક્ઝાય સંગ્રહ વિભાગ પમો - ચાર શરણાં, રાસો, છંદો, સ્તોત્રો, દુહા, પદો વ. આ વિભાગ દો - જાણવા યોગ્ય સંગ્રહ
: - કાણા કાણા ના કર કર કર
પ્રતિ ૨૦૦૦ ઈ. સ. ૧૯૯૬ વીર સં. ૨૫૨૧
ફોન : ૫૬૧ ૮૪ ૭૯ મુલુંડ (પશ્ચિમ), મુંબઈ ૪૦૦ ૦૮૦.
અજય વિશનજી શાહ : ટાઈપ સેટિંગ :
h6 | 5 h2 05h : -
મુલુંડ (પશ્ચિમ), મુંબઈ ૪૦૦ ૦૮૦.
છેડા પ્રીન્ટીંગ પ્રેસ
: મુદ્રક :
Eye
કચ્છ - સુથરી શ્રી સુથરી જૈન સંઘ
પ્રકાશક :
મૂલ્ય : સદુપયોગ
આવૃત્તિ પાંચમી " વિ. સં. ૨૦૫ર
Page #4
--------------------------------------------------------------------------
________________
( સમર્પણ )
* F %
અમારા પરમ ઉપકારી મોક્ષમાર્ગના પ્રેરક સંયમદાતા અને અમારા હિતચિંતક પરમ પૂજ્ય મુખ્ય સાધ્વી શાંતમૂર્તિ પૂજ્ય ગુરુણીજી મહારાજ શીતલશ્રીજી મહારાજ સાહેબના સુશીષ્યા પ. પૂ. નરેન્દ્રશ્રીજી મ. સા....
આ “અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા” નામનો ગ્રંથ આપના પરમપુનિત હસ્તકમલમાં સવિનય સમર્પણ કરી અમારા આત્માને
ધન્ય માનીએ છીએ !
વીર સં. રપર૧ સુથરીતીર્થ (કચ્છ)
આપશ્રીની આજ્ઞાંકિતા શિષ્યાઓ-પ્રશિષ્યાઓ
Page #5
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શ્રી સુથરી મહાતીર્થ
SE
કચ્છ
Page #6
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
=
A
sli
ahijiMIR
?
I/AAAA
મકk At t૧૧'''
Dur
છે.
શ્રી સુથરી તીર્થાધિરાજ શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વનાથ પ્રભુ
Page #7
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણસાગરસૂરિશ્વરજી મહારાજા સાહેબ
Page #8
--------------------------------------------------------------------------
________________
અદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અચલગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી ગુણોદયસાગરસૂરિશ્વરજી મહારાજા સાહેબ,
Page #9
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સાહિત્ય દિવાકર ૫. પૂ. આચાર્ય ભગવંત શ્રી કલાપ્રભસાગરસૂરિશ્વરજી મહારાજા સાહેબ
Page #10
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૫. પૂ. સાધ્વી શ્રી નરેન્દ્રશ્રીજી મહારાજ સાહેબ
Page #11
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૫. પૂ. સાધ્વી. શ્રી વિદ્યુતપ્રભાશ્રીજી મહારાજ સાહેબ
Page #12
--------------------------------------------------------------------------
________________
સુકૃતના સહયોગીઓ
માતુશ્રી બાંયાબાઈ નરશી ભોજરાજ છેડા
શ્રીમતી નવલબાઈ પ્રતાપસિંહ રતનશી મરચન્ટ
Page #13
--------------------------------------------------------------------------
________________
સુકૃતના સહયોગીઓ
શ્રી વેરસી માયાભાઈ માતા
શ્રી ચત્રભુજ નરશી લોડાયા
Page #14
--------------------------------------------------------------------------
________________
સુકૃતના સહયોગીઓ
શ્રી રાયચંદ રતનશી કારાણી
શ્રી પદમશી આણંદજી લોડાયા
Page #15
--------------------------------------------------------------------------
________________
સુકૃતના સહયોગીઓ
શ્રી પદમશી પુંજાભાઈ લોડાયા (પીર)
માતુશ્રી ભમલબાઈ પદમશી પુંજાભાઈ લોડાયા (પીર)
Page #16
--------------------------------------------------------------------------
________________
સુકૃતના સહયોગીઓ
શ્રી શામજી ખીંયશી દંડ
શ્રી હંસરાજ નરશી મોમાયા
Page #17
--------------------------------------------------------------------------
________________
સુકૃતના સહયોગીઓ
શ્રી પુનશી મુરજી છેડા
ક
શ્રી રતનશી પાસુભાઈ
નાગડા
Page #18
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
( પ્રાસ્તાવિક ) શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સભ્ય દર્શન-જ્ઞાન-વ્યારિત્ર ને મોક્ષમાર્ગ બતાવેલ છે. તેમાં પણ અંતિમ સમ્યફ ત્રારિત્ર છે, સમ્યક ત્રારિત્રની પુષ્ટિ માટે પૂર્વના મહાપુરુષોએ સંસ્કૃત, પ્રાકૃત તથા ગુજરાતી આદિ અનેક ભાષાઓમાં સાહિત્ય સર્જન કર્યું છે.
વર્તમાનકાલીન આત્માઓ સંસ્કૃત તથા પ્રાકૃત ભાષાના મોટે ભાગે અનભિન્ન હોઈ ગુજરાતી સાહિત્ય વાંચવામાં વિશેષ રસ ધરાવે છે. તેવા આત્માઓને લક્ષમાં લઈ.
“શ્રી અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા” : નામના આ ગ્રંથની પાંચમી આવૃત્તિ પ્રસિદ્ધ કરતાં અમો અત્યંત આનંદ અનુભવીએ છીએ, આવીજ પદ્ધતિએ એકત્રીસ વરસ પૂર્વે મનોહર માળા નામના ગ્રંથની ૧ હજાર નકલો છપાવેલ તેની પ્રતો વપરાઈ જતાં પછીથી આ ગ્રંથની અત્યાર સુધીની વિવિધ આવૃત્તિઓની માહિતી આ પ્રમાણે છે
પહેલી આવૃત્તિ ઈ. સ. ૧૯૬૯ સંવત ૨૦૨૫ પ્રત ૨૦૦૦ બીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૮૧ સંવત ૨૦૩૭ પ્રત ૨૦૦૦ ત્રીજી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૦ સંવત ૨૦૪૬ પ્રત ૧૦૦૦ ચોથી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૫ સંવત ૨૦૫૧ પ્રત ૨૦૦૦ પાંચમી આવૃત્તિ ઈ. સ. ૧૯૯૬ સંવત ૨૦૫ર પ્રત ૨૦૦૦
આ ગ્રંથમાં અનેકવિધ વિષયોનો સંગ્રહ છ ભાગમાં ગોઠવવામાં આવ્યો છે, તેનો ટુંક પરિચય આ પ્રમાણે છે,
૧ પ્રથમ વિભાગમાં- શ્રી નમસ્કાર મહામંત્ર, પંચિંદિય સૂત્ર અને દેવ દર્શન વિધિ, ગુરુ વંદન વિધિ, શ્રી જિનેન્દ્ર દેવ સન્મુખ બોલાવાની સ્તુતિઓ, આત્મનિંદા, દાવિંશિકા (કુમારપાલ મહારાજા કૃત) તથા રત્નાકર પચ્ચીશીનો અનુવાદ આપવામાં આવેલ છે. પૃષ્ઠ (૧ થી ૨૫).
૨ બીજા વિભાગમાં- પૂર્વાચાર્યોકૃત અનેક વિષયના ચૈત્યવંદનો (૫૫) પંચાવન તથા થોયોનો સંગ્રહ તેમજ બીજી સ્તુતિઓ (૫૦) પચાસ (પૃષ્ઠ ૨૬ થી ૮૧).
૩ ત્રીજા વિભાગમાં- શ્રી શત્રુંજયાદિતીર્થો, ૨૪ ભગવાનનાં સ્તવનો, સામાન્ય જિનનાં સ્તવનો, તેમજ વિહરમાન ભગવાનના સ્તવનો, શ્રી
Page #19
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સિદ્ધચક્રજીનાં સ્તવનો, તેમજ જ્ઞાન પંચમી, પંચતીર્થી, દિવાળી, પર્યુષણ પર્વના તેમજ ઉ. શ્રી યશોવિજયજી કૃત સ્તવન ચોવીશી, શ્રી આનંદધનજી કૃત ચોવીશી, શ્રીમદ્ દેવચંદ્રજી કૃત ચોવીશી, શ્રી ગુણસાગરસૂરિ કૃત ચોવીશી આદિનો વિશિષ્ટ સંગ્રહ આપવામાં આવ્યો છે (પૃષ્ઠ ૮૨ થી ૩૭૦) ૩૧૫ સ્તવનો ૧૦૦ ચોવીશીઓના (૪૧૫).
૪ ચોથા વિભાગમાં- પૂર્વાચાર્યો કૃત પૂર્વ કાળમાં થયેલ અનેક મહાપુરુષો, સતીઓ તેમજ વૈરાગ્ય પોષક વિષયોનો વિશાળ સંગ્રહ આપવામાં આવેલ છે. જે વાચકના વૈરાગ્ય રસને પોષક કરવામાં અત્યંત સહાયક થઈ શકે તેમ છે. પૃષ્ઠ (૩૭૧ થી ૪૪૭), કર્મ પચ્ચીશી, ક્ષમા છત્રીશી, જીવા પાંત્રીશી વિગેરે.
૫ પાંચમા વિભાગમાં- આત્મ આરાધનમાં વિશેષ ઉપયોગી થાય તેવા વિષયો જેવાં કે પુણ્યપ્રકાશનું સ્તવન, પદ્માવતી આરાધના, લઘુઆલોયણા, ચાર શરણા, ગૌતમસ્વામિનો રાસ, નવકાર મંત્રનો છંદ, સોળ સતીનો છંદ, જ્વરનો (તાવનો) છંદ, ત્રેસઠશલાકા પુરૂષનો છંદ, શ્રી મહાવીરસ્વામીનું પારણું અને હાલરડું, શ્રી પાર્શ્વનાથના વિવાહ માંહેલી પોખણાની ઢાળ, ભક્તામર સ્તોત્ર, લઘુ શાંતિ, બૃહદ્ શંતિ, ગૌતમાષ્ટક, મોક્ષ પ્રાપ્તિ માટેનું સ્તોત્ર, નમો જિનાય, માંગલિક શ્લોક, મંગલાષ્ટકમ, શિયલનો મહિમા, શ્રી શત્રુંજય મહાતીર્થના (૯) દુહા અને ૧૦૮ ખમાસમણા, નવપદજીના દુહા, વીશ સ્થાનક તપના દુહા અને ગુણ, આઠ કર્મના નવકાર વાલીના પદો, તેમજ વિવિધ તપના દુહા જેમ કે જ્ઞાનપંચમી, મૌન એકાદશી, પોષ દશમી, મેરૂત્રયોદશી, ચૈત્રીપૂનમ, દીવાળી, વર્ધમાન તપ, અષ્ટાપદજી વિગેરે ત્યાર બાદ પૂજા ભાવનામાં બોલાવાના દુહા, પદો, સ્તવનાદિ, સિદ્ધશિલાના ગુણોનું વર્ણન, અજાહરા પાર્શ્વનાથના સ્તવન આદિ વિષયોથી ભરપુર છે. (પૃષ્ઠ ૪૪૮ થી ૫૫૫)
૬ છઠ્ઠા વિભાગમાં- સાદી અને સરળ ભાષામાં, તપ, જ્ઞાન, આઠ મદ, આઠ સિદ્ધિ, બાર માસનાં લાકોત્તર નામો, બાર રાશી, નવગ્રહો તથા પંદર રાત્રિના નામો, સજ્જનોની સજ્જનતા, દશ ચંદરવાની સમજ, ત્રણ પ્રકારના માણસો, ક્રોધ, જૈન શાસન, દુઃખથી થતા ચાર લાભ, અભવી આત્માને શું ન મળે? છ દ્રવ્ય, પુણ્ય પાપની ચતુર્થંગી, બાર ભાવના, બાર વ્રત, આઠ કર્મ, ચૌદ ગુણસ્થાનક, છ આવશ્યક, દાનાદિ ધર્મનું સ્વરૂપ, પાંચ કારણો, ચાર નિપેક્ષ, ૪૫ આગમો, શ્રાવકની ૧૧ પ્રતિમા,
Page #20
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સાધુની ૧૨ પ્રતિમા, પાંચ પ્રમાદ, સાત વિકથા, ચાર શિક્ષા, ચાર અનુયોગ, પાંચ મહાવ્રતની પચ્ચીશ ભાવના, છ કારકના નામ, ધર્મ ધ્યાનની ચાર ભાવના, ૧૮,૦૦૦ શીલાંગ રથ, આઠ દૃષ્ટિ, અષ્ટાંગ યોગ, ચરણસિત્તરી, કરણસિત્તરી, નિત્ય સવાર સાંજની વિચારણા કરવાની ભાવનાદિ અનેક નાના મોટા વિષયોને સુંદર રીતે ગોઠવવામાં આવેલ છે.
આ રીતે અનેકવિધ ઉપયોગી વિષયોનો સંગ્રહ પ. પૂ. સાધ્વીજી શ્રી નરેન્દ્રશ્રીજી મ. સા. તથા તેમના સુશિષ્યા પ. પૂ. સાધ્વીજી વિદ્યુતપ્રભાશ્રીજીએ કરી આપી આ ગ્રન્થને સમૃદ્ધ કરેલ છે, સંઘને આ ગ્રંથના પ્રકાશન માટે પવિત્ર પ્રેરણા આપી તે બદલ તેઓશ્રીના અમે અત્યંત આભારી છીએ.
આ ગ્રન્થ પ્રકાશનમાં જે ૧૬ દાતાઓએ સહયોગ આપી પ્રકાશનનું કાર્ય સફળ અને સરળ બનાવી આપ્યું છે તે માટે તેઓનો પણ આભાર માનીએ છીએ. શેઠ શ્રી દામજી શામજી શાહ પરિવાર તરફથી મળેલ સહયોગ બદલ આભારી છીએ..
પ. પૂ. સાધ્વીજી મહોદયાશ્રીજી મ. સા. તથા શિષ્યાઓએ આ ગ્રંથના પ્રકાશન દરમ્યાન આપેલ માર્ગદર્શન તથા કાળજીપૂર્વક પ્રફ તપાસવા બદલ અમો એમના અત્યંત આભારી છીએ.
આ ગ્રંથની આકર્ષક તથા સુવ્યવસ્થિત રીતે કપ્યુટરાઈઝડ પ્રિન્ટીંગ કરી આપવા માટે છેડા પ્રિન્ટીંગ પ્રેસ નો જે સાથ અને સહકાર સાંપડ્યો તથા એમની કાર્યદક્ષતાના સથવારે જ આ ગ્રંથને આટલું સુંદર બનાવી શક્યા છીએ એ બદલ અમે એમને અભિનંદન આપીએ છીએ.
આ ગ્રન્થની શુદ્ધિ માટે ખાસ લક્ષ આપવામાં આવેલ છે, છતાં કોઈ મહત્ત્વની ભૂલ જણાય તો તે અમને સૂચવવા વિનંતી છે. જેથી ભવિષ્યમાં તે સુધારી શકાય.
ગ્રન્થમાં શાસ્ત્રીય દ્રષ્ટિએ અજાણતાં કોઈ ક્ષતિઓ રહી જવા પામી હોય તો તે અંગે અમે અંતઃકરણથી ક્ષમા યાચીએ છીએ.
વાચક સજ્જનો, આ ગ્રન્થનો સવિશેષપણે ઉપયોગ કરી સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાં આગળ વધો એજ અંતરની અભિલાષા.
- શ્રી સુથરી જૈન સંઘના જય જિનેન્દ્ર
Page #21
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શાન્તમૂર્તિ, સ્વાધ્યાય પ્રેમી, અપ્રમત સંયમી, પૂ. પાદ, ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા.
નો સંક્ષિપ્ત પરિચય અનાદી અનંતકાળથી આ પૃથ્વીતલ પર જીવાત્મા જન્મે છે. સાથોસાથ મૃત્યુની ચિઠ્ઠી લખાવીને લાવે છે. મૃત્યુ એ તો જીવનમાં ઝોલા માટે પળનો વિસામો લેવાનું સ્થાન છે. જન્મ પછી મરણ, સંધ્યા પછી પ્રભાત, મિલન પછી વિયોગ સૃષ્ટિના આ દ્વાન્દ્રોમાંથી સૌ કોઈ પસાર થાય છે. પણ જીવનને મંગલમય બનાવી મૃત્યુની પળોને મહોત્સવ બનાવી સમાધી પામનાર કોક વિરલ વિભૂતી હોય છે. તેમાંની એક વિભૂતી એટલે પૂજ્ય ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા.
વિ. સં. ૧૯૭૬ માં જન્મભુમિ કચ્છ તુંબડીમાં માતા જેઠીબાઈ ત્યા સુશ્રાવક પિતાશ્રી મોરારજીભાઈના ઘરે કુલદીપીકા સુપુત્રી નાનબાઈનો જન્મ થયો. બાલ્યાવસ્થાથી જ ધાર્મિક સંસ્કારોનો શણગાર સજેલા ૫. પૂ. ગુરૂદેવ શ્રી દીપવિજયશ્રી મ. સા. ની વૈરાગ્યસભર જિનવાણીના શ્રવણે કુમારી નાનબાઈ વધારે ધર્માનુરાગી બન્યા. પરમાત્માના સાશનને પામી અનાદીનું ભવભ્રમણ ટાળવા એમનો આત્મા જાગૃત થયો, જાગૃતિ થતાં જ પ્રવૃત્તિ પ્રારંભાઈ અને પછી તો પ્રાપ્તવ્યની પ્રાપ્તી માટે આત્મા ઉલ્લાસિત બન્યો. જ્ઞાન ગર્ભિત વૈરાગ્યથી હૈયું તરબોળ બન્યું અને અંતે એક દિ વૈરાગનો વિરાટ જાગી ચૂક્યો. હૈયાના દિપકમાં વૈરાગની જ્યોત જલી ઉઠી. તેના પ્રકાશમાં મુક્તિમાર્ગ નિહાળીને સંસાર પિંજરમાં પૂરાયેલ પંખી મુક્તવિહારી બનવા અને સમ્યકજ્ઞાન પ્રાપ્ત કરવા તલપાપડ બની રહ્યું. સોનામાં સુગંધ ભળે તેમ પ. પૂ. આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના આજ્ઞાવર્તિની • પ્રવર્તિની અને ગુલાબના સુવાસ જેવા પ. પૂ. સા. ગુલાબશ્રીજી મ. સા. ના પ્રશિષ્યા, પૂ. સા. શિતલશ્રીજી મ. સા. આદિનો પરિચય થયો. એના ફિલ સ્વરૂપે વિ. સં. ૧૯૯૬ જેઠ સુદ પુનમે માતા-પિતાએ ૨૦ વર્ષની યુવાન નાનબાઈને જિનશાસનના ચરણે અર્પણ કરી. બા. બ્ર. નાનબાઈએ મહાશૃંખલા તોડી, મહાભિનિષ્ક્રમણ કરી તુંબડી ગામે પ.
Page #22
--------------------------------------------------------------------------
________________
અદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
_
_
પૂ. આચાર્ય દેવશ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સા. ના વરદ્ હસ્તે દિક્ષા સ્વીકારી પ. પૂ. બા. બ્ર. સાધ્વીજી નરેન્દ્રશ્રીજી મ. સા. બન્યા. સાધ્વીજીવનમાં નિઃસંગની ઉપાસનામાં ઉત્તરોત્તર આગળ વધતાં, જ્ઞાનામૃતનું પાન કરતાં, ક્રિયા સરલતા ફળોના ભોજન સાથે સમતાનો મુખવાસ આરોગતાં, જ્ઞાન-ધ્યાન, પ્રભુભક્તિ સ્વાધ્યાયથી પૂ. શ્રી એ અનુકુળતાનો સ્વેચ્છાએ ત્યાગ અને પ્રતિકુળતાનો સામેથી સ્વીકાર કરી ચરીત્રજીવન ઉજ્વલ્લી બનાવ્યું.
કરૂણામૂર્તિ પૂ. ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા. ની મુખમુદ્રા શાંત-પ્રશંત હતી. મિતભાષિતા, વાણી ઉપર અજબનો સંયમ સ્વાધ્યાયપ્રિયતા, ગજબનું વાત્સલ્ય, ભણવામાં - ભણાવવાનો રસ અદ્દભૂત હતો. વિદ્યાભ્યાસ એમના જીવનનો મુખ્ય ગુણ હતો પઠનપાઠન-ચિંતન એમના રોજીંદા જીવનમાં વણાઈ ગયાં હતા. સ્વાધ્યાય આભાઓ પ્રત્યે તેમનો ઉદાર ભાવ હતો. ઉપવૃંહણા કરી તેમની અભ્યાસ પ્રવૃત્તિને વેગવંતી બનાવતા. તેમની દિવા તેજસ્વી બ્રહ્મતેજથી ચમકતી આંખોમાંથી સદૈવ વાત્સલ્યનો ધોધ વરસતો હતો. પોતાનાથી વડીલોનું તેઓએ ખૂબ માન-સન્માન જાળવ્યું. અવસરોચિત વિનય વૈયાવચ્ચમાં પૂ. શ્રી કદી પણ પાછા પડ્યા નથી. નિસ્પૃહતાનો ગુણ તો પૂ. શ્રી ના જીવનમાં અજબનો ઝળહળી રહ્યો હતો. જીવનમાં પ્રમાદ વગર પોતાનું કામ પોતે જ કરવાના હિમાયતી હતા.
દર્શનશુધ્ધિ માટે તીર્થયાત્રા એ મહત્વનું અંગ છે. પૂ. શ્રી એ મહારાષ્ટ્ર, રાજસ્થાન, સૌરાષ્ટ્ર, ગુજરાત, કચ્છ વગેરે પ્રદેશોમાં વિહાર કરી જિનમંદિરો જાહારી, અનહદ-અવિહડ પ્રભુ કરતાં. વિ. સં. ૨૦૩૮ થી શ્રી સુથરી સંઘની આગ્રહભરી વિનંતીથી શારિરિક તકલીફોને કારણે સ્થિરવાસ રહ્યા હતા. સતત ૧૩ વરસ સુધી ધૃતકલોલ દાદાની છત્રછાયામાં રહ્યા. તે દરમ્યાન શ્રી સુથરી સંધે પૂ. શ્રી ની અજોડ ભક્તિ વૈયાવચ્ચ કરેલ. શ્રી સુથરી જૈન સંઘનું પૂ. શ્રી માટે અતિ માન હતું. છેલ્લા બે વર્ષથી લકવાની બીમારીના કારણે દેહથી પરવશ બન્યા હતા. છતાં મનથી સ્વસ્થ હતાં, આભાથી જાગૃત હતાં. શ્રી સુથરી જૈન સંઘે તનમનથી વિભવના કરી પણ તૂટી
Page #23
--------------------------------------------------------------------------
________________
(
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તેની બૂટી નહીં. સુવિશુદ્ધ સંયમ જીવન પાલનના અંતિમ સમય સુધી આગ્રહી હતા. પ્રભુ આજ્ઞા - ગુરૂ આજ્ઞા એ જ એમના જીવનનો અમુલ્ય મંત્ર હતો. અંતિમ સમયે તેમની આ ગુણ સંપત્તિએ તેમને સુંદર સમાધિમય મૃત્યુ અપાવ્યું. મહાન ઉપકારી ગુરૂદેવના ચરણશરણને પામી એમની ૫૦ જેટલી શિષ્યા-પ્રશિષ્યાઓ ધન્યાતિ ધન્ય બની છે.
પૂ. શ્રી ની નાદુરસ્ત તબિયત માટે પ. પૂ. અચલગચ્છાધિપતિશ્રી ગુણોદયસાગર સુરીશ્વરજી મ. સા. ત્થા પ. પૂ. યુવાચાર્ય કલાપ્રભસાગરસૂરીશ્વરજી મ. સા. સતત ચિંતિત રહેતા હતા અને અશાતા વેદનીયમાં શાતા જાળવવાનો સંદેશો પાઠવતા હતા.
બીજા પાસેથી કાર્ય કરાવવાની અપેક્ષા નહીંવત હતી જ્યારે બીજા પાસેથી સેવા લેવી પડી ત્યારે કહેતા કે કર્મ બાંધશો નહીં નહીંતર આવા પ્રકારના દર્દમાં સમાધિ નહીં રહેશે તો કર્મ બંધ ખડકાઈ જશે. પ. પૂ. વાત્સલ્યવારિધિ ઉપકારી ગુરૂણીજી નરેન્દ્રશ્રીજી મ. સા. ૭૬ વર્ષના જીવનમાં ૫૬ વર્ષનો નિર્મળ સંયમ પર્યાય પાળીને સં. ૨૦૫૧ ભાદરવા વદ ત્રીજ, સોમવાર તા. ૧૧.૯.૧૯૯૫ ના નમસ્કાર મહામંત્રનું સ્મરણ અને શ્રવણ કરતાં શ્રી સંઘની હાજરીમાં અપ્રતિમ આત્મજાગૃતિ ત્થા અપૂર્વ સમાધિપૂર્વક ૩.૩૦ કલાકે બપોરનાં અણિશુદ્ધ સંયમ આરાધકનો આત્મા આ વિનશ્વર પાર્થિવ દેહનો ત્યાગ કરી નજીકના જ ભવોમાં શાશ્વત સુખનો સ્વામી બનવા પરલોકના પંથે પ્રયાણ કરી ગયો. ઘેઘુર વટવૃક્ષ ઢળી પડ્યો. જલમાં તેલની જેમ આ સમાચાર વાયુવેગે પ્રસરાઈ ગયાં.
પૂ. ગુ. ના જાણે મંત્રીરૂપે પટ્ટધર શિ. પૂ. વિધુતપ્રભાશ્રીજી મ. સા. ૪૪૭ વર્ષથી ગુરૂનિશ્રામાં રહી ગુરૂકૃપા પ્રાપ્ત કરી શાસન પ્રભાવિકા બન્યા ને કેટલાંય શાસનના કામો કરાવ્યા છે. પ્રભાવશાળી મુખારવિંદ, બોલવાની ચાલાકી એવી કે માણસ પલળ્યા વિના ન રહે. જેના યોગે પૂ. ગુરૂદેવની મૌન સંમતિ લઈ અનેકવિધ ઉપકારો સુથરી, તેરા, ગઢશીશા, કાંડાગરા વગેરે અન્ય સંઘો ઉપર કર્યા છે. ઉપરાંત (સંસારી પક્ષે બહેન) શિષ્યા પૂ. સા. ચારૂલતાશ્રીજી મ. સા., પૂ. સા. અરૂણપ્રભાશ્રીજી મ. સા., પૂ. સા. મહોદયાશ્રીજી મ. સા. ત્થા પૂ. સા.
Page #24
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
નિર્મલપ્રભાશ્રીજી મ. સા. એમ પાંચ શિષ્યા. બે વર્ષથી સતત સેવામાં હાજર રહેનાર પ્ર. શિ. પૂ. સા. વિનયપ્રભાશ્રીજી મ. સા. અને પૂ. શ્રી નાના (ગુરૂબેન) પૂ. સા. દિવ્યપ્રભાશ્રીજી મ. સા. આદિ શિષ્યા-પ્રશિષ્યા ૫૦ ઠાણાનાં પરિવારને છત્ર વિહોણું બનાવી આપણી સહુની વચ્ચેથી વિદાય થયા. બીજે દિવસે તા. ૧૨.૯.૧૯૯૫ નો મંગળવારના સમગ્ર કચ્છ-મુંબઈ વિ. સ્થળેથી સંઘો, ભક્તજનો. જૈનેતરોની પણ હાજરીમાં સાંજે ૫.૦૦ કલાકે પૂ. શ્રી ની પાલખી જય જય વંદા - જય જય ભદ્રાના ગગનભેદી નાદો સાથે બેન્ડવાજાની ગમગીન સુરાવલી સાથે અંતીમયાત્રાનો પ્રારંભ થયેલ જે સુથરી વિસ્તારના મુખ્ય માર્ગોએ ફરી અંતિમ વિશ્રામ સ્થાને પહોંચ્યા હતા. ૭.૦૦ વાગે શ્રી સુથરી સંઘે ઉદારતા બતાવી અગ્નિ સંસ્કાર કરવાનો લાભ પૂ. શ્રી ના સંસારી કુટુંબીજનોને ચડાવો લીધા વગર જ આપવામાં આવ્યો. છતાં પણ જીવદયા અને અન્ય ચડાવા લગભગ રૂા. ૨ લાખેક જેટલાં થયેલા.
જખો, કોઠારા, સાંધાણ, ડુમરા આદિથી પૂ. સાધ્વીજી ભગવંતો અંતિમયાત્રા સમયે ઉપસ્થિત થયા હતા. પણ હવે વાત્સલ્યના વારિ કોણ થશે? જીવનદિપમાં શ્રદ્ધાનું દિવેલ કોણ થાશે? સંયમ નાવને હલેસા કોણ મારશે? ચારિત્ર ચુંદડીને ચમકતી કોણ રાખશે?
જન્મથી માતાને ધન્ય બનાવ્યા. દિક્ષા સ્વીકારી ગુરૂને ધન્ય બનાવ્યા દિક્ષાના પાલનથી શાસનને ધન્ય બનાવ્યું. વિયતિનો માર્ગ આપીને શિષ્યાઓને ઘન્ય બનાવ્યા. સાધનામય જીવન જીવીને આત્માને ઘન્ય બનાવ્યો. ઓ ગુરૂદેવ, મૃત્યને મહોત્સવ બનાવનાર મહાન આત્મા, આપના ચરણોમાં કુસુમાંજલિ સમર્પિત કરીએ છીએ.
લી. શિષ્યા - પ્રશિષ્યાવૃંદની અનંતા અનંત વંદનાવલી
દ. : શ્રી સુથરી જૈન સંઘ
Page #25
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શ્રી કાયાપુર પાટણથી મોક્ષનગરમાં
સિદ્ધ પરમાત્માને પોતાની સ્થિતિ જણાવતો ચેતનજીએ “લખેલો પત્ર”
સ્વસ્તિશ્રી સિદ્ધશિલા મોક્ષનગરે મહાશુભ સ્થાને પરમપૂજ્ય અર્ચના યોગ્ય સર્વ શુભોપમા બિરાજમાન મહારાજાધિરાજ પતિતપાવન, ભક્તવત્સલ ત્રિહુલોકના પ્રતિપાલ, અનાથના નાથ, તરણતારણ, એવંવિધ અનેક ઉપમાએ બિરાજમાન પૂજ્ય શ્રી જ્યોતિસ્વરૂપની ચિરંજીવી ઘણી હજો.
એતાનશ્રી ચેતનાપુરથી અહીં તમારે પસાય કરી સુખશાતા વર્તે છે બીજું લખવાનું કારણ એ છે જે રાજશ્રીના હુકમે આ કાયાનગરમાં રાજ્ય કરવા આવ્યા હતા. પરંતુ કુસંગે કરીને રાજ્યની જમાવટ થઈ નથી. તેમાં કચેરીની વિગત ૧ કામોજી મહાસુભટ, ૨ ક્રોધોજી કામદાર, ૩ લોભોજી બક્ષી, ૪ મોહોજી જમાદાર, ૫ અહંકારજી વજીર. એ પાંચ જણ બળ કરી ગયા છે. તેથી અમારૂં કાંઈ જોર ચાલતું નથી.
આટલા દિવસ સુધી તો ચેતનનગર અનુપમ શોભાએ કરી વધતું હતું, ઉઠ ક્રોડ ઘર સુખી હતાં તેના ઉપરે રાજશ્રીના હુકમે જરાસિંધુનો ચોપદાર આવ્યો છે. તેણે આખા શહેરની સઘળી શોભાનો બગાડ કર્યો છે, સર્વલોકને પલટાવ્યા છે. સર્વેના પરિણામ ફરી ગયા છે. પ્રથમ તો નગરની શોભા વર્ણવી ન શકાય એવી હતી. ઘણી શોભાએ કરી નગર બિરાજમાન હતું. વળી શહેરની વિગત કાયાપુર-પાટણ તેમાં નવસરી બજાર, બોંતેર કોઠા, દશ દરવાજા, નવ વાડ, રૂપણી નવ ખાઈ છે.
દરવાજે બે ચોપદાર છે. નગરમાં ફરતાં બાર પરા છે. એવી અદ્ભુત શોભાએ નગર રળીયામણું હતું તેમાં જરાસંઘે આવીને ઘણો બીગાડ કર્યો છે. નગરની શોભા હીન કરી છે. પરાં સર્વે ઉજ્જડ કર્યાં છે, તે પરાની વિગત
૧ પ્રથમ મસ્તકપુરી ધ્રુજે છે.
૨ લોચનપુરીના લોકો નિસ્તેજ થયાં છે.
૩ કરણપુરી ઉજ્જડ પડી છે, તેના કામદાર વિચ્છેદ ગયા છે.
Page #26
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ નાસિકાપુરીમાં વાસ વસતી નથી, તેનો પટેલ ખુટલ છે. ૫ મુખપુરીમાં ધાટી ચાર જણે મળીને રોકી છે. ૬ મુખપુરીમાં શાહુકારોની બત્રીસ પેઢી હતી, તે બત્રીસે જરાસંઘની
હાકલથી ખસી ગઈ છે. ૭ કાયાપુરી પાટણનો નગરશેઠ રસનાદાસ, તેનું જોર કાંઈ ચાલતું
નથી. લોક આજ્ઞા માનતા નથી. ૮ પેટલાદપુરીમાં માલ ખપતો નથી. ૯ ગુહ્ય બંદરનો શિરદાર નિસ્તેજ થઈ બેઠો છે. ૧૦ ચરણપુરી થરથરે છે. ૧૧ ભુજાનું બળ ઘટી ગયું છે. ૧૨ હૃદયપુરીનો દરવાજો સુનો પડ્યો છે. તે તેના કામે છે નહીં.
એણીપરે શહેર અને પરાં ઉજ્જડ કીધા છે; તેવા નગર મધ્યે રહેવાતું નથી. જે હુકમે રાજશ્રીએ મોકલ્યા હતાં તે કામ અમારાથી થયું નથી. અમારામાં ઘણી ભૂલો પડી છે. જે દિવસે નગરમાં અમારૂં ચાલતું હતું, તે દિવસે ચેત્યા નહીં.
હવે તો સઘળો ઘાટ ફરી ગયો છે, એથી આ નગરમાં રહેવાતું નથી. માટે રાજશ્રીજી ! જો હુકમ કરો તો આવીને ચરણે પડું, તેમાં તમારી શોભા વધશે. મને આપના વિના બીજા કોઈનો આધાર નથી. જેને જેના આધારનો ભરોસો રાખ્યો હતો તે સર્વે વિફરી બેઠાં છે. મારૂં કોઈ નથી. હું મૂઢ પહેલાં ન સમજ્યો, હવે અનાથ છું, રાંક છું, રઝળું છું, રડવડું છું, દયા લાવીને મારો ઉદ્ધાર કરજો, મારી સ્થિતિ જાણવા માટે જ આ પત્ર લખ્યો છે.
લિ. જીવાજી મનાજીના કોટિ કોટિ વંદન પ્રતિદિન હો.
-
-
-
-
-
-
-
- -
Page #27
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અનુક્રમણિકા
( વિભાગ ૧ લો) વિષય નમસ્કાર મહામંત્ર, પંચિંદિયસૂત્ર વીતરાગદેવની સ્તુતિ, પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ દેવ-દર્શન વિધિ, ગુરુવંદન વિધિ શ્રી જિનેશ્વરદેવ સન્મુખ બોલવાની સ્તુતિઓ
( વિભાગ ૨ જો) ચૈત્યવંદનો (૫૫) સ્તુતિઓ (થોય) (૫૦)
( વિભાગ ૩ જો )
(સ્તવન વિભાગ) શ્રી શત્રુંજય તીર્થ તથા આદીશ્વર દાદાના સ્તવનો શ્રી અજિતનાથપ્રભુના સ્તવનો શ્રી સંભવનાથ પ્રભુના સ્તવનો શ્રી અભિનંદન સ્વામીના સ્તવનો શ્રી સુમતિનાથ પ્રભુના સ્તવનો શ્રી પદ્મપ્રભુસ્વામીના સ્તવનો શ્રી સુપાર્શ્વનાથ પ્રભુના સ્તવનો શ્રી ચંદ્રપ્રભુસ્વામીના સ્તવનો શ્રી સુવિધિનાથ પ્રભુના સ્તવનો શ્રી શીતલનાથ પ્રભુના સ્તવનો શ્રી શ્રેયાંસનાથ પ્રભુના સ્તવનો શ્રી વાસુપૂજ્ય સ્વામીના સ્તવનો શ્રી વિમલનાથ પ્રભુના સ્તવનો શ્રી અનંતનાથ પ્રભુના સ્તવનો
-
૧૩૧
૧૩૩
૧૩૮ ૧૪૨ ૧૪૬ ૧૫૦ ૧૫૨ ૧૫૫ ૧૬૦ ૧ ૬૫ ૧૬૮ ૧૭૧ ૧૭૩
Page #28
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પૃષ્ઠ
૧૭૫ ૧૭૯ ૧૮૮ ૧૮૯
૧૯૨
૧૯૫
૧૯૮ ૨૦૧ ૨૧૪ ૨૪૧ ૨ ૬૪
૨ ૬૮ ૨૭૫
વિષય શ્રી ધર્મનાથ પ્રભુના સ્તવનો શ્રી શાંતિનાથ પ્રભુના સ્તવનો શ્રી કુંથુનાથ પ્રભુના સ્તવનો શ્રી અરનાથ પ્રભુના સ્તવનો શ્રી મલ્લિનાથ પ્રભુના સ્તવનો શ્રી મુનિસુવ્રતસ્વામીના સ્તવનો શ્રી નમિનાથ પ્રભુના સ્તવનો શ્રી નેમિનાથ પ્રભુના સ્તવનો શ્રી પાર્શ્વનાથ પ્રભુના સ્તવનો શ્રી મહાવીરસ્વામીપ્રભુના સ્તવનો શ્રી ગૌતમસ્વામીના વિલાપના સ્તવનો શ્રી સામાન્ય જિન સ્તવનો શ્રી સીમંધરસ્વામીના જિન સ્તવનો શ્રી સિદ્ધચક્રજીના સ્તવનો શ્રી રાણકપુર સ્તવન શ્રી કેશરીયાજી સ્તવન શ્રી સમેતશિખરજી સ્તવનો શ્રી અષ્ટાપદજી સ્તવનો શ્રી આબુજી તીર્થ સ્તવનો શ્રી શિખરજીનું સ્તવન શ્રી જ્ઞાનપદનું સ્તવન શ્રી જ્ઞાન પંચમીનું સ્તવન શ્રી પંચતીર્થીનું સ્તવન શ્રી પર્યુષણ પર્વનું સ્તવન શ્રીમદ્દ યશોવિજયજી કૃત ચોવીશી શ્રીમદ્ આનંદઘનજી કૃત ચોવીશી શ્રીમદ્દ દેવચંદજી કૃત ચોવીશી શ્રીમદ્ ગુણસાગરસૂરિ કૃત ચોવીશી
૨૮૯ ૨૯૪
૨૯૫ ૨૯૬ ૨૯૮ ૩૦૫ ૩૦૭
૩૦૮
૩૦૯ ૩૦૯
૩૧૦
૩૧૧
૩૨૨
૩૩૮
Page #29
--------------------------------------------------------------------------
________________
વિષય
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વિભાગ ૪ થો
શ્રી પૂર્વાચાર્યો કૃત સજ્ઝાય સંગ્રહ
શ્રી ગર્વની સજ્ઝાય
શ્રી શ્રાવક કરણીની સજ્ઝાય
શ્રી કર્મ પચ્ચીશીની સજ્ઝાય શ્રી જીવા પાંત્રીશી શ્રી ક્ષમા છત્રીશી
વિભાગ ૫ મો
શ્રી પુન્ય પ્રકાશનું સ્તવન શ્રી પદ્માવતી આરાધના શ્રી લઘુ આલોયણા શ્રી ચાર શરણ શ્રી ગૌતમસ્વામીનો રાસ
શ્રી નવકાર મંત્રનો છંદ
શ્રી સોળ સતીનો છંદ
શ્રી જ્વર (તાવ)નો છંદ શ્રી ત્રેસઠશલાકાપુરુષનો છંદ શ્રી મહાવીરસ્વામીનું પારણું શ્રી મહાવીરસ્વામીનું હાલરડું શ્રી પાર્શ્વનાથના વિવાહ માંહેલી ઢાળ
શ્રી ભક્તામર સ્તોત્ર
શ્રી લઘુશાંતિ શ્રી બૃહદ્ શાંતિ
શ્રી ગૌતમસ્વામીનું સંસ્કૃત સ્તોત્ર શ્રી શત્રુંજય લઘુકલ્પ
પૃષ્ઠ
૩૭૧
૪૩૬
૪૩૮
૪૪૦
૪૪૨
૪૪૫
૪૪૮
૪૫
૪૫૯
૪૬૧
૪૬૨
૪૬૯
- ૪૭૧
૪૭૩
૪૭૪
૪૭૬
૪૭૭
૪૮૦
૪૮૨
૪૮૭
४८८
૪૯૧
૪૯૨
Page #30
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પૃષ્ઠ
૪૯૪ ४८४
૪૯૫ ૪૯૬ ૪૯૬ ૫૦૫ ૫૦૬ ૫૦૮
૫૦૮
વિષય શ્રી મોક્ષ પ્રાપ્તિ માટેનું સ્તોત્ર શ્રી માંગલિક શ્લોક શ્રી મંગલાષ્ટકમ્ શ્રી શિયળનો મહિમા શ્રી શત્રુંજય મહાતીર્થના દુહા શ્રી સિદ્ધગિરિજીના ૧૦૮ ખમાસમણાના દુહા શ્રી નવપદજીના દુહા શ્રી વીસ સ્થાનક તપના દુહા શ્રી નવકારવાલીના બે પ્રકારના પદો શ્રી વિવિધ તપના દુહા શ્રી પૂજા ભાવનામાં બોલવાના સ્તવનો દુહા શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન શ્રી સામાન્ય જિન સ્તવન શ્રી સંભવ જિન સ્તવન શ્રી પદ્મપ્રભુનું સ્તવન શ્રી અનંતનાથ પ્રભુનું સ્તવન શ્રી સુમતિનાથ પ્રભુનું સ્તવન શ્રી વિમલનાથ પ્રભુનું સ્તવન શ્રી અઝાહરા પાર્શ્વનાથ સ્તવન શ્રી સિદ્ધશિલાની સઝાય (સ્તવન) શ્રી જિન સ્તવનો
૫૧૦
૫૨૬ ૫૨૭ ૫૨૭. ૫૨૮ ૫૨૯ ૫૨૯ પ૩૦ પ૩૦ ૫૩૧ ૫૩૩
( વિભાગ દ ક )
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
પપદ
Page #31
--------------------------------------------------------------------------
________________
| શનિ
ચલ
કાળ
ચલ.
દિવસનાં ચોઘડી રવિ | સોમ | મંગળ બુધ | ગુરૂ ઉદવેગ અમૃત રોગ લાભ કાળ
ઉદવેગ અમૃત રાગ લાભ
કાળ અમૃત
લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત
લાભ શુભ
કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ |
કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ
શુભ
લાભ અમૃત
ચલ
ઉદવેગ
-
ઉદવેગ
-
રોગ
શુભ
A
ચલ
ચલ લાભ અમૃત કાળ
ઉદવેગ
ચલ
રવિ | સોમ
રવિ
શનિ
શનિ |
કાળ
રાત્રિનાં ચોઘડી મંગળ મંગળ બુધ | ગુરૂ | કાળ
ઉદવેગ અમૃત લાભ શુભ ચલ ઉદવેગ અમૃત રોગ શુભ
કાળ અમૃત રોગ લાભ ચલ કાળ ઉદવેગ રોગ લાભ શુભ કાળ ઉદવેગ અમૃત
શુભ ચલ અમૃત રોગ ચલ રોગ લાભ કાળ ઉદવેગ લાભ શુભ ઉદવેગ અમૃત શુભ | ચલ
શુક | રોગ કાળ લાભ ઉદવેગ શુભ અમૃત ચલ રોગ
ચલ
લાભ ઉદવેગ શુભ અમૃત ચલ રોગ કાળ લાભ
Page #32
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
// શ્રી - ધૃતત્ત્તોત - પાર્શ્વનાથાય નમઃ ||
અર્હદ—ગુણવારિધિ–નરેન્દ્ર—નૌકા
卐
વિભાગ ૧ લો
શ્રી નમસ્કાર મહામંત્ર
નમો અરિહંતાણં ૧. નમો સિદ્ધાણં ૨. નમો આયરિયાણં ૩. નમો ઉવજ્ઝાયાણં ૪. નમો લોએસવ્વસાહૂણં ૫. એસો પંચ-નમુક્કારો, સવ્વપાવપ્પણાસણો, મંગલાણંચ સન્વેસિં, પઢમં હોઈમંગલં.
, પંચિંદિય સૂત્ર
પંચિંદિય-સંવરણો, તહ નવવિહ-બંભચેર-ગુત્તિધરો; ચઉવિહ કસાય-મુક્કો, ઈઅ અટ્ટારસગુણેહિં સંજીત્તા ૧ પંચ-મહવ્વય-જીત્તો, પંચવિહાયાર-પાલણ-સમન્થો; પંચસમિઓ તિગુત્તો, છત્તીસગુણેહિં ગુરૂ મજ્જી. ૨
વિતરાગદેવની સ્તુતિ
નેત્રાનંદકરી ભવોદધિતરી, શ્રેયસ્તરોમંજરી, શ્રીમદ્દધર્મમહાનરેન્દ્રનગરી, વ્યાપન્નતાધૂમરી, હર્ષોત્કર્ષ-શુભ-પ્રભાવ-લહરી, રાગદ્રિષાં જિત્વરી, મૂર્તિ શ્રી જિનપુંગવસ્ય ભવતુ, શ્રેયસ્કરી હિનામ. ૧
૧
Page #33
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પાર્શ્વનાથપ્રભુની સ્તુતિ
પાતાલં કલયન્ ધરાં ધવલયજ્ઞાકાશમાપૂરયત્, દિક્ચક્ર ક્રમયન્ સુરાસુરનર-શ્રેણી ચ વિસ્માપયન્; ૧ બ્રહ્માંડ સુખયન્ જલાનિ જલધેઃ ફેનચ્છલાલ્લોલયન્, શ્રી ચિંતામણિપાર્શ્વ – સંભવ – યશો – હંસશ્ચિરરાજતે. ૨
શ્રીમદ્-ગુર્જરદેશભ્રૂણમણિ સર્વજ્ઞતાધારક, મિથ્યાજ્ઞાનતમઃપલાયનવિધો, વિદ્યુત્પ્રભં તા:િ ', પાર્શ્વસ્થાયુક્પાર્શ્વયક્ષપતિના, સંસેવ્ય-પાર્શ્વયં, શ્રી-શંખેશ્વરપાર્શ્વનાથમહમાનન્દેન વન્દે સદા.
દર્શનં દેવદેવસ્ય, દર્શનં પાપનાશનમ્; દર્શનં સ્વર્ગસોપાનં, દર્શનં મોક્ષસાધનમ્.
પ્રશમરસનિમગ્ન, દૃષ્ટિયુગ્મ પ્રસન્ન, વદન-કમલમંકઃ, કામિની-સંગ-શૂન્યઃ, કરયુગમપિ યત્તે, શસ્ત્રસંબંધવન્ધ્ય, તદસ જગતિ દેવો, વીતરાગસ્ત્યમેવ.
સરસ-શાંતિ-સુધારસ-સાગર; શુચિતરું ગુણ-રત્ન-મહાગર; ભવિક-પંકજ-બોધ-દિવાકર, પ્રતિદિનં પ્રણમામિ જિનેશ્વરમ્.
અન્યથા શરણં નાસ્તિ, ત્વમેવ શરણં મમ; તસ્માત્ કારુણ્યભાવેન, રક્ષ રક્ષ જિનેશ્વર ! ધોડહં કૃતપુણ્યોતું, નિસ્તીર્ણોડહં ભવાર્ણવાત્; અનાદિભવકાન્તારે, દૃષ્ટો યેન શ્રુતો મયા.
અઘ મે સફલ જન્મ, અઘ મે સફલાાિ; અઘ મે સફલ ગાત્રે, જિનેન્દ્ર ! તવ દર્શનાત્.
ર
૩
૫
ર
૯
Page #34
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન વિધિ
૧ પરમાત્મા ચૈત્યવંદન 51 ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ચૈત્યવંદન કરું!
અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિ-ર્દિવ્યધ્વનિશ્ચામરમાસન ચ; ભામંડલ દુંદુભિરાતપત્ર, સત્કાતિહાર્યાણિ જિનેશ્વરાણા.... જય જય મહાપ્રભુ, દેવાધિદેવ, સર્વજ્ઞ શ્રી વીતરાગ દેવ; મુહ દીઠું પરમેસર, સુંદરસોમ મહાવ; ભૂરિભવાંતર સંચિઓ, નઠો સો સવિ પાવ. ૧. જે મેં પાપ કયાં બાલપણે, અહવા અન્નાણે, અન ભવંતર સો સો ખંડ જયો પરમેસર. ૨. તુહ મુહ દીઠું સિરિ પાસ જિણેસર, પાસ પસી પસાઓ કરી, વિનતડી અવધાર; સંસારડો બીહામણો, સામી આવાગમન નિવાર. ૩. હત્થડા તે સુલખણા, જે જિનવર પૂજંત; એકે પુણ્ય બાહિરા, સો પર ઘર કામ કરત. ૪. કવણે વાડી વાવી, કવણે ગૂંથ્યાં ફૂલ, કવણે જિનવર ચડાવી, ભાવ સરીસા મૂલ. ૫. વાડી વેલો મહોરિયો, સોવન ફૂંપલિએણ; પાસ જિસેસર પૂજીએ, પંચે અંગુલી એણ. ૬. દો ધોલા દો શામલા દો રત્તોપલવન્ન; મરગયવન્ના દુન્નિ જિણ, સોલસ કંચનવન્ન. ૭. નિય નિયમાન કરાવી, ભરફેસ નયણાનંદ; તે મેં ભાવે વંદિયા, એ ચોવીસે નિણંદ. ૮. કમ્પભૂમિહિ-કમ્પભૂમિહિ, પઢમ-સંઘયણિ, ઉજ્જોય સત્તરિચય જિણવરાણ, વિહરત લક્નઈ, નવકોડિહિ કેવલણ, કોડિસહ
સ્મ નવ સાહુ ગમ્મઈ, સંપઈ જિણવર વીસમુણિ, બિહું કોડિહિં વરનાણ, સમણહ કોડિ સહસ્સ દુઆ, યુણિસુ નિચ્ચ વિટાણિ ૯. જયઉ સામી જયઉ સામી, રિસહ સિરિ સત્તેજિ, ઉર્જિત પહુ નેમિજિણ, જયઉ વીર સચ્ચઉરિમંડણ, ભરુઅચ્છહિં મુણિસુવ્રય, મુહરિપાસ દુહ-દુરિઅ-ખંડણ, અવરવિદેહિ તિર્થીયરા, ચિહું દિસિ વિદિસિ જિંકેવિ; તીઅણાગય સંપઈ, વંદુ વિણ સલૅવિ. ૧૦. સત્તાણવઈ સહસ્સા, લખા છપ્પન્ન અટ્ટકોડિઓ; પંચસયા ચઉત્તીસા, તિએ લોએ ચેઈએ વંદે ૧૧
( ૩
Page #35
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
SF જંકિંચિ સૂત્ર 5 જંકિંચિ નામતિ€, સગે પાયાલિ તિરિય લોએમિ, જાઈ જિણબિંબાઈ, તાઈ સવ્વાઈ વંદામિ.
ક નમોત્થણ (શક્રસ્તવ) સૂત્ર પ્રકા નમોત્થણે અરિહંતાણં ભગવંતાણં ૧. આઈગરાણ તિસ્થયરાણે, સયંસંબુદ્ધાણ. ૨. પુરિસરમાણે, પુરિસસીહાણ, પુરિસવર-પુંડરીઆણં, પુરિસવરગંધહસ્થીર્ણ. ૩. લોગુત્તરમાણે, લોગનાહાણે, લોગહિઆણં, લોગપઈવાણું, લોગપજ્જોઅગરાણે. ૪. અભયદયાણ. ચકખદયાણ, મગદયાણ, સરણદયાણ, બોડિદયાણ. ૫. ધમ્મદયાણું. ધમ્મદેસયાણ, ધમ્મનાયગાણે, ધમ્મસારહણ, ઘમ્મરચારિતચક્કવઠ્ઠીર્ણ. ૬. અખડિયંવરનાણદંસણધરાણ, વિયટ્ટછઉમાણે. જિણાણે જાવયાણ તિન્નાણું તારયાણ; બુદ્ધાણં બોયાણ, મુત્તાણં મોઅગાણું. ૮. સદ્ગુનૂર્ણ સવૅદરિસીણ, સિવમયલ-મરુઅ-મહંત-મકુખયમખ્વાબાહ-મપુણરાવિત્તિ-સિદ્ધિગઈ-નામધેય ઠાણે સંપત્તાણું, નમો, જિણાણે જિઅભયાણ. ૯. જે અ અઈઆ સિદ્ધા, જે અ ભવિસ્તૃતિણાગએ કાલે; સંપઈ અ વટ્ટમાણા, સબ્બે તિવિહેણ વંદામિ. ૧૦.
5 જાવંતિ ચેઈઆઈ સૂત્ર 5 જાવંતિ ચેઈઆઈ, ઉઢે આ અહે આ તિરિએ લોએ આ સવાઈ તાઈ વંદે, ઈહ સંતો તત્થ સંતાઈ.
5 જાવંત કેવિ સાહૂ સૂત્ર | જાવંત કેવિ સાહુ, ભરહેરવયમહાવિદેહે અસન્વેસિ તેસિં પણઓ, તિવિહેણ તિરંડવિયાણ.
અહિં નવકાર કહી સ્તવનોમાંથી જોઈ સ્તવન બોલવું.
Page #36
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદન વિધિ
-
vi ઉપસર્ગહર 5 ઉવસગ્ગહર પાસે પાસે વંદામિ કમ્પઘણમુક્ક, વિસહરવિસનિન્નાસ, મંગલકલ્લાણઆવાસં. ૧. વિસહરફુલિંગમત, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ-રોગમારી, દુરુજરા જંતિ વિસામ. ૨. ચિટ્ટઉ દૂરે મતો, તુઝ પણામોવિ બહુલો હોઈ; નરતિરિએ સુવિ જીવા, પાવંતિ ન દુખ-દોહગ્ગ. ૩. તુહ સમત્તે લદ્ધ, ચિંતામણિ-કપ્પપાયવક્મણિએ; પાવંતિ અવિપૅણ, જીવા અયરામ ઠાણ. ૪. ઈએ સંયુઓ મહાયસ! ભત્તિબ્બરનિર્ભરેણ હિઅએણ; તા દેવ! દિજ્જ બોહિં ભવે ભવે પાસ જિણચંદ ૫.
5 જય વિયરાય (પ્રાર્થના) સૂત્ર 5 જય વિયરાય ! જગગુરુ; હોઉ મમં તુહ પભાવઓ ભયવં ભવનિઘેઓ મગ્ગાણુસારિઆ ઈઠફલસિદ્ધી ૧. લોગવિરુદ્ધચ્ચાઓ, ગુરુજણપૂઆ પરFકરણંચ; સુહગુરુજોગો તāયણસેવણા આભવમખંડ. ૨. વારિજ્જઈ જઈ વિ નિયાણબંધણું વયરાય! તુહ સમએ; તહવિ મમ હુજ્જ સેવા, ભવે ભવે તુમ્હ ચલણાણું ૩. દુખખઓ, કમ્મખઓ સમાધિમરણ ચ બોહિલાભો અ; સંપજ્જઉ મહ એએ, તુહ નાહ ! પણામકરણેણં. ૪. સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે; પ્રધાનસર્વધર્માણાં, જૈન જયતિ શાસનમ. ૫.
# અરિહંતચેઈઆણે (ચેત્યસ્તવ) SH સવ્વલોએ અરિહંતચેઈઆણં, કરેમિ કાઉસ્સગ્ગ. ૧. વંદણવત્તિએ, પૂઅણવરિઆએ, સક્કારવત્તિઆએ. સમ્માણવરિઆએ, બોહિલાભવરિઆએ, નિરુવસગ્ગવરિઆએ ૨. સદ્ધાએ, મેહાએ, ધિઈએ ધારણાએ અણુપેહાએ, વઢમાણીએ હામિ કાઉસ્સગં. ૩.
Page #37
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અન્નત્ય ઊસસિએણં સૂત્ર
અન્નત્ય ઊસિએણં, નીસસિએણં, ખાસિએણં, છીએણં, જંભાઈએણં, ઉડ્ડએણં, વાયનિસગ્ગેણં, ભમલીએ, પિત્તમુચ્છાએ. ૧. સુહુમેહિં અંગસંચાલેહિં સુહુમેહિં ખેલસંચાલેહિં સુહુમેહિં દિટ્ઠિસંચાલેહિં. ૨. એવમાઈએહિં આગારેહિં, અભગો અવિરાહિઓ, હુજ્જુ મે કાઉસગ્ગો. ૩. જાવ અરિહંતાણં, ભગવંતાણં, નમુક્કારેણું ન પારેમિ. ૪. તાવ કાર્ય ઠાણેણં મોણેણં ઝાણેણં, અપ્પાણં, વોસિરામિ. ૫.
જિનેશ્વર સ્તુતિ
કહ્યાણકંદ પઢમં જિણિĒ સંતિતઓ નેમિજિણું મુર્ણિĒ; પાસ પયાસં સુગુણિક્કઠાણું, ભત્તીઈ વંદે સિરિવદ્વમાણં. ૧.
તીર્થ સ્તુતિ
જે અઈયા તિત્શયરા, જે ભવિસંતિ અણાગએ કાલે, જે આવિ વટમાણા, તે સવ્વ ભાવઓ નમિમો. ૧. સુરક્યુંમણુઅકર્યાં વા, ભુવતિગે સાસયં ચ જં તિર્થં; તેં સયલમિહદ્ઘિઓ વિષ્ણુ, મણવયણતગૃહિં પણમામિ. ૨. જત્થ ય જિણાણું જમ્મો, દિક્ષાનાણં ચ નિસિહિઆ આસિ, જાય ચ સમોસરણું, તાઓ ભૂમિઓ વંદામિ. ૩. એવમસાસયસાસય-પડિમા શ્રેણિઆ જિણિંદચંદાણં, મહિંદુ-ભુવણિંદ-ચંદ મુણિવંદ-શુઅ-મહિયા. ૪.
સિરિમં
અથ સુગુરુને સુખશાતા પૃચ્છા
ઈચ્છાકાર, સુહરાઈ, સુહદેવસિ (દિવસના મધ્યાન્હ પછી “સુહદેવસિ” કહેવું.) સુખ તપ શરીર નિરાબાધ સુખસંયમ યાત્રા નિર્વહો છોજી સ્વામી સાતા છેજી, (તે વારે ગુરુ કહે દેવગુરુ પસાયેજી, ત્યારે શિષ્ય કહે-) મત્થએણ વંદામિ
એમ કહિને પછી ઉભા થતાં જ આદેશ માગી અબ્યુટ્ટિયો કહેવો.
Ç
Page #38
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
5 અથ અøદ્ઘિઓ
ઈચ્છાકારેણ સંદિસહ ભાવાન્ ! અદ્ઘિઓમિ અધ્મિત૨રાઈયં ખામેઉં ? ગુરુ કહે-“ખામેહ''
(રાઈ ખમાવવું હોય તો ઈચ્છું ખામેમિ રાઈઅં) જં કિંચિ અપત્તિઅં પરપત્તિઅં ભત્તે પાણે વિણએ વેઆવચ્ચે આલવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતરભાસાએ ઉવરિભાસાએ જં કિંચિ મજ્ઞ વિણયપરિહીણં, સુહુમેં વા બાયર વા તુષ્ણે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧. ઈતિ.
શ્રી જિનેશ્વરદેવ સન્મુખ બોલવાની સ્તુતિઓ શ્રી આદીશ્વર શાંતિ નેમિજિન ને શ્રી પાર્શ્વ વીર પ્રભુ, એ પાંચે જિનરાજ આજ પ્રણમું હેતે કરી હે વિભુ; કલ્યાણે કમલા સદૈવ વિમલા વૃદ્ધિ પમાડો અતિ, એવા ગૌતમસ્વામી લબ્ધિ ભરીયા આપો સદા સન્મતિ.
૧
નાથને,
જાણ્યા જાયે શિશુ સકલના લક્ષણો પારણાથી, શાન્તિ કીધી પણ પ્રભુ તમે માતાના ગર્ભમાંથી; ષટ્યુંડો ને નવનિધિ તથા ચૌદરત્નો ત્યજીને, પામ્યા છો જે પરમપદને આપજો તે અમોને. લોભાવે લલના લલિત શું ત્રિલોકના કંપાવે ગિરિ ભેદી વાયુ લહરી શું સ્વર્ગના શૈલને; શું સ્વાર્થે જિનદેવ એ પશુતણાં પોકાર ના સાંભળે, શ્રીમન્નેમિ જિનેન્દ્ર સેવન થકી શું શું જગે ના મળે. ૩ ધુણીમાં બળતો દયાનિધિ તમે જ્ઞાને કરી સર્પને, જાણી સર્વજનો સમક્ષ ક્ષણમાં, આપી મહામંત્રને; કીધો શ્રી ધરણેદ્રને ભવથકી, તાર્યા ઘણા ભવ્યને, આપો પાર્શ્વજિનેન્દ્ર નાશ રહિત સેવા તમારી મને. ૪
૭
૨
Page #39
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શ્રી સિદ્ધાર્થનરેન્દ્રના કુળનભે ભાનુસમા છો વિભુ, મ્હારા ચિત્તચકોરને જિન તમે છો પૂર્ણ ચન્દ્ર પ્રભુ; પામ્યો છું પશુતા તજી સુરપણું હું આપના ધર્મથી, રક્ષે શ્રી મહાવીરદેવ મુજને, પાપી મહાકર્મથી.
દીક્ષા ગ્રહી પ્રથમ
ભવ્યનું
કઠિન
કઈ
એવા
મેવા
પ્રભુ
પ્રભુ
તીર્થ તમે જ સ્થાપ્યું,
દુઃખ
કાપ્યું;
તમોને,
અમોને. ૬
પ્રણમીયે
શિવતણા
અનન્ત
પ્રણયે
અર્પો
૫
છે પ્રતિમા મનોહારિણી દુઃખ હરી શ્રી વીર જિણંદની, ભક્તોને છે સર્વદા સુખ કરી જાણે ખીલી ચંદની; આ પ્રતિમાના ગુણભાવ ધરીને જે માણસો ગાય છે, પામી સઘળા સુખ તે જગતના મુક્તિ ભણી જાય છે.
૭
દેખી મૂર્તિ પ્રથમ જિનની નેત્ર મારાં ઠરે છે, ને હૈયું આ ફરી ફરી પ્રભુ ધ્યાન તારૂં ધરે છે; આત્મા મારો પ્રભુ તુજ કને આવવા ઉલ્લુસે છે, આપો એવું બળ હૃદયમાં, માહરી આશ એ છે. તરુણાવસ્થામાં, અખુટ કરુણા લાવી જિનજી, પશુઓને તાર્યા, લલિત શિવાદેવી જાયા, અમ સકલ માયા દૂર કરી, અને આપો લક્ષ્મી, અવિચલ તમે જે કર ધરી.
લલનાના સુખ તજી;
८
८
૯
હેતે
જે;
તે
સમાન,
પ્રણામ. ૧૦
ક્રોધે ધમ્યા નયન લાલ કરી ડશે જે, ભર્યા હૃદયથી ચરણે નમે ચડકૌશિક સુરેન્દ્ર વિષે શ્રી વીરના ચરણમાં કરીએ બહુ કાળ આ સંસારસાગરમાં પ્રભુ! હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર તું મળ્યો; પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી. ૧૧
Page #40
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
આવ્યો શરણે તમારા જિનવર કરજો આશ પૂરી અમારી, નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી; ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પર્મ આનંદકારી, પાયો તુમ દર્શ નાશે ભવભવ ભ્રમણા નાથ સર્વે અમારી. ૧૨ હારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મ્હારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતા જડે તે વિભુ; મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મી તણી, આપો સમ્યગૂ રત્ન શ્યામજીવને તો તૃપ્તિ થાયે ઘણી. ૧૩ દાદા તારી મુખમુદ્રાને અમિય નજર નિહાળી રહ્યો, તારા નયનોમાંથી ઝરતું દિવ્ય તેજ હું ઝીલી રહ્યો; ક્ષણભર આ સંસારની માયા, તારી ભક્તિમાં ભૂલી ગયો, તુજ મૂર્તિમાં મસ્ત બનીને આત્મિક આનંદ માણી રહ્યો. ૧૪ અંતરના એક કોડિયામાં દીપ બળે છે ઝાંખો, જીવનના જ્યોતિર્ધર એને નિશદિન જલતો રાખો; ઉંચે ઉંચે ઉડવા કાજે પ્રાણ ચાહે છે પાંખો, તમને ઓળખું નાથ નિરંજન એવી આપો આંખો. ૧૫ બારે પર્ષદા મધ્યમાં પ્રભુ તમે જ્યારે દીધી દેશના, ત્યારે હું નિર્માગી દૂર વસીઓ તે મેં સુણી લેશ ના; પંચમકાળ કરાળમાં પ્રભુ તમે મૂર્તિ રૂપે છો મલ્યા, મારે તો મન આંગણે સુરતરુ સાક્ષાત આજે ફલ્યા. ૧૬ હે નાથ ! આ સંસાર સાગર ડૂબતા એવા મને, મુક્તિપુરીમાં લઈ જવાને જહાજ રૂપે છો તમે; શિવરમણીના શુભ સંગથી અભિરામ એવા હે પ્રભો, મુજ સર્વ સુખનું મુખ્ય કારણ છો તમે નિત્ય વિભ. ૧૭ વીર પ્રભુના ચરણને પ્રણમી વિનયથી ઉચ્ચકું, મળજો ભવોભવ તાહરૂં શાસન ત્રિપુટી નિર્મળું; આરાધના દૂર રહો પણ રાગ શાસનનો મને, ભવ સિધુ પાર ઉતારશે છે એહ નિશ્ચય મુજ મને. ૧૮
Page #41
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા હે નાથ ! નિર્મળ થઈ વસ્યા છો આપ દૂરે મુક્તિમાં, તોએ રહ્યા ગુણ ઓપતા મુજ ચિત્તરૂપી સુક્તિમાં; અતિ દૂર એવો સૂર્ય પણ શું આરસીના સંગથી, પ્રતિબિંબ રૂપે આવીને ઉદ્યોતને કરતો નથી. ૧૯ આત્મા તણા આનંદમાં મશગુલ રહેવાને ઈચ્છતો, સંસારના દુઃખ દર્દથી ઝટ છૂટવાને ઈચ્છતો; આપો અનુપમ આશરો હે દીનબંધુ દેવ છો, શરણે આવ્યો આપના તારો પ્રભુ તારો મને. ૨૦ પ્રભાતે હું વંદુ ઋષભજિન ને શાંતિપ્રભુને, શિવાદેવીજાયા શિવસુખકરા નેમિનિને; વળી વામાનન્દા વિપદ હરતા પાર્થ પ્રભુને, નમું માંગલ્યાર્થે જિનવર મહા-વીર વિભુને. ૨૧ ગયા ગંગા તીરે અવધિ બળથી નાગ બળતો, દીઠો દીધી શિક્ષા ભવિકજનને ક્રોધ કરતો; નિયાણું બાંધી તે મારી કમઠ થઈ કષ્ટ કરતો, કરૂણા વારિઘે! લળી લળી નમું વાર શતસો. ૨૨ હે પ્રભો! આનંદ દાતા જ્ઞાન હમકો દીજીયે, શીધ્ર સારે અવગુણો કો દૂર હમસી કીજીયે; લીજીયે હમકો શરણમેં હમ સદાચારી બને, બ્રહ્મચારી ધર્મરક્ષક વીરવ્રતધારી બનેં. ૨૩ જે દૃષ્ટિ પ્રભુ દર્શન કરે તે દૃષ્ટિને પણ ધન્ય છે, જે જીભ જિનવરને સ્તવે તે જીભને પણ ધન્ય છે; પિયે મુદા વાણી સુધા તે કર્ણ યુગને ધન્ય છે, તુજ નામ મંત્ર વિષદ ધરે, તે હૃદયને નિત ધન્ય છે. ૨૪ હે ત્રણ ભુવનના નાથ મારી, કથની જઈ કોને કહું, કાગળ લખ્યો પહોંચે નહીં, ફરિયાદ જઈ કોને કરું તું મોક્ષની મોજારમાં, હું દુઃખ ભર્યા સંસારમાં, જરા સામું પણ જુવો નહીં તો, ક્યાં જઈ કોને કહું. ૨૫
૧૦
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
જે પ્રભુના અવતારથી અવનિમાં, શાંતિ બધે વ્યાપતી. જે પ્રભુની સુપ્રસન્ન ને અમીભરી, વૃષ્ટિ દુઃખો કાપતી; જે પ્રભુએ ભર યૌવને વ્રત ગ્રહી, ત્યાગી બધી અંગના, જે તારક જિનદેવના ચરણમાં, હોજો સદા વંદના. ૨૬ વીતરાગ આપજ એક, મારા દેવ છો સાચા વિભુ, તારો પ્રરૂપ્યો ધર્મ તેહિજ, ધર્મ છે સાચો પ્રભુ એવું સ્વરૂપ વિચારીને, કિંકર થયો છું આપનો, મારી ઉપેક્ષા નવ કરો ને ક્ષય કરો મુજ પાપનો. ૨૭ તુજમાં રહેલા ગુણ અનંતા, કેમ હું બોલી શકું, જડ બુદ્ધિ છું પણ ભક્તિ રાગે, કંઈક પણ બોલી શકું . જાણી શકો છો આપ મારા, ચિત્ત કેરા ભાવને, ભવ ભવ પસાથે આપના, એ ગુણ તણી ઈચ્છા મને. ૨૮ શ્રી સિદ્ધાચલ નયણે જોતા, હૈયું મારું હર્ષ ધરે, મહિમા મોટો એ ગિરિવરનો, સુણતાં તનડું નૃત્ય કરે; કાંકરે કાંકરે અનંતા સિધ્યા, પાવન એ ગિરિ દુઃખડા હરે, એ તીરથનું શરણું હોજો, ભવ ભવ બંધન દૂર કરે. ૨૯ દુષમકાળે એ મહા તીરથ, ભવ્ય જીવોનો આધાર પરે, જુગ જુગ જુના સંચિત પાપો તે પણ જાવે દૂર રે; શિવમંદિરની ચડવા નિસરણી, અનંત દુઃખની રાશી ચૂરે, નિત્ય પ્રભાતે નમીયે ભાવે, અનંત સુખની આશ પૂરે. ૩૦ સુંદર ટુંક સોહામણી દીપે, નિરખતા પાતિકડા ટળે, આદિ પ્રભુનું અનુપમ દર્શન, કરતાં હૈયું અતી ઉછળે; ત્રણ ભુવનમાં ઘણું ઘણું જોતાં, ક્યાંયે ન એવી જોડ મળે, પૂજ્ય ભાવથી જો જિન પૂજે તો શિવસુખની આશ ફળે. ૩૧ કરૂણા સિંધુ ત્રિભુવન નાયક, તું મુજ ચિત્તમાં નિત્ય રમે, ચાકરી ચાહું અહોનિશ તાહરી, ભવથી મન મારૂં વિરમે; શ્રી સિદ્ધાચલ મંડણ સાહિબ, તુજ ચરણે સુરનર પ્રણમે, સમ્યમ્ દર્શન હર્ષને આપો, વિશ્વના તારણહાર તમે. ૩૨
-
Page #43
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનંત સુખની શીતલ છાંયડી, મૂકી ભમ્યો હું ભવ વને, અનંત દુઃખની વાટ મેં લીધી, શું કહું પ્રભુજી તમને; કરૂણાસાગર હે વિતરાગી, માગું એક જ તારી કને, ભવોભવ તાહરું શરણું હોજો, ભવસાગરથી તાર મને. ૩૩ અજબ તાહરી મૂર્તિ નિહાળી, અમૃત રસના ઝરણા વહે, ચાંદશી સોહે સૂરત તાહરી, અનાદિ કર્મોનો બંધ હરે; તેજ ભરેલા નયનો તારા, જુગ જુગ જુના ભાવ કહે, એ જિનવરના દર્શન કરવા, દિલડું મારું ગહગહે. ૩૪ જેમ સૂર્ય વિણ ના કમળ ખીલે, તેમ તુજ વિણ માહરી, હોવે કદીના મુક્તિ ભવથી, માહરી એ છે ખાતરી; જે મોર નાચે મેઘને જોઈ, તેમ હું જોઈ આપને, નાચી રહો હરખાઈ હું, મનમાં ઘરી શુભ ભાવને. ૩૫ સંસાર ઘોર અપાર છે, તેમાં ડૂબેલા ભવ્યને, હે તારનારા નાથ શું ભૂલી ગયા, નિજ ભક્તને; માહરે શરણે છે તારું, નવી ચાહતો હું અન્યને, તો પણ પ્રભુ મને તારવામાં ઢીલ કરો શા કારણે. ૩૬ મુજ નેત્રરૂપ ચકોરને, તું ચન્દ્ર રૂપે સાંપડ્યો, તેથી જિનેશ્વર આજ હું, આનંદ ઉદધિમાં પડ્યો; જેમ ભાગ્યશાળી હાથમાં, ચિંતામણી આવી ચડે, કઈ વસ્તુ એવી વિશ્વમાં, જે તેને ના સાંપડે. ૩૭ જે ભવ્ય જીવો આપને, ભાવે નમે સ્તોત્રે સ્તવે, ને પુષ્પની માળા લઈને, પ્રેમથી કંઠે હવે, તે ધન્ય છે કૃતપુણ્ય છે, ચિંતામણિ તેણે કરે, વાવ્યો પ્રભુ નિજ આંગણે, સુરવૃક્ષને એણે ગૃહે. ૩૮ જન્મ અમારો સફળ થયો છે, જિનવર તુજ મૂર્તિ દેખી, થઈ જીંદગી સફળ અમારી, વાણી તુજ લાગે મીઠી; સ્વાન્ત અમારું સફળ અમારી, વાણી તુજ લાગે મીઠી, દર્શન, જ્ઞાન ને ચરણ મળ્યાથી, ભવભ્રમણોની ભય ભાગી ૩૯
૧
૨
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ સુણ્યા હશે પૂજ્યા હશે નિરખ્યા હશે પણ કો ક્ષણે, હે જગતબન્ધ ચિત્તમાં ધાર્યા નહીં ભક્તિ પણે; જન્મ્યો પ્રભુ તે કારણે દુઃખપાત્ર હું સંસારમાં, હા ભક્તિ તે ફળતી નથી જે ભાવ શુન્યાચારમાં. ૪૦ શું કર્મ કેરો દોષ આ, અથવા શું મારો દોષ છે, શું ભવ્યતા નથી માહરી, કાળનો શું દોષ છે; અથવા શું મારી ભક્તિનિશ્ચલ આત્મામાં પ્રગટી નથી, જેથી પરમપદ માંગતાં પણ દાસને દેતાં નથી. ૪૧ વિમલ ગિરિવરદર્શન કરતાં, આજ હરખ અતિ ઉર ઉભરાય, ધન્ય દિવસ ઘડી ધન્ય જીવન મુજ નિરખી નયના પાવન થાય; પૂર્વ નવ્વાણું વાર પધાર્યા, પ્રથમ નિણંદ એ તીરથ રાય, ત્રણ ભુવનમાં અનુપમ તીરથ, નમીયે તેહને શીષ નમાય. ૪૨ ભક્તિ તારી ભૂલી જઈ અરર, હું હારી ગયો જિંદગી, વાણી આગમની સુણી નહીં કદા, જે છે સુધા વાનગી; યાત્રાઓ તીર્થે જઈ પગવડે કીધી નહીં આ ભવે, તપથી દેહ દમ્યો નહીં પરભવે મારૂં થશે શું હવે. ૪૩ આજ તારા બિંબને જોતાં નયન સફળ થયાં. પાપો બધા દૂર ગયા ને ભાવ નિર્મળ નીપજ્યાં; સંસાર રૂપ સમુદ્ર ભાસે ચુલ્લક સરખો નિશ્ચયે, આનંદ રંગ તરંગ ઉછળે પદ કમલને આશ્રયે. ૪૪ અરિહંત હે ભગવંત! તુજ પદ પવા સેવા મુજ હજો, ભવભવ વિષે અનિમેષ નયને આપનું દર્શન થજો; હે દયાસિન્ધ! દીનબન્ધ! દિવ્યદ્રષ્ટિ આપજો, કરી આપ સમ સેવક તણાં સંસાર બંધન કાપજો. ૪૫ પુરાયો હંસ પિંજરમાં, ઉડીને ક્યાં હવે જાશે, ભલેસારો અગર બુરો, નિભાવ્યો તેમ નિભવજે; કરૂં પોકાર હું તારા જપું છું રાતદિન પ્યારા, વિનંતી ધ્યાનમાં લઈને દુઃખી આ બાળ રીઝવજે. ૪૬
૧૩
Page #45
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આવી ઉભો છું દ્વારે, પ્રભુ દર્શન દેશો ક્યારે, અંતરની અભિલાષા, પ્રભુ પૂરી કરશો ક્યારે; સળગી રહ્યો છું આજે, સંસાર કેરા તાપે, શીતળ તમારી છાયા, પ્રભુ મુજને ધરશો ક્યારે; ભક્તિ કરી ન ભાવે, શક્તિ વૃથા ગુમાવી, ફાવી ન કોઈ યુક્તિ, પ્રભુ હિંમત ધરશો ક્યારે; દ્રષ્ટિ ન દૂર પહોંચે, સૃષ્ટિ આ શૂન્ય ભાસે, અંધારઘેર્યા ઉરને, પ્રભુ ઉજ્વળ કરશો ક્યારે; ભવો ભવ ભમી ભમીને, આવ્યો તુમારે શરણે, સુના સુના જીવનમાં, પ્રભુ આવી મળશો ક્યારે. ૪૭ સહુ પ્રાણી આ સંસારના, સન્મિત્ર મુજ હાલા થજો, સદગુણમાં આનંદ માનું, મિત્ર કે વેરી હજો; દુ:ખિયા પ્રત્યે કરૂણા અને, દુશમન પ્રતિ માધ્યસ્થતા, શુભ ભાવના પ્રભુ ચાર, આ આવો સદા મુજ હૃદયમાં. ૪૮ સુખદુખમાં અરિ મિત્રમાં, સંયોગ કે વિયોગમાં, રખડું વને વા રાજભવને, રાચતો સુખભોગમાં; મમ સર્વ કાળે સર્વ જીવમાં, આત્મવત્ બુદ્ધિ બધી, તું આપજે મમ મોહ કાપી, આ દશા કરૂણાનિધિ. ૪૯ હે દેવ તારા દિલમાં, વાત્સલ્યના ઝરણાં ભર્યા, હે નાથ તારા નયનમાં, કરૂણાતણા અમૃત ભર્યા; વિતરાગ તારી મીઠી મીઠી, વાણીમાં જાદુ ભર્યા, તેથી જ તારા શરણમાં બાલક બની આવી ચડ્યા. ૫૦ વર્ષ માસ ને પક્ષ અમારા સફળ થયા જિનજી ભાળી, થઈ જિંદગી સફળ અમારી પ્રભુ અંગે લોચન ઢાળી; દિવસ ઘડી ને સમય આજના સુરતરૂ સુરમણિ અધિકેરા, બોધિબીજશું હોઈ સગાઈ મીટી ગયા ભવના ફેરા. ૫૧ શક્તિ મળે તો મુજને મળજો જિનશાસન સેવા સારું, ભક્તિ મળે તો મુજને મળજો જિનશાસન લાગે પ્યારું;
૧
૪
Page #46
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતિઓ
મુક્તિ મળે તો મુજને મળજો રાગ દ્વેષ અજ્ઞાન થકી, જિન શાસન મુજ મળો ભવોભવ એવી શ્રદ્ધા થાય નક્કી. ૫૨
અનંત જ્ઞાની અંતર્યામી, જય હો ત્રિભુવન સ્વામી, અનંત કરૂણાના હૈ સાગર, કરૂણાનો હું કામી; અનંત શક્તિના હૈ માલિક, ભવની ભ્રમણા ટાળો,
મુજ મનડામાં પ્રસન્નતાની પ્રેમલ જ્યોત ઉજાળો. ૫૩
.
આપે, કાપે. ૫૪
જેની આંખો પ્રણય ઝરતી, સૌખ્ય આનંદ આપે, જેની વાણી અમૃત ઝરતી, દર્દ સંતાપ કાપે; જેની કાયા પ્રશમ ઝરતી, શાન્તિનો બોધ એવું મીઠું સ્મરણ વીરનું, પંથનો થાક લોચન મારા સફળ થયા, જો જિનવર તુજ દર્શન દીધું, શ્રવણ શક્તિઓ સફળ થઈ, જો વચનામૃત જિનવર પીધું; રસના મારી થઈ ગઈ પાવન, જેણે જિનવર ગુણ ગાયા, હૃદય કૃતારથ થયું અમારું જિનવર ચરણે લય લાયા. પપ વીતરાગ યાચના તુજ પાસે, ભવોભવ તુજ શાસન મળજો, સાદી અનંત ભાગે આતમથી, રાગદ્વેષ અળગા ટળો; કાળ અનંતો દુઃખ દેનારા, કર્મો આઠ મારા બળજો, સમ્યગ્દર્શન જ્ઞાન ચરણના, યૂથ મને આવી મળજો. ૫૬ પાપો મેં બહુ આચર્યા, નરભવે રામા રમા કારણે, રાખી નહિ દિલમાં દયા કદીયે, અશુભ બુદ્ધિ કારણે, ચોરીને પરદારલંપટ બની, સાચું ન બોલ્યો જરા, દુ:ખી હું જિનરાજ તાજ શિરના, સામું જુઓ તો ખરા. ૫૭ ગાયા નહિ જિનરાજગુણ જીભથી, નિંદા કીધી મેં ઘણી, ઘ્યાયા નહિ અરિહંતને હૃદયમાં, ધર્મે નહિ લાગણી; પૂજ્યા નહિ પ્રભુ આપને પ્રણયથી, શુદ્ધિ નહિ ચિત્તની, આપી દાન સુપાત્રમાં, સફળતા કીધી નહિ વિત્તની. ૫૮
૧૫
Page #47
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
આડંબર ધરીને બધા અવગુણો, ઢાંક્યા ઘીઠાઈ કરી, ગુણનો લેશ નહિ છતાં નિજ મુખે, કીધી બડાઈ ફરી; ધારીમેં બકવૃત્તિને કપટથી, ધોળો થઈને ફર્યો, અંતર અંજન સારિખી મલીનતા, ઈર્ષા થકી હું ભર્યો. ૫૯ પાળ્યા નહિ વ્રત પ્રેમથી, સુગુરુની વાણી નહિ સાંભળી, વાંઘા નહિ શિર નમી, દેવગુરુને જોડી દશે આંગળી; ધન લોભે નીતિન્યાયને, ભૂલી જઈ પાપો કરી રાચીઓ, હાંસી સજ્જનની કરી વિષયમાં, અંધો બની માચીઓ. ૬૦ આવે છે વિકરાલ કાળ મુજને જાશે ઉપાડી ખરે, જાણું તો પણ ધર્મને, જીવનમાં સ્થાપ્યો નહિ મેં અરે; ભાતા વિણ પરલોકમાં દુઃખ તણી સીમા ન રહેશે મને, રાખો શરણે આપના, હૃદયમાં લાવી દયા દાસને. ૬૧
આપે, પ્રકાશે. ૬૨
મુક્તિ કેરા વિમલ ઘરમાં, આપ દૂરે વસો છો, તોયે વહાલા મુજ મન સદા, પ્રેમ રૂપે રહો છો; જો કે દૂરે રવિ કમલથી, તો એ આનંદ તેવી રીતે મુજ મન વને, તેજ તારું જેના નામ પ્રભાવથી, જગતના દારિદ્ર દૂરે ટળે, જેનું ધ્યાન ધરે સદા હૃદયમાં, વાંછિત સર્વ ફળે; ધરણેન્દ્ર પદ્માવતી નિત્ય પ્રત્યે જેની કરે સેવના, તે શ્રી પાર્શ્વ જિનેન્દ્રના ચરણમાં પ્રેમે કરૂં વંદના. ૬૩
le
૧૬
Page #48
--------------------------------------------------------------------------
________________
આત્મનિંદાદ્વાત્રિંશિકાનો અનુવાદ
પરમાહત્ શ્રી કુમારપાલ-ભૂપાલ વિરચિત આત્મનિંદાદ્વાત્રિંશિકાનો અનુવવૃદ (હરિગીતછંદ)
મણિ,
સર્વે સુરેંદ્રોના નમેલા મુકુટ તેના જે તેના પ્રકાશે ઝળહળે પદપીઠ જે તેના ઘણી આ વિશ્વના દુ:ખો બધાએ છેદનારા હે પ્રભુ ! જય જય થજો જગબંધુ ! તુમ એમ સર્વદા ઈચ્છું વિભુ ! ૧ વિતરાગ હૈ કૃતકૃત્ય ભગવન્ ! આપને શું વિનવું, હું મુર્ખ છું મહારાજ જેથી શક્તિહીન છતાં સ્તવું, શું અર્થિવર્ગ યથાર્થ સ્વામીનું સ્વરૂપ કહી શકે, પણ પ્રભો ! પૂરી ભક્તિ પાસે યુક્તિઓ એ ના ઘટે. ૨ પ્રાણી તણા પાપો ઘણાં ભેગા કરેલા જે ભવે, ક્ષીણ થાય છે ક્ષણમાં બધાં તે આપને સારે સ્તવે; અતિગાઢ અંધારા તણું પણ સૂર્ય પાસે શું ગજું, એમ જાણીને આનંદથી હું આપને નિત્યે ભ. શરણ્ય ! કરૂણાસિંધુ ! જિનજી ! આ બીજા ભક્તના, મહામોહવ્યાધિને હણો છો શુદ્ધ સેવાસક્તનાં; આનંદથી હું આપ આણા મસ્તકે નિત્યે વહું, તોયે કહો કોણ કારણે એ વ્યાધિના દુ:ખો સહું. સંસારરૂપ મહાટવીના સાર્થવાહ પ્રભુ ! તમે, મુક્તિપુરી જાવા તણી ઈચ્છા અતિશય છે મને; આશ્રય કર્યો તેથી પ્રભો તુજ તોય આન્તર તસ્કરો, મુજ રત્નત્રય લુંટે વિભો! રક્ષા કરો રક્ષા કરો. બહુ કાળ આ સંસાર-સાગરમાં પ્રભુ! હું સંચર્યો, થઈ પુણ્યરાશિ એકઠી ત્યારે જિનેશ્વર ! તું મળ્યો; પણ પાપ કર્મ ભરેલ મેં સેવા સરસ નવ આદરી, શુભ યોગને પામ્યા છતાં મેં મૂર્ખતા બહુએ કરી.
૧૭
૫
S
Page #49
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આ કર્મ રૂપ કુલાલ મિથ્યાજ્ઞાન રૂપી દંડથી, ભવ ચક્ર નિત્ય ભમાવતો દિલમાં દયા ધરતો નથી: કરી પાત્ર મુજને પૂંજ દુઃખનો દાબી દાબીને ભરે, વિણ આપ આ સંસાર કોણ રક્ષા કહો એથી કરે ? ૭
ક્યારે પ્રભો! સંસાર કારણ સર્વ મમતા છોડીને, આજ્ઞા પ્રમાણે આપની મન તત્ત્વજ્ઞાને જોડીને; રમીશ આત્મ વિષે વિભો! નિરપેક્ષ વૃત્તિ થઈ સદા, ત્યજીશ ઈચ્છા મુક્તિની પણ સંત થઈને હું કદા. ૮ તુજ પૂર્ણ શશિની કાંતી સરખા કાન્ત ગુણ દૃઢ દોરથી, અતી ચપલ મુજ મન વાંદરાને બાંધીને બહુ જોરથી; આજ્ઞારૂપી અમૃત રસોના પાનમાં પ્રીતિ કરી, પામીશ પરબ્રહ્મ રતિ ક્યારે વિભાવો વિસરી. ૯ * હું હિનથી પણ હીન પણ તુમ ચરણ સેવાને બળે, આવ્યો અહીં ઉંચી હદે જે પૂર્ણ પુન્ય થકી મળે; તો પણ હઠીલી પાપી કામાદિક તણી ટોળી મને, અકાર્યમાં પ્રેરે પરાણે પીડતી નિર્દયપણે. ૧૦ કલ્યાણકારી દેવ! તુમ સમ સ્વામી મુજ માથે છતે, કલ્યાણ કોણને સંભવે જો વિપ્ન મુજ ન આવતે; પણ મદન આદિક શત્રુઓ પૂંઠે પડ્યા છે માહરે, દૂર કરૂં શુભ ભાવનાથી પાપીઓ પણ નવ મરે. ૧૧ સંસારરૂપ સમુદ્રમાં ભમતા અનાદિકાળથી, હું માનું કે આપ કદિ મુજ દ્રષ્ટિએ આવ્યા નથી; નહીંતર નરકની વેદના સીમા વિનાની મેં પ્રભુ! બહુ દુઃખથી જે ભોગવી તે કેમ પામું હું વિભુ! ૧૨ તરવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે શોભતું, વજ પ્રમુખ શુભ ચિહ્નથી શુભ ભાવવલ્લી રોપતું સંસારતારક આપનું એવું ચરણયુગ નિર્મલું, દુર્વાર એવા મોહ-વેરીથી ડરીને મેં ઋયું. ૧૩
૧૮
Page #50
--------------------------------------------------------------------------
________________
આત્મનિંદાદ્વાત્રિંશિકાનો અનુવાદ
૧૫
નિઃસીમ કરૂણાધાર છો, ને આપ શરણ પવિત્ર છો, સર્વજ્ઞ છો નિર્દોષ છો ને સર્વ જગના નાથ છો; હું દીન છું હિમ્મત રહિત થૈ શરણ આવ્યો આપને, આ કામરૂપી ભિલ્લુથી રક્ષો મને રક્ષો મને. ૧૪ વિણ આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યા મને, દુષ્કૃત્યનો સમુદાય મોટો જે પ્રભુ મારો હણે, શું શત્રુઓનું ચક્ર જે બહુ દુ:ખથી દેખાય છે, વિણ ચક્ર વાસુદેવના તે કોઈ રીત હણાય છે. પ્રભુ! દેવના પણ દેવ છો વળી સત્ય શંકર છો તમે, છો બુદ્ધ ને આ વિશ્વત્રયના છો તમે નાયક પણે; એ કારણે આન્તર-રિપુ સમુદાયથી પીડેલ હું; નાથ ! તુમ પાસે રડીને હાર્દના દ:ખો અધર્મના કાર્યો બધા દૂરે કરીને જોડું સમાધિમાં જિનેશ્વર ! શાન્ત થૈ હું જે સમે; ત્યાં તો બધાયે વૈરીઓ જાણે બળેલા ક્રોધથી, મહામોહનાં સામ્રાજ્યમાં લઈ જાય છે બહુ જોરથી. ૧૭ છે મોહ આદિક શત્રુઓ મ્હારા અનાદિકાળના, એમ જાણું છું જિનદેવ ! પ્રવચન પાનથી હું આપના; તો યે કરી વિશ્વાસ એનો મૂઢ મેંઢો હું બનું, એ મોહબાજીગર કને કપિ રીતને હું આચરૂં. ૧૮
કહું. ૧૬
ચિત્તને
એ રાક્ષસોના રાક્ષસો ક્રૂર મ્લેચ્છો એજ છે, એણે મને નિષ્ઠુરપણે બહુવાર બહુ પીડેલ છે; ભયભીત થઈ એથી પ્રભુ! તુમ ચરણ શરણું મેં ગ્રહ્યું, જગવીર ! દેવ ! બચાવજો મેં ધ્યાન તુમ ચિત્તે ધર્યું. ૧૯ ક્યારે પ્રભો ! નિજ દેહમાં પણ આત્મબુદ્ધિને તજી, શ્રદ્ધાજળે શુદ્ધિ કરેલ વિવેકને ચિત્તે સજી; સમશત્રુ મિત્ર વિષે બની ન્યારો થઈ પરભાવથી, રમીશ સુખકર સંયમે ક્યારે પ્રભો ! આનન્દથી. ૨૦
૧૯
Page #51
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ગતદોષ ગુણભંડાર જિનજી! દેવ હારે તુજ છે, સુરનર સભામાં વર્ણવ્યો જે ઘર્મ હારે તેજ છે; એમ જાણીને પણ દાસની મત આપ અવગણના કરો, આ નમ્ર હારી પ્રાર્થના સ્વામી તમે ચિત્ત ધરો. ૨૧ પડવર્ગ મદનાદિક તણો જે જીતનારો વિશ્વને, અરિહન્ત! ઉજ્વલ ધ્યાનથી તેહને પ્રભુ જીત્યો તમે; અશક્ત તુમ પ્રત્યે હણે તુમ દાસને નિર્દયપણે, એ શત્રુઓને જીતું એવું આત્મબળ આપો મને. ૨૨ સમર્થ છો સ્વામી! તમે આ સર્વજગને તારવા, ને મુજ સમા પાપીજનોની દુર્ગતિને વારવા; આ ચરણ વળગ્યો પાંગળો તુમ દાસ દીન દુભાય છે, હે શરણ! શું સિદ્ધિ વિષે સંકોચ મુજથી થાય છે? ૨૩ તુમ પાદપક્વ રમે પ્રભો! નિત જે જનોનાં ચિત્તમાં, સુરઈન્દ્ર કે નરઈન્દ્રની પણ એ જનોને શી તમા?; ત્રણ લોકની પણ લક્ષ્મી એને સહચરી પેઠે ચહે, સગુણોની શુભ ગન્ધ એના આત્મમાં મહમહે. ૨૪ અત્યન્ત નિર્ગુણ છું પ્રભો! હું દુર છું હું દુષ્ટ છું, હિંસક અને પાપે ભરેલો સર્વ વાતે પૂર્ણ છું; વિણ આપ આલંબન પ્રભો! ભવ ભીમ સાગર સંચરું, મુજ ભવભ્રમણની વાત જિનજી! આપ વિણ કોને કરું. ૨૫ હે નાથ! નેત્રો મીંચીને ચલચિત્તની સ્થિરતા કરી, એકાન્તમાં બેસી કરીને ધ્યાન મુદ્રાને ધરી; મુજ સર્વ કર્મ વિનાશ કારણ ચિંતવું જે જે સમે, તે તે સમે તુજ મૂર્તિ મનહર, માહરે ચિત્તે રમે. ૨૬ ઉત્કૃષ્ટ ભક્તિથી પ્રભો! મેં અન્ય દેવોને સ્તવ્યા, પણ કોઈ રીતે મુક્તિ સુખને આપનારા નવ થયા; અમૃત ભરેલા કુમ્ભથી છોને સદાએ સિંચીયે, આંબા તણા મીઠાં ફલો પણ લિંબડા ક્યાંથી દીયે! ૨૭
૨૦
Page #52
--------------------------------------------------------------------------
________________
શત્રુંજયાદિ પ્રભુની સ્તુતિઓ ભવજલધિમાંથી હે પ્રભો! કરુણા કરીને તારજો, ને નિર્ગુણીને શિવનગરના શુભ સદનમાં ધારજો; આ ગુણીને આ નિર્ગુણી એમ ભેદ મોટા નવ કરે, શશી સૂર્ય મેઘપરે દયાલુ સર્વના દુઃખો હરે. ૨૮
| (શાર્દૂલવિક્રીડિતયું) પામ્યો છું બહુ પુણ્યથી પ્રભુ! તને, ગૈલોક્યના નાથને, હેમાચાર્ય સમાન સાક્ષી શિવના, નેતા મળ્યા છે મને; એથી ઉત્તમ વસ્તુ કોઈ ન ગણું, જેની કરૂં માંગણી, માંગું આદર વૃદ્ધિ તોય તુજમાં, એ હાર્દની લાગણી. ૨૯ જે અમર શત્રુંજય ગિરિ છે પરમ જ્યોતિર્મય સદા, ઝળહળ થતી જેની અવિરત, મંદિરોની સંપદા; ઉત્તુંગ જેના શીખર કરતા, ગગન કેરી સ્પર્શના, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના. ૩૦ જ્યાં સિદ્ધ ભૂમિમાં અનંતા આત્મા મુક્તિ વર્યા, જ્યાં નાથ આદીશ્વર નવાણું પૂર્વ પોતે વિચર્યા, તાર્યા ભવભવ સિંધુથી, દઈને અનુપમ દેશના, દર્શન થકી પાવન કરે તે વિમલગિરિને વંદના. ૩૧
જ્યાં ભવ્ય પ્રતિમારૂપ અનુપમ, આદિદેવની રાજની, યાત્રી ઘણા પૂજન કરે, સૌના મનોરથ પૂરતી; નરનારી અંતર ભાવથી, નિશદિન કરે જિન અર્ચના, દર્શન થકી પાવન કરે તે વિમલગિરિને વંદના. ૩૨ એ દિવ્ય ભૂમિમાં અહો, નવનવ ટુંકો વિરાજતી,
જ્યાં ધવલ શેત્રુંજી સરિતા, વિમલ જલશું છાજતી; રાયણ તરૂ પાવન કરે જ્યાં, સૂરજ કુંડ સોહામણા, દર્શન થકી પાવન કરે, તે વિમલગિરિને વંદના. ૩૩ અઘાડભવત્સફલા નયન વયસ્ય,
દેવત્વદીય ચરણાબુજ વિક્ષણેન; અઘત્રિલોક તિલક પ્રતિભાસને મે,
સંસાર વારિધિરય ચુલુક પ્રમાણમ્. ૩૪ ૧૨૧}
Page #53
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દર્શનાત્ દુરિત ધ્વંસી પૂજનાત્ પૂરકઃ શ્રીણાં, અર્હતો ભગવંત ઈન્દ્ર મહિતાઃ સિદ્ધાશ્ચ સિદ્ધિ સ્થિતા, આચાર્યા જિનશાસનોન્નતિ કરાઃ પૂજ્યા ઉપાધ્યાયકાઃ; શ્રી સિદ્ધાન્ત સુ પાઠકા મુનિવરા રત્નત્રયારાધકા, પંચૈતે પરમેષ્ટિનઃ પ્રતિદિનં કુર્વન્તુ વો મંગલમ્ ૩૬
નાગેન્દ્ર નિર્મિત ફણાંચિત
યો
ય
શંખેશ્વરાધિપતિરસ્તુ
વંદનાત્ વંદના વાંછિતંપ્રદઃ;
જિનઃ
-
સાક્ષાત્પુરદ્રુમઃ ૩૫
ભાત્યુપાસક
સુરાસુર નાથ તીર્થ રક્ષણ પરો વિદિતોઽસ્તિ
૨૨
મૌલિપાર્શ્વઃ, પાર્શ્વ,
પાર્શ્વઃ, પાર્શ્વ. ૩૭
સુખાય
૬ શ્રી રત્નાકર પચ્ચીસી
ક્રીડાના પ્રભુ,
મંદિર છો મુક્તિતણા, માંગલ્ય ને ઈન્દ્ર નરને દેવના, સેવા કરે તારી વિભુ; સર્વજ્ઞ છો સ્વામી વળી શિરદાર અતિશય સર્વના, ઘણું જીવ તું ઘણું જીવ તું, ભંડાર જ્ઞાન કળાતણા. ૧ ત્રણ જગતના આધારને અવતાર હે કરૂણા તણા, વળી વૈદ્ય હે દુર્વાર આ સંસારના દુઃખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના તુજ પાસ અરજી ઉચ્ચરૂં, જાણો છતાં પણ કહી અને આ હૃદયને ખાલી કરૂં. ૨
શું બાળકો મા-બાપ પાસે, બાળક્રીડા નવ કરે ? ને મુખમાંથી જેમ આવે તેમ શું નવ ઉચ્ચરે ? તેમજ તમારી પાસ તારક આજ ભોળા ભાવથી, જેવું બન્યું તેવું કહું તેમાં કશું ખોટું નથી. મેં દાન તો દીધું નહિ ને શિયળ પણ પાળ્યું નહિ, તપથી દમી કાયા નહિ, શુભભાવ પણ ભાવ્યો નહિ; એ ચાર ભેદે ધર્મમાંથી, કાંઈ પણ પ્રભુ નવ કર્યું, મહારૂં ભ્રમણ ભવસાગરે નિષ્ફળ ગયું નિષ્ફળ ગયું. ૪
૩
Page #54
--------------------------------------------------------------------------
________________
રત્નાકર પચ્ચીશી હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડશ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને; મન મારૂં માયાજાળમાં, મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫ મેં પરભવે કે આ ભવે પણ હિત કંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. ૬ અમૃત ઝરે તુજ મુખરૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરે ! શું કરું હું તો વિભુ; પત્થર થકી પણ કઠણ મારૂં, મન અરે ક્યાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. ૭ ભમતાં મહાભવસાગરે, પામ્યો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા; તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કીરતાર આ પોકાર હું જઈ ને કરૂ. ૮ ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી. દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વલી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતણું, હે નાથ મારું શું થશે? ચાલાક થઈ ચુક્યો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી, લાજ આપતણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧
| ૨૩
Page #55
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
નવકારમંત્ર વિનાશ કીધો, અન્ય મંત્રો જાણીને, કુશાસ્ત્રના વાક્યો વડે, હણી આગમોની વાણીને; કુદેવની સંગત થકી, કર્મો નકામા આચર્યાં, મતિભ્રમ થકી રત્નો ગુમાવી, કાચ કકડા મેં ગ્રહ્યા. ૧૨ આવેલ દ્દષ્ટિમાર્ગમાં, મુકી મહાવીર આપને, મેં મુઢધીએ હૃદયમાં, વ્યાયા મદનના ચાપને; નેત્રબાણો ને પયોધર, નાભિને સુંદર કટી, શણગાર સુંદરીઓ તણાં, છટકેલ થઈ જોયાં અતિ. ૧૩ મૃગનયન સમ નારી તણાં, મુખચંદ્ર નીરખવાવતી, મુજ મન વિષે જે રંગ લાગ્યો, અલ્પ પણ ગૂઢો અતિ; તે શ્રુતરૂપ સમુદ્રમાં, ધોયા છતાં જાતો નથી, તેનું કહો કારણ તમે, બધું કેમ હું આ પાપથી. ૧૪ સુંદર નથી આ શરીર કે, સમુદાય ગુણ તણો નથી, ઉત્તમ વિલાસ કળા તણો, દેદીપ્યમાન પ્રભા નથી; પ્રભુતા નથી તો પણ પ્રભુ, અભિમાનથી અક્કડ ફરૂં, ચોપાટ ચારગતિ તણી, સંસારમાં ખેલ્યા કરૂં. ૧૫ આયુષ્ય ઘટતું જાય તો પણ, પાપબુદ્ધિ નવ ઘટે, આશા જીવનની જાય પણ, વિષયાભિલાષા નવ મટે; ઔષધ વિષે કરૂં યત્ન પણ, હું ધર્મને તો નવ ગણું, બની મોહમાં મસ્તાન હું, પાયા વિનાના ઘર ચણું. ૧૬ આત્મા નથી પરભવ નથી, વલી પુણ્ય પાપ કશું નથી, મિથ્યાત્વિની કટુ વાણી મેં ધરી કાન પીધી સ્વાદથી; વિસમ હતા જ્ઞાને કરી પ્રભુ આપશ્રી તો પણ અરે ? દીવો લઈ કૂવે પડ્યો, ધિક્કાર છે મુજને ખરે. ૧૭ મેં ચિત્તથી નહિ દેવની કે પાત્રની પૂજા ચહી; ને શ્રાવકો કે સાધુઓનો ધર્મ પણ પાળ્યો નહિ, પામ્યો પ્રભુ નરભવ છતાં રણમાં રડ્યા જેવું થયું, ધોબીતણાં કુત્તા સમું મમ જીવન સહુ એળે ગયું. ૧૮
૨૪
Page #56
--------------------------------------------------------------------------
________________
રત્નાકર પચ્ચીશી 02/2ષ્ટ્ર હું કામધેનુ કલ્પતરુ ચિંતામણીના પ્યારમાં, ખોટા છતાં ઝંખો ઘણું બની લુબ્ધ આ સંસારમાં; જે પ્રકટ સુખ દેનાર તારો ધર્મ તે સેવ્યો નહિ, મુજ મૂર્ખ ભાવોને નીહાળી નાથ! કર કરૂણા કંઈ. ૧૯ મેં ભોગ સારા ચિંતવ્યા, તે રોગ સમ ચિંત્યા નહિ, આગમન ઈષે ધનતણું, પણ મૃત્યુને પ્રાળ્યું નહિ; નહિ ચિંતવ્યું મેં નરક કારાગૃહસમી છે નારીઓ, મધુબિન્દુની આશામહીં, ભયમાત્ર હું ભૂલી ગયો. ૨૦ હું શુદ્ધ આચારો વડે સાધુ હૃદયમાં નવ રહ્યો, કરી કામ પર ઉપકારના યશ પણ ઉપાર્જન નવ કર્યો; વલી તીર્થના ઉદ્ધાર આદિ કોઈ કાર્યો નવ કર્યા, ફોગટ અરે ! આ લક્ષ ચોરાશીતણા ફેરા ફર્યા. ૨૧ ગુરુવાણીમાં વૈરાગ્ય કેરો રંગ લાગ્યો નહિ અને, દુર્જનતણા વાક્યો મહીં શાંતિ મળે ક્યાંથી મને; તરું કેમ હું સંસાર આ અધ્યાત્મ તો છે નહીં જરી, તુટેલ તળીયાનો ઘડો જળથી ભરાયે કેમ કરી? ૨૨ મેં પરભવે નથી પુચ કીધું, ને નથી કરતો હજી, તો આવતા ભવમાં કહો ક્યાંથી થશે હે નાથ જી; ભૂત ભાવી ને સાંપ્રત ત્રણે ભવ નાથ હું હારી ગયો, સ્વામી ત્રિશંકુ જેમ હું આકાશમાં લટકી રહ્યો. ૨૩ અથવા નકામું આપ પાસે નાથ! શું બકવું ઘણું, હે દેવતાના પૂજ્ય આ ચરિત્ર મુજ પોતાતણું જાણો સ્વરૂપ ત્રણ લોકનું તો મારું શું માત્ર આ,
જ્યાં ક્રોડનો હિસાબ નહિ ત્યાં પાઈની તો વાત ક્યાં. ૨૪ તારાથી ન સમર્થ અન્ય દીનનો ઉદ્ધારનારો પ્રભુ, મારાથી નહિ અન્ય પાત્ર જગમાં જોતાં જડે હે વિભુ! મુક્તિ મંગળ સ્થાન તોય મુજને ઈચ્છા ન લક્ષ્મીતણી, આપો સમ્યગુરત્નશ્યામ જીવને, તો તૃપ્તિ થાએ ઘણી. ૨૫
Page #57
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
|| श्री - धृतकल्लोल - पार्श्वनाथाय नमः ।। અહંદ–ગુણ–વારિધિ–નરેન્દ્ર–નૌકા
વિભાગ રજો ચૈત્યવંદનો તથા સ્તુતિઓ
= (૧) શ્રી સિદ્ધગિરિ ચૈત્યવંદન 5 વિમલ ગિરિવર સયલ અઘહર, ભવિક જન મનરંજણો; નિજરૂપ ધારે પાપહારી, આદિ જિન મદ ભંજનો. ૧ જગ જીવ તારે ભરમ ફરે, સયલ અરિદલ ગંજનો; પુંડરીક ગિરિવર શૃંગ શોભે, આદિનાથ નિરંજનો. ૨ અજર અમર અચળ આનંદ રૂપી, જન્મ મરણ વિહંડનો; સુર અસુર ગાવે ભક્તિ ભાવે, વિમલગિરિ જગ મંડનો. ૩ પુંડરીક ગણધર રામપાંડવ, આદી લે બહુ મુનિવરા; જિહાં મુક્તિ રામા વર્યા રંગે, કર્મ કંટક સહુ જરા. ૪ કોઈ તીર્થ જગમાં અન્ય નહી, વિમલગિરિ સમતારક દૂરભવિયાં જે અભવિયાં, સદા દ્રષ્ટિ નિવારક. ૫ એક ત્રીજે પંચમે ભવ, વરે શિવ દુઃખવારક સહુ આશ ધારી શરણ થારી, આતમા હિતકારક. ૬
ક (૨) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન 5. શ્રી સિદ્ધાચલ તીર્થનાયક, વિથતારક જાણીયે; અકલંક શક્તિ અનંત સુરગિરિ, વિશ્વાનંદ વખાણીયે;
મેરૂ મહીધર હસ્ત ગિરિવર, ચર્ચ ગિરિધર ચિહ્ન એ; . શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૧
Page #58
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
હસિત વદને હેમગિરિને, પૂજીએ પાવન થઈ; પુંડરીક પર્વતરાજ શતકુટ, નમત અંગ આવે નહીં; પ્રીતિમંડણ કર્મઠંડણ, શાશ્વતો સુરકંદ એ; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૨ આનંદધર પુચકંદ સુંદર, મુક્તિરાજે મન હસ્યો; વિજય ભદ્ર સુભદ્ર નામે, અચલ દેખત દિલ વસ્યો; તાલ-મૂળ ને ઢંક પર્વત, પુષ્પદંત જયવંત હે; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૩ બાહુબલ મરૂદેવી ભગીરથ, સિદ્ધક્ષેત્ર કંચનગિરિ; લોહિતાક્ષ કુલિનવાસમાં જસ, રેવતાચલ મહાગિરિ; શેત્રુજામણિ પુન્યરાશિ, કુંવર કેતુ કહત હે; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૪ ગુણકંદ કામુક દૃઢશક્તિ, સહજાનંદા સેવા કરે; જય જગતતારણ જ્યોતિરૂપ, માલવંત ને મનોહરે; ઈત્યાદિક બહુ કીર્તિ માણેક, કરત સુરસુખ અનંત હે; શ્વાસમાં સો વાર વંદું, નમો ગિરિ ગુણવંત એ. ૫
E (૩) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન વિમલ-કેવલજ્ઞાન-કમલા,-કલિત-ત્રિભુવન–હિતકર; સુરરાજ-સંસ્તુત-ચરણ-પંકજ, નમો આદિજિનેશ્વર. ૧ વિમલગિરિવર-શંગ મંડન, પ્રવર-ગુણગણ–ભૂધરું; સુર-અસુર-કિન્નર-કોડી-સેવિત, નમો આદિજિનેશ્વર. ૨ કરતી નાટક કિન્નરી–ગણ, ગાય જિન-ગુણ મનહર; નિર્જરાવલી નમે અહોનિશ, નમો આદિજિનેશ્વર. ૩ પુંડરીક ગણપતિ સિદ્ધિ સાધી, કોડી પણ મુનિ મનહર, શ્રી વિમલ ગિરિવર-શૃંગ સિધ્યા, નમો આદિજિનેશ્વર. ૪ નિજ સાધ્ય-સાધક સુર-મુનિવર, કોડીનંત એ ગિરિવર; મુક્તિરામણી વર્યા રંગે, નમો આદિજિનેશ્વર. ૯૫
ર૭
Page #59
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પાતાલ-નરસુર-લોકમાંહી, વિમલગિરિવરતો પરંતુ નહિ અધિક તીરથ તીર્થપતિ કહે, નમો આદિજિનેશ્વર. ૬ ઈમ વિમલ ગિરિવર-શિખર મંડણ, દુઃખ-વિહંડણ ધ્યાઈએ; નિજ શુદ્ધ-સત્તા સાધનાર્થ, પરમ જ્યોતિ નિપાઈએ. ૭. જિત-મોહ-કોહ-વિછોહ-નિદ્રા, પરમ-પદ સ્થિતિ જયકર; ગિરિરાજ-સેવા-કરણ-તત્પર, “પદ્રવિજય” સુહિતકર. ૮
SF (૪) શ્રી સિદ્ધાચલજીનું ચૈત્યવંદન 5. શ્રી શત્રુંજય સિદ્ધક્ષેત્ર, દીઠે દુરગતિ વારે; ભાવ ધરીને જે ચઢે, તેને ભવ પાર ઉતારે. ૧ અનંત સિધ્ધનો એહ ઠામ, સકલ તીર્થનો રાય, પુરવ નવાણું રિખવદેવ, જ્યાં ઇવીયા પ્રભુ પાય. ૨ સૂરજકુંડ સોહામણો એ, કવાયક્ષ અભિરામ; નાભિરાયા કુલમંડણો, જિનવર કરૂં પ્રણામ. ૩
NE (૫) શ્રી સિદ્ધગિરિનું ચૈત્યવંદન કા સોના રૂપાકે ફુલડે, સિદ્ધાચલ વધાવું; ધ્યાન ધરી દાદાતણું, આનંદ મનમાં લાવું. ૧ પૂજા કરી પાવન થયો, અમ નિર્મલ દેહ; રચના રચું શુભ ભાવથી, કરૂં કર્મનો છે. ૨ અભવીને દાદા વેગળા, ભવને હૈડા હાર; તન, મન,ધ્યાન એક લગ્નથી, કીધા કર્મ ચકચૂર. ૩ કાંકરે કાંકરે સિદ્ધ થયા, સિદ્ધ અનંતનું ઠામ; શાશ્વત જિનવર પૂજતાં, જીવ પામે વિશ્રામ. ૪ દાદા દાદા હું કરૂં, દાદા વસીયા દૂર, દ્રવ્યથી દાદા વેગળા, ભાવથી હૈડા હાર. ૫
૨૮
Page #60
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
પૂજતાં, ઈન્દ્ર ધરી બહુ વંદના,
શ્વાસમાંહે
સો
સુવર્ણ ગુફાએ પૂજતા એ, રત્ન પ્રતિમા ઈન્દ્ર; જ્યોતિમાં જ્યોતિ મીલે, પૂજે મીલે ભવી સુખ કંદ. ૭ ઋદ્ધિ સિદ્ધિ ઘેર સંપજે એ, પહોંચે મનની આશ; ત્રિકરણ શુદ્ધે પૂજતાં, જ્ઞાન વિમલ પ્રકાશ. ८
દુષમ કાળે તે પ્રતિમાને
૬ (૬) શ્રી આદીનાથ પ્રભુનું ચૈત્યવંદન
ધુર સમરૂં શ્રી આદિદેવ, વિમલાચલ સોહિએ; સુરતી મૂર્તિ અતિ સફલ, ભવિયણના મન મોહિએ. ૧ સુંદર રૂપ સોહામણો, જોતા તૃપ્તિ ન હોય; ગુણ અનંત જિનવર તણાં, કહી નવ શકે કોય. ૨ વીતરાગ દર્શન વિના,
વિના,
ભવસાગરમાં ગાઢો
કુગુરૂ કુદેવે ભોળવ્યો,
પૂર્વ પુન્ય પસાઉલે, દર્શન દીઠો તાહરો, સુર ઘટ ને સુર કલ્પ વૃક્ષ ફલીયાં વલી,
વીતરાગ મેં આજ; તારણ તરણ જહાજ. ૪ વેલડી, આંગણે મુજ આઈ; નવ નિધિ મેં
પાઈ. પ
નાસે
પ્યાર;
વાર. Ç
૨૯
તુજ
રૂલીઓ;
જલ ભરીયો.
તુજ નામે સંકટ ટલે, તુજ નામે સુખ સંપદા, આજ સફલ દિન માહરો એ, સફળ થઈ મુજ જાત્ર; પ્રથમ તીર્થંકર ભેટીયા, નિર્મલ કીધા ગાત્ર. સુરનર કિન્નર કિન્નરી, વિદ્યાધરની કોડ; મુક્તિ પહોંચ્યા કેવલી, વંદુ બે કર જોડ. શત્રુંજય ગિરિ મંડણો એ, સિધ્ધ વિજય સેવક કહે,
વિષમ વિકાર;
નામે જયકાર. ૬
મરૂદેવી માત મલ્હાર; તુમ તરીયા મુજ તાર.
૭
८
૯
Page #61
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા H ૭ શ્રી રાયણપગલાનું ચૈત્યવંદન ક્લ એહ ગિરિ ઉપર આદિદેવ, પ્રભુ પ્રતિમા વંદો; રાયણ હેઠે પાદુકા, પૂજી આણંદો. ૧ એહ ગિરિનો મહિમા અનંત, કુણ કરે વખાણ; ચૈત્રી પૂનમ દિને, તેહ અધિકો જાણ. ૨ એહ તીરથ સેવા સદા એ, આણી ભક્તિ ઉદાર; શ્રી શત્રુંજય સુખદાયકો, દાનવિજય જયકાર. ૩
(૮) શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન કા શ્રી શત્રુંજય મહાભ્યની, રચના કીધી સાર; પુંડરગિરિના સ્થાપનાર પ્રથમ જિન ગણધર. ૧ એક દિન વાણી જિનની, શ્રવણી થયા આણંદ; આવ્યા શત્રુંજયગિરિ, પંચ ક્રોડ સહ રંગ. ૨ ચૈત્રી પૂનમને દિને એ, શિવ શું કિયો યોગ; નમીએ ગિરિને ગણધરુ, અધિક નહિ ત્રિલોક. ૩
E (૯) શ્રી પુંડરીકસ્વામીનું ચૈત્યવંદન આદીશ્વર જિનરાયનો, ગણધર ગુણવંત, પ્રગટ નામ પુંડરીક જાસ, મહીમાંહે મહંત. ૧ પંચ કોડી સાથે મુણિંદ, અણસણ તિહાં કીધ; શુક્લધ્યાન ધ્યાતાં, અમૂલ કેવલ તિહાં લીધ; ૨ ચૈત્રી પૂનમને દિને એ, પામ્યા પદ મહાનંદ; તે દિનથી પુંડરીકગિરિ, નામ દાન સુખકંદ. ૩
= (૧૦) શ્રી ઋષભદેવજિન ચૈત્યવંદન ક કલ્પવૃક્ષની છાંયડી, નાનડીયો રમતો; સોવન હિંડોળે હિંચતો, માતાને ગમતો. ૧
૧૩૦
હO
Page #62
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
સૌ દેવી બાલક થઈ, ઋષભજીને તેડે; વ્હાલા લાગો છો કહી, હૈડા શું ભીડે. ૨ જિનપતિ યોવન પામીયા, ભાવે શું ભગવાન; ઇદ્ર ઘાલ્યો માંડવો, વિવાહનો મંડાણ. ૩ ચોરી બાંધી ચિહું દિશે, સુર ગોરી ગીત ગાવે, સુનંદા સુમંગળા, પ્રભુજીને પરણાવે. ૪ સર્વ સંગ છોડી કરી, કેવલજ્ઞાન પામે; અષ્ટ કર્મનો ક્ષય કરી; પહોંચ્યા શિવપુરધામે. ૫ ભરતે બિંબ ભરાવીયાં એ, શત્રુંજય ગિરિરાય; શ્રી વિજયપ્રભસૂરિ તણાં, ઉદય રત્ન ગુણ ગાય. ૬
(૧૧) શ્રી ઋષભદેવપ્રભુનું ચૈત્યવંદન ; અરિહંત નમો ભગવંત નમો, પરમેશ્વર શ્રી જિનરાજ નમો; પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સિધ્યાં સઘળાં કાજ નમો.
અરિહંત૧ પ્રભુ પારંગત પરમ મહોદય, અવિનાશી અકલંક નમો; અજર અમર અદ્ભુત અતિશયનિધિ, પ્રવચનજલધિમયંક નમો.
અરિહંત૦ ૨ તિહુયણ ભવિયણ જનમન વંછિત, પૂરણ દેવ રસાલ નમો; લળી લળી પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાલ નમો.
અરિહંત ૩ સિદ્ધ બુદ્ધ તું જગજનસજ્જન, નયનાનંદન દેવ નમો; સકલ સુરાસુર નરવર નાયક, સારે અહનિશ સેવ નમો.
અરિહંત) ૪ તું તીર્થકર સુખકર સાહિબ, તું નિષ્કારણબંધુ નમો; શરણાગતભવિને હિતવત્સલ, તેહિ કૃપારસસિંધુ નમો.
અરિહંત) ૫
૩૧
Page #63
--------------------------------------------------------------------------
________________
-
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કેવલજ્ઞાનાદર્શ દર્શિત, લોકાલોકસ્વભાવ નમો; નાશિત સકલ કલંક કલુષ ગણ, દુરિત ઉપદ્રવ ભાવ નમો.
અરિહંત) ૬ જગચિંતામણિ જગગુરુ, જગણિત-કારક જગજનનાથ નમો; ઘોર અપાર ભવોદધિ તારણ, તું શિવપુરનો સાથ નમો.
અરિહંત૭ અશરણશરણ નિરાગી નિરંજન, નિરુપાધિક જગદીશ નમો; બોધિ દીઓ અનુપમ દાનેશ્વર, “જ્ઞાનવિમલ” સૂરીશ નમો.
અરિહંત૮ 5 (૧૨) શ્રી આદિનાથ પ્રભુનું ચૈત્યવંદન 5 આદિદેવ અલવેસરુ, વિનીતાનો રાય; નાભિરાયા કુલ મંડણો, મરૂદેવા માય. ૧ પાંચશે ધનુષની દેહડી, પ્રભુજી પરમ દયાલ, ચોરાશી લાખ પૂર્વનું, જસ આયુ વિશાલ. ૨ વૃષભ લંછન જિન વૃષધરૂએ, ઉત્તમ ગુણમણિખાણ; તપદ પદ્મ' સેવન થકી, લહીએ અવિચળ ઠાણ. ૩ Ek (૧૩) શ્રી સીમંઘરસ્વામીનું ચૈત્યવંદન સીમંધર જિન વિચરતા, સોહે વિજય મોઝાર; સમવસરણ રચે દેવતા, બેસે પર્ષદા બાર. ૧ નવતત્ત્વની દીએ દેશના, સાંભળે સુર નર ક્રોડ; પડુ દ્રવ્યાદિક વર્ણવે, લે સમક્તિ કર જોડ; ૨ ઈહાં થકી જિન વેગળા, સહસ્ત્ર તેત્રીસ શત એક; સત્તાવન ભોજન વળી, સત્તર કળા સુવિશેષ. ૩ દ્રવ્ય થકી જિન વેગળા, ભાવથી હૃદય મોઝાર; સિહું કાળે વંદન કરૂં, શ્વાસમાંહે સો વાર. ૪ શ્રી સીમંધર જિનવરૂ એ, પૂરે વાંછિત ક્રોડ; કાંતિવિજય ગુરુ પ્રણમતાં ભક્તિ બે કર જોડ. ૫
{ ૩૨
Page #64
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
(૧૪) શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન
પરમાતમા, શિવસુખના
દાતા;
સીમંધર પુસ્ખલવઈ વિજયે, જયો, સર્વ જીવના ત્રાતા. નયરી એ સોહે; ભવિયણનાં મન
પૂર્વવિદેહે પુંડરીગિણી, શ્રી શ્રેયાંસ રાજા તિહાં,
મોહે. ૨
સત્યકી રાણી માત; સીમંધર જિન જાત. ૩
પરણાવે. ૪
વળી યૌવન પાવે; રૂક્મિણી સંયમ મન લાવે; દીક્ષા પ્રભુ પાવે. ૫ પામ્યા કેવલનાણ;
ચૌદ સુપન નિર્મલ લહી, કુંથુ અર જિન અંતરે, અનુક્રમે પ્રભુ જનમીયા, માતા-પિતા હરખે કરી, ભોગવી સુખ સંસારના, મુનિસુવ્રત નિમિ નિમ અંતરે, ઘાતિકર્મનો ક્ષય કરી, વૃષભ લંછને શોભતા, સર્વ ચોરાશી જસગણધરા, મુનિવર ત્રણ ભુવનમેં જોવતા, નહી કો એહની દશ લાખ કહ્યા કેવળી, પ્રભુજીનો પરિવાર; એક સમય ત્રણ કાળના, જાણે સર્વ વિચાર. ઉદય પેઢાલ જિનાંતરે એ, થાશે જિનવર સિદ્ધ; જશવિજય ગુરુ પ્રણમતાં, મનવાંછિત ફળ લીધ. ૯
ભાવના જાણ.
એકસો કોડી;
જોડી.
(૧૫) શ્રી સીમંધરસ્વામીનું ચૈત્યવંદન
શ્રી સીમંધર જગધણી, આ ભરતે આવો; કરૂણાવંત કરૂણા કરી, અમને વંદાવો. સકલ ભક્ત તુમે ધણી, જો હોવે અમ નાથ; ભવોભવ હું છું તાહરો, નહીં મેલું હવે સાથ.
૧
૩૩
S
9
८
૧
૨
Page #65
--------------------------------------------------------------------------
________________
અહંદગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સયલ સંગ ઝંડી કરી, ચારિત્ર લઈશું; પાય તમારા સેવીને, શિવરમણી વરીશું. ૩ એ અલજો મુજને ઘણોએ, પૂરો સીમંધર દેવ; ઈમાં થકી હું વિનવું, અવધારો મુજ સેવ. ૪ કર જોડીને વિનવું એ, સામો રહી ઈશાન; ભાવ જિનેશ્વર ભાણને, દેજો સમક્તિદાન. ૫
% (૧૬) શ્રી સીમંઘરસ્વામીનું ચૈત્યવંદન 5 શ્રી સીમંધર વીતરાગ, ત્રિભુવન તુમે ઉપગારી; શ્રી શ્રેયાંસ પિતા કુલે, બહુ શોભા તુમારી. ૧ ધન્ય ધન્ય માતા સત્યકી, જેણે જાયો જયકારી; વૃષભ લંછને વિરાજમાન, વંદે નરનારી. ૨ ધનુષ પાંચસે દેહડીએ, સોહીએ સોવન વાન; કીર્તીવિજય ઉવજઝાયનો ‘વિનય' ધરે તુમ ધ્યાન. ૩
ક (૧૭) શ્રી સિદ્ધભગવાનનું ચૈત્યવંદન અજ અવિનાશી અકલ જે, નિરાકાર નિરધાર; નિર્મમ નિર્ભય જે સદા, તાસ ભક્તિ ચિત્ત ધાર. ૧ જન્મ જરા જાકું નહિ, નહિ શોક સંતાપ; સાદિ અનંત સ્થિતિ કરી, સ્થિતિ બંધન રૂચિકાય. ૨ ત્રીજે અંશે રહિત શુચિ, ચરણ પિંડ અવગાહ; એકસમે સમ શ્રેણીએ, અચળ થયો શિવનાહ. ૩ સમ અરૂ વિષમપણે કરી, ગુણ પર્યાય અનંત; એક એક પ્રદેશ મેં, શક્તિ સુજગ મહંત. ૪ રૂપાતીત વ્યતીત મલ, પૂર્ણાનંદી ઈશ; ચિદાનંદ તાકુ નમત, વિનય સહિત નિજ શિષ. ૫
૩૪ }
૩૪
Page #66
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
૬ (૧૮) શ્રી વીશસ્થાનક તપનું ચૈત્યવંદન
પહેલે પદ અરિહંતન, બીજે સર્વ સિદ્ધ; ત્રીજે પ્રવચન મન ધરો, ચોથે આચાર્ય સિદ્ધ. ૧ નમો ઘેરાણ પાંચમે, પાઠક પદ છઠે; નમો લોએ સવ્વસાહૂણં, જે છે ગુણ ગરિò. ૨ નમો નાણસ્સ આઠમે, દર્શન ભાવો;
મન
વિનય કરો ગુણવંતનો
ચારિત્ર પદ
ધ્યાવો. ૩
બંભવયધારીણં,
જાણ;
નમો તેરમે ક્રિયા નમો તવસ ચૌદમે, ગોયમ્ નમો જિણાણું. સંયમ જ્ઞાન સુઅલ્સને એ, નમો તિત્થસ્સ જાણી, જિન ઉત્તમ પદ ‘પદ્મ’ને, નમતા હોય સુખ ખાણી. પ
૬ (૧૯) શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન
શ્રી સિદ્ધચક્ર આરાધીએ, આસો ચઈતર માસ; નવ દિન નવ આંબિલ કરી, કીજે ઓળી ખાસ. કેસર ચંદન ઘસી ઘણા, કસ્તુરી બરાસ, જુગતે જિનવર પૂજીયા, મયણા ને શ્રીપાળ. પૂજા અષ્ટપ્રકારની, દેવવંદન ત્રણ કાળ; મંત્ર જપો ત્રણ કાળ ને, ગણણું તેર હજાર.
કષ્ટ ટળ્યું ઉંબરતણું, જપતાં નવપદ શ્રી શ્રીપાળ નહિંદ થયા, વાધ્યો
નિજ આવાસ;
સાતસો કોઢી સુખ લહ્યા, પામ્યા પુણ્યે મુક્તિવધૂ વર્યા, પામ્યા લીલવિલાસ.
૩૫
૪
૧
ર
૩
ધ્યાન;
બમણો વાન. ૪
૫
Page #67
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૨૦) શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન
પહેલે દિન અરિહંત નમું. નિત્ય કીજે ધ્યાન; બીજે પદ વળી સિદ્ધનું, સિદ્ધનું, કીજે ગુણગાન. આચારજ ત્રીજે પદે, જપતા જય જયકાર; ચોથે પદે ઉપાધ્યાયના, ગુણ ગાઓ ઉદાર.
સકલ
સાધુ વંદો સહિ, અઢી દ્વીપમાં જેહ; પંચમ પદ આદર કરી, જપજો ધરી સસનેહ. છઠ્ઠે પદે દર્શન નમો, દરસણ અાવાલો; નમો નાણપદ સાતમે, જિમ પાપ પખાલો. આઠમે પદ આદર કરી, ચારિત્ર સુચંગ; પદ નવમે બહુ તપ તણો, ફળ લીજે અભંગ. ૫ એણીપરે નવપદ ભાવશું એ, જપતાં નવ નવક્રોડ; પંડિત શાંતિવિજય તણો, શિષ્ય કહે કર જોડ. ç
૧
૨
૩
૪
(૨૧) શ્રી સિદ્ધચક્રનું ચૈત્યવંદન
જો ધુરિ સિરિ અરિહંત મૂલ દ્રઢ પીઠ પઈદ્ઘિઓ; સિદ્ધસૂરિ ઉવજ્ઝાય સાહુ ચિહું પાસ ગરરટ્ઠઓ. ૧ દંસણનાણ ચરિત્ર તવહિ ડિસાહા સુંદરૂં; તજ્ઞક્ષ્ર સર વગ્ગલદ્ધિ ગુરુ પયદલ દુંબરૂં. ૨ દિસિવાલ જલ્ખ જિક્ષણી પમુહ સુર કુસુમેહિં અલંકિઓ; સોસિદ્ધચક્ક ગુરુ કલ્પતરુ અમ્ડ મણવંછિય ફલ દિઓ. ૩
(૨૨) બીજનું ચૈત્યવંદન
દુવિધ બંધને ટાળીએ, જે વળી રાગને દ્વેષ, આતંરૌદ્ર દોય અશુભ ધ્યાન, નવિ કરો લવલેશ. ૧ બીજ દિને વળી બોધિબીજ, ચિત્ત ઠાણે વાવો; જેમ દુ:ખ દુર્ગતિ નવિ લહો, જગમાં જશ ચાવો. ૨
૩
Page #68
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
ભાવો રૂડી ભાવના એ, વાધો શુભ ગુણઠાણ; જ્ઞાનવિમલતપ તેજથી, હોય કોડી કલ્યાણ. ૩ (૨૩) પંચમીનું ચૈત્યવંદન
બાર પર્ષદા આગળે, શ્રી નેમિ જિનરાય; મધુર ધ્વનિ દીએ દેશના, ભવિજનને હિતદાય. ૧ પંચમી તપ આરાધીએ, જિમ લહિએ જ્ઞાન અપાર; કાર્તિક શુદ પંચમી ગ્રહો, હરખ ઘણો બહુમાન. પાંચ વરસ ઉપર વળી, પંચ માસ લગે જાણ; અથવા જાવાવ લગે, આરાધો ગુણખાણ. ને ગુણમંજરી, પંચમી આરાધે; આરાધન કરી,
શિવપુરીને સાધે. ઈણિપેરે જે આરાધશે, પંચમી વિધિસંયુક્ત; જિન ઉત્તમપદ પદ્મને, નમી થાયે શિવભક્ત. ૫
વરદત્ત
અંતે
× (૨૪) અષ્ટમીનું ચૈત્યવંદન
અષ્ટમી તપ આરાધીએ, ભાવ ધરી ઉલ્લાસ; આઠ આત્માને ઓળખો, પામો લીવિલાસ. આઠ બુદ્ધિ ગુણ આદરો, વળી અષ્ટાંગહ યોગ; આઠ મહાસિદ્ધિ સંપજે, નાવે શોકને રોગ. યોગદૃષ્ટિને આદરો એ, મિત્રાદિક અષ્ટ મહામદ ટાળીએ, જિમ પામો માતા આઠને, આદરો ધરી મનરંગ; આઠ જ્ઞાનને ઓળખી, શિવવધૂનો કરો સંગ. ગણી સંપદા આઠમી,
પ્રવચન
નરક
આઠમ દિને ધારો; તિર્યંચગતિ દુ:ખની, તેહનો નહીં ચારો. આઠ જાતિ કળશે કરી એ, નવરાવો જિનરાય; આઠ યોજન જાડી કહી, સિદ્ધશિલા મુનિરાય
39
સુખકાર;
ભવપાર.
૨
૪
૧
૨
૪
૫
Page #69
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પૂજા અષ્ટ પ્રકારની, સમજી કરો તસ મર્મ અષ્ટમી કરતાં પ્રાણીઓ, ક્ષય કરે આઠે કર્મ. ૭ દૂર કરી આઠ દોષને, તિમ અડગુણ પાળો; જ્ઞાન દર્શન ચારિત્રના, આઠ અતિચાર ટાળો. ૮ આઠ આઠ પ્રકારના એ, ભેદ અનેક પ્રકાર; અષ્ટમી ફળ પ્રભુ ભાખીયા, ત્રિગડે બેસી સાર. ૯ ફાગણ વદિ આઠમ દિને, મરૂદેવી જાય; દીક્ષા પણ તેહજ દિને, સુરનર મળી ગયો. ૧૦ સુમતિ અજિત જન્મસાર, સંભવજિન ચ્યવન; આઠમ દિન બહુ જાણજો, કલ્યાણતિથિ ભવન. ૧૧ અષ્ટમીતપ ભવિયણ કરી, કર્મ અપાવે જેહ; તપ કરતાં જસ સંપજે, શુભ ફળ પામે તેહ. ૧૨
ક (૨૫) શ્રી એકાદશીનું ચૈત્યવંદન 5. અંગ અગ્યાર આરાધીએ, એકાદશી દિવસે; એકાદશ પ્રતિમા વહો, સમક્તિ ગુણ વિકસે. ૧ એકાદશી દિવસે, થયા દીક્ષાને નાણ; જન્મ લહ્યા કેઈ જિનવરા, આગમ પરિમાણ. ૨ જ્ઞાન વિમલ ગુણ વાધતા એ, સકલ કળા ભંડાર; અગીયારસ આરાધતા, લહીએ ભવજળ પાર. ૩
= (૨૬) સામાન્ય જિન ચૈત્યવંદન 5 તુજ મૂરતિને નિરખવા, મુજ નયણાં તરસે, તુજ ગુણગણને બોલવા, રસના મુજ હરખે. ૧ કાયા અતિ આનંદ મુજ, તુમ પદયુગ ફરસે; તો સેવક તાર્યા વિના, કહો કેમ હવે સરસે. ૨ એમ જાણીને સાહિબાએ, એક નજર મોહે જોય; જ્ઞાનવિમલ પ્રભુ સુનજરથી, તેહશુ જે નવિ હોય. ૩
Page #70
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
(૨૭)
સામાન્ય જિન ચૈત્યવંદન
જય જય શ્રી જિનરાજ આજ, મળીયો મુજ સ્વામી; અવિનાશી અકલંકરૂપ, જગ અંતરજામી. રૂપારૂપી ધર્મદેવ, આતમ આરામી; ચિદાનંદ ચેતન અચિંત્ય
શિવલીલા પામી. ૨
સકલ સિદ્ધ વરબુદ્ધ;
,
૩
સિદ્ધ બુદ્ધ તુજ વંદતાં એ રમો પ્રભુ ધ્યાને કરી, પ્રગટે આતમ હૈં. કાળ અનંત સ્થાવર ગ્રહી, ભમીયો ભવમાંહી; વિકલેદ્રિય માંહી વસ્યો, સ્થિરતા નહીં ક્યાંહી. ૪ તિર્યંચ પંચેન્દ્રિય માંહી દેવ, કરમે હું આવ્યો; કરી કુકર્મ નરકે ગયો, તુમ દરશણ નહિ પાયો. ૫ એમ અનંતકાલે કરી, પામ્યો નર અવતાર; હવે જગતારક તું મલ્યો, ભવજલ પાર ઉતાર.
૧
(૨૮) શ્રી પંચતીર્થનું ચૈત્યવંદન
આજ દેવ અરિહંત નમું, સમરૂં તારૂં નામ; જ્યાં જ્યાં પ્રતિમા જિનતણી, ત્યાં ત્યાં કરૂં પ્રણામ. શત્રુંજયશ્રી આદિદેવ, ને નમું ગિરનાર; તારંગે શ્રી અજિતનાથ, આબુ રિખભ જુહાર. અષ્ટાપદ ગિરિ ઉપરે, જિન ચોવીસે જોય; મણિમય મૂરતી માનશું, ભરતે સમેતશિખર તીરથ વડુંએ, જ્યાં વૈભાર-ગિરિવર ઉપરે, શ્રી વીર્
ભરાવી સોય.
માંડવગઢનો રાજીઓ, નામે
દેવ સુપાસ;
ઋષભ કહે જિન સમરતા, પહોંચે મનની આશ. ૫
૩૯
વીશે જિનપાય; જિનેશ્વર રાય.
૧
ર
૪
Page #71
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૨૯) શ્રી પરમાત્માનું ચૈત્યવંદન પરમેશ્વર પરમાતમા, પાવન પરમિટ્ટ; જય જગગુરુ દેવાધિદેવ, નયણે મેં દિઢ. અચલ અકલ અવિકાર સાર, કરૂણારસ સિંધુ; જગતીજન આધાર નિષ્કારણબન્યું. ગુણ અનંત પ્રભુ તાહરાએ, કમહિ કહ્યા ન જાય; રમો પ્રભુ જિન ધ્યાનથી, ચિદાનંદ સુખ થાય. (૩૦) પર્યુષણાપર્વનું ચૈત્યવંદન
એક,
૩
હય
કલ્પ પૂરવદિને, ઘરે કલ્પને લાવો; જાગરણ પ્રમુખ કરી, શાસન સોહાવો. ગય શણગારી કુમર, લાવો ગુરુ પાસે; વડા કલ્પ દિન સાંભળો, વીરચરિત ઉલ્લાસે. છઠ્ઠ દ્વાદશ તપ કીજીએ, ધરીએ શુભ પરિણામ; સાધર્મવત્સલ પ્રભાવના, પૂજા અભિરામ. જિન ઉત્તમ ગૌતમ પ્રતે એ, ગુરુ મુખ પદ્મ ભાવશું,
વડા
રાત્રિ
કહે જો એકવીશ વાર; સુણતાં પામે પાર.
૪૦
૧
જાન્યા નહિ
છોડી મુજ
સંસાર;
મોહ અતિ અંધાર.
૨
૧
૨
૩
(૩૧) શ્રી ગૌતમસ્વામીનું ચૈત્યવંદન
ગૌતમ જિનઆણા ગયે, દેવશર્મ કે હેત;
પ્રતિબોધિ આવત
સુના,
સંકેત.
ગયા,
૩
વીર પ્રભુ મોક્ષે હાહા ભરતે હો ગયા, વીતરાગ નહિ રાગ હૈ, એક પક્ષો મુજ રાગ; નિષ્ફળ એમ ચિંતિત ગયો, ગૌતમ, મનસે રાગ. માન કયો ગણધર હુઓ, રાગ કીયો ગુરુ ભક્તિ; ખેદ કીયો કેવલ લીઓ, અદ્ભુત ગૌતમ શક્તિ. ૪ કૈવલ દીપ જગાવે રાય તે, તિણે દિવાલી નામ; એકમ ગૌતમ કેવલી, ઉત્સવ દિન અભિરામ.
૪
૧
૨
૫
Page #72
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
× (૩૨) શ્રી શાન્તિનાથ પ્રભુનું ચૈત્યવંદન શાન્તિ જિનેશ્વર સોળમા, અચિરાસુત નંદો; વિશ્વસેન કુલ નભમણિ, ભવિજન સુખ કંદો. મૃગ લંછન જિન આઉખું, લાખ વરસ પ્રમાણ; હત્થિણાઉ નયરી ધણી, પ્રભુજી ગુણમણિ ખાણ.
ચાલીશ ધનુષની દેહડીએ, સમ ચઉસ સંઠાણ; વદન પદ્મ જ્યું ચંદલો, દીઠે પરમ કલ્યાણ.
થર
થર કંપે કાય; મુજને સીંચાણો ખાય.
૪૧
૬ (૩૩) શ્રી શાંતિનાથજીનું ચૈત્યવંદન
દશમે ભવે શ્રી શાંતિજિન, મેઘરથ રાજા નામ; પોસહ લીધો પ્રેમથી, આત્મસ્વરૂપ અભિરામ. એક દિને ઈંદ્ર વખાણિયો, મેઘરથ રાય; ધર્મથી ચલાવ્યો નવિ ચલે, જો પણ પ્રાણ પરલોક જાય. ૨ દેવ માયા ધારણ કરી, પારેવો સીંચાણો થાય; અણધાર્યું આવી પડ્યું, પારેવડું ખોળા માંય. શરણે આવ્યું પારેવડું, રાખ રાખ તું રાજવી, જીવદયા મનમાં વસે, કહે નહિ આપુંરે પારેવડું, કહે તો અભયદાન દેઈ કરી, બાંધ્યું તીર્થંકર નામ; ઉદયરત્ન નિત્ય પ્રણમતા, પામે અવિચલ ધામ. $
એહ;
સીચાણાને કાપી આપું દેહ,
૬ (૩૪) શ્રી નેમનાથ પ્રભુનું ચૈત્યવંદન નેમિનાથ બાવીસમા, શિવાદેવી સમુદ્રવિજય પૃથ્વીપતિ, જે પ્રભુના દશ ધનુષ્યની દેહડી, આયુ વરસ શંખલંછનધર સ્વામીજી, તજી રાજુલનાર.
૧
માય;
તાય.
હજાર;
૨
૩
૧
૪
૧
Page #73
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સૌરીપુરી નયરી ભલી એ, બ્રહ્મચારી ભગવાન; જિન ઉત્તમ પદ પાને, નમતાં અવિચલ ઠાણ. ૩
(૩૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન કા આશ પૂરે પ્રભુ પાસજી, ત્રોડે ભવ પાસ; વામાં માતા જનમીયા, અહિ લંછન જાસ. ૧ અશ્વસેન સુત સુખકરૂ, નવ હાથની કાય; કાશી દેશ વારાણસી, પુણ્ય પ્રભુ આય. ૨ એકસો વરસનું આઉખું એ, પાળી પાર્શ્વકુમાર; પદ્મ કહે મુગતે ગયા, નમતાં સુખ નિર ધાર. ૩
F (૩૬) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન ચૈત્યવંદન ક
જય જય જય જગતાત ભ્રાત, ભવતાપ નિવારે; શરણાગત જન વચ્છ, સવિ જગજીવને તારે. ૧ કૃષ્ણાપતિ કાજે પ્રભુ, પ્રગટ પાતાલથી થાય; જરા નિવારી દુઃખ હર્ષ જાદવ બહુ સુખ પાય. ૨ અમિત ગુણ પાતક હરણ, હરિત વર્ણ સુખકાર; રંગ વંદે પારસ પ્રભુ, શંખેશ્વર શિરદાર. ૩
F (૩૭) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન જય ચિંતામણિ પાર્શ્વનાથ! જય! ત્રિભુવન સ્વામી; અષ્ટ કરમ રિપુ જીતીને, પંચમી ગતિ પામી. ૧ પ્રભુ નામે આનંદ કંદ, સુખ સંપત્તિ લહીયે; પ્રભુ નામે ભવ ભયતણાં, પાતિક સબ દહીયે. ૨ ૐ હ્રીં વર્ણ જોડી કરી એ, જપીએ પાર્શ્વનામ; વિષ અમૃત થઈ પરિણમે, પામે અવિચલ ઠામ. ૩
૪૨
Page #74
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
i (૩૮) શ્રી મહાવીરસ્વામીનું ચૈત્યવંદન સિદ્ધારથ સુત વંદી, ત્રિશલાનો જાયો; ક્ષત્રિયકુંડમાં અવતર્યો, સુરનરપતિ ગાયો. ૧ મૃગપતિ લંછન પાઉલે, સાત હાથની કાય; બહોતેર વર્ષનું આયખું, વીર જિનેશ્વર રાય. ૨ ક્ષમાવિજય જિનરાજનો એક ઉત્તમ ગુણ અવદાત; સાત બોલથી વર્ણવ્યા, “પદ્રવિજય” વિખ્યાત. ૩ F (૩૯) એકસો સીત્તેર જિન ચૈત્યવંદન ક સાથે જિનવર શામળા, રાતા ત્રીશ વખાણું લીલામરકત મણી સમા, આડત્રીશ વખાણું. ૧ પીળા કંચન વર્ણસમા, છત્રીસે જિનચંદ; શંખ વરણ સોહામણું, પચાશે સુખકંદ. ૨ સીત્તેર સો જિન વંદીએ એક ઉત્કૃષ્ટા સમકાળ; અજિતનાથ વારે હુવા, વંદુ થઈ ઉજમાળ. ૩ નામ જપતા જિનતણું, દુરગતિ દૂરે જાય; ધ્યાન ધ્યાતા પરમાત્માનું પરમ મહોદય થાય. ૪ જિનવર નામે જશ ભલો, સફળ મનોરથ સાર; શુદ્ધ પ્રતીતિ જિનતણી, શિવસુખ અનુભવ ધાર. ૫ ક (૪૦) સર્ભકત્યા દેવલોકે ચૈત્યવંદન SH સભઢ્યા દેવલોકે રવિશશિ ભવને વ્યંતરાણાં નિકાયે, નક્ષત્રાણાં નિવાસે ગ્રહગણપટલે તારકાણાં વિમાને; પાતાલે પન્નરેંદ્ર-સ્કુટમણિકિરણ ધ્વસ્ત સાંદ્રાંધકારે, શ્રીમત્તીર્થકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચેત્યાનિ વંદ. ૧ વૈતાઢ્ય મેરૂશંગે, રૂચકગિરિવર કુંડલે હસ્તિદતે, વખારે કૂટનંદીશ્વર-કનકગિરી નૈષધે નીલવંતે;
૪૩
Page #75
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ચિત્રે શૈલે વિચિત્રે યમકગિરિવરે ચક્રવાલે હિમાદ્રો, શ્રીમત્તીર્થકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચેત્યાનિ વંદે. ૨ શ્રીશૈલે વિંધ્યશૃંગે વિમલગિરિવરે ચન્દે પાવકે વા, સમ્મતે તારકે વા કુલગિરિશિખરેડષ્ટાપદે સ્વર્ણશૈલે; સહ્યાદ્રૌ વૈજયંતે વિપુલગિરિવરે ગુર્જરે રોહણાદ્રી, શ્રીમતીર્થકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચેત્યાનિ વંદે. ૩ આઘાટે મેદપાટે ક્ષિતિતટમુકુટે ચિત્રકૂટે ત્રિકૂટ, લાટે નાટે ચ ઘાટે વિટપિઘનતટે દેવકૂટે વિરાટે; કર્ણાટે હેમકંટે વિકટતરકટે ચક્રકૂટે ચ ભોટે, શ્રીમત્તીર્થકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચેત્યાનિ વંદે. ૪ શ્રીમાલે માલવે વા મલયિનિ નિષધે મેખલે પિછલે વા, નેપાલે નાહલે લા કુવલયતિલકે સિંહલે કેરલે વા; ડાહાલે કોશલે વા વિચલિતસલિલે જંગલે વા તમાલે, શ્રીમતીર્થકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચેત્યાનિ વંદે. ૫ અંગે ચંગે કલિંગે સુગતજનપદે સત્યપ્રયાગે તિલંગે, ગૌડે ચૌડે મુરડે વરતરદ્રવિડે ઉદ્રિયાણે ચ પંડ્રેડ આદ્ર માદ્ર પુલિંદ્ર દ્રવિડકુવલયે કાન્યકુબ્ધ સુરાષ્ટ્ર, શ્રીમત્તીર્થકરાણાં પ્રતિદિવસમહં તત્ર ચેત્યાનિ વંદે. ૬ ચંપાયાં ચંદ્રમુખ્યાં ગજપુરમથુરાપત્તને ચોજ્જયિન્યાં, કૌશાંબાં કોશલાયાં કનકપુરવરે, દેવગિર્યા ચકાશ્યા; નાશિદ્દે રાજગેહે દશપુરનગરે ભદિલે તામ્રલિપ્યાં, શ્રીમતીર્થકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચૈત્યાનિ વંદ. ૭ સ્વર્ગે મર્ટેડન્તરિક્ષ ગિરિશિખરદ્રહે સ્વર્ણદીનીરતીરે, શૈલાષ્ય નાગલોકે જલનિધિપુલિને ભૂરુહાણાં નિકુંજે; ગ્રામેડરણ્ય વને વા સ્થલજલવિષમે દુર્ગમધ્યે ત્રિસંધ્યું, શ્રીમત્તીર્થંકરાણાં પ્રતિદિવસમાં તત્ર ચેત્યાનિ વંદે. ૮ શ્રીમન્મેરી કુલાઢૌ રૂચકનગવરે શાલ્મલૌ જંબૂવૃક્ષે, ચોક્ઝાન્ય ચૈત્યવંદે રતિકરરૂચ, કડલે માનુષાંકે;
४४
Page #76
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
ઈસુકારે જિનાદ્રો દધિમુખચગિરી વ્યંતરે સ્વર્ગલોકે, જ્યોતિર્લોકે ભવંતિ ત્રિભુવનવલયે યાનિ ચેત્યાલયાનિ.
શ્રીમત્તિી ૯ ઈત્યં શ્રી જૈનચૈત્યસ્તવનમમુદિન યે પઠન્તિ પ્રવીણા, પ્રોદ્યકલ્યાણહેતું કલિમલહરણે ભક્તિભાજસ્ત્રિસંધ્ય; તેષાં શ્રી તીર્થયાત્રાફલમતુમલ જાયતે માનવાનાં, કાર્યાણ સિદ્ધિરુચ્ચે પ્રમુદિતમનમાં ચિત્તમાનંદકારિ.
શ્રીમત્તી ૧૦ 5 (૪૧) સુરકિન્નર ચૈત્યવંદન કા સુરકિન્નરનાગમરિંદનત, પ્રણમામિ યુગાદિમજિનમજિત; સંભવમભિનંદનમથ સુમતિ, પદ્મપ્રભમુજ્જવલધરમતિ.... ૧ વંદે ચ સુપાર્શ્વજિનેન્દ્રમાં, ચન્દ્રપ્રભમષ્ટકુકર્મદહં; સુવિધિપ્રભુશિતલજિનયુગલ, શ્રેયાંસમસંશયમતુલબલમ. ૨ પ્રભુમચર્ય નૃપવાસુપૂજ્યસુત, જિનવિમલમનંતમભિજ્ઞનત; નમ ધર્મમધર્મનિવારિગુણ, શ્રી શાંતિનુત્તરકાંતિગુણમ્. ૩ કુંથશ્રીઅરમલ્લીશજિનાનુ, મુનિસુવ્રતનમિનેમીસ્તમસિદિનાનું શ્રી પાર્શ્વજિનેન્દ્રમિભેન્દ્રનત, વંદે જિનવીરમભીરુતમમ્. ૪
કિલશ ઈતિ-નાગ-કિન્નર-નર-પુરન્દર-વંદિત-ક્રમ-પંકજા, નિર્જિત-મહારિપુ-મોહ-મત્સર-માન-મદ-મકરધ્વજાઃ, વિલસત્તિ સતત સકલ-મંગલ કેલિ-કાનન-સબ્રિભાત, સર્વે જિના મે હૃદય-કમલે રાજહંસસમપ્રભા. ૫
gk (૪૨) શ્રી વર્ધમાન તપનું ચૈત્યવંદન 5. વર્ધમાન જિન ઉપદિશે, વર્ધમાન તપસાર; કરવો વિધિ જોગે સદા, કઠિન કર્મ સંહાર. ૧
૪૫
Page #77
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
એકેકું આંબિલ વધે, યાવત્ શત પરિણામ; સાધિક ચૌદ વર્ષમાં, પૂરણ ગુણમણિખાણ. ૨ તપ મંદિરની ઉપરે એ, શોભે શિખર સમાન; ધર્મરત્ન તપસ્યા કરી, પામે પદ નિર્વાણ. ૩
- (૪૩) શ્રી દીવાળીનું ચૈત્યવંદન 5 સિદ્ધારથનૃપ કુલતિલો, ત્રિશલા જસ માત; હરિ લંછન તનુ સાત હાથ, મહિમા વિખ્યાત. ૧ ત્રીશ વરસ ગૃહવાસ ઠંડી, લીએ સયંમ ભાર; બાર વરસ છદ્મસ્થ માન, લહી કેવલ સાર. ૨ ત્રિીશ વરસ એમ સવિ મળીએ, બહોતેર આયુ પ્રમાણ; દિવાળી દિન શિવ ગયા, કહે “નય’ તેહ ગુણખાણ. ૩
ક (૪૪) શ્રી રોહિણી તપનું ચૈત્યવંદન 55 રોહિણી તપ આરાધીએ, શ્રી વાસુપૂજ્ય; દુઃખ દોહગ દૂરે ટળે, પૂજક હોય પૂજ્ય. ૧ પહેલા કીજે વાસક્ષેપ, પ્રહ ઉઠીને પ્રેમે; મધ્યાહૂને કરી ધોતીઆ, મન વચન કાય એમે. ૨ અષ્ટ પ્રકારની વિરચીએ, પૂજા નૃત્ય વાજિંત્ર; ભાવે ભાવના ભાવીએ, કીજે જન્મ પવિત્ર. ૩ ત્રિહુંકાલે લેઈ ધૂપદીપ, પ્રભુ આગળ કીજે; જિનવર કેરી ભક્તિ શું, અવિચળ સુખ લીજે. ૪ જિનવર પૂજા જિન સ્તવન, જિનનો કીજે જાપ; જિનવર પદને ધ્યાઈએ, જિમ નાવે સંતાપ. ૫ ક્રોડ ક્રોડ ફળ લીજીએ, ઉત્તર ઉત્તર ભેદ, માન' કહે ઈણ વિધિ કરો, જિમ હોય ભવનો છેદ. ૬
૪s
Page #78
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
SF (૪૫) પંચપરમેષ્ઠિના ગુણનું ચૈત્યવંદન 55. બાર ગુણે અરિહંત દેવ, પ્રણમીજે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દોહગ જાવે. ૧ આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્તાવીશ ગુણ સાધુના, જપતાં શિવસુખ થાય. ૨ અષ્ટોત્તર શત ગુણ મલીએ, એમ સમરો નવકાર; ધીરવિમલ' પંડિત ‘તણો', નય પ્રણમે નિત્ય સાર. ૩ ક૬ (૪૬) શ્રી તીર્થકર રાશિ ચૈત્યવંદન 5 શાંતિ નમિ મલ્લિ મેષ છે, કુંથુ અજિત વૃષ ભાતિ; સંભવ અભિનંદન મિથુન, ધર્મ કર્ક સિંહ સુમતિ. ૧ કન્યા પદ્મપ્રભ નેમ વીર, પાસ સુપાસ તુલાએ; શશી વૃશ્ચિક ધન ઋષભદેવ, સુવિધિ શીતલ જિનરાય. ૨ મકર સુવ્રત શ્રેયાંસને, બારમા ઘટ મીન લીલ; વિમલ અનંત અર નામથી, સુખીયા શ્રી શુભવીર. ૩ (૪૭) શ્રી ચોવીશ જિનના વર્ણનું ચૈત્યવંદન 5 પદ્મપ્રભ ને વાસુપૂજ્ય, દોય રાતા કહીએ; ચંદ્રપ્રભ ને સુવિધિનાથ, દો ઉજ્વલ લહીએ. ૧ મલ્લિનાથ ને પાર્શ્વનાથ, દો નીલા નીરખ્યા; મુનિસુવ્રત ને નેમનાથ, દો અંજન સરિખા. ૨ સોળે જિન કંચન સમાએ, એવા જિન ચોવીશ;
ધીરવિમલ' પંડિત તણો, જ્ઞાનવિમલ કહે શિષ્ય. ૩ 5 (૪૮) શ્રી અઢાર દોષ વર્જિત જિન ચૈત્યવંદન 5. ક્રોધ માન મદ લોભ માય; અજ્ઞાન અરતિ રતિ; હાસ્યાદિક નિદ્રા અને, મત્સર ને અપ્રીતિ. ૧
.
४७
Page #79
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શોક ભય
રતિક્રીડા
પ્રસંગ;
અને પ્રીતિ, દોષ અઢાર પ્રગટ નિકટ, નહીં જેને અંગ. દેવ સર્વ શિર સેહરો એ, તે કહીએ નિરધાર; ‘જ્ઞાનવિમલ’પ્રભુ ભુવનનો, પુણ્ય તણો ભંડાર.
૨
૬ (૪૯) શ્રી તીર્થંકાર ભવોનું ચૈત્યવંદન પ્રથમ તીર્થંકર તણા હુવા, ભવ તેર કહીજે; શાંતિતણા ભવ બાર સાર, નવ ભવ નેમ લહીજે. ૧ દેશભવ પાર્શ્વજિણંદને, સત્યાવીશ શ્રી વીર; શેષ તીર્થંકર ત્રિજું ભવે, પામ્યા ભવજલતી૨. જ્યાંથી સમક્તિ ફરસિયું એ, ત્યાંથી ગણીએ તેહ; ઘીરવિમલ પંડિત તણો, જ્ઞાનવિમલ ગુણ ગેહ.
૩
૪૮
૨
(૫૦) ચોવીશ તીર્થંકરના તપ-દીક્ષા નગરી વિગેરેનું ચૈત્યવંદન
જિનેશ. ૩
સુમતિનાથ એકાસણું, કરી સંયમ લીધ; મલ્લિ પાસ જિનરાય દોય, અક્રમ શું પ્રસિદ્ધ. છઠ્ઠુ ભક્ત કરી અવર સર્વ, લીયે સંયમ ભાર; વાસુપૂજ્ય કરી ચોથ ભક્ત, થયા શ્રી અણગાર. વર્ષાન્તે પારણું કરે એ, ઈક્ષુરસે રસહેશ; પરમાને બીજે દિને, પારણું અવર વિનીતા નયરીએ લીયે, દીક્ષા શ્રી પ્રથમ જિણંદ; દ્વારા નયરી શ્રી નેમિનાથ, સહસા અને વૃંદ. ૪ શેષ તીર્થંકર જન્મ ભૂમિ, લીયે સંયમ ભાર, અણપરણ્યા શ્રી મલ્લિનાથ, નેમિનાથ કુમાર. ૫ વાસુપૂજ્ય પાસ વીરજીએ, ભૂપ થયા નવિ એહ; અવર રાજ્ય ભોગવી થયા, જ્ઞાનવિમલગુણ ગેહ. ૬
૧
૨
Page #80
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
ચાર સહસશું ઋષભદેવ, શ્રી વીર એકાકી; ત્રણ શત મલ્લિ પાસ, સહસ સાથે બાકી. ૭. પર્શત સાથે વાસુપૂજ્ય, લહે સંયમભાર; મન:પર્યવ તવ ઉપજે, સવિ જિનને સુખકાર. ૮ એમ ચોવીશે જિનવરાએ, સંભાર્યા સુખ થાય; જ્ઞાનવિમલ સૂરિ ઈમ કહે, હોજો જિન સુપસાય. ૯
E (૫૧) સામાન્ય જિન ચૈત્યવંદન . જિનવર બિંબને પૂજતાં, હોય શત ગણું પુણ્ય; સહસ્ત્રગણું ફળ ચંદને, જે લેપે તે ધન્ય. ૧ લાખ ગણું ફલ કુસુમની, માલા પહેરાવે; અનંતગણું ફલ તેહ તેહથી, ગીતગાન જે ગાવે. ૨ તીર્થકર પદવી વરે, જિન પૂજાથી જીવ; પ્રીતિ ભક્તિ પણે કરી, સ્થિરતા પણે અતીવ. ૩ જિન પડિમા જિન સારિખી, શ્રી સિદ્ધાંતે ભાખી; નિક્ષેપ સહુ સારિખા, થાપના તિમહીજ દાખી. ૪ ત્રણ કાલ ત્રિભુવન માંહિ, કરતાં પૂજન જેહ, દરિશન કેરૂં બીજ છે, એમાં નહિ સંદેહ, ૫ જ્ઞાનવિમલ પ્રભુ તેહને, હોય સદા સુપ્રસન્ન; એહ જીવિત ફલ જાણ છે, તેથી જ ભવિજન ધન્ન. ૬
(૫૨) પંચમીનું ચૈત્યવંદન કા યુગલા ધર્મ નિવારીઓ, આદિમ અરિહંત; શાંતિકરણ શ્રી શાંતિનાથ, જગ કરૂણાવંત. ૧ નેમિનાથ બાવીસમા, બાલ થકી બ્રહ્મચારી; પ્રગટ પ્રભાવી પાર્શ્વદેવ, રત્નત્રય ઘારી. ૨ વર્તમાન શાસનધણીએ, વર્ધમાન જગદીશ; પંચે જિનવર પ્રણમતાં, વાધે જગમાં જગીશ. ૩
૧૪૯ -
४८
Page #81
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જન્મ કલ્યાણક પંચરૂપ, સોહમપતિ આવે; પંચવર્ણ કળશે કરી, સુરગિરિ નવરાવે. ૪ પંચ સાખ અંગુઠો, અમૃત સંચારે, બાલપણે જિન વાજ કાજ, એમ ભક્તિશું ધારે. ૫ પંચધાવ પાલી જતે, યૌવન વય પાવે; પંચ વિષય વિષવેલી તોડી, સંયમ મન ભાવે. ૬ પંચ પ્રમાદ પંચ, ઈદ્રિબલ મોડી; પંચ મહાવ્રત આદરે, દેઈ ધન કોડી. ૭. પંચાચાર આરામમાં, પામ્યા પંચમ જ્ઞાન; પંચ દેહ વર્જિત થયા, પંચ હસ્તાક્ષર માન. ૮ પંચમી ગતિ ભરતાર તાર, પૂર્ણપરમાનંદ; પંચમી તપ આરાધતાં, ક્ષમાવિજય જિનચંદ. ૯
૦
E (૫૩) શ્રી પાર્શ્વવનાથપ્રભુનું ચૈત્યવંદન 5. ૐ નમઃ પાર્શ્વનાથાય, વિશ્વચિન્તામણીયતે; હું ધરણેન્દ્ર-વૈરૂટ્યા-પઘાદેવી-યુતાય તે. શાન્તિ-તુષ્ટિ-મહાપુષ્ટિ-વૃતિ- કીર્તિ-વિધાયિને; ૐ હું દ્વિવ્યાલવૈતાલ, સર્વાધિવ્યાધિનાશિને. જયાડજિતાખ્યા વિજયાખ્યાડપરાજિતયાન્વિત દિશપાલેગેહિયક્ષેર્વિદ્યાદેવીભિરન્વિતઃ. 3ૐ અસિઆઉસાય નમસ્તત્ર સૈલૌક્યનાથતામ્ ચતુઃષષ્ટિસુરેન્દ્રાસ્તે, ભાસને છત્રચામરે. શ્રીશંખેશ્વરમંડન! પાર્શ્વજિન! પ્રણતકલ્પતરૂકલ્પ! ચૂરય દુવ્રત, પૂરય મે વાંછિત નાથ!
જ
દ
૫૦
Page #82
--------------------------------------------------------------------------
________________
ચૈત્યવંદનો
૬ (૫૪) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું ચૈત્યવંદન પુર્ણ જય જય શિખર ગિરીશઈશ, વીશ જિનેશ્વર નામી; અણસણ કરી ઈહા કને, પંચમી ગતિ પામી. બીજા પણ બહુ મુનિવરા, શિવ ગતિના ગામી; પરમાતમ પદ પામીયા, હું વંદુ શિર
નામી. ૨
એ અવદાત સુણી કરી, હું એ આવ્યો છું તુજ આગળે,
શ્રી શામલિયા પાસ જી, હૂં છે દીનદયાળ; અરજી સુણી માહરી, ઘો શિવ વરમાળ. હું અનાથ ભમિયો ઘણું, ન આપી પદ પોતા તણું, રાગરીશ ક્રોધે ભર્યો એ, નિંદક ને અવિવેક;
મલ્યો તુમ સમ નાથ; નિજ
રાખો
સાથ.
એ
સઘળું ઉવેખીને,
રાખો નિજ ટેક.
મુજ
મુજ
પદ
કામી;
કીમે કીજે પામી.
પાપીના પાપને, લક્ષ્મીને આશો, આશા છે
દૂર કરી હાર;
૫૧
કુર્મ (૫૫) શ્રી આદિનાથ ચૈત્યવંદન આદિનાથ જગન્નાથ, વિમલાચલ મંડન, જય નાભિકુલાકાશપ્રકાશન દિવાકર. ૧. તવ દેવ ! પદાં ભોજ-સેવાડપિ દુર્લભા ભવેત્, પુણ્ય સંભાર હીનાનાં કલ્પ વલ્લીવ દેહીનામ્ ૨. તે ધન્યા માનવા દેવા, યેડગમંસ્તવશાસનં; વંદની યૌ વિભાતે યે, વદત્તે ભવતઃ પૌ. ૩. મમ પ્રચંડ રાગાદિરિપુ સંસતિ ઘાતકાં શ્રી યુગાદિ જિનાધીશં, દેવં વંદે મુદા સદા. ૪. શ્રી શત્રુંજય કોટાર-કૃતં રાજ્ય શ્રિયા વિભો ! સર્વધનાશનું મેડસ્તુ; શાસનં તે ભવભવે. ૫. પાતાલે યાનિ બિંબાનિ, યાનિ બિંબાનિ ભૂતલે; સ્વર્ગેડપિ યાનિ બિંબાનિ તાનિ વંદે નિરંતર ૬.
૧
૩
૪
ભરપુર. ૭
Page #83
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સ્તુતિ (થોય) સંગ્રહ
૬ (૧) શ્રી સિદ્ધાચલજીની સ્તુતિ (રાગ-રઘુપતિ રાઘવ રાજા રામ)
શ્રી શત્રુંજય મંડણ રિષભ જિણંદ, પાપતણો ઉન્મૂલે કંદ; મરૂદેવી માતાનો નંદ, તે વંદુ મનધરી આણંદ. ત્રણ ચોવીશી બિહુત્તર જિના, ભાવધરી વંદુ એકમના; અતીત અનાગત ને વર્તમાન; તિમ અનંત જિનવર ધરો ધ્યાન. જેહમાં પંચ કહ્યા વ્યવહાર, નય પ્રમાણ તણા વિસ્તાર; તેહન: સુણવા અર્થ વિચાર, જિમ હોય પ્રાણી અલ્પ સંસાર. ૩ શ્રી જિનવરની આણ ધરે, જગ જશવાદ ઘણો વિસ્તરે; શ્રી જ્ઞાનવિમલસૂરિ સાન્નિદ્ધ કરે, શાસન દૈવી સંકટ હરે. ૪
શુભ
વળી
મૂળસૂત્ર ચાર, પયન્ના ઉદાર, છંદ પ્રવચન વિસ્તાર, ભાષ્ય
દશ
નંદા,
(૨) સિદ્ધાચલજીની સ્તુતી
સવિ મળી કરી આવો, ભાવના ભવ્ય ભાવો, વિમલગિરિ વધાવો, મોતીના થાળ લાવો; જો હોય શિવં જાવો, ચિત્ત તો વાત લાવો, ન હોય દુશ્મન દાવો, આદિપૂજા રચાવો. શુભ કેસર ધોળી, માંહે કપૂર ચોળી, પહેરી સિત પટોળી, વાસીયે ગંધ ઘોળી; ભરી પુષ્કર નોલી,
ટાળીયે
વિ જિનવર
દુ:ખ હોળી, ટોળી, પૂજીએ ભાવભોળી. અંગ અગ્યાર, તેમ ઉપાંગ બાર, નંદી
અનુયોગદ્વાર;
ષટ્ વૃત્તિ સાર,
નિર્યુક્તિ સાર. ૩
જય
કરે
જય જય
પરમાનંદા,
પર
જૈનદૃષ્ટિ સુરિંદા,
દુઃખદંદા;
૧
ટાળતા
ર
૧
ર
Page #84
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
સૂરિંદા, સામ્યમાકંદકંદા; વિમળગિનિંદા, ધ્યાનથી નિત્ય ભદ્દા. ૪
જ્ઞાનવિમલ
વર
૬ (૩) શ્રી શત્રુંજયની સ્તુતિ
શત્રુંજય મંડન, ઋષભ-જિણંદદયાળ મરૂદેવાનંદન, વંદન કરું ત્રણ કાળ; એ તીરથ જાણી, પૂરવ નવાણુંવાર, આદીશ્વર આવ્યા. જાણી લાભ અપાર. ૧.
ત્રેવીશ તીર્થંકર, ચઢીયા ઈણ ગિરિરાય, એ તીરથના ગુણ, સુર અસુરાદિક ગાય; એ પાવન તીરથ, ત્રિભુવન નહિ તસ તોલે, એ તીરથના ગુણ, સીમંધર મુખ બોલે. ૨. પુંડરિકગિરિમહિમા, આગમમાં પ્રસિધ્ધ, વિમલાચલ ભેટી, લહિયે અવિચલ ઋદ્ધ; પંચમી ગતિ પહોંચ્યા, મુનિવર કોડાકોડ, એણે તીરથ આવી, કર્મ-વિપાક વિછોડ. ૩. શ્રી શત્રુંજય કેરી, અહોનિશ રક્ષાકારી, શ્રી આદિ-જિનેશ્વર આણ હૃદયમાં ધારી, શ્રી સંઘ વિઘનહર, કવડ જક્ષ ગણભૂર, શ્રી રવિબુધસાગર, સંઘના ચૂર. ૪.
× (૪) શ્રી શત્રુંજંયની સ્તુતી
(રાગ-રઘુપતિરાઘવ રાજારામ)
જય જય જય જન તારણ હાર, વિમલાચલ મંડન મનોહાર; જિહાં મુરતિ પુંડરિક ગણધાર, ચૈત્રીદિને ભવિજન આધાર. ૧ અઢી દ્વીપ ચોવીશમાન, અતીત અનાગત ને વર્તમાન; સાતસે શ્રી જિન ઉપર વીશ, ચૈત્રી દિન પ્રણમું નિશદિશ. ૨ અંગ અગ્યાર ઉપાંગ બાર, દશ પયન્ના છેદ ષટ્ સાર; ચાર મૂલ નંદી અનુયોગ એ, પણયાલ નમો ભવિલોગ. ૩ કમલવદની કમલદલ લોચની, કમલનિવાસિની કમલકાન્તિની; સરસતી દેવી સુખદાઈ, વક્રાંત રત્ન એ અંબામાઈ. ૪
૫૩
Page #85
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૫) સીમંઘરસ્વામી જિન સ્તુતિ સીમંધર સ્વામી ગુણનીલા, કિમ વાંદુ જઈ વસ્યા વેગલા; બીજે ચંદલો ઉગ્યો ઉદય કાલ, ભાવે વંદના હોજો ત્રણકાલ. ૧ વાંદુ વીસે જિનવર વિહરમાન, પાંચે તિથિ પામ્યા વિમલ જ્ઞાન, જગ નાથજી બાળો વિષય કક્ષ, ભાવે વંદના જ્યાં હોજો દોય પક્ષ. ૨ બીજે તપ કર્યા સુખ સાધના શ્રાવક મુનિ ધર્મ આરાધના બેસી ત્રિગડે કહે સીમંધર, તિહાં આગમ ગુંથે ગણધર. ૩ પંચાંગુલી સંઘ રખવાલિકા, મુજ દેજો મંગલમાલિકા, ભાવવિજય વાચકનો શિષ્ય ભાણ; કહે તુઠી દેવી કરે કલ્યાણ. ૪
H (૬) સીમંધરસ્વામીની સ્તુતિ Hi શ્રી સીમંધર મુજને વ્હાલા, આજ સફળ દિન વિહાણું જી, ત્રિગડે તેજ તપતા જિનવર, મુજ તુક્યા હું જાણું છે; કેવળ કમળા કેલિ કરતા, કુળમંડન કુળદીવો જી; લાખ ચોરાશી પૂરવ આયુ, રૂક્ષ્મણીવર ઘણું જીવો જી. સંપ્રતિકાળે વીસ તીર્થકર, ઉદયા અભિનવ ચંદા જી; કઈ કેવળી કઈ બાળપણે, કેઈ મહીપતિ સુખકંદા જી; સુરનર કોડાકોડી મળીને, જુએ મુખ અરવિંદા જી. શ્રી સીમંધર આદિ અનુપમ, મહાવિદેહ ક્ષેત્રે નિણંદા જી. ૨ શ્રી સીમંધર ત્રિગડું જોવા, અળજ્યો હું વાણી જી, વાટ વિષમ ને આડાં ડુંગર, આવી ન શકે તો પ્રાણી છે; રાગ ઘરી રંગ ધરી પાયે લાગું, સૂત્ર અર્થ મન આણી જી, અમૃતરસથી અધિક વખાણી, જીવદયા પટરાણી જી. પંચાંગુલિ તુહિજ પ્રત્યક્ષ, તુંહિ જગમાં માતા જી, પહેરી ચરણા ચોળી કાળી, અધર વિરાજે રાતા જી; સ્વર્ગભવન સિંહાસન બેઠી, તું હિ દેવી વિખ્યાતા છે, સીમંધર શાસન રખવાળી, શાંતિ કુશળ સુખશાતા જી. ૪
૫૪
Page #86
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ E (૭) શ્રી સિદ્ધચક્રજીની સ્તુતિ H. અરિહંત નમો વળી સિદ્ધ નમો, આચારક વાચક સાહુ નમો; દર્શન જ્ઞાન ચારિત્ર નમો, તપ એ સિદ્ધચક્ર સદા પ્રણમો. ૧ અરિહંત અનંત થયા થાશે, વળી ભાવનિપેક્ષે ગુણ ગાશે; પડિક્કમણાં દેવવંદન વિધિશું, આંબિલ તપ ગણણું ગણો વિધિશું. ૨ છ-રી પાળી જે તપ કરશે, શ્રીપાળ તણી પેરે ભવ તરશે; સિદ્ધચક્રને કુણ આવ તોલે, એહવા જિન-આગમ ગુણ બોલે. ૩ સાડાચાર વરસે એ તપ પૂરો, એ કર્મવિદારણ તપ શૂરો; સિદ્ધચક્રને મન-મંદિર થાપો, નવિમલેસર વર આપો. ૪
(૮) શ્રી આદિજિન સ્તુતિ . ગજ કુંજે બેસી, આવે પ્રથમ જિન માત, સુણી દુંદુભી શ્રવણે પખવી, રિદ્ધિ વિખ્યાત; અહો માહરે ઋષભ, મુજ શું પ્રીત ન આણી, એમ અનિત્ય દસાએ, હુવા અંતગડ નાણી. ૧ કરી ત્રિગુણ ત્રિગુપ્તિ, કર્મ દહન પ્રતિકુલ, કરી ધ્યાન મહાનલ, ભવસ્થિતિનો આહુત; એમ યજ્ઞ રચીને, શિવ ફુલ લીધા જગશ, તે વંદુ અહનિશિ, એવા જિન ચોવીશ. ૨ નાણદંસણાવરણી, વેદની મોહની આઊ, નામ ગોત્ર વિઘન ઈમ, આઠ કરમ વિધુરાઊ; પણ નવ દુ અડવીશ, ચઉ ઈગસય તિન્નેવ, દુગપંચ પ્રકૃતિ ઈમ, ભાખે ભગવંત દેવ. ૩ ચક્રેશ્વરી દેવી, ભૂતલ વિમલ ચરિત્ર, પ્રભુ ચરણ કૃપાથી, દેહી જાસ પવિત્ર, જિનશાસન સાનિધ્યકારી એ સંસાર; કવિ રૂપ વિબુધનો મોહન જય જયકાર. ૪
૫૫
Page #87
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા × (૯) શ્રી આદિજિન સ્તુતિ
આદિ જિનવર રાયા, જાસ સોવન કાયા; મરૂદેવી માયા, ધોરી લંછન પાયા; જગત સ્થિત નિપાયા; શુદ્ધ ચારિત્ર પાયા; કેવલશ્રી રાયા, મોક્ષ નગરે સિધાયા. ૧
સવિજિન સુખકારી, મોહ મિથ્યા નિવારી, દુર્ગતિ દુઃખભારી, શોક સંતાપ વારી; શ્રેણી ક્ષપક સુધારી, કેવલાનંત ધારી, નમીયે નરનારી, જેહ વિશ્વોપકારી. ૨
સમવસરણે બેઠા, લાગે જે જિનજી મીટ્ટા, કરે ગણપ પઈટ્ટા, ઈંદ્ર ચન્દ્રાદિ દિંઢા; દ્વાદશાંગી રિકા, ગુંથતા ટાળે રિટ્ઠા, ભવિજન હોય હિટ્ટા, દેખી પુણ્યે ગરિટ્ટા. ૩
સુર સમકિતવંતા, જેહ ઋદ્રે મહંતા, જેહ સજ્જન સંતા, ટાલીયે મુજ ચિંતા; જિનવર સેવંતા, વિઘ્ન વારે દુરંતા, જિન ઉત્તમ થુણંતા, પદ્મને સુખ દિંતા. ૪
૬ (૧૦) શ્રી આદિનાથની થોય
સર્વાર્થસિદ્ધથી ચવી એ, મરુદેવી ઉદરે ઉપન્ન તો; યુગલા ધર્મ શ્રી ઋષભજી એ, ચોથ તણો દિન ધન્ન તો. ૧ મલ્લિ પાસ અભિનંદન એ, ચવિયા વળી પાસ નાણ તો; વિમલ દીક્ષા ઈમ ષટ્ થયા એ, સંપ્રતિ જિનકલ્યાણ તો. ૨ ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિહ દેવ નિકાય તો; ચઉમુખ ચઉવિધ દેશના એ, ભાખે સૂત્ર સમુદાય તો. ૩ ગૌમુખ યક્ષ ચક્કેસરી એ, શાસનની રખવાળ તો; સુમતિ સંયોગ સુવાસના એ, નય ધરી નેહ નિહાળતો. ૪
૬ (૧૧) શ્રી શીતલજિન સ્તુતિ
શ્રી શીતલ જિન શીતલકારી, ભવિજનને મન ભાયજી, શાંત સુધારસ નયન કચોલા, કનક સુકોમલ કાયજી;
૫૬
Page #88
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
દશરથરાય સુત નંદાનંદન, પ્રણમે સુરનર પાયજી, જન્મજરા મરણ તાપ સમાવા, અહર્નિશ ગુણ ગણ ગાયજી. ૧ અતીત અનાગત હુઆ હોશે, જિનવર અનંત અપારજી, વિહરમાન જિન વિચરે વિશે, મહાવિદેહ મઝારજી; રૂષભ ચંદ્રાનન વારિખેણ, વલી વર્ધમાન એ ચારજી, ચાર નિખેડે સવિજિન સેવો, જિમ પામો ભવપારજી. ૨ અત્તા પરંપરા આગમ જિનવર, ગણધર સામે દાખ્યુંજી, સૂત્રથી મુનિવરને આપ્યું, સુરનરને અરથ ભાખ્યુંજી; સાધુ સૂરિ ઉવઝાય વિધિસ, ભણી ગણી ચિત્તમાં રાખ્યુંજી, સુલભ બોધિ અલ્પ સંસારી, તેણે અનુભવ ચાખ્યુંજી. ૩ ચીર ચુંદડી ચોલી ચરણાણું, પહિરણ ઝાક ઝમાલજી, બ્રહ્મયક્ષ અશોકા જખણી, દીસે અતિ ઉજમાલજી; શીતલ જિનની સેવા સારઈ, ધરમીને પ્રતિપાલજી, રૂપવિજય મુનિ માણેક સંઘને, નિતનિત મંગળ માળજી. ૪
ક (૧૨) શ્રી વાસુપૂજ્ય જિન સ્તુતિ HF શ્રી વાસુપૂજ્ય પૂજીએ, જિનચરણ તણા ફળ લીજીએ; દેવી રાણી જય કરો, મનવંછિત પૂરણ સુરતરો. ૧ પાંચ ભરત પાંચ એરવતા, પાંચ મહાવિદેહમાં વિચરતા; ત્રણ ચોવીશી બહોતેરા, જિન વીસ નમું જિન સુખકરા. ૨ ત્રિગડે બેઠા જિન ભણે, તિહાં વયણે કરી વખાણ કરે; જોજન લગી જિનવાણી વિસ્તરે, બાર પર્ષદા બેઠી ચિત્ત ધરે. ૩ શાસનદેવી નામ પ્રભા, સંઘ સકલ સોલંકરા; વર વાચક મેઘ પવન મુદા, મેઘચંદ્ર હુવા સુખ સંપદા. ૪
H (૧૩) શ્રી શાંતિનાથ જિન સ્તુતિ મૂળવિધિ મંગલ શાંતિ તણી, તુજ વંદન મુજ ખાંત ઘણી; જબ દીઠે તબમોરી ચિત્ત ઠરી, પ્રભુ દુર્ગતિ માહરી દુરહરી. ૧
પ૭
Page #89
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
રિખવાદિક જિનવર ચિત્તકરી, મેં લબ્ધિમાંહી લીલ કરી; આજ સખીરે મુજ રંગ રળી, જેમ દૂધમાંહી સાકર ભળી. ૨ ભગવંત ભાખે તત્તિ કરી, આણંદ ચાલ્યો પુન્ય ભણી; આગમ આરાધો નરનારી, આગલ પામો સુખ ભારી. ૩ રૂમઝુમ કરતી રંગ રળી, નિર્વાણ દેવી તુજ્જખરી; સહુ સંઘના વિઘ્ન હરે દેવી, વિજય જશની આશ ફળે એવી. ૪
૬ (૧૪) શ્રી કુંથુનાથ જિન સ્તુતિ
કુંથુજિન આણા શિરધરી, ભવિ ઝટપટ લ્યો શિવસુંદરી; ચક્રી છઠ્ઠા મુજ મન વસ્યા, અતિ અંતરભાવો ઉલસ્યાં. ૧ ચોવીશ જિન દિલ ધારીએ, ચોવીશ દંડક દૂર વારિયે; ચોવીસી ગુણગણ છે ભરી, તે સેવી લ્યો ભવજલ તરી. ૨ નયન ત્રીજું છે જ્ઞાન ખરૂં, સવિ નયનોમાં એ નયન વૐ; એથી લોકાલોક દેખીયે, શિવવહુનું મુખડું પેખીયે. ૩ ગરૂડ બલા દેવ દેવીઓ, અહર્નિશ પ્રભુ પદ સેવીઓ; હરો વિઘ્ન શાસન જયકરુ, સૂરિલબ્ધિથી સહાય કરૂં. ૪
૬ (૧૫) શ્રી અરનાથ સ્તુતિ
અરનાથ સનાથ કરો સ્વામી, મેં તુમ સેવા પુણ્ય પામી; કરું વિનિત લળી લળી શિર નામી, આપો અવિચલ સુખકામી. ૧ જિનરાજ સવે ૫ ઉપગારી, જિણે ભવની ભાવઠ સિવ વારી; તે પ્રણમો સહુએ નરનારી, ચિત્તમાંહી શંકા સવિવારી. ૨ આગમઅતિ અગમ અછે દરિયો, બહુ નય પ્રમાણ રયણે ભરિઓ; તેહને જે આવી અનુરિઓ, તે ભિવ ભવસંકટ તરિયો. ૩ શ્રી શાસનસુરી રખવાલિકા, કરે નિત્ય નિત્ય મંગલમાલિકા; શ્રી જ્ઞાનવિમલ પ્રભુ નામ જપે, તે દિનદિન તરણી પેરે તપે. ૪
૫૮
Page #90
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
૬ (૧૬) શ્રી બીજની સ્તુતિ
ચંદા અજીવાળી બીજ સોહાવે રે, ચંદા રૂપ અનુપમ લાવે રે; ચંદા વિનતડી ચિત્ત ધરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો. ૧ વીશ વિરહમાન જિનને વંદુ રે, જિનશાસન દેખી આનંદુ રે; ચંદા એટલું કામ મુજ કરજો રે, શ્રી સીમંધરને વંદના કહેજો રે. ૨ શ્રી સીમંધર જિનની વાણી રે, તે તો અમીય પાન સમાણી રે; ચંદા તુમે સુણી અમને સુણાવો રે, ભવસંચિત પાપ ગુમાવો૨ે. ૩
શ્રી સીમંધર જિનની સેવા રે, તે તો શાસન આનંદ મેવા રે; ચંદા હોજો સંઘના ત્રાતા રે, વૃષભ લંછન ચંદ્ર વિખ્યાતા રે. ૪
૬ (૧૭) શ્રી
બીજની સ્તુતી
દિન સકલ મનોહર, બીજ દિવસ સુવિશેસ; રાય રાણા પ્રણમે, ચંદ્રતણી જ્યાં રેખ; તીહાં ચંદ્ર વિમાને શાશ્વતા જિનવર જેહ, હું બીજ તણે દિન, પ્રણમું આણી નેહ. અભિનંદન ચંદન, શીતલ શીતળનાથ, અરનાથ સુમતિજિન, વાસુપૂજ્ય શિવ સાથ; ઈત્યાદિક જિનવર, જન્મ જ્ઞાન નિર્વાણ, હું બીજ તણે દિન, પ્રણમું તે સુવિહાણ. ૨ પરકાશ્યો બીજે, દુવિધ ધર્મ ભગવંત, જેમ વિમલ કમલ દોય, વિપુલ નયન વિકસંત; આગમ અતિ અનુપમ, જિહાં નિશ્ચય વ્યવહાર, બીજે સવિ કીજે, પાતિકનો પરિહાર. ૩ ગજગામિની કામિની, કમલ સુકોમલ ચીર, ચક્કેસરી કેસર, સરસ સુગંધ શરીર; કર જોડી બીજે, હું પ્રણમું તસ પાય; એમ લબ્ધિવિજય કહે, પૂરો મનોરથ માય. ૪
૫૯
૧
Page #91
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૧૮) પાંચમની સ્તુતિ ક્વ પાંચમને દિન ચોસઠ ઈદ્ર, નેમજિન મહોત્સવ કીધોજી, રૂપે રંભા રાજીમતીને, ઠંડી ચારિત્ર લીધોજી; અંજનરત્ન સમ કાયા દીપે, શંખ લંછન સુપ્રસિદ્ધોજી, કેવળ પામી મુક્તિ પહોંચ્યાં, સઘળાં કારજ સિધ્ધાંજી. ૧ આબુ અષ્ટાપદ ને તારંગા, શત્રુંજયગિરિ સોહેજી, રાણકપુર ને પાર્થ શંખેશ્વર, ગિરનારે મન મોહ્યુંજી; સમેતશિખર ને વળી વૈભારગિરિ, ગોડી થંભણ વંદોજી; પંચમીને દિન પૂજા કરતાં, અશુભ કર્મ નિકંદોજી. ૨ નેમિ જિનેશ્વર ત્રિગડે બેઠા, પંચમી મહિમા બોલેજી; બીજા તપ જપ છે અતિ બહોળા, નહીં કોઈ પંચમી તોલેજી પાટી પોથી ઠવણી કવળી, નોકરવાળી સારીજી; પંચમીનું ઉજમણું કરતા, લહીએ શિવવધૂ પ્યારીજી. ૩. શાસનદેવી સાંનિધ્યકારી, આરાધે અતિ દીપેજી; કાને કુંડળ સુવર્ણ ચુડી, રૂપે રમઝમ દીપેજી; અંબિકા દેવી વિદન હરેવી, શાસન સાંનિધ્ય કારીજી; પંડિત હેતવિજય જયકારી, જિન જપે જયકારી જી. ૪
(૧૯) શ્રી અષ્ટમીની સ્તુતી ક ચોવીશે જિનવર હું પ્રણમું નિત્યમેવ, આઠમ દિન કરીયે, ચંદ્રપ્રભુની સેવ; મૂર્તિ મન મોહન, જાણે પુનમચંદ, દીઠે દુઃખ જાયે, પામે પરમાનંદ. ૧ મળી ચોસઠ ઈદ્રો, પૂજો પ્રભુજીના પાય, ઈન્દ્રાણી અપચ્છરા, કર જોડી ગુણ ગાય, નંદીશ્વર દ્વીપે, મળી સુરવરની કોડ, અઢાઈ મહોત્સવ, કરતાં હોડાદોડ. ૨
CO
Page #92
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
શત્રુંજય શિખરે, જાણી લાભ અપાર, ચોમાસું રહીઆ, ગણધર મુનિ પરિવાર, ભવિયણને તારે, દેઈ ધર્મ ઉપદેશ, દૂધ સાકરથી પણ, વાણી અધિક વિશેષ. ૩ પોસહ પડિક્કમણું કરીયેવ્રત પચ્ચખાણ, આઠમ દિન કરીએ, અષ્ટકર્મની હાણ; અષ્ટ મંગળ થાયે, દિન દિન ક્રોડ કલ્યાણ, એમ સુખસૂરિ કહે, જીવિત જન્મ પ્રમાણ. ૪
'ક (૨૦) શ્રી મૌન એકાદશીની સ્તુતિ HF
(રાગ-ચોપાઈ) મૌનપણે પોસહ ઉપવાસ, મૌન એકાદશી પુન્યની રાશ; કલ્યાણક એકસો પચાસ, આરાધ્યા સહી શિવપુર વાસ. ૧ મનુષ્ય ક્ષેત્રમાં વિચરે જેહ, ત્રિભુવનમાં જિનપડિમા તેહ; સદાકાળ સવિ જિન પ્રતિબિંબ, ત્રિવિધે તે પ્રણમું અવિલંબ. ૨ જિહાં જિન એકાદશી વિધિ ભણી, અવર અરથની રચના ઘણી, તે સિદ્ધાંત સુધારસ સમો ભણતાં ગણતાં સુર્ણતાં રમો. ૩ જે શ્રી શ્રુતદેવી સોહામણી, શ્રી જિનશાસનની રાગિણી; માતા આપો મતિ નિરમલી, વિદ્યાચંદ વંદે વળી વળી. ૪
(૨૧) શ્રી શાંતિનાથ પ્રભુની સ્તુતિ | શાંતિ સુહંકર સાહિબો, સંજમ અવધારે, સુમિત્રને ઘેર પારણું, ભવપાર ઉતારે; વિચરતા અવનીતલે, તપ ઉગ્ર વિહારે, જ્ઞાન ધ્યાન એક તાનથી, તિર્યંચને તારે. પાસ વીર વાસુપુજ્યજી, નેમ મલ્લી કુમારી; રાજ્ય વિહૂણા એ થયાં, આપે વ્રત ધારી;
૧ ૬૧
૧
Page #93
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
-
શાંતિનાથ પ્રમુખા સવી, લહી રાજ્ય નિવારી; મલ્લી નેમ પરણ્યા નહિ, બીજા ઘરબારી. ૨ કનક કમલ પગલાં હવે, જગ શાંતિ કરીને; રયણ સિંહાસન બેસીને, ભલી દેશના દીજે; યોગાવંચક પ્રાણીયા, ફલ લેતા રીજે; પુષ્પરાવર્તના મેઘમાં, મગશૈલ ન ભીંજે. ૩ કોડ વદન શૂકરારૂઢો, શ્યામ રૂપે ચાર; હાથ બીજોરું કમલ છે, દક્ષિણ કર સાર; જક્ષ ગરૂડ વામ પાણિ એ, નકુલાક્ષ વખાણે; નિર્વાણીની વાત તો, કવિ વીર તે જાણે. ૪
પક (૨૨) શ્રી નેમિનાથ પ્રભુની સ્તુતિ ક. રાજાલ વરનારી, રૂપથી રતિ હારી; તેહના પરિહારી, બાલથી બ્રહ્મચારી; પશુઆં ઉગારી, હુઆ ચારિત્રધારી; કેવલસિરિ સારી, પામીયા ઘાતી વારી. ૧ ત્રણ જ્ઞાન સંયુતા, માતાની કૂખે હુંતા; જન્મ "પુરુહૂતા, આવી સેવા કુરતા; અનુક્રમે વ્રત લહતા, પંચ સમિતિ ઘરતા; મહીયલ વિચરતા, કેવલશ્રી વરં તા. ૨ સવિ સુરવર આવે, ભાવના ચિત્ત લાવે; ગિડું સોહાવે, દે વછંદો બનાવે; સિંહાસન ઠાવે, સ્વામીના ગુણ ગાવે; તિહાં જિનવર આવે, તત્ત્વવાણી સુણાવે. ૩ શાસનસુરી સારી, અંબિકા નામ ઘારી; જે સમક્તિ નરનારી, પાપ સંતાપ વારી; પ્રભુ સેવા કારી, જાપ જપીએ સવારી; સંઘ દુરિત નિવારી, પવને જેહ પ્યારી. ૪
(૨)
Page #94
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
(૨૩) શ્રી ગિરનારમંડન શ્રી નેમીનાથ પ્રભુની સ્તુતિ
સુર અસુર વંદિત પાય પંકજ, મયણ મલ્લુક ક્ષોભિતં; ઘન સુઘનશ્યામ શરીર સુંદર, શંખ લંછન શોભિતં; શિવાદેવી નંદન ત્રિજગ વંદન, ભવિક કમલ દિનેશ્વર; ગિરનાર ગિરિવર શિખર વંદું, શ્રી નેમિનાથ જિનેશ્વર. ૧ અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરૂ; વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધા, નેમ રેવાગિરિવરૂ; સમ્મેતશિખરે વીશ જિનવર, મુક્તિ પહોંતા મુનિવરૂ; ચોવીશ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુહંકરૂ. અગીયાર અંગ ઉપાંગ બાર, દશ પયજ્ઞા જાણીયે; છ છેદ ગ્રંથ પસત્ય સત્યા, ચાર મૂલ વખાણીયે; અનુયોગ દ્વાર ઉદાર નંદી, સૂત્ર જિન મતિ ગાઈયે; વૃત્તિ-ચૂર્ણિ-ભાષ્ય, પિસ્તાલીશ આગમ ધ્યાઈયે. દોય દિશિ બાળક દોય જેહને, સદા ભવિયણ સુખકરૂ; દુ:ખહિ અંબાલુંબ સુંદર, દુરિત દોહગ અપહરૂ; ગિરનાર મંડણ નેમિ જિનવર, ચરણ પંકજ સેવિયે; શ્રી સંઘને સુપ્રસન્ન મંગલ, કરો તે અંબાદેવીયે.
૨
૬૩
૪
(૨૪) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ શંખેશ્વર પાર્શ્વજી પૂજીએ, નરભવનો લાહો લીજીએ; મનવાંછિત પૂરણ સુરતરુ, જય વામાસુત અલવેસરુ. ૧ દોય રાતા જિનવર અતિ ભલા, દોય ધોળા જિનવર ગુણનીલા; દોય નીલા દોય શામળ કહ્યા, સોળે જિન કંચન વર્ણ લહ્યા. ૨ આગમ તે જિનવર ભાખીયો, ગણધર તે હૈડે રાખીયો; તેહનો રસ જેણે ચાખીયો, તે હુઓ શિવસુખ સાખીયો. ૩ ધરણેન્દ્રરાય પદ્માવતી, પ્રભુ પાર્શ્વતણા ગુણ ગાવતી; સહુ સંઘના સંકટ ચૂરતી, નવિમલના વાંછિત પૂરતી. ૪
Page #95
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
F (૨૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ શ્રી પાસ જિનેસર, પૂજા કરૂં ત્રણ કાળ; મુજ શિવપદ આપો, ટાળો પાપની જાળ; જિન દરિસણ દીઠ, પહોંચે મનની આસ; રાય, રાણા સેવે, સુરપતિ થાયે દાસ. વિમલાચલ આબુ, ગઢ ગિરનાર નેમ, અષ્ટાપદ સમેત શિખર, પાંચે તીરથ એમ, સુર અસુર વિદ્યાધર, નરનારીની કોડ, ભલી જુગતે વાંદું, ધ્યાવું બે કર જોડ. ૨ સાકરથી મીઠી, શ્રીજિન કેરી વાણી, બહુ અરથ વિચારી, ગુંથી ગણધર જાણી; તેહવચન સુણીને, મુજ મન હર્ષ અપાર, ભવસાયર તારો, વારો દુર્ગતિ વાર. કાને કુંડલ ઝળકે, કંઠે નવસર હાર, પદ્માવતી દેવી, સોહે સવિ શણગાર; જિનશાસન કેરા, સઘલા વિઘન નિવાર, પુણ્ય ઋષિને જિનજી, સુખસંપત્તિ હિતકાર. ૪
ઇ
gi (૨૬) પાર્થ જિન સ્તુતિ | પાસ નિણંદા વામાનંદા, જબ ગરભે ફળી, સુપનાં દેખે અર્થ વિશેષે, કહે મઘવા મળી; જિનવર જાયા સુર ફુલરાયા, હુઆ રમણી પ્રિયે, નેમિરાજી ચિત્ત વિરાજી, વિલોકિત વ્રત લીએ. ૧ વીર એકાકી ચાર હજારે, દીક્ષા પૂરે જિનપતિ, પાસ ને મલ્લી ત્રયશત સાથે, બીજા સહસે વ્રતી; ષત સાથે સંજમ ઘરતાં, વાસુપૂજ્ય જગધણી, અનુપમ લીલા જ્ઞાન રસીલા, દેજો મુજને ઘણી. ૨
૬૪
Page #96
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
જિનમુખ દીઠી વાણી, મીઠી સુરતરુ વેલડી, દ્રાક્ષ વિહાસે ગઈ વનવાસે, પીલે રસ શેલડી; સાકર સેતી તરણા લેતી, મુખે પશુ ચાલતી, અમૃત મીઠું સ્વર્ગે દીઠું, સુરવધૂ ગાવતી. ૩ ગજમુખ દક્ષ વામન યક્ષ, મસ્તકે ફણાવલી, ચાર તે બાંહી કચ્છપ વાહી, કાયા જશ શામલી; ચકકર પ્રૌઢા નાગારૂઢા, દેવી પદ્માવતી, સોવન કાંતિ પ્રભુ ગુણ ગાતી, વીર ઘરે આવતી. ૪ ક (૨૭) ભીલડીયાજી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ
ભીલડી પુર મંડન સોહિએ પાર્થ નિણંદ, તેને તમે પૂજો નરનારીના વૃંદ; તુઠો આપે પણ કણ કંચન ક્રોડ, તે શિવપદ પામે કર્મ તણા ભય છોડ. ઘન ઘસિય ઘનાઘન કેસરના રંગ રોળ, તેહમાં તમે ભેળો કસ્તુરીના ઘોળ; તિણ શું પૂજો ચોવિશ નિણંદ, જેમ દેવ દુઃખ જાવે આવે ઘર આનંદ. ત્રિગડે જિન બેઠા સોહિયે સુંદર રૂપ, તસ વાણી સુણવા આવી પ્રણમે ભૂપ; વાણી જોજનની સુણજો ભવિયણ સાર, જે સુણતા હોશે પાતકનો પરિહાર. ૩ પાયે રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝણકાર, પદ્માવતી ખેલે પાર્શ્વ તણા દરબાર; સંઘ વિન હરજો કરજો જય જયકાર, એમ સૌભાગ્યવિજય કહે સુખ સંપત્તિ દાતાર. ૪ પાયે રૂમઝુમ રુમઝુમ ઝાંઝરનો ઝણકાર, પદ્માવતી ખેલે પાર્થ તણા દરબાર;
૬૫
Page #97
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સંઘ વિશ્ન હરજો કરજો જય જયકાર, એમ સૌભાગ્યવિજય કહે સુખ સંપત્તિ દાતાર. ૪
= (૨૮) શ્રી વીર પ્રભુની સ્તુતિ ક. વીર દેવ નિત્ય વંદે જૈન, પાદા પુષ્માનું પાનુ જૈન વાક્ય ભૂયાદ ભૂર્ય, સિધ્યાદેવી દદાતુ સૌખ્યમ્. ૧
F (૨૯) શ્રી મહાવીર સ્વામીની સ્તુતિ જય જય ભવિ હિતકર, વીર જિનેશ્વર દેવ, સુરનરના નાયક, જેમની સાથે સેવ; કરૂણારસ કંદો, વંદો આણંદ આણી, ત્રિશલા સુત સુંદર ગુણમણી કેરી ખાણી. ૧ જસ પંચ કલ્યાણક, દિવસ વિશેષ સુહાવે, પણ થાવર નારક, તેહને પણ સુખ થાવે; તે ચ્યવન જન્મ વ્રત, નાણ અને નિર્વાણ, સવિ જિનવર કેરાં, એ પાંચે અહિઠાણ. ૨ જિહાં પંચ સમિતિયુત, પંચ મહાવ્રત સાર, જેહમાં પ્રકાશ્યાં, વળી પંચ વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત, નાથ સર્વજ્ઞ ને પારગ, એહ પંચ પદે લહ્યો, આગમ, અર્થ ઉદાર. ૩ માતંગ સિદ્ધાઈ, દેવી જિનપદ સેવી, દુઃખ દુરિત ઉપદ્રવ, જે ટાળે નિત્યમેવી; શાસન સુખદાઈ, આઈ સુણો અરદાસ, શ્રી જ્ઞાનવિમલ ગુણ, પૂરો વાંછિત આપ. ૪
SF (૩૦) નેમિનાથ સ્તુતિ ગિરનારે તે, નેમિનાથ ગાજે રે, રાણી રાજુલ, ધ્રુસકે રોવે રે,
૬૬
Page #98
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
મારો શામલીઓ, ગીરધારી રે; એણે હરણીને, હરણું ઉગાર્યા રે. ૧ એક એક તે, ચડતા દીસે છે, અષ્ટાપદ, જિન ચોવીશ છે; શેત્રુંજે જઈ જુહારો રે, આબુ જઈ દુઃખડાં વારો રે. ૨ ચોત્રીશ અતિશય, છાજે રે, ત્યાં બેઠા, ધીંગલમલ ગાજે રે; ધીંગલમલની વાણી મીઠી રે, તમે સાંભળજો, ભવી પ્રાણી રે. ૩ ત્યાં દેવી અંબીકા, સારી રે, એના નાકે સોનાની વારી રે; સહુ સંઘના, સંકટ ચૂરે રે, નય વિમલના, વંછિત પૂરે રે. ૪
F (૩૧) પ્રભુ પ્રાર્થના પ્રભુજી માહરા પ્રેમથી નમું, મૂર્તિ તાહરી જોઈને કરું અરર હે પ્રભુ પાપ મેં કર્યા, શું થશે હવે ધર્મ નવી કર્યા, માટે હે પ્રભુ તમને વિનવું, તારજો હવે પ્રભુજીને સ્તવું દીનાનાથજી દુઃખ કાપજો, ભવિક જીવને સુખ આપજો. આદીનાથજી સ્વામી માહરા, ગુણ ગાઉં છું નિત્ય તાહરા.
ક (૩૨) શ્રી ચાર શાશ્વતજિનની સ્તુતિ Hi ઋષભ ચંદ્રાનન વંદન કીજે, વારિષેણ દુઃખ વારેજી, વદ્ધમાન જિનવર વળી પ્રણમો, શાશ્વતા નામ એ ચારેજી; ભરતાદિક ક્ષેત્રે મળી હોવે, ચાર નામ ચિત્ત ધારેજી, તિણે ચારે એ શાશ્વત જિનવર, નમિયે નિત્ય સવારેજી. ૧ ઊર્ધ્વ અધો તિઓં લોકે થઈ, કોડી પન્નરસે જાણોજી, ઉપર કોડી બેંતાલીસ પ્રણમો, અડવન લખ મન આણોજી,
૬૭
Page #99
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
છત્રીસ સહસ એશી તે ઉપર, બિંબતણો પરિમાણોજી, અસંખ્યાત વ્યંતર જ્યોતિષીમાં, પ્રણમું તે સુવિહાણોજી. ૨ રાય પસણી જીવાભિગમેં, ભગવતીસૂડો ભાખીજી, જંબૂદ્વીપપન્નત્તિ ઠાણાંગે, વિવરીને ઘણું દાખીજી; વલી અશાશ્વતી જ્ઞાતા કલ્પમાં, વ્યવહાર પ્રમુખે આખીજી, તે જિનપ્રતિમા લોપે પાપી, જિહાં બહુ સૂત્ર છે સાખીજી. ૩ એ જિન પૂજાથી આરાધક, ઈશાન ઇદ્ર કહાયાજી, તે સૂરિયાભ પ્રમુખ બહુ સુરવર, દેવી તણા સમુદાયાજી; નંદીશ્વર અઠ્ઠાઈ-મહોત્સવ, કરે અતિ હર્ષ ભરાયાજી, જિ ઉત્તમ કલ્યાણક દિવસે, “પદ્યવિજય નમે” પાયાજી. ૪
SF (૩૩) શ્રી પર્યુષણ પર્વની સ્તુતિ = પુન્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પાષણ, પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી; કુંવર ગયવર બંધ ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદ્ગુરુ સંગેચઢતે રંગે, વીર ચરિત્ર સુણાવોજી. પ્રથમ વખાણે ધર્મસારથી પ૬, બીજે સુપના ચારજી; ત્રીજે સુપરપાઠક વલી ચોથે, વીરજન્મ અધિકારજી; પાંચમે દીક્ષા છઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે સ્થવરાવલી સંભળાવી, પિઉડા પૂરી જગીશજી. ૨ છટ્ટ અટ્ટમ અઢાઈ કીજે, જિનવર ચૈત્ય નમીએજી, વરશી પડિક્કમણું મુનિવંદન, સંઘ સકળ ખામીજેજી; આઠ દિવસ લગે અમર પ્રભાવના, દાન સુપાત્રે દીજેજી, ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. ૩ તીરથમાં વિમલાચલ, ગિરિમાં મેરૂ મહીધર જેમજી, મુનિવરમાંહી જિનવર હોટા, પર્વ પાષણ તેમજ અવસર પામી સાહષ્મીવચ્છલ, બહુ પકવાન વડાઈજી, ખીમાવિજય જિન દેવી સિદ્ધાઈ, દિનદિન અધિક વડાઈજી. ૪
૬૮
Page #100
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
૬ (૩૪) શ્રી અધ્યાત્મની સ્તુતિ
ઉઠી સવારે સામાયિક લીધું, પણ બારણું નવ દીધું જી, કાળો કૂતરો ઘરમાં પેઠો, ઘી સઘળું તેણે પીધું જી; ઉઠોને વહુઅર આળસ મૂકી, એ ઘર આપ સંભાળોજી, નિજ પતિને કહો વિરજીને પૂજી, સમક્તિને અજીવાળોજી. ૧
બળે બીલાડે ઝડપ ઝડટાવી, ઉત્રોડ સર્વે ફોડી જી, ચંચળ છૈયાં વાર્યા ન રહે, ત્રાક ભાંગી માળ તોડી જી; તે વિના રેંટીઓ નવિ ચાલે, મૌન ભલું કેને કહીએ જી, ૠષભાદિક ચોવીશ તીર્થંકર, જપીએ તો સુખ લહીએ જી. ૨ ઘર વાસીદું કરોને વહુઅર, ટાળો ઓજીસાળું જી, ચોરટો એક કરે છે હેરૂં, ઓરડે ઘોને તાળું જી; લબકે પ્રાહુણા ચાર આવ્યા છે, તે ઉભા નવી રાખો જી, શિવપદ સુખ અનંતા લહીએ, જો જિન વાણી ચાખો જી. ૩
ઘરનો ખુણો કોણ ખણે છે, વહુ તમે મનમાં લાવો જી, પહોળે પલંગે પ્રીતમ પોઢ્યા, પ્રેમ ધરીને જગાવો જી; ભાવપ્રભસૂરિ કહે નહિ એ કુથલો, અધ્યાત્મ ઉપયોગી જી, સિદ્ધાઈકા દેવી સાન્નિધ્ય કરેવી, સાધે તે શિવપદ ભોગી જી. ૪
(૩૫) શ્રી અધ્યાત્મની
સ્તુતિ સોવન વાટી ફુલડે છાઈ, છાબ ભરીને હું લાવું જી, ફુલ જ લાવું ને હાર ગુંથાવું, પ્રભુ કંઠે સોહાવું જી; ઉપવાસ કરૂં તો ભુખ જ લાગે, ઉનું પાણી નવી ભાવે જી, આંબેલ કરૂં તો લુખ્ખું ન ભાવે, નીવીએ ડૂચા આવે જી. ૧
એકાસણું કરૂં તો ભૂખે રહિ ન શકું, સુખે ખાઉં ત્રણ ટેંક જી, સામયિક કરૂં તો બેસી ન શકું, નિંદા કરૂં સારી રાત જી; દેરે જાઉં તો ખોટી જ થાઉં, ઘરનો ધંધો ચૂકું જી, દાન દઉં તો હાથ જ ધ્રૂજે, હૈયડે કંપ વછુટે જી.
૨
૬૯
Page #101
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જીવને જમડાનું તેડું જ આવ્યું, સર્વ મેલીને જાવું છે, રહો રહો જમડાજી આજનો દહાડો, શેત્રુંજે જઈને આવું જી; શેત્રુંજે જઈને દ્રવ્ય જ ખરચું, મોક્ષમાર્ગ હું મારું જી, ઘેલા જીવડા ઘેલું શું બોલે, એટલા દિવસ શું કીધું છે. ૩ જીતે જે જીવે પાછળ ભાતું, શું શું સાથે આવે છે, કાચી કુલેર ખોખરી હાંડી, કાઠીના ભારા સાથે જી; જ્ઞાન વિમલ સૂરિ એણી પરે ભાખે, ધ્યાવો અધ્યાતમ ધ્યાનજી, ભાવભક્તિશું જિનાજીને પૂજો, સમકિતને અજવાળોજી. ૪
(૩૬) રાત્રિભોજનની સ્તુતિ શાસનનાયક વીરજીએ, પામી પરમ આધાર તો, રાત્રિભોજન મત કરો એ, જાણી પાપ અપાર તો; ઘુવડ કાગ ને નાગના એ, તે પામે અવતાર તો, નિયમ નવકારશી નિત્ય કરો એ, સાંજે કરો ચોવિહાર તો. ૧ વાસી બોળ ને રિંગણાં એ, કંદમૂળ તું ટાળ તો, ખાતાં ખોટ ઘણી કહીએ, તે માટે મન વાળ તો; કાચા દૂધ અને છાસમાં એ, કઠોળ જમવું નિવાર તો, ઋષભાદિક જિન પૂજતાં એ, રાગ ધરે શિવનાર તો. હોળી બળેવ ને નોરતાં એ, પીપળે પાણી મ રેડ તો, શીલ સાતમના વાસી વડાં એ, ખાતા મોટી ખોડ તો; સાંભળી સમકિત દ્રઢ કરો, એ મિથ્યાત્વ પર્વ નિવાર તો, સામાયિક પડિક્કમણું નિત કરો, એ જિનવાણી જગ સાર તા. ૩ રૂતુવંતી અડકે નહિ એ, નવિ કરે ઘરના કામ તો, તેના વાંછિત પૂરશે એ, દેવી સિધ્ધાયિકા નામ તો; હિત ઉપદેશે હર્ષ ઘરી એ, કોઈ ન કરશો રીશ તો, કિર્તિ કમલા પામશે એ, “જીવ' કહે તસ શિષ્ય તો. ૪
છO
Page #102
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
E (૩૭) સ્નાતસ્યાની સ્તુતિ : સ્નાતસ્યાપ્રતિમસ્ય મેરુશિખરે, શય્યા વિભોઃ શૈશવે, રૂપાલોકનવિસ્મયાહતરસ-ભ્રાંત્યા ભ્રમચ્ચક્ષુષા; ઉત્કૃષ્ટ નયનપ્રભાધવલિત, ક્ષીરોદકાશંકયા, વકત્રં યસ્ય પુનઃ પુનઃ સ જયતિ, શ્રી વર્ધ્વમાનો જિન. ૧ હંસાંસાહતપઘરેણુકપિશ-ક્ષીરાર્ણવાંભોભૃતૈઃ, કુંભૈરપ્સરસાં પયોધરભરપ્રસ્પધિભિઃ કાંચને; યેષાં મંદરરત્નશૈલશિખરે, જન્માભિષેક કૃતઃ, સર્વે સર્વસુરાસુરેશ્વરગણે-તેષાં નતોડહં ક્રમાનું. અહંક્વન્રપ્રસૂતે ગણધરરચિતં દ્વાદશાંગ વિશાલ, ચિત્ર બતર્થયુક્ત મુનિગણવૃષભૈર્ધારિત બુદ્ધિમર્ભિઃ મોક્ષા ગ્રદ્ધારભૂત વ્રતચરણફલ, શેયભાવપ્રદીપ, ભત્યા નિત્યં પ્રપદ્ય શ્રુતમહમખિલ, સર્વલોકેકસારમ્. ૩ નિષ્પકવ્યોમનીલઘુતિમલસદૃશં બાલચંદ્રાભદંષ્ટ્ર, માં ઘંટારવેણ પ્રસૃતમદજલ, પૂરયંત સમન્તા; આરૂઢો દિવ્યનાગ વિચરતી ગગને, કામદઃ કામરૂપી, યક્ષઃ સર્વાનુભૂતિર્દિશતુ મમ સદા સર્વ કાર્યેષુ સિદ્ધિ.... ૪
E (૩૮) શ્રી વીર જિન સ્તુતિ ક મુક્તિસ્ત્રાંગતવાંનતેન્દ્રપટલ, કર્મોરિસંઘાતક, સ્મારામાધનધાન્યરાજ્યનિકરે, મગ્નાંગિનાં તારક; સમ્યકત્વાદિમહાગુણર્ભવિખૂણાં, સંયોજકો યસ્ત્રિધા, સ શ્રી વીરજિનેશ્વરો દિશતુ મે, મોક્ષ સુખાંભોનિધિમ્. ૧ પૂજાહઃ સુખદા હિતા ભયહરા, નાકાધિપૈરર્ચિતા, સૂત્રાણામુપકારિણાં, પ્રસવિતારઃ સર્વદા જ્ઞાનદા; શૃંગે મેરૂમહીધરસ્ય કુશલૈરિન્દ્રાદિભિઃ સ્નાપિતાસ્તે, શ્રી સર્વ જિનેશ્વરા અભયદા-સ્તુષ્યન્તુ મુફત્યે મમ.
૭૧
Page #103
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મિથ્યાજ્ઞાનતમોડપરું હિતકર ભદ્રંકર ભાસ્કર, શ્રી સાર્વાનનજં ગણેન્દ્રરચિતં શ્રી સાધુભિર્ધારિતમ્; દુઃખનં શિવદ સદા સુરનરે-મોક્ષાય યત્સેવિત, તજ્ઞાનં પ્રણમંતિ કે ભવિજનાઃ, સઘઃ શિવં યાન્તિ તે. મોહાવર્તસુદુસ્તરે ભવજલે, મજ્જનૃનૌસન્નિભે, શ્રીસમાંાદિચતુર્વિઘે શિવકરે ચારિત્રયુક્તે સદા; તસંઘે ભયવિઘ્નહા શશિમુખા, સિદ્ધાયિકા દેવતા, આર્યે રક્ષિતશાસને નતિમતી, સા પાતુ માં વિઘ્નતઃ. ૬ (૩૯) કલાણકંદની સ્તુતિ
કલાણકંદ પઢમં જિણિંદું, સંતિતઓ નેમિજિ મુણીંĒ; પાસ પયાસં સુગુણિક્કઠાણું, ભત્તીઈ વંદે સિરિવન્દ્વમાણં. અપારસંસારસમુદ્દાä, પત્તા સિવં કિંતુ સુઈક્કસારું; સવ્વેજિથિંદા સુરવિંદનંદા, કલાણવલ્લીણ વિસાલકંદા. ૨ નિવ્વાણમગે વરજાણકખં પણાસિયાસેસકુવાઈદપં; મયંજિણાણું સરણ બુઠ્ઠાણું, નમામિ નિચ્ચે તિજગપ્પહાણું. કુંહિંદુગોખિરતુસારવા, સરોજહત્યા કમલે નિસન્ના; વાએસિરી પુત્થયવગ્ગહત્થા, સુહાય સા અમ્હ સયા પસત્થા. ૪
શીઘ્ર,
× (૪૦) શ્રી પંચજિન સ્તુતિ
સર્વજ્ઞાઃ સર્વદ્રષ્ટારો,
નાભેયશાંતિનેમયઃ; તત્ત્વદૌ પાર્શ્વવીરો ચ, પ્રાપયન્તુ શિવશ્રિયમ્ ૧ ભદ્રમૂલા દયાકુંદા, મુક્તિગા મુક્તિદાઃ સુખાઃ; સ્વયંબુદ્ધા જિનાઃ
સર્વે,
પ્રકાશિતું
સમર્થાન્ય -- સંવિત્તમાંમહોદૌ;
તાનિ જૈનાનિ તત્ત્વાનિ, યચ્છતુ શાશ્વતં સુખમ્. ૩
સાધુસાધ્માદિસંઘાના કલ્યાણસાગર
--
૩
૧
૭૨
તારયનુભવાર્ણવાત્. ૨
મુપપ્લવહરાઃ
સુરાઃ;
તવંતુ મે સુધાભુજઃ. ૪
Page #104
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
(૪૧) શ્રી સંસારદાવાનલની સ્તુતિ . સંસારદાવાનલદાહનીરં, સંમોહબૂલીહરણે સમીર, માયારસાદારણસારસી, નમામિ વીર ગિરિસારધી. ૧
ભાવાવનામસુરદાનવમાનવેન; ચૂલાવિલોલકમલાવલિમાલિતાનિ; સંપૂરિતાભિનતલોકસમીહિતાનિ, કામ નમામિ જિનરાજપદાનિતાનિ.
બોધાગાધ
સુપદપદવી - નીરપૂરાભિરામ, જીવહિંસાવિરલલહરીસંગમાગાહદેહ, ચૂલાવેલ; ગુરુગમમણિસંકુલ દૂરપારં, સારં વીરાગગજલનિધિ સાદરં સાધુ સેવે. ૩
આમૂલાલોલધૂલીબહુલ પરિમલાલીઢલોલાલિમાલા, ઝંકારારાવસારામલદલકમલાગારભૂમિનિવાસે, છાયાસંભારસારે વરકમલકરે તારહારાભિરામે, વાણીસંદોહદેહે ભવવિરહવર દેહિ મે દેવિ સાર. ૪
Bક (૪૨) બીજની સ્તુતિ HFા
(ઈદ્રવજા છંદ) સા સર્વદા પુણ્યતમા દ્વિતીયા, સર્વાસુ લોકે તિથિષ પ્રશસ્યા; યસ્યા નિરીક્ષ્ય દુકલાં જિનેશ! બિંબચ ભાવેન નમંતિ ભવ્યાઃ ૧ તીર્થકરાણામભિનંદનારા દીનાં બભૂવઃ ખલુ યત્ર પંચ; કલ્યાણકાનિધ્ધતિશંકરાણિ, સામે દ્વિતીયાડઐતરાસ્તિ ભવ્યાઃ ૨ ધર્મ હિ મુક્તઃ પ્રબલેકહેતું, તે તેનિટે દેવનરાસુરાગ્રે; યસ્યાં વિશુદ્ધ ત્રિવિધ જિનેશા-સ્તાં નિત્યમીડે સુતિથિં દ્વિતીયા.... ૩ રક્તાંબરા પદ્મવિશાલનેત્રા, સિહસ્થિતા દેવગણેઃ સમર્થ્ય ચક્રેશ્વરી પ્રોજ્જવલચક્રહસ્તા, પાયાત્સદા સદ્વિધિપક્ષગચ્છમ્. ૪
૧૭૩ -
૭૩
Page #105
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૪૩) અથ પંચમીની સ્તુતિઃ
(વસંતતિલકા છંદ)
આરાધયંતુ ભવિકા ભવભવમુક્તા, યોગત્રયેણ વિમલેન મનોઽભિરામમ્; જ્ઞાનં વિશુદ્ધતમમપ્રતિમં, હિ શુદ્ધે સપંચમી તિથિ દિને જિનરાજદિષ્ટ, ૧
યસ્યામુપાસ્ય ખલુ નાભિસુતાદયોઽપિ, તીર્થાધિપા જગતિ તીર્થંકરત્વમાપુ:; જ્ઞાન ક્રિયા સહિતમિજ્યંતર તર્દક, આરાધયામિ સુતિથિં ખલુ પંચમી તાર્. ૨
ચારિત્ર સદ્ગુણગણા વિમલાશ્વ વૃદ્ધિ, જ્ઞાનેન યાંતિ પરમાદરતો હિ યસ્યાં; આશ્ચર્ય પાઠકપદં સ્થવીરત્વમેવ, સંપ્રાપ્નુંવંતિ ભવિકા ભજ પંચમી તામ્. ૩
જ્ઞાનાગ્નિકા હિ ભવિકાઃ પ્રબલેન યસ્યાં, કર્મેધનાનિ નિબિડાનિ વિદહ્ય શીઘ્રમ્; પૂર્વાજિતાનિ પરમં પદમાપ્નુંવંતિ ચક્રેશ્વરીચરણપંકજપુજકાશ્વ. ૪
(૪૪) અષ્ટમીની સ્તુતિ
(વસંતતિલકા છંદ)
યસ્યાં સુરાધિપતયો બહુભાવયુક્તાઃ, કૃોજ્વલૈર્દિ પુરતોઽષ્ટ સુમંગલાનિ; મુક્તાફલૈર્જિનપતિ પ્રણમંતિ ભક્ત્વા ભૂયાદ્ધિ સા ભવવિનાશકરાષ્ટમી મે. ૧
કર્માષ્ટવૈરિદલના જિનાભિષેક, કૃત્વા સુરાદ્રિશિખરે વિધિના સુરેશા:, ક્ષરાંબુભિઃ કનકકુંભમૃતૈશ્વ યત્ર, પૂજ્યત્વમાપુરતુલં સમહં પવિત્ર. ૨
વિશ્વસ્તૃતં વિગલિતાષ્ટમર્દે મહેશ, સ્પર્શષ્ટહીનમખિલેશ્વ સુપ્રાતિહાર્યું: વિભ્રાજમાનમભિનૌમિ જિનાધિનાથં,
તસ્યામનંતભવપંકવિશોધનાય. ૩
કૃત્વા તપઃ સુવિધિના વિમલે સ્વચિત્તે, નિત્યં વિચાર્ય ખલુ જીવદયાં વિશિષ્ઠે; જૈનેંદ્રશાસનધરાકૃપયા જિનેશમસ્યાં સ્મરામિ હૃદયે હ્યુચલસ્થિતોઽહમ્. ૪
૭૪
Page #106
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
ક (૪૫) અથ એકાદશી સ્તુતિ 95
| (ઇદ્રવજા છંદ) તીર્થાધિપાનાં ચ્યવનાદિભિર્યા, કલ્યાણકેઃ પુણ્યતરેરમેયે; સર્વાસુ લોકે તિથિષ પ્રશસ્યા, ઘેકાદશી સા શિવદાસ્તુ મહ્યું. ૧ મૌનોપવાસન પવિત્રિતાંગા, માર્ગસ્થ શુક્લે દિવસે તુ તસ્યા; જરંતુ ભવ્ય પરમેષ્ટિમંત્ર, માલા, શતેનાર્ધશતેન સાદ્ધ.... ૨ આરાધ્યયસ્યાં મનુજા જિનેશે, વ્રતોપવાસાદિભિઃ સ&િયાભિ; દેવેન્દ્રતામાશુ સમાનુવંતિ, મુક્તિરમાં નિત્યસુખપ્રદ વા. ૩ જિનેશ્વરોદ્ભાષિતધર્મરણ્ય, મહાપ્રભાવા શમિતારિવર્ગ; ચકેશ્વરી શારદચંદ્રવર્ણા, પાયાણં સદ્ધિવિનામધેય. ૪
(૪૬) જિનેશ્વરને વિનંતિ ક.
(રાગ લલિત છંદ). જિનવર પ્રણમી કરી, કરી ગુરૂને પ્રણામ;
કર જોડી વિનવું અહિ, શુભ મતિ. પરમ દેવનો દેવ તું ખરો, ધર્મ તાહરો મેં નથી કર્યો ભરમમાં ભમ્યો તું નવિ ગમ્યો; કરમ પાસમાં હું અતિ દમ્યો. ૧ || ગરીબ પ્રાણિના પ્રાણ મેં હણ્યા, ત્રસ થાવરો જીવ ના ગણ્યા; થર ધ્રુજતા મોતથી ડરી, અરર એહની ઘાત મેં કરી. ૨ સદસભા જઈ જૂઠ બોલીયો, ધરમી જીવનો મર્મ ખોલીયો; સદ્ગણી શિરે આળ આપીયા, અરર પાપના પંથ થાપયા. ૩ અદત્ત દાનથી હું નવી ડર્યો, પરધન હરી કેર મેં કર્યો તસ્કરો તણા તાનમાં ચડ્યો, અરર પાપના પૂંજમાં પડ્યો. ૪ રમણી રંગમાં અંગ ઉલસ્ય, વિષય સુખમાં ચિત્ત વશ્ય શિયળ ભંગનો દોષ ના ગણ્યો, અરર હાયરે બાહરો બન્યો. ૫ અથિર દામમાં હું રહ્યો અડી, ધરમ વાતતો ચિત્તના ચડી; ઉદ્ધત મોહમાં હું થ્યો અતિ, અરર માહરી શી થસે ગતિ. ૬
૭૫
Page #107
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દૂર ભાવથી ક્રોધ મેં કર્યો, સજ્જન દૂહવી રોશમાં રહ્યો, સરવ જનથી સંગ છોડીયો, તૃણ તોલથી તુચ્છ હું થયો. ૭ મત્સર મનથી મેં બહુ કર્યો, મમત ભાવથી હું અતિ ભર્યો મદ છકે ચડ્યો, માનમાં અડ્યો, વિનય ના કર્યો ગર્વમાં પડ્યો. ૮ દગલ બાજીએ હું બહુ રમ્યો, કપટ કૂડમાં કાળનિર્ગમ્યો; મુખ મીઠું લવી સૃષ્ટી ભોળવી, અરર કેમ રે ભૂલશે ભવી. ૯ ધન હીરાકણિ મોતિને મણિ, અબૂજ આથનો હું થયો ધણી; અધિક આશતો અંતરે ઘણી, અરર લોભને ના શક્યો હણી. ૧૦ મગન મન્નથી સાજનો પરે, હિત ઘણું ધરી પોષીયા ખરે; તરકટી તણા ફંડમાં ફશ્યો અરર રાગથી ન લહ્યો કિશ્યો. ૧૧ દિલ ડુબી રહ્યું દ્વેષ દર્દમાં, ગુણ નવિ ગણ્યા મેહરી મર્દમાં; અરૂણ આંખડી રોષથી ભરી, અરર સર્વનો હું થયો અરિ. ૧૨ નિજ કુટુંબને નાત જાતમાં, વઢિ પડ્યો હું તો વાત વાતમાં; અબૂજ આત્મા ઘાતમાં પડ્યો, અરર ક્લેશથી કૂપમાં પડ્યો. ૧૩ અણહુતા દિયા આળ અન્યને, અલિક ઓચરી મેળવ્યું ધનને; સદ્ગુરૂ તણો સંગ ના કર્યો, અરર પાપથી પિંડ મેં ભર્યો. ૧૪ પરની ચોવટે ચુગલી કરી, નૃપ સભા જુઠી સાહેદી ભારી; પિશુન ધૂર્ત હું લાંચ લાલચી, પશુ પણે રહ્યો પાપમાં પચી. ૧૫ પર પૂઠ પર દોષ દાખવા, જસતણો ઘણો સ્વાદ ચાખવા; રહસ્ય વાત તો મેં કરી છતી, ભવ અરણ્યમાં હું રૂલ્યો અતિ. ૧૬ અધમ કામમાં હર્ષ મેં ઘર્યો, ધર્મ ધ્યાનમાં અમર્ષે ભર્યો દૂરગુણે રચ્યો મોહમાં મચ્યો, અરર કર્મના નાચમાં નાચ્યો. ૧૭ છળ વિધ્યા કરી અર્થ સંચિયા, જુઠ ઘણું લવી લોક વંચીયા; પતિત રાંકને છેતર્યા બહુ, અરર પાપ હું કેટલા કહું. ૧૮ શરીર શોધતો મેં નવિ કર્યો, જડ પ્રસંગથી યોનિમાં ફર્યો શુદ્ધ વિચારતો ચિત્તનો ચડ્યો, મિચ્છત શલ્ય તો મુજને નડ્યો ૧૯
૭૬
Page #108
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ કરમ વેરિએ વીંટીઓ મને, કરગરી કરૂં અર્જ જિનને; કર ગ્રહો પ્રભુ રાંક જાણીને, દિલ દયા ધરો મહેર આણીને. ૨૦ તકશિરો ઘણી કોશ કે ઘણી, બખશિશો ગુના જગતના ધણી; રિઝ કરી ખરી ત્રોડી ત્રાસને, શરણે રાખજો ખોડીદાસને. ૨૧ નભ ભૂજા અહિ ચંદ્રમાં ગૃહી, પટણ પારિથી પશ્ચિમે સહી; ચતુર માસમાં બંદરે રહી, લલિત છંદની જોડ એ કહી. ૨૨
ઈતિ
ક્લ (૪૭) પ્રભુ પ્રાર્થના ભવ ભવ તુમ હી જ દેવ, ચરણ તોરા ધરું; ભવ સાગરથી તાર, અરજ આવી કરું. ૧ જગત્ સ્વામી મોક્ષગામી, મોક્ષધામી સુખકરો; પ્રભુ અજર અમર અખંડ નિર્મલ, મોહ મિથ્યા તમ હરો. ૨ દેવાધિદેવા, ચરણ સેવા, નિત્ય મેવા આપીએ; નિજ દાસ જાણી દયા આણી, આપ સમોવડ સ્થાપીએ. ૩ શ્રી આદિનાથ પ્રગટ પરમેશ્વર, અલિય વિજ્ઞ સવિ દૂર કરે; વાટ ઘાટ સમરે જે સાહેબ ભય ભંજન ચક ચૂર કરે; ૪ લીલા લચ્છી દાસ તુમારો, કોઈ પૂજે કોઈ અરજ કરે; પ્રભુ નજર કરીને નિરખો સાહેબ, તુમ સેવક અરદાસ કરે. ૫
ક (૪૮) પાર્શ્વનાથની સ્તુતિ 5 પ્રભુ પાસજી તાહરૂં નામ મીઠું, ત્રિહું લોકમાં એટલું સાર દીઠું; સદા સમરતાં સેવતાં પાપ નીઠું, મન માહરે તાહરું ધ્યાન બેઠું. ૧ મન તુમ પાસે વસે રાત દિવસે, મુખ પંકજ નિરખવા હંસ હસે; ધન્ય તે ઘડી એ ઘડી નયણ દીસે, ભલી ભક્તિ ભાવે કરી વિનવીસે. ૨ અહો એહ સંસાર છે દુઃખ ધોરી ઈદ્ર જાળમાં ચિત્ત લાગ્યું ઠગોરી; પ્રભુ માનીયે વિનંતિ એક મોરી, મુજ તારતું તાર બલીહારી તોરી. ૩
Page #109
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સહી સ્વપ્ન જંજાલને સંગ મોહ્યો, ઘડીયાલમાં કાલ રમતો ન જોયો; મુધા એમ સંસારમાં જન્મ ખોયો, અહો ધૃતતણેકારણે જલ વિલોયો. ૪ એ તો ભ્રમરલો કેસુંડાં ભ્રાંતી ધાયો, જઈ શુકતણી ચંચુમાંહે ભરાયો; શુકે જંબુ જાણી ગલે દુઃખ પાયો, પ્રભુ લાલચે જીવડો એમ વાહ્યો. ૫ ભમ્યો ભર્મ ભૂલ્યો કર્મ ભારી, દયા ધર્મની શર્મ મેં ન વિચારી; તોરી નમ્ર વાણી પરમ સુખકારી, ત્રિહું લોકના નાથ મેં નવી સાંભળી. ૬ વિષય વેલડી શેલડી કરીય જાણી, ભજી મોહ તૃષ્ણા તજી તુજ વાણી એહવો ભલા ભૂંડો નિજદાસ જાણી, પ્રભુ રાખીયે બાંહિની છાંય માંહી મારા વિવિધ અપરાધની કોડિ સહીયે, પ્રભુ શરણ આવ્યા તણી લાજ વહીએ, વલી ઘણી ઘણી વિનતી એમ કહીએ મુજ માનસ સર પરમ હંસ કહીએ.
(કલશ)
એમ કૃપા મૂર્તિ પાર્થસ્વામી, મુગતિ ગામી ધ્યાઈએ, અતિ ભક્તિ ભાવે વિપત્તિ જાવે, પરમ સંપત્તિ પાઈએ; પ્રભુ મહિમા સાગર ગુણ વૈરાગ્ય, પાર્શ્વ અન્તરિક્ષ જે સ્તવે, તસ સકલ મંગલ જય જયારવ, આનંદ વર્ધન વિનવે.
૬ (૪૯) સુમતિનાથની સ્તુતિ
સુમતિ નાથજી અર્જ ઉંચરૂં, તુમ પસાયથી પાપને હરૂં; શરણ એક છે નાથ તાહરૂં, જિનપતિ તને વંદના કરૂં. ૧ નરક વેદના મેં લહી ઘણી, ભવ અનંતમાં જીવને હણી; જન્મ મરણની વાત શી કહું, જિનપતિ તને વંદના કરૂં. ૨ અનપરાધીને દુઃખ મેં દીધાં, કપટ આચરી દ્રવ્ય મેં લીધાં; તુમ વિના હવે અર્જુ કિહાં કરૂં, જિનપતિ તને વંદના કરૂં. ૩ અચળ દેવ રે દર્શન આપજો, નીબીડ પાપના ઓઘ કાપજો; પરમ દેવ રે ધ્યાન હું ધરૂં, જિનપતિ તને વંદના કરૂં. ૪
७८
Page #110
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
E (૫૦) શ્રી વીર જિન વિનંતી 5 વીર સુણો મોરી વિનતિ, કરજોડી હો કહું મનની વાત; બાળકની પરે વીનવું, મોરા હો ત્રિભુવન તાત.
વી૨૦. તુમ દરિશણ વિણ હું ભમ્યો, ભવમાંહી હો સ્વામિ સમુદ્ર મઝાર; દુઃખ અનંતા મેં સહ્યાં, તે કહેતાં કેમ આવે પાર.
વીર૦ ૨ પર ઉપકારી તું પ્રભુ, દુઃખ ભંજે હો જગ દીન દયાલ; તેણે તારે ચરણે આવીયો, સ્વામી મુજને હો નયણ નિહાલ.
વીર૦ ૩
અપરાધી પણ ઉધર્યા, તે કિધી હો કરૂણા મોરા સ્વામ; હું તો પરમ ભક્ત તાહરો, તેણે તારો હો નહિ ઢીલનું કામ.
વીર૦ ૪ શૂલ પાણી પ્રતિ બૂઝવ્યો, જેણે કીધો હો તુજને ઉપસર્ગ; ડંખ દીધો ચંડકોશીએ, તે દીધો હો તસુ આઠમો સર્ગ.
વીર૦ ૫ ગોશાલો ગુનહી ઘણો, જેણે બોલ્યા હો તોરા અવરણ વાદ; તેં બલતો તવ રાખીયો, શીત લેશ્યા હો મૂકી સુપ્રસાદ.
વીર૦ ૬ વચન ઉથાપ્યા તાહરા, જે ઝઘડ્યો હો તુમ સાથે જમાલ; તેહને પણ પન્નરે ભવે, શિવગામી હો કીધો તે કૃપાલ.
વર૦ ૭. અઈમુત્તો ઋષિ જે રમ્યો, જલમાહે હો બાંધી માટીની પાળ; તરતી મુકી કાચલી, તેં તાર્યો હતો તેહને તતકાલ.
વીર૦ ૮ એ કોણ છે ઈદ્રજાલીઓ, એમ કહેતો હો આવ્યો તુમ તીર; તે ગૌતમને તેં કર્યો, પોતાનો હો પ્રભુ પ્રથમ વજીર.
વીર૦ ૯
૭૯
Page #111
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મેઘકુમાર ઋષિ બૂજવ્યો, ચિત્ત ચૂક્યો હો ચારિત્રથી અપાર; એકાવતારી તેહને, તે કીધો હો કરૂણા ભંડાર.
વિર૦ ૧૦ બાર વરસ વેશ્યા ઘરે, રહ્યો મૂકી હો સંયમનો ભાર; નંદીષેણ પણ ઉધર્યો, સુર પદવી હો દીઘી અતિ સાર.
વિર૦ ૧૧ પી મહાવ્રત પરિહરી, ગૃહવાસે હો વશ્યા વરસ ચોવિસ; તે પણ આદ્રકુમારને તેં તાર્યો, હો તહારી એ જગીશ.
વીર૦ ૧૨ રાય શ્રેણિક રાણી ચેલણા, રૂ૫ દેખી હો ચિત્ત ચૂક્યા જેહ, સમવસરણે સાધુ સાધ્વી, તેં કીધા હો આરાધક તેહ.
વીર૦ ૧૩ વિરત નહીં નહીં આંખડી, નહીં પોસો હો નહીં આદરી દિખ્ખ; તે પણ શ્રેણિક રાયને, તે કીધો હો સ્વામી આપ સરિ....
વર૦ ૧૪ એમ અનેક તે ઉદ્ધર્યા, કહું તાહરા હો કેતા અવદત, સાર કરો હવે માહરી, મન આણે હો સ્વામી માહરી વાત.
વિર૦ ૧૫ સુધો સંયમ નવી પળે, નહિ તેહવે હો મુજ દરિસણ નાણ, પણ આઘાર છે એટલો, એક તાહરો હો ઘરૂં નિશ્ચલ ધ્યાન.
વર૦ ૧૬ મેહ મહીયલ વરસતે, નવિ જોવે હો સમવિષમ ઠામ, ગિરૂઆ સહેજે ગુણ કરે, સ્વામી સારો હે મહારા વંછીત કામ.
વિર૦ ૧૭ તુમ નામે સુખ સંપદા, તુમ નામે હે દૂખ જાયે દૂર; તુમ નામે વંછિત ફળે, તુમ નામે હો મુજ આનંદ પૂર.
વિર૦ ૧૮
૮)
Page #112
--------------------------------------------------------------------------
________________
સ્તુતિ સંગ્રહ
કળશ
ઈમ નગર જેસલમેર મંડણ તીર્થંકર ચોવીસમો; શાસનાધીશ્વર સિંહ લંછન, સેવતાં સુરતરૂ સમો; જિનચંદ ત્રિશલા માત નંદન, સકલ ચંદ કલા નીલો; વાચના ચારજ સમય સુંદર, સંઘુણ્યો ત્રિભૂવન તિલો.
ચિચ
૮૧
Page #113
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા || શ્રી ધૃતજ્ઞોન - પાર્શ્વનાથાય નમઃ | અહંદ–ગુણ–વારિધિ–નરેન્દ્ર-નૌકા
વિભાગ ૩જો
સ્તવન-વિભાગ [શત્રુંજયતીર્થ તથા આદિનાથ પ્રભુનાં સ્તવનો]
સિદ્ધ. ૧
સિદ્ધ. ૨
સિદ્ધગિરિમંડન ઈશ સુણો મુજ વિનતિ, મરુદેવીના નંદ છો શિવરમણીપતિ; પૂરક ઈષ્ટ અભિષ્ટ ચૂરક કર્માવલી, ભવભયભંજન રંજન તુજ મુદ્રા ભલી. અનંત ગુણના આધાર અનંતી લક્ષ્મી વર્યા, ક્ષાયિક ભાવે કેવલનાણ ચરણ ધર્યા; અજર અમર નિરુપાધિ સ્થાન પહોંતા જિહાં, ચાર ગતિમાંહી ભમતો મૂક્યો મુજને ઈહાં. ક્રોધ લોભ મોહ મત્સર વશ હું ધમધમ્યો, પણ નિજ ભાવમાં એક ઘડી પ્રભુ નવી રમ્યો; સાર કરો ઈણ અવસર પ્રભુ ઉચિત સહી, મોહ ગયે જો તારો તે તેહમાં અધિક નહીં. પણ તુજ દર્શન પામી અનુભવ ઉલસ્યો, મિથ્યા તામસ સૂર્ય સરીખો તુંહી મત્સ્યો; ઉદય હુઓ પ્રભુ આજ ભાગ્ય મુજ જાગીયાં, તુજ મુખ ચંદ્ર ચકોર નયણ મુજ લાગીયા.
સિદ્ધ. ૩
સિદ્ધ. ૪
૮૨
Page #114
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
જન્મ
તેહીજ જિહ્વા ધન્ય જેણે તુજ ગુણ સ્તવ્યા; ધન ધન તેહી જ નયણ જેણે તુજ નીરખીયાં, મૂર્તિ મનહર પદ્મમનઅલિ માહીયો, જાણું ભવ મહાસાયર ચુલુકપણું લહ્યો. ભવ અટવી સત્થવાહ કર્મ કરી કેસરી, જરા સ્મૃતિ રે ગચ્છેદ ધનવંતરી; જ્ઞાન યણ રયણાયર ગુણમણિ ભૂધરા, રાગદ્વેષ કષાય જીતી થયા જિનવરા. તારક મેહનિવારક કષ્ટ મુજ કાપજો, ભવોદધિ પાર ઉતારી મુક્તિપદ આપજો; કમલવિજયજી સૂરીશ ચરણ તસ કિંકરુ, કહે ‘માહન' તુજધ્યાન ભવાભવ હું ધરૂ
સિદ્ધ.
સિદ્ધ.
૮૩
૫
સિદ્ધ. ૭
: (૨)
(પંખીડા સંદેશા કેજો મારા નાથને-એ રાગ) વિમલાચલ ગિરિ ભેટા ભવિયણ ભાવશું, જેથી ભવોભવ પાતિક દૂર પલાય જો; નિકાચીત બાંધ્યાં જે કર્મ જ આકરાં. ગિરિ ભેટતાં ક્ષણમાં સવિ ક્ષય થાય જો વિમલાચલ. ૧
સાઘુ અનંતા ઈણ ગિરિપર સિદ્ધિ વર્યાં,
રામ ભરત ત્રણ કેાડી મુનિ પરિવાર જો;
પાંચસે સાથે શેલગે શિવપદ લહ્યું, પાંડવ પાંચે પામ્યા ભવનો પાર જો. વિમલાચલ ૨
નિમ વિનમી આદે બહુ વિદ્યાધરા, વળી થાવા અઈમુત્તા અણગાર જો; શુકરાજા વળી સુખ તે ગિરિપર પામીયા, બાહ્ય અત્યંતર શત્રુ કીધા છાર જો. વિમલાચલ
Page #115
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જુગલાધર્મ નિવારણ ઈણ ગિરિ આવીયા, રિષભ જિણંદજી પૂરવ નવાણું વાર જો; કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધિયા;
માટે નિશદિન સિદ્ધાચળ મન ધાર જો. વિમલાચલ. ૪
ગિરિ પાગે ચઢતાં તનમન ઉલ્લસે,
ભવસંચિત સવિ દુષ્કૃત દૂર પલાય જો; સુરજકુંડમાં નાહી નિરમળ થાઈયે,
જિનવર સેવી આતમ પાવન થાય જો. વિમલાચલ. પ
જાત્રા નવાણું કરીએ તન મન લગનથી, ધરીએ શીળસમતા વળી વ્રત પચ્ચક્ખાણ જો; ધ્યાયે ગુણણું દાન સુપાત્રે દીજીયે, દ્વેષ તજી ધરો શત્રુ મિત્ર સમાન જો. વિમલાચલ, ૬ એગિરિ ભેટે ભવ ત્રીજે શિવસુખ લહે,
પાંચમે ભવ તો ભવિયણ મુક્તિ વરાય જો;
સૂરિ ધનેશ્વર શુભ ધ્યાને ઈમ ભાખીયું, પાપી અભવિથી એ ગિરિ નવી ફરસાય જો. વિમલાચલ. ૭
મૂલનાયક શ્રી આદિ જિણંદને ભેટીએ,
રાયણ નીચે પ્રણમો પ્રભુના પાય જો;
બાવન જિનાળાં ચૌમુખ બિંબને વંદીયે, સમેતશિખર અષ્ટાપદ રચના આય જો. વિમલાચલ. ૮
સકલ તીરથનો નાયક એ ગિરિરાજીઓ
તારણ તીરથ ભવાદધિ માંહી પાત જો;
સેવંતા એ ગિરિ બહુ રિદ્ધિ પામીયે, વરીયે શિવપદ કેવલ જોતાં જોત જો. વિમલાચલ. ૯
૬ (૩)
શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો હૈ, સેવકની સુણી વાતો હૈ, દિલમાં ધારજો રે;
૮૪
Page #116
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
તુમ
દેદાર,
હરખ અપાર,
મેં
દીઠો
પ્રભુ આજ મુને ઉપન્યો સાહિબાની સેવા રે, ભવદુઃખ ભાંજશે રે. ૧
અરજ અમારી રે,દિલમાં ધારજો રે, ચોરાશી લાખ ફેરા રે દૂર નિવારો રે; પ્રભુ મને દુર્ગતિ પડતો રાખ, પ્રભુ મને દર્શન વહેલું દાખ. સા. દાલત સવાઈ રે, પ્રભુ સોરઠ દેશની રે, બલીહારી હું જાઉં રે, પ્રભુ તારા વેશની રે; પ્રભુ તાહરૂ રૂડું દીઠું ૩૫, મોહ્યા સુરનરવૃંદ ને ભૂપ. સા. તીરથ કો નહિ રે, શેત્રુંજા પ્રવચન પેખી રે, કીધું તારૂં ઋષભને જોઈ જોઈ હરખે જેહ, ત્રિભુવન લીલા પામે તેહ. સા. સદાય તે માગું રે, પ્રભુ તારી સેવના રે, ભાવઠ ન ભાંજે રે, જગમાં જે વિના રે; પ્રભુ મારા પુરો મનના કોડ, એમ કહે ઉદય રત્ન કરજોડ. સા. ૫
સારિખું રે, પારખું રે;
૨
૩
૪
૬ (૪)
વીરજી આવ્યા રે વિમલાચલકે મેદાન, સુરપતિ પાયા રે, સમોવસરણ કે મંડાણ; દેશના દેવે વીરજી સ્વામી, શત્રુંજય મહિમા વર્ણવે તામ, ભાખ્યા આઠ ઉપર સો નામ; તેહમાં ભાખ્યું રે પુંડરગિરિ અભિધાન, સોહમ ઈંદોરે, તવ પૂછે બહુમાન, કિમ થયું સ્વામી રે, ભાખો તાસ નિદાન. વીર. ૧.
પ્રભુજી ભાખે સાંભળ ઈંદ્ર, પ્રથમ જે હુઆ ૠષભ જિણંદ, તેહના પુત્ર તે ભરત નરિન્દ, ભરતના હુઆ રે, ઋષભસેન પુંડરીક, ઋષભજી પાસે રે, દેશના સુણી તેહ, કેઈક દીક્ષા લીધી રે, ત્રિપદી જ્ઞાન અધિક. વીર. ૨.
૮૫
Page #117
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ગણધર પદવી પામ્યા જામ, દ્વાદશાંગી ગુંથી અભિરામ, વિચરે મહાલયમાં ગુણધામ અનુક્રમે આવ્યા રે, શ્રી સિદ્ધાચલ ઠામ, મુનિવર કોડી રે પંચ તણે પરિણામ, અણસણ કીધા રે નિજ આતમને ઉદ્દામ. વીર. ૩.
ચૈત્રી પુનમ દિવસે એહ, પામ્યા કેવલજ્ઞાન અછેહ, શિવસુખ વરીયા અમર અદેહ, પૂર્ણાનંદી રે અગુરુલઘુ અવગાહ, અજ અવિનાશી રે, નિજપદ ભોગી અબાહ, નિજ ગુણ ધરતા રે, પર પુદ્ગલ નહિ ચાહ. વીર. ૪.
તેણે પ્રગટ્યું પુંડરીકગિરી નામ, સાંભળ સોહમ દેવલોક સ્વામ; એહનો મહિમા અતિહિ ઉદ્દામ, તેણે દિન કીજે રે, તપ જપ પૂજા ને દાન, વ્રત વળી પોસહ રે, જે કરે, અનિદાન, ફળ તસ પામે રે, પંચ કોડીગણું માન. વીર. ૫.
ભગતે ભવ્ય જીવ જે હોય, પંચમે ભવ મુક્તિ લહે સોય; તેહમાં બાધક છે નહિ કોઈ, વ્યવહાર કેરી રે, મધ્યમ ફલની એ વાત, ઉત્કૃષ્ટા યોગે રે, અંતરમુહૂર્ત વિખ્યાત, શિવસુખ સાધે રે; નિજ આતમ અવદાત. વીર. ૬
ચૈત્રી પુનમ મહિમા દેખ, પૂજા પંચપ્રકારી વિશેષ, તેહમાં નહીં ઉણીમ કાંઈ રેખ; એણીપ ભાખી રે, જિનવર ઉત્તમ વાણ, સાંભળી બુઝ્યા રે, કેઈક ભવિક સુજાણ, એણીપરે ગાયો રે, પદ્મવિજય સુપ્રમાણ. વીર. ૭.
પુર્વ (૫)
સુખના હો સિંધુ રે સખી મારે ઉલટ્યા રે, દુઃખના તે દરિયા નાઠા જાય દૂર, પુણ્યતણાં અંકુરા હોજી મારે પ્રગટીયાં રે, મેં તો ભેટ્યો શત્રુંજય ગિરિરાજ. સુખ. ૧.
પુરવ નવાણું વાર સમોસર્યાં રે; ધન્ય ધન્ય રાયણ કેરો રૂખ, પ્રેમે પૂજો રે પગલા પ્રભુજી તણાં રે, ભવોભવ કેરા નાઠા જાય દુઃખ. સુખ. ૨.
નયણે નીરખ્યો રે નાભિ નહિંદનો રે, નંદ તે કરૂણારસનો
८५
Page #118
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
કંદ; આંખલડી જોઈ રે કમલની પાંખડી રે, મુખડું તે જોયું પુનમ કેરો ચંદ. સુખ.૩
સુરનર મુનિવર મોટા રાજવી રે, વળી વિદ્યાઘર કેરો વૃંદ; ભવો ભવ કેરો તાપ શમાવવા રે, મુખડું તે જાણે શરદ કેરો ચંદ. સુખ.૪
ધન્ય ધન્ય રાજા રે ઋષભ જિનેશ્વરુ રે, ધન્ય ધન્ય શત્રુંજય ગિરિરાજ; રૂપની કીર્તિ રે ચરણ પસાઉલે રે, એમ સાધુ માણેક ગુણ ગાય. સુખ. ૫.
F () BE વિમલાચલ વિમલા પ્રાણી, શીતલ તરછાયા ઠરાણી; રસધક કંચન ખાણી, કહે ઈન્દ્ર સુણો ઈન્દ્રાણી સનેહી સંતએ ગિરિ સેવો, ચૌદ ક્ષેત્રમાં તીરથ નહીં એવો.
સનેહી સંત ૧ પત્ રી પાળી ઉલસીએ, છઠ્ઠ અટ્ટમ કાયા કસીએ; મોહમલની સામા ધસીએ, વિમલાચલ વેગે વસીએ.
સનેહી સંત૦ ૨ અન્ય સ્થાનક કર્મ જે કરીયે, તે હેમગિરિ હેઠે હરીએ; પાખલ પ્રદક્ષિણા ફરીયે, ભવજલધિ હેલા તરીયે.
સનેહી સંત) ૩ શિવમંદિર ચઢવા કાજે, સોપાનની પંક્તિ વિરાજે; ચઢતા સમકિતી છાજે, દૂર ભવ્ય અભવ્ય તે લાજે.
સનેહી સંત૪ પાંડવ પમુહા કેઈ સંતા, આદીશ્વર ધ્યાન ધરતા, પરમાતમ ભાવ ભજંતા, સિદ્ધાચલે સિધ્યા અનંતા.
સનેહી સંત) ૫ પટુ માસી ધ્યાન ધરાવે, શુકરાજા તે રાજ્યને પાવે; બહિરંતર શત્રુ હરાવે, શત્રુંજય નામ ધરાવે.
સનેહી સંત૦ ૬
Page #119
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પ્રણિધાને ભજો ગિરિ જાચો, તીર્થકર નામ નિકાચો; મોહરાયને લાગે તમાચો, શુભવીર વિમલગિરિ સાચો.
સનેહી સંત) ૭ ૧ પાખલ-આજુબાજુ. ૨. પ્રણિધાને-મનની સમાધિપૂર્વક.
E (૭) શ્રી વરસીતપ પારણાનું સ્તવન | બાબાજી વિનતિ અવધારો, મંદિરીએ પાઉં વારો. બાબાજી0 શ્રી રિખવ વરસોપવાસી, પૂરવની પ્રીત પ્રકાશી, શ્રેયાંસ બોલે શાબાશી..
બાબાજી) ૧ શેલડી રસ સુજતો વહોરો, ન કરાવો હોરો, દરિસણ ફલ આપો દોરો..
બાબાજી૦ ૨ પ્રભુએ તવ માંડી પસલી, આહાર લેવાની ગતિ અસલી, પ્રગટી નવ દુર્ગતિ વસલી..
બાબાજી૦ ૩ અાવાલી ત્રીજવૈશાખી, પંચ દિવ્ય થયાં સુર સાખી; એ તો દાન તણી ગતિ દાખી..
| બાબાજી) ૪ એમ યુગાદિ પર્વ જાણો, અખાત્રીજ નામે વખાણો; સહુ કોઈ કરે ગલમાણો...
બાબાજી ૫ સહસ્ત્ર વર્ષે કેવળ પાયો, એક લાખ પૂરવ અર આયો, પછી પરમ મહોદય પાયો..
બાબાજી૦ ૬ એમ વદે ઉદય ઉવન્ઝાયા, પૂજો જી તમે રિખવના પાયા, જેણે આદિ ધર્મ ઉપાયા..
બાબાજી) ૭ ક (૮) શ્રી ઋષભજીનું (બાલુડો) સ્તવન |
(રાગ-જનનીની જોડ સખી નહિ જડે રે લોલ) માતા મરૂદેવી મન ચિંતવે રે લોલ, કરી કરી તે ઉંડો આલોચ રે, શોચ ભરી રોવંતી માવડી રે લોલ, નવી જાણો ઋષભ મુજ શોચ રે. એવો નીસ્નેહ મારો બાલુડો રે લોલ, બાલુડા તું કર મારી સાર રે, એવો નીસ્નેહ વાલા શું થયો રે લોલ. ૧
८८
Page #120
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
આંખે ન આવે મુજ નિદ્રડી રે લોલ, વલી જમતા ન ભાવે ભોજન રે જનના શબ્દ કાને નવી ગમે રે લોલ, વલી બીયું તસ કેતા ઓલંબ રે. એવો નીસ્નેહ૦ ૨ ભરત પ્રત્યે દીયે ઓલંભા રે લોલ, ઘરે બેઠા છો તાત ગયા વન રે, રે રે ભરતે મુજને દાખવીયો રે લોલ, માજી મ કરો બાલુડાનો વિલાપ રે. એવો નીસ્નેહ૦ ૩ માતા પ્રત્યે ભરત વિનવે રે લોલ, માજી મુજ પર મ કરો રીસ રે; એ તો નિરાગી ત્રિકાલના રે લોલ, જાણે થયા છે નિધ્યે ઈશ રે. એવો નીસ્નેહ૦ ૪ ગજ અંબાડી બેસાડીયા રે લોલ, શબ્દ સુણી જાણીયો ખોટો સંસાર રે; ક્ષપકશ્રેણી કેવલ પામ્યા રે લોલ, તરત, ખોલ્યા છે મુક્તિના દ્વાર રે. એવો નીસ્નેહ૦ ૫ માતા સમોવડ કોઈ નહીં રે લોલ, વલી પુત્ર પણ તેવા રતન રે; બીહું પ્રત્યે કરૂં વંદના રે લોલ, આસપાસ છે વીર વચન રે. એવો નીસ્નેહ મારો બાલુડો રે લોલ. ૬ E (૯) શ્રી ઋષભજિન (બાલુડો) સ્તવન BE (આ સ્તવનની દરેક ગાથાનું પદ વદ બે વખત બોલવું) બાલુડો નીત નવી વિસરે, છોડ્યો વિનીતાનો રાજ (૨) સંજમ રમણી આરાધવા સાધ્યા આતમ કાજ
(૨)
મારે દીલ વસી રહ્યો વાલમો. ૧ માતાને મેલ્યાં એકલાં રે, જાયે દીન નવી રાત, (૨) રયણ સહાણે બેસતાં, ચાલ્યા અડવાણે પાય. (૨) મારે૦ ૨ વાલાનો નામ નવી વીસર્યો રે, જરે આંસુડાની ધાર; (૨) આંખલડી છાયા પડી, ગયાં વરસ હજાર. (૨) મારે૦ ૩ કેવલ રત્ન આપી કરી રે, પુરી માતાની આશ; (૨) સમવસરણ લીલા જોઈ, લેવા મુક્તિના રાજ. (૨) મોરે, ૪ ભક્તિવત્સલ ભગવંતના રે, નામે નિર્મલ થાય; (૨) આદિ નિણંદ આરાધતાં, મહિમા શિવસુખ થાય. (૨) મારે૦ ૫
૮૯
Page #121
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૧૦) પ્રથમજિન (28ષભજિન) સ્તવન :
(તારહો તાર પ્રભુ મુજ સેવક ભણી. એ દેશી) ઋષભ જિનરાજ મુજ આજ દિન અતિભલો, ગુણ નીલો જેણે તુજ નયન દીઠો; દુઃખ ટલ્યાં સુખ મલ્યાં સ્વામી તુજ નિરખતાં, સુકૃત સંચય હુવો પાપ નીઠો. ઋષભ૦ ૧ કલ્પશાખી ફલ્યો કામઘટ મુજ મલ્યો, આંગણે અમીયનો મેહ વૂઠો; મુજ મહિરાણ મહી ભાણ તુજ દર્શને, ક્ષય ગયો કુમતિ અંધાર જૂઠો. ઋષભ૦ ૨ કવણ નર કનક મણિ છોડી તૃણ સંગ્રહે? કવણ કુંજર તજી કરહ લેવે? કવણ બેસે તજી કલ્પતરુ બાઉલે? તુજ તજી અવર સુર કોણ સેવે? ઋષભ૦ ૩ એક મુજ ટેક સુવિવેક સાહેબ સદા, તુજ વિના દેવ દૂજો ન ઈહું, તુજ વચનરાગ સુખસાગરે ઝીલતો, કર્મભર ભ્રમ થકી હું ન બીહું. ઋષભ૦ ૪ કોડી છે દાસ વિભુ! તાહરે ભલભલા, માહરે દેવ તું એક પ્યારો; પતિતપાવન સમો જગત ઉદ્ધારકર, મહેર કરી મોહે ભવજલધિ તારો. ઋષભ.૦ ૫ મુક્તિથી અધિક તુજ ભક્તિ મુજ મન વસી, જેહશું સબળ પ્રતિબંધ લાગો; ચમક પાષાણ જિમ લોહને ખેંચશ્ય, મુક્તિને સહજ તુજ ભકિતરાગો. ઋષભ૦ ૬
૯)
Page #122
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ધન્ય! તે કાય જેણે પાય તુજ પ્રણમિયે, તુજ થણે જેહ ધન્ય! ધન્ય! જીદ્વા; ધન્ય તે હૃદય જેણે તુજ સદા સમરતાં, ધન્ય! તે રાત ને ધન્ય! દોહા. ઋષભ૦ ૭ ગુણ અનંતા સદા તુજ ખજાને ભર્યા, એક ગુણ દેત મુજ શું વિસામો રયણ એક દેત શી હાણ રયણાયરે? લોકની આપદા જેણે નાસો. ઋષભ૦ ૮ ગંગ સમ રંગ તુજ કિર્તિ કલ્લોલિની, રવિ થકી અધિક તપ તેજ તાજો, નયવિજય વિબુધ સેવક હું આપનો, જસ કહે અબ મોહે બહુ નિવાજો. ઋષભ૦ ૯
(૧૧) આદિનાથપ્રભુનું સ્તવન BE સમક્તિ દ્વાર ગભારે પેસતાંજી, પાપ પડળ ગયાં દૂર રે; માતા મરૂદેવીનો લાડલોજી, દીઠો અતિ મીઠો આનંદ પૂર રે!
સમક્તિ ) ૧ આયુ વર્જિત સાતે કર્મની જી, સાગર કોડાકોડી હીન રે; સ્થિતિ પ્રથમ કરણે કરીજી, વીર્ય અપૂર્વ મોગર લીન રે.
સમક્તિ. ૨ ભુંગળ ભાંગી આદ્ય કષાયની જી, મિથ્યાતમોહની સાંકળ સાથ રે; બાર ઉઘાડ્યાં શમ સંવેગનાં જી, અનુભવ ભવને બેઠા નાથ રે.
સમક્તિ) ૩ તોરણ બાંધ્યાં જીવદયા તણાજી, સાથીયો પૂર્યો શ્રદ્ધારૂપ રે; ધૂપઘટા પ્રભુ ગુણ અનુમોદનાજી, દીપક મંગળ આઠ અનુપ રે.
સમક્તિ ) ૪ સંવરણ પાણીયે અંગ પખાળીયાજી, કેસર-ચંદન ઉત્તમ ધ્યાન રે, આતમગુણરુચિ મૃગમદ મહમહેજી, પંચાચાર કુસુમ પ્રધાન રે.
સમક્તિ ) ૫
૯૧
Page #123
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
–
—
—
ભાવપૂજાએ પાવન આતમાજી, પૂજો પરમેશ્વર પરમ પવિત્ર રે; કારણ જોગે કારજ નિપજેજી, ક્ષમાવિજય જિન આગમ રીત રે.
સમક્તિ૦ ૬
gi (૧૨) આદિનાથ પ્રભુનું સ્તવન BE બાલપણે આપણ સનેહી, રમતા નવ નવ વેશે; આજ તુમે પામ્યા પ્રભુતાઈ, અમે તો સંસારને વેષે,
હો પ્રભુજી ! ઓલંભડે મત ખીજો. ૧ જો તુમ ધ્યાતા શિવસુખ લહીએ, તો તેમને કેઈ ધ્યાવે; પણ ભવસ્થિતિ પરિપાક થયા વિણ કોઈ ન મુગતિ જાવે.
હો પ્રભુજી૦ ૨ સિદ્ધ નિવાસ લહે ભવ સિદ્ધિ, તેમાં થો પાડ તુમારો; તો ઉપગાર તુમારો વહિએ, અભવ્ય સિદ્ધને તારો.
હો પ્રભુજી) ૩ નાણરયણ પામી એકાંતે, થઈ બેઠા મેવાશી; તે માંહેલો એક અંશ જો આપો, તે વાતે શાબાશી.
હો પ્રભુજી૪ અક્ષય પદ દેતાં ભવિજનને, સંકીર્ણતા નવી થાય, શિવપદ દેવા જો સમરથ છો, તો જસ લેતાં શું જાય?
હો પ્રભુજી) ૫ સેવા ગુણ રંજ્યો ભવિજનને, જો તમે કરો વડભાગી; તો તમે સ્વામી કેમ કહાવો, નિર્મમ ને નીરાગી.
હો પ્રભુજી, ૬ નાભિનંદન જગવંદન પ્યારો, જગગુરુ જગ જયકારી; રૂ૫ વિબુધનો મોહન પભણે, વૃષભ લંછન બલિહારી.
હો પ્રભુજી૦ ૭
Page #124
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
0ારી.
= (૧૩) શ્રી ઋષભદેવનું સ્તવન 5
(રાગ-આશાવરી) (બાજી બાજી બાજુ ભૂલ્યો બાજી) ઋષભદેવ હિતકારી, જગતગુરુ ઋષભદેવ હિતકારી; પ્રથમ તીર્થંકર પ્રથમ નરેશ્વર, પ્રથમ યતિ વ્રતધારી. જ૦ ૧ | વરસીદાન દીયો તમે જગમેં, ઈલતી ઈતિ નિવારી; એસી કાહી કરત નાહી કરુણા, સાહેબ બેર હમારી જ૦ ૨ માગત નહી હમ હાથી ઘોડે, ધન કન કંચન નારી; દીયો મોહચરણ કમલકી સેવા, એહી લાગત મોહે પ્યારી. જ૦ ૩ ભવલીલાવાસિત સુર ડારે, તું પર સબહી ઉવારી; મેં મેરો મન નિશ્ચય કીનો, તુમ આણા શિર ધારી. જ૦ ૪ એસો સાહિબ નહિ કોઈ જગમેં, યા હોય દિલદારી; દલહી દયાલ પ્રેમકે બિચે, તિહાં હઠ ખેંચે ગમારી. જ0 ૫ | તુમહી સાહેબ મેં હું બંદા યા મત દીયો બીસારી; શ્રી નયવિજય વિબુધ સેવકકે તુમ હો પરમ ઉપગારી. જ૦ ૬. (૧૪) શ્રી ઋષભદેવનું સ્તવન
(રાગ-સારંગ) માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂર્તી મારું મન લોભાણું જી;
મારું દિલ લોભાણેજી, દેખી તાહરી મૂરતિo કરુણા નાગર કરુણા-સાગર, કાયા કંચનવાન; ધોરીલંછન પાઉલે કાંઈ, ધનુષ પાંચસે માન, ત્રિગડે બેસી ઘર્મ કહેતા, સુણે પર્ષદા બાર; જોજનગામિની વાણી મીઠી, વરસતી જલધાર. માતા૦ ૨ ઉર્વશી રૂડી અપચ્છરા ને, રામા છે મન રંગ; પાયે નેપુર રણઝણે કાંઈ કરતી નાટારંભ. માતા) ૩ તુંહી બ્રહ્મા તુંહી વિધાતા, તું જગતારણહાર; તુજ સરીખો નહિ દેવજગતમાં, અડવડીયા આધાર. માતા. ૪
૯૩
Page #125
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તુંહી ભ્રાતા તુંહી ત્રાતા, તુંહી જગતનો દેવ; સુરનર કિન્નર વાસુદેવા, કરતા તુજ પદ સેવ. માતા૦ ૫ શ્રી સિદ્ધાચલ તીરથ કેરો, રાજા ૠભ જિણંદ; કીર્તિ કરે માણેકમુનિ તાહરી, ટાળો ભવ-ભય-ફંદ. માતા મરૂદેવીના નંદ, દેખી તાહરી મૂરતિ મારૂં માતા૦૬
(૧૫) શ્રી આદિનાથપ્રભુનું સ્તવન
ઘરે આવોને વિનીતાના રાય, વદન મુખ જોઈશું; મારા હૈડા ટાઢેરાં થાય, વિરહ દુ:ખ દોહીલો, સહસ્ત્ર વર્ષ પુરાં થયાં, ને તું કાં ગયો પરદેશ; વિછુઆ ન ધરીએ માડી તણાં, આસંગરો નહીં લવલેશ.
ઋષભ ઘરે આવશે૦ ૧
ક્ષીણ-વીછુઓ નવી છોડતાં ને જબ રે હોતા નાના બાળ; આંખ જ થઈ અલખામણી, તેની શિદરે કરૂં રે સંભાળ. ઋષભ ઘરે આવશે૦ ૨
સંદેશો નવી મુક્યો રે, નવી રે મેં રે પાળીને મોટા કીધાં, હવે
મંદિર દીઠા નવી ગમે ને, અન્ન રીખવ રીખવ કરી હું ભમું, મારા
લખ્યો એકે લેખ; સુખ દીધાં તે દેખ. ઋષભ ઘરે આવશે૦ ૩
ઉદક ન સોહાય; દિન તે દોહિલા જાય. ઋષભ ઘરે આવશે૦ ૪
વન રે પુછે વનપાલને જી, એ સર્વે તમારી પસાય; શીએ રે ગુણૅ શીએ અવગુણે, મુજને મન થકી મેલી માય. ઋષભ ઘરે આવશે૦ ૫
૯૪
ભક્તિ કરૂં તુજ બેટડા રે, ઘણીયે કરૂં રે સંભાળ; તો એ તારા દર્શન વિના, મુજને લાગી છે આલપંપાલ. ઋષભ ઘરે આવશે૦ ૬
Page #126
--------------------------------------------------------------------------
________________
–
સ્તવન વિભાગ
)
આવે સૈયરું દયા મળીને, પૂછીએ નિમિત્ત વિચાર; રીખવ કુંવર આવે ઘરે રે, તેને લાખ કરૂં રે પસાય.
- ઋષભ ઘરે આવશે૦ ૭ ભરતાદિક સુત છે ઘણા ને, તું કાં ગયો પરદેશ; લોભ ન કરીએ બાલુડા, તારે ઘરે છે ઘણી રે જગીશ.
| ઋષભ ઘરે આવશે૦ ૮ હંસ લવે કોયલ લવે ને, લવતે દેવ ગયા દૂર; અલવેશ્વર આવે ઘરે, ઓલો કાગ લવે મોરે નેહ.
| ઋષભ ઘરે આવશે, ૯ રતને જડવું તુજ પાંખડીને, ઉડ તું કાગ સુજાણ; રીખવ કુંવર આવે ઘરે, તેની ઘણી રે કરૂં ગુણ અંત.
ઋષભ ઘરે આવશે) ૧૦ ભરતે તે દીધી વધામણી ને, સત્ય દેખાડું મોરી માય; સમવસરણ દેવે રચ્યું, આવી બેઠા ત્રિભુવન રાય.
| ઋષભ ઘરે આવશ૦ ૧૧ ગજ અંબાડી બેસાડીઆ ને, આવ્યા ભરતેશ્વર રાય; દુર્લભ દીઠા પુત્ર તણાં, ત્યારે હરખ્યા મરૂદેવી માય.
| ઋષભ ઘરે આવશે ૧૨ હરખનાં આંસુ આવ્યા ને, નયણે તે નીર ઝરંત; પર સદા સર્વે સુણી સુણી, ત્યારે હૈડામાં હરખ ન માય.
ઋષભ ઘરે આવશે) ૧૩ સમવસરણ આવી કરીને, તું વચ્છ નીલ કાયવાન; જગમાં કોઈ કોનો નહિ, હવે સગપણ શ્યોરે સનેહ.
| ઋષભ ઘરે આવશે) ૧૪ એમ જપતાં મુગતે ગયા ને, ઉપનું તે કેવલજ્ઞાન; હંસવિજય કુલચંદલો, તેની ભક્તિ કરૂં દિનરાત.
| ઋષભ ઘરે આવશે) ૧૫
૧૫ -
૯૫
Page #127
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક (૧૬) શ્રી આદિનાથપ્રભુનું સ્તવન H ભરતજી કહે સુણો માવડી, પ્રગટ્યાં નવ નિધાન રે, નિત નિત દેતાં ઓલંભડા, હવે જુઓ પુત્રનાં મન રે.
| ઋષભની શોભા હું શી કહું? ૧ અઢાર કોડાકોડી સાગરે, વસીયો નયર અનુપમ રે, ચાર જોયણનું માન છે, ચાલો જોવાને ચુપ રે. ૨૦ ૨ પહેલો રૂપાનો કોટ છે, કાંગરા કંચન વાન રે; બીજો કનકનો કોટ છે; કાંગરા રત્ન સમાન રે. ઋ૦ ૩ ત્રીજો રતનનો કોટ છે; કાંગરા મણિમય જાણ રે; તેમાં મધ્ય સિંહાસને, હુકમ કરે પ્રમાણ રે. ઋ૦ ૪ પૂરવ દિશાની સંખ્યા સુણો, પગથીયાં વીશ હજાર રે, એણી પર ગણતાં ચારે દિશા, પગથિયાં એસી હજાર રે. ઋO ૫ શિર પર ત્રણ છત્ર જળહળે, તેહથી ત્રિભુવન રાય રે; ત્રણ ભુવનનો રે બાદશાહ, કેવલજ્ઞાન સોહાય રે. ઋ૦ ૬ વીશ બત્રીશ દશ સુરપતિ, વળી દોય ચંદ્ર ને સૂર્ય રે; દોય કરજોડી ઊભા ખડા, તુમ સુત ઋષભ હજૂર રે. ૪૦ ૭ ચામર જોડી ચોવિશ છે, ભામંડલ ઝળકંત રે; ગાજે ગગને રે દુંદુભિ, ફૂલ પગરવ સંત રે. 80 ૮ બાર ગુણો પ્રભુ દેહથી, અશોક વૃક્ષ શ્રીકાર રે; મેઘ સમાણી દે દેશના, અમૃતવાણી જયકાર રે; &૦ ૯ પ્રાતિહારજ આઠથી, તુમ સુત દીપે દેદાર રે; ચાલો જોવાને માવડી, ગાયવર ખંધે અસવાર રે. ઋ૦ ૧૦ દૂરથી વાજ સાંભળી, જોતા હરખ ન માય રે; હરખના આંસુથી ફાટીયાં, પડલ તે દૂર પલાય રે. 80 ૧૧ ગયવર ખંધેથી દેખીયો, નિરુપમ પુત્ર દેદાર રે; આદર દીધો નહિ માયને, માય મન ખેદ અપાર રે. ૪૧૨
ન કદમ
૯ ૬
Page #128
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
કોના છોરૂ ને માવડી, એ તો છે વીતરાગ રે; એણીપરે ભાવના ભાવતાં, ક્વલ પામ્યા મહા ભાગ રે. ઋO ૧૩ ગયવર ખંધે મુગતે ગયા, અંતગડ કેવલી એહ રે; વંદો પુત્ર ને માવડી, આણી અધીકો સ્નેહ રે. ઋ૦ ૧૪ ઋષભની શોભા મેં વરણવી, સમક્તિ પુર મોઝાર રે; સિદ્ધગિરિ માહાભ્ય સાંભળો, સંઘને જયજયકાર રે. ઋ૦ ૧૫ સંવત અઢાર એસીયે, માગસર માસ કહાય રે, દીપવિજય કવિરાયનો, મંગળ માળ સોહાય રે. ૦ ૧૬ ૧. દરેક બાજુ પ્રભુ પાસે બબ્બે હોવાથી કુલ આઠ ચામરધારી દેવો હોય છે.
ક (૧૭) પ્રથમ જિનેશ્વરપ્રભુનું સ્તવન પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધી રે કાય; કલ્પવૃક્ષ પરે તાસ ઈન્દ્રાણી નયન જે, ભૃગ પરે લપટાય. ૧ રોગ ઉરગ તુજ નવિ નડે, અમૃત જે આસ્વાદ; તેહથી પ્રતિહત તેહ માનું કોઈ નવી કરે, જગમાં તુમશું રે વાદ. ૨ વગર ધોઈ તુજ નિરમળી, કાયા કંચન વાન; નહીં પ્રસ્વેદ લગાર તારે તું તેહને, જે ઘરે તારું ધ્યાન. ૩ રાગ ગયો તુજ મન થકી, તેહમાં ચિત્ર ન કોય; રૂધિર આમિષથી રોગ ગયો તુજ જન્મથી, દૂધ સહોદર હોય. ૪ શ્વાસોશ્વાસ કમલ સમો, તુજ લોકોત્તર વાત; દેખે ન આહાર નિહાર ચર્મ ચક્ષુ ઘણી, એહવા તુજ અવદાત. ૫ ચાર અતિશય મૂળથી, ઓગણીશ દેવના કીધ; કર્મ ખપ્પાથી અગ્યાર ચોત્રીશ ઈમ અતિશયા, સમવાયાંગે પ્રસિદ્ધ. ૬ જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ; પદ્મવિજય કહે એહ સમય પ્રભુ પાળજો,
જેમ થાઉં અક્ષય અભંગ. પ્રથમ0 ૭
Page #129
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા gi (૧૮) શ્રી આદિનાથ પ્રભુનું સ્તવન BE જીરે સફલ દિવસ આજ માહરો, દીઠો પ્રભુનો દેદાર; લય લાગી જિનજી થકી, પ્રગટ્યો પ્રેમ અપાર; ઘડી એક વિસરો નહિ સાહિબા, સાહિબા ઘણો રે સ્નેહ, અંતરજામી છો માહરા, મરૂદેવીના નંદ. ઘડી. ૧ જીરે લઘુ થઈને મનડું રહી, પ્રભુ સેવાને કાજ; તે દિન ક્યારે આવશે, શિવસુખના દાતાર. ઘડી. ૨ જીરે પ્રાણેસર પ્રભુજી તુમે, આતમના આધાર; માહરે મન પ્રભુ તુમ એક છો, જાણજો જગદાધાર. ઘડી૩ જીરે એક ઘડી પ્રભુ તમ વિના, જાણે વરસ સમાન; પ્રેમવિરહ તુજ કેમ ખમું, જાણે વચન પ્રમાણ વડી. ૪ જીરે અંતરગતની વાતડી, કહો કોને કહેવાય; વાલેસર વિશ્વાસીને, કહેતાં દુઃખ જાય. ઘડી. ૫ જીરે દેવ અનેક જગમાંહે છે, તેહની રીત અનેક; તુજ વિના અવરને નહીં નમું, એવી મુજ મન ટેક. ઘડી ૬ જીરે પંડિત વિવેકવિજય તણો, નમે શુભ મન ભાય; હર્ષવિજય શ્રી ઋષભના, જુગતે ગુણ ગાય. ઘડી૭
(૧૯) SE બાપલડારે પાતિકડાં તમે શું કરશો હવે રહીને રે, શ્રી સિદ્ધાચલ નયણે નિરખ્યો, દૂર જાઓ તમે વહીને રે.
| બાપલડાં, રે ૧ કાલ અનાદિલગે તુમ સાથે, પ્રીત કરી નિરવહીને રે; આજ થકી પ્રભુ ચરણે રહેવું, એમ શિખવીયું મનને રે.
| બાપલડાં રે૦ ૨ દુઃષમકાળે ઈણે ભરતે, મુક્તિ નહીં સંઘયણને રે, પણ તુમ ભક્તિ મુક્તિને ખેંચે, ચમક ઉપલ જેમ લોહને રે.
બાપલડાં રે૦ ૩
૯૮
Page #130
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
શુદ્ધ સુવાસન ચૂરણ આપ્યું, મિથ્યા-પંક શોધનને રે; આતમભાવ થયો મુજ નિર્મળ, આનંદમય તુજ ભજને રે.
| બાપલડાં રે ૪ અખય-નિધાન તુજ સમકિત પામી, કુણ વંછે ચલ ધનને રે; શાંત સુધારસ નયન કચોળે, સીંચો સેવક તનને રે.
બાપલડાં રે૦ ૫ બાહ્ય અત્યંતર શત્રુ કેરો, ભય ન હોવે મુજને રે; સેવક સુખીયો સુજસ-વિલાસી, તે મહિમા પ્રભુ તુજને રે.
બાપલડાં રે૦ ૬ નામમંત્ર તુમારો સાધ્યો, તે થયો જગમોહનને રે; તુજ મુખમુદ્રા નિરખી હરખું, જિમ ચાતક જલધરને રે.
| બાપલડાં રે૦ ૭ તુજ વિણ અવરને દેવ કરીને, નવિ ચાહું ફરી ફરીને રે; જ્ઞાનવિમલ કહે ભવજલ તારો, સેવક બાંહ્ય ગ્રહીને રે.
બાપલડાં રે૦ ૮
= (૨૦) પુર્વ સિદ્ધગિરિ ધ્યાવો ભવિકા! સિદ્ધગિરિ ધ્યાવો; ઘેર બેઠાં પણ બહું ફળ પાવો. ભવિકા! બહુ ફળ પાવો. નંદીશ્વર જાત્રાએ જે ફળ હોવે, તેથી બમણેરૂં ફળ કુંડલગિરિ હોવે. ભ૦ કું) ૧. ત્રિગણું રૂચકગિરિ ચોગણું ગજદંતા, તેથી બમણેરું ફળ જંબૂ મહેતા ભ૦ જં૦ ૫ણું ઘાતકી ચૈત્ય જુહાર, છત્રીસ ગણેરું ફલ પુખલવિહારે ભ૦ ૫૦ ૨. તેથી શતગણું ફળ મેરુ ચૈત્ય જુહારે, સહસગણેરું ફળ સમેતશિખરે. ભ૦ સ0 લાખગણેરૂં ફળ અંજનગિરિ જુહારે, દશલાખગણેરૂં ફળ અષ્ટાપદ ગિરનારે. ભ૦ અ૦ ૩. ક્રોડગણેરૂં ફળ શ્રી સિદ્ધાચલ ભેટે; જેમ રે અનાદિનાં દુરિત ઉમેટે ભ૦ ૬૦ ભાવ અનંતે અનંત ફલ પાવે, જ્ઞાનવિમલસૂરિ ઈમ ગુણ ગાવે ભ૦ ઈ૦ ૪.
૧૯ો
Page #131
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
i (૨૧) i જાત્રા નવાણું કરીએ વિમલગિરિ, જાત્રા નવાણું કરીએ. એ આંકણી. પુરવ નવાણું વાર શેત્રુજાગિરિ, ઋષભજિણંદ સમોસરીએ. વિ૦ જા) ૧. કોડી સહસ ભવ પાતક તૂટે, શત્રુંજય સામો ડગ ભરીયે. વિ૦ જા૦ ૨. સાત છટ્ટ દોય અટ્ટમ તપસ્યા, કરી ચડીયે ગિરિવરીયે. વિ૦ જાતે ૩. પુંડરીક પદ જપીએ મન હરખે; અધ્યવસાય શુભ ધરીએ. વિ૦ જા૨ ૪. પાપી અભિવ્ય નજરે ન દેખે, હિંસક પણ ઉદ્ધરીએ. વિ૦ જા) ૫. ભૂમિ સંથારો ને નારીતણો સંગ દૂરથકી પરિહરીએ વિ૦ જા૦ ૬. સચિત્ત પરિહારીને એક આહારી, ગુરુ સાથે પદ ચરીયે. વિ૦ જા) ૭. પડિક્કમણાં દોય વિધિશું કરીએ, પાપ પડલ વિખરીએ. વિ૦ જા૮. કલિકાલે એ તીરથ મોટું પ્રવહણ જિમ ભર દરિયે. વિ૦ જા૦ ૯. ઉત્તમ એ ગિરિવર સેવંતાં, પદ્મ કહે ભવ તરીયે. વિ૦ જા૦ ૧૦.
૬ (૨૨) F આંખડીયે રે મેં આજ શત્રુંજય દીઠો રે, સવા લાખ ટકાનો દહાડો રે, લાગે મને મીઠો રે (એ આંકણી) સફલ થયો મારા મનનો ઉમાહ્યો, વ્હાલા મારા ભવનો સંશય ભાંગ્યો રે; નરક તિર્યંચ ગતિ દૂર નિવારી, ચરણે પ્રભુજીને લાગ્યો રે. શત્રુંજય દીઠો રે. ૧. માનવભવનો લાહો લીજે, વાળ દેહડી પાવન કીજે રે, સોના રૂપાને ફૂલડે વધાવી, પ્રેમે પ્રદક્ષિણા દીજે રે. શ૦ ૨. દૂધડે પખાળી ને કેશર ઘોળી વા૦ શ્રી આદીશ્વર પૂજ્યા રે, શ્રી સિદ્ધાચલ નયણે જોતાં, પાપ મેવાસી છૂજ્યા રે. શ૦ ૩. શ્રીમુખ સુધર્મા સુરપતિ આગે, વાળ વીર નિણંદ એમ બોલે રે; ત્રણ ભુવનમાં તીરથ મોટું, નહિ કોઈ શત્રુંજય તોલે રે. શ૦ ૪. ઈન્દ્ર સરીખા એ તીરથની, વાળ ચાકરી ચિત્તમાં ચાહે રે; કાયાની તો કાસલ કાઢી, સૂરજકુંડમાં નાહે રે. શ૦ ૫. કાંકરે કાંકરે શ્રી સિદ્ધક્ષેત્રે વા૦ સાધુ અનંત સિદ્ધા રે, તે માટે એ તીરથ
[૧૦૦
Page #132
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
મહોટું, ઉદ્ધાર અનંતા કીધા રે. શ૦ નાભિરાયાસુત નયણે જોતાં, વામેહ અમીરસ વૂક્યા રે; ઉદયરતન કહે આજ મારે પોતે, શ્રી આદીશ્વર તૂક્યા રે. શ૦ ૭.
F (૨૩) ; મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલે રે, દેખીને હરખિત થાય; વિધિશું કીજે રે જાત્રા એહની રે, ભવભવનાં દુઃખ જાય.
મારૂં૦ ૧ પંચમે આરે રે પાવન કારણે રે, એ સમો તીરથ ન કોય; મોટો મહિમા રે જગમાં એકનો રે, આ ભરતે ઈહાં જોય.
મારૂં૦ ૨ ઈણ ગિરિ આવ્યા રે જિનવર ગણધરા રે, સિધ્યા સાધુ અનંત, કઠિન કરમ પણ એ ગિરિ ફરસતાં રે, હવે કરમ નિશાંત.
મારૂં૦ ૩ જૈન ધરમને સાચો જાણીને રે, માનવ તીરથ એ થંભ, સુર નર કિન્નર નૃપ વિદ્યાધરા રે કરતા નાટારંભ.
મારૂ૦ ૪ ધન્ય ધન્ય દહાડો રે ધન્ય વેળા ઘડી રે, ધરીએ હૃદય મોઝાર, જ્ઞાનવિમલસૂરિ ગુણ એનાં ઘણાં રે, કહેતાં નાવે હો પાર.
મારૂ૦ ૫
F (૨૪) E વિમલાચલ નિતુ વંદીએ, કીજે એહની સેવા માનું હાથ એ ધર્મનો, શિવતરુ ફળ લેવા. વિમલા૦ ૧ ઉજ્વલ જિનગૃહમંડળી, તિહાં દીપે ઉત્તેગા; માનું હિમગિરિ વિભ્રમે, આઈ અંબરગંગા. વિમલાઇ ૨ કોઈ અનેરૂં જગ નહીં એ તીરથ તોલે, એમ શ્રીમુખ હરિ આગળ, શ્રી સીમંધર બોલે. વિમલા૦ ૩
માનું હિત
જગ સીમંધર બો
ર૦૧
૧૦૧
Page #133
--------------------------------------------------------------------------
________________
અહદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જે સઘળાં તીરથ કહ્યાં, જાત્રાફળ કહીએ; તેહથી એ ગિરિ ભેટતાં, શતગણું ફળ લહીએ. વિમલા ૪ જનમ સફળ હોય તેહનો, જે એ ગિરિ વંદે; સુજસવિજય સંપદ લહે, તે નર ચિર નંદ. વિમલા૦ ૫
(૨૫) FE. સિદ્ધાચલ ગિરિ ભેટ્યા રે, ધન્ય ભાગ્ય હમારાં. એ આંકણી. એ ગિરિવરનો મહિમા મોટો, કહેતાં ન આવે પારા; રાયણ રૂખ સમોસર્યા સ્વામી, પૂરવ નવાણું વારા રે. ૧૦ ૧ મૂળનાયક શ્રી આદિજિનેશ્વર, ચૌમુખ પ્રતિમા ચાર; અષ્ટ દ્રવ્યશું પૂજો ભાવે, સમકિત મૂલ આધાર રે. ૧૦ ૨ ભાવભક્તિશું પ્રભુ ગુણ ગાતાં, અપના જન્મ સુધારા, યાત્રા કરી ભવિજન શુભ ભાવે, નરક તિર્યંચ ગતિ વારા રે. ધ૦ ૩ દૂર દેશાંતરથી હું આવ્યો, શ્રવણે ગુણ તારા; પતિત-ઉદ્ધારણ બિરૂદ તમારૂં, એ તીરથ જગ સારા રે. ૧૦ ૪ સંવત અઢાર ત્યાસી માસ અષાઢો, વદિ આઠમ ભોમવાર; પ્રભુજી ચરણ પ્રતાપ કે સંઘમેં ખિમારતન પ્રભુ પ્યારારે. ૧૦ ૫
F (૨૬) FEL તું ત્રિભુવન સુખકાર, ઋષભજિન ! તું ત્રિભુવન સુખકાર શત્રુંજયગિરિ શણગાર. ઋષભ૦, ભૂષણ ભરત મઝાર-ઋષભ, આદિ પુરુષ અવતાર. ઋષભ૦ (એ આંકણી) તુમ ચરણે પાવન કર્યું રે, પૂર્વ નવાણું વાર, તેણે તિરથ સમરથ થયું રે, કરવા જગત ઉદ્ધાર . ઋષભ૦ ૧. અવર તે ગિરિ પર્વતે વડા રે, એહ થયો ગિરિરાજ; સિદ્ધ અનંતા ઈહાં થયાં રે, વળી આવ્યા અવર જિનરાજ. ઋષભ૦ ૨ સુંદરતા સુરસદનથી રે, અધિક જિહાં પ્રાસાદ; બિંબ અનેકે શોભતો રે, દીઠે ટળે વિખવાદ. ઋષભ૦ ૩. ભેટણ કાજે ઉમહ્યા રે, આવે સવિ ભવિ લોક, કલિમલ તસ
{૧૦૨E
Page #134
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
અડકે નહિ રે ક્યું સોવન ધન રોક. ઋષભ૦ ૪. જ્ઞાનવિમલ પ્રભુ જસ શિરે રે, તસ ખસે ભવ પરવાહ કરતલગત શિવસુંદરી મળે સહજ ધરી ઉચ્છાહ. ઋષભ૦ ૫ -
| H (૨૭) , તે દિન ક્યારે આવશે, શ્રી સિદ્ધાચલ જાશું ઋષભ નિણંદ જીહારીને, સૂરજકુંડમાં નહાશું. તે દિન ૧ સમવસરણમાં બેસીને, જિનવરની વાણી; " સાંભળશું સાચે મને, પરમારથ જાણી. તે દિન ૨ સમકિત વ્રત સૂધાં ધરી, સદગુરૂને વંદી, પાપ સર્વ આલોઈને, નિજ આતમ નિંદી. તે દિન) ૩ પડિક્કમણાં દોય ટંકનાં, કરશું મન કોડે; વિષય કષાય વિસારીને, તપ કરીશું તોડે. તે દિન ૪ વહાલા ને વૈરી વિચે, નવિ કરશું વહેરો; પરના અવગુણ દેખીને, નવિ કરશું ચહેરો. તે દિન) ૫ ધર્મસ્થાનક ધન વાપરી, છક્કાયને હેત; પંચમહાવ્રત લેઈને, પાળશું મન પ્રીતે. તે દિન ૬ કાયાની માયા મેલીને, પરિસહને સહેલું; સુખ-દુઃખ સરવે વિસારીને, સમભાવે રહીશું. તે દિન૦ ૭ અરિહંતદેવને ઓળખી, ગુણ તેહના ગાશું ઉદયરત્ન એમ ઉચ્ચરે, ત્યારે નિર્મળ થાશું. તે દિન ૮
(૨૮) દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દીયો; કોઈ આવે હાથી ઘોડે, કોઈ આવે ચડે પાલખી, કોઈ આવે પગપાળે, દાદાને દરબાર; હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી દૂરથી આવ્યો, દાદા દરિશન દીયો. ૧. શેઠ આવે હાથી ઘોડે, રાજા આવે ચડે પલાણે; હું આવું પગપાળે, દાદાને
૧૧૦૩F
Page #135
--------------------------------------------------------------------------
________________
અદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દરબાર, હાં હાં દાદાને દરબાર, દાદા આદીશ્વરજી) ૨. કોઈ મૂકે સોના-રૂપા, કોઈ મૂકે મહોર, કોઈ મૂકે ચપટી ચોખા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી) ૩. શેઠ મૂકે સોના-રૂપા, રાજા મૂકે મહોર; હું મૂકું ચપટી ચોખા, દાદાને દરબાર, દાદા આદીશ્વરજી ૪. કોઈ માગે કંચનકાયા, કોઈ માગે આખ, કોઈ માગે ચરણની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી) ૫. રોગી માંગે કંચનકાયા, આંધળો માંગે આંખ; હું માનું ચરણની સેવા, દાદાને દરબાર, હાં હાં દાદાને દરબાર. દાદા આદીશ્વરજી૦ ૬. હીરવિજય ગુરુ હીરલો ને વીરવિજય ગુણ ગાય; શત્રુંજયના દર્શન કરતાં આનંદ અપાર. હાં હાં આનંદ અપાર, દાદા આદીશ્વરજી; દૂરથી આવ્યો, દાદા દરિશન દીયો. ૭.
HE (૨૯) E જગચિંતામણિ જગગુરુ, જગતશરણ આધાર લાલ રે; અઢાર ક્રોડાકોડી સાગરે, ધર્મ ચલાવણહાર લાલ રે. ૧ અસાડ વદિ ચોથે પ્રભુ, સ્વર્ગથી લીયે અવતાર લાલ રે; ચૈત્ર વદિ આઠમ દિને, જનમ્યા જગદાધાર લાલ રે. ૨ પાંચશે ધનુષની દેહડી, સોવનવર્ણ શરીર લાલ રે; ચૈત્ર વદી આઠમે લીયે, સંયમ મહાવડવીર લાલ રે. ૩ ફાગણ વદિ અગ્યારશે, પામ્યા પંચમ નાણ લાલ રે; મહા વદિતેરશે શિવ વર્યા, યોગનિરોધ કરી જાણ લાલ રે. ૪ લાખ ચોરાશી પુર્વતણું, જિનવર ઉત્તમ આયુ લાલ રે. પદ્મવિજય કહે પ્રણમતાં, વહેલું શિવસુખ થાય લાલ રે. ૫
F (૩૦) gE શ્રી રે સિદ્ધાચલ ભેટવા, મુજ મન અધિક ઉમાહ્યો; ઋષભદેવ પૂજા કરી, લીજે ભવતણો લાહો. શ્રી રે ૧
૧૦૪
Page #136
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
મણિમય મૂરતિ શ્રી ઋષભની, નીપાઈ અભિરામ, ભવન કરાવ્યાં કનકનાં, રાખ્યાં ભરતે નામ. શ્રી ૨૦ ૨ નેમિ વિના ત્રેવીસ પ્રભુ, આવ્યા સિદ્ધક્ષેત્ર જાણી; શેત્રુંજા સમું તીરથ નહીં, બોલ્યા સીમંધર વાણી. શ્રી રે૦ ૩ પૂરવ નવા સમોસર્યા સ્વામી ઋષભજિણંદ; રામ પાંડવ મુગતે ગયા, પામ્યા પરમાનંદ. શ્રી ૨૦ ૪ પૂરવ પુણ્ય પસાઉલે, પુંડરીકંગિર પાયો; કાંતિવિજય હરખે કરી, શ્રી સિદ્ધાચલ ગાયો. શ્રી રે૦ ૫
૬ (૩૧) સિદ્ધાચલવાસી આદિનાથ સ્તવન સિદ્ધાચલના વાસી, વિમલાચલના વાસી,
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા; પ્રભુજીનું મુખડું મલકે, નયનોમાંથી વરસે અમીરસધારા, જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
૧
પ્રભુજીનું મુખડું છે મલક મિલાકર, દિલમેં ભક્તિકી જ્યોત જલાકર ભજલે પ્રભુજીને ભાવે, દુર્ગતિ ફરી ન આવે;
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
ભમીને લાખ ચોરાશી હું આવ્યો, પુન્યે દરિશન તુમારું પામ્યો; ધન્ય દિન મારો, ભવનો ફેરો ટાળો,
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
અમે તો માયાના વિલાસી, તુમે તો મુક્તિપુરીના વાસી; કર્મબંધન કાપો, મોક્ષસુખ આપો;
જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
૨
૧૦૫
૩
૪
અરજી ઉરમાં ધરજો અમારી, અમને આશા છે પ્રભુજી તુમારી, કહે હર્ષ હવે સાચા સ્વામી તુમે, પૂજન કરીએ અમે; જિનજી પ્યારા ! આદિનાથને વન્દન હમારા;
૫
Page #137
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩૨) શ્રી સિદ્ધાચલજીનું સ્તવન
વિમલ ગિરિવર, શિખર સુંદર, સકલ તીરથ સાર રે; નાભિનંદન ત્રિજગવંદન ઋષભજિન સુખકાર
રે.
ચૈત્ર તરુવર, રુખરાયણ સોહે અતિ મનોહાર રે; નાભિનંદન તણા પગલાં ભેટતા મનોહાર રે. સમવસરીયા આદિ જિનવર, જાણી લાભ અનંત રે; અજિત શાંતિ ચૌમાસું રહિયા, ઈમ અનંત મહંત રે.
૩
પુંડરીક
સાધુ સિધ્યા તિહાં અનંતા, શાંબ પ્રદ્યુમ્ન પાંડવ, પ્રમુખ બહુ નેમિજિનના શિષ્ય થાવા, સહસ પરિવાર રે; અંતગડજી સૂત્રમાંહી, જ્ઞાતાસૂત્ર મોઝાર રે. ભાવસહિત ભવિ જેહ ફરસે, સિદ્ધક્ષેત્ર સુઠામ રે; નરક તિરિ દો નિવારે, જપે લાખ જિન નામ રે. રયણમય જે ઋષભ પ્રતિમા, પંચસય ધનુ માન રે; નિત્ય પ્રત્યે જિહાં ઇંદ્ર પુજે, દૂષમ સમય પ્રમાણ રે.
ત્રીજે ભવે તે મુક્તિ પહોંચે, ભવિક ભેટે જેહ રે; દેવ સાન્નિધ્ય સકલ વંછિત, પૂરવે સસસ્નેહ રે. ८ એણી પેરે જેહનો સબલ મહિમા, કહ્યો શાસ્ત્ર મોઝાર રે; જ્ઞાનવિમલ ગિરિ ધ્યાન ધરતા, આવાગમન નિવાર રે. ૯
૧
ગણધાર રે;
અણગાર રે.
૧૦૬
(૩૩) જિનબિંબ સ્થાપન સ્તવન
ભરતાદિકે ઉદ્ધાર જ કીધો, શત્રુંજય મોઝાર; સોનાતણા જેણે દેહરાં કરાવ્યાં, રત્નતણા બિંબ સ્થાપ્યા; હો કુમતિ ! કાં પ્રતિમા ઉથાપી, એ જિનવચને થાપી.
હો કુમતિ ૧ રાય સુજાણ;
વીર પછી બસે નેવું વરસે,સંપ્રતિ સવા લાખ પ્રાસાદ કરાવ્યાં,, સવા ક્રોડ બિંબ સ્થાપ્યાં.
હો કુમતિ૦ ૨
Page #138
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
દ્રૌપદીએ જિનપ્રતિમા પૂજી, સૂત્રમાં સાખ ઠરાણી; છદ્દે અંગે તે વીરે ભાખ્યું, ગણધર પૂરે સાખી.
હો કુમતિ) ૩ સંવત નવસે ત્રાણુ વરસે, વિમળ મંત્રીશ્વર જે; આબુતણા જેણે દેહરાં કરાવ્યાં, છ હજાર બિંબ સ્થાપ્યાં.
હો કુમતિ) ૪ સંવત અગિયાર નવ્વાણું વરસે, રાજા કુમારપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, સાત હજાર બિંબ સ્થાપ્યા.
હો કુમતિ) ૫ સંવત બાર પંચાણું વરસે, વસ્તુપાળ ને તેજપાળ; પાંચ હજાર પ્રાસાદ કરાવ્યાં, અગીયાર હજાર બિંબ સ્થાપ્યા.
હો કુમતિ) ૬ સંવત બાર બહોતેર વરસે, સંઘવી ધન્નો જેહ, રાણકપુર જેણે દેહરા કરાવ્યાં, ક્રોડ નવ્વાણું દ્રવ્ય ખરચ્યાં.
હો કુમતિ) ૭ સંવત તેર એકોતેર વરસે, સમરોશા રંગ શેઠ; ઉધ્ધાર પંદરમો શેત્રુજે કીધો, અગીયાર લાખ દ્રવ્ય ખરચ્યાં.
હો કુમતિ) ૮ સંવત સોલ બહોતેર વરસે, બાદશાહને વારે; ઉધ્ધાર સોલમો શેત્રુજે કીધો, કરમશાહે જસ લીધો.
હો કુમતિo ૯ એ જિનપ્રતિમા જિનવર સરખી, પૂજો ત્રિવિધ તુમે પ્રાણી; જિનપ્રતિમામાં સંદેહ ન રાખો, વાચક જસની વાણી.
હો કુમતિ) ૧૦ Eવ (૩૪) , સુણ જિનવર શેત્રુંજા ધણીજી, દાસ તણી અરદાસ; તુજ આગળ બાળક પરેજી, હું તો કરૂં ખાસ રે જિનજી ! મુજ
[૧૦૭
Page #139
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પાપીને તાર. તું તો કરૂણા રસ ભર્યોજી, તું સહુનો હિતકાર રે. જિનજી ! મુજ0 ૧. હું અવગુણનો ઓરડોજી, ગુણ તો નહીં લવલેશ; પરગુણ પેખી નવિ શકુંજી, કેમ સંસાર તરીશ? રે. જિનજી ! મુજ) ૨. જીવ તણા વધ મેં કર્યાજી, બોલ્યા મૃષાવાદ; કપટ કરી પરધન હર્યાજી, સેવ્યા વિષય સંવાદ રે. જિનજી! મુજ૦ ૩. હું લંપટ હું લાલચુંજી, કર્મ કીધાં કેઈ કોડ: ત્રણ ભુવનમાં કો નહીંછ, જે આવે મુજ જોડ રે. જિનજી ! મુજ0 ૪. છિદ્ર પરાયાં અહોનિશેજી, જોતો રહું જગનાથ; મુગતિતણી કરણી કરીજી, જોડ્યો તેહશું સાથ રે. જિનજી! મુજ0 પ કુમતિ કુટીલ કદાગ્રહીજી, વાંકી ગતિ મતિ મુજ; વાંકી કરણી માહરીજી, શી સંભળાવું તુજ રે. જિનજી ! મુજ૦ ૬. પુન્ય વિના મુજ પ્રાણીઓજી, જાણે મેલું રે આથ; ઉંચા તરુવર મોરીયાંજી, ત્યાંથી પસારે હાથ રે જિનજી! મુજ૦ ૭. વિણ ખાધા વિણ ભોગવ્યાજી, ફોગટ કર્મ બંધાય; આર્તધાન માટે નહીંજી, કીજે કવણ ઉપાય રે. જિનજી ! મુજ૦ ૮. કાજળથી પણ શામળાજી, મારા મનપરિણામ, સુહણામાંહી તાહરૂજી, સંભારૂં નહીં નામ રે. જિનજી ! મુજ) ૯. મુગ્ધ લોક ઠગવા ભણીજી, કરૂં અનેક પ્રપંચ, કૂડ કપટ બહુ કેળવજી, પાપ તણો કરૂં સંચરે જિનજી ! મુજ૦ ૧૦. મન ચંચળ ન રહે કિમેજી, રાચે રમણી રે રૂપ; કામ વિટંબણા શી કહુંજી, પડીશ હું દુર્ગતિ ફૂપે રે જિનાજી ! મુજ૦ ૧૧. કિસ્યા કહુ ગુણ માહરાજી, કિસ્યા કહું અપવાદ; જેમ જેમ સંભારું હિયેજી. તેમ તેમ વધે વિખવાદ રે. જિનજી ! મુજ૦ ૧૨. ગિરૂઆ તે નવિ લેખવેજી, નિર્ગુણ સેવકની વાત; નીચ તણે પણ મંદિરજી, ચન્દ્ર ન ટાળે જ્યોત રે. જિનજી ! મુજ૦ ૧૩. નિગુણો તો પણ તાહરોજી, નામ ધરાવ્યું દાસ; કૃપા કરી સંભારજોજી, પૂરજો મુજ મન આશ રે. જિનજી ! મુજ૦ ૧૪ પાપી જાણી મુજ ભણીજી, મત મુકો રે વિસાર; વિષ હળાહળ આદર્યોજી, ઈશ્વર ન તજે તાસ રે. જિનજી! મુજ) ૧૫. ઉત્તમ ગુણકારી હુએજી, સ્વાર્થ વિના સુજાણ; કરણ સિંચે સર ભરેજી, મેહ ન માગે
૧૦૮
Page #140
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
દાણ રે. જિનજી ! મુજ૦ ૧૬. તું ઉપકારી ગુWણનીલોજી, તું સેવક પ્રતિપાળ; તું સમરથ સુખ પૂરવાજી, કર માહરી સંભાળ રે. જિનાજી ! મુજ૦ ૧૭. તુજ ને શું કહીએ ઘણુંજી, તું સહુ વાતે રે જાણ, મુજને થાજો-સાહિબાજી ! ભવ ભવ તાહરી આણ રે. જિનાજી! મુજ) ૧૮. નાભિરાયાકુળ ચંદલોજી, મરૂદેવીનો રે નંદ; કહે જિન હરખ નિવાજજોજી, દેજો પરમાનંદ રે. જિનજી! મુજ૦ ૧૯.
E (૩૫) શ્રી શત્રુંજય સ્તવન ડુંગર ટાઢો ને ડુંગર શીતલો, ડુંગર સિધ્યા અનંત રે, ડુંગર પોલો ને ડુંગર ફુટડો, ત્યાં વસે મારૂદેવીનો નંદ રે. ત્યાં વસે સુનંદાનો કંથ રે, ફુલના ચોસર પ્રભુજીને શિર ચડે. ૧ પહેલે આરે શ્રી પુંડરીકગિરિ, એંશી જોજનનું પ્રમાણ રે; બીજો સીત્તેર જોજન જાણીએ, તીજે સાઠ જોજનનું માન રે. ૨ ચોથે આરે પચાસ જોજન જાણીએ, પાંચમે બાર જોજનનું માન રે, છકે આરે સાત હાથ જાણીએ, એણી પરે બોલે શ્રી વર્ધમાન રે. ૩ એણે ગિરિ રૂષભ નિણંદ સમોસર્યા પ્રભુજી પૂર્વ નવાણું વાર રે; જાત્રા નવાણું જે જુગતે કરે, ઘન ઘન તે નરનો અવતાર રે. ૪ જે નર શત્રુંજય ભેટ્યા સહી, જે નરે પુજ્યા આદિ જિણંદ રે; દાન સુપાત્રે જેણે દીધું સહી, તે નાવે ફરી ગર્ભાવાસ રે. ૫ જે નર શત્રુંજય ભેટ્યા નહીં, જેણે ન પૂજ્યા આદિ જિર્ણદરે; દાન સુપાત્રે જેણે દીધું નહીં, તસ નવી છુટે કર્મનો પાસ રે, એમ કહે રૂપ વિજયનો દાસ રે, પૂરો પ્રભુજી મારી આશ રે. ૬ ક (૩૬) શ્રી આદીશ્વર જિનસ્તવન HF
(રાગ તેરી પ્યારી પ્યારી) હું તો પામ્યો પ્રભુના પાય રે, આણ ન લોપું રે. (૨) સાંભળી તારા વેણ રે, કાનમાં રોપુ રે. (૨)
(૧૦૯F
Page #141
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૧
જન્મ જન્મના ફેરાં ફરતા, મેં તો ઘ્યાયા ન દેવાધિદેવા; કુગુરુ કુશાસ્ત્ર તણા ઉપદેશે, લાધી નહીં પ્રભુસેવા રે. હું તો૦ કનક કથીરનો વેરો ન જાણ્યો, કાચમણી સમતોલ્યા રે; વિવેકતણી મેં વાત ન જાણી, વિષ અમૃત કરી ઘોળ્યા રે. હું તો ૨ સકિતનો લવલેશ ન સમજ્યો, હું તો મિથ્યામતમાં ખુંચ્યો; માયાતણા પંથે પરવરીયો, વિષયે કરી વિશુત્યો રે. હું તો૦ ૩ કોઈ પૂરવ પુન્ય સંયોગે, આરજ કુળમાં અવતરીયો; આદીશ્વર સાહિબ મુજ મલિયો, તારક ભવજલ તરીયો રે. હું તો૦ ૪
એટલા દિન મેં વાત ન જાણી, તુજથી રહીયો “ઉદયરતન” કહે આજ થકી હું, તારે પાયે
અલગો રે; વળગ્યો રે. હું તો૦ ૬
૬ (૩૭) શ્રી શત્રુંજય સ્તવન શેત્રુંજાગિરિના સોયડા, રે દેઉં વધાઈ તોય; શત્રુંજયગિરિરાજ દિખાડવા તું તો બાંધવ આગળ હોય રે, હૈયું મારૂં રે, હેજે હસે રે, જિનજી મિલનનો ચાહ; પ્રભુજી મિલનનો ચાહ. (રાહ) ૧ પાયે બંધાવું ઘુઘરા રે, ગલે) કંઠે મોતનકી માલ; ચાંચ ભરાવું દાડમ કલી રે, દ્રાક્ષ બદામ રસાળ રે. હૈયું૦ ૨ ભરત ક્ષેત્ર મહીમંડણો રે, વિમલ મહીધર નામ; નાભિ નરેશ્વર કુલ તિલો, એ તો રત્નત્રયીનું ધામ રે. હૈયું૦ ૩ નાણે જાણે વિશેષને રે, દર્શન સકળ સામાન્ય; ચરણે રમે નિજ રમ્યમાં, એ અનુભવ લીલ અમાન રે. હૈયું૦ ૪
૧૧૦
Page #142
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ઘાતિકર્મના નાશથી રે, દોષ અઢાર વ્યતીત; ખીમા વિજય જિનરાજનો રે, એનો મહિમા વિશ્વ વિદિત રે. હૈયું૦૫
૬ (૩૮) શ્રી ઋષભદેવનું સ્તવન
ઋષભ જિણંદા ઋષભ જિણંદા, તુમ દરિશન હુએ પરમાનંદા; અનિશી ધ્યા તુમ દીદારા,, મહેર કરીને કરજો પ્યારા. ઋષભ ૧ આપણને પૂંઠે જે વલગા, કિમ સરે તેહને કરતાં અલગા; અલગા કીધા પણ રહે વલગા, મોર પીંછ પરે ન હુએ ઊભગા.
તુમ્હ પણ અળગે જાયે કિમ સરશે, ભક્તિ ગગને ઊડે દૂર પડાઈ, દોરી બલે
ઋષભ૦ ૨
ભલી આકરષી લેશે; હાથે રહે આઈ.
ૠષભ૦ ૩
મુજ મનડું છે ચપળ સ્વભાવે, તોહે અંતર્મુહૂર્ત પ્રસ્તાવે; તું તો સમય સમય બદલાયે, ઈમ કિમ પ્રીતિ નિવાહો થાયે.
ઋષભ૦ ૪
તે માટે તું સાહેબ માહરો, હું છું સેવક ભવોભવ તાહરો; એહ સંબંધમાં મા હોશો ખામી, વાચક માન કહે શિરનામી.
ઋષભ૦ ૫
૬ (૩૯) શ્રી રાયણ પગલાંનું સ્તવન નીલુડી રાયણ તરુ તળે સુણ સુંદરી, પીલુડા પ્રભુના પાય રે ગુણમંજરી; ઉજ્વલ ધ્યાને ધ્યાઈએ સુણ સુંદરી, એહિજ મુક્તિ ઉપાય રે. ગુણમંજરી ૧ શીતળ છાયાએ બેસીએ સુણ સુંદરી, રાતડો કરી મન રંગરે ગુણમંજરી; પૂજીએ સોવન ફુલડે સુણ સુંદરી, જેમ હોય પાવન અંગ ૨. ગુણમંજરી૦ ૨
૧૧૧
Page #143
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
_
ખીર ઝરે જેહ ઉપરે સુણ સુંદરી, નેહ ધરીને એહ રે ગુણ મંજરી; ત્રીજે ભવે તે શિવ લહે સુણ સુંદરી, થાયે નિર્મળ દેહ રે. ગુણમંજરી૦ ૩ પ્રીત ઘરી પ્રદક્ષિણા સુણ સુંદરી, દીએ એહને જે સાર રે ગુણમંજરી, અભંગ પ્રીતિ હોય જેહને સુણ સુંદરી, ભવ ભવ તુમ આધાર રે. ગુણમંજરી૦ ૪ કુસુમ પત્ર ફળ મંજરે સુણ સુંદરી, શાખા થડ ને મૂળ રે ગુણમંજરી; દેવ તણા વાસાય છે સુણ સુંદરી, તીરથને અનુકૂળ રે. ગુણમંજરી, ૫ તીરથ ધ્યાન ધરો મુદા સુણ સુંદરી, સેવો એહની છાંય રે ગુણમંજરી, જ્ઞાનવિમલ ગુણ ભાખિયો સુણ સુંદરી, શત્રુંજય માહાભ્યમાંહી રે. ગુણમંજરી, દ.
--
-
E (૪૦) શ્રી પુંડરીકસ્વામીનું સ્તવન એક દિન પુંડરીક ગણધરૂ રે લોલ, પૂછે શ્રી આદિ જિંણંદ સુખકારી રે, કહીયે તે ભવજલ ઉતરી રે લોલ, પામીશ પરમાનંદ ભવવારી રે. એક૭ ૧ કહે જિનઈણ ગિરિ પામશો રે લોલ, જ્ઞાન અને નિરવાણ જયકારી રે; તીરથ મહિમા વધશે રે લોલ, અધિક અધિક મંડાણ નિરધારી રે. એક૦ ૨ ઈમ ન સુણીને ઈહાં આવીયા રે લોલ, ઘાતી કરમ કર્યા દૂર તમ વારી રે;
Page #144
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
પંચ કોડી મુનિ પરવર્યા રે લોલ, હુઆ સિદ્ધિ હાર ભવ વારી રે. એક0 ૩ ચૈત્રી પૂનમ દિન કીજીએ રે લોલ, પૂજા વિવિધ પ્રકાર દિલ ધારી રે; ફળ પ્રદક્ષિણા કાઉસ્સગા રે લોલ, લોગસ્સ થઈ નમુક્કાર નર નારી રે. એક૦ ૪ દશ વીસ ત્રીશ ચાલીશ ભલા રે લોલ, પચાસ પુષ્પની માળ અતિ સારી રે; નરભવ લાહો લીજીએ રે લાલ, જેમ હોય જ્ઞાન વિશાલ મનોહારી રે. એક0 ૫
5 (૪૧) શ્રી તીર્થમાલા સ્તવન 5.
શેત્રુંજે 8ષભ સમોસર્યા, ભલા ગુણ ભર્યા રે, સિદ્ધા સાધુ અનંત, તીરથ તે નમું રે. ત્રણ કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે, નેમીસર ગિરનાર. તી૧
અષ્ટાપદ એક દેહરો, ગિરિસેહરો રે, ભરતે ભરાવ્યાં બિંબ; તીવ્ર આબુ ચૌમુખ અતિ ભલો, ત્રિભુવનતિલો રે, વિમલવસતિ વસ્તુપાલ. તીવ્ર ૨
સમેતશિખર સોહામણો, રળીયામણો રે, સિધ્યા તીર્થંકર વિશ; તી) નયરી ચંપા નિરખીયે, હૈયે હરખીયે રે, સિધ્યા શ્રી વાસુપૂજ્ય. તીવ્ર ૩
પૂર્વદિશે પાવાપુરી, રુદ્ધે ભરી રે, મુક્તિ ગયા મહાવીર; તી. જેસલમેર જુહારીયે, દુઃખ વારીયે રે, અરિહંત બિંબ અનેક. તી૦ ૪
બિકાનેરજ વંદીયે, ચિર નિંદિયે રે, અરિહંત દેહરા આઠ; તીવ્ર સેરિસરો, સંખેસરો પંચાસરો રે, લોધી થંભણ પાસ. તીવ્ર ૫
અંતરીક્ષ અજાહરી અમીઝરો રે, જીરાવલો જગનાથ તી. રૈલોક્યદીપક દેહરો, જાત્રા કરી રે; રાણકપુરે રિસહસ. તીવ્ર દ
Page #145
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તારંગે અજિત હારિયે, દુઃખ વારિયે રે, થરાત્રે શ્રી મહાવીર, તી૦ નવા રે નગરનાં દેહરાં; બાવન ભલા રે; શા રાયશી વર્હુમાન ભરાવ્યાં બિંબ. તી૦ ૭
શ્રી નાડુલાઈ જાદવો, ગોડી સ્તવો રે, શ્રી વરકાણો પાસ તી નંદીશ્વરનાં દેહરાં, બાવન ભલાં રે, રુચક કુંડલે ચાર ચાર.
તી૦ ૮
શાશ્વતી અશાશ્વતી પ્રતિમા છતી રે, સ્વર્ગમૃત્યુ પાતાલ; તી તીરથયાત્રાફલ તિહાં, હોજો મુજ ઈહાં રે, સમયસુંદર કહે એમ. તી૦ ૯
(૪૨) શ્રી ઋષભદેવ
વન
(રાગ-તોરણથી વર પાછો જાય રે રાજુલ બેની)
તુમ દરિશન ભલે પાયો, પ્રથમ જિન તુમ દરિશન ભલે પાયો. નાભિ નરેસર નંદન નિરૂપમ, માતા મરૂદેવી જાયો. પ્ર૦ ૧. આજ અમિરસ જલધર વુઠો, માનું ગંગાજલે ન્હાયો; સુરતરુ સુરમણિ પ્રમુખ અનુપમ, તે સવી આજ મેં પાયો. પ્ર૦ ૨. યુગલા ધર્મ નિવારણ તારણ, જગ જસ મંડપ છાયો, પ્રભુ તુજ શાસન વાસન સમકિત, અંતર વૈરી હટાયો. પ્ર ૩. કુગુરુ-કુદેવ-કુધર્મની વાસે, મિથ્યામતમેં ફસાયો, મેં પ્રભુ આજથી નિશ્ચય કીનો, સવી મિથ્યાત્વ ગમાયો. પ્ર૦ ૪. બેર બેર કરું વિનંતી ઈતની તુમ સેવારસ પાયો; ‘“જ્ઞાનવિમલ” પ્રભુ સાહિબ નજરે, સમકિત પૂરણ સવાયો. પ્રથમજિન ! તુમ દરશન ભલે પાયો. પ્ર૦ ૫.
(૪૩) રાયણનું સ્તવન
ઉમૈયા મુજને ઘણી જીહો ભેટું વિમલગિરિરાય, દોઈતરા મુજ પાંખડી હો લળી લળી લાગતું પાય કે મોહનગારા હો રાજ રૂડા. મારા સાંભળ સલુણા સુડા૦ ૧. શેત્રુંજો શિખર સોહામણો, જીહો ધન્ય ધન્ય રાયણરૂખ, ધન્ય પગલા પ્રભુજી તણાં જીહો, દીઠડે ભાંગે ભુખ કે મોહન૦ ૨. ઈણી ગિરિઆવી સામોસર્યા
૧૧૪
Page #146
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
જીહો, નાભિ નરીદમલ્હાર, પાવનકીધી વસુંધરા જીહો, પૂર્વ નવાણું વાર કે. મોહન૦ ૩. પુંડરીક મુનિ મુગતે ગયા હો, સાથે મુનિ પંચક્રોડ, પુંડરીક ગિરિવર એ થયા જીહો, નમો નમો બે કર જોડ કે. મોહન૦ ૪. એણે તીર્થે સિધ્યા ઘણા, જીહો સાધુ અનંતી ક્રોડ, ત્રણ ભુવનમાં જોયતાં જીહો, નહીં કોઈ એહની જોડ કે. મોહન૦ ૫. મનવંછીત સુખ મેળવે જીહો, જપતા એ ગિરિરાજ, દ્રવ્ય ભાવ વૈરી તણો જીહો; ભય જાય સવી ભાંજકે. મોહન૦ ૬. વાચક રામવિજય કહે જીહો, નમો નમો તીરથ એહ; શિવમંદિરની શ્રેણ છે; જો એહમાં નહીં સંદેહ કે. મોહન૦ ૭.
(૪૪) શ્રી આદિનાથ પ્રભુનું (અક્ષય તૃતિયાનું) સ્તવન
( રાગ-જાઓ જાઓ એ મેરે સાધુ, રહો ગુરુ કે સંગ)
આવો આવો આદીશ્વર દાદા, ગ્રહો ઈક્ષુરસ દાન ટેક૦ નાભિનંદન વિનીતા મંડન, ઋષભદેવ ગુણવાન; ચાર હજાર મનુષ્યો સાથે, યોગી બન્યા પ્રધાન આવો૦ ૧ લોકો આપે કન્યા ઘોડા, ભિક્ષાવિધિના અજાણ; સ્વીકારે નહીં તેને પ્રભુજી, ચાર જ્ઞાનથી જાણ. આવો૦ ૨ સાથના સઘળા છૂટા થઈને, વક્રિયા વન વેરાન; હસ્તીનાપુર નાથ પધાર્યાં, ફરતા વરસ પ્રમાણ. આવો૦ ૩ શ્રેયાંસે સમજી પોકારી, બોલાવ્યા ભગવાન; વિનતિ કરી દાદા દાસનું, સ્વીકારો આ દાન. આવો૦ ૪ શ્રી શ્રેયાંસે એમ ભાવતા, ઈશુ ૨સે બહુમાન; પારણું વાર્ષિક તપનું કરાવી, સાધ્યું નિજ કલ્યાણ. આવો૦ ૫ ધન્ય દિવસ ધન્ય ભાગ્ય હમારા, શાસનના સુલતાન; અમ આંગણીએ આજ પધાર્યાં, શાં શાં કરૂં સન્માન. આવો૦ ૬ અક્ષય ત્રીજને ઉત્તમ દિવસે, પહેલું એ મુનિદાન; વાર્ષિક તપ અ જગમાં મોટું, જેમ ગ્રહ ગણમાં ભાણ. આવો૦ ૭
૧૧૫
Page #147
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
સર્વ મંગળમાં પહેલું મંગળ, તપધારી ભગવાન; ચારિત્ર દર્શન ગુણના સાગર, કરો જગત કલ્યાણ. આવો આવો આદીશ્વર દાદા, ગ્રહો ઈક્ષરસ દાન. આવો૦ ૮
(૪૫) શ્રી આદિનાથ ભગવંતનું સ્તવન BE રૂષભ જિનેશ્વર સ્વામી રે અરજી માહરી, અવધારો કંઈ ત્રણ ભુવનના દેવ જો; કરૂણાનંદ અખંડ રે જ્યોતી સ્વરૂપ છો, એહવા જોઈને મેં આદરી તુમ સેવ જો. ૧ લાખ ચોરાશી યોનિ રે વારોવાર હું ભમ્યો, ચોવીશે દંડકે ઊભગ્યું મારું મન જો; નિગોદાદિક ફરસી રે સ્થાવર હું થયો, એમ રે ભમતો આવ્યો વિગલેંદ્રી ઉપન્ન જો. ૨ તિર્યંચ પંચેન્દ્રિ તણા રે ભવ મેં બહું કર્યા, ફરસી ફરસી ચૌદ રાજ મહારાજ જો; દશ દ્રષ્ટાંતે દોહીલો મનુષ્યજન્મ અવતર્યો, એમ રે ચઢતો આવ્યો શેરીએ શિવકાજ જો. ૩ જગત તણાં બંધવ રે જગ સથ્થવાહ છો, જગતગુરુ જગરખ્ખણ એ દેવ જો. અજરામર અવિનાશી રે જ્યોતિ સ્વરૂપ છો, સુરનર કરતાં તુજ ચરણની સેવ જો. ૪ મરુદેવીના નંદન રે વંદના માહરી, અવધારો કંઈ પ્રભુજી મહારાજ જો, ચૌદ રાજનો ઉચ્છીષ્ટ પ્રભુજી તારીયે, દીજીયે રે કઈ વંછિત ફળ જિનરાજ જો. ૫ વંદના નિસુણી રે પરમ સુખ દીજીએ, કીજીયે રે કંઈ જન્મ મરણ દુઃખ દૂરજો; પદ્મવિજયજી સુપસાયે રે રૂષભ જિન ભેટીયા, જિત વંદે કંઈ પ્રહ ઊગમતે સૂર જો, ૬
-
૧ ૧ ૬
Page #148
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૪૬) શ્રી ઋષભદેવ જિન સ્તવન
(રાગ પુસ્ખલવઈ વિજયે જ્યોરે)
પરમ પુરુષ પરમેષ્ઠિમાં ૨ે જે પરમાતમ જ્યોતિ, પાપ તિમિર આગળ કહે રે, જેહને કવિ ઉદ્યોત. અતુલ બળ અરિહા રિષભ જિનેશ. ૧ જેણે વૈરાગ્ય સંમોહથી રે, છેઘો ભવોભવ પાશ; જેહ ભણી અહોનિશિ નમે રે, સુરનર વાસવરાશ. અ૦ ૨ પુરૂષારથ સાધન ક્રિયા રે, જિણથી પ્રગટ સ્વરૂપ; જેહના જ્ઞાનસમુદ્રમાં રે, ષટ્ દ્રવ્ય રત્ન અનુપ. અ૦ ૩ રત્નત્રયી . જેહને વિષે રે, જીમ ત્રિપદી જગમાંહી; હોય સકલ સાધક તણી રે, સહું તે મનમાંહી. અ૦૪ શરણપણે તે પ્રત્યે ગ્રહું રે, તિણે હું નાથ સનાથ; તેહ ભણી વંદન કરું રે, તિણથી બહુ નિજ આથ. અ૦ ૫ ભવભવ કિંકર તેહનો રે, તસ ચરસે મુજવાસ; તાસ વિષય ગુણ બોલતાં રે, ચિર સંચિત અઘનાશ. અ૦ ૬ પ્રથમ મહિપ પહેલો મુનિ રે, પ્રથમ જિણંદ દયાળ; ખિમાવિજય જિન સેવતાં રે, ઉત્તમ લહે ગુણમાળ. અ૦ ૭
(૪૭) શ્રી શત્રુંજય
સ્તવન
ચાલો ચાલોને જઈએ સોરઠ દેશમાંરે, જિહાં પુંડરીક ગિારિ પ્રખ્યાત; નમો નેહ ધરી ગિરિરાજને રે, એ તરણ તારણ તીર્થ જાણીએરે, ગિરિ મહિમા અપરંપાર નમો૦ ૧
(સાખી-) અનંતા મુનિવર એ ગિરિ; પામ્યા શિવવધૂ નાર; વળી અનંતા અહીંકને, પામશે ભવનો પાર; નહિ સંદેહ એમાં આણશો રે, જેની શાસ્ત્રમાં છે ઘણી શાખ. નમો૦ ૨ (સાખી-) અઢાર કોડાકોડી સાગરૂ, નાભિરાયા કુલચંદ, પ્રથમ ધર્મ ચલાવતા, મરૂદેવીનો નંદ; લાખ ત્યાસી પૂરવ ઘરમાં રહી રે, પ્રભુ દે છે વરસીદાન. નમો૦ ૩
૧૧૭
Page #149
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(સાખી-) રાજ ભળાવી ભરતને, લેવે સંજમભાર; વરસીતપનું કર્યું પારણું, શ્રી શ્રેયાંસકુમાર; લેવે શેરડી રસ પ્રભુ સુજતો રે; રૂડી અક્ષયત્રીજ મનોહાર. નમો૦ ૪
(સાખી-) પ્રથમ જિનેશ્વર આવીયા, પૂર્વ નવાણું વાર, રાયણ હેઠે સમોસરી, કીધો ગિરિ વિસ્તાર; સુણી ભરત સંઘ લઈ આવતા રે, તીરથ ફરશીને કરતા ઉદ્ધાર. નમો) ૫
| (સાખી-) ચૈત્ર શુદની પુનમે, પાંચકોડ મુનિ સાર, પુંડરીક ગણધર એ ગિરિ, ઝાલ્યો શિવવધૂ હાથ; એથી પુંડરીકગિરિ નામ સ્થાપીયે રે, ઈહાં તીર્થપતિ શ્રી આદિનાથ. નમો ૬
| (સાખી-) પ્રથમ પ્રભુજી પોતરા, દ્રાવિડ ને વારીખીલ, સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, કાર્તિક પુનમ દિન; પ્રભુ અજિત શાંતિ દોય જણાશે, આવી ચાતુરમાસ તિહાં કીધ. નમો) ૭
(સાખી-) ફાગળ શુદની દશમે, નમિ વિનમિ બે જોડ, અણસણ કરી શિવવધૂ વર્યા, સાથે મુનિ બે ક્રોડ; સિદ્ધ થાય વિશક્રોડી અણગારથી રે, પાંચ પાંડવ એ ગિરિરાજ. નમો૮
(સાખી- નેમિ પુત્રી ચોસઠ કહી, કરતી આતમ ઠામ, ચૈતર વદની ચૌદશે, પામી અવિચળ ધામ, રામ ભરત મુનિ ત્રણ કોડશે રે, કર્મ કાપી પામ્યા સિદ્ધિરાજ. નમો) ૯
(સાખી-) ફાગણ ઉજળી તેરશે, શાંબ પ્રદ્યુમ્ન કહેવાય, સાડી આઠ ક્રોડ મુનિવરૂ, શેત્રુંજે શિવપુર જાય, છેલ્લા નારદ એકાણું લાખથી રે, ગિરિ ઉપર વર્યા શિવનાર. નમો ૧૦
(સાખી-) ગઈ ચોવીશીના પ્રભુ, બીજા નિરવાણી નાથ, કદમ્બ ગણધર કોડશું, ભરતા મુક્તિ સે બાથ; તેને કદમ્બગિરિ બોલતા રે, જેના નામથી નવનિઘ થાય. નમો૦ ૧૧
(સાખી-) એમ અસંખ્યા મુનિવરૂ, એ તીરથ મોઝાર, સિધ્યા ને વળી સિદ્ધશે, મહિમા અપરંપાર, ભાખે દાન દયા પંન્યાસનો રે, શિષ્ય સોભાગ્યવિમળ સુખકાર. નમો ૧૨
Page #150
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
H (૪૮) ઋષભદેવનું સ્તવન . શરણે આવ્યો રે મોરા સાહિબા રે;
હું તો રખડ્યો કાળ અનંત રે. હું તો) (૨) દયા કરીને મને તારજો રે, સ્વામી ઋષભ સુનંદાના કંતરે.
સ્વામી (૨) ચાર ગતિ ભવમાં ભમ્યો રે, હું તો વાર અનંતી અનંત રે. (૨) અઘહર જિન હવે લાવજો રે, મારા દુઃખોદધિનો અંત રે.
મારા૦ (૨) અવિચલ પદમને આપજો રે, વ્હાલા ભક્ત વચ્છલ ભગવંત રે.
વ્હાલા(૨) સુરપતિ પૂજિત જિનજીને, આપો શિવનગરી મને સંત રે.
આપો) (૨) નરક વિદારણ નાથજી રે, તુજ ગુણગણનો નહિ પાર રે.
તુજ૦ (૨) જગતારણ જિનરાજજી રે, જગજીવન જગઆધાર રે. જગ૦ (૨) “જૈન સભા” જિનરાજજી રે, એતો નિશદિન ગુણગાય રે.
એ તો(૨) મુનિ માણેક જિનરાજજી રે, હું તો લળી લળી લાગું પાય રે.
હું તો... (૨) E (૪૯) શ્રી આદિનાથ પ્રભુનું સ્તવન HI અબતો પાર ભયે હમ સાધો! શ્રી સિદ્ધાચલ દરસ કરી રે;
અબ તો... ૧ આદિજિનેશ્વર મહેર કરી અબ, પાપ સકલ સબ દૂર ભર્યો રે; તન મન પાવન ભવિજન કેરો, નિરખી જિનંદચંદ સુખ થયો રે.
અબ તો... ૨
૧૧૯
Page #151
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જ
પુંડરિક પમુહા મુનિબહુસિધ્યા, સિદ્ધક્ષેત્ર હમ જાચ લહ્યો રે. પશુ પંખી જિહાંછિનક મેં તરીયા, તો હમ દ્રઢ વિશ્વાસ ગ્રહ્યો રે.
અબ તો.. ૩ જિન ગણધર અવધિ મુનિ નાહી, કિસ આગ મેં પુકાર કરું રે, જેમ તેમ કરી વિમલાચલ ભેટ્યો, ભવ સાયરથી નાહાં ડરૂં રે.
અબ તો.. ૪ દૂર દેશાંતર મેં હમ ઉપને, કુગુરૂ કુપંથકો જાલપર્યો રે; શ્રી જિન આગમ હમ મન માન્યો, તબ હી કુપંથકો જાલજ રે;
અબ તો... ૫ તો તુમ શરણ વિચારી આપો, દીન અનાથ હું શરણ દીયો રે; જ્યો વિમલાચલ મંડન સ્વામી, જનમ જનમ કો પાપ ગયો રે.
અબ તો.... ૬ દુર્ભવી અભવી નજરે ન દેખે, સૂરિ ધનેશ્વર એમ કહ્યો રે; જો વિમલાચલ ફરસે પ્રાણી, મોક્ષ મહેલ તેણે વેગે લહ્યો રે;
અબ તો.... ૭ જ્યો જગદીશ્વર તું પરમેશ્વર, પૂર્વ નવાણું વાર થયો રે; સમવસરણ રાય તળે તેરો, નિરખી મમ અઘ દૂર ગયો રે.
અબ તો... ૮ શ્રી વિમલાચલ મુજ મનવસીયો, માનું સંસારનો અંત થયો રે; યાત્રા કરી મન તોષ ભયો અબ, જનમ મરણ દુઃખ દૂર ગયો રે.
અબ તો... ૯ નિર્મલ મુનિરાજ જો તેં તાર્યા, તે તો પ્રસિદ્ધ સિદ્ધાંતે કહ્યો રે, મુજ સરીખા નિંદકજો તારો, તારક બિરૂદ એ સાચો લહ્યો રે.
અબ તો.... ૧૦ જ્ઞાન હીન ગુણ રહિત વિરોધી, લંપટ ધીઠ કષાયી ખરો રે, તુમ બીન તારક કોઈ ન દીસે, જયો જગદીશ્વર સિદ્ધગિરો રે;
અબ તો.... ૧૧
૧૨૦
Page #152
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
નરક તિર્યંચગતિ દૂર નિવારી, ભવ સાયર કી પીડ હરીરે; આતમરામ અનઘપદ પામી, મોક્ષવધૂ અબ વેગે વરીરે.
અબ તો.... ૧૨
સંવત બત્રીસ ઓગણીસે, માસ વૈશાખ આનંદ ભયો રે; પાલીતાણા શુભનગરનિવાસી, ઋષભજિનંદ ચંદ દર્શન થયો રે. અબ તો.... ૧૩
(૫૦) શ્રી શત્રુંજય આદિનાથ પ્રભુનું સ્તવન 馬
શોભા શી કહું શેત્રુજા તણી,
જીહાં વસીયા છે પ્રથમ તીર્થંકરદેવ જો, રૂડી રે રાયણ તળે રૂષભ સમોસર્યા,
ચોસઠ સુરપતિ સારે પ્રભુની સેવજો. શોભા૦ ૧
નિરખ્યો તે નાભિરાય કેરા માતા મરૂદેવી કેરા રૂડી રે વિનીતા નગરીનો ધણી;
નિરખોને નારી
મુખડું સોહિયે શરદ પુનમનો ચંદજો. શોભા૦ ૨ કંથને વિનવે, પાલીતાણા દેખાડજો,
મુજને
પિયુડા એ ગિરિએ પૂર્વ નવાણું સમોસર્યા,
માટે મુજને આદીશ્વર
પુત્રને,
૧૨૧
નંદ
જો;
ભેટાડજો. શોભા૦ ૩
કયારે
મારે મન જાવાની ઘણી હોંશ છે, જાવુંને ચારે કરૂ દર્શનજો, તે માટે મન મારું તલસે ઘણું, નયણે નિહાળું તો ઠરે મારા લોચનજો. શોભા એવી તે અરજ પ્રભુજી સાંભળો, હુકમ કરો તો આવું તમારી પાસો, મહેર કરીને એકવાર દરિશન દિજીએ,
શ્રી શુભવીરની પહોંચે મનની આશો. શોભા૦ ૫
૪
Page #153
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૫૧) દાદા આદિનાથનું સ્તવન
(વ્રતમેં વિરતી આદરૂં રે) આદિનાથની અલબેલી મૂરતિ મળી જો, પાર પહોંચી મારી જેથી ભવ બેલડી જો. ૧ જોઈ મુખડુ શરદ શશી સમુજો, હું તો હેતે પ્રભુના ગુણમાં રમુજો. ૨ ભાળી ભ્રમર ભ્રકુટી મનડું હર્યુંજો, દુખ આજથી હવે તો સઘળું ટળ્યુંજો. ૩ રંગ રસીયા રસીલી તારી આંખડીજો, જાણે જળમાં વસે કમલ પાંખડીજો. ૪ દાંત દીપતા દાડમના દાણા સમજો, મરૂદેવીના નંદને ઘણી ખમાજો. ૫ અમૃત રસથી ભરેલ કોમળ કાય છે જો, જેને નમતા દુઃખો દૂર થઈ ગયા જો. ૬ નાથ નગરી અયોધ્યા તણા તમે જો, પ્રભુ દર્શન તમારૂં મને બહુ ગમે જા. ૭ દેઈ દર્શન ધન્ય છે તારી માતને જો, ભજીએ ભરત ભૂપતિના તાતને જો. ૮ રસ શેલડીના દાનથી સુખી કર્યા જો, ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યા જો. ૯ સિદ્ધક્ષેત્ર સુધામ પ્રભુજી તણું જો, ભાવે ભેટી થયું દિલડું ખુશ ઘણું જો. ૧૦ અજિત આશરો અખંડ એક આપનો જો, મેવો મીઠો દીઠો પ્રભુજીના જાપનો જો. ૧૧
૧ ૨ ૨
Page #154
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
E (૫૨) શ્રી આદિશ્વર પ્રભુનું સ્તવન ક ભક્ત વત્સલ પ્રભુ સાંભળો રે, ઓલબડે અરદાસ મહારાજ છોડતાં કિમ છૂટ શો રે, અરે કાંઈ ખરાં દિલાસકો. ૧ તુમ સરિખા સાહિબ તણી રે, સેવા નિષ્ફળ ન જાય હો; લાજ કરો રે પ્રભુ કેહની રે, હવે સેવકનું શું થાય હો. ૨ ગુણ દેખાડીને હળવ્યો રે, તે કિમ છેડો છોડો હો; જિહાં જલધિ તિહાં બપૈયો રે, પિયુ પિયુ મુખ માંહી બોલે હો. ૩ લાખ ચોર્યાશી હું ભમ્યો રે, કાળ અનાદિ અનંત હો; મૂર્તિ દીઠી પ્રભુ તાહરી રે, ભાંગી છે ભવતણી ભ્રાંત હો. ૪ અવગુણ ગણતાં માહરાં રે, કહેતાં ન આવે પાર હો; પણ જિન પ્રવાહણની પરે રે, તુમ છો તારણહાર હો. ૫ જો રે પોતાનો લેખવો રે, તો હવે લેખું ન વિચાર હો; સો વાતે એક વાતડી રે, કાંઈ ભવોભવ ભીતિ નિવાર હો. ૬ તુમ સરિખો ભીમ લેખવો રે, તો કીજે તેહની સેવ હો; આનંદધન પ્રભુ ઋષભજી રે, મરૂદેવીનો નંદ હો. ૭ ૬ (૧૩) શ્રી તળેટીનું સ્તવન HF
| (રાગ-રાખના રમકડાં) ત્રિભુવન તારક તીર્થ તળેટી, ચૈત્યવંદન પરી પાટીજી; મિથ્યા મોહ ઓલંઘી ઘાટી, આપદા અલગી નાઠીજી.
- ત્રિભુવન૦ ૧ જિનવર ગણધર મુનિવર, નરવર કોડા કોડીજી; ઈહાં ઉભા ગિરિવરને વાંદે, પૂજે હોડી હોડીજી.
ત્રિભુવન) ૨ ગુણઠાણાની શ્રેણિ જેહવો, ઉર્ધ્વગામિ પંથ ઈહાથીજી; ચઢતે ભાવે ભવિ આરાધો, પુણ્ય વિના મળે કિહાંથીજી.
ત્રિભુવન) ૩
Page #155
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મેરૂ સરસવ તુજ મુજ અંતર, ઉંચો જોઈ નિહાળુંજી; તો પણ ચરણ સમીપે બેઠો, મનનો અંતર ટાળુંજી.
ત્રિભુવન, ૪ સેવન કારણ પહેલી ભૂમિ, અમલ અદ્વેષ અખેદજી; ધર્મરત્ન પદ તે નર પામે, ભૂગર્ભ રહસ્યનો ભેદજી.
ત્રિભુવન૦ ૫ E (૫૪) ઋષભદેવનું સ્તવન ક સાંભળ આદિ જિણંદ સોભાગી, તુજ ચરણોની લગની લાગી; પુરવ પૂજ્ય દશા મુજ જાગી, સ્યા કહું વયણા રે; સ્વામી મારો તુંહી છે અંતરયામી. ૧. વિકશ્યા નયણા રે, જોઈ તને જગ જન મન વિસરામી; હૈયામાં કોડ ગણેખું; કાયા કરતી કામ અનેરૂ, ધર્મીપણાનો ઢોંગ ગણેરૂ, મન અંદરથી ન્યારો રે. સ્વામી) ૨. પાંચ ઈદ્રિય સુખમાં હે રાચું, જાણ્યું નહિ મેં આ સુખ કાચુ; કેમ કરી શાશ્વત સુખ પામું, કહું કોને સામે રે. સ્વામી, ૩. જે તપ સંયમથી સુખ પામે, તેહ થકી મુજ મનડું વિરામું, મોહ રાજાની સામે રે નાચું, હવે જાણ્યું મેં સાચું રે. સ્વામી, ૪. કીધી ભુલો બહુ જિનરાયા, માગે સેવક ક્ષમાવિજય જિનરાયા; શત્રુંજય મંડણ સુખદાયા, તારી શીતલ છાયા રે. સ્વામીપ.
(૫૫) શ્રી ઋષભદેવનું સ્તવન .
| (દેશી- ભેખ રે ઉતાર) રૂપાભ જિસંદ કરૂં વિનતિ, સુણો જગત આધારજી; શરણ ગ્રહ્યું છે. હવે આપનું, તુમ વિણ કોઈ ન આધારજી. રૂ ૧ સૂક્ષ્મ નિગોદ ભમી કરી, પામ્યો બાદર સ્થાનજી; વિગલેન્દ્રિય પણું પામીયો, તેમાં પણ ક્યાંથી ભાનજી. રૂ ૨ પાછો ઉથલાવી નાખીયો, સૂક્ષ્મ નિગોદે તેમજી; કાળ અનંતો ભ્રમણ કરી, અરઘટ્ટ ન્યાયની જેમજી. રૂ ૩
૧૧૨૪F
Page #156
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ભવ
પામ્યો
નારકી,
સુરનરતિર અજ્ઞાન ખસ્યું નહિ, એળે ગયા
પણ
વારંવારજી; અવતારજી. રૂ ૪ કર્યું. જોરજી;
દેવ ગુરુ
નહિ ઓળખ્યા, મિથ્યાત્વે
શ્રદ્ધા થઈ નહિ જિન વચનની, કેડે પડ્યો મોહ ચોરજી. રૂ ૫
મૂર્તિ દીઠી આજ ભય સઘળાં મુજ દૂર
આપની, ના મોહનું પુરજી;
થયાં,
આજ દિવસ સુધી માહરા, બક્ષીસ ગુન્હા કરો
માહરા,
ભાગ્યું મિથ્યાત ક્રૂરજી. રૂ ૬
વાંક અપારજી;
ભવપારજી. ३ ૭
આવ્યાં
ઉતારો
વાર હજારજી;
તરણ તારણ જિન તુજને, નમું હું પરમેશ્વર પરમાત્મા,
પ્રહારજી. મુજ દૂરિત
३
સેવકની અર્જુ સાંભળી, સમકિતનું કરો દાનજી; નીતિ વિજયસૂરિ રાયનો, કરો ઉદય મહાનજી.
૩ ૯
ર્મ (૫૬) શ્રી સિદ્ધાચલજીનું સ્તવન પુ (દેશી-ઓધવજી સંદેશો કેજો)
८
વિમલાચલના વાસી વ્હાલા વિશ્વયા, આદિ ઈશ્વર કર્મકેલી કૃપાણજો. મોહ તિમિરમાં તડફડતા તનુધર તણા, તારક છો તમે નિત્યોદય પ્રભુ ભાણજો. વિ. ૧
પ્રેમ પ્રકાશક પ્રાણી પાપ પરિહરી, શિવસુખ સારક સ્મારક શુદ્ધ સિદ્ધાંતો; વારક વિષયી જનની વિષયક વાસના, નમું નેહથી નાણી તને નિતાંતો. વિ. ૨
નીચ કર્મ નિકાચિતકાંત કટુ તરો, દુ:ખ દાયી દિલ અંતર દેતાં દાહજો; બળી રહ્યો છું બચાવો મારા બાપજી, નથી કર્યો મેં તુજ વિણ બીજો નાહજો. વિ. ૩
હું કુકર્મી અતિ અધર્મી અજાણ છું, તું નાણી ગુણખાણી દીન દયાલજો; દયા કરીને દાદા દીનને દીજીયે, દરિસણ નાણ ચરણ રયણ કૃપાલજો. વિ. ૪
૧૨૫
Page #157
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક્રોડો તેં પ્રભુ તાર્યા તરા આંગણે, તેથી તેનું સિદ્ધાચલ સિદ્ધનામ જો; આ પામરને તારી નાથ નિભાવજો, ઝટપટ આપિ શિવપુર સંદર ધામજો. વિ. ૫
આત્મકમલમાં કાંત તુમારી કામના, કર્મસામનો કરશે એ નિરધારજો; લબ્ધિસૂરિ જિન આશા છે હવે વેગની, યથા ખ્યાતમાં તે વિનતી અવધારજો. વિ. ૬
૬ (૫૭) શ્રી આદિશ્વર દાદાનું સ્તવન પૂર્વ તુમે તો ભલે બીરાજોજી, શ્રી સિદ્ધચલ કે વાસી સાહિબ ભલે બિરાજોજી, મરૂદેવીનો નંદન રૂડો, નાભિનરિંદ મલ્હાર; યુગલા ધર્મનિવારણ આવ્યા, પૂર્વ નવાણું વાર. તુમે તો૦ ૧
મૂળનાયકની સન્મુખ રાજે, પુંડરીક ગણધાર; પાંચક્રોડ શું ચૈત્રી પુનમે, વરીઆ શિવવધૂ સાર.
તુમે તો૦ ૨
સહસ્ત્રકૂટ દક્ષિણ બિરાજે, જિનવરસહસ ચોવીશ; ચઉદસે બાવન ગણધરનાં, પગલાં પૂજો
જગીશ. તુમે તો૦ ૩
પ્રભુ પગલાં રાયણ હેઠે, પૂજી અષ્ટાપદ ચોવીશ જિનેશ્વર, સમેત વીશ
બિંબ
મેરૂ પર્વત ચૈત્ય ઘણેરાં, ચમુખ બાવન જિનાલય દેવળ નિરખી, હરખ લહુ
પરમાનંદ;
જિણંદ.
૧૨૬
તુમે તો૦ ૪
અનેક;
અતિરેક.
તુમે તો૦ ૫
સહસ્ત્રફણાને શામળા પાસજી, સમવસરણ છીપાવસીને ખરતર વસી, કાંઈ પ્રેમાવસી પરમાણ.
મંડાણ;
તુમે તો૦ ૬
Page #158
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
સંવત અઢાર ઓગણ પચ્ચાસે, ફાગણ અષ્ટમીદિન; ઉજ્જવળ પક્ષે ઉજ્વળ હુઓ, કાંઈ ગિરિ ફરસ્યા મુજ મન.
ઈત્યાદિક જિન બિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેરી પેરે વિસરે, પદ્મવિજય કહે જેણ.
તુમે તો૦ ૮
BE (૫૮) શ્રી આદિશ્વર દાદાનું સ્તવન
(પંખીડા સંદેશો કે જો મારા નાથને).
આ સંસાર અસાર સગું કોઈ એ નથી, સ્વારથની શી કરવી જગતમાં વાતો; પોત પોતાને માટે ચાહે અન્યને, સ્વારથી સરે પછી કોણ તાતને માનજો. ચેતન ચિંતા પરની શાને તું કરે. ૧
રાત દિવસ રોતી હું સુત સંતાપથી, દેતી ઠપકો ભરતને ભારો ભારજો; રૂદન કરી કરી આંખો પણ ઓછી કરી, પલ પલ પૂછું તેના હિ સમાચારજો. ૨૦ ૨
એને દુઃખે દુઃખી થઈ શોકે રહી, વર્ષોથી કરતી અતિશે. વિલોપાતજો; મારો નંદન મારો સ્નેહી પુત્ર એ, મારો રિખવો એમજ કરતી વાતો. ૨૦ ૩
જોયું આજે અનુભવ કરી, હું ન્હાવરી બની હતી આ પુત્રની પાછળ વ્યર્થજો; સુખ વિલસે એ આજે અધિકું સર્વથી, નથી પડી મુજ એણે જોયો સ્વાર્થજો ૨૦ ૪
આત્મા મારો એકજ મુજ સાથે થસે, શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપજો; બાહ્ય ઉપાધિ વળગી તે અળગી કરૂં, તો મુજને મળશે શુદ્ધ સ્વરૂપજો. ૨૦ ૫
હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ, વધતે ભાવે વરિયા કેવળજ્ઞાનજો; ધર્મધુરન્ધર પુત્રવધૂ મુખ દેખવા, પામ્યા જલ્દી જિન જનની નિર્વાણજો. ૨૦ ૬
૧ ૨૭
Page #159
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરે-નૌકા
(૫૯) શ્રી આદીશ્વરનું સ્તવન આજતો વધાઈ રાજા નાભિકે દરબાર રે, મરૂદેવીએ બેટો જાયો, ઋષભ કુમાર રે. આજ0 ૧ અયોધ્યામે ઉત્સવ હોવે, મુખ બોલે જયકાર રે, ઘનનન ઘનનન ઘટાવાજે, દેવકરે થેઈકાર રે. આજ૦ ૨ ઇન્દ્રાણી મલી મંગલ ગાવે, લાવે મોતી માલ રે; ચંદન ચરચી પાયે લાગે, પ્રભુ જીવો ચિર કાલ રે. આજ0 ૩ નાભિરાજા દાન દેવે, વરસે અખંડ ધાર રે, ગામ નગર પુર પાટણ દેવ, દેવે મણી ભંડાર રે. આ૦ ૪ હાથી દેવે સાથી દેવ, દેવે રથ હૂંખાર રે; હીર ચીર પીતામ્બર દેવે દેવે સવિ શણગાર રે. આજ૦ ૫ તીનલોકમેં દિનકર પ્રગટ્યો, ઘર ઘર મંગળ માળ રે, કેવળ કમલા રૂપ નિરંજન, આદીશ્વર દયાળ રે. આજ0 દ
bi (૬૦) શ્રી આદિશ્વરનું સ્તવન fi યાત્રા નવાણું કરીયે રે ચાલો શત્રુંજે જઈયે, શત્રુંજે જઈયે ને પાવન થઈએ ડુંગર ચડતા; ને હરખ જ ધરતાં જઈયે ગભારામાં રહીયે. ચાલો૦ ૧ સુરજ કુંડમાં દેહપખાલી, નાહીને નિર્મલ થઈયે રે, ચાલો૦ ભીમજ કુંડમાં કળશજ ભરિયે, સોનાની સીરિયે વધાવો રે ચાલો ૨ પાના મંગાવો ને આંગી રચાવો, ઘણો અબીલ ચડાવો રે. ચાલો; ફુલ મંગાવોને હાર ગુંથાવો, પ્રભુજીને કંઠે ચડાવો રે ચાલો ૩ સુખડ કેશર ચંદન ઘસાવો, નવે અંગે પૂજા કરાવો રે. ચાલો૦ અગાર ઉવેખો ને ભાવના ભાવો, નીચું શિશ નમાવો રે. ચાલો ૪ બેઠા સિંહાસન હુકમ ચલાવે, ઉપર છત્ર ધરાવે રે. ચાલો) ખિમાવિજય મુનિ ગુરૂ સુપસાથે, ઋષભ તણાગુણ ગાવો રે ચાલો ૫
૧ ૨૮
-
-
Page #160
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ક (૧) શ્રી વિમલગિરિ સ્તવન 5 પ્રીતલડી બંધાણી રે વિમલ ગિરદશું, નિશિપતિ નિરખી હરખે જેમ ચકોર જો, કમલાગૌરી હરિહરથી રાચી રહ્યા, જલધર જોઈ મસ્ત બને વનમોર જો. ૧ આદીશ્વર અવલેશ્વર આવી સમોસર્યા, પુણ્યભૂમિમાં પૂર્વ નવ્વાણુંવાર જો, અરિહંત શ્રી અજિતેશ્વર શાન્તિનાથજી, રહ્યા ચોમાસું જાણી શિવપુરદ્વાર જો. ૨ સૂર્યવંશી સોમવંશી યાદવવંશના, નૃપ ત્રણ પામ્યા નિર્મલ પદ નિર્વાણ જો, મહામુનિશ્વર ઈશ્વરપદ પર વર્યા, શિવપુર શ્રેણી આરોહણ સોપાન જો. ૩ ત્રણ ભુવનમાં તારક તુમ સમ કો નહિ, એમ પ્રકાશે સીમંધર મહારાજ જો; તારે શરણે આવ્યો હું ઉતાવળો, - તાર તાર ઓ ગિરિવર ગરીબ નિવાજ જો. ૪
હું અપરાધી પાપી મિથ્યાડંબરી, ફોગટ ભૂલ્યો ભવમાં વિણ તું એક જો; હવે ન મુકું મોહન મુદ્રા તાહરી, એ મુજ મોટી પંક નાળની ટેક જો. ૫ પલ્લો પકડી બેઠો બાપજી લાંઘવા, આપ આપ તું ભક્તવત્સલ ભગવંત જો; અંતે પણ દેવું રે પડશે સાહિબા, શી કરવી હવે ખાલી ખેંચતાણ જો. ૬ મલ વિક્ષેપણે આવરણત્રિક દૂર કરી, છેલ છબીલા આવ્યો આપ હજુર જો;
૧ ૨૯
Page #161
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
—
—
—
—
—
—
—
—
—
આત્મસમર્પણ કીધું અતિ ઉમંગથી, પ્રેમ થયો નિધિ પ્રગટ્યો અભિનવ પૂર જો. ૭ શ્રી સિદ્ધાચલ ગિરિવરજી મહારો ખરો, પરમ કૃપાળુ પાલક પ્રાણ આધાર જો; વિછોડશો નહિ ક્યારે પ્યારા પ્રાણથી, રસિયા કરજો ધર્મરત્ન વિસ્તાર જો. ૮
ક (૩) શ્રી રાયણ પગલાનું સ્તવન જિનજી આદિશ્વર અરિહંત કે, પગલા ઈહાં ધર્યારે લોલ જિનાજી પૂર્વ નવાણું વાર કે, આપ સમોસર્યા રે લોલ. જિનાજી સુરતરૂ સમસુખકાર કે, રાયણ રૂઅડા રે લોલ. ૧ જિનાજી નિરખી હરખી ચિત્ત કે, ભાંગે ભૂખડા રે લોલ; જિનજી નિર્મલ શીતલ છાંય કે, સુગંધી વિસ્તરે રે લોલ. ૨ જિનાજી અધિષ્ઠાયક દેવ કે, સદા હિત સાધતાં રે લોલ; જિનાજી હળુકર્મી હરખાય કે, અમર ફળ બાંધતાં રે લોલ. ૩ જિનજી મધુરી મોહન વેલ કે, કલિયુગમાં ખડી રે લોલ; જિનાજી સેવે સંત મહંત કે, ત્રિભુવનમાં વડી રે લોલ.. ૪ જિતજી પુણ્યવંત જે માણસ, તે આવી ચઢે રે લોલ; જિનજી શુભગતિ બાંધે આયુષ્ય કે, નરકે નવિ પડે રે લોલ. ૫ જિનાજી પ્રભુ પગલા સુપસાય કે, સુપુજિત સદા રે લોલ; જિનજી મહોદાનો અનુયોગ કે, આપે સંપદા રે લોલ. ૬ જિનાજી સૂર્યકાંતમણી જેમ કે, સૂર્ય પ્રભા ભરે રે લોલ; જિનાજી પામી સ્વામી સંગ કે, રંગ પ્રભા ધરે રે લોલ. ૭ જિનાજી સફલ ક્રિયા ફલદાય કે, મોક્ષ ફલ આપજો રે લોલ જિનાજી સફલ ક્રિયા વિધિ છાપ કે, નિર્મળ છાપ જો રે લોલ. ૮ જિનજી ધર્મરત્ન પદ યોગ કે, અમર થાઉં સદા રે લોલ; જિનાજી આશીર્વાદ આ વાદ કે, દેજો સર્વદા રે લોલ. ૯
૧૩૦
Page #162
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
૬ (૧) શ્રી અજિતનાથ જિન સ્તવન પ્રીતલડી બંધાણી રે અજિત જિણંદશું, પ્રભુ પાખે ક્ષણ એકે મને ન સુહાય જો; ધ્યાનની તાલી રે લાગી નેહશું, જલદઘટા જેમ શિવસુત વાહના દાય જો. નેહ ઘેલું મન મારૂં રે પ્રભુ અલજે રહે, તન ધન મન એ કારણથી પ્રભુ મુજ જો; માહરે તો આધાર છે સાહેબ રાઉલો, અંતરગતનું પ્રભુ આગળ કહું ગુજ્મજો. સાહિબ તે સાચોરે જગમાં જાણીએ, સેવકનાં જે સ્હેજે સુધારે કાજ જો; એહવે રે આચરણે કેમ કરીને રહું, બિરૂદ તુમારૂં તારણતરણ જહાજ જો. તારકતા તુજ માંહેરે શ્રવણે સાંભળી, તે ભણી હું આવ્યો છું દીનદયાળ જો; તુજ કરૂણાની લહરે૨ે મુજ કારજ સરે, શું ઘણું કહીએ જાણ આગળ કૃપાલ જો. કરુણા દૃષ્ટિ કીધીરે સેવક ઉપરે, ભવભય ભાવઠ ભાંગી ભક્તિ પ્રસંગજો; મનવંછિત ફલિયારે જિન આલંબને, કર જોડીને મોહન કહે મનરંગ જો. પ્રીત૦ ૫
પ્રીત૦ ૧
૧૩૧
પ્રીત૦ ૨
પ્રીત૦
૩
પ્રીત૦ ૪
(૨) શ્રી અજિતનાથ પ્રભુ સ્તવન
અજિત જિણેસર ચરણની સેવા, હેવાએ હું હલિયો; કહિયે અણચાખ્યો પણ અનુભવ, રસનો ટાળો મલિયો, પ્રભુજી મહેર કરીને આજ, કાજ હમારાં સારો. મૂકાવ્યો પણ હું નવિ મૂકું, ચૂકું એ નવ ટાણો; ભક્તિભાવ ઉઠ્યો જે અંતર, તે કિમ રહે શરમાણો. પ્ર૦ ૨
૧
Page #163
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
લોચન શાંત સુધારસ સુભગા, મુખ મટકાળુ પ્રસન્ન; યોગમુદ્રાનો લટકો ચટકો, અતિશયનો અતિધન્ન. પ્ર૦ ૩ પિંડ પદસ્થ રૂપસ્થેલીનો, ચરણ કમળ તુજ ગ્રહીઓ; ભ્રમર પરે રસ સ્વાદ ચખવો, વિરસો કાં કરો મહીઓ. પ્ર૦ ૪ બાળ કાળમાં વાર અનંતી, સામગ્રીએ નવિ જાગ્યો; યૌવન કાળે તે રસ ચાખ્યો, તું સમરથ પ્રભુ માગ્યો. પ્ર૦ ૫ તું અનુભવરસ દેવા સમરથ, હું પણ અરથી તેહનો; ચિત્તવિત્ત ને પાત્રસંબંધે, અજર રહ્યા હવે કેહનો. પ્ર૦ ૬ પ્રભુની મહેરે તે રસ ચાખ્યો, અંતરંગ સુખ પામ્યો; માનવિજય વાચક ઈમ જંપે, હુઓ મુજ મન કામ્યો. પ્ર૦ ૭
(૩) અજિતનાથ પ્રભુનું સ્તવન (રાગ-દુઃખ દોહગ દૂરે ટળ્યારે)
શુભ વેલા શુભ અવસરે રે, લાગ્યો પ્રભુ શું સ્નેહ; વાધે મુજ મન વાહલા રે, દિન દિન બમણો નેહ, અજિતજિન ! વિનતડી અવધાર,
મન માહરૂં લાગી રહ્યું રે, તુજ ચરણે એક તાર. અ૦ ૧
હિયડું મુજ હેજાલઉ ઘડી ઘડીને આંતર રે,
રે,
મીઠો અમૃતની પરે નયણે નયણ મિલાવતાં રે,
રે, ઉમાહો અપાર; ચાહે તુજ .દેદાર. અ૦
સાહિબ તાહરો સંગ; શીતલ થાયે અંગ. અ૦
૧૩૨
૨
૩
અવશ્ય પણે એક ઘડી રે, જાયે તુજ વિણ જેહ;
વરસ સો સમ સાહિબા રે,
મુજ મન લાગે તેહ. અ૦ ૪ તુજ તો મુજ ઉપર ૨ે, મહેર ન આવે કાંય; તો પણ મુજ મન લાલચું રે, ખિણ અલગું ન થાય. અ૦ ૫ આસંગાયત આપણો રૂ. જાણીને જિનરાય; દરિશન દિજે દિન પ્રતિ રે, હંસ રતન સુખ થાય. અ૦ ૬
Page #164
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
5 (૪) શ્રી અજિતનાથપ્રભુનું સ્તવન BE
(રાગ-જ્ઞાનાદિક ગુણ સંપાદાર) (રાગ ભીમપલાસ) સહજાનંદિ સાહિબો રે, પરમ પુરૂષ પરનામ સકલ વિભાવ; અભાવથી રે થયો નિજ સંપતિ, સ્વામી અજિત જિન ગાઈએ રે; ધ્યાન ભવનમાં જિનરાજ, અહો નિશ ગાઈએ રે. અ) ૧ | તત્ત્વરૂચિ અનુભવ થકી રે, હણીયા જોદ્ધા સાત; મહાકપાય મોહત્રિક બલી રે, કરતા દર્શન થાત. અ) ૨ | આયુત્રિકની યોગ્યતા રે, વિણત્રિક નામની તેર; છેદે શ્રેણી લપકતણી રે, ગ્રહી કરમાં શમ સેર. અ) ૩ અડ કપાય દુગ વેદને રે, હાસ્ય પટક ! વેદ; શુકુલ ધ્યાન અનલે દહી રે, આપ હુઆ અવેદ, અ) ૪ તુરિય કષાયની ચોકડી રે, આવરણ દૂગ અંતરાય; નિર્વિકલ્પ ઉપયોગમાં રે, ક્ષય કરી થયો જિનરાજ. અ૦ ૫ કેવલજ્ઞાન દશા ભયો રે, કેવલ દર્શન ખાસ; ક્ષાયિક ચારિત્ર અનુભવે રે, ક્ષાયિક વીર્ય ઉલ્લાસ. અ) ૬ શૈલશીકરણ કરી રે, શેપ કર્મ ચકચૂર; ખીમાવિજય જિનવર લહે રે, ઉત્તમ સુખ ભરપુર. અ) ૭
૬ (૧) શ્રી સંભવજિન સ્તવન 5 (અંતરજામી સુણ અવસર એ-રાગ) (મન ડોલે નન ડોલે એ રાગ) સમકિત દાતા સમકિત આપો, મનમાગે થઈ મીઠું છતી વસ્તુ દેતાં શું શોચો, મીઠું તે સહુએ દીઠું, પ્યારા પ્રાણ થકી છો રાજ, સંભવ જિનવર મુજને. પ્યારા ૧ એમ મત જાણો જ આપે લહીએ, તો લાધ્યું શું લેવું પણ પરમારથ પેખી આપે, તેહજ કહીએ દેવું. પ્યારા૨ એ અર્થી હું અર્થ સમર્પક, એમ મત કરજો હાંસું, પ્રગટ ન હતું તુમને પણ પહેલાં, એહાસાંનું પાસું (ખાસું) પ્યારા) ૩
૧ ૩૩
Page #165
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પરમ પુરુષ તમે પ્રથમ ભજીને, પામ્યા એ પ્રભુતાઈ; તેણે રૂપે તુમને ઈમ ભજીએ તેણે તુમ ાથે વડાઈ. યારા. ૪ તુમે સ્વામી હું સેવાકામી, મજરે સ્વામી નિવાજે; નહિ તો હઠ માડી માંગતા, કીણ વિધ સેવક લાજે. પ્યારા) ૫ જ્યોતે જ્યોતિ મીલે મત પ્રીછો, કુણ લેશે કુણ ભજશે; સાચી ભક્તિ તે હંસ તણી પરે, ખીર નીર મય કરશે. પ્યારા ૬ ઓલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ કીધી; રૂપ વિબુધનો મોહન પભણે, રસના પાવન કીધી. પ્યારા) ૭
F (૨) શ્રી સંભવનાથ જિન સ્તવન ક સાહેબ સાંભળો રે, સંભવ અરજ હમારી, ભવોભવ હું ભમ્યો રે, ન લહી સેવા તમારી; નરક નિગોદમાં રે, તિહાં બહુ ભવ ભમિયો, તુમ વિના દુઃખ સહ્યા રે, અહોનિશ ક્રોધે ધમધમિયો. સાહેબ૦ ૧ ઇદ્રિય વશ પડ્યો રે, પાળ્યાં વ્રત નવિ સૂસે, ત્રસ પણ નવિ ગણ્યા રે, હણિયા થાવર ટૂંસે; વ્રત ચિત્ત નવિ ધર્યા રે, બીજાં સાચું ન બોલ્યું, પાપની ગોઠડી રે, તિહાં મેં હઈડું ખોલ્યું. સાહેબ૦ ૨ ચોરી મેં કરી રે, ચઉહિ અદત્ત ન ટાળ્યું, શ્રી જિન-આણશું રે, મેં નહિ સંયમ પાળ્યું મધુકર તણી પરે રે, શુદ્ધ ન આહાર ગવેખ્યો. રસના લાલચે રે, નીરસપિંડ ઉવેખ્યો. સાહેબ૦ ૩ નરભવ દોહીલો રે, પામી મોહવશ પડીયો, પરસ્ત્રી દેખીને રે, મુજ મન તિહાં જઈ અડીયો; કામ ન કો સર્યા રે, પાપે પિંડ મેં ભરીયો. શુદ્ધ બુદ્ધ નવિ રહી રે, તેણે નવિ આતમ તરીયો. સાહેબ૦ ૪ લક્ષ્મીની લાલચે રે, મેં બહું દીનતા દાખી, તો પણ નવિ મળી રે, મળી તો નહિ રહી રાખી;
૧૩૪
Page #166
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
જન અભિલષે રે, તે તો તેહથી નાસે,
તૃણસમ જે ગણે રે, તેહની નિત્ય રહે પાસે. સાહેબ ૫
ધન્ય ધન્ય તે નરા રે, એહનો મોહ વિછોડી, વિષય નિવારીને રે, તેહને ધર્મમાં જોડી; અભક્ષ્ય તે મેં ભખ્યાં રે, રાત્રિભોજન કીધાં, વ્રત નવિ પાળીયા રે, જેહવા મૂળથી લીધા. સાહેબ૦ અનંતભવ હું ભમ્યો રે, ભમતાં સાહેબ મળીઓ, તુમ વિણ કોણ દીએ રે? બોધિ-રયણ મુજ બળીયો; સંભવ આપજો રે, ચરણ કમલ તુમ સેવા, નય એમ વિનવે રે, સુણજો દેવાધિદેવા. સાહેબ૦
(૩) શ્રી સંભવજિન સ્તવન
હું તો જાઉંરે જિન દરબાર, પ્રભુ મુખ જોવાને, પ્રભુ આપે રે સમકિત સાર, શિવસુખ હોવાને. ૧ સાથે લીધાં રે નિરમલ નીર, પ્રભુને પખાંલવારે; શુદ્ધ કીધાં પ્રભુના શરીર, ભવદુઃખ ટાળવા રે. ૨ ઘસી ઘસી કેસર કપૂર, નવે અંગે પૂજિયે, હસી હસી રે આણંદ પૂર, શિવસુખ લીજિયે. ૩ એહવે આવી રે અમરની નાર, પ્રભુજીને વિનવે; સાથે લાવી રે ફુલડાનો હાર, પ્રભુને કંઠે હવે. ૪ આગળ નાચે રે થેઈ થેઈ કાર, સહુ ટોલે મલી; દિલ સાચે રે કરી શણગાર, પ્રણમે લળી લળી. ૫
હાથ જોડી રે પ્રભુજીની પાસ, ભક્તિ ઘણી કરે, માન મોડી ને ગાવે રાસ, પ્રભુ મનમાં ધરે. આલો આલો રે મુગતિનો વાસ પ્રભુ કરુણા કરી, ટાળો ટાળો રે ભવનો પાસ,વિનંતિ ચિત્ત ધરી. ૭
૧૩૫
Ç
ܦ
Page #167
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સેના રાણીના નંદન દેવ, ગુણરત્નાકરુ; એવો જાણી રે કીધી મેં સેવ, જયો જયો જિનવરુ. ૮ સોહે મોહે રે સૂરત મઝાર, વિધિપક્ષ દેહરે; મોહે હોહે ૨ે બહુ નરનાર, દેખી નયણાં ઠરે. ૯ નામે નામે રે સંભવનાથ, જિન રેલિયામણાં; પામે પામે રે સુખ નિત્ય લાભ, લેહું નિત્ય ભામણાં. ૧૦
મૈં (૪) શ્રી સંભવનાથ જિન સ્તવન (રાગ-સુમતિનાથ ગુણ)
સંભવ જિનવર ખૂબ બન્યો રે, અવિહડ ધર્મ સ્નેહ; દિન દિન તે વધતો અછેરે, કબહી ન હોવે છેહ, સોભાગી જિન મુજ મન તુંહિ સુહાય, એતો બીજા ન આવે દાય સો૦ હું તો લળી લળી લાગું પાય૦ ૧ દૂધ માંહે જેમ ધૃત વસ્યું રે, વસ્તુ માંહે સામર્થ; તંતુ માંહે જેમ પટ વસ્યો રે, સૂત્રમાંહે જેમ અર્થ. સો૦ ૨ કંચન પારસ પાષાણમાં રે, ચંદનમાં જેમ વાસ; પૃથ્વી માંહે જેમ ઔષધિ રે, કાર્યે કારણ વાસ. સો૦ ૩ જેમ સ્યાદ્વાદે નય મિલે રે, જેમ ગુણમાં પર્યાય, અરણીમાં પાવક વસ્યો રે, જેમ લોકે ષટકાય. સો૦ ૪ તેણી પ૨ે તું મુજ ચિત્ત વસ્યો રે, સેના માત્ર મલ્હાર. જો અભેદ બુદ્ધિ મલે રે, શ્રી જ્ઞાનવિમલ સુખકાર. સો૦ ૫ (૫) શ્રી સંભવનાથ જિન સ્તવન
સંભવ સુખકર ત્રીજાદેવ, જેહની સુરનર સારે સેવ જિન મંદિયે, અંતરગત દર્શિ જિનરાય, જાણે જીવ તણા અભિપ્રાય. જિન૦ ૧ શિવગતિ સ્મરણ કીજે નિત્ય, સેના સુત ધ્યાવો નિજ઼ ચિત્ત. જિન૦ અતિશય અર્જિત વર્જિત પાપ, સમતા ગુણ ટાલે ભવ તાપ.
જિન૦ ૨
૧૩૬
Page #168
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ભવજલ તારણ ભુવન પ્રદીપ, નેહશું રહીયે નિત્ય સમિપ. જિન) ક્ષમાં વિનય રૂજુતા સંતોષ, ધારીને કીજે ગુણ પોષ.
જિન૦ ૩ તપ સંયમ સત્ય શૌચવિશેષ, અકિંચન બ્રહ્મચર્ય અશેષ; જિન) પાલી દશવિધ ધર્મનો સાથ, ટાલી કર્મ કર્યો ભવપાથ;
જિન) ૪ પુત્ર જિતારી પુત્ર ભવાંત, પામ્યા શિવ રમણી સુખકાંત. જિન) પુણ્ય પુરા કૃત નર ભવ લદ્ધ, સ્વામી ભજન કરી કરો શુદ્ધ.
જિન) ૫ ધર્મ અર્થ કામએ ત્રણ વર્ગ, સાધનથી લહીયે અપવર્ગ. જિન) સૌભાગ્ય ચંદ્ર મુનીંદ્ર સુશીસ, સ્વરૂપ ચંદ્ર નમે જગદીશ.
જિન૦ ૬
(૬) શ્રી સંભવનાથપ્રભુનું સ્તવન ક હાંરે હું તો મોહ્યો રે લાલ, જિન મુખડાને મટકે; જિન મુખડાને મટકે વારી જાઉં, પ્રભુ મુખડાને મટકે. હાંરે- ૧ નયન રસીલાવયણ સુખાળાં ચિત્તડું લીધું હરી ચટકે; પ્રભુજીની સાથે ભક્તિ કરંતા, કર્મ તણી કસ તટકે. હારે ૨ મુજ મન લોભી ભ્રમર તણી પરે, પ્રભુ પદ કમળ અટકે; રત્નચિંતામણિ મૂકી રાચે, કહો કુણ કાચને કટકે. ધંરે૦ ૩ એ જિનધ્યાને ક્રોધાદિક જે, આસપાસથી અટકે; કેવલનાણી બહુ સુખદાણી, કુમતિ કુગતિને પટકે. હરે. ૪ એ જિનને જે દિલમાં ન આણે, તે તો ભૂલા ભટકે, પ્રભુજીની સાથે ઓળખ કરતાં, વાંછિત સુખડાં સટકે. હાંરે૦ ૫ મૂર્તિ સંભવ જિનેશ્વર કેરી જોતાં હૈડું હરખે; નિત લાભ કહે પ્રભુ કીર્તિ મોટી, ગુણ ગાઉ હું લટકે. હાંરે- ૬
૧ ૩૭
Page #169
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
= (૧) શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન :
(દુઃખ દોહગ દૂર ટળ્યા રે એ-રાગ) નિર્મલ નાણ ગુણે કરી છે, તું જાણે જગ ભાવ, જગહિતકારી તું જયો જી, ભવજલતારણ નાવ. જિનેશ્વરસુણ અભિનંદનજિણંદ, તુજ દરિસણ સુખકંદ. જિને) ૧ તુજ દરિસણ મુજ વાલહુંજી, જિમ કુમુદિની મન ચંદ; જીમ મોરા મન મેહલો જી, ભમરા મન અરવિંદ. જિને૦ ૨ તુજ વિણ છે નહિ જગતમાં જી, જ્ઞાની મહા ગુણ જાણ; તુજ ધ્યાયક મુજ મહેરથી જી, હિત કરી ઘો બહુમાન. જિને૦ ૩ તુજ હેતથી મુજ સાહિબા જી, સીજે વાંછિત કાજ; તિણ હેતે તુજ સેવીયે જી, મહેર કરો મહારાજ. જિને૦ ૪ સિદ્ધારથ ઉર હંસલો જી, સંવર નૃપ કુલ ભાણ; કેશર કહે તુજ હેતથી જી, દિન દિન કોડી કલ્યાણ. જિને૦ ૫ E (૨) શ્રી અભિનંદન જિન સ્તવન ક
(રાગ-વિહરમાન ભગવાન સુણો મુજ વિનંતી) અભિનંદન જિનરાજ સુણો મુજ વિનંતી, વિષયાસંગી જીવકે પાપ કર્યા અતિ; મોહની કર્મની સ્થિતિ ઉત્કૃષ્ટ છે, રચી સ્થાનક તેહનાં ત્રીશ સેવ્યાં મેં મનરુચિ. ૧ જળમાં બોળી ઘાસ નિરોધી ત્રસને, વાધર વીંટી શીશ મોઘર મુખ દેઈને; મુખ દાબી ગળે ફાંસો દઈ જીવને, હણતાં બાંધ્યો મોહ મહાનિર્દય પણે. હણવા વાંક્યું બહુ જનના અધિકારનું, કાર્ય કર્યું નહિ ગ્લાન તથા નિજ સ્વામીનું ધર્મ વિષે ઉજમાળને ભ્રષ્ટ કરી હસ્યો, જિન અરિહાના અવગુણ કહેવા ઉલસ્યો. ૩
૧૩૮
Page #170
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
આચારજ ઉવજ્ઝાયની નિંદાયે દહ્યો, ન્યાય માર્ગ ઉન્માર્ગ નિમિત્તાદિક કહ્યો; તીર્થ ગચ્છના ભેદ કરાવ્યા કદાગ્રહી, દેખી જ્ઞાની જ્ઞાન પ્રદ્વેષ ધરૂં યે વહી. જેહથી જ્ઞાનપૂજા લહી અવજ્ઞા તસ કરી, માયા કપટે દોષ પોતાના ગોપવ્યા; જેહથી જ્ઞાન પૂજા લહી અવજ્ઞા તસ કરી, ઋદ્ધિવંત મદવંત શું પ્રવચન ઉચ્ચરી. સામા વૈર ઉદર્યા વિશ્વાસઘાતીયા, મિત્રાદિકની સ્ત્રી શું કામે વ્યાપીયાં; જેણે ધનાઢચ કર્યો તેહનું પણ ધન ઈહે, અણદેખંતો દેખ પેખ્યું મુખ ઈમ કહે. સંયત થઈ કરી પંચ વિષય સુખ પોષણા, બહુશ્રુત તપવિહ કીધી તેહની ઘોષણા; બ્રહ્મચારી વિના બિરૂદ વહ્યો બ્રહ્મચારીનો, કુમર અવસ્થાતીત કહ્યો કુમરપણો. અગ્નિ દીપાવી ગામ નગરાદિક બાળીયા, પોતે આચરી પાપ બીજા સિર ઢાળિયાં; ગ્રામ નગરના નાયકનો વધ ઈચ્છીયો, અતિ સંકલેશે આત્મતત્ત્વ ન પ્રીછીયો. ત્રીશ બોલ એમ સેવી મહામોહે રચ્યો; શુદ્ધદા નિજ હારી પરભાવે મચ્યો, ક્ષમાવિજય જિનરાજ ભક્તિ જો ચિત્ત ધરે, જ્ઞાન ચરણ નિજ ફરસિત ઉત્તમ પદ વરે. ૯
૫
૧૩૯
S
૭
૬ (૩) શ્રી અભિનંદન જિન સ્તવન પ્રભુ તેરે નયનકી બલીહારી.
યાકી શોભા વિજિત તપસા, કમલ કરતું હૈ જલચારી, વિધુકે શરણ ગયો મુખ અરિસે, વનથૅ ગગન હિરણ હારી. ૧
Page #171
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સહસહિ અંજન મંજીલ નિરખત, ખંજન ગર્વ દીયો દારી, છીનહિ લહીતિ ચકોર કી શોભા, અગ્નિ ભએ સો દુઃખ ભારી. ૨ ચંચલતા ગુણ લીયો પીનકો, અલિક્યું તારા હૈ કારી, કહુ સુભગતા કેતિ ઈનકી, મોહી સબહી અમરનારી. ૩ ઘૂમત હૈ સમતારસમાં તે, જેસે ગજભર મદવારી; તીન ભુવનમાં નહિ કોઈ નકો, અભિનંદન જિન અનુકારી. ૪ મેરો મન તો તું હિ રૂચત હૈ, પરે કુણ પર કે લારી; તેરે નયનકી મેરે નયન મેં, જસ કહે દીઓ છબી અવતારી. પ
(૪) શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન SH
(રાગ-અજિત જિણંદ પ્રીતડી) અભિનંદન અરિહંતજી, અવધારો હો સેવક અરદાસકે; દાસજાણી મુજ દીજીયે, મન વાંછિત હો સુખ લીલ વિલાસ કે.
અભિ૦ ૧ પુરવ પુજે પામીઓ, સુખ કારણ હો જગ તારણ દેવકે; સેવક જાણી સાહિબા, હવે સફળ હો કીજે મુજ દેવકે.
અભિ૦ ૨ સેવક જનની સેવના પ્રભુ, જાણો હો મન નાણો કેમકે, બુઝો પણ રીઝો નહિ, એકાંગી હો કિમ હોય પ્રેમ કે.
અભિ૦ ૩ સામાન્ય જનની ચાકરી, સહી સફળ હો હોયે વિસવા વીશ કે; પ્રભુ સરીયાની સેવાના, કિમ થાએ હો વિફળી જગદીશ કે.
અભિ૦ ૪ સેવક જો સેવે સદા, તે પામે તો વાંછિત કામકે; સેવક સુખીએ પ્રભુ તણી, સહી વાધે હો જગમાંહિ મામ કે.
અભિ૦ ૫
૧૧૪૦
૧ ૪૦
Page #172
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
સાહિબ તે સાચો સહી, જે સેવક હો કરે આપ સમાન કે, ભોળી ભગતે રીઝીને, જે આપે હો મન વાંછિત દાન કે. અભિ૦ ૬
ઈમ બહુ ભગતે વિનવ્યો, જગજીવન હો અભિનંદન દેવ કે; નય વિજય કહે સાહિબા, મુજ હોજ્યો હો ભવભવ તુજ સેવકે. અભિ૦ ૭
(૫) શ્રી અભિનંદનાસ્વામીનું સ્તવન
(રાગ : શ્રી સિદ્ધચક્ર પદ વંદો)
હિમવંતગિરિ શિરપદ્મ દ્રહથી, સુરતટિની પ્રગટી છે, પૂરવ દિશિ એકપાવન કરતી, પુરણ જલ ઉમટી છે રે. ભવિકા; જિન મુખ વાણી સુણજો તમે ત્રિપદીનો વિસ્તર ગણજો રે.
ભવિ૦ ૧
સુર નદીયે દિશિ ત્રણ ઉવેખી, અભિનંદન જિન દેખી; ત્રિગડે મધ્ય સિંહાસન પેખી, ચિહું દિશિ સરખી લેખી રે.
વિ૦ ૨
કંચન તનુ હિમગિરિ મન આણો, મુખ પદ્મદ્રહ જાણો; ચિહું મુખે તેહ દ્રહ તટથી વાણી, ગંગા પ્રવાહ વખાણો રે.
ભવિ૦ ૩ પૂર્વાદિ દિશિ કિધ પવિત્રા, કરવા વચન વિલાસ; નય ગમ ભંગ પ્રમાણ સકારણ, હેતુ આહરણ ઉલ્લાસ રે.
વિ૦ ૪
ચઉગતિ વારણ શિવ સુખ કારણ, જાણી સુરનર તરિયા; ભાવે કલ્લોલમાં સ્નાન રમણતા, કરતા ભવજલ તરિયા રે.
ભવિ૦ ૫
તે જિનવાણી અમીય સમાણી, પરમાનંદ સૌભાગ્ય ચંદ્ર વચનથી જાણી, સ્વરૂપ ચંદ્રે મન
૧૪૧
નીસાણી;
આણી રે.
ભવિ૦ ૬
Page #173
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૧) શ્રી સુમતિજિન સ્તવન ,
(રાગ-સ્વામી તુમે કંઈ કામણ કીધું) સુમતિ જિનેસર જગપરમેશ્વર હું ખિજમતકારક તુજ કિંકર; સાહિબા ! મુજ દર્શન દીજે જીવના, મન મહેર કરીને સાવ રાત દિવસ લીના તુમ ધ્યાને દિન અતિ વાણું પ્રભુ ગુણગાને સાવ ૧ જગત હિતકર અંતરજામી, પ્રાણ થકી અધિકો મુજ સ્વામી, પ્રાણ ભમ્યા બહુ ભવભવ માંહિ,
પ્રભુ સેવા ઈણ ભવ વિણ નાહિં સાવ ૨ ઈણ ભવમાં પણ આજ તું દીઠો, તિણ કારણ તું પ્રાણથી મીઠો; પ્રાણ થકી જે અધિકો પ્યારો, તે ઉપર સહુ તન ધન વારો. સા. ૩ અજ્ઞાની અજ્ઞાન સંઘાતે, એવી પ્રીત કરે છે ઘાત; દેખો દીપક કાજ પતંગ, પ્રાણ તજે હોમી નિજ અંગ. સા. ૪ જ્ઞાન સહિત પ્રભુ જ્ઞાની સાથે, તેહની પ્રીત ચડે જો હાથે; તો પૂર્ણ થાયે મન આશ, દાનવિજય કરે એ અરદાસ. સા. ૫ EF (૨) શ્રી સુમતિનાથ જિન સ્તવન HE
(ભરતને પાટે ભૂપતિરે- રાગ) દિલ રંજન જિનરાજજી, સુમતિનાથ જગસ્વામી સલૂણા, જગતારક જગહિતકરુ, ભવિજન મન વિશરામી. સ૦ ૧ મુજ ચિત્ત લાગ્યું તુમ થકી, કિમ રહો ન્યારા દેવ, સ0 સમરથ જાણીને સાહિબા, કીજીયે પદકજ સેવ. સમુ) ૨ દાયક નામ ધરાવીને, વળી ધરો કૃપણતા દોષ, સ0 ન વધે જગ જશ ઈમ કર્યા, તિણે પ્રભુ દીજે સંતોષ. સમુ૦ ૩ કરૂણાસાગર દીજીયે, રત્નત્રયી અભિરામ, સ0 લલચાવીને આપતા, જલદ હુઓ જાઓ શ્યામ. સ0મુ૦ ૪ તાર્યા તુમે કઈ જીવને, અપરાધી સુખ કીધ, સ0 શિવસુખ આપ્યું ભક્તને, તેણે તમને શું દીધ. સમુદ્ર પ
૧૪૨.
Page #174
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
એકથી દૂર રહો વિભુ, એકને દીઓ સુખ સાજ; સ0 ઈમ કરતાં તારકપણું, ન રહે ગરીબ નિવાજ. સ0મુ ૬ સો વાતે એક વાતડી, સુણજો ત્રિભુવનનાથ, સ0 અમૃતપદ દઈ રંગને, તારજો ઝાલી હાથ. સમુદ્ર ૭ F (૩) શ્રી સુમતિ જિન સ્તવન કા
(જગજીવન જગવાલહો - રાગ). સમકિત તાહરૂં સોહામણું, વિશ્વ જંતુ આધાર લાલ રે; કૃપા કરી પ્રકાશીએ, મિટે તે મોહ અંધાર લાલ રે. સમકિત૦ ૧ નાણ દંસણ આવરણની, વેયણ મોહની જાણ લાલ રે; નામગોત્ર વિદનની સ્થિતિ, એક કોડાકોડી માણ લાલ રે. ૨ યથાપ્રવૃત્તિકરણ તે, ફરસે અનંતી વાર લાલ રે; દરિસણ તાહરૂં નવિ લહે, દુર્ભવ્ય અભવ્ય અપાર લાલ રે. ૩ શુદ્ધ ચિત્ત મોગર કરી, ભેદી અનાદિ ગ્રંથિ લાલ રે; નાણ વિલોચને દેખીએ, સિદ્ધ સરોવર કંઠ લાલ રે. ૪ ભેદ અનેક છે તેહના, બૃહદ્ ગ્રંથ વિચાર લાલ રે; સુસંપ્રદાય અનુભવ થકી, ધરજો શુદ્ધ આચાર લાલ રે. ૫ અહો અહો સમકિત તો સુણો, મહિમા અનોપમ સાર લાલ રે; શિવશર્મદાતા એહ સમો, અવર કો ન સંસાર લાલ રે. ૬ શ્રી સુમતિ જિનેશ્વર સેવથી, સમકિત શુદ્ધ ઠરાય લાલ રે; કીર્તિવિમલ પ્રભુની કૃપા, શિવલચ્છી ઘર આય લાલ રે. ૭
. (૪) શ્રી સુમતિજિન સ્તવન BE મન મારૂં લાગી રહ્યું, દિલ લાગી રહ્યું, ચિત્ત મારૂં લાગી
રહ્યું સુમતિ નિણંદશું. ધન્ય ધન્ય દિવસ આજનો માહરે, ધન્ય ધન્ય ઘડી વળી હ; ધન્ય ધન્ય સમય જે વળી, તાહરૂ દરિશણ દીઠું નયણનેહ. ૧
૧૧૪૩}
Page #175
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સુંદર મૂર્તિ મેં દીઠી તાહરી, કેટલે દિવસે આજે; નયન પાવન થયાં પ્રભુજી માહરા, પાપ તિમિર ગયાં ભાંજ. ૨ ખાસો ખીજમતગાર તે જાણી, કરૂણા ઘરો મનમાંહી; સેવક ઉપર હિતબુદ્ધિ આણીને, વળી ધરો મન ઉત્સારી. ૩ નિર્મળ સેવામૃત મુજ આપીયે, જેમ બુઝે ભવાનારે તાપ; હવે દરિશનનો વિરહ તે મત ફરો, જેમ મિટજો મનના સંતાપ. ૪ ઘણું ઘણું શું કહીયે તમોને, તુમ છો ચતુર સુજાણ; મુજ મનવાંછિત પુરજો એમ ભણે, પંડિત પ્રેમનો ભાણ. ૫
E (૫) શ્રી સુમતિનાથ સ્તવન BE
(રાગ-સાંભળજો મુનિ સંયમરાગે) આજ ગયાતા અમે સમવસરણમાં, વાણી અમીરસ પીવારે; પીતારે પીતા હું તો પુરાણ પ્રાપી, અનુભવ પ્યાલો મુજને લાધ્યો રે.
આજ૦ ૧ પહેલે પ્યાલે મુજને સમકિત પ્રગટ્યું, બીજે અજ્ઞાનતા મેલી રે; તત્ત્વતણો એ ત્રીજો પ્યાલો, મગન હતી પીતા પેલી રે.
આજ૦ ૨ મૃગ પાસે મૃગ બેસત રાજન, નહિં કોઈ એહનો વેરી રે, એવી વાણી સુણીને હંસલો, ત્રિજંચર જીવન જીવો રે.
આજ0 ૩ એણ આગળ એ બાર પર્ષદા, મળીયા છે કોડાકોડી રે; ચોસઠ ઈન્દ્ર નમે શિરનામી, ઉભા છે બે કર જોડી રે.
આજ૦ ૪ અજબ અનોપમ મૂર્તિ દેખી, દેખત શુદ્ધ બુદ્ધ ભૂલી રે; શ્વાસોશ્વાસ તણી એ પરિમુઢ, ચંપક કેતકી ફુલી રે.
આજ૦ ૫ પંચમે આરે પંચમા જિનની, તાતા તે પ્રભુ દીઠા રે; સુણ બેની એની ગતી ન્યારી, મુજ મન લાગે પ્યારે રે.
આજ૦ ૬ ૧૪૪
૧૪૪
Page #176
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
આગલોલ માંહિ સુમતિ બિરાજે, ચોખંડ માંહે ગાજે રે, રત્નવિબુધનો સેવક જાણી, જીત્યાના ડંકા વાજે રે.
આજ૦ ૭ 5 (૬) શ્રી સુમતિનાથપ્રભુનું સ્તવન ક
અતુલી બલ અરિહંત નમી જે, મન તનુ વચન વિકાર વમીજે, શ્રી જિન કેરી આણ વહીજે, તો મન વંછિત સહેજે લીજે; સેવિયે ભવિ સુમતિ નિણંદા, ટાલીયે ભવ ફંદા. ૧
અશુભાવનો સંગ ન કીજે, સમકિત સુધારસ પીજે; અભય સુપત્ત દાન દોય દીજે, નિજ ગુરુની ભલી ભક્તિ વદીજે. સેવીયે... ૨
સુમતિ જિનેસ સુમતિ જો આપે, જિન દરિસણથી દુર્ગતિ કાપે; નામ જપો અઠોત્તરશત જાપે, મોહ તિમિર હરો તપ રવિ તાપે. સેવીયે. ૩
ત્રિકરણ શુદ્ધ નવ વિધ નિદૂષણ, પહેરો શીલ સલીલ વિભૂષણ; સંશયથી નિત્ય રહીયે લૂખા, જબ લગે નભ અવગાહે ખા. સેવીયે... ૪
ધર્મનો કામ તે ભાવશું કીજે, ગુરુ મુખ વચન વિનય કરી લીજે; ભવ સમુદ્ર તરવો વાંછીએ, જડ ચેતન બહુ ભિન્ન લખીએ. સેવીયે. ૫
પંચમ ગતિ ગામી પ્રભુ પાયા, સવિ કારજ સિધાં દિલ ભાયા; સૌભાગ્ય ચંદ્ર ગુરુ સુપસાયા, સ્વરૂપ ચંદ્ર જિનના ગુણ ગાયા. સેવીયે. ૬ BE (૭) શ્રી સુમતિનાથપ્રભુનું સ્તવન ,
(રાગ-જિન મંદિર આવો રે) સુમતિ જિન સ્વામી રે, આપો પ્રભુ શરણ મને; મુજ કહું છું વિતકની રે, વીતલડી આપ કને; ઘણાં ભવમાં હું રઝળ્યો રે, મિથ્યાત્વના જોરે કરી; કીધા મરણ અનંતા રે, કુમતિને હૃદયે ધરી. સુમતિ૧
૧૪૫
Page #177
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મોહની ફોજ મોટી રે, જેમાં સર્વે જીવ પડ્યાં; તેની આજ્ઞામાં રહીને રે, અનીતિના માર્ગે ચડ્યાં; નહિ કરવાને લાયક રે, તેવા પણ કર્મો કર્યા તેના ઉદય વિપાકે રે, આંખે બહુ અશ્રુ સર્યા. સુમતિ૨ કોઈ સ્થાન ન મળીયું રે, જ્યાં જીવ શાન્તિ કરે; આધિ વ્યાધિ ઉપાધિ રે, જ્યાં ત્યાં લાગી સર્વ શિરે; નદી પાષાણ જાયે રે, મનુષ્ય પણે હું ભળ્યો રે; તેમાં સુરતરૂ સરીખો રે, અરિહંત દેવ મળ્યો. સુમતિ) ૩ તુજ શાસન પામી રે, વિવેકનાં ચક્ષુ ખૂલ્યાં; દેવ અવર ન યાચું રે, જે ધર્મનો માર્ગ ભૂલ્યા; મેઘ રાજાના નંદન રે, આવ્યો તુમ આશ ઘરી; દીયો દુઃખમાં દીલાસો રે, સેવક પર કરૂણા કરી. સુમતિ) ૪ તુજ તરણ તારણનું રે, બિરૂદ છે નાથ ભલું સુણી આવ્યો હું શરણે રે, કુટુંબ છોડી સઘળ; હવે આશરો હારો રે, લીધો છે મેં હિંમતથી: નહિ કરશો નિરાશી રે, કાઢો દુઃખ દરીયાથી. સુમતિ) ૫ દાતા અક્ષય સુખના રે, મહા ઉપકારી પ્રભુ ગુન્હા બક્ષજો મ્હારા રે, કૃપા કરી સર્વ વિભ; મુદ્રા કહે છે તમારી રે, ધ્યાયક તે ધ્યેય થાવે; સૂરિ નીતિ પસાયે રે, ઉદયથી શિવ પાવે. સુમતિ) ૬
F (૧) પદ્મપ્રભુ જિન સ્તવન H,
| (ઘડી ઘડી સાંભળો સાંઈ સલુણા-રાગ) પદ્મપ્રભુ જિન દિવસે ન વિસરે, માનું કીયો કછુ ગુના કોહુના; દરિસન દેખતથી સુખ પાવું, તો બિન હોતહું ઉના દુના. ૧ પ્રભુ ગુન જ્ઞાન ધ્યાન વિધિ રચના, પાન સુપારી કાથા ચુના; રાગભર્યા દિલમેં આયોગે, રહે છિપાયા ના છાના છુના. ૨ પ્રભુનુન ચિત્ત બાંધ્યો સબ સાખે, કુન પઈસે લઈ ઘરકા ખુના; રાગ જગા પ્રભુ શું મોહી પરગટ, કહો નયા કોઉ કહાં જુના. ૩
૧૪૬
Page #178
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
લોક લાજતેં જે ચિત્ત ચોરે, સો તો સહજ વિવેકહી સુના; પ્રભુગુન ધ્યાન વિગર ભ્રમ ભૂલા, કરે કિરિયા સો રાને રૂના. ૪ મેં તો નેહ કીયો તોહિ સાથે, અબ નિવાહ તો પેઈ હૂના; જસ કહે તો વિનુ ઔર ન સેવું, અમિયખાઈ કુન ચાખે લુના. ૫
(૨) પદ્મપ્રભ જિન સ્તવન
પદ્મપ્રભુ પ્રાણસે પ્યારા, છોડાવો કર્મકી ધારા,
કર્મમંદ તોડવા ઘોરી, પ્રભુજીતેં અર્જ હૈ મોરી. પદ્મ૦ ૧ લઘુવય એક થે જીયા, મુક્તિ મેં વાસ તુમ કીયા; ન જાની પીડ તેં મોરી, પ્રભુ અબ ખેંચ લે દોરી. ૫૫૦ ૨ વિષયસુખમાની મો મનમેં, ગયો સબ કાલ ગફલતમેં; નરકદુઃખ વેદના ભારી, નીકળવા ના રહી બારી. પદ્મ૦ ૩ પરવશ દીનતા કીની, પાપકી પાટ શિર લીની;
ન જાની ભક્તિ તુમ કેરી, રહ્યો નિશદિન દુઃખ ઘેરી. પદ્મ૦ ૪ ઈસવિધ વિનતી મોરી, કરૂં મેં દોય કરજોડી; આતમ આનંદ મુજ દીજો, વીરનું કાજ સબ કીજો. પદ્મ૦ ૫
૬ (૩) શ્રી પદ્મપ્રભુનું સ્તવન
શ્રી પદ્મપ્રભ જિનરાજી, તનુ રક્ત કમલ સમવાન હો; જ્ઞાન અનંત સુજાણતા, દ્રગ કરૂણા ગેહ સમાન હો. શ્રી પદ્મ૦ ૧ કેવલ દર્શન દેખીને, કહે. લોક અલોકની વાત હો; સમયાંતર ઉપયોગથી, સાકાર અનાકાર જાત હો. શ્રી પદ્મ૦ ૨ ભાવિભૂત ભવિષ્યની, વિ આગલ કહે જગ નાથ હો; ચઉ મુખ વાણી પ્રરૂપતા, તારણ કારણ ભવપાથ હો. શ્રી ૫૫૦ પુષ્કર મેઘ થકી ભલી, બોધી અંકુર રોપણ હાર હો; શ્રદ્ધા ભાષણ રમણતા, મૂલ કંદ છંદ નિરધાર હો. શ્રી ૫૫૦ ૪
૧૪૭
Page #179
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
-
સમ સંવેગ નિર્વેદતા, અનુકંપા અને આસ્તિક્ય હો; શાખા ચાર અને ભલો, ઉર્ધ્વ શાખા તે બિડિમ અધિક્ય હો. શ્રી પદ્મ) ૫ પત્ર સંપત્તિ સુખ રૂપિયા, સુર સુખ છે તેમાં ફુલ હો; ફલ શિવ સુખ પામે ભવિ, જિહાં અક્ષય સ્થિતિ અનુકુલ હો. શ્રી પદ્મ૦ ૬ ભાવ મેઘ બહુ ગુણ જાણીયે, જિનવાણી સકલમલ શોધ હો; વાણી ભવ નિસ્તારિણી, તે સુણિ પામ્યો પ્રતિબોધ હો. શ્રી પદ્મ૦ ૭. તે ઉપકારી ત્રિલોકને, આપે અવિચલ સુખ વાસ હો; સૌભાગ્યચંદ્ર પસાયથી, કહે સ્વરૂપચંદ્ર ગુણ ભાસ હો. શ્રી પદ્મ0 ૮
ક (૪) શ્રી પદ્મપ્રભુસ્વામીનું સ્તવન HI
પદ્મપ્રભ જિનરાયજી રે લાલ, ગુણ અનંત ભગવાન રે; વાલેસર અતિશય વંત છે તાહરી રે લાલ, રક્ત કમલ સમવાન રે વાલેસર. મોટા ૧. ગગન માપે કોણ અંગુઠે રે લાલ, કોણ તોલ કરે મેર રે વાલેસર, સર્વ નદી સિક્તા કણા રે લોલ; કોણ ગ્રહ મુઠી સમીર રે. વાલેસર. ૨. કોણ તારૂં બાંધે કરી રે લોલ, ચરમ જલધિ લહે તીર રે વાલેસર, સવિ જલ ઠામનાં બિંદુ ચારે લાલ, તારા ગણિત ગંભીર રે વાલેસર. ૩. એહ અસંખ્ય માંહે, રહ્યા રે લાલ, પ્રભુ તુજ ગુણ છે અનંત રે, વા, સમરથ કેમ ગણવા હોઈ રે લાલ, યદપિ મોહનો અંત રે. વાલેસર. ૪. તેજ પ્રતાપે આગલારે લોલ, ગિરૂઆને ગુણવંત રે વાલેસર, શ્રી જ્ઞાનવિમલ ભાવે કરી રે લોલ, તું શિવ સુંદર કંત રે વાલેસર. ૫.
NE (૫) પાપ્રભસ્વામીનું સ્તવન gi પદ્મપ્રભુ પ્રાણથી પ્યારા, છોડાવો કર્મના ભારા; ભમ્યો કાળ ચક્રના આરા, મિસ્યા નહિ ભવ હજુ મારા. ૧ હવે તો આશરો તારો, કૃપાનાથ સ્વામી તું મારો; કરૂણા લાવી પ્રભુ મારા, ગતિ માઠીથી ઉગારો. ૨ તમે છો સર્વ જીવત્રાતા, વળી શિવ પંથના દાતા; કરો છો સર્વને શાતા, વળી છો અભયના દાતા. ૩
-
૧ ૪૮
Page #180
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ક્ષમાનિધિ દયા સાગર, મને દુઃખમાંથી ઉગારો, આપોને ધર્મની નૌકા, ભવોદધિ પાર ઉતારો. ૪ તારકતા સાંભળી તુજની, આવ્યો છું આશરે ત્યારે; બિરૂદ છે દુઃખ ભંજનનું, પ્રભુ તો થાઓને વ્હારે. ૫ અનંતા ગુણ છે તુજને, તેમાંથી અંશ આપોને, સેવક શિર હસ્ત મુકીને, ચરણમાં આપ સ્થાપોને. ૬ પ્રભુજી આપને છોડી, બીજા દેવો નહિ યાચું મારે તો આપનું શરણું, બીજામાં હવે નહિ રાચું. ૭ મને તો કર્મ રાજાએ, કર્યો છે કાંકણી તોલે; બચાવો ભવોદધિમાંથી, પડ્યો છું આપને ખોળે. ૮ દયા સિંધુ દયા લાવો, નોધારાની દયા લાવો; વ્હારે માહરી આવો, દૂરિત પંજાથી મૂકાવો. ૯ સંકટથી દાસ છોડાવો, બચાવો દુઃખ દરિયાથી; ઉદય નીતિ સૂરથરનો, . કરીને ખેંચો ભવમાંથી. ૧૦
NE () શ્રી પદ્મપ્રભુનું સ્તવન BE
(રાગ- હું સુખકારી આ સંસારથી) હો અવિનાશી શિવલાસી, સુવિલાસી સુસીમા નંદના, છો ગુણરાશી તત્ત્વપ્રકાશી, ખાસી માનો વંદના; તમે ઘર નરપતિ કુલે આયા, તુમે સુસીમા રાણીના જાયા,
છપન્ન દિકુમારે દુલરાયા, હો૦ ૧ સોહમ સુરપતિ પ્રભુ ઘર આવે, કરી પંચ રૂપ સુરગિરિ લાવે.
હરિ ચોસઠ તિહાં ભેગા થાવ. હો૦ ૨ કોડી સાઠ લાખ ઉપર ભારી, જળ ભરીયા કલશા મનોહારી;
સુર નવરાવે સમકિત ધારી. હો૦ ૩ થઈ થઈ મંગલ કરી ઘર લાવે, પ્રભુજીને જનની પાસે ઠાવે;
ક્રોડી બત્રીસ સોવન વરસાવે. હો૦ ૪
૧૪૯
Page #181
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પ્રભુ દેહડી દીપે લાલમણિ, ગુણ ગાવે શ્રેણિ ઇંદ્ર તણી; પ્રભુ ચિરંજીવો ત્રિભુવન ધણી. હો૦ ૫ અઢીસે ધનુષ ઉંચી કાયા, લહી ભોગવી રાજ્ય ૨મા જાયા; પછી સંયમ લહી કેવલ પાયા. હો૦ તીરથ વરતાવો જગ મોહે, જન નિસ્તર્યા પકડી બાંહે; જે રમણ કરે નિજ ગુણ માંહે. હો૦ ૭ અમ વેલા મૌન કરી સ્વામી, કિમ બેઠા છો અંતરજામી; જગ તારક બિરૂદ લાગે ખામી. હો૦ ૮ તુજ પાદ પદ્મ સેવા કીજે, નિજ સમોવડ સેવક કીજે; કહે રૂવિજય મુજરો લીજે. હો૦ ૯
૬ (૧) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન
ક્યું ન હો સુનાઈ સ્વામી, ઐસા ગુન્હા ક્યા કિયા. આંકણી૦ ઓરકી સુનાઈ જાવે, મેરી વારી નહીં આવે; તુમ બિન કૌન મેરા, મુજે ક્યું ભૂલા દીયા૦ ૧ ભક્તજનો તાર દીયા, તારનેકા કામ કિયા; બિન ભક્તિ વાલા મોપે, પક્ષપાત ક્યું લિયા. ક્યું૦ ૨ રાવ ટૂંક એક જાનો, મેરા તેરા નાહીં માનો; તરન તારન ઐસા, બિરૂદ ધાર ક્યું લિયા. ક્યું૦ ૩. ગુન્હા મેરા બક્ષ દીજે, મોંપે અતિ રહેમ કીજે; પક્કા હી ભરોસા તેરા, દિલમેં જમા લિયા. ક્યું૦ ૪. તુંહી એક અંતરજામી, સુનો શ્રી સુપાસ-સ્વામી; અબ તો આશા પૂરો મેરી, કહેના સો તો કહ દિયા. ૦ ૫. શહેર અંબાલે ભેટી, પ્રભુજીકા મુખ દેખી; મનુષ્ય જનમકા લાહા, લેના સો તો લે લિયા. ક્યું૦ ૬. ઉન્નિસો છાસઠ છબીલા, દીપમાલ દિન રંગીલા; કહે વીરવિજય પ્રભુ ભક્તિમેં જગા દીયા. ક્યું ૭.
૧૫૦
Page #182
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
મૈં (૨) શ્રી સુપાર્શ્વ જિન સ્તવન (અજિત જિણંદ શું પ્રીતડી એ-રાગ)
શ્રી સુપાર્શ્વજિન સાહિબા, સુણો વિનતિ હો પ્રભુ પરમ કૃપાલકે; સકિત સુખડી આપીયે, દુ:ખ કાપીયે હો જિન દીનદયાલકે.
શ્રી૦ ૧
મૌન ધરી બેઠા તુમે, નિચિંત હો પ્રભુ થઈ હું તો આતુર અતિ ઉતાવલો, માગુ છું હો જોડી દોય
સુગુણા સાહિબ તુમ વિના, કુણ કરશે હો સેવકની આખર તુમહીજ આપશો, તો શાને હો કરો છો
નાથ કે; હાથ કે;
મનમાં વિમાસીશું રહ્યા, અંશ ઓછુ હો તે હોય નિરગુણને ગુણ આપતાં, તે વાતે હો નહિ પ્રભુ
મોટા પાસે માગે સહુ, કુણ કરશે હો ખોટની દાતાને દેતાં વઘે ઘણું, કૃપણને હો હોય તેહનો
શ્રી૦ ૨
મહારાજ કે;
લાજ કે.
કૃપા કરી સામું જુઓ, તો ભાંજે હો મુજ કર્મની ઉત્તરસાધક ઉભા થકા, વિદ્યા હો સિદ્ધ હોય
સારકે;
વારકે.
શ્રી૦ ૩
શ્રી૦ ૪
આશકે;
નાશકે.
શ્રી૦ ૫
જાલકે;
તત્કાલકે.
શ્રી
જાણ આગળ કહેવું કિસ્યું, પણ અથી હો કરે અરદાસકે, શ્રી ખીમવિજય પય સેવતા, જસ લહીયે હો પ્રભુ નામે ખાસકે.
શ્રી૦ ૭
૬ (૩) શ્રીપાર્શ્વ જિન સ્તવન (રાગ ભરતને પાટે ભૂપતિ રે) પાસે સુપાર્શ્વજી રાખીએ, સેવક ચિત્તમાં આણી સલુણા; જિમ હું અંતર ચિત્તની, વાત કહું ગુણખાણી. સ૦ પા૦ ૧
૧૫૧
Page #183
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કરૂણા વિલાસી તુમે અછો, કરૂણાસાગર કૃપાળ; સ0 કરૂણા સરસ સરોવરે, પ્રભુ તુમે છો મરાલ. સ0 પા) ૨ અપરાધિ જો સેવક ઘણો, તો પણ નવિ ઇંડાય; સ0 જિમ વિદ્યુત અગ્નિ સમી, નવિ છેડે મેઘરાય. સ0 પા૦ ૩ તે માટે છાંડતા થકાં, શોભશો કીમ મહારાય; સ0 બાહ્યગ્રહ્યાની લાજ છે, ઘણું શું તમને કહાય. સ0 પાત્ર ૪ તું છેડે પણ નવિ છંડુ, તુજને હું મહારાય; સ0 તુમ ચરણે ભાણ આવીઓ, પ્રેમ વિબુધ સુપસાય. સ0 પાઇ ૫
BE (૪) શ્રી સુપાર્શ્વનાથનું સ્તવન HI
મુજ મન ભમરો પ્રભુ ગુણ ફુલડે, રમણ કરે દિન રાત; સુણજો સ્વામી સુપાસ સોહામણો રે, કર જોડી કહું વાત. ૧. મનડું તે ચાહે રે પ્રભુ મલવા ભણી રે, પણ દીશે છે અંતરાય; જીવ પ્રમાદિ રે કર્મતણે વશ રે, તો કિમ મલવું થાય. મનડું૦ ૨. લાખ ચોરાશી જીવયોનિમાં રે, ભવ અટવી ગતિ ચાર; કાળ અનાદિ અનંત ભમતાં થકાં રે, કિમતિ ન આવે પાર. મનડું૦ ૩. મારગ બતાવો રે સાહેબ માહરા રે, જિમ આવું તુમ પાય; લાજ વધારો રે સેવક જાણીને રે, ઘો દરિસણ મહારાજ. મનડું) ૪. મૂરતિ તાહરી રૂપે રૂઅડી રે, અનુભવ પદ દાતાર; નિત્ય લાભ પ્રભુ શું પ્રેમે વિનવે રે, તુમથી લહું સુખસાર. મનડું) ૫
GE(૧) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન , મુજ ઘટ આવજો રે નાથ, કરૂણા કટાક્ષે જોઈને દાસને
કરજો સનાથ મુજ૦ ૧ ચંદ્રપ્રભ જિનરાજીયા, તુજ વાસ વિષમો દૂર, મળવા મન અલજો ઘણો, કિમ આવીયે હજાર. મુજ૦ ૨ વિરહવેદના આકરી, કહી પાઠવું કુણ સાથ; પંથી તો આવે નહિ, તે મારગે જગનાથ. મુજ૦ ૩
૧૫૨
Page #184
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
તું તો નિરાગી છે, પ્રભુ પણ વાલો મુજ જોર; એક પખી તે પ્રીતડી, જિમ ચંદ્રમા ને ચકોર. મુજ૦ ૪ તુમ સાથે જે પ્રીતડી, અતિ વિષમ ખાંડા ધાર; પણ તેહના આદર થકી, તસ ફળ તણો નહિ પાર. મુજ૦ ૫ અમે ભક્તિયોગે આણશું, મનમંદિરે તુમ આજ; વાચક વિમલના રામ શું, ઘણું રીઝલો મહારાજ. મુજ૦ ૬ = (૨) શ્રી ચંદ્રહ્મભ જિન સ્તવન કર
(જગજીવન જગ૦ રાગ-બાલકો) ચંદ્રપ્રભ ચિત્તમાં વસ્યા, જીવન પ્રાણ આધાર લાલ રે; તુમ વિણ કો દિસે નહિ, ભવિજનને હિતકાર લાલ રે. ૧ નિશદિન સૂતાં જાગતાં, ચિત્ત ધરું તાહરૂં ધ્યાન લાલ રે; રાત દિવસ તલસે બહુ, રસના તુજ ગુણ ગાન લાલ રે. ૨ માહરે તુમ સમ કો નહિ, મુજ સરિખા તુજ લાખ લાલ રે; તો હિ નિજ સેવક ભણી, કાંઈક કરૂણા દાખ લાલ રે. ૩ અંતરજામી તું ખરો, ન ગમે બીજાં નામ લાલ રે; સેવક અવસરે આવિયો, રાખો એહની મામ લાલ રે. ૪ કરૂણાવંત કૃપા કરી, આપો નિજપદ વાસ લાલ રે; ઉદય રત્ન એમ ઉચ્ચરે, દીજે તત્ત્વ સુવાસ લાલ રે. ૫
E (૩) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન 5
(રાગ-છોટેસે બલમાં મેરે આંગનમેં ગીલ્લી ખેલે) ચંદ્રપ્રભુજીની ચાકરી, મને લાગે મીઠી; જગમાં જોડી જેહની, કિહાં દીસે ન દીઠી. ચંદ્રપ્રભ૦ ૧ પ્રભુજીને ચરણે મારૂં, મનડું લલચાણું, કુણ છે બીજો ઈણે જગે, જિણ જોયે પલટાણું. ચંદ્રપ્રભ૦ ૨ કોડી કરે પણ અવર, કો મુજ હિયડે નાવે; સુરતરુ ફૂલે મોહિઓ, કિમ આક સોહાવે. ચંદ્રપ્રભ૦ ૩
૧૫૩
Page #185
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મુજ પ્રભુ મોહન વેલડી, કરૂણા શું ભરીઓ; પ્રભુતા પૂરી ત્રિભુવને, ગુણમણિનો દરિઓ. ચંદ્રપ્રભ૦ ૪ જિમ જિમ નિરખું નયણે, તિમ તિમ હિયડું હુલસે; એક ઘડીને અંતરે, મુજ મનડું તરસે. ચંદ્રપ્રભુ ૫ સહજ સલુણો સાહિબો, મિલ્યો શિવનો સાથી; સહેજે જીત્યો જગતમેં, પ્રભુની સેવાથી. ચંદ્રપ્રભ૦ ૬ વિમલવિજય ગુરુ શિષ્યનો, શિષ્ય કહે કર જોડી; રામવિજય પ્રભુનામથી, લહે સંપદ કોડી. ચંદ્રપ્રભુ) ૭
E (૪) શ્રી ચંદ્રપ્રભસ્વામીનું સ્તવન .
(હરે મારે ઠામ ધરમના સાડા પચવીશ દેશ જો-એ દેશી) હારે મારે ચંદ્રવદન જિન ચંદ્રપ્રભ જગનાથ જો, દીઠો મીઠો ઈક્રો જિનવર આઠમો રે લોલ; હાંરે મારે મનડાનો માનીતો પ્રાણ આધાર જો, જગ સુખદાયક જંગમ સુરશાખી સમોરે લો. ૧ હાંરે મારે શુભ આશય ઉદયાચલ સમકિત સુર જો, વિમલ દશા પૂરવદિશિ ઉગ્યો દીપતો રે લો; હાંરે મારે મૈત્રી મુદિતા કરુણા ને માધ્યસ્થ જો, વિનય વિવેક સુલંછન કમળ વિકાસતો રે લો. હાંરે મારે સદુહણા અનુમોદન પરિમલ પૂર જો, પસર્યો મન માનસ સર અનુભવ વાયરો રે લો; હાંરે મારે ચેતન ચકવા ઉપશમ સરોવર નીર જો, શુભમતિ ચકવી સંગે રંગરમણ કરે રે લો. હાંરે મારે જ્ઞાનપ્રકાશે નયણ ખુલ્યાં મુજ દોય જો, જાણે રે પડદ્રવ્ય સ્વભાવ યથાપણે રે લો; હાંરે મારે જડ ચેતન ભિન્ન ભિન્ન નિત્યાનિત્ય જો, રૂપી અરૂપી આદિ સ્વરૂપ આપાપણે રે લો. ૪
૦
૦
જ
૧૫૪
Page #186
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
હારે મારે લખગુણદાયક લખમણા રાણી નંદ જો, ચરણ સરોરુહ સેવા મેવા સારખી રે લો; હાંરે મારે પંડિત શ્રી ગુરુ ક્ષમાવિજય સુપસાય જો, મુનિ જિન જંપે જગમાં જોતા પારખી રે લો. = (૫) શ્રી ચંદ્રપ્રભુસ્વામીનું સ્તવન .
(રાગ-શી કહું કથની મારી) ચંદ્ર પ્રભુ મને તારો, રાજ ચંદ્ર પ્રભુ મને તારો; ખરો આશરો એક તમારો રાજ, ચંદ્રપ્રભુ મને તારો; નરક નિગોદાદિક ભવ ભમિયો, છેદન ભેદન ખમીયો; પરવશમાં પણ કર્મે દમિયો, કાળ અનંત નિર્ગમિયો. રાજ ચંદ્ર૦ ૧. ભાગ્ય ઉદયથી નરભવ પામ્યો, વિષયાતુર થઈ ફરીયો; પુણ્ય પાપની ખબર પડે નહિ, પાપનો પોટલો ભરીયો. રાજ ચંદ્ર૦ ૨. રાત દિવસ ધન કારણ રડીયો,
જ્યાં ત્યાં અતિ આથડીયો; રતિ ભર જેટલું ધન નવ મળીયું, નિવિડ વિઘન ઘન નડીયો. રાજ ચંદ્ર૦ ૩. ભાન પોતાનું હું પ્રભુ ભૂલ્યો, ફોગટ ગુણ વિણ ફુલ્યો; જન્મ અનંતા ગર્ભે ઝુલ્યો, દુઃખ દરિઆમાં ડૂળ્યો. રાજ ચંદ્ર) ૪. દાન સુપાત્રે મેં નવી દીધું, શીયળ ન પાળ્યું સિધુ કિંચિત્ તપ પણ મેં નવી કીધું, ભાવ પિયૂષ નવ પીધું રાજ ચંદ્ર) ૫. જાલિમ ક્રોધા નળથી બળીયો, ગર્વ મહો રગ ગળીયો; માયા સાંકળથી સાંકળીયો, લોભ પિશાચે છળીયો. રાજ ચંદ્ર૦ ૬. ક્ષમા નિધિ તુજ ચરણ કમળમાં, આજે અંતર જામી; નિરાશ્રય થઈ અર્જ કરું છું, શરણ પડ્યો છું સ્વામી. રાજ ચંદ્ર૦ ૭. દીન દયાળ દયા દિલધારી, દારિદ્ર દુઃખ વિદારી, સૂરિનીતિનો ઉદય કરીને, લેજો ભવથી ઉગારી. રાજ ચંદ્ર૦ ૮.
F (૧) શ્રી સુવિધિનાથ જિનનાં સ્તવન * તાહરી અજબશી યોગની મુદ્રા રે, લાગે મને મીઠી રે, એ તો ટાલે મોહની નિદ્રા રે, પ્રત્યક્ષ દીઠી રે;
૧પપ
Page #187
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા લોકોત્તરથી જોગની મુદ્રા વ્હાલા મારા, નિરુપમ આસન સોહે, સરસ રચિત શુક્લધ્યાનની ધારે, સુરનરના મન મોહે રે.
લાગે મુને મીઠી રે૦ ૧ ત્રિગડે રતન સિંહાસન બેસી, વાવ ચિહું દિસે ચામર ઢલાવે; અરિહંત પદ પ્રભુતાનો, ભોગી, તો પણ જોગી કહાવે રે.
લાગે મુને મીઠી રે૦ ૨ અમૃત ઝરણી મીઠી તુજ વાણી, વાળ જેમ આષાઢો ગાજે; કાન મારગ થઈ હિયડે પેસી, સંદેહ મનના ભાંજે રે.
લાગે મુને મીઠી રે૦ ૩ કોડિગમે ઉભા દરબારે, વા૦ જયમંગલ સુર બોલે; ત્રણ ભુવનની રિદ્ધિ તુજ આગે, દીસે ઈમ તૃણ તોલે રે.
લાગે મુને મીઠી રે૦ ૪ ભેદ લહું નહીં જુગ જુગતિનો, વાવ સુવિધિ નિણંદ બતાવો; પ્રેમશું કાન્તિ કહે કરી કરુણા, મુજ મન મંદિરે આવો રે.
લાગે મુને મીઠી રે૦ ૫ SF (૨) શ્રી સુવિધિનાથ જિન સ્તવન ક મેં કીનો નહિ, તો બિન ઓર શું રાગ (૨) દિન દિન વાન ચઢત ગુણ તેરો, ક્યું કંચન પર ભાગ;
ઔરન મેં હૈ કષાયકી કાલિમા, સો ક્યું સેવા લાગ? મેં૦ ૧ રાજહંસ તું માનસરોવર, ઔર અશુચિ રુચિ કાગ; વિષય ભુજંગમ ગરુડ તું કહિયે, ઔર વિષય વિષનાગ. મેં૦ ૨
ઔર દેવ જલછિલ્લર સરિખે, તું તો સમુદ્ર અથાગ; તું સુરતરુ-જગવાંછિત-પૂરન, ઔર તો સૂકે સાગ. મેં૦ ૩ તું પુરુષોત્તમ સુંહિ નિરંજન, તું શંકર વડભાગ; તું બ્રહ્મા તું બુદ્ધ-મહાબલ, તુંહિ દેવ વીતરાગ. મેં૦ ૪ સુવિધિનાથ તુજ ગુણ ફૂલનકો, મેરો દિલ હે બાગ જસ કહે ભ્રમર રસિક હોઈ તામેં, લીજે ભક્તિ પરાગ. મેં૦ ૫
૧૫૬
Page #188
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
૬ (૩) શ્રી સુવિધિજિન સ્તવન HE
(રાગ-દુઃખ દોહગ દૂર ટળ્યા રે) જ્ઞાની શિર ચૂડામણિજી, જગજીવન જિનચંદ, મળીયો તું પ્રભુ આ સમેજી; ફળીયો સુરતરૂ કંદ; સુવિધિ જિન તુમશું અવિહડ નેહ, જિમ બપૈયા મેહ. સુ૦ ૧ માનું હું મરૂમંડલેજી, પામ્યો સુરતરૂ સાર; ભૂખ્યાને ભોજન ભલું જી, તરસ્યા અમૃત વારિ. સુ૦ ૨ દૂષિત દુષમા કાળમાં જી, પૂરવ પુન્ય પ્રમાણ; તું સાહિબ જો મુજ મિલ્યોજી, પ્રગટ્યો આજ વિહાણ. સુ૦ ૩ સમરણ પણ પ્રભુજી તણું છે, જે કરે તે કૃત પુન્ય; દરિસણ જે આ અવસરેજી, પામે તે ધન્ય ધન્ય. સુ૦ ૪ જગજીવન જગવાલહોજી, ભેટ્યો તું સસનેહ; ધન્ય દિવસ ધન્ય આ ઘડી જી, ધન મુજ વેળા એહ. સું) ૫ આજ ભલી જાગી દિશા જી, ભાગી ભાવડ દૂર; પામ્યો વાંછિત કામના જી, પ્રગટ્યો સહજ સબૂર. સુ૦ ૬. અંગીકૃત નિજ દાસનીજી, આશા પુરો દેવ, નયવિજય કહે તો સહીજી, સુગુણ સાહિબની સેવ. સુ) ૭
5 (૪) શ્રી સુવિધિનાથ સ્તવન ક
(રાગ - સ્વામી તમે કાંઈ કામણ કીધું) સુવિધિ નિણંદ મુજને દરિસણ, ઘોને દિલ બરી દિલથી, મારા સામું જુવો ને, હસી તારા ચિત્તોની વાત; મને તે કહોને પ્રીતની, રીતમાં શું તો વહો ને. ૧ અંતર ચિત્તની વાર્તા રે, પ્રભુ કહું તે ચિત્ત ધરોને; પ્રીત પ્રતિત જીમ ઉપજે રે, તિમ અવિહડ પ્રીત કરોને. ૨ સુંદર તુમ મુખ મટકે રે, લોભાવ્યા તે પ્રભુ અમને; મુજ મન મળવા અતિ ઘણું રે, ક્ષણ ક્ષણ ચાહે તુજને. ૩
૧૧૫૭
Page #189
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
લલચાશો દિન કેટલા રે, એમ દિલાસા મુજને દઈને; હા ના, મુખથી ભાખીયે રે, બેસી શું રહ્યા મૌન લઈને. ૪ હસિત વદને બોલાવીને રે, આજ મુજને રાજી કરોને; વાંછિત દેઈ અમને રે તુમેશું, જગમાં જશ વરોને. ૫ રોગ શોક દુઃખ દોહગ તાપ, સંતાપ ને પાપ હરોને; પંડિત પ્રેમના ભાણને પ્રસન્ન, હોજો હેતે ધરીને. ૬ 5 (૫) શ્રી સુવિધિનાથનું સ્તવન :
(રાગ-થઈ પ્રેમ પાતલીઆ) તુંહી દેવ સાચો મળીયો, મારા આંગણે સુરતરૂ ફળીયો રે; તંહિ૦ સુવિધિ જિનેશ્વર નમત સુરેશ્વર, અલવેસર અવિનાશી; પ્રગટ્યો સદ્દગુણનો રાશી, મારો ધર્મ ચિંતામણી ફળીયો રે. તુહિo ૧. અલખ અગોચર નાથ નિરંજન, સ્વરૂપ રમણ સુવિલાસી; અવિચલ મંદિરના વાસી, તુજ સેવા મુજ મન હળીયો રે. તંહિ૦ ૨. ક્ષપક શ્રેણીથી કર્મને ગાળી, શિવ સુંદરીને નિહાળી; લીધું કેવલ જુગલ વાળી, જગનાથ ક્ષમા શૂર બળીયો રે. તુહિ૦ ૩. ભવોદધિ તારક દુઃખ નિવારક, નિર્ધામક છો દયાલુ થાઓ મુજ ઉપર કરૂણાબુ, તુને તરણ તારણ સાંભળીયો રે તું હિ૦ ૪. ભવ ભય ભંજન મોહ મદ ગંજન, છું શિવ પુર અભિલાષી; જાણી પુદ્ગલ જાળ તમાસી, મારો જન્મ મરણ દુઃખ ટળીયો રે. તુહિo ૫. સૂરિ નીતિના બાળ ઉદયનું, તુમ ચરણ ચિત્ત લાગ્યું, ભવોભવ તુજ દર્શન માગું, આજે ભાગ્ય ઉદય મુજ વળીયો રે. તુહિ૦ ૬.
() શ્રી સુવિધિનાથજી સ્તવન
(રાગ-પાવાગઢથી ઉતય) સુવિધિ નિણંદસોહામણા અરિહંતાજી, સુવિધિતણા ભંડાર રે ગુવવંતાજી; પ્રેમ ધરીયે પ્રાહુણા અરિહંતાજી, મન મંદિરે પાઉધાર. ભગવંતાજી ૧. જ્ઞાન દીપકને ઝળહલે અરિહંતાજી, સમકિત તોરણમાલ રે ભગળ ચારિત્ર ચંદ્રોદય ભલો
૧૫૮
Page #190
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
અરિહંતાજી, ગુણ મુક્તા જાકજમાલ ભગ0 ૨. મૈત્રી ભાવ સિંહાસને અરિહંતાજી, તકિયા પરમુખ પક્ષ; ભળ૦ મુદિતા પરમ બિછામણા અરિહંતાજી, ઈત્યાદિ ગુણ લક્ષ. ભગ૦ ૩ ઈંહા આવીને બેસીયે અરિહંતાજી, તુમ ચારિત્રના ગીત; ભગ૦ ગાવે મુજ તનુ કામિનિ અરિહંતાજી, આણી અવિહડ પ્રીત. ભગ૦ ૪. અરજ સુણીને આવિયા, અરિહંતાજી, સાહિબ મન ઘર માંહિ; ભગ0 જ્ઞાન વિમલ પ્રભુતા ઘણી અરિહંતાજી, પ્રગટે અધિક ઉચ્છાંહી. ભગ૦ ૫. E (૭) શ્રી સુવિધિનાથ પ્રભુનું સ્તવન 5.
(રાગ-સુણો શાંતિ નિણંદ સોભાગી) સુણો સુવિધિ નિણંદ સોભાગી, મુજ તુજ ચરણે લય લાગી; હું તો ભવ દવ દાહે દાઝયો, તે તો સુખ સંપૂર્ણ સાધ્યો. ૧ હું તો માયા મચ્છર ભરીયો, તુ તો આર્જવ ગુણનો દરીયો; હું તો ક્રોધ કષાયે બલિયો, તુ તો સમતા રસમાં ભલીયો. ૨ હું તો લોભ માં મૂછણો, તું તો સંતોષ ગુણનો રાણો; હું તો જાતિ મદાદિ કે મારયો, તું તો માર્દવ ગુણમાં રાચ્યો. ૩ હું તો વિષયા સુખનો સંગી, તું તો વિષયાતીત ની સંગી; હું તો ચિહું ગતિ માંહે રૂલીયો, તું તો શિવસુંદરીને મલીયો. ૪ પ્રભુ તું તો અસંગ નિકલેશી, હું તો પરિણામે સંકલેશી; તું તો જ્ઞાનાનંદે પૂરો, હું તો કર્મ બંધન માંહે પૂરો. ૫ તું તો વીતરાગ પ્રસિદ્ધ, હું તો રાગ દ્વેષે વશ કીધ; તું તો કેવલ જ્ઞાની અનુપ, મેં તો આવર્યું આ સ્વરૂપ. ૬ તું તો સત્યવાદીમાં લીહ, હું તો અવગુણ ગ્રાહી અબીહ; તું તો સર્વ વેદી સ્યાદ્વાદી, હું તો મોહી મિથ્યાવાદી. ૭. તું તો દેવનો દેવ દયાલ, હું તો તુજ સેવક એક વાલ; મુજ સરીખા સેવક ઝાઝા, તુજ સરીખા એક જિનરાજી. ૮
૧પ૯
૧ ૫૯
Page #191
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મુજ ઉપર કરી મહેરબાની, તમે જાણો સેવક પ્રાણી; જો ભેદ રહિત મુજ નિરખો, થાય સેવક સાહિબ સરીખો. ૯ હીરે હીરો વિંધાય, એમ લોક કહેવત કહેવાય; ગુણવંત થઈ ગુણી ધ્યાવે, તો ઋદ્ધિ અનંતી પાવે. ૧૦ તુમ સહજ સ્વભાવ વિલાસી, નિજ શુદ્ધ સ્વરૂપ પ્રકાશી; ધ્યાયક ધ્યેય ધ્યાનમાં ધ્યાવે, તો જિનપદ ઉત્તમ પાવે. ૧૧
૬ (૧) શ્રી શીતલનાથજિન સ્તવન 5 હારે શીતલ જિન શું લાગી પૂરણ પ્રીત જો, સાહિબજીની સેવા ભવદુઃખ ભાંજશેરે જો; જિનપ્રતિમા જિન સરખી દિલમાં જોય જો,
ભકિત કરતાં પ્રભુજી ખૂબ નિવાજશેરે જો. ૧ જેણે જોતાં લાધું રત્નચિંતામણિ હાથ જો, તેને રે મૂકીને કુણ ગ્રહે કાચને રે જો; જેણે મનશું કીધા જુઠાના પચ્ચખાણ જો, તે નર બોલે સો વાતો પણ સાચને જો. ૨ જે પામ્યા પરિગલ પ્રીતે અમૃતપાન જો, ખારૂં જલ તે પીવા કહો કણ મન કરે રે જો; જે ઘરમાં બેઠા પામ્યા લખમી જોર જો, ધનને કાજે દેશ દેશાંતર કુણ ફરે રે જો. ૩ જેણે સેવ્યા પૂરણ ચિત્તે અરિહંત દેવ જો, તેહના રે મન માંહે કિમ બીજા ગમે રે જો; એ તો દોષ રહિત નિકલંકી ગુણ ભંડાર જો, મનડું રે અમારું પ્રભુ સાથે રમે રે જો. ૪ મુને મલિયા પૂરણ ભાગ્યે શીતળનાથ જો, દેખીને હું હરખ્યો તન મન રંજીઆરે જો; એ તો દોલતદાઈ પ્રભુજીના દેદાર જો, મેં તો જોતા પ્રભુને કર્મદલ ગંજીઆરે જો. ૫
(૧૬૦E
Page #192
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
શ્રી વિધિપક્ષ દેહરે મુંદરા નગર મોઝાર જો, અંગી રે નવરંગી શિખર સુહામણી રે જો; એ તો તેજ દીપે ઝગમગ જ્યોતિ વિશાલ જો, સોહે રે મન મોહે મૂર્તિ રળીયામણી રે જો. ૬ સય સત્તર એકશીયે રૂડો ભાદ્રવ માસ જો, સ્તવન રચ્યું એ પ્રેમે પર્વ પજુસણે રે જો; શ્રી સહજસુંદર શિષ્ય બોલે ઈણીપરે વાણી જો, ભાવે રે નિત્ય લાભ કહે હરષે ઘણે રે જો. ૭ F (૨) શ્રી શીતલજિન સ્તવન
(રાગ સ્નેહી સંત એ ગિરિ સેવો) શીતલ જિન સહજાનંદી, થયો મોહની કર્મ નિકંદી; પરજાયી બુદ્ધિ નિવારી પારિણામિક ભાવ સમારી, મનોહર મિત્ર એ પ્રભુ સેવો, દુનિયામાં દેવ ન એવો.
મનો) એ આંકણી. ૧ વર કેવલ નાણ વિલાસી અજ્ઞાન તિમિર ભર નાસી, જયો લોકાલોક પ્રકાશી, ગુણપજ્જવ વસ્તુ વિલાસી. મનો૦ ૨ અક્ષય સ્થિતિ અવ્યાબાધ, દાનાદિક લબ્ધિ અગાધ; જેહ શાશ્વત સુખનો સ્વામી, જડબદ્રિય ભોગ વિરામી. મનો૦ ૩ જેહ દેવનો દેવ કહાવે, યોગીશ્વર દેહને ધ્યાવે; જસ આણા સુરતરુ વેલી, મુનિ હૃદય આરામે ફેલી. મનો૦ ૪ જેહની શીતલતા સંગે, સુખ પ્રગટે અંગો અંગે; ક્રોધાદિક તાપ સમાવે, જિન વિજયાનંદ સભાવે.
મનોહર મિત્ર એ પ્રભુ સેવા. ૫
E (૩) શીતલનાથ પ્રભુનું સ્તવન , મુજ મનડામાં તું વસ્યો રે, જયું. પુષ્પોમાં વાસ; અલગો ન રહે એક ઘડી રે, સાંભળે શ્વાસોશ્વાસ;
૧ ૬૧
Page #193
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
રંગ લાગ્યો રંગ લાગ્યો, રંગ લાગ્યો સાતે ઘાત, રંગ લાગ્યો શ્રી જિનરાજ, રંગ લાગ્યો ત્રિભુવનનાથ. ૧ શીતલ સ્વામી જે દિને રે, દીઠો તુજ દેદાર; તે દિનથી મન માહરૂં, પ્રભું લાગ્યું તાહરી લાર. રંગ૦ ૨ મધુકર ચાહે માલતી ને, ચાહે ચંદ ચકોર; તિમ મુજ મનને તાહરી, પ્રભુ લાગી લગન અતિજોર. રંગ૦ ૩ ભર્યા સરોવર ઉલટે રે, નદીયાં નીર ન માય; તો પણ જાયે મેઘકું રે, જેમ ચાતક જગમાંય. રંગ૦ ૪ તેમ જગમાંહી તુમ વિના રે, મુજ મન નાવે કોય; ઉદય વદે પદ સેવના રે, પ્રભુ દીજે સન્મુખ જોય. રંગ૦ ૫
Hi (૪) શ્રી શિતલ જિન સ્તવન ,
(રાગ-આશાવરી) (બાજી બાજુ બાજી ભૂલ્યો બાજી) અખીયનમેં ગુલઝારી, જિર્ણોદા તેરી અખીયન મેં ગુલઝારી
ગુલઝારી બલિહારી જિગંદા તેરી; પૂરણ ચંદ સમાન વદન હે, દેખત ભાવિ અવિકારી; રૂપ વેશ કી ઉપમા નહિ, ક્યું કર ઘુણત ઉદારી. જિ૦ ૧ દ્રવ્ય ગુણ પર્યાય ને મુદ્રા, ભેદ વેદ ઝલકારી; સરપતિ પૂજે દ્રવ્યસફારી, ગુણ અતિશય મનોહારી. જિ૦ ૨ પર્યાયે અરિહા પદ ભોક્તા, મુદ્રા પદ્માસન ધારી; ભેદારોપન જિનપડિમાર્ક સેવા કરત સંસારી. જિ૦ ૩ સાદિ અનંત અક્ષય ઘર બેઠ, પણ હમ ધ્યાન મોઝારી; સુખ અનંત કી લહેર ફુસારી, ચઢી હમ બહોત ખુમારી. જિ૦ ૪ શીતલનાથ શીતલ સમરણ હે, શીતલ પડિમા પ્યારી; શ્રી શુભવીર વચન રસ ભરીયે, જિન પડિમા જયકારી. જિ૦ ૫ |
૧ ૬ ૨
Page #194
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
૬ ૫) શ્રી શિતલ જિન સ્તવન (રાગ-અડાણી) (જિન તેરે ચરણકી)
શીતલ જિન મોહે પ્યારા,
સાહિબ શીતળ જિન મોહે પ્યારા. એ ટેકવ ભુવન વિરોચન પંકજ લોચન, જીઊકે જીઊ હમારા. શીતલ૦ ૧ જ્યોતિ મુંજ્યોત મિલત જબ ધ્યાવે, હોવત નહિ તબ ન્યારા; બાંધી મુઠી ખુલે ભવ માયા, મીટે મહાભ્રમ ભારા. શીતલ૦ ૨ તબ સબહી ન્યારા, અંતર કુટુંબ ઉદારા; તુમ ત્યારે તુમહિ નજીક નજીક હે સબહિ; ઋદ્ધિ અનંત અપારા. શીતલ૦ ૩ વિષય લગન કી અગ્નિ બુઝાવત, તુમ ગુણ અનુભવ ધારા; ભઈ મગનતા તુમ ગુણરસકી, કુણ કંચન કુણ હારા. શીતલ૦ ૪ શીતલતા ગુનહેર કરત તુમ, ચંદન કાહી બિચારા; નામહિ તુમ તાપ હરત હૈ, વાકું ઘસત ઘસારા. શીતલ૦ ૫ કરહું કષ્ટજન બહુત હમારે, નામ તિહારો આધારા; જસ કહે જનમ મરણ તબ ભાગો, તુમ નામે ભવ પારા. શીતલ૦ ૬
(૬) શ્રી શીતલનાથપ્રભુનું સ્તવન (રાગ-સિદ્ધારથના નંદન વિનવું)
શીતળ જિનવર સાહેબ વિનવું, વિનતડી અવધાર; ભવ મંડપમાંરે ફરી ફરી નાચતા, કિમઈ ન આવ્યો પાર. શીતલ૦ ૧. લાખ ચોરાશી રે યોનિમાં વળી, લીધા નવ નવ વેષ; ભમતાં ભમતાં રે પુણ્ય પામીઓ, આર્ય માનવ વેષ. શીતલ૦ ૨. તિહાં પણ દુર્લભ જ્ઞાનાદિ સાંભળી, જેથી સીઝે રે કાજ; તે પામીને ધર્મ જે વિકરે, તે માણસને ૨ે લાભ. શીતલ૦ ૩. જ્ઞાન દર્શન ચારિત્ર ભલું, જે એહ પામે રે સાર; તેહ ભવિક જન નિશ્ચય પામશે, વહેલો ભવનો પાર; શીતલ૦ ૪. તુમ્હ સેવાથી રે સાહિબ પામીઓ, અવિચલ પદવી વાસ; ઋદ્ધિ કીર્તિ અનંત થાયે, આપે શિવપુર વાસ શીતલ૦ ૫.
૧૬૩
Page #195
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
TM (૭) શ્રી શીતલનાથપ્રભુનું સ્તવન
શીતલ જિનવર સાંભળો રે, ગુણનિધિ ગરીબ નિવાજ; દેખી દરસણ તાહરૂં રે, સફલ થયો દિન આજ. શી૦ ૧. સુરત તાહરી સોહામણી રે, લાલ અમુલક નંગ; જાણીયે કલ્પદ્રુમ સારીખી રે, કીધી પ્રીતી અભંગ. શી૦ ૨. હેજાલે નયને કરી રે, મલજો મુજને સ્વામ; અંતરજામી છો માહરા રે, ભવ દુઃખ ભંજણ ઠામ. શી૰ ૩. સાચો સાજન તું મલ્યો રે, પ્રીતિ કીધી પરમાણ; હિયડે ભીંતર તું વસ્યો રે, ભાવે જાણમ જાણ. શી ૪. ધરણીતલમાં જોવતાં રે, અવર મલ્યા મુજ લાખ; પણ તે હું નહિં આદરૂં, શ્રી પરમેશ્વર સાખ. શી૦ ૫. સીતાને મન રામજી રે; રાધાને મન કાન; ભમરો માલતી ફુલડે રે, તિમ પ્રભુશું મુજ તાન. શી૦ ૬. રોહિણીને મન ચાંદલો રે, જિમ મોરા મન મેહ; ઇંદ્રાણી મને ઇંદલો રે, તિમ પ્રભુશું મુજ નેહ. શી૦ ૭. અમને તમારો છે આશરો રે, નહિ કોઈ બીજા શું વાદ; સાચો સેવક જાણશો રે, તો સવિ પુરશો લાડ. શી૦ ૮. અચલગચ્છ દેહરે રે, મુંદરા નગર મોઝાર; મહિમાવંત મયા કરો રે, ભવ દુઃખ ભંજણહાર. શી૦ ૯. સાનિધ્ય કારી છો સાહિબા રે, પ્રણમ્યાં પાતક જાય; સહજ સુંદર ગુરુ રાયનો રે, નિત્ય લાભ પ્રભુ ગુણ ગાય. શી૦ ૧૦.
(૮) શ્રી શીતલનાથપ્રભુનું સ્તવન
(રાગ-આજ સફલ દિન માહરો)
શીતલ જિનપતિ સેવીયૅ એ, શીતલતા કંદ
સાહિબ શિવ સુખ કરૂં રે. પ્રતિ પ્રદેશે અનંત ગુણ એ, પરગટ પૂરણાનંદ; સાહિબ૦ ૧. એક પ્રદેશે નભ તણે એ, દેવ સમૂહ મુખ વ્યાપી; સા. ત્રણ કાલ ભેલું કરી એ, અસત કલ્પનાયે થાપિ. સાહિબ૦ ૨. ઈમ આકાશપ્રદેશ જે એ, લોકા લોકના તેહ સા. થાપતા સંપૂર્ણ હોઈએ, અનંત ગુણ એમ એહ. સાહિબ૦ ૩.
૧૬૪
Page #196
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ તે સુખ સમુહ તણો વળીએ, કીજે વર્ગ ઉદાર સા. તેહનો વર્ગ વળી કરો એ, એમ વર્ગ કરો વારંવાર. સાહિબ૦ ૪. અનંત વર્ગ વર્ગે કરીએ, વર્ગિત સુખ સમુદાય. સા. અવ્યાબાધ સુખ આગવે એ, પણ અતિ ઉત્તમ થાય. સાહિબ૦ ૫. પ્લેચ્છ નગર ગુણ કેમ કહેએ, અન્ય બ્લેચ્છપુર તેહ. સા. તિમ ઓપમ વિણ કેમ કહુએ, શીતળ જિન સુખ જેહ. સા૦ ૬. આવશ્ય નિયુકિત એ, ભાખ્યો એ અધિકાર. સા. કરતાં સિદ્ધિ ભણી તિહાંએ, ઉત્તમ અતિ નમસ્કાર. સા૦ ૭. એમ અનોપમ સુખ ભોગવો એ, જિન ઉત્તમ મહારાજ. સા. તે શીતલ સુખ જાચીયે એ, પદ્મવિજય કહે આજ. સા૦ ૮. EE (૧) શ્રી શ્રેયાંસનાથં જિન સ્તવન BE
(રાગ-અજિત જિવંદશું પ્રીતડી) શ્રી શ્રેયાંસ જિનેશ્વરૂ, સેવકની હો કરજો સંભાળ તો, રખે વિસારી મુકતા, હોય મોટા હો જગે દીનદયાલતો. શ્રી. ૧ મુજ સરિખા છે તાહરે, સેવકની હો બહુ ક્રોડા ક્રોડ તો; પણ જે સુનજરે નિરખીયો કિમ દીજે હો પ્રભુ તેહને છોડતો. શ્રી. ૨ મુજને હેજ છે અતિ ઘણું, પ્રભુ તુમ હો જાણું નિરધારતો; તો તું નિપટ નિરાગીયો, હું રાગી હો એ વચન વિચારતો શ્રી. ૩ વળી માનું મન મારૂં હુંતો રાખુ હો તુમને તે માંહિ તો, હું રાગી પ્રભુ તાહરો, એકાંગી હો ગ્રહિયે બાંહિ તો. શ્રી. ૪ નિગુણો નવિ ઉવેખીયે પોતાવટ હો ઈમ ન હોય સ્વામી તો; જ્ઞાનવિમલ પ્રભુ શું કરો, વિણું અંતર હા સેવક એક તાનતો. શ્રી પ ક (૨) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન HF
(રાગતુમે બહુ મૈત્રી રે સાહિબા) શ્રી શ્રેયાંસ કૃપા કરો, તું જગ બંધવ તાત રે, અલખ નિરંજન તું જયો, તું છે જગમાં વિખ્યાત રે. શ્રી. ૧
૧૫
૧ ૬૫
Page #197
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ધન્ય ધન્ય નરભવ તેહનો, જેણે તુજ દરસન પાયો રે; માનું ચિંતામણિ સુરતરુ, તસ ઘરે ચાલી આયો રે. શ્રી૦ ૨ ધન્ય તે ગામ નગર પુરી, જસ ઘરે પ્રભુ તું આયો રે; ભકિત ધરી પડિલાભિયો, તેણે બહુ સુકૃત કમાયો રે. શ્રી૦ ૩ જિહાં જિહાં ઈમ પ્રભુ તું ગયો, તિહાં બહુ પાપ પલાયો રે; તુજ મૂર્તિ નિરખી ભલી, જેણે તું દિલમાં ધાર્યો રે. શ્રી૦ ૪
હવે પ્રભુ મુજને આપીયે, તુજ ચરણ નિવાસો રે; રિદ્ધિ અનંતી આપીયે, કીર્તિ અનંતી આવાસો રે. શ્રી૦ ૫
TM (૩) શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન (રાગ-દીઠો સુવિધિ જિણંદ સમાધિ)
તૃ
શ્રી શ્રેયાંસ જિણંદ, ` ઘનાઘન ગહગહ્યો રે. ઘના૦ વૃક્ષ અશોકની છાયા, સુભર છાઈ રહ્યો રે. સુભ ભામંડળની ઝલક ઝબુકે વિજળી રે. ઝબુ ઉન્નત ગઢતિક ઇંદ્ર-ધનુષ્ય શોભા મિળી રે. શો૦ દેવદુંદુભિનો નાદ ગુહિર ગાજે ઘણું રે. ગુરુ ભાવિક જનનાં નાટિક મોર ક્રીડા ભણું રે. મો૦ ચામર કેરી હાર ચલંતી બગ તતી રે. ૨૦ દેશના સરસ સુધારસ વરસે જિનપતિ રે. ૧૦ સમકિતી ચાતક વૃંદ તૃપ્તિ પામે તીહાં રે. સકલ કષાય દાવાનળ શાંતિ હૂઈ જિહાં રે. શાં જિનચિત્તવૃત્તિ સુભુમિ ત્રે હાળી થઈ રહી રે. ત્રે૦ તેણી રોમાંચ અંકુર વતી કાયા લહી રે. ૧૦ શ્રમ કૃષિબલ સજ્જ હુવે તવ ઉજમા રે. હુ૦ ગુણવંત જન મન ક્ષેત્ર સમારે સંયમી રે. સ૦ કરતાં બીજાધાન સુધાન નીપાવતા રે. જેણે જગના લોક રહે સવી જીવતા રે. ૨૦ ગણધર ગિરિ તટ સંગી થઈ સૂત્ર ગ્રંથના રે. થ૦ તેહ નદી પ્રવાહે હુઈ બહુ પાવના રે. હુ
સુર .
૧૬ ૬
Page #198
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
એહજ મોટો આધાર વિષમ કાળે લહ્યો રે. વિ માનવિજય ઉવઝાય કહે મેં સહ્યો રે. ક0
5 (૪) શ્રી શ્રેયાંસજિન સ્તવન 5. (રાગ-હો હલધરજી હવે કેમ કરવું નેમ પરાક્રમ મોટું)
હો જિનવરજી, નિજ દરિસણ દેખાડી પ્રીત સુધારીયે, તુમ દરિસણ તે ભવભયહરણો, આઠ કર્મ જલધિ તારણ તરણો, સંસારીને શિવસુખ કરણી. હો જિન- ૧ એ આંકણી.
| મુનિ શ્રાવક ધર્મ દુવિધ ભાગો, તે ભવ્ય જનો આગલ દાખ્યો, તેણે તુજ વચને અમૃત રસ ચાખ્યો, હો જિનવરજી, નિજ વાણી સંભળાવી સમકિત આપીએ. ૨
જે હુંતા પાપ તણા કારી, તે તે તાર્યા બહુ નરનારી, તુજ સમ નહિ કોઈ ઉપગારી, હો જિનવરજી, નિજ કર અવલંબાવી તારક તારીયે. ૩
તું અધ્યાતમ સૂરજ ઉગ્યો, તવ મોહાદિક તમ દૂર ગયો, ભવિ મનમાં જ્ઞાનપ્રકાશ થયો, હો જિનવરજી, મન ઉદયાચલ બેસી મિથ્યાત્વ નિવારીયે. ૪
તુજ વદન કમલ દરિસણ પ્યારો, તિહાં મન મધુકર મોહ્યો માહરો, ક્ષણ એક તિહાંથી ન રહે ન્યારો. હો જિનવરજી. અવલોકન નિત્ય તેહનો મુજને દીજીયે. ૫
ધરણેન્દ્ર સહસ્સ મુખશું ભાખે, તાહરા ગુણ નિત્ય નવલા દાખે, તોહે પાર ન લહે ગુણનો લાખે, હો જીનવરજી, અનંત ગુણાત્મક તું સોહે ગુણ તાહરા. ૬
સૌભાગ્યચંદ્ર ગુરુનો શિષ્ય, કહે સ્વરૂપચંદ્ર અહો જગદીશ, શ્રેયાંસપણું દીઓ સુજગશ, હો જીનવરજી, નામ શ્રેયાંસ તમારું સમરું ધ્યાનમાં. ૭
૧૧૬૭
Page #199
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
= (૧) શ્રી વાસુપૂજ્યસ્વામિ જિન સ્તવન BE
(રાગ-ધોબીરી બેટી તીખારે નયણારો પાણી લાગણો) જિર્ણોદરાયા સુગુણ સુખાકર સુંદરૂ, કેવલજ્ઞાન ભંડાર; જિણંદમોહ અંધાર નિવારવા, સમરથ તું દિનકાર જિ. ૧ નિણંદવાસુપૂજ્ય મુજ વાલો, દ્રઢ મન રહ્યો રે લોભાય, નિણંદ૦ ધર્મધુરંધર ધન્ય તું, ભરતક્ષેત્ર મોઝાર; જિણંદ૦ બોધિબીજ વાવ્ય વચન શું, ભવિમન કયારા ઉદાર જિ૦ ૨ નિણંદસુમતિ સહિત સહુ સમકિતી, પાલે નિજ વ્રત સાર; નિણંદસંવર વાડી ભલી કરે, રહે અપ્રમત્ત આચાર. જિ૦ ૩ નિણંદ૦ આશ્રવ વ્યાપદ વારતા, ઘારતા જિનવર આણ; જિણંદશીલ સુધારસ સીંચતા લહે, ચેતન ગુણખાણ જિ૦ ૪ નિણંદ૦ પામ્યો તે દરિસણ યદા, જાણ્યો તદા શિવશર્મ જિણંદ૦ કુગુરુ કુદેવ કુધર્મનો, વાર્યો ચિત્તથી ભર્મ. જિ૦ ૫ નિણંદ0 અપડિવાઈ દીજીયે, દરિસણ દોલત દાન; જિણંદ૦ સૌભાગ્યચંદ્ર સ્વરૂપને, વલ્લભ તુજ ગુણગાન. જિ૦ ૬
૬ (૨) શ્રી વાસુપૂજયસ્વામિનું સ્તવન શ્રી વાસુપૂજ્ય નરિંદનોજી, નંદન ગુણમણી ધામ; વાસુપૂજ્ય જિન રાજીયોજી, અતિશય રત્ન નિધાન.
પ્રભુ ચિત્ત ઘરીને, અવધારો મુજ વાત. ૧ દોષ સયલ મુજ સાંસહોજી, સ્વામી કરી સુપસાય; તુમ ચરણે હું આવીયોજી, મહેર કરો મહારાય. પ્રભ૦ ૨ કુમતિ કુસંગતિ સંગ્રહીજી, અવિધિ ને અસદાચાર; તે મુજને આવી મિલ્યાજી, અનંત અનંતીવાર. પ્રભુo ૩ જબ મેં તુમને નિરખ્યાજી, તવ તે નાડ્યા દૂર; પૂણ્ય પ્રગટે શુભ દિશાજી, આયો તુમ હજીર, પ્રભ૦ ૪ જ્ઞાનવિમલ પ્રભુ જાણજોજી, શું કહેવું બહુ વાર; દાસ આશ પૂરણ કરોજી, આપો સમકિત સાર. પ્રભુ ૫
૧૬૮
Page #200
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
5. (૩) શ્રી વાસુપૂજ્ય સ્વામિ જિન સ્તવન .
(રાગ-સ્વામી તુમે કંઈ કામણ કીધું) શ્રી વાસુપૂજ્યજી સાહિબ માહરા, પ્રભુ લાગો છો તમે પ્યારા. સાહિબા જિનરાય હમારા, મોહના જિનરાય હમારા; તન મન ચિત્ત વલ... તુમશું, હવે અતંર રાખો કિમ અમશું. ૧ દાસની આશા પુરીયે પ્યારા, જો નામ ધરાવો છો જગદાધારા; સકળ લીલા તુમ પાસે જે સ્વામીહિત આણી દીજીયે અંતરજામી. ૨ એટલો વિમાસણશી છે તુજને, વાંછિત દેતાં સ્વામી મુજને; ખોટ ખજાને નહિ પડે તાહરે, પણ અક્ષય ખજાનો હોશે માહરે. ૩ ભલોભૂંડો પણ પોતાનો જાણોવાળી કરૂણાની લહેર તે મનમાં આણી અમને મનોગત વાંછિત દેજો, પ્રભુ હેત ધરીને સામુ જોજો. ૪ વારંવાર કહું શું તમને, સેવાફળ દેજો સ્વામી અમને, પ્રેમ વિબુધના ભાણની પ્રભુજી, તુમ નામે દોલત ચઢતી વિભૂતિ. ૫
HH (૪) શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન Hi વાસુપૂજ્ય જિનેશ્વર જોઈ, મારું દિલડું હરખાય, પ્રભુ સર્વ દેવ ગરીઠો મેં જગમેં ઔર ન દીઠો; લાગે મુજ મન અતિ મીઠો રે, મન તૃપ્તિ નવ થાય. વાસુ. ૧. પ્રભુ એક અનેકી જગમેં, તુજ ભક્તિ મુજ રગ રગમે; નહિ માણેક હોય નગ નગમેં રે; તિમ દુર્લભ જિનરાય. વાસુ) ૨. પ્રભુ નિગોદમેં નહિ મીલીયો. ત્યાં કાલ અનંતો રૂલીયો; થાવર દ્વીતી ચઉ ભૂલીયો રે, બીન દર્શન દુઃખ પાય. વાસુ૩. અબ પુણ્ય ઉદયમેં પાયો, સંજ્ઞી પંચેદ્રિય મેં આયો; તબ દર્શન નાથ દીખાયો રે, લેઉં આણા શિર ચઢાય. વાસુ) ૪. પ્રભુ સ્થિર બુધિ હું માગું, નિજ આત્મ ભાવમાં જાગું; મેરી તેરીસે ભાગું રે, એ આપો મહારાય. વાસુ) ૫. મુજ તત્ત્વ ત્રયી પ્રભુ આપો, તુમ હસ્ત શિર પર સ્થાપો; ભવ ભ્રમણા મારી કાપો રે, પામર પેં દીલ લગાય. વાસુ) ૬. ખુબ ગામ બુહારી સોહે, તુમ ધામ મુજ મન મોહે, પ્રભુ જોઈ મોહ અતી
૧ ૬૯
Page #201
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ખોવે રે, અબ હટશે મોહરાય. વાસુ) ૭. મુજ આત્મ કમલ વિકસાવો, લબ્ધિ લક્ષ્મીની વસાવો; હું રાખું તુમથી દાવો રે, તુમ ચરણે ચિત્ત ઠાય. વાસુ૦ ૮.
E (૫) શ્રી વાસુપૂજ્યસ્વામીનું સ્તવન શ્રી વાસુપૂજ્ય નરિંદના, નંદન નયના નંદ હો; શ્રી જિન વાલહા. પ્રભુ કેમ આવું તુમ લગે હો, શ્રી જિન સાંભળોઃ મારે કૂડો કુટુંબનો ફંદ હો, શ્રી જિન સાંભળો; શ્રી. ૧ કુમતિ રમણી મોહનંદિની, મુજ કેડ ન મૂકે તેહ, શ્રી મિત્ર મલ્યો તે લોભીયો, લાગ્યો તેહશું બહુ નેહ. શ્રી. ૨ ત્રેવીશ મલ્યા ધૂતારડા, જેહના વળી નવ નવા રંગ; શ્રી, અહનિશ તેણે હું ભોળવ્યો, ન ઘર્યો પ્રભુ શું સંગ. શ્રી. ૩ પ્રભુ દર્શન તલસે ઘણું, જિન મુજ મનડું દિન રાત; શ્રી, પણ દશ ત્રણ આડા રહે, જે નીચ ગણું કમજાત. શ્રી૪ પ્રભુ કૂડો કલિયુગ આજનો, બહુ ગાડરીયો પ્રવાહ, શ્રી પ્રભુ તાહરૂં રૂપ ન ઓળખે, નહિ શુદ્ધ ઘરમની ચાહ. શ્રી ૫ પ્રભુ દરિસણ વિણ જીવડા, કસતા દીસે વ્યવહાર શ્રી તેણે ભરમે ભૂલ્યા ઘણાં, પ્રભુ દોહિલો લોકાચાર. શ્રી. ૬ વરસ બોતેર લખ આઉખું, તોરી સિત્તેર ધનુષ તનુ સાર; શ્રી, શ્રી રામવિજય કર જોડીને, કહે ઉતારો ભવપાર. શ્રી. ૭
F (૬) શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન HI
(રાગ-જગજીવન જગ વાલો) ૧. આવો આવો મુજ મન મંદિરે, સમરાવું સમકિત વાસ હો મુણદ, પંચાચાર બિછાવણા રે, પંચરંગી રચના તાસ હો મુત્ર આ૦ ૨. સિજ્જા મૈત્રીભાવના, ગુણ મુદિતા તળાઈ ખાસ હો મુ; ઉપશમ ઉત્તર છદ બન્યો, તિહાં કરુણા કુસુમ સુવાસ હો. મુ. આo ૩. થિરતા આસન આપશ્ય, તપ તકિયા નિજ ગુણ
૧૭૦
Page #202
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ભોગ હો મુ0; શુચિતા કેસર છાંટણાં, અનુભવ તંબોળ સુરંગ હો મુ. આ૦ ૪. ખાંતિ ચામર વિંજશે, વળી મૃદુતા ઢોળે વાય હો મુ0; છત્ર ધર ઋજુતા સખી, નિર્લોભતા ઓળાંસે પાય હો મુo આ૦ ૫. સત્ય સચિવને સોંપશ્ય, સેવા વિવેક સંયુત હોઇ મુ0; આત્મ સત્તા શુદ્ધ ચેતના, પરણાવું આજ મુહૂર્ત હો. મુઆ ૬. અરજ સુણીને આવિયા, જયાનંદન નિરુપમ દેહ હો મુ0; ઓચ્છવ રંગ વધામણાં, સમાવિજય જિન ગેહ હો મુળ આવે ૬ (૧) શ્રી વિમલનાથજિન સ્તવન ,
(રાગ-સ્વામી તુમે કંઈ કામણ કીધું) વિમલ જિનેશ્વર જગતને પ્યારો, જીવન પ્રાણ આધાર હમારો; સાહિબા મોહે વિમલ જિગંદા, મોહના સમ સુરતરુ કંદા. ૧ સાતરાજ અલગે જઈ વસીયો, પણ મુજ ભકિત તણો છે રસિયો. ૨ મુજ ચિત્ત અંતર કર્યું કરિ જાતિ, સેવક સુખી એ પ્રભુ શાબાશી. ૩ આળસ કરશો જો સુખ દેવા, તો કુણ કરશો તુમારી સેવા. ૪ મોહાદિક દલથી ઉગારો, જન્મ જરાના દુખ નિવારો. ૫ સેવક દુઃખ જો સ્વામી ન ભંજે, પૂરવ પાતક નહિ મુજ મંજે. ૬ તો કુણ બીજો આશાપુરે, સાહિબ કાંઈ ઈચ્છિત પૂરે. ૭ જ્ઞાનવિમલસૂરિ જિન ગુણ ગાવે, સહેજે સમકિત ગુણ બહુ પાવે. ૮
(૨) શ્રી વિમલનાથ જિન સ્તવન 5 મેરો તુંહી ધની હો વિમલ જિન, તુમશું પ્રીતિ બની; જન્મ જન્મ અબ નિશ્ચય કીનો, મેરો તુંહી ધની. હો વિ૦ ૧ યા દિનથે મેં દરિસણ પાયો, તાળે કુમતિ હણી; અલ્પમતિ મેં તુમ ગુણ ગણતાં, કહેતાં ન જાયે ઘણી. હોવિ૦ ૨ સકલલોકમેં સંગત કરતી, તોરી કીર્તિ ફળી; જયું સુરપતિ મંદરગિરિ પૂજતે, તે મેં શોભ બની. હોવિ૦ ૩ હરિહર બ્રહ્મપુરંદરકું કહે, મૂર્ખ દેવ દની; રાગદ્વેષ મદ મોહે દેખ્યા(ના) કુમતિ કલ કફની. હો૦ ૪
૧૭૧
Page #203
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વારે વારે વિનતિ કરૂં ઈતની, પ્રભુપદવી ઘો અપની; જ્ઞાનવિમલ પ્રભુ નિત ગુણ ગાવે, સમકિત રયણખની હો, ૫ 5. (૩) શ્રી વિમલનાથ સ્તવન
(રાગ-આશાવરી) હો પ્રભુજી મુજ અવગુણ મત દેખો, રાગ દશાથી તું રહે ન્યારો; હું મન રાગે વાળું, દ્વેષ રહિત તું સમતા ભીનો દ્વેષ મારગ હું ચાલું. હો પ્રભુજી, ૧. મોહલેશ ફરશ્યો નહિ તુજને, મોહ લગન મુજ પ્યારી, તું અકલંકી કલંકિત હું તો, એ પણ રહેણી ન્યારી. હો પ્રભુજી) ૨. તુંહિ નિરાગી ભાવ પદ સાધે, હું આશા સંગ વિલુદ્ધો, તું નિશ્ચળ હું ચલ તું સીધો, હું આચરણે ઉંધો. હો પ્રભુજી, ૩. તુજ સ્વભાવથી અવળાં મહારાં, ચરિત્ર સકળ જગે જાણ્યાં; એવા અવગુણ મુજ અતિ ભારી. ન ઘટે તુજ મુખ આયા. હો પ્રભુજી) ૪. પ્રેમ નવલ જો હોય સવાઈ, વિમલનાથ મુખ આગે; કાન્તિ કહે ભવરાન ઉતરતાં, તો વેળા નવિ લાગે. હો પ્રભુજી ! મુજ અવગુણ મત દેખો. ૫. - (૪) શ્રી વિમલનાથપ્રભુનું સ્તવન
(રાગ-નિંદ્રડી વેરણ હુઈ રહી) વિમલનાથ ભગવંતજી, તમે છો તો પ્રભુ દીન દયાલ કે; સાર કરે પ્રભુ માહરી, ચિત્ત ચોખે હો મુજ નયણ નિહાલકે. વિમલ૦ ૧. સહુ સ્વારથીયો જગત છે વિણ સ્વારથ હો દુઃખનો કુણજાણકે; તુમ વિણ બીજો કો નહિ, પરમારથ હો પદનો અહિઠાણ કે. વિમલ૦ ૨ સગુણ સોભાગી નિરખતા; હરખંતા, હો હૈયાનો હેજકે; કંચન તનુ અતી દીપતો, જીપતો, હો દિનકર જોડી તેજ કે. વિમલ૦ ૩ ભકિત વચ્છલ પ્રભુજી તણો, એવો સુણીયો હો ઈણ કાને નામકે; તું રાજેશ્વર રાજતો, આસા પરની હો કરવા સુકામ કે. વિમલ૦ ૪. કિંકર પ્રભુનો જાણીને, મન વંછિત હો સુખ દીજે દેવક, શ્રી વિદ્યાસાગર સૂરનો, જ્ઞાનસાગર હો પ્રણમે નિત્ય મેવકે. વિમલ૦ ૫.
૧૭૨
Page #204
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
E (૧) શ્રી અનંતનાથજિન સ્તવન ક
(રાગ-ઋષભજિણંદશું પ્રીતડી) અનંત નિણંદશું પ્રીતડી, નીકી લાગી હો અમૃત રસ જેમ; અવર સરાગી દેવની, વિષ સરખી હો સેવા કરું કેમ ?
અનંત૦ ૧ જિમ પદ્મિની મન પિઉ વસે, નિરધનિયા હો મન ધન કી પ્રીત; મધુકર કેતકી મન વસે, જિમ સાજન હો વિરહીજન ચિત્ત.
અનંત) ૨ કરષણી મેઘ અષાઢ જવું, નિજ વાછડહો સુરભિ જીમ પ્રેમ; સાહિબ અનંત જિહંદણું, મુજ લાગી હો ભકિત મન તેમ.
અનંત૩ પ્રીતિ અનાદિની દુઃખ ભરી, મેં કીધી હો પર પુગલ સંગ; જગત ભમ્યો તિણ પ્રીતશું, સ્વાંગધારી હો નાચ્યો નવરંગ.
અનંત) ૪ જિસકો અપના ધારીયા, તેને દિના હો છીન મેં અતિ છે; પરજન કેરી પ્રીતડી, મેં દેખી હો અંતે નિઃસનેહ.
અનંત૫ મેરા કોઈ ન જગતમેં, તુમ છોડી હો જિનવર જગદીશ; પ્રીત કરૂં અબ કોનશું, તું ત્રાતા હો મોહે વિસવાવીસ.
અનંત) ૬ આતમરામ તું માહરો, સિરસેહરો હો હિયડાનો હાર; દીનદયાલ કૃપા કરો, મુજ વેગે હો અબ પાર ઉતાર.
અનંત૦ ૭ 5 (૨) શ્રી અનંતનાથ જિન સ્તવન 5
(રાગ-નમો નીત નાથજી રે) જ્ઞાન અનંતુ તાહરે રે, દરિસન તાહરે અનંત, સુખ અનંતમય સાહિબા રે, વીરજ પણ ઉલમ્યું અનંત.
૧૭૩
Page #205
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અનંત જિન ! આપજો રે મુજ એહ અનંતા ચાર; અO મુજને નહિ અવરશું યાર, અ૦ તુજને આપતાં શી વાર, અ૦
એહ છે તુજ યશનો ઠાર. અ૦ ૧ આપ ખજાનો ન ખોલવો રે, નહિ મલવાની ચિંત; માહરે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભીંત. અ૦ ૨ તપ જપ કિરિયા મોઘરે રે, ભાંજી પણ ભાંગી ન જાય; એક તુજ આણ લહે થકે રે, હેલામાં પરહી થાય. અ૦ ૩ માત ભણી મરૂદેવને રે, જિન ઋષભે ક્ષણમાં દીધ; આપ પરાયું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ. અ૦ ૪ તે માટે તસ અરથીયા રે, તુજ પ્રાર્થતા જે કોઈ લોક; તેહને આપો આંફણી રે, તિહાં ન ઘટે કરાવવી ટેક. અ૦ ૫ તેહને તેહનું આપવું રે, તિહાં શ્ય ઉપજે છે ખેદ; પ્રાર્થના કરતાં તાહરે રે. પ્રભુતાઈનો પણ નહિ છેદ. અ૦ ૬ પામ્યા પામે પામશે રે, જેહ જ્ઞાનાદિ અનંત; તે તુજ આણાથી સવે રે, કહે માન વિજય ઉદ્વસંત. અ૦ ૭
HE (૩) શ્રી અનંતનાથજિન સ્તવન 5 હાંરે લાલ ચતુર શિરોમણી ચૌદમો, જિન પતિનામ અનંત મેરે લાલ; ગુણ અનંત પ્રગટ કર્યા, કર્યો વિભાવનો અંત મેરે લાલ. ચતુર૦ ૧. હાં રે લાલ ચાર અનંત જેહના, આતમ ગુણ અભિરામ મેરે લાલ; જ્ઞાન દર્શન સુખ વિર્યતા, કર્મે રુંધ્યા ઠામ મેરે લાલ૦ ચતુર૦ ૨. હાં રે લાલ ચતુર ધરો નિજ ચિત્તમાં, એ જિનવરનું ધ્યાન મેરે લાલ, અરથી અરથ નિવાસને, સેવે ધરી બહુમાન મેરે લાલ. ચતુર૦ ૩. હાં રે લાલ જ્ઞાનવરણી ક્ષય કરી, લહ્યું અનંત જ્ઞાન મેરે લાલ; દર્શનાવરણ નિવારતાં, દર્શન અનંત વિધાન મેરે લાલ, ચતુર૦ ૪. હાં રે લાલ વેદનીય વિગમે થયું, સુખ અનંત વિસ્તાર મેરે લાલ; અંતરાય ઉલંઘતા, વીર્ય અનંત ઉદાર મેરે લાલ. ચતુર૦ ૫. હાં રે લાલ અનંત અનંત
——
૧ ૭૪
Page #206
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
નિજ નામની, થિરતા થાપી દેવ મેરે લાલ; જિમ તરસ્યા સરવર ભજે, તિમ સ્વરૂપ જિન સેવ મેરે લાલ. ચતુર૦ ૬. 5 (૪) શ્રી અનંતનાથપ્રભુનું સ્તવન 5.
(રાગ-અજિત નિણંદશું પ્રીતડી) અનંત નિણંદશું વિનતી, મેં કીધી હો ત્રીકરણીથી આજ; મીલના નિજ સાહેબ ભણી, કુણ આણે હો મુરખ મન લાજ. ૧ મુખ પંકજ મન મધુ કરૂં, રહ્યો લુબ્ધ હો ગુણ જ્ઞાને લીન; હરિહર આવળ કુલ જ્યો, તે દેખ્યા હો કીમ ચિત્ત હોવે પ્રણ. ૨ ભવ ફરીયો દરીયો તરીયો, પણ કોઈ ન હો અણુ સરીયો ન દ્વીપ, હવે મન પ્રવહણ માહરું, તુમ પદ ભેટે હો મેં રાખ્યું છીપ. ૩ અંતરજામી મીલ્ય થક, ફળે માહરો હો રાહી કરીને ભાગ; હવે વાહી જાવા તણી નથી, પ્રભુજી હો કોઈ ઈહા લાગ. ૪ પલવ લહી રઢ બેહી શું, નહિ મેળો હો જ્યારે તમે મીટ; આતમ અંબરે જો થઈ કીમ, ઉવટે હો કરારી છીંટ. ૫ નાયક નિજની વાજીયે, હવે લાજીયે હો કરતાં રસ લૂંટ; અધ્યાતમ પદ આપતા, કાંઈ નહિ પડે ખજાને ખૂટ. ૬ જીમ તમે તર્યા તિમ તારજો, શું બેસે હો તુમને કાંઈ દામ; નહિ તારો તો મુજને તો કીમ, તારક કહેશ્યો તુમ નામ. ૭ હું તો જિનરૂપસ્થથી રહું, હોઈ તો અહનીશ અનુકુળ; ચરણ તજી જઈએ કયાં છે, માહરી હોવા તલડીનો મૂળ. ૮ અષ્ટાપદ પર કામ કરે, અન્ય તીરથ પાસે કીમ હેડ; મોહન કહે કવિ રૂપનો, વિના ઉપશમ હો નવિ મુકું કેડ. ૯ ક (૧) શ્રી ઘર્મનાથ જિન સ્તવન 1
(રાગ-હાંરે મારે ઠામ ધરમના) હાંરે મારે ધર્મ નિણંદશું લાગી પૂરણ પ્રીત જો, જીવડલો લલચાણો જિનજીની ઓલગે રે લો;
૧૭૫
Page #207
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
હરે મુજને થાશે કોઈક સમે પ્રભુ સુપ્રસન્ન જો, વાતલડી માહરી રે સવિ થાશે વગે રે લો. ૧ હાંરે પ્રભુ દુર્જનનો ભંભેર્યો મારો નાથ જો, ઓળવશે નહિ ક્યારે કીધી ચાકરી રે લોક હાંરે મારા સ્વામી સરખો કુણ છે દુનિયા માંહી જો, જઈયેરે જિમ તેહને ઘર આશા કરી રે લો. ૨ હાંરે જસ સેવાસેતી સ્વારથી નહિ સિદ્ધિ જો, ઠાલી રે શી કરવી તેહથી ગોઠડી રે લો; હાંરે કાંઈ જૂઠું ખાય તે મિઠાઈને માટે જો, કાંઈ રે પરમારથ વિણ નહિ પ્રીતડી રે લો. ૩ હાંરે પ્રભુ અંતરજામી જીવન પ્રાણ આધાર જો, વાયો રે નવિ જાણ્યો કલિયુગ વાયરો રે લો; હાંરે મારે લાયક નાયક ભક્ત વચ્છલ ભગવંત જો, વારુ રે ગુણ કેરો સાહિબ સારૂ રે લો. ૪ હાંરે મારે લાગી મુજને તાહરી માયા જોર જો, અલગા રે રહ્યાથી હોય ઓસીંગલો રે લો; હાંરે કણ જાણે અંતરગતની વિણ મહારાજ જો, હેજે રે હસી બોલો છાંડી આમલો રે લો. ૫ હારે તારે મુખને મટકે અટક્યું મારું મન જો, આંખલડી અણીયાલી કામણગારડી રે લો; હાંરે મારે નયણાં લંપટ જોવે ખિણ ખિણ તુજ જો, રાંતા રે પ્રભુ રૂપે નરકે વારીયાં રે લો. ૬ હાંરે પ્રભુ અલગ તો પણ જાણ કરીને હજુર જો, તારી રે બલિહારી હું જાઉં વારણેરે લો; હાંરે કવિ રૂપ વિબુધનો મોહન કરે અરદાસ જો, ગિરુઆથી મન આણી ઉલટ અતિ ઘણે રે લો. ૭
૧૭૬
Page #208
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૨) શ્રી ધર્મનાથ જિન સ્તવન
લ્યોને લ્યોને લ્યોને મુજરો, ધર્મ જિનેશ્વર પ્યારા; મુજરો લ્યોને જીવન પ્રાણ આધારા. લ્યો૦ ૧ તુમ ગુણ અંગે અમે પ્રભુ રાચ્યા માચ્યા નામ સુણીને; અમે દર્શનના અર્થ તુમ કને, આવ્યા દાયક જાણીને. લ્યો૦ ૨ અરજ ન ઘડી એકની હવે, દીજે દર્શન અમને; દર્શન દેઈ સુપ્રસન્ન કીજે, એ શોભા છે તુમને. લ્યો૦ ૩ મુજ ઘટ પ્રગટયો આણંદ, અતહુ નવલી મૂર્તિપેખી; વિકસિત કમળ પરે મુજ હૈયડું, થાયે તુમ મુખ દેખી. લ્યો૦ ૪ મુજ ભક્તિએ તુમે આકર્ષ્યા, આવ્યા છો મુજ ઘટમાં ન્યુનતિ ન રહી કસે માહરી, મુજ સમકો નહિ જગમાં. લ્યો૦ ૫ સુવ્રતાનંદન સુરનરસેવિત, પુરણ પુણ્યે પાયો; પંડિત પ્રેમવિજય સુપસાયે, ભાણવિજય મન ભાયો. લ્યો૦ ૬
TM (૩) શ્રી ધર્મનાથસ્વામી સ્તવન (રાગ-ભીમપલાસ)
દેખો માઈ અજબ રૂપ તેરો, નેહ નયનસે નિતું નિરખત. જન્મ સફલ ભયો મેરો-દેખો૦ ૧ ધર્મ જિનેશ્વર ધર્મનો ધોરી, ત્રિભુવનમાંહી વડેરો; તારક દેવ ન દેખ્યો ભૂતલે, તુમ કોઈ અનેરો. દેખો૦ ૨ જિન તુમકું છોડી ઓરકું ધ્યાવત, કુણ પકડત તસ છેરો; જ્યું કુર્કુટ રોહણગિરિ ઠંડી, શોઘીત લે ઉકેરો. દેખો૦ ૩ પ્રભુ સેવાથી ક્ષાયિક સમકિત, સંગ લહ્યા અબ તેરો, જન્મ જરા મરણાદિક ભમણા, વારત ભવ ભય ફેરો. દેખો૦ ૪ ભાનુ ભૂપ કુલ કમલ વિબોધન, તરણી પ્રતાપ ઘણેરો, જ્ઞાનવિમલ પ્રભુચરણ કમલકી, સેવા હોત સવેરો. દેખો૦ ૫
૧૭૭
Page #209
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૪) શ્રી ધર્મનાથ ભગવાનનું સ્તવન ,
(રાગ-આશાવરી) ધર્મ જિણેસર ધર્મધુરંધર, પૂરણ પૂણ્ય મલિઓ; મન મરૂથલમેં સુરતરુ ફલિઓ, આજ થકી દિન વલિયો. પ્રભુજી મહેર કરી મહારાજ, કાજ હવે મુજ સારો, સાહિબ ગુણનિધિ ગરીબ નિવાજ, ભવદવ પાર ઉતારો. એ આંકણી. ૧ બહુ ગુણવંતા જેહ તેં તાર્યા, તે નહિ પાડ તુમારો; મુજ સરિખો પત્થર જો તારો, તો તુમચી બલિહારો. પ્ર. ૨ હું નિગુર્ણ પણ તાહરી સંગતે, ગુણ લહું તે ઘટમાન; નિંબાદિક પણ ચંદન સંગે, ચંદન સમ લહે તાન. પ્ર૦ ૩ નિર્ગુણ જાણી છેહ મ દેવો, જોવો આપ વિચારી; ચંદ્ર કંલકિત પણ નિજ શિરથી, ન તજે ગંગાધારી. પ્ર૦ ૪ સુવ્રતાનંદન સુવતદાયક, ધારક જિનપદવીનો; પાયક જાસ સુરાસુર કિન્નર, ઘાયક મોહરિપુનો. પ્ર. ૫ તારક તુમ શમ અવર ન દીઠો, લાયક નાથ હમારો; શ્રી ગુરુ ક્ષમાવિજય પય સેવી, કહે જિન ભવજલ તારો. પ્ર૦ ૬
= (૫) શ્રી ધર્મનાથપ્રભુનું સ્તવન
(રાગ-શાંતિ જિનેશ્વર સાચો સાહિબ) ધર્મ જિનેશ્વર મુજ મનડે વસ્યો, રાગ ઉમંગે અંગ સાહિબજી; કાળ પલટો હો રંગ પતંગનો, ચોળનો ન લહે ભંગ સાહિબજી0 ૧. લાખ ગામે દીઠા સુર અભિ નવા, તેહથી ન રાચે ચિત્ત સાહિબજી; માઝો અંતર ગતિનો તું મિલ્યો, મન માનિતો મિત્ત સાહિબજી) ૨. સંભારે વાધે બહુ મોહની, વીસાર્યો કેમ જાય. સાહિબજી; સંચરતા ફિરતા મુજ હિયડલે ખિણ ખિણ બેસે આપ સાહિબજી) ૩. જીવન તો વિણ જપન જીવને, આતમ તુજ ગુણ લીન. સાહિબજી, તપિ તપ કલપે તલફે જીવડો, અલપ જલે જિન મીન. સાહિબજી) ૪. પ્રેમ સંભાળી ટાળી આમળો,
૧૭૮
Page #210
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
વાતલડી પરી કાન. સાહિબજી, કાંતિ કહે કરૂણાનિધિ કરી કૃપા, સેવકને સનમાન. સાહિબજી૦ ૫.
(૬) શ્રી ઘર્મનાથપ્રભુનું સ્તવન .
(રાગ-શી કહું કથની મારી) મૂર્તિ મોહન ગારી રાજ, મૂર્તિ મોહન ગારી; સેવે સુર નર નારી હો રાજ, મૂર્તિ મોહન ગારી; શાન્ત રૂચિ પરમાણુ નિપાઈ, લાગત બહુ જન પ્યારી; જોતાં જાણી આંચું સુધાંજન, ચક્ષુને આનંદકારી. રાજ૦ ૧ વાંછિત પૂરણ સુરતરૂ વેલી, દૂરિત દુઃખ હરનારી; અવર દેવની મૂર્તિ વિકારી, દીઠી ભયાનક ભારી. રાજ૦ ૨ અંગે ઉપાંગે જિનવર પૂજી, જિન પડિમા જયકારી; જે નહિ માને તે ભવ ભમશે, કહું છું સૂત્ર આધારી. રાજ૦ ૩ આપો કેવલ જાગલ પ્રભુ અમને, કરમ ભરમ સબડારી; મોક્ષ મંદિરમાં અમને ચડાવો, દારિદ્ર દોષ વિદારી. રાજ૦ ૪ જગ તારક પ્રભુ પ્રતિમા તારી, શોક સંતાપ હરનારી; ભવોદધિ તારક દુઃખ નિવારક, કલ્યાણ સુખ કરનારી. રાજ0 ૫ જિનવર પ્રતિમા જિનવર સરખી, ઉવવાઈ સૂત્ર મોઝારી; પંચમ કાળમાં પૂર્ણાલંબન, નિર્વાણને આપનારી. રાજ૦ ૬ ધર્મ ધુરંધર ધર્મ જિનેશ્વર, આપોને સુખ અવિકારી; હેત ઘરીને સૂરિ નીતિનો, ઉદય કરો સુખકારી. રાજ૦ ૭
F (૧) શ્રી શાંતિનાથ જિન સ્તવન ,
(તારહો તાર પ્રભુ! મુજ સેવક ભણી-એ દેશી) તાર મુજ તાર મુજ તાર જિનરાજ ! તું, આજ મેં હિ દિદાર પાયો; સકલ સંપત્તિ મિલ્યો આજ શુભદિન વલ્યો, સુરમણિ આજ અણચિંત આયો. તાર૦ ૧
Page #211
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તાહરી આણ હું શેષ પરે શિર વહું, નિરવહું. ભવભળે
ભમતાં ભવ કાનને
તું પ્રભુ ઓળખ્યો દેવબુદ્ધે.
અસ્થિર
દેવના
શત્રુ
આતમરામ
સમરતાં
ચિત્ત શુદ્ધ;
પરે,
ચંદ્રમા
સુરતરુની
સંસારમાં સાર તુજ
દેવ
ને મિત્ર
તુજ સેવ સમભાવે બિરુદ ધારે.
ભક્તવત્સલ સદા
તાહરા ચિત્તમાં દાસબુદ્ધે સદા, વસું એહવી વાત
હું
દૂરે;
વસે,
પણ મુજ ચિત્તમાં તુંહિ જો નિત તો કિશું કીજિયે મોહ ચોરે. તાર૦ તું કૃપાકુંભ ગતદંભ ભગવંત તું, સકલ ભવિલોકને સિદ્ધિ દાતા; ત્રાણ મુજ પ્રાણમુજ શરણ આધાર તું, તું સખા માત ને
અભિરામ
દાસના
૧૮૦
બેહુ
તાર૦
સેવના,
સારે;
ગણે,
તાર૦
દુરિત
નિશદિન
તાત ભ્રાતા. તાર ૫
અભિધાન તુજ,
જાવે;
પેખતાં,
૩
૪
તુજ વદન
નયન
ચકોર
આનંદ
શ્રી વિશ્વસેનકુલ કમલ દિનકર જિશ્યો, મન વસ્યો માત અચિરા મલ્હાયો; શાન્તિજિનરાજ શિરતાજ દાતારમાં, અભયદાની શિરે જગ સવાયો. તા૨૦
લાજ જિનરાજ અબ દાસની તો શિરે, અવાર મોદશ્યુ મોજ પાવે;
તણો,
પંડિતરાય કવિ ધીવિમલ શિષ્યગુણ
જ્ઞાનવિમલાદિ ગાવે.
તાર૦ ८
પાવે. તાર૦ S
૭
Page #212
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ń (૨) શ્રી શાંતિનાથ જિન સ્તવન
સુણ દયાનિધિ ! તુજ પદ પંકજ મુજ મન મધુકર લીનો, તું તો રાત દિવસ રહે સુખ ભીનો, સુણ એ આંકણી. પ્રભુ અચિરામાતાનો જાયો, વિશ્વવસેન ઉત્તમ કુલ આયો; એક ભવમાં દોય પદવી પાયો. સુણ૦ ૧. પ્રભુ ચક્રી જિનપદનો ભોગી, શાંતિ નામ થકી થાય નિરોગી; તુજ સમ અવર નહીં, દુજો યોગી. સુણ૦ ૨. ષટ્ ખંડતણો પ્રભુ તું ત્યાગી, નિજ આતમ ઋદ્ધિ તણો રાગી; તુજ સમ અવર નહીં વૈરાગી. સુણ૦ ૩. વડવીર થયા સંજમધારી, લહે કેવળ દુગ કમળા સારી; તુજ સમ અવર નહીં ઉપકારી. સુણ૦ ૪. પ્રભુ મેઘરથ ભવ ગુણ ખાણી, પારેવા ઉપર કરૂણ આણી, નિજ શરણે રાખ્યો સુખખાણી. સુણ૦ ૫. પ્રભુ કર્મ કટક ભવ ભય ટાળી, નિજ આતમ ગુણને અાવાળી; પ્રભુ પામ્યા શિવવધૂ લટકાળી. સુણ૦ ૬. સાહેબ એક મુજરો માનીજે, નિજ સેવક ઉત્તમ પદ દીજે; રૂપ કીર્તિ કરે તુજ જીવવિજે. સુણ૦ ૭.
૬ (૩) શ્રી શાંતિનાથ જિન સ્તવન (રાગ-સારંગ)
હમ મગન ભયે પ્રભુ ધ્યાનમેં, ધ્યાનમેં ધ્યાનમેં ધ્યાનમેં; હમ મગન બિસર ગઈ દુવિધા તન મનકી; અચિરાસુત ગુન ગાનમેં. હમ૦ ૧. હિર હર બ્રહ્મ પુરંદરકી ઋદ્ધિ, આવત નહિ કોઉ માનમેં; ચિદાનંદકી મોજ મચી હૈ, સમતા રસકે પાનમેં. હમ૦ ૨. ઈતને દિન તૂં નાહિ પિછાન્યો, મેરો જનમ ગયો સો અજાનમેં, અબ તો અધિકારી હોય બૈઠે, પ્રભુ ગુન અખય ખજાનમેં. હમ૦ ૩. ગઈ દીનતા સબહી હમારી પ્રભુ ! તુજ સમકિત દાનમેં; પ્રભુ ગુન અનુભવ રસ કે આગે, આવત નહિ કોઉ માનમેં. હમ૦ ૪. જિન હી પાયા તિનહી છીપાયા, ન કહે કોઉકે કાનમેં; તાલી લાગી જબ અનુભવકી, તબ જાને કોઈતબ જાને કોઈ સાનમેં. હમ૦ ૫. પ્રભુ ગુન અનુભવ ચંદ્રહાસ જ્યાઁ,
૧૮૧
Page #213
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સો તો ન રહે માનમેં, વાચક જસ કહે મોહ અરિ, જીત લીયો મેદાનમેં. હમ૦ ૬.
F (૪) શ્રી શાંતિનાથ જિન સ્તવન 5 શાંતિ જિનેશ્વર સાહિબારે, શાંતિ તણાં દાતાર; સલુણાં અંતર જામી છો માહરા રે, આતમના આધાર. સ. શાંતિ. ૧ ચિત્ત ચાહે પ્રભુ ચાકરી રે, મન ચાહે મળવાને કાજ; નયન ચાહે પ્રભુ નિરખવાં રે, ઘો દરિસણ મહારાજ. સ. શાંતિ ૨. પલક ન વિસરો મન થકી રે, જેમ મોરા મન મેહ, એક પખો કેમ રાખીએ રે, રાજ કપટનો નહ. સ. શાંતિ. ૩. નેહ નજરે નિહાળતાં રે, વાધે બમણો વાન, અખૂટ ખજાનો પ્રભુ તારો રે, દીજીએ વાંછિત દાન. સ. શાંતિ) ૪. આશ કરે જે કોઈ આપણી રે, નવિ મૂકીએ નિરાશ; સેવક જાણીને આપણો રે, દીજીએ તાસ દિલાસ. સ. શાંતિ, ૫. દાયકને દેતાં થકાં રે, ક્ષણ નવિ લાગે વાર; કાજ સરે નિજ દાસના રે, એ ોટો ઉપકાર. સ. શાંતિ૬. એવું જાણીને જગધણી રે, દિલમાંહી ધરજો પ્યાર; રૂપવિજય કવિરાયનો રે, મોહન જય જયકાર. સલુણાં શાંતિ૦ ૭.
= (૫) શ્રી શાંતિનાથ જિન સ્તવન 5 તું પારંગત તું પરમેશ્વર, વાલા મારા તું પરમારથવેદી, તું પરમાતમ તું પુરુષોત્તમ, તુંહિ અોદી અવેદીરે....... મનના મોહનીયા, તાહરી કીકી કામણગારી રે,
જગના સોહનીયા. આંકણી) ૧ યોગી અયોગી ભોગી, વાવ તુંહીજ કામી અનામી; તું અનાથ નાથ સહુ જગનો, આતમ સંપદરામી રે. મ૦ ૨ એક અસંખ્યા અનંત અનુચર, વા૦ અકલ સકલ અવિનાશી; અરસ અવર્ણ અગંધ અફાસી, તુંહી અપાશી અનાશીરે મ૦ ૩
૧૮૨}
Page #214
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ મુખ પંકજ ભ્રમરી પરે અમરી વાવ તુંહી સદા બ્રહ્મચારી; સમવસરણ લીલા અધિકારી, તુંહીજ સંયમધારીરે. મ૦ ૪ અચિરાનંદન અચરિજ એહિ, વાવ કહણી માંહિ ન આવે; ક્ષમાવિજય જિન વયણ સુધારસ, પીવે તેહીજ પાવે રે. મ૦ ૫
–
(૬) શ્રી શાંતિજિન સ્તવન 5 શ્રી શાંતિ જિનેશ્વર સાહિબા, તુજ નાઠે કેમ છુટાગ્યે; મેં લીધી કેડજ તાહરી, તેહ પ્રસન્ન થયે મૂકાયે. શ્રી શાંતિo ૧. તું વીતરાગપણે દાખવી, ભોળા જનને ભૂલાવે, જાણીને કીધી પ્રતિજ્ઞા તેહથી, કહો કુણ ડોલાવે. શ્રી શાંતિ ૨. કોઈ કોઈની કેડે મત પડો, કેડે પડ્યાં આણે વાજ; નીરાગી પ્રભુ પણ ખિંચાયો, ભગતે કરી મેં સાત રાજ. શ્રી શાંતિ૩. મનમાંહી આણી વાસિયો, હવે કેમ નિસરવા દેવાય; જો ભેદ રહિત મુજશું મિલો, તો પલકમાંથી છુટાય. શ્રી શાંતિ. ૪. કબજે આવ્યા કિમ છૂટશો, દીધા વિણ કહણ કૃપાલ; તો શું હઠવાદ લેઈ રહ્યા, કહે માન કરો ખુશીયાલ. શ્રી શાંતિ, ૫.
ક (૭) શ્રી શાંતિનાથ જિન સ્તવન HI હારો મુજરો લ્યોને રાજ, સાહિબ શાંતિ સલૂણા. એ આંકણી અચિરાજીના નંદન તોરે દર્શન હેતે આવ્યો; સમકિત રીઝ કરોને સ્વામી, ભકિત ભેટશું લાવ્યો. હારો, ૧. દુઃખભંજન છે બિરૂદ તમારૂં, અમને આશા તુમારી; તુમે નિરાગી થઈને છૂટો, શી. ગતિ હોશે અમારી. ખારો૦ ૨. કહેશે લોક ને તાણી કહેવું, એવડું સ્વામી આગે; પણ બાળક જો બોલી ન જાણે, તો કેમ વહાલો લાગે. હારો. ૩. હારે તો તું સમરથ સાહિબ, તો કિમ ઓછું માનું ચિંતામણિ જેણે ગાંઠે બાંધ્યું, તેહને કામ કિશ્યાનું. હારો૪. અધ્યાતમ રવિ ઉગ્યો મુજ ઘટ, મોહ તિમિર હર્યું જુગતે; વિમલવિજય વાચકનો સેવક, રામ કહે શુભ ભગતે. હારોપ.
૧૮૩
Page #215
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૮) શ્રી શાંતિનાથજિન સ્તવન
શાંતિ જિનેશ્વર સાચો સાહિબ, શાંતિકરણ ઈન કલિમેં; હો જિનજી. તું મેરા મનમેં, તું મેરા દિલમેં ધ્યાન ધરૂં પલ પલમે સાહેબજી, તું મેરા૦ ૧.
ભવમાં ભમતા મેં દિરસણ પાયો, આશા પૂરો એક પલમેં હો જિનજી. તું મેરા૦ ૨.
નિરમલ જ્યોત વદન પર સોહે, વિકસ્યોજી ચંદ્ર વાદળમેં હો જિનજી. તું મેરા ૩.
મેરો મન તુમ સાથે લીનો, મીન વસે જ્યે જળમેં હો જિનજી. તું મેરા૦ ૪.
જિનરંગ કહે પ્રભુ શાંતિ જિનેશ્વર, દીઠોજી દેવ સકળમેં હો જિનજી. તું મેરા પ.
૬ (૯) શ્રી શાંતિનાથજિન સ્તવન પુ
સુણો શાંતિ જિણંદ સો ભાગી, હું તો થયો છું તુમ ગુણરાગી; તુમે નિરાગી ભગવંત, જોતાં કિમ મળશે તંત. સુ૦ ૧
હું તો ક્રોધ કષાયનો રિયો, તું તો ઉપસમ રસનો દરિયો; હું તો અજ્ઞાને આવરીયો, તું તો કેવલ-કમલા વિરયો. સુ૦ ૨ હું તો વિષયારસનો આશી, તેં તો વિષયા કીધી નીરાશી; હું તો કર્મના ભારે ભર્યો, તેં તો પ્રભુ ભાર ઉતાર્યો. સુ૦ ૩ હું તો મોહતણે વશ પડીયો, તે તો સબળા મોહને હણીયો; હું તો ભવસમુદ્રમાં ખૂંચ્યો, તું તો શિવમંદિરમાં પહોંચ્યો. સુ૦ ૪ મારે જન્મમરણનો જોરો, તેં તો તોડયો તેહનો દોરો; મારો પાસો ન મેલે રાગ, તમે પ્રભુજી થયા વીતરાગ. સુ૦ ૫ મને માયાએ મૂકયો પાશી, તું તો નિરબંધન અવિનાશી; હું તો સકિતથી અધૂરો, તું તો સકલ પદારથે પૂરો. સુ૦ ૬ મારે છો તું હિ પ્રભુ એક, ત્યારે મુજ સરખા અનેક; હું તો મનથી ન મૂકું માન, તું તો માન રહિત ભગવાન. સુ૦ ૭
૧૮૪
Page #216
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
મારૂં કીધું કશું નવિ થાય, તું તો રંકને કરે રાય; એક કરો મુજ મહેરબાની, મારો મુજરો લેજો માની. સુ૦ ૮ એક વાર જો નજરે નીરખો, કરો મુજને તુમ સરીખો; જો સેવક તુમ સરીખો થાશે, તો ગુણ તમારા ગાશે. સુ૦ ૯ ભવો ભવ તુમ ચરણની સેવા, હું તો માંગું છું દેવાધિદેવા; સામું ાઓને સેવક જાણી, એવી ઉદય રતનની વાણી. સુ૦ ૧૦
(૧૦) શ્રી શાંતિનાથ જિન સ્તવન
શાંતિજીનું મુખડું જોવા ભણીજી, મુજ મનડુંરે લોભાય; ચિત્તડું જાણે રે ઉડી મલુંજી, પણ પ્રભુ કેમરે મલાય. શાંતિ૦ ૧ દૈવ ન દીધી. મુજને પાંખડીજી, આવું હું કેમરે હાર; પણ પ્રભુ જાણજો વંદનાજી; આતમરામ સનૂર. શાંતિ ૨ ગજપુરી નગરીનો રાજીઓજી, માતા અચિરાદેવીનાનંદ; જિમરે પારેવડો રાખીયોજી, તિમ પ્રભુ રાખજો નેહ. શાંતિ૦ ૩ મસ્તકે મુગટ સોહામણોજી, કાને કુંડલ શ્રીકાર; બાંહે બાજુબંધ બેરખાજી, કંઠડે નવસરો હાર. શાંતિ૦ ૪ આજ ભલે, ૨ે દિન ઉગીયોજી, દૂધડે વૂઠડા મેહ; વાચક સહજસુંદર તણોજી, નિત્ય લાભ પ્રભુ ગુણ ગેહ. શાંતિ ૫
પુર્વ (૧૧) શ્રી શાંતિનાથ જિન સ્તવન
(રાગ-ભીમપલાસ)
શ્રીશાંતિ જિનેશ્વર દીઠોરે, મારા મનમાં લાગ્યો મીઠો રે, આજ મુખડું એનું જોતાં રે, મારા નયન થયા પનોતાં રે. ૧
જે નજર માંડી એને જોશે રે, તે તો ભવની એહનું રૂપ જોઈ જે જાણે રે, તેને સુરવર એ તો સાહિબ સયાણો રે, મુને લાગે એહશું તાનો રે; એતો શિવસુંદરીનો રસીયો રે, મારાં નયણાં માંહે વસીયો રે. ૩
ભાવઠ ખોશે રે;
સહુ વખાણેં રે. ૨
૧૮૫
Page #217
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મેં તો સગપણ એહશું કીધું રે; હવે સઘલું કારજ સીધું રે; એતો જીવન અંતર જામીરે, નિરંજન એ બહુ નામી રે. ૪ ઘણુંશું એહને વખાણુંરે, હું તો જીવનો જીવન જાણું રે; ઘણું જે એહને મળશેરે, તે તો માણસમાંથી ટળશે રે. ૫ મનડા જેણે એહશું માંડયો રે, તેણે ઋદ્ધિવંત ઘર છાંડયો રે; આગે જેણે એ ઉપસ્યો રે, તેણે શિવસુખ કરતલ વાર્યો રે. ૬ આશિક જે એહના થાયરે, તેણે સંસારમાં ન રેવાય રે; ગુણ એહના જે ઘણાં ગાશે રે, તે તો આખર નિગુર્ણ થાશે રે. ૭ મેં તો માંડી એહ શું માયા રે, મુને ન ગમે બીજાની છાયા રે; ઉદયરત્ન મુનિ એમ બોલેરે, કોઈ નાવે એહની તોલે રે ૮
૬ (૧૨) શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન પુત્ર ચક્રવર્તીની સાહેબી રે, ધરે શિર પર તાજ, ધરે શિર પર તાજ, ચોસઠ સહસ અંતે ઉરી. છોડયા છ ખંડ રાજ છોડ્યા છ ખંડ રાજ શાંતિ જિનેશ્વર સાહિબા. ૧. પારેવો પ્રેમથી બચાવીઓ રે, દેઈ આત્મ બલિદાન; દેઈ૦ પુષ્પ વૃષ્ટિ થઈ તે સમે, કરે સુર યશોગાન, કરે શાંતિ૦ ૨ અચિરાદે ઉરસર હંસલો રે, વિશ્વસેન કુલચંદ. વિશ્વ મુખડું મનોહર જોવતાં, થાએ પરમાનંદ. થાએ૰ શાંતિ૦ ૩. હું છું અવગુણનો ઓરડો રે, તું તો ગુણનો ભંડાર; હું લોહ તું તો પારસમણી, હું દીન તું દાતાર. હું શાંતિ ૫. ચાર ગતિના દુઃખથી રે, જીવ બહુ અકળાય; જીવ૦ શરણે આવ્યો છું તાહરે, કરો સેવકને સહાય. કરો શાંતિ૦ ૫. વડાલી મંડન વિનવું રે, જગ શાંતિ કરનાર, જગ૦ લબ્ધિસૂરિ શિશુ પદ્મને, ભવ સાગરથી તાર. ભવ૦ શાંતિ૦ ૬.
(૧૩) શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન
(રાગ-સુણો શાંતિ જિણંદ) (સાખી)
બે કર જોડી વિનવું, સુણ જિનવર શ્રી શાંતિ; પાપ ખમાવું. આપણાં, જે કીધાં એકાંત.
૧૮૬
Page #218
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
એકાંતે કહું સુણ સ્વામી, હું તો ચરણ તુમારા પામી; મુજ માંહે કપટ છે બોડો, તે સુણતા મન થાય દોલો; તેહથી છોડાવો મુજ તાત, શાંતિનાથ સુણો મોરી વાત. (સાખી)
ભવ અનંત ભમી આવ્યો, ચરણ તુમારા દેવ; જિમ રાખ્યો પારેવડો, તુમ મુજ રાખો નેહ. હવે એમ એકેન્દ્રિય જીવ, દુહત્યા કરતાં અતિ રીવ; લાખ ચોારાશી ભેદ, રાગદ્વેષ પમાડયા ખેદ; મૃષા બોલતાં નાવી લાજ, તો કિમ સરશે આત્મ કાજ; ચોરી ઈણ ભવ પરભવ કીધી, પર રમણીશું દૃષ્ટિ મેં દીધી. (સાખી)
તસ
મધુ બિન્દુ સમ વિષય સુખ, દુઃખ તે મેરૂ સમાન; માનવી મન ચિંતે નહિ, કરતો ક્રોડ અજ્ઞાન. અજ્ઞાનપણે ઋદ્ધિ મેલી, વ્રત વાડી ભલી પરે ઠેલી; હવે વ્હાર કરો પ્રભુ મોરી, રાત દિવસ સેવા કરૂં તોરી; બહુ ગુનહી છું શ્રી શાંતિ, મુજ ટાળો ભવની ભ્રાંતિ; હું તો માંગુ છું અવિચળરાજ, એમ પભણે શ્રી જિનરાજ શાંતિ. ૩
પુ (૧૪) શ્રી શાંતિનાથ પ્રભુનું સ્તવન (રાગ-પાવાગઢથી ઉતર્યા)
સુંદર શાંતિ જિણંદની છબી રાજે છે, પ્રભુ ગંગાજલ ગંભીર કીર્તિ ગાજે છે. ૧. ગજપુર નયન સોહામણું ઘણું દીપે છે, વિશ્વસેન નરિંદનો નંદ કંદર્પ જીપે છે; ૨. અચિરા માતાએ ઉરે ધો` મન રંજે છે, મૃગલંછન કંચન વાન ભાવઠ ભાંજે છે. ૩. પ્રભુ લાખ વરસ ચોથે ભાગે વ્રત લીધું છે, પ્રભુ પામ્યા કેવલ જ્ઞાન કારજ સિધું છે. ૪. ધનુષ ચાલીશની દેહડી તનુ સોહે છે, પ્રભુ દેશના ધ્વનિ વરસંત ભવ ડિબોહે છે. ૫. ભકત વત્સલ પ્રભુતા ભણી જન તારે છે, બુડંતા ભવજલ માંહી પાર ઉતારે છે. ૬. શ્રી સુમતિવિજય ગુરુ નામથી દુઃખ નાસે છે, કહે રામવિજય જિન ધ્યાન નવ નિધિ પાસે છે. ૭.
૧૮૭
૧
૨
Page #219
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા gi (૧) શ્રી કુંથુનાથ જિન સ્તવન BE
(રાગ એક દિન પુંડરિક ગણધરૂ રે લોલ) કુંથ જિનેશ્વર જાણજો રે, મુજ મનનો અભિપ્રાય રે, જિનેશ્વર ! તું આતમ અલવેસરૂ હો લાલ, રખે તુજ વિરહો થાય રે; જિ0 તુજ વિરહો કિમ વેઠીયે હો લાલ, તુજ વિરહો દુઃખદાય રે; જિ0 તુજ વિરહો ન ખમાય રે. જિ૦ ખિણ વરસ સો થાય રે; જિ૦ વિરહો મોહોટી બલાય રે, જિનેશ્વર કુંથુ) એ આંકણી ૧ તાહરી પાસે આવવું રે, પહેલાં નાવે તું દાય રે, જિ0 આવ્યા પછી તો જાવવું હો લાલ, તુજ ગુણ વશે ન સુહાય રે;
જિ0 કુંથ૦ ૨ ન મળ્યનો ધોખો નહિ રે, જસ ગુણનું નહીં નાણ રે, જિ0 મળીયાં ગુણ કળીયા પછી તો લાલ, વિછરત જાયે પ્રાણ. રે.
જિ0 કુંથ૦ ૩ જાતિઅંધને દુઃખ નહીં રે, ન લહે નયનનો સ્વાદ રે, જિ નયણસ્વાદ લહી કરી હો લાલ, હાર્યાને વિખવાદ રે.
જિ૦ કુંથ૦ ૪ બીજે પણ કિહાં નવિ ગમે રે, જિસે તુજ વિરહ વંચાય રે. જિ0 માલતી કુસુમે ખાલીઓ હો લાલ, મધુપ કરીરે ન જાય રે.
જિ૦ કુંથુ ૫ વન દવ દાઝયાં રૂખડાં રે, પલાળે વલી વરસાત રે, જિ0 તુજ વિરહાનલના બળ્યા હો લાલ, કાલ અનંત ગમાત રે.
જિ0 કુંથ૦ ૬ ટાઢક રહે તુજ સંગમેં રે, આકુલતા મિટી જાય રે, જિ0 તુજ સંગે સુખીયો સદા હો લાલ, માનવિજય ઉવજઝાય રે.
જિ૦ કુંથુ૦ ૭
૧૮૮
Page #220
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ ક (૨) શ્રી કુંથુનાથ જિન સ્તવન ક
(રાગ-દેશ મનોહર માલ) કરુણા કુંથુ નિણંદની, ત્રિભુવન મંડળ માંહિ; લલના. પરમેશ પંચ કલ્યાણકે, પ્રગટ ઉદ્યોત ઉછાહ. લલના. ક. ૧. સુરસુત તન પકાયને, રાખે અચિરજ રૂ૫; લ૦ ભાવ અહિંસક રૂપ તણો, એ વ્યવહાર અનૂપ. લ૦ ક૭ ૨. દીધો દુષ્ટ વ્યંતર થકી, છાગ રહ્યો પગ આય; લ૦ પરમ કૃપાળુ પ્રભુ મિલે, કહો કિમ અળગો થાય. લ૦ ક. ૩. શાંત અનુમત વય તણો, લોકોત્તર આચાર; લ૦ ઉદયિક પણ અરિહંતનો, ન ઘરે વિષય વિકાર. લ૦ ક૦ ૪. અસંખ્ય પ્રદેશે પરિણમે અવ્યાબાધ અનંત, લ૦ વાનગી અવની મંડલે, વિહારે ઈતિ શાંત. લ૦ ક. ૫. જગજંતુ જિનવર તણે, શરણે સિદ્ધિ લહંત; લ૦ ક્ષમાવિજય જિન દેશના, જલધર પરે વરસંત. લ૦ ક0 ૬.
(૧) શ્રી અરનાથ જિન સ્તવન અલવેસર અવધારિયેજી, જગતારણ જિનભાણ, ચાહું છું તુજ ચાકરીજી, પણ ન મલે અહિનાણઃ પ્રભુજી છે મુજ તુજશુંરે, પ્રિતિ ઘન ચાતક રીતિ. પ્રભુ૦ ૧ દુશમન કર્મ એ માહરાજી, ન તજે કેડ લગાર; આઠેને આપ આપણોજી, અવર અવર અધિકાર. પ્રભુ૦ ૨ ઘેરી રહે મુજને ઘણુંજી, ન મલે મિલણ ઉપાય; જીવ ઉદાસ રહે સદાજી, કળ ન પડે તિણે કયાંય. પ્રભ૦ ૩ શિર ઉપરે તુમ સરીખોજી, જો છે પ્રભુ જિનરાય; તો કરશું મન ચિંતવ્યુંજી, દેઈ દુશ્મન શિર પાય. પ્રભ૦ ૪ સન્મુખ થઈ મુજ સાહિબાજી, દુશમન દૂર નિવાર; દાનવિજયની વિનંતિજી, અરજિનવર ! અવધાર. પ્રભુ ૫
૧૮૯)
Page #221
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા * F (૨) શ્રી અરનાથ જિનના સ્તવન 5 ઓં તો આણા વહેચાંજી, મેહરાને સાહિબજી,
ઓં તો આણા વહસ્યાંજી-આંકણી. આણા વહસ્યાં ભકિત કરેસ્યાં, રહસ્યાં નયન હજૂર; અરજિન આગળ અરજ કરંતા, લહસ્યાં સુખ મહમૂર. હેં૦ ૧
એકને
ઝંડી
બેને
ખંડી, ત્રણયું તોડી નેહ,
ચાર જણાં શિર ચોટ કરીશું, પણનો આણી છે. હેં. ૨ ૬ ૭ ૮ ૯ ૧૦ છ સાત અડ નવ દશને ટાલી, અજુઆલી અગીયાર;
૧૨
૧૩
બાર જણાનો આદર કરીશું, તેરનો કરી પરિહાર. હેં૦ ૩ ૧૪ ૧૫ ૧૬ ૧૭ ૧૮ ૧૯ પણ અડ નવ દશ સત્તર પાલી, સત્તાવીશ ધરી સાથ;
૨૧ પચવીશ જણસ્ય પ્રીતિ કરીશું, ચાર ચતુર કરી હાથ. હેં૦ ૪ ૨૨ ૨૩ ૨૪ ૨૫ બત્રીશ તેત્રીશ ને ચોરાશી, ઓગણીશ દૂર નિવારી;
૨૦
૨૬
અડતાલીશનો સંગ તજીશું, એકાવન દીલધારી ઓં૦ ૫ ૨૮ ૨૯
૩૦ વિશ આરાધી બાવીશ બાંધી, ત્રેવીશનો કરી ત્યાગ; ચોવીશ જિનનાં ચરણ નમીને, પામશું ભવજલ તાગ. હેં૦ ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાન સ્વરૂપે, તન મન તાન લગાય; ક્ષમાવિજય કવિ પદ કજ મધુકર, સેવક જિન ગુણ ગાય. ડૅ૦ ૭ ૧ અસંયમ, ૨ રાગદ્વેષ, ૩ ત્રણ દંડ, ૪ ચાર કષાય, પ પાંચમિથ્યાત્વ, ૬ છકાયની હિમાં, ૭ સાત ભય, ૮ આઠ મદ, ૯ નવ નિયાણા, ૧૦ કામની દશ અવસ્થા, ૧૧ અગિયાર શ્રાવકની પ્રતિમા, ૧૨ બાર ભાવના, ૧૩ તેર
૧૯૦
Page #222
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
કાઠિયા, ૧૪ પાંચ મહાવ્રત, ૧૫ આઠ પ્રવચન માતા, ૧૬ નવબ્રહ્મચર્યની ગુપ્તિ, ૧૭ દશયતિધર્મ, ૧૮ સત્તર પ્રકારે સંયમ, ૧૯ સત્તાવીશ સાધુના ગુણ, ૨૦ પાંચ મહાવ્રતની પચીશ ભાવના, ૨૧ ચાર મૈત્ર્યાદિભાવના, ૨૨ બત્રીશ સામાયિકના દોષ, ૨૩ તેત્રીશ ગુરુની આશાતના, ૨૪ ચોરાશી જિન મંદિરની આશાતના, ૨૫ ઓગણીશ કાઉસ્સગ્ગના દોષ, ૨૬ અડતાલીશ તિર્યંચના ભેદ, ૨૭ એકાવન જ્ઞાનના ભેદ, ૨૮ વીશસ્થાનક, ૨૯ બાવીશ પરિસહ, ૩૦ પાંચ ઈન્દ્રિયના ત્રેવીશ વિષય.
૬ (૩) શ્રી અરનાથ ભગવાનનું સ્તવન
શ્રી અરનાથજી સાંભળો, સેવકની અરદાસ; ભવ અટવીમાં હું ભમ્યો, બંધાણો મોહપાસ. શ્રી ૧
મોહ રાજાના રાજયમાં, બહુલું કટક જણાય; મિથ્યા મ્હેતો તિહાં અછે, મંત્રી કુબુદ્ધિ કહાય. શ્રી૦ ૨
અભગા સિપાઈ અતિ ઘણાં, કહેતાં નાવે પાર; તો પણ અધિકારી તણાં, નામ કહું નિરધાર. શ્રી ૩
ક્રોધ માયાલોભ માન તે, મૂકે ન મારો સંગ; મુજ પણ છે તે વહાલા, વિ મૂકું રંગ. શ્રી ૪ રાગદ્વેષ દોય મલ્લ મળી, બાંધ્યો બાહ્ય મરોડ; હવે પ્રભુ તુમ આગળ રહી, વિનંતિ કરૂં કર જોડ. શ્રી૦ ૫
ભવ બંધનમાંથી છોડાવો, ઉતારો ભવપાર; હરિહર દેવ સેવ્યાં ઘણાં, નવિ પામ્યો હું સાર. શ્રી ૬
સહસ્ત્ર વદન ન સ્તવી શકે, તુજ ગુણ અગમ અપાર; જિમ રયણાયર રત્નનો, નવિ વલસે પાર. શ્રી૦ ૭
આચારજ પંડિત તણા, સત્યવિજય ગુરુરાય; કપૂરવિજય તસ પાટવી, વિજનને સુપસાય. શ્રી૦ ૮ ખીમાવિજય તસ પાટવી, જિનવિજય સુપસાય; પંડિત ઉત્તમવિજયનો, પદ્મવિજય ગુણગાય. શ્રી૦ ૯
૧૯૧
Page #223
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૧) શ્રી મલ્લિનાથનું સ્તવન H
(રાગ-વિહરમાન ભગવાન સુણો) મનમોહનજી મલ્લિનાથ, સુણો મુજ વિનતિ; હું તો બૂડ્યો ભવોદધિ માંહ્ય, પીડયો કર્મે અતિ. મન૦ ૧
જ્યાં જ્યાં અધર્મ કેરાં કામ, તેમાં બહુ હરખીયો; ધર્મ કાજમાં ન દીધું ધ્યાન, માર્ગ નવિ પરખીયો. મન૦ ૨ દુર્ગુણે ભર્યો રે હું બાલ, સુગુણ ગણ નવિ રમ્યો; મોહ મચ્યો સદા કાળ, હર્ષના ફંદે ફર્યો. મન૦ ૩ છલ કરીને ઘણું દગાબાજ, દ્રવ્યને મેં સંચીયા; જુઠું લવી મુખ વાત, લોકોના મન હર્યા મન૦ ૪ પતિત પામર રંક જે જીવ, તેને છેતર્યો બહુ; પાપે કરી પિંડ ભરાય, કથા કેટલી કહું. મન૦ ૫ પ્રભુ તાહરો ધર્મ લગાર, મેં તો નવિ જાણ્યો; મેં તો ઉથાપી તુજ આણ, પાપે ભર્યો પ્રાણીઓ. મન૦ ૬ શુદ્ધ સમકિત તાહરૂ જેહ, તે મનથી ન ભાવિયું શંકા કંખા વિતિગિચ્છા, માંહ્ય પાખંડે પકાવિયું. મન૦ ૭ તકસીરો ઘણી મુજ નાથ, મુખે નવી ગણી શકું કરો માફી ગુના જગભ્રાત, કહી કેટલા બકું. મન૦ ૮ રીઝ કરીને ગણું જગનાથ, ભવપાશ તોડીએ; શરણે રાખી મહારાજ, પછી કેમ છોડીએ. મન૦ ૯ મળીયા વાચક વીર સુજાણ, વિનયની આ વારમાં જેથી ટળીયા કુમતિના ફંદ, પ્રભુજી દેદારમાં. મન, ૧૦
૬ (૨) શ્રી મલ્લિનાથજિન સ્તવન ,
(રાગ-જીરે સફલ દિવસ થયો આજનો) જીરે મહિમા મલ્લિ નિણંદનો, માની માહરે મન્ન; મોહ મહિપતિ જીતીઓ, વલી તસ પુત્ર મદન્ન. નિ૦ ૧
૧૧૯૨=
૧૯૨
Page #224
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
નિત નમીયે રે નીરાગતા, નમતાં હોય ભવછે; દુઃખ દોહગ દૂર ટલે એહમાં નહિ સંદેહ, જાણોનિસંદેહ. નિ૦ ૨ જીરે મલિ નિણંદની સાહેબી, દેખીને રતિ પ્રીતિ; વચન કહે નિજ કંતને, પતિ પ્રેમદાની રીતિ. નિ. ૩ જીરે નાથ કહો એકુણ અછે, કહે એ જિનદેવ; જિન તે કિમ તુમ વસ નહિ, કહે એમ સત્યમેવ. નિ. ૪ જીરે નહિ પ્રતાપ ઈહાં માહરો, તો વૃથા પૌરુષ તુજ; હરખ્યો મોહ માહરો પિતા, તો શ્યો આશરો મુજ. નિ૦ ૫ જીર તે સાંભળી રતિપ્રીતિ બે, ત્રીજો કામ સબાણ; મલીને મલ્લિ નિણંદની, શીર ધારી છે આણ. નિ૦ ૬ જીરે તે માટે તુમ વિનવું, વારો તેહ અશેષ; ઘો સૌભાગ્ય સ્વરૂપને, સુખ લબ્ધિ વિશેષ. નિ૭
૬ (૩) ભોંયણીજી મંડન શ્રી મલ્લિનાથ
જિન સ્તવન BE જિનરાજા તાજા મલ્લિ બિરાજે ભોયણી ગામમે. ટેક. દેશ દેશ કે જાત્રુ આવે, પૂજા સરસ રચાવે; મલિ જિનેશ્વર નામ સમરકે, મન વાંછિત ફલ પાવેજી. જિન૦ ૧ ચતુરવરણકે નરનારી મિલ, મંગલ ગીત કરાવે; જય જયકાર પંચ ધ્વનિ વાજે, શિર પર છત્ર ધરાવેજી. જિન૦ ૨ હિંસક જન હિંસા તજી પૂછે, ચરણે શીશ નમાવે; તૂ બ્રહ્મા તું હરિ શિવશંકર, અવર દેવ નવિ ભાવેજી. જિન) ૩ કરુણારસ ભરે નયન કોલે, અમૃત રસ વરસાવે; વદનચંદ ચકોર ક્યું નિરખી, તન મન અતિ ઉલસાવેજી. જિન) ૪ આતમરાજા ત્રિભુવન તાજા, ચિદાનંદ મન ભાવે; મલિજિનેશ્વર મનહર સ્વામી, તેરા દરસન સુહાવેજી. જિન૫
૧૯૯
Page #225
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૪) શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન 5 મલ્લિનાથ પ્રભુ નામ તારું સાચું, તુજ સેવા વિણ સર્વ અન્ય કાચું; હવે પાપમાં કદી ન રાચું માચું. મલ્લિ૦ ૧. આપે ક્રોધ માન માયા લોભ જીત્યા, હું તો તેહથી ફસાણો સુણો પિતા; દુઃખ ભોગવું ઘણા જ કાળ વીત્યા. મલ્લિ૦ ૨. એક એક પ્રદેશ અનેક વાર, જન્મ મરણ કર્યા મેં અનંત વાર; પંચમી ગતિના આપ છો આધાર. મલ્લિ૦ ૩. ઘણી વખત મૂળા ભાવથી વેચાણો, ભસ્મ જેમ વગર કિંમતે દેવાણો; જન મુખથી હું નગુણો કેવાણો મલ્લિ૦ ૪. મુજ ઉપર કરી કર્મ દ્રષ્ટિ વાંકી, શુભ સ્થાનકેથી કાઢ્યો મને હાંકી; દુઃખ દેવામાં ન રાખી મને બાકી. મલ્લિ૦ ૫. નારકીપણામાં હું ઘણો વિંધાણો, પરાધિનપણું તિરિય ગતિ જાણો; ગતિ ચાર માં ઘણુંજ ઘવરાણો. મલ્લિ૦ ૬. હવે આશરો લીધો છે મેં તમારો, દુઃખ દુર્ગતિના ભયથી મને વારો; દયા લાવી પ્રભુ અર્જ ઉર ધારો. મલ્લિ૦ ૭. કૃપા સિંધુ ભવ પાથોધિથી તારો તુમ વિણ પ્રભુ મુજ એકે નથી આરો; સૂરિ નીતિનો ઉદય કરોને સારો. મલ્લિ૦ ૮.
(૫) શ્રી મલ્લિનાથ પ્રભુનું સ્તવન કા મલ્લિ જિન સ્વામી, આવ્યો તમારા દરબારમાં; કાલ અનંતો ભૂલ્યો રૂલ્યો, ગતિ નિગોદ મઝારી; શ્વાસ માંહિ ભવ સત્તર કીધાં, દીઠી ન સુખની બારી રે. મલિ૦ ૧ નદી ઘોલના ન્યાય પથ્થર જેમ, ઘોલ મોલ હો જાવે; તેમ અકામે કર્મ ઝરતાં, વ્યવહાર પદ પાવે રે. મલિ૦ ૨ પૃથ્વી પાણી તેઉ વાલ, વનસ્પતિમાં રૂલ્યો; ત્યાંથી થોડા પુણ્ય ઉદયથી, વિકસેંદ્રિયમાં ભળીયો રે. મલિ૦ ૩ ત્યાં પણ ટાઢ તડકા આદિ, વેઠી દુઃખ અપાર; શાંત સ્વભાવે પુણ્ય થવાથી, પંચેદ્રિય અવતાર રે. મલ્લિ૦ ૪ ગાડે જોડ્યો એકે જોડ્યો, આડે તોડ્યો ચામ; કષ્ટ સહ્યાથી હલકો થઈ હું, પામ્યો વર નર ધામ રે. મલ્લિ૦ ૫
૧૯૪F
૧૯૪
Page #226
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
આર્ય ક્ષેત્રે શ્રાવક કુલે, પુણ્ય ઉદય હું આયો; અઢી વરસની બાલ ઉંમરમાં, દરબાર તુમ પાયો રે. મલ્લિ૦૬ ઠાઠ માઠ ને ઠપકો દેખી, અચરજ હું તો હોતો; દરબાર રૂપ જે હવે સમજ્યો, ત્યારે સમજ્યો નહોતો. મલ્લિ૦ ૭
સ્વરૂપ સમજી હાજર હોવે, તે લહે ઉત્તમ ધ્યાન; આત્મ લબ્ધિ શુદ્ધ વરીને, પામે પદ નિરવાણ રે. મલ્લિ૦ ૮
૬ (૧) શ્રી મુનિસુવ્રતસ્વામીજિન સ્તવન (રાગ-ઈડર આંબા આંબલી રે)
મુનિસુવ્રત કીજે મયા રે, મનમાંહી ધરી મહેર; મહેર વિણા માનવી રે, કઠિણ જણાયે કહેર. જિનેશ્વર ! તું જગનાયક દેવ, તુજ જગહિત કરવા ટેવ. જિને૦ ૧
અરટ્ટ ક્ષેત્રની ભૂમિકા રે, સિંચે કૃતારથ હોય; ધારાધર સઘળી ધરા રે, ઉદ્ઘરવા સજ્જ જોય. જિને૦ ૨
તે માટે અશ્વ ઉપરે રે, આણી મનમાં મહેર; આપે આવ્યા આફણી રે, બોધવા ભરુચ્છ શહેર. જિને૦ ૩ ઉદ્ધર્યા, આપે કરી ઉપાય;
અણપ્રારથતા
પ્રારથતા રહે વિલવતા રે, એ કુણ કહીયે ન્યાય? જિને૦ ૪
સંબંધ પણ તુજ મુજ વિચે રે, સ્વામી સેવક ભાવ; માન કહે હવે મહેરનો રે, ન રહ્યો અજર પ્રસ્તાવ. જિને૦ ૫
(૨) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન
(રાગ-પ્રભુજી મુજ અવગુણ મત દેખો)
મુનિસુવ્રત મન મોહ્યું મારૂં,
શરણ હવે છે તમારૂં રે, પ્રાતઃ સમયે હું જ્યારે જાગું; સ્મરણ કરૂં છું તમારૂં, હો જિનજી તુજ મૂર્તિ મનહરણી, ભવસાયર જલ તરણી. હોજિનજી તુજ મૂર્તિ∞ ૧
૧૯૫
Page #227
--------------------------------------------------------------------------
________________
———
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આપ ભરોસો આ જગમાં છે, તારો તો ઘણું સારું; જન્મ જરા મરણો કરી થાક્યો, આશરો લીધો છે મેં તારો.
હો જિનજી૦ ૨ ચું ચું ચું ચીડીયા બોલે, ભજન કરે છે તમારું મૂર્ખમનુષ્ય પ્રમાદ પડ્યો રહે, નામ જપે નહિ તારું,
હો જિનજી૦ ૩ ભેળા થતાં બહુ શોર સુણું હું, કોઈ હસે રૂવે કોઈ ચારૂં રે; સુખીઓ સુવે દુઃખીયો રૂવે રે, અકલગતિએ વિચારૂં.
હો જિનજી૦ ૪ ખેલ ખલકના બધા નાટકો, કુટુંબ કબીલો હું જાણું જયાં સુધી સ્વાર્થ ત્યાં સુધી સર્વે, અંત સમયે સહુ જાડું.
હો જિનજી૦ ૫ માયાજાળતણી જોઈ જાણી, જગત લાગે છે ખારૂં, ઉદયરત્ન કહે એમ પ્રભુ તારૂં, શરણું ગ્રહ્યું છે તમારું.
હો જિનજી તુજ મૂર્તિ મનહરણી. ૬ ક (૩) શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તવન ક
(રાગ-દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ) મુનિસુવ્રત હો પ્રભુ મુનિસુવ્રત મહારાજ, સુણજો હો પ્રભુ સુણજો સેવકની કથા છે; ભવમાં હો પ્રભુ ભવમાં ભમીયો હું જેહ, તુમને હો પ્રભુ તુમને તે કહું છું કથા જી. ૧ નરકે હો પ્રભુ નરકે નોંધારો દીન, વસીયો હો પ્રભુ વસીયો તુમ આપ્યા વિનાજી; દીઠાં હો પ્રભુ દીઠાં દુઃખ અનંત, વેઠી હો પ્રભુ દીઠાં દુઃખ અનંત વેઠી હો પ્રભુ વેઠી નાનાવિધ વેદના જી. ર તિમ વલી હો પ્રભુ તિમ વલી તિર્યંચમાંહી, જાલિમ હો પ્રભુ જાલિમ પીડા જે સહી જી;
—
—
—
—
દાઇ છે પ્રભાનાવિધ
૧૯૬
Page #228
--------------------------------------------------------------------------
________________
- સ્તવન વિભાગ તું હી હો પ્રભુ તુંહી જ જાણે તેહ, કહેતાં હો પ્રભુ કહેતાં પાર પામુ નહિ જી. ૩ નરની હો પ્રભુ નરની જાતિમાં જેહ, આપદા હો પ્રભુ આપદા કેમ જાયે કથી જી; તુજ વિણ હો પ્રભુ તુજ વિણ જાણણહાર, તેહનો હો પ્રભુ તેહનો ત્રિભુવન કો નથી જી. ૪ દેવની હો પ્રભુ દેવની ગતિ દુઃખ દીઠ, તે પણ હો પ્રભુ તે પણ સમ્યક્ તું લહે જી; હોજો હો પ્રભુ હોજો તુમશે નેહ, ભવોભવ હો પ્રભુ ભવોભવ ઉદરતન કહે છે. ૫ NE (૪) શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન | શ્રી મુનિસુવ્રત સાહિબા રે, તુજ વિના અવર કો દેવ; નજરે દીઠાં નવિ ગમે રે, કિમ કરીએ તસ સેવ.
જિનેશ્વર ! મુજને તુજ આધાર. નામ તમારું સાંભરે રે, શ્વાસમાંહે સો વાર. જિનેશ્વર૦ ૧ નિરખ્યા સુર નજરે ઘણા રે, તેહશું ન મિલે તાર; તારો તાર મિલ્યા પખે રે, કહો કિમ વાધે પ્યાર. જિને૦ ૨ અંતર મન મિલ્યા વિના રે, ન ચઢે પ્રેમ પ્રમાણ; પાયા વિના કિમ સ્થિર રહે રે, મોટા ઘર મંડાણ. જિને૦ ૩ મૂરતિ તાહરી જોવતા રે, ઉલસે નજર ન આપ; તેહવા શું જે પ્રીતડી રે, તે સામો સંતાપ. જિને ૪ તિણે હરિહરાદિ સુર પરિહરી રે, મન વસી તાહરી સેવ; દાનવિજય તુમ દરિશને રે, હરખ હોય નિત્યમેવ. હો જિને૦ ૫
(૫) શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન
(રાગ-અભિનંદન જિન દરિસણ તરસીયે) શ્રી મુનિસુવ્રત જિન વીસમા, વિસમીયા મન માંહિજી; કોઈક શુભ મહુરત આવી વસ્યા, વીસ વીસા ઉછાંતિજી. ૧
૧૯૭
Page #229
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનુભવ જાગ્યો જ્ઞાન દશા તણો, પર પરિણતી ગઈ દૂરજી; વિષ સમ વિષયતણાં ફળ જાણીયાં, શ્રદ્ધા પરિમલ પૂરજી. ૨ ઈત્યાદિક ગુણ પ્રગટે પ્રભુ થકી, અવર ન આવે દાયજી; ચંપક તરૂ તળે જે રતિ પામ્યા, આઉલ તસ ન સહાયજી. ૩ જે સુગુણશું મનડું વધ્યું તે ન કરે નિગુણ સંગજી; હંસા છિલ્લર સર નવિ આદરે, છોડી ગંગ તરંગજી. ૪ જણ જણ સાથે પ્રીત કરે ઘણી, તે કોઈ ન આવે દાયજી; જ્ઞાન વિમલ પ્રભુ પામ્યાથી હોવે, સેવક વંછિત થાય. ૫
૬ (૧) શ્રી નમિનાથ જિન સ્તવન 5
| (રાગ-સમદમ ગુણના આગરૂં જી) એકવીશમા જિન આગળજી, અરજ કરૂં કરજોડ; આઠ અરિએ મુજ બાંધીજી, તે ભવબંધન તોડ,
પ્રભુ પ્રેમ ધરીને અવધારો અરદાસ. ૧ એ અરિથી અલગા રહ્યાજી, અવર ન દીસે દેવ; તો કિમ તેહને જાચીયેજી, કિમ કરું તેહની સેવ. પ્રભુ) ૨ હાસ્ય વિલાસ વિનોદમાંજી, લીન રહે સુર જે; આપે અરિગણ વશ પડ્યાજી, અવર ઉગારે કિમ તેહ. પ્રભુ ૩ છત હોય તિહાં જાચીયેજી, અછતે કિમ સરે કાજ યોગ્યતા વિણ જાચતાજી, પોતે ગુમાવે લાજ. પ્રભ૦ ૪ નિશ્ચય છે મન માહરેજી, તુમ થી પામીશ પાર; પણ ભુખ્યો ભોજન સમેજી, ભાણે ન ટકે લગાર. પ્રભુ ૫ તે માટે કહ્યું તુમ ભણીજી, વેગે કીજે સાર; આખર તુમહીજ આપશોજી, તો શી કરો હવે વાર. પ્રભુ૦ ૬ મોટાના મનમાં નહિંજી, અરથી ઉતાવળો થાય; ખીમાવિજય ગુરુ નામથી, જગ જસ વાંછિત પાય. પ્રભુ) ૭
૧૯૮
Page #230
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
૬ (૨) શ્રી નમિનાથ જિન સ્તવન (રાગ-વિહરમાન ભગવાન સુણો મુજ) પરમરૂપ નિરંજન, જનમનરંજણો, ભક્તવજીલ ભગવંત, તું ભવભયભંજણો, જગત જંતુ હિતકારક, તારક જગધણી, તુજ પદ પંકજ સેવ, હેવા મુજને ઘણી. આવ્યો રાજહજુર પૂરવ ભગતિ ભરે, આપો સેવના આપ, પાપ જિમ સવિ ટલે; તુમ સરિખા મહારાજ, મેહેર જો વિ કરે, તો અમ સરિખા જીવના, કારજ કિમ સરે. ૨
૧
જગતારક જિનરાજ, બિરૂદ છે તુમ તણો, આપો સમિકત દાન, પરાયા મત ગણો; સમરથ જાણી દેવ, સેવના મેં કરી, તુંહિજ છે સમરથ, તરણ તારણ તરી. મૃગશિર સિત એકાદશી, ધ્યાન શુક્લ ધરી, ઘાતિકરમ કરી અંત કે, કેવલશ્રી વરી; જગનિસ્તારણ કારણ, તીરથ થાપીયો, આતમ સત્તા ધર્મ ભવ્યને આપીયો. ૪ અમવેળા કિમ આજ, વિલંબ કરી રહ્યા, જાણો છો મહારાજ, સેવકે ચરણો ગ્રહ્યા; મન માન્યા વિના માહરૂં, નવિ છોડું કદા, સાચો સેવક તેહ જે, સેવ કરી સદા. કહાવો શું ઘણું, આપો ચિદાનંદદાન, જનમ સલો ગણું; જિન ઉત્તમ પણ પદ્મ, વિજય પદ દીજીયે, રૂપવિજય કહે સાહિબ, મુજરો લીજીયે. Ç
વપ્રામાત સુજાત,
૧૯૯
૫
Page #231
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩) શ્રી નમિનાથજી પ્રભુનું સ્તવન (રાગ-મુનિવર પરમ દયાલ ભવિયા)
શ્રી નમિનાથ જિણંદને રે, ચરણ કમલ લય લાય; મૂકી આપણી ચપળતા રે, તુચ્છ કુસુમ મત જાય રે; સુણ મન મધુકર માહરી વાત, મ કરો ફોગટ વિલોપાત. સુ૦ ૧ વિષમકાળ વરષા રૂતુ રે, ક્રમે ક્રમે હુઓ વ્યતીત; છેલ્લો પુદ્ગલ પરિયટ્ટી રે, આવ્યો શરદ શું પ્રતીત રે. સુ૦ ૨
જ્ઞાન વરણ વાદળ ફીટે રે, જ્ઞાન . સુરજ પ્રકાશ; ધ્યાન સરોવર વિકસ્યાં રે, કેવલ લક્ષ્મી વાસ રે. સુ૦ ૩ નામે લલચાવે કોઈ રે, કોઈક નવ નવ રાગ; એહની વાસના નહિ બીજે રે, શુદ્ધ અનુભવ શું પરાગ રે. સુ૦ ૪
ભમતા ભ્રમર કહાવી એ રે, મધુકર રસ આસ્વાદ; માન વિજય મનને કહે રે, રસ ચાખો આલ્હાદ રે. સુ૦ ૫
૬ (૪) શ્રી નમિનાથ પ્રભુનું સ્તવન
મદવારી નમિનાથ જિનેશ્વર વંદીયે લલના, ભવ અનેકનાં સંચિત પાપ નિકંદીયે લલના; જીત્યાને શરણે જીત લહી જે એ ન્યાય છે લલના. રિપુ જિત્યાનો એ પણ એક ઉપાય છે લલના. ૧. દ્રવ્ય શત્રુ જેણે ગર્ભ થકી સ્હેજે દમ્યા લલના, માન મુકીને તે સઘલા આવી નમ્યા લલના, નામ નમી ઈમ સાર્થક મનમાં ધ્યાઈએ લલના, તો મન વાંછિત ઈહ પરભવ સુખ પાઈયે લલના. ૨. જીવ કર્મ નો વૈર અનાદિ નિબદ્ધ છે લલના, કિહાં એ જીવ કિહાં કર્મ સમર્થ સનદ્ધ છે લલના; ગો સ્તનતી પય ખાણથી કનકોપલ કરે લલના, મલ્યા આવ્યા પણ તાસ વિભાગ અગ્નિ હરે લલના. ૩. તિમ પ્રભુ સમકિત લાભથી પંડિત વીર્યને લલના, ધારીવારી પ્રમાદ ધરી મન ધૈર્યને લલના; જીતી ભાવ વિપક્ષ સ્વપક્ષ વિચારીને લલના, સર્વઘાતિ દેશ ઘાતિ અઘાતિ નિવારીને લલના. ૪. લાધો કેવલ યુગલ નિધાન સુભૂકિતનો
૨૦૦
Page #232
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
લલના, જિનપદ ભોગ સંયોગ મિલાપ વિમુકિતનો લલના, ઈમ બહિરંતર શત્રુ નમાવી નમિજિને લલના, દાખ્યો રિપુજય ભેદ તે જાણ્યો ભવિજને લલના. ૫. ધર્મદ્ધિવિધ ઈમ સંઘ ચતુર્વિધ સાંભળે લલના, ભદ્ર દર્શન કેઈ દેશ સર્વ વીર તે લલના, જેમ તુમે જીત્યારે તેમ જીતાવો માહરા લલના, કહે સ્વરૂપ હવે ચરણ શરણ છે તાહરા લલના. ૬.
(૧) શ્રી નેમિનાથનાં સ્તવનો
નિરખો નેમિ જિણંદને-અરિહંતાજી, રાજીમતિ કર્યો ત્યાગભગવંતાજી; બ્રહ્મચારી સંયમ ગ્રહ્યો. અરિ અનુક્રમે થયા વીતરાગ. ભગ૦ ૧. ચામર ચક્ર સિંહાસન-અરિ, પાદપીઠ સંયુકત-ભગ; છત્ર ચાલે આકાશમાં-અરિ૦, દેવદુન્દુભિ વર યુત્ત ભગ૦ ૨. સહસ જોયણ ધ્વજ સોહતો-અરિ, પ્રભુ આગળ ચાલંત-ભગ૦; કનક કમળ નવ ઉપરે-અરિ૰, વિચરે પાય ઠવંત. ભગ૦ ૩. ચાર મુખે દીયે દેશના અરિષ્ઠ ત્રણ ગઢ ઝાકઝમાલભગ; કેશરોમ શ્મશ્રુ નખા-અરિ૰ વાધે નહિ કોઈ કાલ ભગત ૪. કાંટા પણ ઉંધા હોવે-અરિ, પંચવિષય અનુકૂલ-ભગ૦; ષૠતુ સમકાલે ફળે અરિ, વાયુ નહિ પ્રતિકૂલ-ભગ૦ ૫. પાણી સુગંધ સુર કુસુમની-અરિ, વૃષ્ટિ હોય સુરસાલ ભગ૦ પંખી દીયે સુપ્રદક્ષિણા-અરિ૦, વૃક્ષ નમે અસરાલ-ભગ૦ ૬. જિન ઉત્તમ પદ પદ્મની-અરિ સેવ કરે સુર કોડી-ભગ૦, ચાર નિકાયના જધન્યથી-અરિ૦, ચૈત્ય-વૃક્ષ તેમ જોડી-ભગ૦ ૭.
(૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
પરમાતમ પૂરણકલા, પૂરણ ગુણ હો પૂરણ જન આશ; પૂરણ દૃષ્ટિ નિહાળીએ, ચિત્ત ધરીએ હો અમચી અરદાસ.
પરમા૦ ૧
સર્વ દેશ ઘાતિ સહુ અઘાતી હો કરી ઘાત વાસ કીયો શિવમંદિરે, મોહે વિસરી હો ભમતો
૨૦૧
દયાળ ! જગ જાળ.
પરમા૦ ૨
Page #233
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જગતારક પદવી લહી, તાર્યા સહિ હો અપરાધી અપાર; તાત! કહો મોહે તરતાં, કિમ કીની હો ઈણ અવસર વાર?
પરમા૦ ૩ મોહ મહામદ છાકથી, હું છકિયો હો નવિ સુદ્ધિ લગાર; ઉચિત સહિ ઈણે અવસરે, સેવકની હો કરવી સંભાળ.
પરમા૦ ૪ મોહ ગયે જો તારશો, તિણ વેલા હો કહાં ઉપગાર? સુખવેળા સજ્જન ઘણાં, દુઃખ વેળા વિરલા સંસાર.
પરમા૦ ૫ પણ તુમ દરિશણ યોગથી, થયો હૃદયે હો અનુભવ પ્રકાશ; અનુભવ અભ્યાસી કરે, દુઃખદાયી હો સહુ કર્મ નિરાશ.
- પરમા૦ ૬ કર્મકલંક નિવારીને, નિજ રૂપે હો રમે રમતા રામ; લહત અપૂરવ ભાવથી, ઈણ રીતે હો તુમ પદ વિશરામ.
પરમા૦ ૭ ત્રિકરણ-યોગે વિનવું, સુખદાયી હો શિવાદેવીના નંદ! ચિદાનંદ મનમેં સદા, તુમે આપો હો પ્રભુ! નાણદિણંદ
પરમા૦ ૮ ન (૩) શ્રી નેમિનાથ જિન સ્તવન 5. મેં આજ દરિસણ પાયા, શ્રી નેમિનાથ જિનરાયા. પ્રભુ શિવાદેવીના જાયા, પ્રભુ સમુદ્રવિજય કુલ આયા, કર્મો કે ફંદ છોડાયા, બ્રહ્મચારી નામ ધરાયા, જીને તોડી જગતની માયા. જીને, મેં૦ ૧ રેવતગિરી મંડન રાયા, કલ્યાણક તીન સોહાયા, દીક્ષા કેવલ શિવરાયા, જગતારક બિરૂદ ધરાયા, તુમ બેઠે ધ્યાન લગાયા. તુમ૦ ૨. અબ સુનો ત્રિભુવન રાયા. મેં કર્મો કે વશ આયા, મેં ચતુર્ગતિ ભટકાયા, મેં દુઃખ અનંત પાયા, તે ગીનતી નહિ ગણાયા. તે ગીન, મેં૦ ૩. મેં ગર્ભવાસમેં આયા, ઊંધે મસ્તક લટકાયા, આહાર અરસ વિરસ ભુકતાયા, એમ અશુભ
૨૦૨
Page #234
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
કરમ ફલ પાયા; ઈણ દુ:ખસે નાહીં મુકાયા, ઈણ૦ મેં૦ ૪. નરભવ ચિંતામણિ પાયા, તબ ચાર ચોર મીલ આયા, મુજે ચૌટેમેં લૂંટ ખાયા, અબ સાર કરો જિનરાયા, કિસ કારણ દેર લગાયા. કિસ૦ મેં૦ ૫. જિણે અંતરગતમેં લાયા, પ્રભુ નૈમિ નિરંજન ધ્યાયા, દુઃખ સંકટ વિઘન હટાયા, ને પરમાનંદ પદ પાયા, ફિર સંસારે નહિ આયા. ફિર૦ મેં૦ ૬. મેં દૂર દેશસેં આયા, પ્રભુ ચરણે શીષ નમાયા, મેં અરજ કરી સુખદાયા, તુમે અવધારો મહારાયા, એમ વીરવિજય ગુણ ગાયા. એમ૦ મેં૦ ૭.
× (૪) શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન પૂર્વ સહસાવન જઈ વસીયે, ચાલોને સખી સહસાવન જઈ વસીએ. ઘરનો ધંધો કબુઅ ન પૂરો, જો કરીએ અહોનિશિ એ; પીયરમાં સુખ ડિય ન દીઠું, ભય કારણ ચશિએ. ચાલો૦ ૧ નાથ વિહુણા સયલ કુટુંબી, લજ્જા કિમિ ન પસીએ; ભેગા જમીએ ને નજર ન હિંસે, રહેવું ઘોર તમસીએ. ચાલો૦ ૨ પિયર પાછળ છળ કરી મેલ્યું, સાસરીએ સુખ વસીએ; સાસુડી તે ઘર ઘર ભટકે, લોકને ચટકે ડસીએ. ચાલો૦ ૩ કહેતા સાચું આવે હાંસું, ભુશીએ મુખ લેઈ મશીએ; કંત અમારો બાળો ભોળો, જાણે ન અસિ મિસ કસીએ. ચાલો ૪ જુઠા બોલી કલહણ શીલા, ઘર ઘર જૂની જ્યું મસીએ; એ દુઃખ દેખી હઈડું મુંઝે, દુર્જનથી દૂર ખસીયે. ચાલો૦ ૫ રૈવતગિરિનું ધ્યાન ન ધર્યું, કાળ ગયો હસમસીયે; શ્રી ગિરનારે ત્રણ કલ્યાણક, નેમિ નમન ઉલ્લુસીએ. ચાલો૦ ૬ શિવ વરશે ચોવીશ જિનેશ્વર, અનાગત ચઉવીસીએ; કૈલાસ ઉજ્જયંત રૈવત કહીએ, શરણગિરિને ફરસીએ. ચાલો૦ ૭ ગિરનાર નંદભદ્ર એ નામે, આરે આરે છ બ્રવીશીએ; દેખી મહીતલ મહિમા મોટો, પ્રભુ ગુણ જ્ઞાન વરસીયે. ચાલો૦ ૮ અનુભવ રંગ વધે તેમ પૂજો, કેશર ઘસી ઓરસીએ; ભાવસ્તવ સૂત કેવળ પ્રગટે, શ્રી શુભવીર વિલસીએ. ચાલો૦ ૯
૨૦૩
Page #235
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૫) શ્રી નેમિનાથ જિન સ્તવન 5 રહો રહો રે યાદવ દો ઘડીયાં, રહો, દો ઘડીયાં દો ચાર ઘડીયાં.
રહો રહો રે યાદવ દો ઘડીયાં; શિવામાત મલ્હાર નગીને, કયું ચલીએ હમ વિછડીયાં; રહો યાદવવંશ વિભૂષણ સ્વામી, તુમે આધાર છો અડવડીયાં રહો૧ તો બિન ઔરસેં નેહ ન કીનો, ઓર કરનકી આંખડીયાં; રહો. ઈતને બિચ હમ છોડ ન જઈએ, હોત બુરાઈ લાજડીયાં રહો. ૨ પ્રીતમ પ્યારે નેહ કર જાનાં, જે હોત હમ શિર બાંકડિયા; રહો, હાથસે હાથ મિલાદે સાઈ, ફૂલ બિછાઉં સેજડીયાં. રહો. ૩ પ્રેમ કે પ્યાસે બહુત મસાલે; પીવત મધુરે સેલડીયાં, રહો. સમુદ્રવિજય કુલતિલક નેમકે, રાજુલ ઝરતી આંખડીયાં રહો. ૪ રાજુલ છોડ ચલે ગિરનારે, નેમ યુગલ કેવલ વરીયાં રહો. રાજિમતી પણ દીક્ષા લીંની, ભાવના રંગ રણે ચડીયાં. રહો. ૫ કેવલ લઈ કરી મુગતિ સિધાવે, દંપતી મોહન વેલડીયાં; રહો શ્રી શુભવીર અચલ ભાઈ જોડી, મોહરાયશિર લાકડીયાં. રહો. ૬
(૬) શ્રી નેમિનાથ જિન સ્તવન ક શામળીયા લાલ તોરણથી રથ ફેર્યો કારણ કોને, ગુણ ગીરૂવા લાલ મુજને મુકી ચાલ્યા દર્શન ઘોને; હું છું તે નારી તુમારી, તુમ હેજે પ્રીત મુકી હમારી,
તમે સંયમશ્રી મનમાં ધારી. શા. લા. ૧ આ આઠ ભવોની પ્રીતલડી, મુકીને ચાલ્યા રોતલડી;
એ સજ્જનની નહિ રીતલડી. શા) લાવે તુમે પશુડા ઉપર કરૂણા આણી, તમે માહરી વાત નકો જાણી,
તુમ વિણ પરણું કો પ્રાણી ? શા. લા. ૩ નવિ મેલ્યો હાથ ઉપર હાથે, તો કર મુકાવું હું માથે;
હું જાવું પ્રભુજીની સાથે. શા. લા. ૪
૨૦૪}
Page #236
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
વિ. સીધો;
એમ કહી પ્રભુ હાથે તપ લીધો, પોતાનો કારજ પકડ્યો એણે શિવ સીધો. શા૦ લા૦ ૫
ચોપન દિન પ્રભુજીએ તપ કરીયો, પણ પન્ને કેવલ વર વરીયો પણ સત્ત છત્તીશું શિવ વરીયો. શા૦ લા૦ ૬ એમ ત્રણ કલ્યાણક ગિરનારે, પામ્યા જે જિન ઉત્તમતારે; જસ પાદ પદ્મ તસ સીર ધારે. શા૦ લા૦ ૭
(૭) શ્રી નેમિનાથ જિન સ્તવન
નંદા થઈ શિવનંદા નેમજી જન્મ્યા ભકિત કરી હુલરાવે, હો નેમ ! ઘુઘરી રે તારી ધમઘમ ગાજે, રાજા થઈ રાજા રાજ દીપાવે, પાંચ વરસના થાશે હો. નેમ૦ ૧
ઉગ્રસેન રાય ઘરે વિવાહ થાશે, જાદવ જાન લઈ આવશે હો. નેમ ફોજ દેખીને સામૈયું ટહુકે, હરિ કૃષ્ણ હૈયડામાં હરખે. હો. નેમ૦ ૨
ગોખે તે બેઠી રાજુલ નીરખે, માથે સોનેરી ઝરખે હો; નેમ નેમજી સાલાને તેડીને પૂછે, તમ ઘર કેવો આચાર હો. નેમ૦ ૩
આજ રાતે રે બેની રાજુલ પરણે, પશુડાંનો કરશું પકવાન હો, નેમ તોરણ આવી રથ પાછા વળીયા, ઉગ્રસેન આડા ફરીયા હો. નેમ૦ ૪
છપ્પન ક્રોડ જાદવ પરણીને વળીયા, નેમજી વગર પરણે વળીયા, હો નેમ૦ આઠ ભવ નેમજી ભેગા ચાલ્યા, નવમે ભવે મૂકી જાશે હો. નેમ૦ ૫
નેમજીનો ઘોડો ગિરનાર ચડ્યો, રાજુલ શિયલ વ્રત ઢળીયો, હો નેમ૦ રૂપચંદ કહે નાથ નિરંજન, આપો વરસીદાન હો. નેમ ! ઘુઘરી રે તારી ૬.
૨૦૫
Page #237
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E. (૮) શ્રી નેમિનાથ પ્રભુના નવ ભવનું સ્તવન
કેમ આયા કેમ ફેર ચાલ્યા, રહો રહી નેમ નગીના, નવ ભવ નાથ સગીના, સમજો શુદ્ધ મન ભીના, મોં મનરી રાથે લીના, જાદુ રથ પછી વારો રે, મારા નવ ભવના સ્વામી, હૈડારા અંતરજામી, કાંઈ દેખી મુજમેં ખામી, વિના ગુણ દીની બદનામી, જાદુ રથ પાછા વારો રે. ૧.
પરણોને રાજુલ પદમણી, સમજો નણંદીરા વીરા, જુગમેં અમુલખ હીરા, રથ ખેડજો તમે ધીરા, નહીં જાણી પરપીડા, જાદુ રથ પાછા વારો રે૨.
ઉગ્રસેન જેવા અધિપતિ, જિન બાબલ રીહું જાઈ, તેલ ચડી છટકાઈ, રહો રહો રીસાલું જમાઈ, જાઈસરી કાંઈ હેવડાઈ, જાદુ રથ પાછા વારો રે૦ ૩
. પ્રેમતણા રસપિયૂડા, તમતો નજરે ન દીઠા લાગો મિશ્રીજું મીઠા, કંથા મતિ હોય જો ઘીઠા, વિદ્યા વરશે અંગીઠા, જાદુ રથ પાછા વારો રે ૪
ન્યાય જમારી નાયશું, તમતો છેહ દેખાડ્યા, સાસુ શીવાદેવીરા જાયા, મારા મન અધિક સવાયા, સામલ વરણે સુહાયા, જાદુ રથ પાછા વારો રે૦ ૫.
પહેલાં ભવ હોતા ભીલડી, મેં હોતી તમશી ધણીયાણી; ભરતાં મુજ આગળ પાણી, મુજને કહેતા ઠકરાણી, એશી મનમેં કીધું આણી, જાદુ રથ પાછા વારો ૨૦ ૬.
બીજે ભવ ધનપતિ રાજા હોતા, મેં હોતી ધનવંતી રાણી, મલીયા સાધુ ચઉનાણી, પૂર્વી પ્રીતિ પીછાણી, પ્રતિલાવ્યો અન્નપાણી, જાદુ રથ પાછા વારો ૨૦ ૭.
ત્રીજે ભવે દોનું દેવતા, તે હતા મંત્રીજી દેવા, હાજર રહેવા નીતમેવા, કહીઓ કદી ન ઉલેવા, અમે કાંઈ કાઢો છો કેવા, જાદુ રથ પાછા વારો રે૦ ૮.
૧૨૦૬
૨૦
Page #238
--------------------------------------------------------------------------
________________
કે
સ્તવન વિભાગ ચોથે ભવ ચિત્રાગંદ વિદ્યાધર હોતા, મેં હોતી રત્નવંતી નારી, સજતી સોળે શણગારી, લાગતી ગણી ઈજ પ્યારી, અબ કાંઈ કર દીવી ન્યારી, જાદુ રથ પાછા વારો ૨૦ ૯
પાંચમે ભવ દોનું દેવતા, તે હતા મંત્રીજી સાંઈ, નહીં રાખી દુજા ગરણી કાંઈ, તેલ ચડી છટકાઈ, અમકે એ ચિત્ત લાઈ, જાદુ રથ પાછા વારો રે૦ ૧૦
છઠે ભવ સુર રાજા હોતા, મેં હોતી પદ્માવતી રાણી, સાચ કહું શીરનામી, સાંભળો શામળીઆ થે સ્વામી, અરજ કરૂં થાને સ્વામી, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૧.
સાતમે ભવ દોનું દેવતા, હંશી હંશી મલ મલ રમ્યા, પલ સાગર ઘણા ગમ્યા, તોરણ આઈ મોડું થમ્યા, પાંચ ઈદ્રિયો તે દમ્યા, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૨.
સંખરાજા ભવ આઠમો, મેં હોતી જસવંતી કંથા, નિશદિન હાજર રહેવંતા, કહીઓ કદી ન ઉલંઘતા, અમ ઘર આવો મતિવંતા, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૩.
નવમેં ભવ અપ્રાજીત દેવતા, જબ જાદવ કુલ આયા, સાસુ શીવાદેવીરા જાયા, મારે મન અધિક સવાયા, સામલ વરણે સુહાયા, જાદુ રથ પાછા વારો રે૦ ૧૪.
ઉગ્રસેન ઘરે ઉપની, માતા ધારિણી જાઈ, વાંટી સરસ વધાઈ, તમસું દાએ ન આઈ, અમે કાં દીવી છટકાઈ, જાદુ રથ પાછા વારો ૨૦ ૧૫.
રાજુલ પીયુને બુજવે, મુજ મન અધીક અંદેશો, નેમિનાથ સંદેશો, તીણરો ભરોસો છે કેસો “ધન્નો” વંદે હસેસો. જાદુ રથ પાછા વારો ૨૦ ૧૬. SF (૯) શ્રી નેમિનાથ પ્રભુના નવ ભવનું સ્તવન ,
(રાગ-વીર પ્રભુ આવ્યા રે વિમલાચલકે મેદાન)
નેમ પ્રભુ આવ્યા રે સહસાવન કે મેદાન, કરૂણા લાવ્યા રે, જિનપદ નમકે નિદાન, કૃષ્ણજી વંદન કેરે કામ, દઈ
(૨૦૭
Page #239
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વનપાલકને બહુદામ, સાથે સેના લઈ અભિરામ, પ્રભુજી પેખીરે પંચાભિગમ પ્રકાર, વંદના કીધી રે, માને સફળ અવતાર, દેશના કીધી રે, પ્રભુજીએ ભવિ ઉપગાર. નેમ૦ ૧.
કૃષ્ણજી પૂછે પ્રભુજીને એમ, રાજુલને તમ ઉપર પ્રેમ, અરિહા નેમજી બોલે એમ, નવભવ કેરી રે વાત સુણોને કહાન, ધરે ભવ ધારો રે, ધન્ય ધનમતિ અભિધાન, સમકિત સારૂ રે, પામ્યા મોક્ષ નિદાન. નેમ૦ ૨.
ધનદત્ત ભાઈ બીજો ધનદેવ, સમ્યગ્ કરતાં સંજમ સેવ, સહુએ ઉપન્યા સોહમદેવ, સહુજન પ્રિતે રે, સુખ ભોગવે સુરસાલ, યાત્રા કરતાં રે, શાશ્વત ચૈત્ય વિશાળ, વિચરતાં વંદે રે, જિનવર પરમ દયાળ. નેમ૦ ૩.
વિદ્યાધર હવે ચિત્રગતિરાય, તેહની રાણી રત્નવંતી થાય, મનતિ ચપળગતિ દોયગતિ ભાઈ, ત્રીજા ભવમાં રે સુજશ કેવળીની પાસ, સમકિત પામ્યા રે, દીક્ષા દામધર સકાસ, ચારિત્ર પાળી રે, ઉપન્યા માહેન્દ્ર સુરવાસ. નેમ૦ ૪.
હવે પંચમ ભવ ઉપન્યા તેહ, અજિતકુમાર નામે ગુણગેહ, પ્રીતિમતી તસ રાણી જેહ, તેણે ભવ કીધો રે, બહુ જનને ઉપગાર, પૃથ્વી ભમતા રે, મળીઆ કેવલી અણગાર, મિત્રને સાથે રે, પ્રણમ્યા ભકિત ઉદાર. નેમ૦ ૫.
કેવળી કહે તું સકિતવંત, ભરતમાં બાવીશમો અરિહંત, વિમળબોધ ગણધર એ તંત, સુર-સોમ નામે રે ભાઈ તે પણ ગણધર, સાંભળી પામ્યા રે મનમાં હર્ષ અપાર, અનુક્રમે બોધ્યા રે, લીધો સંજમ ભાર. નેમ૦ ૬.
સંજમ પાળી નિરતિચાર, આરણ દેવલોકમાં અવતાર, પાંચે જણામાં પ્રીતિ અપાર, લીધો ત્યાંથી ૨ શ્રીમતિ કૂખે અવતાર, હત્થીણાઉરે જે નામે શંખ કુમાર, તેજ બાળ રૂપે રે, શિશ સુરજ અનુકાર. નેમ૦ ૭.
૨૦૮
Page #240
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
સુરનર નારી જસ ગુણ ગાય, જસ કીર્તિ કાંઈ કહી નવ જાય, ધન્ય અતિ જીવ જશોમતિ થાય, મતિપ્રભ મંત્રીશ જીવ વિમળબોધરાય, તેણે ભવ વાંઘા રે શાશ્વત ચૈત્ય ઉદ્દામ, બહુ વળી પરણ્યા રે, વિદ્યાધરી રૂપ નિધાન. નેમ૦ ૮.
જશ ગણધર નામે ભાઈ, ઉપજ્યા હવે શ્રીષેણ જ તાય, દીક્ષા લઈને કેવળી થાય, તાતની પાસે રે, થયા પાંચે મુનિરાય, ચારિત્ર પાળે રે, આઠે પ્રવચન માય, સંખમુનિ સાધે રે, વીશસ્થાનક સુખદાય. નેમ૦ ૯.
કરે નિકાચીત જિનપદ નામ, અણસણ આદરે સૌ તેણે ઠમ, પાદોપનઃમે ગુણકામ, અપરાજીતે ૨ે, આયુ સાગર બત્રીશ, અનુત્તરે હુઆ હૈ દેવ સદા સુજગીશ, ત્યાંથી આવ્યા રે સુણ યાદવના આધાર. નેમ૦ ૧૦.
ઈણેભવ અભિધા નેમકુમાર, રાજેમતિ નામે એ નાર, ક્ષીણ ભોગ હુઆ ઈણ સંસાર, તેણે નવ પરણ્યા રે, વળીઆ તોરણથી એમ, રાજુલ વિનવે, નવભવનો ધરી પ્રેમ, સહુ ડિબોહ્યા રે, ગણધર પદ લહ્યા ક્ષેમ. નેમ૦ ૧૧.
પ્રેમે દુઃખીઆ હુવે સંસાર, પ્રેમે ઘેલા હવે નરનાર, પ્રેમે વિલુવ્યા રે, માનવી કરે ઝંપાપાત, અગ્નિમાં પેસે રે, મોર સાપ ને જળઘાત, ગળે દીયે ફાંસો રે, તેમની કહીં કરૂં વાત. નેમ૦ ૧૨.
સાંભળી બુઝ્યા કેઈ નરનાર, રાજુલ લીધા મહાવ્રત ચાર, પામી કેવળજ્ઞાન ઉદાર, પ્રભુજી પહેલા પોતી મોક્ષ મોજાર, પ્રભુ વિચરંતા રે આવ્યા શ્રી ગિરનાર, મુનિવરવૃંદે રે પરવર્યા જગત આધાર. નેમ૦ ૧૩.
પાંચશે છત્રીશ મુનિ પરિવાર, રૂંધી યોગ અનેક પ્રકાર, સ્વયં એક ઉર્ધ્વ ગતિ ચાર, સિદ્ધિ વરીઆ રે છોડી સકળ જંજાળ, સહજાનંદી રે સાદિ અનંત તીયાં સાર, નિજગુણ ભોગી રે આત્મશકિત અન્નુઆળ નેમ૦ ૧૪.
૨૦૯
Page #241
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જિહાં નિજ એક અવગાહન હોય, તીહાં રહે સિદ્ધ અનંતા જોય, કોઈને રોધ ન કરે કોય, નિજ નિજ સત્તા નિજ પાસે હવંત, કોઈની સત્તા રે કઈમાં ન ભળે અનંત નિશ્વય નયથી રે, આતમ ક્ષેમ રહંત. નેમ૦ ૧૫.
વ્યવહારે રહીયા લોપંત, દંપતિ એમ થયા સુખવંત, પ્રભુજી ગાયા રે સાગર અગની ગજમંદ, સંવત જાણો રે કાર્તિક વદી સુખકંદ, પોશાળ પાળે રે પાટણ રહી શિવાનંદ. નેમ) ૧૬.
સાતમ દિન સુરજ સુત વાર, જિનજી ઉત્તમ ગીણગણધાર, બ્રહ્મચારી માંહે શીરદાર, તેહના વંદુ રે લળી લળી હું પાય. શિવપદ માંગુ રે ફરી ફરી બીછાય, પ્રેમે ગાયા રે પદ્મવિજય જિનરાય. નેમ પ્રભુત્વ ૧૭.
SF (૧૦) શ્રી નેમિનાથજીનું સ્તવન F રાજુલ ઉભી મેડીએ, જંપે જોડીને હાથ; કામણગારા કંથજી, ઓરણ આવોને નાથ,
અરજ સુણો નેમનાથજી. ૧ મુખ મટકાનું તાહરૂં, અણીયારા લોચન; મોહનગારી મૂરતિ, મોહ્યું મારું મન.
અરજ સુણો નેમનાથજી. ૨ વહાલા કેમ રહ્યા વેગળા, તોરણ ઉભા આપ; પૂર્વ પૂજે મેલ્યો, આવો આજ બનાવ.
અરજ સુણો નેમનાથજી. ૩ એવે સહુ પશુએ મલી, કીધો સઘળો શોર; છોડાવી પાછા વળ્યા, રાજુલ ચિત્તડું મ ચોર.
અરજ સુણો નેમનાથજી. ૪ સહસાવનમાંહે જઈ, સહસ પુરુષ સંગાથ; સર્વે નારી વિરતિ મલી, આપણ સરખી જાત.
અરજ સુણો નેમનાથજી. ૫
૨ ૧O
Page #242
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
પંચાવનમે દહાડે
લોકાલોક પ્રકાશતા,
રાજુલ આવી રંગશું, મુજને મેલી એકલી,
વીતરાગ ભાવે વર્યા, શિવમંદિરે ભેગા થયા,
વાચક રામવિજય કહે રાજુલ જેમ તારી તુમે,
પામ્યા
કેવળજ્ઞાન; જાણે ઉગ્યો ભાણ. અરજ સુણો નેમનાથજી. - લાગી પ્રભુને પાય; કેમ શિવમંદિર જાય. અરજ સુણો નેમનાથજી. ૭ સંયતે લ્યો જિનહાથ; અવિચલ બેઉનો સાથ. અરજ સુણો નેમનાથજી. ૮ સ્વામી સુણો અરદાસ; તેમ તારોને હું દાસ. અરજ સુણો નેમનાથજી. ૯
ૐ (૧૧) શ્રી નેમનાથજીનું સ્તવન
નેમ જિણંદ જુહારીએ, ઉજ્જવલ ગઢ ગીરનારો જી; બલવંત જિન બાવીશમો, ભલે ભેટ્યો ભગવંતોજી. નેમ જિણંદ જુહારીએ ૧
નેમ૦ ૩
શ્યામ વરણ સોહામણો, મુખ સોહે પુનમચંદો જી; યાદવ વંશ જગ જયો, જેહને સેવે સુરનર ઇંદો જી. નેમ૦ ૨ પશુડા દેખી પાછા વલ્યા, દીલ દયા બહુ આણી જી; જાલ વિષય જંપી કરી, તજી રાજેમતિ રાણી જી. સમુદ્રવિજય સુત સુખ કરૂ, માતા શિવાદેવી મલ્હારોજી; દાન સંવચ્છરી દઈ કરી, પહોંતા ગઢગિરનારો જી. નેમ૦ ૪ ચોપ્પન દિન ચોખ્ખું ચિત્તે, પ્રભુ મૌનપણે તપ કીધું જી; કર્મ ખપાવી કેવલ લહ્યું, જગમાં બહુ યશ લીધું જી. નેમ૦ ૫ સમવસરણ સુરપતિ રચ્યું, આણી મન આણંદો જી; ત્રિગડો તેજે ઝગમગે, તિહાં નાટક નવનવા છંદો જી. નેમ૦ ૬
૨૧૧
Page #243
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા યોજનભૂમિ જગતગુરુ, ઉચ્ચરે અમૃત વાણી જી; ભવોદધિ શોષણ ભયહરે, જેહના ગુણ ગાવે છેદ્રાણી જી. એમ૭ વિધિ હરણ નિત્ય વાંદીએ, રાણી રાજમતિ ભરથારો જી; દુઃખ દારિદ્ર દૂરે હરે, ઉતારો ભવપારો જી. નેમ, ૮ એમ મહીમંડળ વિચરતા, અનેક જીવ ઉદ્ધાર્યા છે; સાથે બહુ પરિવારણું, મુકિત મહેલે પધાર્યા છે. નેમ૦ ૯ સંવત સતર અગીયારોત્તરે, આસો બીજ અજવાલીજી; કહે જિનદાસ યાત્રા કીજે, નેમ હસી દીઓ તાલી જી. એમ. ૧૦ F (૧૨) શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન ,
(રાગ-માલકોસ) નેમિ નિરંજન નાથ હમારો, અંજન વર્ણ શરીર, પણ અજ્ઞાન તિમિરને ટાળે, જીત્યો મન્મથ વીર; પ્રણમો પ્રેમ ધરીને પાય, પામો પરમાનંદા, યદુકુલ ચંદા રાય, માતા શિવાદે નંદા. પ્રણમો૦ ૧ રાજીમતિશું પુરવ ભવની, પ્રીત ભલી પેરે પાળી, પાણિગ્રહણ સંકેત આવી, તોરણથી રથ વાળી. પ્રણમો૦ ૨ અબલા સાથે નેહ ન કીધો, તે પણ ધન્ય કહાણી; એક રસે બિહું પ્રીતિ થઈ તો, કીર્તિ ક્રોડ ગવાણી. પ્રણમો૩ ચંદન પરિમલ જીમ જીમ ખીલે, વૃત એક રૂપ નવિ અલગ, ઈમ જે પ્રીત નિવાહે અહોનિશિ, તે ધન ગણશું વલગા. પ્રણમો. ૪ એમ એકાંગી જે નર કરશે, તે વિશાયર તરશે; જ્ઞાનવિમલ લીલા તે લહેશે, શિવસુંદરી તસ વરશે. પ્રણમો૦ ૫
= (૧૩) શ્રી નેમિનાથ પ્રભુનું સ્તવન તુજ દરિસન દીઠું અમૃત મીઠું લાગે રે યાદવજી, ખિણ ખિણ મુજ તુજશું ઘર્મ સ્નેહો જાગેરે યાદવજી, ૧. તું દાતા ત્રાતા ભ્રાતા માતા તાતરે યાદવજી, તુજ ગુણના મોટા જગમાં અવદાતરે
૨૧ ૨
Page #244
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
યાદવજી. ૨. કાચેતિ માંડે સુરમણિ છાંડે કુણરે યાદવજી, લઈ સાકર મૂકી કુણવળી ચૂકી લુણરે યાદવજી. ૩. મુજ મન ન સુહાવે, તુજ વિણ બીજો દેવરે યાદવજી, હું અહિનેશ ચાહું તુજ પય પંકજ સેવરે યાદવજી. ૪. સુર નંદન હેવા ગજ જિમ રહેવા સંગરે યાદવજી, જીમ પંકજ ભૂંગા શંકર ગંગા રંગરે યાદવજી. ૫. જીમ ચંદ ચકોરા મોહા મેરા પ્રીતિરે યાદવજી, તુજમાં હું ચાહું તુજ ગુણને યોગે ખ્યાતિ રે યાદવજી. ૬. મેં તુમને ધાર્યા વિસાર્યા નહિ જાયરે યાદવજી, દિનરાતે ભાતે ધ્યાવું તો સુખ થાયરે યાદવજી. ૭. દિલ કરૂણા આણો જો તુમ જાણો રાગ રે યાદવજી, દાખો એક વેળા ભવજલ કેરા તાગ રે યાદવજી. ૮. દુઃખ લિઓ મલિઓ આપે મુજ જગનાથરે યાદવજી, સમતા રસ ભરીયો ગુણનો દિરયો શિવ સાથરે યાદવજી. ૯. તુજ મુખડું દીઠે દુ:ખ તુઠે સુખ હોય રે યાદવજી, વાચક યશ બોલે નહિ તુજ તોલે કોય રે. યાદવજી. ૧૦.
(૧૪) શ્રી નેમિનાથ ભગવાનનું સ્તવન
પ્રભુ નેમ ગયા ગિરનાર છોડી સંસારને, તજ્યા માત પિતા પરિવારકે જાણી અસારને; પ્રભુ તમે છો પ્રાણ આધાર જગતના લોકને, મારા જીવનના આધાર ટાળો મુજ શોકને. ૧. પ્રભુ છોડી રાજુલનાર તોરણથી પાછા વળ્યા, કરી પશુઓને ઉપકાર પોતે ગિરિવર ચડ્યા, હવે લોકાંતિક જે દેવ આવી આદર કરી, વરસાવો વરસીદાન પ્રભુજી કૃપા કરી. ૨. ત્રણશે અઠયાસી ક્રોડ લાખ એંશી વલી, દીયે સોનૈયાનું શ્રાન પ્રભુજી અતુલબલી; હવે દીક્ષા લેવા કાજ પ્રભુજી સંચરે. સહસાવન કરે નિવાસ રૈવતગિરિ ઉપરે. ૩. પ્રભુ સિદ્ધને કરી પ્રણામ સામાયિક ઉચ્ચરે, કરવા ઘાતિ કર્મને દૂર ભયંકર તપ કરે; દિન ચોપન સુધી નેમ પ્રભુજીએ તપ કર્યો, દિન પંચાવનમેં જ્ઞાન કેવલ સિદ્ધ વર્યા. ૪. પ્રભુ તારી રાજુલનાર પોતાની જાણીને, પછી વરીયા શ્રી જિનરાય મોક્ષ પટરાણી, પ્રભુ મુકિત વિજય મહારાજ હૃદયમાં સ્થાપજો, તુમ ચરણ કમલની સેવા નિરંતર આપજો. ૫.
૨૧૩
Page #245
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા F (૧૫) શ્રી ગિરનાર તીર્થે નેમિજિન સ્તવન HF
(રાગ : દર્શન ઘો ઘનશ્યામ) જઈને રહેજો મારા વાલાજી રે, શ્રી ગિરિનારને ગોખ....જઈને અમે પણ તિહાં આવશું, મારા જિહાં રે પામીશું જોગ.
જઈને૦ ૧ જાન લઈ જુનાગઢ, મારા આવી તોરણ આપ...જઈને૦ પશુંડા પેખી પછા વળ્યા, મારા૦ જાતા ન દીધો જવાબ.
જઈને ૨ સુંદર આપણા સરીખા, મારા જોતાં નહીં મળે જોડ..જઈને૦ બોલ્યા અણબોલ્યા કરો, મારા એવા તો તમને ખોડ.
જઈને૦ ૩ હું રાગી તું વૈરાગ્યો, મારા જગમાં જાણે સહુ કોય...જઈને૦ રાગી તો લાગી રહે, મારા) વૈરાગી રાગી ન હોય.
જઈને૦૪ વર બીજો હું નવિ વરું, મારા સઘલાં મેલી સવાદ...જઈને૦ મોહનીયાને જઈ મલી, મારા૦ મ્હોટા સાથે સ્યો વાદ.
જઈને૦ ૫ ગઢતો એક ગિરનાર છે, મારા, નર તો છે એક શ્રીનેમ....જઈને૦ રમણી એક રાજીમતી, મારા૦ પૂરો પાડયો જેણે પ્રેમ.
જઈને૦ ૬ વાચક ઉદયની વંદના, મારા માની લેજો મહારાજ.જઈને૦ નેમ રાજુલ મુકતે મલ્યા, મારા૦ સાયં આતમ કાજ.
જઈને૦ ૭. કર્ક (૧) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન
(રાગ-વિહરમાન ભગવાન સુણો મુજ વિનતિ) શ્રી શંખેશ્વર પાસજી, સુણો મુજ વિનતિ, આવ્યો છું હું આજ આશા મોટી ધરી;
૧ર૧૪
Page #246
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ લાખ ચોરાશી જીવાયોનિ, દ્વારા ભમ્યો, તે માંહે મનુષ્ય જન્મ, અતિ દુક્કરો. ૧ તે પણ પુરવ પુન્ય, પ્રભાવે અનુભવ્યો, તો પણ દેવગુરુ, ધર્મ. નવ ઓળખ્યો; શું થાશે પ્રભુ મુજ, તુજ કરૂણા વિના, રઝળ્યો રાંકની પરે, પામ્યો વિટંબના. ૨ ન દીધું શુદ્ધ દાન, સુપાત્રે ભાવથી, ન પાદું વળી શીયલ, વટંબિયો કામથી; તપ તપ્યો નહીં કોઈ, આતમને કારણે, શું ઝાંખું કહું નાથ, જાવું નરક બારણે. ૩ કીધાં જે મેં કુકર્મ, જો તે વિવરી કહું, તો લાગે બહુ વાર, ભજન કયારે કરું; પૂર્વ વિરાધક ભાવથી, ભાવના ઉલ્લસે, ચારિત્ર ડોળ્યું નાથ, કરમ મોહની વશે. ૪ ક્ષણ ક્ષણમાં બહુ વાર, પરિણામની ભિન્નતા, તે જાણો છો મહારાજ, મારી વિકલ્પના; નહીં ગુણનો લવ લેશ, જગત ગુણી કહે, તે સુણી મારું મન હરખે, અતિગહગહે. ૫ માગું દીન દયાળ, ચરણતણી સેવના, હોજો ધર્મની વૃદ્ધિ, ભવોભવ ભાવના; તુજ દરિશન, દેવ માહરે અતિ ભલું, પૂરણ પુણ્ય પસાથે, કલ્પવૃક્ષ ફલ્યું. ૬
૬ (૨) શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન 5 પાર્થપ્રભુ શંખેશ્વરા શંખેશ્વરા, મુજ દરિસણ વેગે દીજે રે, તુજ દરિસણ મુજ વાલ હો, જાણે અહોનિશ સેવા કીજે રે. પા૦ ૧ રાત દિવસ સુતા જાગતા, મુજ હૈયે ધ્યાન તમારું; જીભે જપે તુજ નામને, તવ ઉલસે હૈયું મારું રે. પા૦ ૨
૨ ૧૫
Page #247
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દેવ દીયે જો પાંખડી, તો આવું તુમ હજુર; મુજ મન કેરી વાતડી, કાંઈ દુઃખડા કીજે દૂર રે. પા૦ ૩ તું પ્રભુ આતમ માહરો, પ્રાણ જીવન મુજ દેવ; સંકટચૂરણ તું સદા, મુજ મહેર કરો નિત્યમેવ રે. પા૦ ૪ કમળ સુરજ જેમ પ્રીતડી, જેમ પ્રીતિ બપૈયા મેહ દૂર થકી તમે રાખજો, મુજ ઉપર અધિકો સ્નેહ રે. પા૫ સેવકની આ વિનતિ, અવધારી સુનજરે કીજે; લબ્દિવિજય કવિ પ્રેમને, મુજ અવિચળ સુખડા દીજે રે. પા૦ ૬
E (૩) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન 5. સદા આનંદ નયન મેરે, ભેટીઆ ભગવાન રે; પાર્થ સ્થંભણ ભુવનમંડણ, તીર્થ તિલક સમાન રે. સદા. ૧ સપ્ત ફણમણિ મુગટ મંડિત, તેજ ઝાકમાલ રે; કાંતિ મરકત રત્ન સરિખી, મૂર્તિ અતિ સુકમાળ રે. સદા૦ ૨ કૃષ્ણપણ મોહ તિમિર હઠાવે, એહ અચરિજ ઠાણ રે; વીતરાગ છે તુંહી જનનો, ચિત્ત રંજણ આણ રે. સદા૦ ૩ અશ્વસેનનરિંદનંદન, જાસ વામા માત રે; પરમ જયોતિ સ્વરૂપ પ્રગટે, ગુણ અનંત વિખ્યાત રે. સદા. ૪ તુંહી અવર્ણ વર્ણ સર્વનો, ધ્યાનભેદે હોય રે, તુંહી જ ગુણધામી રામી, લેહ અવર ન કોય રે. સદા૫ પરમપુરુષ પુર્હુત પ્રણમતા, પ્રબલ પુન્ય પસાય રે; જ્ઞાનવિમલ નિણંદ સેવા, ભવજલે લહીએ નાવ રે. સદા ૬
ક (૪) શ્રી શંખેશ્વર પાર્શ્વપ્રભુ સ્તવન કા તારા નયના રે પ્યાલા પ્રેમના ભર્યા છે, દયા રસના ભર્યા છે;
અમી છાંટના ભર્યા છે. તારા જે કઈ તારી નજરે ચઢી આવે, કારજ તેના તે સફળ કર્યા છે;
તારા૦ ૧
૨૧૬
Page #248
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
પ્રગટ પાતાળથી પ્રભુ તેં, જાદવના દુ:ખ હર્યા છે.
તારા૦ ૨
પન્નગપતિ પાવકથી ઉગાર્યો, જનમ મરણ ભય તેહના હર્યા છે.
તારા ૩
પતિપાવન શરણાગત તુંહી, દર્શન દીઠે મારાં ચિત્તડા ઠર્યાં છે.
તારા૦ ૪
શ્રી શંખેસર પાસ જિનેસર, તુજ પદ પંકજ આજથી ધર્યા છે.
તારા૦ ૫
જો કોઈ તુજને ધ્યાને ધ્યાવે, અમૃત સુખના રંગથી વર્યા છે.
તારા ૬
ૐ (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન
(રાગ-શ્રી રાગ)
અબ મોહે અયસી આય બની, શ્રી શંખેશ્વર પાર્શ્વ જિનેશ્વર,
મેરે તું એક ધણી. ૧ આવે કોડી ગુણી; જીમ કમલ ભણી. ૨ નાગરાજ ધરણી,
તેરો, એ શુભ મુજ. કરણી. ૩
તુમ નામે વિ સંકટ ચુરે, નામ જપું નિશિવાસરે કોપાનળ ઉપજાવત દુર્જન, મથન વચન અરણી; નામ જપુંજલધાર તિહાં, તુજ ધારૂં દુઃખહરણી. મિથ્યામતિ બહુજન હૈ જગમેં, પદ ન ધરત ધરણી; ઉનકો અબ તુજ ભકિતપ્રભાવે, ભય નહીં એક કણી. ૫ સજ્જન નયન સુધારસ અંજન, દુર્જન રવિ ભરણી. તુજ મૂરતિ નિરખે સો પાવે, સુખ જસ લીલ ધણી. S
તુમ બિનુ કોઈ ચિત્ત ન સુહાવે, મેરો મન તુમ ઉપર રસિયો, અલિ
૨૧૭
૪
Page #249
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
F (૬) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન HI
(રાગ-મન મોહન જિનજી મીઠી તાહરી વાણ) પૂજાવિધિ માટે ભાવિએજી, અંતરંગ જે ભાવ; તે સવિ તુજ આગલ કહુંજી સાહેબ ! સરલ સ્વભાવ.
સુહંકર ! અવધારો પ્રભુ પાસ ! ૧ દાતણ કરતાં ભાવિયેજી, પ્રભુ ગુણ જલ મુખ શુદ્ધ; ઉલ ઉતારી પ્રમત્તતાજી, હો મુજ નિર્મલ બુદ્ધ. સુહ૦ ૨ જતનાએ સ્નાન કરી જીએજી, કાઢો મેલ મિથ્યાત; અંગુઠો અંગ શોષવીજી, જાણું છું અવદાત. સુહo ૩ ક્ષીરોદકનાં ધોતિયાજી, ચિંતવો ચિત્ત સંતોષ; અષ્ટકર્મ સંવર ભલોજી, આઠ પડો મુખકોષ. સુહ૦ ૪ ઓરસીએ એકાગ્રતાજી, કેસર ભકિતકલ્લોલ; શ્રદ્ધા ચંદન ચિંતવોજી, ધ્યાન ઘોલ રંગરોલ. સુહ૦ ૫ ભાલ વહું આણા ભલીજી, તિલક તણો તેહ ભાવ; જે આભરણ ઉતારીયેજી, તે ઉતારો પરભાવ. સુહ૦ ૬ જે નિર્માલ્ય ઉતારીયેજી, તે તો ચિત્ત ઉપાધિ; પખાલ કરતાં ચિંતવોજી, નિર્મલ ચિત્ત સમાધિ, સુહં ૭ અંગલુહણ બે ધર્મનાજી, આત્મસ્વભાવ જે અંગ; જે આભરણ પહેરાવીયેજી, તે સ્વભાવ નિજ ચંગ. સુહ૦ ૮ જે નવવાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ અંગ, પંચાચાર વિશુદ્ધતાજી, તેહ ફૂલ પચરંગ. સુહં. ૯ દીવો કરતાં ચિંતવોજી, જ્ઞાનદીપક સુપ્રકાશ; નય ચિંતા વૃત પૂરિયુંજી, તત્ત્વ પાત્ર સુવિલાસ. સુહ૦ ૧૦ ધૂપ રૂપ અતિ કાયંતાજી, કૃષ્ણાગરુનો જોગ; શુદ્ધ વાસના મહમજી, તે તો અનુભવ યોગ. સુહ૦ ૧૧ મદ સ્થાનક અડ છાંડવાજી, તેહ અષ્ટ મંગલિક, જે નૈવેદ્ય નિવેદીયેજી, તે મન નિશ્ચલ ટેક. સુહં. ૧૨
૨૧૮
Page #250
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ લવણ ઉતારી ભાવીયેજી, કૃત્રિમ ધર્મનો ત્યાગ; મંગલ દીવો અતિ ભલોજી, શુદ્ધ ઘર્મ પરભાગ. સુહં. ૧૩ ગીત નૃત્ય વાજિંત્રનોજી, નાદ અનાહત સાર; શમ-રતિ રમણી જે કરે છે, તે સાચો થઈકાર. સુહ૦ ૧૪ ભાવપૂજા એમ સાચવીજી, સત્ય બજાવો રે ઘંટ; ત્રિભુવન માંહે તે વિસ્તરેજી, ટાલે કર્મનો કંટ. સુહં. ૧૫ એણીપરે ભાવના ભાવંતાજી, સાહેબ ! જસ સુપ્રસન્ન; જનમ સફલ જગ તેહનોજી, તેહ પુરુષ ધન ધન્ન. સુહ૦ ૧૬ પરમપુરુષ ! પ્રભુ ! સામળાજી, ! માનો એ મુજ સેવ; દૂર કરો ભવ આમળાજી, વાચકજશ કહે દેવ ! સુહં. ૧૭
SF (૭) શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન HI શ્રી ચિન્તામણી પાર્શ્વજી, વાત સુણો એક મોરી રે, મારા મનના મનોરથ પૂરજો, હું તો ભકિત ન છોડું તોરી રે. શ્રી. ૧. માહરી ખિદમતમાં ખામી નહિ, તાહરે ખોટ ન કાંઈ ખજાનેરે, હવે દેવાની શી ઢીલ છે ? કહેવું તે કહીએ છાને રે. શ્રી. ૨. તે ઉરણ સવિ પૃથ્વી કરી, ધન વરસી વરસીદાને રે; માહરી વેળા શું એહવા, દીઓ વાંછિત વાળો વાન રે. શ્રી. ૩. હું તો કેડ નહિ છોડું તાહરી, લીધા વિણ શિવસુખ સ્વામી રે; મૂરખ તે ઓછે માનશે, ચિન્તામણિ કરયલ પામી રે. શ્રી. ૪. મત કહેશ્યો તુજ કર્મે નથી, કર્મે છે તો તું પામ્યો રે; મુજ સરીખા કીધા મોટકા, કહો તેણે કાંઈ તૂજ થામ્યો રે ? શ્રી પ. કાલસ્વભાવ ભવિતવ્યતા, તે સઘળા તારા દાસી રે; મુખ્ય હેતુ તું મોક્ષનો, એ મુજને સબલ વિશ્વાસો રે. શ્રી. દ. અમે ભકતે મુકિતને ખેંચશું, જિમ લોહને ચમક પાષાણો રે, તુણ્ડ હેજે હસીને દેખશો, કહેશો સેવક છે સપરાણો રે. શ્રી. ૭. ભકિત આરાધ્યાં ફળ દીએ, ચિન્તામણિ પણ પાષાણે રે; વળી અધિકું કાંઈ કહાવશો, એ ભદ્રક ભકિત તે જાણો રે. શ્રી. ૮. બાળક તે જિમ તિમ બોલતો, કરે લાડ તાતને આગે રે; તે તેહશું વાંછિત
૨૧૯
Page #251
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
T
પૂરવે, બની આવે સઘળું રાગે રે. શ્રી. ૯. માહરે બનનારું તે બન્યું જ છે, હું તો લોકને વાત શીખાવું રે; વાચક જસ કહે સાહિબા, એ ગીતે તુમ ગુણ ગાવું રે. શ્રી૧૦.
SF (૮) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન HI
પ્યારો પ્યારો રે હો વાલા મારા પાસ નિણંદ મને પ્યારો; તારો તારો રે હો વાલા મારા ભવના દુઃખડાં વારો; કાશીદેશ વાણારસી નગરી, અશ્વસેન કુલ સોહીએ રે, પાસ જિગંદા વામાનંદા મારા વહાલા; દેખત જન મન મોહીએ રે. પ્યારો પ્યારો રે. ૧. છપ્પન દિગકુમરી મીલી આવે. પ્રભુજીને ફુલરાવે રે; થેઈ થઈ નાચ કરે મારા વાલા; હરખે જિન ગુણ ગાવે. પ્યારો પ્યારો રે૨. કમઠ હઠ ગાળ્યો પ્રભુ પાર્થે, બળતો ઉગાર્યો ફણીનાગ રે; દીઓ સાર નવકાર નાગકું, ધરણેન્દ્ર પદ પાયો. પ્યારો. ૩. દીક્ષા લઈ પ્રભુ કેવળ પાયો, સમવસરણે સુહાયો રે; દીએ મધુરધ્વનિ દેશના પ્રભુ, ચૌમુખ ધર્મ સુહાયો. પ્યારો. ૪ કર્મ ખપાવી શિવપુર જાવે, અજરામર પદ પાવે રે; જ્ઞાન અમૃત રસ ફરસે મારા વાલા, જ્યોતિસે જ્યોત મિલાવે. પ્યારો પ્યારો રે૦ ૫.
SF (૯) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન રાતા જેવાં ફૂલડાંને, શામળ જેવો રંગ; આજ તારી આંગીનો કાંઈ રૂડો બન્યો રંગ, પ્યારા પાસજી હો લાલ; દીનદયાળ મુને નયણે નિહાલ. ૧. જોગીવાડે જાગતો ને, માતો ધિંગડમલ, શામળો સોહામણો કાંઈ, જીત્યા આઠે મલ. પ્યારા, ૨. તું છે મારો સાહિબો ને, હું છું તારો દાસ; આશા પૂરો દાસની કાંઈ, સાંભળી અરદાસ. પ્યારા ૩. દેવ સઘળા દીઠા તેમાં, એક તું અવલ, લાખેણું છે લટકું તાહરૂ, દેખી રીઝે દિલ. પ્યારા ૪. કોઈ નમે પીરને ને, કોઈ નમે રામ, ઉદયરત્ન કહે પ્રભુ મારે તુમશું કામ. પ્યારા. ૫
૨ ૨૦
Page #252
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
પાર્શ્વનાથ જિન સ્તવન
૬ (૧૦) શ્રી સમય સમય સો વાર સંભારૂં, તુજશું લગની જોર રે; મોહન મુજરો માની લીજે, જ્યું જલધર પ્રીતિ મોર રે. સ૦ ૧ માહરે તન ધન જીવન તુંહી, એહમાં જૂઠ ન માનો રે; અંતરજામી જગજન નેતા, તું કીહાં નથી છાનો રે. સ૦ ૨ જેણે તુજને હિયડે નવિ ધ્યાયો, તાસ જનમ કુણ લેખે રે; કાચે રાચે તે નર મૂરખ, રતનને દૂર ઊવેખરે. સ૦
૩
સુરતરુ છાયા મૂકી ગહરી, બાઉલ તળે કુણ બેસે રે; તાહરી ઓલગ લાગે મીઠી, કીમ છોડાય વિશેષરે. સ૦ ૪ વામાનંદનપાસ પ્રભુજી, અરજી ચિત્તમાં આણો રે; રૂપવિબુધનો મોહન પભણે, નિજ સેવક કરી જાણો રે. સ૦ ૫
Ř (૧૧) શ્રી અંતરિક્ષ પાર્શ્વનાથ જિન સ્તવન
પરમાતમ ! પરમેસરૂ ! જગદીશ્વર ! જિનરાજ, જગબંધવ ! જગભાણ ! બલિહારી તુમ તણી, ભવ જલધિમાંહિ જહાજ. ૧. તારક વારક મોહનો, ધારક નિજ ગુણ ઋદ્ધિ; અતિશયવંત ભદંત રૂપાળી શિવવધૂ, પરણી લહી નિજ સિદ્ધિ. ૨. જ્ઞાન દર્શન અનંત છે, વળી તુજ ચરણ અનંત; એમ દાનાદિ અનંત ક્ષાયિક ભાવે થયાં, ગુણ તે અનંતા અનંત. ૩. બત્રીશ વર્ણ સમાય છે, એક જ શ્લોક મોઝાર; એક વરણ પ્રભુ ! તુજ ન માયે જગતમાં, કેમ કરી થુણીએ ઉદાર ? ૪. તુજ ગુણ કોણ ગણી શકે ? જો પણ કેવળ હોય; આવિર્ભાવથી તુજ સયલ ગુણ માહરે, પ્રચ્છન્ન ભાવથી જોય. ૫. શ્રી પંચાસરા પાસજી !, અરજ કરૂં એક તુજ; આવિર્ભાવથી થાય દયાલ ! કૃપાનિધિ ! કરૂણા કીજેજી મુજ. ૬. શ્રી જિન ઉત્તમ તાહરી, આશા અધિક મહારાજ ! પદ્મવિજય કહે એમ લહું શિવનગરીનું, અક્ષય અવિચલ રાજ. ૭.
૨૨૧
Page #253
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૧૨) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
જય ! જય ! જય ! જય ! પાસ જિણંદઃ ટેક૦ અંતિરક્ષ પ્રભુ ! ત્રિભુવન તારન, ભવિક કમલ ઉલ્લાસ જિણંદ. જય૦ ૧ તેરે ચરન શરન મેં કીનો, તૂં બિનું કુન તોરે ભવ ફંદ; પરમ પુરૂષ પરમારથદર્શી, તું દીયે વિકકું પરમાનંદ. જય૦ ૨ તું નાયક તૂં શિવસુખ-દાયક, તેં હિતચિંતક તૂં સુખકંદ; તૂં જનરંજન તું ભવભંજન, તું કેવલ-કમલા-ગોવિંદ. જય૦ ૩ કોડી દેવ મિલકે કર ન શકે, એક અંગૂઠ રૂપ પ્રતિછંદ; ઐસો અદ્ભુત રૂપ તિહારો, વરષત માનું અમૃતકો બંદ. જય૦ ૪ મેરે મન મધુકરકે મોહન, તુમ હો વિમલ સદલ અરવિંદ; નયન ચકોર વિલાસ કરતું હે, દેખત તુમ મુખ પૂરનચંદ. જય૦ ૫ દૂર જાવે પ્રભુ ! તુમ દરિશનસેં, દુઃખ-દોહગ-દારિદ્ર-અધ-દંદ; વાચક જસ કહે સહસ ફલત હે, જે બોલે તુમ ગુન કે વૃંદ. જય૦ Ç
૬ (૧૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન ક્વ (રાગ-બિલાવલ)
મેરે સાહિબ તુમહિ હો, પ્રભુ પાસ જિણંદા. ખિજમદગાર ગરીબ હું મેં તેરા બંદા. મેરે૦ ૧. મેં ચકોર કરૂં ચાકરી, જબ તુમહિ ચંદા; ચક્રવાકમેં હુઈ રહું, જબ તુમહિ દિણંદા. મેરે૦ ૨. મધુકર પરે મેં રનઝનું, જબ તુમ અરવિંદા; ભિકત કરૂં ખગતિ પરે, જબ તુમહિ ગોવિંદા. મેરે૦ ૩. તુમ જબ ગર્જિત ઘન ભયે, તબમેં શિખીનંદા, તુમ સાયર જબ મેં તદા, સુર-સરિતા અમંદા. મેરે૦ ૪. દૂર કરો દાદા પાસજી ! ભવદુઃખકા ફંદા; વાચક જસ કહે દાસમું દિયો પરમાનંદા મેરે૦ ૫.
૬ (૧૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન પૂર્વ (રાગ-મારો મુજરો લ્યોને રાજ સાહેબ શાંતિ સલુણા)
મોહન મુજરો લ્યોને રાજ, તુમ સેવમાં રહેશું, વમાનંદન જગદાનંદન, જેહ મુખ મટકે લોચનને લટકે, લોભાણી ઇંદ્રાણી. મો૦ ૧
સુધારસ ખાણી;
૨૨૨
Page #254
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ભવ પટણ· ચિહું દિશ ચારે ગતિ, ચોરાશી લખ ચૌટા, ક્રોધ માન માયા લોભાદિક, ચોવટીઆ અતિ ખોટા. મો૦ ૨ અનાદિ નિગોદ તે બંદિખાનું, તૃષ્ણા તોપે રાખ્યો; સંજ્ઞા ચારે ચોકી મેલી, વેદ નપુંસક આંકયો. મો૦ ૩ મિથ્યા મહેતો કુમતિ પુરોહિત, મદન સેનાને જોરે; લાંચ લહી લખ લોક સંતાપે, મોહ કંદર્પને જો૨ે. મો૦ ૪ ભવ સ્થિતિ કર્મ વિવર નાઠો, પુન્ય ઉદય પણ વાધ્યો; સ્થાવર વિકલેંદ્રિયપણું ઓળંગી, પંચેંદ્રિયપણું લાધ્યો. મો૦ ૫ માનવભવઆરજકુળ સદ્ગુરુ, વિમળ બોધ મલ્યો મુજને; ક્રોધાદિક એ શત્રુવિનાશી, તેણે ઓળખાવ્યો તુજને. મો૦ ૬ પાટણ માંહે પરમ દયાળુ, જગત વિભૂષણ ભેટ્યા; સત્તરબાણું શુભ પરિણામે, કર્મ કઠિન બળ મેટ્યા. મો૦ ૭ સકિત ગજ ઉપશમ અંબાડી, જ્ઞાન કટક બળ કીધું; ખીમાવિજય જિન ચરણ રમણસુખ, રાજ પોતાનું લીધું. મો૦ ૮
(૧૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન પૂર્વ
પ્રભુ જગજીવન જગબંધુ રે-સાંઈ સયાણો રે, તારી મુદ્રાએ મન મોહ્યું રે, જૂઠ ન જાણો રે. આંતરો. તું પરમાતમ ! તું પરૂષોત્તમ ! તું પરબ્રહ્મ સ્વરૂપી; સિદ્ધિ સાધક સિદ્ધાંત સનાતન, તું ત્રય ભાવ પ્રરૂપી રે. સાંઈ ૧. તાહરી પ્રભુતા ત્રિહું જગમાંહે, પણ મુજ પ્રભુતા મોટી; તુજ સરીખો માહરે મહારાજા, માહરે કાંયે નહીં ખોટ રે. સાંઈ૦ ૨. તું નિર્દવ્ય પરમપદવાસી, હું તો દ્રવ્યનો ભોગી; તું નિર્ગુણ હું તો ગણધારી, હું કરમી તું અભોગી રે. સાંઈ૦ ૩. તું તો અરૂપી ને હું રૂપી, હું રાગી ને તું નિરાગી; તું નિરવિષ હું તો વિષધારી, હું સંગ્રહી તું ત્યાગી રે. સાંઈ૦ ૪. તાહરે રાજ નથી કોઈ એકે, ચૌદ રાજ છે માહરે; માહરી લીલા આગળ જોતાં, અધિકું શું છે તાહરે ? રે. સાંઈ ૫. પણ તું મ્હોટો ને હું છોટો, ફોગટ ફૂલ્યે શું થાય ?; ખમજો
૨૨૩
Page #255
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા એ અપરાધ અમારો, ભકિતવશે કહેવાય રે. સાંઈ૦ ૬. શ્રી શંખેશ્વર વામાનંદન, ઉભા ઓલગ કીજે; રૂપ વિબુધનો મોહન પભણે, ચરણની સેવા દીજે રે. સાંઈ૭. = (૧૬) શ્રી શંખેશ્વર પાર્શ્વજિન સ્તવન 5
(રાગ-કડખાની દેશી). સાર કર સાર કર સ્વામી શંખેશ્વરા, વિશ્વ વિખ્યાત એકાત્ત આવો; જગતના નાથ મુજ હાથ ઝાલી કરી, આજ કિમ કાજમાં વાર લાવો. સાર૦ ૧ હૃદય મુજ રંજણો શત્રુ દુઃખ ભંજણો, ઈષ્ટ પરમિષ્ટ મોહે તુંહી સાચો; ખલક ખિજમત કરે વિપત્તિ સમે ખિણ ભરે;
નવિ રહે તાસ અભિલાષ કાચો. સાર૦ ૨ યાદવા રણજણે રામ કેશવ રણે, જામ લાગી જરા નિંદ સોતી; સ્વામી શંખેશ્વરા ચરણ જલ પામીને, યાદવાની જરા જાય રોતી.
સા૨૦ ૩ આજ જિનરાજ ઉંઘેકિડ્યું આ સમે, જાગ મહારાજ! સેવક પનોતા; સુબુદ્ધિ મધે ટલે ઘુતે દોલત હરે, વીર હાકે રિપુવૅદ રોતાં.
સાર૦ ૪ દાસ છું જન્મનો પૂરિયે કામના, ધ્યાનથી માસ દશ દોય વીત્યા. વિકટ સંકટ હરો નિકટ નયણાં કરો, તો અમે શત્રુ નૃપતિકે જીત્યા.
સાર૦ ૫ કાલમુખે અશન શીત કાલે વસમ, શ્રમ સુખાસન રણે ઉદક દાઈ; સુગુણ નર સાંભરે વીસરે નહિ કદા, પાસજી તું સદા છે સુખાઈ.
સાર૦ ૬ માત તું તાત તું ભ્રાત તું દેવ તું, દેવ દુનિયામાં દુજો ન વહાલો; શ્રી શુભવીર જગ જીત ડંકો કરે, નાથજી નેક નયણે નિહાલો.
સાર૦ ૭.
૨ ૨૪
Page #256
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
૬ (૧૭) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન પુર્ણ પાસજી તોરારે પાય, સ્વામી ! પલક છોડ્યા ન જાય, તુમસે લગન લગી. (આંકણી) લગી લગી અંખીયાને રહીરે લોભાય, દુનિયામાં દુજો કોઈ આવે ન દાય, તુમસે લગન લગી. ૧ આંગીયા ને રંગ અનૂપ, સાહિબા, આજનું રૂપ.
તુમસે૦ ૨
આછી આછી
અજબ બન્યું છે
ઉદાર,
શિર કાને કર હૈયે. સોહે મુગટ કુંડલ બાજુબંધ ને હાર તુમસે૦ તુમ પદ પંકજ મુજ મન ભંગ, ચિત્તમાં લાગ્યો રે; સાહિબા, ચોળનો રંગ તુમસે૦ દેવાધિદેવ તું તો દીનદયાળ, ત્રિભુવનનાયક; તુજને નમું ત્રણ કાળ, તુમસે લગન લગી. લંબી લંબી બાહુડી ને, બડે બડે સરીખા સાહિબા, શિવ સુખ
નેણ; સુરતરુ દેણ. તુમસે૦
૬ (૧૮) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
(આશાવરી)
૩
૨૨૫
૫
જુની જુની મૂતિ ને જ્યોત અપાર, સુરત દેખીને પ્રભુની, મોહ્યો સંસાર. તુમસે૦ ૭ સત્તરસે એંશી સમે ને, ચૈતર માસ, પૂરણમાસે પહોતી પૂરણ આશ. તુમસે ૮ એમ, પાસ શંખેશ્વર વાધ્યો છે પ્રેમ. તુમસે૦
ઉદયરતન વાચક વદે જોતાં
S
૯
અખીયન હરખન લાગી, હમારી અખીયન૦ આંકણી. દર્શન દેખ પાર્શ્વ જિણંદકો, ભાગ્યદશા અબ જાગી; અકલ અગોચર ઓર અવિનાશી, જગજનને કરે રાગી. હમારી૦ ૧
Page #257
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શરણાગત તુજ પદપંકજની, સેવના મુજ મન લાગી, લીલા લહેર દે નિજ પદવી, તુમ સમ કો નહીં ત્યાગી. હમારી. ૨
વામાનંદન ચંદનની પરે, જે છે મહા સૌભાગી, જ્ઞાનવિમલ પ્રભુ ધ્યાન ધરતા, ભવ ભવ ભાવઠ ભાંગી. હમારી અખીયન હરખન લાગી. ૩
= (૧૯) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન H તારી મૂરતિનું નહીં મૂલ રે, લાગે મને પ્યારી રે; તારી આંખડીએ મન મોહ્યું રે, જાઉં બલિહારી રે; ત્રણ ભુવનનું તત્ત્વ લહીને, નિર્મલ તુંહી નિપાયો રે, જગ સઘળો નિરખીને જોતાં તાહરી હોડે કો નહિ આયો રે લાગે) ૧ ત્રિભુવનતિલક સમોવડ તાહરી, સુંદર સૂરતિ દીસે રે, કોડી કંદર્પ સમ રૂ૫ નિહાળી, સુરનરનાં મન હસે રે. લાગે૨
જ્યોતિ સ્વરૂપી તું જિન દીઠો, તેહને ન ગમે બીજા કાંઈ રે; જિહાં જઈએ ત્યાં પૂરણ સઘણે, દીસે તુંહી જ તુંહી રે. લાગે૦ ૩ તુજ મુખ જોવાની રઢ લાગી, તેહને ન ગમે ઘરનો ધંધો રે; આળપંપાળ સવિઅળગી મૂકી, તુજ શું માંડ્યો પ્રતિબંધો રે લાગે. ૪ ભવસાગરમાં ભમતાં ભમતાં, પ્રભુ પાસનો પામ્યો આરો રે ? ઉદયરત્ન કહે બાંહ્ય ગ્રહીને, સેવક પાર ઉતારો રે. લાગે. ૫
(૨૦) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન 5 પ્રણમું પદ પંકજ પાસના, જસ વાસના અગમ અનૂપ રે; મોહ્યો મન મધુકર નેહથી, પામે તસ શુદ્ધ સ્વરૂ૫ રે. ૧ પંક કલંક શંકા નહિ, નહિ ખેદાદિક દુઃખ દોષ રે, ત્રિવિધ અવંચક યોગથી, લહે અધ્યાતમ રસ પોષ રે. ૨ દુર્દશા રે દૂર કરી, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિજ ચિત્ત માધ્યસ્થતા, કરુણામય શુદ્ધ સ્વભાવ રે. ૩
૨ ૨ ૬
Page #258
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
નિજ સ્વરૂપ કર થિર ધરે, ન કરે પુદ્ગલની ખેંચ રે; સાખી હુએ વરતે સદા, ન કદી પરભવ પરપંચ રે. ૪ સહજદશા નિશ્ચય જગે, ઉમંગે અનુભવ રસ રંગ રે; રાચે નહિ પરદ્રવ્યમાં, નિજ ભાવમાં રંગ અભંગ રે. પ નિજ સ્વરૂપ નિજમાં લખે, ન ચખે પરગુણની રેહ રે; ખીરનીર વિવરો કરે, એ અનુભવ હંસ સુપેખ રે.૬ નિર્વિકલ્પ જે અનુભવે, અનુભવે અનુભવની રીત રે; ઓર ન કબહુ લખી શકે, આનંદધન પ્રીત પ્રતીત રે; પ્રણમું પદપંકજ પાસના. ૭
(૨૧) શ્રી શંખેશ્વર પાર્શ્વ જિન સ્તવન (રાગ-મન ડોલે તન ડોલે)
(આધા આમ પધારો રાજ અમ ઘર)
અંતરજામી સુણ અલવેસર, મહિમા ત્રિજગ તુમારો, સાંભળીને હું આવ્યો તીરે, જન્મ-મરણ-દુઃખ વારો; સેવક અરજ કરે છે રાજ! અમને શિવસુખ આપો. સહુકોનાં મન વંછિત પૂરો, ચિંતા સહુની ચૂરે; એહવું બિરૂદ છે રાજ ! તમારૂં, કેમ રાખો છો દૂરે. સે૦ ૨ સેવકને વલવલતો દેખી, મનમાં મહેર ન ધરશો; કરુણાસાગર કેમ કહેવાશો ? જો ઉપકાર ન કરશો. સે૦ ૩ લટપટનું હવે કામ નહિ છે, પ્રત્યક્ષ દરિસણ કીજે; માડે ઘી નહિ સાહિબ, પેટ પડ્યાં પ્રતિજે. સે૦ ૪ શ્રી શંખેશ્વર મંડન સાહિબ, વિનતડી અવધારો; કહે જિનહર્ષ મયા કરી મુજને, ભવસાગરથી તારો. સે૦ ૫
૧
(૨૨) શ્રી મનમોહન પાર્શ્વનાથ જિન સ્તવન
મનમોહન પ્રભુ પાસજી, સુણો જગત આધાર જી; શરણે આવ્યો રે પ્રભુ તાહરે, મુજ દુરિત નિવાર જી. મન૦ ૧
૨૨૭
Page #259
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વિષય કષાયના પાસમાં, ભમ્યો કાળ અનંત જી; રાગ-દ્વેષ મહા ચોરટા, લુંટ્યો ધર્મનો પંથ જી. પણ કાંઈ પૂરવ પૂન્યથી, મળીયા શ્રી જિનરાજ જી; ભવસમુદ્રમાં બુડતા, આલંબન જિમ જહાજ જી. કમઠે નિજ અજ્ઞાનથી, ઉપસર્ગ કીધાં બહુ જાત જી; ધ્યાનાનલ પ્રગટાવીને, કીધો કર્મનો ઘાત જી. મન ૪ કેવળજ્ઞાનથી દેખીયું, લોકાલોક સ્વરૂપ જી; વિજય મુકિતપદ જઈ વર્યું, સાદિ અનંત ચિપ જી. મન૦ ૫ તે પદ પામવા ચાહતો, મોહન કમલનો દાસ જી; મનમોહન પ્રભુ માહરી, પૂરજો મનની આશ જી. મન૦ ૬ ૬ (૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
મનવ ૨
મનવ
૩
આવો આવો પાસજી મુજ મળીયા રે, મારા મનના મનોરથ ફળીયા. આવો૦ એ આંકણી. તારી મૂર્તિ મોહનગારી રે, સહુ સંઘને લાગે છે પ્યારી રે, તમને મોહી રહ્યા સુર નરનારી, આવો૦ ૧ અલબેલી મૂર્તિ પ્રભુ તાહરી રે, તારા મુખડા ઉપર જાઉં વારી રે; નાગ-નાગણીની જોડ ઉગારી. આવો૦ ૨ ધન્ય ધન્ય દેવાધિદેવ રે, સુરલોક કરે છે સેવા રે; અમને આપોને શિવપુર મેવા. આવો૦ ૩ તમે શિવરમણીના રસીયા રે, જઈ મોક્ષપુરીમાં વસીયા રે; મારા હૃદયકમલમાં વસીયા. આવો૦ ૪
જે કોઈ પાસતણા ગુણ ગાશે રે, ભવ ભવના તે પાતક જાશે રે; તેના સમકિત નિર્મળ થાશે. આવો૦ ૫
પ્રભુ ત્રેવીશમા જિનરાયા રે, માતા વામાદેવીના જાયા રે, અમને દિરસણ ઘોને દયાળ. આવો૦ ૬
હું તો લળી લળી લાગું છું પાય રે, મારા ઉરમાં તે હરખ ન માય રે; એમ માણેકવિજય ગુણ ગાય, આવો આવો પાસજી મુજ મળીઆ રે. ૭
૨૨૮
Page #260
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૨૪) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન (રાગ-સખી આજ અષાઢો ઉન્નહો, સખી ઝરમર વરસે મેહ) જીરે આજ દિવસ ભલે ઉગિયોજી જીરે આજ થયો સુવિહાણ, પાસ જિણેસર ભેટિયો, થયો આનંદ કુશલ કલ્યાણ હો; સાજન, સુખદાયક જાણી સદા, ભવિ પૂજો પાસ નિણંદ.
એ આંકણી૦ ૧ જીરે ત્રિકરણ શુદ્ધિયે Aિહું સમે, જીરે નિસિથી ત્રણ સંભાર; ત્રિફંદિશિનિરખણ વરજીને, દીજે ખમાસમણ ત્રણ વારહો,
|
સાજન૦ ૨ જીરે ચૈત્યવંદન ચોવીસનો, જીરે સ્વર પદ વર્ણ વિસ્તાર; અર્થ ચિંતન ત્રિહું કાલના, જિનનાથ નિક્ષેપા ચાર હો.
સાજન૦ ૩ જીરે શ્રી જિનપદ ફરસે લહે, કલિ મલિન તે પદ કલ્યાણ; તે વલી અજર અમર હુવે, અપુનર્ભવ શુભ નિર્વાણ હો.
| સાજન૦ ૪ જીરે લોહ ભાવ મૂકી પરો, જીરે પારસ ફરસ પસાય; થાએ કલ્યાણ કુધાતુથી, તિમ જિનપદ મોક્ષ ઉપાય હો.
સાજન ૫ જીરે ઉત્તમ નારી નર ઘણા, જીરે મન ધરી ભકિત ઉદાર; આરાધી જિનપદ ભલો, થાએ જિન કરે જગ ઉપકાર હો.
|
સાજન૦ ૬ જીરે એહવું મન નિશ્ચલ કરી, જી રે નિશદિન પ્રભુને ધ્યાય; પામે સૌભાગ્ય સ્વરૂપને, નિવૃત્તિકમલા વર થાય હો.
| સાજન, ૭. SF (૨૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન સ્તવન 5 ૩ૐ નમ: પાર્થ પ્રભુ પત્યજે, વિશ્વચિંતામણિ રત્ન રે; 3ૐ હું ધરણેન્દ્ર પદ્માવતી, વૈરૂટ્યા કરે સુયત્ન રે. 3ૐ૦ ૧
૨ ૨૯
Page #261
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અબ મોયે શાંતિ મહા પુષ્ટિ દે, ધૃતિ કિર્તિ કાન્તિ વિધાયિને; ૐ હ્રીં અક્ષર શબ્દથી, સર્વાધિ-વ્યાધિ-વિનાશિને. ૐ૦ ૨ જય અજિતા વિજયા તથા, અપરા વિજયાન્વિતા દેવી રે, દશ દિશાપાલ ગ્રહ યક્ષ જે, વિદ્યાદેવી પ્રસન્ન હોય તેવી રે. ૐ૦ ૩ ૩% અસીઆઉસા નમોનમઃ તુંહી રૈલોક્યનો નાથ રે, ચોસઠ ઈદ્ર ટોળે મળી, સેવતા પ્રભુને જોડી હાથ રે. ૐ૦ ૪ ૐ હ હ પ્રભુ પાસજી, મૂળના મંત્રનું બીજ રે; જાપથી દૂરિત દૂરે ટળે, આવી મળે સવી ચીજ રે. ૐ૦ ૫ ગોડી પ્રભુ પાસ ચિંતામણિ થંભણો અહીછત્તો દેવ રે; જગવલ્લભ જગમાં જાગતો, અંતરીક્ષ એવંતી કરૂસેવ રે. ૩૦ ૬ શ્રી શ્રી શંખેશ્વર મંડણો, પાર્શ્વજિન પ્રણતતકલ્પ રે ચૂરય દૂષ્ટના વાતને, પૂરય સુયશ સુખ કલ્પ રે. ૐ૦ ૭ ક (૨૬) શ્રી ભુજનગર ચિંતામણિ
પાર્શ્વજિન સ્તવન Hi, સુગુણ સોભાગીરે કે સાહેબ માહરા, શ્રી ચિંતામણિ પાસ; પૂર્ણ પુણ્ય રે દરિસણ દેખીયો પૂગી મારા મનડાની આશા
બલિહારી રે કે જાઉં તારા નામની ૧ કાશી દેશે રે કે નગરી વારાણસી, અશ્વસેન રાયા કુલચંદ; માતા વામાટે કે પ્રભુજીને જનમીયા, દીઠડે પરમાનંદ,
હું૦ ૨ મૂરત સૂરત રે કે નિરખીને હરખિએ, સાંભળ મારા સ્વામ; વાન વધારણ રે કે જગમાં સુરત, તું મુજ આતમરામ.
હુo ૩ લાલ સુરંગી રે કે અંગી શોભતી, સોહે સોહે પ્રભુજીને અંગ; શિખર બનાવ્યું રે કે સુંદર કોરણી, દીસે દીસે નવનવા રંગ.
હું૦ ૪
૨૩૦
Page #262
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
શિરપર સોહે રે કે મુગટ જડાવનો, કાને કુંડલ શ્રીકાર; કેડે કંદોરો રે કે બાંહે બેરખા, કંઠડે નવસરો હાર.
હું ૫ વિધિપક્ષ દેહરે કે મૂલનાયક પ્રભુ, ભુજમંડણ જિનરાજ; ભાવિક શ્રાવક રે કે ભાવે ભાવના, સાહેબ ગરીબ નિવાજ. હું
કોઈ કુમતિઆરે કે પ્રભુને માને નહીં, તે રડવડશે સંસાર; નવદંડક માંહે રે કે ગતિ છે તેહને, નહીં લીએ ભવનો પાર.
હું ૭
સૂત્ર સિદ્ધાંતે રે કે જિન પ્રતિમા કહી, જિન સરખી નિરઝાર; પૂજો પ્રણમો ૨ કે ભવિયણ ભાવ શું, જિમ પામો શિવસુખ સાર
હું ૮
સંવત સત્તર રે કે વરસ ચોરાણું એ, રૂડો રૂડો ભાદ્રવ માસ; સ્તવના કીધી રે કે પર્વ પન્નૂસણે, નિત્ય લાભ પ્રભુજીનો દાસ.
હું ૯
(૨૭) શ્રી નવખંડા (ઘોઘા બંદર) પાર્શ્વનાથ જિન સ્તવન
ઘનઘટા ભુવન રંગ છાયા, નવખંડા પાર્શ્વજિન પાયા, પ્રભુ કમઠ હઠીકું હઠાયા, વિષધર પરજલતી કાયા; દિલ દયા ધરીકું છુડાયા, સેવક મુખમંત્ર સુનાયાં. ક્ષણમેં ધરણેન્દ્ર બનાયા.(૨) ન૦ ૧
મેં ઓર દેવનકું ઘ્યાયા, સબ ફોકટ જન્મ ગુમાયા; સુણો વામા રાણીકા જાયા, કુચ્છ પરમારથ નહિ પાયા.
તો ફુટા ઢોલ બજાયા. (૨) ન૦ ૨ ભરમાયા, મેં હસ્તે પિત્તળ પાયા; દુઃખદાયા, અમોને નાચ નચાયા. ઈશ વિધિ કે બહુ આયા. (૨) ન૦ ૩
સુણ સ્વામી કર મુજ હુઆ બહુ
૨૩૧
Page #263
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ઘોઘા બંદર સુખ પાયા, જબ બહુ ઉપગાર કરાયા; નવખંડા નામ ધરાયા, મેં સુનકર ચરણે આયા. ઉદ્ધાર કરો મહારાયા. (૨) ન૦ ૪ હુઆ ચાતુરમાસ મુજ આયા, કીસ કારણ અબ બેઠાયા; ઘો મન વાંછિત સુખદાયા, હું પ્રેમે પ્રણમું પાયા. સેવક કા કાજ સરાયા. (૨) ન૦ ૫
ઈસ વિધિ નિધિઇંદુ કહાયા, ભલા આશ્વિન માસ સોહાયા; દીવાળી દિન જબ આયા, મેં આત્મ આનંદ પાયા; એમ વીરવિજય ગુણ ગાયા. (૨) ન૦ ૬
૬ (૨૮) શ્રી પાર્શ્વનાથ જિનના (જમવાના થાળ)નું સ્તવન
(રાગ-હાલો, હાલો, હાલો, હાલો મારા નંદને)
માતા વામાદે બોલોવે જમવા પાસને, જમવા વેળા થઈ છે, રમવાને ચિત્ત જાય, ચાલો તાત તુમારા બહુ થાએ ઉતાવલા, વહેલા હાલોને ભોજનીઆ ટાઢાં થાય. માતા૦ ૧
માતાનું વચન સુણીને જમવાને બહું પ્રેમશું, બુદ્ધિ બાજોઠ ઢાળી બેઠા થઈ હોંશિયાર; વિનય થાળ અશ્રુઆલી લાલન આગળ મૂકીયો, વિવેક વાટકીયો શોભાવે થાળ મોઝાર.
મા૦ ૨
સમિત શેલડીના છોલીને ગટ્ટા મૂકીયાં, દાનના દાડમ દાણા ફોડી આપ્યા ખાસ, સમતા સિતાફલનો રસ પીજ્યો બહુ રાજીયા, શ્રુતિ જામફળ પ્યારા આરોગોને પાસ. મા૦ ૩
મારા નાનડીઆને ચોક્ખા ચિત્તનાં ચૂરમાં, સુમતિ સાકર ઉપર ભાવશું ભેલું ઘરત; ભકિત ભજીયાં પિરસ્યાં પાસકુમારને પ્રેમ શું, અનુભવ અથાણાં ચાખોને રાખો સરત. મા૦ ૪
પ્રભુને ગુણ ગુંજામેં જ્ઞાન ગુંદવડા પીરસ્યા, પ્રેમના પેંડા જમજ્યો માન વધારણ કાજ; જાણપણાની જલેબી જમતાં ભાંગે ભુખડી, દયા દૂધપાક અમીરસ આરોગોને આજ. મા૦ ૫
૨૩૨
Page #264
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
સંતોષ સીરો ને વળી પુન્યથી પુરી પીરસી, સંવેગ શાક ભલાં છે દાતાર ઢીલી દાળ; મોટાઈ માલ પુવાને પ્રભાવનાના પૂડલા, વિચાર વડી વઘારી જમજ્યો મારા વાલ. માતા૦૬
રુચિ રાયતાં રૂડાં પવિત્ર પાપડ પીરસ્યાં, ચતુરાઈ ચોખા ઓશાવી આણ્યા ભરપુર; ઉપર ઇંદ્રીદમન દૂધ તપ તાપે તાતુ કરી, પ્રીત્યે પીરસ્યું જમજો જગજીવન સહનૂર. મા૦ ૭
પ્રીતિ પાણી પીધાં, પ્રભાવતીના હાથથી, તત્ત્વ તંબોલ લીધાં શિયલ સોપારી સાથ; અકલ એલાયચી આપીને માતા મુખ વદે, ત્રિભુવન તારી તરજ્યો જગજીવન જગનાથ. મા૦ ૮
પ્રભુના થાલતણા જે ગુણ ગાવે ને સાંભળે; ભેદ ભેદાન્તર સમજે જ્ઞાની તે કહેવાય, ગુરુ ગુમાનવિજયનો શિષ્ય કહે શીર નામીને, સદા સૌભાગ્યવિજય ગાવે ગીત થાય
સદાય. માતા૦ ૯
૬ (૨૯) શ્રી પાર્શ્વજિન સ્તવન
મન મીઠડી મૂર્તિ પ્યારી વશીયા, દિલ દીઠડી જ્યોતિ જગારી; નેક નજર કરી સાંઈ સલુણા, સુણીયે અરજ હમારી. વ૦ ૧ નેહ નવલમેં પલપલ કીનો, લીનો પ્રેમ કટારી; વ૦ દીનો ધનતન પ્રાણમેં આપનો, પણ સવિ મીલીયે ગમારી. વ૦ ૨ નયન નચાવે વચન હસાવે, સ્વારથીઆ દેવી દેવા ભવ ભવ સેવ્યા, પૂરણ પ્રેમ આઠે સ્નેહી અંતે વિછોહી, દેખત નેહ પારસનામા પૂરણકામા, નેહકી રીત હૈ રંગ મજીઠમેં રાગભાગ હૈ, ઘટ્ટકુટ્ટણ દુઃખ ભારી; ૧૦ પણ વીતરાગશું રાગ કરંતા, મણિ ફણીધર વિષકારી. ૧૦ ૫ પારસ સંગે કંચન લોહા, નેહ અચલ નિરધારી;૧૦ કદીએ મ દેશો છેહ સનેહા, વીરવિજય જયકારી; ૧૦ વસિયા વીરવિજય જયકારી. વ૦૬
૨૩૩
સંસારી; ૧૦ વિચારી. ૧૦
નિવારી; ૧૦
ન્યારી.
૩
૧૦ ૪
Page #265
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેનૌકા E (૩૦) શ્રી પાર્શ્વનાથજીનો બાલુડો ; સમરું સદા પ્રભુ પાર્શ્વજી રે, વારાણસી નગરીનો રાય (૨) માતા વામાદેવીનો લાડકો, અશ્વસેન કુલ અવતાર;
મારું મન મોહ્યું તારી સુરત. ૧ પોષ દશમ દિને જન્મ્યા રે, છપ્પન કુમારી ફુલરાય; (૨) ચોસઠ ઇદ્ર મલી સેવતા, મેરગિરિ નવરાય. મારું મન ૨ બાલભાવે ક્રિીડા કરી રે, અશ્વ ખેલવાને જાય, (૨) નાગ-નાગિણી ઉગાર્યા, શરણ દીયો નવકાર. મારું મન ૩ સંયમ લઈ કાઉસ્સગ્ય રહ્યા રે, કમ કીધો ઉપસર્ગ, (૨) જોગ નારી મુદ્રા રહ્યા, તોડ્યા કર્મના બંધ. મારું મન૦ ૪ ઘાતકર્મનો ક્ષય કરી રે, પામ્યા કેવલજ્ઞાન; (૨) એકસો આયુ પૂર્ણ કરી લેવા મુક્તિના રાજ. મારું મન, ૫
E (૩૧) ભીડભંજન પાર્શ્વનાથનું સ્તવન Hો
શા માટે સાહિબ સામું ન જુઓ, હું તો થયો છું તુમ ગુણરાગી રે; બોલ બીજા સાથે નવી બોલું, ન ગમે વાત અનેરી પ્રભુજી મારા૦ ૧. જો રે પોતાનો કરીને જાણો, તો મુજ સમકિત વાસો પ્રભુજીરે; ભલો ભંડો પણ ભકત તમારો દેઈ દિલાસો વાસો પ્રભુજી મારા૦ ૨. છેલ છબીલો દેવ છોગાળો, અલવેસર અવિનાશી પ્રભુજી રે; હૃદયનો વાસી પ્રભુ મુજને મળીયો, નમું હું નિત્ય શીર નામી પ્રભુજી મારા૦ ૩. હજાએ હૃદયમાં હોંશ ઘણી છે, રાખી છે તેમ ગુણરાગી પ્રભુજી રે, ભીડભંજન પ્રભુ ભક્તિના જોરે, જાલમ વાસના જાગી પ્રભુજી મારા, ૪. આપ સ્વરૂપ દેખાડો આછો, પડદો ખોલોને પાછો પ્રભુજી મારા, પ્રેમ ઉદય પ્રભુ પગથીએ ચઢતા, ન રહે લાભનો લાંછાં પ્રભુજી મારા. ૫
૧૨૩૪
Page #266
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ (૩૨) શ્રી ગોડી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન ક
(રાગ-ભીમપલાસ) પ્રભુ પાર્થ અવિચળ નામી છો, સ્વામી છો ગુણના ધામી છો; મારા હૃદયના વિસરામી છો, શિવ સુખ અમોને આપોને. પ્રભુત્વ ૧. આ ભવ અટવી ભમતાં ભમતાં, ફરી આવ્યો આપ ચરણ નમતાં, દેવ આપ મળ્યા છો મન ગમતાં, શિવ સુખ અમોને આપોને. પ્રભુ) ૨. આ નાવ અમારૂ ભર દરિયે, નાવિક વિનાનું શું કરીયે; પ્રભુ તારો તો સહેજે તરીકે, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૩. આ ભવ સાગર છે દુઃખદાઈ, લવ લેશ નથી જ્યાં સુખ કાંઈ; જ્યાં જોઈયે ત્યાં સળગી લાઈ, શિવસુખ અમોને આપોને. પ્રભુ ૪. આ ભવમાંથી અમને પકડી, મોહ રાજાયે દીધા જકડી; નથી છુટી અમારી હાથકડી, શિવ સુખ અમોને આપોને પ્રભુ) ૫. નથી પાપ ગણ્ય ઉદર ભરતાં, ગયો કાળ ઘણો ખટપટ કરતાં; તેથી આપ કને આવ્યો ડરતાં, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૬. પ્રભુ તરણ અને વળી તારક છો, ભવિ જીવને પાર ઉતારક છો; શરણાગતના દુઃખ વારક છો, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૭. કરૂણાકર મુજ પર હે સ્વામી, તુજ પાય નમું છું શિરનામી; દુઃખથી કાઢો આતમરામી, શિવ સુખ અમોને આપોને. પ્રભુ૦ ૮. પ્રભુ શરણ તમારૂં મેં લીધું, જિન આગમ વચનામૃત પીધું; દો શિવપુરનું બારું સીધું, શિવ સુખ અમોને આપોને. પ્રભુત્વ ૯. પ્રભુ આજે તુજ શાસન પામી, અરિહંત મળ્યા છો મુજ સ્વામી; હવે બાકી રહી છે શી ખામી, શિવ સુખ અમોને આપોને. પ્રભુ) ૧૦. હું માંગુ છું પ્રભુ કર જોડી, બક્ષીસ ગુન્હાની હે ગોડી; નથી માગતો એક સરખી કોડી, શિવ સુખ અમોને આપોને. પ્રભ૦ ૧૧. જ્ઞાનાદિ ગુણ ધરનારા છો, વિજય નીતિ કરનારા છો; ઉદયના દુઃખ હરનારા છો, શિવ સુખ અમોને આપોને. પ્રભ૦ ૧૨. *
૧૨૩૫
૨૩૫
Page #267
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
H (૩૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન BE
હે! પાર્થ જિન સ્વામી વિનતી સુણો હમારી, વિનતી (૨) ભવ ભયકે રોગ ટાળી, ત્યાગી બનાવો મુજને. ત્યાગી0 (૨) અનંત પિતાના કુળમાં અવતરી હું ચુકયો છું અનંતી માતાની કુક્ષીથી, હું જન્મી ચુક્યો છું. (૨) અનંતા કુટુંબ ફરિઓ; હજુએ ન પાર પામ્યો; હજુએ) અગ્નિ રૂપી જે ક્રોધ, અજગર રૂપી જે માન; ઈદ્રજાલ રૂપી જે માયા, વળી સર્પ રૂપી જે લોભ; બંધન રૂપી જે મોહ, તે મેં કદી ન છોડ્યા. તે મેં૦ સુખમાં હસ્યો છું, હું દુઃખમાં રડ્યો છું સંસાર રૂપી સમુદ્ર, ભવજલ રૂપી જે નાવ; રઝડી રહ્યો છું વચમાં હવે પાર તું લગાડે. હવે, હે પાર્શ્વ સમક્તિ રૂપી જે માર્ગ, કૃપા કરી બતાવો મુજને; જેવી સમાધિ તારી, તેવી સમાધિ મારી; ધૂન પાર્થની જગાવો, મારા જીવનમાં સ્વામી. મારા૦ હેતુ પાર્થ૦ તનથી કહું છું તુજને ચારે ગતિથી વારો, આઠ કર્મથી ટાળો; શાન્તિ સુધા વરસાવો. આત્મા રૂપી જીવનમાં. આત્મા છે પાર્થ૦ ચૌરાશી લાખ યોનિમાં, ચૌદ રાજ ત્રણ ભુવનમાં; કોઈશું ન વૈર રાખું, સર્વે જીવ સમ ગણું હું, સંવત્સરીના દિવસે; દાસ હર વિજય સહુ જીવને ખમાવે. સહુ જીવને ખમાવું. સહુo હે પાર્થo
E (૩૪) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન HI
કોયલ ટહુકી રહી મધુવન મેં, પાર્શ્વ શામળીઓ વસો મેરે દીલમેં કાશી દેશ વાણારશી નગરી, જન્મ લીયો પ્રભુ ક્ષત્રિય કુલમેં. કો૦ ૧. બાલપણામાં પ્રભુ અભુત જ્ઞાની, કમઠકો માન હર્યો એક પલમેં. કો. ૨. નાગ નિકાલા કાષ્ટ ચીરા કર, નાગકો કિયો સુરપતિ એક છીનમેં. ૩. સંયમ લઈ પ્રભુ વિચારવા લાગ્યા, સંયમે ભીંજ ગયો એક રંગમેં ૪. સમેત શિખર પ્રભુ મોક્ષે સિધાયા, પાર્થજીકો મહિમા ત્રણ ભુવનમેં. કો. ૫. ઉદય રતનકી એહી અરજ હે, દીલ અટક્યો તોરા ચરણકમલમેં. કો૦ ૬.
૨૩૬
Page #268
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૩૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન
પ્રભુ પાર્શ્વજીન શામળીયા, મહાપુન્ય ઉદયથી મળીયા રે. પ્રભુ રીતિ અનુપમ ભવ તરવાની, પ્રભુજી આપ પ્રકાશી; અજર અમર અવિનાશી, નિજ આત્મ ગુણથી બલીઆ રે. પ્રભુ૦ ૧ ક્રોધ અરિને ક્ષમા ખડ્ગથી ઝેર કર્યા તુમ જડથી; ગયો થઈ હલકો અતિ ખડથી, પ્રભુ શાંત વદન તુમ કલિયા રે.
પ્રભુ૦ ૨
માન રિપુ માર્દવ હથિયા રે, માયા આવે ધારી; સંતોષથી લોભ નિવારી, નહિ વિષ્ણુ સમ તમે છલિયા રે.
પ્રભુ
ო
લીધું;
રાગ દ્વેષ પ્રતિમલ્લને જીતી, વીતરાગ પદ નિજ આત્મ કારજ સીધું, જરા જન્મ મરણ ભય ટળીયા રે.
પ્રભુ૦ ૪ વામાનંદન અંતરયામી, આત્મલક્ષ્મી દાતા; વલ્લભ હર્ષ ગુણ ગાતાં, સહુ મનના મનોરથ ફળિયા રે. પ્રભુ૦ ૫
૬ (૩૬) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન
(રાગ-કલ્યાણ)
કવણ તુમારો મર્મ લઘોરી, પાર્શ્વ જિનેશ્વર તું પરમેસર; અજબ કલા કહો કોણ કહેરી, અજબ કલા કહો કોણ; ક્રોધ કષાય હણ્યાં તેં પહેલા, તવ થયો ઉપશમવંત શરીરી; ક્રોધ વિના તેં કેમ કરી ટાળ્યાં, અંતર દુર્ધર કર્મ અરીરી.
પાર્શ્વ૦ ૧
ક્ષમાવંતને હણવું ઘટે નહિ, એમ કીમ અર્થ સમર્થ હુવેરી; માનું હીમ જીમ શીત પ્રકૃતિ પણ, નીલકમલ દલ વિપીન દહેરી.
પાર્શ્વ૦ ૨
૨૩૭
Page #269
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
· તે સે બાહ્ય અત્યંતર દુશ્મન, હણીયા સમતા ભાવ થકીરી; નય કહે દુશમન દૂર કરનકો, રોમ રોમ તુમ ભિકત છકીરી; પાર્શ્વ જિનેશ્વર તું પરમેસર. ૩
૬ (૩૭) શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વજિન સ્તવન
(રાગ-રાતા જેવા ફુલડાને)
ધૃતકલ્લોલ પ્રભુ પાસ જિણંદ, અશ્વસેન રાયા કુલ ઉપના દિણંદ; મોરા પાસજી કો લાલ પ્રભુ મુખ દેખી મારો મન હીસે રાજ. એ આંકણી. માતા વામાદેવી જાયો પુત્ર રતન, જેણે નાગ નાગીણીનાં કીધા છે જતન; મોરા૦ પ્રભુ૦ ૧. કમઠનો મદ ગાલ્યો, વાલે કીધાં રૂડાં કાજ; કલિકાલમાંહે જેનો પરતો છે આજ, મોરા૦ મારગ ભુલને વાલો આપે છે સાદ, વલી સંપદાને ટાલે વિષવાદ. મોરા૦ પ્રભુ૦ ૨. બેડીયો કાપેને વાલો તારે છે જહાજ, સમર્યા આપે વાલો વાંછિત કાજ, મોરા૦ દેશ વિદેશી આવે સંઘ અનેક, સુથરીમાં વાસ કીધો રાખી વાલે ટેક. મોરા૦ પ્રભુ૦ ૩. મોણશી અંચલજીનું જાત્રાનું મન્ન, સંઘ લઈને આવ્યા સુથરી પ્રસન્ન, મોરા સંવત અઢાર બેયાસીયે જાણ, ફાગણ વિદ ચોથે ગાયો ગુણખાણ. મોરા૦ પ્રભુ૦ ૪. ભેટ્યા શ્રી ધૃતકલ્લોલ જિનરાજ, પૂજા સત્તરભેદી કરે શુભ કાજ, મોરા૦ મેઘ શેખર ગુરુના સુપસાય, શિષ્ય ગુલાબ શેખર ગુણ ગણ ગાય. મોરા પ્રભુ૦ ૫.
૬ (૩૮) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન (કચ્છી ભાષામાં)
અમાં આંઉ નેહડો કંઘી, ગોડીચે પેર વેંધી; કેસર જો ઘોર ઘોરીંધી, વેન્જિ આંઉં પૂજા કંઘી; ઈનવામાજીજો નીગરો એડો, બેયો નાએજુગમેં તેડો. અમા૦ ૧ સરગમરત પાતાલજા માડુ, ઝઝા સેવી પાય; કામણ ગારો પાસજી આયલ, મુંઝે દિલમેં ભાયું. અમા૦ ૨
૨૩૮
Page #270
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ સર્ષિ સર્પ જે રે બરંધા, દિનો જે નવકાર; પાસજી જો નાલો ગિની હુઆ, ઇદ્ર ઇદ્રાણી સાર. અમા૦ ૩ બેઆ દેવ દઠા જઝા, દેવ ન કેડે કમ્મ; તું નિરાગી ગતિ નિવારણ, અઠે કર્મોજો દમ્મ. અમા. ૪ જેડાં વિન્જા તેડાં ઈનકે ભજિયાં જગમેં વડા પીર; જે હર્ષજો સાંમી મલ્યો, ખીલી હુઆ ખીર. અમા૦ ૫
(૩૯) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન H
પ્રભુ પાર્થ ભજો, પ્રભુ પાર્થ ભજો, ચિંતામણિ ચિત્ત સદાય સજો; ગુણ ગણનો પ્રભુમાં પાર નહિ, એવા પ્રભુ મુજ શિર તાજ હજો. પ્રભુત્ર ૧. જિનરાજ ચરણ શરણ ગ્રહીયે, તો જલ્દી શીવપુર સુખ લહીયે; ચોરાશી લખ તબ જાય ટળી, નિજ આત્મદશા પ્રગટે સઘલી. પ્રભુત્વ ૨. મન મંદિરમાં પ્રભુ વાસ કરે, દ્રતી વાયુ જેમ ભવ પાથ તરે, પ્રભુ નામ રટે સબ દુ:ખ ટરે, ભવ ભ્રમણા જીવકી સર્વ હરે. પ્રભુ ૩. જડવાદ બધો દીધો વામી, પ્રભુ કાશી દેશ તણા સ્વામી; બની યોગી કામ લીધો દામી, એ જિનવરનાં ચરણો પામી. પ્રભુ) ૪. જિનવર ગુણ ગીત ગાન કરૂં, એ રૂપી અમૃત પાન કરૂં કર્મોનું વિષમ વિષ હરૂ, જન્મ મરણ ભવજાળજલું. પ્રભુ ૫. પર્યુષણ આદી દિન ધરી, ઓગણીશ અક્યાશી સાલ ખરી; સ્તંભ તીર્થ વિષે પ્રભુ દર્શન કરી, મુજ દ્રષ્ટિ પ્રભુમાં ખૂબ ઠરી. પ્રભુ૬. કહે આત્મકમલ લબ્ધિ વિકસી, જાઓ કર્મ બધા મુજથી નીકસી, જિન ધ્યાન ધરે તે નર ન ડરે, હટ જાઓ પાપી કર્મ અરે. પ્રભુ૦ ૭. SF (૪૦) શ્રી ગોડીજી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન BE
જિનજી ગોડી મંડણ પાસ કે, વિનંતી સાંભળો રે લો; જિનાજી અરજ કરૂં સુવિલાસ કે, મૂકી આમલો રે લો, જિનજી તુમ દર્શન કે કાજ કે, જીવડો ટલવલે રે લો; જિનજી મહેર
૨૩૯
Page #271
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કરો મહારાજ કે, આશા વિ ફલે રે લો. ૧. જિનજી મન ભમરો લલચાય કે, પ્રભુની ઉલગે રે લો; જિનજી જેમ તેમ મેળો થાય કે, તે કરજો વગેરે રે લો, જિનજી દૂર થકાં પણ નેહ કે સાચો માનજો રે લો, જિનજી તુમથી લહું ગુણ ગેહ કે, અમૃત પાન જો રે લો. ૨. જિનજી પ્રભુ શું બાંધ્યો પ્રેમ કે, તે કેમ વિસરે લો; જિનજી બીજે જાવા નિયમ કે, પ્રભુજી દિલ ઠરે રે લો, જિનજી જોતાં તાહરૂં રૂપ કે, અનુભવ સાંભરે લો; જિનજી તાહરી જ્યોતિ અનુપ કે, ચિંતા દુઃખ હરે રે લો. ૩. જિનજી એઠું ભોજન ખાય કે, મિઠાઈની લાલચે રે લો; જિનજી આતમને હિત થાય કે, પ્રભુના ગુણ રુચે રે લો, જિનજી કર્મ તણાં બલ જોર કે, તેહથી તારિયે રે લા; જિનજી સમકિતના જે ચોર કે, તેહને વારિયે રે લો. ૪. જિનજી નિજ સેવક જાણીને, મુકિત બતાવીયે રે લો; જિનજી કરુણા રસ આણીને, મનમાં લાવીયે રે લો; જિનજીવાચક સહેજ સુંદરનો સેવક, ઈમ કહે રે લો; જિનજી પંડિત શ્રી નિત્ય લાભ કે, પ્રભુજી સુખ લહે રે લો. ૫.
(૪૧) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન (કચ્છી ભાષામાં)
સુઘડ પાસ પ્રભુ રે, દરિસણ વેલડો દિજ્ડ; દરસણ તોજો લાખ ટકનજો, લાખ ટકનો લાખ ટકનજો રે; કામણગારા તોજા નેણ. સુ૦ ૧ સાંહી અસાંજો તું અંઈયે તું અંઈયે તું અંઈયે રે, મિઠડા લગેતા તોજા વેણ. સુ૦ ૨. અધાં થકી અસીં આવિયા આવિયા આવિયારે, સફલ જન્મ થયો અલ્ઝ. સુ૦ ૩. મહેરે કજ જજી મુંમથે મુંમથે મુંમથે રે, બાંહે ગ્રહેજી લજ્મ સુ॰ દિલ લગો મુંજો તો મથે તો મથે તો મથે રે, થેઓસે વેંધો કીંહ. સુ૦ ૪. સજોદી તો કે સંભારીયાં સંભારીયાં સંભારીયાં રે મેહ બાપીયડા જીંહ. સુ૦ ૫. જગમેં દેવ દઠા જજા દઠા જજા દઠા જજા રે, તેં મેં તું વડો પીર સુ૦ અંસી વામાજી જે કે નંદ કે નંદ કે નંદ કે રે. દિરસણે
૨૪૦
Page #272
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
થયાસુ ખલી ખીર. સુ૦ ૬. ગોરજી વંઝા તો જે નામથી નામથા નામથા રે, મુગતિજો દાતાર, સુ0 થરજો ઠાકુર ભેટ્યો ભેટ્યો ભેટ્યો રે, નિત્ય લાભ જો આધાર સુ) ૭. EE (૪૨) શ્રી ગોડી પાર્શ્વનાથનું સ્તવન -
(રાગ-જગજીવન જિનજી) પાસ નિણંદ સદા શિવગામી, વાલોજી અંતરજામી રે, જગજીવન જિનજી, મૂરતિ તાહરી મોહનગારી, ભવિયણને હિતકારીરે. જ0 ૧. વામારે નંદન સાંભલો સ્વામી, અરજ કરૂં શિરનામી રે, જ૦ દેવ ઘણાં મેં તો નયણે રે દીઠા, તુમે ઘણા લાગો છો મીઠા રે. ૪૦ ૨. મેં તો મનમાં તુંહીજ ધ્યાયો, રત્ન ચિંતામણી પાયો રે, જ0 રાત દિવસ મુજ મન માંહે વસિયો હું છું તુમ ગુણ રસિયો રે, ૪૦ ૩. મહેર કરીને સાહિબા નજરે નિહાલો, તુમે છો પરમ કૃપાલો રે, જ0 ગોડીરે ગામમાં તું હિજ સોહિયે, સુરનરનાં મન મોહિયેરે. જ0 ૪. બે કરજોડીને પ્રભુ પાયે લાગું, નિતનિત દરિસણ માગું રે, જ0 દેવ નહિ કોઈ તાહરી તોલે, નિત્ય લાભ એણીપરે બોલે રે. જ૦ ૫.
H (૧) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન ક મેં તો નજીક રહસ્યાં જી, મોરાર સાહેબની મેં તો સેવા કરસ્યાંજી સાહેબની સેવામાં રહીશું, કરશું સુખદુઃખ વાત; આણ વહીને શિવસુખ લ્હસ્ય, લેશું ભવનો પાર. મેં તો ૧ સિદ્ધારથ રાજાનો નંદન, ત્રિશલા દેવી માત, ચોવીસમા જિનના ગુણ ગાશું, નિર્મળ કરશું ગાત. મેં તો ૨ ચાર-પાંચ-સાત-આઠ હણીને, નવશું પરશું નેહ, દસ પોતાના દોસ્ત કરીને, એકને દેશું છેહ. મેં તો૦ ૩ છ ને ઝંડી બેને મંડી, બોલાવીશું બાર, પંદર જણની પાસે ન પડશું, તેરને દેશું માર. મેં તો૦ ૪
-૨૪૧
૨૪૧
Page #273
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સત્તર-પાળી અઢાર-અજવાળી, જીતીશું બાવીશ; ત્રેવીશ-જણને દૂર કરીને, ચિત્ત ધરશું ચોવીશ. મેં તો૦ ૫ ત્રણ-પાંચ સત્તાવીશ, ધરશું બેતાલીશે શુદ્ધ; તેત્રીસ-ચોરાશી ટાળી, આતમ કરશું શુદ્ધ. મેં તો દ ચારમાંનાં બે પરિહરશું, બેનો આદર કરશું એમ શ્રી જિનની આણા વહીને, ભવસાગરથી તરશું. મેં તો ૭ અંગ વિનાનો સંગ ન કરીએ, ઉતરીએ ભવજળ તીર; ઉદય રત્ન કહે ત્રિશલાનંદન, જય જય શ્રી મહાવીર. મેં તો ૮ ક (૨) પ્રભુ મહાવીરદેવને ચંદનબાળાની વિનંતી છE
કરે વિનંતી ચંદનબાળા વીરને રે, .
હારે ઘેર પધારો જીવન જગ આધાર. કરે. એ ટેક. સાખી-મૃગાવતી રાણી અને મંત્રી ત્રીયા ઘરી પ્યાર;
ઈભ્ય શેઠ શેઠાણીઓ, કરે વિનંતી અપાર; લાવી મહેર જરા આ, ગરીબ સેવક ઉપરે રે;
આપો દરિસણ પ્રભુજી, દુઃખડાના હરનાર. કરે. ૧ સાખી-કોઈ વ્હોરાવે લાપસી, પેંડા, મોહનથાળ;
કોઈ વ્હોરાવે લાડવા, વિવિધ ભાત રસાળ; હું તો આપીશ લૂખા, બાકુના વીર પ્રેમથી રે;
તે છોરો તો આવો, પ્રભુજી મહારે દ્વારા કરે. ૨ સાખી-સોવન થાળ રત્ન જડ્યા, કંઈ શોભિત લઈ હાથ;
આપે તેમાં વિધિએ સહી, મેવા પકવાનો સાથ; મ્હારી પાસે સામગ્રી, તે માંહેલી એકે નથી રે;
સૂપડામાં રહેલા છે બાકુળા તૈયાર કરે૦ ૩ સાખી-સોળ શણગાર સજી કરી, ને પહેરે નવરંગ ચીર;
ઊભી ઘર ઘર આંગણે, ને વાટ જોતી પ્રભુ વીર; હું તો બેઠી ઉભટ વેશે, ઉંમર વચ્ચમાં રે; કરતી સ્મરણ પ્રભુનું, શ્વાસ ઉચ્છવાસ મોઝાર. કર૦ ૪
૨૪૨F
૨ ૪૨
Page #274
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ સાખી-મ્હોટાને મોટા ગણે, એહ જગત વ્યવહાર;
મોટા છોટા સરખા ગણે, એહ વિતરાગ આચાર; દયા લાવી પારણું કરો, પ્રભુ ! મુજ હાથથી રે;
હું તો કરગરી અરજ કરૂં છું વારંવાર. કર૦ ૫ સાખી-ઘર ઘર ફરતાં આવીયા, ને વીર પ્રભુ સતી દ્વાર;
એક બોલ અપૂરણ રહૃાો પ્રભુ પાછા વળ્યા તેણીવાર. પૂરવ પુણ્ય વિના, દાન લાભ કયાંથી મળે રે;
એમ ચિંતવતાં ચાલી, આંખે આંસુ ધાર. કર૦ ૬ સાખી-તેર બોલ પૂરણ થયા, ને પ્રભુ આવી ઘર્યા હાથ;
બાકુળા લઈ સતી હાથથી, ને પરણું કરે જગનાથ; સાડી બાર કોડ સુવર્ણ વૃષ્ટિ ત્યાં થઈ રે;
સુરદુંદુભિ વાજે, દેવ કરે જય જયકાર. કર૦ ૭ સાખી-સોળ બોલ પૂરણ થયા, સતી શિર વાળું વાન;
સુખ સઘળાં આવી મળ્યા, જાવો પ્રભાવિક દાન; દક્ષા લીધી સતીએ, વીર પ્રભુના હાથથી રે;
છત્રીસ હજાર સતીઓમાં, મા જી થયા શિરદાર. કરે૦ ૮ સાખી-પાંચ માસ પચ્ચીશ દિને, પારણું કર્યું જગનાથ;
પ્રહ ઉગમતે ભવિજનો, ગાવો સ્તવન સહુ સાથ; વીર મુનિ કહે આપો દાન, સુપાત્રે પ્રેમથી રે; દાનથી જીવ આનંતા, તર્યા છે સંસાર. કર૦ ૯
'(૩) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન , મહાવીર માહરારે વિનતિ સાંભળો હું છું દુઃખીયો અપાર; ભવભવ ભટક્યો રે વેદન બહુ સહી, ચઉ ગતિમાં બહુવાર મહા) ૧ જન્મ-મરણનું દુઃખ નિવારવા, આવ્યો આપ હજાર; સમ્યગદર્શન જો મુજને દીયો, તો લહું સુખ ભરપુર. મહા૦ ૨ રખડી રઝળી રે હું અહીં આવીયો, સાચો જાણી તું એક મુજ પાપી ને રે પ્રભુજી તારજો, તાર્યા જેમ અનેક. મહા૦ ૩
૨૪૩)
Page #275
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ના નહીં કહેશો રે મુજને સાહેબા, હું છું પામર રાંક; આપ દયાળુ ખાસ દયા કરી, માફ કરો મમ વાંક. મહા૦ ૪ ભૂલ અનંતી રે વાર આવી હશે, માફ કરો મહારાજ; શ્રી ચંદ્રોદય લળીલળી વિનવે, બાંહે ગ્રહી રાખો લાજ. મહા) ૫
E (૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન , પંથીડા સંદેશો કહેજો મારા નાથને, વર્તમાન જે ચોવીશમો જિનરાય જો; રાજ ઈહાંથી જઈ સાત ઉંચા તમે રહ્યા, ધ્યાતાં નર નારી હૃદય મોઝાર જો. પંથીડા૧ જે દિનથી પ્રભુ આપ સીધાવીયા, તે દિનથી પ્રભુ જ્ઞાન ખજાનો લૂંટાય જો; આપે જેના રક્ષાકાર કર્યા હતા, તે તો સર્વ કેડે સધાય જો. પંથીડા૨ આપે જે પ્રભુ ધર્મવૃક્ષ રોપ્યો હતો, તે તો ખંડોખંડ કરી વેચાય જો; દિગમ્બર શ્વેતામ્બર આદિ અનેક જો, નિજ નિજ મતિએ ગચ્છાગચ્છ કરાય જો. પંથીડા૦ ૩ કેવલ ને મન:પર્યવ દો નાશી ગયા, લઘુભ્રાતા તસ ઓહી નાણ પણ જાય જો; આવ્યો અજ્ઞાન અંધારાને સાથે લઈ, પ્રગટ્યો ભારતના ચારે ખુણામાંય જો. પંથીડા૪ એના પંથ છતાંએ મન તૃપ્ત નહિ થયો, ચારે ગચ્છમાં એક પંથ જિનરાય જો; કહે જીવદાસ મુંઝાયો પંથ દેખી ઘણા, કેમ કરી પહોચું આપ કને સૌ કહાય જો. પંથીડા૫
૨૪૪
Page #276
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૫) શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન HF. વીરજી સુણો એક વિનતિ મોરી, વાત વિચારો તમે ધણી રે; વિર મને તારો મહાવીર મને તારો, ભવજલ પાર ઉતારોને રે.
વિર૦ ૧ પરિભ્રમણ મેં અનંતા રે કીધાં, હજીએ ન આવ્યો છેડલો રે; તુમે તો થયા પ્રભુ સિદ્ધ નિરંજન, અમે તો અનંતાભવ ભમ્યા રે.
વીર૦ ૨ તમે અમે વાર અનંતી ભેળાં, રમીયા સંસારીપણે રે; તેહ પ્રીત જો પૂરણ પાળો, તો અમને તુમ સમ કરો રે.
વીર૦ ૩ તુમ અમને જોગ ન જાણો, તો કાંઈ થોડું દીજીએ રે, ભવોભવ તુમ ચરણની સેવા, પામી અમે ઘણું રીઝીએ રે.
વિર૦ ૪ ઈદ્રજાળીયો કહેતો રે આવ્યો, ગણધર પદ તેહને દીઓ રે; અનમાળી જે ઘોર પાપી, તેહને જિન ! તમે ઉદ્ધર્યો રે.
વિર૦ ૫ ચંદનબાળાએ અડદના બાકુળા, પડિલાવ્યા તુમને પ્રભુ રે; તેહને સાહુણી સાચી કીધી, શિવવધૂ સાથે ભેળવી રે.
વીર૦ ૬ ચરણે ચંડકોશીયો ડસીઓ, કલ્પ આઠમે તે ગયો રે; ગુણ તો તમારા પ્રભુ મુખથી, સુણીને આવી તુમ સન્મુખ રહ્યો રે.
વીર૦ ૭. નિરંજન પ્રભુ નામ ધરાવો, તો સહુને સરખા ગણો રે; ભેદભાવ પ્રભુ દૂર કરીને, મુજસું રમો એકમેકનું રે.
વર૦ ૮ વેલા મોડા તુમહી જ તારક, હવે વિલંબ શા કારણે રે; જ્ઞાન તણાં ભવના પાપ મિટાવો, વારી જાઉં વીર તોરા વારણે રે.
વિર૦ ૯
૨૪૫
Page #277
--------------------------------------------------------------------------
________________
( અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૬) શ્રી મહાવીર સ્વામીનું જિન સ્તવન |
(ખીલા ઠોકાણા રે વીરના કાનમાં એ રાગમાં પણ ગવાશે) નારે પ્રભુ નહિ માનું, નહીં માનું છું અવરની આણ, મહારે તાહરૂ વચન પ્રમાણ, અવરને નહિ માનું. એ ટેક૦ હરિહરાદિક દેવ અનેરા, તે દીઠા જગમાંય રે; ભામિની ભ્રમર ભ્રકુટિએ ભૂલ્યા, તે મુજને ન સુહાય. નારે૧ કેઈક રાગી કેઈક દ્વેષી, કેઈક લોભી દેવ રે; કેઈક મદ માયાના ભરીયા, કેમ કરીયે તસ સેવ. નારે૦ ૨ મુદ્રા પણ તેહમાં નવિ દીસે, તુજ માંહેલી તલ માત્ર રે; તે દેખી દિલડું નવી રીઝે, શી કરવી તસ વાત. નાર૦ ૩ તું ગતિ તુંમતિ તેમજ પ્રીતમ, તું જીવ જીવન આધાર રે, રાત-દિવસ સ્વપ્રાંતર માંહી, તું મારે નિરધાર. નારે ૪ અવગુણ સહુ ઉવેખીને પ્રભુ, સેવક કરી નિહાલ રે; જગબંધવ એ વિનતિ મોરી, મારા જન્મમરણ દુઃખટાળ. નારે૦ ૫ ચોવીશમાં પ્રભુ ત્રિભુવન સ્વામી, સિદ્ધારથના નંદ રે; ત્રિશલાજીના ન્હાનડીયા પ્રભુ, તુમ દીઠ અતિહિ આનંદ. નારે૦ ૬ સુમતિવિજય કવિરાયનો રે, રામવિજય કરજોડ રે, ઉપકારી અરિહંતજી મારા, ભવોભવના બંધ છોડ. નારે. ૭
E (૭) શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન BE માતા ત્રિશલા નંદકુમાર, જગતનો દીવો રે; મારા પ્રાણ તણો આધાર, વીર ઘણું જીવો રે. આમલકી ક્રીડાથે રમતાં, હાર્યો સુર પ્રભુ પામી રે; સુણજોને સ્વામી આતમરામી, વાત કહું છું શીરનામી રે.
વીર ઘણું જીવો રે માતા. ૧ સુધર્મા સુરલોકે રહેતાં, અમો મિથ્યાત્વે ભરાણાં રે; નાગદેવની પૂજા કરતાં, શિર ન ધરી પ્રભુ આણા રે. વીર૦ ૨
૨૪૬
Page #278
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
એક દિન ઈંદ્ર, સભામાં બેઠા, સોહમતિ એમ બોલે ૨; ધીરજ બલ ત્રિભુવનનું નાવે, ત્રિશલા બાલક તોલે રે.વીર૦ ૩
સાચું સાચું સહુ સુર બોલ્યા, પણ મેં વાત ન માની રે; ફણીધર ને લઘુ બાલક રૂપે, રમત રમિયો છાની રે. વી૨૦ ૪ વર્ધમાન તુમ ધીરજ મોટું, બાળપણામાં નહિ કાચું રે; ગિરુઆના ગુણ ગિરુઆ ગાવે, હવે મેં જાણ્યું સાચું રે. વી૨૦ ૫ એક જ મુષ્ટિ પ્રહારે મહારૂં, મિથ્યાત્વ ભાગ્યું જાય રે; કેવલ પ્રગટે મોહરાયને, રહેવાનું નહીં થાય રે. વીર૦ ૬
આજ થકી તું સાહિબ મારો, હું છું સેવક તારો રે; ક્ષણ એક સ્વામી ગુણ ન વિસારૂં, પ્રાણ થકી તું પ્યારો રે. વીર૦ ૭ મોહ હટાવે સકિત પાવે, તે સુર સ્વર્ગ સિધાવે રે; મહાવીર પ્રભુ નામ ધરાવે, ઈંદ્રસભા ગુણ ગાવે રે. વી૨૦ ૮ પ્રભુ મલપતા નિજ ઘેર આવે, સરખા મિત્ર સોહાવે રે; શ્રી શુભવીરનું મુખડું જોતાં, માતાજી સુખ પાવે રે. વીર૦ ૯
× (૮) શ્રી મહાવીરસ્વામી જિન સ્તવન
વીર જિણેસર પ્રણમું પાયા, ત્રિશલા દેવી માયા રે; સિદ્ધાર્થ રાજા તસ તાયા, નંદીવર્ધન ભાયારે. વીર૦૧ લેઈ દીક્ષા પરિસહ બહુ આયા, શમ દમ શ્રમણ તે જાયા રે; બાર વર્ષ પ્રભુ ભૂમિ ન ઠાયા, નિદ્રા અલ્પ કહાયા રે. વી૨૦ ૨ ચંડકૌશિક પ્રતિબોધન આયા, ભય મનમાં નવિ લાયા રે; ત્રણ પ્રકારે વીર કહાયા, સુર નર જસ ગુણ ગાયા રે. વી૨૦ જગત જીવ હિતકારી કાયા, હરિ લંછન જસ પાયા રે; માન ન, લોભ ન, વળી અકષાયા, વિહર કરે નિરમાયા રે. વીર૦ ૪ કેવલજ્ઞાન અનંત ઉપાયા, ધ્યાન શુક્લ પ્રભુ ધ્યાયા રે; સમોસરણે બેસી જિનરાય, ચઉવિહ સંઘ થપાયા રે. વીર૦ ૫
૩
કનક કમલ ઉપર હવે પાયા, ચઉવિહ દેશના દાયા રે, પાંત્રીશ ગુણ વાણી ઉચરાયા, ચોત્રીશ અતિશય પાયા રે વીર૦ ૬
૨૪૭
Page #279
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શૈલેશીમાં કર્મ જલાયા, જીત નિશાન બુજાયા રે; પંડિત ઉત્તમ વિજય પસાયા, પદ્મવિજય ગુણ ગાયારે. વી૨૦ ૭
TM (૯) શ્રી મહાવીરસ્વામી જિન સ્તવન
તું
આજ જિનરાજ ! મુજ કાજ સિદ્ધા સવે, કૃપાકુંભ જો મુજ કામઘટ કામધેનુ મેહ
તૂઠો;
મિલ્યો,
અમીયરસ
કલ્પતરૂ
આંગણે
વીર તું કુંડપુર રાય સિદ્વારથ
સિંહ લંછન કનક તુજ સમો જગતમાં
વૂઠો
નયર ભૂષણ હુઓ, ત્રિશલા તનુજો;
વર્ણ કર સપ્ત તનુ, કોન દૂજો.
આજ
સિંહ પરે એકલો ધીર આયુ બોહોતેર વરસ પુરી આપાપાયે નિષ્પાપ તિહાં થકી પર્વ પ્રગટી
સિંહ નિશિદીહ જો તું સુગુણ લીહ
તો
આજ૦ ૧
સહસ તુજ ચઉદ મુનિવર મહાસંયમી, સાણી સહા છત્રીશ રાજે; યક્ષ માતંગ સિદ્ધાયિકા વર સુરી, સકલ તુજ ભવિકની ભીતી ભાંજે. આજ૦ ૪ તુજ વચન રાગ સુખ સાગરે ઝીલતો, પીલતો મોહ મિથ્યાત્વ વેલી; આવીઓ ભાવીઓ ધર્મપંથ હું હવે, દીજીએ પરમપદ હોઈ બેલી. આજ
૨૪૮
ર
સંયમ
ગ્રહી,
પૂર્ણ પાળી; શિવવહૂ વર્યો, દીવાળી. આજ૦ ૩
હૃદયગિરિ મુજ રમે, અવિચલ નિરીહો;
માતંગના જૂથથી;
કુમત રંગ મુજ નહિ કોઈ લવલેશ બીહો. આજ૦
૫
S
Page #280
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
ચરણ તુજ શરણ મેં ચરણ ગુણનિધિ ! ગ્રહ્યા, ભવતરણ કરણ દમ શર્મ દાખો; હાથ જોડી કહે જસવિજય બુધ ઈછ્યું, દેવ! નિજ ભવનમાં દાસ રાખો. આજ૦
૭
F (૧૦) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન , સિદ્ધારથના રે નંદન વિનવું, વિનતડી અવધાર, ભવમંડપમાં રે નાટક નાચિયો, હવે મુજ પાર ઉતાર. ૧ ત્રણ રતન મુજ આપો તાતજી, જિમ નાવે રે સંતાપ; દાન દિયંતારે પ્રભુ કોસર કીસી ! આપો પદવી રે આપ. ૨ ચરણ અંગુઠે રે મેરૂ કંપાવિયો, મોડ્યાં સુરનાં રે માન; અષ્ટકર્મના ઝઘડા જીતવા, દીધાં વરસી રે દાન. ૩ શાસનનાયક શિવસુખદાયક, ત્રિશલા કુખે રતન; સિદ્ધારથનો રે વંશ દીપાવિયો, પ્રભુજી તુમે ધન્ય ધન્ય. ૪ વાચકશેખર કીર્તિવિજયગુરુ, પામી તાસ પસાય; ધરમ તણા એ જિન ચોવીશમાં, વિનયવિજય ગુણ ગાય. ૫ ક (૧૧) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન 5
(રાગ-શ્રી ચિંતામણી પાર્શજી વાતo) સરસ્વતી સ્વામીને પાયે લાગું પ્રણમી સદ્ગુરુ પાયારે; ગાઈ શું હૈડે હર્ષ ધરીને, વર્ધમાન જિનરાયારે. મોરા સ્વામી હો તેરા ચરણ ગ્રહીને, નરભવ લહાવો લીજે રે, સૌભાગી જિનના ચરણ ગ્રહી, વૈરાગી જિનના ચરણ ગ્રહીજે; ચરણ ગ્રહીજે શરણ રહીજે, નરભવ લહાવો લીજે રે.
મોરા) ૧ ભારેકર્મી તે પ્રભુ તાર્યા, પાતિકથી ઉગાર્યા રે; મુજ સરીખા તે નવી સંભાર્યા, શું ચિત્તથી ઉતાર્યા રે.
મોરા૦ ૨ ૨ ૪૯
૨ ૪૯
Page #281
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પત્થર પણ કોઈ તીર્થ પ્રભાવે, જલમાં દીસે તરતા રે; તેમ અમે તરશું તુમ પાય વળગ્યા, કેમ રાખો છો અલગા રે.
મોરા૦ ૩ મુજ કરણી સામું મત જોજો, નામ સામું તમે જોજો રે; સાહિબ સેવકના દુઃખ હરજો, તુમને મંગલ હોજો રે.
મોરા૦ ૪ તરણ તારણ તુમે નામ ધરાવો, હું છું ખિજમતગારો રે; બીજા કોણ આગળ જઈ યાચું, મોટા નામ તમારા રે.
મોરા૦ ૫ એહ વિનંતિએ સાહિબ તૂઠા, વર્ધમાન જિનરાયા રે; આપ ખજાના માંહેથી આપો, સમકિતરત્ન સવાયા રે.
મોરા૦ ૬ શ્રી નયવિજય વિબુધ પાય સેવક, વાચક યશ એમ બોલે રે, શાસનનાયક શિવસુખદાયક, નહીં કોઈ વીરજીની તોલે રે.
મોરા) ૭
= (૧૨) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન જગપતિ તું તો દેવાધિદેવ, દાસનો દાસ છું તાહરી; જગપતિ તારક તું કીરતાર, મનનો મોહન પ્રભુ માહરો. ૧ જગપતિ તાહરે ભકત અનેક, માહરે એકજ તું ધણી; જગપતિ વીરમાં તું મહાવીર, મૂરતિ તાહરી સોહામણી. ૨ જગપતિ ત્રિશલારાણીનો હું નંદ, ગંધાર બંદરે ગાજીયો; જગપતિ સિદ્ધારથકુલશણગાર, રાજ રાજેશ્વર રાજીયો. ૩ જગપતિ ભકતોની ભાંગે તું ભીડ, પીડ પરાઈ પ્રભુ પારખે; જગપતિ તુહિ પ્રભુ અગમ અપાર, સમજ્યોનજાયે મુજ સારીખે. ૪ જગપતિ ખંભાતજબૂસર સંઘ, ભગવંત ચોવીસમો ભેટીયો; જગપતિ ઉદય નમે કરજોડ, સત્તર નેવું સંઘ સમેટીયો. ૫
૨૫૦
Page #282
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
૬ (૧૩) શ્રી મહાવીર જિન સ્તવન 5.
(રાગ-દેખ તેરે સંસાર કી) દીન દુઃખીયાનો તું છે બેલી, તું છે તારણહાર, તારા મહિમાનો નહિ પાર, રાજપાટને વૈભવ છોડી, છોડી દીધો સંસાર, તારા મહિમાનો નહિ પાર. ૧ ચંડકોશિયો ડસિયો જ્યારે, દૂધની ધારા પગથી નીકળે; વિષને બદલે દૂધ જોઈને, ચંડકોશિયો આવ્યો શરણે; ચંડકોશિયાને તું તારીને, ઘણો કીધો ઉપકાર. તારા મહિમા૦ ૨ કાનમાં ખીલા ઠોક્યા જ્યારે, થઈ વેદના પ્રભુને ભારે, તોએ પ્રભુજી શાંતિ વિચારે, ગોવાળનો નહિ વાંક લગારે, ક્ષમા આપીને તે જીવોને, તારી દીધો સંસાર. તારા૦ ૩ મહાવીર મહાવીર ગૌતમ પુકારે, આંખેથી આંસુધાર વહાવે; કયાં ગયા એકલા છોડી મુજને, હવે નથી કોઈ જગમાં મારે; પશ્ચાત્તાપ કરતાં ઉપસ્યું કેવલજ્ઞાન. તારા૦ ૪ જ્ઞાન વિમલ ગુરુ મળી રે આજે, ગુણ તમારા ગાયે, થઈને સુકાની તું પ્રભુ આવે, ભવજલ નૈયા પાર ઉતારે; અરજી સ્વીકારી દિલમાં ધારી, કરજે વંદન વાત. તારા૦ ૫ gi (૧૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન , મારા પ્રભુજી મુજને તારો રે વીર જિગંદા, ભવભવના દુઃખ નિવારો રે જ્ઞાની મુણાંદા; વહાલા રે મારા પાપણી મતિ લીધી, મેં પરનિંદા બહુ કીધી રે વીર નિણંદા. ૧ વહાલા રે મારા નરક નિગોદમાં ભમિયો; મેં એને કાળ ગમીયોરે, વીર જિર્ણોદા. ૨ વહાલા રે મારા પરદારામાં ઘણું રાચ્યો; જેમ ફરતો સાંઢ મચ્યો રે વીર નિણંદા. ૩
૨૫૧
Page #283
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વહાલા૨ે મારા ધન રમણીમાં ઘણું રાચ્યો;
વહાલા૨ે - મારા હું લઈને હઈડે
મેં જાતો કાળ ન જાણ્યો રે વીર જિણંદા. ૪ પરધન લેવામાં રસીયો; હસીયો રે વીર જિણંદા. ૫
સેવા ન કીધી તમારી;
મારા
મૂંઝાયો;
વહાલા રે મારા શી ગતિ થાશે અમારી વીર વહાલારે ક્રોધ કષાયમાં હું તેથી ભવમાં બુડ્યો રે વીર વહાલારે મારા સેવક ધારીને સ્થાપો; માણેકને મુકિત આપોરે વીર જિણંદા.
જિણંદા.
જિણંદા. S
૬ (૧૫) શ્રી મહાવીર જિન સ્તવન
પ્રભુજી વીર જિણંદને વંદીએ, ચોવીસમો જિનરાય; હો ત્રિશલાના જાયા પ્રભુજીને નામે નવનિધ સંપજે, ભવદુઃખ સવી મીટી જાય. હો ત્રિશલા૦ ૧ પ્રભુજી કંચનવાન કર સાતનો, જગતાતનો એટલો માન; હો ત્રિશલા પ્રભુજી મૃગપતિ લંછન જતો, ભાંજતાં મદ ગજ માન. હો ત્રિશલા૦ ૨. પ્રભુજી સિદ્ધારથ ભગવંત છો, સિદ્ધારથ કુલ ચંદ; હો ત્રિશલા પ્રભુજી ભક્તવચ્છલ ભવદુઃખ હરૂ, સુરતરૂ સમ સુખકંદ. હો ત્રિશલા૦ ૩. પ્રભુજી ગંધાર બંદર ગુણ નીલો, જગતાત તું જગદીશ; હો ત્રિશલા પ્રભુજી દર્શન દેખીને ચિત્ત ઠર્યું, સર્યું મુજ વંછિત કાજ હો. ત્રિશલા૦ ૪ પ્રભુજી શિવનગરીનો રાજીયો, જગતારણ જિનદેવ, હો ત્રિશલા૦ પ્રભુજી રંગવિજયને આપજો, ભવભવ તુમપાય સેવ હો. ત્રિશલા૦ ૫
(૧૬) શ્રી મહાવીરસ્વામી જિન સ્તવન વીરજિનેશ્વર સાહેબ મેરા, પાર ન લહું તેરા; મહેર કરી ટાળો મહારાજજી, જન્મ-મરણના ફેરા,
૨૫૨
૭
Page #284
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
અબ હું શરણે આયો. હો જિનજી૦ અબ૦ ૧
ગરભાવાસતણાં દુઃખ મોટાં, ઉંધે મસ્તકે રહીયો; મળમુતર માંહે લપટાણો, એવા દુ:ખ મેં સહીઓ, હો જિનજી૦ અબ૦ ૨
હો જિનજી,
નરક નિગોદમાં ઉપન્યો ને ચવિયો, સૂક્ષ્મ બાદર થઈઓ; વિંધાણો સૂઈને અગ્ર ભાગે, માન તિહાં કિહાં રહીયો. હો જિનજી૦ અબ૦ ૩
સહી તે જીવે બહુ; જાણો તમે સહુ
હો જિનજી૦ અબ૦ ૪ વિવેક નહીં લગાર; કેમ ઉતરાયે પાર. હો જિનજી૦ અબ૦ ૫
દેવતણી ગતિ પુન્યે હું પામ્યો, વિષયારસમાં ભીનો, વ્રત પચ્ચક્ખાણ ઉદય નવિ આવ્યાં, તાન માન માંહે લીનો.
હો જિનજી૦ અબ૦ ૬ પામ્યો બહુ પુન્યે; ન ટળી મમંતા બુધે.
હો જિનજી૦ અબ૦ ૭ એક કંચન ને બીજી કામિની, તે શું મનડું બાંધ્યું; તેના ભોગ લેવાને શૂરો, કેમ કરી જિનધર્મ સાધું ?
હો જિનજી૦ અબ૦ ૮ મનની દોડ કીધી અતિ ઝાઝી, હું છું કોક જડ જેવો; કલીકલી કલ્પમેં જન્મ ગુમાયો, પુનરપિ પુનરપિ તેહવો. હો જિનજી૦ અબ૦ ૯
નરક તણી અતિવેદના ઉલસી, પરમાધામીને વશ પડીયો, તે
તિર્યંચ તણા ભવ કીધા ઘણેરા, નિશદિનનો વ્યવહાર ન જાણ્યો,
મનુષ્યજન્મ ને ધર્મસામગ્રી, રાગ-દ્વેષમાંહે છું બહુ ભળીયો,
ગુરુ ઉપદેશમાં હું નથી ભીનો, નાવી સટ્ટણા સ્વામી; હવે વડાઈ જોઈએ તમારી, ખીજમત માંહે છે ખામી.
હો જિનજી૦ અબ૦ ૧૦
૨૫૩
Page #285
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ચાર ગતિ માંહે રડવડીઓ, તોએ ન સિદ્ધાં કાજ; રિષભ કહે તારો સેવકને, બાંહે ગ્રહ્યાની લાજ.
હો જિનજી૦ અબ૦ ૧૧ 5 (૧૭) શ્રી મહાવીર સ્વામી જિન સ્તવન 5 શ્રી સિદ્ધારથ નંદન દેવો, પ્રભુ સેવા કરૂં નિત્યમેવા; દેજો મુજ ભવ ભવ સેવા, જગતગુર વીર પરમ ઉપકારી. પ્રભુ કરુણાનિધિ દાતારી. જગત) એ આંકણી. ૧ સોલ પહોર પ્રભુ દેશના વરસે, સાંભળી ભવિ હૃદયમાં ધરશે; તોરાચરણ કલમ નિત્ય ફરસે, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૨ બ્રાહ્મણ દેવશર્મા જાણે, પ્રતિબોધવા મોકલીયા તે ટાણે; ગૌતમ ચાલ્યા ગુણખાણે, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૩ પ્રતિબોધીને પાછા વળીયા, મારગ માંહે શ્રવણે સાંભલિયા; પ્રભુ મોક્ષ મારગ સંચરિયા, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૪ તે સાંભલી દિલમાં વાત, ગૌતમને થાય વજઘાત; વિવેક ગુણ મણિ ખ્યાત, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૫ હવે કેહને હું કહીશ વીર, ગૌતમ ચિંતવે સાહસવીર; કર્મશત્રુના ત્રોડ્યા જંજીર, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૬ કાતી કૃણ હુઆ નિર્વાણ, પ્રભાતે ઇદ્રભૂતિ કેવલનાણ; જયો જયો ભણે ગુણખાણ, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૭ અઢાર દેશના રાજા મળીઆ, ભાવ દીપક મોલમાં ભળીયા; દ્રવ્ય દીપક ગુણમણિ ભરીયા, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૮ પ્રભુ વરીયા શિવ લટકાળી, ધર્યું ધ્યાન પદ્માસન વાળી; તિમાં પ્રગટી લોક દીવાળી, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૯ મુજ મંદિર સુરતરુ, ફળીયો, પરમાતમ ગૌતમ મળીયો; ગઈ ભાવઠ શુભ દિન વળીયો, જગતગુર વીર પરમ ઉપકારી. ૧૦ સંવત ઓગણીસ પચલોતરા વરશે, દિવાળી દિન મન હર્ષે પ્રભુ મોક્ષ વર્યા શુભ દિવસે, જગતગુરુ વીર પરમ ઉપકારી. ૧૧
૨૫૪
Page #286
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
gi (૧૮) શ્રી મહાવીર જિન સ્તવન fi, | (આજ સખી સંખેશ્વરો-રાગ) શ્રી મહાવીર મનોહરું, પ્રણમું શિર નામી; કંત જશોદા નારીનો, જિન શિવગતિ પામી. શ્રી ૦ ૧ ભગિની જાસ સુદંસણા, નંદીવર્ધન ભાઈ; હરિ લંછન હેરાલુ, સહુકોને સુખદાયી. શ્રી - ૨ સિદ્ધાર્થ ભૂપતિ તણો, સુત સુંદર સોહે; ત્રિશલાદેવીનો નંદન, ત્રિભુવન મન મોહે. શ્રી ૦ ૩ એક શત દશ અધ્યયન જે, પ્રભુ આપ પ્રકાશે; પુચ પાપ ફલ કેરડાં, સુણે ભવિક ઉલ્લાસે. શ્રી ૦ ૪ ઉત્તરાધ્યન છત્રીશ જે, કહે અર્થ ઉદાર; સોલ પહોર દીયે દેશના, કરે ભવિ ઉપકાર. શ્રી ૦ ૫ સર્વાર્થસિદ્ધ મુહૂર્તમાં, પાછલી જે રયણી; યોગનિરોધ કરે તિહાં, શિવ નીસરણી. શ્રી ૦ ૬ ઉત્તરાફાલ્ગની ચંદ્રમા, જોગે શુભ આવે; અજરામર પદ પામીયા, જય જય રવ થાવ. શ્રી ૦ ૭ ચોસઠ સુરવર આવીયા, જિન અંગ પખાલી; કલ્યાણક વિધિ સાચવી, પ્રગટી દીવાલી. શ્રી ૦ ૮ લાખ કોડી ફલ પામીયે, જિન ધ્યાને રહીયે; ધીરવિમળ કવિરાજનો જ્ઞાનવિમળ કહીયે;
શ્રી મહાવીર મનોહરૂં પ્રણમું શિર નામી. શ્રી ૦ ૯ F (૧૯) સમવસરણ-વર્ણનગર્ભિત-શ્રી વદ્ધમાન
જિન સ્તવન ક (વંદના વંદના વંદના રે, જિનરાજકું સદા મોરી વંદના એ-દેશી) એક વાર વચ્છ દેશ આવજો. નિણંદજી! એક વાર વચ્છ દેશ આવજો, જયંતીને પાયે નમાવજો જિણંદજી! એક વાર૦ વળી સમવસરણ દેખાવજો-નિણંદજી ! એક વાર૦ ૧.
૨૫૫
Page #287
--------------------------------------------------------------------------
________________
અર્હદ
દ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સમવસરણ શોભા જે દીઠી, ક્ષણ ક્ષણ સાંભરી આવશેજિણંદજી !૦ ભૂતલ સુગંધી જલ વરસાલે, ફૂલના પગર ભરાવશેજિણંદજી !૦ ૨.
કનક રતનની પીઠ કરીને, ત્રિગડાની શોભા રચાવશે-જિણંદજી ! રૂપાનો ગઢ ને કનક કોસીસાં, વચ્ચે વચ્ચે રતન જડાવશે. જિણંદજી !૦ ૩.
રણ ગઢે મણિનાં કોસીસાં, ઝગમગ જ્યોતિ દીપાવોજિણંદજી !૦ ચાર દુવારે એંસી હજારા, શિવ-સોપાન ચડાવજો જિણંદજી !૦ ૪.
દેવ ચારે કર આયુધ ધારી, દ્વારે ખડા કરે ચાકરી-જિણંદજી !૦ દૂર પાસેથી એક સમયે વદો, જયંતીને લઘુ છોકરીજિણંદજી !૦ ૫.
સહસ યોજન ધ્વજ ચાર તે ઉંચા, તોરણ આઠ ચઉં વાવડી-જિણંદજી ! મંગળ આઠ ને ધૂપઘટકા, ફૂલમાળા કર ફુટડી. ૬.
આઠ સુરી બીજે ગઢ દ્વારે, જાતિ-વૈર ઠંડી પશુ
જિણંદજી !૦ ૭.
રયણ ગઢે ચઉ દેવતા-જિણંદજી !૦ પંખી, તુજ પદકમલને સેવતા
પંચવરણ-મયી જલ થલ કેરાં ફૂલ અમર વરસાવતાજિણંદજી !૦ પરષદા સાત તે ઉપર બેસે, મુનિ નર-નારી દેવતા જિણંદજી !૦ ૮.
આવશ્યક ટીકાયે પડ-ઉતર, થાયે ન કુસુમ કિલામણાજિણંદજી ! સાધવી વૈમાનિકની દેવી, ઉભી સુણે દોય ચૂરણીજિણંદજી !૦ ૯.
૧. ચાતુરસ્ત્ર સમવસરણના બહારના વપ્રની ચારે બાજુએ જમીન ઉપર ખૂણે ખૂણે બબે વાવો હોય છે. અને વૃત્ત-ગોળ સમવસરણમાં એક એક વાવ હોય છે. એટલે ચતુરસ્ત્ર(ચાર ખુણાવાળા) માં આઠ ને ગોળમાં ચાર વાવડ઼ીઓ હોય છે.
૨૫૬
Page #288
--------------------------------------------------------------------------
________________
1. સ્તવન વિભાગ બત્રીશ ધનુષ અશોક તે ઉંચો, ચામર છત્ર ધરાવજોનિણંદજી !૦ ચઉમુખ રયણ-સિંહાસન બેસી, અમૃત વયણાં સુણાવજોનિણંદજી !૦ ૧૦. ધર્મચક્રભામંડલતેજે, મિથ્યા-તિમિર હરાવજો-નિણંદજી ! ગણધર-વાણી જબ અમે સુણીએ, તવ દેવછંદે સુહાવજોજિણંદજી !૦ ૧૧. દેવતાસુર કવિ સાચું બોલે, જિહાં જાશો તિહાં આવશેજિણંદજી ! રંભાદિ અપચ્છરાની ટોળી, વંદી નમી માનશું જિણંદજી !૦ ૧૨. અંતરજામી દૂરે વિચરો, અમ ચિત્ત ભજશું જ્ઞાનશું નિણંદજી !0 હૃદય થકી દૂર જો જાઓ, તો સારું કરી માનશું જિણંદજી !૦ ૧૩. સુલાસાદિક નવ જિનપદ દીધાં, અમશું અંતર એવડોનિણંદજી !૦ વીતરાગ જો નામ ધરાવો, સહુને સરીખા ત્રેવડો નિણંદજી !૦ ૧૪. જ્ઞાન નજરથી વાત વિચારો, રાગદશા અમ રૂઅડી-નિણંદજી !૦ સેવક રાગે સાહિબ રીઝે, ધન ધન ત્રિશલા માવડીનિણંદજી !૦ ૧૫. તુમ વિણ સુરપતિ સઘળા તુસે, પણ અમે આમણા દુમણા નિણંદજી !૦ શ્રી શુભવીર હજૂરે રહેતાં, ઓચ્છવરંગ વધામણાંનિણંદજી !૦ ૧૬. F (૨૦) શ્રી વીર-શોભા વર્ણન સ્તવન :
(રાગ-ઋષભની શોભા હું શી કરું) વંસિદ્ધ ભગવંતને, પ્રણમું સદ્ગુરુ પાય રે, ઋદ્ધિ વખાણુંરે-વીરની, ત્રણ ભુવનનો જે રાય રે.
વીરની શોભા હું શી કરું. વીરની. ૧ શ્રી સિદ્ધારથ રાજીયો, ક્ષત્રિય કુલ અવતંસ રે; જેહનો તાત વખાણીએ, નિરમલ ઉત્તમ વંશ રે. વીરની ૨
૨૫૭
Page #289
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા બહેની ચેડા મહારાયની, સતીય શિરોમણી ધન્ન રે; ધનધન ત્રિશલાદે માવડી, કુખે પુત્ર રતન રે. વરની ૩ સુરપતિ ચકી ને હળધરા, વાસુદેવ વડસાજ રે; જગમાં પદવી જોતાં થકાં, ઉત્તમ પદવી છે ખાસ રે. વીરની ૪ ચાર કોશના શહેરમાં, છાજે છત્રપતિ ભાણરે; રયણ સિંહાસન ઉપરે, હુકમ કરે પ્રણામ રે. વીરની ૫ હાંસા પાસા છે હાથમાં, રત્નજડિત ઝલકાર રે; નહિ પુકાર પ્રભુ આગલે, ચોસઠ ઈન્દ્ર છડીદાર રે. વીરની ૬ ત્રણભુવનનોરે પાદશાહ, પટ્ટધરજેહના અગિયારરે, અક્ષય ખજાનો છે જેહનો, દ્વાદ્રશું અંગી ધરનાર રે. વીરની) ૭ ચઉદ પૂર્વધર દીપતા, ત્રણસે ખાસ્સા પ્રધાન રે; ચાર હજારને ચારશે, દીપે ખાસ્સા દિવાન રે. વીરની ૮ વિપુલમતિ જેહની નિર્મલી, પાંચશે મોટા વજીર રે; સંખ્યા છે જેહની સાતશે, કેવલી પરમ સુધીર રે. વીરની૦ ૯ ચરણ કરણ ગુણ આગલા, બુદ્ધિ જ્ઞાન ભંડાર રે; મહેતા કામદાર દુતિયા, વંદું ચૌદ હજાર રે. વીરની ૧૦ એક લાખ ઉપર જાણીએ, ઓગણસાઠ હજાર રે; સમકિતતીખીતલવાર છે, શ્રાવકખાસા અસવાર રે. વીરની ૧૧ પાયદળ કોટાકોટી કહ્યાં, અણહુતા સુર કોડ રે; ચક્રી વાસુદેવ નરપતિ, સેવે બે કર જોડ રે. વીરની ૧૨ વર્ણવ્યો રૈલોકી બાદશાહ, વટપદ્ર નગર મોઝાર રે; દીપવિજય કવિરાયનો, સંઘને જયજયકાર રે. વીરની ૧૩
(૨૧) શ્રી મહાવીરસ્વામી સ્તવન 5 તેરો દર્શન મન ભાયો ચરમ જિન! તું પ્રભુ કરુણારસમય સ્વામી ગર્ભમેં સોગ મીટાયો, ત્રિશલામાતાકું આનંદ દીનો, જ્ઞાતનંદન જગગાયો. ચ૦ ૧
૨૫૮
Page #290
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
વરસીદાન દે રોરતા વાળી, સંયમરાજય ઉપાયો; દીનહીનતા કબુય ન તેરે, સચિઆનંદ રાયો. ચ૦ ૨ કરુણામંથન નયને નિહાળી, ચંડકૌશિક સુખદાયો; આનંદરસભર સરગ પહુંતો, ઐસા કૌન કરાયો. ચ૦ ૩ રત્નકંબલ બ્રિજવરકો દીન, ગોશાલક ઉધરાયો; જમાલી પન્નર ભવ અંતે, મહાનંદ પદ ઠાયો. ચ૦ ૪ મત્સરી ગૌતમકો ગણધારી, શાસનનાયક ઠાયો; તેરે અવદાત ગિનું જગ કેતે, તું કરુણાસિંધુ કહાયો. ચ૦ ૫ હું બાલક શરણાગત તેરો, મુજકો કયું વિસરાયો; તેરે વિરહસે હું બહુ દુઃખ પામું, કર મુજ આતમરાયો. ચ૦ ૬
ક (૨૨) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન fi તાહરે વયણે મનડું વધ્યું રે, ગિરૂઆ ગુણ દરીયા, તાહરે ચરણે ચિત્તડું ચોટયું રે, મીઠડા ઠાકુરીયા; સાકર દ્રાખ થકી પણ અધિકી, મીઠી તાહરી વાણી, સાંભળતા સંતોષ ન થાયે, અમૃત રસની ખાણીરે. ૧ વયણ તમારું સાંભળવાને, પ્રભુ આશક થઈને રહીયો; મુખડાનો મટકો નિરખતાં, ફરી ફરી ભામણે જઈએ રે. ૨ ઋદ્ધિવંતા બહુ રાજ્ય તજીને, જે મુજ વયણના રસીયા; સઘળી વાત તણો રસ છોડી, આવી તુજ ચરણે વસીયા. ૩ સુરનર મુનિ જનને મન માની, પાંત્રીસ ગુણની ખાણી; જગનાયક પ્રભુ વીરની વાણી, બુઝયા સુણી બહુ પ્રાણી રે. ૪ ત્રણ ભુવનને પાવન કરવા, નિર્મળ છે વીર વાણી; ઉદય રત્ન કહે ભવજલ તરવા, સહી તે નાવ સમાણી રે. ૫ ક (૨૩) શ્રી દિવાળીનું (મહાવીર પ્રભુનું) સ્તવન -
મારગદેશ મોક્ષનો રે, કેવલ જ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પર ઉપગારી પ્રધાન. વીર૦ ૧
'
૨૫૯
Page #291
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વીર પ્રભુ સિદ્ધ થયા, સંઘ સકલ આધાર રે; હવે ઈણ ભરતમાં, કોણ કરશે ઉપગાર રે. વીર૦ ૨ નાથ વિણું સૈન્ય જ્યું રે, વીર વિહૂણો રે સંઘ; સાધે કોણ આધારથી રે, પરમાનંદ અભંગ રે. વી૨૦ ૩ માતવિભ્રૂણા બાલ જ્યં રે, અરહો પરહો અથડાય; વીર વિઠૂણા જીવડા રે, આકુલ વ્યાકુલ થાય રે. વી૨૦ ૪ સંશયછેદક વીરનો રે, વિરહ તે કેમ ખમાય; જે દીઠે સુખ ઉપજે રે, તે વિણ કેમ રહેવાય રે. વી૨૦ ૫ નિર્યામક ભવસમુદ્રનો રે, ભવ અટવી સવાહ; તે પરમેશ્વર વિણ મળે રે, કેમ વાધે ઉત્સાહ રે. વી૨૦ ૬ વીર થકાં પણ શ્રુત તણો રે, હતો પરમ આધાર; હવે ઈહાં શ્રુત આધાર છે રે, અહો જિનમુદ્રા સાર રે. વી૨૦ ૭ ત્રણ કાળે સવિ જીવને રે, આગમથી આણંદ; સેવો ધ્યાવો ભવિજના રે, જિનપડિમા સુખકંદ રે. વીર૦ ૮ ગણધર આચારજ મુનિરે, સહુને ઈણિપ૨ે સિદ્ધ; ભવભવ આગમ સંગથી રે, દેવચંદ્ર પદ લીધ રે. વી૨૦ ૯
૬ (૨૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન (રાગ-જિનજી મુજ પાપીને તાર)
કોડી ગમે ગુન્હા કર્યાજી, વિષય થયો લયલીન; તે બક્ષીસ હવે કરોજી, અરિહંત વીર અમીન. જિનેશ્વર શાસનનો શણગાર. ૧ ઓલંગીયા ઓલંભડેજી, મત આણો મન રીશ; જે પૂંઠે સરજયા સદાજી, જંપે ઈમ જગદીશ. જિનેશ્વર૦ ૨ લળી લળી લટકે પાયેપડુંજી, વળી વળી વિનવું એહ; સમકિત ચિત્ત નિમશું મલ્યોજી, મત મુકાવો તેહ. જિનેશ્વર૦ ૩ કહો કેણી પરે કીજીયેરે, વહાલો તું વીતરાગ; ભગતે કંઈ ન રંજીયેજી, લાલચનો શો લાગ. જિનેશ્વર૦ ૪
૨૬૦
Page #292
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
દયાના દાતા ધન તણોજી, ત્રાતા તું જિનરાય; કેવલ લક્ષ્મી વર કરો), મેઘવિજય ઉવજઝાય. જિનેશ્વર૦ ૫ *
૬ (૨૫) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન 5.
(રાગ-આજ અનોપમ દીવાળી) નવ કનક કમલ પગલાં ધરતાં, વળી ચોત્રીસ અતિશય અનુસરતાં, સવિ જીવ ઉપર કરૂણા કરતા, સખી વિરજિસંદ મહાવીર નિણંદ; સખી વર નિણંદ પાવાપુરી, ઉદ્યાનમાં આવી સમોસર્યા...૧. મણી રજત કનક વD ભરી, કરી સમવસરણ શોભા સારી; મલ્યા સુરનર પતિ સેવાકારી. સખી વર નિણંદ૦ ૨. દેવ વાજિંત્ર ગગને ગાજે છે, સુણી કુમતિ કદાગ્રહ લાજે છે; રે પ્રભુની ઠકુરાઈ છાજે છે, સખી વીર સિંદ૦ ૩. ઇદ્રભૂતિ પ્રમુહા આવે છે, સર્વજ્ઞનું બિરૂદ ધરાવે છે; જિન વીરશું વાટ મચાવે છે, સખી વીર નિણંદ) ૪. સુણી વેદ અવર મદ ગળીયા છે, જીવાદિક સંશય ટળીયા છે; જિન ચરણે મનમાં મલીયાં છે. સખી વીર નિણંદ૫. દીક્ષા પ્રભુ હાથે લીધી છે, ત્રીપદી જિનરાજે દીધી છે; અંગ બારની રચના કીધી છે, સખી વીર જિણંદ) ૬. હરી ચુરણ વાસ કરી, રંગ, ભરી થાળ રચ્યો જિનને ચંગે; રે પ્રભુ ગણધર શીર હવે ઉછરંગે, સખી વીર નિણંદ) ૭. સુરનર નારી મંગળ જાણે, કરે ગહેલી ભાવ ભકતે આણી જિનરાજ વધારે ગુણખાણી, સખી વીર સિંદ૦ ૮. શ્રી પ્રભુ પદ પદ્મ નમી ભાવે (ગા), દિલમાં આગમ વાણી ધ્યાવે; નિજ રૂપવિજય સંપત પાવે, સખી વીર નિણંદ મહાવીર જિણંદ ૯ 5 (૨) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન ક
(રાગ-વાસુપૂજ્ય જિન). વીર નિણંદ જંગત ઉપકારી, મિથ્યા ધામ નિવારીજી; દેશના અમૃત ધારા વરસી, પર પરણીતી સવી વારીજી. વી. ૧
૨ ૬૧
Page #293
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પાંચમે આરે જેહનું શાસન, દોય હજાર ને ચારજી; યુગપ્રધાન સૂરીશ્વર વહસે, સુવિહિત મુનિ આધારજી. વી. ૨ ઉત્તમ આચરજ મુનિ અજ્જા; શ્રાવક શ્રાવિકા અચ્છજી; લવણ જલધિ માંહે મીઠું જલ, પીવે શૃંગી મચ્છજી. વી. ૩ દશ અચ્છેરે દુષિત ભરતે, બહુમત ભેદ કરાલજી; જિન કેવલી પૂર્વધર વિરહે, ફણીસમ પંચમકાલજી. વીવે ૪ તેહનું ઝેર નિવારણ મણીસમ, તુજ આગમ તુજ બિંબજી; નિશિ દિપક પ્રવહણ જિમ દરિયે, મરૂમાં સુરતરૂ લેબજી વી. ૫ જૈનાગમ વકતા ને શ્રોતા, સ્યાદ્વાદ સુચિ બોધજી; કલીકાલે પણ પ્રભુ તુજ શાસન, વરતે છે અવિરોધજી. વીવે ૬ મારે તો સુસમાથી દુષમા, અવસર પામ્યો નિધાનજી; ક્ષમાવિજય જિન વીર સદાગમ, પામ્યો સિદ્ધિ નિદાનજી. વી. ૭
i (૨૭) મહાવીરસ્વામીનું સ્તવન . વંદો વીર જિસેસર રાયા, ત્રિશલા માતા જાયાજી; હરિ લંછન કંચનવન કાયા, મુજમન મંદિર આયોજી. વંદો) ૧ દુષમ સમયે શાસન જેહનું, શીતલ ચંદન છાયાજી; જે સેવંતા ભવિજન મધુકર, દિન દિન હોત સવાયાજી. વંદો૨ તે ધન્ય પ્રાણી સદ્ગતિ માણી, જસ મનમાં જિન આયાજી; વંદન પૂજન સેવન કીધી, તે કાં જનની જાયાજી. વંદો૦ ૩ કર્મ કટર ભેદન બલ વતર, વીર બીરૂદ જેણે પાયાજી; એકલ મલ્લ અતુલી બલ અરિહા, દુશમન દૂર ગમાયાજી. વંદો, ૪ વાંછિત પૂરણ સંકટ ચૂરણ, તું માત પિતા સહાયાજી; સિંહ પરે ચારિત્ર આરાધી, સુજશ નિશાન બનાયાજી. વંદો, ૫ ગુણ અનંત ભગવંત વિરાજે, વર્ધમાન જિન રાયાજી; ધીરવિમલ કવિ સેવકનય કહે, શુદ્ધ સમકિત ગુણદાયાજી. વંદો) ૬
૨ ૬ ૨
Page #294
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૨૮) શ્રી મહાવીર સ્વામીનું સ્તવન -
મહાવીર તુમારે શરણે આવ્યો, રાખો મારી લાજ; મુજ દીન દુઃખીયો જાણી વાલા, સારો મારા કાજ, પ્રભુ ત્રિશલા નંદન સ્વામી, તુજ કીર્તિ જગમાં જામી; તમે જ્ઞાન દિવાકર પામી, પામી થયા શિવધામી વા૦ મ૦ ૧. તુજ દરિસણથી હું આજ, પામ્યો છું ઘર્મ જહાજ; મને તારોને શિરતાજ, પ્રભુ તું છે ગરીબ નિવાજ. વાવ મ૦ ૨. પ્રભુ અલવેશ્વર અવિનાશી, સ્વરૂપ રમણ સુવિલાશી; મને આપો સદ્ગણ રાશી, આપી કરો સુવિલાશી વા૦ મ૦ ૩. નાથ નિરંજન પ્યારા, પ્રભુ દુઃખ હરોને મારા; શિવસુખના દેનારા, ખોલો શિવપુરના બારા. વા૦ મ૦ ૪. કરૂણા નજરથી તારો, જાણી લેવક તુમારો, મને કર્મના ભયથી વારો, આ દાસને દિલ ધારો. વા૦ મ૦ ૫. પ્રભુ અજર અમર જંગ સ્વામી, હું પાય પડું શિરનામી; નીતિથી ઉદય પામી, તુમ સેવાનો છું કામી. વા૦ મ૦ ૬.
| SE (૨૯) શ્રી વીરપ્રભુનું સ્તવન • વંદો વીર જિનેશ્વર રાયા, ત્રિશલા દેવી જાયા રે; હરિ લંછન કંચન વન કાયા, અમરવધૂ ફુલરાયા રે. વંદો૧ બાલપણે સુરગિરિ ડોલાયા, અહિ વૈતાલ હરાયા રે; ઈદ્ર કહણ વ્યાકરણ નિપાયાં, પંડિત વિસ્મય પાયા રે. વંદો૦ ૨ ત્રીસ વરસ ઘરવાસ વસાયા, સંયમ થ્રુ લય લાયા રે; બાર વરસ તપ કર્મ , ખપાયા, કેવલનાણ ઉપાયા રે. વંદો૦ ૩ ક્ષાયિક શ્રેણી અનંતી પાયા, અતિશય અધિક સુહાયા રે, ચાર રૂપ કરી ધર્મ બતાયા, ચઉવિહ સુર ગુણ ગાયા રે. વંદો૦ ૪ તીન ભુવન મેં આણ મનાયા, દશ દોય છત્ર ઘરાયા રે; રૂપ કનક મણિ ગઢ વિરચાયા, નિગ્રંથ નામ ધરાયા રે. વંદો) ૫ રયણ સિંહાસન બેસણ ડાયા, દુંદુભિનાદ બજાયા રે, દાનવ માનવ વાસવ આયા, ભકતે શીશ નમાયા રે. વંદો) ૬
૨ ૬૩
-
Page #295
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પ્રભુ ગુણ ગણ ગંગાજલ નાહ્યા, પાવન તેહની કાયા રે; પંડિત ક્ષમાવિજય સુપસાયા, સેવક જિન સુખદાયા રે. વંદો ૭
૬ (૧) શ્રી ગૌતમસ્વામીનો વિલાપ (રાગ-પંથીડા સંદેશો કહેજો મારા નાથને)
તારા વિના વીર કોની સાથે બોલશું, જંગલ વન લાગે છે આ સંસાર જો; વિધ વિધ શાસ્ત્રતણો આલાપ કરૂં કિહાં, ભોજન પણ વિ ભાવે તુમ વિણ નાથ જો. તારા વિના૦ ૧
કાર્ય સકળ કરવા તુજ અનુમિત માગતો, એહવી હે વીર ! કોણથી પ્રાપ્ય જ થાય જો,
પ્રેમ પ્રકર્ષે હર્ષ હતો મુજ આંતર; નિરાશ્રિત કરી આપ ચાલ્યા શિવસ્થાન જો. તારા વિના૦ ૨
અમૃત અંજન સમ પ્રભુ દર્શન તાહરૂં, કરવા અતિ અમ્બ અંતર ઈચ્છા થાય જો; સ્વામી નીરાગી છતાં હું તમને વિનવું, શિષ્ય ગણી લો સાથે દીનદયાળ જો. તારા વિના૦
રાગદશા એ બંધન આ સંસારનું, એહવી તારી વાણીનો પ્રતાપ જો;
આજ ખરેખર અંતરથી મેં અનુભવી,
બાહ્ય દ્દષ્ટિથી સ્વામી શિષ્ય ગણાય જો. તારા વિના૦ ૪
કેના વીર ને કેના સ્વામી જાણવા, શ્રીયુત ગૌતમ એ ભાવે તપ જો; નિજ સ્વરૂપી કેવળકમળા વરી થયા, ભવી પ્રગટાવો એ ભાવે નિજ રૂપ જો.
તારા વિના વીર કોની સાથે બોલશું. ૫
૨૬૪
Page #296
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
૬ (૨) શ્રી ગૌતમસ્વામીનો વિલાપ ક
(રાગલવીંગ કેરી લાકડી રેનત્રિશલામાતા પારણું ઝુલાવે) મહાવીરસ્વામી મોક્ષે પધાર્યા, ગૌતમ બોલે રે. ગુરુની વાતે વાત સાંભરી હૈયું ખોલે રે. વીર ! વીર ! તે આ શું કીધું, શું વીરતાનું પગલું લીધું
ટળવળતો તરછોડ્યો મુજને, ભૂમિને ખોળે રે. ૧ હે ભગવંત! એ શબ્દો દ્વારા, કેને સંબોધીશ પ્રભુ પ્યારા;
ગૌતમ ગૌતમ, મીઠી વાણી, હવે કોણ બોલે રે. ૨ મારા શંકા કોણ નિવારે, અવળા ચમા કોણ ઉતારે;
નાથ વિના જગને આનંદમાં, કોણ હીંચોળે રે. ૩ મધુરી વાણીથી લોભાવ્યો, શંકા ટાળી શિષ્ય બનાવ્યો;
તો હવે એકલો મૂકી જતાં, લોક શું બોલે રે. ૪ ભય લાગ્યો રખે છેડો પકડું, કાંતો માગીશ શિવ રમકડું;
એકલા મોક્ષમાં જઈને બેઠાં, મૌન અબોલે રે. ૫ હે વીર ! વીર વીર વીતરાગી, હા હવે સમજ્યો તમે વિરાગી;
પણ એક પખીયો રાગ જ મારા મનને ડોળે રે. દ વીતરાગ છો સાચા સ્વામી, એ હવે સમજ્યો અનુભવ પામી;
મોહ વશે મેં અવળું ધાર્યું, રાગને જોળે રે. ૭ એમ વીતરાગ સ્વરૂપ પીછાની, કેવળજ્ઞાની ગૌતમસ્વામી;
અન્યત્વ ભાવના ચરિત્ર દર્શન, જય જય બોલે રે. ૮
E (૩) શ્રી ગૌતમ નિર્વેદ સ્તવન ક
(રાગ ત્રિશલા માતા પારણું ઝુલાવે) વીર નિસનેહી હું સસનેહી, મોકલ્યો મને ગામ રે; વિશ્વાસો વીરે છેતરીયો, પહોંચ્યા અક્ષય ધામ રે. વિર૦ ૧ હૈ હૈ વીર કર્યું અણઘટતું, ગોયમ પભણે નાથ રે; અંત સમે મુજને છેહ દીધો, શું હું આવત સાથ રે. વિર૦ ૨
Page #297
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નીકા ગોયમ ગોયમ કોણ હવે કરશે? પ્રતિ ઉત્તર કોણ દેશે રે? સંઘસહાય વીર વિણ કોણ કરશે? કોણ સંશય હવે હરશે રે. ૩ અસ્ત થયો જિન ભાનુ આજે, મિથ્યા તિમિર છવાશે રે, કુમતિકૌશિક જાગૃત થશે, ચોરચુગલ વધી જાશે રે. વી૨૦ ૪ ચૌદ સહસ મુનિવર પ્રભુ તારે, મારે તું એક વીર રે; રડવડતો મૂકી અહિ ચાલ્યા, સાંકડું થયું શિવ છેક રે વીર૦ ૫ આજ લગે સ્વપનાંતર અંતર, મોપે તુજ સાથ ન રાખ્યો રે; મોહન મુજ મન ચોરી લીધું, તુજ મન નેહ ન દાખ્યો રે. વીર દ પુણ્ય પ્રભુ કોણ હવે કરશે, તુજ વિણ જગદાધાર રે, ત્રિગડે બેસી વીર વ્હાલા, ઘો દરિસણ એકવાર રે. વીર૦ ૭ પણ હું અજ્ઞ એ વાટે ચાલ્યા, ન મળે ફરી નિરધાર રે, હું રાગી મહાવીર નિરોગી, સાધ્યો સ્વાર્થ શ્રીકાર રે. વર૦ ૮ હું વીર વીર કહું વીર ન બોલાવે, સ્વારથીઓ સંસાર રે; નિષ્ફર હૈડાં નેહ ન કીજે, નેહથી ભવજંજાળ રે. વીર૦ ૯ હું કોણ વીર કોણ નહિ કોઈ કોઈનું, રાગે ભવદુઃખખાણ રે; સહજકલાનિધિ ગોયમને તવ, પ્રગટ્ય કેવલજ્ઞાન રે. વીર૦ ૧૦ આશ્ચિન માસ અમાસની રાતે, ભાવદીપક થયો અસ્તરે દ્રવ્યદિવાળી દેવે કીધી, પ્રગટી લોક સમસ્ત રે. વર૦ ૧૧
(૪) શ્રી ગૌતમસ્વામીનું સ્તવન gi વીર વહેલા આવો રે, ગૌતમ કહી બોલાવો રે. દરિસણ વહેલા દીજીયે હોજી, પ્રભુ તું નિઃસ્નેહી હું સસ્નેહી અજાણ, વીર૦ એ આંકણી.
--
---
----
-
-
-
---
સાખી
ગૌતમ ભણે ભો નાથ તે, વિશ્વાસ આપી છેતર્યો પરગામ મુજને મોકલી, તું મુકિતરમણીને વર્યો. પ્રભુજી તારા ગુપ્ત ભેદોથી અજાણ. વીર૦ ૧
૨ ૬ ૬
Page #298
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
સાખી શિવનગર થયું શું સાંકડું કે, હતી નહિ મુજ યોગ્યતા કહ્યું હોત જો મુજને, તો કોણ કોઈને રોકતાં. પ્રભુજી હું શું માગત ભાગ સુજાણ. વીર૦ ૨
સાખી મમ પ્રશ્નનો ઉત્તર દઈ, ગૌતમ કહી કોણ બોલાવશે; કોણ સાર કરશે સંઘની, શંકા બિચારી કયાં જશે. પુણ્ય કથા કહી પાવન કરો મુજ કાન. વિર૦ ૩
સાખી
જિન ભાણ અસ્ત થતાં, તિમિર મિથ્યાત્વ સઘળે જાગશે; કુમતિ કુશલ્ય જાગશે, વળી ચોર ચુગલ વધી જશે. ત્રિગડે બેસી દેશનાં દીયો જિનભાણ. વર૦ ૪
સાખી
મુનિ ચૌદ સહસ્ત્ર છે તાહરે, વીર માહરે તું એક છે; રડવડતો મિહને મુકી ગયા, પ્રભુ ક્યાં તમારી ટેક છે. સ્વપ્નાંતરમાં અંતર ન ધર્યો સુજાણ. વી૨૦ ૫
સાખી
પણ હું અજ્ઞ વાટ ચાલ્યો, ન મળે કોઈ અવસર રે; હું રાગ વશ રખડું નિરાગી, વીર શિવપુર સંચરે. હું વીર વીર કહું વીર ન ધરે કાંઈ ધ્યાન. વર૦ ૬
સાખી કોણ વીરને કોણ ગૌતમ, નહિ કોઈ કોઈનું કદા; એ રાગ ગ્રંથથી છૂટતાં, તે જ્ઞાન ગૌતમને થતાં. સુરતરુ મણિ સમ ગૌતમ નામે નિધાન. વીર૦ ૭
સાખી કાર્તિક માસે અમાસ રાતે અષ્ટ દ્રવ્ય દીપક મળે ભાવદીપક જ્યોત લોકો, દેવ દીવાળી ભણે. વીર વિજયનાં નરનારી ધરે ધ્યાન. વીર. ૮
૨ ૬૭
Page #299
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૫) ગૌતમ વિરહ
તો શું પ્રિત બંધાણી જગતગુરુ, તો શું પ્રીત બંધાણી; વેદઅરથ કહી મો બ્રાહ્મણકું, ખિણમેં કીધો નાણી. જ૦ ૧ બાલક પર મેં જે જે પૂછ્યું, તે ભાખ્યું હિત આણી; મુજકાલાને કોણ સમજાવે, તો બીન મધુરીવાણી. જ૦ ૨ વયણ સુધારસ વરસી વસુધા, પાવન ખેત સમાણી; નર નાકી તિરિ પ્રમોદિત બેધિત, તો બિન ગુણમણી ખાણી. જ૦ ૩ કીસ કે પાઉં પરૂં અબ જાઈ, કીનકો પકડું પાની; કુણ મુજ ગોયમ કહી બોલાવે, તો સમ કુણ વખાણી. ૪૦ ૪ અઈમત્તો આયો મુજ સાથે, રમતો કાચલ પાણી; કેવલ કમલા ઉસકું દીની, યાહી કીરિત નહિ છાની. જ૦ ૫ ચઉદ સહસ અણગારમાં મોટો, કીનો કાંહું પીછાની; અંતિમ અવસર કરુણા સાગર, ક્રૂરે ભેજ્યો જાણી. જ૦ ૬ કેવલ ભાગ ન માગત સ્વામી, રહત ન છેડો તાણી; બિચમેં છોડ ગયે શિવમંદિર, લોકમાં હોત કહાણી. જ૦ ૭ ખામી કછું ખિજમતમેં કીની, તાકી યાહી કમાણી; સ્વામીભાવ લહે સુસેવક, યાહી વાત નિપાની. જ૦ ૮ વીતરાગ ભાવે ચેતનતા, અંતર મૂર્તિ ઠરાણી; ખીમાવિજય જિન ગૌતમગણધર, જ્યોતિસે જ્યોતિ મિલાણી.
૪૦ ૯
(૧) સામાન્ય જિન સ્તવન (રાગ-ઓધવજી સંદેશો કેજો મારા નાથ ને) વિનતડી મનમોહન માહરી સાંભળો, હું છું પામર પ્રાણી નીપટ અબુઝ જો; લાંબું ટુંકું હું કાંઈ જાણું નહિ, ત્રિભુવનનાયક તારા ઘરનું ગુંઝ જો. વિનતડી ૧
૨૬૮
Page #300
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
પહેલા છેલ્લા
ગુણઠાણુનું
અંતરૂં, જો;
તુજ મુજ માંહે આબેહુબ જણાય સરસવ બિંદુ સિંધુના,
અંતર મેરૂ
શી રીતે હવે ઉભયકાળ સધાય જો. વિનતડી૦ ૨
દોષ અઢારે પાપ અઢારે તે તે તજ્યાં,
ભાવ દિશા પણ દૂર કીઘી અઢાર જો; દુર્ગુણ સઘળાં પ્રભુજી મેં અંગી કર્યા, શી રીતે હવે થાઉં એકાકાર જો. વિનતડી૦ ૩
ત્રાસ વિના પણ આણા જડ ચેતન એ લોકાલોક હું અપરાધી તુજ કહો સ્વામી કેમ પામું હું નિર્વાણ જો. વિનતડી૦૪
માને તાહરી, મંડાણ જો; આણા માનું નહિ,
અંતરમુખની વાતો વિસ્તારી કહ્યું,
આપજો;
પણ ભીતરમાં કોરો આપો ભાવ વિનાની ભકિત લુખી નાથજી, આશીષ આપો કાપો સઘળાં પાપ જો. વિનતડી૦ ૫ યાદશઆણા સૂક્ષ્મ તર પ્રભુ તાહરી, તાદશરૂપે મુજથી કદી ન પલાય જો; વાત વિચારી ચિંતા મનમાં મોટકી, કાંઈ બતાવો સ્વામી સરળ ઉપાય જો. વિનતડી૦૬ અતિશયધારી ઉપકારી પ્રભુ તું મલ્યો; મુજ મન માંહે પૂરણ છે વિશ્વાસ જો; ધર્મરત્ન ત્રણ નિર્મળ રત્ન આપજો, કરજો આતમ પરમાતમ પ્રકાશ જો. વિનતડી૦ ૭
F (૨) સામાન્ય જિન સ્તવન
મનમાં આવજો રે નાથ ! હું થયો આજ સનાથ. મન૦ જય જિનેશ નિરંજણો, ભંજણો ભવ-દુઃખ રાશ; રંજણો સવિ ભવિ ચિત્તનો, મંજણો પાપનો નાશ. મન૦ ૧
૨૬૯
Page #301
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા આદિ બ્રહ્મ અનુપમ તું, અબ્રહ્મ કીધાં દૂર; ભવ-ભ્રમ સાવ ભાંજી ગયા, તુંહિ ચિદાનંદ સબૂર. મન, ૨ વિતરાગ ભાવ ન આવહી, જિહાં લગી મુજને દેવ; તિહાં લગે તુમ પદકમલની, સેવના રહેજો એ ટેવ. મન) ૩ યદ્યાપિ તુમે અતુલ બલી, યશવાદ એમ કહેવાય; પણ કબજે આવ્યા મુજ મન, તે સહજથી ન જવાય. મન, ૪ મન મનાવ્યા વિણ મારૂં, કેમ બંધનથી છુટાય ! મનવંછિત દેતાં થકાં કાંઈ, પાલવડો ન ઝલાય. મન૦ ૫ હઠ બાલનો હોય આકરો, તે લહો છો જિનરાજ; ઝાઝું કહાવે શું હોવે, ગિરુઆ ! ગરીબ નિવાજ. મન૦ ૬ જ્ઞાનવિમલ ગુણથી લો, સવિ ભવિક મનના ભાવ; તો અક્ષય-સુખ લીલા દીયો, જિમ હોવે સુજશ જમાવ. |
મનમાં આવજો રે નાથ. ૭
H (૩) શ્રી સામાન્ય જિન સ્તવન ,
(રાગ-દેવ તુજ સિદ્ધાંત દીઠો) સકલ સમતા સુરલતાનો, તુંહિ અનોપમ કંદરે; તુંહી કૃપારસ કનકકુંભો, તુંહિ જિસંદ મુણિંદ રે. પ્રભુ0 ૧ તુંહી તુંહી તુંહી તુંહી તુંહી ધરતાં ધ્યાન રે; તુજ સ્વરૂપી જે થયા, તેણે કહ્યું તાહરૂં તાન રે. પ્રભુ૦ ૨ તુંહી અલગો ભવ થકી પણ, ભવિક તાહરે નામ રે, પાર ભવનો તેહ પામે, એહિ અચરીજ ઠામ રે. પ્રભુ૦ ૩ જન્મ પાવન આજ માહો, નિરખીયો તુજ નૂરરે; ભવોભવ અનુમોદના જે, હુઓ આપ હજૂર રે. પ્રભુત્વ ૪ એક માહરો અખય આતમ, અસંખ્યાત પ્રદેશ રે; તાહરા ગુણ છે અનંતા, કિમ કરૂં તાસ નિવેશ રે. પ્રભુ ૫
(૨૭)
Page #302
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
એક એક પ્રદેશ તાહરે, ગુણ અનંતનો વાસ રે; એમ કહી તુજ સહજ મીલત, હોયે જ્ઞાન પ્રકાશરે. પ્રભુ
ધ્યાન ધ્યાતા ધ્યેય, એકી ભાવ હોય એમ રે; એમ કરતાં સેવ્ય સેવક, ભાવ હોય ક્ષેમ રે. પ્રભુ ૭ એક સેવા તાહરી જો, હોય અચલ સ્વભાવ રે; જ્ઞાનવિમલ સૂરિંદ પ્રભૂતા, હોય સુજસ જમાવ રે. પ્રભુ તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી ધરત ધ્યાન રે. પ્રભુ૦ ૮
× (૪) શ્રી સામાન્ય જિન સ્તવન
મેરી અરજી ઉપર પ્રભુ ધ્યાન ધરો, મેરે દિલકે યે દર્દ તમામ હરો; કભી આધિ કભી વ્યાધિ, કભી ઉપાધિ આતી હૈ; સેવા જિનરાજકી સાચી, તીનોંકી જડ ઉડાતી હૈ, મેરી લાખ ચોરાશી કી પીર હરો. મેરી૦ ૧ જ્ઞાન ચાહું ધ્યાન ચાહું, મસ્ત આત્મ ભાવ મેં; જૈસે બને ઐસે કરો, હો દિલ નિજ સ્વભાવ મેં, મેરા નૂર મુઝે બક્ષીસ કરો. મેરી૦ ૨
ભ્રાતા, તુંહી રક્ષણકાર હૈ; વિષ્ણુ, તુંહી તારણહાર હૈ, મેરી ડૂબત નૈયા કો પાર કરો. મેરી૦ ૩
તુંહી ત્રાતા તુંહી તુંહી બ્રહ્મા તુંહી
પૂર્વ ફીરા પશ્ચિમ ફીરા, દક્ષિણ ફીરા ઉત્તર ફીરા; દેખા નહિ દરબાર ઐસા, ચમકતા આત્મ હીરા, મેરે જ્યોતિસે જ્યોત મીલા ન કરો. મેરી૦ ૪
તું જીદા નહીં મેં જુદા નહી, ઔર કોઈ જુદા નહીં; પર્દા ઉઠે જો કર્મકા, તો ભરમ સબ ભાગે સહી,
પ્રભુ વોહી કરમ પટ દૂર કરો. મેરી૦ પ
આત્મ કમલ મેં હૈ ભરી, ખૂબ ખૂબીઓ જિનરાજી; લબ્ધિ વિકાસી નાથ મેરે, સારો સઘરે કાજજી; મેરે જ્ઞાન ખજાનેકો પુર ભરો. મેરી ૬
૨૭૧
Page #303
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા F (૫) સામાન્ય જિન સ્તવન |
આજ મારા પ્રભુજી સામું જુઓ, સેવક કહીને બોલાવે રે; એટલે હું મનગમતું પામ્યો, રૂઠડાં બાળ મનાવો. મારા સાંઈ રે. આજ0 ૧. પતિતપાવન શરણાગત વત્સલ, એ જશ જગમાં ચાવો રે, મનરે મનાવ્યા વિણ નહીં મૂકું, એવી જ મારો દાવો. આજ૦ ૨. કબજે આવ્યા તે નહીં મૂકું, જિહાં લગે તુમ સમ થાવો રે; જો તુમ ધ્યાન વિના શિવ લહીએ, તો તે દાવ બતાવો રે. આજ૦ ૩. મહાગોપ ને મહાનિર્ધામક, ઈણ પરે બિરૂદ ધરાવો રે; તો શું આશ્રિતને ઉદ્ધરતા, બહુ બહુ શું કહાવો રે. આજ0 ૪. જ્ઞાનવિમળ ગુરુનો નિધિ મહિમા, મંગળ એહી વધાવો રે; અચળ અભેદપણે અવલંબી, અહોનિશ એહી દિલ ધ્યાવો રે. આજ૦ ૫..
E (૬) સામાન્ય જિન સ્તવન
(આશાવરી) જિનંદા વે દિન ક્યું ન સંભારે. સાહિબ તુમ હમ સમય અનંતો ઈકટ્ટા ઈણે સંસારે. જિગંદા આપ અજર અમર થઈ બેઠે, સેવક કરીએ કિનારે, મોટા જેહ કરે તે છાજે, તિહાં કુણ તમને વારે. જિનંદા૦ ત્રિભુવન ઠકુરાઈ અબ પાઈ, કહો તુમ હો કુણ સારે; આપ ઉદાસ ભાવ આયે, દાસકું કર્યું ન સુધારે, જિનંદા૦ તુંહી તુંહી તુંહી તુંહી, તુંહી જે ચિત્ત ધારે, યાહી હેતુ જે આપ સ્વભાવે; ભવજલ પાર ઉતારે. જિનંદા, જ્ઞાનવિમલ ગુણ પરમાનંદે; સકલ સમિહિત સારે; બાહ્ય અભ્યતર ઈતિ ઉપદ્રવ, અરિયણ દૂર નિવારે. જિગંદા૦
૨૭૨
Page #304
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
5 (૭) શ્રી સામન્ય જિન સ્તવન 5
(રાગ-મારી વિનતી તું સ્વીકારજે) (રાગ-મીઠા શું ટહુંકા ત્યાં બોલે પંખી ગીતડાં ત્યાં ગાવે) જિનરાજે રે જિનરાજે રે, ત્રિભુવન ઠકુરાઈ છાજે રે; વર દુંદુભિ ગુહરા વાજે રે, તસ નાદે અંબર ગાજે રે.
જિન) ૧ તિહાં જાતિ વૈર સવિ ભાંજે રે, પરમતમદની લાજે રે; પ્રભુ ત્રિગડે બેઠા સોહે રે, ભવિજનના મનડાં મોહે રે.
જિન) ૨ જિન તોરા નયનની બલિહારી રે, તોરે મુખડેચંદ ઓવારીરે; જિન તોરી સરસ સુધારસ વાણી રે, મુજ લાગે અમીય સમાણી રે.
જિન૦ ૩ દુઃખ તીલ પલણ તે ઘાણી રે, જે ભવિકે મનમાં આણી રે; એ તો સમકિતની સહિયાણી રે, આગમ પાઠે બંધાણી રે.
જિન૦ ૪ ભામંડલ ભાઉ સવાઈ રે, પ્રભુ પુંઠે રહ્યું લયલાઈ રે; સુરકૃત સુમવૃષ્ટિ ઉવાઈ રે, પ્રાતિહારજ શોભા બનાઈ રે.
જિન૦ ૫ મુજ નેક નજર શું નિહાલો રે, તારકનું બિરૂદ સાંભળો રે; શરણાગતને પ્રતિપાલો રે, મિથ્યામત વાસના ટાલો રે.
જિન૦ ૬ સમકિત સુખલડી દીજે રે, એ તો કોડી પસાય કરીએ રે; જિન સહજ શકિત મુજ દીપે રે, તો આપ બલે અરિ જિપેરે.
જિન) ૭ મારા કરમ ભરમ સવિ જાયે રે, તુમ નામ તણે સુપસાય રે; જો જ્ઞાનવિમલ ગુણ વાધે રે, આતમ પરમાતમ સાધે રે.
જિન, ૮
૨૭૩
Page #305
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૮) સામાન્ય જિન સ્તવન 5 જિન તેરે ચરણકી શરણ ગ્રહું, દય કમલ ધ્યાન ધરત હું શિર તુજ આણ વહુ. જિન) ૨. તુજ સમ ખોળ્યો દેવ ખલકમેં, પેખ્યો નહીં કબહુ. જિન) ૩. તેરે ગુણકી જવું જપમાલા, અહનિશ પાપ દઉં. જિન) ૪. મેરે મનકી તુમ સબ જાનો, કયા મુખ ન્હોત કહું. જિનવ ૫. કહે જસ વિજય કરો હું સાહિબ, ક્યું ભવદુઃખ ન લહું. જિન૦ ૬.
gi (૯) સામાન્ય જિન સ્તવન H.
કયું કર ભકિત કરૂં પ્રભુ તેરી, ક્રોધ લોભ મદ માન વિષય રસ, છાંડત ગેલ ન મેરી ૧. કર્મ નચાવે તિમહિ નાચત, માયા વશ નટ ચેરી. ૨. દષ્ટિ રાગ દ્રઢબંધન બાંધ્યો, નીકસન ન લહી સેરી) ૩. કરત પ્રશંસા સબ મિલ અપની, પરનિંદા અધિકેરી, ૪. કહત માન જિન ભાવ ભગતિ બિન, શિવ ગતિ હોન ન મેરી૦ ૫.
(૧૦) સામાન્ય જિન સ્તવન 5. લાગ્યા નેહ જિન ચરણે હમારાં, જિમ ચકોર ચિત્ત ચંદ પિયારા... સુનત કુરંગ નાદ મન લાઈ, પ્રાણ તજે પણ પ્રેમ નિભાઈ, ઘન તજ પાણી ન જાચત જાઈ, એ ખગ ચાતક કેરી વડાઈ ૧. જલત નિઃશંક દીપકે માંહી; પીર પતંગકું હોત કે નહી? પીડા હોત તદપણ તિહાં જાહી, શંક પ્રીતિવશ આવત નહી ૨. મીન મગન નવિ જલથી ન્યારા, માન સરોવર હંસ આબ્બારા, ચોર નિરખ નિશિ અતિ અંધિયારા, કેકી મગન સુન સુન ગરજારા ૩. પ્રણવ ધ્યાન જિમ જોગી આરાધે, રસ રીતિ રસ સધક સાધે; અધિક સુગંધ કેતકીમે લાધે, મધુકર તસ સંકટ નવિ વાધે ૪. કાકા ચિત્ત જિહાં થિરતા માને, તાકા મરમ તો તેહિજ જાને, જિન ભક્તિ હિરમેં ઠાને, ચિદાનંદ મન આનંદ આને. ૫.
૨૭૪
Page #306
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૧૧) સામાન્ય જિન
સ્તવન
૧. આનંદકી ઘડી આઈ, સખીરી આજ આનંદકી ઘડી આઈ, કરકે કૃપા પ્રભુ દરિસણ દીનો, ભવકી પીડ મીટાઈ, મોહનિદ્રાસે જાગ્રત કરકે, સત્યકી જ્ઞાન સુણાઈ; તન મન હર્ષ ન માઈ...સખીરી૦ ૨. નિત્યાનિત્યકા તોડ બતાકર મિથ્યાવૃષ્ટિ હરાઈ, સભ્યજ્ઞાનકી દિવ્યપ્રભાકો અંતરમેં પ્રગટાઈ; સાધ્યસાધન દિખલાઈ...સખીરી૦ ૩. ત્યાગ વૈરાગ્ય સંયમકે યોગસે, નિઃસ્પૃહ ભાવ જગાઈ, સર્વસંગ પરિત્યાગ કરાકર અલખધૂન મચાઈ; અપગત દુ:ખ કહલાઈ. સખીરી૦ ૪. અપૂર્વ કરણ ગુણસ્થાનક સુખકર, શ્રેણિકક્ષપક મંડવાઈ, વેદ તીનોંકા છેદ કરાકર, ક્ષીણમોહી બનવાઈ, જીવનમુકિત દિલાઈ...સખીરી૦ ૫. ભકત વત્સલ પ્રભુ કરૂણા સાગર, ચરણ શરણ સુખદાઈ, જશ કહે ધ્યાન પ્રભુકા ધ્યાવત, અજરઅમર પદ પાઈ, દ્વંદ સકલ મીટ જાઈ. સખીરી.
મૈં (૧) શ્રી સીમંધર જિન સ્તવન
પુસ્ખલવઈ વિજયે જયો રે, નયરી પુંડરિંગણી સાર; શ્રી સીમંધર સાહિબા રે, રાય શ્રેયાંસકુમાર, જિણંદરાય ! ધરજો ધર્મસ્નેહ૦ ૧. મ્હોટાં ન્હાના અંતરો રે, ગિરુઆ નિવ દાખંત; શિશ-દરસણ સાયર વધે રે, કૈરવ વન વિકસંત. જિણંદ૦ ૨. ઠામકુઠામ વિ લેખવે રે, જગ વરસંત જલધાર, કર દોય કુસુમે વાસીયે રે, છાયા સવિ આધાર. જિણંદ૦ ૩. રાયને રંક સરીખા ગણે રે, ઉધોતે શશી સૂર; ગંગાજલ તે બિહું તણા રે, તાપ કરે સવિ દૂર. જિણંદ ૪. સરીખા સહુને તારવા રે, તિમ તુમે છો મહારાજ !; મુજશું અંતર કિમ કરો રે, બાંહ્ય ગ્રહ્યાની લાજ. જિણંદ૦ ૫. મુખ દેખી ટીલું કરે રે, તે નવિ હોય પ્રમાણ; મુજરો માને વિ તણો રે, સાહિબ તેહ સુજાણ. જિણંદ૦ ૬. વૃષભ લંછન માતા સત્યકી રે, નંદન રૂક્મણિકંત; વાચક જશ ઈમ વિનવે રે, ભય-ભંજન ભગવંત. જિણંદ૦ ૭.
૨૭૫
Page #307
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા HE (૨) શ્રી સીમંધર જિન સ્તવન 5
સુણો ચંદાજી! સીમંધર પરમાતમ પાસે જાજો. મુજ વિનતડી પ્રેમ ધરીને, એણી પેરે તુમે સંભળાવજો. એ આંકણી. જે ત્રણ ભુવનનો નાયક છે, જસ ચોસઠ ઈદ્ર પાયક છે. નાણ દરિસણ જેહને લાયક છે. સુણો૦ ૧. જેની કંચનવરણી કાયા છે, જસ ધોરી લંછન પાયા છે; પુંડરિગિણી નગરીનો રાયા છે. સુણો, ૨. બાર પર્ષદામાંહી બિરાજે છે, જસ ચોત્રીસ અતિશય છાજે છે; ગુણ પાંત્રીશ વાણીએ ગાજે છે. સુણો૦ ૩. ભવિજનને જે પડિબોલે છે, તેમ અધિક શીતલ ગુણ સોહે છે; રૂ૫ દેખી ભવિજન મોહે છે. સુણો. ૪. તુમ સેવા કરવા રસિયો છું, પણ ભારતમાં દૂરે વસીયો છું; મહામોહરાય કર ફસિયો છું. સુણો, ૫. પણ સાહિબ ચિત્તમાં ધરીયો છે, તેમ આણાખજ્ઞ કર ગ્રહીયો છે; તો કંઈક મુજથી ડરીયો છે. સુણો૦ ૬. જિન ઉત્તમ પૂંઠ હવે પૂરો, કહે પહ્મવિજય થાઉં શૂરો, તો વાધે મુજ મન અતિ નૂરો. સુણો૦ ૭.
ક (૩) શ્રી સીમંધર જિન સ્તવન ક
તારી મૂરતિએ મન મોહ્યું રે, મનના મોહનીયા! તારી સૂરતિએ જગ સોહ્યું રે, જગના જીવનીયા ! તુમ જોતાં સવિ દુરમતિ વિસરી, દિનરાતડી નવી જાણી; પ્રભુગુણ ગણ સાંકળશું બાંધ્યું, ચંચલ ચિત્તડું તાણી રે. મનના૦ ૧. પહેલાં તો એક કેવલ હરખે, હજાળુ થઈ હળિયો; ગુણ જાણીને રૂપે મિલિઓ, અત્યંતર જઈ ભળિઓ રે. મનના) ૨. વીતરાગ ઈમ જસ નિસુણીને, રાગી રાગ કરેહ; આપ અરૂપી રાગ નિમિત્તે દાસ અરૂપ ધરેહ રે. મ0 ૩. શ્રી સીમંધર તું જગબંધુ, સુંદર તાહરી વાણી; મંદર ભૂધર અધિક ધીરજ ધર, વંદે તે ધન્ય પ્રાણી રે. મ૦ ૪. શ્રી શ્રેયાંસ નવેસર નંદન, ચંદન શીતલ વાણી; સત્ય% માતા વૃષભ લંછન પ્રભુ, જ્ઞાન વિમલ ગુણખાણી રે. મ૦ ૫.
Page #308
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
SF (૪) વિશ વિરહમાન તીર્થકરોનું સ્તવન 5.
સીમંધર, યુગમંધર, બાહુ, ચોથા સ્વામિ સુબાહુ; જંબૂદ્વીપ વિદેહે વિચરે, કેવળ કમળા નાહો રે, ભવિકા ! વિહરમાન જિન વંદો, આતમ પાપ નિકંદો રે, ભવિકા ! ૧. સુજાત, સ્વયંપ્રભ, ઋષભાનન, અનંતવીરય ચિત્ત ધરીયે; સુરપ્રભ સુવિશાળ, વજધર, ચદ્રાનન ધાતકીયે રે. ભવિકા૦ ૨. ચંદ્રબાહુ, ભુજંગ, ઈશ્વર, નેમિનાથ, વીરસેન; દેવજશા, ચંદ્રજશા, અજિતવીર્ય, પુષ્કરદ્વીપ પ્રસન્ન રે. ભ૦ ૩. આઠમી, નવમી, ચોવીશ, પચવીશમી, વિદેહવિજયે જયવંતા, દશલાખ કેવળી, સો ક્રોડ સાધુ પરિવારે ગહગહતારે. ભ૦ ૪. ચોરાશી લાખ પૂરવ જિનજીવિત, ચોત્રીશ અતિશય ધારી; સમવસરણ બેઠા પરમેશ્વર, પડિબોહે નરનારી રે. ભવિકા૦ ૫. ક્ષમાવિજય જિન કરુણાસાગર આપ તર્યા પર તારે, ધર્મનાયક શિવમારગદાયક, જન્મજરા દુઃખ વારેરે. ભવિકા૦ ૬.
5 (૫) શ્રી સીમંધર જિન સ્તવન vi ધન્ય ધન્ય ક્ષેત્ર મહાવિદેહજી, ધન્ય પુંડરિગિણી ગામ, ધન્ય તિહાંના માનવીજી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ; જયવંતા જિનવર ! કહીયે રે હું તમને વાંદીશ. સીમંધર૦ ૧ ચાંદલીઆ સંદેશડો જી, કહેજો સીમંધર સ્વામ; ભરતક્ષેત્રના માનવી જી, નિત્ય ઉઠી કરે રે પ્રણામ. સીમંધર૦ ૨ સમવસરણ દેવે રચ્યું ત્યાં, ચોસઠ ઇંદ્ર નરેશ; સોના તણે સિંહાસન બેઠા, ચામર છત્ર ઘરેશ. સીમંધર૦ ૩ ઈંદ્રાણી કાઢે ગણુંલી જી, મોતીના ચોક પૂરેશ; લળી લળી લીએ લૂંછણા જી, જિનવર દીયે ઉપદેશ. સીમંધર૦ ૪ - એક સમેં મેં સાંભળ્યું છે, હવે કરવા પખાણ; પોથી ઠવણી તિહાં કને જી, અમૃતવાણી વિશાળ. સીમંધર૦ ૫
૨૭૭
Page #309
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
રાયને વ્હાલાં ઘોડલા જી, વેપારીને વ્હાલા છે દામ; અમને વ્હાલા સીમંધરસ્વામી, જેમ સીતાને શ્રીરામ સીમ ૬ નહિ માગું પ્રભુ રાજઋદ્ધિજી, નહિ માગું ગરથ ભંડાર; હું માગું પ્રભુ એટલું જી, તુમ પાસે અવતાર. સીમંધર૦ ૭ સમયસુંદરની વિનતિ જી, માનજો વારંવાર; બે કર જોડી વિનવે જી, વિનતડી અવધાર. સીમંધર૦ ૮ ૬ (૬) શ્રી વજધર જિન સ્તવન -
(રાગ-નદી યમુના કે તીર) વિહરમાન ભગવાન, સુણો મુજ વિનતિ, જગતારક જગનાથ, અછો ત્રિભુવનપતિ; ભાસક લોકાલોક, તિણે જાણો છતિ; તો પણ વીતક વાત, કહું તુજ પ્રતિ. ૧ હું સરૂપ નિજ છોડી, રમ્યો પર પુગલે; ઝીલ્યો ઉલટ આણી, વિષય તૃષ્ણા જલે; આશ્રવ બંધ વિભાવ, કરૂં રુચિ આપણી; ભુલ્યો મિથ્યાવાસ, દોષ દેઉં પરભણી. ૨ અવગુણ ઢાંકણ કાજ, કરૂં જિનમતક્રિયા ન તાં અવગુણ ચાલ, અનાદિની જે પ્રિયા; દ્રષ્ટિરાગનો પોષ, તેહ સમકિત ગણું સ્યાદ્વાદની રીત, ન દેખુ નિકપણું. ૩. મન તનુ ચપલ સ્વભાવ, વચન એકાંતતા; વસ્તુ અનંત સ્વભાવ, ન ભાસે છતાં; જે લોકોત્તર દેવ, નમું લૌકિકથી; દુર્લભ સિદ્ધ સ્વભાવ, પ્રભો તહકીકથી. ૪ મહાવિદેહ મઝાર કે, તારક જિનવર; શ્રી વજધર અરિહંત, અનંત ગુણાકરૂ; તે નિર્ધામક શ્રેષ્ઠ, સહી મુજ તારશે; મહાવૈધ ગુણ યોગ, રોગ ભવ વારશે. ૫
- ૨૭૮
Page #310
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
પ્રભુ મુખ ભવ્ય સ્વભાવ, સુણજો માહરો; તો પામે પ્રમોદ, એહ ચેતન ખરો; થાયે શિવપદ આશ, રાશિ સુખવંદની; સહજ સ્વતંત્ર સ્વરૂપ, ખાણ આણંદની. ૬ વલગ્યા જે પ્રભુ નામ, ઘામ તે ગુણ તણાં; ધારો ચેતન રામ, એહ થિર વાસના; દેવચંદ્ર જિનચંદ્ર, દય થિર થાપજો; જિન આણા યુકત ભકિત, શકિત મુજ આપજો. ૭ ૬ (૭) શ્રી ચંદ્રાનન જિન સ્તવન 5
(રાગ-વીરા ચંદલા) ચંદ્રાનન જિન સાંભળી, એ અરદાસ રે; મુજ સેવક ભણી છે, પ્રભુનો વૈિશ્વાસો રે. ચં. ૧ ભરત ક્ષેત્ર માનવ પણો રે, લાધો દુસમ કાલ; જિન પૂરવઘર વિરહથી રે, દુલહો સાધન ચાલો રે. ચં૦ ૨ દ્રવ્યક્રિયા રુચિ જીવડા રે, ભાવ ધરમ રુચિ હીન; ઉપદેશક પણ તેહવા રે, શું કરે જીવ નવીન રે. ચં૦ ૩ તત્વાગમ જાણગ તજી રે, બહુમત સંમત જેહ; મૂઢ હઠી જન આદર્યા રે, સુગુરુ કહાવે તેહ રે. ચં. ૪ આણા સાધ્ય વિના ક્રિયા રે, લોકે માન્યો રે ધર્મ; દંસણ નાણ ચરિત્તનો રે, મૂલ ન જાણ્યો મર્મરે. ચં૦ ૫ ગચ્છ કદાગ્રહ સાચવે રે, માને ધર્મ પ્રસિદ્ધ આતમગુણ અકષાયતા રે, ધર્મ ન જાણે શુદ્ધ રે. ચં૦ ૬ તત્વરસિક જન થોડલા રે, બહુલો જન સંવાદ; જાણો છો જિનરાજજીરે, સઘલો એહ વિવાદ રે. ચં૦ ૭ નાથ ચરણ વંદન તણો રે, મનમાં ઘણો ઉમંગ; પુણ્ય વિના કેમ પામીયે રે, પ્રભુ સેવાનો સંગરે. ચં૦ ૮
૨૭૯
Page #311
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જગતારક પ્રભુ વાંદીયા રે, મહાવિદેહ મઝાર; વસ્તુ ધરમ સ્વાાદતારે સુણી કરીયે નિરધાર રે. ચં૦ ૯ તુજ કરૂણા સહુ ઉપરે રે, સરખી છે મહારાય; પણ અવિરાધક જીવને રે, કારણ સફલો થાય રે. ચં૦ ૧૦ એહવા પણ વિ જીવને રે, દેવ ભતિ આધાર; પ્રભુ સ્મરણથી પામીયે રે, દેવચંદ્ર પદ સાર રે. ચં૦ ૧૧ TM (૮) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન (પત્ર રૂપે)
સ્વસ્તિ શ્રી મહાવિદેહ ખેત્રમાં, જીહાં રાજે તીર્થંકર વીશ, તેને નમું શીશ, કાગળ લખું કોડથી. ૧.
સ્વામી જધન્ય તીર્થંકર વીશ છે, ઉત્કૃષ્ટા એકસો સીત્તેર, તેમાં નહિ ફેર, કાગળ લખું કોડથી. ૨.
સ્વામી બાર ગુણે કરી યુકત છો, અંગે લક્ષણ એક હજાર ઉપર આઠ સાર, કાગળ લખું કોડથી. ૩.
સ્વામી ચોત્રીસ અતિશયે શોભતાં, વાણી પાંત્રીશ વચન રસાળ, ગુણો તણી માળ, કાગળ લખું કોડથી. ૪.
સ્વામી ગંધહસ્તી સમ ગાજતા, ત્રણ લોકતણાં પ્રતિપાળ, છો દીનદયાળ, કાગળ લખું કોડથી. ૫.
સ્વામી કાયા સુકોમળ શોભતી, શોભે સુંદર સોવન વાન કરૂં પ્રણામ, કાગળ લખું કોડથી. ૬.
સ્વામી ગુણ અનંત છે આપના, એક જીભે કહ્યા કેમ જાય, લખ્યા ન લખાય, કાગળ લખું કોડથી. ૭.
ભરતક્ષેત્રથી લિખિતંગ જાણજો, આપ દર્શન ઈચ્છિત દાસ, રાખું તુમ આશ, કાગળ લખું કોડથી. ૮.
મેં તો પૂર્વે પાપ કીધાં ઘણા, જેથી પાપ દિરસણ રહ્યાં દૂર, ન પહોચું હજુર, કાગળ લખું કોડથી. ૯.
મારા મનમાં સંદેહ અતિ ઘણાં, જવાબ વિના કહ્યાં કેમ જાય, અંતર અકળાય કાગળ લખું કોડથી. ૧૦.
૨૮૦
Page #312
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
આડા પાળ પરવત ને ડુંગરા, જેથી નજર નાખી નવ જાય, દર્શન કેમ થાય, કાગળ લખું કોડથી. ૧૧.
સ્વામી કાગળ પણ પહોચે નહિ, નવી પહોચે સંદેશો કે શાંહી, અમે રહ્યા આંહી, કાગળ લખું કોડથી. ૧૨.
દેવે પાંખ આપી હોત પડમેં, ઉડી આવું દેશાવર દૂર, તો પહોચું હાર, કાગળ લખું કોડથી. ૧૩.
સ્વામી કેવળજ્ઞાને કરી દેખજો, મારા આતમના છો આધાર, ઉતારો ભવ પાર, કાગળ લખું કોડથી. ૧૪.
ઓછું અધિકું ને વિપરિત જે લખ્યું, માફ કરજો જરૂર જિનરાય, લાગું તુમ પાય, કાગળ લખું કોડથી. ૧૫.
સંવત ઓગણીસો ત્રેપન (૧૯૫૩) સાલમાં હરખે હરખવિજય ગુણ ગાય, પ્રેમે પ્રણમું પાય, કાગળ લખું કોડથી. ૧૬.
E (૯) શ્રી સીમંધર જિન સ્તવન HE
મનડું તે મહારૂં મોકલે મહારા વહાલાજી રે, શશહર સાથે સંદેશ, જઉને કહેજો મહારા વહાલાજી રે, ભરતના ભકતને તારવા મહા૦ એકવાર આવોને આ દેશ જઈ૦ ૧. પ્રભુજી વસો પુષ્કલાવતી મહા) મહાવિદેહ ક્ષેત્ર મઝાર જઈo પુરી રાજે પુંડરિગિણી મહાવ જિહાં પ્રભુનો અવતાર જઉ૦ ૨. શ્રી સીમંધર સાહેબ મહા૦ વિચરતા વીતરાગ જઈ પડી બોહે બહુ પ્રાણીને મહા) તેહનો પામે કુણ તાગ જઈ૦ ૩. મન જાણે ઉડી મળું મહાતુ પણ પોતે નહીં પાંખ જઈ0 ભગવંત તુમ જોવા ભણી, માહ) અલજો ધરે છે બેહુ આંખ જઈ૦ ૪. દુર્ગમ મોટા ડુંગરા મહા નદી નાળાનો નહીં પાર જઈ૦ ઘાંટીની આંટી ઘણી મહા૦ અટવી પંથ અપાર જઈ૦ ૫. કોડી સોનૈયે કાશીદું મહાઇ કરનારો નહીં કોઈ જઈકાગલીયો કેમ મોકલું મહા) હોંશ તો નિત્ય નવલી હોય જઈ૦ ૬.
૮૧
Page #313
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા લખું, જે જે લેખમાં મહા) લાખો ગમે અભિલાષ જઈ, તે લહેજામાં તમે કહો મહા સમય પુરે છે સાખ. જઈ૦ ૭. લોકાલોક સ્વરૂપના મહા૦ જગમાં તમે છો જાણ. જઈ૦ જાણ આગે શું જણાવીયે મહા આખર અમે અજાણ. જઈ૦ ૮. વાચક ઉદયની વિનતિ, મહા) શશહર કહ્યા સંદેશ જઈo માની લેજો માહરી મહાઇ વસતાં દૂર વિદેશ જઈ૦ ૯.
gi (૧૦) શ્રી યુગમંધર જિન સ્તવન BE - શ્રી યુગમંધરને કહેજો કે દધિસુત વિનતડી સુણજો રે. શ્રી યુગ એ આંકણી. કાયા પામી અતિ મૂડી, પાંખ નહીં આવું ઉડી; લબ્ધ નહીં કોઈ રૂડી રે. શ્રી યુગ) ૧. તુમ સેવામાંહિ સુર કોડી, ઈહાં આવે જો એક દોડી આશ ફળે પાતક મોડી રે. શ્રી યુગ) ૨. દુઃષમ-સમયે ઈણે ભરતે, અતિશય નાણી નવિ વરતે, કહીએ કહો કોણ સાંભળતે રે ? શ્રી યુગ) ૩. શ્રવણાં સુખિયાં તુમ નામે, નયણાં દરિસણ નવિ પામે; એ તો ઝગડાને ઠામે રે. શ્રી યુગ) ૪. ચાર આંગળ અંતર રહેવું, શોકલડીની પરે દુઃખ રહેવું, પ્રભુ વિના કોણ આગળ કહેવું રે ? શ્રી યુ૦ ૫. મોટા મેળ કરી આપે, બેહુનો તોલ કરી થાપે; સજ્જન જશ જગમાં વ્યાપે રે. શ્રી યુ૦ ૬. બેહુનો એક મતો થાવે, કેવલ નાણ જુગલ પાવે; તો સવિ વાત બની આવે રે શ્રી યુગ૦ ૭. ગજ લંછન ગજપતિ ગામી, વિચરે વપ્રવિજય સ્વામી; નયરી વિજયા ગુણ ધામી રે. શ્રી યુગ) ૮. માતા સુતારાએ જાયો, સુદઢ નરપતિ કુળ આયો; પંડિત જિનવિજયે ગાયો રે. શ્રી યુગ૦ ૯.
૧. ચંદ્રમા. ૨. આંખ અને કાનને ચાર આંગળનું છેટું છે. તેથી કાન યુગમખ્વરસ્વામીનું નામ સાંભળે છે; પણ પ્રભુ દૂર હોવાથી આંખ દેખી શકતી નથી, તેથી આંખને શોક્યની પેઠે દુઃખ થાય છે.
૨૮૨
Page #314
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
---
--
૬ (૧૧) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન 5
(રાગ-સુમતિનાથ ગુણશું મીલીજી) શ્રી સીમંધર જગધણીજી, રાય શ્રેયાંસકુમાર; માતા સત્યકી નંદનોજી, રૂક્ષ્મણીનો ભરથાર. ૧ સુખકારક સ્વામી, સુણો મુજ મનની વાત; જપતાં નામ તુમારડુંજી, વિકસે સાતે ધાત. સુખ૦ ૨ સ્વજન કુટુંબ છે કારમુંજી, કારમો સહુ સંસાર; ભવોદધિ પડતાં માહરેજી, તુ તારક નિરધાર. સુખ૦ ૩ ધન્ય તિહાંના લોકનેજી, જે સેવે તુજ પાય; પ્રહ ઉઠીને વંદવાજી, મુજ મનડું નિત્ય ધાય. સુખ૦ ૪ કાગળ કંઈ પહોચે નહિજી, કિમ કહું મુજ અદાવત, એક વાર આવો અહીં, કરૂં દિલની સવિ વાત. સુખ૦ ૫ મનડામાં ક્ષણ ક્ષણ રમેજી, તુમ દરિશનના કોડ; વાચક જશ કહે વિનતિજી, અહોનિશ બે કરજોડ. સુખ૦ ૬ ક (૧૨) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન ,
કોઈ કહે સીમંધરસ્વામી આવીયાં રે, આવીને કર્યો રે જુહાર; મુજ આંગણ આંબો ફલ્યો, કોઈ ઘાલે રે બાવળ શું બાથ. સલુણા દેવ સ્વામી સીમંધર દેવ, કોઈ મલે રે બલીહારીનો સંઘ; સલુણા દેવ સ્વામી સીમંધર દેવ૦ ૧. સાગર સાયર જલ ભર્યો રે, વચ્ચે મેરૂ પર્વત રૂખ, દ્વીપ સમુદ્ર આડા ઘણાં, મુજ આવણ જાવણ ઘણું દૂર સલુણાવે સાગર શાહી જો કરૂં; લેખન કરું વનરાઈ; આપ કાગળ જો લખું તમારા ગુણ રે, વરણવ્યા નહિ જાય. સલુણાવે કોઈ કહે સીમંધર સ્વામી આવ્યા રે, આવીને કર્યો રે જુગ વાસ; તેહની જીભડી જડાવું સોના તણી, તેના દૂધડે પખાલીશ પાય. સલુણાવ સ્વામી સ્વપને જો મલો રે, તો કરું મનડાની વાત; તુમ સરીખા સાહીબા જો મીલે, મુજ જાય રે વેદન કેરી વાત.
૨૮૩
Page #315
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સલુણા મુજ હૈયું હેજેભર્યું રે, શ્વાસ ભર્યો ઉજમાલ, ગુણસુંદર વાચક એમ કહે; મુજ મલ્યો રે સીમંધર દેવ. સલુણા)
= (૧૩) શ્રી સીમંધરસ્વામી સ્તવન H.
| (સાહિત અજિત નિણંદ જુહારીયે-એ દેશી) સાહેબ શ્રી સીમંધર સાહિબા, સાહિબ તુમ પ્રભુ દેવાધિદેવ; સનમુખ જુઓને મારા સાહિબા, સાહિબ મન શુદ્ધ કરૂં તુમ સેવ.
- એક વાર મળોને મારા સાહિબા૦ ૧. સાહેબ સુખ દુઃખ વાતો મહારે અતિ ઘણી,
સાહેબ કોણ આગળ કહું નાથ! સાહેબ કેવળ જ્ઞાની પ્રભુ જો મળે, સાહેબ તો થાઉં હું સનાથ.
એક વાર૦ ૨ સાહેબ ભરતક્ષેત્રમાં અવતર્યો, સાહેબ ઓછું એટલું પુણ્ય; સાહેબ જ્ઞાની વિરહ પડ્યો આકરો, સાહેબ જ્ઞાન રહ્યું અતિ ન્યૂન.
એક વાર૦ ૩ સાહેબ દશ દષ્ટાંતે દોહીલો, સાહેબ ઉત્તમ કુલ સૌભાગ; સાહેબ પામ્યો પણ હારી ગયો, સાહેબ જેમ રને ઉડાડ્યો કાગ.
એક વાર૦ ૪ સાહેબ ષ રસ ભોજન બહુ કર્યા, સાહેબ તૃપ્તિ ન પામ્યો લગાર; સાહેબ હું રે અનાદિની ભૂલમાં, સાહેબ રઝળ્યો ઘણો સંસાર.
એક વાર૦ ૫ સાહેબ સ્વજન કુટુંબ મલ્યા ઘણાં, સાહેબ તેહને દુઃખે દુઃખી થાય; સાહેબ જીવ એક ને કર્મ જાજૂઆ, સાહેબ તેહથી દુર્ગતિ જાય.
એક વાર૦ ૬ સાહેબ ધન મેળવવા હું ઘસમસ્યો, સાહેબ તૃષ્ણાનો નાવ્યો પાર; સાહેબ લોભે લટપટ બહુ કરી, સાહેબ ન જોયો પાપ વ્યપાર.
એક વાર૦ ૭
૨૮૪
Page #316
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
સાહેબ જેમ શુદ્ધાશુદ્ધ વસ્તુ છે, સાહેબ રવિ કરે તેહ પ્રકાશ; સાહેબતીમહી જ જ્ઞાની મળે થકે, સાહેબ તેતો આપેરે સમકિત વાસ એક વા૨૦ ૮ સાહેબ મેઘ વરસે છે વાડમાં, સાહેબ વરસે છે ગામે ગામ; સાહેબ ઠામ કુઠામ જુએ નહીં, સાહેબ એવા મ્હોટાંના રે કામ. એક વાર૦ ૯ સાહેબ હું વસ્યો ભરતને છેડલે, સાહેબ તુમેવસ્યા મહાવિદેહ મોઝાર સાહેબ દૂર રહી કૐ વંદના, સાહેબ ભવસમુદ્ર ઉતારો પાર. એક વાર૦ ૧૦ સાહેબ તુમ પાસે દેવ ઘણા વસે, સાહેબ એક મોકલજો મહારાજ સાહેબ મુખનો સંદેશો સાંભળો, સાહેબ તો સહેજે સરેમુજ કાજ. એક વાર૦ ૧૧
સાહેબ હું તુમ પગની મોજડી, સાહેબ હું તુમ દાસનો દાસ સાહેબ જ્ઞાનવિમલસૂરી એમ ભણે, સાહેબ મને રાખો તમારી પાસ. એક વાર૦ ૧૨
(૧૪) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન ધર્મ
શ્રી સીમંધર સાહિબા રે, વિનાતડી અવધાર; ભવસાગરમાં બુડતા રે, કરજોડી કહું આજ, માનો
બાંહ
ગ્રહી મુજ તાર રે;
મુજ અરદાસ રે. શિરનામી કહું આજ. ૧
રહ્યાં,
દક્ષિણ ભરતમાં અમે અંતર તો દીસે ઘણો રે, કેમ જલમાં વસે રેકુમુદિની રે, ઇંદો વસે રે આકાશ; જેમ તુમે ઈચ્છા પુરતા રે, તેમ પ્રભુ પુરો મુજ આશ રે. શિર૦ ૩
પુષ્કરાવર્ત જિનરાજ;
સરશે મુજ કાજ. શિર૦ ૨
જે તુમ આણા શિર ધરે રે, સુખીયા કહીયે રે તેહ; વલી વલી શું કહું વાલંબા રે, મુજ શું ધરજો નેહ રે. શિર૦ ૪
૨૮૫
Page #317
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તું માતા તુંહી જ પિતા રે, ભ્રાતા તું જગબંધ; મહેર કરો મુજ ઉપરે રે, કરો કરુણા રસ શુદ્ધ. શિર૦ ૫ શ્રી શ્રીવિજય જિણંદનો રે, શિષ્ય વિજય ગુણ ગાય; આજ પછી પ્રભુ તુમ વિના, અવર શું નમવા નીમ. શિર૦ ૬
(૧૫) શ્રી અનંતવીર્ય જિન સ્તવન
(રાગ-વિહરમાન ભગવાન)
અનંતવીરજી અરિહંત સુણો મુજ વિનતિ, અવસર પામી આજ કહું હું દિલ છતી; આતમ સત્તા હારી સંસારે હું ભમ્યો, મિથ્યા અવિરતિ રંગ કષાયે બહુ દમ્યો. ૧. ક્રોધ દાવાનલ દગ્ધ મન વિષધર ડસ્યો, માયા જાલે બધ્ધ લોભ અજગર ગ્રસ્યો; મના વચ કાયાના જોગ ચપલ હુઆ પરવશા, પુદ્ગલ પરિચય પાપ તણી અહિંનશી દશા. ૨. કામ રાગે અણ નાથ્યો સાંઢ પરે ધસ્યો, સ્નેહરાગની રાચે ભવપિંજર વસ્યો; દૃષ્ટિરાગ રૂચિ કાચ પાચ સકિત ગણું, આગમ રીતે નાથ ન નિરખું નિજપણું. ૩. ધર્મ દેખાડું માંડ ભાંડ પરે અતિ લવું, અચિરે અચિરે રામ શુક્ર પેરે જપું; કપટ પટુ નટુઆ પરે મુનિમુદ્રા ધરૂં, પંચ વિષય સુખ પોષ સદોષ વૃતિ ભ. ૪. એક દિનમાં નવવાર કરેમિ ભંતે કરૂં, ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણે ક્ષણ એક નિહ ઠૐ; મા સારસ ખગ નીતિની રીતિ ઘણી કહું, ઉત્તમ કુલવટ વાટ ન તે પણ નિરવહું. ૫. દીન દયાલ કૃપાલ પ્રભુ મહારાજ છો, જાણ આગળ શું કહેવું ગરીબ નિવાજ છો; પૂરવ ધાતકી ખંડ નલિની વિજયાવતી, નયરી અયોધ્યા નાયક લાયક તિ પતિ. ૬. મેઘ મહીપ મંગલાવતી સુત વિજયાપતી, આનંદધન ગજ લંછન જગ જન તારતી; ક્ષમાવિજય જિનરાય અપાય નિવારો, વિહરમાન ભગવાન સુનજરે તારજો. ૭.
૨૮૬
Page #318
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૧૬) શ્રી સીમંધરસ્વામીનું સ્તવન 55 શ્રી સીમંધરસ્વામીજી જીવન જગદાધાર, વ્હાલા સુણો એક વિનંતી, મારા પ્રાણ તણા આધાર,
પ્રભુજી માનીએ મહારાજ. ૧ હઈડું તે મુજ હેજાલુઓ, સંશય ભર્યું ઉભરાય; એક પલક ધીરજ નવિ ધરું, કહું કોણ આગલ જાય. પ્રભુ) ૨ ક્ષણ ક્ષણ મનોરથ નવ નવા, ઉપજે તે મનડા માંહી
ફરી તેહ મનમાં વિસમે, જેમ કૂવાની છાંહી. પ્રભુO ૩ એક ઘડી અથવા અધ ઘડી, જો પ્રભુ મલે એકાંત; તો વાત સવી મનની કહું, ભાંજે તે સઘળી બ્રાંત. પ્રભ૦ ૪ ભલે સરજયા પંખેરૂઆ, મન ચિન્તવે તિહાં જાય; માણસને ન સરજી પાંખડી, તેણે રહ્યું મન અકળાય. પ્રભુ) ૫ કુણ મિત્ર જગ એવો મલે, જે લહે મનની વાત, વધે નહિ મન જેહશે, કિમ મલે તેહશું ઘાત. પ્રભ૦ ૬ નવ નવ રંગી જીવડા, અતિ વિષમ પંચમ કાલ; આપ આપણા મન રંગમાં, સહુકો થઈ રહ્યાં લાલ. પ્રભ૦ ૭ કહું કોણ આગળ વાતડી, કુણ સાંભળે વળી તેહ; ટાળે તે કોણ પ્રભુ તમ વિના, મારા મનડાં તણાં સંદેહ પ્રભુ૦ ૮ સંસાર સઘળો જોવતાં, મુજ મન ન રૂચે કાંઈ; જિમ કમલ વનના ભમરલો, તેને અવર ન ગમે કાંઈ. પ્રભુ૦ ૯ ધન્ય મહાવિદેહના લોકને જે રહે સદા પ્રભુ પાસ; મુખ ચંદ્ર દેખી તુમ તણો. પુરે તે મનની આશ. પ્રભુ0 ૧૦ તુમ વયણા અમૃત સરીખા, શ્રવણે સુણે નિત્યમેવ; સંદેહ પુછી મન તણો, નિર્ણય કરે નિત્યમેવ. પ્રભુ૦ ૧૧ શે ગુન્હ અમને અવગુણી, પ્રભુજી વસ્યા અતિ દૂર; શી ભક્તિ એવી તેહની, જે કર્યો આપ હજુર. પ્રભુ) ૧૨
૧૨૮૭=
૨૮૭
Page #319
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જો ગુન્ડા લાખ ગમે કર્યા સેવક લહેતાં જેહ; તે પણ પોતાના તે વળી, સાહિબ ન દાખે છે. પ્રભુ) ૧૩ વળી વળી શું કહીએ ઘણું, પ્રભુ વિનંતિ મન માંહિ; એમ ભકતને ઉવેખતા, નહિ ભલા દીસો છો કાંઈ. પ્રભુ૦ ૧૪ મુજ સરીખા કોટિ ગમે, સેવક તુમારે સ્વામ; પણ માહરે પ્રભુ તમ વિના, નહિ અવર મન વિશ્રામ. પ્રભુત્વ ૧૫ એક અરજ માહરી સાંભળી, કરૂણા કરી મુજ સાથ; કહે હંસ પ્રભુ હેજે હવે, દર્શન દીજે નાથ. પ્રભ૦ ૧૬
NE (૧૭) શ્રી સીમંધર જિન સ્તવન H
૧. વિનંતી માહરી રે સુણજો, સાહિબા સીમંધર જિનરાજ, ત્રિભુવન તારક અરજ ઉરે ધરો, દેજો દરિસન આજ. વિ૦ ૨. આપ વસ્યા જઈ ક્ષેત્ર વિદેહમાં, હું રહું ભરતમોઝાર; એ મેળો કેમ હોયે જગધણી, એ મુજ સબલ વિચાર. વિ૦ ૩. વચમાં વન દ્રહ પર્વત અતિ ઘણા, વળી નદીઓનારે ઘાટ; કિણવિધ ભેટું રે આવી તુમ કને, અતિ વિસમી રે એ વાટ વિ૦ ૪. કિહાં મુજ દાહિણ ભરતક્ષેત્ર રહ્યું, કિહાં પુખ્તલવઈ રાજ; મનમાં અળજો રે મળવાનો અતિ ઘણો, ભવ જળ તરણ જહાજ, વિ૦ ૫. નિશદિન આલંબન મુજ તાહરૂં, તું મુજ દય મોઝાર; ભવદુઃખભંજન તેહિ નિરંજનો, કરૂણા રસ ભંડાર. વિ૦ ૬. મનવંછિત સુખસંપદ પૂરજો, ચૂરજો કર્મની રાસ; નિત્ય નિત્ય વંદન હું ભાવે કરૂં, એહી જ છે અર- દાસ વિ૦ ૭. તાત શ્રેયાંસ નરેસર જગતીલો, સત્યકી રાણીનો જાત; સીમંધર જિન વિચરે મહીતલે, ત્રણ ભુવનમાં વિખ્યાત વિ૦ ૮. ભવોભવ સેવા, રે તુમ પદ કમલની, દેજો દીન દયાલ; બે કર જોડી ઉદયરતન વદે, નેક નજરથી નિહાળ. વિ૦ ૯.
૨૮૮
Page #320
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
5. (૧) શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન 5 સિદ્ધચક્ર સેવા કરો, જશ ગાજે છે, શિવ સાધન પુષ્ટ ઉપાય
ત્રિભુવન રાજે છે; કારણ શિવ સાધન તણા, જશ૦ સંખ્યાતીત કહેવાય. ત્રિ. ૧ તેહમાં સર્વ શિરોમણી જશ૦ જિહાંલહીયે તત્ત્વ વિચાર; ત્રિ) ઘર્મી પાંચ સોહામણા, જશ૦ વળી ધર્મ કહીજે ચાર. ત્રિ૦ ૨ વર્જિત દોષ અઢારથી, જશ, અડ પ્રાતિહારજ ધાર; ત્રિ) ચોત્રિશ અતિશય રાજતા, જશ૦ ગુણ પત્રીસ વાણી ઉદાર. ત્રિ૦ ૩. ગુણઠાણે તેરમે તથા, જશ૦ ચોદમે રહ્યાં જિનરાજ; દેવતત્ત્વ અરિહંત એ, જશ૦ પ્રણમો આત્મકાજ. ત્રિ. ૪ આઠ કર્મના ક્ષય થકી, જશ૦ ગુણ અડ એકત્રીશ વિશાલ; ત્રિ) - અવ્યાબાધ સુખે ભર્યા, જશ૦ સાદી અનંતો કાલ. ત્રિવ ૫ જાણે લોકાલોકને, જશ, પણ નવિ હરખે નવિ શોચ; ત્રિો તેહ દેવ અનંત છે, જશ, એક ઠામે વિણ સંકોચ. ત્રિ. ૬ છત્રીશ છત્રીશી ગુણે, જશ0 ગુરુ તત્વમાં મુખ્ય કહાય; ત્રિવ તીર્થકર સમ તેહ છે જશ૦ ગૌતમ પ્રમુખ ઋષિરાય. ત્રિ. ૭ સૂરી સમ પાઠક કહ્યાં, જશ૦ પણવીશ ગુણવંત મહંત; ત્રિ) સયલ જીવ ઉપગારીયા જશ૦ પ્રણમો ગુરુ પદ વરતંત. ત્રિ. ૮ શિવમારગ સાધક મુનિ, જશ૦ કરે અરસવિરસ આહાર; ત્રિ) તે પણ ગુરુ તત્ત્વ રહ્યાં, જશ૦ ગુણ સત્યાવીશ આધાર. ત્રિ. ૯ સમકિત સડસઠ ભેદથી, જશવ આરાધો ઉજમાલ; ત્રિવે ભેદ એકાવન નાણના, જશ૦ સમજો ગુરુ મુખ સુરસાલ. ત્રિ૧૦ સિત્તેર ભેદ ચરણ તણા, જશ૦ તપના ભેદ પચાશ; ત્રિ ધર્મ તત્ત્વમાં ચાર એ, જશ૦ વંદો અધિક ઉલ્લાસ. ત્રિ૦ ૧૧ ઈણિપરે બહુ વિધ અવતરે, જશ સાધન નવપદમાં સાર; ત્રિ ગુણ કોણ કહી શકે તેહના; જશ૦ જો હોય જીભ હજાર. ત્રિ) ૧૨
૨૮૯
Page #321
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિધિપૂર્વક આરાધતાં, જશવ લહે શિવ જેમ શ્રીપાલ ત્રિ જિન ઉત્તમ ગુણ ગાવતાં, જશ, પદ્મવિજય ગુણમાલ. ત્રિ) ૧૩
fi (૨) શ્રી સિદ્ધચક્રજીનું સ્તવન ; ' (રાગ-નમો નમો શ્રી શત્રુંજા ગિરિવર) સકલ સુરાસુર વંધ નમીજે, શ્રી સિદ્ધચક્ર પ્રધાન રે; ઈહભવ પરભવ શિવસુખ કારણ, વારણ કર્મ વિતાન રે. સકલ૦ ૧ પ્રથમ પદે અરિહંત નમીજે, ચાર અતિશયવંત રે; પ્રાતિહારજ આઠની શોભા, બાર ગુણે ભગવંત રે. સકલ૦ ૨ આઠ કરીને નાશે જિનવર, આઠ ગુણો પ્રગટાય રે, એહવા સિદ્ધ પ્રભુને નમતાં, દુરિત સકલ દૂર જાય. સકલ૦ ૩ આચારક પ્રણમો પદ ત્રીજે, ગુણ છત્રીસ સહાય રે; પાઠકપદ ચોથું નિત પ્રણમું, ગુણ પચવીશ કહાય રે. સકલ૦ ૪ સત્તાવીસ ગુણે કરી સાધુ, દુષ્ટ કરમ ભવ જીપે રે; ચાર સદ્યણા આદે સડસઠ, ભેદે દરિસણ દીપે રે. સકલ૦ ૫ સાતમે નાણ નમો ભવિભાવે, ભકિત કરી શુભ મન્ન રે; પાંચ કહ્યાં મૂલ ભેદ જ ચારુ, ઉત્તમ એકાવત્ર રે. સકલ૦ ૬ સંયમ સત્તર પ્રકારે આરાધો, નવમે પદ તપ સાર રે; તે તપ બારે ભેદે વખાણ્યો, અવિચળ પદ દાતાર રે. સકલ૦ ૭ એ નવપદમાં આતમા રે, નિજ આતમમાં એક રે; મયણા ને શ્રીપાલ આરાધ્યો, નવમે ભવે શિવગેહ રે. સકલ૦ ૮ પાંચ ગુણીમાં ગુણ રહ્યા રે, ગુણી સેવે ગુણ હોય રે, ધ્યેય ને ધ્યાતા ધ્યાનથી જાણો, ભેદ રહ્યો નવિ કોય ૨. સકલ૦ ૯ ઈમ નવપદ જે ધ્યાને પ્રાણી, તે શુભવિજય વરંતરે; વીર કહે તે સુણ શ્રેણિક નર, સિદ્ધિવધૂ-વર-કંત રે. સકલ૦ ૧૦
૨૯)
Page #322
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
gi (૩) શ્રી સિદ્ધચક્રજી-નવપદજીનું સ્તવન સિદ્ધચક્ર વર સેવા કીજે, નરભવ લાહો લીજે જી, વિધિપૂર્વક આરાધન કરતાં, ભવભવ પાતિક છીજે; ભવિજન ભજીયેજીરે અવરઅનાદિની ચાલ, નિત્ય નિત્યુ
તજીયેજીરે. ૧ દેવનો દેવ દયાકર ઠાકર, ચાકર સુર નર ઈદ્રાજી, ત્રિગડે ત્રિભુવનનાયક બેઠા, પ્રણમાં શ્રી જિનચંદા. આવી ર અજ અવિનાસી અકળ અજરામર, કેવલ દંસણ નાણીજી; અવ્યાબાધ અનંતુ વીરજ, સિદ્ધપ્રણમો ગુણખાણી. ભવ. ૩ વિદ્યા સૌભાગ્ય લક્ષ્મીપીઠ, મંત્રરાજ યોગપીઠજી, સુમેરૂપીઠ એ પંચ પ્રસ્થાને, નમો આચરજ ઈ. ભવી૪ અંગઉપાંગ નંદિ અનુયોગા, છ છેદ ને મૂળ ચારજી, દસ પન્ના એમ પણયાલીસ, પાઠક તેહના ધાર ભવી) ૫ વેદ ત્રણ ને હાસ્યાદિક પ, મિથ્યાત્વ ચાર કષાયજી; ચૌદ અત્યંતરનવવિધબાહ્યની, ગ્રંથિ તજે મુનિરાય. આવી) ૬ ઉપશમ ક્ષયઉપશમ ને ક્ષાયક, દર્શન ત્રણ પ્રકારજી; શ્રદ્ધા પરિણતિ આતમ કેરી, નમીયે વારંવાર. ભવી૭ અઠ્ઠાવીસ ચૌદ ને પ દુગ ઈગ, મત્યાદિકના જાણજી; એમ એકાવન ભેદે પ્રણો , સાતમે પદ વરનાણ. ભવી૮ નિવૃતિ ને પ્રવૃતિ ભેટ, ચારિત્ર છે વ્યવહાર જી; નિજ ગુણ સ્થિરતા ચરણ તે પ્રણમો, નિશ્ચે શુદ્ધ પ્રકાર. ભવી૯ બાહ્ય અત્યંતર તપ તે સંવર, સમતા નિર્જરા હેતુ જી; તે તપ નમિયે ભાવ ધરીને, ભવ સાગરમાં સેતુ. ભવી ૧૦ એ નવપદમાં પણ છે ધર્મ, ધર્મ તે વરતે ચાર જી; દેવ ગુરુ ને ધર્મ તે એહમાં, દો ત્રણચાર પ્રકાર. વી૧૧ માર્ગદશક અવિનાશીપણું, આચાર વિનય સંકેત છે; સહાયપણું ધરતાં સાધુજી, પ્રણમો એહિ જ હેતે. ભવ૦ ૧૨
૨૯૧
Page #323
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિમલેશ્વર સાંનિધ્ય કરે તેહની, ઉત્તમ જે આરાધે જી; પહ્મવિજય કહે તે ભવિ પ્રાણી, નિજ આતમ હિત સાધે. ભવી) ૧૩
F (૪) શ્રી નવપદજીનું સ્તવન , નરનારી રે, ભમતા ભવ ભર દરીયે, નવપદનું ધ્યાન સદા ધરીએ, સુખકારી રે, તો શિવસુંદરી વરીએ, નવપદનું ધ્યાનસદા ધરીએ. ૧ પહેલે પદ શ્રી અરિહંત રે, કરી અષ્ટ રિપુનો અંત રે, થયા શિવ રમણીના કંતરે, પદ બીજે રે સિદ્ધ ભજી દુઃખ હરીએરે; નવપદનું ધ્યાન સદા ધરીએ, સુખકારી રે, તો શિવસુંદરી વરીએ.
નવ૦ ૨ આચાર્ય નમુ પદ ત્રીજે રે, ચોથે પદ પાઠક લીજે રે, પ્રીતેથી પાય પ્રણમીજે રે, પદ પાંચમે રે મુનિ મહારાજ ઉચરીએ.
નવ૦ ૩ છઠે પદ દર્શન જાણું રે, જ્ઞાન ગુણ મુખ્ય વખાણું રે; આ જગમાં ખરું નાણું રે, બહુ ખરચો રે, તોએ ન ખૂટે જરા એ.
નવ૦ ૪ ચારિત્રપદ નમું આઠમે, નવમેં તપ કરો બહુ ઠાઠે રે; દુઃખ દારિદ્ર જેહથી નાસેરે, જિનવરની રે, પ્યારથી પૂજા કરીએ રે.
નવ૦ ૫ નવદિન શીયલ વ્રત પાળો રે, પડિકમણું કરી દુઃખ ટાળો રે; જેમ ચંપાપતિ શ્રીપાલ રે, મન માંહી રે શંકા ન રાખો જરીએ.
નવ૬ ઓગણીસ અઠાવન વર્ષે રે, પોષ માસ પુનમ તિથિ ફરશે રે; ભાવે ગાવે તે ભવ ફરશે રે, નિર્ભયથી રે, ધર્મ કહે ભવતરીએરે.
નવ૦ ૭
૨૯૨ -
૨૯૨
Page #324
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
(૫) શ્રી નવપદજીની ઓળીનું સ્તવન ક દેશ મનોહર માળવો, નિરુપમ નયરી ઉજેણ લલના રાજ કરે તિહાં રાજીઓ, પ્રજાપાળ ભૂપાળ લલના.
શ્રી સિદ્ધચક્ર આરાધીએ. ૧ તસ અંગજા બે બાલિકા, મયણાં જગ વિખ્યાત લલના; જિનમતી પાસે વિદ્યા ભણી, ચોસઠ કળા વિશાળ લલના
શ્રી સિદ્ધચક્ર ૨ સાતશે કોઢીનો અધિપતિ, શ્રી શ્રીપાળ નરિંદ લલના; પરણાવી મયણા તેહને, કોઢીશું ધરતી નેહ લલના.
શ્રી સિદ્ધચક્ર૦ ૩ પિયુ! ચાલો દેવ જુહારીએ, ઋષભજિણંદ ઈષ્ટદેવ લલના; પૂજી પ્રણમી આવીઆ, ગુરુ પાસે સસનેહ લલના.
શ્રી સિદ્ધચક્ર૦ ૪ કહે મયણા સુણો પૂજ્યજી, તુમ શ્રાવકનો દેહ લલના; કવણ કર્મસંજોગથી કેમ જાશે એ રોગ લલના.
શ્રી સિદ્ધચક0 ૫ ગુરુ કહે વત્સ! સાંભળો, નહીં અમ અવર આચાર લલના; સિદ્ધચક્ર યંત્ર જોઈને, કરશું તુમ ઉપકાર લલના.
શ્રી સિદ્ધચક્ર૦ ૬ આસો શુદિ સાતમ દિને, કીજે ઓળી ઉદાર લલના; પાંચે ઈદ્રિય વશ કરી; કેવલ ભૂમિસંથાર લલના.
શ્રી સિદ્ધચક્ર) ૭ પડિક્કમણા દોય ટંકના, દેવ વંદન ત્રણ કાળ લલના; વિધિશું જિનવર પૂજીએ, ગણણું તેર હજાર લલના.
શ્રી સિદ્ધચક૭ ૮ એમ નવ દિન આંબિલ કરે, મયણા ને શ્રીપાળ લલના; પંચામૃત હવણે કરી, હવરાવે ભરથાર લલના.
શ્રી સિદ્ધચક૦ ૯
૨૯૩
Page #325
--------------------------------------------------------------------------
________________
-
---
-
-
-
-
-
--
-
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી સિદ્ધચક્ર સેવા ફળી, પાયા સુખ શ્રીપાલ લલના; પૂરવ પુણ્ય પસાયથી, મુકિત લહે વરમાળ લલના.
શ્રી સિદ્ધચક્ર૦ ૧૦ i (૬) શ્રી સિદ્ધચક્રનું સ્તવન 5 ફૂલ કમલનું મહેકતું રે, જેની પાંખડીઓ આઠ જેની પાંખડીઓ આઠ, ધ્યાન ધરો સિદ્ધચક્રનું પ્રભુ ભકિતનો ઠાઠ, પ્રભુ નવપદની આરાધના. ૧ દેવ ગુરુ ને ધર્મનો રે, જેમાં છે શુભ વાસ, જેમાં દુઃખ દોહગ દૂર હરે, પૂરે વાંછિત આશ. પુરે નવ૦ ૨ રોગ નાશક દિવ્ય ઔષધિ રે, હરે વિષનો વિકાર; હરે૦ ભૂત પિશાચનાં દોષને, જે દૂર કરનાર. જે નવ૦ ૩ આગમ રહસ્યોથી ભર્યો રે, નવપદ મનોહાર, નવ (ભવિજન સેવો ભાવથી, જૈન શાસનનાં સાર. જૈનવે નવ૦ ૪ રત્ન ચિંતામણી સુરતરૂ રે, કામ ઘટ સુર ગાવ; કોમ0 તોલે ન આવે તેહને, જેનો પગટ પ્રભાવ. જેનોનવ) ૫ વિધાઓ વિવિધ પ્રકારની રે, બધાં યંત્રોનું સાર. બધા, લબ્ધિ અટ્ટાવીશ એહમાં, કરે પા યશોગાન. કરે૦ નવ૦ ૬
H (૧) શ્રી રાણકપુરતીર્થનું સ્તવન , દેશમાં વહાલોજી આવશે, રાણપુર રસ રહેશે જી; ત્રિલોક દીપક દેહરાં, ચઉમુખ પ્રતિમા ચારેજી. રાણકપુર રળિયામણું. ૧
જ્યાં રે વસે રે વ્યવહારીયો, ત્યાં ધનોશા પોરવાડ જી; જેણે રે મંડપ માંડિયો, ચોસઠ વિધાનું પ્રમાણજી.
રાણકપુર૦ ૨ પહેલા ભોણની માંડણી, સાત હજાર એના થંભજી; અઠ્યાવીશ હજાર પ્રતિમા વસે, શ્રાવકે દીધું બહુમાન જી.
રાણકપુર૦ ૩ ૧૯૪=
૨૯૪
Page #326
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
બીજા રે ભોણની માંડણી, આઠ હજાર એના થંભ જી; બત્રીસ હજાર પ્રતિમા વસે, મંડપ રચ્યો મહોટે ઠામ જી.
રાણકપુર૦ ૪ ત્રીજા રે ભોણની માંડણી ચોરાશી શિખરે વખાણું જી; આદીશ્વર ભગવાન શોભતા, બીજી પ્રતિમાનો પાર ન જાણુંજી
રાણકપુર૦ ૫ બસો પાંત્રીશ પગથી, એટલું દેરાનું પરિમાણ જી; કોડ નવાણું સોનામહોરો ખરચી, છે ધનેશ્વર પોરવાડે જી.
રાણકપુર૦ ૬ જ્યારે દેહરું પૂરું થયું, રાણકપુર રસ રહેશે જી; યાત્રા કરો જિનજી તણી, ટાલશો ભવનો ફેરો જી
રાણકપુર૦ ૭ માટે તે શહેર રાણકપુરું, ચાલીશ ગાઉનો ફેરો જી; ચોરાશી ગચ્છના શ્રાવક વસે, મોટા ધન્નોશા કહેવાણા જી.
રાણકપુર૦ ૮ પહેલા તે શ્રાવક એકલા, વલી તે પાંચસે માસે જી; એટલા વરસ દેહરાને થયા, મહાવીરસ્વામી બેઠા પાટે જી.
રાણકપુર ૯ સંવત અઢાર પાંત્રીશનો, રુડો તે શ્રાવણ માસ જી; મોટીરે સઈ પરમેસરી, સ્તવન રચાવ્યું પેથલ ઉસવાલે જી.
* રાણકપુર૦ ૧૦ (૧) શ્રી કેસરીયાજીનું સ્તવન 5.
(રાગ-ભમરો ઉડેરે રંગમે હોલમાં રે) આજ સફલ દિન માતરો રે, વાંધો શ્રી ધૂલેવા રાય રે, કેસરીયોજી ભેટીઓ રે, મેવાડ વાગડ વચે શોભતો રે;
બાવન જિનાલયો પ્રાસાદ રે. કે૦ ૧ મેરૂ સમ ઉરંગ દેહરો રે, કોણી અતિથી શ્રીકાર રે, કે૦ થંભે થંભે શોભે પૂતળી રે, જાણીયે દેવવિમાન રે. કે૦ ૨
૨૯૫
Page #327
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સુવર્ણનો દંડ કલશ અછે રે, રૂખ કપાટ જોડી દોય રે, કે રત્ન જડિત સુવર્ણ અંગિકા રે, તેજે જલામલ ભાણ રે. કે૦ ૩ પ્રભુજીની મૂર્તિ મોહની રે, તૃપ્તિ ન પામે નયણ રે, કે મહિમાવંત મોહોટા તુમે રે, જગ સહુ નમે જસ પાથરે. કે. ૪ નિત પૂજે પ્રભુ ભાવશું રે, વંછિત ફલ લહે તામ રે, કે આશા ધરીને હું આવીયો રે, ધો દરિસણ મહારાજ રે. કે. ૫ દેશાવરી સંઘ આવે ઘણા રે, યાત્રા કરણ નિતમેવ રે, કે૦ કેસરના કીચ મચી રહ્યા રે, નિત હોય મંગલમાલ રે. કે. ૬ ગૌમુખ યક્ષ ચક્કસરી રે, શાસનદેવતા એહ રે, કે કલિયુગમાં સાચો ધણી રે, પરતા પૂરણહાર રે. કે. ૭ શેઠ નરસિંહ નાથાના સંઘમાં રે, વર્તે છે જય જયકાર રે, કે) સંવત્ ઓગણીશ બારોત્તરે રે, વૈશાખ વદી બીજ સાર રે. કે. ૮ તિણે દિન પ્રભુજીને વાંદીયા રે, સંઘ સર્વે ગહ ઘટ રે; કે૦ પૂજા સાહમિવચ્છલ નિત પ્રતે રે, ખરચી લાહો લીધ રે. કે. ૯ આઠ દિવસ કરી જાત્રા રે, સંઘ સહુ હણ રે, કે૦ સૌભાગ્યેન્દુ શિષ્ય દેવચંદ્રને રે, જાત્રા થઈ સુખકાર રે. કે૦ ૧૦
H (૧) શ્રી સમેતશિખરજીતીર્થનું સ્તવન BH તુંહી નમો નમો સમેતશિખર ગિરિ, આદીશ્વર અષ્ટાપદ સિધ્યાં, વાસુપૂજ્ય ચંપાપુરી. તુંહી, નેમ ગયા ગિરનારે મુકિત, વીર પાવન પાવાપુરી. તુંહી, વિશ ટુંકે વીશ જિનશ્વર, સિધ્યા અનશન આદરી. તુંહી
જ્યોતિ સ્વરૂપે હું આ જગદીશ્વર, અષ્ટ કર્મનો ક્ષય કરી તુંહી, પશ્ચિમ દિશે શત્રુંજય તીર્થ, પૂર્વ સમેતશિખર ગિરિ. તુંહી, મોક્ષ નગરના દોય દરવાજા, ભવિક જીવ રહ્યા સંચરી. તુંહી જગ વ્યાપક અક્ષય સાહીબ, પાપ સંતાપ કોટન ગિરિ. તુંહી,
૧૨૯૬
Page #328
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
મોટું તીર્થ મોટો મહિમા, ગુણ ગાવત સુરાસુરી. તુંહી, વિષમ પહાડ ઉજ્જડ મેં ચિહું દીસી, ચોર ચરડ રહ્યા સંચરી. તુંહી, ભયંકર ડુંગર ભૂમિ ડરાવણ, દેખત ડુંગર થરહરી. તુંહી, સંવત સત્તર ચુંમાલીશ વરસે, ચૈત્ર સુદ ચોથે ધરી. તુંહી, કહે જિન હર્ષ વીશે ટુંકે, ભાવશું ચૈત્યવંદન કરી. તુંહી, E (૨) શ્રી સમેતશિખરજીનું સ્તવન
(રાગ-એટલો સંદેશો ચંદાજી) સમેતશિખર મુજને વાલેરું લાગે, પ્રગટ વસે છે વ્હાલા પાર્થ નિણંદ; સખી સમેતશિખર મુજને વાલેરું લાગે. ૧. આટલો સંદેશો જઈને પ્રભુજીને કહેજો, ભવસાગર ક્યારે જાલશો હાથ. સખી૦ ૨. ક્રોધ અગ્નિની જ્વાળા મુજને બાળે છે, કૃપા વારિનો કયારે કરશો વરસાદ. સખી, ૩. કામ સ્વરૂપી હસ્તી કચડી નાખે છે, શઠતા સ્વરૂપી સિંહ કરે છે નાદ. સખી. ૪. હું તો દાસી છું પ્રભુ પાર્થ નિણંદની, સહેજે સલુણો મારો કોડીલો કંથ. સખી૫. સૃષ્ટિ ન દેખું આતો રાન ભયંકર, નજરે ન આવે પ્યારો પ્રેમીલો પંથ. સખી) ૬ કુટુંબ કબીલો એતો સાચા શિયાળવા, ઘેરી રહ્યા છે મુજને આવી ચોપાસ સખી૦ ૭. અંતરના બેલી પ્રભુજી કયારે ઉગારશો, હૈયામાં હવે મારે કંઈ નથી હામ સખી ૮. કરૂણાના સાગર પ્રભુજી જ્ઞાન ઉજાગર, વહાલું લાગ્યું છે પ્રભુ આપનું ધામ. સખી) ૯. અમીરસ ઝરતી મૂરતિ પ્યારી લાગે છે, કુમુદને વ્હાલો જેમ શારદનો ચંદ, સખી ૧૦. સમેતશિખરવાસી પાર્થ નિણંદજી, વામાદેવીનો રૂડો લાડીલો નંદ. સખી. ૧૧. નટડીને દોર ઉપર જેવી છે સુરતા, એવી પ્રભુની સાથે મારી છે પ્રીત. સખી. ૧૨. પહ્મવિજય સૂરિ એ રીતે બોલે, પ્રભુજીએ સંભાળી રૂડી રાખી છે પ્રીત. સખી સમેતશિખર મુજને વાલેરું લાગે૧૩.
૨૯૭
Page #329
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩) શ્રી સમ્મેતશિખરગિરિનું સ્તવન (ક્રીડા કરી ઘરે આવીઓ એ-દેશી)
સ ૩
સમ્મેતશિખર જિન વંદીયે, મોટું તીરથ એહ રે; પાર પમાડે ભવતણો, તીરથ કહિએ તેહ રે. સ૦ ૧ અજિતથી સુમતિ-જિણંદ લગે, સહસ મુનિ પરિવાર રે; પદ્મપ્રભ શિવસુખ વર્યા, ત્રણસેં અડ અણગાર રે. સ૦ ૨ પાંચશે મુનિ પરિવારશું, શ્રી સુપાર્શ્વજિણંદ રે; ચંદ્રપ્રભ શ્રેયાંસ લગે, સાથે સહસ મુણિંદ ૨. છ હજાર મુનિરાજશું, વિમલ-જિનેશ્વર સિદ્ધા રે; સાત સહસ શું ચૌદમાં, નિજ કારજ વર કીધાં રે. સ૦ ૪ એકસો આઠ શું ધર્મજી, નવસે શું શાંતિનાથ રે; કુંથુ અર સહસશું, સાચો શિવપુર સાથ રે. સ૦ ૫ મલ્લિનાથ શત પાંચશું, મુનિ નિમ એક હજાર રે; તેત્રીશ મુનિ યુત પાસજી, વરીયા શિવસુખ સાર રે. સ૦ ૬ સત્તાવીશ સહસ ત્રણશે, ઉપર ઓગણપચાસ રે; જિન પરિકર બીજા કેઈ, પામ્યા શિવપુર વાસ રે. સ૦ ૭ એ વીશે જિન એણે ગિરિ, સિદ્ધા અણસણ લેઈ રે; ‘પદ્મવિજય’ કહે પ્રણમીયે, પાસ સામલનું ચેઈય રે. સ૦ ૮
૬ (૧) શ્રી અષ્ટાપદજી તીર્થનું સ્તવન પૂર્ણ અષ્ટાપદનારે શ્રી જિન વંદીયે, ઋષભાદિક ચોવીશ; ભરતચક્રીયે રે કીધો ભાવશું, તીરથ વિશ્વારે વીશ.
અષ્ટાપદના ૧
આદિ જિણંદે રે સ્વમુખ ઉપદિશ્યો, બારે પરસદા માંહી; શ્રી જિન કેરાં રે બિંબ ભરાવતાં, જિન સમ થઈએ ઉછાંહી.
અષ્ટાપદના ૨
૨૯૮
Page #330
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
તવ ચક્રીએ રે બિંબ ભરાવી, રયણનાં સઘલા રે બિંબ; ઋષભાદિક ચોવીશ કરાવીયા, નિજ નિજ માને પ્રલંબ.
અષ્ટાપદના૦ ૩ જોજન માને રે એક પગથીયું, એહવા પગથીઓ આઠ; અષ્ટાપદગિરિ તેણે ભાસીએ, આગમમાંહી રે પાઠ.
અષ્ટાપદના૦ ૪ તે ઉપર બહુ ભાવે કરાવીઆ, સોવનમય પ્રાસાદ; ધ્વજ દંડ સોહે કંચન કેરા, લેતા ગગન શું રે વાદ.
અષ્ટાપદના૦ ૫ અતિ શુભ મુહૂર્ત રે પ્રભુ બેસાડીઆ, કરીય પ્રતિષ્ઠા સાર; પૂરવ દિશી બે ઋષભ અજિતજીના, દક્ષિણ સંભવ ચાર.
અષ્ટાપદના૦ ૬ સુપાર્થ આદે રે આઠ જિને સરૂ, પશ્ચિમ દિશે બે સંત; ધર્મ જિણંદથી રે દશ ઉત્તર દિશે, થાપ્યા ઈમ ભગવંત.
અષ્ટાપદના) ૭ સિંહનિષધ્યા રે આકૃતિ તેહની, સમાનાસા સુખકાર; ઈમ બેસાડ્યાં રે ચોવીશે જિનવરા, પદ્માસન નિરધાર.
અષ્ટાપદના૦ ૮ સત્તરભેદી રે પ્રભુપૂજા રચે, સમક્તિ નિરમલ કીધ; દેશી વિદેશી રે સંઘ જાયે ઘણાં. અરચે પ્રણમે સમૃદ્ધ.
અષ્ટાપદના૦ ૯ ઋષભ નિણંદે રે મુક્તિવધૂ વરી, તિણ એ તીરથ મહંત; ચઉસઠ સુરપતિ રે આવી હરખથી, ઓચ્છવ કરત અનંત.
અષ્ટાપદના૦ ૧૦ રાવણ રાણો રે આવ્યો ઈણ ગિરિ, વિણા વજાવી સાર; ત્રુટી તાંતરે નસ સાંધી તેણે, જિન થાશે શ્રીકાર.
અષ્ટાપદના) ૧૧
-ર૯૯
૨૯૯
Page #331
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ગૌતમ ગણધર રે જાત્રા આવીઆ, વાંદીને જિનચંદ; તાપસ સઘલા રે વલતા શિષ્ય કર્યા, તે થયા જ્ઞાન દિણંદ.
અષ્ટાપદના) ૧૨ એમ બહુ પ્રાણીએ રે જાત્રા કરી, વશી થયા શિવપુર વાસ; ચરમશરીરી રે જે હોએ જીવડા, તે ચડે ઈણ ગિરિ ખાસ.
અષ્ટાપદના) ૧૩ નિત ત્રિહું કાલે રે જે કરે વંદના, અધિકો આણી ભાવ; સમ્યકત્વ દરસન રે નાણ ચરણ, વરે થાયે શુદ્ધ સ્વભાવ.
અષ્ટાપદના૦ ૧૪ અચલગચ્છ રે અધિપતિ સોહીએ, શ્રી વિદ્યાસાગરસૂરિ; તસ વિનયી કહે રે જ્ઞાન વિબુધ વરી, પ્રભુનામે સુખકારી.
અષ્ટાપદના) ૧૫
= (૨) શ્રી અષ્ટાપદગિરિતીર્થનું સ્તવન 5 અષ્ટાપદ અરિહંતજી, મ્હારા વ્હાલાજીરે; આદીશ્વર અવધાર નમીએ નેહશું. મ્હારાવ દશ હજાર મુણિંદશું ખ્વારા)
વરિયા શિવવધૂ સાર. નમીયે૦ ભરતભૂપે ભાવે કર્યો હારા ચઉમુખ ચૈત્ય ઉદાર.
નમીયે. ૧ જિનવર ચોવીશે જિહાં હારાવ થાપ્યા અતિ મનોહાર.
નમીયે૦ ર વરણ પ્રમાણે વિરાજતા હારા લંછનને અલંકાર નમીયે. સમ નાસાયે શોભતા, મ્હારાવ ચિહુદિશે ચાર પ્રકાર.
નમીયે૦ ૩ મંદોદરી રાવણ તિહાંમ્હારાવ નાટક કરતાં વિશાલ, નમીયે૦ તુટી તાંત તવ રાવણે મ્હારા નિજકર વીણા તતકાલ.
નમીયે) ૪
GOO
Page #332
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
કરી બજવીતિણેસમે મ્હારાવ પણનવિ તોડ્યાં તેતાન, નમીયે, તીર્થંકર પદ બાંધીયું, મહારા૦ અભુત ભાવશું ગાન.
નમીયે) ૫ નિજલબ્ધગૌતમ ગુરુ મ્હારાવ કરવા આવ્યા તે જાત્ર, નમીયે૦ જગચિંતામણિ તિહાં કર્યું હારા, તાપસ બોધ વિખ્યાત.
એગિરિમહિમા સ્ફોટકો મ્હારા તેણે ભવ પામે જે સિદ્ધ, નવ જે નિજ લબ્ધ જિન નમે મ્હારાવ પામે શાશ્વત ઋદ્ધિ.
નમીયે. ૭ પદ્મવિજય કહે એહના, હારાકેતાં કરૂં વખાણ નમીયે, વીર સ્વમુખે વરણવ્યો મ્હારા) નમતાં કોડી કલ્યાણ.
નમીયે૦ ૮
(૩) શ્રી અષ્ટાપદજીતીર્થનું સ્તવન fi
(રાગ-નિંદા મ કરજો કોઈની પારકી રે) મનડું અષ્ટાપદ મોહ્યું મારું જી, નામ જપું નિશદિશજી; ચઅિટ્ટ દસ દોય વંદીયે જી, ચઉદિશિ જિન ચોવીશ જી. મનડું) ૧ એક એક જોજન આંતરૂં જી, પાવડીયાં છે આઠ જી આઠ જોજન ઉંચું દેહરૂં જી; જીવ આવી ઉભા જોયછે. મનડું ભરતે ભરાવ્યાં ભલા દેહરાજી, શોભે હીરાનાં તિહાં થંભજી; આપ મૂરતિ સેવા કરેજી, પાપ ગયા સવિ દૂરજી, મનડું૦ ૩ ગૌતમસ્વામી તિહાં ચડ્યાજી; આણામાગી તીર્થંકરજી; ગોત્ર તીર્થકર તિહાં બાંધીયુંજી, રાવણે કરી નાટારંભજી, મનડું૦ ૪ દેવે ન દીઘી મુજને પાંખડીજી, કિમ કરી આવું હજુરજી; સમયસુંદર કહે વંદનાજી, પ્રહ ઉગમતે સૂર્યજી. મનડું) ૫
૩૦૧
૩૦૧
Page #333
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૪) શ્રી અષ્ટાપદજીનું સ્તવન BE
(રાગ-નીંદરડી વેરણ હુઈ રહી) શ્રી અષ્ટાપદ ઉપરે, જાણી અવસર તો આવ્યા આદિનાથ કે; ભાવે ચોસઠ ઈદ્ર શું, સમવસરણ હો મલ્યામોટા સાથ કે. શ્રી૧ વિનિતાપુરથી આવીયો, બહુ સાથે હો વળી ભરત ભૂપાલ કે; વાંદી હઈડા હેજશું, તાત મુરતિયો નીકે નયણે નિહાલ કે. શ્રી. ૨ લઈ લાખીણા ભામણા, કહે વયણાં હો મારા નયના ધન્ન કે; વિણ સાંકળ વિણદોરડે, બાંધી લીધુંહો વહાલાતે મન્ન કે. શ્રી. ૩ લઘુભાઈએ લાડકાં, તે તો તાતજી હો રાખ્યા હોયડહજાર કે; દેશના સુણી વાંદી વંદ, ધન્ય જીવડાહો જે તર્યાભવપુર કે. શ્રી. ૪ પૂછે પ્રેમે પુરિયો, આ ભરતે હો આગલ જગદીશ કે; તીર્થકર કેતા હોશે, ભણેરૂષભજી હો અમ પછી ત્રેવીશ કે. શ્રી. ૫ માઘની શામળી તેરશે, પ્રભુ પામ્યા હો પદ પરમઆનંદ કે; જાણી ભરતેશ્વર ભણે સસનેહો હો નાભિરાયાના નંદ કે. શ્રી ૬ મનમોહન દિન એટલા મુજ સાથે હો રૂ૫ણા નવિ લીધ કે, હેજ હૈયાનો પરહરી આજ ઉંડા હો અબોલડાલીઘ કે. શ્રી ૭ વિણ વાંકે કાંઈ વિસારીયા, તેતો તોડ્યા હો પ્રભુપ્રેમના ત્રાગ કે; ઈદ્ર ભરતને બુઝવ્યા, દોષ મદીઓ હો એ જિન વીતરાગ કે. શ્રી. ૮ શોક મૂકી ભરતેસરૂ, વારિધિ કને તો વળી દીધ આદેશ કે; શુભ કરે જિનથાન કે, સંસ્કાર્યાહો તાતજી ઋષહેશ કે. શ્રી. ૯ વળી બાંધવ બીજા સાધુના, તીહાંકીધાં હત્રણ શુભ અનુપ કે; ઊંચો સ્ફટિકનો ફુટડો દેખી ડુંગરહો હરખ્યા ભલે ભૂપ કે શ્રી ૧૦ રતન કનક શુભ ઢુકડો, કરી કંચન હો પ્રાસાદ ઉત્તુંગ કે; ચોબારો ચુંપે કરી, એક જોયણ હો માને મન રંગ કે. શ્રી. ૧૧ સિંહનિષધા નામનો, ચોરાસી હો મંડપ પ્રાસાદ કે; ત્રણ કોશ ઉંચો કનકનો, ધ્વજ કલશે તો કરે મેરૂ શું વાદ કે. શ્રી. ૧૨
૩૦૨
Page #334
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
-
-
વાન પ્રમાણે લંછને, જિન સરખી હો તિહાં પ્રતિમા કીધ કે, દોય ચાર આઠદશ ભણી, રૂષભાદિક હો દૂખે પ્રસિદ્ધ છે. શ્રી. ૧૩ કંચન મણી કમલે ઠવી, પ્રતિમાની હો આણી નાસિકા જોડ કે; દેવ વંદે રંગ મંડપે નીલા તોરણ હો કરી કોરણીકોર કે શ્રી. ૧૪ બંધવ બેન માતાતણી મોટી મૂરતિ હો મણિ રતને ભરાય છે; મરૂદેવામયગલચઢી, સેવા કરતી હો નિજમૂરતિની પાય છે. શ્રી. ૧૫ પ્રાતિહારજ છત્ર ચામરા, જક્ષાદિક હો કીધા અનિમેષ કે; ગૌમુખ ચતુરચક્કેસરી, ગઢવાડી હો કુંડવાવ વિશેષ કે. શ્રી. ૧૬ પ્રતિષ્ઠા પ્રતિમાતણી, કરાવે હો રાજા મુનિવર હાથ કે; પૂજાસ્નાત્ર પ્રભાવના, સંઘભક્તિો ખરચી ખરી આથકે શ્રી. ૧૭ પડતે આરે પામીયા, મત પાડો તો કોઈ વરૂઈ વાટ કે; એકએક જોયણ આંતરે, ઈમ ચિંતવી હો કરે પાવડિયાં આઠ કે. શ્રી. ૧૮ દેવ પ્રભાવેએ દેહરો રહેશે અવિચલહો છઠ્ઠા આરાની સીમ કે, વાંદે આપ લધ્ધિબળે, નર તેણે ભવો ભવસાગર સીમ કે. શ્રી. ૧૯ કેલાસગિરિના રાજીયા, દીયો દરિસણ હો કાંઈમન કરોઢીલ કે; અરથી હોય ઉતાવલા, મત રાખોહો અમશું અડખીલ કે. શ્રી. ૨૦ મન માન્યાને માલવે, આવા સ્થાને હો કોઈન મિલે મિત્ર કે; અંતરજામી મલ્યા પછી, કિમ ચાલે હો રંગ લાગ્યો મજીઠ કે. શ્રી. ૨૧ રૂષભજી સિદ્ધિવધૂ વર્યા ચાંદલીયા હો તે દેઉલ દેખાડ કે; ભલે ભાવે વાંદી કરી માંગુ મુકિતનાહો મુજ બાર ઉઘાડકે શ્રી. ૨૨ અષ્ટાપદની જાતરા, ફલ પામે તો ભાવે ભણે ભાસ કે; શ્રીભાવ વિજય ઉવજઝાયનો, ભાણ ભાખેહો ફલેસઘળી આશ કે. શ્રી. ૨૩
BE (૫) શ્રી અષ્ટાપદ તીર્થનું સ્તવન HI
(રાગ : બિહાગ) તીરથ અષ્ટાપદ નીત નમીયે, જિહાં જિનવર ચોવીશજી; મણીમય બિંબ ભરાવ્યા ભરતે, તે વંદુ નિશદિનજી...તીરથ ૧
૧૩૦૩}
Page #335
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
નિજ નિજ દેહ પ્રમાણે મૂરતિ, દીઠડે મનડું મોહેજી; ચત્તારી અ‰ દશા દોય એણી પરે; જિન ચોવીશે સોહેજી.
તીરથ૦ ૨
બત્રીસ કોષનું પર્વત ઉંચુ, આઠ તિહાં પાવડીયાજી; એકેકી ચૌકોશ પ્રમાણે, નવિ જાયે કોઈ ચડીયોજી;
તીરથ૦ ૩
ગૌતમ સ્વામી ચડીયા લબ્ધ, . વાંધા જિન ચોવીશજી; જગ ચિંતામણી સ્તવન ત્યાં કીધું, પૂગી મનની જગીશજી.
તીરથ૦ ૪
તદ્ભવ મોક્ષગામી જે માનવ, એ તીરથને વાંદેજી; જંઘા વિદ્યાચારણ વાંદે, તે તો લબ્ધિ
પ્રસાદેજી.
સાઠ સહસ સુત સગરચક્રીના, એ તીરથ બારમા દેવલોક તે પહોતા, લહેશે સુખ
કંચનમય પ્રાસાદ ઈહાં છે, એ અધિકાર છે આવશ્યક સૂત્રે,
સેવંતાજી.
અનંતાજી.
જિહાં આદીશ્વર મૂક્તે પહોતા, અવિચલ તીરથ જસવંતસાગર શિષ્ય પરંપે, જિનેંદ્ર વધતે
તીરથ૦ પ
Ř (૬) શ્રી અષ્ટાપદ તીર્થ સ્તવન (રાગ-કર્મ કઠોર કરો રે. મિતા-સારંગ)
૩૦૪
યોગ્યજી;
વંદન કરવા જોજ્યો દઈ ઉપયોગજી.
તીરથ૦ ૬
તીરથ૦ ૭
એહજી;
નેહજી,
તીરથ૦ ૮
અષ્ટાપદ ગિરિ યાત્રા કરનકું, રાવણ પ્રતિહરી આયા; પુષ્પકનામે વિમાને બેસી, મંદોદરી સુહાયા. શ્રી જિન પૂજો હો લાલ; સમકિત નિર્મલ કીજે, નયણે નિરખી હો લાલ. નરભવ સલો કીજે, હૈયડે હરખી હો લાલ; સમતા સંગ કરીજે. ૧.
Page #336
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ ચૌમુખ ચૌગતિ હરણ પ્રાસાદે, ચોવિશે જિન બેઠા, ચૌદશી સિંહાસન સમ નાસા, પૂરવ દિશે દોય જિફા. શ્રી જિન૦ ૨. સંભવ આદિ દક્ષિણે ચારે; પશ્ચિમ આઠ સુપાસા, ધર્મ આદિ ઉત્તર દિશિ જાણો, એવં જિન ચઉવીશ. શ્રી જિન) ૩. બેઠા સિંહ તણે આકારે, ભરતે જિણહર કીધાં; રણ બિંબ મૂરતિ થાપીને, જગ જશ વાદ પ્રસિધ્યા. શ્રી જિન) ૪. કરે મંદોદરી રાણી નાટક, રાવણ તાંત બજાવે; માદલ વીણા તાલ તંબુરો પગરવ ઠમ ઠમકાવે. શ્રી જિન૫. ભકિત ભાવે એમ નાટક કરતાં, ત્રુટી તાતી વિચાલે; સાધી આપ નશા નિજ કરની, લઘુ કલાશું તત્કાલે. જિન) ૬. દ્રવ્ય ભાવશું ભકિત ન ખંડે, તો અક્ષય પદ સાધ્યું; સમકિત સુરતરૂ ફલ પામીને, તીર્થકર પદ બાંધ્યું. શ્રી જિન, ૭. એણી પરે ભવિજન જે જિન આગે, બહુપરે ભાવના ભાવે, જ્ઞાન વિમલ ગુણ તેહના અહોનિશ સુરનર નાયક ગાવે, શ્રી જિન પૂજો હો લાલ૦ ૮.
SF (૧) શ્રી આબુતીર્થ જિન સ્તવન BE આવો આવોને રાજ, શ્રી અર્બુદગિરિ જઈએ, શ્રી જિનવરની ભકિત કરીને, આતમ નિર્મલ થઈએ.
આવો૦ ૧ વિમલવસતિમાં પ્રથમ જિનેશ્વર, મુખ નિરખે સુખપાઈએ; ચંપક કેતકી પ્રમુખ કુસુમવર, કંઠે ટોડર ઇવીએ.
આવો૦ ૨ જમણે પાસે લુણગ-વસહી, શ્રી નેમીશ્વર નમીએ; રાજીમતીવર નયણે નિરખી, દુઃખ દોહગ સવિ ગમીએ.
આવો. ૩ સિદ્ધાચલે શ્રી ઋષભ જિનેશ્વર, રેવત નેમ સમરીએ; અર્બુદગિરિની યાત્રા કરતાં, બિહું તીર્થ ચિત્ત ધરીએ.
આવો. ૪
૩૦૫
Page #337
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મંડપે મંડપે વિવિધ કોરણી, નિરખી હિયડે ઠરીએ; શ્રી જિનવરના બિંબ નિહાળી, નરભવ સફલો કરીએ.
આવો) ૫ અચલગઢે આદીશ્વર પ્રણમી, અશુભ કર્મ સવિ હરીએ; પાસ, શાંતિ નિરખ્યા જબ નયણે, મન મોહ્યું ડુંગરીએ.
આવો૦ ૬ પાજે ચઢતા ઉમંગ વાધે, જેમ ઘોડે પાખરીએ; સકલ જિનેશ્વર કેસરે પૂજી, પાપ-પડલ સવિ હરીએ.
આવો૭ એકણ ધ્યાને પ્રભુને ધ્યાતાં, મનમાંહિ નધિ ડરીએ; જ્ઞાનવિમલ કહે પ્રભુ સુપસાથે, સકલ સંઘ સુખ કરીએ.
આવો આવોને રાજ, શ્રી અર્બુદગિરિ જઈએ. ૮
= (૨) આબુતીર્થ સ્તવન Hi.
(રાગ-પ્રભુ તારું ગીત મારે ગાવું છે) આબુ પરવત રૂઅડો રે લોલ, ઊંચો તે ગાઉડા બાર રે, આદેસર દેવ; પાયે ચઢતાં દોહીલો રે લોલ, જિહાં નહિ પુન્યનો પાર રે. આદેસર દેવ આબુ) ૧ પહેલા શ્રી આદીશ્વર જુહારીયેરે લાલ, પછી સહુ પરિવાર રે, આદેસર દેવ વળતા શ્રી નેમિસર જુહારીએ રે લોલ, મુકિત તણા દાતાર રે. આદેસર દેવ આબુ) ૨ દેરાસર સામે એક ગોખલો રે લોલ, વિમલ ચડ્યો રંગરેલ રે, આદેસર દેવ વસ્તુપાલ તેજપાલના જોડલા રે લોલ, ચામર ઢળે દોય અંગ રે. આદેસર દેવ આબુ૦ ૩
૩િ૦૬
Page #338
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
દેરાણી જેઠાણીના બે આરીયા રે લોલ, ખરચ્યા તે લાખ અઢાર રે, આદેસર દેવ રૂપા ભારોભાર કોણી રે લોલ, સોનું ઘડે સોનાર રે. આદેસર દેવ આબુ) ૪ એકાવન ઓરસિયા ભલા રે લોલ, કેશર ચંદન સાર રે, આદેસર દેવ ચંપા સેવંત્રીના ઝાડવા રે લોલ, તેની ત્યાં સુગંધ અપાર રે. આદેસર દેવ આબુ) ૫ અચલગચ્છ વધામણા રે લોલ, ચોમુખ પ્રતિમા ચાર કે, આદેસર દેવ; વળી વળી સેવક વિનવે રે લોલ, આવાગમન નિવાર રે. આદેસર દેવ આબુ૦ ૬
BE (૩) શ્રી શિખરજીનું સ્તવન fi
(રાગ :- ભલું થયુંને અમે) ચાલો ચાલો શિખરગિરિ જઈયેરે વિશ નિણંદ મુગતે ગયા રે; પાલગંજમે સફલ બોલાયે, મધુબનમેં જઈ રહીયે રે. ચાલો૦ ૧ આઠ મંદિર હૈ શ્વેતાંબરકા, તીન દિગમ્બરી લહીયે રે; સીતા નાલે નિરમલ થઈને, કેશર પ્યાલા ગ્રહીયે રે. ચાલો૦ ૨ વિષમ પહાડકી કુંજ ગલનમેં, શીતલતા બહુ લહીયે રે; પશ્લિમ આઠ પૂરવદિશિ બારે, વિશ ટુંક પદ લહીયે રે. ચાલો૦ ૩
(૩૦૭
Page #339
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શામલીયા પારસકો મંદિર, બીચ શિખર પર સોહીયે રે; વીશ ટુંકે જિનપૂજન કરકે, નરભવ લાહો લહીયે રે. ચાલો૦ ૪ ઓગણીસે ઈગ્યાર મહાવદી, એકાદશી વિધુ કહીયે રે; સંઘ સહિત યાત્રા ભઈ સફલી, વિનય નમન ગુણ ગ્રહીયે રે. ચાલો૦ ૫
૬ (૧) શ્રી જ્ઞાનપદનું સ્તવન BE
(રાગ-અરાિક મુનિવર ચાલ્યા ગોચરી) જ્ઞાનપદ ભજીએ રે જગત સુહકરૂં, પાંચ એકાવન ભેદ રે; સમ્યજ્ઞાન જે જિનવરે ભાખીયું, જડતા જનની ઉચ્છેદે રે.
જ્ઞાન૦ ૧ ભક્ષાભક્ષ વિવેચન પરગડો, ખીર નીર જેમ હંસો રે; ભાગ અનંતમો રે અક્ષરનો સદા, અપ્રતિપાતિ પ્રકાશ્યો રે.
જ્ઞાન૨ મનથી ન જાણે રે કુંભકરણવિધિ, તેહથી કુંભ કેમ થાશે રે; જ્ઞાન દયાથી રે પ્રથમ છે નિયમા, સદભાવ વિકાસે રે.
જ્ઞાન) ૩ કંચન નાણું રે લોચનવંત લહે, અંધો અંધ પુલાય રે; એકાંતવાદી રે તત્ત્વ પામે નહિ, સ્યાદ્ધાદ રસ સમુદાય રે.
જ્ઞાન) ૪ જ્ઞાનભર્યા ભરતાદિક ભવ તર્યા, જ્ઞાન સકળ ગુણ મૂળ રે; જ્ઞાની જ્ઞાનતણી પરિણતિ થકી, પામે ભવજળ કુળ રે.
જ્ઞાન) ૫ અલ્પાગમ જઈ ઉગ્ર વિહાર કરે, વિચરે ઉદ્યમવંત રે; ઉપદેશમાળામાં ક્રિયા તેહની, કાય ફલેશ તસ હુંત રે.
જ્ઞાન૦ ૬ ૩િ૦૮
Page #340
--------------------------------------------------------------------------
________________
સ્તવન વિભાગ
જયંત ભૂપોરે જ્ઞાન આરાધતો, તીર્થંકર પદ પામે રે; રવિ શશી મેહ પર જ્ઞાન અનંતગુણી, સૌભાગ્ય લક્ષ્મી હિત કામેરે
જ્ઞાન) ૭ EF (૨) જ્ઞાન પંચમીનું સ્તવન HF
(રાગ-કપુર હોય અતિ ઉજળો રે) શ્રી જિનવરને પ્રગટ થયું રે, ક્ષાયિક ભાવે જ્ઞાન, દોષ અઢાર અભાવથીરે, ગુણ ઉપન્યા તે પ્રમાણ રે; ભવિયા ! વંદો કેવલજ્ઞાન, પંચમી દિન ગુણ ખાણ રે. ભવિ૦ ૧ અનામીના નામનો રે, કિશ્યો વિશેષ કહેવાય મધ્યમા ખરી રે, વચન ઉલ્લેખ ઠરાય રે. ભવિ૦ ૨ ધ્યાન ટાણે પ્રભુ તું હોયે રે. અલખ અગોચર રૂપ; પરા પયંતિ પામીને રે, કાંઈ પ્રમાણે મુનિ રૂ૫ રે. ભવિ૦ ૩ છત્તી પર્યાય જે જ્ઞાનનારે, તે તો નવિ બદલાય; જોયની નવનવી વર્તનારે, સમયમાં સર્વ જણાય રે. ભવિ૦ ૪ બીજા જ્ઞાન તણી પ્રભા રે, એહમાં સર્વ સમાય; રવિ-પ્રભાથી અધિક નહિ રે, નક્ષત્ર ગણ સમુદાય રે. ભવિ૦ ૫ ગુણ અનંતા જ્ઞાનનારે, જાણે ધન્ય નર તેહ; વિજયલક્ષ્મી સૂરિ તે લો રે, જ્ઞાન મહોદય ગેહ રે. ભવિ૦ ૬
ક (૧) શ્રી પંચતીર્થિનું સ્તવન 5 હે સાહેબજી એક નજર કરી નાથ, સેવકને તારો, હે સાહેબજી મહેર કરી, પૂજાનું ફળ મને આલો; પ્રભુ તુજ મૂરતિ મોહનવેલી, પૂજે સુર અપછરા અલબેલી; વર ઘનસાર કેસર શું ભેળી, હે સાહેબજી૦ ૧. સિદ્ધાચલ તીર્થ ભવિ સેવો, ચૌદ ક્ષેત્રે તીરથ નહિ એવો; એમ બોલે દેવાધિદેવો. હે સાહેબજી) ૨. ગિરનારે જઈએ નેમ પાસે, ઈહાં ભાવિ જિન સિદ્ધિ જાશે; જશ ધ્યાને પાતિકડાં નાસે. હે સાહેબજી) ૩. આબુ ગઢે આદિ જિનરાયા, નેમિનાથ
૩૦૯
Page #341
--------------------------------------------------------------------------
________________
જ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શિવાદેવી જાયા; જસ ચોસઠ ઈન્દ્ર ગુણ ગાયા. હે સાહેબજી, ૪. વળી સમેતશિખર જગના ઈશ, ગયાં મોક્ષે જિનરાજ વીશ; ધ્યેય ધ્યાવો ભવિજન નિશદિન. હે સાહેબજી૦ ૫. અષ્ટાપદે સકળ કરમ ટાળી, પ્રભુ વરીયા શિવવધૂ લટકાળી; આદીશ્વર પૂજતાં દીવાળી. હે સાહેબજી0 ૬. એ આદે તીર્થ પ્રણમો મનરંગે, વળી પૂજો પ્રભુને નવ અંગે, કહે ઘર્મચંદ્ર અતિ ઉમંગે. હે સાહેબજી૦ ૭.
gi (૧) શ્રી પર્યુષણ પર્વનું સ્તવન સુણજો સાજન સંત પજુસણ આવ્યાં રે, તમે પુન્ય કરો પુન્યવંત;
ભવિક મન ભાવ્યાં રે વીર જિણેસર અતિઅલવેસર, વહાલા મારા પરમેશ્વર એમ બોલે રે; પર્વમાંહે પજુસણ મોટાં, અવર ન આવે તસ તોલે રે.
૫૦ ૮૦ ભ૦ ૧ ચૌપદમાંહે જેમ કેસરી મોટો, વાળ ખગમાં ગરૂડ કહીએ રે; નદી માંહે જેમ ગંગા મોટી, નગમાં મેરૂ લહીએ રે. ૫૦ ૨ ભૂપતિમાં ભરતેસર ભાખ્યો, વા૦ દેવ માંહે સુર ઈદ્ર રે; તીરથમાં શેત્રુંજો દાખ્યો, ગ્રહગણમાં જેમ ચન્દ્ર રે૫૦ ૩ દશરા દીવાળી ને વળી હોળી, વાળ અખાત્રીજ દીવાસો રે; બળેવ પ્રમુખ બહુલા છે બીજા, પણ નહિ મુક્તિનો વાસો રે. ૫૦ ૪ તે માટે તમે અમર પળાવો, વા, અઠ્ઠાઈ મહોત્સવ કીજે રે, છઠ અઠમ આદિ તપ કરીને, નરભવ લાહો લીજે રે. ૫૦ ૫ ઢોલ દદામા ભેરી નફેરી, વાળ કલ્પસૂત્રને જગાવો રે, ઝાંઝરનો ઝમકાર કરીને, ગોરીની ટોલી મળી આવો રે. ૫૦ ૬ સોના રૂપાને ફુલડે વધાવો, વા, કલ્પસૂત્રને પૂજો રે, નવ વખાણ વિધિએ સાંભળતાં, પાપ મેવાસી છૂજે રે. ૫૦ ૭ એમ અઠાઈનો મહોત્સવ કરતા, વાળ બહુ જીવ જગ ઉદ્ધરિયારે; વિબુધ વિમળવર સેવકએકથી, નવનિધિ ઋદ્ધિસિદ્ધિ વરિયા રે. ૮
૧૩૧૦
Page #342
--------------------------------------------------------------------------
________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી શ્રીમદ્ મહોપાધ્યાય શ્રી યશોવિજયજી કૃત
ચોવિશ જિનના સ્તવનો = (૧) શ્રી ઋષભજિન સ્તવન 5
(મહાવિદેહ ક્ષેત્ર સોહામણો - એ શ્રેશી ) જગજીવન જગવાલો, મરૂદેવીનો નંદ લાલરે; મુખ દીઠ સુખ ઉપજે, દર્શન અતિહિ આનંદ લાલ રે. જગ૦ ૧. આંખડી અંબુજ પાંખડી, અષ્ટમી શશી સમ ભાલ લાલ રે, વદન તે શારદ ચંદલો, વાણી અતિહિ રસાલ લાલ રે. જગ૦ ૨. લક્ષણ અંગે વિરાજતાં, અડદિય સહસ ઉદાર લાલ રે; રેખાકર ચરણાદિકે, અત્યંતર નહિં પાર લાલ રે. જગ૦ ૩. ઇદ્ર ચંદ્ર રવિ ગિરિ તણા, ગુણ લઈ ઘડિયું અંગ લાલ રે, ભાગ્ય કિહાં થકી આવિયું, અચરિજ એહ ઉરંગ લાલ રે. જગ) ૪. ગુણ સઘળા અંગે કર્યા, દૂર કર્યા સવિ દોષ લાલ રે; વાચક યશવિજયે થયો, દેજો સુખનો પોષ લાલ રે. જગજીવન૦ ૫.
ક (૨) અજિતનાથજિન સ્તવન 5. | ( નિદ્રડી વેરણ હોય રઈ-એ દેશી)
અજિત જિણંદશું પ્રતડી, મુજ ન ગમે તો બીજાનો સંગ કે; માલતી ફુલે મોહીયો, કિમ બેસે હો બાવલ તરૂ ભંગ કે. અજિત) ૧. ગંગાજલમાં જે રમ્યા, કિમ છિલ્લર હો રતિ પામે મરાલકે; સરોવર જલધાર જલ વિના, નવિ ચાહે હો જગ ચાતક બાલ કે. અજિત૨. કોકિલ કલ કુંજિત કરે, પામી મંજરી હો, પંજરી સહકાર કે; ઓછાં તરૂવર નવિ ગમે, ગિરૂઆશું હો હોય ગુણનો પ્યાર કે. અજિત) ૩. કમલિની દિનકર કર ગ્રહે, વલી કુમુદિની હો ઘરે ચંદશું પ્રીત કે, ગૌરી ગિરિશ ગિરિધર વિના, નવિ ચાહે હો કમલા નિજ ચિત્ત કે. અજિત) ૪. તિમ પ્રભુશું મુજ મન રમ્યું, બીજા શું હો નવિ આવે દાય કે, શ્રી નયવિજય વિબુધતણો, વાચક યશ હો નિત નિત ગુણ ગાય છે. અજિત૦ ૫.
૩૧ ૧
Page #343
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન 5 | ( મન મધુકર મોહી રહ્યો – એ દેશી) -
સંભવ જિનવર વિનતિ, અવધારો ગુણ જ્ઞાતા રે ; ખામી નહીં મુજ ખિજમતે; કદીય હોશો ફલાદતા રે, સંભવ ૦ ૧. કરજોડી ઉભો રહું, રાત દિવસ તુમ ધ્યાનો રે ; જો મનમાં આણો નહિ, તો શું કહીએ થાને રે. સંભવ ૦ ૨. ખોટ ખજાને કો નહિ, દીજીયે વાંછિત દાનો રે; કરૂણા નજર પ્રભુજી તણી, વાઘે સેવક વાનો રે. સંભવ૩. કાલ લબ્ધિ મુજ મતિ ગણો, ભાવ લબ્ધિ તુમ હાથે રે; લડથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગાયવર સાથે રે. સંભવ૦ ૪. દેશો તો તુમહી ભલું , બીજા તો નવિ જાચું રે; વાચક યશ કહે સાંઈશું, ફલશે એ મુજ સાચું રે. સંભવ૦ ૫.
(૪) શ્રી અભિનંદનજિન સ્તવન 5 | (સુણજો હો પ્રભુ - એ દેશી ) દીઠી હો પ્રભુ દીઠી જગગુર તુજમૂરતિ હો પ્રભુ મૂરતિ મોહન વેલડીજી; મીઠી હો પ્રભુ મીઠી તાહરી વાણી, લાગે હો પ્રભુ, લાગે જેસી શેલડીજી. ૧. જાણું હો પ્રભુ, જાણ જન્મ કથ્થ; જોઉ હો પ્રભુ જોઉ તુમ સાથે મિલ્યો; સુરમણિ હો, પ્રભુ, સુરમણિ પામ્યો હથ્થ; આંગણે હો પ્રભુ, આંગણે મુજ સુરતરૂ ફલ્યોજી. ૨. જાગ્યાં હો પ્રભુ, જાગ્યાં પુણ્ય અંકુર, માગ્યા હો પ્રભુ મુહ માગ્યા પાસા ઢલ્યાજી, વુક્યા હો પ્રભુ વુક્યા અમિરસ મેહ; નાઠા હો પ્રભુ નાઠા અશુભ શુભ દિન વલ્યાજી. ૩. ભૂખ્યાં હો પ્રભુ, ભૂખ્યાં મલ્યાં ધૃતપૂર; તરસ્યાં હો પ્રભુ, તરસ્યાં દિવ્ય ઉદક મિલ્યાજી, થાક્યાં હો પ્રભુ, થાક્યાં મિલ્યા સુખપાલ; ચાહતા હો પ્રભુ, ચાહતા સન હેજે મીલ્યાજી, ૪. દીવો હો પ્રભુ દીવો નિશા વન ગેહ; સાથી હો પ્રભુ, સાથી થલે જલ નૌકા મળીજી; કલિયુગે હો પ્રભુ કલિયુગે દુલહો મુજ; દરિસન હો પ્રભુ દરિસન લધું આશા ફળીજી. ૫. વાચક હો પ્રભુ વાચક યશ તુમ દાસ; વિનવે હો પ્રભુ વિનવે અભિનંદન સુણોજી; કહીયે હો પ્રભુ, કહીયે મ દેશો છેહ; દેજો હો પ્રભુ, દેજો સુખ દરિસણ તણોજી. ૬.
૧૩૧૨)
Page #344
--------------------------------------------------------------------------
________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી NE (૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન 5 | ( ઝાંઝરીયા મુનિવરની - એ દેશી )
સુમતિનાથ ગુણશું મિલીજી, વાધે મુજ મન પ્રીતી; તેલ બિંદુ જિમ વિસ્તરેજી, જલમાંહે ભલી રીતિ; સોભાગી જિનશું લાગ્યો અવિહડરંગ૦ ૧. સર્જનશું છે પ્રીતડીજી, છાની તે ન રખાય; પરિમલ કસ્તુરી તણોજી, મહી માંહે મહેકાય. સોભાગી ૦ ૨. આંગલિયે નવિ મેરૂ ઢંકાયે, છાબડિયે રવિ તેજ; અંજલીમાં જિમ ગંગ ન માયે, મુજ મન તિમ પ્રભુ હેજ. સોભાગી ૦ ૩. હુઓ છીપે નહિ અધર અરૂણ જિમ, ખાતાં પાન સુરંગ; પીવત ભર ભર પ્રભુ ગુણ પ્યાલા, તિમ મુજ પ્રેમ અભંગ. સોભાગી ૦ ૪. ઢાંકી ઈશ્ન પરાલશુંજી, ન રહે લહિ વિસ્તાર; વાચક યશ કહે પ્રભુ તણોજી, તિમ મુજ પ્રેમ પ્રકાર. સોભાગી જિનશું લાગ્યો અવિહડ રંગ. પ.
= (૬) શ્રી પદ્મપ્રભજિન સ્તવન F.
( સહજ સલુણા હો સધુજી - એ દેશી ) પદ્મપ્રભ જિન જઈ અલાગા રહ્યા, જિહાંથી નાવે લેખોજી; કાગળને મશિ તિહાં નવિ સંપજે, ન ચલે વાટ વિશેષોજી; સુગુણ સહારે કદિય ન વિસરે. એ આંકણી ૦ ૧. ઈહાંથી તિહાં જઈ કોઈ આવે નહીં, જેહ કહે સંદેશોજી; જેહનું મિલવું રે દોહિલ, તેહશું નેહ તે આપ કિલેશોજી. સુગુણ ૦ ૨. વીતરાગશુંરે રાગ તે એક પખો, કીજે કવણ પ્રકારોજી; ઘોડો દોડે રે સાહેબ વાજમાં, મન નાણે અસવારેજી. સુગુણ ૦ ૩. સાચી ભકિત રે ભાવના રસ કહ્યો, રસ હોય તિહાં દોય રીઝેજી; હોડાદોડેરે બિહું રસ રીઝથી, મનના મનોરથ સીઝેજી. સુગુણ ૦ ૪. પણ ગુણવંતારે ગોઠે ગાજિયે, મોટા તે વિશ્રામેજી; વાચક યશ કહે એહિજ આસરે, સુખ લહું ઠામોઠામજી. સુગુણ ૦ ૫.
૩૧ ૩
Page #345
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન 5
( લાલદે માત મલ્હાર - એ દેશી ) શ્રી સુપાસ જિનરાજ, તું ત્રિભુવન શિરતાજ; આજહો છાજેરે ઠકુરાઈ, પ્રભુ તુજ પદ તણીજી. ૧. દિવ્ય ધ્વની સુર ફુલ, ચામર છત્ર અમૂલ; આજહો રાજેરે ભામંડલ, ગાજે દુર્હભિજી. ૨. અતિશય સહજના ચાર, કર્મ ખપ્પાથી અગ્યાર આજ હો કીધારે ઓગણીસે, સુરગુણ માસુરેજી. ૩. વાણી ગુણ પાંત્રીશ, પ્રાતિહારજ જગદીશ; આજ હો રાજેરે દીવાજે, છાજે આઠશુંજી. ૪. સિંહાસન અશોક, બેઠા મોહ લોક આજ હો સ્વામીરે શિવગામી, વાચક યશ શુક્યોજી. ૫.
5. (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન 5 . ( ધારા ઢોલા - એ દેશી )
ચંદ્રપ્રભ જિન સાહેબારે, તુમ છો ચતુર સુજાણ; મનના માન્યા, આવો આવોરે ચતુર સુખ ભોગી, કીજે વાત એકાંત અભોગી ગુણ ગોઠે પ્રગટે પ્રેમ. મનના માન્યા ૦ ૧. આંકણી ઓછું અધિવું પણ કહેરે, આસંગાયત જેહ. મનના ૦ આપે ફલ જે અણ કહેરે, ગિરૂઓ સાહેબ તેહ. મ0 ર. દીન કહ્યા વિણ દાનથી રે, દાતાની વાધે મામ. મ0 જલ દીયે ચાતક ખીજવીરે, મેઘ દૂઓ તિણે શ્યામ મ0 ૩. પીઉ પીઉ કરી તેમને જપુરે, હું ચાતક તુમ મેહ મ0 એક લહેરમાં દુઃખ હરોરે; વાધે બમણો નેહ, મ) ૪. મોડું વહેલું આપવું રે, તો શી ઢીલ કરાય, મ0 વાચક યશ કહે જગધણી, તુમ તૂઠે સુખ થાય, મનના માન્યા) ૫.
5 (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન 5 | ( સુણ મેરી સજની રજની ન જાવેરે - એ દેશી )
લઘુ પણ હું તુમ મન નવિ માવુંરે, જગગુરૂ તુમને દિલમાં લાવુંરે, કુણને એ દીજે શાબાશીરે, કહો શ્રી સુવિધિ નિણંદ વિમાસી રે. લઘુ) ૧. મુજ મન અણુમાંહે ભકિત છે ઝાઝીરે, તેહ દરીનો તું છે માજી રે; યોગી પણ જે વાત ન જાણે રે, તેહ
૧૩૧૪
Page #346
--------------------------------------------------------------------------
________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી અચરીજ કુણથી હુઓ ટાણેરે. લઘુ) ૨. અથવા થિર માંહી અથિર ન માવેરે, મોટો ગજ દર્પણમાં આવેરે; જેહને તેજે બુદ્ધિ પ્રકાશીરે, તેહને દીજે એ શાબાશીરે. લઘુ૦ ૩. ઉર્ધ્વ મૂલ તરૂવર અધ શાખારે, છંદ પુરાણે એહવી છે ભાખારે; અચરજ વાળે અચરજ કીધુંરે, ભક્ત સેવક કારજ સીધુંરે. લઘુ ૦ ૪. લાડ કરીજ બાલક બોલેરે, માતપિતા મન અમિયને તોલેરે; શ્રી નયવિજય વિબુધનો શીશોરે, યશ કહે ઈમ જાણો જગદીશોરે. લઘુ ૦ ૫.
gi (૧૦) શ્રી શિતલનાથ જિન સ્તવન 5
શ્રી શીતલ જિન ભેટિયે, કરી ચોકખું ભક્ત ચિત્ત હો; તેહથી કહો છાનું કિડ્યું, જેહને સોંપ્યા તન મન વિત્ત હો; શ્રી શીતલ જિન૦ ૧. દાયક નામે છે ઘણા, પણ તું સાયર તે કૂપ હો; તે બહુ ખજવા તગતગે, તું દિન કર તેજ સ્વરૂપ હો શ્રી0 ૨. મહોતો જાણી આદર્યો, દરિદ્ર ભાંજો જગતાત હો, તું કરૂણાવંત શિરોમણિ, હું કરૂણા પાત્ર વિખ્યાતeો. શ્રી૦ ૩. અંતરયામી સવિ લહો, અમ મનની જે છે વાત હો; મા આગલ મોસાલના, શ્યા વરણવવા અવદાત હો. શ્રી૦ જાણો તો તાણો કિડ્યું, સેવા ફલ દીજે દેવ હો; વાચક યશ કહે ઢીલની, એ ન ગમે મુજ ટેવ હો. શ્રી૫. = (૧૧) શ્રી શ્રેયાંસનાથજિન સ્તવન ક
(કર્મ ન છૂટેરે પ્રાણીયા - એ દેશી ) તુમ બહુ મૈત્રીરે સાહેબા, મારે તો મન એક, તુમ વિણ બીજોરે નહિ ગમે, એ મુજ મોટી રે ટેક. શ્રી શ્રેયાંસ કૃપા કરો. ૧. એ આંકણી ૦ મન રાખો તુમે સવિ તણાં, પણ કિહાં એક મલિ જાઓ; લલચાવો લખ લોકને, શાથી સહજ ન થાઓ. શ્રી ૨. રાગ ભરે જન મન રહો, પણ તિહું કાલ વૈરાગ, ચિત્ત તમારારે સમુદ્રનો, કોય ન પામેરે તાગ. શ્રી) ૩. એવા શું ચિત્ત મેળવ્યું, કેળવ્યું પહેલા ન કાંઈ; સેવક નિપટ અબુજ છે, નિર્વહેશો
૩૧૫
Page #347
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા તમે સાંઈ. શ્રી. ૪. નિરાગી શું રે કિમ મીલે, પણ મલવાનો એકાંત; વાચક યશ કહે મુજ મિલ્યો, ભક્તિ એ કામણ તંત શ્રી 5 (૧૨) શ્રી વાસુપૂજયસ્વામિ જિન સ્તવન HE
( સાહેબા મોતીડો હમારો - એ શ્રેશી ) - સ્વામી તુમે કાંઈ કામણ કીધું, ચિત્તડું અમારૂં ચોરી લીધું, સાહેબા વાસુપૂજ્ય જિગંદા, મોહના વાસુપૂજ્ય. એ આંકણી) અમે પણ તુમશું કામણ કરશું, ભકિત ગ્રહી મન ઘરમાં ધરશું. સાહેબા ૧. મન ઘરમાં ધરીયા, ઘરશોભા દેખત નિત્ય રહેશો; થિર થોભા મન વૈકુંઠ અકુંઠિત ભગતે, યોગી ભાખે અનુભવ યુકતે. સાવ ૨. કલેશે વાસિત મન સંસાર, ફ્લેશ રહિત મન તે ભવપાર; જો વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, તો અમે નવનિધિ ઋદ્ધિ પામ્યા. સા૦ ૩. સાત રાજ અલગા જઈ બેઠા, પણ ભગતે અમ મનમાં પેઠા, અલગાને વળગ્યા જે રહેવું, તે ભાણા ખડખડ દુઃખ સહેવું. સા૦ ૪. ધ્યાયક ધ્યેય ધ્યાન ગુણ એકે, ભેદ છેદ કરશું હવે ટેકે, ખીર નીર પરે તુમશું મલશું, વાચક યશ કહે હેજે હલશું. સાવ ૫.
(૧૩) શ્રી વિમળનાથ-જિન સ્તવન BE ( નમો રે નમો શ્રી શેત્રુંજા ગિરિવર - એ દેશી )
સેવો ભવિયાં વિમલ જિણેસર દુલહા સજ્જન સંગાજી; એહવા પ્રભુનું દરિસન લેવું, તે આસ માંહે ગંગાજી. સેવો૦ ૧. અવસર પામી આલસ કરશે, તે મૂરખમાં પહેલોજી; ભૂખ્યાને જેમ ઘેબર દેતાં, હાથ ન માંડે ઘેલોજી. સેવો૦ ૨. ભવ અનંતમાં દર્શન દીઠું, પ્રભુ એહવા દેખાડેજી; વિકટ ગ્રંથ જે પોળ પોળિયો, કર્મ વિવર ઉઘાડેજી. સેવો) ૩. તત્ત્વ પ્રીતિકર પાણી પાએ, વિમલા લોકે આંજિજી, લોયણ ગુરુ પરમાનંદિએ તવ, ભ્રમ નાંખે સવિ ભાંજિજી સેવો) ૪. ભ્રમ ભાંગ્યો તવ પ્રભુશું પ્રેમ, વાત કરૂં મન ખોલીજી; સરલ તણે જે હઈડે આવે, તેહ જણાવે બોલીજી. સેવો) ૫. શ્રી નયવિજય વિબુધ પય સેવક, વાચક યશ કહે
૩૧ ૬
Page #348
--------------------------------------------------------------------------
________________
ઉ. યશોવિજયજી કત ચોવીશી
સાચુંજી, કોડિ કપટ જો કોઈ દિખાવે, તો પ્રભુ વિણ નહિ રાચુંજી. સેવો૬.
= (૧૪) શ્રી અનંતનાથજિન સ્તવન , | ( સાહેલડિયાં - એ દેશી ),
શ્રી અનંત જિનશું કરો સાહેલડિયાં, ચોલ મજીઠનો રંગરે ગુણ વેલડિયાં, સાચો રંગ તે ધર્મનો-સાહેલડિયાં, બીજો રંગ પતંગરે ગુણ વેલડીયાં. ૧. ધર્મ રંગ જીરણ નહીં, સાવ દેહ તે જીરણ થાયરે ગુરુ સોનું તે વિણસે નહીં સાવ ઘાટ ઘડામણ જાયરે, ગુ૦ ૨. ત્રાબુ જે રસ વેધિઉં; સાવ તે હોય જાચું હેમરે, ગુ૦ ફરી ત્રાંબુ તે નવિ હુએ; સાવ એહવો જગ ગુરુ પ્રેમરે. ગુ0 ૩. ઉત્તમ ગુણ અનુરાગથી; સા૦ લહિયે ઉત્તમ ઠામરે. ગુ0 ઉત્તમ નિજ મહિમા વધે, સા૦ દીપે ઉત્તમ ધામરે. ગુ) ૪. ઉદક બિંદુ સાયર મલ્યો, સા૦ જિમ હોય અક્ષય અભંગરે; ગુ0 વાચક યશ કહે પ્રભુ ગુણે સાવ તિમ મુજ પ્રેમ પ્રસંગરે ગુણે વેલડિયાં. ૫.
= (૧૫) શ્રી ધર્મનાથજિન સ્તવન ક (બેડલે ભાર ઘણો છે રાજ, વાતાં કેમ કરો છો - એ દેશી )
થાશું પ્રેમ બન્યો છે રાજ નિરવહેશો તો લેખે, મેં રાગી થે છો નિરાગી અણજુગતે હોય હસી; એક પખો જે નેહ નિર્વહેવો, તેહમાં કી સાબાશી. થાશું) ૧. નીરાગી સેવે કાંઈ હોવે, ઈમ મનમાં નવિ આણું, ફલે અચેતન પણ જિમ સુરમણિ, હિમ તુમ ભક્તિ પ્રમાણું. થા૦ ૩. વ્યસન ઉદય જે જલધિ અનુહરે, શશીને તેહ સંબંધે; અણ સંબંધે કુમુદ અનુહરે, શુદ્ધ સ્વભાવ પ્રબંધે. થાવ ૪. દેવ અનેરા તુમથી છોટા, થૈ જગમાં અધિકેરા; યશ કહે ધર્મ જિનેશ્વર થાશું, દિલમાન્ય હે મેરા. થા૦ ૫.
EF (૧૬) શ્રી શાંતિનાથજિન સ્તવન ક
| ( રહ્યો રે આવાસ દુવાર - એ દેશી ).
ધન્ય દિન વેલા, ધન્ય ઘડિ તેહ, અચિરારો નંદન જિન યદિ ભેટશુંજી, લહિશું રે સુખ દેખી મુખચંદ, વિરહ વ્યથાના
૩૧૭
Page #349
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દુઃખ સવિ મેટશુંજી. ૧. જાણ્યો જેણે તુજ ગુણ લેશ, બીજારે રસ તેહને મન નવિ ગમેજી; ચાખ્યોરે જેણે અમિ લવલેશ; બાકસ બુકસ તસ ન રૂચે કિમેજી. ૨. તુઝ સમકિત રસ સ્વાદનો જાણ, પાપ કુભકતે બહુ દિન સેવીયુંજી; સેવે જો કર્મને જોગે તોહિ, વાંછે. તે સમકિત અમૃત ધુરે લિખ્યુંજી. ૩. તાહરૂં ધ્યાન તે સમકિતરૂપ, તેહીજ જ્ઞાન ને ચારિત્ર તેહ છે જી; તેહથીરે જાએ સઘલાં હો પાપ, ધ્યાતારે ધ્યેય સ્વરૂપ હોયે પિછે જી. ૪. દેખીરે અભુત તાહરૂં રૂપ, અચરિજ ભવિક અરૂપી પદ વરેજી; તાહરી ગતિ તું જાણે હો દેવ, સ્મરણ ભજન તે વાચક યશ કરેજી. ૫. BE (૧૭) શ્રી કુંથુનાથજિન સ્તવન 5
( સાહેલાં હે - એ દેશી ) સાહેલાં તે કુંથુજિનેશ્વર દેવ, રત્નદીપક અતિ દીપતો હો લાલ; સાવ મુજ મન મંદિર માંહે આવેજો, અરિબલ જીપતો હો લાલ, સા૦ ૧. મિટે તો મોહ અંધાર, અનુભવ તેજ ઝળહલે હો લાલ, સા૦ ધુમ કપાય ન રેખ, ચરણ ચિત્રામણ નવિ ચલે હો લાલ, સા૦ ૨. પાત્ર કરે નહિ હેઠ; સુરજ તેજ નવિ છીપે હો લાલ, સા૦ સર્વ તેજનું તેજ, પહેલાંથી વાધે પછે હો લાલ, સાવ ૩. જેહ ન મરુતને ગમ્ય, ચંચલતા જે નવિ લહે હો લાલ, સાવ જેહ સદા છે રમ્ય, પૃષ્ટ ગુણે નવિ કશ રહે હો લાલ, સાવ ૪. પુગલ તેલ ન ખેપ, જેહ ન શુદ્ધ દશા દહે હો લાલ, સાવ શ્રી નયવિજય સુશિષ્ય, વાચક યશ ઈણિ પરે કહે હો લાલ, સા૦ ૫. EF (૧૮) શ્રી અરનાથજિન સ્તવન 5
(આસરણા જોગી - એ દેશી ) શ્રી અરજિન ભવજલનો તારૂ, મુજ મન લાગે વારૂરે, મન મોહન સ્વામી; બાંહ્ય ગ્રહી એ ભવજલ તારે, આણે શિવપુર આરેરે. મન૦ ૧. તપ જપ મોહ મહા તોફાને, નાવ ન ચાલે માને રે. મન પણ નવિ ભય મુજ હાથોહાથે, તારે તે છે સાથે રે. મન૦ ભગતને સ્વર્ગ સ્વર્ગથી અધીકું, જ્ઞાનીને ફલ દેઈરે,
(૩૧
Page #350
--------------------------------------------------------------------------
________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી મનકાયા કષ્ટ વિના ફલ લહિયે, મનમાં ધ્યાન ધરે ઈ રે. મન, ૩. જે ઉપાય બહુવિધની રચના, યોગ માયા તે જાણોરે મન, શુદ્ધ દ્રવ્ય ગુણ પર્યાય ધ્યાને, શિવ દિયે પ્રભુ સારાણોરે. મન, ૪. પ્રભુ પદ વલગ્યા તે રહ્યા તાજા, અલગ અંગ ન સાજારે મન, વાચક યશ કહે અવર ન ધ્યાઉં, એ પ્રભુના ગુણ ગાઉંરે મન૦ ૫.
(૧૯) શ્રી મલ્લિનાથ જિન સ્તવન 5.
| ( નાભિરાયા કે બાગ - એ દેશી ) તુજ મુજ રીઝની રીઝ, અટપટ એહ ખરીરી, લટપટ નાવે કામ, ખટપટ ભાંજ પરીરી. ૧. મલ્લિનાથ તુજ રીઝ, જન રીઝે ન હુએરી; દોય રીઝણનો ઉપાય, સહાનું કાંઈ ન જુએરી. ૨. દુરારાધ્ય છે લોક, સહુને સમ ન શશીરી; એક દુહવાએ ગાઢ, એક જો બોલે હસીરી. ૩. લોક લોકોત્તર વાત, રીઝ છે દોય જુઈરી; તાત ચક્ર ધુર પૂજ્ય, ચિંતા એહ હુઈરી ૪. રીઝવવો એક સાંઈ, લોક તે વાત કરેરી; શ્રી નવિજય સુશિષ્ય, એહિજ ચિત્ત ધરેરી. ૫. ૬ (૨૦) શ્રી મુનિસુવ્રતજિન સ્તવન H
( પાંડવ પાંચે વંદતા - એ દેશી ) મુનિસુવ્રત જિન વંદતાં, અતિ ઉલ્લસિત તન મન થાયરે; વદન અનોપમ નિરખતાં, મારાં ભવ ભવનાં દુઃખ જાયરે. ૧. મારાં ભવ ભવનાં દુઃખ જાય, જગતગુરુ દીપતો, સુવે એ આંકણી, નિશદિન સૂતાં જાગતાં, હઈડાથી ન રહે દૂરરે; જબ ઉપકાર સંભારીયે, તવ ઊપજે આનંદ પૂરરે. તવ૦ જ૦ સુ૦ ૨. પ્રભુ ઉપકાર ગુણે ભર્યો, મન અવગુણ એક ન માય રે, ગુણ ગુણાનુબંધી હુઆ, તે તો અક્ષય ભાવ કહાય રે, તે૦ જ0 સુ૦ ૩. અક્ષય પદ દીયે પ્રેમ જે, પ્રભુનું તે અનુભવ રૂપરે; અક્ષય સ્વર ગોચર નહીં, એ તો અકલ અમાપ અરૂપ રે. એ જ૦ સુ) ૪. અક્ષર થોડા ગુણ ઘણા, સનના તે ન લિખાય રે; વાચક યશ કહે પ્રેમથી, પણ મન માંહ પરખાય રે. ૫૦ જ૦ સુ૦ ૫.
૩૧૯
Page #351
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૨૧) શ્રી નમિનાથજિન સ્તવન 5
શ્રી નમિ જિનની સેવા કરતા, અલિય વિઘન સવિ દૂર નાસજી, અષ્ટ મહાસિદ્ધિ નવનિધિ લીલા, આવે બહુ મહમૂર પાસેજી. શ્રી૧. મયમત્તા અંગણ ગજ ગાજે, રાજે તેજી તુખાર તે ચંગાજી; બેટાબેટી બંધવ જોડી; લહિયે બહુ અધિકાર શ્રી. ૨. વલ્લભ સંગમ રંગ લહીએ, અણ વાલતા હોય દૂર સહેજેજી, વાંછા તણો વિલંબ ન દૂજો, કારજ સીઝે, ભૂરિ સહેજેજી શ્રી૦ ૩. ચંદ્રકિરણ ઉવલ યશ ઉલસે, સૂરજ તુલ્ય પ્રતાપી દીપેજી; જે પ્રભુ ભક્તિ કરે નિત્ય વિનયે, તે અરિયણ બહુ પ્રતાપી જીપેજી; શ્રી) ૪. મંગલ માલા લછિ વિશાલા બાલા બહુલે પ્રેમ રંગેજી; શ્રીનયવિજય વિબુધ પય સેવક, કહે લહિએ સુખ પ્રેમ અંગેજી. શ્રી) ૫.
EE (૨૨) શ્રી નેમિનાથ જિન સ્તવન
( આટલા દિન હું જાણતો રે હાં - દેશી ) તોરણ આવી રથ ફેરી ગયારે હ; પશુ દેઈ દોપ; મેરે વાલમા; નવભવ નેહ નિવારિયો? હા, શ્યો જોઈ આવ્યા જોશ. મે) ૧. ચંદ્ર કલંકી જેહથીરે હાં, રામને સીતા વિયોગ, મેન્ટ તેહ કુરંગને વયણડેરે હાં, પતિ આવે કુણ લોગ. મે, ૨. ઉતારી હું ચિત્તથીરે હાં, મુક્તિ ધુતારી હેત; મે૦ સિદ્ધ અનંતે ભોગવીરે હાં, તેહશું કવણ સંકેત મે) ૩. પ્રીત કરતાં સોહિલીરે હાં નિરવહતાં જંજાલ. મેવ જેહવો વ્યાલ ખેલાવવોરે હાં, જેહવી અગનની ઝાલ. મે) ૪. જો વિવાહ અવસરે દિઓરે હાં હાથ ઉપર નવિ હાથ. મેવ દીક્ષા અવસર દીજિયેરે હાં, શિર ઉપર જગનાથ. મે૦ ૫. ઈમ વલવલતી રાજુલ ગઈ રે હાં, નેમિ કને વ્રત લીધ, મે૦ વાચક યશ કહે પ્રણમીયેરે હાં, એ દંપતી દોય સિદ્ધ. મેરે વાલમા૦ ૬.
૩ ૨)
Page #352
--------------------------------------------------------------------------
________________
ઉ. યશોવિજયજી કૃત ચોવીશી
(૨૩) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
વામાનંદન જિનવર મુનિમાંહે વડોરે, કે મુનિમાંહે વડો, જિમ સુરમાંહે સોહે સુરપતિ પરવડોરે, કે સુર૦ જિમ ગિરિમાંહિ સુરાચલ મૃગમાંહે કેસરીરે, મૃ૦ જિમ ચંદન તરૂમાંહિ સુભટમાંહિ સુરઅરીરે. સુ૦ ૧. નદીયમાંહિ જિમ ગંગ અનંગ સુરૂપમાંરે, અનંગ૦ ફુલમાંહિ અરવિંદ ભરતપતિ ભૂપમાંરે, ભઠ ઐરાવણ ગજમાંહિ ગરૂડ ખગમાં યથારે ગરૂડ૦ તેજવંત માંહિ ભાણ વખાણમાંહિ જિનકથારે. ૧૦ ૨. મંત્રમાંહિ નવકાર રત્નમાંહિ સુરમણિરે રત્ન ૦ સાગરમાંહિ સ્વયંભૂરમણ શિરોમણિરે, ૨મ૦ શુક્લધ્યાન જિમ ધ્યાનમાં અંતે નિર્મલપણેરે, અ૦ શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણેરે. સે૦ ૩.
(૨૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન
ગિરૂઆરે ગુણ તુમ તણા, શ્રી વર્ધમાન જિનરાયારે; સુણતાં શ્રવણે અમીઝરે, મ્હારી નિર્મલ થાયે કાયારે, ગિ તુમ ગુણ ગણ ગંગાજલે, હું ઝીલીને નિર્મલ થાઉંરે; અવર ન ધંધો આદરૂં, નિશદિન તોરા ગુણ ગાઉરે. ગિ૦ ૨. ઝીલ્યા જે ગંગાજલે, તે છિલ્લર જલ નવિ પેસેરે, જે માલતી ફુલે મોહીયા, ને બાઉલ જઈ નવિ બેસેરે. ગિ૦ ૩. એમ અમે તુમ ગુણ ગોઠશું, રંગે રાચ્યા ને વળી માચ્યા રે, તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રાચ્યા રે. ગિ૦ ૪. તું ગતિ તું મતિ આશરો; તું આલંબન મુજ પ્યારોરે, વચક યશ કહે માહરે, તું જીવન જીવ આધારોરે. ગિરૂઆરે૦ ૫.
(શ્રીમદ્ યશોવિજયજી કૃત ચોવીશી સંપૂર્ણ)
૩૨૧
Page #353
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી આનંદઘનજી કૃત ચોવીશ જિનના સ્તવનો
E (૧) ઋષભદેવસ્વામીનું સ્તવન (કરમ પરીક્ષા કરણ કુમાર ચાલ્યો રે - એ દેશી ) .
ઋષભ જિનશ્વર પ્રીતમ માહરોરે, ઔર ન ચાહું કંત; રીઝયો સાહેબ સંગ ન પરિહરેરે, ભાંગે સાદિ અનંત ઋષભ ૦ ૧. પ્રીત સગાઈરે જગમાં સહુ કરેરે, પ્રીત સગાઈ ન કોય; પ્રીત સગાઈ રે નિરુપાધિક કહિરે, સોપાધિક ધન ખોય. ઋષભ૦ ૨. કોઈ કંત કારણ કાષ્ઠ ભક્ષણ કરેરે, મિલશું કંતને ધાય; એ મેળો નવિ કહિએ સંભવેર, મેળો ઠામ ન થાય. ઋષભ૦ ૩. કોઈ પતિરંજન અતિ ઘણું તપ કરેરે, પતિરંજન તન તાપ, એ પતિરંજન મેં નવિ ચિત્ત ધર્યું રે, રંજન ધાતુ મિલાપ. ઋષભ૦ ૪. કોઈ કહે લીલારે અલખ અલખ તણીરે, લખ પુરે મન આશ, દોષ રહીતને લીલા નવિ ઘટેરે, લીલા દોષ વિલાસ. ઋષભ૦ ૬. ચિત્ત પ્રસનેરે પૂજન ફલ કહ્યું રે, પૂજા અખંડિત એહ; કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનંદધન પદ રેહ. ઋષભ૦ ૬.
= (૨) શ્રી અજિતનાથ સ્વામીનું સ્તવન 55
( રાગ - આશાવરી, મારું મન મોહ્યુંરે - એ દેશી )
પંથડો નિહાલુંરે બીજા જિન તણોરે, અજિત અજિત ગુણ ધામ; જે તે જીત્યા રે, તેણે હું જિનીયોરે, પુરુષ કિશ્ય મુજ નામ. પંથડો૦ ૧. ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર; જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. પંથડો૦ ૨. પુરુષ પરંપરા અનુભવ જોવતાંરે, અંધોઅંધ પુલાય; વસ્તુ વિચારે? જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં હોય. પંથડો. ૩. તર્ક વિચારેરે વાદ પરંપરારે, પાર ન પહોચે કય; અભિમત વસ્તુ વસ્તુગતે કહેરે, તે વિરલા જગ જોય. પંથડો૪. વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણોરે, વિરહ પડ્યો નિરધાર; તરતમ જોગેરે તરતમ વાસનારે, વાસિત બોધ આધાર. પંથડો૦ ૫. કાલ લબ્ધિ લહી પંથ નીહાળશું રે, એ આશા અવલંબ; એ જન જીવેરે જિનજી જાણજો રે, આનંદઘન મત અંબ. પંથડો ૬.
૩૨ ૨
Page #354
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી
ક (૩) શ્રી સંભવનાથસ્વામીનું સ્તવન BE
( રાગ-રામગ્રી-રાતલડી રમીને કિહાંથી આવીયારે એ દેશી ) સંભવદવ તે ધુર સેવા સવેરે, લહિ પ્રભુ સેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અપ અખેદ. સંભવ૦ ૧ ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકીયેરે, દોષ અબોધ લખાવ સંભવ૦ ૨ ચરમાવર્તે હો ચરણ કરણ તથા રે, ભવ પરિણતિ પરિપાક; દોપ ટળે વળી દ્રષ્ટિ ખુલે ભલીરે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પરિચય પાતિક ઘાતક સાધુશુંરે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરીરે, પરિશીલન નય હેત સંભવ૦ ૪ કારણ જોગે હો કારજ નીપજે રે, એહમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાબિયેરે, એ નિજ મત ઉનમાદ. સંભવ૦ ૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરેરે, સેવન અગમ અનૂપ; દેજો કદાચિત સેવક યાચનારે, આનંદધન રસરૂપ. સંભવ૦ ૬
5 (૪) શ્રી અભિનંદન સ્વામીનું સ્તવન bi
(આજ નિહેજોરે દીસે નાહલો-એ દેશી) અભિનંદન જિન દરિશણ તરસીએ, દરિસણ દુર્લભ દેવ; મત મત ભેદરે જો જઈ પૂછીએ, સહુ થાપે અહમેવ. અભિ૦ ૧ સામાન્ય કરી દરિસણ દોહિલું, નિર્ણય સકલ વિશેષ; મદમેં ઘેર્યો રે અંધો કેમ કરે, રવિ શશિ રૂપ વિલેખ. અભિ૦ ૨ હેતુ વિવાદે હો ચિત્ત ધરી જોઈએ, અતિ દુર્ગમ નયવાદ; આગમવાદે હો ગુરુ ગમ કો નહીં, એ સબલો વિપવાદ. અભિ૦ ૩ ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરિસણ જગનાથ; ધીઠાઈ કરી મારગ સંચરું, સેંગુ કોઈ ન સાથ. અભિ૦ ૪ દરિસણ દરિસણ રટતો જો ફરું, તો રણ રોઝ સમાન; જેહને પીપાસા હો અમૃત પાનની, કિમ ભાંજે વિષપાન. અભિ૦ ૫. તરસ ન આવે તો મરણ જીવન તણી, સીઝે જો દરિસણ કાજ; દરિસણ દુર્લભ સુલભ કૃપા થકી, આનંદધન મહારાજ. અભિનંદન ૬
૩ ૨ ૩
Page #355
--------------------------------------------------------------------------
________________
-
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા H (૫) શ્રી સુમતિનાથસ્વામીનું સ્તવન .
( રાગ - વસંત તથા કેદારો) સુમતિ ચરણ કજ આતમ અરપણા, દરપણ જિમ અવિકાર; સુજ્ઞાની, મતિ તરપણ બહુ સમ્મત જાણિયે, પરિસરપણ સુવિચાર. સુજ્ઞાની, સુમતિ. ૧. ત્રિવિધ સકલ તનુધરગત આતમા બહિરાતમ ધુરિ ભેદ, સુ0 બીજો અંતર આતમાં તીસરો, પરમાતમ અવિચ્છેદ. સુ0 સુમતિ) ૨. આતમ બુદ્ધ કાયાદિક ગ્રહ્યો, બહિરાતમ અધરૂ૫; સુ0 કાયાદિકનો હો સાખીધર રહ્યો, અંતર આતમ રૂપ. સુ0 સુમતિ) ૩. જ્ઞાનાનંદ હો પુરણ પાવનો, વર્જિત સકળ ઉપાધિ; સુ0 અતીદ્રિ ગુણ ગણ મણિ આગરૂ, એમ પરમાતમ સાધ. સુ0 સુમતિ) ૪. બહિરાતમ તજી અંતર આતમા, રૂપ થઈ થિર ભાવ; સુ0 પરમાતમનું હો આતમ ભાવવું, આતમ અપેણ દાવ, સુ0 સુમતિ) ૫. આતમ અર્પણ વસ્તુ વિચારતાં; ભરમ ટળે મતિ દોષ; સુ0 પરમ પદારથ સંપત્તિ સંપજે, આનંદધન રસ પોષ સુ0 સુમતિ૬. E (૬) શ્રી પદ્મપ્રભુસ્વામીનું સ્તવન 5.
| (રાગ-મારૂ તથા સિંધુઓ) (ચાંદલીયા સંદેશો કહેજે મારા કંતરે - એ દેશી)
પદ્મપ્રભ જિન તુજ મુજ આંતરૂપે, કિમ ભાંજે ભગવંત; કર્મ વિપાકે હો કારણ જોઈનેરે, કોઈ કહે મતિમંત. પદ્મપ્રભ૦ ૧ પયઈ ઠિઈ અણુબાગ પ્રદેશથીરે, મૂલ ઉત્તર બહુ ભેદ; ઘાતી અઘાતી હો બંધોદય ઉદીરણારે, સત્તા કર્મ વિચ્છેદ. પદ્મપ્રભ૦ ૨ કનકાપલવત પડિ પુરૂષ તણીરે, જોડી અનાદિ સ્વભાવ; અન્ય સંયોગી જિહાં લગે આતમારે, સંસારી કહેવાય, પદ્મપ્રભ૦ ૩ કારણ જોગે હો બાંધે બંધનેરે, કારણ મુગતિ મુકાય; આશ્રવ સંવર નામ અનુક્રમેરે, હેય ઉપાદેય સુણાય. પદ્મપ્રભ૦ ૪ મુંજન કરણે હો અંતર તુજ પડયોરે, ગુણકરણે કરી ભંગ; ગ્રંથ યુકતે કરી પંડિત જન કહ્યોરે, અંતર ભંગ સુસંગ. પદ્મપ્રભ૦ ૫ તુજ મુજ અંતર અંતર ભાંજશેરે, વાજશે મંગલ તૂર; જીવ સરોવર અતિશય વાધશેરે, આનંદધન રસપૂર. પદ્મપ્રભ૦ ૬
૩૨૪
Page #356
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી FE (૭) શ્રી સુપાર્શ્વનાથસ્વામીનું સ્તવન ક
(રાગ-સારંગ તથા મલહાર-લલનાની દેશી) શ્રી સુપાસ જિન વંદીયે, સુખ સંપત્તિનો હેતુ લલના; શાંત સુધારસ જલનિધિ, ભવ સાયરમાંહે સેતુ. લલના) શ્રી સુપાસ) ૧. સાત મહા ભય ટાલતો, સપ્તમ જિનવર દેવ; લ૦ સાવધાન મનસા કરી, ધારો જિનપદ સેવ. લ૦ શ્રી સુ) ૨. શિવશંકર જગદીશ્વરૂ, ચિદાનંદ ભગવાન; લ૦ જિન અરિહા તીર્થકરૂ,
જ્યોતિ સ્વરૂપ અસમાન. લ૦ શ્રી સુપાસ) ૩. અલખ નિરંજન વચ્છલ, સકલ જંતુ વિશરામ; લ૦ અભયદાન દાતા સદા, પૂરણ આતમરામ. લ૦ શ્રી સુપાસી ૪. વીતરાગ મદ કલ્પના, રતિ અરતિ ભય શોગ, લ0 નિદ્રા તંદ્રા દુરંદશા, રહિત અબાધિત યોગ. લ૦ શ્રી સુપાસ) પ. પરમ પુરુષ પરમાતમા, પરમેશ્વર પરધાન; લ૦ પરમ પદારથ પરમેષ્ઠિ, પરમ દેવ પરમાન. લ૦ શ્રી સુપાસ) ૬. વિધિ વિરંચિ વિશ્વભરૂ, હૃષિકેશ જગનાથ; લ0 અઘહર અવમોચન ધણી, મુક્તિ પરમ પદ સાથ લ૦ શ્રી સુપાસ૦ ૭. એમ અનેક અભિધાધરે. અનુભવગમ્ય વિચાર; લ૦ જેહ જાણે તેહને કરે, આનંદધન અવતાર. લ૦ શ્રી સુપાસ જિન વંદિયે. ૮. E (૮) શ્રી ચંદ્રપ્રભાસ્વામીનું સ્તવન SF
(રાગ-કેદારો તથા ગોડી) (કુંવરી રોવે આઠંદ કરે, અને કોઈ મૂકાવે-એ દેશી)
દેખણ દે રે સખી મને દેખણ, ચંદ્રપ્રભ મુખ ચંદ; સખિ૦ ઉપશમ રસનો કંદ; સ0 સેવે સુરનર ઈદ્ર, સખિ૦ ગત કલિમલ દુઃખ દંદ. સખિ મુને ૧. સુહુમ નિગોદે ન દેખિયો, સખિ૦ બાદર અતિહિ વિશેષ; સ0 પુઢવી આઉન લેખિયો, સ0 તેલ વાઉ ન લેશ. સ0 ર. વનસ્પતિ અતિ ઘણ દિહા, સ) દીઠો નહીં દેદાર; સ0 બિતિ ચઉરિંદી જલલિહા, સ0 ગતિ સન્નિ પણ ધાર
૧. નામાં
૩ ૨૫
Page #357
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણવારિધિ-નરેન્દ્ર-નૌકા
સ) ૩. સુર તિરિ નિરય નિવાસમાં, સ0 મનુજ અનારજ સાથ; સ, અપજતા પ્રતિભાસમાં, સ0 ચતુર ન ચઢીયો હાથ. સ. ૪. એમ અનેક થલ જાણિયે, સ0 દરિસણ વિણુ જિનદેવ; સ0 આગમથી મત જાણિયે, સ0 કીજે નિર્મલ સેવ. સ0 ૫. નિર્મલ સાધુ ભગતિ લહિ, સ0 યોગ અવંચક હોય; સ0 કિરિયા અવંચક તિમ સહી, સ0 ફલ અવંચક જોય. સ. ૬. પ્રેરક અવસર જિનવરૂ, સ0 મોહનીય ક્ષય જાય; સ0 કામિત પૂરણ સુરતરૂ, સ) આનંદધન પ્રભુ પાય. સખી. ૭. E (૯) શ્રી સુવિધિનાથ સ્વામીનું સ્તવન 5
(રાગ-કેદારો, એમ ધaો, ઘણને પચાવે-એ દેશી)
સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે; અતિ ઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઉઠીને પૂજીજેરે-સુવિ૦ ૧. દ્રવ્ય ભાવ શુચિ ભાવ ધરીને, હરખે દેહરે જઈએરે; 'દહ તિગર પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએરે. સુ) ૨. કુસુમ અક્ષત વર વાસ સુગંધી, ધુપ દીપ મન સાખીરે; અંગ પૂજા પણ ભેદ-સુણી, એમ ગુરુ મુખ આગમ ભાખરે. સુ) ૩. એનું ફલ દોય ભેદ સુણીજે, અનંતર ને પરંપરરે; આણા પાલણ ચિત્ત પ્રસન્ની મુગતિ સુગતિ સુર મંદિર. સુ૦ ૪ ફુલ અક્ષત વર ધુપ પઈવો, ગંધ નૈવેધ ફલ જલ ભરીરે; અંગ અગ્ર પૂજા મળી અડવિધ; ભાવે ભવિક શુભગતિ વીર. ૫ સત્તર ભેદ એકવીશ પ્રકારે, અઠોત્તર શત ભેદરે; ભાવપૂજા બહુવિધ નિરધારી; દોહગ દુર્ગતિ છેદેરે. સુ૦ ૬. તુરિય ભેદ પડિવત્તિ પૂજા, ઉપશમ ખીણ
યોગીરે, ચઉહા પૂજા ઈમ ઉત્તરઝયણે'; ભાખી કેવલ ભોગી રે. સુ) ૭. એમ પૂજા બહુ ભેદ સુણીને, સુખદાયક શુભ કરણી રે; ભવિક જીવ કરશે તે લહેશે, આનંદધન પદ ધરણીરે. સુવિધિ જિણેસર પાય નમીને. ૮.
૧. ૩ શત્રિક, ૨. પાંચ અભિગમ, ૩. અષ્ટોતરી-૧૦૮ પ્રકારી, ૪. ચોથી, ૫. પ્રતિપત્તિ, ૪. ઉત્તરાધ્યયન સૂત્ર.
૩૨ -
૩૨ ૬
Page #358
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી
-
--
-
gi (૧૦) શ્રી શીતલનાથસ્વામીનું સ્તવન ,
(મંગલિક માલા ગુણહ વિશ લા-એ દેશી) શિતલ જિનપતિ લલિત ત્રિભંગી, વિવિધ ભંગી મન મોહરે; કરૂણા કોમલતા તીક્ષણતા, ઉદાસીનતા સોહરે. શીત) ૧. સર્વ જંતુ હિતકરણી કરૂણા, કર્મ વિદારણ તીક્ષણરે; હાનાદાન રહિત પરિણામી, ઉદાસીનતા વિક્ષણરે. શી) ૨. પરદુઃખ છેદન ઈચ્છા કરૂણા, તીક્ષણ પરદુઃખ રીઝેરે; ઉદાસીનતા ઉભય વિલક્ષણ, એક ઠામે કેમ સીઝેરે. શ૦ ૩. અભયદાન તે મલક્ષય કરૂણા, તીક્ષણતા ગુણ ભાવે રે; પ્રેરક વિણ કૃત ઉદાસીનતા, ઈમ વિરોધ મતિ નાવેરે. શ૦ ૪. શક્તિ વ્યક્તિ ત્રિભુવન, પ્રભુતા, નિગ્રંથતા સંયોગેરે; યોગી ભોગી વક્તા મૌની, અનુપયોગી ઉપયોગેરે. શી) ૫. ઈત્યાદિક બહુ ભંગ ત્રિભંગી, ચમત્કાર ચિત્ત દેતીરે; અચરિજકારી ચિત્ર વિચિત્રા, આનંદધન પદ લેતીરે. શીતલ જિનપતિ૬. E (૧૧) શ્રી શ્રેયાંસનાથસ્વામીનું સ્તવન 5.
(રાગ-ગોડી અહો મતવાલે સાજના-એ દેશી) શ્રી શ્રેયાંસ જિન અંતરયામી, આતમરામી નામીરે; અધ્યાતમ મત પૂરણ પામી, સહજ મુગતિ ગતિ ગામીરે. શ્રી શ્રે૦ ૧. સયલ સંસારી ઈદ્રિયરામી, મુનિગણ આતમરામીરે; મુખ્યપણે જે આતમરામી, તે કેવલ નિઃકામીરે. શ્રી શ્રે) ૨. નિજ સ્વરૂપ જે કિરિયા સાધે, તેહ અધ્યાતમ લહીએરે, જે કિરિયા કરી ચઉગતિ સાધે, તે ન અધ્યાતમ કહીએરે. શ્રી શ્રેo ૩. નામ અધ્યાતમ ઠવણ અધ્યાતમ, દ્રવ્ય અધ્યાતમ કંડોરે; ભાવ અધ્યાતમ નિજ ગુણ સાધે, તો તેહ શું રઢ મંડોરે. શ્રી શ્રે) ૪. શબ્દ અધ્યાતમ અરથ સુણીને, નિર્વિકલ્પ આદરજો રે; શબ્દ અધ્યાતમ ભજના જાણી, હાન ગ્રહણ મતિ ધરજો રે. શ્રી શ્રેo . અધ્યાતમ જે. વસ્તુ વિચારી, બીજા જાણ લબાસી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત વાસીરે. શ્રી શ્રેયાંસ૦ ૬.
ફિર૭
Page #359
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
gi (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન , ( રાગ-ગોડી તથા પરજીય તંગિયાગિરિ શિખરે સોહે - દેશી)
વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ધનનામી પરનામીરે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામીરે. વાસુ) ૧. નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુ ગ્રહણ વ્યાપારોરે. વાસુ) ૨ કર્ના પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયેરે, એક અનેકરૂપ નથવાદે, નિયત નર અનુસરિયેરે. વાસુ0 ૩. દુઃખ સુખ રૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદોરે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે. વાસુ૦ ૪ પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફલ ભાવીરે જ્ઞાન કરમ ફલ ચેતન કહીએ, લેજો તેહ મનાવરે. વાસુ) ૫ આતમ જ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્ય લિંગીરે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત સંગીરે. વાસુપૂજ્ય૦ ૬. ક (૧૩) શ્રી વિમલનાથ સ્વામીનું સ્તવન 5
(રાગ મલ્હાર, ઈડર અંબર આંબલીરે-એ દેશી) દુઃખ દોહગ દૂરે ટળ્યારે, સુખ સંપદશું ભેટ; ધીંગ ધણી માથે કિયોરે, કુણ ગંજે નર પેટ, વિમલ જિન દીઠાં લોયણ આજ, મહારાં સિધ્ધાં વાંછિત કાજ, વિમલ જિન દીઠાં. ૧. ચરણ કમળ કમલા વસેરે, નિર્મલ થિર પદ દેખ, સમલ અથિર પદ પરિહરીરે, પંકજ પામર પેખ. વિ૦ શ્રી. ૨. મુજ મન તુજ પદ પંકજેરે, લીનો ગુણ મકરંદ, રંક ગણે મંદરધરા રે, ઇંદ્ર ચંદ્ર નાગેન્દ્ર. વિ૦ દી૩. સાહિબ સમરથ તું ધણીરે, પામ્યો પરમ ઉદાર; મન વિસરામી વાલહોરે, આતમચો આધાર વિ૦ દીઠ ૪. દરિસણ દીઠે જિનતણુંરે, સંશયે ન રહે વેધ. દિનકર કરભર પસરતાંરે, અંધકાર પ્રતિષેધ. વિ૦ દી) ૫. અમિય ભરી મૂરતિ રચીરે, ઉપમા ન ઘટે કોય; શાંત સુધારસ ઝીલતીરે; નિરખત તૃપ્તિ ન હોય. વિ૦ દીઠ ૬. એક અરજ સેવક તણીરે, અવધારો જિનદેવ; કૃપા કરી મુજ દીજીયેરે, આનંદઘન પદ સેવ. વિ૦ દી) ૭.
-
- -
૧. આત્માનો
૩૨૮
Page #360
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી
F (૧૪) શ્રી અનંતનાથસ્વામીનું સ્તવન ક
ધાર તરવારની સોહલી દોહલી, ચઉદમા જિન તણી ચરણ સેવા; ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા. ૧. એ આંકણી. એક કહે સેવીએ વિવિધ કિરિયા કરી, ફલ અનેકાંત લોચન ન દેખે; ફલ અનેકાંત કિરિયા કરી બાપડા, રડવડે ચાર ગતિ માંહે લેખે. ધાર૦ ૨. ગચ્છના ભેદ બહુ નયણ નિહાલતાં, તત્ત્વની વાત કરતાં ન લાજે; ઉદર ભરણાદિ નિજ કાજ કરતાં થકાં, મોહ નડિયા કલિકાલ રાજે. ધાર૦ ૩. વચન નિરપેક્ષ વ્યવહાર જુઠો કહ્યો, વચન સાપેક્ષ વ્યવહાર સાચો, વચન નિરપેક્ષ વ્યવહાર સંસાર ફલ, સાંભળી આદરી કાંઈ રાચો. ધાર૦ ૪ દેવ ગુરુ ધર્મની શુદ્ધિ કહો કિમ રહે, કિમ રહે શુદ્ધ શ્રદ્ધાન આણો; શુદ્ધ શ્રદ્ધાન વિષ્ણુ સર્વ કિરિયા કરે, છાર પર લીપણું તેહ જાણો. ધાર૦ ૫. પાપ નહીં કોઈ ઉસૂત્ર ભાષણ જિશ્યો, ધર્મ નહીં કોઈ જગ સૂત્ર સરિખો; સૂત્ર અનુસાર જે ભવિક કિરિયા કરે, તેહનું શુદ્ધ ચારિત્ર પરખો. ધાર૦ ૬. એહ ઉપદેશનો સાર સંક્ષેપથી, જે નરા ચિત્તમાં નિત્ય ધ્યાવે; તે નરા દિવ્ય બહુ કાળ સુખ અનુભવી, નિયત આનંદઘન રાજ પાવે પાર૦ ૭. 5(૧૫) શ્રી ધર્મનાથ સ્વામીનું સ્તવન ક
(રાગ-ગાડી સારંગ, દેશી-રશીયાની) ધર્મ જિનેસર ગાઉં રંગશું, ભંગ મ પડશો હો પ્રીત. જિનેશ્વર૦ બીજો મન મંદિર આણું નહીં, એ અમ કુલવટ રીત. જિનેધર્મ ૧ ધરમ ધરમ કરતો જગ સહુ ફિરે, ધરમ ન જાણે હો મર્મ. જિ૦ ધરમ જિનેશ્વર ચરણ ગ્રહ્યા પછી, કોઈ ન બાંધે હો કર્મ. જિ0 ર પ્રવચન અંજન જો સદ્ગુરુ કરે, દેખે પરમ નિધાન; જિ૦ હૃદય નયણ નિહાલે જગ ધણી, મહિમા મેરૂ સમાન. જિ0 ધર્મ) ૩ દોડતા દોડતા દોડતા દોડીયો, જેતી મનની રે દોડ; જિ0 પ્રેમ પ્રતીત વિચારો ટુંકડી, ગુરુગમ લેજો રે જોડ. જિ0 ધર્મ) ૪ એક પખી રે કેમ પ્રીતિ પરવડે, ઉભય મિલ્યા
૩૨૯
૩૨૯
Page #361
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા હોય સંધિ; જિ૦ હું રાગી હું મોહે હૃદિયો, તું નિરાગી નિરબંધ. જિ0 ધર્મ૫. પરમ નિધાન પ્રગટ મુખ આગળ, જગત ઉલ્લંઘી હો જાય; જિજ્યોતિ વિના જુઓ જગદીશની, અંધોઅંધ પુલાય. જિવ ધર્મ ઃ નિર્મળ ગુણમણિ રોહણ ભૂધરા, મુનિ જન માનસ હંસ જિ૦ ધન્ય તે નયરી ધન્ય વેલા ઘડી, માત પિતા કુલવંશ. જિ૦ ધર્મ૦ ૭. મન મધુકર વર કર જોડી કહે, પદકજ નિકટ નિવાસ; જિ0 ધનનામી આનંદધન સાંભળો, એ સેવક અરદાસ. જિ0 ધર્મ૦ ૮.
E (૧૬) શ્રી શાંતિનાથ સ્વામીનું સ્તવન ,
(રાગ-મલ્હાર. ચતુર ચોમાસું પડિક્કમીએ દેશી) શાંતિ જિન એક મુજ વિનતિ, સુણો ત્રિભુવનરાય રે; શાંતિ સ્વરૂપ કેમ જાણીએ, કહો મન કેમ પરખાય રે. શાંતિ) ૧. એ આંકણી ધન્ય તું આતમા જેહને, એવો પ્રશ્ન અવકાશરે; ધીરજ મન ધરી સાંભળો, કહું શાંતિ પ્રતિભાસરે. શાંતિ) ૨. ભાવ અવિશુદ્ધ સુવિશુદ્ધ જે, કહ્યા જિનવર દેવરે; તે તેમ અવિતથ સહે, પ્રથમ એ શાંતિપદ સેવરે. શાંતિ૩ આગમધર ગુરુ સમકિતિ, કિરિયા સંવર સારરે; સંપ્રદાયી અવંચક સદા, શુચિ અનુભવા ધારે રે શાંતિ) ૪. શુદ્ધ આલંબન આદરે, તજી અવર જંજાલરે; તામસી વૃત્તિ સવિ પરિહરે, ભજે સાત્ત્વિકી શાલરે. શાંતિ, ૫ ફલ વિસંવાદ જેહમાં નહીં, શબ્દ તે અર્થ સંબંધીરે; સકલ નયવાદ વ્યાપી રહ્યો, તે શિવ સાધન સંધીરે. શાંતિ . વિધિ પ્રતિષેધ કરી આતમા, પદારથ અવિરોધરે, ગ્રહણ વિધિ મહાજને પરિગ્રહ્યો, ઈસ્યો આગમે બોધરે. શાંતિ) ૭. દુષ્ટ જન, સંગતિ પરિહરી, ભજે સુગુરુ સંતાનર, જોગ સામર્થ્ય ચિત્ત ભાવ જે, ઘરે મુગતિ નિદાન રે. શાંતિ) ૮. માન અપમાન ચિત્ત સમ ગણે, સમ ગણે કનક પાપણ રે; વંદક નિંદક સમ ગણે, ઈશ્યો હોય તું જાણ રે. શાંતિ. ૯ સર્વ જગજંતુને સમ ગણે, સમ ગણે
૧. ચરણકમલ
૧૩૩૦
Page #362
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી
તૃણ મણિ ભાવ રે; મુક્તિ સંસાર બહુ સમ ગણે, પુણે ભવજલનિધિ નાવ રે. શાંતિ) ૧૦. આપણો આતમભાવ જે, એક ચેતનાધાર રે; અવર સવિ સાથે સંયોગથી, એહ નિજ પરિકર સાર રે. શાંતિ) ૧૧. પ્રભુ મુખથી એમ સાંભળી, કહે આતમરામ રે; તાહરે દરિશણે નિસ્તર્યો, મુજ સીધાં સવિ કામ રે. શાંતિ) ૧૨. અહો અહો હું મુજને કહું નમો મુજ નમો મુજરે; અમિત પલ દાન દાતારની, જેહને ભેટ થઈ તુજસે. શાંતિ) ૧૩. શાંતિ સ્વરૂપ સંક્ષેપથી, કહ્યો નિજ પરરૂપ રે; આગમમાંહે વિસ્તાર ઘણો, કહ્યો શાંતિ જિન ભૂપ રે.શાંતિ) ૧૪. શાંતિ
સ્વરૂપ એમ ભાવશે; ધરી શુદ્ધ પ્રણિધાન રે; આનંદધન પદ પામશે, તે લહેશે બહુ માન રે. શાંતિ૦ ૧૫.
E (૧૭) શ્રી કુંથુનાથસ્વામીનું સ્તવન BE
(રાગ-ગુર્જરી, અંબર દે હો મોરારી હમાર-એ દેશી)
મનડું કિમહી ન બાજે, હો કુંથુજિન મનડું૦ જિમ જિમ જતન કરીને રાખું, તિમ તિમ અલગું ભારે હો. કું૦ ૧. રજની વાસર વસતી ઉજડ, ગયણ પાયાલે જાય, સાપ ખાયને મુખડું થોથું', એહ ઉખાણો ન્યાય હો. કું૦ ૨. મુગતિ તણા અભિલાષી તપીયા, જ્ઞાન ને ધ્યાન અભ્યાસે; વયરીડું કાંઈ એહવું ચિંતે, નાખે અવલે પાસે હો. કું) ૩. આગમ આગમધરને હાથે, નાવે કિણવિધ આંકે કિહાં કણે જો હઠ કરી અટકં; તો વ્યાલ તણીપરે વાંકુ. હો કું૦ ૪. જો ઠગ કહું તો ઠગતો ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વ માહે ને સહુથી અલગું એ અચરજ મન માંહી. હો કું) ૫. જે જે કર્યું તે કાન ન ધારે, આપ મત રહે કાલો; સુર નર પંડિત જન સમજાવે, સમજે ન માહરો સાલો હો કું૦ ૬. મેં જાણ્યું એ લિંગ, નપુંસક સકલ મરદને ઠેલે; બીજી વાત સમરથ છે નર, એહને કોઈ ન ઝેલે. હો કુંથુજિન ૭. મન સાધ્યું તેણે સઘળું સાધ્યું એહ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ
૧. ખાલી
૩૩૧
Page #363
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા માનું, એ કહી વાત છે મોટી. હો કું. ૮. મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, તે આગમથી મતિ આણું; આનંદધન પ્રભુ મારૂં આણો, તો સાચું કરી જાણે. હો કુંથુજિન) ૯. 5(૧૮) શ્રી અરનાથસ્વામીનું સ્તવન HE
(રાગ-પરજ, ઋષભનો વંશ રયણાયરૂએ દેશી). ધરમ પરમ અરનાથનો, કેમ જાણે ભગવંતરે; સ્વપર સમય સમજાવીએ, મહિમાવંત મહંતરે. ઘ૦ ૧. એ આંકણી. શુદ્ધાતમ અનુભવ સદા, સ્વસમાય એહ વિલાસ રે; પરતણી છાંયડી જે પડે, તે પર સમય નિવાસ રે. ધ ૨. તારા નક્ષત્ર ગ્રહ ચંદની. જ્યોતિ દિનેશ મોઝાર રે; દર્શન જ્ઞાન ચરણ થકી, શક્તિ નિજાતમ ધાર રે. ઘ૦ ૩. ભારી પીલો ચીકણો, કનક અનેક તરંગ ૨, પર્યાયદષ્ટિ ન દીજીએ, એક જ કનક અભંગરે, ઘ૦ ૪. દર્શન જ્ઞાન ચરણ થકી, અલખ સરૂપ અનેક રે; નિર્વિકલ્પ રસ પિજીએ, શુદ્ધ નિરંજન એક રે. ધ૦ ૫. પરમારથ પંથ જે કહે, તે રંજે એક સંતરે; વ્યવહારે લખે જે રહે, તેહના ભેદ અનંત રે ધ૦ ૬ વ્યવહારે લખે દોહિલો, કાંઈ ન આવે હાથ રે, શુદ્ધ નય થાપના સેવતાં, નવિ રહે દુવિધા સાથ રે. ધ૦ ૭. એક પખી લખી પ્રીતિની, તુમ સાથે જગનાથ રે; કૃપા કરીને રાખજો, ચરણ તળે ગ્રહી હાથ રે. ધO ૮. ચકી ધરમ તીરથ તણો, તીરથ ફલ તતસાર રે; તીરથ સેવે તે લહે, આનંદઘન નિરધાર રે ઘ૦ ૯ - 5 (૧૯) શ્રી મલ્લિનાથ સ્વામીનું સ્તવન 35
(રાગ-કાફી) સેવક કિમ અવગણીયે હો મલિજિન, એહ અબ શોભા સારી; અવર જેઠને આદર અતિ દીયે, તેહને મૂલ નિવારી. હો મલ્લિ૦ ૧. જ્ઞાન સ્વરૂપ અનાદિ તમારૂં, તે લીધું તમે તાણી; જુઓ અજ્ઞાન દશા રીસાણી, જાતા કાણ ન આણી. હો મલ્લિ0 ૨. નિદ્રા સુપન જાગર ઉજાગરતા, તુરીય અવસ્થા આવી; નિદ્રા સુપનદશા રીસાણી; જાણી ન નાથ મનાવી. હો મલ્લિ૦ ૩.
૩૩૨
Page #364
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી
સમકિત સાથે સગાઈ કીધી, સપરીવાર શું ગાઢી; મિથ્યામતિ અપરાધણ જાણી ઘરથી બાહિર કાઢી. હો મલ્લિ૦ ૪. હાસ્ય અરતિ રતિ શોક દુર્ગછા, ભય પામર કરસાલી; નોકષાય ગજ શ્રેણી ચડતાં, શ્વાન તણી ગતિ ઝાલી. હો મલિ૦ ૫. રાગદ્વેષ અવિરતિની પરિણતિ, એ ચરણમોહના યોદ્ધા, વીતરાગ પરિણતિ પરિણમતાં, ઉઠી નાઠા બોધા. હો મલિ૦ ૬. વેદોદય કામા પરિણામ, કામ્ય કરમ સહુ ત્યાગી; નિઃકામી કરૂણારસ સાગર, અનંત ચતુષ્ક પદ પાગી. હો મલ્લિ૦ ૭. દાન વિઘન વારી- સહુ જનને, અભયદાન પદ દાતા; લાભ વિઘન જગ વિઘન નિવારક, પરમ લાભ રસ માતા હો, મલ્લિ૦ ૮. વીર્ય વિઘન પંડિત વીર્ય હણી, પૂરણ પદવી યોગી; ભોગપભોગ દોય વિઘન નિવારી, પૂરણ ભોગ સુભોગી. હો. મલ્લિ૦ ૯. એ અઢાર દુષણ વર્જિત તન, મુનિજન વંદે ગાયા; અવિરતિ રૂપક દોષ નિરૂપણ, નિર્દૂષણ મન ભાયા, હો. મલ્લિ૦ ૧૦. ઈણ વિધ પરખી મન વિશરામી, જિનવર ગુણ જે ગાવે; દીનબંધુની મહેર નજરથી, આનંદધન પદ પાવે. હો, મલ્લિ૦ ૧૧
(૨૦) શ્રી મુનિસુવ્રતસ્વામીનું સ્તવન BE
( રાગ-કાફી, આધા આમ પધારો પૂજય-એ દેશી)
મુનિસુવ્રત જિનરાજ, એક મૂજ વિનતિ નિર્ણો; આતમતત્ત્વ ક્યું જાણું જગતગુરુ, એહ વિચાર મુજ કયિો; આતમ તત્વ જાણ્યા વિણ નિર્મલ, ચિત સમાધિ નવિ લહિયો. મૂનિસુવ્રત જિનરાજ0 ૧. કોઈ અબંધ આતમ તત્ત માને, કિરિયા કરતો દિસે; કિરિયા તણું ફલ કહો કુણ ભોગવે, ઈમ પૂછ્યું ચિત્ત રીસે મુનિ, ૨. જડ ચેતન એ આતમ એકજ, સ્થાવર જંગમ સરિખો; દુઃખ સુખ શંકર દૂષણ આવે, ચિત્ત વિચારી જો પરનો મુનિ) ૩. એક કહે નિત્ય જ આતમ તત્ત, આતમ દરિસણ લીનો; કૃત વિનાશ આકૃતાગમ દૂષણ, નવિ દેખે મતિ હીણો.
૧. ચોથી, ૨. કપાયના પેટા ભેદો.
-
૩૩૩
Page #365
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
મુનિ૦ ૪. સૌગત મત રાગી કહે વાદી, ક્ષણિક એ આતમ જાણો, બંધ મોક્ષ સુખ દુઃખ ન ઘટે, એહ વિચાર મન આણો. મુનિ૦ ૫. ભૂતચતુષ્ક વર્જિત આતમ તત્ત, સત્તા અલગી ન ઘટે; અંધ શકટ જો નજર ન દેખે, તો શું કીજે શકટે. મુનિ ૬. એમ અનેક વાદી મત વિભ્રમ, સંકટ પડિયો ન લહે; ચિત્ત સમાધિ તે માટે પૂછું, તુમ વિણ તત્ત કોઈ ન કહે. મુનિ૦ ૭. વલતું જગગુરુ ઈણિ પરે ભાખે, પક્ષપાત સબ ઠંડી; રાગ દ્વેષ મોહ પખ વર્જિત આતમશું રઢ મંડી. મુનિ૦ ૮. આતમ ધ્યાન કરે જો કોઈ, સો ફીર ઈણ મેં નાવે; વાગજાલ બીજું સહુ જાણે, એહ તત્ત્વ ચિત્ત ચાવે. મુનિ ૯. જિણે વિવેક ધરિએ પખ ગ્રહિયો, તે તત્ત્વજ્ઞાની કહિયે; શ્રી મુનિસુવ્રત કૃપા કરો તો, આનંદધન પદ લહિયે. મુનિ૦ ૧૦.
પુ (૨૧) શ્રી નમિનાથસ્વામીનું સ્તવન
( રાગ - આશાવરી )
( ધન ધન સંપ્રતિ સાચો રાજા એ દેશી )
-
પડદરિસણ જિનઅંગ ભણીજે, ન્યાસ ષડંગ જો સાધે રે; નમિ જિનવરના ચરણ ઉપાસક, ષડ દિરસણ આરાધે રે; ષડ ૧ એ આંકણી. જિન સુર પાદપ પાય વખાણો, સાંખ્ય જોગ દોય ભેદે રે; આતમ સત્તા વિવરણ કરતાં, લહો દુગ અંગ અખેદેરે . પડ૦ ૨. ભેદ અભેદ સૌગત મીમાંસક, જિનવર દોય કર ભારી રે, લોકાલોક અવલંબન ભજીયે, ગુરુગમથી અવધારી રે. પડ ૩. લોકાયતિક કુખ જિનવરની, અંશ વિચારી જો કીજેરે; તત્ત્વવિચાર સુધારસ ધારા, ગુરુગમ વિણ કેમ પીજે રે ષડ૦ ૪. જૈન જિનેશ્વર વર ઉત્તમ અંગ, અંતરંગ બહિરંગેરે; અક્ષર ન્યાસ ધરા આરાધક, આરાધે ધરી સંગેરે. ષડ૦ ૫. જિનવરમાં સઘળા દરિસણ છે, દરિસણે જિનવર ભજનારે; સાગરમાં સઘળી તિટની સહી, તિટનીમાં સાગર ભજનારે, ષડ૦ ૬. જિનસ્વરૂપ થઈ જિન આરાધે, તે સહી જિનવર હોવે રે; શ્રૃંગી ઈલીકાને ચટકાવે, તે ભૃગી જગ જોવેરે. ષડ૦ ૭. ચુર્ણી ભાષ્ય સૂત્ર નિર્યુક્તિ, વૃત્તિ
૩૩૪
Page #366
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી પરંપરા અનુભવ રે; સમય પુરુષનાં અંગ કહ્યા છે, જે છેદે તે દુર્ભવશે. પડ૦ ૮. મુદ્રા બીજ ધારણા અક્ષર, ન્યાસ અરથ વિનિયોગે રે; જે ધ્યાવે તે નવિ વંચજે, ક્રિયા અવંચકભોગેરે, પડ૦ ૯. શ્રત અનુસાર વિચારી બોલું, સુગુરુ તથાવિધ ન મિલે રે; કિરિયા કરી નવિ સાધી શકીએ; એ વિષવાદ ચિત્ત સઘળે રે. પડ૦ ૧૦. તે માટે ઉભા કરજોડી, જિનવર આગલ કહીયે રે; સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જેમ આનંદઘન લહીયે રે પડ૦ ૧૧. ૬ (૨૨) શ્રી નેમિનાથ સ્વામીનું સ્તવન BE
( રાગ - મારૂણી ધરણા ઢોલા - એ દેશી ) અષ્ટ ભવાંતર વાલહીરે, તું મુજ આતમરામ મનરા વાલા, મુગતિ સ્ત્રીશું આપણેરે, સગપણ કોઈ ન કામ. મ૦ ૧. ઘર આવો હો વાલમ ઘર આવો, મહારી આશાના વિસરામ, મ0 રથ ફેરો હો સાજન રથ ફેરો, સાજન મહારા મનોરથ સાથ. મ૦ ૨. નારી પખો શો નેહલોરે, સાચ કહે જગનાથ, મ0 ઈશ્વર અર્ધાગે ધીરે, તું મુજ ઝાલે ના હાથ મ૦ ૩. પશુ જનની કરૂણા કરી રે; આણી હૃદય વિચાર; મ૦ માણસની કરૂણા નહિરે, એ કુણ ધર આચાર. મ૦ ૪. પ્રેમકલ્પ તરૂ છેદીયોરે, ધરિયો જોગ ધતુર; મ0 ચતુરાઈરો કુણ કહોરે ગુરુ મિલિયો જગસુર. મ૦ ૫. મારું તો એમાં ક્યુંહી નહિરે આપ વિચારો રાજ, મ0 રાજસભામાં બેસતારે, કિસડી બધસી લાજ. મ૦ ૬. પ્રેમ કરે જગ જન સહુને, નિરવાહે તે ઓર, મ0 પ્રીત કરીને છોડી દે રે, તેહ શું ન ચાલે જોર. મ૦ ૭. જો મનમાં એવું હતું રે, નિસપત કરત ન જાણ; મ0 નિસપત કરીને છાંડતાં રે, માણસ હુએ નુકસાન મ૦ ૮. દેતાં દાન સંવત્સરીરે, સહુ લહે વાંછિત પોષ; મ0 સેવક વાંછિત નવિ લહેરે, એ સેવકનો દોષ મ0 ૯. સખી કહેએ શામલો રે, હું કહું લક્ષણ સેત; મ૦ ઈણ લક્ષણ સાચી સખી રે, આપ વિચારો હેતે. મ૦ ૧૦. રાગી શું રાગી સહુ રે, વૈરાગી શ્યો રાગ; મ0 રાગ વિના કિમ દાખવો રે, મુગતિ સુંદરી માગ, મ૦ ૧૧. એક ગુહ્ય ઘટતું નથી રે, સઘલો એ જાણે લોક; મ૦ અનેકાંતિક
૩૩૫
Page #367
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ભોગવોરે, બ્રહ્મચારી ગતરોગ. મ. ૧૨. જિણ જોણે તમને જોઉં રે, તિણ જોણી જુઓ રાજ. મ૦ એકવાર મુજને જુઓ રે, તો સીઝે મુજ કાજ. મ૦ ૧૩. મોહદશા ધરી ભાવના રે, ચિત્ત લહે તત્ત્વ વિચાર; મ0 વીતરાગતા આદરી રે, પ્રાણનાથ નિરધાર. મ0 ૧૪. સેવક પણ તે આદરે રે, તો રહે સેવક મામ; મ૦ આશય સાથે ચાલીએ રે, એહીજ રૂડું કામ, મ૦ ૧૫. ત્રિવિધ યોગ ધરી આદર્યો રે, નેમિનાથ ભરતાર; મ૦ ધારણ પોષણ તારણો રે, નવરસ મુગતાહાર. મ૦ ૧૬. કારણરૂપી પ્રભુ ભજ્યો રે, ગયું ન કાજ અકાજ; મ0 કૃપા કરી મુજ દીજીએરે, આનંદઘન પદ રાજ. મ૦ ૧૭. (૨૩) શ્રી પાર્શ્વનાથસ્વામીનું સ્થવન 5
( રાગ સારંગ, રસીઆની દેશી ) - ધ્રુવપદ રામીહો સ્વામિ માહરા, નિકામી ગુણરાય; સુજ્ઞાની નિજ ગુણ કામીહો પામી તું ઘણી, ધ્રુવ આરામી હો થાય. ૧. સર્વ વ્યાપી કહો સર્વ જાણગ પણે, પર પરિણમન સ્વરૂપ; સુ0 પરરૂપે કરી તત્ત્વપણું નહીં, સ્વસત્તા ચિરૂપ. સુવ ધ્રુવ ૨. જોય અનેકે હો જ્ઞાન અનેકતા, જલ ભાજન રવિ જેમ; સુ0 દ્રવ્ય એકત્વપણે ગુણ એકતા, નિજ પદ રમતા હો એમ. સુ0 ઘૂ૦ ૩. પરક્ષેત્રે ગત શેયને જાણવે, પરક્ષેત્રે થયું જ્ઞાન; સુ0 અસ્તિપણું નિજક્ષેત્રે તમે કહ્યું, નિર્મલતા ગુણમાન. સુવ ધ્રુવ ૪. શેય વિનાશે હો જ્ઞાન વિનશ્વરૂ, કાળ પ્રમાણે રે થાય; સુ0 સ્વકાળે કરી સ્વસત્તા સદા, તે પર રીતે ન જાય. સુ0 ધૂ૦ ૫. પરભાવે કરી પરતાં પામતાં, સ્વસત્તા વિર ઠાણ; સુ0 આત્મ ચતુષ્કમથી પરમાં નહીં, તો કિમ સહુનો રે જાણ સુ0 ઘૂ૦ ૬. અગુરુલઘુ નિજ ગુણને દેખતાં, દ્રવ્ય સકલ દેખત; સુ0 સાધારણ ગુણની સાધર્મેતા, દર્પણ જલને દૃષ્ટાંત સુ0 ધૂ૦ ૭. શ્રી પારસજિન પારસરસ સમો, પણ ઈહાં પારસ નાહિ; સુ0 પૂરણ રસીઓ હો નિજ ગુણ પરસનો, આનંદધન મુજ માંહિ. ધ્રુવ ૮.
૧. લાજ, ૨. ઉપદ્રવ
૩૩ ૬
Page #368
--------------------------------------------------------------------------
________________
આનંદધન ચોવીશી
5 (૨૪) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન H.
( રાગ ધનાશ્રી ) વિર જિનેશ્વરને ચરણે લાગું, વિરપણું તે મારું રે; મિથ્યા મોહ તિમિર ભય ભાગ્યું, જિત નગારૂં વાગ્યું રે. વિર૦ ૧. છઉમથ્થ વિર્ય લેશ્યા સંગે, અભિસંદ્ધિજ મતિ અંગેરે; સૂક્ષ્મ સ્થલ ક્રિયાને રંગે, યોગી થયો ઉમંગે રે. વિર૦ ૨. અસંખ્ય પ્રદેશે વીર્ય અસંખે, યોગ અસંખિત કંખેરે; પુદ્ગલ ગણ તેણે લેશું વિશેષે, યથાશક્તિ મતિ લેખેરે. વીર૦ ૩. ઉત્કૃષ્ટ વીરયને વેસે, યોગ ક્રિયા નવી પેસે રે; યોગ તણી ધ્રુવતાને લેશે, આતમ શક્તિ ન ખેસે રે; વીર. ૪. કામ વીર્ય વશે જેમ ભોગી, તેમ આતમ થયો ભોગી રે; શૂરપણે આતમ ઉપયોગી, થાય તેહ અયોગી રે. વિર૦ ૫. વિરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રવપદ પહિચાણે રે. વીર૦ ૬. આલંબન સાધન જે ત્યાગે, પર પરિણતિને ભાગેરે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદધન પ્રભુ જાગે રે. વિર૦ ૭.
339
Page #369
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી દેવચંદ્રજી કૃત ચોવિશી = (૧) ઋષભદેવસ્વામીનું સ્તવન by
ઋષભ જિણંદશું પ્રીતડી, કીમ કીજે હો કહો ચતુર વિચાર; પ્રભુજી જઈ અલગા વશ્યા, તિહાં કિણે નવિ હો કોઈ વચન ઉચ્ચાર. ૧. કાગળ પણ પહોચે નહિ, નવી પહોંચે હો તીહાં કો પરધાન, જે પહોચે તે તુમ સમો, નવી ભાખે હો કોઈનું વ્યવધાન. ઋષભ૦ ૨. પ્રીતિ કરે તે રાગીયા, જિનવરજી હો તુમે તો વીતરાગ; પ્રીતડી જેહ અરાગીથી, ભેલવવી હો તે લોકોત્તર માર્ગ. ઋષભ૦ ૩. પ્રીતિ અનાદિની વિષ ભરી, તે રીતે હો કરવા મુજબ ભાવ; કરવી નિર્વિષ પ્રીતડી, કિણ ભાતે હો કહો બને બનાવ. ઋષભ૦ ૪. પ્રીતિ અનંતી પર થકી, જે તોડે તો તે જોડે એહ; પરમ પુરપથી રાગતા, એકત્વતા હો દાખી ગુણ ગેહ. ઋષભ૦ ૫. પ્રભુજીને અવલંબતાં, નિજ પ્રભુતા હો પ્રગટે ગુણરાશ; દેવચંદ્રની સેવના, આપે મુજ હો અવિચલ સુખવાસ. ઋષભ૦ ૬. ૬ (૨) શ્રી અજિતનાથ જિન સ્તવન :
(દેખો ગતિ દેવની રે-એ દેશી) જ્ઞાનાદિક ગુણ સંપદારે, તુજ અનંત અપાર; તે સાંભળતા ઉપનીરે, રુચિ તેણે પાર ઉતાર, અજિતજિન તારજોરે. તારજો દીન દયાળ. અજિત) ૧. એ આંકણી. જે જે કારણ જેહનું રે, સામગ્રી સંયોગ; મળતાં કારજ નીપજે રે, કર્તા તેણે પ્રયોગ. અજિત) ૨. કાર્ય સિદ્ધિ કર્તા વસુ રે; લહી કારણ સંયોગ; નિજ પદ કારકપ્રભુ મીત્યારે, હોય નિમિત્તેહ ભોગ, અજિત) ૩. અજકુલગત કેસરી લહેરે, નિજપદ સિંહ નિહાળ; તિમ પ્રભુ ભક્ત ભવી લહેરે, આતમ શક્તિ સંભાળ. અજિત) ૪. કારણ પદ કર્તા પણે રે, કરી આરોપ અભેદ; નિજ પદ અરથી પ્રભુ થકી રે, કરે અનેક ઉમેદ. અજિત ૫. એહવા પરમાતમ પ્રભુરે પરમાનંદ સ્વરૂપ; સ્યાદ્ધાદ સત્તા રસીરે, અમલ અખંડ અરૂપ. અજિત ૬
૩૩૮
Page #370
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી આરોપિત સુખ ભ્રમ ટલ્યો રે, ભાસ્યો અવ્યાબાધ; સમર્યું અભિલાષીપણું રે, કર્તા સાધન સાધ્ય. અજિત૦ ૭. ગ્રાહકતા સ્વામીત્વતારે, વ્યાપક ભોક્તા ભાવ; કારણતા કારજ દશારે; સકલ ગ્રહ્યું નિજભાવ. અજિત) ૮. શ્રદ્ધા ભાસન રમણતારે, દાનાદિક પરિણામ; સકલ થયા સત્તા રસીરે, જિનવર દરિસણ પામ. અજિત) ૯. તિણે નિર્ધામક માહણો રે, વૈધ ગોપ આધાર; દેવચંદ્ર સુખસાગરૂરે, ભાવ ધરમ દાતાર. અજિત) ૧૦. EF (૩) શ્રી સંભવનાથ જિન સ્તવન -
(ધણરા ઢોલા-એ દેશી) શ્રી સંભવ જિનરાજજીરે, તાહરૂં અકલ સ્વરૂપ, જિનવર પૂજો; સ્વપર પ્રકાશક દિનમણિરે, સમતા રસનો ભૂપ, જિનવર ૧. પૂજો પૂજોરે ભવિકજન પૂજો, પ્રભુ પૂજ્યા પરમાનંદ. જિન) એ આંકણી, અવિસંવાદ નિમિત્ત છો રે, જગત જંતુ સુખ કાજ; જિન) હેતુ સત્ય બહુમાનથીરે, જિન સેવ્યા શિવરાજ. જિન૦ ૨. ઉપાદાન આતમ સહીરે, પુષ્ટાલંબન દેવ; જિનવ ઉપાદાન કારણપણેરે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિન) ૩. કારજ ગુણ કારણપણેરે, કારણ કારજ અનૂપ; સકલ સિદ્ધતા તાહરી રે, મહારે સાધનરૂપ. જિન) ૪. એકવાર પ્રભુ વંદનારે, આગમ રીતે થાય; જિન- કારણ સત્ય કાર્યનીરે, સિદ્ધિ પ્રતીત કરાય. જિન) ૫. પ્રભુ પણે પ્રભુ ઓળખીરે, અમલ વિમલ ગુણ ગેહ; જિન, સાધ્યદ્રષ્ટિ સાધકપણેરે, વંદે ધન્ય નર તેહ. જિન) ૬. જન્મ કૃતારથ તેહનોરે, દિવસ સફલ પણ તાસ, જિનવ જગત શરણ જિન ચરણનેરે, વંદે ધરીયે ઉલ્લાસ જિન, ૭. નિજ સત્તા નિજ ભાવથીરે, ગુણ અનંતનું ઠાણ; જિન દેવચંદ્ર જિનરાજજીરે, શુદ્ધ સિદ્ધિ સુખ ખાણ. જિન, ૮.
ક (૪) શ્રી અભિનંદન જિન સ્તવન BE
ક્યું જાણું ક્યું બની આવશે અભિનંદન રસ રીત હો મિત્ત કયું પુદ્ગલ અનુભવ ત્યાગથી કરવી જસુ પરતીત હો મિત્ત.
(૩૩૯)
Page #371
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક્યું૦ ૧. પરમાતમ પરમેશ્વરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત; દ્રવ્યે દ્રવ્ય મીલે નહીં, ભાવે તે અન્ય અવ્યાપ્ત હો મિત્ત. ક્યું૦ ૨. શુદ્ધ સ્વરૂપ સનાતનો, નિર્મલ જે નિઃસંગ હો મિત્ત; આત્મવિભૂતિ પરિણમ્યો, ન કરે તે પરસંગ હો મિત્ત. ક્યું૦ ૩. પણ જાણું આગમ બળે, મલવું તુમ પ્રભુ સાથ હો મિત્ત; પ્રભુ તો સ્વસંપત્તિમયી, શુદ્ધ સ્વરૂપનો નાથ હો મિત્ત. ૦ ૪. પર પરિણામિકતા અછે, જે તુજ પુદ્ગલ જોગ હો મિત્ત; જડ ચલ જગની એંઠનો, ન ઘટે તુજને ભોગ હો મિત્ત. ક્યું૦ ૫. શુદ્ધ નિમિત્ત પ્રભુ ગ્રહો, કરી અશુદ્ધ પર હેય હો મિત્ત; આત્માલંબી ગુણ લહી, સહુ સાધકનો ધ્યેય હો મિત્ત. ૦ ૬. જીમ જિનવર આલંબને, વધે સધે એક તાન હો મિત્ત, તીમ તીમ આત્માલંબની, ગ્રહે સ્વરૂપ નિદાન હો મિત્ત. ક્યું૦ ૭. સ્વ સ્વરૂપ એકત્વતા સાથે પૂર્ણાનંદ હો મિત્ત; રમે ભોગવે આતમા, રત્નત્રયી ગુણવૃંદ હો મિત્ત. ૦ ૮. અભિનંદન અવલંબને, પરમાનંદ વિલાસ હો મિત્ત; દેવચંદ્ર પ્રભુ સેવના, કરી અનુભવ અભ્યાસ હો મિત્ત. ક્યું૦ ૯.
(૫) શ્રી સુમતિનાથ જિન સ્તવન
(દેશી કડખાની)
અહો શ્રી સુમતિ જિન શુદ્ધતા તાહરી, સ્વ ગુણ પર્યાય પરિણામ રામી; નિત્યતા એકતા અસ્તિતા ઈતરયુત, ભોગ્ય ભોગી થકો પ્રભુ અકામી. અહો૦ ૧. ઉપજે વ્યય લહે તહવિ તેહવો રહે, ગુણ પ્રમુખ બહુલતા તહવિ પિંડી; આત્મભાવે રહે અપરતા નવી ગ્રહે, લોક પ્રદેશ મિત પણ અખંડી. અહો૦ ૨. કાર્ય કારણપણે પરિણમે તહવિ ધ્રુવ; કાર્ય ભેદે કરે પણ અભેદી; કર્તૃતા પરિણામે નવ્યતા નવિ રમે, સકલવેતા થકો પણ અવેદી. અહો ૩. શુદ્ધતા બુદ્ધતા દેવ પરમાત્મત્તા, સહજ નિજ ભાવ ભોગી અયોગી; સ્વ પર ઉપયોગી તાદાત્મ્ય સત્તારસી, શક્તિ પ્રયુંજતો ન પ્રયોગી. અહો૦ ૪. વસ્તુ નિજ પરિણતે સર્વ પરિણામકી, એટલે કોઈ પ્રભુતા ન પામે; કરે જાણે રમે અનુભવે તે પ્રભુ, તત્ત્વ
૩૪૦
Page #372
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી સ્વામિત્વ શુચિ તત્ત્વ પામે. અહો, ૫. જીવ નવી પુદ્ગલી નવ પુગલ કદા, પુગ્ગલાધાર નહીં તાસ રંગી; પર તણો ઈશ નહીં અપર ઐશ્ચર્યતા, વસ્તુ ધર્મે કદા ન પ્રસંગી. અહ૦ ૬. સંગ્રહ નહીં આપે નહીં પરભણી, નવિ કરે આદરે ન પર રાખે; શુદ્ધ સ્યાદ્ધાદ નિજ ભાવ ભોગી જિકે તેહ પરભાવને કેમ ચાખે. અહો૦ ૭. તાહરી શુદ્ધતા ભાસ આશ્ચર્યથી, ઉપજે રૂચિ તેણે તત્ત્વ ઈહે; તત્ત્વરંગી થયો દોષથી ઉભગ્યો, દોષ ત્યાગે ટલે તત્વ ઈહે; અહો) ૮. શુદ્ધ માર્ગે વધ્યો, સાધ્ય સાધન સાધ્યો, સ્વામી પ્રતિછંદે સત્તા આરાધે; આત્મ નિષ્પત્તિ તીમ સાધના નવી ટકે, વસ્તુ ઉત્સર્ગ આતમ સમાધે. અહો૦ ૯. માહરી શુદ્ધ સત્તા તણી પૂર્ણતા, તેનો હેતુ પ્રભુ તુંહિ સાચો; દેવચંદ્ર સ્તવ્યો મુનિ ગણે અનુભવ્યો, તત્ત્વ ભકતે ભવિક સકલ રાચો. અહો૦ ૧૦
F (૬) શ્રી પદ્મપ્રભ જિન સ્તવન 5. | (તુજ આગળ શી કહું કેસરીયા લાલ-એ દેશી.)
શ્રી પદ્મપ્રભ જિન ગુણનિધિરે લાલ, જગ તારક જગદીશરે વાલેસર; જિન ઉપગાર થકી લહેરે લાલ, ભવિજન સિદ્ધિ જગીશરે. વાલેસર૦ ૧. તુજ દરિસણ મુજ વાલહેરે લાલ, દરિસણ શુદ્ધ પવિત્તરે વાવ દરિસણ શબ્દ નયે કરેરે લાલ, સંગ્રહ એવંભૂતરે. વા૦ ૮૦ ૨. બીજે વૃક્ષ અનંતતારે લાલ, પરે ભૂજલ યોગ રે, વાવ તમ મુજ આતમ સંપદારે લાલ, પ્રગટે પ્રભુ સંયોગરે વારુ તુ, ૩. જગત જંતુ કારજ રૂચિરે લાલ, સાધે ઉદયે ભાણરે, વા૦ ચિદાનંદ સુવિલાસતારે લાલ, વાધે જિનવર ઝાણરે. વાવ તુ૦ ૪. લબ્ધિ સિદ્ધિ મંત્રાલરે રે લાલ, ઉપજે સાધક સંગરે, વાવ સહજ અધ્યાતમ તત્ત્વતારે લાલ, પ્રગટે તત્ત્વી રંગરે. વાળ તુ) ૫. લોહ ધાતુ કંચન હુવેરે લાલ, પારસ ફરસન પામીરે, વાળ પ્રગટે અધ્યાતમ દશારે લાલ, વ્યક્ત ગુણી ગુણ ગ્રામરે. વા૦ ૮૦ ૬. આત્મસિદ્ધિ કારજ ભણીરે લાલ, સહજ નિર્ધામક હેતુર, વાવ નામાદિક જિનરાજનારે લાલ, ભવસાયરમાંહે સેતુરે. વા૦ ૮૦ ૭. સ્થંભન ઈદ્રિય યોગનોરે લાલ, રક્ત વર્ણ ગુણ રાયરે, વાળ દેવચંદ્ર વંદે સ્તવ્યોરે લાલ, આપ અવર્ણ અકાયરે. વા૦ ૮૦ ૮
૩૪૧
Page #373
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
× (૭) શ્રી સુપાર્શ્વનાથ જિન સ્તવન
(હો સુંદર તપ સરીખો જગ કો નહીં-એ દેશી)
શ્રી સુપાસ આનંદમેં, ગુણ અનંતનો કંદ હો૦ જિનજી૦ જ્ઞાનાનંદે પુરણો, પવિત્ર ચારિત્રાનંદ હો; જિ૦ શ્રી સુપાસ૦ ૧. સંરક્ષણ વિણ નાથ છો, દ્રવ્ય વિના ધનવંત હો. જિ૦ કર્તા પદ કિરિયા વિના, સંત અજેય અનંત હો. જિ૦ શ્રી સુપાસ૦ ૨. અગમ અગોચર અમર તું, અન્વય ઋદ્ધિ સમૂહ હો, જિ૦ વર્ણ ગંધ રસ ફરસ વિણ, નિજ ભોક્તા ગુણ વ્યુહ હો. જિજ શ્રીસુપાસ૦ ૩. અક્ષયદાન અચિંતના, લાભ અયત્ને ભોગ હો, જિ૦ વીર્ય શક્તિ અપ્રયાસતા, શુદ્ધ સ્વગુણ ઉપભોગ હો જિ૦ શ્રી સુપાસ૦ ૪. એકાંતિક આત્યંતિકો સહજ અમૃત સ્વાધીન હો, જિ॰ નિરુપચરિત નિર્દે સુખ, અન્ય અહેતુક હો પીન જિ૦ શ્રી સુપાસ૦ ૫. એક પ્રદેશે તાહરે, અવ્યાબાધ સમાય હો. જિ૦ તસુ પર્યાય અવિભાગતા, સર્વાકાશ ન માય હો જિ૦ શ્રી સુ૦ ૬. એમ અનંત ગુણનો ધણી, ગુણ ગુણનો આનંદ હો. જિ૦ ભોગ રમણ આસ્વાદ યુત, પ્રભુ તું પરમાનંદ હો. જિ૦ શ્રી સુપાસ૦ ૭. અવ્યાબાધ રૂચિ થઈ, સાધે અવ્યાબાધ હો, જિ૦ દેવચંદ્ર પદ તે લહે, પરમાનંદ સમાધ હો. જિ૦ શ્રી સુપાસ૦ ૮
× (૮) શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન (શ્રી શ્રેયાંસ જિન અંતરયામી-એ દેશી)
શ્રી ચંદ્રપ્રભ જિનપદ સેવા, હેવાએ જે હલીયાજી; આતમ ગુણ અનુભવથી મલીયા, તે ભવ ભયથી ટલીયાજી, શ્રી ચંદ્રપ્રભ૦ ૧. દ્રવ્ય સેવવંદન નમનાદિક, અર્ચન વલી ગુણ ગ્રામોજી; ભાવ અભેદ થવાની ઈહા, પરભાવે નિઃકામોજી, શ્રી0 ૨. ભાવ સેવ અપવાદે નૈગમ, પ્રભુ ગુણને સંકલ્પેજી; સંગ્રહ સત્તા તુલ્યારૂપે, ભેદાભેદ વિકલ્પેજી. શ્રી૦ ૩. વ્યવહારે બહુ માન જ્ઞાન નિજ, ચરણે જન ગુણ ૨મણાજી; પ્રભુ ગુણ આલંબી પરિણામે, ૠપદ ધ્યાન સ્મરણાજી. શ્રી ૪. શબ્દે શુક્લ ધ્યાનારોહણ, સમભિરૂઢ ગુણ દશમેજી, બીય શુકલ અવિકલ્પ
૩૪૨
Page #374
--------------------------------------------------------------------------
________________
-
-
-
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી એકત્વે, એવંભૂત તે અમÄજી. શ્રી૦ ૫. ઉત્સર્ગે સમકિત ગુણ પ્રગટ્યો, નૈગમ પ્રભુતા અંશેજી; સંગ્રહ આતમ સત્તાલંબી, મુનિપદ ભાવ પ્રશંસેજી. શ્રી. ૬. ઋજુસૂત્રે જે શ્રેણિ પદસ્થ, આત્મશક્તિ પ્રકાશેજી; યથાખ્યાત પદ શબ્દ સ્વરૂપે શુદ્ધ ધર્મ ઉલ્લાસેજી. શ્રી૦ ૭. ભાવ સયોગિ અયોગિ શૈલેશે, અંતિમ દુગ નય જાણો જી; સાધનતાએ નિજ ગુણ વ્યક્તિ, તેહ સેવના વખાણો જી. શ્રી. ૮. કારણ ભાવ તેહ અપવાદે, કાર્ય રૂપ ઉત્સર્ગેજી, આત્મભાવ તે ભાવ દ્રવ્ય પદ, બાહ્ય પ્રવૃતિ નિસર્ગેજી. શ્રી ૯. કારણ ભાવ પરંપરા સેવન; પ્રગટે કારજ ભાવોજી; કારજ સિદ્ધ કારણતા વ્યય, શુચિ પરિણામિક ભાવોજી. શ્રી) ૧૦. પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્વય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચંદ્ર પદ પાવેજી. શ્રી. ૧૧.
5 (૯) શ્રી સુવિધિનાથ જિન સ્તવન : (થારા મહેલા ઉપર મેહ, ઝરૂખે વીજળી હો લાલ-એ દેશી)
દીઠો સુવિધિ નિણંદ, સમાધિરસે ભર્યો હો લાલ, સમાધિરસે ભર્યો ભાસ્યું આત્મ સ્વરૂપ, અનાદિનો વિસર્યો હો લાલ અ૦ સકલ વિભાવ ઉપાધિ. થકી મન ઓસર્યો હો લાલ, થ૦ સત્તા સાધન માર્ગ, ભણી એ સંચર્યો હો લાલ ભ૦ ૧. તુમ પ્રભુ જાણગ રીતિ, સરવ જગ દેખતા હો લાલ, સ0 નિજ સત્તા એ શુદ્ધ, સહુને લેખતા હો લાલ, સ0 પર પરિણત અદ્વેષપણે ઉવેખતા હો લાલ, પણ૦ ભોગ્યપણે નિજશક્તિ, અનંત ગવેષતા હો લાલ. અ. ૨. દાનાદિક નિજ ભાવ હતા જે પરવશા હો લાલ. હતા, તે નિજ સન્મુખ ભાવ. ગ્રહી લહી તુજ દશા હો લાલ, ઝ૦ પ્રભુનો અદ્ભુત યોગ, સ્વરૂપ તણી રસા હો લાલ, સ્વ૦ વાસે ભાસે તાસ, જાસ ગુણ તુજ જિસા હો લાલ, જા૦ ૩. મોહાદિકની ધૂમ, અનાદિની ઉતરે હો લાલ, અ૦ અમલ અખંડ અલિપ્ત, સ્વભાવ જ સાંભરે હો લાલ. સ્વ૦ તત્ત્વ રમણ શુચિ ધ્યાન, ભણી જે આદરે હો લાલ, ભ૦ તે સમતારસ ધામ, સ્વામી મુદ્રા વરે હો લાલ સ્વા૦ ૪. પ્રભુ છો ત્રિભુવન નાથ,
૧૩૪૩ ૩૪૩
Page #375
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દાસ હું તાહરો હો લાલ દાસ0 કરૂણાનિધિ અભિલાષ, અછે મુજ એ ખરો હો લાલ અ) આતમ વસ્તુ સ્વભાવ, સદા મુજ સાંભરો હો લાલ; સ0 ભાસન વાસન એહ, ચરણ ધ્યાને ધરો હો લાલ; ચ૦ ૫. પ્રભુ મુદ્રાને યોગ, પ્રભુ પ્રભુતા લખે હો લાલ પ્ર) દ્રવ્ય તણે સાધર્મે, સ્વસંપત્તિ ઓળખે હો લાલ, સ્વ૦ ઓળખતા બહુમાન, સહિત રૂચિ પણ વધે હો લાલ. સ0 રૂચિ અનુયાયી વીર્ય ચરણ ધારા સધે હો લાલ, ચ૦ ૬. ક્ષાયોપથમિક ગુણ સર્વ, થયા તુજ ગુણ રસી હો લાલ, થ૦ સત્તા સાધન શક્તિ વ્યક્તતા ઉલ્લસી હો લાલ, વ્યo હવે સંપુરણ સિદ્ધ, તણી શી વાર છે હો લાલ, તણી, દેવચંદ્ર જિનરાજ, જગત આધાર છે હો લાલ. જગત- ૭ BE (૧૦) શ્રી શિતળનાથ પ્રભુ જિન સ્તવન ,
(આદર જીવ મા ગુણ આદર-એ શ્રેશી) શીતલ જિનપતિ પ્રભુતા પ્રભુની, મુજથી કદીય ન જાયજી; અનંતતા નિર્મલતા પૂર્ણતા, જ્ઞાનવિના ન જણાયજી. શી૧. ચરમ જલધિ જલ મિલે અંજલી, ગતિ જીપે અતિવાયજી; સર્વ આકાશ ઓલંઘે ચરણે, પણ પ્રભુતા ન ગણાયજી. શી. ૨ સર્વ દ્રવ્ય પ્રદેશ અનંતા, તેહથી ગુણ પર્યાયજી; તાસ વર્ગથી અનંતગણું પ્રભુ, કેવલજ્ઞાન કહાયજી. શી) ૩. કેવલ દર્શન એમ અનં. ગ્રહે સામાન્ય સ્વભાવજી; સ્વપર અનંતથી ચરણ અનંતુ, સમરણ સંવર ભાવજી. શી) ૪. દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ભાવ ગુણ, રાજનીતિએ ચારજી; ત્રાસ વિના જડ ચેતન પ્રભુની, કોઈ ન લોપે કારજી. શીવ ૫. શુદ્ધાશય થિર પ્રભુ ઉપયોગે, જે સમરે તુજ નામજી, અવ્યાબાધ અનંત પામે, પરમ અમૃત સુખધામજી. શીવ ૬. આણા ઈશ્વરતા નિર્ભયતા, નિર્વાછકતા રૂપજી; ભાવ સ્વાધીન તે અવ્યય રીતે, ઈમ અનંત ગુણ ભૂપજી. શ૦ ૭. અવ્યાબાધ સુખ નિર્મલ તે તો, કરણ જ્ઞાને ન જણાયજી; તેહજ એહનો જાણગ ભોક્તા, જે તુમ સમ ગુણ રાયજી. શી૦૮. એમ અનંત દાનાદિક નિજ ગુણ, વચનાતીત પંડુરજી; વાસન ભાસન ભાવે
૧૩૪૪F
३४४
Page #376
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી દુર્લભ, પ્રાપ્તિ તો અતિ દૂરજી. શી૯. સકલ પ્રત્યક્ષ પણે ત્રિભુવન ગુરુ, જાણું તુજ ગુણ ગ્રામજી; બીજું કાંઈ ન માગું
સ્વામી, એહી જ છે મુજ કામજી. શ૦ ૧૦. એમ અનંત પ્રભુતા સહતાં, અર્થે જે પ્રભુ રૂપજી; દેવચંદ્ર પ્રભુતા તે પામે, પરમાનંદ સ્વરૂપજી. શ૦ ૧૧ (૧૧) શ્રી શ્રેયાંસનાથ પ્રભુ જિન સ્તવન HF
(પ્રાણી વાણી જિન તણી-એ દેશી) શ્રી શ્રેયાંસ પ્રભુ તણો, અતિ અદ્ભુત સહજાનંદરે; ગુણ એકવિધત્રિક પરિણમ્યો, એમ ગુણ અનંતનો વૃંદરે; મુનિચંદ નિણંદ અમંદ દિગંદ પરે; નિત્ય દીપતો સુખકંદરે. ૧. એ આંકણી. નિજ જ્ઞાને કરી જોયો, જ્ઞાયક જ્ઞાતા પદ ઈશરે; દેખે નિજ દર્શન કરી, નિજ દ્રશ્ય સામાન્ય જગીશરે. મુનિ૦ ૨. નિજ રમ્ય રમણ કરો, પ્રભુ ચારિત્રે રમતા રામરે, ભોગ્ય અનંત ભોગવો, ભોગે તેણે ભોક્તા સ્વામિરે. મુનિ૦ ૩. દેય દાન નિત રીતે, અતિ દાતા પ્રભુ સ્વયમેવરે; પાત્ર તુમેં નિજ શકિતના, ગ્રાહક વ્યાપકમય દેવરે. મુનિ) ૪. પરિણામિક કારજ તણો, કર્તા ગુણ કરણે નાથરે, અક્રિય અક્ષય સ્થિતિમયી, નિકલંક અનંતી આથરે. મુનિ૦ ૫ પરિણામિક સત્તા તણો, આવિર્ભાવ વિલાસ નિવાસરે; સહજ અકૃત્રિમ અપરાશ્રયી, નિર્વિકલ્પ ને નિઃપ્રયાસરે. મુનિ૦ ૬. પ્રભુ પ્રભુતા સંભારતાં, ગાતાં કરતાં ગુણ ગ્રામ રે; સેવક સાધનતા વરે, નિજ સંવર પરિણતિ પામરે. મુનિ, ૭. પ્રગટ તત્ત્વતા ધ્યાવતાં, નિજ તત્ત્વનો ધ્યાતા થાય રે, તત્ત્વ રમણ એકાગ્રતા, પૂરણ તત્ત્વ એહ સમાય રે. મુનિ૦ ૮. પ્રભુ દીઠે મુજ સાંભરે પરમાતમ પૂર્ણાનંદ, દેવચંદ્ર જિનરાજના, નિત્ય વંદો પય અરવિંદરે મુનિ૦ ૯. ક (૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી જિન સ્તવન 5
(પંથડો નિહાળું રે બીજા જિન તણો રે-દેશી) પૂજના તો કીજેરે બારમા જિન તણી રે, જસુ પ્રગટ્યો પૂજ્ય સ્વભાવ; પરફત પૂજારે જે ઈચ્છે નહીં રે, સાધક કારજ
૩૪૫
Page #377
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દાવ. પૂજના) ૧. દ્રવ્યથી પૂજારે કારણ ભાવનુંરે, ભાવ પ્રશસ્ત ને શુદ્ધ; પરમ ઈષ્ટ વલ્લભ ત્રિભુવન ધણીરે, વાસુપૂજ્ય સ્વયંબુદ્ધ. પુ) ૨. અતિશય મહિમારે અતિ ઉપગારતારે, નિર્મલ પ્રભુ ગુણ રાગ; સુરમણિ સુરઘટ સુરતરુ તું છતેરે, જિન રાગી મહાભાગ. પૂ૦ ૩. દર્શન જ્ઞાનાદિક ગુણ આત્મના રે, પ્રભુ પ્રભુતા લયલીન; શુદ્ધ સ્વરૂપી રૂપે તન્મયી રે, તસુ આસ્વાદને પીન. પૂ૦ ૪. શુદ્ધ તત્વ રસ રંગી ચેતનારે, પામે આત્મ સ્વભાવ, આત્માલંબી નિજ ગુણ સાધતોરે પ્રગટે પૂજ્ય સ્વભાવ. પૂ૦ ૫. આપ અકર્તા સેવાથી હુવેર, સેવક પુરણ સિદ્ધિ; નિજ ધન ન દીયે પણ આશ્રિત લહેરે, અક્ષય અક્ષર ઋદ્ધિ. પૂ૦ ૬. જિનવર પૂજારે તે નિજ પૂજનારે, પ્રગટે અન્વય શકિત; પરમાનંદ વિલાસી અનુભવેરે, દેવચંદ્ર પદ વ્યક્તિ. પૂ૦ ૭. ૬ (૧૩) શ્રી વિમલનાથ પ્રભુ જિન સ્તવન ક
વિમલ જિન વિમલતા તાહરીજી, અવર બીજે ન કહાય; લઘુ નદી જીમ તીમ લંઘીયેજી, સ્વયંભૂરમણ ન કરાય. વિ૦ ૧. સયલ પુઢવી ગિરિ જલ તરૂજી, કોઈ તોલે એક હત્ય, તેહ પણ તુજ ગુણગણ ભણીજી, ભાખવા નહી સમરથ. વિ. ૨. સર્વ પુદ્ગલ નભ ધર્મનાજી, તેમ અધર્મ પ્રદેશ; તાસ ગુણ ધર્મ પજવ સહુજી, તુજ ગુણ એક તણો લેશ. વિ. ૩. એમ નિજ ભાવ અનંતનીજી, અસ્તિતા કેટલી થાય; નાસ્તિકતા સ્વપર પદ અસ્તિતાજી; તુજ સમકાલ સમાય. વિ૦ ૪. તાહરા શુદ્ધ સ્વભાવનેજી, આદરે ધરી બહુ માન, તેહને તેહીજ નીપજેજી, એ કોઈ અદ્ભુત જ્ઞાન. વિ૦ ૫. તુમ પ્રભુ તુમ તારક વિભુજી, તુમ સમો અવર ન કોય; તુમ દરિસણ થકી હું તર્પોજી, શુદ્ધ આલંબન હોય. વિ૦ ૬. પ્રભુ તણી વિમલતા ઓળખીજી, જે કરે સ્થિર મન સેવ, દેવચંદ્ર પદ તે લહેજી, વિમલ આનંદ સ્વયમેવ. વિ૦ ૭.
૩૪૬
Page #378
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી
Ř (૧૪) શ્રી અનંતનાથજિન સ્તવન (દીઠી હો પ્રભુ દીઠી જગગુરુ તુજ-એ દેશી)
મૂરતિ હો પ્રભુ મૂતિ અનંત જિણંદ, તાહરી હો પ્રભુ તાહરી મુજ નયણે વસીજી, સમતા હો પ્રભુ સમતા રસનો કંદ, સહેજે હો પ્રભુ સહેજે અનુભવ રસ લહીજી ૧. ભવદવ હો પ્રભુ ભવદવ તાપિત જીવ, તેહને હો પ્રભુ તેહને અમૃતધન સમજી, મિથ્યા હો પ્રભુ, મિથ્યા વિષની ખીવ, હરવા હો પ્રભુ હરવા જાંગુલિ મન રમીજી. ૨. ભાવ હો પ્રભુ ભાવ ચિંતામણિ એહ, આતમ હો પ્રભુ આતમ સંપત્તિ આપવાજી; એહીજ હો પ્રભુ એહીજ શિવસુખ ગેહ, તત્ત્વ હો પ્રભુ તત્ત્વાલંબન સ્થાપવાજી. ૩. જાયે હો પ્રભુ જાયે આશ્રવ ચાલ, દીઠે હો પ્રભુ દીઠે સંવરતા વધેજી; રત્ન હો પ્રભુ રત્નત્રયી ગુણમાલ, અધ્યાતમ હો પ્રભુ અધ્યાતમ સાધન સધેજી. ૪. મીઠી હો પ્રભુ મીઠી સૂરત તુજ, દીઠી હો પ્રભુ દીઠી રુચિ બહુમાનથીજી; તુજ ગુણ હો પ્રભુ તુજ ગુણ ભાસન યુક્ત સેવે હો પ્રભુ સેવે તસુ ભવભય નથીજી. ૫. નામે હો પ્રભુ નામે અદ્ભુત રંગ, ઠવણા હો પ્રભુ ઠવણા દીઠે ઉલ્લસેજી; ગુણ આસ્વાદ હો પ્રભુ ગુણ આસ્વાદ અભંગ, તન્મય હો પ્રભુ તન્મયતાએ જે ધસેજી. ૬. ગુણ અનંત હો પ્રભુ ગુણ અનંતનો વૃંદ, નાથ હો પ્રભુ નાથ અનંતને આદરેજી; દેવચંદ્ર હો પ્રભુ દેવચંદ્રને આણંદ, પરમ હો પ્રભુ પરમ મહોદય તે વરેજી. ૭.
ૐ (૧૫) શ્રી ધર્મનાથ પ્રભુ જિન સ્તવન
ધર્મ જગનાથનો ધર્મ શુચિ ગાઈએ, આપણો આતમા તેહવો ભાવીયે; જાતિ જસુ એકતા તેહ પલટે નહીં, શુદ્ધ ગુણ પજજવા વસ્તુ સત્તામયી. ૧. નિત્ય નિરવયવ વળી એક અક્રિયપણે, સર્વગત તેહ સામાન્ય ભાવે ભણે; તેહથી ઈતર સાવયવ વિશેષતા, વ્યકત ભેદે પડે જેહની ભેદતા. ૨. એકતા પિંડને નિત્ય અવિનાશિતા, અસ્તિ નિજ ઋદ્ધિથી કાર્યગત ભેદતા; ભાવ શ્રુત ગમ્ય અભિલાપ્ય અનંતતા, ભવ્ય પર્યાયની જે પરાવર્તિતા. ૩. ક્ષેત્ર ગુણ ભાવ અવિભાગ અનેકતા, નાશ ઉત્પાદ
૩૪૭
Page #379
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનિત્ય પરનાસ્તિતા; ક્ષેત્ર વ્યાપ્યત્વ અભેદ અવ્યકતતા, વસ્તુ તે નિત્ય અભવ્યતા. ૪. ધર્મ પ્રાગભાવતા સકલ ગુણ શુદ્ધતા, ભોગ્યતા કતૃતા રમણ પરિણામિતા; શુદ્ધ સ્વપ્રદેશતા તત્ત્વ ચૈતન્યતા. વ્યાપ્ય વ્યાપક તથા ગ્રાહ્ય ગ્રાહક ગતા. ૫. સંગ પરિહારથી સ્વામી નિજ પદ લહ્યું, શુદ્ધ આત્મિક આનંદ પદ સંગ્રહ્યું; જહવિ પરભાવથી હું ભવોદધિ વસ્યો, પર તણો સંગ સંસારતાએ ગ્રસ્યો. ૬. તહવિ સત્તા ગુણે જીવ એ નિર્મલો, અન્ય સંશ્લેષ જીમ સ્ફટિક નવી શામલો; જે પરોપાધિથી દુષ્ટ પરિણતિ ગ્રહી, ભાવ તાદાભ્યમાં મારૂં તે નહીં ૭. તણે પરમાત્મ પ્રભુ ભક્તિ રંગી થઈ, શુદ્ધ કારણ રસ તત્ત્વ પરિણતિમયી, આત્મગ્રાહક થયે તજે પર ગ્રહણતા, તત્ત્વ ભોગી થયે ટળે પરભોગ્યતા. ૮. શુદ્ધ નિઃપ્રયાસ નિજભાવ ભોગી યદા, આત્મક્ષેત્રે નહીં અન્ય રક્ષણ તદા; એક અસહાય નિસ્ટંગ નિદ્ધતા, શક્તિ ઉત્સર્ગની હોય સહુ વ્યકતતા. ૯. તેણે મુજ આતમા તુજ થકી નીપજે; માહરી સંપદા સકલ મુજ સંપજે; તીણે મનમંદિરે ધર્મ પ્રભુ થાઈએ, પરમ દેવચંદ્ર નિજ સિદ્ધિ સુખ પાઈયે. ૧૦. E (૧૬) શ્રી શાંતિનાથ પ્રભુ જિન સ્તવન
(આખંડીયે મેં આજ શેત્રુંજો દીઠો રે.એ દેશી) - જગત દીવાકર જગત કૃપાનિધિ, વહાલા મારા સમવસરણમાં બેઠારે; ચઉમુખ ચઉચિત ધર્મ પ્રકાશે, તે મેં નયણે દીઠારે, ભવિક જન હરખોરે, નીરખી શાંતિ નિણંદ. ભ૦ ઉપશમ રસનો કંદ નહિ ઈણ સરીખોરે. એ આંકણી ૧. પ્રાતિહારજ અતિશય શોભા વાવ તે તો કહીય ન જાવે રે; ઘુક બાલકથી રવિ કરભરનું વર્ણન કેણી પેરે થાવેરે. ભ૦ ૨. વાણી ગુણ પાંત્રીશ અનોપમ વા૦ અવિસંવાદ સરૂપેરે; ભવ દુઃખ વારણ શિવસુખકારણ, શુદ્ધ ધર્મ પ્રરૂપેરે. ભ૦ ૩. દક્ષિણ, પશ્ચિમ, ઉત્તર દિશિ મુખ વા૦ ઠવણા જિન ઉપગારી રે; તસુ આલંબન લહીય અનેકે, તીહાં થયા સમકિત ધારી રે. ભ૦ ૪. પટ નય કારજ
उ४८
Page #380
--------------------------------------------------------------------------
________________
-
-
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી રૂપે ઠવણા વાળ સગ નય કારણ ઠાણી રે; નિમિત્ત સમાન થાપના, જિનજી એ આગમની વાણી રે. ભ૦ ૫. સાધક તીન નિક્ષેપો મુખ્ય વા૦ જે વહુ ભાવ ન લહીયે રે; ઉપકારી દુગ ભાષ્ય ભાખ્યા, ભાવ વૃદકનો ગ્રહીયેરે, ભ૦ ૬. ઠવણા સમવસરણે જિન સંતી વા. જો અભેદતા વાધી રે; એ આતમના સ્વસ્વભાવ ગુણ, વ્યક્ત યોગ્યતા સાધીરે. ભ૦ ૭. ભલું થયું મે પ્રભુ ગુણ ગાયા વાવ રસનાનો ફલ લીધો રે; દેવચંદ્ર કહે મહારા મનનો, સકલ મનોરથ સીધો રે. ભ૦ ૮. NE (૧૭) શ્રી કુંથુનાથ પ્રભુ જિન સ્તવન F
(ચરમ જિનેરૂ-એ દેશી) સમવસરણ બેસી કરી રે, બારહ પરષદામાંહે, વસ્તુ સ્વરૂપ પ્રકાશતા રે, કરૂણા કર જગનાહો. રે. કુંથુ જિનેસરુ. ૧ નિર્મલ તુજ મુખ વાણી રે, જે શ્રવણે સુણે; તેહીજ ગુણ મણી ખાણી રે. કું) એ આંકણી, ગુણ પર્યાય અનંતતા ને, વલીય સ્વભાવ અગાહ; નય ગમ ભંગ નિક્ષેપના રે, હેયાદેય પ્રવાહો રે. કું. ૨. કુંથુનાથ પ્રભુ દેશના રે, સાધન સાધક સિદ્ધિ; ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિ રે કું૦ ૩. વસ્તુ અનંત સ્વભાવ છે રે, અનંત કથક તસુ નામ; ગ્રાહક અવસર બોધથી રે; કહેવે અર્પિત કામો રે કું) ૪. શેષ અનર્પિત ધર્મને રે, સાપેક્ષ શ્રદ્ધા બોધ; ઉભય રહિત ભાસન હુવે રે, પ્રગટે કેવલ બોધો રે. કું૦ ૫. છતી પરિણતી ગુણ વર્તના રે, ભાસન ભોગ આનંદ; સમકાળે પ્રભુ તાહરોરે, રમ્ય રમણ ગુણ વૃદોરે. કું) ૬. નીજ ભાવે સીય અસ્તિતા રે, પર નાસ્તિત્વ સ્વભાવ, અસ્તિપણે તે નાસ્તિતા રે, સીય તે ઉભય સ્વભાવો રે. કું૦ ૭. અતિ સ્વભાવ જે આપણો ને, રુચિ વૈરાગ્ય સમેત; પ્રભુ સન્મુખ વંદન કરી રે, માગીશ આતમ હેતો રે. કું) ૮. અતિ સ્વભાવ રુચિ થઈ રે, ધ્યાતો અતિ સ્વભાવ; દેવચંદ્ર પદ તે લહે રે, પરમાનંદ જમાવો રે. કું૦ ૯.
૩૪૯
Page #381
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૧૮) શ્રી અરનાથ પ્રભુ જિન સ્તવન 5
(રામચંદ્ર કે બાગમે, ચાંપો મોરી રહ્યોરી-એ દેશી)
પ્રણામો શ્રી અરનાથ, શિવપુર સાથ ખરોરી, ત્રિભુવન જન આધાર; ભવ વિસ્તાર કરોરી. ૧. કર્તા કારણ યોગ, કારજ સિદ્ધિ લહેરી; કારણ ચાર અનુપ, કાર્યથી તે ઝહેરી ૨. જે કારણ તે કાર્ય, થાયે પૂર્ણ પદેરી; ઉપાદાન તે હેતુ, માટી ઘટ તે વડેરી. ૩. ઉપાદાનથી ભિન્ન, જે વિણુ કાર્ય ન થાય; ન હુવે કારજ રૂપ, કર્તાને વ્યવસાયે. ૪. કારણ તેહ નિમિત્ત, ચક્રાદિક ઘટ ભાવે; કાર્ય તથા સમવાય, કારણ નિયતને દાવે. ૫. વસ્તુ અભેદસ્વરૂપ, કાર્યપણું ન ઝહેરી; તે અસાધારણ હેતુ, કુંભ સ્થાન લહેરી. ૬. જેહનો નવી વ્યાપાર, ભિન્ન નિયત બહુ ભાવી. ભૂમિ કાલ આકાશ, ઘટ કારણ સદભાવી. ૮. એક અપેક્ષા હેતુ, આગમ માંહી કહ્યોરી, કારણ પદ ઉત્પન્ન, કાર્ય થયે ન લહ્યોરી. ૮. કર્તા આતમ દ્રવ્ય, કારજ સિદ્ધિપણોરી; નિજ સત્તાગત ધર્મ તે ઉપાદાન ગણોરી. ૯. યોગ સમાધિ વિધાન, અસાધારણ તેહ વડેરી; વિધિ આચરણા ભકિત, જેણે નિજ કાર્ય સૉરી. ૧૦. નરગતિ પઢમાં સંઘયણ, તેહ અપેક્ષા જાણો; નિમિત્તાશ્રિત ઉપાદાન તેહને લેખે આણો. ૧૧. નિમિત્ત હેતુ જિનરાજ, સમતા અમૃત ખાણી; પ્રભુ અવલંબન સિદ્ધિ, નિયમા એહ વખાણી. ૧૨. પુષ્ટ હેતુ અરનાથ, તેહને ગુણથી હળીએ; રીઝે ભકિત બહુમાન, ભોગ ધ્યાનથી મળીએ. ૧૩. મોટાને ઉલ્લંગ, બેઠાને શી ચિંતા; તિમ પ્રભુ ચરણ પસાય, સેવક થયા નિચિંતા. ૧૪. અર પ્રભુ પ્રભુતા રંગ, અંતર શકિત વિકાસી; દેવચંદ્રને આનંદ, અક્ષયભોગવિલાસી ૧૫.
(૧૯) શ્રી મલ્લિનાથ પ્રભુ જિન સ્તવન HF | (દેખી કામિનિ કોઈ એ-દેશી)
મલ્લિનાથ જગનાથ, ચરણ યુગ થાઈએ રે, ચરણ) શુદ્ધાતમ પ્રાગભાવ, પરમ પદ પાઈએ રે; પરમ0 સાધક કારક પટક, કરે ગુણ સાધના રે. ક૦ તેહીજ શુદ્ધ સ્વરૂપ, થાયે નિરાબાધનારે. થાળ ૧. કર્તા આતમ દ્રવ્ય, કારજ નિજ સિદ્ધતા
Page #382
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી રે. કાળ ઉપાદાન પરિણામ, પ્રયુકત તે કરણતારે પ્ર0 આતમ સંપદ દાન, તેહ સંપ્રદાનતા રે તે૦ દાતા પ્રાત્ર ને દેય, ત્રિભાવ અભેદતા રે. ત્રિ) ૨. સ્વપર વિવેચન કારણ, તેહ અપાદાનથી રે તે સકલ પર્યાય આધાર, સંબંધ આસ્થાનથી રે સં૦ બાધક કારક ભાવ, કરે અનાદિ નિવારવા રે અ૦ સાધકતા અવલંબી, તેહ સમારવા રે. તે૦ ૩. શુદ્ધપણે પર્યાય, પ્રર્વતન કાર્ય મેં રે પ્ર0 કર્ણાદિક પરિણામ, તે આતમ ધર્મ મેં રે તે) ચેતન ચેતન ભાવ, કરે સમવેતમે રે ક0 સાદિ અનંતો કાલ, રહે નીજ ખેતમે રે. હે) ૪. પરકર્તૃત્વ સ્વભાવ, કરે તાં લગી કરેરે ક0 શુદ્ધ કાર્ય રૂચિ ભાસ, થયે નવી આદરેરે થ૦ શુદ્ધાતમ નિજ કાર્ય, રુચિકારક ફિરેરે ૦૦ તેહીજ મૂલ સ્વભાવ, ગ્રહે નીજ પદ વરેરે. ગ્ર૦ ૫. કારણ કારજ રૂપ, અછે કારક દશારે અ૦ વસ્તુ પ્રગટ પર્યાય, એહ મનમેં વસ્યારે એ) પણ શુદ્ધ સ્વરૂપ ધ્યાન, તે ચેતનતા ગ્રહરે તેo તવ નીજ સાધક ભાવ, સકલ કારક લહેરે. સ0 માહરૂં પૂર્ણાનંદ, પ્રગટ કરવા ભણીરે પ્ર0 પુષ્ટાલંબન રૂપ, સેવ પ્રભુજી તણીરે સે૦ દેવચંદ્ર જિનચંદ્ર, ભક્તિ મનમેં ધરોરે ભ૦ અવ્યાબાધ અનંત, અક્ષય પદ આદરો રે. ૭.
(૨૦) શ્રી મુનિસુવ્રત પ્રભુ જિન સ્તવન (લગડી ઓલગડી સુહેલી હો, શ્રેયાંસનીરે-એ દેશી) .
ઓલંગડી ઓલંગડી તો કીજે, શ્રી મુનિસુવ્રતસ્વામીની રે, જેહથી નિજ પદ સિદ્ધિ, કેવલ કેવલજ્ઞાનાદિક ગુણ ઉલ્લાસરે, લહીએ સહજ સમૃદ્ધિ. ઓ૦ ૧. ઉપાદાન ઉપાદાન નિજ પરિણતિ વસ્તુનીરે, પણ કારણ નિમિત્ત આધીન; પુષ્ટ અપુષ્ટ દુવિધ તે ઉપદીસ્યોરે, ગ્રાહક વિધિ આધીન. ઓ૦ ૨. સાધ્ય સાધ્ય ધર્મ જેમાંહી હુવેરે, તે નિમિત્ત અતિ પુષ્ટ; પુષ્પ પુષ્પ માંહી તિલવાસક વસનારે, નવિ પ્રધ્વંસક દુષ્ટ. ઓ૦ ૩. દંડ દંડ નિમિત્ત અપુષ્ટ ઘડા તણો રે, નવિ ઘટતા તસુ માંહી; સાધક સાધક પ્રધ્વંસકતા અછેરે, તીણે નહીં નિયત પ્રવાહ. ઓ૦ ૪. પત્કારક પદ્ધારક તે કારણ કાર્યનારે જે કારણ સ્વાધીન; તે કર્તા
૩૫૧
Page #383
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
તે કર્તા સહુ કારક તે વસુરે, કર્મ તેં કારણ પીન. ઓ૦ ૫. કારણ કારણ સંકલ્પે કારક દશા રે, છતી સત્તા સદ્ભાવ; અથવા અથવા તુલ્ય ધર્મને જોયવેરે, સાધ્યારોપણ દાવ. ઓ૦ ૬. અતિશય અતિશય કારણ કારક કરણતારે, નિમિત્ત અને ઉપાદાન; સંપ્રદાન કારણ પદ ભવનથી રે, કારણ વ્યય અપાદાન. ઓ૦ ૭. ભવન ભવન વ્યય વિષ્ણુ કારજ નહિ હુવેરે, જિમ દષદે ન ઘટત્વ; શુદ્ધધાર શુદ્ધાધાર સ્વગુણનું દ્રવ્ય છે રે, સત્તાધાર સુતત્ત્વ. ૮. ઓલંગડી આતમ આતમ કર્તા, કારજ સિદ્ધતારે, તસુ સાધન જિનરાજ; પ્રભુ દીઠે પ્રભુ દીઠે કારજ રુચિ ઉપજેરે, પ્રગટે આત્મ સમાજ. ૯. ઓ૦ વંદન વંદન સેવન નમન વલી પૂજનારે, સમરણ સ્તવન વલી ધ્યાન; દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે, પ્રગટે પૂર્ણ નિધાન. ૧૦. ઓલંગડી.
fi (૨૧) શ્રી નેમિનાથ પ્રભુ જિન સ્તવન (પીછોલારી પાલ, ઉભા દોય રાજવીરે-એ દેશી)
શ્રી નમિ જિનવર સેવા, ઘનાઘન ઉનમ્યો રે ઘ૦ દીઠાં મિથ્યારાંક, ભવિક ચિત્તથી ગમ્યો રે ભ૦ શુચિ આચરણા રીતિ, તે અભ્ર વધે વડારે તે૦ આતમ પરિણતિ શુદ્ધ, તે વીજ ઝબુકડારે. તે૦ ૧. વાજે વાયુ સુવાય, તે પાવન ભાવના ૨ે તે ઈંદ્ર ધનુષ ત્રિક યોગ, તે ભક્તિ એકમનારે તે નિર્મળ પ્રભુ સ્તવ ઘોષ, ધ્વનિ ઘન ગર્જના ૨ ૦ તૃષ્ણા ગ્રીષ્મ કાલ, તાપની તર્જના રે તા૦ ૨. શુભ લેશ્માની આલિ, તે બગપંકિત બની રે તે૦ શ્રેણી સરોવર હંસ, વસે શુચિ ગણ મુનિ રે વ૦ ચઉતિ મારગ બંધ, ભવિક જન ઘર રહ્યારે ભ૦ ચેતન સમતા સંગ, રંગમે ઉમહ્યા ૨૦ ૩. સષ્ટિ મોર, તીહાં હરખે ઘણુંરે તી દેખી અદ્ભુત રૂપ, પરમ જિનવર તણું રે પરમ૦ પ્રભુ ગુણનો ઉપદેશ, તે જલધારા વહીરે તે૦ ધર્મ રૂચિ ચિત્ત ભૂમિ, માંહી નિશ્ચલ રહીરે માં૦ ૪. ચાતક શ્રમણ સમૂહ, કરે તવ પારણોરે ક૦ અનુભવ રસ આસ્વાદ, સકલ દુઃખ વારણો રે સ૦ અશુભાચાર નિવારણ તૃણ અંક્રૂરતારે તૃ વિરતિ તણા પરીણામ, તે બીજની પૂરતા રે.
૩૫૨
Page #384
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કત ચોવીશી
તે) ૫. પંચ મહાવ્રત ધાન્ય, તણાં કર્ષણ વધ્યાંરે તવ સાધ્ય ભાવ નિજ થાપી, સાધનતાએ સધ્યારે સાવ ક્ષાયિક દરિસણ જ્ઞાન, ચરણ ગુણ ઉપચારે ચ૦ આદિક બહુ ગુણ સભ્ય, આતમ ઘર નીપજોરે. આ૦ ૬. પ્રભુ દરિસણ મહા મોહ, તણે પ્રવેશમેં રે, તવ પરમાનંદ સુભિક્ષ, થયા મુજ દેશમેં રે થ૦ દેવચંદ્ર જિનચંદ્ર તણો અનુભવ કરોરે ત૦ સાદિ અનંતો કાળ, આતમ સુખ અનુસરોરે. આતમ0 ૭. : (૨૨) શ્રી નેમિનાથ પ્રભુ જિન સ્તવન 5.
(પદ્મપ્રભ જિન જઈ અલગ વસ્યા-એ દેશી) નેમિ જિસેસર નિજ કારજ કર્યું, છાંડ્યો સર્વ વિભાવોજી; આત્મ શક્તિ સકલ પ્રગટ ધરી, આસ્વાદન નિજ ભાવોજી ને રાજુલ નારીરે સારી મતિ કરી, અવલંખ્યા અરિહંતોજી; ઉત્તમ સંગેરે ઉત્તમતા વધે, સધે આનંદ અનંતોજી ને૦ ૨. ધર્મ અધર્મ આકાશ અચેતના, તે વિજાતિ અગ્રાહ્યોજી; પુદ્ગલ ગ્રહવેરે કર્મ કલંકતા, વાધે બાધક બાહ્યોજી. નેo ૩. રાગી સંગે રે રાગ દશા વધે, થાયે તિણે સંસારોજી, નીરાગીથીરે રાગનું જોડવું; લહીએ ભવનો પાયોજી. ને, ૪. અપ્રશસ્તતારે ટાલી પ્રશસ્તતા, કરતાં આશ્રવ નાચેજી, સંવર વાધે રે સાધે નિર્જરા, આતમ ભાવ પ્રકાશજી. ને૦ ૫. નેમિપ્રભુ ધ્યાને રે એકત્તા નિજ તત્વે એક તાનોજી, શુકલધ્યાને રે સાધી સુસિદ્ધતા, લહીએ મુક્તિ નિદાનોજી. ને૦ ૬. અગમ અરૂપી ૨ અલખ અગોચર, પરમાતમ પરમીશોજી; દેવચંદ્ર જિનવરની સેવના, કરતાં વાધે જગીશોજી. નેમિ૦ ૭. GF (૨૩) શ્રી પાર્શ્વનાથ પ્રભુ જિન સ્તવન 5
(કડખાની દેશી) સહજ ગુણ આગરો સ્વામી સુખ સાગરો, જ્ઞાન વૈરાગરે પ્રભુ સવાયો, શુદ્ધતા એકતા તીક્ષ્ણતા ભાવથી, મોહ રિપુ જીતી જય પડહ વાયો. સ૦ ૧. વસ્તુ નિજ ભાવ અવિભાસ નિકલંકતા,
૩િ૫૩
Page #385
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પરિણતિ વૃત્તિતા કરી અભેદ, ભાવ તાદાભ્યતા શકિત ઉલ્લાસથી, સંતતિ યોગને તું ઉચ્છેદે. સ૦ ૨. દોસ ગુણ વસ્તુની લખીય યર્થાથતા, લહી ઉદાસીનતા અપર ભાવે ધ્વંસી તજજન્યતા ભાવ કર્તા પણું, પરમ પ્રભુ તું રમ્યો નિજ સ્વભાવે. સ૦ ૩. શુભ અશુભ ભાવ અવિભાસ તે હકીકતા, શુભ અશુભ ભાવ તિહાં પ્રભુ ન કીધું શુદ્ધપરિણામતા વીર્ય કર્તા થઈ, પરમ અક્રિયતા અમૃત પીધું. સ0 ૪. શુદ્ધતા પ્રભુ તણી આત્મભાવે રમે, પરમ પરમાત્મતા તાસ થાએ, મિશ્ર ભાવે અછે ત્રિગુણની ભિન્નતા, ત્રિગુણ એત્વ તુજ ચરણ આયે. સ૦ ૫. ઉપશમ રસ ભરી, સર્વ જન શંકરી, મૂર્તિ જિનરાજની આજ ભેટી; કારણે કાર્ય નિષ્પત્તિ શ્રદ્ધાન છે, તેણે ભવ ભ્રમણની ભીડ મેટી. સ0 ૬. નયર ખંભાયતે પાર્થ પ્રભુ દર્શને, વિકસતે હર્ષ ઉત્સાહ વાધ્યો; હેતુ એકત્તા રમણ પરિણામથી, સિદ્ધિ સાધક તણો આજ સાધ્યો. સ0 ૭. આજ કૃત પુણ્ય ધન્ય દીહ માહરો થયો, આજ નર જન્મ મેં સફલ ભાવ્યો, દેવચંદ્ર સ્વામી ત્રેવીસમો વંદીયો, ભક્તિભરી ચિત્ત તુજ ગુણ રમાવ્યો. સ૦ ૮.
gi (૨૪) શ્રી મહાવીરસ્વામી જિન સ્તવન ક - તાર હો તાર પ્રભુ, મુજ સેવક ભણી, જગતમાં એટલું સુજસ લીજે, દાસ અવગુણ ભર્યો, જાણી પોતા તણો, દયાનિધિ દીન પર દયા કીજે. તાર હોટ ૧. રાગદ્વેષે ભર્યો મોહ વેરિ નડ્યો, લોકની રીતિમાં ઘણુંએ રાતો, ક્રોધ વશ ધમધમ્યો, શુદ્ધ ગુણ નવિ રમ્યો, ભમ્યો ભવમાંહે હું વિષય માંતો તા, ૨. આદર્યું આચરણ, લોક ઉપચારથી, શાસ્ત્ર અભ્યાસ પણ કાંઈ કીધો. શુદ્ધ શ્રદ્ધાન વલી આત્મ અવલંબન વિના, તેહવો કાર્ય તિણે કો ન સીધો. તા૦ ૩. સ્વામી દરિસણ સમો, નિમિત્ત લહી નિર્મલો, જો ઉપાદાન એ શુચિ ન થાશે. દોષ કો વસ્તુનો, અહવા ઉધમ તણો, સ્વામી સેવા સહી નિકટ લાશે. તા. ૪. સ્વામી ગુણ ઓળખી, સ્વામીને જે ભજે, દરીસણ શુદ્ધતા તેહ પામે, જ્ઞાન
--
--------
----
-
૩૫૪
Page #386
--------------------------------------------------------------------------
________________
શ્રી દેવચંદ્રજી કૃત ચોવીશી
ચારિત્ર તપ વીર્ય ઉલ્લાસથી, કર્મ જીપી વસે મુક્તિ ધામે. તા૦ ૫. જગત વત્સલ મહાવીર જિનવર સુણી, ચિત્ત પ્રભુ ચરણને શરણ વાસ્યો; તારજો બાપજી બિરૂદ નિજ રાખવા, દાસની સેવના રખે જોશો. તા૦ ૬. વિનતિ માનજો, શક્તિ એ આપજો, ભાવ સ્યાદ્વાદતા શુદ્ધ ભાસે; સાધી સાધક દશા, સિદ્ધતા અનુભવી, દેવચંદ્ર વિમલ પ્રભુતા પ્રકાશે. તા૦ ૭.
૩૫૫
Page #387
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી ગુણસાગરસૂરિ કૃત ચોવીશી S શ્રી સિદ્ધાચલ આદિ જિન સ્તવન 5
(ઝટ જાવ ચંદન હાર લાવોએ દેશી) આદિનાથ સિદ્ધાચલનાથ, વંદન કોટી હોજો, દાસ શરણે આવ્યો છે નાથ, મુક્તિ વહેલી દેજો અંચલી. સાખી આ સંસારે બહુ ભમ્યો, લાખ ચોર્યાસી નાથ, દુઃખ સમૂહમાં ટળવળ્યો પ્રભુ, આપ્યો ન કોઈએ સાથ, મુક્તિ વહેલી દેજો. આદિનાથ૦ સાખીભવભવ ભિન્ન કુટુંબની, મળી મુજ મોટી આથ, માની બેઠો માહરી પ્રભુ, કોઈ ન આવ્યો સાથે મુક્તિ વહેલી દેજો, આદિનાથ0 સાખી-ધન ધાન્યાદિક વસ્તુઓ, બહુ ભેળી કરી નાથ, પ્રતિ ભવ દુઃખ વેઠી કરી, પ્રભુ આવ્યો હું ખાલી હાથ, મુક્તિ વહેલી દેજો. આદિનાથ0 સાખી-ભવ અનન્તના ભ્રમણમાં, તુમ સમ ન મલ્યો નાથ, જે સ્થાપે સ્વ સ્વરૂપમાં, ભવ મોહ હટાવી નાથ; મુકિત વહેલી દેજો. આદિનાથ૦ સાખી-સિધ્યા કાંકરે કાંકરે મુનિ અનન્ત મુનિનાથ, જેના દર્શન ભવ હરે, તમે તે સિદ્ધગિરિના નાથ, મુકિત વહેલી દેજો, આદિનાથ0 સાખી-ગૌતમ નીતિ ગુણ કહે, અનન્તગુણ મુજ નાથ, મુજ દુઃખ સવિ દૂર કરી, પ્રભુ દેજો અક્ષય સુખ સાથ, મુક્તિ વહેલી દેજો આદિનાથ)
5 શ્રી આદિ જિન સ્તવન 5.
(અજિત નિણંદ શું પ્રીતડી-એ રાગ) આદિ જિનેશ્વર તારજો, આપી સમકિત હો, મિથ્યાત્વને વારી કે, મિથ્યાત્વ વશે મેં દુઃખ સહ્યાં, અનન્ત કટુ હો, નિજ સ્વરૂપ વિસારી કે. આદિ૦ ૧. તુજ શાસન પામ્યા વિના, હિંસા કરી હો, પ્રાણી પડ્યા બહુ દીશ કે, આત્મ સમાન જાણ્યા નહિ, પર પ્રાણીને હો પ્રભુ કેમ તરીશ કે. આદિ૦ ૨. અસત્ય વાદી પરને વંચ્યા, પણ જાણ્યું ન હો.પોતે જ ઠગાય કે. કુટખાદિ કૂટ આચર્યા. ચોરી કરી હો, નિજ સૌખ્ય ભગાય કે. આદિ૦ ૩. વિષયરાક્ષસ પરવશપણે, અસદાચારી થઈ હો, કર્યા પાપ પ્રચંડ
૩પ
Page #388
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
કે, ગુણી વ્રતી પર અપ્રીતિ કરી, કૂટ કલંક દઈહો, સહ્યાં દુઃખ અતિ ચંડ કે. આદિ૦ ૪. પરિગ્રહની મમતા થકી, કરી શત્રુતા હો, ન ગણ્યા સંબંધ કે, અનંત દૂરિતને આચર્યા, અનીતિ કરી હો દીધો સુખ પર કાપ કે. આદિ ૫. એમ અનન્ત ભવમાં પ્રભુ, ક્રોધાદિ વશે હો, કરી પાપ અનન્ત કે, અસહ્ય નરકાદિ દુઃખ સહ્યાં, હજી આવ્યો ન હો દુઃખનો પ્રભુ અન્ત કે. આદિ ૬. આપ શરણે આવ્યો. હવે દયાવારિધિ, હો દયા લાવીને તારો કે, ગૌતમ નીતિ વિનેય કહે, સૂરિ ગુણ હો પ્રભુ ભક્ત તમારો કે આદિ ૭.
5 શ્રી અજિત જિન સ્તવન (અહા કેવું ભાગ્ય જાગ્યું-એ રાગ)
જ્ઞાની દેવ અજિત મુજને, જ્ઞાન દઈ પ્રભુ તારજો ! આપ જેવા નાથ મુજ ક્યાં, પણ મલ્યા નહિ ધારજો. જ્ઞાની૦ ૧. માળાધારી દેવ કેઈ, જાપ અધૂરા દાખવે; ક્રોધાદિ ચિન્હ શસ્ત્ર દેવને પાલવે, કેમ રાખવે ? જ્ઞાની૦ ૨. વામાક્ષી પણ રાખનારા, દેવપણે નહિ શોભતા; ભવસમુદ્ર તિતીર્ષ જીવો, ત્યાં કને નહિ થોભતા. જ્ઞાની૦ ૩. રાગદ્વેષ ભર્યા વિષયના લાલચુ કેમ તારશે ? આપ જેવા નાથને નહિ, જાણનારા હારશે. જ્ઞાની૦ ૪. વીતરાગ અદ્વેષ જ્ઞાન સમુદ્ર પ્રાપ્તમહોદય; વીતરાગ સ્વરૂપ મુજને, આપજો સુદયોદય. જ્ઞાની૦ ૫. ગૌતમ નીતિ વારિધિનો બાળ સુરિ ગુણ કહે, ગુણસમુદ્ર બનાવજો જેમ, દાસ આપ કને રહે. જ્ઞાની૦ ૬.
૬ શ્રી સંભવજિન સ્તવન
(નાગર વેલીઓ રોપાવ-એ દેશી)
સ્વામિ સંભવ જિનવરદેવ, આપો વાસ મુક્તિમાં; કાપી કર્મબન્ધની ટેવ, સ્થાપો દાસસિદ્ધિમાં. સ્વામી૦ ૧. હત ક્રોધ, માન, માયા, લોભ, ક્ષમા મૃદુતાએ કરી શોભ; ઋજુતા મુક્તિ ધારીદેવ, આપો૦ સ્વામી૦ ૨. મહા મોહ શત્રુ માન મોડી, સવી ધાતીયાકર્મને ત્રોડી; નિર્મલ કેવલ પામ્યા દેવ આપો૦ સ્વામી૦
૩૫૭
Page #389
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૩. રચે સમવસરણ શુભ દેવા, દીયે જિનવર દેશના મેવા; લીયે તિર્યંચ માનુષદેવ, આપોસ્વામી) ૪. કેઈ ભદ્રિક ભાવને પામે, કેઈ મિથ્યાત્વને પામે; કેઈ સમકિત પામે દેવ. આપો) સ્વામી ૫. કેઈ તિર્યંચ નર દેશ વિરમે, કેઈ નર સવિવિરતિમાં રમે; અવિરતિ ઉદયે અવિરત દેવ, આપો. સ્વામી ૬. ઉપકાર છે આપના ભારી, ભવિ જીવ ઘણાને તારી; અક્ષય મુક્તિ પામ્યા દેવ. આપો) સ્વામી) ૭. કહે ગૌતમ નીતિ ગુણાબ્ધિ, મુજ આપો મોક્ષ સુખાબ્ધિ, શાને વાર લગાડો દેવ, આપો) સ્વામી૮.
૬ શ્રી અભિનંદન જિન સ્તવન ક | (છોટેસે બાલમા, મોરે આગનાંમે-એ દેરી)
અભિનંદન જિન દેવ, મુજને લાગે પ્યારા; દેવ મુજને લાગે પ્યારા, દેવ, મુજને લાગે પ્યારા. અભિ૦ ૧. પુદ્ગલ વસ્તુના રાગથી, એ છે બહુ ચારા; આત્મગુણોમાં બહુ લીન છે એ જિનાજી પ્યારા, અભિ૦ ૨. દેવાધિદેવ તમને વિનવું, હે ભવ હરનારા; સંસારી વસ્તુના રાગથી, કરો મુજને ન્યારા. અભિ૦ ૩. વિજિતેન્દ્રિય કરો, ઈન્દ્રિયોના જય કરનારા; ઈન્દ્રિય ગ્રામથી હું પીડાયો, હરો પીડા પ્યારા. અભિ૦ ૪. ભૂલી અનાદિથી રાચતો, રહું ભવમાં પ્યારા; આત્મગુણોમાં રહેવા ચહું, હે શુભ ગુણ સારા, અભિ૦ ૫. ગૌતમ નીતિ સૂનું ગુણ કહે હે દેવ દુલારા; ગુણ અનન્તમાં રમાડજો, હે ગુણ રમનારા અભિ૦ ૬.
EE શ્રી સુમતિ જિન સ્તવન Hi (મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા-એ દેશી)
સુમતિ નિણંદ ભવ વારજો રે, ભવ છે દુઃખનો વાસરે, નાથ ભવ અટવી ઉતારજો, દેવ દુઃખ થાપદ દારજો. સુમતિ) ૧. ક્રોધ દાવાનલથી બળું રે, માન ગિરીન્દ્રનો ત્રાસરે, નાથ ભવહેતુ નસાડજો, દેવ શિવ લહેરે રમાડજો. સુમતિ) ૨. માયા વક્ર-વાંસ ઝાડીમાં રે, મુંઝાણો છૂટવા આશરે નાથ ભવહેતુ) દેવ શિવજી સુમતિ) ૩. ડૂખ્યો રહું લોભ સાગરે રે, રાખી નકામી આશ રે;
૩૫૮
Page #390
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી નાથ ભવહેતુ) દેવ શિવ૦ સુમતિ૪. સંસાર હેતુ બહુ પીડાકારી રે, ક્રોધાદિનો કરો નાશ રે, નાથ ભવહેતુ) દેવ શિવ૦ સુમતિ) ૫. ક્ષમાદિક ધર્મમાર્ગથી રે, આપો મુક્તિપુરી વાસ રે, નાથ ભવહેતુ) દેવ શિવ૦ સુમતિ. ગૌતમ નીતિ વિનય કહે રે, પૂરજો ગુણાબ્ધિ આશ રે, નાથ ભવહેતુ દેવ શિવ૦ સુમતિ૦ ૭.
5 શ્રી પદ્મપ્રભુ જિન સ્તવન 5.
(આ તો લાખેણી લજ્જા કહેવાય-એ દેશી) પ્રભુ પદ્મ ઈન્દ્રોથી પૂજાય, તારક ત્રિભુવનના, જેમાં દોષો ન લેશ દેખાય, તારક ત્રિભુવનના. સહુ પ્રાણી શાસનમાં રસીયા રહે, એવી ભાવદયાયે જિન નામ લહે; શુભ સ્થાનક વીશ સેવાય, તારક ત્રિભુવનના. પ્રભુ પધ૦ ૧. જીવરક્ષાએ મહાગોપ નામ ઘરે, મહામાહણ નિયમકતા વરે, મહાસાર્થવાહ કહેવાય, તારક ત્રિભુવનના. પ્રભુ પઘ૦ ૨. મહામોહાદિ શત્રુ લીલાયે હણે,
જ્ઞાનાદિ ગુણોને પોતાના ગણે, વીતરાગ સર્વજ્ઞ કહેવાય, તારક ત્રિભુવનના પ્રભુ પદ્મ૦ ૩. રાગ મોહ કામાદિ પરાસ્ત કરું; ક્રોધાદિ શત્રુથી કદી ન ડરું, આપો શક્તિ ભક્તિથી કહેવાય, તારક ત્રિભુવનના. પ્રભુ પદ્મ) ૪. શ્રી ગૌતમ નીતિ વિનેય કહે, પ્રભુ આપ પાસે મુજવાસ રહે, પૂરો આશા ગુણાબ્ધિ હરખાય, તારક ત્રિભુવનના. પ્રભુ પધ૦ ૫.
5 શ્રી સુપાર્શ્વ જિન સ્તવન .
(મેરે મીલા બુલાલો એ-દેશી) મારા નાથ સુપાર્શ્વ નમું તુજને, દયાવારિધિ મુક્તિ દીયો મુજને શેર-દ્રવ્ય પૂજા તાહરી ઉત્કૃષ્ટથી પ્રભુ જે કરે, માનવી તે બારમા દેવલોકની લક્ષમી વરે; તારી સેવા સુખી કરે સેવકને મારા૦ ૧. શેર ઉતકૃષ્ટ ભાવે જે સ્તવે જિનરાજ તુજને માનવી, અન્તર્મુહૂર્તે મુક્તિ લે તે ભાવપૂજાયે સવી; તારી ભક્તિ મુક્તિપ્રદ ભક્ત જને. મારા૦ ૨. શેર-આશાતના જિનરાજ તારી જે કરે અજ્ઞાનીઓ, તે નારકાદિ ચાર ગતિના દુઃખમાં રહે પ્રાણીઓ;
--
---
--
------
-
૩૫૯
Page #391
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જિન આશાતના દુઃખ દે જીવને. મારા ૩. શેર-અન્તર્મુહૂર્ત મુક્તિદાત્રી ભાવ પૂજા હું ચહું, આપો મને ભવવાસથી છું ખિન્ન મુક્તિમાં રહું; મુક્તિ શાશ્વત સૌખ્ય ગમે મુજને. મારા૦ ૪. શેર-સુખ દેવ માનુષના ન વાંછું સિદ્ધિવાંછુ અક્ષતા, ગૌતમ નીતિનો બાલ સૂરિ ગુણ કહે ઘો દક્ષતા; વાંચ્છા પૂરી સુખી કરો સેવકને. મારા પ.
5 શ્રી ચંદ્રપ્રભ જિન સ્તવન કા
(મથુરામાં ખેલ ખેલી આવ્યા.એ દેશી) ચંદ્રજિન દેવ મોક્ષ આપો હો નાથ, મોક્ષપદદાતા; મોક્ષપદદાતા, પ્રભુ સેવે સુખશાતા, ચન્દ્રજિન) અજ્ઞ કહે પ્રભુ આ જગનો છે, ઈશ્ચર કર્તા ત્રાતા હો નાથ; મોક્ષ૦ ચંદ્ર૦ ૧. આપ જેવા સર્વશે જણાવ્યું, સૃષ્ટિ અનાદિ અનન્તા હો નાથ; મોક્ષ) ચંદ્ર ર. ચૌદરજ્જા લોક વાર અનન્તી, કર્મે કરી જીવ ભમતા હો નાથ. મોક્ષ૦ ચંદ્ર૦ ૩. જીવ સ્વયં સ્વકર્મે કરીને, સુખ દુઃખ કર્તા ભોક્તા હો નાથ. મોક્ષ, ચંદ્ર, ૪. આશ્રવરોધન સંવર સેવન, નિર્જરાથી સિદ્ધ હુતા હો નાથ; મોક્ષ૦ ચંદ્ર૦ ૫. આપ વાણીથી એ જ્ઞાન લઈને, બહુ જીવ મુક્તિ પહંતા હો નાથ; મોક્ષ, ચંદ્ર, દ. ભદ્રંકર જિન ગૌતમ નીતિના, ગુણના થાઓ શિવદાતા હો નાથ. મોક્ષ૦ ચંદ્ર૦ ૭.
૬ શ્રી સુવિધિ જિન સ્તવન H
(થઈ પ્રેમ વશ પાતલીયા-એ દેશી) પ્રભુ સુવિધિ મલ્યા સુખદાયા, જેના દર્શન આનંદદાયા રે; પ્રભુ સુવિધિ૦ સુર અસુર નૃપ ભકતે પૂજે, મોહરાજા બહુ ધ્રુજે; તુજ સેવા કર્મો ભેજે, બહુ પુણ્ય જિન પાયા રે પ્રભુ૦ ૧. રાગદ્વેષાદિ શત્રુ સંતાપે, હણી નાખ્યા જે આપે; તુજ ભક્તિ શત્રુ કાપે, નિત સેવ દીયો જગતાય રે. પ્રભુ) ૨. દેહાદિ વસ્તુ ક્ષણવિનાશી, નિત સંગી મુજ ભાસી; આશા ન કરી મુજ દાસી, ઈન્દ્રિયવશ કાલ ગમાયા રે. પ્રભુ ૩. દર્શન જ્ઞાન ચરણે ન રાચ્યો, ભોગપભોગે નાચ્યો; કરી ધર્મ નૃસુર સુખ માગ્યો; તેથી
૩૬૦
Page #392
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
દુર્ગતિ બહુ દુ:ખ પાયા રે પ્રભુ૦ ૪. ગૌતમ નીતિ બાળ કહે ગુણ, હું આવ્યો શરણે સુણ; માગું સાહેબ અનંત ગુણ, પુર આશા જગ શિવદાયા રે. પ્રભુ૦ ૫.
5 શ્રી શીતલ જિન સ્તવન (પારેવડા જાજે પિયુના દેશમાં-એ પ્રભુ)
એ મૂરિત શીતલ દેવ મનોહારી (રે) જિન વિણ કોણ ભવ હારી (રે) એ મૂરતિ૦ ૧. ઈન્દ્ર ઈન્દ્રાણી દેવાદિ પૂજે નિત, યોગીન્દ્ર યોગ ધારનારી (રે), એ મુરતિ૦ ૨. ભૂપ વાસુદેવ ચક્રી શક્રાદિક, જિન પૂજનાયે પદ ધારી (રે). એ મૂરતિ૦ ૩. તિર્યંચ માનુષ ઘાતક જે નિત્ય, એવાને પણ તારનારી (રે). બે મુરિત ૪. પાતક રાશિ સમૂહ પ્રણાશક, થાઓ મારા પાપહારી (રે). એ મુરિત ૫. ગૌતમ નીતિ વિનય વદે ગુણ, ધ્યાવું સદા શિવકારી (રે). એ મુરતિo .
5 શ્રી શ્રેયાંસ જિન સ્તવન
(સાહેબો મારો ગુલાબનો છોડ એ-દેશી)
શ્રેયસરાશિ શ્રેયાંસ જિનેશ, ઈન્દ્રો દાસ ચરણના. સાહેબા સેવકાવાર્જ દિનેશ દર્શન ચાહું વદનના. સૂર્ય વિના અરવિંદ ખીલે નહિ; આપ વિના મુજ હૈયું ફૂલે નહિં, અહોનિશ રહેજો જોડાજોડ, સહુથી શ્રેષ્ઠ ચરણના. શ્રેય૦ ૧. કર્મ ત્રુટ્યા વિણ આત્મા છૂટે નહિ, ધર્મ કર્યા વિણ કર્મ ત્રુટે નહિ, કામ ન આવે દોડા દોડ, ખણતાં મૂળ કરમના. શ્રેય૦ ૨. વસ્તુ સ્વભાવ સ્વધર્મ છે રે, પરવસ્તુ પ્રેમ અધર્મ છે રે, ધર્મ છે આત્માની જોડાજોડ, આપો ધામ ધરમના. શ્રેય૦ ૩. ધાન્ય વસન ધન આશથી રે, ભામિની પુત્રાદિ પાશથી રે; કર્મોથી બંધાણો હોડાહોડ, કાપો સ્થાન બંધનના. શ્રેય૦ ૪. ગૌતમ નીતિ ગુણાધિ કહે રે, તુમ શરણે દુઃખ કેમ રહે ૨? કરો મુજ દુઃખોની ત્રોડાત્રોડ, છો મુજ નાથ જીવનના. શ્રેય૦ ૫.
૩૬૧
Page #393
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5 શ્રી વાસુપૂજ્ય જિન સ્તવન HI (વહાલા વીર જિનેશ્વર જન્મ જરા નિવારજો રે-એ રાગ)
વિરાગી વાસુપૂજ્ય જિન સેવકના દુઃખ કાપજો રેઅક્રોધી માન રહિત નિર્માથી શિવસુખ આપજો રે; અરિહંતપદના ભોગી જયારે, વિહાર ભૂમિ સમતલ ત્યારે; હર્ષ ખેદ નિવારી સમતા આપજો રે. વિરાગી. ૧. દુખાલાદિના ભય કાપો, સુવર્ણ કમલે ચરણો સ્થાપો; ભય સાતે વારી નિર્ભયતા આપજો રે, વિરાગી ૨. પ્રદક્ષિણા દઈ પક્ષી પ્રણમે, નમે માર્ગના વૃક્ષો ક્ષણમે, માન મોડી મુજ પરમ વિનયતા આપજો રે. ૩. વાણી તારી જિન વરસે જયાં, કારણ જાતિજ વૈર સમે ત્યાં, વેરવિરોધ શમાવી મૈત્રી આપજો રે, વિરાગી૦ ૪. ચોત્રીશ અતિશયી ભવિજન તારો, હજી ન આવ્યો મારો વારો; ગૌતમ નીતિ ગુણને માગ્યું આપજો રે, વિરાગી૦ ૫.
1 શ્રી વિમલ જિન સ્તવન 5. (આજકી આંગી ખૂબ બનીજી અથવા વેષ્ણવ જન તો-એ દેશી)
વિમલ જિનેશ્વર દર્શન પામી, વિમલ થયા બહુ પ્રાણી રે; હું તુમ સેવ કરું બહુ ભાવે, વિમલ કરો કરી નાણી રે. વિ૦ ૧. જ્ઞાન દર્શન ચારિત્ર અનન્તા, વીર્ય અનન્ત છે તારે રે; વિમલાનન્ત ચતુષ્ટયી એવી, મહેર કરી ઘો મારે રે વિ૦ ૨. કર્મ શત્રુએ આવર્યા જે, જ્ઞાનાદિ ગુણ મારા રે, તેહિ જ માગું ખોટની શંકા, રાખે રખે નહિ તારા રે. વિ૦ ૩. એ ગુણ વિણ હું કાલ અનંતો, રખડી પડ્યો દુઃખ રાણ રે; મોહ રાગાદિ વ્યાપદ પડ્યો હું, રક્ષણ માગું શિવ ઠાણ રે, વિ૦ ૪. ભક્ત વાંછિત પૂરણ સુરપાદપ, પ્રાર્થના ભંગ ન શોભે રે; ગૌતમ નીતિનો બાળ ભણે ગુણ, બીજે ન ચિત્ત મુજ થોભે રે. વિ૦ ૫.
Ek શ્રી અનંત જિન સ્તવન GE.
(અબ તેરા સિવાય કોન મેરાએ દેશી) અનન્તનાથ આપ વિના કોણ તારશે, ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે; ભક્તિ છે પંચ ભેદ જિન જલાદિ અર્ચવા,
Page #394
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
જિનાજ્ઞા દ્રવ્ય રક્ષા તીર્થ યાત્રા ઉત્સવ; એ પંચ ભેદ ભક્તિ ભક્ત કષ્ટ વારશે, ભગ૦ અનન્ત ૧. આ ભવ સુખોની વાંછનાએ ભક્તિ જે કરે, તે ભક્તિ વિષક્રિયા કહી ન તેથી તે તરે, અશુદ્ધ આશયોથી ભક્તિ ભવ વધારશે, ભગ૦ અનન્ત૦ ૨. પરલોક શર્મભાવનાએ ભક્તિ જે કરે, તે ભક્તિ ગરલક્રિયા કહી ન તેથી તરે; વિપરીત આશયોથી ભક્તિ ભવ રૂલાવશે, ભગ૦ અનન્ત૦ ૩. સાધ્યોપયોગ શૂન્યતાએ ભક્તિ જે કરે, તે ભક્તિ અનનુષ્ઠાન છે ન તેથી તે તરે; આશયવિહીનતાએ ભક્તિ કેમ તારશે, ભગત અનન્ત૦ ૪. સંસારમુક્તિ ભાવનાએ ભક્તિ જે કરે, તછ્હેતુ અનુષ્ઠાને ચરમાવર્તે તે તરે, એ મોક્ષ લક્ષ ભક્તિ ભવ દુઃખો નિવારશે. ભગ૦ અનન્ત૦ ૫. મોક્ષોપયોગ લીનતાએ ભક્તિ જે કરે, તે ભક્તિ અમૃતાનુષ્ઠાન એથી તે તરે; નિર્વેદ શમ સંવેગ રંગી ભક્તિ તારશે. ભગ૦ અનન્ત ૬. તદ્ભુતુ અનુષ્ઠાન અમૃતાનુષ્ઠાન જે, સંવેગ પ્રથમયુકત માંગુ ઘોને પ્રભુ તે; સુરનરસુખોથી ખિન્ન દાસ કોણ તારશે? ભગવાન તુમ ભક્તિ ન કરે તે હારશે; અનન્ત૦ ૭. ભવ ભવ દુઃખાગ્નિ તમ દાસ દેવ ઠારજો, ગૌતમ નીતિ ગુણાધિ કહે નાથ તારજો; પ્રભુ આપ વિના કોણ દાસ દુઃખ નિવારશે ? ભગ૦ અનન્ત૦ ૮.
૬ શ્રી ધર્મજિન
સ્તવન
(ઘણો ખુશીનો દિન, આજનો પ્રધાન મારા-એ દેશી)
ધર્મનાથ ધન્ય દિન, દર્શન હું પામ્યો તારા; આનંદ ન માય અંગ, નાશ થયા પાપ મારા. ધર્મનાથ૦ ૧. સંસારના સર્વ સુખો, નાશથી ન લાગે સારા; કર્મ બન્ધનોથી ફરી, લાગે વિપાકોથી ખારા. ધર્મનાથ૦ ૨. ભોગ ઉપભોગના છે, સર્વ સુખો દુ:ખો ભારા; તેથી તેવા સુખની નહિ, વાંછા હવે નાથ મારા. ધર્મનાથ૦ ૩. સમ્યગ્દર્શન જ્ઞાન ચરણે, રમણતા હું ચાહું પ્યારા; અક્ષય સુખ મોક્ષવાસ, માંગુ આપો દેવ મારા. ધર્મનાથ૦ ૪. કહે ગૌતમ નીતિ બાળ, સૂરિ ગુણાબ્ધિ પ્યારા; આપ શરણ છોડું નહિ, આશ પૂરો નાથ મારા, ધર્મનાથ૦ ૫.
૩૬૩
Page #395
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ શ્રી શાંતિજિન સ્તવન ક
(વાસુપૂજય વિલાસી, ચંપાના વાસી-એ દેશી) - શ્રી શાંતિ સુવાસી, દઈ મોહ ફાંસી, ટાળો સેવક ભવવાસ; છું મુક્તિનો પ્યાસી; જ્ઞાન પ્રકાશી, આપો સેવક શિવલાસ; આ જગ ભમતાં દેવ જે દીઠાં, તેહમાં ન તુમ સમ એક; વિષયી દેવોમાં રાચતા કેઈ, તે જન કૂપના ભેદ રે, શ્રી શાંતિ સુવાસી૦ ૧. તુમ ગુણ અમૃતકુંડમાં હું, સ્નાન ચાહું નિત્યમેવ; અન્યદેવ ગુણભાસ મુજલને, નહિ ચાહું દેજો સેવ રે. શ્રી શાંતિ. ૨. કોણ ચાહે કલ્પવૃક્ષને પામી, બબૂલ વૃક્ષને નાથ; રત્નચિંતામણિ પામીને, નહિ નાખું કાચમાં હાથ રે. શ્રી શાંતિ) ૩. મોર વાંછે જેમ મેઘને તેમ, વાંછું હું તમને દેવ, જ્યાં લગી જન્મ મરણ છે મારા, ત્યાં લગી દેજો સેવ રે. શ્રી શાંતિ૦ ૪. ભવ ભવ શરણ તમારું હોજો, પુરજો સેવક આશ; ગૌતમ નીતિ શિષ્ય કહે ગુણ, મુજ દુઃખનો કરો નાશ ૨. શ્રી શાંતિ, ૫.
gi શ્રી કુંથ જિન સ્તવન ,
(તમે થોડા થાઓ વરણાગી-એ દેશી) જિન શિવદાયી સેવ તુજ લાગી, હે કુંથુ જિન શિવદાયી સેવ તુજ લાગી બીજા રાગી તું વીતરાગી, હે કંથ૦ દેહ વસ્ત્રાદિના કાયોને વોસિરાવું, જિન તારી સેવામાં અહોનિશ ચિત્ત લાવું! આ દાસ તુજ સેવ અનુરાગી. હે કુંથુ જિન૦ ૧. કાલ અનાદિથી પરભાવમાં જ રહું, પર વસ્તુને (જ) સ્વ વસ્તુ છે એમ કહું, તેથી દુઃખો થયા મુજ રાગી. હે કુંથ જિન) ૨. પરને સ્વ માની હું નાયક દાસ થયો; હીન દાસાદિના પગથી પીસાઈ ગયો; હજી માન ગયો નહિ ભાગી, હે કુંથ જિન) ૩. અજ્ઞાનતા સવી દુઃખની છે દેનારી, જ્ઞાન વિના નવી સુખશાંતિ થાનારી, એવી બુદ્ધિ હવે મુજ જાગી. હે કુંથ જિન) ૪. ગૌતમ નીતિ ગુણાબ્ધિ કહે એમ, કરુણાસમુદ્ર કરુણાથી કરો તેમ, મારી જ્ઞાનદશા જાય જાગી. હે કંથ જિન૦ ૫.
૩૬૪
Page #396
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી ૬ શ્રી અરજિન સ્તવન
(ભારતકા ડંકા આલમમેં બજવાયા-એ દેશી)
અર જિનવર શિવમાં આપ ગયા, તારી બહુ જીવને જ્ઞાન મયા, પ્રભુ આ સેવકને ભૂલી ગયા, દયા સાગર તારો લાવી દયા. અર૦ ૧. ક્ષમા માર્દવ આર્જવ સુખદાયી, આણ્યા ન જીવ કિમ દુઃખ જાયી ? દુઃખ મૂલ લોભવશ કાલ ગયા, દયા૦ અર૦ ૨. ઈર્ષ્યા મત્સરે બહુ દુ:ખ પાયા, તજી નિંદા નહિ સદ્ગુણ ગાયા, તેથી આશ ન ફળે કિમ સૌખ્ય મયા, દયા૦ અર૦ ૩. નહિ ખાવા જિંદગી બહુમૂલી, નહિ વિષયાર્થે એ બલ અતુલી, અજ્ઞાને ભવ બહુ મૂલ્ય ગયા, દયા૦ અર૦ ૪. જિંદગી એ તપ સંજમ કરવા, બલ એ કર્મો નાશન કરવા, શક્તિ આપો પ્રભુ શિત મયા. દયા૦ અર૦ ૫. સંજમ લીના ગૌતમનીતિ, પ્રભુ ટાળો મુજ ભવની ભીતિ, જિન તુજ દરિસણ ગુણ સૌખ્ય મયા. દયા અર૦ ૬.
શ્રી મહિજિન સ્તવન
(લાખ લાખ દીવડાની આરતી ઉતારજો-એ દેશી)
ક્રોડ ક્રોડ વંદન(ની) શ્રેણિ સ્વીકારજો, ક્રોડ ક્રોડ દુ:ખોના જૂથ નિવારો; ભક્તોના હૈયા હરખાય, મલ્લીજિન અવધારો પ્રાર્થના. ૧. પરહિતચિંતાએ મૈત્રી જગાવજો, હાર્દથી મારા અમૈત્રી ભગાવજો; મૈત્રી વિના ન સુખ થાય. મલ્લિ૦ ૨. પરદુઃખ વારણ કરૂણાથી પૂરજો, નિર્દયતાને સકારણ ચૂરો; નિષ્કરણાયે દુઃખ થાય. મલ્લિ૦ ૩. ભાવ પ્રમોદ મુજ ચિત્ત વસાવજો, ઈર્ષ્યા વૃતિ પ્રભુ દૂર નિવાજો, ગુણ શ્લાઘાએ દોષ જાય, મદ્ધિજિન અવધારો પ્રાર્થના. ૪. દોષકારી પ્રત્યે માધ્યસ્થ આપજો, સેવક દોષોને નિત નિત કાપજો; એ વિણ શાંતિ ન થાય, મલ્લિ૦ ૫. ગૌતમ નીતિ ગુણાધ્ધિ શોભાવજો, મૈત્યાદિ ચારે ભાવોમાં લોભાવજો; મુક્તિમાં એથી જવાય. મલ્લિ૦ ૬.
૩૫
Page #397
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
5 શ્રી મુનિસુવ્રત જિન સ્તવન HI (મારા પ્રેમી પંખીડા સહુ આવજો હો રાજ, જંગલમાં મારી ઝુંપડી)
પ્રભુ મુનિસુવ્રત નમું ભાવથી હો રાજ, પાવનકારી જિનરાજજી, જિન નામ સ્મરણે ગયા પાપો હો રાજ, પાવનકારી જિનરાજજી. ઈષ્ટ વિયોગ અનિષ્ટનો સંજોગ રોગ વિચાર, અગ્ર શોચ દુઃખદાયક, આર્તધ્યાન ભેદ ચાર; દુઃખદાયી એ ધ્યાન નિવારજો હો રાજ. પાવનકારી. ૧. હિંસા મૃષા ચોરી તથા, સંરક્ષણાનુબંધી, રૌદ્રધ્યાન ભેદ ચાર એ નાખે નરકે બાંધી; રૌદ્રધ્યાન એ વારજો હો રાજ. પાવનકારી ૨. આજ્ઞા અપાય વિપાક તિમ, સંસ્થાન વિજય એ ચાર, ધર્મધ્યાન શુભ ભેદ છે, જે બહુ કર્મને માર; સુખકારક ધ્યાન એ આપજો હો રાજ. પાવનકારી) ૩. પૃથકત્વ એકત્વ વિતર્ક બે સપ્રવિચાર અપ્રવિચાર, આદ્ય આઠથી અગિયારમે, તેરમે દ્વિતીય સબાર; એ બે શુકલધ્યાન ભેદે સ્થાપજો હો રાજ પાવનકારી૦ ૪. અપ્રતિપાતી સૂમક્રિયા સમુચ્છિન્ન ક્રિયાનિવૃતિ, તૃતીય અયોગી ગુણસ્થલે, તુર્થ ભેદ દે મુક્તિ; શુકલધ્યાન ચાર ભેદે રમાડજો હો રાજ. પાવનકારી) ૫. આર્ત રૌદ્ર બે ધ્યાનથી વેક્યા બહુ દુઃખ ત્રાસ, ધર્મશુકલ બે ધ્યાન દઈ કરો દાસ દુઃખ નાશ; ગૌતમ નીતિ ગુણ આશ પુરજો હો રાજ. પાવનકારી૦ ૬.
EF શ્રી નમિજિન સ્તવન BE. (આવો આવો દેવ મારા સૂનાં સૂનાં દ્વાર-એ દેશી) સેવું ધ્યાનું દેવ પ્યારા, નમિજિનેશ્વરરાય, પ્યારા પાપ હરનારા, આવો દુઃખહર દેવ વહાલા મારા અંતરમાંય, પ્યારા) યૌવન ધન દેહાદિ વસ્તુ, ક્ષણમાં ચાલી જાય; અનિત્યતા દુઃખપ્રદતા એની, મોહે ન જાણી રાય. પ્યારા) ૧. માતપિતા નૃપ રાજય સમૃદ્ધિ, અશરણ ને અસહાય, અરિહંત સિદ્ધમુનિ જિનધર્મ એ, શરણા આપો રાય. પ્યારા) ૨. જનકાદિ સુતતાદિ પામે, જન્મ વિચિત્ર અસાર, આ સંસારે નહિ સુખબિન્દુ; દુઃખે દે ઉપર માર. પ્યારા) ૩. આવે એક જ જાવે એક જ, અન્ય વસ્તુ
-
-
૧૩૦૬
Page #398
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
પરિવાર, દેહ અશુચિ દુર્ગંધ ભરીઓ, જાણે નજીવ ગમાર. પ્યારા૦ ૪. આશ્રવ સંવરભાવ નિર્જરા, ધર્મ સૂક્તતા સાર, લોકપદ્ધતિ દુર્લભબોધિ, ભાવના દુઃખ હરનાર. પ્યારા૦ ૫. બાર ભાવના ચિત્ત ન આણી, તેથી દુઃખ અપાર; ગૌતમનીતિ ગુણ કહે આપો, બાર ભાવના સાર. પ્યારા૦ ૬.
5 શ્રી નેમિજિન સ્તવન
(ગિરનારી નેમ, સંજમ લીધું છે બાળ વેશમાં-એ દેશી)
નેમિ જિનેશ્વર પ્રાર્થના, પુણ્ય પ્રભાવક, પાપ પ્રણાશક, દેવ રે, તારોને દાસ. નેમિ૦ ૧. સૂક્ષ્મ બાદર નિગોદમાં દુ:ખથી કાઢ્યો કાળ અનન્તનો, દેવ રે. તારો૦ નેમિ૦ ૨. ક્ષમા વારિ વણ તેઉ વાઉમાં, કાલ અસંખ્યો કષ્ટ ગુમાવ્યો, દેવ રે તારો નેમિ૦૩. બિ=તિ=ચઉરિન્દ્રય અસંજ્ઞીમાં, રઝડ્યો સાધન હીન, ન દેખ્યા દેવ રે. તારો નેમિ૦ ૪. સંજ્ઞીતિર્યંચમાં પરવશે, બંધવધાદિ દુઃખ સહ્યાં બહુ દેવ રે, તારો૦ નેમિ૦ ૫. વાર અનેક નારક થઈ, જે પીડાયો તે કહેતાં ન ખૂટે, દેવ રે, તારો ૬. દેવપણે ઈર્ષ્યાદિથી દુઃખી રહ્યો સુખ ક્ષણ વિનાશી દેવ રે, તારો૦ નેમિ૦ ૭. આર્ય દેશાદિ અભાવથી, દુર્લભ બહુ નર દેહ ગુમાવ્યા, દેવ રે. તારો૦ નેમિ૦ ૮. મહાપુણ્યથી થઈ માનવી, આપ શરણને પામ્યો, ન મૂકું દેવ રે, તારો નેમિ૦ ૯. આપ વિના ભવનાશકા, દેવ બીજા નહિ આ જગ દીઠા, દેવ રે. તારો નેમિ૦ ૧૦. દઈ આત્મલક્ષી ભવ તારજો, ગૌતમનીતિ બાળ કહે ગુણ, દેવ રે. તારો નેમિ૦ ૧૧.
નેમિ
૬ શ્રી પાર્શ્વજિન સ્તવન (રાખના રમકડાં મારા રામે-એ દેશી)
પાસના દર્શનથી મારા પાપો, મારા પાપો સહ દુ:ખ ભાગ્યા રે, સ્વભાવપ્રાપક સુખકર પ્રભુજી, ભેટ્યા પુણ્યો જાગ્યા રે. પાસ૦ ૧. સુવર્ણ ગૃહભૂષણ ચિત્રાદિ, ધારી ધારી નિરખું, ભાન ભૂલી નિજસ્વરૂપ વિસારી, એ વસ્તુ જોઈ હરખું રે. પાસ૦
359
Page #399
--------------------------------------------------------------------------
________________
- અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૨. આત્મભાવમાં રમવા માટે, જે સાધન જિન ભાખ્યા, તે સાધન પણ પરભાવોને મેળવવા મેં રાખ્યા રે. પાસ) ૩. સાધનને પણ શસ્ત્ર બનાવે, અજ્ઞ દશા પ્રભુ મારી, બુધજન હાસ્યકરી મુજ ટાળો, મૂરખતા દુઃખકારી રે. પાસ) ૪. પરભાવે રમતાં હું પામ્યો, દુઃખ પરંપરાભારે, બહુ દુઃખપ્રદ પરભાવ પ્રેમ તોય, નહિ છૂટે પ્રભુ મારે રે. પાસ) ૫. દયા લાવી પ્રભુ આ સેવકને, આત્મભાવમાં સ્થાપો, ગૌતમનીતિ ગુણ કહે, પરનો પ્રેમ કાપી શિવ આપો રે. પાસ0 ૬.
5 શ્રી વીર જિન સ્તવન
(ાવો જાવો અય મેરે સાધુ-એ દેશી) આપો આપો હે ત્રિભુવન પૂજિત, વીર મુક્તિમાં વાસ વીર મુક્તિમાં વાસ, આપો વીર મુક્તિમાં વાસ. આપો આપો) સદ્ગતિ પર્શ દુર્ગતિકંદા, વિજ્ઞપરંપરા મૂળ, અર્થકથા મુજ ચિત્તથી કાઢો; કરે એ કાળો શૂળ. આપો આપો) ૧. આ ભવ પરભવ દુઃખસંવર્ધક, બુધજન હાસ્ય નિદાન, કામકથા મુજ બહુ દુઃખ આપે, કાઢો મોડી માન. આપો આપો. ૨. શોભન ભાવે શુભગતિ દાતા, દુર્ગતિદા દુર્ભાવે, નહિ સંકીર્ણ કથા બહુ સારી, મુક્તિતરસ અભાવે. આપો આપો. ૩. દુર્ગતિકરણી શુભગતિકરણી, મોક્ષતણી નીસરણી, પંડિત શ્લોધ્યા ધર્મકથા દ્યો, મુમુક્ષતા અનુસરણી. આપો આપો) ૪. અધમાધમ રસી અર્થકથામાં, અધમો કામકથામાં, મધ્યમજન સંકીર્ણ કથામાં ઉત્તમ ધર્મકથામાં, આપો આપો) ૫. સુખ મેળવવા અર્થકામમાં રઝડ્યો કાળ અનન્ત, સુખનો હેતુ ધર્મ ન જાણ્યો, પામ્યો ન દુઃખનો અત્ત. આપો આપો) . ઉત્તમ યોગ્યા ઘર્મલીનતા, દઈ કરો દુઃખનો નાશ, ગૌતમ નીતિ શિષ્ય કહે ગુણ, દૂર ન મુક્તિવાસ. આપો આપો) ૭.
૩૬૮)
Page #400
--------------------------------------------------------------------------
________________
શ્રી ગુણસાગરસૂરી કૃત ચોવીશી
...
.
....
...
ફક જિનવર આંગી સ્તવન :
(જાવો જાવો અય મેરે સાધુ એ દેશી) આંગી દેખી હે પ્રભુજી મારું, ચિત્તડું બહુ હરખાય; ચિત્તડું બહુ હરખાય પ્રભુજી, ચિત્તડું બહુ હરખાય. આંગીવ લાખ લાખ હીરા રત્નો જયાં, જગમગતા દેખાય; મણિ મોતી સુવર્ણ રચિત એ, આંગીથી દુઃખ જાય. આંગી. ૧. જીવે મોહથી પતિ પત્ની સુત, દેહ સજ્યા બહુવાર; જિનવર આંગી રચી ન ભાવે પામ્યો દુઃખ અપાર. આંગી. ૨. સ્વશરીર શણગાર તજીને, રચે આંગી મનોહાર; પ્રભુની બહુભાવે જે વ્યક્તિ, ધન તેનો અવતાર. આંગી, ૩. દેહમોહ છૂટે, જિન આંગી રચવાનું મન થાય, ભવભવ એવી સુમતિ દેજો, મટે કર્મની લાય. આંગી૦ ૪. ચિંતામણિથી બહુમૂલો એ, જિનવર ભક્તિરંગ; ગૌતમનીતિ ગુણને આપો, જિન સેવા શિવસંગ. આંગી, ૫.
૬ શ્રી સીમંધર જિન સ્તવન ક
(પારેવડા જાજે વીરાના દેશમાં-એ દેશી) હે ચંદ્રમાં કહેજે ક્રોડ મારી વંદના; સીમંધરને સકંદના હે ચંદ્રમા, મહાવિદેહને પાવન કરતા, વિચરે કર્મ નિકંદના. હે ચંદ્રમા૦ ૧. વીતરાગ સર્વજ્ઞ તારક એ, ચાહું ચરણ જિન ચંદના૦ ૨. પાપોદયે દૂર ભરતે રહ્યો છું, પામ્યો ન પાદ નિણંદના. હે ચંદ્રમા, ૩. સર્વજ્ઞ વિરહી ક્ષેત્રે ભટકતો, દુઃખે કરું આક્રંદના. હે ચંદ્રમા) ૪. મિથ્થામતિ અજ્ઞાનીના સંગે, નાશે નહિ ભવ ફંદના. હે ચંદ્રમા૦ ૫. કલ્પિત પક્ષે બદ્ધાગ્રતા અહિં, નાખે ભવભવમંડના. હે ચંદ્રમા, ૬. ચંદ્ર સીમંધર સ્વામીને કહેજે, તેડી કરે ભવ ખંડના. હે ચંદ્રમા૦ ૭. સર્વ મુનિજિન સર્વજ્ઞ સિદ્ધ સહ, સર્વ ચીત્યોને નિતવંદના. હે ચંદ્રમા, ૮. ગૌતમ નીતિ ગુણ કહે દુઃખહર, દેવ સીમંધરાદિવંદના. હે ચંદ્રમા૦ ૯.
૩૬૯)
Page #401
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
5 શ્રી વીરજિન સ્તવન ,
(ઘર આયા મેરા પરદેશી-એ દેશી) વીર પ્રભુ તુજ દર્શનથી, આપ ગયા મુજ આતમથી, પુણ્ય પરિણતિ જો જાગી, જગપતિ જિન તુજ લય લાગી, દૂર ન કર પ્રભુ તન મનથી. વીર પ્રભુત્ર ૧. ગુણસમૂહથી તું ભરીઓ, હું છું અવગુણનો દરિયો; દોષ ટાળ મુજ આતમથી. વીર પ્રભુત્વ ૨. તું પ્રભુ જગનો તારક છે, આ જન તારો બાળક છે, સેવકને જો કરૂણાથી. વીર પ્રભુત્વ ૩. તું શું મુજને નહિ તારે, હું છું શું તુજને ભારે; જસ લેને શિવ દઈ જગથી. વીર પ્રભુત્વ ૪. ગૌતમ નીતિ ગુણ બોલે, દાની નહિ કોઈ તુજ તોલે, કર પ્રસન્ન દઈ શિવવરથી. વીર પ્રભુત્વ ૫.
૩૭o
Page #402
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
// શ્રી - ધૃતાન્તોન - પાર્શ્વનાથાય નમઃ ||
અર્હદ—ગુણ–વારિધિ–નરેન્દ્ર—નૌકા
卐
વિભાગ - ૪ થો
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ TM (૧) શ્રી અંજનાસતીની સજ્ઝાય
અંજના વાત કરે છે મારી સખી રે, મને મેલી ગયા મારા પતિ રે; અંતે રંગ મેલમાં મુકી રોતી, સાહેલી મોરી કર્મે મલ્યો વનવાસ, સાહેલી મોરી પુન્ય જોગે .તુમ પાસ. ૧. લશ્કર ચઢતાં મેં શુકન જ દીધાં, તે તો નાથ મારે નહીં લીધાં; ઢીકા પાટુ પોતે મને દીધા, સાહેલી૦ ૨. સખી ચકવી ચકવાનો સુણી પોકાર, રાતે આવ્યા પવનજી દરબાર; બાર વરશે લીધી છે સંભાળ. સાહેલી૦ ૩. સખી કલંક ચઢાવ્યું મારે માથે, મારી સાસુએ રાખી નહિ પાસે; મારે સસરે મેલી વનવાસે. સાહેલી૦ ૪. પાંચ સય સખી દીધી છે મારે બાપે, તેમાં એકે નથી મારી પાસે; એક વસંતબાલા મારી પાસે. સાહેલી૦ ૫. કાળો ચાંદલો ને ખરડી રાખ, કાઢી મેલ્યો વન મોઝારી; સહાય કરો દેવમોરારી. સાહેલી૦ ૬. મારી માતાએ લીધી નહી સાર, મારા પિતાએ કાઢી ઘરબાર, સખી ન મેલ્યો પાણીનો પાનાર. સાહેલી૦ ૭. મને વાત ન પૂછી મારા વીરે, મારા મનમાં નથી રહેતી ઘીરે; મારા અંગે ફાટી ગયા ચીરે. સાહેલી૦ ૮. મને દિશા લાગે છે કાળી, મારી છાતી જાય છે ફાટી; અંતે અંધારી અટવીમાં કર્મે નાખી. સાહેલી૦ ૯. મારું જમણું ફરે છે અંગ, નથી બેઠી કોઈની સંગ; અંતે રંગમાં શો પડ્યો ભંગ. સાહેલી૦ ૧૦. સખી ધાવતાં
૩૭૧
Page #403
--------------------------------------------------------------------------
________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા છોડાવ્યાં હશે બાળ. નહિતર કાપી હશે કુંપળ ડાળ; તેના કર્મો પામ્યા ખોટી આળ. સાહેલી વનમાં ભમતાં મુની દીઠા. આજે પૂર્વ ભવની પૂછે છે વાત; જીવે કેવાં રે કીધાં હશે પાપ. સાહેલી ૧૨. બેની હસતાં રજોહરણ તમે લીધા, મુનિરાજને દુઃખ જે દીધા; તેણે કર્મે વનવાસ તમે લીધા. સાહેલી. ૧૩. પૂર્વે હતો શોક્યનો બાળ, તેને દેખી મનમાં ઉછળતી ઝાળ; તેના કર્મો જોયા વનમાં ઝાડ. સાહેલી) ૧૪. સખી વનમાં જન્મ્યો છે બાળ, કયારે ઉતરશે મારી આળ; ઓચ્છવ કરશું માને મોસાળ. સાહેલી૦ ૧૫. વનમાં ભમતાં મુનિ દીઠા આજ. અમને ધર્મ બતાવ્યો મુનિરાજ; ક્યારે સરશે હમારાં કાજ. સાહેલી) ૧૬. વનમાં મળશે મામા મામી આજ, ત્યાં પવનજી કરશે રે સાર; પછી સરશે તમારા કાજ. સાહેલી૦ ૧૭. મુનિરાજની શીખજ સારી, સર્વે લેજો ઉરમાં અવધારી; માણેકવિજયને જાઉં બલીહારી. સાહેલી૦ ૧૮.
ક (૨) શ્રી સુબાહુકુમારની સઝાય ક.
હવે સુબાહુકુમાર એમ વિનવે, અમે લઈશું સંજમ ભાર, માડી મોરી રે, મા મેં વીર પ્રભુની વાણી સાંભળી, તેથી મેં જાણ્યો અથીર સંસાર, માડી મોરી રે. હવે હું નહિ રાચું આ સંસારમાં. ૧. અરે જાયા, તુજ વિના સુના મંદિર માળીયાં, તુજ વિના સુનો રે સંસાર, જાયા મોરા રે; કાંઈ માણેક મોતી મુદ્રિકા, કાંઈ ઋદ્ધિ તણો નહિ પાર, જાયા મોરા રે, તુજ વિના ઘડી એક ન નિસરે. ૨. અરે માડી તન ધન જોબન કારમું, કારમો કુટુંબ પરિવાર; માડી મોરી રે! કારમા સગપણમાં કોણ રહે, એ તો જાણ્યો અથિર સંસાર, માડી મોરી રે. ૩. અરે જાયા સંયમ પંથ ઘણો આકારો, જાયા વ્રત છે ખાંડાની ધાર; જાયા મોરા રે, બાવીશ પરિષહ જીતવા, જાયા રહેવું છે વનવાસ, જાયા મોરા રે, તુજ વિના ઘડી એક ન નિસરે. ૪. અરે માજી વનમાં રહે છે મૃગલા, તેની કોણ કરે રે સંભાલ; માડી મોરી ૨! વન મૃગલાં પેરે ચાલશું, અમે એકલડા નીરધાર. માડી મારી રે, હવે હું નહિ
૩૭૨
Page #404
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
રાચું આ સંસારમાં. ૫. હાંરે માજી નરક નિગોદમાં હું ભમ્યો, અનંતી-અનંતી વાર; માડી મોરી રે, છેદન ભેદન મેં ત્યાં સહ્યાં, તે કહેતાં નાવે પાર, માડી મોરી રે, હવે હું નહિ રાચું આ સંસારમાં. ૬. અરે જાયા તુજને પરણાવી પાચસે નારીઓ, રૂપે અપસરા સમાન, જાયા રે મોરા રે; ઉંચા કુલમાં ઉપની, રહેવા પાંચસે મહેલ, જાયા રે મોરા રે. તુજ૦ ૭ હાંરે માડી રે ઘરમાં જો એક નીકળી નાગણી; સુખે નિદ્રા ન આવે લગાર, માડી રે મોરી રે, પાંચસે નાગણીઓમાં કેમ રહું, મારૂ મન આકુલવ્યાકુલ થાય, માડી રે મોરી રે હવે૦ ૮. હાંરે ૨ે જાયા આટલા દિવસ તે જાણતી, રમાડીસ વહુના રે બાળ, જાયા મોરા રે, દેવ અટારો હવે આવીયો, તું તો લે છે સંજમભાર, જાયા રે મોરા રે, તુજ વિના ઘડી એક ન વિસરે. ૯. હાંરે માજી મુસાફર આવ્યો કોઈ પરૂણલો, ફરી ભેગો થાય ના થાય, માડી રે મોરી રે; એમ મનુષ્ય ભવ પામવો દોહિલો, ધર્મ વિના દુર્ગતિ જાય, માડી રે મોરી રે, હવે નહિ રાચું આ સંસારમાં. ૧૦. હવે પાંચસે વહુરો એમ વિનવે, તેમાં વડેરી કરે રે જવાબ; વ્હાલમ મોરા રે, તુમ તો સંજમ લેવા સંચર્યા, સ્વામી અમને કોનો છે આધાર; વ્હાલમ મોરારે, વ્હાલમ વિના કેમ રહી શકું. ૧૧. હાંરે માજી માતાપિતા ભાઈ-બેનડી; નારી-કુટુંબ ને પરિવાર; માડી રે મોરી રે, અંત વેલાએ સહુ અળગા રહે, એક જિનધર્મ તરણ તારણહાર; માડી રે મોરી રે, હવે હું નહિ રાચું આ સંસારમાં. ૧૨. હાંરે માજી કાચી કાયા તે કારમી, ચડી પડી વિણસી જાય; માડી રે મોરી રે, જીવડો જાય ને કાયા પડી રહેશે, મુવા પછી કરે બાળી રાખ; માડી રે મોરી રે; હવે હું નહિ રાચું આ સંસારમાં. ૧૩. હવે માતા ધારણી એમ ચિંતવે, આ પુત્ર નહિ રહે રે સંસાર; ભવિકજનો રે; એક દિવસ રાજ્ય ભોગવ્યું, લીધો સંજમ શ્રી મહાવીરસ્વામીની પાસ; ભવિકજનો રે, સોભાગી કુંવરે સંજમ આદર્યું. ૧૪. હાંરે માડી તપ-જપ કરી કાયા શોષવી, આરાધી ગયા દેવલોક, ભવિકજનો રે; પંદર ભવ પૂરા કરી, જાશે મહાવિદેહ ક્ષેત્ર મોઝાર, ભવિકજનો રે, સૌભાગ્યવિજય ગુરુ એમ કહે. ૧૫.
૩૭૩
Page #405
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૩) શ્રી મેતારજ મુનિની સજ્ઝાય
(જીવ રે તું શિયળ તણો કર સંગ-એ દેશી)
સમ, દમ ગુણના આગરુજી, પંચ મહાવ્રત ધાર, માસ ખમણને પારણેજી, રાજગૃહી નગરી મોઝાર; મેતારજ મુનિવર, ધનધન તુમ અવતાર. આંકણી ૧ સોની ને ઘેર આવીયા જી, મેતારજ ઋષિરાય; જવલાં ઘડતો ઉઠીયો જી, વંદે મુનિના પાય. મેતારજ૦ ૨
આજ ફળ્યો ઘેર આંગણે જી, વિણ કાળે સહકાર; લ્યો ભિક્ષા છે, સુઝતી જી, મોદક તણોએ આહાર મેતારજ૦
કૌંચજીવ જવાલાચણ્યો જી, વહોરીવળ્યા ઋષિરાય સોની મન શંકા થઈ જી, સાધુ તણાં એ કામ મેતારજ૦ ૪ રીસ કરી ૠષિને કહે જી, ઘો જવલા મુજ આજ; વાધર શીશે વીટીયું જી, તડકે રાખ્યા મુનીરાજ. મેતારજ૦ ૫ ફટ ફટ ફુટે હાંડકાં જી, તડ તડ ત્રુટે છે ચામ;
સોનીડે પરિષહ દીયો જી, મુનિ રાખ્યો મનઠામ. મેતારજ૦૬
એહવા પણ મ્હોટા યતિ જી, મન ન આણે રે રોષ; આતમ નિંદે આપણો જી, સોનીનો શો દોષ. મેતારજ૦૭
ગજસુકુમાર સંતાપીયા જી, બાંધી માટીની પાળ; ખેર અંગારા શિર ધર્યા જી, મુગતે ગયા તતકાળ. મેતારજ૦ ૮ વાઘણે શરીર વલૂરીયું જી, સાધુ સુકોશલ સાર; કેવળ લઈ મુગતે ગયાજી, ઈમ અરણિક અણગાર. મેતારજ૦ ૯
પાલક પાપી પીલિયા જી, ખંઘકસૂરિના શિષ્ય; અંબડ ચેલા સાતસે જી, નમો નમો તે નિદિન. મેતારજ૦ ૧૦
એહવા ઋષિસંભારતાં જી, મેતારજ ઋષિરાય; અંતગડ હુવા કેવળી જી, વંદેમુનિના પાય. મેતારજ૦ ૧૧
ભારી કાષ્ટની સ્ત્રીએ તિહાંજી, લાવી નાખી તિણિવાર; ધબકે પંખી જાગીયોજી, જવલા કાચાતિણેસાર. મેતારજ૦ ૧૨
૩૭૪
Page #406
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ
દેખી જવલા વિષ્ટમાં જી, મન લાજ્યો સોનાર; ઓઘો મુહપત્તિ સાધુના જી, લેઈ થયો અણગાર. મેતારજ૦ ૧૩ આતમ તાર્યો આપણો જી, થિર કરી મનવચકાય; રાજવિજય રંગે ભણે છે, સાધુ તણી એ સઝાય. મેતારજ૦ ૧૪
5 (૪) શ્રી મદનમંજૂષાની સજઝાય -
(રાગ - રે જીવ જિન ધર્મ કીજીએ) વહાણમાં રોવે મદનમંજૂષા, કરે અતિશય વિલાપ; પિયુજી પિયુજી જપતી રહે, ધરતી મનમાં સંતાપ. વહાણ૦ ૧ મધ્ય દરીયે વહાણ આવતું. ઉદય આવ્યા સર્વેપાપ; પડતા પિયુજી સમુદ્રમાં, અબળા થઈ આપોઆપ. વહાણ૦ ૨ ખરો વેરી થયો વાણિયો, જેણે કીધો કાળો કેર; નિરાધાર કીધી મુજને, લીધું ક્યા ભવનું વેર. વહાણ૦ ૩ મુજ રૂપે મોહ્યો વાણિયો, કુબુદ્ધિનો કરનાર; કાળી રાતે મુજ કંથને, નાખ્યા સમુદ્ર મજાર. વહાણ૦ ૪ ઉચું આભ નીચું નીર છે, તેમાં અંધારી રાત; નજરે ન દેખું મારા નાથને, પડ્યા સમુદ્ર વિઘાત. વહાણ૦ ૫ દૂર રહ્યા પિયર સાસરા, મેલી ગયો ભરથાર; પિયુજી વિના મારું કોઈ નહિ, જગન્નાથ આધાર. વહાણ૦ ૬ કુશળ હોજો મારા નાથને, છો પ્રભુ દીન દયાળ; વેળા પડી વિષમ વાટની, હું છું અજ્ઞાની બાળ. વહાણ૦ ૭. અન્નજળ લેવા આજથી, મારે છે પચ્ચખાણ; ધ્યાન ધરું જિનરાજનું, કર મારી સંભાળ. વહાણ૦ ૮ હીરવિજય ગુરુ હીરલો, વીરવિજય ગુણ ગાય; લબ્ધિવિજય ગુરુ રાજીયો, એના નામે જયકાર. વહાણ૦ ૯
૩૭૫
Page #407
--------------------------------------------------------------------------
________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૫) શ્રી મરૂદેવીમાતાની સઝાય ક
(રાગ-વીર કહે ગૌતમ સુણો). મરૂદેવી માતા રે એમ ભણે, ઋષભજી આવોને ઘેર રે, હવે મુજને ઘડપણ છે ઘણું, મળવા પુત્ર. વિશેષ રે. ૧૦ ૧ વચ્છ તુમે વનમાં જઈ શું વસ્યા, તમારે ઓછું શું આજ રે; સર્વે ઈન્દ્રાદિક દેવતા, સાધ્યા ષટખંડ રાજ રે. મ૦ ૨ સાચું સગપણ માતાનું, બીજા કારમાં લોક રે; રડતાં પડતાં મેલો નહિ, હૃદય વિમાસીને જોય રે. મ૦ ૩ ઋષભજી આવી સમોસર્યા, વિનિતા નગરી મોઝાર રે; હરખે દેવે રે વધામણાં, ઉઠી કરૂં રે હુલ્લાસ રે. મ0 ૪ આઈ બેઠા ગજ ઉપરે, ભરતજી વાંદવા જાય રે; દૂરથી વાજાં રે વાગ્યાં, હૈડે હરખ ન માય રે. મ૦ ૫ હરખના આંસુ રે આવીયાં, પડલ તે દુર પલાય રે, પરખદા દીઠી રે. પુત્રની, ઉપનું કેવલજ્ઞાન રે. મ૦ ૬ ધન્ય માત ધન્ય બેટડો, ધન્ય તેનો પરિવાર રે; વિનયવિજય ઉવજઝાયનો, વર્યો છે જય જયકાર રે. મ૦ ૭.
EE (૬) શ્રી બાહુબલિજીની સઝાય , રાજતણા અતિ લોભિયા, ભરત બાહુબળિ ઝુઝે રે; મુઠી ઉપાડી રે મારવા, બાહુબળિ પ્રતિબુઝે રે; વીર મોરા ગજથકી ઉતરો, ગજ ચર્થે કેવળ ન હોયરે. વીરા) ૧ ઋષભદેવ તિહાં મોકલે, બાહુબળિજીની પાસ રે; બંધવ ગજ થકી ઉતરો, બ્રાહ્મી સુંદરી એમ ભાખે રે. વીરા૦ ૨ લોચ કરીને ચારિત્ર લીયો, વળી આવ્યો અભિમાન રે; લઘુ બંધવ વાંદું નહીં, કાઉસ્સગ્ગ રહ્યા શુભ ધ્યાન રે. વીરા૦ ૩ વરસ દિવસ કાઉસ્સગ્ગ રહ્યા, શીત તાપથી સૂકાણાં રે; પંખીડે માળા ઘાલીયા, વેલડીએ વીંટાણા રે. વીરા૪
(૩૭)
Page #408
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
સાધવીના વચન સુણી કરી, ચમક્યો ચિત્ત મઝાર રે; હય ગય રથ સહુ પરહરિયા, વળી આવ્યો અહંકાર રે. વીરા૦ ૫ વૈરાગે મન વાળીયું, મૂક્યું નિજ અભિમાન રે;
પગ ઉપાડ્યો રે વાંદવા, ઉપન્યું કેવળજ્ઞાન રે. વીરા ૬
પહોંત્યાં તે કેવળ પરષદા, બાહુબળ મુનિરાય રે; અજરામર પદવી લહી, સમયસુંદર વંદે પાય રે. વીરા૦ ૭
ń (૭) શ્રી રૂક્મિણીની સજ્ઝાય ( આ છે લાલ૦ )
વિચરતા ગામોગામ,- નેમિ જિનેશ્વર સ્વામ, આ છે લાલ, નગરી દ્વારામમિત આવીયા જી. વનપાલક સુખદાય, દીયો વધામણી આય; આ છે લાલ નેમિજિણંદ પધારીયા જી. કૃષ્ણાદિક નરનાર, સહુ મળી પર્ષદા બાર; આ છે લાલ નેમિ વંદન, તિહાં
આવીયા જી.
સહુને દાય;
દીએ દેશના જિનરાય, આવે આ છે લાલ રૂક્મિણી પૂછે શ્રી નેમિને જી.
પુત્રને મ્હારે વિયોગ, શો હશે કર્મ સંયોગ; છે લાલ ભગવંત મુજને તે કહો જી.
આ
ભાખે
આ છે
જી.
તવ ભગવંત, પૂર્વભવ વીરતંત; લાલ કીધા કરમ નવિ ટિમે જી. તું હતી રૃપની નાર, પૂરવ ભવ કોઈ વાર; આ છે • લાલ ઉપવન રમવાને સંચર્યા ફરતાં વન મોઝાર, દીઠો એક સહકાર; આ છે લાલ મોરલી વિયાણી તિહાં કણે જી. સાથે હતો તુમ નાથ, ઈંડા ઝાલ્યાં હાથ; આ છે લાલ કુંકુમ વરણા તે થયાં
८
જી.
૧
૩૭૭
ç
૯
Page #409
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
નવી ઓળખે તિહાં મોર, કરવા લાગી શોર; આ છે લાલ સોળ ઘડી વિ સેવીયાં જી. તિક્ષ્ણ અવસર ઘમઘોર, મોરલા કરે છે આ છે લાલ ચૌદિશિ ચમકે
વીજળી
શોર;
જી.
ૐ (૮) શ્રી ચેલણા સતીની સજ્ઝાય (રાગ-સુઝતા આહારના ખપ કરોજી)
૧૦
૧૨
પછી વુક્યો તિહાં મેહ, ઈંડા ઘોવણાં તેહ; આ છે લાલ સોળ ઘડી પછી સેવીયાં જી. હસતાં તે બાંધ્યા કર્મ, નહિ ઓળખ્યો જિનધર્મ; આ છે લાલ રોતાં ન છૂટે પ્રાણીયા જી. ૧૩ તિહાં બાંધી અંતરાય, ભાખે શ્રી જિનરાય; આ છે લાલ સોળ ઘડીના વરસ સોળ થયાં જી. ૧૪ દેશના સુણી અભિરામ, રૂક્મિણી રાણીએ તામ; આ છે લાલ સૂધો તે સંયમ આદર્યો જી. ૧૫ સ્થિર રાખ્યા મન વચ કાય, કેવળ નાણ ઉપાય; આ છે લાલ કર્મ ખપાવી મુગતે ગયાં જી. તેહનો છે વિસ્તાર, અંતગડ સૂત્ર મોઝાર; આ છે લાલ રાજવિજય રંગે ભણે જી.
૧
૧૧
૩૦૮
૧૭
વીરે વખાણી રાણી ચેલણા જી, સતીય શિરોમણી જાણ; ચેડા રાજાની સાતે સૂતા જી, શ્રેણિક શિયળ પ્રમાણ. આંકણી વીર વાંદી ઘેર આવતાં જી, ચેલણાએ દીઠાં હે નિગ્રંથ; વનમાંહે રાતે કાઉસ્સગ્ગ રહ્યા જી, સાધતા મુક્તિનો પંથ વી૦ ૨ શીત ઠાર સબળો પડે જી, ચેલણા પ્રીતમ સાથ; ચારિત્રિયો ચિત્તમાં વશ્યો જી, સોડ બાહિર રહ્યો હાથ. વી૦ ૩
ઝબકી જાગી કહે ચેલણાજી, કેમ કરતો હશે તેહ; કામિનીને મન કોણ વસે જી, શ્રેણિક પડ્યો રે સંદેહ. વી૦ ૪
Page #410
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સક્ઝાય સંગ્રહ અંતે ઉર પરજાળજો જી, શ્રેણિક દીયો રે આદેશ; ભગવંતે સંશય ભાંજીયો જી, ચમકિયો ચિત્ત નરેશ. વી. ૫ વીર વાંદી વળતા થકાં રે, પેસતા નગર મઝાર, ધુમાંધ તિહાં દેખી કહે છે, જાજા ભૂંડા અભયકુમાર. વી. ૬ તાતનું વચન તે પાળવા જી, વ્રત લીઓ અભયકુમાર; સમયસુંદર કહે ચેલણા જી, પામશે ભવતણો પાર. વી. ૭
-
-
-
-
5 (૯) શ્રી સ્થૂલિભદ્રની સઝાય HE
| (સ્થૂલિભદ્રજી - રૂપકોશાનો સંવાદ) શ્રી સ્થૂલિભદ્ર મુનિગણમાં શિરદાર જો, ચોમાસું આવ્યા કોશ્યા આગાર જો; ચિત્રામણ શાળાએ તપ જપ આદર્યા જો. ૧ આદરીયા વ્રત આવ્યા છો અમ ગેહ જો; સુંદરી સુંદર ચંપકવરણી દેહ જો; અમ તુમ સરિખો મેળો આ સંસારમાં જો. ૨ સંસાર મેં જોયું સકળ સ્વરૂપ જો, દર્પણની છાયામાં જેવું રૂપ જો; સુપનાની સુખલડી ભૂખ ભાંગે નહિ જો. ૩ ના કહેશો તો નાટક કરશું આજ જો, બાર વર્ષની માયા છે મુનિરાજ જો; તે છોડી કેમ જાઉં હું આશા ભરી જો. ૪ આશા ભરીયો ચેતન કાળ અનાદિ જો; ભમિયો ધર્મને હિણ થયો પરમાદિ જો; ન જાણી મેં સુખની કરણી જોગની જો. ૫ જોગી તો જંગલમાં વાસો વસીયા જો, વેશ્યાને મંદિરીએ ભોજન રસીયા જો; તુમને દીઠા એવા સંયમ સાધતા જો. ૬
(૩૭૯
Page #411
--------------------------------------------------------------------------
________________
--
--------
--
--
-----------
---
-
---
-
-
------
-
-
-
---
-
-
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સાધશે સંયમ ઈચ્છારોધ વિસારી જો, કુમપુત્ર થયા નાણી ઘરબારી જો; પાણીમાંહે પંકજ કોરૂં જાણીયે જો. ૭ જાણી એ તો સઘળી તમારી વાત જો, મેવા મીઠા રસવંતા બહુ જાત જો; અંબર ભૂસણ નવ નવલી ભાતે લાવતા જો. ૮ લાવતા તો તું દેતી આદર માન જો, કાયા જાણું રંગ પતંગ સમાન જો; હાલીને શી કરવી એવી પ્રીતડી જો. ૯ પ્રીતલડી કરતા ને રંગભર સેજ જો, રમતાં ને દેખાડતા ઘણું હેત જો; રિસાણી મનાવી મુજને સાંભરે જો. ૧૦ સાંભરે તો મુનિવર મનડું બાળે જો, ઢાંક્યો અગ્નિ ઉઘાડ્યો પરજાળે જો; સંયમ માંહિ એ છે દૂષણ મોટકું જો. ૧૧ મોટકું આવ્યું તું રાજા નંદનું તેડું જો, જાતાં ન વહે કાંઈ તમારું મનડું જો; મેં તુમને તિહાં કોલ કરીને મોકલ્યા જો. ૧૨ મોકલ્યા તો મારગમાંહી મળીયા જો, સંભૂતિ આચારજ જ્ઞાને બળીયા જો; સંયમ દીધું સમક્તિ તેણે શીખવ્યું જો. ૧૩ શિખવ્યું તો કહી દેખાડો અમને જો, ધર્મ કરતાં, પુણ્ય વડેરૂં તમને જો; સમતાને ઘેર આવી વેશ્યા એમ કહે જો. ૧૪ વદે મુનીશ્વર શંકાને પરિહાર જો, સમકિત મૂળે શ્રાવકનાં વ્રત બાર જો; પ્રાણાતિપાતાદિક સ્કુલથી ઉચ્ચરે જો ૧૫
-
--
----------
---
-
---
--
--
---
---
-------
(૩૮૦
Page #412
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોમૃત સજ્ઝાય સંગ્રહ
ઉચ્ચરે તો વીત્યું છે ચોમાસું જો, આણ લઈને આવ્યા ગુરુની પાસે જો; શ્રુતનાણી કહેવાણા ચૌદપૂર્વી જો. પૂર્વી થઈને તાર્યા પ્રાણી થોક જો, ઉજ્જવળ ધ્યાને તેહ ગયા દેવલોક જો; પભ કહે નિત્ય તેહને કરીએ વંદના જો. ૧૭
૧૬
૬ (૧૦) શ્રી મેઘકુમારની સજ્ઝાય
ધારણી માનવે રે મેઘકુમારને રે તું મુજ એકજ પુત્ર; તુવિણ જાયા રે ! સુના મંદિર માળીયા રે, રાખો રાખો ઘરતણા સૂત્ર. ધારણી૦ ૧. તુજને પરણાવું રે આઠ કુમારિકા રે, સુંદર અતિ સુકુમાર; મલપતિ ચાલે રે જેમ વન હાથણી રે, નયન વયણ સુવિશાળ. ધારણી૦ ૨. મુજ મન આશા રે પુત્ર હતી ઘણી રે, રમાડીશ વહુનાં રે બાળ; દેવ અટારો રે દેખી નવિ શક્યો રે, ઉપાયો એહ જંજાળ. ધારણી૦ ૩. ધન કણ કંચન રે ઋદ્ધિ ઘણી અછે રે, ભોગવો ભોગ સંસાર; છતી ૠદ્ધિ વિલાસો રે જાયા ઘર આપણે રે, પછી લેજો સંયમભાર. ધારણી૦ ૪ મેઘકુમારે રે માતા બુઝવીરે, દીક્ષા લીધી વીરજીની પાસ; પ્રીતિવિમળ રે ઈણ પરે ઉચ્ચરે રે, પહોંતી મ્હારા મનડાની આશ. ધારણી૦ ૫.
૬ (૧૧) શ્રી અરણિક મુનિની સજ્ઝાય
અરણિક મુનિવર ચાલ્યા ગૌચરી, તડકે દાઝે શીશો જી; પાય અડવાણે રે વેળું પરજળે, તન સુકુમાળ મુનીશો જી. અણિક૦ ૧. મુખ કરમાણું ને માલતી ફુલ જ્યું, ઉભો ગોખની હેઠે જી; ખરે બપોરે રે દીઠો એકલો, મોહી માનિની દીઠો જી. અરણિક૦ ૨. વયણ રંગીલી રે નયણે વીંધીયો, ઋષિ થંભ્યો તેણે ઠાણો જી; દાસીને કહે જા રે ઉતાવળી ઋષિ તેડી ઘર આણો જી,અરણિક૦ ૩. પાવન કીજે રે ઋષિ ઘર આંગણું, વોહરો મોદક સારો જી; નવયૌવન રસ કાયા કાં દહો, સફળ કરો
૩૮૧
Page #413
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અવતારો જી. અરણિક૭ ૪. ચંદ્રવદનીએ ચારિત્રથી ચુકવ્યો, સુખ વિલસે દિન રાતો જી; બેઠો ગોખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માતો જી અરણિક૫. અરણિક અરણિક કરતી મા ફિરે, ગલીએ ગલીએ બજારો જી; કહો કેણે દીઠો રે મ્હારો અરણિઓ, પૂછે લોક હજારો જી. અરણિક દ કાયર છું રે મારી માવડી, ચારિત્ર ખાંડાની ધારો જી; ધિ ધિમ્ વિષયા રે મ્હારા જીવને મેં કીધો અવિચારો જી; અરણિક૦ ૭. ગોખથી ઉતરી રે જનનીને પાય પડ્યો, મન શું લાજ્યો અપારો જી; વત્સ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો જી. અરણિક૭ ૮. એમ સમજાવી રે પાછો વાળીઓ, આણ્યો ગુરુની પાસો જી; સગુરુ દીએ રે શીખ ભલી પરે, વૈરાગે મન વાસો જી. અરણિક૦ ૯ અગ્નિ ધિખતી રે શિલા ઉપરે, અરેણિકે અણસણ કીધાં છે; રૂપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવાંછિત લીધાં છે. અરણિક૦ ૧૦.
E (૧૨) શ્રી ગજસુકુમાલની સઝાય 5 સોના કેરા કાંગરા ને રૂપા કેરો ગઢ રે, કૃષ્ણજીની દ્વારિકામાં જોયાની લાગી રઢ રે; ચિરંજીવો કુંવર તમે ગજસુકુમાલ રે, પુરા પુન્ય, પામીયાર૦ ૧ નેમિનિણંદ આવ્યા, વંદન આવ્યા ભાઈ રે; ગજસુકુમાલ વીરા સાથે બોલાઈ રે. ચિરંજીવો૦ ૨ વાણી સુણી વૈરાગ્ય ઉપન્યો, મન મોહ્યું એમાં રે; શ્રી જૈનધર્મ વિના સાર છે શેમાં રે. ચિરંજીવો ૩ ઘેર આવી એમ કહે, રજા દિયો માતા રે; સંયમ સુખ લહું, જેથી પામું સુખશાતા રે. ચિરંજીવો. ૪ કુંવરની વાણી સુણી, મૂચ્છી માડી રે; કુંવર કુંવર કેતા નથી, માતા આંખે પાણી રે. ચિરંજીવો૫ હૈડાનો હાર વીરા, તો નવિ જાય રે; દેવનો દીધેલો તુજ વિના, સુખ નવિ થાય રે. ચિરંજીવો૦ ૬
૩૮૨
Page #414
--------------------------------------------------------------------------
________________
--
-
-
---
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ સોના સરિખા વાળ તારા, કંચનવરણી કાયા રે; એવી કાયા એક દિન, થાશે ધૂળધાણી રે. ચિરંજીવો૦ ૭ સંજમ ખાંડા ધાર, તેમાં નથી જરા સુખ રે, બાવીશ પરિસહ જીતવા. એ છે અતિ દુક્કર રે. ચિરંજીવો૦ ૮ દુખથી ભરેલો દેખું સંસાર અટારો રે; કાયાની માયા જાણી, પાણીનો પરપોટો રે. ચિરંજીવો૯ જાદવ કૃષ્ણ કહે, રાજ્ય વીરા કરો રે; હજારો હજાર ઉભા સેવક, છત્ર તુમને ઘરે રે. ચિરંજીવો ૧૦ સોનાની થેલી કાઢો, ભંડારી બોલાવો રે; ઓઘા પાતરા વીરા લાવો, દીક્ષા દીયો ભાઈ રે. ચિરંજીવો૦ ૧૧ રાજ્ય પાટ વીરા હવે, સુખે તમે કરો રે; દીક્ષા આપો મને ને, છત્ર તમે ધરો રે. ચિરંજીવો ૧૨ આજ્ઞા આપી ઓચ્છવ કરે, દીક્ષા દીયે આપે રે; દેવકી કહે વીરા, સંજમે ચિત્ત સ્થાપો રે. ચિરંજીવો. ૧૩ મુજને તજીને વીરા, અવર માતા ને કીજે રે, કર્મ ખપાવી ઈહ સર્વ, વેલી મુક્તિ લેજે રે. ચિરંજીવો૦ ૧૪ કુંવર અંતેરિ મેલી, સાધુ વેષ લીધો રે; ગુરુ આજ્ઞા લઈને, સ્મશાને કાઉસ્સગ્ગ કીધો રે. ચિરંજીવો૦ ૧૫ જંગલમાં જમાઈ જોઈને, સોમિલ સસરો કોપ્યો રે; ખેરના અંગારા લેઈને મસ્તકે ઠવ્યા રે. ચિરંજીવો ૧૬ | મોક્ષ પાઘ બંધાવી, સસરાને દોષ નવિ દીધો રે; • - વેદના અનંત સહી, સમતા રસ પીધો રે. ચિરંજીવો૦ ૧૭ ધન્ય જન્મ ઘર્યો તુમે, ગજસુકુમાલ રે; કર્મ ખપાવી તુમે, હઈડે ઘરી હામ રે. ચિરંજીવો. ૧૮ વિનયવિજય કહે, એવા મુનિને ધન્ય રે, કર્મનું બીજ બાળી, જીતી લીધું મન રે. ચિરંજીવો૦ ૧૯
-
-
૩૮૩
Page #415
--------------------------------------------------------------------------
________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ક (૧૩) શ્રી ઈલાચીકુમારની સઝાય ,
( રાગ-ગર્વ ન કરશો ગાત્રનાં ) નામ એલાપુત્ર જાણીએ, ધનદત્ત શેઠનો પુત્ર; નટડી દેખીને મોહીયો, નવિ રાખ્યું ઘરસૂત્ર. કર્મ0 ૧ કર્મ ન છૂટે રે પ્રાણિયા, પૂરવ નેહ વિકાર; નિજકુળ છંડી રે નટ થયો, નાણી શરમ લગાર કર્મ૦ ૨ માતા પિતા કહે પુત્રને, નટ નવિ થઈએ રે જાત; પુત્ર પરણાવું રે પદ્મણી, સુખ વિલસો દિનરાત કર્મ૦ ૩ કહેણ ન માન્યું રે તાતનું, પૂરવ કર્મ વિશેપ; નટ થઈ શીખ્યો રે નાચવા, ન મટે લખોયા રે લેખ. કર્મ૦ ૪ એક પુર આવ્યો નાચતો, ઉંચો વંશ વિશેષ; તિહાં રાય જોવાને આવ્યા, મળિયા લોક અનેક. કર્મ) ૫ ઢોલ બજાવે નટવી, ગાવે કિન્નર સાદ; પાય તળે ઘુઘરા ઘમઘમે, ગાજે અંબર નાદ. કર્મ૦ ૬ દોય પગ પહેરી રે પાવડી, વંશ ચાલ્યા ગજગેલ; નોંધારો થઈ નાચતો, ખેલે નવનવા ખેલ. કર્મ૦ ૭. નટડી રંભા રે સારિખી, નયણે દેખે રે જામ; જો અંતેઉરમાં એ રહે, જનમ સફળ મુજ તામ. કર્મ, ૮ ઈમ તિહાં ચિંતે રેભૂપતિ, ઉધ્યો નટવીની સાથ; જો નટ પડે રે નાચતો. તો નટડી કરૂં મુજ હાથ. કર્મ0 ૯ કર્મ વગેરે હું નટ થયો, નાચું છું નિરાધાર; મન નવિ માને રે રાયનું, તો શું કરવો વિચાર. કર્મ૧૦ દામ ન આપે રે ભૂપતિ, નટે જાણી તે વાત; હું ધન વંછું રાયનું, રાય વંછે મુજ ઘાત. કર્મ0 ૧૧ દાન લહું જો રાયનું તો મુજ જીવિત સાર; ઈમ મનમાંહે રે ચિંતવી, ચઢિયો ચોથી રે વાર. કર્મ૦ ૧૨
३८४
Page #416
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ
થાળ ભરી મોદક, પઘણી ઉભી છે બાર; લ્યો લ્યો કહે છે લેતાં નથી, ધનધન મુનિ અવતાર. કર્મ૦ ૧૩ એમ તિહાં મુનિવર વહોરતા, નટ દેખ્યા મહાભાગ; વિધિ વિષયારે જીવને; ઈમ નટ પામ્યો વેરાગ. કર્મ૦ ૧૪ સંવરભાવે રે કેવળી, થયો તે કર્મ ખપાય; કેવળ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. કર્મ૦ ૧૫
5. (૧૪) શ્રી અનાથી મુનિની સજઝાય ક
' ( રાગ કપુર હોય અતિ ઈજળો રે ). શ્રેણિક રવાડી ચડ્યો, પેખીયો મુનિ એકાંત; વરરૂપ કાંતે મોહિયો, રાય પૂછે રે કહોને વિરતંત, શ્રેણિકરાય ! હું રે અનાથી નિગ્રંથ; તેણે મેં લીધો રે સાધુજીનો પંથ, શ્રેણિક) (એ આંકણી) ૧ ઈણે કોસંબી નયરી વસે, મુજ પિતા પરિગળ ધન્ન; પરિવાર પૂરે પરિવર્યો, હું છું રે તેનો પુત્ર રતન્ન. શ્રે૨ એક દિવસ મુજને વેદના, ઉપની તે ન ખમાય; માતા પિતા ઝુરી રહ્યા, પણ કિણહિ રે તે ન લેવાય. છે૩ ગોરડી ગુણમણિ ઓરડી, મોરડી અબળા નાર; કોરડી પીડા મેં સહી, ન કોણે કીધી રે મોરડી સાર. શ્રે૦ ૪ બહુ રાજવૈદ્ય બોલાવીયા, કીધલા કોડી ઉપાય; બાવના ચંદન ચરચીયા, પણ તોહી રે સમાધિ ન થાય. ઍ૦ ૫ જગમાં કો કેહનો નહિ, તે ભણી હું રે અનાથ; વીતરાગના ધર્મસારિખો, નહિ કોઈ બીજો મુક્તિનો સાથ. શ્રે૦ ૬ જો મુજ વેદના ઉપશમે, તો લેઉં સંયમભાર; ઈમ ચિંતવતાં વેદના ગઈ, વ્રત લીધું મેં હર્ષ અપાર. શ્રે) ૭ કરજોડી રાજા ગુણ સ્તવે, ધન ધન એક અણગાર; શ્રેણિક સમકિત પામીયા, વાંદીપહોત્યો રે નગર મોઝાર. શ્રે) ૮
૩૮૫
Page #417
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મુનિ અનાથી ગુણ ગાવતાં, ગુટે કર્મની કોડ, ગણિ સમયસુંદર તેહનાં, વંદે રે બે કરજોડ. શ્રે૦ ૯
-
ક (૧૫) ઢંઢણષિની સઝાય 5
( રાગ-શુભ ભાવે કરી સેવીયે રે લાલ ). ઢંઢણઋષિને વંદણા, હું વરીલાલ, ઉત્કૃષ્ટો અણગાર રે; હું વારી૦ અભિગ્રહ લીધો આકરો, હું વારી૦ લબ્ધ લેશું આહાર રે. હું વારી ૧. દિન પ્રતે જાયે ગોચરી. હું વારી, ન મિલે શુદ્ધ આહાર રે. હું વારી) ન લિયે મૂળે અસુજતો, હું વારી૦ પિંજર હુઓ ગામ રે. હું વારી ૨. હરિ પૂછે શ્રી નેમિને, હું વારી મુનિવર સહસ અઢાર રે; હું વારી ઉત્કૃષ્ટો કોણ એહમેં, હું વારી) મુજને કહો કૃપાળ રે. હું વારી) ૩. ઢંઢણ અધિકો દાખીયો, હું વારી) શ્રી મુખ નેમિ નિણંદ રે, હું વારી૦ કૃષ્ણ ઉમાહ્યો વાંદવા, હું વારી) ધન્ય જાદવ કુળ ચંદ રે. હું વારી૦ ૪. ગલિ માંહે મુનિવર મળ્યા, હું વારી, વાંદે કૃષ્ણ નરેશ રે, હું વારી૦ કિણહી મિથ્યાત્વી દેખીને, હું વારી આવ્યો ભાવ વિશેષ રે. વારી, ૫. આવો અમ ઘર સાધુજી, હું વારી લ્યો મોદક છે શુદ્ધ રે; હું વારી. ઋષિજી લઈ આવીયા, હું વારી, પ્રભુજી પાસ વિશુદ્ધ રે. હું વારી. દ. મુજ લળે મોદક મિલ્યા હું વારી મુજને કહો કૃપાળ રે; હું વારી લબ્ધિ નહિ વત્સતાહરી, હું વારી શ્રીપતિ લબ્ધિ નિહાલ રે. હું વારી) ૭. તો મુજને લેવો નહિ, હું વારી ચાલ્યો પરઠણ કાજ રે; હું વારીવ ઈટ નિભાડે જોઈને હું વારીક કર્મ સમૂહ રે હું વારી૦ ૮. આવી શુદ્ધિ ભાવના, હું વારી૦ પામ્યા કેવળબાણ રે; હું વારી0 ઢંઢણઋષિ મુગતે ગયા, હું વારીકહે જિન હર્ષ સુજાણ રે. હું વારી૦ ૯.
E (૧૬) શ્રી બલભદ્રમુનિની સક્ઝાય |
શા માટે બાંધવ મુખથી ન બોલો, આંસુડે આનન ધોતા મોરારીરે; પુન્ય જોગે દડીઓ એક પાણી, જડ્યો છે જંગલ જાતાં
૩૮૬
Page #418
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
મોરારી, શા માટે બાંધવ મુખથી ન બોલો, (એ આંકણી) ૧. ત્રીકમ રીસ ચઢી છે તુજને, વનમાંહે વનમાળી રે મોરારી રે; વડીરે વારનો મનાવું છું વહાલા, તું તો વચન ન બોલે ફરીવાર મોરારી રે, શા માટે બાંધવ મુખથી ન બોલો, આંસુડે આનન ધોતા મોરારી રે, નગરી રે દાઝીને શુદ્ધિ ન લાધી; મ્હારીવાણી નિસુણ વ્હાલા મોરારી રે, આ વેળામાં લીધો અબોલો, કાનજી કાં થયા કાલા મોરારી રે. શા માટે શી શી વાત કહું શામળીયા, વિઠ્ઠલજી આ વેળા મોરારી રે; શા કાજે મુજને સંતાપો, હિર હસીને બોલો હેલા મોરારી રે; શા માટે પ્રાણ હમારો જાશે પાણીવિણ; અધઘડીને અણબોલે મોરારી રે; અતિ સઘળી જાએ અળગી, બાંધવ જો તું બોલે મોરારી રે. શા માટે પટ માસ લગે પાળ્યો છબીલો, હૈયા ઉપર અતિ હેતે મોરારી રે; સિંધુતટે સુરને સંકેતે, કરી દહન કરમ શુભ રીતે મોરારી રે. શા માટે સંયમ લઈ ગયો દેવલોકે, કવિ ઉદયરતન ઈમ બોલે મોરારી રે; સંસાર માંહે બળદેવ મુનિને, કોઈ નવ આવે તોલે મોરારી રે. શા માટે
× (૧૭) જીવને સમતા શિખામણની સજ્ઝાય
( રાગ-હો જિનવરજી નિજ દરિસણ દેખાડી )
હો પ્રીતમજી પ્રીતકી રીત, અનિત તજી ચિત્ત ધારીયે; હો વાલમજી વચન તણો અતિ ઉંડો મરમ વિચારીયે, હાંરે તુમે કુમતિ કે ઘેર જાવો છો, તુમ કુળમાં ખોટ લગાવો છો; ધિક્ક એંઠ જગતની ખાવો છો. હો પ્રીતમજી૦ ૧. અમૃત ત્યાગી વિષ પીઓ છો, કુમતિનો મારગ લિયો છો; એ તો કાજ અયુક્ત કીયો છો. હો પ્રીતમજી૦ ૨.એ તો મોહરાયકી ચેટી છે, શિવસંપત્તિ એથી છેટી છે; એ તો સાગર ગળતી પેટી છે. હો પ્રીતમજી૦ ૩. એ શંકા મેરે મન આવી છે. કિણવિધ એ તુમ ચિત્તભાવી છે; એ તો દાહણ જગમાં ચાવી છે. હો પ્રીતમજી૦ ૪. સહુ ઋદ્ધિ તમારી ખાએ છે, કરી કામણ ચિત્ત ભરમાએ છે; તુમ પુણ્ય યોગે એ પાએ છે. હો પ્રીતમજી૦ ૫. મત આંબા કાજ બાઉલ બોવો,
३८७
Page #419
--------------------------------------------------------------------------
________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા અનુપમ ભવ વિરથા નવિ ખોવો; અબ ખોલ નયણ પ્રગટ જોવો. હો પ્રીતમ) ૬. ઈવિધ સમતા બહુ સમજાએ, ગુણ અવગુણ કહી સહુ દરશાવે; સુણી ચિદાનંદ નિજ ઘર આવે. હો પ્રીતમજી૦ ૭.
(૧૮) શ્રી અધ્યાત્મની સઝાય 5 | ( રાગ-સાહીબા સાંભળો રે સંભવ અરજ હમારી ) આત્મધ્યાનથી રે સંતો સદા સ્વરૂપે રહેવું, કોઈને કાંઈ ન કહેવું કર્માધીન છે સૌ સંસારી, કોઈને કાંઈ ન કહેવું. આત્મ૦ ૧ કોઈજન નાચે કોઈ જન રૂવે, કોઈ જનિ યુદ્ધ કરંતા; કોઈજન જન્મે કોઈ જન હરખે, દેશાટન કોઈ કરતા. આત્મ૦ ૨ વેળુ પીલી તેલની આશા, મુરખ જન મન રાખે; બાવળીયો વાવીને આંબા, કેરી શું રસ ચાખે. આત્મ૦ ૩ વૈરી સાથે વેર ન કીજે, રાગી શું નહિ રાગ; સમભાવે સૌ જનને નીરખો, તો શિવસુખનો લાગ. આત્મ) ૪ જુઠી જગની પુગલ બાજી, ત્યાં નવી રહીએ રાજી; તન ધન જોબન સાથ ન આવે, આવે ન માત પિતાજી. આત્મ૦ ૫ લક્ષમી સત્તાથી શું થાવ, માનમાં જોજો વિચરી; એકદિન ઉડી જવું જ અંતે, દુનિયા સહુ વિસારી. આત્મ0 ૬ ભલા ભલા કેઈ ઉઠી ચાલ્યા, જોને કેઈક ચાલે; બિલાડીની દોટે ચડીયો, ઉંદરડો શું હાલે. આત્મ૦ ૭ કાળ ઝપાટા સહુને વાગે, જોગી જન મન જાગે; ચિદાનંદ ધન આતમ અર્થી, રહેજો સહુ વૈરાગે. આત્મ૦ ૮
-
--
-
---
(૧૯) શ્રી સ્થૂલભદ્રજીની સઝાય , | ( રાગ-ઓ જિનવરજી જિાન દરિસણ દેખાડી )
અહો મુનિવરજી માહરી ઉપર મહેર કરી ભલે આવ્યા, હું વાટ તુમારી જોતીથી, તુમ વિરહે નયણાં ભરતીથી; વલી દેવને
-૩૮૮
મ
Page #420
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યો કૃત સઝાય સંગ્રહ ઓલંભા દેતીથી. અહો મુનિવરજી) ૧. તમે ચતુર ચોમાસું કહી ચાલ્યા, તે ઉપર મેં દિન એ ગાળ્યા; હવે ભલું થયું નયણે ભાળ્યા. અહો મુનિવરજી) ૨. હવે દુઃખડા મારા ગયાં દૂરે, આનંદ નદી હરખે પૂરે; હવે ચિત્ત ચિંતા સઘલી ચૂરે. અહો મુનિવરજી૦ ૩. મારા તાપ ટલ્યા સઘલા તનનાં, મારા વિલય ગયા વિકલ્પ મનના; વલી ગૂઠા નીર અમૃત ધનના. અહો મુનિવરજી૦ ૪. એક ચોમાસું ને ચિત્રશાલી, એ નાટક ગીતતણી તાલી; મુજ સાથે રમીયે મન વાલી, અહો મુનિવરજી૦ ૫. તવ બોલ્યા શુલિભદ્ર સુણ બાળા, તુમ કરીશ ચિત્ત ચરિત્ર ચાળા; એ વાતતણા હવે ધો તાળા. ૬. અહો મનહરણી, તુમ મુઝ ઉપર રાગ સરાગ ન રાખો; અહો સુખકરણી, સંજમરસથી રાગ હૈયામાં : રાખો. ૭. હવે રસભરી વાત તિહાં રાખી, મેં સંયમ લીધું ગુરુસાખી; ચિત્ત ચોપે ચારિત્ર રસ ચાખી. અહો મનહરણ૦ ૮. હવે વિષય તૃષ્ણાની મન વારો, હવે ધરમ દયાથી દિલ ધારો; એ ભવોદધિથી આતમ તારો. અહો મનહરાણી) ૯. કોશ્યા મુનિ વચને પ્રતિબોધી, આશ્રવ કરણી તે સવિરોધી; તે વ્રત ચોથું લઈ થઈ સુધી, અહો મનહરણી) ૧૦. જે નર પ્રીત એહવી પાલે, જે વિષમ વિષયથી મન વાલે; તે તો આતમ પરિણતિ અજુઆલે, અહો મનહરણી) ૧૧. જે એહવા ગુણીના ગુણ ગાવે, જે ધરમ રંગ અંતર ધ્યાવે; તે તો મહાનંદ પદ નિશ્ચલ પાવે. અહો મનહરણી) ૧ ૨. કક (૨૦) શ્રી રહનેમિ ને રાજીમતીની સઝાય 5
( રાગ-વિનય કરે જો ચેલા વિનય કરે જો ) કાઉસ્સગ્ગ ધ્યાને મુનિ રહનેમિ નામે, રહ્યા છે ગુફામાં શુભ પરિણામે રે. દેવરિયા મુનિવર ! ધ્યાનમાં રહેજો, ધ્યાનથી હોય ભવનો પાર રે; દેવ) વરસાદે ભીનાં ચીવર મોકળાં કરવા, રાજુલ આવ્યા છે તેણે ઠામ રે દેવ૦ ૧. રૂપે રતિ રે વચ્ચે વર્જિત બાળા, દેખી ખોભાણે તિણે કામ રે; દેવ૦ દીલડું લોભાણું જાણી રાજુલ ભાખે, રાખો સ્થિર મન ગુણના ધામ રે. દેવ૦ ૨. જાદવ
૩૮૯
Page #421
--------------------------------------------------------------------------
________________
અહિંદ્રગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કુલમાં જિનજી નેમ નગીનો, વમન કરી છે મુજને તેણ રે. દેવ, બંધન તેહના તુમે શિવાદેવી જાયા, એવડો પટંતર કારણ કેણ રે. દેવ) ૩. પરદારા સેવી પ્રાણી નરકમાં જાય, દુર્લભબોધિ હોય પ્રાય રે; દેવ૦ સાધવી સાથે ચૂકી પાપ જે બાંધે, તેહનો છૂટકારો કદીય ન થાય રે. દેવ૦ ૪. અશુચિ કાયા રે મળમૂત્રની ક્યારી, તમને કેમ. લાગી એવડી પ્યારી રે; દેવ૦ હું રે સંયમી તમે મહાવ્રત ધારી, કામે મહાવ્રત જાશો હારી રે. દેવ૦ ૫. ભોગ વમ્યા રે મુનિ મનથી ન ઈચ્છ, નાગ અગંધન કુલના જેમ રે, દેવ) ધિક કુલ નીચા થઈ નેહથી નિહાલે, ન રહે સંયમ શોભા એમ રે. દેવ૦ ૬. એહવા રસીલાં રાજુલ વયણ સુણીને, બૂઝયા રહનેમિ પ્રભુજી પાસ રે; દેવ૦ પાપ આલોઈ ફરી સંયમ લીધું, અનુક્રમે પામ્યા શિવ આવાસ રે. દેવ૦ ૭. ધન્ય ધન્ય જે નરનારી શીયલને પાલે, સમુદ્ર તર્યા સમ વ્રત છે એહ રે; દેવ) રૂપ કહે રે તેહના નામથી હોવે, અમ મન નિર્મલ સુંદર દેહ રે. દેવ૦ ૮.
= (૨૧) શ્રી સૂર્યકાન્તાની સઝાય ક સરસતી સ્વામીને વિનવું, સદ્ગુરુ લાગું પાય ભવિયણ સાંભળો; સૂરિકાન્તા પૂછે પુત્રને, કેવા વહાલા તારા તાત. ભવિ૦ ૧ એશું બોલો રે મોરી માવડી, પિતા પિતા રે ગુરુને ઠામ, ભવિ૦ સૂરિકાન્તા મન ચિંતવે, નકામો ભરતાર. ભવિ૦ ૨ છઠ અઠમના પારણા, જમવા તેડું રાય; ભવિ) વિષ ઘોલીને વિષ ભેળવ્યું, જમવા આવે રાય. ભવિ૦ ૩ સોના કચોલે વિષ પીરસ્યા, જમવા આવ્યા રાય, ભવિ૦ રત્ન કચોલે વિષ પીરસ્યા, જમવા બેઠા રાય. ભવિ૦ ૪ ચતુર રાયે વિષ ઓળખું, ક્ષમા આણી ત્યાંય, ભવિ૦ નારી એ વિષની વેલડી રે, નારી નરકની ખાણ. ભવિ૦ ૫ ચળુ કરીને રાય ઉભા થયા, ગયા પૌષધશાલામાંય, ભવિ૦ ભોંય સંથારે રાયે કર્યો, લોચે એકાએક ભવિ૦ ૬
૩૯૦
Page #422
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
ભવિ
પરમ્પરા વાત સાંભળી, સૂરિકાન્તા આવે ત્યાંય; ભવિ૦ મારગ હેંડે મલપતી, મેલી છૂટી વેણ. મિત્રને કહે ખસ આઘા રહો, આ શું થયું તત્કાળ; ૐ હૈં કરતી હૈડે પડી, નખ દીધો ગલા હેઠ. અરિહંત મનમાં સમરીને, પહોંચ્યા દેવલોકમાંય; હીરવિજય ગુરુ હીરલો, ધન્ય એના પરિણામ. ભિવ ૯
વિ
૭
૩૯૧
ભવિ
ભવિ૦ ૮
મૈં (૨૨) શ્રી કલાવતીની સજ્ઝાય
નયરી કોસંબીનો રાજા રે કહીએ, નામે જયસિંહ રાય; બેન ભણી રે જેણે બેરખડાં મોકલીયાં, કરમા તે ભાઈના કહેવાય રે. ૧. કલાવતી સતી રે શિરોમણી નાર, પહેલીને રયણીએ રાજ પધારીયા, પૂછે બેરખડાની વાત; કહોને સ્વામી તમે બેરખડા ઘડાવ્યા, સરખી ન રાખી નાર રે. કરમા૦ ૨. બીજીને મહેલે રયણી રાજા પધારીયા, પૂછે બેરખડાની વાત; કહોને કોણે તમને બેરખડા ઘડાવ્યા, તું નથી શિયલવંતી નાર રે. કરમા૦ ૩. ઘણું જીવો જેણે બેરખડાં મોકલીયાં, અવસર આવ્યો એહ; અવસર જાણીને બેરખડાં મોકલીયાં, તેહ મેં પહેર્યાં છે એહ રે. કરમા૦ ૪. મારે મન એહ ને એને મન હુંય, તેણે મોકલીયા એહ; રાત દિવસ મારા હઈડે ન વિસરે, દીઠે હરખ ન માય રે. કરમા૦ ૫. એણે અવસરે રાજા રોષે ભરાણો. તેડાવ્યા સુભટ બે ચાર; સુકી નદીમાં છેદન કરાવી, ‘કર' લઈ વહેલો રે આવ રે. કરમા૦ ૬. સૂકું સરોવર લહેરે જાય, વૃક્ષ નવપલ્લવ થાય; ‘કર’ નવા આવે ને બેટડો ધવરાવે. તે શિયલ તણે સુપસાય, રે, કરમા૦ ૭. બેરખડા જોઈ રાજા મન વિમાસે, મેં કીધો અપરાધ; વિણ અપરાધે મેં તો છેદન કરાવીઆ, તે મેં કીધો અન્યાય રે. કરમા ૮. એણે અવસર રાજા ધાન ન ખાય, મોકલ્યા સુભટ બે ચાર; રાત-દિવસ રાજા મનમાં વિમાસે, જો આવે શિયલવંતી નાર રે. કરમા૦ ૯. એણે અવસરે શ્રી ભગવંત પધાર્યા, પૂછે પૂર્વભવની વાત; શા શા અપરાધ મેં કીધા પ્રભુજી, તે મેં કહોને આજ રે.
Page #423
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કરમા૦ ૧૦. તું હતી બાઈ રાજાની કુંવરી, એ હતો સુડાની તે જાત; સેજે સેજે તેં તો બાણ જ નાખ્યો, ભાંગી સુડાની પાંખ રે. કરમા૦ ૧૧. તમે તમારી વસ્તુ સંભારો, મારે સંજમ કેરો ભાવ; દીક્ષા લેશું ભગવંતની પાસે, પહોંચશું મુક્તિ મોઝાર રે, કરમા૦ ૧૨. પુત્ર હતો તે રાયને સોંપ્યો, પોતે લીધો સંજમ ભાર; હીરવિજય ગુરુ ઈણી પેરે બોલે, આવાગમન નિવાર રૈ, કલાવતી સતી શિરોમણિ નાર ૧૩.
(૨૩) શ્રી મરૂદેવી માતાની સજ્ઝાય
એક દિન મરૂદેવી આઈ, કહે ભરતને અવસર પાઈ રે; સુણો પ્રેમ ધરી૦ ૧. મારે રીખવ ગયો કોઈ દેશે, કેઈ વારે મુજને મળશે રે સુણો૦ ૨. તું તો ષટ્ ખંડ પૃથ્વી માણે, મારા સુતનું દુઃખ નિવ જાણે રે. સુણો૦ ૩. તું ચામર છત્ર ધરાવે, મારો રીખવ વિકટ પંથે જાવે રે. ૪. તું તો સરસા ભોજન આસી રીખવ નિત્ય ઉપવાસી રે. સુણો૦ ૫. તું તો મંદિર માંહે સુખ વિલસે, મારો અંગજ ધરતી ફરસે રે. સુણો૦ ૬. તું તો સ્વજન કુટુંબમાં મહાલે, મારો રીખવ એકલડો ચાલે રે. સુણો૦ ૭. તું તો વિષય તણા સુખ સુચે, મારા સુતની વાત ન પૂછે રે. સુણો૦ ૮. એમ કહેતી મરૂદેવી વયણે, આંસુ જળ લાગી નયણે રે. સુણો૦ ૯. એમ સહસ વર્ષને અંતે, લહ્યો કેવળ ઋષભ ભગવંતે રે. સુણો૦ ૧૦. હવે ભરત ભણે સુણો આઈ, સુખ દેખી કરો વધાઈ રે. સુણો૦ ૧૧. આઈ ગજખાંધ બેસાર્યા, સુત મળવાને પાઉં ધાર્યાં રે. સુણો૦ ૧૨. કહે એહ અપૂરવ વાજાં, કિહાં વાજે એ તાજાં રે, સુણો૦ ૧૩, તવ ભરત કહે સુણો આઈ, તુમ સુતની એ ઠકુરાઈ રે, સુણો૦ ૧૪. તુમ સુત આગે ઋદ્ધિ સૌની, તૃણ તોલે સુરનર બહુની રે. સુણો૦ ૧૫. હરખે નયણે જળ આવે. તવ પડળ બેઉ ખરી જાવે રે. સુણો૦ ૧૬ હું જાણતી દુઃખીયો કીધો, સુખીયો છે સહુથી અધિકો રે. સુણો૦ ૧૭ ગયો માહ અનિત્યતા આવે, તવ સિદ્ધ સ્વરૂપી થાવે રે. સુણો૦ ૧૮. જબ જ્ઞાનવિમળ વધુનારી, તવ પ્રગટી અનુભવ સારી રે. સુણો૦ ૧૯.
૩૯૨
Page #424
--------------------------------------------------------------------------
________________
-
-
- પૂર્વાચાયત સજઝાય સંગ્રહ ક (૨૪) શ્રી કૃષ્ણ-વાસુદેવની સઝાય
નગરી દ્વારિકામાં નેમિ જિનેશ્વર, વિચરંતા પ્રભુ આવે; કૃષ્ણ નરેશ્વર વધાઈ સુણી રે, જીત નિશાન બનાયે હો પ્રભુજી, નહિ જાઉં નરક ગેહે નહિ જાઉં હો નેમજી, નહિ જાઉં નરક ગેહે, (એ આંકણી) ૧. અઢાર સહસ સાધુજીને વિધિશું વાંધા અધિક હરખે; પછી નેમિ જિનેશ્વર કેરાં, ઉભા મુખડાં નિરખે. હો નહિ૦ ૨. નેમિ કહે તુમ ચાર નિવારી, ત્રણ્ય તણાં દુઃખ રહીયાં, કૃષ્ણ કહે હું ફરી ફરી વાંદુ, હર્ષ ધારી મન હૈયાં હો નહિ) ૩. નેમિ કહે એ ટાળ્યા નવિ ટળે, સો વાતે એક વાત; કૃષ્ણ કહે મ્હારા બાલ બ્રહ્મચારી, નેમિ જિનેશ્વર ભ્રાત. હો નહિ૦ ૪. સ્ફોટા રાજાની ચાકરી કરતા, રાંક સેવક બહુ રળશે; સુરતરુ સરીખા અફળ જશે ત્યારે, વિષ વેલડી કેમ ફળશે. હો નહિ૦ ૫. પેટ આવ્યો તે ભોરીંગ વેઠે, પુત્ર કપુત્ર જ જાયો; ભલો ભૂંડો પણ જાદવ કુળનો, તુમ બાન્ધવ કહેવાયો. હો નહિ૦ ૬. છપ્પન કોડ જાદવનો રે સાહેબો, કૃષ્ણ જો નરકે જાશે; નેમિ જિનેશ્વર કેરો રે બન્ધવ જગમાં અપજશ થાશે તો નહિ૦ ૭. શુદ્ધ સમકિતની પરીક્ષા કરીને, બોલ્યા કેવળ નાણી; નેમિ જિનેશ્વર દિયે રે દિલાસો, ખરો રૂપૈયો જાણી. હો નહિ૦ ૮. નેમિ કહે તુમ ચિંતા ન કરશો, તુમ પદવી અમ સરખી; આવતી ચોવિશીમાં હોશો તીર્થકર, હરિ પોતે મન હરખી. હો નહિ૦ ૯. જાદવકુળ અજવાળું રે નેમજી, સમુદ્ર વિજય કુળ દીવો; ઈન્દ્ર કહે રે શિવાદેવીનો નન્દન, ક્રોડ દિવાળી જીવો. તો નહિ૦ ૧૦.
ક (૨૫) શ્રી વંકચૂલની સઝાય ક.
( રાગ-કોઈલો મર્વત ધુંધલો રે લાલ ) જંબૂદ્વીપમાં દીપતું રે લાલ, ક્ષેત્ર ભરત સુવિશાળ રે; વિવેકી. શ્રીપુર નગરનો રાજી રે લાલ, વિમળશા ભૂપાળ રે. વિવેકી આદરજો કાંઈ આખડી રે લાલ. ૧. એ આંકણી સુમંગળા પટરાણીએ રે લાલ, જનમ્યા તે યુગલ અમૂલ રે;
-
---
-
-
૩૯૩
Page #425
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
વિવેકી. નામ ઠવ્યું દીય બાળનું રે લાલ, પુષ્પચૂલા વંકચૂલ રે, વિવેકી. આદરજો, ૨ અનુક્રમે ઉદ્ધત થયો રે લાલ, લોક કહે વંકચૂલ રે, વિવેકી. લોક વચનથી ભૂપતિ રે લાલ, કાક્યો સુત વંકચૂલ રે. વિવેકી, આદરજો. ૩. પુષ્પચૂલા લઈ બેનડી રે લોલ, પલ્લીમાં ગયો વંકચૂલ રે; વિવેકી. પલ્લીપતિ કર્યો ભિલડે રે લાલ, ધર્મ થકી પ્રતિકુળ રે. વિવેકી. આદરજો. ૪. સાત વ્યસન સરસે રમે રે લાલ, ન ગમે ઘર્મની વાત રે; વિવેકી. ધાડ પાડે ને ચોરી કરે રે લાલ. પાંચસે તેણી સંગાથ રે. વિવેકી. આદરજો૦ ૫. ગજપુરપતિ દીયે દીકરી રે લાલ, રાખવા નગરનું રાજ રે; વિવેકી. સિંહ ગુફા તિણે પલ્લીમાં રે લાલ, નિર્ભય રહે ભિલ્લરાજરે. વિવેકી. આદરજો. ૬. સુસ્થિત સદ્ગુરુથી તેણે રે લાલ, પામ્યા નિયમ તે ચાર રે; વિવેકી. ફળ અજાણ્યું કાગ માંસનો રે લાલ, પટરાણી પરિહાર રે. વિવેકી. આદરજો૦ ૭. સાત ચરણ ઓસર્યા વિના રે લાલ, ન દેવો રિપુશિર ઘાવ રે; વિવેકી. અનુક્રમે તે ચારે નિયમના રે લાલ, પારખાં લહે ભિલ્લરાય રે. વિવેકી. આદરજો) ૮. વંકચૂલે ચારે નિયમના રે લાલ; ફળ ભોગવિયાં પ્રત્યક્ષ રે; વિવેકી પરભવે સુરસુખ પામીયો રે લાલ, આગળ લહેશે મોક્ષ રે. વિવેકી. આદરજો) ૯. કષ્ટ પડે જે સાહસી રે લાલ, ન લોપે નિજ સીમ રે; વિવેકી, કહે મતિ નીકી તેહની રે લાલ, જેહ કરે ધર્મ નીમ રે. વિવેકી. આદરજો૦ ૧૦.
Bક (૨૬) શ્રી મૌન એકાદશીની સજઝાય , આજ હારે એકાદશી રે, નણદલ મૌન કરી મુખ રહીએ, પૂક્યાનો પડુત્તર પાછો, કેઈને કાંઈ ન કહીએ. આ૦ ૧
હારો નણદોઈ તુજને વ્હાલો, મુજને હારો વીરો; ધુમાડાના બાચકાં ભરતાં, હાથ ન આવે હીરો. આ૦ ૨ ઘરનો ધંધો ઘણો કર્યો પણ એક ન આવ્યો આડો; પરભવ જાતા પાલવ જાલે, તે મુજને દેખાડો. આ૦ ૩
૩૯૪
Page #426
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોમૃત સજ્ઝાય સંગ્રહ
માગશર સુદી અગીયારસ મ્હોટી, નેવું જિનના નિરખો; દોઢસો કલ્યાણક મ્હોટા, પોથી જોઈને હરખો. આછ સુવ્રત શેઠ થયો શુદ્ધ શ્રાવક, મૌન ધરી મુખ રહીયો; પાવક પુર સઘળો પરજાળ્યો, એહનો કાંઈ ન દહીયો. આ૦ ૫ આઠ પહોર પોસો તે કરીએ, ધ્યાન પ્રભુનું ધરીએ; મન વચન કાયા જો વશ કરીયે, તો ભયસાયર તરીએ. આ૦ ૬ ઈર્યા સમિતિ ભાષા ન બોલે, આડું અવળું પેખે; પડિકમણા શું પ્રેમ ન રાખે, કહો કિમ લાગે લેખે. આ૦ ૭ કર ઉપર તો માળા ફિરતી, જીવ ફરે મન માંહી; ચિત્તડુંને ચિહું દિશિયે દોડે, ઈણ ભજને સુખ નાંહી. આ૦ ૮ પૌષધશાળે ભેગાં થઈને, ચાર કથા વળી સાંધે; કાંઈક પાપ મિટાવણ આવે, બારગણું વળી બાંધે. આ૦ ૯ એક ઉદંતી આળસ મરડે, બીજી ઉંઘે બેઠી; નદીઓમાંથી કાંઈક નિસરતી, જઈ દરિયામાં પેઠી. આ૦ ૧૦ આઈ બાઈ નણંદ ભોજઈ, નહાની મોટી વહુને; સાસુ સસરો મા ને માસી, શિખામણ છે સહુને. આ૦ ૧૧ ઉદયરત્ન વાચક ઉપદેશે, જે નરનારી રહેશે; પોસામાંહે પ્રેમ ધરીને, અવિચળ લીલા લહેશે. આજ ૧૨
(૨૭) વણઝારાની સજ્ઝાય
૪
નરભવનગર સોહામણું વણઝારા રે,
પામીને કરજે વ્યાપાર, અહો મોરા નાયક રે;
સત્તાવન સંવરતણી, વણ૦ પાઠી ભરજે ઉદાર અહો૦ ૧ શુભ પરિણામ વિચિત્રતા, વણ૦ કરિયાણાં બહુ મુલ અહો મોક્ષનગર જાવા ભણી, વણ૦ કરજે ચિત્ત અનુકુળ. અહો૦ ૨ ક્રોધ દાવાનળ ઓલવે, વણ૦ માન વિષમ ગિરિરાજ; અહો૦ ઓલંઘજે હળવે કરી, વણ૦ સાવધાન કરે કાજ અહો૦ ૩
૩૯૫
Page #427
--------------------------------------------------------------------------
________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વંશજાળ માયાતણી, વણ૦ નવ કરજે વિશરામ; અહો ખાડી મનોરથ ભટતણી, વણ૦ પૂરણનું નહિ કામ. અહો, ૪ રાગદ્વેષ દોય ચોરટા, વણ૦ વાટમાં કરશે હેરાન, અહો૦ વિવિધ વિર્ય ઉલ્લાસથી, વણ૦ તે હણજે રે ઠાર. અહો૦ ૫ એમ સવિ વિઘન વિદારીને, વણ પહોંચજે શિવપુરવાસ અહો૦ ક્ષય ઉપશમ જે ભાવના, વણ૦ પોઠે ભર્યા ગુણરાશ. અહો૦ ૬ ખાયિક ભાવે તે થશે, વણ૦ લાભ હોશે તે અપાર; અહો૦ ઉત્તમ વણજ જે એમ કરે, વણo પદ્મ નમે વારંવાર. અહો૦ ૭
-
--
-
--
--
----
ક (૨૮) સહજાનંદીની સઝાય
| ( રાગ- બીજી અશરણ ભાવના ) સહજાનંદી રે આતમા, સૂતો કાંઈ નિશ્ચિત રે, મોહતણા રણીયા ભમે, જાગ જાગ મતિવંત રે; લૂટે જગતના જંત રે, નાખી વાંક અત્યંત રે, નરકાવાસ ઠવંત રે, કોઈ વિરલા ઉગરંત રે. સહ૦ ૧ રાગદ્વેષ પરિણતિ તજી, માયા કપટ કરાય રે, આકાશ કુસુમ પરે જીવડો, ફોગટ જનમ ગમાય રે; માથે ભય યમરાયનો રે, શ્યો મને ગર્વ ધરાય રે, સહુ એક મારગ જાય રે, કોણ જગ અમર કહાય રે. સહ૦ ૨ રાવણ સરીખા રાજવી, નાગા ચાલ્યા વિણ ધાગ રે; દશ માથા રણ રડવડ્યાં, ચાંચ દીએ શિર કાગ રે, દેવ ગયા સવિ ભાગ રે, ન રહ્યો માનનો છાગ રે, હરિ માથે હરિ નાગ રે, જો જો ભાઈઓના રાગ રે. સહo ૩ કેઈ ચાલ્યા કેઈ ચાલશે, કેતાં ચાલણહાર રે; મારગ વહેતો રે નિત્ય પ્રત્યે, જોતાં લગ્ન હજાર રે; દેશવિદેશ સુધાર રે, તે નર એણે સંસાર રે; જાતાં જમ દરબાર રે, ન જુવે વાર કુવાર રે. સહ૦ ૪
-
૩૯૬
Page #428
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ નારાયણપુરી દ્વારિકા, બળતી મેલી નિરાશ રે, રોતા રણમાં તે એકલાં, નાઠા દેવ આકાશ રે, કિહાં તરૂ છાયા આવાસરે, જળ જળ કરી ગયો સાસ રે, બળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવવાસ રે. સહ૦ ૫ ગાજી ગાજી બોલતા, કરતાં હુકમ હેરાન રે, પોઢયા અગ્નિમાં એકલાં, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરકપ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે. જેવું પીંપળ પાન રે, મ ધરો જૂઠ ગુમાન રે. સહ૦ ૬ વાલેસર વિના એક ઘડી, નવિ સોહાતું લગાર રે, તે વિના જનમારા વહી ગયો, નહિ કાગળ સમાચાર રે, નહિ કોઈ કોઈનો સંસાર રે. સ્વારથીયો પરિવાર રે, માતા મરૂદેવી સાર રે, પહોંત્યાં મોક્ષ મોઝાર રે. સહ૦ ૭ માતા પિતા સુત બંધવા, અધિકો રાગ વિચાર રે, નારી અસારી રે ચિત્તમાં, વિંછે વિષય ગમાર રે; જુઓ સૂરિકાંતા જે નાર રે, વિષ દીયો ભરતાર રે, નૃપ જિનધર્મ આધાર રે, સજ્જન નેહ નિવાર રે. સહ૦ ૮ હસી હસી દેતા રે તાળીઓ, શય્યા કુસુમની સાર રે, તે નર અંતે માટી થયા, લોક ચણે ઘરબાર રે; ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જાણી અસાર રે.. છોડ્યો વિષય વિકાર રે, ધન્ય તેહનો અવતાર રે. સહ૦ ૯ થાવસ્યાસુત શિવ વર્યા, વળી એલાચીકુમાર રે, ધિક્ ધિક વિષયા રે જીવન, લઈ વૈરાગ્ય રસાળ રે; મહેલી મોહ જંજાળ રે, ઘર રમે કેવળ બાળ રે, ઘચ કરકંડુ ભૂપાળ રે.
સહ૦ ૧૦. શ્રી શુભવિજય સુગુરુ લહી, ધર્મ રયણ ધરો છેક રે, વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે, ન ગમે તે નર ભેક રે, ધરતા ધર્મની ટેક રે, ભવજળ તરિયા અનેક રે.
સહ૦ ૧૧
૩૯૭
Page #429
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
૬ (૨૯) શ્રી આત્મશિખામણની સજઝાય
(મન મંદિર આવો રે.એ દેશી) અનુભવીયાંના ભવિયા રે, જાગીને જોજો; આગલ સુખ છે કેવાં રે, જીવો તે જોજો. ૧ બાળપણે ધર્મ ન જાણ્યો રે, તે રમતાં ખોયો, જોબનમેં મદ માતો રે, વિષયમાં મોહ્યો. ૨ ધર્મની વાત ન જાણી રે, ખોટી લાગી માયા; જોબન જશે જરા આવશે રે, ત્યારે કંપશે કાયા. ૩ મોહમાયામાં માગ્યો રે, સમકિત કિમ વરશ્ય; ક્રોધ વ્યાપ્યો છે સબલો રે, બોલતો નવિ ખલશે. ૪ ધનને કાજે ઘસમસતો રે, હિંડે હલફલતો; પાસે પૈસો પૂર છે રે, પુચ નથી કરતો. ૫ તેમને નાસિકા ગલશે રે, વલી વળશ્યો વાંકા; બોલ્યું કોઈ ન માનશે રે, ત્યારે પડશો ઝાંખા. ૬ દાંત પડ્યા મુખ ખાલી રે, ત્યારે કેહને કહેશો; ધર્મની વાત ન જાણી રે, પ્રભુજીને કિમ મલશ્યો. ૭ - ઉંબર ડુંગર થાશે રે, ગોલી થાશે ગંગા; પ્રભુજીનું નામ સંભારો રે, હોવે જિન રંગા. ૮ શેરી પરશેરી થાશે રે, ત્યારે બેસી રહેશો; લોભને લલુતા વધશે રે, બેઠા કચ કચ કરશો. ૯ શ્રીકરડાની વહૂઓ રે, રીસડીએ બળશે; એ ઘરડા ઘરમાંથી રે, કે દાડે ટળશે. ૧૦ પીપલ પાન ખરંતા રે, હસતી કુંપલીયાં; અમ વીતી તમ વિતશે રે, ધીરી બાપડીયાં. ૧૧ રાવણ સરિખા રાજવી રે, ગયા જનમારો ખોતાં; પાપી હાથ ઘસતા રે, જાણે જમ્યા નોતા. ૧૨
૩૯૮
Page #430
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ ધન તે જિહાં તિહાં રહેવે રે, એકાકી જવો; લોભને લલુતા મૂકી રે, અરિહંતને ધ્યાવો. ૧૩ શિવરમણી સુખ ચાખો રે, અનુભવનો મેવો; ચેતવું હોય તો ચેતજો રે, સંસાર છે એવો. ૧૪ કવિ ઋષભની શિખડી રે, હૃદયમાં ધારો;
જીતી બાજી હાથથી રે, તમે કિમ વિસારો. ૧૫ ૬ (૩૦) ઋતુવતી અસઝાય નિવારક સજઝાય 5
(અડશો માંજો-એ દેશી) સરસતી માતા આદિ નમીને, સરસ વચન દેનારી, અસઝાયનું સ્થાનક બોલું, ઋતુવંતી જે નારી, અલગી રહેજે, ઠાણાં સૂત્રની વાણી કાને સુણજે. અ૦ ૧ મોટી આશાતના ઋતુવંતીની, જિનજીએ પ્રકાશી; મલિનપણું જે મન નવિ ધારે, તે મિથ્થામતિ વાશી. અ૦ ૨ પહેલે દિન ચંડાલણી સરિખી, બ્રહ્મઘાતિની વલી બીજે; પરશાસને કહે ધોબણ ત્રીજે, ચોથે શૂદ્રી વદીજે. અ૦ ૩ ચોથે દિવસે દરિસણ સૂઝે; સાતે પૂજા ભણીયે; ઋતુવંતી મુનિને પડિલાભે, સદ્ગતિ સહેજે હણીયે. અ૦ ૪ ઋતુવંતી પાણી ભરી લાવે, જિનમંદિર જલ લાવે; બોધિ બીજ નવિ પામે ચેતન, બહુલ સંસારી થાવે. અ૦ ૫ અસક્ઝાઈમાં જમવા બેસે, પાંત વિચે મન હિંસે; નાત સર્વ અભડાવી જમતી, દુર્ગતિમાં બહુ ભમશે. અ૦ ૬ સામાયિક પડિક્કમણે ધ્યાને, સૂત્ર અક્ષર નવિ જોગી; કોઈ પુરુષને નવિ આભડીયે, તસ ફરસે તન રોગી. અ૦ ૭. જિનમુખ જોતાં ભવમાં ભમીયે, ચંડાલણી અવતાર; ભુંડણ લુંટણ સાપિણી હોવે, પરભવે ઘણીવાર. અ૦ ૮ પાપડ વડી ખેરાદિક ફરસી, તેહનો સ્વાદ વિણાસે; આતમનો આતમ છે સાખી, હૈડે જોને તપાસી. અo ૯
૩૯૯
Page #431
--------------------------------------------------------------------------
________________
અહં ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જાણી ઈમ ચોખાઈ ભજીયે, સમકિતકિરિયા શુધ્ધિ; 2ષભવિજય કહે જિન આણાથી વહેલાં વરશો સિદ્ધિ. અ૦ ૧૦
E (૩૧) હિત શિખામણની સઝાય :
| (સાંભળજો મુનિ સંયમરાગે-એ દેશી) ગર્ભવાસમાં એમ ચિંતવતો, ધર્મ કરીશ હું ધાઈ રે, ઉંધે મસ્તક મલ મૂતરમાં, ગમતું નથી મુજ ભાઈ રે. ૧ જો રે જીવડાં તું રે વિચારી, આયુ ખૂટે દિનરાત રે; પંથિ મેળા સમ સર્વસંબંધી, નિજનિજ મારગ જાત રે. જો૦ ૨ જન્મથયોતવ તેહ વિસરીયો, ઉહ ઉહાં એમ કહેતો રે; મૂઢપણે રમત બહુ કરતો, પરવશ દુઃખ લહંતો રે. જો૦ ૩ યૌવન વય વિષયા સંગ લીનો, તરૂણી રસમાં રાતો રે; અશન વસન આરંભ પરિગ્રહ, રહે સદા મદમાતી રે. જો૦ ૪ ધર્મ ન કીધો ધન બહુ વિંછી, પુત્રાદિક પરિવરીયો રે; સગા સહોદર સગપણ કરતાં, મનમાં કાંઈ ડરીઓ રે. જો) ૫ પચાસ સાઠ વરસ લગે પહોતો, તોહી નાથ ન ગાયો રે; આશા બંધન પડીયો પ્રાણી, લક્ષ્મી કમાવા ધાયો રે. જો૦ ૬ સીત્તેર એસીએ બલણો, ઓશીઆળો તિહાં થાય રે; ઘડપણનાં દુઃખ છે અતિ મોટા, કહ્યું ન કરે કોઈ કાંય રે જો) ૭ પત્ની પ્રેમવતી પણ અળગી, સ્વારથ ન થયો પુરો રે; ડગમગતો લાકડીએ હિંડે, શ્વાસ ચડે ભલપૂરો રે. જો) ૮ પરવશ પાસ પડયા તું જીવડા, વિશ્વાસે ધન ખોઈ રે; ધરમ કરમ સઘલાં નવિ થાયે, રહ્યો ઉદાસે રોઈ રે. જો ૯ નેવું ઉપર સો વરસ લાગે, હોય આયુષ્યની દોરી રે; હાથે કર્યું તે સાથે આવે, આશા ફલે સવિ તોરી રે. જો ૧૦ એમ સમજીને ધર્મ કરો જીવ આગળ સુખ ઘણેરાં રે; હરવર્ધન શિષ્યક્ષેમપર્યાપે, હિત વચન એહ ભલેરાં રે. જો૦ ૧૧
૪૦૦
Page #432
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સજઝાય સંગ્રહ
(૩૨) વૈરાગ્યની સજઝાય SF ઉચાં તે મંદિર માળીયા, સોડ વાળીને સૂતો; કાઢો કાઢો રે એને સૌ કહે, જાણે જન્મ્યો જ નહોતો; એક રે દિવસ એવો આવશે, મન સબળો જી સાલે.
(એ આંકણી) ૧ અબુધપણામાં રે હું રહ્યો, મન સબળોજી સાલે; મંત્રી મળ્યા સવિ કારમા, તેનું કાંઈ નવ ચાલે. એક ૨૦ ૨ સાવ સોનાનાં રે સાંકળા, પહેરણ નવ નવા વાઘા; ધોળું વસ્ત્ર એના કર્મનું, તે તો શોધવા લાગ્યા. એક રે૦ ૩ ચરૂ કઢાઈયા અતિઘણાં, બીજાનું નહિ લેખું; ખોખરી હાંડલી એના કર્મની, તે તો આગળ દેખું. એક રે૦ ૪ કોના છોરું ને કોનાં વાછડું, કોનાં માય ને બાપ; અંત કાળે જાવું જીવને એકલું, સાથે પુન્ય ને પાપ. એક ૨૦ ૫ સગી રે નારી એની કામિની, ઉભી ડગમગ જુએ, તેનું પણ કાંઈ ચાલે નહિ, બેઠી ધ્રુસકે રૂ. એક રે૦ ૬ હાલાં તે વ્હાલાં શું કરો, વ્હાલાં વોળાવી વળશે; હાલાં તે વનનાં લાકડાં, તે તો સાથે જી બળશે. એક રે૦ ૭. નહિ ત્રાપો નહિ તુંબડી, નથી કરવાનો આરો; ઉદયરતન મુનિ ઈમ ભણે, મને ભવપાર ઉતારો. એક ૨૦ ૮
" (૩૩) શ્રી ખગકુમારની સજઝાય SF એવંતી નગરી સોહામણી, રાજા કેતુ રે નામ; વન ગયા મુનિને વાંદવાજી રે, ત્યાં ઉપન્યો વૈરાગ્ય,
| મુનિશ્વર ! જૂવો ભગવંતના કહેણ. ઘેર આવી કહે માયને જી રે, અમે લઈશું સંજમ ભાર; કુંવર અમારો નાનકડો જી રે, એ અણઘટતું થાય. મુ૦ ૨ વાઘ સિંહ વનમાં વસે જી રે, ખગકુમાર કેમ જાય; પાંચશે સુભટ આગળ કર્યા રે, મેલ્યા કુમારની સાથ. મુ0 ૩
૪૦૧
Page #433
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સાવત્થી નગરીમાં આવી જી રે, શ્રાવક હરખા અપાર; આ નગરી બનેવી તણી રે, હૈડા હરખા અપાર. મુ૦ ૪ જન સઘળા જમવા ગયા જી રે, જતિને મેલીયા રે એક; આહાર લેવા જબ ઉઠીયા જી રે, સાવત્થી નયરીમાં જાય. મુળ ૫ રાયને રાણી નીરખતાજી રે, નયણે વછૂટ્યા નીર; આવો તો મારો બાંધવોજી રે, ક્રોધ ચડ્યો અપાર. મુ૦ ૬ સાથે તે જનને બોલાવીયાજી રે, જતિને ઘો પ્રહાર; જન જઈ ઋષિને મલ્યાજી રે, વચને ઝાલી લ્યો રે હાથ. મુ૦ ૭. મસાણ ભૂમિ લઈ ગયાજી રે, કંપ્યા નહિ રે લગાર; ત્વચા ઉતારી જીવતાંજી રે, હણ્યો નાનેરો બાળ. મુ૦ ૮ જન જમીને આવીયાજી રે, શોધવા લાગ્યો રે વચ્છે; તે નયણે દેખે નહિજી રે, હૈડા ફાટી રે જાય. મુ૦ ૯ જન જઈ રાજાને મલ્યાજી રે, રાજા પૂછે રે વાત; કઈ નગરીના કયાં વસોજી રે, રહેતાં કેણી રે પાસ. મુ૦ ૧૦ અવંતિ નયરી સોહામણીજી રે, રાજા કેતુ રે રાય; ખગ્નકુમારે દીક્ષા ગ્રહોજી રે, રહેતા તેની પાસ. મુ૦ ૧૧ વિના વિચારે મેં કર્યું જી રે, હણતા ન કર્યો વિચાર; હા! હા! અણઘટતું મેં કર્યું જી રે, હણ્યો રાણીનો વીર. મુ) ૧૨ રાણીએ સંજમ આદર્યોજી રે, રાજા જંપ ન થાય; ઘેર જવું ગમતું નથીજી રે, લીધો સંજમ ભાર. મુ૦ ૧૩ પાંચશે સુભટ ભેળા થઈજી રે, મળીને કરે રે વિચાર; પંચ સમિતિ ત્રણ ગુપ્તિજી રે, મળીને કીધો વિચાર. મુ૦ ૧૪ તપ કરતાં અતિ આકરોજી રે, કરતા ઉગ્ર વિહાર કર્મ ખપાવી હુઆ કેવળજી રે, પહોંચ્યા મુક્તિ મોઝાર. મુ૦ ૧૫ હીરવિજયની વિનતિજી રે, લબ્ધિ વિજયની રે જોડ; આ સઝાય ભણતાં થકાંજી રે, સૌને ઉપજે વૈરાગ. મુ૦ ૧૬
-
૪૦૨
Page #434
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સઝાય સંગ્રહ F (૩૪) શ્રી જંબૂસ્વામીની સજઝાય સરસ્વતી સ્વામીને વિનવું, સદ્ગુરુ લાગું છું પાય; ગુણરે ગાશું જંબુસ્વામીના, હરખ ધરી મન માંય. ધન ધન ધન જંબૂસ્વામીને. એ ટેક0 ૧ ચારિત્ર છે વચ્છ દોહિલું, વ્રત છે ખાંડાની ધાર; પાયે અણવાણેજી ચાલવું, કરવાજી ઉગ્ર વિહાર. ધન૦ ૨ મધ્યાહ્ન પછી કરવી ગૌચરી, દિનકર તપે રે નિલાડ; વેળુ કવળ સમ કોળિયા, તે કિમ વાળ્યા એ જાય. ધન૦ ૩ કોડી નવ્વાણું સોવન તણી, તમારે છે આઠેજી નાર; સંસાર તણા સુખ માણ્યાં નહિ, ભોગવો ભોગ ઉદાર. ઘન૦ ૪ રામે સીતાને વિજોગડે, બહોત કિયા રે સંગ્રામ; છતી રે નારી તુમે કાંઈ તજો, કાંઈ તજો ધન ને ધામ. ઘન, ૫ પરણીને શું પરિહરો, હાથ મલ્યાના સંબંધ; પછી તે કરશો સ્વામી ઓરતો, જિમ કિધો મેઘ મુણાંદ. ધન૦ ૬ જંબુ કહે રે નારી સુણો, અમ મન સંયમ ભાવ; સાચો સ્નેહ કરી લખવો, તો સંયમ લ્યો અમ સાથ. ધન૦ ૭ તેણે સમે પ્રભવોજી આવીઓ, પાંચશે ચોર સંઘાત, તેને પણ જંબુસ્વામીએ બૂઝવ્યો, બૂઝવ્યા માત ને તાત. ધન૦ ૮ સાસુ સસરાને બૂઝવ્યા, બૂઝવી આઠે નાર; પાંચસે સત્તાવીશ શું, લીધોજી સંયમભાર. ધન૦ ૯ સુધર્માસ્વામી પાસે આવીયા, વિચરે છે મનને ઉલ્લાસ; કર્મ ખપાવી કેવળ પામીઆ, પહોંયાજી મુક્તિ મોઝાર. ધન૦ ૧૦ A B (૩૫) શ્રી અઈમુત્તામુનિની સઝાય : વીર સિંદ વાદીને ગૌતમ, ગૌચરિયે સંચરિયા, પોલાસપુર નગરીમાં મુનિવર, ઘરઘર આંગણ ફરીયા, આઘા આમ પધારો પૂજ્ય, અમઘર હોરણ વેળા. એ ટેક૦ ૧
૧૦૩F
Page #435
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ઈંણ અવસરે અઈમુત્તે રમતાં, મન ગમતા મુનિ દીઠા, કંચન વરણી કાયા દેખી, મનમાં લાગ્યા મીઠાં. આ બોલે કુમર અમીરસ વાણી, તેહ કહો અભિરામે; ખરે બપો૨ે પાય અણવાણે, ભમવું તે કણ કામે. આ૦ ૩ સાંભળ રાજકુમાર સોભાગી, શુદ્ધ ગવેષણા કીજે; નિર્દેષણ ને નિરતિચારી, ભાવે ભિક્ષા લીજે. આ૦ આવો આજ અમારે મંદિર, કહેશો તે વિધિ કરશું; જે જોઈએ તે જીગતિ કરીને, ભાવે ભિક્ષા ઘરશું. આ૦ ૫ એમ કહી ઘર તેડી ચાલ્યાં, આવ્યા મન આણંદે; અઈમુત્તા સું ગૌતમ દેખી, શ્રીદેવી પય વંદે. આ૦ s આજ અમારે રત્ન ચિંતામણી, મેહ અમીરસ વુઠ્યાં; કે અમ આંગણ સુરતરુ ફળીયા, અમપર ગૌતમ તુછ્યા. આ૦ ૭
૨
૪૦૪
૪
રે બાલુડા બહુ બુદ્ધિવંતા, ગૌતમ ગણધર આવ્યા; થાળ ભરી મીઠા મોદક, ભાવ સહિત વહોરાવ્યા. આ૦ ૮ પય પ્રણમી અઈમુત્તો પૂછે, કિહાં વસો કૃપાળ; વસીયે વીર સમીપે સુણીને, સાથે ચાલ્યા સુકુમાળ. આ૦ ૯ કુમર કહે એહ ભાજન આપો, ભાર ઘણો તુંમ પાસે; ગૌતમ કહે અમે એહને દઈએ, ચારિત્ર લે પ્રભુ પાસે. આ૦ ૧૦ ચારિત્ર લઈશ હું પ્રભુ પાસે, ઝોળી દીયો મુજ હાથે; ગૌતમ પૂછે અનુમતિ કેહની માટે મોકલ્યા અમ સાથે. આ૦ ૧૧ વીર વાંદી જિનવાણી સુણીને, આવ્યા ઘર ઉલ્લાસે; અનુમતિ આપો માતા મુજને, દીક્ષા લેઉ પ્રભુ પાસે. આ૦ ૧૨ શ્રીદેવી કહે સુણ નાનડીયા, સંયમની શી વાતો; શું જાણે તું બાળપણામાં, આગમના અવદાતો. આ૦ ૧૩ વિનય કરીને માત પિતાને, કહે કુમર કુળ ભાણું; જે જાણું તે હું નવિ જાણું, જાણું નવિ તે જાણું. આ૦ ૧૪
Page #436
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સક્ઝાય સંગ્રહ
એક દિવસનું રાજ્ય કરીને, માય મનોરથ પૂરે; સંયમ લીધો વીર જિન પાસે, દુર્ગતિ કરવા દૂર. આ૦ ૧૫
વિર સાથે ચંડિલે પહોંટ્યાં, નીર વહેતો દીઠો; બાંધીને પડઘો મેલ્યો, કૌતક લાગ્યો મીઠો. આ૦ ૧૬ ન્હાનું સરોવર હાનું ભાજન, નાવ કર્યું અઈમુત્તે; રઢિયાળી રમતા દેખીને, બાળક્રીડા કરી રમતે. આ૦ ૧૭ મધુર વચને મુનિવર બોલ્યા, નાવા તરતી જોઈ; રમત દેખી ઋષીશ્વર બોલે, હિંસા જીવની હોઈ. આ૦ ૧૮ બોલાવી મુનિ કહે બાળકને, એ આપણ નવિ કીજે; છકાય જીવ વિરાધના કરતાં, દુર્ગતિના ફળ લીજે. આ૦ ૧૯ લાજ ઘણી મનમાંહે ઉપની, સમવસરણ બિચ આયા; ઈરિયાવહીને તિહાં પડિક્કમતાં, ધ્યાન શુક્લમનધ્યાયા. આ૦ ૨૦ સ્થવિર જઈ ભગવંતને પૂછે, ભવ કેટલા હવે કરશે; ચરમશરીરી છે અઈમુત્તો, ઈણભવ મુકિત વરશે. આ૦ ૨૧ પંચ આચાર શુદ્ધ મને પાળી, અંગ ઈગ્યાર મુખ કીધા; ગુણરત્ન સંવચ્છર તપ કીધો, અંતગડ કેવલી સિદ્ધા. આ૦ ૨૨ અંતગડ ભગવતી મધે, એહ કહ્યો અધિકાર; રત્નસાગર કહે એ મુનિ વંદું, અઈમુત્તો અણગાર. આ૦ ૨૩ (૩૬) શ્રી મૂર્ખને પ્રતિબોધની સઝાય SF,
(રાગ-વિસરું નહિ પ્રભુનામ કદી હું) જ્ઞાન કદી નવ થાય, મૂરખને જ્ઞાન કદી નવ થાય; કહેતાં પોતાનું પણ જાય, મૂરખને૦ ૧ શ્વાન હોય તે ગંગાજળમાં, સો વેળા જો હાય; અડસઠ તીરથ ફરી આવે પણ, શ્વાનપણું નવિ જાય. મૂ૦ ૨ દૂર સર્પ પયપાન કરતાં, સંત પણું નહિ થાય; કસ્તૂરીનું ખાતર જો કીજે, વાસ લસણ નવિ જાય. મૂ૦ ૩
{૪૦૫
Page #437
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વર્ષા સમે સુગ્રી તે પક્ષી, કપિ ઉપદેશ કરાય; તે કપિને ઉપદેશ ન લાગ્યો, સુગ્રી ગૃહ વિંખાય. મૂ૦ ૪ નદી માંહે નિશદિન રહે પણ, પાષાણ પણું નવિ જાય; લોહ ધાતુ ટંકણ જો લાગે, અગ્નિ તુરત ઝરાય. મૂળ ૫ કાગ કંઠમાં મુકતાફળની, માળા તે ન ધરાય; ચંદન ચર્ચિત અંગ કરીને, ગર્દભ ગાય ન થાય. મૂ૦ ૬ સિંહ ચરમ કોઈ શિયાળસુતને, ધારે વેષ બનાય; શિયાળસુત પણ સિંહ ન હોવે, શિયાળપણું નવિ જાય. મૂ) ૭ તે માટે મૂરખથી અળગા રહે તે સુખીયા થાય; ઉખર ભૂમિ બીજ ન હોવે, ઉલટું બીજ તે જાય. મૂ૮ સમકિતધારી સંગ કરીને, ભવ ભય ભીતિ મિટાય; મયાવિજય સદ્ગુરુ સેવાથી, બોધિબીજ સુખ થાય. મૂ૦ ૯
F (૩૭) ઉપદેશક સઝાય ,
| (રાગ-સુખના હો સિંધુ રે) મનુષ્યભવનો ટાણો રે કાલે વહી જશેરે, અરિહંત ગુણ ગાવો નરનાર; રત્નચિંતામણિ આવ્યો હાથમાં રે; ભગવંત ગુણ ગાવો નરનાર. મનુષ્ય૦ ૧. બળદ થઈને રે બહુ ચિલા ચાંપશો રે, મલશે વળી ચોરાશીની ચાલ; નેતર બાંધી ઘાણીમાં ફેરવશે રે ઉપર બેસી મુરખ દેશે માર. મનુષ્ય૦ ૨ કૂતરા થઈને ઘર ઘર ભટકશો રે, ઘરમાં પેસવા ન દીયે કોય; કાનમાં કીડા રે પડશે અતિઘણા રે, ઉપર પડશે લાકડીનો માર. મનુષ્ય૦ ૩. ગધેડા થઈને રે ગલીઓમાં ભટકશો રે, ઉપાડશો અણતોલ્યા ભાર; ઉકરડાને ઓથે રે જઈને ભૂકશો રે, સાંજ પડે ઘણી ન લેશે સંભાળ. મનુષ્ય૦ ૪. ભેડ થઈને રે પાદર ભટકશો રે, કરશો વલી અશુચિના આહાર; નયણે દીઠો રે કોઈને નવિ ગમે રે. ઉપર પડશે પથરાના પ્રહાર. મનુષ્ય૦ ૫. ઘોડા થઈને રે ગાડીઓ ખેંચશો રે, ઉપર પડશે ચાબુકના માર; એકડો ચઢાઈ રે ઉપર
૪૦૬
Page #438
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ બેસશે રે, રાયજાદા અસવાર. મનુષ્ય૦ ૬. ઉંટ થઈને રે બોજા ઉપાડશો રે, ચરશો રે વલી કાંટા ને કંથાર; હાથને હડસેલે રે ઘર ભેગા થશો રે, ઉપર પડશે પાટુઓના માર. મનુષ્ય૦ ૭. ઝાડ થઈને રે વનમાં ઝુરશો રે, સહશો વલી તડકા ને ટાઢ; ડાળને પાંદડે રે પંખી માલા ઘાલશે રે, ઉપર પડશે કુહાડાંના ઘા. મનુષ્ય૦ ૮. ઉત્તમ નરભવ ફરી ફરી આતમા રે, મલવો છે મુશ્કેલ; એવી રૂપવિજયની શીખડી રે, સાંભળજો અમૃતવેલ. મનુષ્ય૦ ૯.
ક (૩૮) શ્રી પાંચમા આરાની સઝાય વીર કહે ગૌતમ સુણો, પાંચમા આરાનો ભાવ રે; દુઃખીયા પ્રાણી અતિ ઘણા, સાંભળ ગૌતમ સુભાવ રે. વર૦ ૧ શહેર હોશે રે ગામડાં, ગામ હોશે સ્મશાન રે; વિણ ગોવાળે રે ધણ ચરે, જ્ઞાન નહિ નિર્વાણ રે. વી૨૦ ૨ મુજ કેડે કુમતિ ઘણા, હોશે તે નિરધાર રે; જિનમતિની રૂચિ નવિ ગમે, થાપશે નિજમતિ સાર રે. વિર૦ ૩ કુમતિ ઝાઝા કદાગ્રહી, થાપશે આપણા બોલ રે; શાસ્ત્રમાર્ગ સવિ મૂકશે, કરશે નિજ મત મોલ રે. વિર૦ ૪ પાખંડી ઘણા જાગશે, ભાંગશે ધર્મના પંથ રે; આગમ મત મરડી કરી, કરશે નવા વળી ગ્રંથ રે. વિર૦ ૫ ચારણીની પરે ચાળશે, ધર્મ ન જાણે લેશ રે; આગમ શાખાને ટાળશે, પાળશે નિજ ઉપદેશ રેવિર૦ ૬ ચોર ચરડ બહુ લાગશે, બોલી ન પાળે બોલ રે; સાધુજન સીદાયશે, દુર્જન બહુલા મોલ રે. વી૨૦ ૭ રાજા પ્રધાને પડશે, હિંડશે નિર્ધન લોક રે; માગ્યા ન વરસશે મેહુલા, મિથ્યાત્વ હોશે બહુ થોક રે. વિર૦ ૮ સંવત ઓગણીશ ચૌદોત્તરે, હોશે કલંકી રાય રે; માતા બ્રાહ્મણી જાણીયે, બાપ ચાંડાળ કહેવાય રે. વીર૦ ૯
૪૦૭
Page #439
--------------------------------------------------------------------------
________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
છયાશી વર્ષનું આયખું પાડળી પુરમાં હોશે રે; તસુ સુત દત્ત નામેં ભલો શ્રાવક મૂળ શુભ પોષે રે. વિર૦ ૧૦ કૌતુકી દામ ચલાવશે, ચર્મતણા તે જોય રે; ચોથ લેશે ભિક્ષા તણી, મહા આકરા કર હોય રે. વીર૦ ૧૧ ઈદ્ર અવધિયે જોયતા, દેખશે એહ સ્વરૂપ રે; દ્વિજ રૂપે આવી કરી, હણશે કલંકી ભૂપ રે. વર૦ ૧૨ દત્તને રાજ્ય વ્યાપી કરી, ઈદ્ર સુરલોકે જાય રે, દત્ત ધર્મ પાળે સદા, ભેટશે શત્રુંજયગિરિ રાય રે. વર૦ ૧૩ પૃથ્વી જિનમંડિત કરી, પામશે સુખ અપાર રે; દેવલોકે સુખ ભોગવે, નામે જયજયકાર રે. વર૦ ૧૪ પાંચમા આરાને છેડલે, ચતુર્વિધ શ્રી સંઘ હોશે રે; છઠો આરો બેસતાં, જિનધર્મ પહિલો જાશે રે. વિર૦ ૧૫ બીજે અગની જાયશે, ત્રીજે રાય ન કોય રે, ચોથે પ્રહરે લોપના, છ આરે તે હોય રે. વર૦ ૧૬
| (દોહા) છઠે આરે માનવી, બિલવાસી સવિ હોય; વીસ વર્ષનું આઉખું, પણ્ વર્ષે ગર્ભ જ હોય. ૧૭ સહસ ચોરાશી વર્ષપણે, ભોગવશે ભવિ કર્મ; તીર્થકર હોશે ભલો, શ્રેણિક જીવ સુધર્મ. ૧૮ તસુ ગણધર અતિ સુંદરૂ, કુમારપાળ ભૂપાળ; આગમ વાણી જોઈને, રચીયાં રયણ રસાળ. ૧૯ પાંચમા આરાના ભાવ એ, આગમે ભાખ્યા વીર; ગ્રંથ બોલ વિચાર કહ્યા, સાંભળજો ભવિ ધીર. ૨૦ ભણતાં સમકિત સંપજે, સુણતાં મંગળમાળ; જિનહર્ષ કહે કરોડ એ, ભાખ્યાં વયણ રસાળ. ૨૧
-૦૮
Page #440
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સઝાય સંગ્રહ F (૩૯) ક્રોધની સઝાય ક કડવાં ફળ છે ક્રોધનાં, જ્ઞાની એમ બોલે; રીસ તણો રસ જાણીએ, હલાહલ તોલે, કડવાં. ૧ ક્રોધે કોડ પૂરવતણું, સંજમ ફળ જાય; ક્રોધ સહિત તપ જે કરે, તે તો લેખે ન થાય. કડવાં) ૨ સાધુ ઘણો તપીઓ હતો, ધરતો મન વૈરાગ; શિષ્યના ક્રોધ થકી થયો, અંડકોશીઓ નાગ. કડવાં) ૩ આગ ઉઠે જે ઘર થકી, તે પહેલું ઘર બાળે; જળના જોગ જો નવિ મળે, તો પાસેનું પરજાળે. કડવાં) ૪ ક્રોધ તણી ગતિ એહવી, કહે કેવલ નાણી; હાણ કરે જે હેતની, જાળવજો એમ જાણી. કડવાં) ૫ ઉદયરત્ન કહે ક્રોધને, કાઢજો ગળે સાહી; કાયા કરજો નિર્મળી, ઉપશમ રસે નહી. કડવાં) ૬ SF (૪૦) શ્રી વણઝારાની સઝાય SF
વણઝારો ધુતારો કામણગારો, સુંદરવર કાયા છોડ ચાલ્યો વણઝારો; એની દેહલડીને છોડ ચાલ્યો વણઝારો, સુંદરવર કાયા છોડ ચાલ્યો વણઝારો. ૧. એણી રે કાયામેં પ્રભુજી પાંચ પણિયારી, પાણી ભરે છે ન્યારી ન્યારી. સું૨. એણી રે કાયામેં પ્રભુજી સાત સમુદ્ર, તેનો નીર ખારો મીઠો. સું૦ ૩. એણી રે કાયામેં પ્રભુજી નવસો નાવડીયો, તેનો સ્વભાવન્યારો. સું૦ ૪. એણી રે કાયામેં પ્રભુજી પાંચ રત્ન, પરખે પરખણ હારો. સું૦ ૫. ખુટ ગયું તેલ ને બુઝ ગઈ છતીયા, મંદિરમેં પડ ગયો અંધેર. હો. ૬. ખસ ગયો થંભો ને પડ ગઈ દેહિયા મટ્ટીમે મીલ ગયો ગારો. સું૦ ૭. આનંદધન કહે સુણો ભાઈ સાધુ, આવાગમન નિવારો. સું૦ ૮.
૪૦૯
Page #441
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
-
-
-
-
-
-
-
--
---
--
E (૪૧) શ્રી શિખામણની સઝાય ક
અણસમજુજી, શી શીખામણ દઉં રે, મન માને નહિ જીવ ! મારું મારું મિથ્યા કરવું, એક પેટ બહુ પ્રપંચે ભરવું, થોડું જીવવું ને ફુલી ફળવું. અણ૦ ૧. ભોળો વિષય મળ્યો ને કરે વાતલડી; મુખે મીઠું બોલે ને હૈયે કાતલડી; એ તો જાશે નરકની સાતલડી. અણ૦ ૨. તમે સાહેબી દેખી મન મ્હાલો છો, તમે અહંકાર અભિમાન આણો છો; વળી જમ લઈ જાશે, તે જાણો છો. અણ૦ ૩. ઘેર હાથી ઘોડાને વેલ અંબાડી, ચારે દિશે આણ ફરે તોરી; પાસે નથી પુણ્યની પુંજી સારી. અણ૦ ૪. એક ભાગ્યવતી સાથે ભમતો પૈસો છે ને નથી પુણ્ય કરતો; એતો દીઠો દીવી પેઠે બળતો, અણ૦ ૫. એક ચંપા વિના શી ચંપેલી, સાંજ પડે ને ચકવા ચકવી; એક નેમ વિના રાજુલ ઘેલી, અણ૦ ૬. એક પંડિત મહામુનિવર ડાહ્યા, એ તો ધ્યાન મેલી ધનને ધ્યાયા; એ ચડપ લેઈ કાલે ચાલ્યા. અણ૦ ૭ એક રૂપવિજય કહે સાચું છે, કાયાનું રહેવું કાચું છે. મહાવીરે ભાખ્યું તે સાચું છે. અણ૦ ૮
5 (૪૨) શ્રી આત્મોપદેશની સઝાય ,
અબધુ એસો જ્ઞાન વિચારી, વામે કોણ પુરુષ કોણ નારી, અબધુ0 બમ્પનકે ઘર નહાતી ધોતી જોગી કે ઘર ચલી, કલમાં પઢપઢ ભઈ રે તડકડી તો, આપહી આપ અકેલી. અ૦ ૧. સસરો અમારો બાળો ભોળો, સાસુ બાળકુમારી; પિયુજી અમારો પોઢ્યો પારણીએ, મેં હું ઝુલાવનહારી. અ૦ ૨. નહિ હું પરણી નહિ હું કુમારી, પુત્ર જણાવનહારી; કાળી દાઢીકો કોઈ નહિ છોડ્યો તો, હજુએ હું બાળકુમારી. અબધુ) ૩. અઢી દ્વીપમે ખાટે ખટુલી, ગગન ઓશીકું તણાઈ; ધરતીનો છેડો આભકી પીછોડી, તોય ન સોડ ભરાઈ; અ) ૪. ગગન મંડળમેં ગાય વિયાણી, વસુધા દૂધ જમાઈ, સૌર સુનો ભાઈ વલોણું વલોવે તો, તત્ત્વ અમૃત કોઈ પાઈ. અ) ૫. નહિ જાઉં સાસરીએ નહિ જાઉં પિયરીએ, પિયુજીકી સેજ બીછાઈ; આનંદધન કહે સુનો ભાઈ સાધુ, તો જ્યોતિસે જ્યોત મિલાઈ અબધુ૦ ૬.
૪૧૦
Page #442
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
૬ (૪૩) શ્રી અધ્યાત્મની સજ્ઝાય ત્ર એક નારી દોય પુરુષ મળીને, નારી એક નિપાઈ; હાથ પગ નિવ દીસે તેહના મા વિના બેટી જાઈ; ચતુર નર, એ કુણુ કહીએજી નારી; ચીર ચુંદડી ચરણા ચોળી, વિ પહેરે તે સાડી; છેલ પુરુષ દેખીને મોહે, તેહવી તેહ રૂપાળી. ચતુર નર૦ ૨ ઉત્તમ જાતિ નામ ધરાવે, મન માને ત્યાં જાવે; કંઠે વળગી લાગે પ્યારી, સાહેબને રીઝાવે, ચતુર નર૦ ૩ ઉપાશ્રયે કદીય ન જાવે, દેહરે જાયે હરખી; નરનારી શું રંગે રમતી, સહુકો સાથે સરખી. ચતુર નર૦ ૪ એફ દિવસનું યૌવન તેહનું, ફરીય ના'વે કામ; પાંચ અક્ષર છે સુંદર તેહના, શોધી લેજો નામ. ચતુર નર૦ ૫ ઉદય વાચક એણીપેરે જંપે, સુણો નર ને નારી, એ હરિયાલીનો અર્થ કરે જે, સજ્જનની બલિહારી
ચતુર નર૦ ૬
[અર્થ-ફુલની માળા છે.]
(૪૪) શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય સમવસરણ સિંહાસને જી, વીરજી કરે રે વખાણ; દશમા ઉત્તરાધ્યયનમેં જી, દીએ ઉપદેશ સુજાણ; સમય મેં ગૌતમ ન કર પ્રમાદ, વીર જિનેશ્વર શીખવે જી, પરિહર મદ વિખવાદ. સ૦૧ જિમ તરૂ પંડુર પાંદડો જી, પડતાં ન લાગે જી વાર; તિમ એ માણસ જીવડો જી, થિર ન રહે સંસાર. સ૦ ૨ ડાભ અણી જન ઓસનો જી, ક્ષણ એક રહે જળબિંદ; તિમ એ ચંચળ જીવડો જી, ન રહે ઈંદ્ર રિંદ્ર. સ૦ ૩
૪૧૧
Page #443
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સૂક્ષ્મનિગોદ ભમી કરી જી, રાશિ ચઢ્યો વ્યવહાર; લાખ ચોરાશી જીવયોનિમાં જી, લાધ્યો નરભવ સાર. સ૦ ૪ શરીર જરાએ જર્જર્યું જી, શિર પર પડિઆ જી કેશ; ઈન્દ્રિયબળ હીણા પડ્યા જી, પગ પગ પેખે ક્લેશ. સ૦ ૫ ભવસાયર તરવા ભણી જી, ચારિત્ર પ્રવહણમૂળ; તપ જપ સંયમ આકરા જી, મોક્ષ નગર છે દૂર. સ૦ ૬ ઈમ નિસુણી પ્રભુ દેશના જી, ગણધર થયા સાવધાન; પાપપડળ પાછાં પડ્યાં જી, પામ્યા કેવલજ્ઞાન. સ૦૭ ગૌતમના ગુણ ગાવતાં જી, ઘર સંપત્તિની ક્રોડ; વાચક શ્રી કરણ ઈમ ભણે જી, વંદું બે કર જોડી. સ૦ ૮
Ř (૪૫) શ્રી અરણીક મુનિવરની સજ્ઝાય (રાગ-પાવાગઢથી ઉતર્યા)
મુનિ અરણિક ચાલ્યા ગોચરી રે, વનના વાસી એનું વિએ તપે રે લલાટ, મુનિવર વૈરાગી. તિહાં ઉંચા મંદિર વેશ્યા તણા રે, વનના૦ જઈ ઉભા રહ્યા ગોખ હેઠ. મુનિ૦ ૧. દાસી મોકલી વેશ્યાએ ઉતાવળી રે, વનના૦ પેલા મુનિને અહીં તેડી લાવ. મુ મુનિ મંદિર ચાલ્યા મલપતા રે, વનના૦ જઈ દીધો તે ધર્મલાભ. મુનિ૦ ૨. મુનિ નિત નિત લહે ઓવારણાં રે, વનના૦ તમે જમો મોદકના આહાર. મુળ મુનિ પંચરંગી બાંધો પાઘડી રે, વનના૦ તુમે મેલો ઢલકતી ટાલ. મુનિ૦ ૩. મુનિની માતા શેરીએ હીડે શોધતાં રે, વનના તિહાં જોવા મળ્યા છે લોક. મુ॰ મારો અરણિક કોઈએ દેખીઓ રે, વનના૦ એ તો લેવા ગયો છે આહાર. મુનિ૦ ૪ મુનિ ગોખે બેઠાં રમે સોગઠે રે, વનના૦ તિહાં સાંભળ્યો માતાજીનો સાદ. મુનિ ગોખેથી હેઠે ઉતર્યા રે, જઈ લાગ્યા માતાજીને પાય. મુનિ ૫. મુનિ ન કરવાનું કામ તમે કર્યું રે, વનના૦ તમે ચારિત્રના થયા ચોર. મુ૦ અમે શિલા ઉપર કરશું સાથરો રે, વનના૦ અમે ચારિત્ર નહિં રે
વનના
૪૧૨
Page #444
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ પલાય, મુનિ, ૬. મુનિએ શિલા ઉપર, કીધો સાથરો રે, વનનાવે તિહાં પામ્યા અમર વિમાન મુ૦ મુનિ હીરવિજય ગુરુ હીરલો રે, વનના૦ એમ લબ્ધિવિજય ગુણ ગાય મુનિ૦ ૭. 95 (૪) શ્રી ચંદનબાળાની સઝાય 5
(રાગ-શી કહું કથની મારી હો રાજ) વીર પ્રભુજી પધારો નાથ, વીર પ્રભુજી પધારો,
વિનંતિ મુજ અવધારો નાથ. વર૦ ચંદનબાળા સતી સુકુમાલા, બોલે વચન રસાલા; હાથને પગમાં જડી દીધાં તાળાં, સાંભળો દીનદયાળા. નાથ૦ ૧ કઠીણ છે મુજ કર્મની કહાણી, સુણો પ્રભુજી મુજ વાણી; રાજકુવંરી હું ચૌટે વેચાણી, દુઃખ તણી નથી ખામી. નાથ૦ ૨ તાતજ મારો બંધન પડીયો, માતા મરણ જ પામી; મસ્તકની વેણી કતરાણી, ભોગવી મેં દુઃખ ખાણી. નાથ૦ ૩ મોંઘી હતી હું રાજકુટુંબમાં, આજે હું ત્રણ ઉપવાસી; સુપડાને ખૂણે અડદના બાકળાં, શું કહું દુઃખની રાશી. નાથ૦ ૪ શ્રાવણ ભાદરવા માસની પેરે, વરસે આંસુની ધારા; ગદ્ગદ્ કંઠે ચંદનબાળા, બોલે વચન કરૂણાળા. નાથ૦ ૫ દુઃખ એ સઘળું ભલું પૂરવનું, અપના દર્શન થાતા, દુઃખ એ સઘળું હૈયે જ આવે, પ્રભુ તુમ પાછા જાતા. નાથ૦ ૬ ચંદનબાળાની અરજી સુણીને, નીર નયનમાં નિહાળે; બાકળાં લઈ વીરપ્રભુજી પધારે, દયા કરી દીન દયાળે. નાથ૦ ૭ સોવન કેરી તિહાં થઈ વૃષ્ટિ, સાડી બાર કોટી સારી; પંચ દીવ્યો તે કાળે જ પ્રગટ્યા, બંધન સર્વ વિહારી. નાથ૦ ૮ સંયમ લઈને કાજ સુધાર્યા, ચંદનબાળા કુમારી; વીર પ્રભુની શિષ્યણી પહેલી, પંચ મહાવ્રત ધારી. નાથ૦ ૯ કર્મ ખપાવી મુક્તિ સિધાવ્યા, ધન્ય સતી શીર નામી; વિનયવિજય કહે ભાવ ધરીને, વંદુ હું વારંવારી, નાથ૦ ૧૦
-
૪૧ ૩
Page #445
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૬ (૪૭) શ્રી ભવિષ્યની સઝાય ભવિષ્યમાં લખ્યું હોય તે થાય, ડહાપણ કોઈનું કામ ન આવે
કોડ કરોને ઉપાય. ૧ રાજાને મન રઢજ લાગે, મૃગયા રમવાને જાય; સાધુ મુનિ સંતોષે ત્યારે, સર્પ દંશે શું થાય. ભ૦ ૨ મંગલ મુરત શુભ ચોઘડીયું, પ્રથમ ગ્રહ પૂજાય; જાણત જોશી જાણત છતાં, રંગ ભેર શીદને રંડાય. ભ૦ ૩ રામચન્દ્રજી જાણત છતાં, વનમાં શીદને જાય; સતી સીતાને કલંક આવ્યું ત્યારે, રાવણ રણમાં રોલાય. ભ૦ ૪ ભીમ અર્જુન નકુળ સહદેવ, રાજા ધર્મ કહેવાય; પાંચ પાંડવ જાણત છતાં, દ્રોપદી શીદને લુંટાય. ભ૦ ૫ ચંદનબાળા ચૌટે વેચાણી, એને રાખી છે મૂલા ઘેર; હાથ-પગમાં બેડી ડસકલાં, એને રાખ્યા છે ગુપ્ત ભંડાર. ભ૦ ૬ સતી સુભદ્રાને કલંક આવ્યું ત્યારે, સાસુએ આળ દીધી; જીભ્યાએ કરી તરણું કાઢ્યું ત્યારે, મુનિને કપાળે ટીલું થાય. ભ૦ ૭ સતી અંજનાને કલંક આવ્યું ત્યારે, સાસુએ દીધી આળ; માબાપે પણ પાણી ન પાયું, એને કાઢ્યા છે ઉજડ વનવાસ. ભ૦ ૮ વિજય ગુરુ પાય નમીને, લબ્ધિવિજય ગુણ ગાય; હેમવિજય મુનિ એમ કહે છે, તુમ સાંભળીને લેજો સાર. ભ૦ ૯
F (૪૮) વૈરાગ્યની સઝાય 5
(રાગ-ભેખરે ઉતારો રાજા ભરથરી) સાર નહીં રે સંસારમાં, કરો મનમાં વિચારજી; નેત્ર ઉઘાડીને જોઈએ, કરીએ તૃષ્ટિ પ્રસારજી. ૧ જાગ જાગ ભવિ પ્રાણીયા, આયુ ક્ષણ ક્ષણ જાયજી; વખત ગયો ફરી નહિ આવશે, કારજ કાંઈ ન થાયજી. ૨
૪૧૪
Page #446
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ દશ દષ્ટાંતે દોહીલો, પામી નર અવતારજી; દેવગુરુ જોગ પામીને, કરીએ જન્મ સુધારજી. ૩ મારું મારું કરી જીવ તું, ફરીઓ સઘળે સ્થાનજી; આશા કોઈ ફળી નહિ, પામ્યો સંકટ ખાણજી. ૪ માત-પિતા-સુત-બાંધવા, ચડતી સામે આવે પાસજી; પડતી સમે કોઈ નવિ રહે, દેખો સ્વારથ સારજી. ૫ રાવણ સરીખા રે રાજવી, લંકાપતિ જે કહાયજી; ત્રણ જગતમાંહિ ગાજતો, ધરતો મન અભિમાનજી. ૬ અંત સમય ગયા એકલા, નહિ ગયું કોઈ સાથજી; એવું જાણીને ધર્મ કીજીયે, હોશે ભવજલ પારજી. ૭ મોહ નિદ્રાથી જાગીને, કરો ઘર્મ શું પ્રેમજી; એવી સૌભાગ્ય વાણીને, ધારો મનશું પ્રેમજી. ૮ E (૪૯) શ્રી નરક દુઃખની સઝાય 5
(રાગ-હે સુખકારી આ) હે સુણ ગોયમજી! વીર પર્યાપે નરક તણા દુઃખ વારતા, પરનારી સંગત જે કરતા, વળી પાપ થકી પણ નહિ ડરતા; જમરાયની શંકા નવિ ધરતા. ૧. હે શ્રોતાજનો! નરકના! દુઃખ સાંભળતાં હૈડાં થરથરે, હે ગુણવંતા, વીર વાણી સાંભળીને ધર્મ ખજાનો ભરો, લોહની પુતળીને તપાવે છે, અતિ અગ્નિમય બનાવે છે, તસ આલિંગન દેવરાવે છે. હે શ્રો૦ ૨. પાંચશો જોજન ઉછાળે છે, પછી પટકી ભોંય પછાડે છે; પછી તેહની દેહને બાળે છે. હે શ્રો. ૩. શ્વાન થઈને ફરી તે કરડે, તે ઝીલી પરમાધામી મરડે છે, વળી તેહની પાછળ દોડે છે. હે શ્રો. ૪. મૃગલા જેમ પાસમાં પકડે છે, કરવત કરી તેહને ફાળે છે, વળી પકડી પકડીને ભમાવે છે. તે શ્રો. ૫. વળી તેહને શૂળીએ આરોપે છે, કાન નાક પણ તેહના કાપે છે, વળી ભર સાડમાં તેણે મારે છે. તે શ્રો) ૬. વળી ખાલ ઉતારી જ્વાલે છે, તાતા તેલમાં પણ ઘાલે
૪૧૫
Page #447
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
છે, ગિરૂઆ વિપાકો તેહને દેખાડે છે. હે શ્રો૦ ૭. માંસનો તેને આહાર કરાવે છે, એમ નરકમાં દુ:ખ ઘણા પાવે છે, અતિ ત્રાસમાં દુઃખ ગમાવે છે. હે શ્રો૦ ૮. વળી શરીરમાં ખાર મિલાવે છે, એમ પરમાધામી દુ:ખ દેખાડે છે, શુભવીરની વાણીથી શીતળ થાવે છે. હે શ્રો૦ ૯.
× (૫૦) શ્રી કર્મ ઉપર સજ્ઝાય (રાગ-દુઃખ દોહગ શૂરે ટળ્યા રે)
સુખ દુઃખ સરજ્યાં પામીયે રે, આપદ સંપદ હોય લીલા દેખી પર તણી રે, રોષ મ ધરજો કોય રે; પ્રાણી મન નાણો વિષવાદ, એ તો કર્મ તણા પરસાદરે. પ્રાણી૦ ૧.
ફળને આહારે વિઆરે, બાર વરસ વન રામ; સીતા રાવણ લઈ ગયો રે, કર્મ તણા એ કામ રે. પ્રાણી૦ ૨. નીર પાખે વન એકલો રે, મરણ પામ્યો મુકુંદ;
નીચ તણે ઘર જળ વહ્યો રે, શીશ ધરી હરિચંદ રે. પ્રાણી૦ ૩
નળે દમયંતી પરહરી રે, રાત્રિ સમય વન બાળ, નામ ઠામ કુળ ગોપવી રે, નળે નિરવાહ્યો કાળ રે. પ્રાણી૦ ૪
રૂપ અધિક જગ જાણીએ રે, ચક્રી સનત્કુમાર; વરસ સાતશેં ભોગવી રે, વેદના સાત પ્રકાર રે. પ્રાણી૦ ૫
રૂપે વળી સુર સારિખા રે, પાંડવ પાંચ વિચાર; તે વનવાસે રડવડ્યા રે, પામ્યા દુ:ખ સંસાર રે. પ્રાણી૦ ૬
સુર નર જસ સેવા કરે રે, ત્રિભુવનપતિ વિખ્યાત;
તે પણ કર્મે વિટંબીયા રે, તો માણસ કેઈ માત રે. પ્રાણી૦ ૭
દોષ ન દીજે કેહને રે, કર્મ વિટંબણ હાર; દાન મુનિ કહે જીવને રે, ધર્મ સદા સુખકાર રે. પ્રાણી૦ ૮
૪૧૬
Page #448
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ F (૫૧) શ્રી ઘડપણની સજઝાય ક.
| (રાગ-ગર્વ મ કરશો રે ગાત્રનું) ઘડપણ કાં તું આવીયો રે, તુજ કોણ જુએ છે વાટ; તું સહુને અળખામણો રે, જેમ માંકણ ભરી ખાટ રે. ઘ૦ ૧ ગતિ ભાગે તું આવતા રે, ઉદ્યમ ઉડી રે જાય; દાંતલડા પણ ખસી પડે રે, લાળ પડે મુખમાંય રે. ઘ૦ ૨ બળ ભાગે આંખો તણું રે, શ્રવણે સુયું નવિ જાય; તુજ આવે અવગુણ ઘણાં રે, વળી ધોળી હોવ રોમ રાય રે. ઘ૦ ૩ કેડ દુઃખે ગુણ રહે રે, મુખમાં શ્વાસ ન માંય; ગાલે પડે કરચલી રે, રૂપ શરીરનું જાય રે. ઘ૦ ૪ જીભલડી પણ લડથડે રે, આણ ન માને કોય, ઘેર સહુને અળખામણો રે, સાર ન પછે કોય . ઘ૦ ૫ દીકરા તો નાશી ગયા રે, વહુઅર દે છે ગાળ; દીકરી ન આવે ઢુંકડી રે, સબળ પડ્યો છે જંજાળ રે. ઘ૦ ૬ કાને તો ધાકો પડી રે, સાંભળે નહીય લગાર; આંખે તો છાયા વળી રે, એ તો દેખી ન શકે લગાર રે. ઘ૦ ૭ ઉંબરો તો ડુંગર થયો રે, પોળ થઈ પરદેશ; ગોળી તો ગંગા થઈ રે, તમે જાઓ જરાના વેશરે. ઘ૦ ૮ ઘડપણ વહાલી લાપશી રે, ઘડપણ વહાલી ભિંત; ઘડપણ વહાલી લાકડી રે, તુમ જુઓ ઘડપણની રીત રે. ઘ૦ ૯ ઘડપણ તું અહ્યાગરો રે, અણછેડ્યો મ આવેશ; જોબનિયું મુજ વહાલું રે, જતન હું તાસ કરેશ રે. ઘ૦ ૧૦ ફટ ફટ તું અભાગીયા રે, જોબનનો તું કાળ; રૂપ રંગને ભાંગતો રે, તું તો હોટો ચંડાળ રે. ઘ૦ ૧૧ નિસાસે ઉસાસમેં રે, દેવને દીજીએ ગાળ; ઘડપણ કાં તું સરજીયો રે, લાગ્યો માહરે નિલાડ રે. ઘ૦ ૧૨
૪૧૭
Page #449
--------------------------------------------------------------------------
________________
અહદ્ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ઘડપણ તું સદા વડો રે, હું તુજ કરૂં રે જુહાર; જે મેં કહી છે વાતડી રે, જાણજે તાસ વિચારરે. ઘ૦ ૧૩ કોઈ ન વંછે તુજને ને, તું તો દૂર વસાય; વિનય વિજય ઉવજઝાયનો રે, રૂપવિજય ગુણગાય રે. ઘ૦ ૧૪
(પર) શ્રી શિયલની સઝાય ક્કા
(રાગ-ધન ધન તે દિનમાં હશે). શિયલ સમું વ્રત કો નહિ, શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે રે. શિ૦ ૧ વ્રત પચ્ચકખ્ખાણ વિના જુઓ, નવ નારદ જેહ રે; એક જ શિયલ તણે બળે, ગયા મુક્ત તેહ રે. શિ૦ ૨ સાધુ અને શ્રાવક તણાં, વ્રત છે સુખદાઈ રે, શિયલ વિના વ્રત જાણજો, કુશકા સમ ભાઈ રે. શિ૦ ૩ તરુવર મૂળ વિના જિમ્યો, ગુણ વિણ લાલ કમાન રે; શિયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. શિ૦ ૪ નવવાડે કરી નિર્મળું, પહેલું શિયલ જ ધરજો રે, ઉદયરત્ન કહે તે પછી, વતનો ખપ કરજો રે. શિ૦ ૫ (૫૩) શ્રી અનાથી મુનિની સઝાય ના
(રાગ-આસો સુદ સાતમ સુવિચાર) બંબસારે વનમાં ભમતા, ઋષિ દીઠો રવાડી રમતાં; રૂપ દેખીને મને રીઝયો, ભારે કર્મીપણ ભીંજ્યો. ૧ પાણિ જોડીને ઈમ પૂછે, સંબંધ તમારે શું છે; નરનાથ હું છું અનાથ, નથી કોઈ માહરે નાથ. ૨ હરખે જોડી કહે હાથ, હું થાઉં તમારો નાથ; નરનાથ તું છે અનાથ, શું મુજને કરે છે સનાથ. ૩ મગધાધિપતિ હું છું મોટો, શું બોલે છે ભૂપ ખોટો; તું નાથપણું નવી જાણે, ફોગટ શું આપ વખાણે. ૪
૧૪૧૮E
-
૪૧૮
Page #450
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ
વત્સ દેશ કોસંબીનો વાસી, રાજપુત્ર હું છું વિલાસી; એક દિન મહારોગે ઘેર્યો, કે ને તે પાછો ન ફેર્યો. ૫ માત-પિતા મુજ બહુ મહિલા, વહેરાવે આંસુના વહેલા; વડા વડા વૈદ્ય તેડાવે, પણ વેદના કેઈ ન હટાવે. ૬ તેહવું દેખી તબ શૂલ, મેં ધાર્યો ધર્મ અમૂલ; રોગ જાયે જો આજની રાત, તો સંયમ લેઉ પ્રભાત. ૭ ઈમ ચિંતવતાં વેદન નાઠી, આખડી બાંધી મેં કાઠી; બીજે દિન સંયમ ભાર, લીધો ન લગાડી વાર. ૮ અનાથ સનાથનો વહેરો, તુમને દાખ્યો કરી ચહેરો; જિનધર્મ વિન નરનાથ, નથી કોઈ મુક્તિનો સાથ. ૯ શ્રેણિક ત્યાં સમકિત પામ્યો, અનાથીને શિર નામ્યો; મુગતે ગયો મુનિરાય, ઉદય રતન વદે વિઝાય. ૧૦ E (૫૪) શ્રી ચંદનબાળાની સઝાય છE
(રાગ-નારે પ્રભુ નહિ માનું-) મારું મન મોહ્યું છે ઈમ બોલે ચંદનબાલ,
મારૂં મુજ ફલીયો સુરતરૂ સાલ; હું રે ઉમરડે બેઠી હુંતી, અઠમ તપને અંતે; હાથ ડસકલાં ચરણે બેઠી, મારા મનની ખંતે. મા૦ ૧ - શેઠ ધનાવહે આણી દીધા, અડદ બાકુળા ત્યારે; એહવામાં શ્રી વીર પધાર્યા, કરવા મુજ વિસ્તારે. મા૦ ૨ ત્રિભુવનનાયક નિરખી નયણે, હરખી ચિત્ત મઝાર; હરખ આસું જલ હું વરસંતી, પડિલાવ્યા જયકાર. મા૦ ૩ પંચ દિવ્ય તવ દેવ કરે શુચિ, વરસી કંચનધાર, માનું અડદ અન્ન દેવા મિષે, વીર કર્યા તિણવાર. મા૦ ૪ જ્ઞાનવિમલ પ્રભુજીને હાથે, લીધો સંજમભાર; વસુમતિ તવ કેવલ લહીને, પામી ભવજલ પાર. મા. ૫
૧૯
૪૧૯
Page #451
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૬ (૫૫) શ્રી મોક્ષનગરની સજ્ઝાય
મોક્ષનગર માહરૂં સાસરૂં, અવિચલ સદા સુખવાસ રે; આપણા જિનવર ભેટીયે, તિહાં કરો લીલ વિલાસ. મોક્ષ૦ ૧ જ્ઞાન દરસન આણાં આવીયાં, કરો કરો ભક્તિ અપાર રે; શિયળશૃંગાર પહેરો શોભતા, ઉઠી ઉઠી જિન સમરંત રે. મોક્ષ૦ ૨ વિવેક સોવન ટીલું તપ, જીવદયા કુંકુમ રોલ રે; સકિત કાજલ નયણ રે, સાચું સાચું વચન તંબોળ રે. મોક્ષ૦ ૩ સમતા વાટ સોહામણી, ચારિત્ર વહેલ જોડાવ રે; તપ જપ બળદ ધોરી જોતરો, ભાવના ભાવો રસાલ રે. મોક્ષ૦ ૪ કારમું સાસરૂં પરિહરો, ચેતો ચેતો ચતુર સુજાણ રે; જ્ઞાનવિમલ મુનિ ઈમ ભણે, તિહાં છે મુક્તિનું ઠામ રે. મોક્ષ૦ ૫
(૫૬) શ્રી તપની સજ્ઝાય (રાગ દુઃખ દોહગ દૂરે ટળ્યા રે)
કીધાં કર્મનિકંદવારે, લેવા મુક્તિનું દાન; હત્યા પાતક છૂટવારે, નહિ કોઈ તપ સમાન; ભવિક જન તપ કરજો મન શુદ્ધ. ૧ ઉત્તમ તપના યોગથી રે, સેવે સુરનર પાય; લબ્ધિ અઠ્ઠાવીશ ઉપજે રે, મનોવાંછિત ફળ થાય. ભ૦ ૨ તીર્થંકર પદ પામીએ રે, નાસે સઘળા રોગ; રૂપ લીલા સુખ સાહ્યબી રે, લહીએ તપ સંયોગ. ભ૦ ૩
તે શું છે સંસારમાં રે, તપથી જે નવિ હોય; જે જે મનમાં કામીએ રે, સફળ ફલે વિ તેહ. ભ૦ ૪ અષ્ટ કર્મના ઓઘને રે, તપ ટાળે તત્કાળ; અવસર લહીને તેહનો રે, ખપ કરજો ઉજમાળ. ભ૦ ૫ બાહ્ય અત્યંતર જે કહ્યા રે, તપના બાર પ્રકાર; હોજો તેહની ચાલમાં ૨ે, જેમ ધન્નો અણગાર. ભ૦ ૬
૪૨૦
Page #452
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સઝાય સંગ્રહ
ઉદયરત્ન કહે તપ થકી રે, વાધે સુજસ સમૂર; - સ્વર્ગ હુવે ઘર આંગણે રે, દુર્ગતિ જાવે દૂર. ભ૦ ૭
= (૫૭) વૈરાગ્યની સજઝાય ક. ક્યા તન માંજતાં રે, એક દિન મિટ્ટિમેં મિલ જાના; મિટ્ટિમેં મિલ જાના બંદે, ખાખમેં ખપ જાના. ક્યા૦ ૧ મિટ્ટિયા ચુન ગુન મહેલ બંધાયે, બંદા કહે ઘર મેરા; એક દિન બંદે ઉઠ ચલેંગે, યહ ઘર તેરા ન મેરા. ક્યા૦ ૨ મિટિયા ઓઢણ મિટિયા બીછાવણ, મીટીકા શીરાણા; ઈસ મિટીયાકું એક ભૂત બનાયે, અમર જાણ લોભાના. ક્યા૦ ૩ મિટીયા કહે કુંભારને રે, તું ક્યા જાણે મોય; એક દિન ઐસા આવેંગા રે, મેં ખુદુંગી તોય. ક્યા૦ ૪ લકડી કહે સુથારને રે, તું નવિ જાણે મોય; એક દિન ઐસા આવેગા પ્યારે, મેં ભેજાંગી તોય. ક્યા૦ ૫ દાન શિયલ તપ ભાવના રે, શિવપુર મારગ ચાર; આનંદધન ભાઈ ચેત લો પ્યારે, આખર જાના ગમાર. ક્યા૦ ૬
5 (૫૮) શ્રી જોબન અસ્થિરની સજઝાય - જોબનીયાની મોજાં ફોજ, જાય નગારાં દેતી રે; ઘડી ઘડી ઘડીયાલાં વાગે, તોય ન જાગે તેથી રે. જો૦ ૧ જરા રાક્ષસી જોર કરે છે, ફેલાવે ફજેતી રે; આવી અવધે ઉચકે સહી, લખપતિને લેતી રે. જો૦ ૨ માળે બેઠો મોજ કરે છે, ખાંતે જોવે ખેતી રે; જમરો ભમરો તાણી લેશે, ગોફણ ગોળા સેતી રે. જો૦ ૩ જિનરાજાને શરણે જાવું, જોરાલો કો ન જેથી રે; દુનિયામાં દુજો દીસે નહિ, આખર તરશો તેથી રે. જો ૪ દાંત પડ્યા ને ડોસો થયો, કાજ સર્યું નહિ કેથી રે; ઉદયરત્ન કહે આપે સમજો, કહીયે વાતો કેતી રે. જો) ૫
૪૨ ૧
Page #453
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૫૯) શ્રી ગૌતમસ્વામીની સજ્ઝાય (રાગ-અહો મુનિવરજી)
હે ઈન્દ્રભૂતિ ! તાહરા ગુણ કહેતાં હરખ ન માય, હે ગુણ દરિયા ! સુરવધૂ કર જોડી ગુણ ગાય. જે શંકર વિરચિની જોડી, વલી મોરલી ઘરને વિછોડી, તેં જિનજી સાથે પ્રીત જોડી. હે૦ ૧. વેદના અરથ સુણી સાચા, વીરના ચેલા થયા જાચા; કોઈ લબ્ધિએ ન રહ્યા કાચા. હે૦ ૨. પરિગ્રહ નવવિધના ત્યાગી, તુમચી જાગરણ દશા જાગી; ધર્મ ધ્યાન શુક્લ ધ્યાનના રાગી. હેઠ અનુજોગ ચારના બહુજાણ, તેણે નિર્મળ પ્રબળ તુજ નાણ; અમૃત રસ મીઠડી વાણ. હે૦ ૪. જે કામ નૃપને રમવા દડી, ત્રણ ગતિ ત્રિવટે તેહ પડી, તે રમણી તુજને નહીં નડી. હે૦ ૫. અતિ જાગરણ દશા જ્યારે જાગી, ભાવઠ સઘલી ત્યારે ભાગી; કહે ધર્મ જિત નોબત વાગી. હે ઈન્દ્રભૂતિ૦ ૬.
ૐ (૬૦) ધન્ના અણગારની સજ્ઝાય પુ (રાગ-મેંદી રંગ લાગ્યો)
ચરણકમલ નમી વીરના ૨ે, પૂછે શ્રેણિક રાય રે, મુનિ શું મન માન્યો. ૧ ચૌદ સહસ મુનિ તાહરે રે, અધિકો કુણ કહેવાય રે. મુનિ ૨ જિન કહે અધિકો માહરે રે, ધન ધન્નો અણગાર રે. મુનિ ૩ ઋદ્ધિ છતી જેણે પરિહરી રે, તરૂણી તજી પરિવાર. મુનિ સિંહ તણી પરે નીકળ્યો, પાલે સિંહાસન સમાન રે. મુનિ પ ક્રોધ લોભ માયા તજી, દૂર કીધો અભિમાન રે. મુનિos મુજ હાથે સંયમ ગ્રહી રે, પાળે નિરતિચાર રે. મુનિ ૭ છઠ છઠ આંબિલ પારણે રે, લીયે નીરસ આહાર રે. મુનિ૦ ૮ ન વંછે કોઈ માનવી રે, તે લીયે આહાર રે. મુનિ ૯ ચાલતાં હાડ ખડખડે રે, જિમ ખાખરના પાન રે. મુનિ ૧૦ સકર ભર્યું જેમ કોચલે, તેમ ધન્ના મુનિનું વાન રે.
મુનિ
૧૧
૪૨૨
Page #454
--------------------------------------------------------------------------
________________
- પૂર્વાચાર્યોત સજઝાય સંગ્રહ પંચ સમિતિ ત્રણ ગુપ્તિશું રે, રંગે રમે નિશદિશ રે. મુનિ ૧૨ સર્વારથ સિદ્ધ સુખ પામશે રે, ધન ધન્નો અણગાર રે. મુનિ૦ ૧૩ નવમે અંગે જેહનો રે, વીર કહ્યો અધિકાર રે. મુનિ, ૧૪ પંડિત જિનવિજય તણો રે, મેરૂ નમે વારંવાર રે, મુનિ, ૧૫ પ્રાતઃઉઠીને તેનું રે, નામ લીજે સુવિચાર રે. મુનિ ૧૬
ક (૧) શ્રી સંગતની સઝાય , | લોઢું લાલ બને અગ્નિ સંગે, પણ રાતું રહે ક્ષણવાર નીકળે જો બહાર, સંગત એને શું કરે, જેના અંતર જાણો કઠોર. સં. ૧. બારે મેઘ વરસે બહુ જોરથી; મગશેલીઓ ન ભીંજાય; બીજા ગળી જાય. સં૦ ૨. દૂધ સાકર ઘીથી સીચો સદા, લીંબડાની કડવાશ ન જાય, મધુરો ન થાય. સં. ૩. ચંદનવૃક્ષના મૂળ રહ્યો, ફણીધરે ન છોડ્યો સ્વભાવ, જાણ્યો ન પ્રભાવ. સં૦ ૪. પાણી માંહે પડ્યો રહે સદા, કાલમિંઢ તણું એવું જોર; ભીંજાય ન કોર. સં૦ ૫. અગન ઉકળતાં માંહે ઓરીએ, પણ કોરડું ન રંધાય બીજા ગળી જાય. સં૦ ૬. સો મણ સાબુએ ધોયા છતાં, કોલસાની કાળાશ ન જાય; ઉજ્જવળ નવિ થાય. સં૦ ૭. ખરને નિર્મળ જલે નવરાવીયે; પણ રાખ દેખી તત્કાલ ઘરે બહુ વહાલ. સં. ૮. કાળા રંગનું કપડું લેઈ કરી. રાતા રંગમાં બોળે ઝબોળે, નીકળે નહિ ડોળ. સં૦ ૯. ઝરમર ઝરમર મેહુલો વરસી રહ્યો, વનસ્પતિઓ બધી લીલી થાય જવાસો સુકાય. સં૦ ૧૦. કાગે હંસતણી સોબત કરી, પણ ચૂક્યો નહિ પોતાનું ચરિત્ર, જોજો એની રીત. સં. ૧૧. કસ્તૂરીને કપૂરના ગંજમાં, કદી દાટે ડુંગળીને કોય, સુંગંધી ન હોય. સં૦ ૧૨. કસ્તૂરીના ક્યારા માંહે રોપતા, નવી જાયે લસણ કેરી વાસ, દુષ્ટ જેની પાસ. સં૦ ૧૩. સતી સદ્ગણ વંતના સંગમાં, કુભારજાને કદી ન આવે રંગ, ખોટા જેના ઢંગ. સં૧૪. દુર્જન સજ્જનની સોબત કરી, પણ કપટ પણું નવિ જાય, સિદ્ધો નવિ થાય. સં૦ ૧૫. ગાઢ અજ્ઞાની જ્ઞાન પામે નહિ, મેળે સંત સમાગમ આમ, કહે મુનિ શ્યામ, સંગત એને શું કરે. ૧૬.
૪ ૨ ૩
Page #455
--------------------------------------------------------------------------
________________
અહિં ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
= (૨) શ્રી આત્મહિત સઝાય મારૂં મારૂં મ કર જીવતું, જગમાં નહિં તાહરૂં કોય રે, આપ સ્વાર્થે સહુ મળ્યા, ધ્રય વિચારીને જોય રે. મારૂં. ૧ દિન દિન આયુ ઘટે તારૂં, જિમ જળ અંજલિ હોય રે, ધર્મ વેળા નાવે ઢંકડો; કવણ ગતિ તાહરી હોય રે. મારૂં૨ રમણીશું રંગે રાચે રમે, કાંઈ દિયે બાવળ બાથ રે; તન ધન યૌવન સ્થિર નહિ; પરભવ નાવે તુજ સાથ રે. મારૂ૦ ૩ એક ઘરે ઘવળ મંગળ હુવે, એક ઘરે રુવે બહુ નાર રે; એક રામા રમે કંથશું, એક છોડે સકળ શણગાર રે. મારૂ૦ ૪ એક ઘેર સહુ મળી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે, તેરે સાજનીયો ઉઠી ગયો, સ્થિર ન રહ્યો એક વાસ રે. મારૂ૦ ૫ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે; દશ દૃષ્ટાંતે રે દોહિલો, પામવો મનુષ્ય અવતાર રે. મારૂ૦ ૬ હર્ષવિજય કહે એહવું, જે ભજે જિન પદ રંગ રે; તે નરનારી વેગે વરે, મુકિતવધૂ કેરો સંગ રે. મારૂં૦ ૭
E (૩) મનને ઉપદેશની સજઝાય 5 કૈસે વિધ સમજાવું હો મન તુનેકૈસે વિધ સમજાવું; હાથીજી હોય તો મેં પકડે મંગાવું, ઝાંઝર પાયે જડાવું, કર મહાવતને માથે બેસાડું તો, અંકુશ દેઈ સમજાવું.
| હો મન૦ ૧ ઘોડાજી હોય તો મેં ઝણ કરાઉં, કરડી લગામ દેવરાઉં, ચડી અસ્વારીને ફેર ન લાગું, તો નવ નવ ખેલ ખેલાઉં.
| હો મન ૨ સોનુંજી હોય તો મેં ચુંગી મેલાઉં; કરડે તાપ તપાઉં; લઈ ફુકસન ને કુંકણ લાગું તો, પાણી ક્યું પગલાઉં.
| હો મન૦ ૩
૪૨૪
Page #456
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાકૃત સઝાય સંગ્રહ લોઢુંજી હોય તો મેં એરણ મંડાવું, ધોઈ ધોઈ ધમણ ધમાઉં, માર ઘણા ધમસાણ ઉંડાડું તો, જંતર તાર કઢાઉં.
| હો મન૦ ૪ જ્ઞાનીજી હોય તો મેં જ્ઞાન બતાઉં; અંતર વેણ વજાઉં, રૂપચંદ કહે નાથ નિરંજન, જ્યોતિસે જ્યોત મીલાઉં.
હો મન૦ ૫ 5 (૬૫) ગુરુનો વિનય કરવા વિષે સઝાય , વિનય કરો ચેલા ગુરુતણો, જિમ લહો સુખ અપારો રે; વિનય થકી વિદ્યા ભણો, જપ તપ સૂત્ર આચારો. વિ૦ ૧ ગુરુ વચન નવિ લોપીએ; નવિ કરીએ વચન વિધાતો રે; ઉંચે આસન નવિ બેસીએ, વચ્ચે વચ્ચે નવિ કરીએ વાતોરે. વિ૦ ૨ ગુરુ આગળ નવિ ચાલીએ, નવિ રહીએ પાછળ દૂર રે; બરોબર ઉભા નવિ રહીએ, ગુરુને શાતા દીજે ભરપૂર રે. વિ૦ ૩ વસ્ત્ર પાત્ર નિત્ય ગુરુ તણાં, પડિલેહીએ દોય વારો રે; આસન બેસણ પુજીએ, પાથરીએ સુખકારી રે. વિ૦ ૪ અશન વસનાદિ સુખ દીએ, ગુરુ અણાએ મુખ નિરખો રે; વિન્ધવિમળસૂરિ ઈમ કહે, શિષ્ય થાય ગુરુની સરખો રે. વિ૦ ૫
F (દદ) મન વશ કરવાની સજઝાય , મન માંકડલું આણા ન માને, અરિહંત કહો કિમ કીજે રે; રાત દિવસ હીડે હલલતું, શીખામણ શી દીજે રે. મન૦ ૧ રાજમારગ મૂકી બાપડાં, ઉવટ વાટે જાવે રે; આઠ પહોર અટતો નિરંતર, તૃપ્તો કિમહી ન થાવે રે. મન૦ ૨ ક્ષણ ધરાયો ક્ષણ ભૂખ્યો ભૂંડો, ક્ષણ રૂપે ક્ષણ તુષે રે; ધર્મ તણાં ફળ સરસ ન ચાખે, પાપ તણાં ફળ લુસે રે. મન૦ ૩ લાખ ચોરાશી ચાચર ચઢીયો, રંકપણે રડવડીયો રે; ધર્મ વિના તે ભવ ભવ હીડે, કર્મ તણે વશ પડીયો રે. મન૦ ૪
૪ ૨૫
Page #457
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
આશા બાંધે ડુંગર જેવડી, ત્રેવડ કિમહી ન પહોંચે રે, ચિંતા જાળ પડ્યું પછતાવે, પરવશ પડ્યું વિગુચે રે. મન૦ ૫ મૂળ મંત્ર ને તંત્ર કરીને, મન મંકડ વશ આણે રે; પભણે પ્રીતવિમળ મન સાચે, એહને સહુએ વખાણે રે. મન૦૬
(૬૭) શ્રી કરકંઠુ પ્રત્યેકબુદ્ધની સજ્ઝાય (રાગ-શુભ ભાવે કરી સેવીયે૨ે લાલ)
ચંપાનગરી અતિ ભલી હું વારીલાલ, દધિવાહન ભૂપાળ રે હું પદ્માવતી કુખે ઉપન્યો હું, કર્મે કીધો ચંડાળ રે હું. કરકંડુને કરૂં વંદના હું૦૧ પહેલા પ્રત્યેકબુદ્ધ રે હું ગિરૂવાના ગુણ ગાવતાં હું૦ સમકિત થાયે શુદ્ધ રે. હું૦ ૨ લાધી તે વાંસની લાકડી હું૦ થયા કંચનપુર રાય રે. હું બાપશું સંગ્રામ માંડિયો હું૦ સાધ્વી દીયો સમજાય રે હું ક૦ ૩ વૃષભરૂપ દેખી કરી હું પ્રતિબોધ પામ્યો નરેશ રે હું૦ ઉત્તમ સંયમ આદર્યો હું, દેવતાયે દીધો વેષ રે. હું૦ ૬૦ ૪ કર્મ ખપાવી મુગતે ગયા હું કરકંડુ ઋષિરાય રે હું, સમય સુંદર કહે સાધુને હું૦ પ્રણમ્યાં પાતક જાય રે. હું ક૦ ૫
ૐ (૬૮) ભરતચક્રવર્તીની સજ્ઝાય
મનમેં હી વૈરાગી ભરતજી, મનમેં હી વૈરાગી, સહસ બત્રીશ મુકુટબદ્ધ રાજા, સેવા કરે વડભાગી; ચોસઠ સહસ અંતેઉરી જાકે, તો હિન હુવા અનુરાગી. ભ૦ ૧ લાખ ચોરાસી તુરંગમ જાકે, છનું ક્રોડ હે પાગી; લાખ ચોરાસી ગજ રથ સોહીયે, સૂરતા ધર્મ શું લાગી. ભ૦ ૨ ચાર ક્રોડ મણ અન્નનિત સીઝે, લૂણ દશ લાખ મણ લાગી; તીન ક્રોડ ગોકુળ ઘર દૂઝે, એક ક્રોડ હળ સાગી. ભ૦ ૩
૪૨૬
Page #458
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યો કૃત સઝાય સંગ્રહ સહસ બત્રીશ દશ વડભાગી, ભયે સરવકે ત્યાગી; છનું ક્રોડ ગામ કે ધિપતિ, તોહિ ન હુઆ સરાગી. ભ૦ ૪ નવનિધિ રતન ચોઘડીયાં બાજે, મન ચિંતા સબ ભાગી; કનક કીર્તિમુનિવર વંદત છે, દેજ્યો મુક્તિ મેં માગી. ભ૦ ૫ ૬ (૨૯) શ્રી નંદિષેણમુનિની સજઝાય ક.
(રાગ-મારું મન મોહ્યું રે) સાધુજી ન જઈએ રે પરઘર એકલા રે, નારીનો કવણ વિશ્વાસ; નંદિણ ગણિકા વચને રહ્યા રે, બાર વરસ ઘરવાસ. સા૦ ૧ સુકુલિની વરકામિની પાંચસે રે, સમરથ શ્રેણિક તાત; પ્રતિબૂઝયો વચને જિનરાજને રે, વ્રતની કાઢી રે, વાત. સા૦ ૨ ભોગ કર્મ પોતે વિણ ભોગવે રે, ન હોવે છુટક બાર; વાત કરે છે શાસન દેવતા રે, લીધો સંજમ ભાર. સા૩ કંચન કોમલ કાયા સોસવી રે, વિરસ નિરસ આહાર; સંવેગી મુનિવર શિર સેહરો રે, બહુ બુદ્ધિ અકલ ભંડાર. સા૦ ૪ વેશ્યાઘર પહોત્યાં અણજાણતો રે, ધર્મલાભ દીયે જામ; ધર્મલાભનું કામ ઈહાં નહિ રે, અર્થલાભનો કામ. સા. ૫ બોલ ખમી ન શક્યા ગરવે ચડ્યા રે, ખેંચ્યો તરણો નેવ; દીઠો ઘર સારો અરથે ભર્યો રે, જાણે પ્રત્યક્ષ દેવ. સા૦ ૬ હાવ ભાવ વિભ્રમવશે આદરી રે, વેશ્યા શું ઘરવાસ; પણ દિનપ્રતિ દશ પ્રતિબૂઝવી રે, મૂકે પ્રભુજીની પાસ. સા૦ ૭ એક દિવસ નવ તો આવી મલ્યા રે, દશમો ન બૂઝે કોય; આસંગાયત હાસ્ય મિષે કહે રે, પોતે દશમા રે હોય. સા૦ ૮ નંદિપેણ ફરી સંયમ લીયે રે, વિષય થકી મન વાળ; ચૂકીને પણ જે પાછા વળે રે, તે વિરલા ઈણે કાળ. સા૦ ૯ વ્રત અકલંક જો રાખવા ખપ કરે રે તો ઈણ જૂઠ સંસાર; કવિ જિનરાજ કહે તું એકલો રે, પરઘર ગમન નિવાર. સા. ૧૦
Page #459
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૭૦) શ્રી ઢંઢણ મુનિની સજ્ઝાય
(રાગ-ગિરિ વૈતાઢ્યને ઉપરે)
સરસ્વતી માત પસાયથી ઋષિ ગુણ ગાઉં રે લો, અહો. ઋષિ ઉત્તમના ગુણ ગાવતાં, કેવળ કમળા પાઉં રે લો અહો. કે૦ ૧ જંબુદ્વિપ વખાણીયે, દ્વારિકા નયરી રૂડી રે લો; અહો દ્વા૦ મુખ્ય રાજા કેશવ તિહાં, જાદવ કુળ ક્રોડી રે લો. અહો જા૦ ૨ કેશવ રાણી ઢંઢણા, રૂપે રંભા સમાણી રે લો. અહો. રૂ૦ તાસ કુમાર ઢંઢણ ભલો, સકલ કલા ગુણ ખાણીરે લો. અહો. સ૦ ૩ નેમિ જિનેસર આવીયા, કૃષ્ણ વાંદવા જાયે રે લો અહો. કૃ૦ પ્રભુ મુખકજ દેખી કરી, હૈડે હરખ ન માયે રે લો. અહો. હૈ૦ ૪ પ્રભુજીએ દીધી દેશના, ભવિયણને હિતકારી રે લો. અહો ભ૦ દેસનાસુણી ઢંઢણ કહે, સંયમ આપો સુખકારી રે લો. અહો સં૦ ૫ પ્રવ્રજ્યા લેઈ શુભ ભાવથી, દશવિધ ધર્મને પાલે રે લો. અહો. ૬૦ પાંચે ઈંદ્રિય વશ કરી, કર્મ કઠીનને બાલે રે લો. અહો. ક૦ ૬ દિન પ્રતે દ્વારિકા માંહી તે, ગોચરીયે જાવે રે લો. અહો. ગો૦ ભાત પાણી તે સૂજતાં, દૈવ યોગે ન પાવે રે લો. અહો. દૈ૦ ૭ એહવે નેમિ ચરણમાં, વાંદીને કૃષ્ણ પૂછે રે લો. અહો વાં કહો સ્વામિ મુનિ કેટલા, સહસ અઢાર કહે છે રે લો. અહો સ૦ ૮ એટલા મુનિવરની મધ્યે, પહેલા કુણ કેવલ વરશે રે લો. અહો. ૫૦ પ્રભુજી કહે તુજ પુત્ર તે, ઢંઢણ કેવળ ધરશે રે લો. અહો. ઢં૦ ૯ ઈમ નિસુણી વેગ વલ્યો, મારગે મુનિવર મળીયો રે લો, અહો. માછ વિધિ સહિત હરિ વાંદતા, કેાઈ વ્યવહારી કળીયો રે લો. અહો. કો૦ ૧૦ એહ કોઈક મોટો મુનિ, મોદક વોરાવું આણી રે લો. અહો. મો૦ મુનિવર મોદક વહોરીયા, શુદ્ધ આહારને જાણી રે લો. અહો. શું૦ ૧૧ જિનવરને વાંદી પૂછે, શું અંતરાય ગયો વહી રે લો. અહો. શું સ્વામી વદે સુણો સાધુજી, લબ્ધિ તુમએ નહિ રે લો. અહો. લ૦ ૧૨
૪૨૮
Page #460
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સજઝાય સંગ્રહ પ્રભુ મુખથી એમ સાંભળી, પુર બાહિર ચાલે રે લો. અહો. પુત્ર ઈટ નિભાડમેં જાઈને, ચૂરી મોદક ઘાલે રે લો. અહો ચૂ૦ ૧૩ મોદક ચૂરતાં કેવલ લહ્યા; ઘાતિ કર્મ વિદારી રે લો. અહો. ઘાવ અનુક્રમે કર્મનો ક્ષય કરી, પહોતા મોક્ષ મોઝારી રે લો. અહો ૫૦ ૧૪ નેમિશિષ્ય ઢંઢણ ઋષિ, પ્રણમો ભાવ આણી રે લો. અહો પ્ર0 હીરવર્ધનનો ક્ષેમ કહે, પામો શિવ સુખ ખાણી રે લો. અહો. પા) ૧૫
SF (૭૧) શ્રી નિદ્રાની સઝાય ,
(રાગ-અણિતનિણંદશું પ્રીતડી) - નિંદરડી વેરણ હુઈ, ઈણ હુંતી હો બગડે ધર્મ વાત કે; ચોર ફિરે ચિહું પાખતી, કિમ શોવે હો દિન ને રાત કે. નિં. ૧ વિર કહે સુણ ગોયમા, મત કરજો હો એક સમય પ્રમાદ કે; જરા આવે જોબન ગલે, તે સૂતાં હો કહો કવણ સવાદ કે. નિં૦ ૨ ચૌદ પૂરવધર મુનિવરૂ, નિંદ કરતા હો જાય નરક નિગોદ કે, કાળ અનંતોતિહાં રૂલે, કિમ હોવે હો તિહા ધરમ વિનોદકે. નિં૦ ૩ જાગંતડા જોખો નહિ, છેતરાયે હો નર સૂતો નેટ કે; સૂતાં જોખમ છે ઘણાં, તમ કરજો હા સાધુ પુરુષની ભેટ કે. નિં૦ ૪ જોરાવર ઘણો જુલમી, યમ રાણી હો કહ્યો સબલ દૂર છે; કટક અનેરાં ચિહું દિશે, જે જાગે તો તે કહીયે શૂર કે. નિં. ૫ વીરે દૃષ્ટાંત વખાણીયો, પંખી ન કરે તો ભાખંડ પ્રમાદ કે; તેહ તણીપરે વિચરજો, પરિહરજો હો તુમે મહા ઉન્માદ કે. નિં. ૬ વીર વયણ એમ સાંભળી, પરિહરીયો હો ગોયમ પરમાદ કે; લીલા સુખ લાવ્યાં ઘણાં, થિર રહીયો હો જગમેં જસવાદ કે. નિં૦ ૭ તુમે નેડી નિંદ મ આણજો, સહુ કોઈ હો રહેજો સાવધાન કે; ધરમે ઉદ્યમ આણજો, ઈમ બોલે હો મુનિ કનક નિધાન કે. નિં. ૮
૪િ૨૯
Page #461
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
E (૭૨) શ્રી વૈરાગ્યની સઝાય
એક દિવસમાં ક્ષણે ક્ષણેને, શિર પર ભમે કાળજી લઈ જાવેગા જમ જીવડા, જીમ તેતર ઉપર બાજ, હો મનપંખીડાં મત પડે જીમ પીંજરે, સંસાર માયા જાળ હો મન પંખીડા૦ ૧. આયુષ્ય રૂપીજીવ જાણવોને, ધર્મ રૂપી પાળજી, એવો અવસર જે ચૂકશે, તેને જ્ઞાનીએ ગણ્યો ગમાર હો. મન૦ ૨. અઢી હાથનું કપડું લાવી, શ્રીફળ બાંધ્યા ચારજી, ખોખરી દુણીમાં આગ મૂકી લઈ ચાલ્યાં તત્કાલ. હો મન૦ ૩. જ્યારે સરોવર ભર્યા હતાં, ત્યારે ન બાંધી પાળજી, નીર હતાં તે વહી ગયાં પછી, હાથ ઘસે શું થાય. હો મન૦ ૪. કાચો રે કુંજ જળ ભર્યો, તેને ફૂટતાં ન લાગે વારજી; હંસલો તે ઉડી ગયો પછી, કાયા માટીમાં જાય હો. મન ૦૫. શેરી લગે સગી સુંદરીને, ઝાંપા લગે માય બાપજી; સ્મશાન લગે સગો બાંધવો, પછી કોઈ ન આવે તારી સાથે હો. હો મન૦ ૬. હાડ બળે જેમ લાકડું ને કેશ બળે જેમ ઘાસજી; કંકુવર્ણ તારી કાયા બળે, ખોળી બાળે હાડ હો. હો મન૦ ૭. માતા રૂવે તારી ઘડી ઘડીને, બહેની રૂવે ષટ માસજી, પ્રિયા રૂવે તારી એક વર્ષ, પછી શોધે ઘરનો વાસ હો. હો મન, ૮. કેનાં છોરૂં કેના વાછરુંને, કેનાં માય ને બાપજી; પ્રાણી જાવું છે એકલું, એવી વીર વિજયની વાણી. હો મન પંખીડા મત પડે જીમ પીંજરે. (૯) પર (૭૩) શ્રી વૈરાગ્યકારક સજઝાય ક
(ભખરે ઉતારો રાજા)) મહેલ ઝરૂખા ને માળીયા, હાંડી ઝુમર ઠાઠ માઠજી; હીંચકતા હીંડોળે સુવર્ણના, જ્યોત દીપક ઝગઝગાટજી,
એક દિન જાવું છોડી એકલા૧ હય ગયવર રથ પાલખી, બેસી કરતાં કલ્લોલજી; ચીઠી ફરી જમરાયની, તે ઘર થતી રડારોળજી. એક૦ ૨ નિશદિન નોબત વાજતી, નાટક ગીત ને નાદજી, તે ઘર ખાલી ખંડેર પડ્યા, કાને પડે કાગ સાદજી. એક૦ ૩
૪૩૦
Page #462
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સજઝાય સંગ્રહ શ્રીમંત નામ ધરાવતાં, જેનું રહેવું સાત માળજી; તેવા નર ઉપાડીને, કોળીયા કરી ગયો કાળજી. એક૦ ૪ આનંદ મોજ લૂંટાવતાં, દેતા અઢળક દાનજી; દુઃખ દેખ્યું નથી દીલમાં, તે પણ પહોંતા મસાણજી. એક0 ૫ વાસુદેવ બળદેવ ચક્રવર્તી, ઈદ્ર નાગૅદ્ર જે હોયજી; કાળે કોઈને મૂક્યા નહિ, અમર રહ્યા નહિ કોઈજી. એક૦ ૬ માત પિતા સુત બાંધવા, પુત્રી ભગિનીની સાથેજી; જગમાં કોઈ કોઈનું નહિ, કેમ ભરી બેઠી બાથજી. એક૦ ૭ હું ને મારું કરી મેળવ્યું, જગમાં જાગી દિનરાત જી. અંતકાળે જાતાં જીવને એકલા, આવ્યું કોઈ ન સંગાતજી. એક૦ ૮ પ્રયાણ થતાં પરલોકમાં, જાવું જીવન જરૂરજી; આવાગમન છે એકલું, પુન્ય ને પાપ હજુર જી. એક૦ ૯ ધન રહેશે દાઢ્યું આંગણે, પાદર સુધી સ્ત્રી સંગાતજી; સ્વજન વર્ગ મસાણ લગે, જગની જુઓ રીત ભાતજી. એક૦ ૧૦ સર્વ રૂદન કરે સ્વાર્થનું, કોઈને કંઈ કંઈ દુઃખજી; રૂદન નહિ પરમાર્થનું, જોઈયે સર્વને સુખ જી. એક૦ ૧૧ ભાગ્યમાં લખી ફુટી તોલડી, આશા અમર અપારજી. તો પણ લક્ષ્મીની લાલસા, છુટે નહિ રે લગારજી. એક૦ ૧૨ મોહે મુંઝાયા રે માનવી, ખોયું આત્મિક ભાનજી; માર પડે મોહરાયનો; તો પણ આવી ન સાનજી. એક૦ ૧૩ પુન્ય પસાયજી પામીયો, ઉત્તમ નરભવ દેહ જી, ઓળખ કરો આતમરામની, જડ વસ્તુનો તાજો નેહજી. એક૦ ૧૪ ભવસાગર દુઃખ જળ ભર્યો, તારક નીતિ સૂરીંદજી, ધર્મની નૌકા ગ્રહણ કરો, ઉદયથી ટળે ભવ ફંદજી. એક0 ૧૫
૪૩૧
Page #463
--------------------------------------------------------------------------
________________
અહં ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા E (૭૪) મનડાને વશ કરવાની સઝાય ક મનાજી તું તો જિન ચરણે ચિત્ત લાય, તેરો અવસર વીતી જાય મનાજી. ઉદર ભરણ કે કારણે રે, ગૌઆ વનમાં જાય; ચારો ચરે ચિંહુદિશી ફરે રે, વાંકું ચિત્તડું વાછરીઆ માંય. મ૦ ૨ ચાર પાંચ સાહેલી મળીને, હિલમીલ પાણી જાય; તાળી દીયે ખડખડ હસે, વાંકુ ચીત્તડું ગાગરીયા માંય. મ૦ ૩ નટવો નાચે ચોકમાં રે, લખ આવે લખ જાય; . વાંસ ચડી નાટક કરે રે, વાંકુ ચિત્તડું દોરડીયા માંય. મ૦ ૪ સોની સોનાના ઘડે રે, વળી ઘડે રૂપાના ઘાટ; ઘાટ ઘડી મન રીઝવે રે, વાંકું ચિત્તડું સોનઈયા માંય. મ૦ ૫ જાગટીયા મન જુગટું રે, કામીને મન કામ; “આનંદઘન” એમ વિનવે રે, એસો પ્રભુકો ઘર ધ્યાન. મ૦ ૬
5 (૭૫) શ્રી વૈરાગ્યની સઝાય SF કોરા કાગળની પુતળી મન તું મેરા રે; એને ઘડતા ન લાગે વાર સમજ મન મેરા રે. ૧ કાચો કુંભ જલે ભર્યો મન તું મેરા રે; એને ફૂટતાં ન લાગે વાર. સમજ૦ ૨ ભર લાકડ ગાડા ભર્યા મન તું મેરા રે; ખોખરી દોણી તેની સાથે સમજ૦ ૩ ઘરની લુગાઈ ઘર લગી મન તું મેરા રે; શેરી લગે સગી માય સમજ૦ ૪ સીમા લગે સાજન ભલું મન તું મેરા રે; પછી હંસ એકલો જાય. સમજ૦ ૫ સુંદર વરણી ચે બળે, મન તું મેરા રે; એનો ધુમાડો આકાશે જાય. સમજ) ૬
૪૩૨
Page #464
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
પાંચે આંગળીએ પુન્ય પાપ મન તું મેરા રે; અંતે થાય સખાઈ.
સમજવ
હીરવિજય ગુરુ હીરલો, મન તું મેરા રે; લબ્ધિ વિજય ગુણ ગાય સમજવ
૭
८
૬ (૭૬) વૈરાગ્યની સજ્ઝાય
તારૂં ધન રે જોબન ધુળ થાશે રે, કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે; પેટ પીડાને કાળો કળતર જીવતા કેમ જોવાશે, ડર ઉપડશે ને મુંઝારો થાશે; પછી અતિ આતુરતા વધશે રે. કંચન૦ ૧. વૈધ તેડાવીને વેદુ કરાવશે ને તારી તે નાડીઓ જોવડાવશે, તુટી એની પછી બુટી નહીં, તારા નાકની ડાંડી મરડશે. કંચન૦ ૨. આંખ ફરકશેને અકળામણ થાશે, જીભલડી તારી જલાસે; દશ દરવાજા તારા બંધ કરી દેશે, પછી અતિ વ્યાકુળતા વધશે રે. કંચન૦ ૩. જેના વિના એક ઘડીયે ન ચાલતું, તે પ્રિયા તારી ફંડાશે; ભવોભવના છેટા પડશે, તારા નામની ચુડીઓ ભંગાશે. કંચન૦ ૪. ખોખરી હાંડલીમાં આગ જલકશે ને સ્મશાને લાકડા નંખાશે, સઘળું કુટુંબ મળી સળગાવી દેશે; પછી બહારના કાગળ લખાશે. કંચન૦ ૫. દશ દિવસ પછી સુતક કાઢશે ને માથું ને મુંછ મુંડાવશે, સારી પેઠે તેનું સુતક કાઢી; પછી બારમાના લાડુઓ જમશે. કંચન૦ ૬. દયા ધર્મને ભક્તિ વિના, તારૂ ધન તે રાજ ભેલાસે; જ્ઞાનવિમલ કહે પ્રભુ, ભજન વિના મોટા મોટા લુંટાશે રે; કંચન જેવી કાયા તારી રાખમાં રોળાશે. ૭. ૬ (૭૭) શ્રી સ્થૂલિભદ્રજીની સજ્ઝાય
૪૩૩
આંબો મોર્યો રે આંગણે, પરિમલ પુહવી ન માય; પાસે ફુલી રે કેતકી, ભ્રમર રહ્યો રે લોભાય. આંબો૦ ૧ આવો સ્ફૂલિભદ્ર વાલહા, લાછલ દેના હો નંદ; તુમશું મુજ મન મોહ્યું, જીમ સાયરને હો ચંદ. આંબો૦ ૨
Page #465
--------------------------------------------------------------------------
________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સુગુણા સાથે હો પ્રીતડી, દિન દિન અધિકી હો થાય; બેઠો રંગ મજીઠનો, કદીયે અટકી ન જાય. આંબો૦ ૩ નેહ વિણા રે માણસો, જેહવા આવળ ફુલ; દીસતા રળીયામણા, પણ નવિ પામે હો મૂલ્ય. આંબો૦ ૪ કોયલડી ટહુકા કરે, આંખે લટકેરે લૂંબ સ્થૂલિભદ્ર સુરતરૂ સરિખા, કોશ્યા કણપર કંબ. આંબો) ૫ સ્થૂલિભદ્ર કોશ્યાને બુઝવી, દીધું સમકિત સાર; રૂપવિજય કહે શીલથી, લહીએ સુખ અપાર. આંબો) ૬
(૭૮) શ્રી આત્મજ્ઞાનની સઝાય gi શી કહું કથની હું મારી, વીર શી કહું કથની હું મારી; જન્મ પહેલાં મેં આપની પાસે, કીધો છે કોલ કરાર; અનંતા જન્મના કર્મ મીટાવવા, મનુષ્ય જન્મ મેં દીલધારી. શી. ૧ સંસાર વાયરાની લહેર થકી હું, વિસર્યો છું આજ્ઞા તુમારી; બાળપણમાં હું રહ્યો અજ્ઞાની, મનુષ્યજન્મ ગયો ભવહારી. શીવે ૨ જોબન વયમાં વિષય વિકારી, રાચી રહ્યો હું દીલધારી; ધન ન પામ્યો ધર્મ ન સાધ્યો, ધર્મને મેલ્યો મેં વિસારી. શીવ ૩ જોત જોતામાં ઘડપણ આવ્યું, શક્તિ ગઈ સહુ મારી; ધન દોલતની આશાએ વળગ્યો, ગયો મનુષ્યભવ હારી. શી. ૪ ભરત ભૂમિ મેં પંચમ કાળે, નહિ કોઈ કેવળ ધારે; સંદેશ સઘળા કાણની પાસે, મન મુંઝાય છે હવે મારૂં. શીવ ૫ ઉદયરત્ન કરજોડી કહે છે, રંગો મેં શહેર મોઝારી; ભક્તિ વત્સલ બહુ સહાય કરીને, લેજો મુજને ઉગારી. શીવ ૬
૬ (૭૯) વૈરાગ્યની સઝાય , જીવડા સુકૃત કરજે સાર, નહિતર સ્વપનું છે સંસાર; પલક તણો નિશ્ચય નથી ને નથી બાંધી ધર્મની પાળ. ૧
૪૩૪
Page #466
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યો કૃત સઝાય સંગ્રહ
ઉંચી મેડી ને અજબ ઝરૂખાં, ગોખ તણો નહિ પાર; લખપતિ છત્રપતિ ચાલ્યા ગયા, તેના બંધ રહ્યાં છે બાર. ૨ ઉપર ફુલડાં ફરહરે ને, બાંધ્યા શ્રીફળ ચાર; ઠાક ઠીક કરી એને ઠાઠડીમાં બાંધ્યો, પછી પૂંઠે તે લોક પોકાર. ૩ શેરી લગે જબ સાથે ચલેંગી, નારી તણો પરિવાર; કુટુંબ કબીલો પાછો ફરીને, સહુ કરશે ખાન પાન. ૪ સેજ તલાઈ વિના નવિ સૂતો, કરતો ઠાઠ હજાર; સ્મશાને જઈ ચેહમાં સુવું, ઉપર કાષ્ટના ભાર. ૫ અગ્નિ મૂકીને અળગાં રહેશે, ત્યારે વરસશે અંગાર; ખોળી ખોળીને બાળશે, જિમ લોઢું ગાલે લુહાર. ૬ સ્નાન કરીને ચાલીયા, સાથે મળી નરનાર; દસ દિવસ રોઈને રહેશે, પછી મુકશે વિસ્તાર. ૭ એવું જાણીને ધર્મ કરીલે, કરીલે પર ઉપગાર; સત્ય શિયળ પામીશ જીવડાં, શીવતરૂ ફલ સહકાર. ૮
= (૮૦) વૈરાગ્યની સઝાય . આવ્યો પ્રાણી એકલો રે, પરભવ એકલો જાય; પુન્ય પાપ દોનો સાથ ચલેરે, સ્વજન ન સાથી થાય. ૧ માલ રહે ઘર સ્ત્રી વળે રે, પોળે વળાવી કંથ; સ્વજન વળે રમશાનથી રે, પ્રાણ ચલે પરપંથ. ૨ સ્વારથી આ મેળાવડો રે, સ્વજન કુટુંબ સમુદાય; સુખ દુઃખ સહે જીવ એકલો રે, કુળમાં નહિ વહેંચાય રે. ૩ પ્રાણ ભોગ લખ આપીને રે, પૃથ્વી કરી નિજ હાથ; ચક્ર હરી ગયા એકલા રે, પૃથ્વી ન ગઈ તસ સાથ. ૪ લખપતિ છત્રપતિ સૌ ગયા રે, ઋદ્ધિ ન ગઈ તસ સાથ; હાક સુણી જન થર થરે રે, તે ગયા ઠાલે હાથ. ૫
૪૩પ
Page #467
--------------------------------------------------------------------------
________________
(
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
||
અભિમાની રાવણ ગયો રે, જગ જશ લેઈ ગયા રામ; આખર જાવું એકલું રે, અવસર પચે જામ. ૬ એકાકી પણું આદર્યું રે, મુક્યું મિથિલાનું રાજ; વલય દષ્ટાન્ત બુઝિયો રે, ત્યાગી થયો નમીરાય. ૭
E (૮૧) એકત્વ ભાવનાની સઝાય ,
સગું તારૂં કોણ સાચું રે, સંસારિયામાં ૧. પાપનો તો નાખ્યો પાયો, ધરમમાં તું નહીં ધાયો, ડાહ્યો થઈને તું દબાયો રે. સંસારિયામાં) ૨. કુડુંકડું હેત કીધું, તેને સાચું માની લીધું, અંતકાળે દુ:ખ દીધું રે, સંસારિયામાં) ૩. વિસવાસે વહાલા કીધા, પિયાલા ઝેરના પીધા, પ્રભુને વિસારી દીધા રે. સંસારિયામાં ૪. મનગમતામાં મહાલ્યો, ચોરને મારગ ચાલ્યો, પાપીઓનો સંગ ઝાલ્યો રે. સંસારિયામાં) ૫. મુખ બોલ્યો મીઠી વાણી, ધન કિધું ધૂળ ધાણી, જીતી બાજી ગયો હારી રે, સંસારિયામાં) ૬. ઘરને ધંધે ઘેરી લીધો, કામિનીએ વશ કીધો, ઋષભદાસ કહે દગો દીધો રે, સંસારિયામાં) ૭.
ક (૮૨) શ્રી ગર્વની સઝાય , ગર્વ ન કરશો રે ગાત્રનો, આખર એ છે અસાર રે; રાખ્યું કોઈનું રે નવિ રહે, કર્મ ન ફરે કિરતાર રે. ગર્વ૧ સડણ પડણ વિધ્વંસણો, જેહવો માટીનું ભાંડ રે; ક્ષણમાં વાગે રે ખોખરૂં; તે કેમ રહેશે અખંડ રે. ગર્વ૦ ૨ મુખને પૂછીને રે જે જમે, પાન ખાય ચૂંટી ચૂંટી ડીંટ રે; તે મુખ બંધાણા ઝાડવે, કાગડા ચરકતા વિષ્ટ રે. ગર્વ. ૩ મુખ મરડે ને મોજો કરે, કામિની શું કરે કિલોલ રે; તે જઈ સુતા મસાણમાં, મોહ-મમતાને મેલી રે. ગર્વ. ૪ ચિંહુ દિશિ ખેલંતા, નરનારી લખ કોડ રે, જઈ સૂતા સમશાનમાં, ઘન કણ કંચન છોડ રે. ગર્વ૦
૪૩૬F
Page #468
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ
ક્રોડ ઉપાય જો કીજિયે, તો પણ નવિ રખાય રે;
સ્વજન મેલાવો રે તેહનો, કીધો અગ્નિશું દાહ રે. ગર્વ૦ ૬ જરા કુંવર જંગલ વસે, વનમાં ખેલે શિકાર રે;
હિર પગ પદ્મને પેખીને, મૃગની ભ્રાંતિ તેણી વાર રે. ગર્વ૦ ૭ કૃષ્ણ સરીખો રે રાજવી, બળભદ્ર સરીખો છે ભાઈ રે; જંગલમાં જૂઓ તેહને, તાકી નાખ્યો છે તીર રે. ગર્વ૦ ૮ બત્રીશ સહસ્ત્ર અંતેઉરી. ગોપી સોળ હજાર રે; તરસે તરફડે ત્રીકમો; નહિ કોઈ પાણી પાનાર રે. ગર્વ ૯ કોટીશિલા ઉંચી કરી, ગિરિધારી ધરતો નામ રે; બેઠા ન થવાણું તિહાં થકી, જીઓ જુઓ કર્મના કામ રે. ગર્વ૦ ૧૦ જન્મતાં કેણે નવિ જાણીયા, મરતાં નહિ કોઈ રોનાર રે;
મહા અટવીમાંહી એકલા, પડ્યા પાડે કરે પોકાર રે. ગર્વ૦ ૧૧ છબીલો છત્ર ધરાવતો, ફેરવતો ચઉદિશિ ફોજ રે; વિનમાં વાસુદેવ જઈ વસ્યા, બેસે જિહાં વનચર રોજ રે. ગર્વ૦ ૧૨ ગજે બેસીને જે ગાજતો, થતી જિહાં નગારાની ઠોરરે; ઘુવડ હોલા તિહાં ઘુઘવે, સાવજ કરતાં તિહાં શોર રે. ગર્વ૦ ૧૩ જરાકુમાર જંગલ વસે, ખેલે છે તિહાં શિકાર રે;
હિર પગે પદ્મ તે દેખીયો, મૃગની ભ્રાંતે તેણી વાર રે. ગર્વ ૧૪ તીર માર્યો તેણે તાણીને, પગ તળે બળ પૂર રે;
પગ ભેદીને તે નીસર્યો, તીર પડ્યો જઈ દૂર રે. ગર્વ૦ ૧૫
આપ બળે ઉઠીને કહે રે, રે હું તો છું કૃષ્ણ રે; બાણે કેણે મને વિંધીયો, એવો કોણ છે દુર્જન રે. ગર્વ૦ ૧૬
શબ્દ તે કૃષ્ણનો સાંભળી, વૃક્ષ તળે જરાકુમાર રે; કાં હું વસુદેવ પુત્ર છું, રહું છું આ વન મોઝાર રે. ગર્વ૦ ૧૭
કૃષ્ણ રખોપાને કારણે, વર્ષ થયા મુજ બાર રે; પણ નવ દીઠો કોઈ માનવી, આજ લગે તે નિરધાર રે. ગર્વ૦ ૧૮
૪૩૭
Page #469
--------------------------------------------------------------------------
________________
અહગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દુષ્ટ કર્મ તણે ઉદય, આંહિ આવ્યા તુમે આજ રે; મુજને હત્યા રે આપવા, વળી લગાડવા લાજ રે. ગર્વ૦ ૧૯ કૃષ્ણ કહે આવો બાંધવા, જિન કાજ સેવો છો વન રે, તે હું કૃષ્ણ તે મારીયો, ન મટે શ્રી નેમનાં વચન રે. ગર્વ૦ ૨૦ ઈમ સુણી આંસુડાં વરસાવતો, આવ્યો કૃષ્ણની પાસ રે, મોરારી તવ બોલીયા, લે આ કૌસ્તુભ ઉલ્લાસ રે. ગર્વ૦ ૨૧ એ નિશાની પાંડવને આપજે, જા તું ઈહાંથી વેગ રે; નહિ તે બળભદ્ર મારશે, ઉપજશે ઉદ્વેગ રે. ગર્વ૦ ૨૨ આ સમે કિમ જાઉં વેગળો, જો તમે મોકલો મોરારી રે; ફરી ફરી પાછું જોતો થકો, વરસત આંસુ જળધારરે. ગર્વ૦ ૨૩ દષ્ટિ અગોચર તે થયો, તેવીશમી ઢાળ રે; ઉદયરતન કહે એ થઈ, સહુ સુણજો ઉજમાળ રે. ગર્વ૮ ૨૪
(૮૩) શ્રાવકકરણીની સઝાય 5 શ્રાવક તું ઉઠે પરભાત, ચાર ઘડી રહે પાછલી રાત; મનમાં સમરે શ્રી નવકાર, જેમ પામે ભવસાગર પાર. ૧ કવણ દેવ કવણ ગુરુ ધર્મ, કવણ અમારૂં છે કુળધર્મ કવણ અમારો છે વ્યવસાય, એવું ચિંતવજે મનમાંય. ૨ સામાયિક લેજે મન શુદ્ધ, ધર્મતણી હૈયડે ધરજે બુદ્ધ; પડિક્કમણું કરે રયણીતણું, પાતિક આલોઈએ આપણું. ૩ કાયા સકતે કરે પચ્ચખાણ, સુધા પાળે જિનની આણ; ભણજે ગણજે સ્તવન સઝાય, જિણ હુંતી નિસ્તારો થાય. ૪ ચિતારે નિત્ય ચૌદહ નિમ, પાળે દયા જીવોની સીમ; દેહરે જઈ જુહારે દેવ, દ્રવ્ય ભાવથી કરજે સેવ. ૫ પૂજા કરતાં લાભ અપાર, પ્રભુજી મોટા મુક્તિદાતાર; જે ઉત્થાપે જિનવર દેવ, તેહને નવ દંડકની ટેવ. ૬
૪૩૮
Page #470
--------------------------------------------------------------------------
________________
ન
પૂર્વાચાર્યો કૂત સઝાય સંગ્રહ
પોશાળે ગુરુવંદને જાય, સુણે વખાણ સદા ચિત્ત લાય; નિર્દૂષણ સૂઝતો આહાર, સાધુને દેજે સુવિચાર. ૭ સામીવચ્છલ કરજે ઘણું, સગપણ મોટું સાહમીતણું દુઃખીયા હણા દીનાં દેખ, કરજે તાસ દયા સુવિશેષ. ૮ ઘર અનુસારે દેજે દાન, મ્હોટા શું મ કરે અભિમાન; ગુરુને મુખ લેજે આખડી, ઘર્મ ન મૂકીશ એકે ઘડી. ૯ વારૂ શુદ્ધ કરે વ્યાપાર, ઓછા અધિકાનો પરિહાર; મ ભરજે કોઈની કૂડી સાખ, કૂડા જનશું કથન મ ભાખ. ૧૦ અનંતકાય કહ્યા બત્રીશ અભક્ષ્ય બાવીશે વિશ્વાવીશ; તે ભક્ષણ નવિ કીજે કિમે, કાચાં કુણાં ફલ મત જિમે. ૧૧ રાત્રિભોજનના બહુ દોષ, જાણીને કરજે સંતોષ; સાજી સાબુ લોહ ને ગળી, મધુધાવડીયાં મત વેચીશ વળી. ૧૨ વળી મ કરાવે રંગણ પાસ, દૂષણ ઘણાં કહ્યાં છે તાસ; પાણી ગળજે બે બે વાર, અળગણ પીતા દોષ અપાર. ૧૩ જીવાણીના કરજે યત્ન, પાતક છંડી કરજે પુણ્ય; છાણાં ઈધણ ચૂલો જોય, વાવરજે જિમ પાપ ન હોય. ૧૪ ધૃતની પેરે વાવરજે નીર, અણગળ નીર મ ધોઈશ ચીર; બ્રહ્મવ્રત સૂધા પાળજે, અતિચાર સઘળા ટાળજે. ૧૫ કહીયાં પન્નર કર્માદાન, પાપતણી પરહરજે ખાણ; માથે મ લેજે અનરથદંડ, મિથ્યા મેલ મ ભરજે પિંડ. ૧૬ સમકિત શુદ્ધ હૈડે રાખજે, બોલ વિચારીને ભાખજે; પાંચ તિથિ મ કરે આરંભ, પાળે શિયળ તજી મન દંભ. ૧૭ તેલ તક્ર ધૃત દૂધ અને દહીં, ઉઘાડા મત મેલો સહી; ઉત્તમ ઠામે ખરચે વિત્ત, પર ઉપગાર ધરે શુભ ચિત્ત. ૧૮ દિવસચરિમ કરજે ચોવિહાર, ચારે આહારતણો પરિહાર; દિવસતણાં આલોવે પાપ, જિમ ભાંજે સઘળા સંતાપ. ૧૯
૪૩૯
Page #471
--------------------------------------------------------------------------
________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સંધ્યા આવશ્યક સાચવે, જિનવર ચરણ શરણ ભવભવે; ચારે શરણ કરી દૃઢ હોય, સાગારી અણસણ લે સોય. ૨૦ કરે મનોરથ મન એહવા, તીરથ શેત્રુંજે જાયવા; સમેતશિખર આબૂ ગિરનાર, ભેટીશ હું ધન્ય ધન્ય અવતાર. ૨૧ શ્રાવકની કરણી છે એહ, એહથી થાય ભવનો છે; આઠે કર્મ પડે પાતળા, પાપતણા છૂટે આમળા. ૨૨ વારૂ લહીએ અમર વિમાન, અનુક્રમે પામે શિવપુર ધામ; કહે જિનહર્ષ ઘણે સસનેહ, કરણી દુઃખહરણી છે એહ. ૨૩
E (૮૪) કર્મ પચ્ચીશીની સઝાય |
દેવ દાનવ તીર્થકર ગણધર, હરિ હર નવર સબળા; કર્મ સંયોગે સુખ દુઃખ પામ્યા, સબળ હુઆ મહા નબળા રે પ્રાણી ! કર્મ સમો નહિ કોય, કીધાં કર્મ વિના ભોગવીમાં છૂટકબારો ન હોય રે. પ્રા૦ ૧. એ આંકણી. આદીશ્વરને અંતરાય વિડંખ્યો; વર્ષ દિવસ રહ્યા ભુખે; વીરને બાર વરસ દુઃખ દીધું, ઉપન્યા બ્રાહ્મણી કૂખે રે. પ્રાણીઓ ૨. સાઠ સહસ સુત એક દિન મૂઆ, સામત શૂરા જેસા; સગર હુઓ મહા પુત્રે દુઃખીઓ, કર્મતણાં ફળ એસા રે. પ્રાણી) ૩. બત્રીશ સહસ દેશનો સાહેબ, ચક્રી સનતકુમાર; સોળ રોગ શરીરે ઉપન્યા, કરમે કીયો તસ ખુવાર રે. પ્રાણી૪. સુભૂમ નામે આઠમો ચક્રી, કર્મે સાયર નાખ્યો; સોળ સહસ યક્ષે ઉભાં દીઠો, પણ કણહી નવિ રાખ્યો રે. પ્રાણી૫. બ્રહ્મદત્ત નામે બારમો ચકી, કમેં કીધો રે અંધો; એમ જાણી પ્રાણી વિણ કામે, કોઈ કર્મ મત બાંધો રે. પ્રાણી. ૬. વિશ ભુજા દશ મસ્તક હુંતા, લક્ષ્મણે રાવણ માર્યો એકલડે જગ સહુને જીત્યો, કર્મથી તે પણ હાર્યો રે. પ્રાણી) ૭. લક્ષ્મણ રામ મહાબળવંતા, વળી સત્યવંતી સીતા; બાર વરસ લગે વનમાંહે ભમીયા, વીતક તસ બહુ વીત્યાં રે. પ્રાણી, ૮. છપ્પન કોડ જાદવનો સાહેબ, કૃષ્ણ મહાબળી જાણી અટવીમાંહિ એકલડો મૂઓ, વલવલતો વિણ
४४०
Page #472
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સઝાય સંગ્રહ પાણી રે. પ્રાણી) ૯. પાંચ પાંડવ મહા ઝુઝારા, હારી દ્રૌપદી નારી; બાર વરસ લગે વન દુઃખ દીઠાં, ભમીયા જેમ ભિખારી રે. પ્રાણી) ૧૦. સતીય શિરોમણિ દ્રૌપદી કહીએ, પાંચ પુરુષની નાર; સુકુમાલિકા ભવે બાંધ્યું નિયાણું, પામી પાંચ ભરતાર રે. પ્રાણી) ૧૧. કર્મે હલકો કીધો હરિચંદને, વેચી તારા રાણી; બાર વરસ લગે માથે આપ્યું, ડુબતણે ઘેર પાણી રે. પ્રાણી૦ ૧૨. દધિવાહન રાજાની બેટી, ચાવી ચંદનબાળા, રચઉપદની પરે ચઉટે વેચાણી. કર્મતણા એ ચાળા રે. પ્રાણી) ૧૩. સમકિતધારી શ્રેણિક રાજા, બેટે બાંધ્યો મુકે; ધર્મી નરપતિ કર્મે દબાણા, કર્મથી જોર ન કીસકે રે. પ્રાણી) ૧૪. ઈશ્વર દેવને પાર્વતી રાણી, કર્તા પુરુષ કહેવાય, અહોનિશ શમશાનમાંહે વાસો, ભિક્ષા ભોજન ખાય રે. પ્રાણી) ૧૫. સહસ કિરણ સૂરજ પ્રતાપી, રાત દિવસ રહે ભમતો; સોળ કલા શશહર જગ ચાવો, દિન દિન જાયે ઘટતો રે. પ્રાણી) ૧૬. નળરાજા પણ જુગટે રમતા, અરથ ગરથ રાજ્ય હાર્યો; બાર વરસ લગે વન દુઃખ દીઠાં, તેને પણ કર્મે ભમાડ્યો રે. પ્રાણી૦ ૧૭. સુદર્શનને શૂળીયે દીધો, મુંદરાએ માગી ભિખ; તમસ ગુફા મુખ કોણિક બળીયો, માની ન કોઈની શિખરે. પ્રાણી૦ ૧૮. ગજ મુનિના શિર ઉપર સગડી, સાગરદત્તે બાળ્યું શિષ; મેતારજ વાધરે વિટાણા, ક્ષણ ન આવી રીસ રે. પ્રાણી) ૧૯. પાંચશે સાધુ ઘાણીમાં પીલ્યા, રોષ ન આણ્યો લગાર; પૂરવ કર્મે ઢંઢણ ઋષિને, ષટ્ માસ ન મળ્યો આહાર રે. પ્રાણી) ૨૦. ચૌદ પૂરવધર કર્મતણે વશ, પડ્યા નિગોદ મઝાર, આદ્રકુમાર અને નંદિષેણે, ફરી વાસ્યો ઘરવાસ રે. પ્રાણીઓ ૨૧. કલાવતીના કર છેદાણા, સુભદ્રા પામી કલંક; મહાબળ મુનિનું ગાત્ર પ્રજાવ્યું કર્મતણા એ વંક રે, પ્રાણી૦ ૨૨. દ્રૌપદી હેતે પદ્મનાભનું. ફોડ્યું કૃષ્ણ ઠામ; વીરના કાને ખીલા ઠોકાણા, પગે રાંધી ખીર તામ રે. પ્રાણી) ૨૩. કર્મથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ મઝાર; મેરૂશિખર ઉપર ચડે પણ, કર્મ ન ૧. ચતુર-ડાહી, ૨. પશુની માફક, ૩. શંકરદેવ, ૪. ચંદ્ર, ૫. મુંજ રાજાએ
૪૪૧
Page #473
--------------------------------------------------------------------------
________________
અહંદ્રગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા મૂકે લગાર રે. પ્રાણી) ૨૪. એવાં કર્મ જીત્યાં નર નારી, તે પહોત્યાં શિવ ઠાય; પ્રભાતે ઉઠી નિત નિત વંદો, ભક્તિએ તેહના પાય રે. પ્રાણી) ૨૫. એમ અનેક નર પંડ્યા કર્મો, ભલભલેરા જે સાજ; ઋષિ હરષ કર જોડીને કહે, નમો નમો કર્મ મહારજ રે. પ્રાણી) ૨૬.
= (૧) જવા પાંત્રીશી , મોહ મિથ્યાતકી નિંદમેં, જીવા સૂતો કાલ અનંત; ભવ ભવમાંહે ભટકીઓ જીવા તે સાંભળ વિરતંત, જીવા તું તો ભુલો રે, પ્રાણી એમ રડીઓ રે સંસાર. એ આંકણી અનંતા જિન હોવે કેવલી, જીવા ઉત્કૃષ્ટા જ્ઞાની અગાધ; ઈણ ભવશું લેખો લીએ, જીવા તારી ન કહે કો આદ. જી૦ ૨ પૃથવી પાણી અગ્નિમાં, જીવા ચઉથી વાઉકાય; એકેકી કાયા મધ્યે; જીવા કાલ અસંખ્યાતો જાય. જી૦ ૩ પાંચમી કાયે વણસ્સઈ, જીવા સાધારણ પ્રત્યેક; સાધારણમાં તું વસ્યો, જીવા તે વિવરો તું દેખ. જી૦ ૪ સોહી અગ્ર નિગોદમેં, જીવા શ્રેણી અસંખ્યાતી જાણ; અસંખ્યાતા પ્રત્ર કહ્યા, જીવા ગોલા અસંખ્યાત જાણ. જી) ૫ એકુકા ગોલા મળે, જીવા અસંખ્યાતા શરીર; એક શરીરમાં જીવડાં, જીવા અનંત કહ્યા મહાવીર. જી૦ ૬ તિણ માંહેથી નીકળી, જીવા મોક્ષ જાયે નિરધાર; એક શરીર ખાલી ન જુઓ, જીવા ન હોશે અનંતાકાલ. જી૦ ૭ એક અભવીને સંગે, જીવા ભવી અનંતા હોય; વળી વિશેષે તેહના, જીવા જનમ-મરણ તું જોય. જી૦ ૮ દોય ઘડી કાચી મધે, જીવા પાંસઠ સહસ મેં પાંચ; છત્રીશ અધિક જાણીએ, જીવા જનમ-મરણની ખાંચ. જી૯ છેદન ભેદન વેદના, જીવા નરકે સહી બહુ વાર; તીણ થકી નિગોદમેં, જીવા અનંતગુણી તું જાણ. જી૦ ૧૦
૪૪૨=
૪૪૨
Page #474
--------------------------------------------------------------------------
________________
-
પૂર્વાચાર્યોત સઝાય સંગ્રહ એકેંદ્રિમાંહેથી નીકળી, જીવા બેઈન્ટિ માંહે જાય; તવ પુનાહી તેહની, જીવા અનંતગુણી કહેવાય. જી૦ ૧૧ એમ નેંદ્રિ ચૌરેન્દ્રિ, જીવા દોએ દોએલાખ જાત; દુઃખ દીઠાં સંસારમાં, જીવા સુણતા અચરજ વાત. જી૦ ૧૨ જલચર થલચર ખેચરુ, જીવા ઉપરી ભુજપરી જાણ. તાપ શીત તરષા સહી, જીવા દુઃખ મટાવણ કોણ ? જીવ ૧૩ ઈમ રડવડતો જીવડો, જીવા પામ્યો નર અવતાર; ગરભાવાસનાં દુઃખ સહ્યાં, જીવા તે જાણે જગનાથ. જી૦ ૧૪ મસ્તક તો હેઠો હોવે, જીવા ઉપર હોવે પાય; આંખ આડી દોય મુઠીઓ, જીવા રહ્યો વિષ્ણાઘરમાંહ્ય, જી૦ ૧૫ બાપ વીર્યરૂધિર માતનો, જીવા એ તે લીધો આહાર; ભૂલી ગયો જમ્યા પછી, જીવા સેવે વિષય વિકાર. જી૦ ૧૬ ઉઠ કોડ સોહી તાતી કરી, જીવા ચાંપે રૂરૂમાંહ્ય; આઠગણી હોવે વેદના, જીવા ગરભાવાશે થાય. જીવ ૧૭ જન્મ સમય કોડીગણી, જીવા મરતાં ક્રોડાકોડ; જન્મ મરણ દુઃખ દોહેની, જીવા એ લાગી મોટી ખોડ. જી૦ ૧૮ દેશ અનાર્ય ઉપન્યો, જીવા ઈદ્રી હીણી થાય; આઉખો ઓછો હોવે, જીવા ધર્મ કીધો કિમ જાય ? જી૦ ૧૯ કદાચિત્ નરભવ પામીયો, જીવા ઉત્તમ કુલ અવતાર; દેહ નિરોગી પામીયો, જીવા એળે ગયો અવતાર. જી૦ ૨૦ ઠગ ફાંસીગર ચોરટા, જીવા ધીવર કંસાહી જાત; જન્મીને મૂઓ નહીં, જીવા એની ન રહી કોઈ જાત. જી૦ ૨૧ ચૌદ રાજલોકમેં જીવા જન્મ-મરણનો જોર; વાલાગ્ર માત્ર ભૂમિકા, જીવા ઠાલી ન રાખી ઠોર. જી ૨૨ એહી જ જીવ રાજા હુવો, જીવા હસ્તી બાંધ્યા બાર; કબહીક કર્મને વશે, જીવા ન મલ્યો અન્ન આધાર. જી૦ ૨૩
४४३
Page #475
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
એમ સંસાર ભમતાં થકાં, જીવા પામ્યો સામગ્રી સાર;
આદર દે છકાયને, જીવા જાય જન્મારો હાર. જી૦ ૨૪ ખોટા દેવ જ પૂજીયા, જીવા લાગ્યો ફુગુરુકો પાસ;
ખોટો ધર્મ જ આદર્યો, જીવા લાગી મિથ્યાત્વની વાસ. જી૦ ૨૫
કબહીક તો નરકે ગયો, જીવા કબહિક હુવો દેવ; પુણ્ય પાપના ફલ થકી, જીવા ચિહું ગતિ કીધો હેવ. જી૦ ૨૬ ઓઘા ને વળી મોહપત્તી, જીવા મેરૂ સમા ડગ કીધ;
સાચી શ્રદ્ધા બાહેરા, જીવા એકે ન કાર્ય સિદ્ધ. જી૦ ૨૭
'
ચાર જ્ઞાનથી પડ્યા પછી, જીવા નરક સાતમી જાય; ચઉદ પૂરવના ભણ્યા, જીવા પડે નિગોદમાંહ્ય, જી૦ ૨૮ ભગવંતધર્મ પામ્યા પછી, જીવા કરણી ન જાયે ફોક; કદાચિત્ પડવાઈ હોવે, જીવા અરધા પુદ્ગલમાં મોક્ષ. જી૦ ૨૯ સૂક્ષ્મ ને બાદરપણે, જીવા મેલી વર્ગણા સાત,
એક પુદ્ગલપરાવર્તની, જીવા ઝીણી ગણી છે વાત. જી૦ ૩૦ પાપ આલોઈએ આપણાં, જીવા આશ્રવ બારાં રોક; જાયે અરધા પુદ્ગલ મધ્યે; જીવા અનંત ચોવીશી મોક્ષ. જી૦ ૩૧ અનંતા જીવ મોક્ષે ગયા, જીવા ટાળી આતમ દોષ;
નવિ ગયા નવિ જાયસે, જીવા ભારીકર્મી મોક્ષ. જી૦ ૩૨
એહવા ભાવ સુણી કરી, જીવા સરધા આણી નાંએ;
જિમ આવ્યો તિમઈજ ગયો, જીવા લાખ ચોરાશી માંહે જી૦ ૩૩
કોઈક ઉત્તમ ચિંતવ્યો, જીવા જાણી અસ્થિર સંસાર;
સાચો મારગ સરધીને, જીવા પોતા મોક્ષ મોઝાર. જી૦ ૩૪
દાન શિયલ તપ ભાવના, જીવા ઈણશું રાખો પ્રેમ; ક્રોડ કલ્યાણ છે તેહના, જીવા ઋષિ જેમલ કહે એમ. જી૦ ૩૫
૪૪૪
Page #476
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકૃત સજ્ઝાય સંગ્રહ (૨) ક્ષમા છત્રીશી
આદર જીવ ક્ષમા ગુણ આદર, મ કરીશ રાગ ને દ્વેષજી. સમતાએ શિવસુખ પામીજે, ક્રોધે કુગતિ વિશેષજી. આ૦ ૧ સમતા સંજમ સાર સુણીજે, કલ્પસૂત્રની શાખજી; ક્રોધ પૂર્વ કોડી ચારિત્ર પાલે, ભગવંત એણીપરે ભાખજી. આ૦ ૨ કુણ કુણ જીવ તર્યા ઉપશમથી, સાંભળ તું દૃષ્ટાંતજી; કુણ કુણ જીવ ભમ્યા ભવમાંહે, ક્રોધતણે વીરતંતજી. આ૦ ૩ સોમિલ સસરે શીષ પ્રજાળ્યું, બાંધી માટીની પાળજી; ગજસુકુમાલ ક્ષમા મન ધરતો, મુતિ ગયો તત્કાળજી. આ૦ ૪ કુલવાલુઓ સાધુ કહાતો, કીધો ક્રોધ અપારજી; કોણિકની ગણિકા વશ ડિયો, રડવડીયો સંસારજી. આ૦ ૫ સોવનકાર કરી અતિવેદન, વ્યાઘ્રશું' વીંટ્યું શીષજી; મેતારજ ઋષિ મુગતે પહોતો, ઉપશમ એહ જગીશજી. આ૦ ૬ ક્રુડ અકુરૂડ બે સાધુ કહતા, રહ્યા કુણાલા ખાળજી, ક્રોધ કરી કુગતે તે પહોતા, જનમ ગમાયો આળજી. આ૦ ૭ કર્મ ખપાવી મુગતે પહોતા, ખંઘકસૂરિના શિષ્યજી; પાલક પાપીએ ઘાણી પીલ્યા, નાણી મનમાં રીસજી. આ૦ ૮ અ ંકારી નારી અચુકી, ત્રોડ્યો પિયુશું નેહજી; બબ્બર કુલ સહ્યાં દુઃખ બહુલા, ક્રોધતણાં ફળ એહજી. આ૦ ૯ વાઘણે સર્વ શરીર વલુર્યું, તત્ક્ષણ છોડ્યા પ્રાણજી; સાધુ સુકોશલ શિવસુખ પામ્યા, એહ ક્ષમાગુણ જાણજી. આ૦ ૧૦ કોણ ચંડાલ કહીજે બિહુમેં, નિરતી નહીં કહે દેવજી; ઋષિ ચંડાલ કહીજે વઢતો, ટાળો વેઢની ટેવજી. આ૦ ૧૧ સાતમી નરકે ગયો તે બ્રહ્મદત્ત, કાઢી બ્રાહ્મણ આંખજી; ક્રોધ તણાં ફળ કડવાં જાણી, રાગ-દ્વેષ ઘો નાંખજી. આ૦ ૧૨ ખંધક ઋષિની ખાલ ઉતારી, સહ્યો પરિસહ જેણજી; ગર્ભાવાસના દુઃખથી છૂટ્યો, સબલ ક્ષમા ગુણ તેણજી. આ૦ ૧૩
૪૪૫
Page #477
--------------------------------------------------------------------------
________________
અર્ધગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક્રોધ કરી ખંધક આચારજ, હુઓ અગ્નિકુમારજી; દંડક નૃપનો દેશ પ્રજાળ્યો, ભમશે ભવહ મજારજી. આ૦ ૧૪ ચંડરૌદ્ર આચારજ મળતાં, મસ્તક દીપ પ્રહારજી; ક્ષમા કરતો કેવલ પામ્યો, નવદીક્ષિત અણગારજી. આ૦ ૧૫ પાંચવાર ઋષિને સંતાપ્યો, આણી મનમાં દ્વેષજી; પંચભવ સીમ દહ્યો નંદનાદિક, ક્રોધ તણા ફલ દેખજી. આ૦ ૧૬ સાગરચંદનું શીષ પ્રજાળી, નિશિ નભસેન નરિંદજી; સમતા ભાવ ધરી સુરલોકે, પહોતો પરમાનંદજી. આ0 ૧૭ ચંદના ગુરૂણીએ ઘણું નિબંછી ધધિ તુજ આચારજી; મૃગાવતી કેવલસિરિ પામી, એહ ક્ષમા અધિકારજી. આ૦ ૧૮ શાંબ પ્રદ્યુમ્નકુમારે સંતાપ્યો કૃષ્ણ દ્વૈપાયન સાહજી; ક્રોધ કરી તપનું ફલ હાર્યો, દીધો દ્વારિકા દાહજી. આ૦ ૧૯ ભરતને મારણ મૂઠી ઉપાડી, બાહુબલ બલવંતજી; ઉપશમરસ મનમાંહે આણી, સંજમ લે મતિમંતજી. આ૦ ૨૦ કાઉસ્સગ્નમાંચડીયો અતિક્રોધે પ્રસન્નચંદ ઋષિરાયજી; સાતમી નરક તણાં દુઃખ મેલ્યાં, કડુ તેણ કષાયજી. આ૦ ૨૧ આહારમાંહે ક્રોધે ઋષિ શૃંક્યો આણ્યો અમૃત ભાવજી; કૂરગડુએ કેવલ પામ્યું, ક્ષમાણે પરભાવજી. આ૦ ૨૨ પાર્શ્વનાથને ઉપસર્ગ કીધા, કમઠ ભવાંતર ધીઠજી; નરક તિર્યંચતણા દુઃખ લીધા, ક્રોધતણાં ફલ દીઠજી. આ૦ ૨૩ ક્ષમાવંત દમદંત મુનિશ્વર, વનમાં રહ્યો કાઉસ્સગ્ગજી. કૌરવ કટક હણ્યો ઈટાલે, તોડ્યા કર્મના વર્ગ'. આ૦ ૨૪ શવ્યાપાલક કાને તરૂઓ, નામ ક્રોધ ઉદીરજી; બિહું કાને ખીલા ઠોકાણા, નવિ છૂટ્યા મહાવીરજી. આ૦ ૨૫ ચાર હત્યાનો કારક હુંતો, દૃઢપ્રહાર અતિરેકજી; ક્ષમા કરીને મુકતે પહોતો, ઉપસર્ગ સહ્યા અનેકજી. આ૦ ૨૬
રાજ:
Page #478
--------------------------------------------------------------------------
________________
પૂર્વાચાર્યોકત સક્ઝાય સંગ્રહ
પહોરમાંહે ઉપજંતો હાર્યો, ક્રોધે કેવલનાણજી; દેખો શ્રી દમસાર મુણીસર, સૂત્ર ગુણ્યો ઉઠાણજી. આ૦ ૨૭ સિંહ-ગુફાવાસી ઋષિ કીધો, થૂલિભદ્ર ઉપર ક્રોધજી; વેશ્યા વચન ગયો નેપાલે, કીધો સંજમ લોપજી. આ૦ ૨૮ ચંદ્રાવતંસક કાઉસ્સગ્ન રહિયો, ક્ષમાતણો ભંડારજી; દાસી તેલ ભર્યો નિશિ દીવો, સુર પદવી લહી સારજી. આ૦ ૨૯ એમ અનેક તર્યા ત્રિભુવનમેં, ક્ષમા ગુણે ભવિ જીવજી; ક્રોધ કરી કુગતે તે પહોતા, પાડતા મુખ રીવજી. આ૦ ૩૦ , વિષ હળાહળ કહીયે વિરુઓ, તે મારે એક વારજી; પણ કષાય અનંતી વેળા, આપે મરણ અપારજી. આ૦ ૩૧ ક્રોધ કરતા તપજપ કીધાં, ન પડે કાંઈ ઠામજી; આપ તપે પરને સંતાપે, ક્રોધશું કેહો કામજી ? આ૦ ૩૨ ક્ષમા કરતા ખરચ ન લાગે, ભાંગે ક્રોડ કલેશજી; અરિહંત દેવ આરાધક થાયે, વ્યાપે સુજસ પ્રદેશજી. આ૦ ૩૩ નગરમાંહે નાગોર નગીનો, જિહાં જિનવર પ્રાસાદજી; શ્રાવક લોક વસે અતિ સુખિયા, ધર્મતણે પરસાદજી. આ૦ ૩૪ ક્ષમા છત્રીશી ખાંતે કીધી, આતમ પરઉપગારજી; સાંભળતાં શ્રાવક પણ સમજ્યાં, ઉપશમ ધર્યો અપારજી. આ૦ ૩૫ જુગપ્રધાન જિણચંદ્રસૂરીસર, સકલચંદતસુ શિષ્યજી; સમયસુંદર તસુશિષ્ય ભણેઈમચતુર્વિધ સંઘજગીશજી. આ૦ ૩૬
४४७
Page #479
--------------------------------------------------------------------------
________________
અહ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા | શ્રી ધૃતજ્ઞોન - પાર્શ્વનાથાય નમ: II અહંદ–ગુણ–વારિધિ–નરેન્દ્ર-નૌકા
વિભાગ ૫ મો
.
-
------
------------
-
-
--
--
--
[શ્રી પુન્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ ] HH (૧) શ્રી પુણ્ય પ્રકાશનું સ્તવન BE
દોહા સકળ સિદ્ધિદાયક સદા, ચોવીશે જિનરાય; સદ્ગુરુ સ્વામિની સરસ્વતી, પ્રેમે પ્રણમું પાય. ૧ ત્રિભુવનપતિ ત્રિશલા તણો, નંદન ગુણ ગંભીર; શાસન નાયક જગ જયો, વર્ધમાન વડ વીર. ૨ એક દિન વીર નિણંદને, ચરણે કરી પ્રણામ; ભવિક જીવના હિત ભણી, પૂછે ગૌતમસ્વામ. ૩ મુક્તિ મારગ આરાધીએ, કહો કિણ પરે અરિહંત; સુધા સરસ તવ વચનરસ, ભાખે શ્રી ભગવંત. ૪ અતિચાર આલોઈએ, વ્રત ધરીએ ગુરુ શાખ; જીવ ખમાવો સયળ જે, યોનિ ચોરાશી લાખ. ૫ વિધિશું વળી વોસરાવીએ, પાપસ્થાનક અઢાર; ચાર “શરણ નિત્ય અનુસરો, નિંદો દુરિત આચાર. ૬ “શુભકરણી અનુમોદીએ, ભાવ ભલો મન આણ; “અણસણ અવસર આદરી, “નવપદ જપો સુજાણ. ૭ શુભ ગતિ આરાધનતણા, એ છે દશ અધિકાર; ચિત્ત આણીને આદરો, જેમ પામો ભવપાર. ૮
-
४४८
Page #480
--------------------------------------------------------------------------
________________
શ્રી પુણય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ
ઢાળ પહેલી (કુમતિ એ છિંડી કહાં રાખી-એ દેશી) જ્ઞાન દરિસણ ચારિત્ર તપ વીરજ, એ પાંચે આચાર; એહ તણા ઈહ ભવ પરભવના, આલોઈએ અતિચાર રે. પ્રાણી! જ્ઞાન ભણો ગુણ ખાણી, વીર વદે એમ વાણી રે. પ્રાણી. એ આંકણી. ગુરુ ઓળવીએ નહીં, ગુરુ વિનય કાળે ધરી બહુમાન; સૂત્ર અરથ તદુભય કરી સૂધાં ભણીએ વહી ઉપધાન રે. પ્રાણી) જ્ઞા૦ ૨. જ્ઞાનો પગરણ પાટીપોથી, ઠવણી નોકારવાલી તેહતણી કીધી આશાતના જ્ઞાનભક્તિ ન સંભાલી રે. પ્રા) જ્ઞા) ૩. ઈત્યાદિક વિપરીતપણાથી, જ્ઞાન વિરાધ્યું જેહ; આ ભવ પરભવ વળી ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા) જ્ઞા૦ ૪.
પ્રાણી ! સમકિત લ્યો શુદ્ધ પાણી, વીર વદે એમ વાણી રે. પ્રાણી સમકિત લ્યો શુદ્ધ જાણી. જિનવચને શંકા નવિ કીજે, નવિ પરમત અભિલાષ; સાધુતાણી નિંદા પરિહરજો, ફળ સંદેહ મ રાખ રે. પ્રા૦ સ0 ૫. મૂઢપણું ઠંડો પરશંસા, ગુણવંતને આદરીએ; સામીને ધરમે કરી થિરતા, ભક્તિ પરભાવના કરીયે રે. પ્રા) સ૦ ૬. સંઘ ચૈત્ય પ્રાસાદતણો જે, અવર્ણવાદ મન લેખ્યો, દ્રવ્ય દેવકો જે વિણસાડ્યો, વિણસંતો ઉવેખ્યો રે. પ્રા૦ સ૦ ૭. ઈત્યાદિક વિપરીતપણાથી, સમકિત ખંડ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રા૦ સ૦ ૮.
પ્રાણી! ચારિત્ર લ્યો ચિત્ત આણી, પંચ સમિતિ ત્રણ ગુપ્તિ વિરાધી; આઠે પ્રવચન માય; સાધુતણે ધરમે પરમાદે, અશુદ્ધ વચન મન કાય રે. પ્રા૦ ચા૦ ૯. શ્રાવકને ધર્મે સામાયિક પોસહમાં મન વાળી; જે જયણાપૂર્વક જે આઠે, પ્રવચન માય ન પાળી રે. પ્રા. ચા. ૧૦. ઈત્યાદિક વિપરીતપણાથી, ચારિત્ર ડહોળ્યું જેહ; આ ભવ પરભવ વળી રે ભવોભવ; મિચ્છામિ દુક્કડ તેહ રે. પ્રા૦ ચા૦ ૧૧. બારે ભેદે તપ નવિ કીધો, છતે જોગે નિજ શક્તિ; ધર્મે મન વચ કાયા વીરજ, નહિ ફોરવાયું ભગતે રે. પ્રા૦ ચા૦ ૧૨. તપ વીરજ આચાર, એણી પરે વિવિધ
४४८
Page #481
--------------------------------------------------------------------------
________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિરાધ્યા જેહ, આ ભવ પરભવ વળી રે ભવોભવ, મિચ્છામિ દુક્કડં તેહ રે. પ્રા૦ ચા૦ ૧૩. વળીય વિશેષે ચારિત્રકેરા, અતિચાર આલોઈએ; વીર જિસેસર વયણ સુણીને, પાપ મેલ સવિ ધોઈએ રે. પ્રા૦ ચા૦ ૧૪.
ઢાળ ૨ જી
(પામી સુગુરુ પસાય-એ દેશી) પૃથ્વી પાણી તેઉ વાયુ વનસ્પતિ, એ પાંચે થાવર કહ્યા એ. ૧. કરી કરસણ આરંભ, ખેત્ર જે ખેડીયાં, કૂવા તળાવ ખણાવીયા એ. ૨ ઘર આરંભ અનેક, ટાંકા ભોંયરાં, મેડી માળ ચણાવીયા એ. ૩. લીંપણ ગુપણ કાજ, એણીપરે પરપરે, પૃથ્વીકાય વિરાધીયા એ. ૪. ધોહણ નાહણ પાણી, ઝીલણ અપકાય, ધોતી કરી દુહવ્યા એ. ૫. ભાઠીગર કુંભાર, લોહ સોવનગરા, ભાડભુંજા લીહા લાગરા એ. ૬. તાપણ શેકણ કાજ, વસ્ત્ર નિખારણ, રંગણ રાંધન રસવતીએ. ૭. એણી પરે કર્માદાન, પરેપરે કેળવી, તેલ વાયુ વિરાધીયા એ. ૪. વાડી વન આરામ, વાવી વનસ્પતિ, પાન ફૂલ ફળ ચુંટીયા એ. ૯. પંહક પાપડી શાક શેક્યાં સૂકવ્યાં, છેદ્યાં છંઘાં આથીયાં એ. ૧૦. અળશી ને એરંડા, ઘાણી ઘાલીને ઘણા તિલાદિક પલીયા એ. ૧૧. ઘાલી કોલુમાંહે પલી સેલડી, કદમૂળ ફળ વેચાયાં છે. ૧૨. એમ એકેંદ્રી જીવ, હણ્યાહણાવીયા, હણતાં જે અનુમોદીએ એ. ૧૩. આ ભવ પરભવ જેહ; વળીય ભવોભવ, તે મુજ મિચ્છામિ દુક્કડ એ. ૧૪. કૃમિ સરમીયા કીડા ગાડર ગંડોલા, ઈયળ પૂરા ને અળશીયાં એ. ૧૫. વાળા જળો ચૂડેલ, વિચલિત રસતણાં, વળી અથાણાં પ્રમુખનાં એ. ૧૬. એમ બેઈન્ટિ જીવ જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૧૭. ઉઘેહી જૂ લીખ, માકડ મંકોડાં, ચાંચડ કીડી કુંથુંઆ એ. ૧૮. ગધહીયાં ઘીમેલ, કાનખજૂરીયા. ગીંગોડા ધનેરીયાં એ. ૧૯. એમ તેઈક્તિ જીવ; જેહમેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૨૦. માખી મચ્છર ડાંસ, મસા પતંગીયા, કંસારી, કોલિયાવાડા એ. ૨૧. ઢીંકણ વિષ્ણુ
૪૫૦
છે આટીયા એ હારી વન આ
Page #482
--------------------------------------------------------------------------
________________
શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ તીડ. ભમરા ભમરીયો, કોતાબગ ખડમાંકડી એ. ૨૨. એમ ચઉરિંદ્રી જીવ, જેહ મેં દુહવ્યા, તે મુજ મિચ્છામિ દુક્કડં એ. ૨૩. જળમાં નાખી જાળ, જળચર દુહવ્યાં, વનમાં મૃગ સંતાપીયા એ. ૨૪. પડ્યા પંખી જીવ, પાડી પાશમાં, પોપટ ઘાલ્યા પાંજરે એ. ૨૫. એમ પંચેદ્રિ જીવ, જે મેં દુહવ્યાં, તે મુજ મિચ્છામિ દુક્કડં. એ. ૨.
ઢાળ ૩ જી
(વાણી વાણી હિતકારી જી) ક્રોધ લોભ ભય હાસ્યથી જી, બોલ્યા વચન અસત્ય; ફૂડ કરી ધન પારકાં જી, લીધા જેલ અદત્ત રે જિનજી ! મિચ્છામિ દુક્કડં આજ. તુમ શાખે મહારાજ રે જિનજી ! દેઈ સારૂં કાજ રે જિનાજી! મિચ્છામિ દુક્કડં આજ. ૧. એ આંકણી દેવ મનુષ્ય તિર્યંચનાં જી, મૈથુન સેવ્યાં જેહ; વિષયારસ સંપટપણે જી, ઘણું વિડંખ્યો દેહ રે. જિનજી૦ ૨. પરિગ્રહની મમતા કરી છે, ભવ ભવ મેલી આથ; જે જિહાં તે તિહાં રહ્યું છે, કોઈ ન આવે સાથ રે. જિનજી) ૩. રયણીભોજન જે કર્યા છે, કીધાં ભક્ષ અભક્ષ; ૧રસના રસની લાલચેજી, પાપ કર્યો પ્રત્યક્ષ રે. જિનજી૦ ૪. વ્રત લેઈ વિસારીમાં , વળી ભાંગ્યાં પખાણ; કપટ હેતુ કિરિયા કરી જી, કીધાં આપ-વખાણ રે. જિનજી૦ ૫. ત્રણે ઢાળે આઠે
હે જી, આલોયા અતિચાર; શિવગતિ આરાધન તણો જી; એ પહેલો અધિકાર રે. જિનજી! મિચ્છામિ દુક્કડ આજ. ૬.
ઢાળ ચોથી
(સાહેલડીજીએ દેશી) પંચ મહાવ્રત આદરી સાહેલડી રે, અથવા લ્યો વ્રત બાર તો, યથાશક્તિ વ્રત આદરી સાહેલડી રે, પાળો નિરતિચાર તો. ૧ વ્રત લીધાં સંભારીએ સા૦, હેડે ધરીએ વિચાર તો; શિવગતિ આરાધનતણો સારુ, એ બીજો અધિકાર તો. ૨
૧. જિહવા - જીભ.
૪૫૧
Page #483
--------------------------------------------------------------------------
________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા જીવ સર્વે ખમાવીએ સાળ, યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરી ખામણાં સાઇ, કોઈશું રોષ ન રાખ તો. ૩ સર્વ મિત્ર કરી ચિંતવો સાઇ, કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ એમ પરિહરો સાઇ, કીજે જન્મ પવિત્ર તો. ૪ સાતમી સંઘ ખમાવીએ સાઇ, જે ઉપની અપ્રીત તો; સ્વજને કુટુંબ કરી ખામણાં સાઇ, એ જિનશાસન રીત તો. ૫ ખમીએ ને ખમાવીએ સા૦, એહ જ ધર્મનો સાર તો; શિવગતિ આરાધનતણો સારુ, એ ત્રીજો અધિકાર તો. ૬ મૃષાવાદ હિંસા ચોરી સાઇ, ઘનમૂચ્છ મૈથુન તો; ક્રોધ માન માયા તૃષ્ણા સાથે, પ્રેમ ‘ષ પૈશૂન્ય તો. ૭ નિંદા કલહ ન કીજીએ સાળ, કૂડા ન દીજે આળ તો; રતિ અરતિ મિથ્યા તજો સા૦, માયા મોહ જંજાળ તો. ૮ ત્રિવિધ ત્રિવિધ વોસિરાવીએ સાઇ, પાપસ્થાનક અઢાર તો; શિવગતિ આરાધન તણો સાઇ, એ ચોથો અધિકાર તા. ૯
ઢાળ પાંચમી (હવે નિસુણો ઈહાં આવીયાએ દેશી) જનમ જરા મરણે કરી એ, આ સંસાર અસાર તો; કર્યા કર્મ સહુ અનુભવે એ; કોઈ ન રાખણહાર તો. ૧ શરણ એક અરિહંતનું એ, શરણ સિદ્ધ ભગવંત તો; શરણ ધર્મ શ્રી જૈનનો એ, સાધુ શરણ ગુણવંત તો. ૨ અવર મોહ સવિ પરિહરી એ, ચાર શરણ ચિત્ત ધાર તો; શિવગતિ આરાધનતણો એ, એ પાંચમો અધિકાર તો. ૩ આ ભવ પરભવ જે કર્યા છે, પાપ કર્મ કેઈ લાખ તો; આત્મ શાખે તે નિંદીએ એ, પડિક્કમીએ ગુરુશાખ તો. ૪ મિથ્થામતિ વર્તાવિયાએ, જે ભાખ્યાં ઉસૂત્ર તો; કુમતિ કદાગ્રહને વશે એ, જે ઉત્થાપ્યાં સૂત્ર તો. ૫
૪૫૨
Page #484
--------------------------------------------------------------------------
________________
શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ
ઘડવા ઘડાવ્યાં જે ઘણાં એ, ઘંટી હળ હથિયાર તો; ભવ ભવ મેલી મૂકીયાં એ, કરતાં જીવ સંહાર તો. ૬ પાપ કરીને પોષીયા એ, જનમ જનમ પરિવાર તો; જન્માંતર પહોત્યા પછી એ, કોઈ ન કીધી સાર તો. ૭
આ ભવ પરભવ જે કર્યાં એ, એમ અધિકરણ અનેક તો; ત્રિવિધે ત્રિવિધે વોસરાવીએ એ, આણી હૃદય વિવેક તો. ૮
દુષ્કૃત નિંદા એમ કરી એ, પાપ કરો પરિહાર તો; શિવગતિ આરાધનતણો એ, એ છઠ્ઠો અંધિકાર તો. ૯
ઢાળ છઠ્ઠી
(આઘે તું જોઈને જીવડા-એ દેશી)
ધન ધન તે દિન માહરો, જીહાં કીધો ધર્મ;
દાન શિયળ તપ ભાવના, ટાળ્યાં દુષ્કૃત કર્મ. ધન૦ ૧ શત્રુંજયાદિક તીર્થની, જે મેં કીધી જાત્ર; જુગતે જિનવર પૂજીયાં, વળી પોષ્યાં પાત્ર. પુસ્તક જ્ઞાન લખાવીયાં, સંઘ ચતુર્વિધ સાચવ્યાં, પડિક્કમણાં સુપ૨ે કર્યાં, સાધુ સૂરિ ઉવજ્ઝાયને, ધર્મકાજ અનુમોદીયે, શિવગતિ આરાધનતણો, એ ભાવ ભલો મન આણીએ, ચિત્ત આણી ઠામ, સમતા ભાવે ભાવીયે, એ આતમરામ. સુખ દુઃખ કારણ જીવને, કોઈ અવર ન હોય; કર્મ આપ જે આચર્યાં, ભોગવીયે સોય. સમતા વિણ જે અનુસરે, પ્રાણી પુણ્યનાં કામ; છાર ઉપર તે લીંપણું, ઝાંખર ચિત્રામ.
અધિકાર ધન૦
જિનહર જિનચૈત્ય; એ સાતે ખેત્ર.
અનુકંપા
દાન;
બહુમાન. ધનવ ૪
વારોવાર;
દીધાં
એમ
સાતમો
ધનવ
૪૫૩
ધનવ
ધન
ધનવ
ધનવ
૫
૭
८
Page #485
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ભાવ ભલી પરે ભાવીયે, એ ધર્મનો સાર; શિવગતિ આરાધનતણો, એ આઠમો અધિકાર. ધન૦
ઢાળ સાતમી
"
(રૈવતગિરિ હુઆ, પ્રભુના ત્રણ કલ્યાણક-એ દેશી) હવે અવસર જાણી કરી, સંલેખણ સાર; અણસણ આદરીયે, પચ્ચક્ખી ચારે આહાર; લલુતા સવિ મુકી, છાંડી મમતા અંગ, એ આતમ ખેલે, સમતા જ્ઞાન તરંગ. ગતિ ચારે કીધાં, આહાર અનંત નિઃશંક, પણ તૃપ્તિ ન પામ્યો, જીવ લાલચીયો રંક, દુલહો એ વળી વળી, અણસણનો પરિણામ, એહથી પામીજે, શિવપદ સુરપદ ઠામ. ધન ધન્નો શાલિભદ્ર, ખંધો મેઘકુમાર; અણસણ આરાધી, પામ્યા ભવનો પાર; શિવમંદિર જાશે, કરી એક અવતાર; આરાધન કેરો, એ નવમો અધિકાર. દશમે અધિકારે, મહામંત્ર નવકાર, મનથી નવિ મૂકો, શિવસુખ ફલ સુહકાર; એ જપતાં જાયે, દુર્ગતિ દોષ વિકાર; સુપ૨ે એ સમરો, ચૌદ પૂરવનો સાર. જનમાંતર જાતાં, જો પામે નવકાર, તો પાતિક ગાળી, પામે સુર અવતાર; એ નવપદ સરિખો, મંત્ર ન કોઈ સાર, ઈહ ભવ ને પરભવે, સુખ સંપત્તિ દાતાર. ૫ જ્યું ભીલને ભીલડી, રાજા રાણી થાય, નવપદ મહિમાંથી,રાજસિંહ મહારાય; રાણી રતનાવતી, બેહુ પામ્યા છે સુરભોગ, એક ભવ પછી લેશે, શિવવધૂ સંજોગ. ૬
૪૫૪
૧
૨
૩
૪
૯
Page #486
--------------------------------------------------------------------------
________________
શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ
શ્રીમતિને એ વળી, મંત્ર ફળ્યો તત્કાલ, ફણિધર ફીટીને, પ્રગટ થઈ ફૂલમાળ; શિવકુમારે જોગી, સોવનપુરૂષો કીધ, એમ એણે મંત્ર, કાજ ઘણાનાં સિદ્ધ. ૭ એ દશ અધિકારે, વીર જિણેસર ભાખ્યો, આરાધન કેરો વિધિ, જેણે ચિત્તમાંહિ રાખ્યો; તેણે પાપ પખાળી, ભવભય દૂરે નાખ્યો, જિન વિનય કરતા, સુમતિ અમૃત રસ ચાખ્યો. ૮
ઢાળ આઠમી
(નમો ભવિ ભાવશું.એ દેશી.) સિદ્ધારથ રાય કુળતિલો એ, ત્રિશલા માતા મલ્હારતો; અવનીતલ તમે અવતર્યા, એ કરવા અમ ઉપકાર,
જયો જિન વીરજી એ. ૧ મેં અપરાધ કર્યાં ઘણા એ કહેતાં ન લહું પાર તો; તુમ ચરણે આવ્યા ભણીએ, જો તારે તો તાર. જયો૦ ૨ આશ કરીને આવીયો એ, તુમ ચરણે મહારાજ તો; આવ્યાને ઉવેખશો એ, તો કેમ રહેશે લાજ! જયો૦ ૩ કરમ અલુજણ આકરાં એ, જન્મ મરણ જંજાલ તો; હું છું એહથી ઉભગો એ, છોડાવો દેવ દયાલ. જય૦ ૪ આજ મનોરથ મુજ ફળ્યા એ, નાઠાં દુઃખ દંદોલ તો; તુઠો જિન ચોવીશમો એ, પ્રગટ્યાં પુણ્ય કલ્લોલ. જયો૦ ૫ ભવે ભવે વિનય કુમારડોએ, ભાવ ભક્તિ તુમ પાય તો; દેવ દયા કરી દીજીએ, બોધિબીજ સુપસાય. જયો૬
કળશ ઈહ તરણ તારણ સુગતિકારણ, દુઃખનિવારણ જગ જયો; શ્રી વીર જિનવર ચરણ ઘુણતાં, અધિક મન ઉલ્લટ થયો: ૧
૪૫૫
Page #487
--------------------------------------------------------------------------
________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા શ્રી વિજયદેવસૂરીદ પટ્ટધર, તીરથ જંગમ એણી જગે; તપગચ્છપતિ શ્રી વિજયપ્રભસૂરિ, સૂરિ તેજે ઝગમગે. ૨ શ્રી હીરવિજયસૂરિ શિષ્ય વાચક, કતિવિજય સુરગુરુ સમો, તસ શિષ્ય વાચક વિનયવિજયે, શુક્યો જિન ચોવીશમો. ૩ સય સત્તર સંવત ઓગણત્રીશે (૧૭૨૯) રહી રાંદેર ચોમાસ એ; વિજયાદશમી વિજય કારણ, કીયો ગુણ અભ્યાસ એ. ૪ નરભવ આરાધન સિદ્ધિ સાધન, સુકૃત લીલ વિલાસ એ; નિર્જરા હેતે સ્તવન રચિયું, નામે પુણ્યપ્રકાશ એ. ૫
Es (૨) પદ્માવતી આરાધના હવે રાણી પદ્માવતી, જીવરાશી ખમાવે, જાણપણું જગતે ભલું, ઈણ વેલા આવે. ૧ તે મુજ મિચ્છા મિ દુક્કડ, અરિહંતની સાખ; જે મેં જીવ વિરાધીયા, ચઉરાશી લાખ. તે ૨ સાત લાખ પૃથ્વીતણા. સાતે અપકાય; સાત લાખ તેઉકાયના, સાતે વળી વાય. તે૦ ૩ દશ પ્રત્યેક વનસ્પતિ, ચઉદહ સાધારણ; બી તિ ચઉરિદ્રિ જીવના, બે બે લાખ વિચાર. તે૦ ૪ દેવતા તિર્યંચ નારકી, ચાર ચાર પ્રકાશી; ચઉદહ લાખ મનુષ્યના, એ લાખ ચોરાશી. તે૦ ૫ ઈણ ભવ પરભવે સેવીયા, જે પાપ અઢાર; ત્રિવિધ ત્રિવિધ કરી પરિહરૂં, દુર્ગતિના દાતાર. તે૦ ૬ હિંસા કીધી જીવની, બોલ્યા મૃષાવાદ; દોષ અદત્તાદાનના, મૈથુન ઉન્માદ. તેo ૭ પરિગ્રહ મેલ્યો કારમો, કીધો ક્રોધ વિશેષ; માન માયા લોભમેં કીયાં, વળી રાગ ને દ્વેષ. તે૦ ૮
૪૫૬
Page #488
--------------------------------------------------------------------------
________________
શ્રી પુણ્ય પ્રકાશ સ્તવન આદિ સંગ્રહ
કલહ કરી જીવ દુહવ્યા, દીધાં કૂડા કલંક; નિંદા કીધી પારકી, રતિ અરતિ નિઃશંક. તેo ૯ ચાડી કીધી ચોતરે, કીધો થાપણમોસો; કુગુરુ કુદેવ કુધર્મનો, ભલો આણ્યો ભરોસો તે) ૧૦ ખાટકીને ભવ મેં કીયા, જીવ નાનાવિધ ઘાત; ચીડીમાર ભવે ચરકલા, માર્યા દિનરાત. તે૦ ૧૧ કાજી મુલ્લાને ભલે, પઢી મંત્ર કઠોર; જીવ અનેક ઝબ્બે કયાં, કીધાં પાપ અઘોર. તે) ૧૨ માછીને ભવે માછલાં, ઝાલ્યાં જળવાસ; ધીવર ભીલ કોળી ભવે, મૃગ પાડ્યા પાશ. તે) ૧૩ કોટવાળને ભવે મેં કિયા, આકરા કર દંડ; બંદીવાન મરાવીયા, કોરડા છડી દંડ. તે૦ ૧૪ પરમાધામીને ભવે, દીધાં નારકી દુઃખ; છેદન ભેદન વેદના, તાડન અતિ તિમ્મ. તે૧૫ કુંભારને ભવે મેં કિયા, નીમાહર પચાવ્યા; તેલી ભવે તલ પીલીયાં, પાપે પીંડ ભરાવ્યા. તે) ૧૬ વહાલી ભવે હળ ખેડીયાં, ફાડ્યાં પૃથ્વીના પેટ; સુડ નિદાન ઘણાં કીધાં, દીધાં બળદ ચપેટ. તે ૧૭ માળીને ભવે રોપીયાં, નાનાવિધ વૃક્ષ; મૂળ પત્ર ફલ ફુલનાં, લાગ્યાં પાપ તે લક્ષ. તે ૧૮ અધોવાઈયાને ભવે, ભર્યાં અધિક ભાર; પોઠી પૂંઠે કીડા પડ્યા, દયા નાણી લગાર. તેઓ ૧૯ છીપાને ભવે છેતર્યા, કીધા રંગણ પાસ; અગ્નિ આરંભ કીધા ઘણા, ધાતુવાદ અભ્યાસ. તે) ૨૦ શૂરપણે રણ ઝૂઝતાં, માર્યા માણસ વૃંદ;
મદિરા માંસ માખણ લખ્યાં, ખાધાં મૂળ ને કંદ. તે) ૨૧ ૧. વિનાશ, ૨. નીંભાડા, ૩. ખેડુત, ૪. ગાડાં ભાડે ફેરવનાર, ૫. પોઠીયા-બળદ, ૬. ન આણી.
૪૫૭
Page #489
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ખાણ ખણાવી ધાતુની, પાણી ઉલેચ્યાં; આરંભ કીધા અતિ ઘણા, પોતે પાપ જ સંચ્યાં. તે) ૨૨ કર્મ અંગાર કિયા વળી, ઘર મેં દવ દીધા સમ ખાધા વીતરાગના, કૂડા કોસજ કીધા. તે) ૨૩ બીલી ભવે ઊંદર લીયા, ગીરોલી હત્યારી; મૂઢ ગમારતણે ભલે, મેં જૂ લીખ મારી. તે) ૨૪ "ભાડભુંજાતણે ભવે, એકેન્દ્રિય જીવ; જવારી ચણા ગહું શેકીયા, પાંડત રીવ. તે) ૨૫ ખાંડણ પસણ ગારના; આરંભ અનેક; રાંધણ ઈધણ અગ્નિનાં, કીધાં પાપ ઉદ્રક. તે) ૨૬ વિકથા ચાર કીધી વળી, સેવ્યા પાંચ પ્રમાદ; ઈષ્ટ વિયોગ પાડ્યા કીયા, રૂદન વિખવાદ. તે) ૨૭ સાધુ અને શ્રાવકતણાં, વ્રત લઈને ભાંગ્યા; “મૂળ અને ઉત્તરતણાં, મુજ દૂષણ લાગ્યાં. તે) ૨૮ સાપ વીંછી સિંહ ચીતરા, શકરા ને સમળી; હિંસક જીવતણે ભવે, હિંસા કીધી સબળી. તે૦ ૨૯ સૂવાવડી દૂષણ ઘણાં, વળી ગર્ભ ગળાવ્યા; જીવાણી ઘોળ્યાં ઘણાં, શીલ વ્રત ભંજાવ્યા. તે૦ ૩૦ ભવ અનંત ભમતાં થકાં, કીધા દેહ સંબંધ; વિવિધ-ત્રિવિધ કરી વોસિરું, તિણશું પ્રતિબંધ. તે૦ ૩૨ ભવ અનંત ભમતાં થકાં, કીધાં પરિગ્રહ સંબંધ; ત્રિવિધ-ત્રિવિધ કરી વોસિરૂં, તિણશું પ્રતિબંધ. તેo ૩૩ ઈણિપરે ઈહભવ પરભવે, કીધા પાપ અખત્ર;
ત્રિવિધ-ત્રિવિધ કરી વોસિરું, કરૂં જન્મ પવિત્ર. તે ૩૪ ૧. ભટ્ટીથી ચણા વગેરે અનાજ શેકનાર, ૨. રાડો - પોકાર, ૩. અધિક, ૪. દેશકથા, ભક્તકથા, સ્ત્રીકથા, રાજકથા, ૫. મૂળગુણ ને ઉત્તરગુણ, દ. બાજપક્ષી, ૬. નઠારા
પટF
Page #490
--------------------------------------------------------------------------
________________
લઘુ આલોયણા એણી વિધે એ આરાધના, ભવિ કરશે જેહ; સમયસુંદર કહે પાપથી, વળી છૂટશે તેહ. તેo ૩૫ રાગ વેરાડી જે સુણે, એહ ત્રીજી ઢાળ; સમયસુંદર કહે પાપથી, છૂટે તત્કાળ. તે૦ ૩૬
(૩) લઘુ આલોયણા , પ્રથમ નમું અરિહંતને, બીજા સિદ્ધ ભગવંત પ્રભુજી; ત્રીજા ગુરુ ગુણવંતને, મેં કીધાં પાપ અનંત પ્રભુજી.
તે મુજ મિચ્છામિ દુક્કડં. એ ટેક૦ ૧ આલોવું પાપને આ સમે, સિદ્ધ અનંતી સાખ; પ્ર0 કૃત્ય અઘોર મેં જે કર્યા, ઉઘાડી નહિ આંખ. પ્ર0 તે૦ ૨ ત્રસ થાવર જીવમેં હણ્યા, કરવાને મુજ સુખ; પ્ર0 જીવ કાયાથી જુદા કર્યા, મેં દીધા અનંતાને દુ:ખ. પ્ર૦ તેo ૩ પૃથ્વીના પેટ મેં ફોડીઆ, તોડી સરોવર પાળ; પ્ર૦ અગ્નિ આરંભ કીધા ઘણાં, છોડાવ્યા ધાવંત બાળ. પ્ર. તે ૪ પગપંખ પકડીને તોડીઆ, છેદ્યા કઈકના શીશ; પ્ર0 કઈકને મસળીને મારીઆ, કઈક ઉપર કિધી રીસ. પ્ર. તે) ૫ જુઠું બોલીને જશ ખાટવા, મલકાણો મનમાય; પ્ર0 હસી હસીને કર્મમેં બાંધીઆ, પસ્તાવો ઘણું થાય. પ્ર૦ તે૦ ૬ માન મેળવવાને કારણે, વળી ભરવા મુજ પેટ; પ્ર) આડું ને અવળું મેં વિતર્યું, ભાન ભુલી થયો મેટ. પ્ર૦ તેo ૭ ચોરીતણો માલમેં ચોરીઓ, આપીને અતિવિશ્વાસ; પ્ર) વિષય તણો વૃદ્ધી થયો, કઈકની વાળી સત્યાનાશ. પ્ર૦ તેo ૮ કામભોગ કીધા ઘણા, આભવ પરભવ માંય; પ્ર) અંધ બન્યો અતિ એ વિષે, વિચાર ન કર્યો લગાર. પ્ર. તે૦ ૯ લપટાણું રમણીના રાગમાં, લુંટાણું મોહ બજાર; પ્ર) રતિ એક ધર્મ કર્યો નહિ, કોણ કરે એની સાર. પ્ર. તે ૧૦ ૧. વિખેરી, દૂર કરી.
૧૪પ૯)
૪પ૯
Page #491
--------------------------------------------------------------------------
________________
અહંદ્રગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કઠણ કર્મ બાંધી કરી, ભોળું કીધું ધન ધાન્ય; પ્ર૦ પ્રાણ છૂટ્યા ત્યાં પડી રહ્યો, આવી નહિ સુદ્ધ ને સાન. પ્ર. તે ૧૧ માલમત્તા ધન મેળવ્યાં, આ જીવે અનંતીવાર; પ્ર0 મારું મારું કરી રહ્યા, દુઃખ છે અપરંપાર. પ્ર૦ તે૦ ૧૨ ક્રોધ ને માન કીધા ઘણા, રાખી ખરેખરો ખાર; પ્ર0 કપટ કળા મેં કેળવી, આ જીવે અનંતીવાર. પ્ર0 તે૦ ૧૩ મનમેં મગરૂર બન્યો, મેળવ્યો મજબુત પાપ; પ્ર૦. અહંકારને અંગે ઘર્યો, જગ્યા નહિ તુજ જાપ. પ્ર. તે ૧૪ મોહ તણા મધુ પાનથી, થયો ઘણું જડ વંક; પ્ર૦ શું સત્ય છે તે સમજ્યો નહિ, મૃગ પડ્યા જેમ પાસ. પ્ર0 તે૧૫ વ્રત લઈને ભાંગીયા, આપી ગુરુજીને ગાળ; પ્ર0 ઘન માટે દગો દીઓ, કુડા ચડાવ્યા આળ. પ્ર૦ ૦ ૧૬ લોભે ને લોભે જીવડો, ઊગર્યો નહિ એક; પ્ર. રૌદ્ર ધ્યાન દયે ધર્યો, માર્યા જીવ અનેક. પ્ર... તે ૧૭ ભોળા જનને ભરમાવીયા, અસુદ્ધ કરી આચાર. ધર્મ તણો દ્વેષી થયો, માંડ્યો ઢોંગ અપાર. પ્રતે ૧૮ એવા અન્યાય કીધા ઘણા, કહેતાં નાવે પાર; પ્ર૦ કહે કવિ જિન નમી કરી, આલોવું છું નિરધાર. પ્ર. તે૦ ૧૯
ચાર શરણાં
મુજને ચાર શરણાં હોજો, અરિહંત સિદ્ધ સુસાધુજી; કેવળી ધર્મ પ્રકાશીયો, રત્ન અમૂલખ લાધુજી. મુ૦ ૧. ચિહું ગતિતણાં દુઃખ છેદવા, સમરથ શરણા એહોજી; પૂર્વે મુનિવર હુઆ તેણે કીધાં શરણાં તેહોજી. મુ) ૨. સંસાર માંહિ જીવને, સમરથ શરણાં ચારોજી, ગણિ સમયસુંદર ઈમ કહે, કલ્યાણ મંગલકારોજી. મુo ૩.
૪૬૦
Page #492
--------------------------------------------------------------------------
________________
ચાર શરણાં
લાખ ચોરાસી જીવ ખમાવીએ, મન ધરી પરમ વિવેકોજી; મિચ્છામિ દુક્કડં દીજીએ, જિન વચને લહીએ ટેકોજી. લા૦ ૧. સાત લાખ ભૂદગ તેલ વાઉના, દસ ચૌદે વનના ભેદોજી; ષડ વિગલ સુર તિરિ નારકી, ચઉ ચઉ ચૌદે નરના ભેદોજી. લા૦ ૨. મુજ વૈર નહિ કેહશું, સહુંશું મૈત્રી ભાવોજી; ગણિ સમયસુંદર ઈમ કહે, પામીયે પુન્ય પ્રભાવોજી, લા૦ ૩.
પાપ અઢારે જીવ પરિહરો, અરિહંત સિદ્ધ સાખેજી; આલોવ્યા પાપ છૂટીએ, ભગવંત ઈણી પેરે ભાણેજી. પા૦ ૧. આશ્રવ કષાય દોય બંધનાં, વળી કલહ અભ્યાખ્યાનોજી; રતિ અરતિ પૈશુન્ય નિંદના, મોયામોસ મિથ્યાતોજી. પા) ૨. મન વચ કાયાએ જે કિયા, મિચ્છામિ દુક્કડં તેહોજી; ગણિ સમયસુંદર ઈમ કહે, જૈન ધર્મનો મર્મ એ હોજી. પા૦ ૩.
ધન ધન તે દિન મુજ કદી હોશે, હું પામીશ સંયમ સૂધીજી; પૂર્વે ઋષિ પંથે ચાલશું, ગુરુ વચને પ્રતિબુદ્ધોજી. ઘ૦ ૧. અંત પંત ભિક્ષા ગોચરી, રણ વને કાઉસ્સગ્ન કરશું જી, સમતા શત્રુ મિત્ર ભાવશું, સંવેગ સુધો ધરશું જી. ઘ૦ ૨. સંસારના સંકટ થકી હું છૂટીશ જિનવચને અવધારોજી; ધન્ય ધન્ય સમયસુંદર તે ઘડી, તો હું પામીશ ભવનો પારોજી. ઘ૦ ૩.
E (૫) ચાર શરણ 5 ચાર શરણ સુખકાર, ભવિયાં! ચાર શરણ સુખકાર; પ્રથમ શરણ અરિહંત પ્રભુનું, બાર ગુણે હિતકાર ભવિયo બીજું શરણ સિદ્ધબુદ્ધ મહંતનું. અજરામર પદધાર. ભવિયાં. ૧ ત્રીજું શરણ સાધુ, સાધુ ગુરુનું, કરુણા રસ ભંડાર; ભવિયાં. ચોથું શરણ શુભ જૈનધર્મનું, દુઃખ ટાળી સુખદાય. ભવિયાં૨ લાખ ચોરાશી હું જીવ ખમાવું, વૈર ન રાખું લગાર; ભવિયાં.
૪૬૧
Page #493
--------------------------------------------------------------------------
________________
અર્વગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શુભ કરણી સવિ ભલી હું માનું, પાપને નિંદું અપાર. ભવિયાં. ૩ મનવચ કાજે પાપ કર્યા મેં મિથ્યા થાઓ આવાર; ભવિયાંo માતપિતા ભાઈ નારીને છોડી, કયારે થઈશું અણગાર. ભવિય) ૪ નવકાર મંત્રનું ધ્યાન ધરતા, પામીએ ભવજલ પાર; ભવિયાંo છોડી લોલુપતા અવસર પામી અણસણ કરીએ શ્રીકાર ભવિયાં. ૫ ઓચિંતું મુજ મરણ જો હોવે તો સવિ ત્યાગ નિરધાર; ભવિયા જન્મ જરા મરણાદિકે ભરીયો, આ સંસાર અસાર. ભવિયાં. ૬ કર્યા કરમ સમભાવે ભોગવીએ, કેઈ ન રાખણહાર, ભવિયાં, તે માટે શરણ એ ચિત્તમાં ધારો, ક્ષમામૃત દેનાર. ભવિયાં !
ચાર શરણ સુખકાર૦ ૭. E (૬) શ્રી ગૌતમસ્વામીનો રાસ
ઢાળ ૧ લી (ભાષા) વીર જિર્ણોસર ચરણ કમલ, કમલા કયવાસો, પણમવિ પભણિશું સામિસાલ, ગોયમ ગુરુ રાસો; મણ તણું વયણ એકંત કરવી, નિસુણો ભો ભવિયાં, જિમ નિવસે તુહ દેહ ગેહ, ગુણગણ ગહગહીયાં. ૧ જંબૂદીવ સિરિભરહ ખિત્ત, ખાણીતલ મંડણ, મગધ દેશ સેણિય નરેસ, રિદિલ બલ ખંડણ, ધણવર ગુવર ગામ નામ, જિહાં ગુણગણસજા, વિપ્ર વસે વસુભૂઈ તત્ય, જસુ પુવી ભજ્જા. ૨ તાણ પુત્ત સિરિ ઈદભૂઈ, ભુવલય પ્રસિદ્ધો; ચઉદય વિદ્યા વિવિહ રૂવ, નારીરસ લુદ્ધો, વિનય વિવેક વિચાર સાર, ગુણગણહ મનોહર; સાત હાથ સુપ્રમાણ દેહ, રૂપે રંભાવર. ૩ નયણ વયણ કર ચરણ, જિણવિ પંકજ જળે પડી, તેજે તારા ચંદ સૂર, આકાશે જમાડીય;
to
Pagal Pue te faith well wise
૪૬૨
Page #494
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમ સ્વામીનો રાસ
રૂવે મયણ અનંગ કરવિ, મેલ્ડિઓ નિરઘાડિય, ઘીરમેં મેરૂ ગંભીર સિધુ, ચંગમ ચય ચાડીય. ૪ પેખવિ નિરૂવમ રૂવ જાસ, જણ જંપે ય કિંચય; એકાકી કિલ ભીત ઈથ્ય, ગુણ મેહલ્યા સંચિય, અહવા નિશ્ચે પુર્વી જમ્મુ, જિણવર ઈણ અંચિય; રંભા પઉમા ગોરી ગંગ, રતિ હા વિધિ વંચિય. ૫ નહિ બુધ નહિ ગુરૂ કવિ, ન કોઈ જસુ આગલ રહિઓ, પંચસયા ગુણપાત્ર છાત્ર, હિંડે પરવરિયો; કરે નિરંતર યજ્ઞકર્મ, મિથ્યામતિ મોહિય, ઈણ છળ હોશે ચરમ નાણ, ક્રંસહ વિસોહિય. ૬
વસ્તુ છંદ જંબુદીવહ જંબુદીવહ, ભરહવાસંમિ, ખોણીતલ મંડણ મગધ દેશ, સેણિય નરેસર; ધણવર ગુબ્બર ગામ તિહાં, વિષ્પ વસે વસુભૂઈસુંદર, તસુ ભજ્જા પુહવી સયલ, ગુણગણ રૂવ નિહાણ; તાણ પુત્ત વિદ્યા નિલઓ, ગોયમ અતિહિ સુજાણ. ઢાળ ૨. જી (ભાષા)
ચરમ જિણેસર કેવલનાણી, ચ િ સંઘ પઈટ્ટા જાણી; પાવાપુરી સામી સંપત્તો, ચઉહિ દેવનિકાયહિ જુત્તો. ૮ દેવે સમવસરણ તિહાં કીજે, જિણ દીઠે મિથ્યામતિ ખીજે; ત્રિભુવનગુરૂ સિહાંસણ બઈટ્ટા, તખિણ મોહ દિગંતે પઈટ્ટા. ૯ ક્રોધ માન માયા મદ પૂરા, જાયે નાઠા જિમ દિન ચૌરા; દેવદુંદુહિ આકાશે વાજે, ધર્મ નરેસર આવીયા ગાજે. ૧૦ કુસુમવૃષ્ટિ વિરચે તિહાં દેવા, ચોસઠ ઈંદ્ર જસુ માગે સેવા; ચામર છત્ર શિરોવરિ સોહે, રૂપે જિનવર જગ સહુ મોહે. ૧૧ ઉવસમ રસભર ભરી વરસંતા, જોજન વાણી વખાણ કરતાં; જાવિવક્રમાણ જિણપાયા, સુર નર કિન્નર આવે રાયા. ૧૨
૪૬૩
Page #495
--------------------------------------------------------------------------
________________
અર્હદ્-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કાંતિસમૂહે ઝલહલકતા, ગયણવિમાણે રણરણકતા; પેખવી ઇંદભૂઈ મન ચિંતે, સુર આવે અમ્હ યજ્ઞ હોવંતે. ૧૩ તીર તરંડક જિમ તે વહતા, સમવસરણ પહોતા ગહગહતા; તો અભિમાને ગોયમ જંપે, ઈણ અવસરે કોપે તણુ કંપે. ૧૪ મૂઢ લોક અજાણીઓ બોલે, સુર જાણતા ઈમ કાંઈ ડોલે; મૂ આગલ કો જાણ ભણીજે, મેરૂ અવર કિમ ઉપમા દીજે. ૧૫ વસ્તુછંદ
વીર જિણવર વીર જિણવર નાણસંપન્ન, પાવાપુરી સુરમહિય પત્તનાહ સંસારતારણ; તિહિંદેવેહિં નિમ્નવિય, સમવસરણ બહુ સુખકારણ, જિનવર જગ ઉજ્જોઅ કરે તેજે કરી દિનકાર; સિંહાસણ સામિયઠવ્યો, હુઓ સુજય જયકાર. ૧૬ ઢાળ ૩ જી (ભાષા)
તવ ચઢિયો ઘણ માણ ગજે, ઇંદભૂઈ ભૂદેવ તો, હુંકારો કરી સંચરઓ કવણસું જિણવર દેવ તો; જોજન ભૂમિ સમોવસરણ, પેખે પ્રથમારંભ તો, દહદિસિ દેખે વિબુધવધૂ, આવતી સુરરંભ તો. ૧૭ મણિમય તોરણ દંડ ધજા, કોસીસે નવ ઘાટ તો, વૈર વિવર્જિત જંતુગણ, પ્રાતિહારજ આઠ તો; સુર નર કિન્નર અસુરવર, ઇંદ્ર-ઇંદ્રાણી રાય તો, ચિત્ત ચમક્રિય ચિંતવે એ, સેવંતા પ્રભુપાય તો. ૧૮ સહસિકરણ સમ વીરજિણ, પેખવી રૂપ વિશાળ તો, એહ અસંભવ સંભવે એ, સાચો એ ઇંદ્રજાળ તો; તવ બોલાવે ત્રિજગગુરુ, ઇંદુભૂઈ નામેણ તો, શ્રીમુખ સંશય સામિ સર્વે, ફેડે વેદપએણ તો. ૧૯ માન મેલ્હી મદ ઠેલી કરી, ભગતે નામે સીસ તો; પંચસયાશું વ્રત લીયો એ, ગોયમ પહિલો સીસ તો; બંધવ સંજમ સુણવી કરી, અગનિભૂઈ આવેઈ તો, નામ લેઈ આભાસ કરે, તે પણ પ્રતિબાધેઈ તો. ૨૦
૪૬૪
Page #496
--------------------------------------------------------------------------
________________
= 'શ્રી ગૌતમ સ્વામીનો રાસ )
ઈણ અનુક્રમે ગણહર રમણ, થાપ્યા વીર અગ્યાર તો; તવ ઉપદેશે ભુવનગુરુ, સંજમાં વ્રત બાર તો; બિહું ઉપવાસે પારણું એ, આપણપે વિહરંત તો; ગોયમ સંજમ જગ સયલ, જય જયકાર કરંત તો. ૨૧
(વસ્તુ છંદ) ઈદ ભૂઈઅ ઈદ ભૂઈઅ, ચડિય બહુમાન; હુંકારો કરી સંચરિઓ, સમવસરણ પુહતો તુરંત તો; ઈહ સંસય સામિ સવે, ચરમનાહ ફેડે ફરંત; બોધિબીજ સક્ઝાય મને, ગોયમ ભવહ વિરત્ત; દિખ લેઈ સિખા સહિય, ગણહરાય સંપત્ત. ૨૨
ઢાળ ૪ થી (ભાષા) આજ હુઓ સુવિહાણ, આજ પચેલીમાં પુણ્ય ભરો; દીઠા ગોયમસામિ, જો નિયનયણે અમિય ઝરો; સિરિ ગોયમ ગણહાર, પંચસયા મુનિ પરવરિય; ભૂમિય કરય વિહાર, ભવિયણ જન પડિબોહ કરે; સમવસરણ મઝાર, જે જે સંશય ઉપજે એક તે તે પરઉપગાર, કારણ પૂછે મુનિપવરો. ૨૩ - જિહાંજિહાં દીજે દિખ, તિહાંતિહાં કેવલ ઉપજેએ; આપ કન્ડે અણહુત, ગોયમ દીજે દાન ઈમ; ગુરુ ઉપર ગુરુભત્તિ, સામિાય ગોયમ ઉપનીય; ઈણ છલ કેવલનાણ, રાગજ રાખે રંગભરે. ૨૪ જો અષ્ટાપદ શૈલ, વંદે ચઢી ચઉવીશ જિણ; આતમ લબ્ધિ વસેણ, ચરમસરીરી સોઈ મુનિ; ઈઅ દેસણ નિસુeઈ, ગોયમ ગણહર સંચલિઓ; તાપસ પન્નરસએણ તો; મુનિ દીઠો આવતો એ. ૨૫ તવસોસિય નિય અંગ, અમ્ય શક્તિ નવિ ઉપજે એ; કિમ ચઢશે દૃઢકાય, ગજ જિમ દીસે ગાજતો એ; ગિરુઓ એ અભિમાન, તાપસ જો મન ચિંતવે એ; તો મુનિ ચઢીયો વેગ, આલંબવિ દિણકર કિરણ. ૨૬
૪ ૬૫
Page #497
--------------------------------------------------------------------------
________________
અહંદુ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા કંચન મણિ નિષ્ફન, દંડ કલસ ધજ વડ સહિય; પેખવિ પરમાણંદ, જિણહર ભરોસર મહિય; નિયનિય કાયપ્રમાણ, ચઉદિસિ સંઠિઅ જિણહ બિંબ; પણમવિ મન ઉલ્લાસ, ગોયમ ગણહર તિહાં વસિય. ૨૭ વયરસામીનો જીવ, તિર્યજાંભક દેવ તિહાં; પ્રતિબોધે પુંડરીક કંડરીક, અધ્યયન ભણી; વળતા ગોયમસામી સવિ, તાપસ પ્રતિબોધ કરે; લેઈ આપણે સાથ, ચાલે જેમ જૂથાધિપતિ. ૨૮ ખીર ખાંડ વૃતિ આણી, અમિઅ વુઠ અંગુઠ હવે; ગોયમ એકણ પાત્ર, કરાવે પારણું સવે; પંચસયા શુભ ભાવ, ઉજ્જવલ ભરિયો ખીર મિસે; સાચા ગુરુ સંયોગ કવળ, તે કેવળ રૂપ હુઆ. ૨૯ પંચસયા જિણનાહ, સમવસરણ પ્રકાર ત્રય; પેખવિ કેવલનાણ, ઉપ્પનૂ ઉજ્જોય કરે; જાણે જિણહ પીયૂષ, ગાજંતી ઘણ મેઘ જિમ; જિનવાણી નિસુeઈ, નાણી હુઆ પંચસયા. ૩૦
વસ્તુ છંદ ઈણે અનુક્રમે ઈણે અનુક્રમે નાણસંપન્ન; પન્નરહ સય પરિવરિય હરિય, દુરિય જિણનાહ વંદઈ; જાણવિ જગગુરુ વયણ, તિહ નાણ અપ્યાણ નિંદઈ; ચરમ જિણેસર ઈમ ભણઈ, ગોયમ મ કરિસ ખેલ; છેહી જઈ આપણ સહી, હોસું તુલ્લા બેઉ. ૩૧
ઢાળ ૫ મી (ભાષા) સામિઓ એ વીર નિણંદ, પુનિમચંદ જિમ. ઉલ્લસિએ; વિહરીઓ એ ભરહવાસમ્મિ વરિસ બહુત્તર સંવસિએ; ઠવતો એ કણય પઉમેવ, પાયકમળ સંઘે સહિએ, આવિઓ એ નયણાનંદ, નયર પાવાપુરી સુરમહિય. ૩૨
૪૬ ૬
Page #498
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમ સ્વામીનો રાસ પેખિયો એ ગોયમ સામી, દેવશર્મા પ્રતિબોધ કરે; આપણ એ ત્રિશલાદેવી, નંદન પહોતો પરમપએ; વલતો એ દેવ આકાસ, પેખવિ જાણિય જિણ સમે એ, તો મુનિ એ મન વિખવાદ, નાદ ભેદ જિમ ઉપનો એ ૩૩ કુણ સમો એ સામિય દેખી, આપ કનડે હું ટાલિયો એ જાણતો એ તિહુ અણનાહ, લોક્વવહાર ન પાલીઓ એ અતિ ભલું એ કીધલું સામી, જાણીયું જ્વળ માગશે એ, ચિંતવ્યું એ બાલક જેમ, અહવા કેડે લાગશે એ. ૩૪ હું કેમ એ વીર નિણંદ, ભગતે ભોળો ભોળવ્યો એ; આપણો એ અવિહડ નેહ નાહ ન સંપે સાચવ્યો એ; સાચો એ વીતરાગ, નેહ ન જેણે લાલિઓ એ, ઈણ સમે એ ગોયમ ચિત્ત, રાગ વૈરાગે વાળિયો એ. ૩૫ આવતું એ જે ઉલટ્ટ, રહેતું રાગે સાહિઉં એ, કેવલ એ નાણ ઉપ્પન્ન, ગોયમ સહેજે ઉમ્માહિઓ એ; તિહુઅણ એ જય જયકાર, કેવલમહિમા સુર કરે છે, ગણહર એ કરય વખાણ, ભવિયણ ભવ ઈમ નિસ્તરે એ ૩૬
વસ્તુ છંદ પઢમ ગણહર પઢમ ગણહર, વરિસ પચ્ચાસ, ગિહિવાસે સંવસિય, તીસ વરિસ સંજમ વિભૂસિય; સિરિ કેવલનાણ પુણ બાર, વરિસ તિહુયણ નમંસિય, રાયગિરિ નયરીહિ, ઠવીઅ, બાણવાઈ વરસાઉ; સામી ગોયમ ગુણનિલો, હોશે શિવપુર હાઉ. ૩૭
ઢાળ ૬ ઠી (ભાષા) જિમ સહકારે કોયલ ટહુકે, જિમ કુસુમહ વને પરિમલ મહકે, જિમ ચંદન સુગંધનિધિ; જિમ ગંગાજલ લહર લહકે, જિમ કણયાચલ તેજે ઝલકે, તિમ ગોયમ સૌભાગ્યનિધિ. ૩૮
જિમ માન સરોવર નિવસે હંસા, જિમ સુરવર સિરિ કણય વાંસા, જિમ મહુયર રાજીવ વને; જિમ રયણાયર રયણે વિલસે, જિમ અંબર તારાગણ વિકસે, તિમ ગોયમ ગુણકેલિ વને. ૩૯
૪૬૭
Page #499
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પૂનમ નિશિ જિમ શહર સોહે, સુરતરુ મહિમા જિમ જગ મોહે. પૂરવ દિસિ જિમ સહસકરો; પંચાનન જિમ ગિરિવર રાજે, નરવઈ ઘર જિમ મયગલ ગાજે, તિમ જિનશાસન મુનિપવરો. ૪૦.
જિમ સુરતરુવર સોહે શાખા, જિમ ઉત્તમ મુખ મધુરી ભાષા, જિમ વન કેતકી મહમહે એ; જિમ ભૂમિપતિ ભયબલ ચમકે, જિમ જિનમંદિર ઘંટા રણકે, તિમ ગોયમ લબ્ધ ગહગહે એ. ૪૧.
ચિંતામણિ કર ચઢિઓ આજ, સુરતરૂ સારે વંછિત કાજ, કામકુંભ સવિ વશ હુઆ એ, કામગવિ પૂરે મનકામિય, અષ્ટ મહાસિદ્ધિ આવે ઘામિય, સામિય ગોયમ અણુસરો એ. ૪૨
પણવખેર પહેલો પભણીને, માયાબીજ શ્રવણ નિસુણીને, શ્રીમતી શોભા સંભવે એ; દેવહ ધૂરિ અરિહંત નમીજે, વિનય પહુ ઉવજઝાય યુણિજે, ઈણ મંત્રે ગોયમ નમો એ. ૪૩
પુરપુર વસતાં કાંઈ કરુજે, દેશદેશાંતર કાંઈ ભમીજે, કવણ કાજ આયાસ કરો; પ્રહ ઉઠી ગોયમ સમરીએ, કાજ સુમંગલ તતખણ સિઝે, નવનિધિ વિલસે તાસ ઘરે. ૪૪
ચઉદહ સય બારોત્તર વરસે, ગોયમ ગણધર કેવલ દિવસે. (ખંભ નયર સિરિ પાસ પસાએ,) કિઉં કવિત્ત ઉપગાર કરો; આદેહિ મંગલ એહ પભણીએ, પરમ મહોચ્છવ પહેલો લીજે, ઋદ્ધિ વૃદ્ધિ કલ્યાણ કરો. ૪૫
ધન્ય માતા જેણે ઉદરે ઘરિયા, ધન્ય પિતા જેણે કુલ અવતરીયા, ધન્ય સદ્ગુરુ જિણે દિખિયા એ, વિનયવંત વિદ્યાભંડાર, જસ ગુણ કોઈ ન લક્ષ્મ પાર; વડ જિમ શાખા વિસ્તરો એ. ૪૬
ગૌતમસ્વામીનો રાસ ભણીને, ચઉવિત સંઘ રલીયાયત કીજે, સકલ સંઘ આણંદ કરો, કુંકુમ ચંદન છડો દેવરાવો, માણેક મોતીના ચોક પૂરાવો, રાયણ સિંહાસણ બેસણો એ. ૪૭.
૪૬૮
Page #500
--------------------------------------------------------------------------
________________
શ્રી નવકારમંત્રનો છંદ
તિહાં બેસી ગુરુ દેશના દેશે, ભવિક જીવના કારજ સરશે, ઉદયવંત મુનિ ઈમ ભણે એક ગૌતમસ્વામી તણો એ રાસ, ભણતાં સુણતાં લીલ વિલાસ, સાસય સુખનિધિ સંપજે એ. ૪૮
એહ રાસ જે ભણે ભણાવે, વર મંગલ લચ્છી ઘર આવે, મનવંચ્છિત આશા ફલે એ. ૪૯
પ્રભાતે શુદ્ધતાથી એક માળા હંમેશા ગણવી. ૐ હ્રીં શ્રીં અરિહંત ઉવજઝાય ગૌતમસ્વામિને નમઃ
૬ (૭) શ્રી નવકારમંત્રનો છંદ 9
દુહા વંછિત પૂરે વિવિધ પરે, શ્રી જિનશાસન સાર; નિશ્ચ શ્રી નવકાર નિત્ય, જપતાં જયજયકાર. ૧ અડસઠ અક્ષર અધિક ફળ, નવપદ નવે નિધાન; વીતરાગ સ્વયં મુખ વદે, પંચ પરમેષ્ઠિ પ્રધાન. ૨ એક જ અક્ષર એક ચિત્ત, સમર્યા સંપત્તિ થાય; સંચિત સાગર સાતનાં, પાતક દૂર પલાય. ૩ સકળ મંત્ર શિર મુકુટમણિ, સદ્ગુરુભાષિત સાર, સો ભવિયાં મન શુદ્ધશું, નિત્ય જપીયે નવકાર. ૪
છંદ નવકાર થકી શ્રીપાલ નરેશર, પામ્યો રાજ્ય પ્રસિદ્ધ; મશાન વિષે શિવનામકુમારને સોવનપુરિસો સિદ્ધ; નવ લાખ જપતા નરક નિવારે, પામે ભવનો પાર; સો ભવિયાં ભકતે ચોખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર. બાંધી વડશાખા શિકે બેશી, હેઠલ કુંડ હુતાશ; તસ્કરને મંત્ર સમર્પો, શ્રાવક ઊડ્યો તે આકાશ; વિધિ રીત જપતાં વિષધર વિષ ટાલ, ઢાલે અમૃતધાર. સો. ૬
૪૬૯
Page #501
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
બીજોરાં કારણ રાય મહાબલ, વ્યંતર દુષ્ટ વિરોધ; જેણે નવકારે હત્યા ટાળી, પામ્યો યક્ષ પ્રતિબોધ; નવલાખ જપંતા થાએ જિનવર, ઈસ્યો છે અધિકાર. સો૦ ૭ પસ્લિપતિ શિખ્યો મુનિવર પાસે, મહામંત્ર મનશુદ્ધ પરભવ તે રાજસિંહ પૃથ્વીપતિ, પામ્યો પરિગલ શ્રદ્ધ; એ મંત્ર થકી અમરાપુર પહોતો, ચારૂદત્ત સુવિચાર. સો૦ ૮ સંન્યાસી કાશી તપ સાધંતો, પંચાગ્નિ પરજાળે; દીઠો શ્રી પાસકુમારે પન્નગ, અધ બળતો તે ટાળે; સંભળાવ્યો શ્રીનવકાર સ્વયંમુખ, ઈદ્રભવન અવતાર. સો૦ ૯ મન શુદ્ધ જપતાં મયણાસુંદરી, પામી પ્રિય સંયોગ; ઈણે ધ્યાન થકી ટાળ્યો કુષ્ટ ઉંબરનો, રકતપિત્તનો રોગ; નિશ્ચશું જપતાં નવનિધિ થાયે, ધર્મતણો આધાર. સો. ૧૦ ઘટમાંહિ કૃષ્ણ ભુજંગમ ઘાલ્યો, ઘરણી કરવા ઘાત; પરમેષ્ઠિ પ્રભાવે હાર ફૂલનો વસુધામાંહિ વિખ્યાત; કમલાવતીએ પિંગલ કીધો, પાપણો પરિહાર. સો. ૧૧ ગયણાંગણ જાતી રાખી ગ્રહીને, પાડી બાણ પ્રહાર; પદ પંચ સુર્ણતા પાંડુપતિ ઘર, તે થઈ કુંતા નાર, એ મંત્ર અમૂલક મહિમા મંદિર, ભવદુઃખ ભંજનહાર. સો૦ ૧૨ કંબલ ને સંબલ કાદવ કાઢ્યા, શકટ પાંચશે માન; દીઘે નવકારે ગયા દેવલોકે, વિલસે અમર વિમાન; એ મંત્ર થકી સંપત્તિ વસુધાતલે, વિલસે જૈન વિહાર. સો૦ ૧૩ આગે ચોવીશી હુઈ અનંતી, હોશે વાર અનંત, નવકાર તણી કોઈ આદિ ન જાણે, એમ ભાખે અરિહંત; પૂરવદિશિ ચારે આદિ પ્રપંચે, સમર્યા સંપત્તિ સાર. સો૦ ૧૪ પરમેષ્ઠિ સુરપદ તે પણ પામે, જે કૃત કર્મ કઠોર પુંડરીકગિરિ ઉપર પ્રત્યક્ષ પેખ્યો, મણિધર ને એક મોર; સરૂ સનમુખ વિધિએ સમરતાં, સફળ જન્મ સંસાર. સો૦ ૧૫
Page #502
--------------------------------------------------------------------------
________________
શ્રી સોળ સતીનો છંદ શૂલિકારોપણ તસ્કાર કીધો, લોહખુરો પ્રસિદ્ધ; તિહાં શેઠે નવકાર સુણાવ્યો, પામ્યો અમરની શ્રદ્ધ; શેઠને ઘર આવી વિદન નિવાર્યા, સુરે કરી મનોહર. સો૦ ૧૬ પંચ પરમેષ્ઠિ જ્ઞાન જ પંચત, પંચ દાન ચારિત્ર; પંચ સઝાય મહાવ્રત પંચહ; પંચ સમિતિ સમકિત; પંચ પ્રમાદ વિષય તજો પંચહ, પાળો પંચાચાર. સો૧૭
કળશ (છપ્પય) નિત્ય જપીએ નવકાર, સાર સંપત્તિ સુખદાયક; સિદ્ધમંત્ર એ શાશ્વતો, એમ જંપે શ્રી જગનાયક શ્રી અરિહંત સુસિદ્ધ શુદ્ધ આચાર્ય ભણીને; શ્રી ઉવક્ઝાય સુસાધુ, પંચ પરમેષ્ઠિ થુણીજે; નવકાર સાર સંસાર છે, કુશળલાભ વાચક કહે; એક ચિત્તે આરાધતા, વિવિધ ઋદ્ધિ વંછિત લહે. ૧૮
(૮) શ્રી સોળ સતીનો છંદ 5 આદિનાથ આદે જિનવર વંદી, સફલ મનોરથ કીજીયે એ; પ્રભાતે ઉઠી મંગલિક કામે, સોળ સતીનાં નામ લીજીયે એ. ૧ બાલકુમારી જગ હિતકારી, બ્રાહ્મી ભરતની બહેનડી એ, ઘટ ઘટ વ્યાપક અક્ષર રૂપે, સોલ સતી માંહે જે વડી એ. ૨ બાહુબલભગિની સતીય શિરોમણિ, સુંદરી નામે ઋષભસુતાએ; અંકસ્વરૂપ ત્રિભુવન માંહે, જેહ અનુપમ ગુણજીત્તા એ. ૩ ચંદનબાલા બાલપણાથી, શીયળવંતી શુદ્ધ શ્રાવિકા એ; અડદના બાકુલા વીર પ્રતિલાભ્યા; કેવલ લહિ વ્રત ભાવિકા એ. ૪ ઉગ્રસેનલૂઆ ઘારિણીનંદિની, રાજીમતી નેમવલ્લભા એ; જોબન વેશે કામને જીત્યો, સંજમ લેઈ દેવદુલ્લભા એ. ૫
૪૭૧
Page #503
--------------------------------------------------------------------------
________________
અર્ધ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પંચ ભરતારી પાંડવ નારી, દ્રુપદતનયા વખાણીયે એક એકસો આઠે ચીર પુરાણા, શીયલ મહિમાં તસ જાણીયે એ. ૬ દશરથનૃપની નારી નિરુપમ, કૌશલ્યા કુલચન્દ્રિકા એ શીયલસલુણી રામ જનેતા, પુણ્યતણી પરનાલિકા એ. ૭ કૌશાંબિક ઠામે શતાનિક નામે, રાજ્ય કરે રંગ રાજીઓ એ તસ ઘર ઘરણી મૃગાવતી સતી, સુરભવને જશ ગાજીયો એ. ૮ સુલસા સાચી શીયલે ન કાચી, રાચી નહિ વિષયારસે એક મુખડું જોતાં પાપ પલાયે, નામ લેતાં મન ઉલસે એ. ૯ રામ રઘુવંશી તેહની કામિની, જનકસુતા સીતા સતી એક જગ સહુ જાણે વીજ કરતાં, અનલ શીતલ થયો શીયલથી એ. ૧૦ કાચે તાંતણે ચાલણી બાંધી, કૂવા થકી જલ કાઢીયું એ; કલંક ઉતારવા સતીય સુભદ્રાએ, ચંપા બાર ઉઘડીયું એ. ૧૧ સુર નર વંદિત શીયલ અખંડિત, શિવા શિવપદગામિની એ; જેહને નામે નિર્મલ થઈએ, બલિહારી તસ નામની એ. ૧૨ હસ્તિનાગપુરે પાંડરાયનીકુંતા નામે કામિની એક પાંડવ માતા દશ દશાર્ણની, બહેન પતિવ્રતા પદ્મિની એ. ૧૩ શીલવતી નામે શીલવંત ઘારિણી, ત્રિવિધે તેહને વંદિયે એ, નામ જપતાં પાતક જાયે, દરિસણ દુરિત નિકંદિયે એ. ૧૪ નિષિધા નગરી નલહ નરિંદની, દમયંતી તસ ગેહની એ; સંકટ પડતાં શીયલજ રાખ્યું, ત્રિભુવનકીર્તિ જેહની એ. ૧૫ અનંગ અજિતા જગજન પૂજિતા, પુષ્પચૂલા ને પ્રભાવતી એક વિશ્વવિખ્યાતા કામિતદાતા, સોલમી સતી પદ્માવતી એ. ૧૬ વિરે ભાખી શાસ્ત્ર સાખી, ઉદયરતન ભાખે મુદા એ; વહાણું વાતાં જે નર ભણશે, તે લેશે સુખ સંપદા એ. ૧૭
૪૭૨
Page #504
--------------------------------------------------------------------------
________________
શ્રી જ્વરનો (તાવનો) છંદ
Ř (૯) શ્રી જ્વરનો (તાવનો) છંદ 5 દુહા નમો આનંદપુર નગર, અજયપાલ રાજન; માતા અજયા જનમિયો, જ્વર તું કૃપા નિધાન. ૧ સાત રૂપ શક્તિ હુવો, કરવા ખેલ જગત; નામ ધરાવે જીવા, પ્રસર્યો તું ઈત્ત ઉત્ત. ૨ એકાંતરો બેયાંતરો, ત્રઈયો ચોથો તામ; શીત ઉષ્ણ વિષમ જ્વરો, એ સાતે તુજ નામ. ૩ છંદ
એ સાતે તુજ નામ સુરંગા, જપતા પૂરે કોડિ ઉમંગા; તેં નામ્યા જે જાલિમ જંગા, જગમાં વ્યાપી તુજ જસ ગંગા. ૪ તુજ આગે ભૂપતિ સબરંકા, ત્રિભુવનમાં વાજે તુજ ડંકા; માને નહિ તું કેહની શંકા, તુઠ્યા આપે સોવન ટંકા. ૫ સાધક સિદ્ધતણા મદ મોડે, અસુર સુરા તુજ આગલ દોડે; દુઃ ધિટ્ટનાં કંધર તોડે, નમી ચાલે તેહને તું છોડે. આવંતો થરથર કંપાવે, ડાહ્યાને જિન તિમ બહકાવે; પહિલો તું કેડમાંથી આવે, સાત સિરખ પણ શીત ન આવે. ૭ હીં હીં હું હુંકાર કરાવે, પાંસળિયાં હાડાં કકડાવે; ઉનાળે પણ અમલ જગાવે, તાપે પહિરણમાં · મૂતરાવે. ૮ આસો કાર્તિકમાં તુજ જોરો, હઠ્યો ન માને દાગો દોરો; દેશ વિદેશ પડાવે સોરો; કરે સબળ તું તાતો તોરો. ૯ તું હાથીનાં હાડાં ભંજે, પાપીને તાડે કર પંજે; ભક્તિવત્સલ ભાવે જો રંજે, તો સેવકને કોય ન ગંજે. ૧૦ ફોડક તોડક ડમરૂં ડાર્ક, સુરપતિ સરિખા માને હાકં; ધમકે ધુંસડ ધાસડ ધાક, ચઢતો ચાલે ચંચળ ચાર્ક. ૧૧ પિશુન પછાડણ નહિકોતોથી, તુજજસ બોલ્યા ન જાય કોથી; શી અણખીલ કરો એ થોથી, મહેર કરી અળગા રહો મોથી. ૧૨
૪૭૩
Ç
Page #505
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ભક્ત થકી એવડી કાં ખેડો, અવલ અમીનાં છાંટા રેડો; લાખા ભક્તનો એક નિવેડો, મહારાજ મૂકો મુજ કેડો. ૧૩ લાજવશો માં અજયારાણી, ગુરુ આણા માનો ગુણખાણી; ઘરે સિધાવો કરૂણા આણી, કહું છું નાકે લીંટી તાણી. ૧૪ મંત્ર સહિત એ છંદ જે પઢશે, તેહતે તાવ કિં નવ ચઢશે; કાંતિ કળા દેહ નીરોગં, લહેશે લખમી લીલાભોગં. ૧૫
કળશ
(છપ્પય)
ૐ નમો ધરી આદિ બીજું, ગુરુ નામ વદીજે; આનંદપુર અવનીશ, અજયપાલ આખીજે; અજયા જાત અઢાર, વાંચિયે સાતે બેટા; જપતા એહિજ જાપ, ભક્તશું ન કરે મેહા; ઉતરે ચડ્યો અંગ, પળમેં તુજ વયણે મુદા; કહે કાંતિ રોગ નાવે, સાર મંત્ર ગ્રહિયે સદા. ૧૬
(આ છંદ સાતવાર, ચૌદવાર અથવા એકવીશવાર સાંભળે અથવા ગણે તો તાવ જતો રહે.)
૬ (૧૦) ત્રેસઠશલાકા પુરૂષનો છંદ
પ્રહ સમે પ્રણમું સરસ્વતી માય, વલી સદ્ગુરુને લાગુ પાય; ત્રેસઠસલાકાના કહું નામ, નામ જપતા સીઝે કામ. ૧ પ્રથમ ચોવીશ તીર્થંકર જાણ, તેહ તણાં હું કરીશ વખાણ; ૠષભ અજીત ને સંભવસ્વામ, ચોથા અભિનંદન અભિરામ. ૨ સુમતિ પદ્મપ્રભુ પુરે આશ, સુપાર્શ્વચંદ્ર પ્રભુ દે સુખ વાસ; સુવિધિ શીતલ શ્રેયાંસનાથ, એહ છે સાચા શિવપુર સાથ. ૩ વાસુપૂજ્ય જિન વિમલ અનંત, ધર્મશાંતિ કુંથુ અરિહંત; અર મલ્લિ મુનિસુવ્રત સ્વામી, એહથી લહીયે મુક્તિ સુઠામ. ૪ નમીનાથ નેમીસર દેવ, જસ સુરનર નિત સારે સેવ; પાર્શ્વનાથ મહાવીર પ્રસિદ્ધ, તૂઠા આપે અવિચલ રૂદ્ધ પ
૪૭૪
Page #506
--------------------------------------------------------------------------
________________
ત્રેસઠશલાકા પુરૂષનો છંદ
હવે નામ ચક્રવર્તિ તણાં, બાર ચક્રી જે શાસ્ત્ર ભણ્યા; પહેલો ચક્રિ ભરત નરેશ, સુખે સાધ્યા જેણે ખટખંડ દેશ. ૬ બીજો સગર નામે ભૂપાલ, ત્રીજો મઘવરાય સુવિશાલ; ચોથા કહિયે સનતકુમાર, દેવ પદવી પામ્યા છે સાર, ૭ શાંતિ કુંથુ અર ત્રણે રાય, તીર્થંકર પણ પદ કહેવાય; સુભૂમ આઠમો ચકી થયો, અતિ લોભે કરી નરકે ગયો. ૮ મહાપધરાય બુદ્ધિનિધાન, હરીપેણ દશમો રાજન; ઈગ્યારમો જય નામ નરેશ, બારમો બ્રહ્મદત ચક્રેશ. ૯ એ બારે ચકીસર કહ્યા, સૂત્રસિદ્ધાંત થકી મેં લહ્યા; હવે વાસુદેવ કહું નવ નામ, ત્રણ ખંડજેણે જીત્યા ઠામ. ૧૦ વીર જીવ પ્રથમ ત્રિપૃષ્ઠ, બીજો નૃપ જાણો દ્વિપૃષ્ઠ; સ્વયંભૂ પુરુષોત્તમ મહારાય, પુરૂષસિંહ પુરૂષ પુંડરીકરાય. ૧૧ દત્તનારાયણ કૃષ્ણ નરેશ, એહ નવ હવે બલદેવ વિશેષ; અચલ વિજયભદ્ર સુપ્રભ ભૂપ, સુદર્શન આનંદ નંદન રૂપ. ૧૨ પદ્મ રામ એ નવ બલદેવ, પ્રતિશત્રુ નવ પ્રતિવાસુદેવ; અશ્વગ્રીવ તારક રાજેદ્ર, મેરક મધુ નિશુભ બલેંદ્ર. ૧૩ પ્રાદ ને રાવણ જરાસંધ, જીત્યા ચક્ર બલે તસ સંઘ; ત્રેસઠ સંખ્યા પદવી કહી, માતા એકસઠ ગ્રંથે લહી, ૧૪ પિતા બાવન ને સાઠ શરીર, ઓગણસાઠ જીવ મહાધર; પંચવર્ણ તીર્થકર જાણ, ચક્રી સોવન વાન વખાણ. ૧૫ વાસુદેવ નવ સામલવાન, ઉજ્જવલ તનુ બલદેવ પ્રધાન; તીર્થકર મુકિત પદ વર્યા, આઠ ચક્રિ સાથે સંચર્યા. ૧૬ બલદેવ આઠ વલી તેહને સાથ, શિવપદ લીધું હાથો હાથ; મઘવા સનતકુમાર સુરલોક, ત્રીજે સુખ વિલસે ગતશોક. ૧૭ નવમો બલદેવ બ્રહ્મનિવાસ, વાસુદેવ સહુ અધોગતિ વાસ; અષ્ટમો બારમો ચક્રી સાથ, પ્રતિવાસુદેવ સમા નરનાથ. ૧૮
૪૭૫
Page #507
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સુરનર સુખશાતા ભોગવી, નરક દુઃખ વ્યથા અનુભવી; અનુક્રમે કર્મ સૈન્ય જયકરી, નરવર ચતુરંગી સુખ વરી. ૧૯ સદ્ગુરુ જોગે ક્ષાયિક ભાવ, દર્શન જ્ઞાન ભવોદધિ નાવ; આરોહી શિવમંદિર વસે, અનંત ચતુષ્ટય તવ ઉલસે. ૨૦ લહેશે અક્ષય પદ નિરવાણ, સિદ્ધ સર્વે મુજ ઘો કલ્યાણ; ઉત્તમ નામ જપો નરનાર, રૂપચંદ લહે જય જયકાર.૨૧
= (૧૧) શ્રી મહાવીર જિન પારણું ;
માતા ત્રિસલાયે પુત્રરત્ન જાઈયો, ચોસઠ ઇંદ્રના આસન કંપે સાર; અવધિજ્ઞાને જોઈ ધાયો શ્રી જિનવરને, આવે ક્ષત્રિયકુંડ નયર મઝાર. ૧. વીર પ્રતિબિંબ મુકી માતા કને, અવસર્પિણી નિદ્રા દીએ સાર; એમ મેરુશિખરે જિનને લાવે ભક્તિ શું; હરિ પંચરૂપ કરી મનોહાર. ૨. એમ અસંખ્ય કોટાકોટી મળી દેવતા, પ્રભુને ઓચ્છવ મંડપે લઈ જાય; પાંડુકવન શિલાયે જિનને લાવે ભક્તિશું, હરિ અંગે થાપે ઈદ્ર ઘણું ઉચ્છાય. ૩.એક કોડી સાઠ લાખ કળશે કરી, વીરનો સ્નાત્ર મહોચ્છવ કરે સાર; અનુક્રમે વિરકુંવરને લાવે જનની મંદિરે, દાસી પ્રિયંવદા જાએ તેણીવાર. ૪. રાજા સિદ્ધારથને દીધી વધામણી, દાસીને દાન ને માન દીએ મનોહાર; ક્ષત્રિય કુંડમાંહે ઓચ્છવ મંડાવીઓ, પ્રજા લોકને હરખ અપાર. ૫. ઘરઘર શ્રીફળ તોરણ ત્રાટજ બાંધીયા, ગોરી ગાવે મંગલ ગીત રસાળ; રાજા સિદ્ધારથ જન્મ મહોત્સવ કરીઓ, માતા ત્રિશલા થઈ ઉજમાળ ૬ માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ઝુલે લાડકડા પ્રભુજી આનંદભેર; હરખી નીરખીને ઈંદ્રાણીઓ જાવે વારણે, આજ આનંદ શ્રી વીરકુંવરને ઘેર. ૭. વીરના મુખડા ઉપર વારૂ કોટિચંદ્રમા, પંકજ લોચન સુંદર વિશાલ કપોલ; શુકચંચુ સરિખી દીસે નિર્મળ નાસિકા, કોમળ અધર અરૂણ રંગ રોલ. ૮. ઔષધી સોવન મઢી રે શોભે હાલર, નાજુક આભરણ સઘળાં કંચન મોતીહાર, કર અંગુઠો ધાવે વીરકુંવર હર્ષે કરી, કાંઈ બોલાવતા કરે કિલકિલાકાર. ૯. વીરને નિલાડે કીધો છે
૪ ૭
-
Page #508
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીર જિન પારણું
કુંકુમ ચાંદલો, શોભે જડિત મરકત મણિમાં દીસે લાલ; ત્રિશલાયે જુગતે આંજી અણિયાળી બેહુ આંખડી, સુંદર કસ્તુરીનું ટબધું કીધું ગાલ. ૧૦. કંચન સોલે જાતના રત્ન જડિયું પારણું, ઝુલાવતી વેળા થાયે ઘરનો ગમકાર; ત્રિશલા વિવિધ વચને હરખી ગાવે હાલરૂં, ખેંચે ફુમતીયાળી કંચનદોરી સાર. ૧૧. મારો લાડકવાયો સખા સંગે રમવા જાશે, મનોહર સુખલડી હું આપીશ એને હાથ; ભોજન વેળા રમઝમ રમઝમ કરતો આવશે; હું તો ધાઈને ભિડાવીશ હૃદયા સાથ. ૧૨. હંસ કારંડવ કોકિલ ને પોપટ પારેવડાં, માંહિ બપૈયા ને સારસ ચકોર; મેના મોર મેલ્યા છે રમકડાં રમવાં તણાં; ધમધમ ઘુઘરા બજાવે ત્રિશલા કિશોર. ૧૩. મારો વીરકુમાર નિશાળે ભણવા જાશે, સાથે સજ્જન કુટુમ્બ પરિવાર; હાથી રથ ઘોડા પાળાયે ભલું શોભતું, કરીશ નિશાળ ગરણું અતિ મનોહાર. ૧૪. મારા વીર સમાણી કન્યા સારી લાવશું, મારા કુમરને પરણાવીશ મ્હોટ ઘેર; મારો લાડકડો વરરાજા ઘોડે બેસશે, મારો વીર કરશે સદાય લીલાલ્હેર. ૧૫. માતા ત્રિશલા ગાવે વીરકુમરનું હાલરૂં, મારો નંદન જીવજો કોડાકોડી વરસ, એવો રાજરાજેશ્વર થાશે ભલો દીપતો, મારા મનના મનોરથ પૂરજે જગીશ. ૧૬. ધન્ય ધન્ય ક્ષત્રિયકુંડ ગામ મનોહરૂ, જિહાં વીર કુમરનો જન્મ ગવાય; રાજા સિદ્ધારથના કુલમાંહે દીનમણિ, ધન્ય ધન્ય ત્રિશલારાણી જેહની માય. ૧૭ એમ સૈયર ટોળી ભોળી ગાવે હાલરૂં, થાશે મનના મનોરથ તેહને ઘેર; અનુક્રમે મહાદેવ પદવી રૂપવિજય પદ પામશે, ગાયે અમિયવિજય કહે થાશે લીલાલ્હેર. મા૦ ૧૮.
(૧૨) શ્રી મહાવીરસ્વામીનું હાલરીઉં
માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલો હાલો હાલરૂવાનાં ગીત; સોના રુપા ને વળી રત્નું જડિયું પારણું, રેશમ દોરી ઘૂઘરી વાગે છુમ છુમ રીત, હાલો હાલો હાલો હાલો મારા નંદને. ૧.
૪૭૭
Page #509
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે આંતરે, હોશે ચોવીશમાં તીર્થંકર જિન પરમાણ; કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે મારે અમૃત વાણ. હાલો૦ ૨.
ચૌદે સ્વપ્ને હોવે ચક્રી કે જિનરાજ, વીત્યા બારે ચક્રી નહિ હવે ચક્રીરાજ; જિનજી પાસ પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહના વચને જાણ્યા ચોવીશમાં જિનરાજ; મારી કૂખે આવ્યા તારણ તરણ જહાજ, મારી કૂખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ; મારી કૂખે આવ્યા સંઘ તીરથની લાજ, હું તો પુણ્ય પનોતી ઇંદ્રાણી થઈ આજ. હાલો૦ ૩.
મુજને દોહલો ઉપન્યો બેસું ગજ અંબાડીયે, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય; એ સહુ લક્ષણ મુજને નંદન! તાહરા તેજનાં, તે દિન સંભારૂં ને આનંદ અંગ ન માય. હાલો૦ ૪.
કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેહથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ; નંદન! જમણી જંઘે લંછન સિંહ વિરાજતો, મેં તો પહેલે સુપને દીઠો વિસવાવીશ. હાલો૦ ૫.
નંદન ! નવલા બંધવ નંદિવર્ધનના તમે; નંદન! ભોજાઈઓના દીયર છો સુકુમાલ; હસશે ભોજાઈઓ કહી દીયર મહારા લાડકા, હસસે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ, હસશે રમશે ને વળી ઠુંસા દેશે ગાલ. હાલો૦ ૬
નંદન ! નવલા ચેડારાજાના ભાણેજ છો, નંદન! નવલા પાંચસે મામીના ભાણેજ છો, નંદન! મામલીયાના ભાણેજા સુકુમાલ; હસશે હાથે ઉચ્છાળી કહીને ન્હાના ભાણેજ, આંખો આંજી ને વળી ટપકું કરશે ગાલ. હાલો૦ ૭
નંદન! મામા મામી લાવશે ટોપી આંગલાં, રતને જડીયાં ઝાલર મોતી કસબી કોર; નીલાં પીલાં ને વળી રાતાં સરવે જાતિનાં, પહેરાવશે મામી મહારા નંદિકશોર ! હાલો૦ ૮
૪૭૮
Page #510
--------------------------------------------------------------------------
________________
શ્રી મહાવીરસ્વામીનું હાલરીઉં નંદન! મામા મામી સુખલડી સહુ લાવશે, નંદન! ગજવે ભરશે લાડુ મોતીચૂર; નંદન ! મુખડા જોઈ લેશે મામી ભામણા, નંદન! મામી કહેશે જીવો સુખ ભરપુર. હાલો૦ ૯.
નંદન! નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ!, તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હોશ અધિકો પરમાનંદ. હાલો૦ ૧૦.
| રમવા કાજે લાવશે લાખ ટકાનો ઘુઘરો, વળી સૂડા મેના પોપટ ને ગજરાજ; સારસ હંસ કોયલ તીતર ને વળી મોરજી, મામી લાવશે રમવા નંદ ! તમારે કાજ. હાલો૦ ૧૧.
છપ્પન કુમરી અમરી જલકલશે નવરાવિયા, નંદન! તમને અમને કેલી-ઘરની માંહે; ફૂલની વૃષ્ટિ કીધી યોજન એકને માંડલે, બહુ ચિરંજીવો આશિષ દીધી તુમને ત્યાંહિ. હાલો૦ ૧૨.
તમને મેસગિરિ પર સુરપતિએ નવરાવિયા; નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય, મુખડાં ઉપર વારૂ કોટિ કોટિ ચંદ્રમા, વલી તન પર વારૂ ગ્રહ - ગણનો સમુદાય. હાલો૦ ૧૩.
નંદન! નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પર અંબાડી બેસાડી મહોટે સાજ; પસલી ભરશું શ્રીફળ ફોફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીયાને કાજ. હાલો૦ ૧૪.
નંદન! નવલા મોટા થાશો ને પરણાવશું, વહૂવર સરખી જોડી લાવશું રાજકુમાર; સરખા વેવાઈ વેવાણને પધરાવશું, વર વહુ પોંખી લેશું જોઈ જોઈને દેદાર. હાલો૦ ૧૫. ( પીયર સાસરા માહરાં બહુ પખ નંદન ! ઉજળા, મહારી કૂખે આવ્યા તાત પનોતા નંદ; મહારે આંગણે ગૂઠા અમૃત દુધે મેહુલા, મહારે આંગણે ફળીયો સુરતરુ સુખના કંદ હાલો૦ ૧૬.
ઈણિ પેરે ગાયું માતા ત્રિશલા સુતનું પારણું જે કોઈ ગાશે લેશે પુત્ર તણા સામ્રાજ; બીલીમોરા નગરે વર્ણવ્યું વીરનું હાલરૂં જય જય મંગલ હોજો દીપવિજય કવિરાજ. હાલો૦ ૧૭
(૪૭૯
Page #511
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા = (૧૩) શ્રી પાર્શ્વનાથના વિવાહ માંહેલી પોંખણાની પહેલી ઢાળ EF
| (વરઘોડો) જીરે વરઘોડે વર સંચર્યા, જીરે બિહુ પાસે ચામર વિંજાય;
સુંદર વરપાસને. જીરે છત્ર ધરે સુરવર સદા, ચમરેંદ્ર તે વીંઝણો વાય સે. ૧ જીરે સોવન સાજે શોભતા, હયગય રથ પાયક ક્રોડ સું જીરે દેવ-દેવી નર નારીયો, ચાલે હરખે હોડહોડ. સું૦ ૨ જીરે દેવકુમાર સમ દીપતા, ચાલે સાંબેલા શ્રીકાર; સું જીરે નવ નવ આડંબરે કરી, જોતાં ઉપજે હર્ષ અપાર. સુંઠ ૩ જીરે કઈ બેઠા સુખપાલમાં, કઈ રાજવાહન ચકડોલ; સું જીરે હયવરે ગયવરે રથવરે, એમ કુલસુત કરતા કલ્લોલ. સું૪ જીરે સુરનર પહુ સાજન મળ્યાં, કરે વસ્ત્રભરણના ઠાઠ, સું. જીરે મુખ તંબોલે પૂરિયાં, સુણે બિરુદ બોલે જે ભાટ. ૦ ૫ જીરે અત્તરદાની ગુલાબદાની, છાંટે માંહોમાંહે ઘરી નેહ, સું) જીરે ગજરા ઘાલ્યા ફૂલના યુવા ચંદને રંગ ચર ચેહ. સુંઠ ૬ જીરે અબિલ ગુલાલ ઉડાવતા, છાંટે કેશર મૃગમદ વારિ; જીરે ધૂપઘડી બહુ મહમહે, નાચે નાટક અમરીયો સાર. સું) ૭ જીરે અષ્ટમંગલ આગળ વહે, અસિ ફલક ધ્વજ ધાર; સ્o જીરે વર્ધમાન પુરુષ વહે, હાસ્યકારક ચતુર તકાર. સુંઠ ૮ જીરે સુરગંધર્વ મળી ઘણા, વાગે સુર માદલ ડફવીણ; સું જીરે મુરજ માંડલ ધોકારથી, વળી ગાય મધુર સ્વર લીન. સું૦ ૯ જીરે ઢોલને નોબત ગડબડે, તેમાં વિચવિચ વાજે ટકોર, સુંઠ જીરે તાલને છંદના માનથી, પડે એમ નગારાની ઠોર સુંઠ ૧૦ જીરે ભુગલ ભેરી નફેરીયો, વીણા વાંસળી રસિક નિશાન; સું જીરે ચમચસતી શરણાઈયો, ફરે ચિહું દિશિ કરતી ગાન. સું૦ ૧૧
४८०
Page #512
--------------------------------------------------------------------------
________________
(
શ્રી પાર્શ્વનાથના પોખવાની પહેલી ઢાળ
F
જીરે વામા રાણીએ મોડ બાંધીયો, લઈ નામણ દીવો હાથ સુંo જીરે ઈંદ્રાણીયુત રથે ચઢ, તાસ કુલવંતી નારીયો સાથ. સું૦ ૧૨ જીરે સરલે સાદે સોહેલાં, ગાયે ઉલટ આણી અંગ; સુંo જીરે એમ જાનવડીયો પાછલે, પહેર્યાનવલા વેશ સુરંગ. ૧૩ જીરે નગરની નારીઓ બારીયે, છાજે ગોખે અટારિયે ધાય; સ્o જીરે વાજિંત્રનાદ તે સાંભળી, અતિ તનમન વ્યાકુલ થાય. સું૦ ૧૪ જીરે સ્ત્રીયોને વહાલા ઘણા, કલિ કાજલ ને સિંદૂર, સુંo જીરે વળીય વિશેષે વાલહો, કાંઈ દૂધ જમાઈ તૂર. સું૦ ૧૫ જીરે વાજાં વાગતાં સાંભળી, આવે અદ્ધતિલક કરી એક સું) જીરે એકજ આંખ આંજી કરી, જોવા ચાલે કેઈ અવિવેક, સું૦ ૧૬ જીરે ઢલતા ધૃતના ગાડુઆ, મૂકીને જોવા ધાય; સ્o. જીરે પીરસી બાલ રમાડતી, સખી બાળક લઈ પલાય. સું) ૧૭ જીરે અવળી કંચુકી પહેરતી, કેઈ અદ્ધસ્નાનથી બાળ; સુંo જીરે ચંદન પગલાં ચરચતી, કેઈ અલતો લગાવતી ભાલ. સું૦ ૧૮ જીરે ઓઢણું અવળું ઓઢતી, કટી મેખલા ઘાલતી કંઠ; સુંવ જીરે હાથે ઝાઝાર ઘાલતી, પગે કંકણ ઘાલે ઉલૂંઠ. સું૦ ૧૯ જીરે પુરવધૂ એમ ઉત્સવ જુવે, મનમાંહે આનંદ ન માય; સું જીરે મોતી સોવન ફૂલડે વધાવતી પ્રભુ ગુણ ગાય. સું૦ ૨૦ જીરે પુરજન ઠાઠ મળી જુએ, દોડીને ચોક બઝાર; સ્o જીરે પ્રભુજી આવી ઊભા રહ્યાં, ફરતા મંડપ તોરણ દ્વાર. સું૦ ૨૧ જીરે સાલે પાણી છંટામણી માગીયું, ત્યારે ભૂષણ દીયે ભૂપ સુંo જીરે ઈદ્ર કહે વેવાણને, પોંખો પ્રભુને હવે ધરી ચૂપ. સું૦ ૨૨ જીરે ઉઠોને આળસુ શું થયાં, અમઆવે ઘણી થઈવાર; મુંo જીરે આનંદરંગ વધામણા, સુણી આવે પ્રસેન જિતનાર. સું૦ ૨૩
૪૮૧
Page #513
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૧૪) શ્રી ભક્તામર સ્તોત્ર ભક્તામર - પ્રણત - મૌલિ - મણિ - પ્રભાણા, - મુદ્યોતકં દલિત - પાપ - તમો - વિતાનમ: - સમ્યક્ પ્રણમ્ય જિન - પાદ - યુગે યુગાદા, વાલમ્બન ભવ - જલે પત્તાં જનાનામ્. ૧
યઃ સંસ્તુતઃ સકલ-વાલ્મય-તત્ત્વ- બોધા - દુભૂત - બુદ્ધિ - પટુભિઃ સુર - લોક - નાથે , - સ્તોત્રેર્જગત્રિતય - ચિત્ત - હરેદારે; • સ્તોષ્ય કિલામપિ તે પ્રથમ જિનેન્દ્રમ્. ૨
બુદ્ધયા વિનાપિ વિબુધાર્ચિત પાદ - પીઠ!, સ્તોતું સમુદત - મતિ - વિંગત - ત્રપોડહમુ; - બાલ વિહાય જલ સંસ્થિતમિ, - બિમ્બ, - મન્યઃ ક ઈચ્છતિ જનઃ સહસા ગ્રહીતુમ્ ૩
વતું ગુણાનું ગુણ - સમુદ્ર ! શશાર્દુ - કાન્તાનું, કસ્તે ક્ષમઃ સુર - ગુરુ - પ્રતિમોડપિ બુદ્ધયા; કલ્પાના કાલ - પવનોદ્ધત - નક્ર ચક્ર, કો વા તરીતમલમસ્તુ - નિધિ ભુજાભ્યામ્ ૪
સોડહં તથાપિ તવ ભક્તિ - વશાળ્યુનીશ, કર્તસ્તવ વિગત - શક્તિરપિ પ્રવૃત્ત ; પ્રીત્યાત્મ - વીર્યમવિચાર્ય મૃગો મૃગેન્દ્ર, નાગ્યેતિ કિં નિજ - શિશો પરિપાલનાડર્થમ્. ૫
અલ્પ - શ્રુતં શ્રતવતાં પરિહાસ - ધામ, ત્વદ્ભક્તિરેવ મુખરી - કુરુતે બલાત્મામ્ યસ્કોકિલ કિલ મધ મધુર વિરૌતિ, તચ્ચારુ - ચૂત - કલિકા - નિકરૈકહેતુઃ ૬
વત્સસ્તવેન ભવ - સંતતિ સન્નિબદ્ધ, પાપં ક્ષણાત્સયમુપૈતિ શરીરભાજામ આક્રાંત - લોકમલિ - નીલમશેષમાશુ, સૂર્યાશુ - ભિન્નમિવ શાર્વરઅંધકારમ્. ૭
મત્વેતિ નાથ! નવ સંસ્તવને મદ, મારભ્યતે તનુ - ધિયાડપિ તવ પ્રભાવાત; ચેતો હરિષ્યતિ શતાં નલિની-દલેષ, મુક્તા - ફલ - ઘુતિમુપૈતિ નનૂદ – બિંદુ. ૮
આસ્તાં તવ સ્તવનમસ્ત - સમસ્ત - દોષ, વત્સકથાડપિ જગતાં દુરિતાનિ હન્તિ; દૂરે સહસ્ત્ર - કિરણ કુરૂતે પ્રર્ભવ, પદ્માકરેષુ જલજાનિ વિકાશ - ભાંજિ. ૯
૪૮ ૨
Page #514
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર
નાત્યદ્ભુતં ભુવન - ભૂષણ ! ભૂત નાથ !, ભૂતૈર્ગુણૈર્ભુવિ ભવન્તમભિષ્ણુવન્તઃ; તુલ્યા ભવન્તિ ભવતો નનુ તેન કિં વા ?, ભૂત્યાશ્રિતં ય ઈહ નાત્મ-સમં કરોતિ. ૧૦
દૃા ભવન્તમનિમેષ - વિલોકનીયં, નાન્યત્ર તોષમુપયાતિ જનસ્ય ચક્ષુઃ; પીત્વા પયઃ શશિ - કર - દુગ્ધ; ક્ષારં જલં જલ - નિધેર શિતું ક ઈચ્છત ? ૧૧
મૈ: શાંત રાગ - રૂચિભિઃ પરમાણુભિસ્ત્ય, નિર્માપિતસ્ત્રિ - ભુવનૈક - લલામ ભૂત !; તાવંત એવ ખલુ તેડપ્યણવઃ પૃથિવ્યાં, યન્ને સમાનમપર નહિ રૂપમસ્તિ ૧૨
નરોરગ વર્ક્સ ક્વ તે સુર નિર્જિત જગત્ત્રિતયોપમાનમ; બિમ્બં નિશાકરસ્ય ? યદ્દાસરે ભવિત પાણ્ડ
-
નેત્ર
-
-
કલક
પલાશ
હારિ, નિઃશેષ -
મિલનં ક્વ
૪૮૩
-
સંપૂર્ણ
મણ્ડલ
શશાકું
શુભ્રાગુણાસ્ત્રિભુવનં તવ લઙઘયન્તિ; યે સંશ્રિતાસ્ત્રિજગદીશ્વર નાથમેકં, કસ્તાનિવારયતિ સંચરતો યથેષ્ટમ્ ? ૧૪
-
કલ્પમ્. ૧૩.
ચિત્રં કિમત્ર યદિ તે ત્રિદશાઙનાભિ -, [તં મનાપિ મનો ન વિકારમાર્ગમ્; કલ્પાંત કાલ મરૂતા ચલિતાચલેન, કિંમંદરાદ્રિ - શિખર ચલિત કદાચિત્ ? ૧૫
તૈલ
નિર્ધમ વર્તિરપવજ્જિત પૂરઃ, મૃત્સ્ન જગત્રયમિદં પ્રકટી - કરોષિ; ગમ્યો ન જાતુ મરૂતાં ચલિતાચલાનાં, દીપોડડ-પરસ્ત્વમસિ નાથ ! જગત્પ્રકાશઃ. ૧૬
કલાકલાપ,
નારૂં કદાચિદુપયાસિ ન રાહુ ગમ્યઃ, સ્પષ્ટીકરોષિ સહસા યુગપજ્જગન્તિ; નામ્ભોધરોદર નિરૂદ્ધ-મહા - પ્રભાવઃ, સૂર્યાતિ - શાયિ - મહિમાસિ મુનીન્દ્ર ! લોકે. ૧૭.
નિત્યોદયં દલિત મોહ મહાન્ધકાર, ગમ્યું ન રાહુ વદનસ્ય ન વારિદાનામ્, વિશ્વાજતે તવ મુખાજમનલ્પ-કાન્તિ, વિઘો - તયજ્જગદપૂર્વ - શશાૐ - બિમ્બમ્. ૧૮
Page #515
--------------------------------------------------------------------------
________________
( અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા )
કિં શર્વરીષ શશિનાતિ વિવસ્વતા વા ? યુધ્ધભુપેન્દુ - દલિતેવુ તમસુ નાથ !, નિષ્પન્ન-શાલિ વન-શાલિનિ જીવ લોકે, કાર્ય કિન્જલ - ધર્જલ-ભાર નરૈઃ? ૧૯.
જ્ઞાન યથા ત્વયિ વિભાતિ કૃતાવકાશ, નૈવ તથા હરિહરાદિષ નાયકેવુ તેજ: સ્કરન્મણિપુ યાતિ યથા મહત્ત્વ, નૈવ તુ કાચ - શકશે કિરણાકુલેડપિ. ૨૦.
મન્ય વર હરિ - હરાદય એવ દષ્ટા -દષ્ટપુ વેષ હૃદય ત્વયિતોષમેતિક કિ વીક્ષિતેન ભવતા ભુવિ યેન નાડજ, કશ્ચિન્મનો હરિત નાથ! ભવાન્તરેડપિ. ૨૧.
સ્ત્રીમાં શતાનિ શતશો જનયત્તિ પુત્રા, નાન્યા સુત ત્વદુપમ જનની પ્રસૂતા; સર્વા દિશો દધતિ ભાનિ સહસ્ત્રરમિ, પ્રાચ્ચેવ દિશ્વનયતિ ખુરદંશુ - જાલમૂ. ૨૨
–ામામનન્તિ મુનઃ પરમં પુમાંસ - માદિત્ય - વર્ણમમલ તમસઃ પરસ્તા; –ામેવ સમ્યગુપલભ્ય જયન્તિ મૃત્યું, નાન્યઃ શિવઃ શિવ પદસ્ય મુનીન્દ્ર ! પન્થા. ૨૩.
–ામવ્યય વિભુમચિજ્યમસંગમાદ્ય, બ્રહ્માણમીશ્વરમન ત્તમનડકેતુમુ; યોગીશ્વર વિદિત - યોગમનેકમેકં, જ્ઞાન - સ્વરૂપ મમાં પ્રવદન્તિ સન્તઃ ૨૪.
બુદ્ધત્વમેવ વિબુધાર્ચિત - બુદ્ધિ - બોધાત, વં શોકસિ ભુવન - ત્રય - શટ્ટરતા; ધાતાસિ ઘર! શિવ - માર્ગ વિધે વિધાનાતુ, વ્યક્ત ત્વમેવ ભગવાન્ ! પુરૂષોત્તમોડસિ. ૨૫.
તુલ્ય નમસ્ત્રિ - ભુવનાર્તિ , હરાય નાથ, તુલ્ય નમઃ ક્ષિતિ તલામલ - ભૂષણાય; તુલ્યું નમસ્ત્રિ - જગતઃ પરમેશ્વરાય, તુલ્ય નમો જિન ! ભવોદધિ - શોષણાય. ૨૬.
કો વિસ્મયોડત્ર યદિ નામ ગુણરશેષે, સ્વ સંશ્રિતો નિરવ કાશતયા મુનીશ!, દોર્ષરૂપાત્ત - વિબુધાશ્રય - જાત - ગર્વે સ્વપ્નાન્તરેડપિ ન કદાચિદ પીક્ષિતોડસિ. ૨૭.
४८४
Page #516
--------------------------------------------------------------------------
________________
શ્રી ભક્તામર સ્તોત્ર
ઉચ્ચેરશોક - તરૂ - સંશ્રિતમુન્મયૂખ , માભાતિ રૂપમમાં ભવતોનિતાન્તમ; સ્પષ્ટોલસસ્કિરણમસ્ત - તમો - વિતાન, બિલ્બ રવેરિવ પયોધર પાર્થ વર્તિ. ૨૮.
સિંહાસને મણિ - મયૂખ - શિખા - વિચિત્ર, વિભ્રાજવે તવ વપુ કનકાવદાતમ્; બિમ્બ વિયદ્વિલસદંશુ - લતા - વિતાન, તુકો - દયાદ્રિ - શિરસીવ સહસ્ત્ર - રશ્મ:. ૨૯.
કુંદાવદાત - ચલ ચામર - ચારૂ શોભે, વિશ્વાજતે તવ વપુઃ કલધૌત - કાન્ત; ઉદ્યચ્છશાÉશુચિ-નિર્ઝર-વારિ-ધાર; મુચ્ચસ્ત૮ સુર-ગિરેરિવ શાત-કૌભમ્. ૩૦ - છત્ર-ત્રયં તવ વિભાતિ શશાર્દૂકાન્ત- મુચ્ચે સ્થિત સ્થગિત - ભાનુ - કર - પ્રતાપ; મુક્તા - ફલ - પ્રકર - જાલ - વિવૃદ્ધ - શોભે, પ્રખ્યાપત્રિ - જગતઃ પરમેશ્વરત્વમ્. ૩૧.
ઉન્નિદ્ર - હેમ - નવ - પફ્રંજ - પુજ - કાંતિ, - પર્યુલસન્નખ - મયૂખ શિખાભિરામ; પાદૌ પદાનિ તવ યત્ર જિનેંદ્ર! , પદ્માનિ તત્ર વિબુધાઃ પરિકલ્પયંતિ. ૩૨.
ઈચૅયથા તવ વિભૂતિભૂજ્જિનેન્દ્ર, ધર્મોપદેશ નાવિધી ન તથા પરસ્ય; યાદ; પ્રભા દિન - કૃતઃ પ્રહતાન્ય - કારા, તાદક કુતો ગ્રહ - ગણસ્ય વિકાશિનોડપિ ?. ૩૩
ચ્યોતન્મદાવિલ - વિલોલ - કપોલ - મૂલ - મત્ત ભ્રમદ્ - ભ્રમર - નાદ : વિવૃદ્ધ - કોપમ્ ઐરાવતાભભિમુદ્ધતમાપતાં, વૃદ્ધા ભય ભવતિ નો ભવદાશ્રિતાનામ્ ૩૪.
ભિભ કુમ્ભ ગલદુજ્જવલ શોણિતાક્ત, - મુક્તા - ફલ - પ્રકર - ભૂષિત - ભૂમિ - ભાગ ; બધ્ધક્રમ ક્રમ - ગત હરિણાધિપોડપિ, નાક્રમતિ ક્રમ - યુગાચલ - સંશ્રિત છે. ૩૫
કલ્પાન્ત - કાલ પવનોદ્ધાંત - વહ્નિ - કલ્પ, દાવાનલ જ્વલિત – મુજ્જવલમુકુલિમુ; વિશ્વ જિઘસુમિવ સંમુખમાપતન્ત, વન્નામ - કીર્તન - જલ સમયટશેષમ્. ૩૬
૪૮૫)
Page #517
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
રતિક્ષણં સમદ - કોકિલ - કચ્છ - નીલ, ક્રોધોદ્ધત ફણિન - મુફણમાપતન્ત; આક્રામતિ ક્રમ - યુગેન નિરસ્ત - શઠું , સ્વન્નામ - નાગદમની હદિ યસ્ય પુંસક. ૩૭
વલ્ગ - તુર - ગજ - ગર્જિત - ભીમ - નાદ માજ બલંબલવતા મપિ ભૂપતીનામુ; ઉદ્યદિવાકર - મયૂખ - શિખાપવિદ્ધ, તત્કીર્તિ - નાત્તમ ઈવાશુ ભિદામુપૈતિ. ૩૮
કુન્તાગ્ર - ભિન્ન - ગજ શોણિત વારિ - વાહ, વેગાવતાર - તરણા - તુર - યોધ - ભીમે; યુદ્ધ જયં વિજિત - દુર્જય - જય - પક્ષા, - સ્વત્પાદ - પટ્ટજ - વનાશ્રયિણો લભત્તે. ૩૯
- અલ્મો - નિધૌભિત - ભીષણ - નક્ર - ચક્ર, - પાઠીન - પીઠ - ભય દોÖણ - વાડવાગ્નૌ; રદત્તરલ - શિખર - સ્થિત - યાન - પાત્રા; ત્રાસ વિહાય ભવતઃ સ્મરણા વ્રજન્તિ. ૪૦
ઉભૂત - ભીષણ જલોદર ભાર - ભગ્ના, શોચ્યાં દશામુપગતા - ટ્યુત - જીવિતાશા, વત્પાદ પજ - રજોડમૃત - દિગ્ધ - દેહા, મર્યા ભવન્તિ મકર - ધ્વજ - તુલ્ય - રૂપા. ૪૧.
આ - પાદ - કઠપુરૂ - શુમ્બલ - વેષ્ટિતાડા, ગાઢ બૃહત્રિગડ - કોટિ - નિવૃષ્ટ ; - જલ્પા; ત્વજ્ઞાન - મગ્નમનિશ મનુજાઃ સ્મરન્તઃ સદ્યઃ સ્વયં વિગત - બન્ધ ભયા ભવન્તિ. ૪૨
મર - કિપેન્દ્ર - મૃગરાજ - દવાનલાહિ, સંગ્રામ - વારિધિ - મહોદર - બન્ધનોત્યમ્ તસ્યાશુ નાશકુપયાતિ ભયં ભિયેવ, યસ્તાવકં સ્તવમિમ મતિમાનધીતે. ૪૩
સ્તોત્ર - સ્ત્રજં તવ જિનેન્દ્ર ! ગુખૈર્નિબદ્ધ, ભઢ્યા મયા રૂચિર - વર્ણ - વિચિત્ર - પુષ્પામ, ઘરે જનો ય ઈહ કષ્ઠ - ગતા - મજ×, તે માન - તુમવશા સમુપૈતિ લક્ષ્મીઃ ૪૪.
-૧૪૮ -
૪૮૬
Page #518
--------------------------------------------------------------------------
________________
લઘુ શાન્તિ
SF (૧૫) લઘુ - શાન્તિ 5. શાન્તિ શાન્તિ નિશાન્ત, શાન્ત શાન્તાશિવં નમસ્કૃત્ય; સ્તોતુઃ શાન્તિ - નિમિત્ત, મન્ન-પદૈઃ શાન્તયે સ્તૌમિ. ૧ ઓમિતિ નિશ્ચિત વચસે નમો નમો ભગવતેડહેતે પૂજામ; શાન્તિ - જિનાય જયવતે, યશસ્વિને સ્વામિને દમિના.... ૨ સકલાડતિશેષક-મહા -- સંપત્તિ - સમન્વિતાય શસ્યાય; ત્રિલોક્ય - પૂજિતાય ચ, નમો નમઃ શાન્તિ - દેવાય ૩ સર્વા - ડમર સુસમૂહ - સ્વામિક સંપૂજિતાય ન જિતાય; ભુવન - જન - પાલનોદ્યત - તમાય સતત નમસ્તસ્મૃ. ૪ સર્વ - દુરિતૌધ - નાશન - કરાય સર્વા - ડશિવ - પ્રશમનાય; દુષ્ટ ગ્રહ - ભૂત - પિશાચ - શાકિનીનાં પ્રમથનાય. પ યસ્યતિ નામ - મગ્ન - પ્રધાન - વાક્યોપયોગ - કૃત - તોષા, વિજયા કુરુતે જન - હિત – મિતિ ચ નુતા નમત તં શાન્તિ.... ૬ ભવતુ નમસ્તે ભગવતિ, વિજયે! સુજય! પરાપરજિતે ! અ-પરાજિત ! જગત્યાં, જયતીતિ જયા - વહે ! ભવતિ ! ૭ સર્વસ્યાપિ ચ સંઘસ્ય, ભદ્રકલ્યાણ - મંગલપ્રદદે ! સાધૂનાં ચ સદા શિવ - સુ - તુષ્ટિ - પુષ્ટિ - પ્રદે જીયા . ૮ ભવ્યાનાં કૃત - સિદ્ધ! નિવૃત્તિ - નિર્વાણ - જનનિ! સત્તાનામ; અભય પ્રદાન - નિરતે ! નમોડસ્તુ સ્વસ્તિ - પ્રદે ! તુલ્યમ્. ૯ ભક્તાનાં જજૂનાં, શુભા - વહે! નિત્યમુદ્યતે! દેવિ !; સમ્યમ્ વૃષ્ટિનાં ધૃતિ - રતિ - મતિ - બુદ્ધિ - પ્રદાનાય. ૧૦ જિન - શાસનનિરતાનાં, શાન્તિનતાનાં ચ જગતિ જનતાના શ્રી - સંપત્કીર્તિ - યશો - વર્ધ્વનિ ! જયદેવિ ! વિજયસ્વ. ૧૧ સલિલા-ડનલ - વિષવિષધર, દુષ્ટ ગ્રહ રાજ રોગ-રણ -ભયતઃ; રાક્ષસ - રિપુ - ગણ - મારિ, ચૌરેતિ વ્યાપદાડડદિલ્મઃ ૧૨
૪૮૭
Page #519
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અથ રક્ષ રક્ષ સુ-શિવં, કુરુ કુરુ શાન્તિ ચ કુરુ કુરુ સમ્રુતિ; તુષ્ટિ કુરુ કુરુ પુષ્ટિ, કુરુ કુરુ સ્વસ્તિ ચ કુરુ કુરુ ત્વ. ૧૩ ભગવતિ ! ગુણવંતિ ! શિવ - શાન્તિ, - તુષ્ટિ - પુષ્ટિ - સ્વસ્તીહ કુરુ કુરુ જનાનામ્; ઓમિતિ નમો નમો હ્રૌં હ્રીં હૂઁ હુઁ યઃ ક્ષઃ હ્રીઁ ફુટ્ ફુટ્ સ્વાહા ૧૪ એવં યજ્ઞામા દક્ષર પુરસમાં સંસ્ક્રુતા જયાદેવી; કુરુતે શાન્તિ નમતાં, નમો નમઃ શાન્તયે તસ્મૈ.
ઈતિ પૂર્વ - સૂરિ - દર્શિત - મન્ત્ર પદ - વિદર્ભિતઃ સ્તવઃ શાન્તેઃ, સલિલાડઽદિ - ભય વિનાશી શાન્ત્યાદિ- કરથ ભક્તિમતામ્ ૧૬ યશૈનં પઠતિ સદા, શૃણોતિ ભાવયતિ વા યથા યોગમ્; સહિ શાન્તિ-પદં યાયાત્, સૂરિ
શ્રી-માન-દેવશ્વ. ૧૭
ઉપસર્ગા: ક્ષયં યાન્તિ, છિદ્યન્તે વિઘ્ન મનઃ પ્રસન્નતામેતિ; પૂજ્યમાને
સર્વ
પ્રધાનં
મઙ્ગલ-માલ્યું, સર્વ
કલ્યાણ
સર્વ - ધર્માણાં, જૈન જયતિ
-
·
૪૮૮
-
વયઃ; જિનેશ્વરે. ૧૮
૧૫
-
૬ (૧૬) શ્રી બૃહચ્છાંતિ સ્તોત્રમ્ ( મોટી શાંતિ )
ભો ભો ભવ્યાઃ શૃણત વચનં પ્રસ્તુતં સર્વમેત ્, યે યાત્રાયાં ત્રિભુવનગુરોરાતા ભક્તિભાજઃ; તેષાં શાંતિર્ભવતુ ભવતા મહેદાદિપ્રભાવા દારોગ્યશ્રીધૃતિમતિકરી ક્લેશવ્રિધ્વંસહેતુઃ.
કારણ; શાસનમ્. ૧૯
ભો ભો ભવ્યલોકા ! ઈહ હિ ભરતૈરાવતવિદેહસંભવાનાં સમસ્તતીર્થંકૃતાં જન્મન્યાસન પ્રકંપાનું તરમવધિના વિજ્ઞાય, સૌધર્માધિપતિઃ સુઘોષાÜટાચાલનાનંતર સકલસુરાસુરેન્દ્રઃ સહ સમાગત્ય, સવિનયમહદ્ભટ્ટારક ગૃહીત્વા ગત્વા કનકાદ્રિશંગે, વિહિતજન્માભિષેક. શાંતિમુદ્દોષયિત યથા, તતોઽહં કૃતાનુકારમિતિ
Page #520
--------------------------------------------------------------------------
________________
બૃહચ્છાંતિ સ્તોત્રમ્ (મોટી શાન્તિ) કૃત્વા, મહાજનો યેન ગતઃ સ પંથાઃ ઈતિ ભવ્યજનૈઃ સહ સમેત્ય, સ્નાત્રપીઠે સ્નાત્રે વિધાય, શાંતિપુર્ઘોષયામિ તપૂજાયાત્રા સ્નાત્રાદિમહોત્સવ અંતર મિતિ કૃત્વા કર્ણ દવા નિશમ્યતાં નિશમ્યતાં સ્વાહા.
5 પુણ્યાતું પુણ્યાતું પ્રીયંતાં પ્રીયંતાં ભગવંતોડહંતઃ સર્વજ્ઞાઃ સર્વદર્શિનસ્ત્રિલોકનાથા સ્ત્રિલોકમહિતાસ્ત્રિલોકપૂજ્યાસ્ત્રિલોકેશ્વરાસ્ત્રિલોકોદ્યોતકરાઃ.
35 ઋષભ-અજિત-સંભવ-અભિનંદન-સુમતિ-પદ્મપ્રભ-સુપાર્શ્વચંદ્રપ્રભ-સુવિધિ-શીતલ-શ્રેયાંસ-વાસુપૂજ્ય-વિમલ-અનંતધર્મ-શાંતિ-કુંથુંઅર મલ્લિ મુનિસુવ્રત-નમિ-નેમિ-પાર્શ્વ-વર્ધમાનાન્તા જિનાઃ શાંતાઃ શાંતિકરા ભવંતુ સ્વાહા.
ૐ મુનયો મુનિપ્રવરા રિયુવિજયદુર્ભિક્ષકાંતાપુ દુર્ગ માર્ગેષ રક્ષતુ વો નિત્ય સ્વાહા.
ૐ હી શ્રી ધૃતિ મતિ કીર્તિ – કાંતિ – બુદ્ધિ – લક્ષ્મી – મેઘા – વિદ્યાસાધન – પ્રવેશનિવેશનેષુ સુગૃહીતનામાનો જયંતુ તે જિનંદ્રા.
ૐ રોહિણી પ્રજ્ઞપ્તિ - વજશૃંખલા વજાંકુશી – અપ્રતિચક્રા - પુરૂષદત્તા - કાલી મહાકાલી ગૌરી - અંધારી સર્જાસ્ત્રા મહાજ્વાલા - માનવી - વૈરોચ્યા અચ્છુપ્તા - માનસી - મહામાનસી ષોડશ - વિદ્યા - દેવ્યો રક્ષતુ વો નિત્ય સ્વાહા.
35 આચાર્યોપાધ્યાયપ્રભૂતિચાતુર્વર્ણસ્ય શ્રી શ્રમણ સંઘસ્ય શાંતિર્ભવતુ તુષ્ટિર્ભવતુ પુષ્ટિર્ભવતુ.
ૐ ગ્રહાશ્ચંદ્રસૂર્યાગારકબુધબૃહસ્પતિ શુક્રશનૈશ્ચરરાહુકેતુ - સહિતાઃ સલોકપાલાઃ સોમ - યમ - વરુણ કુબેર વાસવાદિયસ્કંદ વિનાયકોપેતા યે ચાચેડપિ ગ્રામનગરક્ષેત્રદેવતાદયસ્ત સર્વે પ્રીયંતાં પ્રીયંતાં અક્ષણકોશકોષ્ઠાગારા નરપતયશ્ચ ભવંતુ સ્વાહા.
5 પુત્ર - મિત્ર - ભ્રાતૃ - કલત્ર - સુહતુ - સ્વજનસંબન્ધિ - બંધુ - વર્ગસહિતા નિત્યં ચામોદપ્રમોદકારિણઃ અસ્મિ
oce
Page #521
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ભૂમંડલા - યનિસિ સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાણાં
રોગોપસર્ગવ્યાધિ દુઃખ શાંતિર્ભવતુ.
દુર્ભિક્ષ દૌર્મનસ્યોપશમનાય
-
-
ૐ તુષ્ટિપુષ્ટિઋદ્ધિવૃદ્ધિમાંગલ્યોત્સવાઃ, સદા પ્રાદુર્ભૂતાનિ પાપાનિ, શાëતુ દુરિતાનિ, શત્રુવઃ પરાર્મુખા ભવંતુ સ્વાહા. શ્રીમતે શાંતિનાથાય નમઃ શાંતિવિધાયિને; ત્રૈલોક્યસ્યામરાધીશ મુકુટાભ્યર્ચિતાંઘયે. ૧
શાંતિ: શાંતિકરઃ શ્રીમાન્, શાંતિ દિશતુ મે ગુરુ:; શાંતિરેવ સદા તેષાં, યેષાં શાંતિગૃહે ગૃહે. ૨
ઉત્કૃષ્ટરિષ્ટદુષ્ટ - ગ્રહગતિ - દુઃસ્વપ્નદુર્નિમિત્તાદિ; સંપાદિત હિત સંપન્નામગ્રહણ જયતિ શાંતેઃ, ૩
શ્રીસંઘજગજ્જનપદ, ગોષ્ઠિકપુરમુખ્યાણાં, વ્યાહરણૈાહરેચ્છાંતિમ્, ૪
શ્રીશ્રમણસંઘસ્ય શાંતિર્ભવતુ, શ્રીજનપદાનાં શાંતિર્ભવતુ, શ્રીરાજાધિપાનાં શાંતિર્ભવતુ,
શ્રીરાજસન્નિવેશાનાં શાંતિર્ભવતુ, શ્રીગોષ્ઠિકાનાં શાંતિર્ભવતુ, શ્રીપૌરમુખ્યાણાં શાંતિર્ભવતુ. શ્રીપૌરજનસ્ય શાંતિર્ભવતુ શ્રીબ્રહ્મલોકસ્ય શાંતિભર્યંતુ,
રાજાધિપરાજસન્નિવેશાનામ્;
ૐ સ્વાહા ૐ સ્વાહા ૐ શ્રી પાર્શ્વનાથાય સ્વાહા.
એષા શાંતિઃ પ્રતિષ્ઠા - યાત્રા - સ્નાત્રાઘવસાનેપુ, શાંતિ - કલશેં ગૃહીત્યા, કુંકુમચંદનકર્પૂરાગરુધૂપવાસકુસુમાંજલિસમેતઃ સ્નાત્રચતુષ્ટિકાયાં શ્રી સંઘસમેતઃ શુચિશુચિષપુ, પુષ્પવસ્ત્ર - ચંદના - ભરણાલંકૃતઃ પુષ્પમાલાં કંઠે કૃત્વા શાંતિમુદ્દોષયિત્વા શાંતિપાનીયું મસ્તકે દાતવ્યમિતિ.
૪૯૦
નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષે, સુજૈતિ ગાયંતિ ચ મંગલાનિ; સ્તોત્રાણિ ગોત્રાણિ પઠંતિ મંત્રાન્, કલ્યાણભાજો હિ જિનાભિષેકે. ૧
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી ગૌતમસ્વામીજીનું સંસ્કૃત સ્તોત્ર
શિવમસ્તુ સર્વજગત, પરહિતનિરતા ભવંતુ ભૂતગણા; દોષાઃ પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખીભવંતુ લોકા. ૨
અહં તિત્થરમાયા, સિવાદેવી તુણ્ડ નયરનિવાસિની; અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમ સિવં ભવતુ સ્વાહા. ૩
ઉપસર્ગો ક્ષય યાંતિ, છિદ્યત્તે વિદનવલય: મનઃ પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે. ૪
સર્વ - મંગલમાંગલ્ય, સર્વ - કલ્યાણકારણમુ; પ્રધાન સર્વ - ધર્માણાં, જૈન જયતિ શાસનમ્. ૫ પક (૧૭) શ્રી ગૌતમસ્વામીજીનું સંસ્કૃત સ્તોત્ર 5 શ્રી ઇદ્રભૂતિ વસુભૂતિપુત્ર, પૃથ્વીભવં ગૌતમગોત્રરત્નમુ; સુવંતિ દેવાસુરમાનરેંદ્રા , સ ગૌતમો કચ્છતુ વાંછિત મે. ૧ શ્રી વદ્ધમાનાત્ ત્રિપદીમવાપ્ય, મુહૂર્તમાત્રણ કૃતાનિ યેન; અંગાનિ પૂર્વાણિ ચતુર્દશાપિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૨ શ્રી વીરનાથેન પુરા પ્રણીત, મંત્ર મહાનંદસુખાય યસ્ય; ધ્યાયંત્યમી સૂરિવરાઃ સમગ્રા , સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૩ યસ્યાભિધાનમુનયોડપિ સર્વે, ગૃહન્તિભિક્ષાભ્રમણય કાલે; મિષ્ટાન્નપાનાંબરપૂર્ણકામાઃ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૪ અષ્ટાપદાદ્રી ગગને સ્વશલ્યા, યયો જિનાનાં પદવંદનાય; નિશમ્યતીર્થાતિશય સુરેભ્યઃ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૫ ત્રિપંચસંખ્યાશતતાપસાનાં, તપ કુશાનામપુનર્ભવાય; અક્ષીણલઝ્મા પરમાન્નદાતા, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૬ સદક્ષિણ ભોજનમેવ દેય, સાધર્મિક સંઘસપર્યયેતિ; કૈવલ્યવત્રં પદદ મુનિનાં, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૭ શિવં ગતે ભર્તરિ વીરનાથે, યુગપ્રધાનત્વમિવ મતા; પટ્ટાભિષેકો વિદધે સુરેદ્રઃ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૮
૪૯૧
Page #523
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ત્રૈલોક્યબીજું પરમેષ્ઠિબીજું, સજ્ઞાનબીજું જિનરાજબીજું; યન્નામ ચોક્ત વિદધાતિ સિદ્ધિ, સ ગૌતમો યચ્છતુ વાંછિત મે. ૯ શ્રીગૌતમસ્યાષ્ટકમાદરેણ, પ્રબોધકાલે મુનિપુંગવા યા; પઠંતિ તે સૂરિપદું સદૈવા નંદ લભંતે સુતરાં ક્રમેણ. ૧૦
૬ (૧૮) શ્રી શત્રુંજય લઘુકલ્પ
અઈમુત્તય કેવલિણા કહિઅં સેત્તુંજ્રતિસ્થમાહü; નારયરિસિસ્ટ પુરઓ, તેં નિપુણહ ભાવઓ ભવિઆ. ૧
સેત્તુંજે પુંડરીઓ, સિદ્ધો મુણિકોડિપંચસંજીત્તો, ચિત્તસ્સ પુર્ણિમાએ, સો ભણઈ તેણ પુંડરીઓ. ૨
નમિ વિનમિ રાયાણો, સિદ્ધા કોડીહિં દોહિં સાહૂણં, તહ દવિડ વાલિખિલ્લા; નિવુઆ દસ ય કોડીઓ. ૩
પજ્જુન્નસંબપમુહા, અચ્છુટ્ટાઓ કુમારકોડીઓ, તહપંડવા વિ પંચ ય, સિદ્ધિં ગયા નારયરિસી ય. ૪
થાવચ્ચાસુય સેલગા ય, મુણિણો વિ તહ ય રામમુણિ, ભરહો દસરહપુત્તો, સિદ્ધા વૃંદામિ સેત્તુંજે. ૫
અને વિ ખવિયમોહા, ઉસભાઈ વિસાલવંસસંભૂઆ, જે સિદ્ધા સેત્તુંજે, તં નમહ મુણી અસંખિજ્જા. ૬
પન્નાસ જોયણાઇ, આસી સેત્તુંજવિત્થરો મૂલે, દસ જોયણ સિહરતલે, ઉચ્ચત્તણે જોયણા અટ્ટ. ૭
જં લહઈ અન્નતિસ્થે, ઉગ્ગુણ તવેણ બંભચેરેણ, તં લહઈ પયત્તેણં, સેત્તુંજગિરિમ્મિ નિવસંતો. ૮
જં કોડીએ પુછ્યું, કામિયઆહાર ભોઈયા જે ઉ; તં લહઈ તત્થ પુછ્યું; એગોવવાસેણ સેત્તુંજે. ૯
જં કિંચિ નામતિર્થં, સગે પાયાલિ માણસે લોએ; તં સવ્વમેવ દિદ્યું, પુંડરીએ વંદિએ સંતે. ૧૦
પડિલાભંતે સંઘ, દિમદિત્ઝે ય સાહુ સેત્તુંજે કોડિગુણં ચ; અદિત્ઝે દિત્ઝે અ અણંતયં હોઈ. ૧૧
૪૯૨
Page #524
--------------------------------------------------------------------------
________________
શ્રી શત્રુંજય લઘુકલ્પ
કેવલનાણુપ્પત્તી, નિવ્વાણું આસિ જલ્થ સાહૂણં; પુંડરીએ વંદિત્તા, સર્વે તે વંદિયા તત્થ. ૧૨
અટ્ટાવય સમ્મએ, પાવા ચંપાઈ ઉજ્જિતનને ય, વંદિત્તા પુણફલ, સયગુણ તંપિ પુંડરીએ. ૧૩
પૂઆકરણે પુર્ણ, એગગુણે સયગુણં ચ પડિમાએ; જિણભવણેણ સહસ્સે, ખંતગુણે પાલણે હોઈ. ૧૪.
પડિમંચેઈહરંવા, સિત્તેજગિરિસ્સ મFએ કુણઈ; ભુતુંણ ભરહવાસ, વસઈ સગે નિરુવસગ્ગ. ૧૫
નવકાર પોરિસીએ, પુરિમગાસણં ચ આયામ, પુંડરીયં ચ સરતો, ફલકંખી કુણઈ અભત્તä. ૧૬
છટ્ટ-અટ્ટમ - દસમ - દુવાલસાણ, માસદ્ધમાલખમણાણું, તિગરણસુદ્ધો લહઈ, સેત્તેજે સંભનંતો અ, ૧૭
છરેણં ભત્તેણં, અપ્પાણેણં તુ સત્ત જત્તાઈ, જો કુણઈ સેતુજે તઈયભવે લહઈ સો મુખ. ૧૮
અજ્જ વિ દીસઈ લોએ, ભત્ત ચઈઊણ પુંડરીયનને સગે સુહેણ વચ્ચઈ, સીલવિહૂણો વિ હોઊણ. ૧૯
છત્ત ઝયં પડાગે, ચામર - ભિંગાર - થાલ - દાણેણં, વિજ્જાફરો અ હવઈ, તહ ચક્કી હોઈ રાહદાણા. ૨૦
દસ વીસ તીસ ચત્તા લખ પન્નાસ પુફદામદાણેસ, લહઈ - ચઉલ્થ - છટ્ટ - અટ્ટમ - દસમ - દુવાલસ - ફલાઈ, ૨૧
ધૂવે પખુરવાસો, માસણખમણ કપૂર-ધુવમ્મિ, કિત્તિય મા ખમણ સાહુ, પડિલાભિએ લહઈ. ૨૨
નવિત સુવણભૂમિ ભૂસણદાણેણ અન્નતિત્યેસુ પાવાઈ પુણ્યફલ, પૂઆ હવણેણ સિત્તેજે. ૨૩
કંતાર - ચોર - સાવય - સમુદારિદ્ રોગરિઉ - રુદ્દા; મુઐતિ અવિષ્ણેણં, જે સેતુંજં ધરન્તિ મણે. ૨૪
સારાવલીપયન્નગ ગાતાઓ સુહરણ ભણિઓ, જો પઢઈ ગુણઈ નિસુણઈ, સો લહઈ સિત્તેજ્જાફલ. ૨૫
४८
Page #525
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ક (૧૯) મોક્ષ પ્રાપ્તિ માટેનું સ્તોત્ર 5.
| નમો જિનાય નાગેન્દ્ર દેવેન્દ્ર નમસ્કૃતાય રાગાદિ શત્રુક્ષય કારકાય; કર્માષ્ટ વિધ્વંસન તત્પરાય તસ્મ નકારાય નમો જિનાય. ૧
માનક્ષયેષુમ્રપરાક્રમાય સંસારસિંધો જન તારકાય; દેવાધિદેવાય ભવાંતકાય તસ્મ મ કારાય નમો જિનાય. ?
જૈનંત્રિલોકે પરીવર્તકાય - અષ્ટ પ્રાતિહાર્ય વિભૂષિતાય શ્રી વિતરાગાય ગુણાતિગાય તસ્મ જકારાય નમો જિનાય. ૩
નાથાધિનાથાય મહાબલાય, ઈન્દ્રાદિપૂયાય મહેશ્વરાય, નાકાધિપૈઃ સેવિતપત્યજાય, તસ્મ ન કરાય નમો જિનાય. ૪
યોગીન્દ્રવંદ્યાય સુખ પ્રદાય, સર્વજ્ઞદેવાય યશોધનાય; રૈલોકયનાથાય શુભંકરાય, તસ્મ ય કરાય નમો જિનાય. ૫
પંચાક્ષરમિદં સ્તોત્ર યઃ પઠેદ્ જિનસંનિધી સઃ શીઘમોક્ષ માપ્નોતિ ચિદાનંદેન મોદ0. દ
માંગલિક શ્લોક ઔદ્રી શ્રિયં નાભિસુતઃ સ દઘા દદ્યાપિ ઘર્મસ્થિતિકલ્પવલિઃ; વેનોતપૂર્વાત્રિજગજનાનાં, નાનાંતરાનંદલાનિ સૂતે. ૧
સદોદયો હદ્ગહનસ્થિતાના મપિ વ્યય યસ્તમસા વિધજો; જયત્યપૂર્વી મૃગલાંછનોડસૌ શ્રી શાંતિનાથ શુચિપક્ષયુગ્મા. ૨
ચાણૂરજિદર્પમહાસમુદ્ર - વ્યાલોડા - સ્વગિરિબાહુવીર્યરાજીમતીનેત્રકોરચંદ્રઃ શ્રી નેમિનાથઃ શિવતાતિરસ્તુ. ૩
સપ્તવિશ્વાધિપતિત્વસૂચા - કૂચાનભોગીન્દ્રફણાપત્ર - વિભાતિ દેવેન્દ્રકૃતાંધિ સેવ; શ્રી પાર્શ્વનાથઃ સ શિવાય ભૂયાત્. ૪
આસ્વાદ્ય યદ્વાક્યરસ બધાનાં, પીયૂષ પાનેડપિ ભવે-વૃર્ણવ; નમામિ તં વિશ્વજનીનવાર્ચ - વાચંયમેંદ્ર જિનવર્ધ - માનમ્. ૫
૪૯૪
Page #526
--------------------------------------------------------------------------
________________
મંગલાષ્ટકમ્
મંગલાષ્ટકમ્ નાભેયાધાઃ જિનાઃ સર્વે-ભરતાદ્યાશ્ચ ચક્રિણઃ કુર્વન્ત મંગલ સિરિ - વિષ્ણવઃ પ્રતિવિષ્ણવ.. ૧
નાભિસિદ્ધાર્થભૂપાદ્યાઃ જિનાનાં પિતરઃ સમે; પાલિતાખંડસામ્રાજ્યાઃ જયન્ત જયં મમ. ૨
મરૂદેવાત્રિશલાદ્યા વિખ્યાતા જિનમાતર; ત્રિજગજ્જનિતા નંદ મંગલાય ભવન્તુ મે. ૩
શ્રી પુંડરીકેન્દ્રભૂતિ પ્રમુખા; ગણધારિણઃ શ્રુતકેવલિનોડબ્લેષિ મંગલાનિ દિશનુ મે. ૪
બ્રાહ્મી ચંદનબાલાદ્યાઃ મહાસત્યો મહાત્તરાઃ અખંડશીલલીલાલ્યા - યચ્છજુ મમ મંગલમ્. ૫
ચક્રેશ્વરીસિદ્ધાયિકાઃ મુખ્યાઃ શાસનદેવતાસમ્યગુઠ્ઠશાં વિદ્ગહરા રચયતુ જયશ્રિયમ્. ૬
કપર્દીમાતંગમુખ્યા - યક્ષા વિખ્યાતવિક્રમા; જૈનવિદનહરા; નિત્ય-દેયાસુમંગલાનિ મે. ૭
યો મંગલાષ્ટકમિદં પસુધીરધીતે પ્રાતઃ નરઃ સુકૃતભાવિતચિત્તવૃત્તિ, સૌભાગ્યભાગ્યકલિતો ધૃતસર્વવિદનો, નિત્ય સ મંગલ મલ લભતે નિતાન્તમ્. ૮
શિયલનો મહિમા લબ્ધિવંત ગૌતમગણધાર, બુદ્ધિએ અધીકા અભયકુમાર, પ્રહ ઉઠીને કરૂં પ્રણામ, શિયલવંતના લીજે નામ. ૧
પહેલા નેમિ જિનેશ્વરરાય, બાલબ્રહ્મચારી લાગું પાય, બીજા જંબૂકુમારમહાભાગ, રમણી આઠનો કીધો ત્યાગ. ૨
ત્રીજા સ્થૂલભદ્ર સાધુ સુજાણ, કોશ્યા પ્રતિબોધી ગુણખાણ, ચોથા સુદર્શન શેઠ ગુણવંત, શિયલથી કીધો ભવનો અંત. ૩
પાંચમા વિજયશેઠ નરનાર શિયલ પાળી ઉતર્યા ભવપાર; એ પાંચને વિનતિ કરે, ભવ સાયરના હેલા તરે. ૪
૪૯૫)
Page #527
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
(૨૦) શ્રી શત્રુંજય મહાતીર્થના દુહા
એકેકું ડગલું ભરે, શત્રુંજા સમો જેહ; ઋષભ કહે ભવ ક્રોડનાં, કર્મ ખપાવે તેહ. ૧ શેત્રુંજા સમો તીરથ નહીં, રિખવ સમા નહીં દેવ; ગૌતમ સરખા ગુરુ નહીં, વળી વળી વંદું તેહ. ૨ સિદ્ધાચલ સમરૂં સદા, સોરઠ દેશ મોઝાર; મનુષ્ય જન્મ પામી કરી, વંદું વારંવાર. સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર; શેત્રુંજીનદીએ નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. ૪ શેત્રુંજી નદીએ નાહીને, મુખ બાંધી મુખકોશ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ. ૫ જગમાં તીરથ દો. વડા, શત્રુંજય ગિરનાર; એક ગઢ ઋષભ સમોસર્યા, એક ગઢ નૈમિકુમાર. ૬ સિદ્ધાચલ સિદ્ધિ વર્યા, ગૃહી મુનિ લિંગ અનંત; આગે અનંતા સિદ્ધશે, પૂજો ભવી ભગવંત. ૭ શત્રુંજયગિરિ મંડણો, મરૂદેવાનો નંદ; જુગલા ધર્મનિવારકો, નમો યુગાદિ જિણંદ. ૮ તન મન ધન સુત વલ્લભા, સ્વાર્ગાદિ સુખ ભોગ; વલી વળી એ ગિરિ વંદતા, શિવરમણી સંયોગ. ૯
૬ (૨૧) સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ ( દુહા ૧૦૮ )
શ્રી આદીશ્વર અજર અમર, અવ્યાબાધ અહોનીશ; પરમાતમ પરમેસરૂ, પ્રણમુ પરમ મુનીશ. ૧ જય જય જગપતિ જ્ઞાન ભાણ, ભાસિત લોકાલોક; શુદ્ધ સ્વરૂપ સમાધિમય, નમિત સુરાસુર થોક. ૨ શ્રી સિદ્ધાચલમંડણો, નાભિ નરેસર નંદ; મિથ્યામતિ મત ભંજણો, ભવિ-કુમુદાકર ચંદ. ૩
૪૯૬
Page #528
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ
પૂર્વનવ્વાણું જસ શિરે, સમવસર્યા જગનાથ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ભક્ત જોડી હાથ. ૪ અનંત જીવ ઈણ ગિરિવરે, પામ્યા ભવનો પાર; તે સિદ્ધાચલ પ્રણમિયે, લહિયે મંગલમાળ. ૫ જસ શિર મુકુટ મનોહરૂ, મરૂદેવીનો નંદ; તે સિદ્ધાચલ પ્રણમિયે, ઋદ્ધિ સદા સુખવંદ. ૬ મહિમા જેહનો દાખવા, સુરગુરૂ પણ મતિમંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રગટે સહજાનંદ. સત્તા ધર્મ સમારવા, કારણ જેહ પડૂર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નાસે અધ સવિ દૂર. ૮ કર્મકાઠ સવિ ટાળવા, જેહનું ધ્યાન હુતાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામીજે સુખવાસ. પરમાનંદ દશા લહે જસ ધ્યાને મુનિરાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતિક દૂર પલાય. ૧૦ શ્રદ્ધા ભાસન રમણતા, રત્નત્રયીનો હેતુ તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવ-મકરાકર-સેતુ. ૧૧ મહાપાપી પણ નિસ્તર્યા, જેહને ધ્યાન સુહાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુર નર જસ ગુણ ગાય. ૧૨ પુંડરીક ગણધર પ્રમુખ, સિધ્યા સાધુ અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, આણી દય વિવેક. ૧૩ ચંદ્રશેખર સ્વસાપતિ. જેહને સંગે સિદ્ધ, તે તીર્થેશ્વર પ્રણમિયે, પામિજે નિજ શ્રદ્ધ. ૧૪ જલચર ખેચર તિરિય સવે, પામ્યા આતમ ભાવ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભવજલ તારણ નાવ. ૧૫ સંઘ યાત્રા જેણે કરી, કીધા જેણે ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, છેદીજે ગતિ ચાર. ૧૬
દ્ધ,
४८७
Page #529
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પુષ્ટિ શુદ્ધ સંવેગ રસ, જેહને ધ્યાને થાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, મિથ્થામતિ સવિ જાય. ૧૭ સુરતરુ સુરમણિ સુરગવી, સુરઘટ સમ જસ ધ્યાવ; તે તીર્થેશ્વર પ્રણમિય, પ્રગટે શુદ્ધ સ્વભાવ. ૧૮ સુરલોકે સુરસુંદરી, મળી મળી થોકે થોક; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગાવે જેહના શ્લોક. ૧૯ યોગીસર જસ દર્શને, ધ્યાન સમાધિ લીન; તે તીર્થેશ્વર પ્રણમિયે, હુઆ અનુભવ રસ લીન. ૨૦ માનું ગગને સૂર્ય શશી, દીયે પ્રદક્ષિણા નિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખણ ચિત્ત. ૨૧ સુર અસુર નર કિનરા, રહે છે જેમની પાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામે લીલ વિલાસ ૨૨ મંગલકારી જેહની, મૃત્તિકા હારી ભેટ; તે તીર્થેશ્વર પ્રણમિય, કુમતિ કદાગ્રહ મેટ. ૨૩ કુમતિ-કૌશિક જેહને, દેખી ઝાંખા થાય, તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તસ મહિમા ગાય. ૨૪ સૂરજકુંડના નીરથી, આધિ વ્યાધિ પલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિમા ન કહાય. ૨૫ સુંદર ટુંક સોહામણી, મેરૂ સમ પ્રાસાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દૂર ટલે વિખવાદ. ૨૬ દ્રવ્ય ભાવ વૈરી ઘણાં, જિહાં આવ્યું હોય શાંત; તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે ભવની ભ્રાંત. ૨૭ જગ હિતકારી જિનવરા, આવ્યા એણે કામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જસ મહિ મા ઉમિ. ૨૮ નદી શેત્રુંજી સ્નાનથી, મિથ્થા મળ ધોવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ જનને સુખદાય. ૨૯
-
४८८
Page #530
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ
આઠ કર્મ જે સિદ્ધગિરે, ન દીયે તીવ્ર વિપાક; તે તીર્થેશ્વર પ્રણમિયે, જિહાં નહિ આવે કાક. ૩૦ સિદ્ધશિલા તપનીયમય, રત્ન સ્ફટિક ખાણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા કેવલનાણ. ૩૧ સોવન રૂપા રત્નની ઔષધિ જાત અનેક; તે તીર્થેશ્વર પ્રણમિયે, ન રહે પાતક એક. ૩૨ સંયમધારી સંયમે, પાવન હોય જિણ ક્ષેત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, દેવા નિર્મળ નેત્ર. ૩૩ શ્રાવક જિહાં શુભ દ્રવ્યથી, ઉત્સવ પૂજા સ્નાત્ર તે તીથેશ્વર પ્રણમિયે, પોષે પાત્ર સુપાત્ર. ૩૪ સાહમિવચ્છલ પુણ્ય જિહાં, અનંતગણું કહેવાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, સોવન ફૂલ વધાય. ૩૫ સુંદર જાત્રા જેહની, દેખી હરખે ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ત્રિભુવન માંહે વિદિત. ૩૬ પાલીતાણું પુર ભલું, સરોવર સુંદર પાલ; તે તીર્થેશ્વર પ્રણમિય, જાયે સકલ જંજાલ. ૩૭ મનમોહન પાર્ગે ચઢે, પગ પગ કર્મ ખપાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગુણ ગુણી ભાવ લખાય. ૩૮ જેણે ગિરિ રૂખ સોહામણા, કુંડે નિર્મળ નીર; તે તીર્થેશ્વર પ્રણમિય, ઉતારે ભવ-તીર. ૩૯ મુક્તિમંદિર સોપાન સમ, સુંદર ગિરિવર પાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, લહિયે શિવપુર રાજ. ૪૦ કર્મ કોટિ અધ વિકટ ભટ, દેખી ધ્રુજે અંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દિન દિન ચઢતે રંગ. ૪૧ ગોરી ગિરિવર ઉપરે, ગાવે જિનવર ગીત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સુખે શાસન રીત. ૪૨
૪૯૯
Page #531
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
કવડ જક્ષ રખવાલ જસ, અહોનિસ રહે હજૂર; તે તીર્થેશ્વર પ્રણમિયે, અસુરા રાખે દૂર. ૪૩ ચિત્ત ચાતુરી ચક્કસરી, વિદન નિવારણ હાર; તે તીર્થેશ્વર પ્રણમિય, સંઘ તણી કરે સાર. ૪૪ સુરવરમાં મઘવા યથા, ગ્રહ-ગણમાં જિમ ચંદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તિમ સવિ તીરથ ઈદ. ૪૫ દીઠ દુર્ગતિ વારણો, સમર્થો સારે કાજ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સવિ તીરથ શિરતાજ. ૪૬ પંડરીક પંચ કોડીશું, પામ્યા કેવલનાણ; તે તીર્થેશ્વર પ્રણમિય, કર્મ તણી હોય હાણ. ૪૭ મુનિવર કોડી દસ સહિત, દ્રાવિડ ને "વારિખેણ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢિયા શિવ-નિશ્રેણ. ૪૮ નમિ વિનમિ વિદ્યાધરા, દોય કોડી મુનિ સાથ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર આથ. ૪૯ ઋષભવંશીયનરપતિ ઘણા, ઈણે ગિરિ પહોતા મોક્ષ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલ્યા પાતિક દોષ. ૫૦ રામ ભરત બિદું બાંધવા, ત્રણ કોડી મુનિ યુત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ઈણે ગિરિ શિવ સંપત્ત. ૫૧ નારદ મુનિવર નિર્મલા સાધુ એકાણું લાખ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પ્રવચન પ્રગટ એ ભાખ. પર શાંબ પ્રદ્યુમ્ન ઋષિ કહ્યા, સાડિ આઠ કોડિ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂરવ કર્મ વિછોડી. પ૩ થાવગ્યાસુત સહસશું, અણસણ રંગે કિધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, વેગે શિવપદ લીધ. ૫૪ શુક પરિવાજક વળી, એક સહસ અણગાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવપુર દ્વાર. ૫૫
0િ0=
Page #532
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ
સેલનસૂરિ મુનિ પાંચસે, સહિત હુઆ શિવનાહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, અંગે ઘરી ઉત્સાહ. પદ ઈમ બહુ સિધ્યા ઈણે ગિરિ, કહેતા નાવે પાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, શાસ્ત્ર-માંહે અધિકાર. ૫૭ બીજ ઈહાં સમકિત તણું, રોપે આતમ ભોમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ટાલે પાતક-સ્તોમ. ૫૮ બ્રહ્મ સ્ત્રી ભૃણ ગૌ હત્યા, પાપે ભારિત જેહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પહોતા શિવપુર ગેહ. ૫૯ જગ જોતાં તીરથ સવે, એ સમ અવર ન દીઠ; તે તીર્થેશ્વર પ્રણમિયે, તીર્થ માંહે ઉક્કિટ્ટ. ૬૦ ધન્ય ધન્ય સોરઠ દેશ જિહાં, તીરથ માંહે સાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, જનપદમાં શિરદાર. ૬૧ અહોનિશ આવતા ટુકડા, તે પણ જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા શિવવધૂ રંગ. દર વિરાધક જિન-આણના, તે પણ હુવા વિશુદ્ધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પામ્યા નિર્મલ બુદ્ધ. ૩ મહા મ્લેચ્છ શાસનરિપુ, તે પણ હુવા ઉપતંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહિમા દેખી અનંત. ૬૪ મંત્ર યોગ અંજન સવે, સિદ્ધ હુવે જિણ ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પાતકારી નામ. ૬૫ સુમતિ સુધારસ વરસતે, કર્મદાવાનલ સંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ઉપશમ તસ ઉલસંત. ૬૬ શ્રુત નિત નિતુ ઉપદિશે, તત્ત્વાતત્ત્વ વિચાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, ગ્રહે ગુણયુત શ્રોતાર. ૬૭ પ્રિયમેલક ગુણગણ તણું, કરતિ-કમલા સિંધુ; તે તીર્થેશ્વર પ્રણમિયે, કલિકાલે જગબંધુ. ૬૮
. |
૫૦૧
Page #533
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
શ્રી શાંતિ તારણ તરણ, જેહની ભક્તિ વિશાલ; તે તીર્થેશ્વર પ્રણમિય, દિન દિન મંગલ માલ. ૬૯ શ્વેત ધ્વજા જસ લકતી, ભાખે ભવિને એમ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભ્રમણ કરો છો કેમ ? ૭૦ સાધક સિદ્ધ દશા ભણી, આરાધે એક ચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સાધન પરમ પવિત્ત. ૭૧ સંઘપતિ થઈ એહની, જે કરે ભાવે યાત્ર; તે તીર્થેશ્વર પ્રણમિયે, તસ હોય નિર્મલ ગાત્ર. ૭૨ શુદ્ધાતમ ગુણ રમણતા, પ્રગટે જેહને સંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જેહને જસ અભંગ. ૭૩ રાયણવૃક્ષ સોહામણું, જિહાં જિનેશ્વર પાય; તે તીર્થેશ્વર પ્રણમિય, સેવે સુર નર-રાય. ૭૪ . પગલાં પૂજી ઋષભનાં, ઉપશમ જેહને અંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સમતા પાવન અંગ. ૭૫ વિદ્યાધિરાજ મિલે બહુ, વિચરે ગિરિવર શૃંગ, તે તીર્થેશ્વર પ્રણમિયે, ચઢતે નવ રસ રંગ. ૭૬ ' માલતી મોગર કેતકી, પરિમલ મોહ ભંગ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૂજો ભવી જિન અંગ. ૭૭ અજિતજિનેશ્વર જીહાં રહ્યા, ચોમાસું ગુણ ગેહ; તે તીર્થેશ્વર પ્રણમિય, આણી અવિહડ નેહ. ૭૮ શાંતિજિનેશ્વર સોલમા, સોલ કષાય કરી અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, ચાતુર્માસ રહેત. ૭૯ નેમિ વિના જિનવર સવે, આવ્યા છે જિણ ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, શુદ્ધ કરે પરિણામ. ૮૦ નમિ નેમિ જિન અંતરે, અજિતશાંતિસ્તવ કીધ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નંદિષેણ પ્રસિદ્ધ. ૮૧
Page #534
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધગિરિજીનાં ૧૦૮ ખમાસમણ
---
-
-
-
-
-
-
-
ગણધર મુનિ ઉવન્ઝાય તિમ, લાભ લહ્યા કેઈ લાખ; તે તીર્થેશ્વર પ્રણમિયે, જ્ઞાન અમૃતરસ ચાખ. ૮૨ નિત્ય ઘંટા ટંકારવે, રણઝણે ઝલ્લરી નાદ; તે તીર્થેશ્વર પ્રણમિયે, દુંદુભિ માદલ વાદ. ૮૩ જેણે ગિરિ ભરત નરેસરે, કીધો પ્રથમ ઉદ્ધાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, મણિમય મૂરતિ સાર. ૮૪ ચૌમુખ ચઉગતિ દુઃખ હરે, સોવનમય સુવિહાર; તે તીર્થેશ્વર પ્રણમિય, અક્ષય સુખ દાતાર. ૮૫ ઈણ તીરથ મોટા કહ્યા, સોલ ઉદ્ધાર સફાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, લઘુ અસંખ્ય વિચાર. ૮૬ દ્રવ્ય ભાવ વૈરી તણો, જેહથી થાયે અંત; તે તીર્થેશ્વર પ્રણમિયે, શત્રુંજય સમરત. ૮૭ પુંડરીક ગણધર હુઆ, પ્રથમ સિદ્ધ ઈણે ઠામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુંડરીકગિરિ નામ. ૮૮ કાંકરે કાંકરે ઈણ ગિરિ, સિદ્ધ હુઆ સુપવિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, સિદ્ધક્ષેત્ર સમચિત્ત. ૮૯ મલ દ્રવ્ય ભાવ વિશેષથી, જેહથી જાયે દૂર, તે તીર્થેશ્વર પ્રણમિયે, વિમલાચલ સુખ પૂર. ૯૦ સુરવરા બહુ જે ગિરે, નિવસે નિરમલ ઠાણ; તે તીર્થેશ્વર પ્રણમિય, સુરગિરિ નામ પ્રમાણ. ૯૧ પરવત સહુ માંહે વડો, મહાગિરિ તેણ કહેત; તે તીર્થેશ્વર પ્રણમિયે, દરશન લહે પુણ્યવંત ૯૨ પુણ્ય અનર્ગલ જેહથી, થાયે પાપ વિનાશ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ ભલું પુણ્યરાશ. ૯૩ લક્ષ્મીદેવીએ કર્યો, કુંડે કમલ નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પદ્મનામ સુવાસ. ૯૪
૧પ૦૩
-
Page #535
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સવિ ગિરિમાં સુરપતિ સમો, પાતક પંક વિલાત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પર્વતઇંદ્ર વિખ્યાત. ત્રિભુવનમાં તીરથ સવે, તેહમાં મોટો એહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાતીરથ જસ રે. ૯૬ આદિ અંત નહિ જેહનો, કોઈ કાલે ન વિલાય; તે તીર્થેશ્વર પ્રણમિયે, શાશ્વતગિરિ કહેવાય.
૯૫
૯૭
ભદ્ર ભલા જે ગિરિવરે, આવ્યા હોય અપાર; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામ સુભદ્ર સંભાર. ૯૮ વીર્ય વધે શુભ સાધુને, પામી તીરથ ભક્તિ; તે તીર્થેશ્વર પ્રણમિયે, નામે જે દૃઢશક્તિ. ૯૯ તે શિવગતિ સાથે જે ગિરિ, તે માટે અભિધાન; તે તીર્થેશ્વર પ્રણમિયે, મુક્તિનિલય ગુણખાણ. ૧૦૦ ચંદ્ર સૂરજ સમકિતધરા, સેવ કરે શુભચિત્ત; તે તીર્થેશ્વર પ્રણમિયે, પુષ્પદંત વિદિત. ૧૦૧ ભિન્ન રહે ભવજલ થકી, જે ગિરિ લહે નિવાસ; તે તીર્થેશ્વર પ્રણમિયે, મહાપદ્મ સુવિલાસ. ભૂમિધરી જે ગિરિવરે, ઉદધિ ન લોપે લીહ; તે તીર્થેશ્વર પ્રણમિયે, પૃથ્વીપીઠ અનીહ. મંગલ સવિ મલવાતણું, પીઠ એહ અભિરામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, ભદ્રપીઠ જસ નામ. ૧૦૪
૧૦૩
૫૦૪
૧૦૨
મૂલ જસ પાતાલમેં, રત્નમય મનોહાર; પાતાલમૂલ વિચાર. ૧૦૫ હોય સિદ્ધ સુખ-મેલ; અકર્મક મન મેલ. ૧૦૬
તે તીર્થેશ્વર પ્રણમિયે, કર્મક્ષય હોયે જિહાં, તે તીર્થેશ્વર પ્રણમિયે,
કામિત સવિ પૂરણ હોયે, જેહનું
દરસન પામ; તે તીર્થેશ્વર પ્રણમિયે, સર્વકામ મન ઠામ. ૧૦૭
Page #536
--------------------------------------------------------------------------
________________
નવપદજીના દુહા ઈત્યાદિક એકવીશ ભલાં, નિરૂપમ નામ ઉદાર; જે સમર્ધા પાતક હરે, આતમ શક્તિ અનુસાર. ૧૦૮
કળશ
ઈમ તીર્થનાયક, સ્તવન લાયક, સંથણ્યો શ્રી સિદ્ધગિરિ, અષ્ટોત્તર સય ગાહ સ્તવને, પ્રેમ ભકતે મન ધરી; શ્રી કલ્યાણસાગરસૂરિ શિષ્ય, શુભ સંગીશે સુખકરી, પુણ્ય મહોદય, સકલ મંગલ, વેલી સુજસે જગસિરિ. ૧
૬ (૨૨) નવપદજીના દુહા 5 અરિહંતપદ ધ્યાતો થકો, દબૃહ ગુણ પક્ઝાય રે; ભેદ છેદ કરી આતમા, અરિહંત રૂપી થાય રે; વીર જિનેશ્વર ઉપદિશે, તમે સાંભળજો ચિત્ત લાઈ રે; આતમ ધ્યાને આતમા, ઋદ્ધિ મળે સવિ આઈ રે. વિર૦ ૧ રૂપાતીત સ્વભાવ છે, કેવલ દંસણ નાણી રે; તે ધ્યાતા નિજ આતમા, હોવે સિદ્ધ ગુણખાણી રે. વી૨૦ ૨ ધ્યાતા આચારજ ભલા, મહામંત્ર શુભ ધ્યાની રે; પંચ પ્રસ્થાને આતમા, આચારજ હોય પ્રાણી રે. વી૨૦ ૩ તપ સક્ઝાયે રત સદા, દ્વાદશ અંગનો ધ્યાતા રે; ઉપાધ્યાય તે આતમા, જગબંધવ જગભ્રાતા રે. વીર૦ ૪ અપ્રમત્ત જે નિત રહે, નવિ હરખે નવિ શોચે રે, સાધુ સુધા તે આતમાં, શું મુંડે શું લોચે રે. વીર૦ ૫ શમ-સંવેગાદિક ગુણા, નય ઉપશમ જે આવે રે; દર્શન તેહીજ આતમાં, શું હોય નામ ધરાવે રે. વિર૦ ૬ જ્ઞાનાવરણીય જે કર્મ છે, ક્ષય ઉપસમ તસ થાય રે; તે દૂએ એહજ આતમા, જ્ઞાને અબોધતા જાય રે વિર૦ ૭ જાણ ચરિત્ર તે આતમાં, નિજસ્વભાવમાં રમતો રે; લેશ્ય શુદ્ધ અલંક્યે, મોહવને નવી ભમતો રે. વીર૦ ૮
૫૦૫
Page #537
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ઈચ્છારોધે સંવરી, પરિણતિ સમતા યોગે રે;
તપ તે એહીજ આતમા, વર્તે નિજ ગુણ ભોગે રે. વર૦ ૯ gi (૨૩) વીશસ્થાનક તપના દુહા અને ગુણ 5
પરમ પંચ પરમેષ્ઠિમાં, પરમેશ્વર ભગવાન; ચાર નિક્ષેપે ધ્યાઈએ, નમો નમો શ્રી જિન ભાણ.
ૐ હ્રીં નમો અરિહંતાણં ગુણ ૧૨. ૧ ગુણ અનંત નિર્મલ થયા, સહજ સ્વરૂપ ઉજાસ અષ્ટ કર્મ મલ ક્ષય કરી, ભયે સિદ્ધ નમો સિ.
ૐ હ્રીં નમો સિદ્ધાણં ગુણ ૮. ૨ ભાવાય ઔષધ સમી, પ્રવચન અમૃતવૃષ્ટિ; ત્રિભુવન જીવને સુખકરી, જયજય પ્રવચનદ્રષ્ટિ.
ૐ હ્રીં નમો પવયણસ્સ ગુણ ૪પ. ૩ છત્રીશ છત્રીશી ગુણે, યુગપ્રધાન મુણાંદ; જિનમત પરમત જાણતા, નમો નમો તેહ સૂરીદ.
૩ૐ હું નમો આયરિયાણં. ગુણ ૩૬. ૪ તજી પરપરિણતિ રમણતા, લહનિજ ભાવ સ્વરૂપ સ્થિર કરતા ભવિલોકને, જયજય સ્થવિર અનૂપ.
ૐ હ્રીં નમો થેરાણ. ગુણ ૧૦. ૫ બોધ સૂક્ષ્મ વિણ જીવને, ન હોય તત્ત્વ પ્રતીત, ભણે ભણાવે સૂત્રને, જયજય પાઠક ગીત.
ૐ હ્રીં નમો ઉવન્ઝાયાણં ગુણ ૨૫. ૬ સ્યાદ્વાદ ગુણ પરિણમ્યો, રમતા રમતા સંગ; સાથે શુદ્ધાનંદતા, નમો નમો સાધુ શુભ રંગ;
ૐ હ્રીં નમો લોએ સવ્વસાહૂણં ગુણ ૨૭. ૭ અધ્યાત્મજ્ઞાને કરી, વિઘટે ભવ ભ્રમ ભીતિ; સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમો નમો જ્ઞાનની રીતિ.
ૐ હ્રીં નમો નાણસ્સ ગુણ ૫. ૮
૫૦ ૬
Page #538
--------------------------------------------------------------------------
________________
વીશ સ્થાનક તપના દુહા અને ગુણ
લોકાલોકના ભાવ જે, કેવલીભાષિત જેહ; સત્ય કરી અવધારતા, નમો નમો દર્શન તેહ. ૐ હ્રીં નમો સણસ્સ. ગુણ ૬૭. ૯ શૌચ મૂલથી મહાગુણી, સર્વ ધર્મનો સાર; ગુણ અનંતનો કંદ એ, નમો નમો વિનય આચાર. ૐ હ્રીં નમો વિણયસ. ગુણ ૧૦. ૧૦ રત્નત્રયી વિષ્ણુ સાધુતા, નિષ્ફળ કહી સદૈવ; ભાવ રયણનું નિધાન છે. જય જય સંજમ જીવ. ૐ હ્રીં નમો ચારિત્તસ્સ ગુણ ૧૭. ૧૧ જિનપ્રતિમા જિનમંદિરા, કંચનના કરે જે; બ્રહ્મવ્રતથી બહુ ફલ લહે, નમો નમો શિયલ સુદેહ. ૐૐ હ્રીં નમો બંભળ્વયધારિણ, ગુણ ૯. ૧૨ આત્મબોધ વિણ જે ક્રિયા. તે તો બાલક ચાલ; તત્ત્વાર્થથી ધારીએ, નમો ક્રિયા સુવિશાલ.
ૐ હ્રીં નમો કિરિયાણં. ગુણ ૨૫. ૧૩ ચીકણા, ભાવમંગલ તપ જાણ; ઉપજે, જય જય તપ ગુણ ખાણ. ૐ હ્રીં નમો તવસ્સ. ગુણ ૧૨. ૧૪ છઠ્ઠ છઠ્ઠ તપ કરે પારણું, ચઉ નાણી ગુણધામ; એ સમ શુભ પાત્રકો નહિ, નમો નમો ગોયમ સ્વામ. ૐૐ હ્રીં નમો ગોયમસ. ગુણ ૨૮. ૧૫
કર્મ
ખપાવે પચાસ લબ્ધિ
દોષ અઢારે ક્ષય ગયા, ઉપના ગુણ જસ અંગ વૈયાવચ્ચ કરીએ મુદા; નમો નમો જિનપદ સંગ. ૐ હ્રીં નમો જિણાણું. ગુણ ૨૪. ૧૬
શુદ્ધાતમ ગુણમેં રમે, તજી ઈન્દ્રિય આશંસ; થિ સમાધિ સંતોષમાં, જય જય સંયમ વંસ. ૐ હ્રીં નમો ચારિત્તમ્સ. ગુણ ૫. ૧૭
૫૦૭
Page #539
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જ્ઞાનવૃક્ષ સેવો ભવિક, ચારિત્ર સમકિત મૂલ; અજર અમર પદ ફલ લહો, જિનવર પદવી ફૂલ; ૐ હ્રીં નમો નાણસ્સ. ગુણ ૫૧. ૧૮ વક્તા શ્રોતા યોગથી, શ્રુત અનુભવરસ પીન; ધ્યાતા ધ્યેયની એકતા, જય જય શ્રુત સુખલીન. ૐ હ્રીં નમો સુઅસ્સ. ગુણ ૧૦૦. ૧૯ તીર્થ ધામ પ્રભાવ છે. શાસન ઉન્નતિ કાજ; પરમાનંદ વિલાસતા, જય જય તીર્થ જહાજ. ૐૐ હ્રીં નમો તિત્થસ્સ. ગુણ ૨૫. ૨૦
$ $ $ $ $ $ $ $
૬ (૨૪) બે પ્રકારે - નવકારવાલીના પદો નીચે મુજબ
જ્ઞાનાવરણી કર્મક્ષયાય અનંતજ્ઞાન સંયુતાય નમઃ ૧ હ્રીઁ દર્શનાવરણી કર્મક્ષયાય અનંતદર્શન સંયુતાય નમઃ ૨ ૐ હ્રીઁ વેદનીય કર્મક્ષયાય અવ્યાબાધ ગુણ સંયુતાય નમઃ ૩ ૐ હ્રી મોહની કર્મક્ષયાય અનંતચારિત્ર ગુણ સંયુતાય નમઃ ૪ આયુષ્ય કર્મક્ષયાય અક્ષયસ્થિતિ ગુણ સંયુતાય નમઃ ૫ હ્રીઁ નામ કર્મક્ષયાય અરૂપીનિરંજન ગુણ સંયુતાય નમઃ ૬ હ્રીઁ ગૌત્ર કર્મક્ષયાય અગુરુલઘુ ગુણ સંયુતાય નમઃ ૭ અંતરાય કર્મક્ષયાય અનન્તવીર્ય ગુણ સંયુતાય નમઃ ૮
i (૨૫) શ્રી વિવિધ તપના દુહાઓ જ્ઞાનપંચમીનો દુહો
સમકિત શ્રદ્ધાવંતને, ઉપન્યો જ્ઞાન પ્રકાશ; પ્રણમું પદકજ તેહના, ભાવ ધરી ઉલ્લાસ.
સાથિયાદિ (૫) (૫૧) કરવા ૐ હ્રીં નમો નાણસ્સ. માળા (૨૦)
૫૦૮
Page #540
--------------------------------------------------------------------------
________________
વીશ સ્થાનક તપના દુહા અને ગુણ મૌન એકાદશીનો દુહો
જિન કલ્યાણક દોઢસો, આરાધો ગુણખાણ, પામી મૌન એકાદશી, પ્રગટે કેવલનાણ. સાથિયાદિ (૧૧) (૧૫૦) કરવા ૐ હ્રીઁ મલ્લિનાથાય નમઃ માળા (૨૦) (૧૫૦)
પૌષદશમીનો દુહો
ચલિતાસન સોહમ પતિ, રચી વૈમાન વિશાળ; પ્રભુ જન્મોત્સવ કારણે, આવંતા તત્કાળ. સાથીયાદિ (૧૦) કરવા ૐ હ્રી પાર્શ્વનાથાય અર્હતે નમઃ માળા (૨૦)
મેરૂત્રયોદશીનો દુહો
સ્વસ્તિ શ્રી ભગવંતને, પ્રણમી પ્રથમ જિણંદ; લોકલોકોત્તર ધર્મના, શાસક ભુવન દિણંદ. સાથીયાદિ (૧૩) કરવા ૐ હ્રીં શ્રી ઋષભદેવ પારંગતાય નમઃ માલા (૨૦)
ચૈત્રીપુનમનો દુહો
ચૈત્રી પુનમને દિન, કરી અણસણ એક માસ; પુંડરીક ગણધર શિવ વર્યા, પામ્યા અવિચળવાસ.
સાથીયાદિ (૧૫) અથવા (૧૫૦) . ૐ હ્રી પુંડરીક ગણધરાય નમઃ માળા (૨૦)
દિવાળીનો દુહો
રાજગૃહી નગરી ભલી, ચૌદ ચોમાસા સાર; અંતિમ ચોમાસું આવીયા, પાવાપુરી મોઝાર.
સાથીયાદિ (૧૨) કરવા ૐ હ્રીઁ મહાવીરસ્વામી પારંગતાય નમઃ માળા (૨૦)
૫૦૯
Page #541
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા દિવાળીની રાત્રીએ ગુણણુ
પ્રથમ પ્રહરે શ્રી મહાવીરસ્વામી સર્વજ્ઞાય નમઃ માળા (૨૦) મધ્યરાત્રિએ શ્રી મહાવીરસ્વામી પારંગતાય નમઃ માળા (૨૦) છેલ્લે પ્રહરે પ્રભાતે શ્રી ગૌતમસ્વામી સર્વજ્ઞાય નમઃ માળા (૨૦) શ્રી વર્ધમાન તપનો દુહો
કર્મ કઠીન દલ ચૂરવા, વર્ધમાન તપ સાર; તે તપ પ્રેમે સેવતાં, પામે ભવી ભવપાર. સાથીયાદિ (૧૨) કરવા ૐ હ્રીં નમો તવસ્સ માળા (૨૦) શ્રી અષ્ટાપદનો દુહો
ઋષભ શાંતિ નેમિ પ્રભુ, પારસ શ્રી મહાવીર; નમું પદપંકજ તેહના, જે જગ તારણધીર.
સાથીયાદિ (૮) કરવા
ૐ હ્રીં શ્રી અષ્ટાપદ તીર્થાય નમઃ માળા (૨૦) ૐ (૧) પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
(રાગ-તને સાચવે પારવતી)
કયારે આવશે ધન્ય ઘડી તેહ, અખંડ તારી આણા ધરૂં; તારે પાયે પડી ધરૂં નેહ, અખંડ તારી આણા ધરૂં. ૧. સ્વર્ગ મૃત્યુ પાતાલ મેં નજરે જોયા, ભમતા ભવોભવ મારા બહુ ખોયા, બીજા દેવોમાં દિલડાં ન ડોલ્યા. અખંડ તારી૦ ૨. તારા નયનોમાં અમીધારા વરસી રહી, મારા વિષય કષાય બુઝાવી રહી; બીજા દેવોમાં મનડાં ન માન્યા. અખંડ૦ ૩. માતા પિતા ભ્રાતા તું એકજ છે, મારા મનડામાં તારી ટેકજ છે; બીજે નહિ માને મનડા મનાવ્યા. અખંડ૦ ૪. તારા ચરણોમાં જીવન ધરી દીધું, તેનું કાર્ય સહુ તેં સંભાળી લીધું; તેં સહુને તારા જેવા બનાવ્યા. અખંડ૦ ૫. તારે શરણે આવેલાને તારી લેજે, ભવો ભવ સેવાનું બળ આપી
૫૧૦
Page #542
--------------------------------------------------------------------------
________________
( પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ ) દેજે, નહીં છોડું હવે હાથ આવ્યાં. અખંડ) ૬. કયારે આવશે ધન્ય ઘડી તેહ, અખંડ તારી આણા ધરું, તારે પાયે પડી ધરું નેહ, અખંડ તારી0
= (૨) પ્રભુની માળા , માળા લઈને હાથમાં, ધરી રહ્યો છું ધ્યાન; મન ભટકે સંસારમાં ભૂલીને ભગવાન. ૧ પ્રભુ તારા નામની માળા ફેરવીએ ત્યારે; મનડું ફરે છે ફેરા સંસારમાં. હો હો મનડું૦ ૨ હાથમાં હોય ફરતો માળાનો મણકો જ્યારે; હૈયામાં સંભળાતો રૂપિયાનો રણકો ત્યારે; જરીવાર જંપીને જપવા બેસીએ ત્યારે. મનડું૩ ધીરજ ન રહેતી જરીએ પ્રભુ તારા ધ્યાનમાં, સંવર ન રહેતું ચિત્તડું, પ્રભુ તારા સ્થાનમાં; ઘડી બે ઘડી તારા સ્તવનો સાંભળીએ ત્યારે. મનડું) ૪ સંતોની વાણી સુણતાં નયનોમાં નિંદ આવે, ભગવંત ભક્તિનું ભોજન નહીરે અમોને ભાવે; તારા મંદિરિયે આવી પૂજન કરીએ ત્યારે. મનડું) ૫ એવું ચંચળ છે પ્રભુજી મનડું અમારું રે, આંખેથી દેખતાં પણ દિલમાં અંધારું રે; મોટું મન રાખી વ્હાલા એટલું આપજો કે, ફેરા રહે ના પાછા સંસારમાં. મનડું૦ ૬
HE (૩) “નયણાંની બિછાત' 5 હે પરમાતમ આતમ મારો ઝંખે દિવસ રાત; છાઈ છે અંધારી રજની ક્યારે થશે પ્રભાત? ૧ પ્રેમ તણાં સુકોમળ પુષ્પો આજ રહ્યા કરમાઈ મનડાના મોતીની માળા, આજ રહી વિખરાઈ; કરી રહ્યો છું તારા ચરણે નયણાંની બિછાત. ૨
Page #543
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા હર્ષ શોકને હીંડોળે બેસી, ઝૂલતો અહીં તહીં; કાળ તૂટીને તૂટ્યો હીંડોળો, ભ્રમણાઓ રહી અહીં મુકીભર મુજને દેવામાં તારે શી વિસાત. ૩
E (૪) કેમ વિસારું? gi, કેમ વિસારું આદીશ્વરને જ્યાં લગી શ્વાસોશ્વાસ, હે વિમલાચલ વાશી મારે હૈયે કરજો વાસ. ૧ શ્વાસે શ્વાસે સમરૂં સ્વામી, જીવનના આધાર; રોમે રોમે તારા નામનો વાગી રહે રણકાર; આ અંતરના વાજિંતરમાં એ એક જ અભિલાષ; હે ગુણવંતા, ગાઈ રહ્યો છું તારા સદા ગુણગાન; ઉગારજે ભવસાગરમાંથી એટલી રાખું આશ. ૨
૬ (૫) ભાવના ક ભક્તિની રીત ન જાણું તોયે ભગવાન હું તો ગાઈ રહ્યો છું રે તારા ગુણગાન; નથી કંઈ જ્ઞાન તોયે ધરવું તારું ધ્યાન. હું તો ૧ કંઠ ના મધુરો, સુર છે બસુરી, જીવનમાં અધૂરો, કિન્ત ભાવ પૂરેપૂરો, ખરું ખોટું આલાપીને રહું ગુલતાન. હું તો૨ તને કે જગતને રીઝવી ન જાણું, અંતરની આગને બૂઝાવી ન જાણું પ્રતનાં ચિત્ત કેરી નથી રે પિછાણ હું તો૦ ૩ નથી જોઈતું નામ મારે નથી જોઈતી નામના, એટલું આપજે કે ભાવું તારી ભાવના; જોજેના મુજમાં આવે જરી અભિમાન. હું તો ૪
Page #544
--------------------------------------------------------------------------
________________
( પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
૬ (૬) પૂનમ અને અમાસ SF એક હતી અજવાળી પૂનમને બીજી રાતડી કાળી; પારસનાથને એવા મળ્યા ધરણેન્દ્ર અને મેઘમાળી. ૧ ઉપકારી ઉપકાર ભૂલે નહિ વૈરી ભૂલે ન વેર, એક ધરે અમૃતની પ્યાલી બીજો હલાહલ ઝેર; એક ભાવથી ભક્તિ કરે ને બીજો રહે જીવ બાળી. ૨ એક દિવસ વટવૃક્ષની નીચે, પાર્થ પ્રભુ ઘરે ધ્યાન, ભાન ભૂલી મેઘમાલી લાવે, આંધી ને તોફાન; પરભવનો ઉપકાર વિચારી, નાગ રહ્યો ફેણ ઢાળી. ૩ સમતાસાગર પાર્થપ્રભુને નહીં માન અપમાન, હોય મિત્ર કે શત્રુ ભલેને એને સર્વ સમાન; સમદષ્ટિથી બેઉ જણાને રહેતા નાત નિહાળી. ૪
ક (૭) રાજુલની ચૂંદડી તો તને વિનવું છું માડી પગમાં પડી હવે નહિ રે ઓઢું હું બીજાની ચૂંદડી ! કેવું શું માવડી તને ઘડી ઘડી. હવે, ૧ ભલે માનો તમે સૌ એ કુંવારી મને, હું તો પરણી ચૂકી છું મારા નેમને; મારે અંગે તે એમની પીઠી ચડી ! હવે૦ ૨ બીજાના મીંઢળ નથી મારે બાંધવા, બીજા કોઈ દેવને નથી આરાધવા; નવલી દુનિયાની મને કેડી જડી. હવે૦ ૩ પ્રિયતમને પગલે પગલે જાવું, જોગીની પાછળ જોગણ થઈ જાવું; નહીં આવે એવો અવસર ઘડી ઘડી. હવે૦ ૪
પિ૧૩
Page #545
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
H (૮) “શ્રદ્ધાદીપ” Fા નૈયા ઝુકાવી મેં તો જો જે ડૂબી જાય ના, ઝાંખો ઝાંખો દીવો મારો જોજે બુઝાય ના;
સ્વારથનું સંગીત ચારેકોર ગાજે, કોઈ નથી કોઈનું દુનિયામાં આજે; તનનો તંબૂરો જો જે બેસુરો થાય ના. ૧ પાપને પુન્યના ભેદ રે ભૂસાતા, રાગ ને દ્વેષ આજે ઘર ઘર ઘૂંટાતા, જો જે આ જીવતરમાં ઝેર પ્રસરાય ના. ૨ શ્રદ્ધાના દીવડાને ઝલતો જ રાખજે, નિશદિન સ્નેહ કેરું તેલ એમાં નાખજે; મનના મંદિરે જોજે અંધારું થાય ના. ૩
5 (૯) ભિક્ષા અને દીક્ષા 5
ઓલી ચંદનબાળાને બારણે પ્રભુ આવી ઉભા છે પારણે, એનું જીવતર ધન્ય ધન્ય થાય એના દુઃખના દહાડા વીત્યા રે, એણે દર્શન દેવનાં કીધા રે. એનું૦ ૧.પાંચ પાંચ માસના ઉપવાસ માથે, પચ્ચીશ દિવસના વાણા વાયા, ઘેર ઘેર ઘૂમતાં તો યે પ્રભુને, ભોજન મળે ના મન માન્યાં; કઈ મોદક મીઠા લાવતા, કોઈ પકવાન પ્રેમે આપતા. તો યે પ્રભુજી પાછા જાય. એનું ૨. મેવા મીઠાઈ પડતાં મૂકીને, લીધા અડદના બાકુલા બંધન ટુટ્યાં જન્મો જન્મના, અંતરના ઉઘડ્યાં બારણાં, એની ભિક્ષા પ્રભુએ લીધી રે; અને આશિષ ઉરની દીધી રે. એનું ૩. રાજપાટ છોડીને રઝળેલી કુંવરીનું, કિસ્મત ફરીથી ઉઘડી ગયું, ભિક્ષા દીધીને દીક્ષા લીધી, એનું
જીવતર અનેરૂં ઉજળી ગયું, એણે મારગ વીરનો લીધો રે, અને મનખો ઉજ્જવળ કીધો રે. એનું. ૪.
૫૧ ૪
Page #546
--------------------------------------------------------------------------
________________
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ ૐ (૧૧) માલકૌશ''
મધુર રાગ માલકૌશમાં વહેતી તીર્થંકરની વાણી, માનવને નવજીવન દેતી, તીર્થંકરની વાણી; ધીરગંભીર સુરોમાં સોહે, સુરવર મુનિવર સૌએ મોહે; શબ્દે શબ્દે પ્રગટ થતી જ્યાં સ્નેહતણી સરવાણી. વાદી ષડજ મધ્યમ સંવાદી, વાત નથી કોઈ વિષમ વિવાદી; સાદી ભાષા, શબ્દ સરળતા સહુને ઝટ સમજાણી. સાગમધની, સાની સરગમ, ચાહે સહુનું મંગલ હરદમ; પથ્થરના હૈયાને પળમાં કરતી પાણી પાણી તીર્થંકરની વાણી.
(૧૧)
પગલે પતિને ચાલ્યા રાજીમતિ, એ તો સંયમથી શોભી રહ્યા સાધવી સતી; લગનને માંડવે વિઘન આડું આવ્યું, ગગનથી જાણે .અગન વરસાવ્યું; મલકતી માનુનિની મૂંઝાઈ મતિ.
લાલ ચૂંદડીનો રંગ લાગ્યો કાચો, ભવોભવના સ્વામીનો સંગ લાગ્યો
સાચો;
કોણ જાણે કેવી હશે
કાળની
ગતિ.
આતમની પ્રીત કેરું
ઝેર જેવા જગને
દુનિયામાં
આદર્શ
ગીત
અમૃત
આ
૫૧૫
એણે
ગાયું,
એણે પાયું;
દંપતિ.
૧
૨
૬ (૧૨) શું માગીએ
અમે રંગ રાગના રાગી, અમે અંગ અંગ અનુરાગી. તારી કને શું માંગીએ રે વીતરાગી ? અમે નથી તૃષ્ણા રે ત્યાગી, અને નથી લગન કંઈ લાગી, તારી કને શું માગીએ રે વીતરાગી ?
Page #547
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સો હજાર કે લાખ મળે તોય નહિ શાંતિ, સોનું રૂપું હીરા હોય પણ દિલમાં સદા અશાંતિ, નિંદરમાં પણ દ્રવ્ય દેખીને ઝબકી જઈએ જાગી. ૧ રાજપાટને ખાટ સુંવાળાં બધું હતું તૂજ પાસે, લાડી વાડી ને ગાડી કેરા વૈભવ ભર્યા વિલાસે; સાચું પૂછો તો અમે માગીએ તે જે દીધું ત્યાગી. ૨
EE (૧૩) કથીરમાંથી કાંચન 95. પારસનાથને પૂજતાં રે, ભવો ભવના દુઃખ જાય, પારસમણીને સ્પર્શતાં રે, કથીર કાંચન થાય; જીવન જેનું પર ઉપકારી, કંઈક જીવોને લીધાં ઉગારી, ગુણ પ્રભુના ગાવતાં રે, ઘર ઘર મંગળ થાય. ૧ બળતાને શીતળતા આપે, જન્મ મરણની જાળને કાપે; ભાવે ભાવના ભાવતાં રે, ભવથી તરી જવાય. ૨ મોક્ષનગરનો માર્ગ બતાવે, પ્રેમનો સંદેશ સંભળાવે; ધ્યાન ધરીને ધ્યાવતાં રે, પદ નિર્વાણ પમાય. ૩
F (૧૪) “ખીલા ઠોકાણાં” | ખીલા ઠોકાણાં રે વીરના કાનમાં, ઓલ્યો ભૂલ્યો ભરવાડ એ અજ્ઞાનમાં! આંખડી ઢાળી આતમ ધ્યાને ઉભા રહ્યા પ્રભુ વીર, બળદ અમારા સાચવજે અલ્યા જોગીડા તું લગીર ! હા કહી ના, ના કહી ના વીર ઉભા નિજ ધ્યાનમાં ! બળદ બિચારા ચરવા ચાલ્યા, નીકળ્યા દૂર ને દૂર, ભાળ્યાં નહિ ભરવાડે જ્યારે, ક્રોધે ભરાયો ભરપુર. “કાન બળ્યા છે ખાલી કાણાં? સમજાવું અબ ઘડી શાનમાં!' ખીલા ભારી લાવ્યો રબારી, ઘાલ્યા પ્રભુને કાન, દુઃખ પડ્યું પણ દ્વેષ ન પ્રગટ્યો, સમતા ધરે ભગવાન, પ્રાણી માત્રમાં એક જ સરખો, પ્રેમ વસે છે જેના પ્રાણમાં.
૫૧
૫૧ ૬
Page #548
--------------------------------------------------------------------------
________________
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
૬ (૧૫) રંગ લાગ્યો
રંગ લાગ્યો રંગ લાગ્યો રંગ લાગ્યો રે, વીર તારી વાણી કેરો રંગ લાગ્યો રે, અમને લાગ્યો, તમને લાગ્યો, સૌને લાગ્યો રે. વીર તારી0 ઓલી ઉષાના રંગ, ઓલી સંધ્યાના રંગ એના રંગથી અધિકો મને રંગ લાગ્યો રે. હાંહા૦ ૧. પેલામાનવે જોને માયા મુકી દીધી. તારી વાણીને ઝુકી ઝુકી હૈયે લીધી, મેલા હૈયાને રંગનાર, કોઈ ચિતારો આવ્યો રે, એનો રંગ લાગ્યો રે. વીર તારી૦ ૨. પેલા અનંગેચળાવ્યા જેના ચિત્તડાં હતા, તારા રંગે રંગાવ્યા એના મનડા હતાં, એના આંખોના અવિકારીએ અજન લાગ્યો રે એનો રંગ લાગ્યો રે. વીર તારી૦ ૩. પેલા ક્રોધે સળગેલા જેના અંતર હતાં, રાગ દ્વેષે રમાડ્યા જે નિરંતર હતા ધોવા અંતરના મેલ, મેઘ અષાઢી આવ્યો રે; એનો રંગ લાગ્યો રે. વીર તારી૦ ૪.
(૧૬) કરીએ એવા કામ
અમે કરીએ એવા કામ, લાજ આવે રે લેતા તારૂં નામ, અમૃત દીધું પણ નહી પીધું; ઝેરના ભરીયે જામ. અમે૦ ૧. ભાવ વિનાની કરીયે ભક્તિ, છૂપાવીએ તન મનની શક્તિ, મનને ઘોડે તન આ દોડે, એને નથી લગામ. અમે૦ ૨. ધનને ખાતર ધર્મ વેચીએ, કુટીલ કર્મની કીર્તિ લહીએ, તનનાં ઉજળાં મનના મેલાં જુઠો ડોળ તમામ. અમે૦ ૩.
૬ (૧૭) પારસ કરજે
આ પત્થર દિલને પારસ કરજે, પ્યારા પારસનાથ, કથિરને તું કંચન કરજે, પ્યારા પારસનાથ, કામ ક્રોધના કાજળથી રંગી છે કાળી કાયા, મોહ લોભ ને મદ મત્સરથી, લાગી મુજને માયા, આતમને ઓજસથી ભરજે પ્યારા પારસનાથ, ૧.સુખ મેળવવા સારી જીંદગી સળગતો સંસારે, દિલનો દીપ બુઝાઈ દઈને, ભટકતો સંસારે, પ્રેમ પુણ્યનો પ્રકાશ ધરજે પ્યારા પારસનાથ. ૨.
૫૧૭
Page #549
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા બળતી આગે નાગ ઉગાર્યો, અંતર કરૂણા આણી, હું પણ એમ જ બળી રહ્યો છું, છાંટો પ્રેમનું પાણી, જીવન મારૂં ઉજ્જવળ કરજે પ્યારા પારસનાથ. ૩.
E (૧૮) સૂરની સમાધિ છોને મારા તંબૂરાના થાય ચૂરેચૂરા તોયે તારાં ભજન રહેના અધૂરાં. છોને નહીં કંઠના આલાપ હો મધુરાં, તોયે દિવસ ને રાત હું ગાઉ છું ગીત તારા, વહેતી નિરંતર જેવી નદીની ધારા, છોને નહીં ઉરના ભાવો પ્રગટે પૂરે પૂરા. તોયેતનને તંબૂરે મારા આતમના તાર બાંધુ, તુજમાં હું લીન થઈ સૂરની સમાધિ સાધુ, છોને મારા ગીત હો સૂરિલા કે બેસૂરા. તોએ, તૂટે તંબૂર ભલે તૂટે સૌ તાર, તો એ ના ખૂટે એનો મીઠો રણકાર, છોને આ જગના લોકો કહે ભલા-બૂરા. તોયે તારા ભજન)
ક (૧૯) આધાર 5 કિરતાર! મને આધાર તારો, જોજે ના તૂટી જાય (૨) હે પ્રભુ તારા પ્રેમનો ખજાનો જો જે ના છૂટી જાય. (૨) તારો વિશ્વાસ મને આ અવનિમાં, આપે પ્રકાશ જ્યોત એ રજનીમાં, શ્રદ્ધાથી વાળી છે ગાંઠો મેં સ્નેહની. જો જે ના છૂટી જાય (૨) શક્તિ પ્રમાણે ભક્તિ કરું છું આ જીવન તુજ ચરણે ધરું છું, પ્રેમનો પ્યાલો પીવા જાઉં ત્યાં, જો જે ના ફૂટી જાય. (૨) ગાઈ રહ્યો છું ગીત તુજ પ્રીતના, સ્નેહથી ભરેલા સૂરો સંગીતના, લાખના હીરાને હાથમાં કોઈ જો જે ના તૂટી જાય. (૨)
F (૨૦) ઝનન ઝનનન ઝનકારો ક
ઝનનન ઝનન ઝનકારો રે, બોલે આતમનો એક તારોરે, મારા પ્રભુજી પાર ઉતારે, તારલીયાનો તોટો નહી પણ ચંદા સૂરજ એક છે, દેવ અનેરાં દુનિયામાં પણ મારે મન તું એક છે. ઝનન ઝનન ઝબકારો રે, મારી ઘુઘરીનો ધમકારો રે. મારા૦ ૧.
૫૧૮
Page #550
--------------------------------------------------------------------------
________________
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
અવની પર આકાશ રહે તેમ કરજો (૨) મુજ પર છાયા નિશદિન અંતર રમતી રહેજો (૨) પ્રભુજી તમારી માયા, ચમક ચમક ચમકારો રે, તારા મુખડાનો મલકારો રે. મારા૦ ૨ ઉષા સંધ્યાના રેશમ દોરે (૨) સૂરજ ચંદા ઝુલે, ચડતીને પડતીના ઝુલે, માનવ (૨) સઘળા ઝુલે, સનન સનન સનકારો રે, તારી વાણીનો રણકારો રે, મારા૦ ૩. તું છે માતા તું છે પિતા (૨) તું છે જગનો દીવો, ત્રિશલાના નાનકડાં નંદન જગમાં (૨) જીગ જુગ જીવો. સનન સનન સનકારો રે, મુજ પ્રાણ થકી તું પ્યારો રે. મારા૦ ૪.
(૨૧) આતમનું મોતી
માયા સંસારમાં રંગતાલી રમતાં આતમનું મોતી ખોવાણુંજી (૨) કોને કહેવાય ના (પ્રભુ) હવે સહેવાય ના અમથી સહેવાય ના સગાસંબંધીથી દૂર જવાયના, મોહ માયામાં ન જોવાણું રે. આતમ૦ ૧. સત્ય મુકીને અસત્યે રમ્યા, મોહમાયાને કદી ના દમીયા, ફેલાવ્યું જગમાં જુઠાણું રે. આતમ ૨. કાળા કર્મોના મુકાવ્યા દેવા હવે મેળવવા શિવસુખના મેવા, જીવનનું ધન લુંટાણુંજી. આતમ૦ ૩. રમીયો સદા હું સંસાર રંગે, રાહી હવે આવ્યો છું આપના સંગે, ભક્તિનું કરો લ્હાણું રે. આતમ૦ ૪.
(૨૨) અંધારાનો દીવડો દૂ
તું છે મારો કલ્પવૃક્ષ ને હું છું તારી વેલ, જગમાં એક જ દીઠી તારી મૂર્તિ રે; અલબેલી, પગલા તારા પાવનકારી, પૂજતા પાપ ધોવાય; જગ ઉપકારી હાથ તુમારા શિરે રહો સુખદાય, તું છે માહરો સાહિબો ને હું છું તારી સાહેલી જગમાં૦ ૧. અમૃત ઝરતાં નયને પ્રભુજી, નીરખી લ્યો એકવાર જીવનનું સો કાજ સરે ના, પહોચું હું ભવપાર; તું છે મારો સુખસિંધુ ને, હું સરિતા ગુણઘેલી. જગમાં૦ ૨. દિવ્ય ભાલ દીસે છે તારૂં, ટીલડીનો ટમકાર, મનહર મુખડું જોતા મારે હૈયે હર્ષ અપાર. તું છો મારો રંગરસીયો ને, હું તુજ ગુણ રસધેલી. જગમાં૦ ૩. કંઠ સુકોમલ
૫૧૯
Page #551
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
હાર ધર્યો ને, હીરારત્ન નહીં પાર, સૌ જીવોને પ્યાર વસે છે, તારા દ્વાર મોઝાર, તું છે મારો જગતગુરુ ને, હું છું તારી ચેલી. જગમાં૦ ૪.
(૨૩) એકાંતે બેસી
એક દિવસ એકાંતે બેસી, જિનવર સાથે પ્યાર કરી લે, કેટલા કામ કર્યા છે સારા, સામે કેટલા કર્યા નઠારા, વાર ન કર એ વાતનો તું જલ્દી પલવાર કરી લે૦ ૧. પૂન્ય વધ્યું કે પાપ વધ્યું છે, સરવાળે શું વધ્યું ઘટ્યું છે, તાજવડે એ તોલ કરીને, દિલનો હળવો ભાર કરી લે૦ ૨. પુન્ય વધે તો ગર્વ ન કરજે, પાપ વધે તો હિંમત કરજે, માફી માગી જિનવર પાસે, પાપનો તું એકરાર કરી લે૦ ૩. ભુલ બધી તું ભુલી જાજે, કદીન ભૂલી કબૂલી જાજે, અપકારી પર ઉપકાર કરી આ, જીવન નૈયા પાર કરી લે૦ ૪. મોંઘા માનવ વન ફુલવાડી કંઈ સાથે જે ફુલ ઝાડી, જીવન ઝરમરનો થઈ માળી, વાડીને ગુલઝાર કરી લે૦ ૫. આ જીવન છે છેલ્લો ફેરો, ચુકવી દે સહુનો કરવેરો, લેતી દેતી પતાવી આતમ, પરમાતમ એકતાર કરી લે૦ ૬.
૬ (૨૪) “નવપદ મહિમા”
નવપદ મંગલ મંત્ર નિધાન, પતિત પાવન યંત્રનું ધ્યાન ભજ પ્યારે તું નવપદ ધ્યાન, ક્રોડો ભવના પાપતોફાન, ક્ષણ ક્ષણ વિણસે ધરતાં ધ્યાન૦ ૧. અરિહંત શાસન વિશ્વે પ્રમાણ. સિદ્ધ નિરંજન તારકમાન, સૂરિ ઉવજ્ઝાય સાધુ જાણ, જેહ બને જયવંત સુકાન. સમિકત જ્ઞાનને ચરણ વિધાન, તપથી વિઘ્ન હરણ મંડાણ, ગુલાબ સુગંધથી લબ્ધિ લહાણ, દિવ્ય લહે જીતેન્દ્ર વિજ્ઞાન, નવપદ મંગલ મંત્ર નિધાન, પતિત પાવન યંત્રનું ધ્યાન.
(૨૫) વીર ઉપસર્ગ
વિષ ભરીને વિષધર સૂતો, ચંડકોશિયા નામી, મહા ભયંકર એ મારગમાં વિચરે મહાવીર સ્વામી. જાશો મા પ્રભુ પંથ
૫૨૦
Page #552
--------------------------------------------------------------------------
________________
(
પૂજા ભાવનામાં બોલવાના સ્તવનાદિ સંગ્રહ
વિકટ છે. ઝેર ભર્યો એક નાગ નિકટ છે. હાથ જોડીને વિનવે વીરને, લોક બધા ભય પામી ૧. આવી ગંધ જ્યાં માનવ કેરી, ડંખ દીધો ત્યાં થઈને વૈરી, હિંસા અને અહિંસા વચ્ચે, લડાઈ ભીષણ જામી. ૨. દૂધ વહ્યું જ્યાં પ્રભુને ચરણે, ચંડ કોશિયો આવ્યો શરણે, કંઈક સમજ તું કંઈક સમજ તું, કહે કરૂણા આણી. ૩. વેરથી વેર શમેના જગમાં, પ્રેમથી પ્રેમ વધે જીવનમાં, પ્રેમ ધર્મનો પરિચય પામી, નાગ રહ્યો શિરનામી, મહા ભયંકર એ મારગમાં૦ ૪.
F (૨૬) રાજુલનો સંદેશો થકી એક રાજુલ રાણીએ પૂછ્યું, ઓ રંગ રસીયા (૨) તને વહાલું કોણ (૨) સંયમ કેરી વાટડી, આતમ જાગ્યો મારો આજથી (૨) ચાલ્યા હવે અમે ગઢ ગિરનાર. ૧. સંયમ, સંદેશો રાજુલ મોકલે, મુજને લઈ ચલો તુમ સાથ (૨) સંયમ, માતાં પિતા ઘણું વિનવે, લાવીશું મનગમતો ભરથાર. ૨. સંયમ, રાજુલ રાણી ચાલીયા સહસાવન, લીધો સંયમ ભાર. સંયમ૦ ૩. ગયા સિદ્ધશિલાની વાટડી, પહોંચ્યા મુક્તિ મોઝાર સંયમ કેરી વાટડી. ૪.
ક (૨૭) વિદાય વેળા 5
(રાગ-સોહિની) વિદાય વેળા આવી, વનના પંખીડા વીખરાયાં, જાતાં જાતાં પ્રેમ ભરેલી પાંખો ફડફડ થાય, પુરૂં થયું સંગીત આજનું કાલની કાલે વાત, સુખદુઃખના ગીત ગાતાં ગાતાં, વીતી ગઈ રાત, કોઈની આંખડી જોલા ખાય, પંખીડા વિખરાયા. ૧. દૂર દૂરના પંખી આપણે, દૂર દૂર ઘરની વાટ, પ્રેમભક્તિમાં ભુલી ગયા સૌ, અંતરનો ઉચ્ચાટ, જાઓ ભલે પણ પ્યારા પંખી વહાલ દયમાં ધરજો. ઉડતાં ઉડતાં ફરી મલીશું એવો નિશ્ચય કરજો; હવે અવસર વીતી જાય પંખીડા વિખરાયા.
Page #553
--------------------------------------------------------------------------
________________
-
-
-
-
--
-
----
-
-
-
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
= (૨૮) પ્રાર્થના પ્રભુ મારા કંઠમાં તું દેજે એવો રાગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. પ્રભુ મારા સૂરમાં તું પુર એવો રાગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. જગને રીઝાવી રીઝાવી હું રાચું, ના સમજાયે સંગીત સાચું, ભરજે તું અંતરમાં એવી કંઈ આગ, જેથી હું ગાઈ શકું વીતરાગ. વેરને ઝેરની વાંસળી વગાડી, ગીતો ઘમંડના ગાયાં, બેસુરો બોલે મારો તનનો તંબુરો, સૂરો બધાં વીખરાયા. પ્રગટાવજે તું પ્રતની પરાગ, જેથી દુનિયાની માયા છે દુઃખડાની છાયા, તોયે કદી ના મુકાતી; જ્ઞાની ઘણાંએ દેખાડી ગયાં પણ દિશા હજી ના દેખાતી, ચમકાવજે તું એવો ચીરાગ, જેથી હું જોઈ શકું વીતરાગ પ્રભુ મારા કંઠમાં)
F(૨૯) સમાધિ કરીલે કસોટી, કરીલે કસોટી, કોટી કોટી વાર મારી કરી લે કસોટી, મારી શ્રદ્ધાને તું તો જોઈલે કસીને દુઃખના પત્થર પર એને જોજે ઘસીને, કદી નહીં ઉતરે એતો રતીભાર ખોટી. ૧. ચાહે ભડભડતી ભિષણ ભઠ્ઠીમાં નાંખજે, ચાહે દરિયાના ઉંડા જલમાં ડુબાડજે, લાખ લાખ રીતે મુજને લેજે લસોટી. ૨ કરવાં જે હોય તારે કરી લેજે પારખાં, મારે તો સુખ દુઃખ બંને એકજ સરખાં, જોઈલે વિપદ કેરા વાદળા વિંઝોટી કરીલે કસોટી
EE (૩૦) “રંગભૂમિ” SF આ દુનિયાની રંગભૂમિ પર કોઈ બને મોર ને કોઈ બને ઢેલ, આવ્યા છે સહુએ કરવાને ખેલ. મનખાં માટીના અજવાળાને, કોઈનું દીવેટ તો કોઈનું દીવેલ. ૧. કોઈ થાય રાજા તો કોઈ થાય ભિખારી, કોઈ ખાય ખાજા તો કોઈનું પેટ ખાલી. વિધિએ વહેંચ્યા છે વિધ વિધ પાઠો, કોઈને છે જેલ તો કોઈને છે મહેલ. આવ્યા૦ ૨. કોઈ થાય સાધુ સંસાર ત્યાગી, માયા ને મોહમાં કોઈ રંગરાગી, જોગી કે ભોગી કોઈને જડેના, જીવન
Page #554
--------------------------------------------------------------------------
________________
સત્યનું સંગીત મરણનો સાચો ઉકેલ આવ્યા) ૩. કોઈ જાય આજે તો કોઈ જશે કાલે, કોઈને કલંક કોઈને તિલક છે ભાલે, કોઈનો અંત સુખમાં, કોઈનો અંત દુઃખમાં, એમ પુરો રે આ થઈ જશે ખેલ. આવ્યા છે૦ ૪.
ક (૩૧) તમે રે સહારા Fા
(રાગ-અમે રે મહિયારા રે) તમે રે સહારા રે મંગળધામના, એજી મારે શરણા તમારા લેવા. સહારા રે૦ ૧. કૃપાળુ દેવ મારી વાસના નિવાર, ભૂલા પડેલાને પંથ અજવાળજો. એજી મારે (૨) દુઃખડાં કેને જઈ કહેવા સહારારે. ભવના બઝારે હું સુખ લેવા નિસર્યો, સુખના ભંડાર તારા સાવ હું તો વિસર્યો, એજી મારે. (૨) કર્મોના પાશ કોને કેવા. સહારા રે૦ ભક્તિના દીપથી ઉતારૂં તારી આરતી, માંગું છું એટલું સુધારજો રહેમથી. એજી મારે (૨) અંતરના આંસુ ધોવા. સહારા રે૦
SF (૩૨) સત્યનું સંગીત H
(રાગ-જ્યોતિ સે જ્યોત). સત્યનું સંગીત ગાઈ ગયા, પ્રેમનો મંત્ર સુણાવી ગયા; દુઃખ ભરેલી દુનિયામાં અંતરના અમીરસ પાઈ ગયા, પ્રેમનો૦ રાજતણી એ આશા છોડી, માયાથી મન મોડી, તૃષ્ણાને તરછોડી દઈને, વાટ લીધી જંગલની. વનવન જંગલ ઘૂમી વળ્યા. પ્રેમનો૦ ૧. પંથ ભૂલેલા મળીયા ગોવાળો, પગ પર ખીરજ રાંધ્યા, કાનમાં ખીલા ઠોકી દઈને, પાછળથી પસ્તાયા, આશીષ (૨) ઉરના દેતાં રહ્યાં. પ્રેમનો૦ ૨. કર્મ ઉદયથી મળીયો ગોશાળો, મંત્ર ઘણાં અજમાવ્યા, કર્મ ઉત્તેજી લેગ્યા છોડી, એણે અંગ અંગ દાહ જગાવ્યો. તો યે સમતા મનમાં ધરતાં રહ્યાં. પ્રેમનો મંત્ર સુણાવી ગયા૦ ૩.
Page #555
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
i (૩૩) in ભલું થયું કે અમે જિન ગુણ ગાયા, રસનાનો રસ પીધો રે; રાવણરાયે નાટક કીધું, અષ્ટાપદ ગિરિ ઉપરે રે. ભલું થઈ થઈ નાચ કરે મારા વ્હાલા, તીર્થકર પદ બાંધ્યું રે; થાળ ભરી ભરી મોતીડે વધાવો, પ્રભુજીને ફુલડે વધાવો રે. દેવચંદ્ર કહે મારા મનનાં, સકળ મનોરથ સિધ્યા રે; એ પૂજા જે ભણે ભણાવે, તસ ઘર મંગળ હોજો રે. ભલું
F (૩૪) F આજ મારા દેરાસરમાં, મોતીડે મેહ વરસ્યા રે; મોતીડે મેહ વરસ્યાં રે, હીરલે મેહ વરસ્યાં રે. મુખડું દેખી પ્રભુજી તમારું, હૈયા સહુના હરખ્યાં રે; ઝગમગ ઝગમગ જ્યોતિ ઝલકે, વરસે અમીરસ ધારા રે. અનુપમ મુખ નિરખી વિકસે, અંતર ભાવ અમારા રે; વીર પ્રભુની માયામાંથી, ભક્તિના રંગ જમાયા રે; ચરણ કમલની સેવા પામી, ભક્તે પ્રભુગુણ ગાયા રે. ભવ અનંતના બંધન તુટ્યાં, ભ્રમણા ભાંગી ગઈ રે, વિજય વર્યો શિવપુરને પંથે, મતલબ પૂરી થઈરે-આજ0
BE (૩૫) શોધી લે જીવનનો સાર, ઓ માનવી શોધી લે જીવનનો સાર; માનવનો દેહ તને મોંઘો મળ્યો છે, કરજે વિવેકથી વિચાર. માયાના મોહમાં ઘેલો બનીને, ખેંચીશમાં પાપ તણો ભાર. ઓ. દૃષ્ટિ મળી છે તો સૃષ્ટિ નિહાળ જે, ત્યાગીને મનનો વિકાર, કુદરતના દર્શન તું કરજે કિરતારમાં, ઘટ ઘટમાં એનો ઘડનાર. ઓ૦ માયા હશે તોયે સાથે ના આવશે, માથે છે જમડાનો ભાર. સગા સંબંધી સહુ રડશે ને પાછળથી કરશે પોકાર. ઓo મુક્તિના દ્વાર સમ માનવનો દેહ છે, સાગર સમો છે સંસાર. તરવું કે ડૂબવું વાત તારા હાથની, સમજીને હોડી હંકાર. ઓ.
Page #556
--------------------------------------------------------------------------
________________
મા બાપને ભૂલશો નહિ
ભક્તિ ભગવાનની કરજે હંમેશા સમજીને ખાંડાની ધાર. શ્રદ્ધાથી જીવનની નૌકાને હાંકજે, લઈ જાજે સામે પાર, ઓછ
(૩૬)
ચાર દિવસની ચાંદની ને, પછી ઘોર અંધારી રાત રે; ચેતન ચેતી લેજે, પ્રભુની સાથે પ્રીત બાંધીને કરો અંતરની વાતરે, ચે૦ શ્રદ્ધા વિનાની જીવન નૈયા, ડોલા આમતેમ ખાય રે. રાગ ને દ્વેષ દોય ચોરટા, તુજ ચોરી જાશે અંતર ધનરે, ચે૦ સમા શિખામણ સમજે છે સાનમાં, મૂરખને નહિ ભાન રે. ચે૦
૬ (૩૭) મા બાપને ભૂલશો નહિ
ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહિ; અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ.
૧
પત્થર પૂજ્યાં પૃથ્વી તણા, ત્યારે દીઠું તુમ મુખડું; એ પુનિત જનના કાળજાં, પત્થર બની છુંદશો નહિ. ૨ કાઢી મુખેથી કોળીયો, મ્હોમાં દઈ મોટાં કર્યાં; અમૃત તણા દેનાર સામે, ઝેરનો ઝીંકો નહીં. લાખો કમાતા હો ભલે, મા બાપ જેમાં ના ઠર્યાં; એ લાખ નહિ પણ રાખ છે, એ શાણપણ ભૂલશો નહિ. ૪
સુવડાવ્યા આપને;
થકી ભીંજવો નહિ. પ
૩
ભીને સૂઈ પોતે અને, સૂકે એવી અમીમય આંખને, આંસુ
ફૂલો
બિછાવ્યાં પ્રેમથી,
જેણે તમારા રાહપર; એ રાહબરના રાહ પર, કંટક કદા બનશો નહિં. ૬
૫૨૫
ધન ખરચતાં મળશે બધું, માત પિતા મળશે નહિં; માનવ જીવનમાં ઈષ્ટ જે, સેવા વિના ફળશે નહિ. ૭
Page #557
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૩૮) છેલ્લી પ્રાર્થના
પ્રભુ આટલું તો આપજે, ભગવાન મને છેલ્લી ઘડી. ના રહે મોહ માયા તણા, બંધન મને છેલ્લી ઘડી. આ જીંદગી મોંઘી મળી, પણ જીવનમાં જાગ્યો નહિ. અંત સમયે આપજો મને, સાચી સમજ છેલ્લી ઘડી. જયારે મરણ શય્યા પરે, મિંચાય છેલ્લી આંખડી. ત્યારે પ્રભુ તું આપજે, પ્રભુ મય છેલ્લી ઘડી. હાથ પગ નિર્બળ બન્નેને, શ્વાસ છેલ્લો સંચરે. હે દયાળુ આપજે, દર્શન મને છેલ્લી ઘડી. હું જીવન ભર સળગી રહ્યો, સંસારના સંતાપમાં. પ્રભુ આપજે શાંતિ ભરી, નિંદ્રા મને છેલ્લી ઘડી. અગણિત પાપો મેં કર્યાં, તન મન વચન યોગે કરી. હે ક્ષમાસાગર આપજે, ક્ષમા મને છેલ્લી ઘડી. અંત સમય આવી મુજને, ન દમે ઘટ દુશ્મનો. જાગૃતપણે મનમાં રહું, તારૂં સ્મરણ છેલ્લી ઘડી.
૬ (૧) શ્રી પાર્શ્વનાથજી સ્તવન
તું પ્રભુ માહરો હું પ્રભુ તાહરો, ક્ષણ એક મુજને નહિ વિસારો; મ્હેર કરી મુજ વિનતિ સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો. ૧ લાખ ચોરાશી ભટકી પ્રભુજી, આવ્યો તારે શરણે પ્રભુજી; દુર્ગતિ કાપો શીવ સુખ આપો સ્વામી સેવક જાણી નિહાળો. ૨ અક્ષય ખજાનો પ્રભુતારો ભર્યો છે, આપો કૃપાળુ મેં હાથ ધર્યો છે; વામા નંદન જગ વંદન પ્યારો, દેવ અનેરામાં તુંહી ન્યારો. ૩ પળ પળ સમરૂં નાથ શંખેશ્વર, સ્મરણ તારણ તુંહી જિનેશ્વર; પ્રાણ થકી તું અધિકો વ્હાલો, દયા કરી મુને નેહે નિહાળો. ૪ ભક્ત વત્સલ તારૂં બિરૂદ જાણી, કેડ ન છોડું પ્રભુ લેજો જાણી; ચરણોની સેવા હું નિત્ય ચાહું, ઘડી ઘડી મનમાં ઉમાડું. પ
૫૨
Page #558
--------------------------------------------------------------------------
________________
સામાન્ય જિન સ્તવન
જ્ઞાન વિમલ તુજ ભક્તિ પ્રભાવે, ભવો ભવનાં સંતાપ સમાવે; અમીય ભરેલી તારી મૂર્તિનિહાળી, પાપ અંતરનાં લેજો પખાળી. ૬.
E (૨) સામાન્ય જિન સ્તવન | હે પ્રભુ નિર્ભય હવે જો નાડ છે તુજ હાથમાં, હે પ્રભુ ટાળો દરદ નાડ છે તુજ હાથમાં, મોહ મંદિર છાક ચસકી, હા ગુમાવી ચેતના રોગ રોમે રોમે વ્યાપ્યો. તે તપાસો નાડમાં. ૧. માન મુગર શિર ફુટવું, ક્રોધ ફણીધર ડંખતા; ચોંટી માયા દુષ્ટ ડાકણ, સૌ મળ્યા છે સાથમાં; તાપ મિથ્યા પ્રગટી ચડતો ધમધમે છે જીવ, આ તાપ ગતિને શાંત કરવા નાથ રાખો બાથમાં, કુરતાની ઉલટીથી, કમ કમાટી છૂટતાં, નાથ દુઃખમાં તરફડું છું, છે મુંઝાણો આતમા. થાય છે શું થાય છેશું તે કશું કહેવાયનાં, છે ન શાંતિ જ્યાં વસુ ત્યાં, ભૂલતા ભવ પાથમાં, દીનદુઃખીયાને ઉગારો, મુખ કાપો રોગના, ભાવ ગદ ધનવંતરી છો, હાથ પકડો હાથમાં, રોગ હર ચરિત્ર ચિદઘન જ્યાં તમારો વાસ ત્યાં નિત્ય દરિસણ પાઠ દેવી લેઈ ચાલોને સાથમાં.
ક (૩) શ્રી સંભવજિન સ્તવન H. ક્યું જાનુ ક્યું બની આવહિ. શ્રી સંભવ જિનરાજ હો મિત્ત. તુજ મુજ અંતર મોટ હો, કિમ ભાસે તે આજહો મિત્ત. ક્યું. ૧ મુજ પ્રવર્તન જેહ છે, તે ભવવૃદ્ધિનો હેત હો મિત્ત. હું કર્તા કર્મજ તણો, કરિયે તે કર્મ ચેત હો મિત્ત. ૨. જીવ ઘાતાદિ કરણ કરી, કરણે કારક ઈમ હોય તો મિત્ત. અક્ષય પંચ પોષક સદા, કારક સંપયાણ જોય હો મિત્ત. ૩ ઈમ મનુજનો ભવ ભલો, હારીને સુણજે સ્વામી હો મિત્ત. નરક નિગોદ વિષે ગયો, ખટકારક મુજ નામ હો મિત્ત૪ તે વિપરિત એ સાધિ, તું કરતા શિવ ઠાણ હો મિત્ત. કરિયે તે કારક કર્મ છે, શુભ સેવન કરણેણ હો મિત્ત. ૫
પર
Page #559
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
દેઈ ઉપદેશ વિ લોકને, દીધો કર્મને ત્રાસ હો મિત્ત. કર્મ થકી અલગો થયો, સિદ્ધિ વિષે ગયો ખાસ હો મિત્ત. ૬ ઈમ તુજ મુજ અંતર પડ્યો, કિમ ભાંજે ભગવંત હો મિત્ત. પણ જાણું તાહરી પરે, સાધતા ભાંજશે તંત હો મિત્ત. ૭ તવ કર્તા નિજ અર્થનો, ભોક્તા પણ તસ થાય હો મિત્ત. તુજ મુજ અંતર વિટળે, વિમંગલિક બની આય હો મિત્ત. ૮ અજરામર તસ સુખ હોયે, વિલસે અનંત રિદ્ધિ હો મિત્ત. ઉત્તમ ગુરુ સેવા લહે, પદ્મવિજય ઈમ સિદ્ધિ હો મિત્ત. ૯
૬ (૪) શ્રી પદ્મપ્રભજિન સ્તવન
ક્યારની મારી આંખલડી, મારી આંખલડી. પ્રભુ મુખ જોવાને તલસે રે, ક્યારે ભાગ્ય ઉદય એજાગે રે. ક્યારે મનોરથ ફલશે રે, ક્યારની મારી આંખલડી. ૧ છતી ઋદ્ધિ વૈભવને છોડી, ત્યાગ માર્ગે ચાલ્યા; સહ્યા પરિસહો ને ઉપસર્ગો, કઠીન કર્મ બાળ્યા રે. કયા. ૨ પ્રગટી ઝળહળ કેવળ જ્યોતિ, બારી પર્ષદા આવે; અમૃત જેવી મીઠી મધુરી, વાણી પ્રભુજી સુણાવે રે. કયા. ૩ રાજપાટને છોડે રાજા, ધનવંતા ધન છોડે: વાણી સુણી વૈરાગી થઈને, મોક્ષ માર્ગે દોડે રે. કયા. ૪ અકલ સ્વરૂપી અકલનિરંજન, અદ્ભુત ગુણથી ભરીયા; ભવસાગરમાં ડૂબતાં પ્રાણીને, બાંહ્ય ગ્રહી ઉદ્ધરીયારે. કયા. પ જગમાં સાચા દેવ તમે છો, નામ ધારી છે બીજા; શરણ ગ્રહ્યું છે તારૂં માનું, સઘલા કારજ સીઝારે. કયા. ૬ કડીનગરમાં પદ્મપ્રભજિન શ્રી ચિંતામણિ પાસ; લબ્ધિસૂરિ શિશુ પદ્મ કહે છે, પૂરજો મારી આશરે. કયા. ૭
૫૨૮
Page #560
--------------------------------------------------------------------------
________________
શ્રી અનંતનાથ જિન સ્તવન
5 (૫) શ્રી અનંતનાથ જિન સ્તવન 5
કરૂણાપર પ્રભુ વિનવું રે, વિનતડી અવધાર; તુજ દર્શન વિણ હું ભમ્યો રે, કાલ અનંત અપાર. જિણંદરાય. હવે મુજ પાર ઉતાર. ૧. સૂક્ષ્મ નિગોદમાં હું ભમ્યો રે, પુલ પરિટ્ટ અનંત અવ્યવહાર રાશિ વસ્યો રે; ભવ ક્ષુલ્લક અતિજંત. જિ૦ ૨. સૂક્ષ્મ સ્થાવરપણું પામીયો રે, અનુક્રમે બાદર ભાવ; જન્મ મરણ પ્રભુ બહુ કર્યા રે, જિહાં સુખનો અટકાવ. જિ૦ ૩. વિકલ પણું પામ્યો પછી રે, તિર્યંચ પચેંદ્રિ અજાણ; શુદ્ધ તત્વ જાણ્યા વિનારે, ભમીયો નવનવ ઠાણ. જિ૦ ૪. ઈમ કોઈ પૂરવ પુન્યથી રે, મનુષ્ય જન્મ સુજાણ; શુદ્ધ સામગ્રી સંયોગથી રે, દીઠો તું ત્રિભુવન ભાણ. ૫. અનંતનાથ જિનેશ્વરૂપે, તારક તું જગદેવ; મોહન કહે તુજ નામથીરે, ટળશે અનાદિ કુટેવ. જિ૦ ૬.
૬ (૬) શ્રી સુમતિનાથનું સ્તવન , - સુમતિ નિણંદશું વિનતિ રે, ભવ અટવી હરનાર; હું
અનાદિ નિગોદમાં રે, ભમિયો અનાદિકાળ રે, જિનજી મુજ વિનતિ અવધાર. ૧. સિદ્ધ એકની સહાયથી રે, નિકળ્યો ત્યાંથી બહાર; બાદર સ્થાવરમાં ભમ્યો રે, કેમે ન આવ્યો પાર રે. જિ0 ૨. વિકલેન્દ્રિય માંહિ વસ્યો રે, પણ સ્થિરતા નહિ કયાંય; પંચેન્દ્રિય પણું પામીયો રે, શુભોદયની સહાય રે. ૩. ત્યાં પણ નરકમાં ઉપન્યો રે, કર્મ તણે અનુસાર; સાગર તેત્રીશ તિહાં રહ્યો રે, કષ્ટ તણો નહિ પાર રે. જિ૦ ૪. તિર્યંચ ગતિ માંહે ગયોરે, ચડ્યો કસાઈને ધાર; છેદન ભેદન દુઃખ સહ્યાં રે, કેણે ન લીધી મોરી સાર રે. જિ૦ ૫. દેવના ભવમાં દુઃખ ઘણું રે, મરણનો ભય મન માંહે; મનુષ્ય ગતિમાં આવીયો રે, શુભોદયની સહાય રે. જિ૦ ૬. દેશ અનાર્યમાં ઉપન્યો રે, નીચ કળે અવતાર તિહાં પણ તુમ દર્શન વિના રે, ગયો જન્મારો હાર. જિ૦ ૭. ઈણ વિધ નાટક બહુ પરે રે, નાચ્યો દીન દયાળ; હવે તુમ ચરણે આવીયો રે, ભવ અટવી દૂર ટાળ. જિ૦ ૮. વિનતિ સુણો પ્રભુ માહરીરે,
પિ૨૯
Page #561
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સેવકની કરો સાર; મહેર કરી પ્રભુ કીજીએ રે, શિવ લક્ષ્મી શિરદાર રે. ૯. મુજ મન સરોવરમાં વસ્યો રે, હંસ તણી પરે આજ; તેહ થકી દૂરે ટળેરે, દુષ્ટ કરમના કાજ રે. જિ૦ ૧૦.
(૭) શ્રી વિમલજિન સ્તવન
(રાગ-મારું મન મોહ્યું રે શ્રી સિદ્ધાચલેરે) વિમલ જિનેશ્વર સુણ મુજ વિનતી રે, તું નિસ્નેહી છે આપ; હું સસનેહી છું પ્રભુ ઉપરે રે, ઈમ કિમ થાસે મિલાપ. ૧. નિસ્નેહી જિન વશ આવે નહિ રે, કીજે કોડી ઉપાય, તાલી એકણ હાથે બજાવતારે, ઉદ્યમ નિષ્ફળ થાય. ૨. રાત દિવસ રહિએ કરજોડીને રે, ખિજમત કરીએ રે ખાસ તો પણ જે નજરે આણે નહિ રે, તે શ્વે દેશે શાબાશ વિ. ૩. ભક્ત વત્સલજિન ભક્તિ પસાયથી રે, ચઢશે કાજ પ્રમાણ; ઈમ થિર નિજમન કરીને જે રહે રે, લહે ફલ તે નિરવાણ. વિ૦ ૪. મેં પોતે મન સ્થિર કરી આદર્યો રે, તું પ્રભુ દેવ દયાલ; આપ વડાઈ નિજમન આણીને રે, દાનવિજય પ્રતિપાલ. વિ૦ ૫.
5 (૮) શ્રી અઝાહરા પાર્શ્વનાથ સ્તવન ,
(રાગ-શી કહું કથની મારી હો રાજ) પ્રતિમાની બલિહારી મહારાજ, પ્રતિમાની બલિહારી, શ્રી અઝારા પાર્થ તુમારી મહારાજ. પ્રતિમાની. ૧. ઉના નગર જિહાં હીરસૂરીશ્વર, પાદુકા પવિત્ર બીરાજે; તસ નિકટે અજાહરા ગામમાં દેવલ ગગનમાં ગાજે મહારાજ, પ્રતિમા૦ ૨. ચૌદહ ઉદ્ધાર થયા તસ, શીલાલેખથી જાણું, તેમાં સંવત ૧૪૧૮નો, ઘંટ પુરાણો વખાણું મહારાજ. પ્રતિમા૩. દેવલમાં મુરતિ અનુપમ, મહિમા અતિશય અપાર; જશ તેહનો બ્રહ્માંડ જગતમાં, વિસ્તયો છે શ્રીકાર મહારાજ. પ્રતિમા, ૪. કયાંથી મૂર્તિ આવી અહીંયા પર, કોણ તેને લઈ આવ્યું; કોણે નગર વસાવ્યું સુંદર, દેવલ કોણે બંધાવ્યું મહારાજ. પ્રતિમા છે. તે કહું છું હવે રામ લક્ષ્મણના,
પ૩૦
Page #562
--------------------------------------------------------------------------
________________
શ્રી સિદ્ધશિલાની ઝાય
પૂર્વજ થયા અજરાજા, એકશો સાત રોગે પીડાણા, પણ દીલડામાં તાજા મહારાજ. પ્રતિમા૦ ૬. સેંકડો રાજાને જીતીને, શ્રી સિદ્ધાચલ આવ્યા; યુગાદિ દેવને નમન કરીને દેવ મંદિરમાં ડાયા મહારાજ. પ્રતિમા૦ ૭. સોયાત્રિક વાણીયે ભાડી પાર્શ્વનાથની સારી, પ્રતિમા આપી અપૂરવ તેહને; રોગ સકલ ક્ષયકારી મહારાજ. પ્રતિમા, ૮. પદ્માવતીએ કહ્યું હતું તસ, આકાશવાણી સુણાવી, દરિયાથી પ્રતિમા કઢાવી, આપજ દેવમાં આવી મહારાજ. પ્રતિમા૦ ૯. ધરણેન્દ્ર લાખ વર્ષ પૂજી છે, છસો વરસ કુબેરે, સાત લાખ વરસો સુધી, સેવી વરૂણ દેવે. મહારાજ. પ્રતિમા૦ ૧૦. હવે અજય રાજાના ભાગ્યથી પ્રતિમા ઈહાં તે આવી. એ પ્રમાણે વાણવટીયાએ, કરી વાત થઈ આવી મહારાજ. પ્રતિમા) ૧૧. પારસમણી સમ પાર્થપ્રભુના દર્શનથી અતિસારું; લોખંડ સમ હતું તે સોનાસમ, રાજાનું અંગ થયું સારૂં મહારાજ. પ્રતિમા, ૧૨. શેઠને શિરપાવ આપી રાજાએ અજયપુર વસાવ્યું, દેહરૂ કરાવી ગામ દશ આપી, રાજાએ પાપ નશાયું મહારાજ. પ્રતિમા, ૧૩. પારસ પ્રભુ પધરાવી ત્રીજું કાલે, પૂજા કરવા લાગ્યો; શ્રી સિદ્ધાચલ જાત્રા કરીને, વ્રત આરાધવા લાગ્યો મહારાજ. પ્રતિમા, ૧૪. સ્વર્ગ ગમન કર્યું તેને વર્ષો, આઠ લાખ થયા માંય; તેહની પ્રથમ સંખ્યાશું ગણતાં, સોલલાખ થઈ જાય મહારાજ. પ્રતિમા૦ ૧૫. સોલ લાખ વરસો પહેલાની, પ્રતિમા એહ છે સારી; પૂજશે તે નર હંસતણી પરે, ઉતરશે ભવ પાર મહારાજ. પ્રતિમા૦ ૧૬.
(૯) શ્રી સિદ્ધશિલાની સજઝાય (સ્તવન) Fા શ્રી ગૌતમ પૃચ્છા કરે, વિનય કરી શીર્ષ નમાય હો પ્રભુજી; અવિચલ થાનક મેં સુણ્યો, કૃપા કરી મોય બતાવ હો પ્રભુજી
શિવપુર નગર સોહામણો. ૧. આઠ કરમ અળગા કરી, સાર્યા અંતિમ કામ હો પ્રભુજી; છૂટ્યા સંસારના દુઃખ થકી, એને રહેવાનો કુણ ઠામ હો પ્રભુ૦ ૨
૫૩૧
Page #563
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વિર કહે ઉર્ધ્વલોકમાં, મુગતિ શિલા એણે ઠામ હો ગૌતમ; સ્વર્ગ છવ્વીસન ઉપરે, તેહના બારે નામ હો ગૌ૦ શિ૦ ૩ લાખ પિસ્તાલીશ જોયણે, લાંબી પહોળી જાણ હો ગૌ0; આઠ જોજન જાડી વચ્ચે, છેડે પાતળી સંત હો ગૌ૦ શિ૦ ૪ ઉજ્જવળ હાર મોતીતણો, ગાય દૂધ શંખ વખાણ હો ગૌ૦; એથી ઉજળી અતિ ઘણી, સમચોરસ સંસ્થાન હો ગૌ૦ શિ૦ ૫ અર્જુન સોનામય દીપતી, ગઠારી મઠારી જાણ હો ગૌ0; સ્ફટિકરતન વચ્ચે નિર્મળી, સુંવાળી અત્યંત વખાણ હો ગૌ૦ શિ૦ ૬ સિદ્ધશિલા એળંગી ગયા, અર્ધ રહ્યા છે વિરાજ હો ગૌ0; અલોકે શું જઈ અડ્યા, સર્યા અંતિમ કાજ હો ગૌ૦ શિ૦ ૭ જિહાં જનમ નહિ મરણ નહિ જરા નહિ રોગ હો ગૌ૦ઃ શત્રુ નહિ મિત્ર નહિ, નહિ સંયોગ વિયોગ હો ગૌ૦ શિ૦ ૮ ભુખ નહિ તૃષા નહિ, નહિ હરખ નહિ શોક હો ગૌO; કર્મ નહિ કાયા નહિ, નહિ વિષય રસ ભોગ હો ગૌ૦ શિ૦ ૯ શબ્દ રૂપ રસ ગંધ નહિ, નહિ ફરસ નહિ વેદ હો ગૌ0; બોલે નહિ ચાલે નહિ, મૌન જિહાં નહિ ખેદ હો ગૌ૦ શિ૦ ૧૦ ગામ નગર તિહાં કો નહિ, નહિ વસ્તી નહિ ઉજડ હો ગૌ0; કાળસુકાળ વરતેનહિ, નહિ રાત દિવસ તિથિ વાર હો ગૌ૦ શિ૦ ૧૧ રાજા નહિ પ્રજા નહિ, નહિ ઠાકોર નહિ દાસ હો ગૌ0; મુગતિમાં ગુરૂચેલા નહિ, નહિ લહોડ લડાઈ વાસ હો ગૌ૦ શિ૦ ૧૨ અનુપમ મુખમાં ઝીલી રહ્યા, અરૂપી જ્યોતિ પ્રકાશ હો ગૌ0; સઘળાને સુખ સારિખું, સહુ કોને અવિચલ વાસ હો ગૌ૦ શિ૦ ૧૩ કેવળજ્ઞાન સહિત છે, કેવળ દરિસન પાસ હો ગૌ0; ક્ષાયિક સમકિત દીપતો, કદિય ન હોવે ઉદાસ હો ગૌ૦ શિ૦ ૧૪ અનંત સિદ્ધ મુગતિ ગયા, ફેર અનંતા જાય હો ગૌ0; ઓર જગ્યા રુંધે નહિ, જ્યોતિમાં જ્યોતિ સમાય હો ગૌ૦ શિ૦ ૧૫ એ અર્થરૂપી સિદ્ધ કોઈ ઓળખે, આણી મને વૈરાગ્ય હો ગૌ0; શિવસુંદરી સેજે વરે, નય પામે સુખ અથાગ હો ગૌ૦ શિ૦ ૧૬
૧૫૩૨
Page #564
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો
[જિન સ્તવનો]. ક (૧) શ્રી આદિનાથજીનું સ્તવન આદિજિદ અરિહંતજી પ્રભુ અમને રે તુમેદ્યો દર્શન મહારાજ, શું કહું તમને રે આઠ પહોરમાં એક ઘડી પ્ર. લાગ્યું તમારું ધ્યાન શું. ૧ મધુકર ને મન માલતી પ્ર. જિમ મોર ને મન મેહ શું સીતાને મન રામજી પ્ર. તેમ વાધ્યો તુમ શું નેહ શું. ૨ રોહિણીને મન ચંદજી પ્ર. વળી રેવાને ગજરાજ શું સમર્થ્ય સમય પ્રભુ સાંભળે પ્ર. મનડામાં મહારાજ શું. ૩ નિઃસ્નેહી થઈ નવિ છુટ્ય પ્ર. કરૂણાવંત કહાઓ શું ગુણ અવગુણ જોતાં રખે પ્ર. તો તારક કેમ કહાઓ શું. ૪ રઢ લાગી પ્રભુ રૂપને પ્ર. મને ન ગમે બીજી વાત શું વાયે વાત બને નહીં પ્ર. મળીએ મૂકી ભ્રાંત શું. ૫ સેવે ચિંતામણી ફળે પ્ર. તું તો ત્રિભુવન નાથ શું સો વાતે છોડું નહિ પ્ર. હવે આવ્યા મુજ હાથ શું. ૬ મુંહની વાત મૂકો પર પ્ર. જિમ જાણો તિમ તાર શું સરૂ સુંદર કવીરાયનો પ્ર. પદ્મને પ્રભુ શું યાર શું. ૭
SF (૨) શ્રી આદિનાથજીનું સ્તવન કા ગિરિવરિયાની ટોચે રે જગ ગુરૂ જઈ વસ્યા રે
લલચાવો લાખો ને લેખે ન કોઈ રે આવી તલાટી ને તલિયે ટળવલું એકલો
સેવક પર જરા મહેર કરીને દેખો રે. ગિરિ. ૧ હામ ધામ ને દામ નથી હું માંગતો
માગું માગણ થઈને ચરણ હજુર જો કાયા નિર્મળ છે તે પ્રભુજી જાણજો
આપ પધારો દીલડે દલડાં પૂરજો. ગિરિ. ૨
પ૩૩
Page #565
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ જન્મ લીધો તે દુઃખીયાનાં દુઃખ ટાળવા
તે ટાળી ને સુખીયાં કીધાં નાથ જો તુમ બાલકની પેરે રે હું પણ બાલુડો
નમી વિનમી જયે ઘરજો મારો હાથ જો. ગિરિ. ૩ જેમ તેમ કરી પણ આ અવસર આવી મળ્યો
સ્વામી સેવક સામા સામી થાય જો વખત જવાનો ભય છે મુજને આકરો
| દર્શન ઘો તો લાખીણો કહેવાય જો. ગિરિ. ૪ પંચમે આરે પ્રભુજી મળવા દોહીલાં
તો પણ મળીયાં ભાગ્ય તણો નહિ પાર જો ઉવેખો નહિ થોડા માટે સાહેબા
એક અરજને માની લેજો હજાર જો. ગિરિ. ૫ સુરતરુ નામ ધરાવે પણ તે શું કરું
સાચો સુરતરૂ તું છે દીન દયાળ જો મન ગમતું દઈ દાનને ભવ ભય વારો
સાચા થાશો પર્યાય પ્રતિ પાળજો ગિરિ. ૬ કરગરું તો પણ કરૂણા જો નહીં લાવશો
લંછન લાગે સંઘપતિ નામ ધરાવી રે કે વળગ્યા તે સવિને સરખા કર્યા
ઘીરજ આપો અમને ભક્ત ઠરાવી રે. ગિરિ. ૭ નાભિ નરેશ્વર નંદન આશા પૂરજો
રેજો હૃદયમાં સદા કરીને વાસજો કાંતિવિજયનો આતમ પણ અભરામ જો
સદા સોહાગણ મુક્તિ થાય વિલાસ જો. ગિરિ. ૮
પર
Page #566
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો ૬ (૩) શ્રી અજિતનાથનું સ્તવન પ્રભુ અજિત નિણંદમુખ નીરખી હૃદયે હર્ષ ઉભરાય પ્રભુ આતમ આનંદ દાયા, મેં પુણ્ય દર્શન પાયા ચિત્ત તુજ ચરણમાં ઠાયા રે, જિન આગમ દીલ ધ્યાય.
પ્રભુ. ૧ પ્રભુ કર્મો કેર મચાયો, દુઃખ તુજ સેવક બહુ પાયો બહુ પુણ્ય હાથ તું આયો રે, તુજ ચરણે સુખ થાય.
પ્રભુ. ૨ ભવ ભ્રમણા મારી કાપો, મુજ રત્નત્રયી જિન આપો શિવધામે શિશુ નિજ સ્થાપો રે, કર્મોનું કષ્ટ જાય.
પ્રભુ. ૩ પ્રભુ અખૂટ ખજાનો તારો, છે દુઃખનો પાર ન મારે તેથી આવ્યો તુજ દ્વારે રે, લ્યો મુજને સમજાય.
પ્રભુ. ૪ કરી આત્મ કમલમાં વાસો, મુજ સકલ લબ્ધિ વિકાસો મળે શિવપુર આનંદ ખાસો રે, નિત્ય રહું ત્યાં આનંદ થાય.
પ્રભુ. ૫ ૬ (૪) શ્રી અજિતનાથ સ્તવન 5
(રાગ - તું પ્રભુ મારો) અજિત અજિતા જિન અંતરજામી અરજ કરું છું પ્રભુ શિર નામી સાહિબા સનેહી સુગુણજી, વાતડી કહું તું સાંભળ જિનજી. અજિત ૧ બાળપણાનાં આપણે સ્વદેશી તો હવે કેમ થાઓ છો વિદેશી પુન્ય અધિકા તુમે દુઆ જિગંદા આદિ અનાદિ અમે તો રબંદા. અજિત ૨
-પ૩પ
Page #567
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
તાહરે આજ મણા છે શાની તુંહી જ લીલાવંત તું જ્ઞાની તુજ વિણ અન્યને કાં નથી ધ્યાતા તો જો તું છે લોક વિખ્યાતા. અજિત ૩ એકને આદર એકને અનાદર એમ કેમ ઘટે તુજને કરૂણાકર દક્ષિણ વામ નયન બીહુ સરખી કુણ ઓછી કુણ અધિક પરખી. અજિત ૪ સામ્યતા મુજથી ન રાખો સ્વામી શી સેવકમાં જાઓ છો ખામી જો ન લહે સન્માન સ્વામિનો તો તેહને કહે સહુકો કમીનો. અજિત ૫ રૂપાતીત જો મુજથી થાશો ધ્યાશું રૂપ કરી કિહાં જાશો જડ પરમાણુ અરૂપી કહાયે ગહત સંજોગે શું રૂપ ન થાવ. અજિત ૬ ધન જો ઓગળે કિમપી ન દેવે તો દિનમણી કનકાચલ સેવે એહવું જાણી તુજને એવું તાહરે હાથ છે ફળનું દેવું. અજિત ૭ તુજ પય પંકજ મુજ મન વળગ્યું જાયે કિહાં છાંડીને અળગું મધુકર મયગલ યદ્યપિ રાચે પણ સુને મુખે લાલ નવિ માચે. અજિત ૮ તારક બિરૂદ ધરાવો છો મોટા તો મુજથી કિમ થાશો ખોટા રૂપ વિબુધનો મોહન ભાખે અનુભવ રસ આનંદ શું ચાખે. અજિત ૯
૫૩૬
Page #568
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો ૬ (૫) શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું સ્તવન . શંખેશ્વર પાસ તારી મૂરતિ કામણગારી તારા દર્શનથી ભવદુઃખ જાય રે, ભવિમન લાગે પ્યારી, કેવી ચમત્કારી
તારા દર્શનથી ભવદુઃખ જાય રે. ૧ શંખેશ્વર માંહી તુંહી બિરાજે, મહીમા તારો ત્રિજગમાંહી ગાજે આવ્યો દર્શનને કાજે, ધન્ય ઘડી ધન્ય આજે. તારા૦ ૨ પ્રતિમા સુંદર શોભે પુરાણી, દામોદર જિન વારે ભરાણી કેવી સુંદર લાગે, નિરખતા ભવદુઃખ ભાંગે. તારા૦ ૩ કાલ અનાદિ નિગોદે વસીયો, પુદ્ગલના સંગે હું ફસીયો હવે છોડું ન તારું ધ્યાન, હે કરૂણા નિધાન. તારા૦ ૪ વિદન નિવારણ સંકટ ચૂરણ, મનોવાંછિત છો તમે પૂરણ બતલાવો મુક્તિ કિનારો, જાવું ભવને કિનારે તારા૦ ૫ ભવોભવ તુમ ચરણોની સેવા, હું તો માંગુ છું દેવાધિદેવા તું છે સાચો મારો નાથ, શંખેશ્વર પાર્શ્વનાથ તારા૦ ૬ વામા ઉર સરોવર હંસ, અશ્વસેન કુલ અવતંસ દૂરથી આવ્યો તારી પાસ, પૂરજો હર્ષની આશ. તાર૦ ૭ = (૬) શ્રી ધૃતકલ્લોલ પાર્શ્વજિન સ્તવન ,
(રાગ - ઋષભદેવ હિતકારી જગતગુરૂ) પાર્શ્વજિન અજબ રૂપ દરશાયો, પાર્શ્વજિન અજબ રૂપ દરશાયો, મન અચરીજ દીલમેં ભાયો, પાર્શ્વજિન અજબ રૂપ દરશાયો. ૧ સુથરી શહેર મનોહર શોભિત, દશે દિશી મહિમા છાયો તિહાં મંદિર તીર્થપદ શોભા, સુંદર ભાંતિ બનાયો. પા૦ ૨ ધૃતકલ્લોલ પ્રભુ પાર્શ્વ સ્વામી, નામ સદા સુખ પાયો ચૌમુખ જિનજીકા ચાર હૈ, નમતા હરખ સવાયો. પા૦ ૩ આદીસરજી કો ઓર મંદિર હૈ, મંડપ સુગડ રચાયો, અજીતનાથજીકે મંદિર, શ્રેષ્ઠ પ્રતિમા વિરચાયો. પા. ૪
૧પ૩૭
Page #569
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
શ્રી ચક્રેશ્વરી મહાકાલી, થાપના મંદિર ઘ્યાયો ધરણેન્દ્ર પદ્માવતી સેવિત, પાસ પ્રભુ તુમ પાવો. પા૦ ૫ અશ્વસેન વામાકે નંદન, લંછન સર્પ સોહાયો, નીલવરણ છે પ્રભુજીકો, સકલ ભવિક ચિત્ત લાયો. પા૦ સંવત ઓગણીશ આડત્રીશ વરસે, માગસર શુક્લ કહાયો, તિથી વાર ગુરૂ એકાદસી, તિલક કુશલ ગુણ ગાયો. પા૦ ૭
(૭) શ્રી પાર્શ્વનાથનું સ્તવન
પ્રભુ પાર્શ્વ પ્યારા પ્રણમું તારે શરણે આવ્યો આજ ખુલ્લા જિગરથી પ્રણમું તારે શરણે આવ્યો આજ. ૧ હું ભવમાં ફરતો આયો, તુમ નાથ દર્શન પાયો, તુજ મૂર્તિ જોઈ હ૨ખાયો, તુજ સેવામાં લલચાયો. તારે૦ ૨ મને આપો ચરણની સેવા, તુમે દેવાધિદેવા, હું માગું શિરપુર મેવા, તુમ પાસ આવ્યો લેવા. તારે૦ ૩ તું નિર્યામક જગભ્રાતા, તું સર્વ જીવોનો ત્રાતા, શિવપુર મારગ દાતા, દાતા કરો સુખશાતા. તારે૦ ૪ સમકિત સુખડી આપો, દુરિત મુજ શિર પર કર સ્થાપો, સ્થાપી કરો કરૂણા નજરથી તારો, ભવસાગર પાર ઉતારો, મમ જન્મ મરણને વારો, ખરો આશરો તુમારો. તારે ૬ ભીડભંજન તું સ્વામી, હું અર્જ કરું શિરનામી, નીતિથી ઉદય પામી, પામી થયો શિવકામી. તારે૦ ૭
દોષને કાપો, દૂર પાપો. તારે૦ ૫
× (૮) શ્રી અભિનંદનસ્વામીનું સ્તવન (રાગ - તું પ્રભુ મારો)
અભિનંદન સ્વામિ હમારા, પ્રભુ ભવ દુઃખ ભંજણહારા, યે દુનિયા દુઃખોકી ધારા, પ્રભુ ઈન સે કરો રે નિસ્તારા. ૧
૫૩૮
Page #570
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો
હું કુમતિ કુટિલ ભરમાયો, દૂર નીતિ કરી દુ:ખ પાયો, અબ શરણ લીયો હૈ થારો, મુજે ભવજલ પાર ઉતારો. ૨ પ્રભુ શીખ હૈયે નહિ ધારી, દુર્ગતિમાં દુઃખ લીયો ભારી, ઈન કર્યોંકી ગતિ ન્યારી, કરે બેર બેર ખુવારી. અભિ. ૩ તુમે કરૂણાવંત કહાવો, જગતારક બિરૂદ ધરાવો, મેરી અરજીનો એક દાવો, ઈણ દુ:ખસે ક્યું ન છુડાવો. ૪
મેં વિરથા જન્મ ગુમાવ્યો, નહીં તન ધન સ્નેહ નિવાર્યો, અબ પારસ પરસંગ પામી, નહીં વીર વિજયકું ખામી. અભિ. ૫
(૯) સામાન્ય જિન સ્તવન
(રાગ પાવા તે ગઢથી)
મન મોહન મોરા નાથને શું કહીએજી મેં તો વિરહો ખીણ ન ખમાય જોવા જઈએજી. દિલ જાણે જાઈ મળ્યું મારી જોવા શ્રવણે સખ-દખ સાંભલું શું મારો પાવન થાશે પિંડ. જોવા...
ફરકે આંખ.
કહીએજી
શું...
૫૩૯
જોવા૦
૧
ચરણમોહે ચાલી મલું શું લઈ ભુજામાં ભિડું બાથ જોવા ષટ્કર્શન મેં ખોલિયા શું કહીએજી જોયા છત્રીશ પાંખડ જોવા જઈએજી... કોઈ ન જાણે ઓલખી શું કહીએજી મુને કોઈ ન દેખાડે નાથ જોવા જઈએજી. ૩ વાદ વદે સહુ ાજીઆ શું કહીએજી
જિમ અંધ હસ્તી ન્યાય જોવા જઈએજી નીર વિના જેમ માછલી શું કહીએજી એ તો દૂધે દોહિલી થાય જોવા જઈએજી. ૪
કહીએજી જઈએજી. ૨
Page #571
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ વિષપાન જેણે કર્યાં શું કહીએજી તે શું જાણે સુધારસ પાન જોવા જઈએજી સહી પાંચમાં જે પડ્યા શું કહીએજી તે શું જાણે વૈરાગ્યની વાત જોવા જઈએજી. ૫ કામ ક્રોધમાં જે પડ્યા શું કહીએજી તે કિમ લહે અલખ સ્વરૂપ જોવા જઈએજી નાથ નિરંજન ભગધણી શું કહીએજી. રૂપચંદ કહે કિરતાર જોવા જઈએજી. ૬
% (૧૦) શ્રી મહાવીર જિન સ્તવન બુક દુઃખ ટળિયાં મુખ દીઠે મુજ સુખ ઉપન્યાં રે ભેટ્યા ભેટ્યા વીર નિણંદ રે હવે મુજ મન મંદિરમાં પ્રભુ આવી વસો રે પામું પામું પરમાનંદ રે દુઃખ. ૧ પીઠબંધ ઈહાં કીધો સમકિત વજનો રે કાઢ્યો કાઢ્યો કચરો તે ભ્રાંતિ રે ઈહાં અતિ ઉંચા સોહે ચારિત્ર ચંદ્રુઆ રે રૂડી રૂડી સંવર ભીતિ રે. ૨ કર્મ વિવર ગોખે ઈહાં મોતી ઝૂમણાં રે ઝૂલઈ ઝૂલઈ ઘી , ગુણ આઠ રે બાર ભાવના પંચાલી અચરજ કરે રે કોરી કોરી કરણી કાઠ રે. ૩ ઈહાં આવી સમતા રાણીથૅ પ્રભુ રમો રે સારી સારી સ્થિરતા સેજ રે કિમ જઈ શકશ્યો એક વાર જો આવશો ? રંજ્યા જ્યા હિયડાની હેજ રે. ૪ વયણ અરજ સુણી પ્રભુ મન મંદિર આવિયા રે આપે તૂઠા તૂઠા ત્રિભુવન ભાણ રે શ્રી નયવિજય વિબુધ પય સેવક ઈમ ભણે રે તેડી પામ્યા કોડિ કલ્યાણ રે. દુઃખ. ૫
પિ૪૦=
Page #572
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો
(૧૧) સિદ્ધ ભગવાનનું સ્તવન : - સિદ્ધની શોભા રે શી કહું સિદ્ધ જગત શિર શોભતા, રમતા આતમરામ લક્ષ્મી લીલાની લહેરમાં, સુખિયા છે શિવઠામ. સિ૦ ૧ મહાનંદ અમૃત પદ નમો, સિદ્ધિ કેવલ્ય નામ અપુનર્ભવ બ્રહ્મપદ વલી, અક્ષય સુખ વિસરામ. સિ૦ ૨ સંશ્રેય નિઃશ્રેય અક્ષરા, દુઃખ સમસ્તની હાણ નિવૃત્તિ અપવર્ગતા, મોક્ષ મુક્તિ નિરવાણ. સિ૦ ૩ અચલ મહોદય પદ હ્યું, જોતાં જગતના ઠાઠ નિજ નિજ રૂપે રે જાજા, વીત્યાં કર્મ તે આઠ. સિ૦ ૪ અગુરુલઘુ અવગાહના, નામે વિકસે વદન્ન
શ્રી શુભવીરને વંદતાં, રહિયે સુખમાં મગન્ન. સિ૦ ૫ SF (૧૨) શ્રી કુંથુનાથ ભગવાનનો સ્તવન BE
(રાગ - તુજ દરિસણ દીઠું અમૃત મીઠું) તુજ મુદ્રા સુંદર રૂપ પુરંદર મોહીયા સાહેબજી તુજ અંગે કોડી ગમે ગુણ ગીરૂઆ સોહીયા સાહેબજી. ૧ તુજ અમીય થકી પણ લાગે મીઠી વાણી રે સાહેબજી વિણ દોરી સાંકળ, લીધું મનડું તાણી રે સાહેબજી. ૨ ક્ષણ ક્ષણ ગુણ ગાઉં, પાઉં તો આરામ રે સાહેબજી તુજ દર્શન પાખે, ન ગમે બીજું કામ રે સાહેબજી. ૩ મુજ હૃદય-કમલ બીચે, વસિયું તારું નામ રે સાહેબજી તુજ મુરતિ ઉપર માહરૂં તન મન દામ રે સાહેબજી. ૪ કરજોડી નિશદિન ઉભો રહું તુજ આગે રે સાહેબજી તુજ મુખડું જોતાં ભૂખ તરસ નવિ લાગે રે સાહેબજી. ૫ મેં ક્યાંય ન દીઠી જગમાં તારી જોડ રે સાહેબજી તુજ દીઠ પૂર્ણ પનોતા, મનનાં કોડ રે સાહેબજી. ૬
૫૪૧
Page #573
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
સાહેબજી. ૮
મુજ ન ગમે નયણે, દીઠા બીજા દેવ રે સાહેબજી હવે ભવોભવ હોજો, તુજ પદ પંકજ સેવ રે સાહેબજી. ૭ તું પરમપુરૂષ પરમેશ્વર, અકલ સ્વરૂપ રે સાહેબજી તુજ ચરણે પ્રણમે, સુરવર કેરા ભૂપ રે તું કાપે ભવદુઃખ આપે પરમાનંદ રે સાહેબજી બલિહારી તારી પ્રભુજી કુંથુ જિણંદ રે સાહેબજી. ૯ મનવાંછિત ફલીયો, તુંહી જ મલીયો જામ રે સાહેબજી ઈમ પભણે વાચક વિમલવિજયનો રામ રે સાહેબજી. ૧૦
૬ (૧૩) ૠષભદેવનું (રાગ - ૠષભ જિનરાજ મુજ આજ...)
સ્તવન
ઋષભ જિનરાજ મુજ લાજ રાખો પ્રભુ આવ્યો તુજ શરણ નમું હાથ જોડી તારક બિરૂદ પ્રભુ આપનું રાખવા કરો ભવપાર દેઈ ધર્મ જોડી. કાલ અનાદિના મોહના જોરથી દેવ નહિ ઓળખ્યા તારનારા મોહનાં કેફનાં જોરે જાણ્યા નહિ અનંત ગુણ આપને ધારનારા. દેવનો દેવ મહાદેવ તું એક છે યોગ તીન દ્વારનાં તાળાં દીધાં સાર્થકતા કરી અરિહંતના નામની શત્રુ દ્રવ્ય ભાવ તેં દૂર કીધાં. દોષ અષ્ટાદશ તેં કર્યાં વેગળાં પરમ આત્મા થયો તું નિરાગી દુરિત નિકંદન ભવદુઃખ જાણી તુજ નામમાં લગની લાગી. ઋષભ
ભંજન
૫૪૨
ઋષભ ૧
ૠષભ
ઋષભ
૨
૩
૪
Page #574
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો
|
તાહરો આશરો વજજર સમો સર્વ જીવોનો તું સુખદાતા તાહરા મુખ વચનામૃત પાનથી મુક્તિપુરી માર્ગે જીવ જાતા. ઋષભ૦ ૫ વસ્તુ ખટાશનું નામ લેતાં થકાં સુણતાં મુખમાં પાણી છૂટે તેમજ અરિહંત નામ ઉચ્ચારતાં જીવનાં કર્મનાં બંધ તૂટે. ઋષભ૦. ૬ તાહરું શાસન પામી શ્રદ્ધા થઈ દેવ - ગુરૂ - ધર્મ ત્રણ તત્ત્વ સાચા ભ્રમણતા મુજ ચિત્તની દૂર થતાં મોહને આજ દીધા તમાચા. ઋષભ૦ ૭ શીવસુખ દાયક ધર્મના નાયક તાહરૂં બીંબ મુજ નયણ ઠારે શીતલતાકારક ખેદ નિવારક ચિત્તની ભાવ શુદ્ધિ વધારે. ઋષભ૦ ૮ ધન્ય છે ધન્ય છે દિવસ મુજ આજનો ઋષભ જિનમુખ અરવિંદ જોયું આળ પંપાળનું જન્મ જન્મનું કાળ અનાદિનું દુઃખ ખોયું. ઋષભ૦ ૯ દેવ વીતરાગ તું સુરતરૂ સાધિકો સર્વદા કામિત પૂરનારો ભક્ત જાણી કરી રહેમ દિલમાં ઘરી નીતિનો ઉદય કરવા પધારો. ઋષભ૦ ૧૦
F (૧૪) શ્રી નેમિનાથનું સ્તવન , સખી શ્રાવણની છઠ્ઠ ઉજલી, ભલી વિજળીનો ઝબકાર રે એ તે વેળા પિઉજી રહ્યા, રાણી રાજુલને દરબાર રે
!
૫૪૩
Page #575
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ
પિઉજી વસે કૈલાસમાં
નેમજી વસે ગિરનારમાં. ૧ પાછા તોરણથી આવી વલ્યા, કરી અમને તે કંત વિયોગી રે કંસાર મુજ ચાખ્યા વિના, વાલો હુઓ છે ભિક્ષાનો ભોગી રે
પિઉજી) ૨ રૂડી શ્યામ ઘટા ગગને ઘરી, વાલો શામલ સુંદર વાન રે સહસાવને સમતા ધરી, રહ્યા મૌન તે ઉજ્જવલ ધ્યાન રે
પિઉજી) ૩ કોઈ દોષ વિના દયિતા તજી, મને મેલી તે બાલા વેશ રે થોવન વયમાં એકલી તજી, પિયુજી ચાલ્યા પરદેશ રે
પિઉઝ૦ ૪ સહુ યાદવ સાખે નવિદીઓ, જો હાથની ઉપર હાથ રે હાથ મેલાવીશ મસ્તકે, દેવ દેવી સાખે જગનાથ રે
પિઉજી) ૫ ઈમ રાજુલ રાગ વિરાગ સે, નેમ નામનો મંત્ર જપાય રે કાલાંતરે પ્રભુ કેવલી, સુણી રાજુલ વંદન જાય રે
પિઉજી) ૬ ચરણ ધરે નવ ભવ સુણી, શિવ પહોંચ્યા સલુણી નાર રે ગોગ વિનાશે ઉપન્યા, ગુણ અગુરૂ લઘુ અવગાહ રે
પિઉજી) ૭ સિદ્ધ સાદિ અનંતે ભંગશું, રંગ રીઝે બની ખરી પ્રીત રે શ્રી શુભવીર વિનોદ શ્ય, નિત્ય આવે છે ખિણ ખિણ ચિત્ત રે
પિઉજી) ૮ | H (૧૫) શ્રી ચંદ્રપ્રભુનું સ્તવન H શ્રી શંકર ચંદ્રપ્રભુ રે લોલ, તું ઘાતા જગનો વિભુ રે લોલ તિણે હું ઓલગે આવીયો રે લોલ, તું પણ મુજ મન ભાવિયો રે લોલ
શ્રી શંકર૦ ૧
ચરણ ના ઉપચાર
૫૪૪
Page #576
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો
--
દીધી ચરણની ચાકરી રે લોલ, હું સેવું હરખે કરી રે લોલ સાહિબ સામું નીહાળજો રે લોલ, ભવ સમુદ્રથી તારજો રે લોલ
શ્રી શંકર૦ ૨ અગણિત ગુણ ગણવા તણી રે લોલ, મુજ મન હોંશ ધરે ગણી રે લોલ જીમ નભને પામ્યા પછી રે લોલ, દાખે બાળક કરથી લળી રે લોલ
શ્રી શંકર૦ ૩ જો જિન તું છે પાંસરો રે લોલ, તો કર્મ તણોશો આશરો રે લોલ જો તુમ રાખશો ગોદમાં રે લોલ, તો કેમ જાશું નિગોદમાં રે લોલ
શ્રી શંકર૦ ૪ જબ તાહરી કરૂણા થઈ રે લોલ, કુમતિ કુગતિ દૂરે ગઈ રે લોલ અધ્યાત્મ રવિ ઉગી રે લોલ, પાપ તિમિર તિહાં પુગીઓ રે લોલ
શ્રી શંકર૦ ૫ તુજ મૂર્તિ માયા જીસી રે લોલ, ઉર્વશી થઈ ઉરે વસી રે લોલ રખે પ્રભુ ટાળો એક ઘડી રે લોલ, નજર વાદળની છાયડી રે લોલ
શ્રી શંકર૦ ૬ તાહરી ભક્તિ ભલી બની રે લોલ, જિમ ઔષધી સંજીવની રે લોલ તન મન આનંદ ઉપન્યો રે લોલ, કહે મોહન કવિ રૂપનો રે લોલ
શ્રી શંકર૦ ૭ ૬ (૧૬) સામાન્ય જિન સ્તવન - જિનરાજ જગત હિતકારી, મૂરતિ મોહનગારી રે સકલ કલા પૂરણ શશીની પરે, હું જાઉં બલિહારી રે. ૧ દેહ સુગંધી રૂપ અનુપમ, અનુત્તર સુર છબિહારી રે કમલ સુગંધી શ્વાસ મનોહર, દૃષ્ટિ સુધારસ ક્યારી રે. ૨ તીન લોકમાં જાસ ન ઉપમ, જગદુત્તમ જયકારી રે યૌવને ઈદ્રિય જઈ સ્થિર આતમ, તત્ત્વરૂચિ શુચિધારી રે. ૩ ભોગ કરમફળ ભોગતણી પરે, ભોગવે રાગ નિવારી રે પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે. ૪
પિઝા
Page #577
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ હવે જગદીશ્વર દીક્ષા અવસરે, જાએ અવધિ સંભારી રે નવ લોકાંતિક સુર તિહાં આવી, કરે વિનંતી મનોહારી રે. ૫ જય જય જગદાનંદ જગતગુરૂ, ધર્મ તીરથ વિસ્તારી રે મોક્ષ મારગ સુખ સાગરમાંહિ, ઝીલાવો નરનારી રે. ૬ ધર્મ પ્રભાવના કારણ જગગુરૂ, અનુકંપા પણ ધારી રે વરસીદાન દીયે જગદીશ્વર, દારિદ્ર રોગ નિવારી રે. ૭ શ્રી જિન હાથે દાન ગ્રહે છે, ભવ્ય તેહ નરનારી રે પ્રભુકર પદ્મ ધરે જસ ઉપરે, તે ચિદ્રુપના ધારી રે. ૮
(૧૭) આદિનાથ જિન સ્તવન H નમો નમો શ્રી આદિ જિણંદને, કરૂં ત્રિવિધે પ્રણામ રે પંચાભિગમે નમન કરૂં હું, કેવલજ્ઞાની નામ ભાવે ઘરી લલામ પ્રભુજી પ્યારા રે, પુન્યથકી મેં દીઠા પ્રાણ આધાર રે,
સરસ સુધાથી મીઠા. પ્રભુજી. ૧ તું નિકલંક અને નિર્મોહી, તું અદ્રોહી ઉદાસી રે મારા મનમાંહેથી પ્રભુજી કહો, કેમ હવે ફરી જાસો. પ્ર૨ જિમ પંકજમાં મધુકર પેસે, તિમ મુજ મનમાં પેઠા રે, તુમ દરિસન પામી નવિ હરખે, તે નિગુણાને ધીઠા. પ૦ ૩ હું નિર્ગુણીને વળી પાપી, લાખેણી તુમ સેવા રે પામીએ તો અનુપમ ભાગ્યે, જેમ ભૂખ્યા વર મેવા. પ્ર૦ ૪ ભવોભવ તાહરી આણા સુરગવી, હોજો અવિચલ ભાવે રે, તેહથી ગોરસ સમકિત શુધ્યું, જ્ઞાનને ચરણે ઝમાવે. પ્ર0 પ જિમ વૃત આપ સ્વભાવે નિર્મળ, રસ શોધ્યો નવિ જાયે રે તિમ તુમ હેતે નિજ હવરૂપ તે, નિરાવરણ પ્રગટાવે. પ્ર0 ૬ ઇદ્ર અનંતા જો સમકાલે, ભક્તિ કરે તોરી કબહી તો પણ તે તુમ ગુણ સમ નાવે, તો હું દુર્ગુણી કોહી પ્ર૦ ૭ પ્રભુજીની ગુણ સ્તુતિ કરવાથી, જ્ઞાનવિમલ મતિ જાગી રે જગ ચિંતામણી જિન પામ્યાથી, ભવની ભાવઠ ભાંગી. પ૦ ૮
૫૪ ૬
Page #578
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો H (૧૮) શ્રી સીમંધર જિન સ્તવન આ સેવકની અરજી છે પ્રભુ સીમંધર મહાવિદેહ વસ્યું છે મારા મનની અંદર. આ૦ ૧ નાચે છે મન મારું ગુણો સંભારી તલસે છે તન જોઈ સૂરત તારી જાણે કરી લીધું હોય પ્રભુ જાદુમંતર. આ૦ ૨ હું બનું છું ભક્ત તોયે, કેમ રહો છો આઘા છોડીશ નહિ પ્રભુજી ઘણાં છો મોંઘા નાથ દુભાવો નહિ હવે મારું અંતર. આ૦ ૩ લબ્ધિ સહારે તરું ભવ સમુંદર ડગમગ ડોલે છે નાવ એની અંદર પ્રભુ પહોંચાડો ઉમંગે મુક્તિ બંદર. આ૦ ૪ 5(૧૯) શ્રી અનંતનાથ જિન સ્તવન BE
(રાગ - તુજ દરિસણ દીઠું અમૃત મીઠું) અરદાસ હમારી દિલમેં ધારી સાંભળો સાહેબજી હિત નજરે નિહાળો, ટાળો મનનો આમળો સાહેબજી. ૧ જે પાલવ વળગ્યા અળગા તે તો કિમ હોશે સાહેબજી આસંગે હળિયા, મળિયા તે તો માહરો સાહેબજી. ૨ મોટી ઠકુરાઈ વળી ચતુરાઈ તાહરી સાહેબજી દેખી સવિશેષી, વાધી દિલમેં માહરી સાહેબજી. ૩ તુજ પાખે બીજા શું તો દિલ ગાંઠે નહિ સાહેબજી સુરતરૂને છોડી બાવળ સેવે, કુણ સહિ સાહેબજી. ૪ જોવા તુજ દરિસણ ખીણ ખીણ તલસે આંખડી સાહેબજી હું ધ્યાવું ઉડી આવું, પાવું પાંખડી સાહેબજી. ૫ સેવક ગુણ જોશો, પરશન હોશો તો સહિ સાહેબજી પામીને અવસર મુજને વિસરશો નહિ સાહેબજી. ૬
૧૫૪૭
૫૪૭
Page #579
--------------------------------------------------------------------------
________________
પ્રભુ પ્રાર્થનાની સ્તુતીઓ જગજનને તારો, બિરૂદ તમારો એ ખરો સાહેબજી તો મારી વેળા આનાકાની કિમ કરો સાહેબજી. ૭ સેવક સંભાળો, વાચા પાળો આપણી સાહેબજી તું જગનો નાયક, લાયક પાયો મેં ઘણી સાહેબજી. ૮ શિવનારી સારી મળો તસ મેળાવડો સાહેબજી અવિગત પરમેશ્વર અનંત જિનેશ્વર તું વડો સાહેબજી. ૯ વિમળ વિજય વાચકનો બાળક ઈમ ભણે સાહેબજી રામવિજય બહુ દોલત પામે નામે તુમ તણે સાહેબજી. ૧૦ (૨૦) શ્રી આદિનાથ જિન સ્તવન H.
(રાગ - તારું ધ્યાન કરે મસ્તાન મને) શ્રી આદિ જિણંદના પ્રણમું હું પાય દાદા દર્શને આનંદ અંગ ન માય અત્યંત સુંદર શાંતરસમાં ઝીલતી પ્રભુમુરતિ અવલોકતાં હર્ષિત થયું ચિત્ત પ્રમોદભાવ પૂરતિ આજે શુભ દિન ઉગ્યો માહરો રાય શ્રી આદિ રાચી માચી પ્રમાદમાં ને કર્મ બાંધ્યા મેં બહુ મિથ્યાત્વ અવિરતિ કપાય યોગે આપ જાણો તે સહુ આવ્યો માફી લેવા હવે કરજો સહાય. શ્રી આદિ અનાદિકાળ ભવભ્રમણ કરતો લાખ યોનિ ચોર્યાસીમાં જન્મ જરા મરણે કરી દુઃખ પામી કમીના તેહમાં હવે વાંછુ ચરણોની શીતલ છાયા. શ્રી અદિ ભૂતકાળ ભૂલ થઈ તે સુધારવા ચાહે યદા વર્તમાને વિધિવત્ વર્તે ભાવિ તો સુધરે તદા ગુણી થવાને ભાળો જિન એહ ઉપાય.. શ્રી આદિ નાથ દર્શિત મારગે મુજ ચાલવા મન થાય છે પણ મોહના આવેશથી મન માહરું મુંઝાય છે આપો નિર્વેદ જેથી મારા દુઃખડા તો જાય. શ્રી આદિ
પ૪ટી
Page #580
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો
વિશ્વતારક નામ ધારક દેવ તું સુખકાર છે માની માયી મહાકર્મી જીવ ઉદ્ધારનાર છે તાહરૂં ધ્યાન ધરે જે મન વચ કાય. શ્રી આદિ કલ્પતરૂને કામધેનુથી અધિક ચિંતામણી શ્રી આદિ જીનેશ સ્વામી અનંત લબ્ધિના ધણી ઉદય રત્નનો આજે ઉદય કરો રાય. શ્રી આદિ
(૨૧) શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
નાથ નિરંજન, સાહિબ સાચો. તત્ત્વ પ્રકાશી,
હૈ અવિનાશી
સાહિબ મારો, હે શિવવાી, સાહિબ મારો, સાહિબ
`સાચો. ૧
ભવ સમુદ્ર રહ્યો મહા ભારી, કેમ કરી તરું હું અવિકારી બાંહ્ય ગ્રહીને કરો ભવપારી. સાહિબ. વામાનંદન નયણે નીરખીયા, આનંદના પૂર હૈયે ઉમટીયા કામિતપૂરણ કલ્પતરૂ મળીયા. સાહિબ. મહિમા તારો છે જગભારી, પાર્શ્વશંખેશ્વર તું જયકારી, સેવકને ઘો કેમ વિસારી. સાહિબ. મારે તો તુંહી એક દેવા, ના કરવી ગમે બીજાની સેવા, સુણોને સાહિબ. દેવાધિદેવા. સાત રાજ આળગા જઈ બેઠા, પણ ભક્તે અમ હૈયે બેઠા, વાચક યશ કહે, નયણે મેં દીઠા. સાહિબ મારો સાહિબ સાચો.
અરજ
સાહિબ.
(૨૨) અરિહંતપદનું સ્તવન
શ્રી અરિહંત પદ ધ્યાઈએ ચોત્રીશ અતિશય વંતારે પાંત્રીશ વાણી ગુણે ભર્યા, બાર ગુણે ગુણવંતારે. શ્રી ૧
૫૪૯
૨
૪
૫
S
Page #581
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
અડહી - સહસ લક્ષણ દેહે - ઈદ્ર અસંખ્ય કરે સવારે ત્રિપુંકાલના જિન વાંદવા, દેવ પંચમ મહાદેવાશે. શ્રી ર પંચ કલ્યાણક વાસરે, ત્રિભુવન થાય ઉદ્યોતરે, દોસ અઢાર રહિત પ્રભુ, તરણ તારણ જગ પોતરે. શ્રી૦ ૩ પટકાય ગોકુળ પાળવા મહા ગોપ કહેવાય રે, દયા પડહ વજડાવવા મહા માહણ જગતાપરે. શ્રી ૪ ભવદધિ પાર પમાડતા, ચોથો વર્ગ દેખાવે રે, ભાવ નિર્ધામક ભાવિયા, મહા સથ્થવાહ સેહાયારે. શ્રી૫ અસંખ્ય પ્રદેશ નિર્મલ થયા છતી પર્યાય અનંતરે નવનવા શેયની વર્તતા, અનંત અનંતી જાણતારે. શ્રી૬ પિંડપદસ્થ રૂપસ્થમાં દ્રવ્યગુણ પર્યાયે ધ્યાયારે, દેવપાયાદિ સુખી થયા, સૌભાગ્ય લક્ષ્મીપદ પાયારે. શ્રી૦ ૭.
F (૨૩) શ્રી મુનિસુવ્રત જિન સ્તવન HF જય મુનિસુવ્રત જગદીશ, વરસે વાણી ગુણ પાંત્રીસ વારે ઘાતી સુડતાલીસ
પપ૦
Page #582
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો એથી પ્રગટે રે, એથી પ્રગટે ગુણ એકત્રીસ રે મુણિંદા તોરી દેશના ગુણખાણી રે સુખખાણી રે મેં જાણી રે મૂર્ષિદા એ તો લાગે સાકર પાણી રે મુર્ષિદા એ તો ધર્મરાય પટરાણી રે મુણિંદા એ તો
દેશના ગુણખાણી રે. (૧) એના અંગ ઉપાંગ અનુપ, એનું મુખડું તે મંગલરૂપ એનો નવરસ રંગ સ્વરૂપ એના પગલાં રે (૨) એના પગલાં પ્રણમે ભૂપરે
* મુર્ષિદા તોરી. (૨) એતો એક અનેક સ્વભાવ, એતો ભાસે ભાવ વિભાવ એતો બોલે બહુ પ્રસ્તાવ એતો ભગીરે-એતો ભંગી સપ્ત બનાયરે. મુર્ણિદા. (૩) એતો નવગર્ભિત અવદાત, એતો તીર્થંકર પદ તાત (માત) એતો ચઉ પુરુષાર્થની વાત એના સઘળાંરે-એના સઘળાં અર્થ છે જાતરે. મુર્ણિદા. (૪) એતો ત્રિવું જગમાં ઉદ્યોત, જેમ રવિ શશિ દીપક જ્યોત બીજા વાદી શ્રત ખદ્યોત એતો તારે રે, એતો તારે જિમ જલ પોત રે. મુર્ણિદા. (૫) એનો ગણધર કરે શણગાર, એને ગાયે નર ને નાર એતો ધુરથી સદા બ્રહ્મચાર એતો ત્રિપદીરે, એતો ત્રિપદીનો વિસ્તારરે. મુર્ણિદા. (૬) એથી જાતિના વૈર સમાય, બેસે વાઘણ ભેળી ગાય આવે સુરદેવી સમુદાય એને ગાવેરે, એને ગાવે પાપ પલાયરે. મુણિદા. (૭) એને વંદે નરને નાર, જેથી નાશે કામવિકાર એતો ઘર ઘર મંગલચાર એતો મુનિજનરે, એતો મુનિજન પ્રાણ આધાર રે. મુર્શિદા. (૮)
પપ૧
Page #583
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા = (૨૪) શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન HE
(રાગ - ઘોર અંધારી રે રાતલડીમાં) મિથિલા નયરી રે અવતરીયાને, કુંભ નરેસર નંદ લંછન સોહે રે કલાશતણુંને, નીલવરણ સુખકંદ. ૧ મલ્લિ જિનેશ્વર રે, મન વસોને ઓગણીસમાં અરિહંત કપટ ધરમના રે કારણથી પ્રભુ, કુંવરી રૂપ પરંત. ૨ સહસ પંચાવન રે વરસ સુણીને, આયુતણો પરિમાણ માતા પ્રભાવતી રે ઉદરે ધર્યાને, પણવીશ ધનુષ તનુમાન. ૩ સહસ પંચાવન રે સાધવીઓને, મુનિ ચાલીશ હજાર સમેતશિખરે રે મુગતે ગયાને, ત્રણ ભુવન આધાર. ૪ અડભય ટાળી રે આપ થકીને, જેણે બાંધી અવિહડ પ્રીત આ રામવિજયના રે સાહિબની છે, એહીજ અવિચળ રીત. ૫
,
SF (૨૫) શ્રી શ્રેયાંસજિન સ્તવન
(રાગ - રે જીવ, જૈન ધર્મ કીજીયે)
શ્રી શ્રેયાંસજિન અગીયારમો સુણો સાહિબ જગદાધાર ભવોભવ ભમતાં જે કર્યા
મેં પાપ સ્થાનક અઢાર. ૧ જીવહિંસા કીધી ઘણી, બોલ્યા મૃષાવાદ દોષ અદત્તાદાનના, મૈથુન સેવ્યા ઉન્માદ. ૨ લોભે થોભે ન આણીયો, રાગે ત્યાગ ન કીધ દ્વેષે દોષ વાધ્યો ઘણો, કલહ કર્યો પ્રસિદ્ધ. ૩ કૂડા આળ દીયા ઘણા, પરચાડી પાપનું મૂળ ઈષ્ટ મળે રતિ ઉપની, અનિષ્ટ અરતિ પ્રતિકુળ. ૪ પરનિંદાએ પરિવર્યો, બોલ્યો માયામોષ મિથ્યાત્વ શલ્ય હું ભારીયો, નાણ્યો ધર્મનો શોષ. ૫
૫૫૨
Page #584
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો એહ પાપ થકી પ્રભુ ઉદ્ધરો હું આલોઉં તુમ સાખ શ્રી ક્ષમાવિજય જિન સેવતાં
જશને અનુભવ દાખ. ૬ ૬ (૨૬) શ્રી મલ્લિનાથ ભગવાનનું સ્તવન કા પ્રભુ મલ્લિ નિણંદ મને મલીયા હવે મુજ ગમે ન બીજે ક્યાંય પ્રભુ ઓગણીસમાં જિનરાયા સોહે નીલવર્ણ તુજ કાયા સૌ જીવોને સુખદાયા રે. મુજ૦ ૧ પ્રભુ બાળથકી બ્રહ્મચારી તુજ મુખમુદ્રા અતિસારી વાણી અમૃતરસ ધારી રે. મુજ૦ ૨ ષટુ મિત્રોને સમજાવે વૈરાગ્ય ભાવના ભાવે કંચન મૂર્તિ બતાવે રે. મુજ0. ત્રણ ષટુ સાથે વ્રત લીધો લઈ કેવલજ્ઞાન પ્રસિધ્ધો જઈ સમેતશિખર ગિરી સિદ્યો રે. મુજ૦ ૪ તુજ મુરતિ અતિ મનોહારી સોહે નગર ભોયણી સારી ભવિજીવોના દુઃખ હરનારી રે. મુજ૦ ૫ તુજ દરિસણ આજ હું પાયો મુજ હૃદય કમલ હરખાયો વળી બોધિબીજ સુપસાયો રે. મુજ૦ ૬ હવે ભક્તિ તમારી કરશું અન્ય દેવો સૌ પરિહરશું પ્રભુ આણા શિરપર ઘરશું રે. મુજ૦ ૭
પપ૩
Page #585
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પંકજ
તુજ પદ
શુદ્ધચરણ
શિરમાં
મુનિ રંગવિમલ દુઃખ કાપો રે. મુજવ ८
સ્થાપો
આપો
(૨૭) અજીતનાથ સ્તવન
આજે આવી આપ હજૂરમાં, માફી માંગુ છું મારા દોષની (૨) દઉં છું તિલાંજલી રોષની
ભમીયો ઘણું હું સંસારમાં, વૃદ્ધિ ન કરી ગુણકોશની ઉલટી કુબુદ્ધિ પાડીયો, મમ દશા ગઈ સંતોષની. આજે૦ ૧ આપની આણા ન ધરી શિરે તેમ, શ્રદ્ધા થઈ નહીં નિર્મળી પ્રતિમા ન દીઠી આપની, સદ્ગુરૂની સંગતિ ના મળી. આજે૦ ૨ મારા કર્મના પ્રબળે કરી, શુદ્ધ ધર્મપંથ રૂચ્યો નહીં ભમવું થયું ઘણું જીવને મમ મસ્તકે કુમતિ વહી. આજે૦ ૩ સાચો માર્ગ ન ઓળખ્યો મારા દુઃખની હદ આવી નહીં કેટલું, કહું નાથ આગલે આપ જાણો છો જ્ઞાનથી સહી. આજે૦ ૪ મારા સદ્ભાગ્યના ઉદયે કરી મોહિતમિર દૂર ખસી ગયું ઓળખ થઈ શુદ્ધ દેવની કર્મ દર્શનાવરણ ક્રૂરે ગયું. આજે૦ ૫ દાસ આવ્યો તુમ આશરે એને આધાર છે પ્રભુ તાહરો મારા દોષ સામું જોશો નહીં ગુન્હો બક્ષીસ કરો માહરો. આજે૦ ૬ છોરૂ કછોરૂ થાય તો પણ સાગર પેઠે ગંભીર છે મારી ભૂલ સુધારો બાપજી દયા દાન દેવા શૂરવીર છો. આજે૦ ૭ ચરણ કમલની સેવના પ્રભુ માંગુ છું ભવોભવ આપની જેથી ભેગી કરેલી પોટલી મુજ શિર ન રહે પાપની. આજે૦ ૮ અજીત જિન પ્રભુ તારજો મારી અરજી ઉરમાં ધારો સૂરિ નીતિનો ઉદય તારજો ભવસાગર પાર ઉતારજો. આજે૦ ૯
૫૫૪
Page #586
--------------------------------------------------------------------------
________________
જિન સ્તવનો
EF (૨૮) સજઝાય ,
(રાગ - ભીમપલાશ) કો નવિ શરણં કો નવિ શરણે, મરતાં કુણને પ્રાણી રે બ્રહ્મદત્ત મરતાં નવિ રાખ્યો, જસ હય ગય બહુ રાણી રે. કો. માતપિતાદિક ટગટગ જોતાં, યમ લે જનને તાણી રે મરણ થકી સુરપતિ નવિ છૂટે, નવિ છૂટે ઈંદ્રાણી રે. કો. જસ હય ગય રથ કોડે વિદ્યાધર, નિત્ય રહે રાણા રાય રે બહુ ઉપાય તે જીવન કાજે, કરતાં અશરણ જાય રે. કો. મરણ ભીતિથી કદાપિ જીવો. જો પેસે પાયાલે રે ગિરિદર વન અંબુધિમાં જાવે, વો ભી હરીએ કાલો રે. કો. અષ્ટાપદ જેણે બલે ઉપાડ્યો, સો દશમુખ સંહરીઓ રે ધર્મ વિના કો જગ નવિ તરીઓ, પાપે કો નવિ તરીઓ રે. કો. અશરણ અનાથ જીવણ જીવન, શાંતિકુમાર જગ જાણો રે પારેવો જેણે શરણે રાખ્યો, મુનિ તમ ચરિત વખાણો રે. કો. મેઘકુમાર જીવ ગજરાજે, સસલો શરણે રાખ્યો રે વીર પાસ જેણે ભવભય કચરો, તપ સંયમ શું કાઢ્યો રે. કો. મત્સ્ય પરે રોગે તરફડતાં, કહો કિણે નવિ સુખી કરીયો રે અશરણ અનાથ ભાવના ભરીયો, અનાથી મુનિ નિસરીયો રે. કો.
પપપ
-
-
Page #587
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા || श्री - धृतकल्लोल - पार्श्वनाथाय नमः ।।
-
-
અહંદ–ગુણ–વારિધિ-નરેન્દ્ર-નૌકા
* F %
-
-
-
-
(
વિભાગ ૬
-
-
[ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ]
તપ વિષે . જ્યાં સુધી નાની ઉમર હોય; ઉગતી યુવાની હોય, ત્યાં સુધી વર્ષો સુધી કરેલ કુપથ્ય એ બાવૃષ્ટિથી હેરાન કરતાં નથી. પરંતુ વર્ષો પછીથી જે મેદ, સોજા, વા, હરસ, મસા, અપચો, ક્ષય અને લકવા વગેરે થાય છે. તેનું કારણ મૂળ, આહારાદિની અવિધિ બતાવનાર તરફનો રોષ ને કુટેવ ચાલુ રાખવાથી પ્રભુનો તપધર્મ પણ લજવાય છે. અને શાસનની અપભ્રાજનાનું પોતે નિમિત્ત બને છે.
-
-
-
-
-
-
-
------
---
: જ્ઞાન વિષે 5 આપણે સંયમી જીવનમાં કેટલું નવું નવું વાંચવું, ગોખવું વ્યાખ્યાનાદિ કે પરોપદેશ માટે તૈયારીઓ કરવી તેને વધુ મહત્તા આપીએ છીએ, જેથી શરીર અને મન ઉપર જોઈએ તે કરતાં વધુ શ્રમ આવવાથી દ્રવ્ય અને ભાવ રોગના શિકાર બનીએ છીએ અને સંયમી જીવનમાં જે સ્વાદ, આનંદ, ઉલ્લાસની માત્રા વધવી જોઈએ, તેને સ્થાને ઘટતી દેખાય છે. તેથી સમાધિપૂર્વક સંયમયાત્રા ચાલે, તે લક્ષ્યમાં રાખી જ્ઞાનાભ્યાસ કરવો જોઈએ.
--
---
5 આઠ મદ વિષે . ૧ જાતિ મદથી – હરિકેશી મુનિને ચંડાળ કુળમાં ઉત્પન્ન થવું પડ્યું.
પપ ૬
Page #588
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૨ લોભમદથી - સુભૂમ ચક્રવતીને બીજા છ ખંડ સાધવા જતા
પ્રાણ ખોવા પડ્યા. ૩ કુળમદથી - મરિચિ-પ્રભુ મહાવીરનો જીવ નીચ કુળમાં આવી
ઉત્પન્ન થયો. ૪ ઐશ્વર્યમદથી - દશાર્ણભદ્રને પરાભવ થયો. ૫ બળમદથી - બાહુબળે ભરતરાજા સાથે યુદ્ધ કર્યું. દ રૂપમદ - સનતકુમાર ચક્રવતીને થયો. ૭ તપમદ - કુરગડુ મુનિ (સાથે રહેલા ચાર) મુનિઓને થયો. ૮ શ્રતમદ - સ્થૂલભદ્રજીને થયો તેથી ચાર પૂર્વ અર્થ વગર થઈ
શક્યા.
5 આઠ સિદ્ધિઓનો પ્રભાવ ક ૧ અણિમા સિદ્ધિ - એનાથી શરીર એટલું સૂકમ કરી શકાય છે કે
જેમ સોયના કાણામાંથી દોરો ચાલ્યો જાય છે, તેમ તેટલી
જગ્યામાંથી પોતે પસાર થઈ શકે. ૨ મહિમા સિદ્ધિ - અણિમાંથી ઉલટી. એટલું મોટું રૂપ કરી શકે કે
મેરુપર્વત પણ તેના શરીર આગળ નાના પ્રમાણનો થાય. ૩ લધિમાસિદ્ધિ - પવનથી પણ વધારે હલકો (તોલમાં) થાય છે. ૪ ગરિમા સિદ્ધિ - વજથી પણ અત્યંત ભારે થઈ જાય. એ ભારે
એટલો બધો થાય કે ઇદ્રાદિક દેવતા પણ સહન કરી શકે નહિ. ૫ પ્રાપ્તશકિત સિદ્ધિ - શરીરની ઉંચાઈ એટલી કરી શકે કે ભૂમિ
ઉપર રહ્યાં છતાં અંગુલીના અગ્ર ભાગ વડે મેરુ પર્વતની ટોચ
અને ગ્રહાદિકને સ્પર્શે. (વેક્રિય શરીરથી નહિ) ૬ પ્રાકામ્યસિદ્ધિ - પાણીની પેટે જમીનમાં ડુબકી મારી શકે અને
જમીનની પેઠે પાણીમાં ચાલી શકે. ૭ ઈશિત્વ સિદ્ધિ - ચક્રવર્તી અને ઇદ્રની ઋદ્ધિ પ્રગટ કરવાને શક્તિમાન થાય.
પિપ૭
-
-
પપ૭
Page #589
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૮ વશિત્વ સિદ્ધિ - સિંહાદિક દૂર જંતુઓ પણ વશ થઈ જાય એ બધી પ્રાપ્તિ તપ ઘર્મથી થાય.
ક સમય-તક E
રોજ પ્રભાતે આટલું વિચારો આખા દિવસના કેટલા કલાક આહારપાણી વાપરવામાં, નિદ્રામાં અને બીજી પ્રવૃતિમાં જાય છે? અને કેટલા કલાક સત્કાર્ય, સદ્વિચાર, જ્ઞાન-ધ્યાન અને પ્રભુસ્મરણમાં જાય છે? આ જમા ઉધાર સાચા હશે તો તમારો ઉદ્ધાર નિશ્ચિત છે.
5 બાર માસના લોકોત્તર નામો 5 ૧ પ્રિતિવર્ધન (કારતક) ૭ કુસુમસંભવ (વૈશાખ) ૨ શ્રેયાંસ (માગશર) ૮ નિદાઘ (જયેષ્ઠ) ૩ શિવ (પોષ) ૯ વનવિરોધ (અષાઢ) ૪ શિશિર (મહા) ૧૦ અભિનંદી (શ્રાવણ) ૫ હેમંત (ફાગણ) ૧૧ પ્રતિષ્ઠિત (ભાદરવો) ૬ વસંત (ચૈત્ર) ૧૨ વિજય (આસો)
ક સજ્જનોની સજ્જનતા : સંભવ છે કે કોઈક માણસ માટે તમે ઘણું સહન કર્યું હોય એની નાદાની માટે, તરંગો માટે, એના સાચા કે મિથ્યા દુઃખને નિવારવા માટે, તમે તમારી સુંદર વસ્તુઓનો કે મૂલ્યવાન સમયનો ભોગ આપ્યો હોય.
કેવળ એના પ્રત્યેની સહાનુભૂતિ ને અનુકંપાથી પ્રેરાઈ, એને સાંત્વના આપવા ખાતર જ એની મૂર્ખતાને, નાદાનીને ‘ભાવના' જેવા હળવા શબ્દમાં ગોપવી હોય, જે વસ્તુને તમે ખોટી માનતા હો, એના પ્રત્યેની એની અચિર આસક્તિને કારણે જ એના જીવનમાં ઉભા થયેલાં મૂઢ દુઃખોની ઘાવ પરંપરાને પણ તમે કશો તિરસ્કાર કર્યા વિના રૂઝાવવાનો પ્રયાસ કર્યો હોય, કેવળ એનું
Page #590
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
દુઃખ ન જોઈ શકવાને કારણે જ તમે એને તમારી સ્નેહ મમતાના સુંવાળા આવરણથી ઢાંક્યો હોય.
અને એક દિવસ એ માણસ તમારો ધિક્કાર કરવા લાગે, તમારૂં જ અશુભ કરે, તમારા આત્માને નુકશાન પહોંચાડે, તમારી કરૂણા વડે જ તમારો દંડ કરી, તમારી બૂરાઈ કરતો ફરે તે વખતે તમે ઘેર્ય રાખી શકશો ? નિર્વેરભાવે એનાં કાર્યોના મૂક અને વેદનામય સાક્ષી બની શકશો? તે વખતે તમે એને માટે ઘણો ભોગ આપ્યો હતો, એના કારણે તમારી જિંદગીને ઘણું નુકશાન વેઠવું પડ્યું હતું એવું એને યાદ આપ્યા વગર રહી શકશો? એની કૃતજનતાથી થયેલા તમારા દુઃખને તમારી નિકટના લોકો સમક્ષ વ્યક્ત કર્યા વિના રહી શકશો ? '
અને આટલું તમે કદાચ કરી શકો. પણ તમે શું એને માટે પ્રાર્થના કરી શકશો ? એના પ્રત્યે હજુ કરૂણા રાખી શકશો? એને સાચોસાચ કોઈ વિપત્તિ આવી પડે તો ફરી નિષ્કામભાવે તમે એને સહાય કરી શકશો ?
તમે જો આ કરી શકો તો માનજો કે તમે ખરેખર સજ્જન છો અને દુનિયા તમારી મહત્તાનાં ગીત ગાય કે ન ગાય, પણ એકલ અંધારી રાતે તમારા કંટકભર્યા રસ્તા પર, પણ આગળ વધવાની તમને કુદરતી પ્રેરણા પ્રાપ્ત થશે.
ક્રોધ 5 ક્રોધ ન કરવો એ એક વસ્તુ છે. અને સામા પાસે પોતાના અપરાધની ક્ષમા માંગવી એ જાદી વસ્તુ છે. ક્રોધ ન કરવો હોય છતાં તેનો જોડીઓ ભાઈ “માન” મનમાં બેઠો હોય છે તો ક્ષમા માગવામાં નાનપ લાગે છે. શરમ આવે છે, અભિમાની માણસ ક્ષમા આપી શકે છે, પણ માંગી શકતો નથી.
5 જૈનશાસન જૈનશાસન એટલે મોહ-કષાયોને મૂળમાંથી ઉખેડી નાખનારું
Page #591
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા , વ્યવસ્થિત સામ્રાજ્ય. જૈનશાસન અને કષાયોને શાશ્વત વૈર. કષાયોને મારી મારીને જૈનશાસને ઝેર કરી નાંખ્યા છે. જૈનશાસન ઉપર હલ્લો કરવાની કષાયો તક જોઈ રહ્યા છે. પણ તેઓને તેવી તક નથી મળતી, કારણ કે જૈનશાસને “પર્યુષણ પર્વ” જેવા મહાપર્વની યોજના કરી છે તે પર્વની ઉજવણી જોઈને જ કષાયો હતાશ થઈ જાય છે.
* દુઃખથી થતા ચાર લાભ gi ૧ પરમાત્માને ઓળખાવે, ૨ પુણ્ય-પાપને સમજાવે, ૩ કસોટીનો કાળ દેખાડી ધેર્ય, સમતા આદિને કમાવવા તક દે, ૪ પૂર્વના પાપ સાફ કરાવે.
આ ચાર લાભને ઓળખતાં ને સિદ્ધ કરતાં આવડે તેને જીવન જીવતા આવડે. = (૧) દશ ચંદરવા કયા સ્થળે બાંધવા
" તેની સમજ ૧ પાણી ઉપર, ૨ રસોડા ઉપર ૩ ઘંટી ઉપર, ૪ ખાંડણી ઉપર, ૫ વલોણા ઉપર, ૬ ભોજન સ્થળ ઉપર, ૭ સુવાના સ્થળ ઉપર, ૮ ઘર દેરાસરમાં, ૯ સામાયિક પૌષધશાળામાં . (ધર્મસ્થાનમાં), ૧૦ ફાલતું રાખવાનું.
શ્રાવકના ઘરમાં દશ ચંદરવા અવશ્ય બાંધવા જોઈએ. = (૨) અભવી આત્માને આટલી વસ્તુ ન મળે ક
૧ તીર્થકરોનું દાન, ૨ ઇદ્રપણું, ૩ અનુત્તરદેવપણું, ૪ ત્રિષષ્ટિશલાકાનું પદ, ૫ નારદપણું, ૬ કેવલી તથા ગણધરના હાથે દીક્ષા, ૭ શાસનદેવ-દેવીપણું, ૮ લોકાંતિક દેવો, ૯ તેત્રિસ ત્રાયન્નિશક-મિત્ર દેવપણું, ૧૦ પરમાવધિલબ્ધિ, ૧૧ યુગલીયાપણું, ૧૨ સંભિન્નશ્રોત્રલબ્ધિ, ૧૩ સુપાત્ર દાન, ૧૪ સમાધિ મરણ, ૧૫ ચારણ શ્રમણ, ૧૬ ખીરાશ્રવલબ્ધિ.
Page #592
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
gE (૩) પદ્રવ્ય 1 ૧ ધર્માસ્તિકાય :- જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં સહાય આપનાર દ્રવ્ય.
૨ અધમસ્તિકાય :- જીવ તથા પુદ્ગલને સ્થિરતા કરવામાં સહાય આપનાર દ્રવ્ય.
૩ આકાશાસ્તિકાય :- જીવ તથા પુદ્ગલને રહેવા જગ્યા આપનાર દ્રવ્ય. - ૪ ૫ગલાસ્તિકાય :- સમયે સમયે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ફેરફાર થનારા દ્રવ્ય.
૫ કાલ :- નિશ્ચયથી વર્તમાન એક સમયવાળો અને વ્યવહારથી ભૂત ભવિષ્યરૂપ, નવાનું જુનુ અને જુનાનું નવું કરનાર દ્રવ્ય. દ જીવાસ્તિકાય :- જ્ઞાનાદિ ગુણના સ્વભાવવાળું દ્રવ્ય.
E (૪) પુણ્ય-પાપની ચૌભંગી ૧. પુણ્યાનુબંધિ પુણ્ય :- જે પુણ્ય ભોગવતાં નવું પુણ્ય બંધાય તે.
૨. પુણ્યાનુબંધિ પાપ ઃ- જે પાપ ભોગવતા નવું પુણ્ય બંધાય તે.
૩. પાપાનુબંધિ પુણ્ય :- જે પુણ્ય ભોગવતાં નવું પાપ બંધાય તે.
૪. પાપાનુબંધિ પાપ - જે પાપ ભોગવતાં નવું પાપ બંધાય તે.
(૫) બાર વ્રતો કે - સમ્યકત્વ :- રાગદ્વેષને જીતનાર સ્ત્રી-શસ્ત્રાદિ રહિત જિનેશ્વર ભગવંત તે જ મારા દેવ છે, કંચન-કામિનીના ત્યાગી પંચ મહાવ્રતધારક તે જ મારા ગુરુ છે અને જિનેશ્વરદેવે પ્રરૂપેલો તે જ ખરો ધર્મ છે. આવી જે શ્રદ્ધા તે “સમ્યકત્વ' કહેવાય.
૫૬૧
Page #593
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૧ પૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત :- સ્વાર્થ સિવાય નિરપરાધી ત્રસજીવને મારવાની બુદ્ધિથી જાણી જોઈને મારવું નહિ તે.
૨ સ્કૂલમૃષાવાદ વિરમણ વ્રત :- કન્યા, ઢોર, ભૂમિ ને થાપણ સંબંધિ જુઠું ન બોલવું અને ખોટી સાક્ષી ન પૂરવી તે.
૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત - લોક ભંડે અને રાજા દંડે તેવી માલીકની રજા સિવાય વસ્તુ ન લેવી તે.
૪ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત - પુરુષોને પરસ્ત્રીનો અને સ્ત્રીને પરપુરુષનો ત્યાગ કરવો તે તથા યથાશક્તિ સ્વસ્ત્રી વિષે બ્રહ્મચર્ય પાળવું તે.
૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત - સંતોષ રાખી ધન ધાન્યાદિના પરિમાણનો નિયમ રાખવો તે.
૬ દિકુ પરિમાણ વ્રત - દશ દિશામાં જવા આવવાના પરિમાણ સંબંધિ નિયમ કરવો તે.
૭ ભોગપભોગ પરિમાણ વ્રત :- બાવીશ અભ્યક્ષ, બત્રીશ અનંતકાય અને પંદર કર્માદાનનો ત્યાગ કરવો તથા ભોગની-એક વાર ભોગવાય છે. જેવા કે અન્ન, પુષ્પાદિ; ઉપભોગની વારંવાર ભોગવાય તે સ્ત્રી, વસ્ત્રાદિ વસ્તુની સંખ્યાનો નિયમ કરવો તે.
૮ અનર્થદંડ વિરમણ વ્રત:- કોઈ પણ કારણ વિના સ્વાર્થ વગર પાપની પ્રવૃતિ કરવી તે. તથા આરૌદ્ર ધ્યાનથી મનને વિકલ કરવું તે તેનો નિયમ કરવો તે.
૯ સામાયિક વ્રત - મન, વચન અને કાયાથી સર્વ બાહ્ય વસ્તુનો ત્યાગ કરી બે ઘડી સુધી સમતાભાવમાં રહેવા રૂપ સામયિક કરવી તે.
૧૦ દેશાવકાશિક વ્રત :- વ્રતોમાં રાખેલ પરિમાણમાં દિવસે તથા સાંજે જે સંક્ષેપ કરવો તે આઠ સામાયિક, બે પ્રતિક્રમણ અને જઘન્યથી એકાસણું કરવું તે.
૫૬૨
Page #594
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
૧૧ પૌષધ વ્રત :- ચાર અથવા આઠ પહોર સુધી `સમતાપૂર્વક દેશથી અથવા સર્વથી આહાર શરીરસત્કાર-ત્યાગ, બ્રહ્મચર્ય અને સાવઘારંભનો ત્યાગ કરવો તે.
૧૨ અતિથિસંવિભાગ વ્રત :- પૌષધને પારણે સાધુ મુનિરાજ તથા સાધર્મિકભાઈને ઈચ્છાપૂર્વક શક્તિ પ્રમાણે અન્નપાનાદિનું દાન દેવું તથા ભક્તિ વિગેરે કરવી તે.
(૫) બાર ભાવના
૧ અનિત્ય ભાવના :- લક્ષ્મી, કુટુંબ-યૌવનની અનિત્યતા વિચારવી તે.
૨ અશરણ ભાવના :- દુઃખ અને મરણ વખતે કોઈ કોઈનું નથી, આવું વિચારવું તે.
૩ સંસાર ભાવના :- નાટકના પાત્રની જેમ ચાર ગતિરૂપ સંસારમાં નિરંતર ભટકવું પડે છે, આવું વિચારવું તે.
૪ એકત્વ ભાવના :- હું એકલો આવ્યો છું, સુખ-દુઃખાદિ એકલાને ભોગવવાના છે અને અન્તે એકલો જ જવાનો છું આવું વિચારવું તે.
૫ અન્યત્વ ભાવના :- હું જુદો છું, આ શરીર પણ જુદું છે. ધન કુટુંબાદિ પણ મારાથી જુદા છે, આવું વિચારવું તે.
૬ અચિત્વ ભાવના ઃ- ઉપર દેખાતી આકૃતિ જ સુંદર છે. પરંતુ અંદર તો ગટર જેવા દુર્ગંધી પદાર્થો ભરેલા છે, આવું વિચારવું તે.
૭ આશ્રવ ભાવના :- સમયે સમયે કર્મો આવી રહ્યા છે તો આ આત્માનો ઉદ્ધાર કયારે થશે ? આવું વિચારવું તે.
૮ સંવરભાવના :- આવતા કર્મોને રોકવા અમુક-અમુક ધર્મ પ્રવૃત્તિ આદરૂં તો જ આત્માનો ઉદ્ધાર થશે એવું વિચારવું તે.
૯ નિર્જરાભાવના :- અનાદિ કાલથી બાંધેલા ગાઢ કર્મોનો
૫૩
Page #595
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા નાશ તપાદિ સિવાય થશે નહિ, માટે તપાદિ આદરૂં. આવું વિચારવું તે.
૧૦ લોકસ્વભાવ ભાવના :- કેડ ઉપર બે હાથ રાખી બન્ને પગ પહોળા કરી, ઉભા રહેલા પુરુષની આકૃતિ જેવો આ લોક છે તે દ્રવ્યથી શાશ્વતો અને પર્યાયથી અશાશ્વતો છે, આવું વિચારવું તે.
૧૧ બોધિદુર્લભ ભાવના :- અનાદિકાલથી ભમતા એવા જીવોને સમ્યકત્વાદિ ત્રણ રત્નો મળવા તે દુર્લભ છે, આવું વિચારવું તે.
૧૨ ધર્મસાધક અહંતાદિ દુર્લભભાવના :- ધર્મના ઉપદેશક, અરિહંતાદિકની પ્રાપ્તિ થવી તે પણ મહાન્ દુર્લભ છે, એવું વિચારવું તે.
| ૭ આઠ કર્મ . ૧ જ્ઞાનાવરણીય કર્મ :- જે કર્મ જ્ઞાન ગુણને રોકે છે. (જ્ઞાન એટલે વિશેષ રૂપે જાણવું છે. જેમકે વૃક્ષ છે વિગેરે) આનાં પાંચ ભેદ છે. ૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મન:પર્યવજ્ઞાનાવરણીય અને ૫ કેવલ જ્ઞાનાવરણીય. આની સ્થિતિ ઉત્કૃષ્ટ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે. જઘન્યથી અન્તર્મુહૂર્ત છે. આ કર્મ આંખે બાંધેલ પાટા જેવું છે. આ કર્મ જીવના અનંતજ્ઞાનગુણને રોકે છે.
૨ દર્શનાવરણીય કર્મ :- જે કર્મ દર્શનગુણને રોકે તે (દર્શન એટલે સામાન્યરૂપે જાણવું તે જેમકે - આ કંઈક છે) આના નવ ભેદ છે. ૧. ચક્ષુદર્શનાવરણીય. ૨. અચક્ષુદર્શનાવરણીય, ૩. અવધિદર્શનાવરણીય, ૪. કેવલદર્શનાવરણીય, ૫. નિદ્રા, ૬. નિદ્રાનિદ્રા, ૭. પ્રચલા, ૮. પ્રચલાપ્રચલા અને ૯. થિણદ્રિ, આની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂર્ત છે. આ કર્મ
૫ ૬૪
Page #596
--------------------------------------------------------------------------
________________
--
-
-
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ પહેરેદાર-ચોકીદાર સરખું છે. આ કર્મ જીવના અનન્તદર્શન ગુણને રોકનાર છે.
૩ વેદનીય કર્મ :- જે કર્મ સુખદુઃખને આપે છે. આના બે ભેદ છે. ૧. શાતાવેદનીય અને ૨. અશાતાવેદનીય. આની ઉત્કૃષ્ટ સ્થિતિ ત્રીશ કોડાકોડી સાગરોપમની છે અને જઘન્યથી બાર મુહૂર્તની છે. આ કર્મ મધથી લપેલી તરવારની ધાર સરખું છે. આ કર્મ જીવના અનન્ત અવ્યાબાધ ગુણને રોકે છે.
૪ મોહનીય કર્મ :- જે કર્મ જીવને મુંઝાવે છે. આના પ્રથમ મુખ્ય બે ભેદ છે. ૧. દર્શનમોહનીય અને ૨. ચારિત્રમોહનીય. દર્શન મોહનીયના-૧ સમ્યકત્વ મોહનીય. ૨. મિશ્ર મોહનીય, અને ૩. મિથ્યાત્વ મોહનીય એમ ત્રણ ભેદ છે. ચારિત્ર મોહનીયના-અનન્તાનુબંધિ :- ૧. ક્રોધ, ૨. માન, ૩. માયા અને ૪. લોભ; અપ્રત્યાખ્યાની ૫. ક્રોધ, ૬. માન, ૭. માયા અને ૮. લોભ; પ્રત્યાખ્યાની ૯. ક્રોધ, ૧૦. માન, ૧૧. માયા અને ૧૨ લોભ; સંજ્વલન-૧૩. ક્રોધ ૧૪. માન ૧૫. માયા અને લોભ; ૧૭. હાસ્ય, ૧૮. રતિ, ૧૯. અરતિ, ૨૦ ભય, ૨૧. શોક. ૨૨. જુગુપ્સા, ૨૩. સ્ત્રીવેદ, ૨૪ પુરુષવેદ અને ૨૫. નપુંસક વેદ એમ પચીશ ભેદ છે. (૩+૨૫)આ રીતે કુલ મોહનીય કર્મના અઠાવીશ ભેદ છે. આની ઉત્કૃષ્ટ સ્થિતિ સીત્તેર કોડાકોડી સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂર્તની છે. આ કર્મ મદિરાના જેવું છે. અને જીવના દર્શન શ્રદ્ધા અને અનન્ત ચારિત્રગુણને રોકે છે.
અનન્તાનુબંધિ :- કાળથી જીવન પર્યત રહેનાર, ગતિથી નરક ગતિને આપનાર અને ગુણથી સમ્યકત્વ ગુણને રોકનાર છે.
અપ્રત્યાખ્યાની કાળથી વર્ષ સુધી રહેનાર, ગતિથી તિર્યંચ ગતિને આપનાર અને ગુણથી દેશવિરિતિગુણને રોકનાર છે.
પ્રત્યાખ્યાની - કાલથી ચાર માસ રહેનાર, ગતિથી મનુષ્ય ગતિ આપનાર અને ગુણથી સર્વ વિરતિ ગુણને રોકનાર છે.
-
-
--
૫ ૬૫
Page #597
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા સંજવલન કાળથી પન્નર દિવસ રહેનાર, ગતિથી દેવગતિ આપનાર અને ગુણથી યથાખ્યાત ચારિત્રગુણને રોકનાર છે.
૫ આયુષ્ય :- જે કર્મ જરૂર ભવાન્તરને પમાડે તે, આના ચાર ભેદ છે. ૧. નરકાયુષ્ય, ર. તિર્યંચ આયુષ્ય; ૩. મનુષ્ય આયુષ્ય અને ૪. દેવ આયુષ્ય. આની ઉત્કૃષ્ટ તેત્રીશ સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂતની સ્થિતિ છે. આ કર્મ ચોરને નાંખેલ બેડી જેવું છે. આ કર્મ જીવના અક્ષય-સ્થિતિ ગુણને રોકે છે.
દ નામકર્મ :- જે કર્મ જુદાજુદા રૂપને આપે છે. આના એકસોને ત્રણ ભેદો છે. ૪. ગતિ, ૫ જાતિ, ૫ શરીર, ૩ ઉપાંગ, ૧૫ બંધન, પ સંઘાતન, ૬ સંસ્થાન, ૬ સંઘયણ, ૫ વર્ણ, ૨ ગંધ, પ રસ, ૮ સ્પર્શ, ૪ આનુપૂર્વી અને ર વિહાયોગતિ સર્વ મળી પંચોતેર ભેદ થયા. ૭૬ પરાઘાત, ૭૭ ઉશ્વાસ, ૭૮ આતપ, ૭૯ ઉદ્યોત, ૮૦ અગુરુલઘુ ૮૧ નિર્માણ, ૮૨ ઉપઘાત, ૮૩ તીર્થકર, ૮૪ થી ૯૩ ત્રશદશક. (૧ ત્રસ, ૨ બાદર, ૩ પર્યાપ્ત, ૪ પ્રત્યેક, ૫ સ્થિર, ૬ શુભ, ૭ સૌભાગ્ય, ૮ સુસ્વર, ૯ આદેય અને ૧૦ યશઃ) અને ૯૩ થી ૧૦૩ સ્થાવરદશક (૧ સ્થાવર, ૨ સૂક્ષ્મ. ૩ અપર્યાપ્ત, ૪ સાધારણ, ૫ અસ્થિર, ૬ અશુભ, ૭ દુર્ભાગ્ય, ૮ દુઃસ્વર, ૯ અનાદેય, ૧૦ અપયશઃ) આની ઉત્કૃષ્ટ વિશ કોટી કોટી સાગરોપમ અને જઘન્યથી આઠ મુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ ચિતારાના જેવું છે. આ કર્મ જીવના અરૂપગુણને રોકે છે.
૭ ગોત્રકર્મ :- જે કર્મ ઉચ્ચ-નીચપણાને આપે છે. આના બે ભેદ છે. ૧ ઉચ્ચગોત્ર અને ૨ નીચગોત્ર. આની ઉત્કૃષ્ટ વસ કોડાકોડી સાગરોપમની અને જઘન્યથી આઠમુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ કુંભારના જેવું છે. આ કર્મ જીવના અગુરુલઘુગુણને રોકે છે.
૮ અન્તરાયકર્મ :- જે કર્મ ઈચ્છાપૂર્વક દાનાદિ ન કરવા દે તે. આના પાંચ ભેદ છે. ૧ દાનાન્તરાય, ૨ લાભાન્તરાય, ૩ ભોગાન્તરાય, ૪ ઉપભોગાન્તરાય અને ૫ વર્યાન્તરાય. આની
૧૫૬૬)
૫૬ ૬
Page #598
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
ઉત્કૃષ્ટ ત્રીસ કોટાકોટી સાગરોપમની અને જઘન્યથી અન્તર્મુહૂર્તની સ્થિતિ છે. આ કર્મ ભંડારી જેવું છે અને આ કર્મ જીવના અનન્તવીર્યગુણને રોકે છે.
આ રીતે કુલ આઠ કર્મની (૫ જ્ઞાનાવરણીય, ૯ દર્શનાવરણીય, ૨ વેદનીય, ૨૮ મોહનીય, ૪ આયુષ્ય, ૧૦૩ નામ, ૨ ગોત્ર અને ૫ અન્તરાયની મળી) એકસો ને અઠ્ઠાવન પ્રકૃતિ થાય છે.
ક (૮) ચૌદ ગુણસ્થાનક ૧ મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક :- મિથ્યાવૃષ્ટિ એટલે વિપરીતવૃષ્ટિ. ગુણસ્થાન એટલે જ્ઞાનાદિગુણનું જે સ્થાન શુદ્ધિ અને અશુદ્ધિની હાનિ-વૃદ્ધિથી કરાયેલ સ્વરૂપ ભેદ. અર્થાત્ જે સ્થાને રહેલ જીવને તીર્થકર ભગવંતના બતાવેલ ભાવોથી વિપરીત જ્ઞાન થાય તે.
કાલથી - અનાદિ અનંત (અભવ્યને) ૨ અનાદિ સાંત (ભવ્ય જીવને) અને ૩ સાદિ સાંત (ધર્મથી પતિતને).
૨ સાસ્વાદન ગુણસ્થાનક :- ઔપથમિક સમ્યકત્વ વમ્યા પછી મિથ્યાત્વે ન પહોંચ્યો હોય ત્યાં જીવને જ્યાં આગળ સ્ટેજ પણ સમ્યકત્વનો સ્વાદ-અનુભવ થાય તે સ્થાન. કાલજઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ છે આવલિકા.
૩ મિશ્રગુણસ્થાનક - જિનેશ્વર ભગવંતના માર્ગ પર રુચિ અને અરુચિ પણ ન થાય તે સ્થાન. કાલ-જઘન્ય તથા ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૪ અવિરતિ સમ્યવ્રુષ્ટિ ગુણસ્થાનક :- તીર્થંકર પ્રણીત તત્ત્વોને માનતો છતો જ્યાં આગળ જીવ વ્રત પચ્ચખાણાદિ ન કરી શકે તે સ્થાન. કાલ-જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાધિક તેત્રીશ સાગરોપમ.
૫ દેશવિરતિ ગુણસ્થાનક :- જીવ જ્યાં આગળ સાવદ્ય
૫૬૭
Page #599
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા વ્યાપારનો મન, વચન અને કાયાથી થોડે અંશે ત્યાગ કરે તે સ્થાન. કાલ-જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશોન પૂર્વકોડ વર્ષ
૬. પ્રમત્તગુણસ્થાનક - સાવધ વ્યાપારતો સર્વથા ત્યાગ કર્યો હોય છતાં જ્યાં આગળ જીવ પ્રમત્ત-નિદ્રા અથવા ઉપયોગાન્તરવાળો હોય તે સ્થાન. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત
૭ અપ્રમત્ત ગુણસ્થાનક - સાવદ્ય વ્યાપારનો સર્વથા ત્યાગ કર્યો હોય અને જ્યાં આગળ જીવ ઉપયોગવા થઈ વર્તતો હોય તે સ્થાન. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
(પ્રમત્ત ગુણસ્થાનક અને અપ્રમત્ત ગુણસ્થાનક એ બન્નેનો ભેગો કાલ-જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટ દેશોને પૂર્વ કોડ વર્ષ સમજવો.)
૮ અપૂર્વકરણ ગુણસ્થાનક :- જે સ્થાને પહેલા કોઈ વખત ન કર્યા હોય તેવા પાંચ વાના (૧. સ્થિતિઘાત, ૨. રસઘાત ૩. ગુણશ્રેણી, ૪. ગુણસંક્રમ અને ૫. સ્થિતિબંધ) કરે છે. આનું બીજાં નામ નિવૃતિ ગુણસ્થાનક પણ છે. એનો અર્થ જ્યાં આગળ ત્રિકાશવર્તી જીવના અસંખ્યાતા અધ્યવસાય સ્થાનોની દરેક સમયે સમયે (પ્રથમસમયથી માંડીને ચરમાંત સમય સુધી) અનંતગુણી શુદ્ધિ કરે અથવા જ્યાં સમકાલે પ્રવેશ કરેલ સર્વ જીવના અધ્યવસાય સ્થાનોમાં પરસ્પર નિવૃતિ-ફેરફાર હોય તે સ્થાન. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૯ અનિવૃત બાદર સંપરાય ગુણસ્થાનક - જ્યાં આગળ સમકાલે ચઢેલ જીવના અધ્યવસાય સ્થાનકો પરસ્પર સરખાં હોય તે. અને દશમા ગુણસ્થાનક કરતાં સહેજ વિશેષ કપાયોદય હોય તે. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત
૧૦ સૂમસંહરાય ગુણસ્થાનક - જે સ્થાને જીવને સૂકમકિટ્ટી માત્ર કષાયોદય હોય તે. કાલ-જઘન્ય એક સમય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૫૬૮
Page #600
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
૧૧ ઉપશાંત મોહ વીતરાગ છદ્મસ્થ ગુણસ્થાનક :- જ્યાં આગળ કષાયોને અગ્નિના ભાઠાની માફક દબાવી દીધા છે અને ઘાતી કર્મ (જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય ઉદયમાં તથા સત્તામાં રહેલા છે તે સ્થાન. કાલ-જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૧૨ ક્ષીણમોહ વીતરાગ છઘ0 ગુણસ્થાનક - જ્યાં જેણે કષાયોને સર્વથા ક્ષય કરેલ છે અને ઘાતિકમો સત્તામાં તથા ઉદયમાં રહેલ હોય તે સ્થાન. કાલ-જઘન્ય અને ઉત્કૃષ્ટ અન્તર્મુહૂર્ત.
૧૩ સયોગીકેવલી ગુણસ્થાનક :- જ્યાં મન વચન અને કાયાના વ્યાપારમાં વર્તતા હોય અને ઘાતી કર્મોનો ક્ષયથી કેવલજ્ઞાનને પામેલ હોય. સ્થાન, કાલ જઘન્ય અન્તર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ દેશોન પૂર્વે ક્રોડ વર્ષ
૧૪ અયોગીકેવલી ગુણસ્થાનક :- કેવલી ભગવંત બાકી રહેલા અઘાતિ (વેદનીય, આયુષ્ય, નામ અને ગોત્ર) કર્મનો ક્ષય કરી મન, વચન અને કાયાના વ્યાપારનો રોધ કરે છે. સ્થાન, કાલ-જઘન્ય અને ઉત્કૃષ્ટ પાંચ ઇસ્વ ઇ ઈ ઉ % ૮ સ્વર બોલવા જેટલો જ.
EE (૯) છ આવશ્યક , ૧ સામાયિક આવશ્યક :- (કરેમિ ભંતે) જેનાથી આત્માના સમતાદિ આધ્યાત્મિક ગુણોની પ્રાપ્તિ થાય છે. આનાથી પાપમાર્ગ રોકાય છે.
૨ ચતુર્વિશતિસ્તવ :- (લોગસ્સ) જેમાં પૂજ્ય શ્રી ચોવીશ તીર્થકર ભગવંતના નામો આવે છે અને જે નામોનું કીર્તન કરવાથી સમકિતની નિર્મલતા થાય છે તે.
૩ વંદનક :- (વાંદણા) જે વંદનથી શ્રી ગુરુ ભગવંતનું બહુમાન સચવાય છે અને જેનાથી લધુતા નમ્રતાદિ ગુણોની પ્રાપ્તિ થાય છે તથા નીચગોત્રનો નાશ થાય છે તે.
૫ ૬૯
Page #601
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૪ પ્રતિક્રમણ :- (વંદિત્તુસૂત્રતથાપગામ સજ્ઝાય) જેનાથી પૂર્વે લાગેલ દોષની ક્ષમા માગવી અને ફરીથી તેવા દોષો ન લાગે તેની સાવચેતી રાખી આત્માને નિર્મલ બનાવવો તે. આનાથી દુર્ગતિના દ્વાર બંધ થાય છે.
૫ કાયોત્સર્ગ :- (કાઉસ્સગ્ગ) શુક્લધ્યાન અને ધર્મ ધ્યાનપૂર્વક કાયા ઉપરના મમત્વભાવનો ત્યાગ કરવો તથા આત્માને પોતાના વાસ્તવિક જ્ઞાનાદિ ગુણનો વિચાર કરવાનો સમય આપવો તે. આનાથી ધ્યાનશક્તિ વધે છે.
૬ પ્રત્યાખ્યાન :- (નવકારશી ચૌવિહારાદિ) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ત્યાગનો નિયમ કરવો તે. આનાથી તૃષ્ણા છેદાય છે.
(૧૦) દાનાદિ ચાર
૧ દાન :- પોતાની માલિકી ઉઠાવી સુપાત્રને ગુણબુદ્ધિથી અને બીજાને દયાબુદ્ધિથી આપવું તે. અથવા કોઈને ભય ન આપવો તે.
૨ શીલ :- ઈન્દ્રિયને વશ કરી બ્રહ્મચર્યમય જીવન વિતાવવું
તે.
૩ તપ :- નિર્જરા માટે ખાદ્ય પદાર્થાદિકની ઈચ્છાને રોકવી અથવા સ્વાધ્યાયાદિક કરવા તે. આ તપ જેમ કીટ્ટાથી મલિન થયેલ સુવર્ણને અગ્નિ તપાવી શુદ્ધ કરે છે તેમ કર્મ કીટ્ટાથી મલિન થયેલ આત્માને શુદ્ધ કરે છે.
૪ ભાવ :- એકાંત હિતકારી આત્માની જે ચિંતવના અર્થાત્ શ્રી અરિહંત ભગવંતની આજ્ઞામાં રહીને ઈહલૌકિક કે પારલૌકિકની ઈચ્છા વિના કેવલ મોક્ષના ધ્યેયથી શુભક્રયામાં પરાક્રમ ફોરવવા વિગેરેની રુચિ ઉત્પન્ન થવી તે.
૫૦૦
Page #602
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૐ (૧૧) પાંચ કારણો
૧ કાલ :- પદાર્થની ઉત્પત્તિમાં કાલની જરુર પડે છે, જેમ કે-આંબો જેઠ માસે જ ફલ આપે, ચોમાસામાં વર્ષાદ આવે, નવમાસે સ્ત્રી પુત્રને જન્મ આપે છે, તેવી જ રીતે સ્થિતિ પરિપાક થાય ત્યારે જ જીવ મુકત બને છે.
૨ સ્વભાવ :- કાલ તો યોગ્ય આવ્યો હોય પરંતુ પદાર્થમાં તે વસ્તુની ઉત્પત્તિનો સ્વભાવ ન હોય તો પણ કાર્ય ન થાય, જેમકે પત્થરમાં ધાન્ય વાવે તો કદી પણ ધાન્ય ન થાય. કારણ કે તેમાં ધાન્યની ઉત્પત્તિનો સ્વભાવ નથી, માટે કાલની સાથે સ્વભાવની પણ જરૂર છે.
૩ નિયતિ :- કાલ અને સ્વભાવ હોય પણ સાથે નિશ્ચય ન હોય તો પણ કાર્ય ન થાય. જેમ કે-કાલ વર્ષાઋતુનો હોય ધાન્યની ઉત્પત્તિનાં સ્વભાવવાળી જમીનમાં બીજારોપણ કરેલ હોય પરંતુ ધાન્ય પાકયાનો નિશ્ચય ગુણ (પદશા) પ્રગટ ન થાય તે પહેલાં ઉખેડી નાખે તો પણ ધાન્ય ન થાય. માટે બંનેની સાથે નિયતનિશ્ચયની પણ જરુરત છે.
૪ ભવિતવ્યતા :- કાલ, સ્વભાવ અને નિયતિ હોય પરંતુ પૂર્વકૃત કર્મ ઉદયે ન હોય તો પણ કાર્ય ન થાય. જેમ કેવર્ષાઋતુનો કાલ હોય ધાન્યની ઉત્પત્તિનાં સ્વભાવવળી જમીનમાં બીજારોપણ કરેલ હોય, ધાન્ય પક્વ દશાએ પામેલ હોય તેમાં અચાનક પાપના ઉદયે તીડનું ટોળું આવી સઘળું ધાન્ય નષ્ટ કરી નાખે છે, માટે ત્રણેની સાથે ભાગ્યની પણ જરૂરત છે.
૫ પુરુષાર્થ :- કાલાદિ ચારે હોય પણ પુરુષાર્થ - ઉધમ ન હોય તે પણ કાર્ય ન થાય. જેમ કે - વર્ષાઋતુ હોય, બીજારોપણ કરેલ ધાન્યની ઉત્પત્તિના સ્વભાવવાળી જમીન હોય, ધાન્ય પણ પાક દશાને પામેલ હોય, ભાગ્ય પણ હોય છતાં જો ખેતરમાં જઈને લણવાની, ખળામાં જઈને ધાન્યને જુદા પાડવાની મહેનત ન કરે તો પણ ધાન્ય ન મળે. માટે પાંચે કારણની કાર્યોત્પત્તિમાં
૫૭૧
Page #603
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સાથે જરૂરત હોવી જોઈએ. કદાચ કોઈ મુખ્ય હોય તો પણ બાકીના ગૌણ બને છે, પણ સાથે હોય જરૂર.
૬ દષ્ટાંત :- કાલ અનુરૂપ હોય છતાં પણ અભવ્ય જીવનો મોક્ષ ન થાય; કાળ અનુરૂપ હોય, ભવ્યત્વ સ્વભાવ હોય પરંતુ જો નિશ્ચય (ક્ષાયિક સમ્યક્ત્વાદિ) ગુણ ઉત્પન્ન ન હોય તો પણ મોક્ષે ન જાય; કાલ અનુરૂપ હોય, ભવ્યત્વ સ્વભાવ હોય અને ક્ષાયિક સમ્યક્ત્વાદિનો નિશ્ચય પણ હોય, છતાં જો પૂર્વકૃતકર્મ (ઘાતી વિગેરે કર્મ) નો ઉદય હોય તો પણ મોક્ષે ન જાય. કાલ અનુરૂપ હોય; ભવ્યત્વ સ્વભાવ હોય, ક્ષાયિક સમ્યક્ત્વાદિનો નિશ્ચય હોય, ઘાતિકર્મ ક્ષયરૂપ ભવિતવ્યતાનો ઉદય હોય પણ જો ચારિત્રાદિ આરાધવામાં વીર્યોલાસરૂપ આત્માનો પુરૂષાર્થ ન હોય તો પણ મોક્ષે ન જાય, માટે પાંચે કારણોની જરૂરત પડે છે.
૬ ૧૩. અગિયાર અંગ (૪૫ આગમોની યાદી)
૧ આચારાંગસૂત્ર :- પૂજ્ય મુનિવરોનાં આચાર-વિચારનું સુંદર વર્ણન કરેલ છે.
૨ સૂયગડાંસૂત્ર :- ત્રણશે ત્રેસઠ પાંખડીઓનું વર્ણન, જીવાજીવાદિ પદાર્થનું તથા સંયમનું સુંદર વર્ણન આપેલ છે.
૩ ઠાણાંગસૂત્ર :- એકથી દશ અધ્યયનમાં જીવાજીવાદિ પદાર્થનું અને નદી, સરોવર, પર્વતાદિ પદાર્થોનું એકથી દશ કઈ કઈ વસ્તુ છે, તેનું વર્ણન આવે છે.
૪ સમવાયાંગ સૂત્ર :- એકથી સો ઉપરાંત જીવાજીવાદિ પદાર્થનું વર્ણન છે.
૫ ભગવતીસૂત્ર :- ગૌતમગણધરે પૂછેલ અને શ્રમણ ભગવંત મહાવીરસ્વામીએ જવાબ આપેલ એવા છત્રીશ હજાર પ્રશ્નોત્તર રૂપ અને ચાર અનુયોગમય ૧૪૧ શતક છે.
૬ જ્ઞાતાધર્મકથાંગ સૂત્ર :- યુવરાજર્ષિ, દ્રૌપદી અને બીજા પુરૂષોએ કરેલ પ્રભુપૂજા સંબંધી વર્ણન આવે છે.
૫૭૨
Page #604
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૭ ઉપાસકદશાંગ સૂત્ર:- આનંદાદિ દશ શ્રાવકોના ચરિત્રો
.
૮ અંતગડદશાંગ સૂત્ર :- અત્તકૃત્ સિદ્ધોનું અને કૃષ્ણ મહારાજાએ, તેમના પુત્ર-પૌત્રોએ તથા ચંદનબાલા અને શ્રેણિક મહારાજાએ કરેલ વિવિધ તપનું વર્ણન છે.
૯ અનુત્તરોવવાઈ સૂત્ર :- પન્નાજી, સુનક્ષત્ર તથા જાલી, મયાલી અને ઉવાલી વિગેરે સંયમ આરાધી સર્વાર્થસિદ્ધનું સુખ પામ્યા તેનું વર્ણન છે.
૧૦ પ્રશ્નવ્યાકરણાંગ સૂત્ર :- પ્રભુએ આપેલ જીવાજીવાદિ પદાર્થના પશ્નરૂપ તથા આશ્રવ અને સંવરનું સુંદર વર્ણન છે.
૧૧ વિપાકાંગ સૂત્ર :- કર્મના પરિણામથી સુખ-દુઃખ ભોગવી ક્યા આત્મા ઉત્તમગતિ પામ્યા તેનું વૈરાગ્યમય વર્ણન છે.
ક ૧૪ બાર ઉપાંગ 5 ૧ ઉવવાઈ સૂત્ર :- કોણીક મહારાજા શ્રી ભગવંતનો ચંપાનગરીમાં પ્રવેશ કરાવે છે, તેનું વર્ણન કરેલ છે.
૨ રાજપ્રશ્રયસૂત્ર :- સૂર્યાભદેવ રૂપે થયેલ પ્રદેશ રાજાના જીવે પ્રભુ સન્મુખ કરેલું બત્રીશ પ્રકારના નાટકનું વર્ણન આવે છે.
૩ જીવાભિગમ સૂત્ર :- જીવાજીવાદિ પદાર્થનું, નંદીશ્વર દ્વીપના પ્રાસાદનું અને વિજયદેવે કરેલ પ્રભુપૂજાનું સુંદર વર્ણન છે.
૪ પન્નવણાસૂત્ર :- વેદ, લેશ્યા, આહાર વિગેરે છત્રીશ પદોનું વિસ્તારથી વર્ણન છે.
૫ સૂર્યપ્રજ્ઞપ્તિસૂત્ર:- સૂર્ય સંબંધી વર્ણન વિસ્તારથી છે.
દ જંબૂઢીપપ્રજ્ઞપ્તિ સૂત્ર :- જંબૂદ્વીપના પદાર્થનું વિસ્તારથી તથા ઈન્દ્ર કરેલ પ્રભુપૂજાનું વર્ણન છે.
૭ ચંદ્રપ્રજ્ઞપ્તિસૂત્ર :- ચંદ્ર સંબંધી અને જ્યોતિષની ગતિ આદિનું વિસ્તારથી વર્ણન કરેલ છે.
પ૭૩
Page #605
--------------------------------------------------------------------------
________________
:
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૮ નિરયાવલિકાસૂત્ર - લોભાદિ અને આશાવશ પડી કેવા કુગતિના દુઃખો ભોગવવા પડે છે. તેનું વર્ણન છે.
૯ કપ્પવર્ડસિયાસૂત્ર :- શ્રેણીકના પદ્માદિ દશ કુમારો ચારિત્ર આરાધી શિવસુખ પામ્યા તેનું વર્ણન.
૧૦ પુષ્ક્રિયાસૂત્ર - સૌધર્મ દેવલોકવાસી બહુપુત્રિકા દેવીએ પ્રભુ આગળ કરેલ બત્રીશ પ્રકારના ભવ્ય નૃત્યનું વર્ણન છે. - ૧૧ પુફચૂલિયાસૂત્ર :- શ્રી, ગૃતિ, કૃતિ આદિ દશ દેવીઓએ પ્રભુ આગળ કરેલ નૃત્યનું સુંદર વર્ણન છે.
૧૨ વનિદશાંગસૂત્ર :- નિષધ વિગેરે મુનિવરો શ્રી નેમિનાથ ભગવંત પાસે ચારિત્ર લઈ સર્વાર્થસિદ્ધ ગયા તેનું વર્ણન આવે છે.
E (૧૫) દશ પન્ના ના ૧ ચઉસરણ :- છ આવશ્યકના હેતુ સમજી પુજ્ય મુનિવરોએ ચાર શરણ સ્વીકાર્યા તેનું વર્ણન છે.
૨ આઉરપચ્ચકખાણ :- પાંચ આચાર (જ્ઞાનાચારાદિ)ને અને બાર વ્રતના અતિચારો ત્યાગી શ્રાવકોએ શુભ ભાવના ભાવવી, તેનું વર્ણન છે.
૩ મહાપચ્ચકખાણ :- પંડિત અને વીર્યવંત મુનિવરો શુદ્ધ અણસણ આરાધી શિવપદ પામ્યા તેનું વર્ણન આવે છે.
૪ ભત્તપન્ના :- કામ, સ્નેહ અને દૃષ્ટિ રાગનો ત્યાગ કરી પ્રભુ આજ્ઞા પાળી જે મુનિવરો શિવપદ પામ્યા તેનું વર્ણન છે.
૫ તંદુલવેયાલિય :- જન્મ-મરણ અને ગર્ભના દુઃખનું વૈરાગ્યપોષક વિસ્તૃત વર્ણન આવે છે. - ગણિવિજા:- તિથિ, વાર અને શુભ મુહૂર્ત, શુદ્ધ ધર્મ આરાધી પૂજ્ય મુનિવરો શિવપદ પામ્યા તેનું વર્ણન છે.
૭ ચંદાવિઝય - જગતમાં સમાધિ મેળવવી એ આત્માને અત્યંત દુર્લભ છે, એ બાબતનું સુંદર વર્ણન છે.
૫૭૪
Page #606
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ૮ દેવેન્દ્રસ્તવ :- મેરૂ પર્વત પર ઈન્દ્રાદિ દેવો એ કરેલ પ્રભુપૂજા તથા સ્તવનાનું વર્ણન કરેલ છે.
૯ મરણ સમાધિ - મૃત્યકાલે જે મુનિવરો સમાધિ સાધી મુક્તિપદ પામ્યા તેનું વર્ણન કરેલ છે.
૧૦ સંથારગ :- વૃક્ષની જેમ સ્થિર રહી અણસણ આદરી જિનેશ્વરદેવો તથા મુનિવરો સિદ્ધિપદ પામ્યા તેનું વર્ણન છે.
(૧૬) છ છેદ સૂત્ર ૧ દશાશ્રુતસ્કંધ સૂત્ર :- સંયમ આદરવો અને પ્રમાદ ન કરવો તેનું વર્ણન છે.
૨ બૃહત્કલ્પ સૂત્ર :- મુનિવરનો આચાર તથા કથ્ય અને અકથ્ય વસ્તુનો વિચાર છે.
૩ વ્યવહાર સૂત્ર :- ઉત્સર્ગ અને અપવાદ રૂપ પાંચ વ્યવહારનું વર્ણન કરેલ છે.
૪ જીતકલ્પ સૂત્ર :- આલોયણ-પ્રાયશ્ચિત્તના અધિકારનું વર્ણન આવે છે.
૫ નિશીથ સૂત્ર :- મુનિવરોના ઉત્તમ આચારનું વર્ણન છે.
દ મહાનિશીથ સૂત્ર :- શ્રાવકના ઉપધાનાદિ આચારનું અને મુનિવરના આચારનું વિસ્તૃત વર્ણન કરેલ છે.
(૧૭) ચાર મૂલ સૂત્ર | ૧ આવશ્યક સૂત્ર :- સામાયિકાદિ છ આવશ્યકનું સંપૂર્ણ વર્ણન છે.
૨ દશવૈકાલિક સૂત્ર :- મુનિવરોના આચારનું સુંદર વર્ણન
૩ ઉત્તરાધ્યયન સૂત્ર :- પ્રભુએ છેલ્લાં સોળ પહોર આપેલ છત્રીશ અધ્યયન રૂપ વિનયાદિ દેશનાનું વર્ણન છે.
પ૭૫
Page #607
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ પિંડનિર્યુક્તિ સૂત્ર :- બેતાલીશ દોષ રહિત શુદ્ધ આહારાદિનો વિચાર આવે છે.
F (૧૮) બે ચૂલિકા સૂત્ર E ૧ નંદિ સૂત્ર:- આમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે.
૨ અનુયોગદ્વાર સૂત્ર :- ઉપક્રમ નિક્ષેપ, અનુગમ અને નયરૂ૫ અનુયોગનું વર્ણન કરેલ છે.
(૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૧૦ પન્ના + ૬ છેદસૂત્ર + ૪ મૂળસૂત્ર + ૨ ચૂલિકા સૂત્ર. આ રીતે કુલ ૪૫ આગમો છે.) SF આનંદ કામદેવ વિગેરે શ્રાવકોએ વહન કરેલ
શ્રાવકની અગિયાર પ્રતિમા 5 ૧ સમ્યકત્વ પ્રતિમા :- કોઈપણ અતિચાર રહિત તથા (૧ રાજાના આગ્રહથી, ૨ સમુદાયના આગ્રહથી, ૩ બલવાન પુરૂષના જોરજુલમથી, ૪ દુષ્ટ દેવાદિના બલાત્કારથી, ૫ ગુરુના બચાવ ખાતર અને દ્ર આજીવિકા ન ચાલતી હોય અને આર્તરૌદ્ર ધ્યાનથી મરણ થતું હોય અથવા ગાઢ જંગલમાં ભૂલો પડ્યો હોય અને નિર્વાહ માટે લીધેલા વ્રતાદિનો ત્યાગ કરવો પડે આવા જે) છ આગારો-અપવાદો રહિત શુદ્ધ સમકિત પાળીશ આવો એક મહિના સુધી હૃઢ અભિગ્રહ કરવો તે.
૨ વ્રતપ્રતિમા :- પૂર્વની પેલી પ્રતિમા સહિત, લીધેલા પ્રથમના બાર વ્રતોમાં સંક્ષેપ કરવો, અતિચાર ન લગાડવા તથા છ આગારો બંધ કરવા, આવો જે બે મહિના સુધી નિયમ લેવો
૩ સામાયિક પ્રતિમા :- બંને પ્રતિમાના નિયમપૂર્વક કોઈપણ પ્રકારના દોષ રહિત મન, વચન અને કાયાના વ્યાપારના ત્યાગરૂપ સામાયિક કરવી, આવો અભિગ્રહ ત્રણ મહિના સુધી કરવો તે.
૫૭૬
Page #608
--------------------------------------------------------------------------
________________
સુવાક્યો
૪ પૌષધ પ્રતિમા :- ત્રણે પ્રતિમા સહિત, આગાર રહિત અતિચાર ન લાગે તેવી રીતે ચારે આહારનો ત્યાગ, બ્રહ્મચર્ય પાલન, શરીરશોભાનો ત્યાગ અને સાવદ્યારંભના ત્યાગરૂપ મહિનામાં પાંચ પૌષધ કરવા, આવો ચાર મહિના સુધી નિશ્ચય કરવો તે.
૫ કાયોત્સર્ગ પ્રતિમા :- ચારે પ્રતિમાના નિયમો સાથે, પાંચ દિવસ કરેલ પૌષધને દિવસે આખી રાત્રી સુધી ઉભા-ઉભા કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહેવું, આવો પાંચ મહિના સુધી અભિગ્રહ કરવો તે.
દ બ્રહ્મચર્ય પ્રતિમા :- પૂર્વના પાંચે અભિગ્રહપૂર્વક, અતિચાર રહિત મન, વચન અને કાયાથી શુદ્ધ બ્રહ્મચર્ય પાળવું, વસ્ત્રાદિની શોભાનો ત્યાગ કરવો, આવો છ મહિના સુધી દૃઢ અભિગ્રહ કરવો તે.
૭ સચિરત્યાગ પ્રતિમા :- પ્રથમની છ પ્રતિમા સહિત સચિત્ત આહારનો ત્યાગ કરવો અને અચિત્ત આહારાદિ પણ જરૂર વખતે કરવો, આવો મનમાં સાત મહિના સુધી દૃઢ સંકલ્પ કરવો
૮ આરંભત્યાગ પ્રતિમા :- સાત પ્રતિમાના નિયમો સહિત દેહનિર્વાહાથે સાવદ્યારંભનો ત્યાગ કરવો પરંતુ શરીરના પોષણ અર્થે નોકરાદિપાસે આરંભ કરાવવાની છૂટ રાખવી. આવો આઠ મહિના સુધી અભિગ્રહ કરવો તે.
૯ પૃષ્યઆરંભ વર્જન પ્રતિમા :- પૂર્વની બધી પ્રતિમા સાથે નોકરાદિ પાસે પોતાના માટે કોઈ જાતનો આરંભ ન કરાવવો પણ સ્વાભાવિક બીજાએ વગર પૂછયે પોતાને માટે કરેલ આહારાદિમાં સંતોષ પામવો; આવો નવ મહિના સુધી દૃઢ નિયમ લેવો તે.
૧૦ ઉશિક આહાર ત્યાગ પ્રતિમા :- પહેલાની નવ પ્રતિમા પાળતો છતો પોતાના સંબંધીઓ ને પોતાના માટે કરેલ આહારાદિનો ત્યાગ કરવો, તથા જાણીતા પોતાના સંબંધીઓને ત્યાં
પ૭૭)
Page #609
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
ખબર ન પડે તેવી રીતે પોતે જ આહારાદિ લાવી પૌષધશાળામાં ભોજન કરવું, હજામત કરાવવી અથવા વાળ વધારવા, આવો દશ મહિના સંકલ્પ કરવો તે.
૧૧ શ્રમણભૂત પ્રતિમા :- પૂર્વની સંપૂર્ણ પ્રતિમાના નિયમો સહિત સાધુવેશ ધારણ કરવો, લોચ કરાવવો, ભિક્ષા માટે નગરમાં ભટકવું, આવી રીતે મુનિધર્મની તુલના કરતો સંપૂર્ણ મુનિધર્મ પાળવો. આવો અગિયાર મહિના સુધી દૃઢ અભિગ્રહ લેવો તે.
પ્રશ્ન :- મુનિરાજની બાર પિડમા કઈ રીતે ?
ઉત્તર ઃ- ભગવતીસૂત્ર શતક-૨ ઉદ્દેશક-૧ માં કહ્યું છે કે એક માસ સુધી આહારની તથા પાણીની એકેકી દત્તિ ગ્રહણ કરવી એ પહેલી ડિમા-૧, એવી જ રીતે બે માસની બીજી પડિમા-૨, ત્રણ માસની ત્રીજી ડિમા-૩, ચાર માસની ચોથી ડિમા-૪, પાંચ માસની પાંચમી ડિમા-પ, છઠ્ઠી પિંડમા-દ્ર માસની, સાતમી ડિમા ૭, તથા આયંબિલના પારણાવાળા અને પાણી પીધા વિનાના એવા એકાંતરીયા ઉપવાસો વડે કરીને ગામની બહાર ચત્તા સૂઈને અથવા પડખે સુવું અથવા ઉભડક બેસવું, ઉભડક રહેવું અથવા વાંકા લાકડાંની પેઠે સૂવું, કંપ્યા વિના સર્વ ઉપસર્ગો સહન કરીને સાત રાત્રી-દિવસો વડે આઠમી પિંડમા થાય ૮ તથા ઉપર કહેલી વિધિ મુજબ ગોદોહિકા આસને રહીને સાત દિવસો વડે નવમી પિંડમા થાય ૯. તથા ઉપર કહેલી વિધિ મુજબ ઉત્તમ ધ્યાનમાં નિશ્ચલ મનવાળા વીર આસને રહીને અથવા ગોદોહાસને સંકોચાઈને બેસવું. એવી રીતે સાત દિવસો વડે જ દશમી પિંડમા થાય ૧૦, તથા છટ્જ કરીને રાત દિવસ નિશ્ચલ વિરાસને રહીને અને બન્ને હાથો લાંબા રાખીને અગ્યારમી પડિમા થાય ૧૧, તથા અટ્કમ કરીને બન્ને પગ સંકોચીને હાથ લાંબા રાખીને નિષ્કપ રહીને તથા સિદ્ધશિલા તરફ દૃષ્ટિ રાખીને નદી વિગેરેને કાંઠે અથવા ભેખડ ઉપર રહેવું, આંખોને ન પટ પટાવવી, એવી એક રાત્રિના પરિણામવાળી બારમી પિંડમા થાય ૧૨.
૫૭૮
Page #610
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
પ્રશ્ન :- તેર ક્રિયાના સ્થાન કેવી રીતે ? (સમવાયાંગ સૂત્ર)
ઉત્તર ઃ- ૧ અર્થદંડ,૨ અનર્થદંડ, ૩ હિંસાદંડ, ૪ અકસ્માતદંડ, પ દૃષ્ટિના વિપર્યાસને લીધે દંડ, ş મૃષાવાદના કારણવાળો દંડ, ૭ અદત્તાદાનનો નિમિત્તવાળો દંડ, ८ આધ્યાત્મિક મનના નિમિત્તવાળો દંડ, ૯ માનના નિમિત્તવાળો દંડ, ૧૦ મિત્ર પરના દ્વેષને આશ્રીને દંડ, ૧૧ માયાને આશ્રીને દંડ, ૧૨ લોભને આશ્રીને દંડ, ૧૩ ઈર્યાપથના હેતુવાળો દંડ.
પ્રશ્ન :- સત્તર પ્રકારના અસંયમ કયા ?
ઉત્તર ઃ- ૧ પૃથ્વીકાય અસંયમ,૨ અાય અસંયમ, તેઉકાય અસંયમ, ૪ વાઉકાય અસંયમ, ૫ વનસ્પતિકાય અસંયમ, ૬ બેઈન્દ્રિય અસંયમ, ૭ તેઈન્દ્રિય અસંયમ, ૮ ચઉરિન્દ્રિય અસંયમ, ૯ પંચેન્દ્રિય અસંયમ, ૧૦ અજીવકાય અસંયમ એટલે સુંદર સુવર્ણ તથા બહુ મૂલ્યવાળા વસ્ત્ર, પાત્ર, પુસ્તક વિગેરે ગ્રહણ કરવા, ૧૧ પ્રેક્ષા અસંયમ એટલે બેસવા વિગેરેનું સ્થાન તથા ઉપકરણ બરાબર તપાસવું નહિ તે, ૧૨ ઉપેક્ષા અસંયમ તે સંયમના યોગોને વિષે પ્રવર્તે નહિ અસંયમના યોગોમાં પ્રવર્તે, ૧૩ અપકૃત્ય અસંયમ તે ઉચ્ચારાદિકવિધિ પ્રમાણે ન પરઠવે તે, ૧૪ અપ્રમાર્જન અસંયમ તે પાત્રાદિકનું વિધિ પ્રમાણે પ્રમાર્જન ન કરે, ૧૫ મન અસંયમ, ૧૬ વચન અસંયમ, ૧૭ કાયા અસંયમ, અશુભ એવા મન, વચન, કાયાની ઉદ્દીરણા કરે તે.
પ્રશ્ન :- ચાર ભાવ દશા કઈ ?
ઉત્તર ઃ- ૧. નિદ્રા-એટલે ઉંઘવું, પ્રથમના ત્રણ ગુણ ઠાણા સુધી હોય, ૨. સ્વપ્ન કાંઈક ઉંઘવું અને કાંઈક જાગવું, ચોથાથી છઠ્ઠા સુધી હોય, ૩ જાગર દશા-એટલે જાગવું, સાતમાથી બારમા સુધી હોય, ૪ ઉજ્જાગરદશા-એટલે અત્યંત પ્રમાદ રહિત તેરમે ચૌદમે ગુણ ઠાણે હોય.
૫૭૯
Page #611
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5 મુનિની દશવિધ ચક્રવાલ સામાચારી ,
૧ ઈચ્છાકારક - અમુક કાર્ય તું તારી ઈચ્છા પ્રમાણે કર, એમ ગુર્વાદિક મોટા જે આદેશ આપે તે પોતાની ઈચ્છાએ કરવું
૨ મિચ્છાકાર - તે અનાભોગને લીધે તીર્થકરાદિકની આજ્ઞા વિરૂદ્ધ કાંઈ બોલાયું હોય તે મિથ્યા દુષ્કત આપે.
૩ તહક્કાર - તે ગુર્નાદિકે સૂત્ર અને અર્થ વિગેરે કહે છતા અથવા બીજું કાંઈ કાર્ય બતાવે છતા ડાહ્યા સાધુઓ તહત્તિ (બહુ સારૂ) કહે છે.
૪ આવસ્સિયા - તે અવશ્ય કરવા લાયક યોગ વડે જ કરવામાં આવે છે તે આવશ્યકી કહેવાય છે. તે આવશ્યકીનો શ્રેષ્ઠ મુનિઓ ઉપાશ્રયાદિકથી બહાર નીકળે ત્યારે તેમ બોલવા પણે ઉપયોગ કરે છે.
૫ નિસિહિયા - અપ્રસ્તુત કાર્યનો નિષેધ કરવાથી જે ઉત્પન્ન થાય છે. નિષેધિકી કહેવાય છે. તે નિષેલિકીનું કાર્ય કરીને ઉપાશ્રયાદિ પ્રવેશ કરતી વખતે મુનિઓ ઉપયોગ કરે છે.
૬ આપુચ્છણા - કાંઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે તેને માટે ગુરુને જે પુછવું તે આપુચ્છણા કહેવાય છે.
૭ પડિપુછણા - તે કાર્ય કરતી વખતે ફરીથી ગુરુને જે પુછવું તે પ્રતિકૃચ્છના કહેવાય છે.
૮ છંદણા - સાધુએ પોતે પ્રથમ જે આહારાદિક આપ્યું હોય તે લેવા માટે ગુરુની પાસે પ્રથમ જે પ્રાર્થના કરવી તે.
૯ નિમંત્રણા - તે હું આપના માટે અનાદિક લાવું મને આપ આજ્ઞા આપો તે નિમંત્રણા કહેવાય છે.
૧૦ ઉપસંપદા - તે જ્ઞાનાદિક શિખવા માટે કેટલીક વખત અન્ય ગચ્છના આચાર્ય વિગેરેની સેવા કરવી તે. દશ પ્રકારની સામાચારી નવમા પૂર્વમાંથી ઉદ્ધરેલી છે.
૫૮O
Page #612
--------------------------------------------------------------------------
________________
સુવાક્યો પ્રશ્ન :- એકેન્દ્રિયાદિકને પાંચ ક્રિયા લાગે તે કઈ ? ઉત્તર :- ૧ આરંભિક ક્રિયા-પૃથ્યાદિ જીવની હિંસા કરવી તે.
૨ પારિગ્રહિક ક્રિયા-એટલે ઘર્મના ઉપકરણ સિવાયની વસ્તુ રાખવી અને ધર્મોપકરણમાં મૂચ્છ રાખવી તે.
૩ માયા પ્રત્યયિકી ક્રિયા-એટલે માયા, વક્રતા, સરલતાનો અભાવ તથા ક્રોધાદિકપણે ગ્રહણ કરવા તે.
૪ અપ્રત્યાખ્યાન ક્રિયા-એટલે વિરતિનો અભાવ છે.
પ મિથ્યાદર્શન પ્રત્યયિકી ક્રિયા-સમ્યગુમિથ્યાદષ્ટિ તથા મિથ્યા દ્રષ્ટિ, મિથ્યાત્વીને પાંચે ક્રિયા લાગે, અવિરતિ સમ્યગુ દ્રષ્ટિને મિથ્યાત્વ વિના ચાર ક્રિયા લાગે, દેશવિરતિને મિથ્યાત્વ અને અપ્રત્યાખ્યાની વિના ત્રણ ક્રિયા લાગે. પ્રમત્તને આરંભિકી અને માયાપ્રત્યયિકી એમ બે ક્રિયા લાગે, અપ્રમત્તને માયા પ્રત્યયિકી એક જ ક્રિયા લાગે. વીતરાગ સંયમીને ક્રિયા હોય જ નહિ.
પ્રશ્ન :- ક્ષપકશ્રેણી કેવી રીતે પામે ?
ઉત્તર :- આયુષ્ય સિવાય સાતે કર્મની સ્થિતિ ખપાવીને અંતઃકોડાકોડી સાગરોપમની કરે અને પછી પલ્યોપમ પ્રથકત્વે એટલે અંતઃકોડાકોડી સ્થિતિમાંથી બેથી નવ પલ્યોપમ સુધીની સ્થિતિ ઓછી કરે ત્યારે શ્રાવક એટલે દેશવિરતિવાળો થાય છે. તેટલી સ્થિતિમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ચારિત્ર એટલે સર્વવિરતિ પામે છે, તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ઉપશમશ્રેણિ પામે છે તેમાંથી પણ સંખ્યાતા સાગરોપમની સ્થિતિ ઓછી કરે ત્યારે ક્ષપકશ્રેણિ પામનારો થાય છે.
પ્રશ્ન :- આપણા અડસઠ તીરથ કયા છે ?
ઉત્તર :- ૧ શત્રુંજય, ૨ ગિરનારજી, ૩ આબુજી, ૪ અષ્ટાપદ, ૫ સમેતશિખર, ૬ મંડપાચલ (માંડવગઢ), ૭ ચંદપાચલ, ૮ અયોધ્યા, ૯ કલીકુંડ પાર્શ્વનાથ, ૧૦ નાકોડા પાર્શ્વનાથ, ૧૧ જીરાવલા પાર્શ્વનાથ, ૧૨ વારાણસી, ૧૩ ગોડી
Page #613
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પાર્શ્વનાથ, ૧૪ નવપલ્લવ પાર્શ્વનાથ, ૧૫ ચિંતામણી પાર્શ્વનાથ, ૧૬ દ્રાવડતીર્થ, ૧૭ મુનિસુવ્રતતીર્થ, ૧૮ ભાભાતીર્થ, ૧૯ સાચોરી, ૨૦ મહાવીર, ૨૧ મહુડી તીર્થ, ૨૨ શેરીસા, ૨૩ રાવણતીર્થ, ૨૪ અજારા પાર્શ્વનાથ, ૨૫ બલેજા પાર્શ્વનાથ, ૨૬ માલાતીર્થ, ૨૭ પ્રતિષ્ઠાનપુર, ૨૮ અંતરીક્ષજી, ૨૯ કુલપાકજી, ૩૦ સુલાહારો, ૩૧ ઉબરવડીઓ, ૩૨ ક્ષત્રીકુંડ, ૩૩ શંખેશ્વરજી, ૩૪ લોડણ પાર્શ્વનાથ, ૩૫ ભટેવા પાર્શ્વનાથ, ૩૬ સહસ્ત્રફણા પાર્શ્વનાથ, ૩૭ વરંકાણા પાર્શ્વનાથ, ૩૮ ખંભણવાડા, ૩૯ પંચાસરા પાર્શ્વનાથ, ૪૦ ધૃતકલ્લોલ પાર્શ્વનાથ, ૪૧ અવંતિ પાર્શ્વનાથ, ૪૨ થંભણ પાર્શ્વનાથ, ૪૩ નવખંડા પાર્શ્વનાથ, ૪૪ ગૌતમતીર્થ, ૪૫ સપ્તફણા પાર્શ્વનાથ, ૪૬ અપાપુરી, ૪૭ કરહેડા પાર્શ્વનાથ, ૪૮ કોસંબી, ૪૯ કોસલપુર, ૫૦ મક્ષીજી, ૫૧ કાંકદી, પર ભદ્રપુરી, પ૩ સિંહપુરી, ૫૪ કંપિલાપુરી, ૫૫ રત્નપુરી, ૫૬ મથુરાપુરી, ૫૭ રાજગૃહી, ૫૮ શૌરીપુરી, ૫૯ હસ્તિનાપુર, ૬૦ તળાજા, ૬૧ કદંબગિરિ, દર બગડો, ૬૩ વડનગર, ૬૪ ધુલેવા, ૬૫ લોહિચા, ૬૬ બાહુબલીજી, ૬૭ મરૂદેવા, ૬૮ પુંડરીક. (આ અડસઠ તીરથ હસ્ત લિખિત પાનાઓમાં જોવામાં આવે છે)
પ્રશ્ન :- બાવન્ન અક્ષર કયા?
ઉત્તર :- અ, આ, ઈ, ઈ, ઉ, ઊ, શ્વ, ઋ, લુ, ટુ, એ, ઐ, ઓ, ઔ, અં, અડ, ક, ખ, ગ, ઘ, ડ, ચ, છ, જ, ઝ, ગ, ટ, ઠ, ડ, ઢ, ણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, શ, ષ, સ, હ, ળ, ક્ષ, જ્ઞ.
પ્રશ્ન :- ચાર પ્રકારના અજીર્ણ કયા?
ઉત્તર :- ૧ જ્ઞાનનું અજીર્ણ માન, ૨ તપસ્યાનું અજીર્ણ ક્રોધ, ૩ ક્રિયાનું અજીર્ણ પારકી નિંદા, ૪ અન્નનું અજીર્ણ વિશુચિકા.
પ્રશ્ન :- ચાર અનુષ્ઠાન કયા? ઉત્તર :- ૧ પ્રીતિ અનુષ્ઠાન, ધર્મના કાર્યમાં બીજા કાર્યોનો
૫૮૨)
Page #614
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
ત્યાગ કરીને એક નિષ્ઠાથી કરે તે. ૨ ભક્તિ અનુષ્ઠાન, ધર્મના કાર્યમાં બહુમાનપૂર્વક કરવું તે. ૩ વચનાનુષ્ઠાન, બધા ધર્મ કાર્યમાં આગમને અનુસારે પ્રવૃતિ કરવી તે. ૪ અસંગાનુષ્ઠાન, અત્યંત અભ્યાસથી ચંદન ગંધના ન્યાયે સહજ ભાવે જે ક્રિયા કરાય તે અનુષ્ઠાન એટલે ક્રિયા.
પ્રશ્ન :- પાંચ ક્રિયા કઈ ?
ઉત્તર ઃ૧ વિષાનુષ્ઠાન-પૌદ્ગલિક સુખની આ ભવમાં ઈચ્છા કરાય તે. ૨ ગરાનુષ્ઠાન - દેવ, ચક્રવર્તી, રાજા વિગેરે થવાની પરભવની ઈચ્છાથી થાય તે. ૩ અનનુષ્ઠાન - ઓઘસંજ્ઞા કે લોકસંજ્ઞાથી સંમૂર્ચ્છિમની પેઠે ક્રિયા કરાય તે. ૪ તદ્ભુતુ અનુષ્ઠાન આશંસા રહિત મોક્ષના ઉદ્દેશથી જ કરાતું હોય તે. તેવા જીવો ચરમાવર્તમાં આવેલા જાણવા. ૫ અમૃતાનુષ્ઠાન ચંદન ગંધની માફક સ્વાભાવિક શુદ્ધ એવો ભાવધર્મ જેના હૃદયમાં હોય તે.
-
પ્રશ્ન :- નવ નારૂં અને નવ કારૂં તે અઢાર વર્ણ કયા ?
ઉત્તર ઃ- નવ નારૂં તે આ પ્રમાણે ૧ ઘાંચી, ૨ મોચી, ૩ ઘાંચ્છા, ૪ ધોબી, ૫ લુહાર, ૬ દરજી, ૭ માછા, ૮ ભિલ્લુ, ૯ ગોવાલ, અને કારૂં તે આ પ્રમાણે - ૧ કાંદવિક, ૨ કૌટુંબિક, ૩ કુંભાર, ૪ સોની, ૫ માલી, ૬ તંબોલી, ૭ હજામ, ૮ કાછિક, ૯ ગાંધર્વ એ અઢાર વર્ણ.
પ્રશ્ન :- પાંચ પ્રકારનો આહાર કયો ?
ઉત્તર ઃ- ૧ અરસ-લુણ વગરનો, ૨ વિરસ-જીના ધાન્યનો, ૩ અંત-તે જમી લીધા પછી વધ્યો હોય તે, ૪ પ્રાંત-તે તુચ્છ આહાર, ૫ લુખો-તે વિગય રહિત.
પ્રશ્ન :- વીશ પ્રકારના અસમાધિના સ્થાનક કયા ?
(દશશ્રુતસ્કંધ સૂત્ર)
ઉત્તર ઃ- ૧ ઉતાવળું ચાલે, ૨ પૂંજ્યા વિના ચાલે, ૩ દુષ્ટ રીતે પૂંજે, ૪ વધુ આસનો રાખે, ૫ વડા-વડીલની સામું બોલે, ૬
૫૮૩
Page #615
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
સ્થવિર વૃદ્ધનો ઉપઘાત કરે, ૭ એકેંદ્રિયાદિનો પોતાના સુખને અર્થે ઉપઘાત કરે, ૮ પ્રતિક્ષણ ક્રોધ કરે, ૯ હંમેશા ક્રોધ પ્રદીપ્ત રાખે, ૧૦ બીજાની નીંદા કરે, ૧૧ નિશ્ચયવાળી ભાષા બોલે, ૧૨ નવો ફ્લેશ ઉત્પન્ન કરે, ૧૩ જીના ક્લેશને જાગૃત કરે, ૧૪ અકાલે સ્વાધ્યાય કરે, ૧૫ સચિત દ્રવ્યથી ખરડાયેલા હાથ પગે આહારાદિ લે, ૧૬ શાંતિ સમયે કે પ્રહર રાત્રિ પછી ગાઢ અવાજ કરે, ૧૭ ગચ્છમાં ભેદ ઉત્પન્ન કરે, ૧૮ ગચ્છમાં ક્લેશ કરી મનોદુઃખ કરે, ૧૯ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અશનાદિ લીધા કરે, ૨૦ અનેષણીય આહાર લે.
પ્રશ્ન :- બુદ્ધિના આઠ ગુણો કયા ?
:
ઉત્તર ઃ- ગુરુનો વિનય, પુછવું, સાંભળવું, ગ્રહણ કરવું, તર્ક કરવો, નિશ્ચય કરવો, ધારણ કરવું, તે પ્રમાણે વર્તવું. એ આઠ ગુણ છે.
પ્રશ્ન :- ચાર દોષ રહિત ક્રિયા કરવી તે કેવી રીતે ?
ઉત્તર ઃ- ૧ દગ્ધદોષ એટલે ધર્મ કરતાં અન્ય બાબતમાં મનનો ક્ષેપ વિક્ષેપ કરવો, ૨ શૂન્યદોષ - એટલે ઉપયોગ શૂન્ય જડવત્ સંમૂર્ચ્છિમની પેઠે કરણી કરવી. ૩ અવિધિદોષ - એટલે જે કરણી જેમ કરવી કહી હોય તે ઉલટ સુલટ સ્વમતિથી કરવી. ૪ અતિપ્રવૃત્તિ દોષ એટલે સ્વશકિત તપાસ્યા વિના શાસ્ત્ર મર્યાદા વિના (ઉલ્લંઘીને) કરણી કરવી તે. સાધુએ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ, ભાવને લક્ષમાં રાખીને યથાશિત સંયમમાર્ગ સેવવો જોઈએ.
પ્રશ્ન :- દશ પ્રકારના લોચ કયા ?
ઉત્તર ઃ- પાંચ ઈન્દ્રિયો, ચાર કષાયનો જય કરે તે ભવલોચ અને દશમો કેશનો લોચ તે દ્રવ્યલોચ.
પ્રશ્ન :- ચૌદ અત્યંતર પરિગ્રહના નામ કયા ?
ઉત્તર ઃ- નવ નોકષાય, મિથ્યાત્વ, ક્રોધ, માન, માયા, અને
લોભ.
૫૮૪
Page #616
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ પ્રશ્ન :- એક અક્ષૌહિણી સેનામાં હાથી વિગેરે કેટલા હોય ?
ઉત્તર :- ૨૧,૮૭૦ હાથી, ૨૧,૮૭૦ રથો, ૫,૬૧૦ અશ્વો, ૧,૦૯,૩૫૦ પાલાઓ હોય છે. રથથી ત્રણ ગુણા ઘોડા હોય અને પાંચ ગુણા સુભટો હોય છે.
પ્રશ્ન :- ન બોલ્યામાં નવ ગુણ કયા ?
ઉત્તર :- દેવ, ગુરુ અને ધર્મ એ ત્રણની નિંદા ન થાય, મન, વચન અને કાયા, એ ત્રણ સંવરમાં રહે, કાઉસ્સગ્ન થાય, સ્વાધ્યાય થાય અને મૌન ધારણ થાય એ નવ ગુણ થયા. શ્રી સીમંધર જિનની શાસન દેવી પંચાંગુલી છે.
પ્રશ્ન :- વાસક્ષેપનો અર્થ શું ?
ઉત્તર - પાંચે આંગળી ભેગી કરીને વાસક્ષેપ નખાય છે. વાસ એટલે સુગંધ, સર્વ જીવ સુખી થાઓ એવી શ્રી પંચપરમેષ્ઠિની ભાવનાનો ક્ષેપ કરવો તેનું નામ વાસક્ષેપ અથવા પંચ પરમેષ્ઠિ ભગવંતો દ્વારા ભવ વિસ્તારની આશીષ આપવી તે વાસક્ષેપ.
પ્રશ્ન :- સાધુની ઉપાસનાથી શું ફળ થાય ?
ઉત્તર :- સાધુની ઉપાસનાથી સશાસ્ત્ર શ્રવણ, શ્રવણથી સાધારણ જ્ઞાન, જ્ઞાનથી વિજ્ઞાન, વિજ્ઞાનથી પ્રત્યાખ્યાન, પ્રત્યાખ્યાનથી સંયમ, સંયમથી અનાશ્રવ, અનાશ્રવથી તપ, તપથી કર્મનો નાશ, કર્મના નાશથી યોગનો નિરોધ, યોગના નિરોધથી સિદ્ધિ એટલે અજરામરપણું પામે છે.
5 ધર્મ ધ્યાનની ચાર ભાવના કહે છે ;
૧ મૈત્રીભાવના તે સર્વનું ભલું ચાહે, ૨ પ્રમોદભાવના તે ગુણવંત ઉપર રાગ હોય, ૩ માધ્યસ્થભાવના તે ધર્મવંત ઉપર રાગ અને અધર્મિ ઉપર દ્વેષ નહીં, ૪ દયાભાવના તે સર્વ જીવને પોતાના જાણી દયા પાળે.
૫૮૫
Page #617
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૬ શીલાંગરથના અઢાર હજાર ભેદ કહે છે i .
દશ પ્રકારના યતિધર્મને ગણતાં દશ ભેદ થાય તેને ૧ પૃથ્વી, ૨ અપ, ૩ તેઉ, ૪ વાયુ, પ વનસ્પતિ, ૬ બેઇદ્રી ૭ તઈદ્રી, ૮ ચૌરિદ્રિ ૯ પંચેદ્રિ અને ૧૦ અજીવ એ દશ કાયાએ કરીને ગુણીએ ત્યારે (૧૦૦) ભેદ થાય. તેને પાંચ ઇદ્રિએ ગુણતાં પાંચસો (૫૦૦) થાય. તેને ૧ આહાર સંજ્ઞા, ૨ ભય સંજ્ઞા, ૩ મૈથુનસંજ્ઞા, ૪ પરિગ્રહસંજ્ઞા એ ચાર સંજ્ઞાએ ગુણતાં બે હજાર (૨૦૦૦) ભેદ થાય. તેને ૧ મન, ૨ વચન, ૩ કાયાએ ગુણતાં છ હજાર (૨૦૦૦) ભેદ થાય. તેને ૧ કરવું નહીં, કરાવવું નહીં, ૩ અનુમોદવું નહીં એ ત્રણ ભેદે ગુણતાં અઢાર હજાર (૧૮૦૦૦) ભેદ થાય. 5 દૃષ્ટિના આઠ દોષ નાશ થાય તે કહે છે ,
૧ ખેદ તે શુભ કામમાં આળસ થાય નહીં, ૨ ઉદ્વેગ તે પરલોક સાધનામાં ઉદ્વેગ ન થાય (રાજવેઠ માફક ન કરે.) ૩ ખેપ તે એક ક્રિયા છોડી બીજામાં મન ન થાય તે, ૪ ઉત્થાન તે યોગનું ચપલપણું ન થાય, ૫ ભ્રાંતિ તે કૃત્યઅકૃત્યમાં ભ્રાંતિ-ન રહે (અમુક ક્રિયા કરી કે નહીં તે તથા જિનવચનમાં શંકા ન રહે) ૬ અન્યમુદ્ર-એટલે આરંભેલી ક્રિયામાં અનાદર કરી બીજી ક્રિયામાં આનંદ થાય છે. ૭ રોગતે સમજણ વગરની ક્રિયા, ૮ આસંગ-તે આરંભેલી ક્રિયામાં રૂચિ એટલે ઉપલી હદની ક્રિયામાં પ્રવૃત્તિ ન થાય. 5 અષ્ટાંગયોગ ઉત્પન્ન થાય છે, તેની હકીકત
કહે છે- ક ૧ યમ-તે પાંચ મહાવ્રત, ૨ નિયમ-તે શૌચ, સંતોષ, તપ, સજઝાય, ઈશ્વરધ્યાન, ૩ આસન-તે ચોરાશી જાતનાં આસન, ૪ પ્રાણાયામ-તે પવનનું રોકવું, ૫ પ્રત્યાહાર-તે ઈન્દ્રિયોને વિષયમાં પ્રવર્તવા ન દેવી, ૬ ધારણા-તે તત્ત્વબોધ નિશ્ચલતા, ૭ ધ્યાન-તે ત્રિકરણ યોગની એકાગ્રતા, ૮ સમાધિનતે એક જ ધ્યાન.
પ૮૬
Page #618
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ ક ચરણસિત્તરીના સીત્તેર બોલ કહે છે કા
પ પાંચ મહાવ્રત, ૧૦ દશ પ્રકારનો યતિધર્મ, ૧૭ સત્તર ભેદે સંયમ, ૧૦ દશ ભેદે વૈયાવચ્ચ, ૯ નવ બ્રહ્મચર્ય ગુપ્તિ, ૩ રત્નત્રિક તે જ્ઞાન, દર્શન અને ચારિત્ર, ૧૨ પ્રકારનું તપ તે છ બાહ્ય અને છ અત્યંતર, ૪ ક્રોધ આદિ ચાર કષાયોને જીતવા તે.
BE કરણસિત્તરીના સીત્તેર બોલ કહે છે કે
૧આહાર, ૧ પાત્ર, ૧ વસ્તી, ૧ વસ્ત્ર, ૫ સમિતિ, ૧૨ ભાવના, ૧૨ પ્રતિમા, ૫ ઈન્દ્રિયનિષેધન, ૨૫ પ્રતિલેખના, ૩ ગુપ્તિ, ૪ અભિગ્રહ. 5 આયુષ્ય બાંધતી વખતે છ વાત બાંધે છે
તે કહે છે ; ૧ જાતિ, ૨ ગતિ, ૩ અવગાહના, ૩ અનુભાગ-રસ, પ પ્રદેશ, ૬ આયુષ્ય.
5 પાંચ દેવનાં નામ કહે છે : ૧ ભાવદેવ તે દેવતા, ૨ નરદેવ તે ચક્રવર્તી, ૩ ધર્મદેવ તે સાધુ, ૪ દ્રવ્યદેવ તે જેણે દેવાયુ બાંધ્યું હોય તે, ૫ દેવાધિદેવ તે તીર્થકર.
5 ચાર ધ્યાનનાં નામ કહે છે 5 ૧ પિંડસ્થધ્યાન-તે અરિહંતાદિક પાંચે પદનું પોતાના ચિત્તને વિષે ધ્યાન કરવું તે, ૨ પદસ્થધ્યાન-તે અરિહંતાદિક પાંચેના ગુણ મહારા આત્મામાં છે એમ ધ્યાન કરવું તે, ૩ રૂપસ્થધ્યાન-તે રૂપમાં રહ્યો થકો પણ એ મારો જીવ અરૂપી અનંતગુણી છે એમ ધ્યાન કરવું તે, ૪ રૂપાતીત ધ્યાન-તે નિરંજન, નિર્મલ, સંકલ્પ, વિકલ્પ, રહિત અભેદ એક શુદ્ધતારૂપ ધ્યાન તે.
૫૮૭
Page #619
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા પાંચ પ્રકારના સ્વાધ્યાય
૧ વાચના, ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ અનુપ્રેક્ષા, ૫ ધર્મકથા.
મૈં સંયમના સત્તર ભેદ કહે છે ;
પાંચ આશ્રવને રોકે; પાંચ ઇંદ્રિયને રોકે, ત્રણ દંડને ઓસરે, ચાર કષાયને જીતે.
ચાર નિક્ષેપા કહે છે
૧ નામનિક્ષેપો-તે ચોવીસ ભગવાનનાં નામ લેવા, ૨ સ્થાપનાનિક્ષેપો-તે જૈનપ્રતિમા બેઠા છે તે જાણવો. ૩ દ્રવ્ય નિક્ષેપો-તે શ્રેણિક મહારાજ નરકમાં છે તે. ૪ ભાવનિક્ષેપો તે સમવસરણમાં ભગવાન બેઠા હોય તે.
પાંચ ક્ષમાના નામ કહે છે
૧ ઉપકાર ક્ષમા, ૨ અપકાર ક્ષમા, ૩ વિપાક ક્ષમા, ૪ વચન ક્ષમા, ૫ ધર્મ ક્ષમા તે ગજસુકુમારવત્
ચાર અનુષ્ઠાનના નામ કહે છે
૧ પ્રીતિઅનુષ્ઠાન, ૨ ભકિતઅનુષ્ઠાન, ૩ વચનઅનુષ્ઠાન, ૪ અસંગ અનુષ્ઠાન.
હવે આઠ દયાના નામ કહે છે
૧ દ્રવ્યદયા, ૨ ભાવદયા, ૩ સ્વદયા, ૪ પરદા, પ સ્વરૂપદયા, ૬ અનુબંધદયા, ૭ વ્યવહારદયા, ૮ નિશ્ચયદયા.
:: હવે ત્રણ સમકિતના નામ કહે છે
૧ ઉપશમ સમિત ૨ ક્ષાયક સમકિત, ૩ ક્ષયોપશમ સમકિત. (તેમની સ્થિતિ કહે છે.) ૧ ઉપશમ સમકિતની સ્થિતિ
૫૮૮
Page #620
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જણવા યોગ્ય સંગ્રહ
અંતર્મુહૂર્તની. ક્ષાયક સમકિતની સ્થિતિ તેત્રીસ સાગરોપમની, ક્ષયોપશમ સમકિતની સ્થિતિ છાસઠ સાગરોપમની છે. એ ત્રણ સમકિતમાં પદ્ગલિક ક્રિયા છે અને અરૂપી ક્રિયા છે. તેમાં ઉપશમ તથા લાયક એ બન્ને અરૂપી છે અને ક્ષયોપશમ સમકિત રૂપી પણ છે તથા પૌદ્ગલિક પણ છે.
પાંચ શરીરમાં ૧ ઔદારિક, ૨ વૈક્રિય, ૩ આહારક આ જે પહેલા ત્રણ શરીર છે તેને ઉપજતી વખતે જે ત્રણ શરીર બાંધે તેને સર્વથી બંધ કહેવો. અને એ શરીરને બાંધી લીધા પછી દેશથી બંધ કહેવો. અને જે બીજા બે શરીર તૈજસ તથા કાર્પણ છે તે તે દેશથી જ અવરાય છે. પીસ્તાલીશ લાખ યોજનની કેટલી વસ્તુ છે? GF
૧ સીમંત નામનો નરકાવાસ, ૨ મનુષ્યક્ષેત્ર, ૩ ઉડુક વિમાન; ૪ સિદ્ધશિલા એ પીસ્તાલીશ લાખ યોજનાનો વિસ્તાર છે. ૬ એક લાખ યોજનની કેટલી વસ્તુ છે
તે કહે છે : ૧ સાતમી નરકનો અપઠાણ નામનો નરકવાસ, ૨ સર્વાર્થ સિદ્ધ વિમાન, ૩ જંબુદ્વીપ, ૪ મેરૂ પર્વત એ ચારનો એક લાખ યોજનનો વિસ્તાર છે.
૧૩ કાઠીયાના નામ :- ૧ આળસ, ૨ મોહ, ૩ અવર્ણવાદ, ૪ અહંકાર, ૫ ક્રોધ, ૬ પ્રમાદ, ૭ કૃપણતા, ૮ ગુરુભય, ૯ શોક, ૧૦ અજ્ઞાન, ૧૧ અસ્થિરતા, ૧૨ કુતુહલ, ૧૩ તીવ્રવિષયાભિલાષા.
પ્રભુના સમવસરણની ૧૨ પર્ષદ :- તેમાં અગ્નિખૂણે ત્રણ :- ૧ ગણધરની, ૨ વિમાનવાસી દેવાંગનાની અને ૩ સાધ્વીજીની. નૈઋતખૂણે ત્રણ :- ૪ જ્યોતિષીદેવીની, ૫ વ્યંતરદેવીની અને ૬ ભવનપતિદેવીની. વાયવ્યખૂણે ત્રણ:૭ જ્યોતિષીદેવોની, ૮ વ્યંતરદેવોની, અને ૯ ભવનપતિદેવોની.
-૧પ૮૯
Page #621
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ઈશાનખૂણે ત્રણ - ૧૦ વૈમાનિકદેવોની ૧૧ મનુષ્યોની અને ૧૨ મનુષ્યોની સ્ત્રીઓની.
અરિહંતના ૧૨ ગુણ :- ૧ અશોકવૃક્ષ, ૨ સુરપુષ્પવૃષ્ટિ, ૩ દિવ્યધ્વનિ, ૪ ચામર, ૫ રત્નજડિત સિંહાસન, ૬ ભામંડલ, ૭ દુંદુભિ, ૮ ત્રણ છત્ર, ૯ અપાયાપગમાતિશય, ૧૦ જ્ઞાનાતિશય, ૧૧ પૂજાતિશય અને ૧૨ વચનાતિશય.
ધ્યાનનાં ૧૦ સ્થાન :- ૧ આંખ, ૨ કાન, ૩ નાસિકાગ્ર; ૪ લલાટ, ૫ મુખ, ૬ નાભિ, ૭ મસ્તક, ૮ દય, ૯ તાળવું અને ૧૦ ભ્રમર. (શ્રી નવપદજી મહારાજનું ધ્યાન કરતાં ચિત્તને આ દશ સ્થાનમાંનાં તે-તે સ્થાને સ્થાપવાથી ચિત્તની વિશુદ્ધિ સુંદર સચવાય.)
૧૦ પ્રકારે યતિધર્મ :- ૧ ક્ષમા (ક્રોધત્યાગ), ૨ માર્દવતા (માનત્યાગ), ૩ આર્જવતા (માયા ત્યાગ), ૪ લોભ તે નિલોભતા, ૫ બાર પ્રકારે તપ, ૬ સત્તર પ્રકારે સંયમ, ૭ સત્ય, ૮ શૌચ (હાથ પગાદિ અવયવો શુદ્ધ રાખવા) ૪૨ દોષ રહિત આહાર લેવો તે વિગેરે (દ્રવ્યશૌચ,) આત્માના શુદ્ધ પરિણામ રાખવા તે (ભાવશૌચ,) ૯ અપરિગ્રહ, ૧૦ બ્રહ્મચર્ય.
જીવના ૧૦ પ્રાણ :- ૧ સ્પર્શ, ૨ રસ, ૩ ઘાણ, ૪ ચક્ષુ, ૫ શ્રોત્ર (આ પાંચ ઈદ્રિયો) ૬ મનબળ, ૭ વચનબળ, ૮ કાયદળ, ૯ શ્વાસોશ્વાસ, ૧૦ આયુષ્ય.
નારકીની ૧૦ વેદના :- ૧ શીત, ૨ ઉષ્ણ, ૩ સુધા, ૪ પીપાસા, ૫ કંડુ (ખંજવાળ), ૬ ભય, ૭ શોક, ૮ પરવશતા, ૯ વર અને ૧૦ વ્યાધિ, (નારકીના જીવોને થતા દુ:ખની આ લોકમાં કોઈ ઉપમા નથી.)
બ્રહ્મચર્યની ૯ વાડ :- ૧ સ્ત્રી-પશુ-નપુંસક રહેતા હોય તે વસતિમાં ન રહે, ૨ સ્ત્રીની કથાને સરાગપણે સાંભળે નહિ, સ્ત્રી સાથે એકલા એકાંતે વાત ન કરે, ૩ જ્યાં સ્ત્રી પ્રથમ બેઠી હોય ત્યાં બે ઘડી સુધી બેસે નહિ. (તે પ્રમાણે સ્ત્રી પણ પુરુષના
પ૯૦
Page #622
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ આસને ત્રણ પ્રહર સુધી ન બેસે), ૪ સ્ત્રીના અંગોપાંગ ઈન્દ્રિયાદિને સરાગપણે દેખે નહિ, ૫ ભીત આદિના આંતરે સ્ત્રી પુરુષ બન્ને સૂતાં હોય અથવા કામકેલીની વાતો કરતા હોય તે એકાંતે બેસી જુએ નહિ તથા સાંભળે નહિ, ૬ પૂર્વાવસ્થામાં કરેલ કામક્રીડાનું સ્મરણ ન કરે, ૭ સરસસ્નિગ્ધ આહાર ન લે, ૮ નીરસ આહાર પણ અતિમાત્રાએ (પ્રમાણથી વધુ) ન લે અને ૯ અંગશોભા તેલમર્દન, વિલેપન, સ્નાનાદિક ન કરે.
૯ પ્રકારે રસ :- ૧ શૃંગાર, ૨ વર, ૩ કરૂણા, ૪ હાસ્ય, પ રૌદ્ર, ૬ ભયાનક, ૭ અદ્ભુત, ૮ શાંત અને ૯ બિભત્સરસ.
૯ નિધિના નામ :- ૧ નૈસર્ષ, ૨ પાંડુક, ૩ પિંગલ, ૪ સર્વરન, ૫ મહાપા, ૬ કાલ, ૭ મહાકાલ, ૮ માણવક, ૯ શંખ.
સિદ્ધના આઠ ગુણ :- ૧ અનંતજ્ઞાન, ૨ અનંતદર્શન, ૩ અનંતચારિત્ર, ૪ અનંતવીર્ય, ૫ અવ્યાબાધ સુખ, ૬ અક્ષય સ્થિતિ, ૭ અરૂપીપણું, ૮ અગુરુલઘુ.
૮ પ્રકારે આત્મા :- ૧ દ્રવ્યાત્મા, ૨ કપાયાત્મા, ૩ યોગાત્મા, ૪ ઉપયોગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮ વીર્યાત્મા.
૭ પ્રકારની શુદ્ધિ :- ૧ ન્યાયોપાર્જિતદ્રવ્યશુદ્ધિ, ૨ વસ્ત્ર, ૩ પૂજોપકરણ, ૪ ભૂમિ, ૫ મન, ૬ વચન, ૭ કાયાશુદ્ધિ (એ સાતે શુદ્ધિ તીર્થયાત્રા તથા પૂજાદિ કરતાં શ્રાવક શ્રાવિકાએ અવશ્ય સાચવવાની છે.)
૭ વ્યસન :- ૧ જુગાર, ૨ માંસ, ૩ મદિરા, ૪ વેશ્યા, ૫ શિકાર, ૬ ચોરી અને ૭ પરદારાગમન.
૭ ક્ષેત્રો :- ૧ સાધુ, ૨ સાધ્વી, ૩ શ્રાવક, ૪ શ્રાવિકા, ૫ જિનબિંબ, ૬ જિનચૈત્ય, ૭ જિનાગમ.
સપ્તાંગરાજય :- ૧ સ્વામી, ૨ અમાત્ય, ૩ સુત્ (મિત્ર),
પ૯૧
Page #623
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ કોશ, ૫ રાષ્ટ્ર, ૬ દુર્ગ (કીલ્લો), ૭ સૈન્ય.
૭ પ્રકારે ભય :- ૧ મનુષ્યને મનુષ્યથી ભય તે-ઈહલોક ભય. ૨ મનુષ્યને દેવાદિનો ભય તે-પરલોક ભય. ૩ ધનાદિ ગ્રહણનો ભય તે આદાનભય. ૪ બાહ્યનિમિત્તથી નિરપેક્ષ એવો ભય તે-અકસ્માત ભય. ૫ આજીવિકા ભય. ૬ મરણ ભય અને ૭ અપયશ કે અપકીતિનો ભય.
૭ માંડલી :- ૧ સૂત્ર (સ્વાધ્યાય), ૨ અર્થ (વ્યાખ્યાન અર્થપૌરૂષી), ૩ ભોજન, ૪ કાલ (કાલપ્રવેદન), ૫ આવશ્યક (ઉભયકાલીન પ્રતિક્રમણ), ૬ સ્વાધ્યાય (સ્વાધ્યાય પ્રસ્થાપનસક્ઝાય પઠવવી), અને ૭ સંતારક (સંથારાપોરસ).
ષડ્રદર્શન - ૧ જૈન દર્શન, ૨ મીમાંસક, ૩ બૌદ્ધ, ૪ નૈયાયિક, ૫ વૈશેષિક અને ૬ સાંખ્યદર્શન.
૬ “રી :- ૧, અંકલઆહારી, ૨ ભૂમિસંથારી, ૩ પાદવિહારી, ૪ શુદ્ધસમ્યકત્વધારી, ૫ સચિત્તપરિહારી, અને ૬ બ્રહ્મચારી.
ષવિદ્ય ભાષા :- ૧ સંસ્કૃત, ૨ પ્રાકૃત, ૩ શૌરસેની, ૪ માગધી, ૫ પૈશાચિકી અને ૬ અપભ્રંશ.
પાંચ અભિગમ :- તીર્થંકર પ્રભુને ભેટવા જતાં ખાસ સાચવવા જોઈએ તે આ પ્રમાણે-૧ સચિત્ત દ્રવ્યનો ત્યાગ, ૨ અચિત્ત વસ્ત્રાભૂષણાદિનો અત્યાગ, ૩ મનની એકાગ્રતા, ૪ એક સાડી ઉત્તરાસંગ અને ૫ પ્રભુનું દર્શન થતાં બે હાથે અંજલિ જોડવી, (રાજાએ સાથે ખડ્ઝ, છત્ર, ઉપાનહ (મોજડી) મુકુટ અને ચામર એ પાંચ વસ્તુનો ત્યાગ કરવો.)
ગૃહસ્થના ૫ કસાઈ સ્થાનો :- ખાણીયો, ઘંટીચૂલો, પાણીયારું અને સાવરણી.
હવે પાંચ ઈન્દ્રિયમાં કેટલી ભોગી છે? અને કેટલી કામી છે? બે ઈન્દ્રિય કામી છે અને ત્રણ ભોગી છે. ૧ ચહ્યું અને ૨ શ્રોત્રેન્દ્રિય કામી છે. તથા ૧ ધ્રાણેન્દ્રિય, ૨ રસનેન્દ્રિય અને
પિ૯૨)
.
Page #624
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
૩ સ્પર્શેન્દ્રિય ભોગી છે.
પ્રશ્ન :- શ્વાસોશ્વાસ વધુ લેવાથી આયુષ્ય તુટે કે નહિ?
ઉત્તર :- શ્રી ઠાણાંગજીના સાતમા ઠાણામાં કહે છે કે સોપક્રમી આયુષ્ય હોય તો સાત પ્રકારે તૂટે. જેમ કે ૧ સ્નેહ, રાગ, ભય, રૂપ, અધ્યવસાય. ૨ દંડ, શસ્ત્ર, અગ્નિ આદિ નિમિત્ત. ૩ અતિક્ષુધા અને અતિ આહાર. ૪ શૂલાદિ અસહ્ય વેદના. ૫ ગર્ભપાતાદિ પરાઘાત. ૬ સર્પ આદિનો ડંખ, ૭ શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે તુટે બાકી શ્વાસોશ્વાસ રૂંધનક્રિયાથી આયુષ્ય વધે તથા તે વધુ લેવાથી આયુષ્ય એકદમ ઘટે એ અજ્ઞાન છે.
5 “લગ્ન પ્રસંગે થતી વિધિનું રહસ્ય” Fા
“પંડિત શ્રી ઋષભદાસે ભરત બાહુબલીના રાસમાં લગ્ન પ્રસંગમાં વૈરાગ્યવાસી મનુષ્ય શું ચિંતવે તે જણાવેલ છે” ૧ વર પીઠી ચોળાવે છે તે વખતે વિચારે કે આત્મા ઉપર કર્મનો
લેપ કરે છે. - ૨ સ્નાન કરતાં મુખમાં પાણી આવે ત્યારે સંસારના કડવા ફળનો
વિચાર કરે. ૩ માથે ખુપ (કલગી) મૂકે ત્યારે સંસારમાં જીવના માથે આ
રીતે ભાર પડે એમ ધારે. ૪ આભૂષણો પહેરાવે ત્યારે તેને ભારરૂપ માને. ૫ ગળામાં હાર નાંખે ત્યારે બંધનરૂપ સાંકળ માને. ૬ હાથમાં શ્રીફળ આપતાં જીવ નારીનો કિંકર થવા જાય છે
એમ માને. ૭ વરને ઘોડે બેસાડે ત્યારે તેને દુર્ગતિએ જવાના વાહન રૂપ
માને.
૮ ઘણાં વાજિંત્રોના શબ્દો સાંભળતાં આ મને ચેતાવે છે એમ
માને.
૧પ૯૩=
૫૯૩
Page #625
--------------------------------------------------------------------------
________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
૯ ઘોડેથી ઉતારે ત્યારે નીચી ગતિમાં ગમન કરવાનું વિચારે. ૧૦ ધોંસરા વડે પોંખે ત્યારે સંસારનું ધોસરૂં પડવાનું માને. ૧૧ ત્રાકવડે પોંખતા વિચારે કે આવી રીતે જીવ વિંધાવાનો છે. ૧૨ મૂશળ વડે પોંખતા જીવ સંસારમાં હવે ખંડાવાનો છે એમ માને.
૧૩ જલ વડે અર્ધ્ય દેતા મારા પૂર્વ પુન્યને ધોઈ નાખે છે એમ માને.
૧૪ શરાવસંપૂટ ચંપાવતાં મારા પાસે વિવેકરૂપ કોડીયાં ચંપાવે છે એમ માને.
૧૫ સાસુ નાકતાણે ત્યારે સંસારમાં આમ તણાવું છે એમ માને. ૧૬ કન્યા તંબોળ છાંટે ત્યારે મારા આવા ભવરોળ થશે એમ માને.
૧૭ ગળે વરમાળા નાંખતાં આ મારા ગળામાં દોરડું નાંખે છે એમ
માને.
૧૮ કન્યા સાથે હસ્તમેલાપ કરતાં આ દુર્ગતિની વાટે જવા સૂચવે છે એમ માને.
૧૯ લોક તિલક કરે ત્યારે આ દુર્ગતિ માટે થાય છે એમ માને. ૨૦ છેડાછેડીની ગંઠ બાંધતાં હવે આનાથી છૂટવું મુશ્કેલ છે એ મા માને.
૨૧ અગ્નિ પ્રગટાવે ત્યારે છેલ્લે થનારી ચિતાને યાદ કરે. ૨૨ ચાર ફેરા ફરતાં આ રીતે ચાર ગતિમાં ભ્રમણ કરવું પડશે એમ માને.
૨૩ ચાર બાજીની ચોરી જોતાં ચારે દુર્ગતિની ખાણને યાદ કરે. આવી રીતે ઉત્તમ ભાવના ભવતાં જીવ કેવળજ્ઞાન પણ પામી શકે છે. પૃથ્વીચંદ્ર રાજા ગુણસાગરજી વિગેરેના દૃષ્ટાંતો મોજુદ છે.)
૫૯૪
Page #626
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
5 શ્રી નવગ્રહ પૂજન , ૧ આદિત્યાય-નવકારવાલી પરવાળાની. મંત્રાક્ષર :- ૐ
રત્નાકસૂર્યાય સહસ્ત્રકિરણાય નમો નમઃ સ્વાહા. ૨ ચંદ્રાય સ્ફટિકની માળા. મંત્રાક્ષર :- ૐ રોહિણીપતયે ચંદ્રાય - ૐ હી હી ટ્રી ચંદ્રાય નમઃ સ્વાહા. ૩ ભૌમાય-રાતા પરવાળાની માળા. મંત્રાક્ષર :- ૩ૐ નમો ભૂમિ
પુત્રાય ભૂકુટિલ નેત્રાયવક્રવદનાય દ્રઃ સઃ મંગલાય સ્વાહા. ૪ બુધાય-નીલમણિની. મંત્રાક્ષર :- ૐ નમો બુધાય શ્રાં શ્રીં શ્રઃ
દ્રઃ સ્વાહા. ૫ બૃહસ્પતે સુવર્ણની. મંત્રાલર - ૐ ગ્રાં ગ્રી ઝૂ બૃહસ્પતયે સૂર
પૂજયાય નમ: સ્વાહા. ૬ શુક્રાય-સ્ફટિકની માળા. મંત્રાક્ષર :- ૐ ય: અમૃતાય
અમૃતવર્ષણાય દૈત્યગુરવે નમઃ સ્વાહા. ૭ શનૈશ્ચરાય-અકલબેરની. મંત્રાક્ષર :- ૐ શનૈશ્ચરાયા આ ક્રૉ હીં
કૌડાય નમઃ સ્વાહા. ૮ રાહવે-અકલબેરની. મંત્રાક્ષર - ૐ હ્રીં ઠાં શ્રી વ્રઃ વ્રઃ વ્રઃ
પિંગલનેત્રાય કૃષ્ણરૂપાય રાહવે નમઃ સ્વાહા. - કેતકે-ગોમેદ, અથવા અકલબેરની. મંત્રાક્ષર :- 5 ક કેં ટઃ ટઃ ટઃ છત્રરૂપાય રાહુતનવે કેતવે નમઃ સ્વાહા.
5 નવ ગ્રહોના જાપ અને પ્રાર્થના કા નોંધ - જે ગ્રહની માળા ગણવી તેના રંગની માળા લઈ પ્રથમ ગ્રહનો
જાપ કરી નીચેના શ્લોકથી પ્રાર્થના કરવી. (૧) સૂર્યનો જાપ :- ૐ સૂર્યાય નમઃ (લાલ રંગની માળા) પ્રાર્થના - પદ્મપ્રભજિનેન્દ્રસ્ય નામોચ્ચારણ ભાસ્કર.
શાન્તિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ રક્ષાં કુરુ જયશ્રિયમ્. (૨) ચન્દ્રનો જાપ - ૩ૐ ચન્દ્રાય નમઃ (સફેદ રંગની માળા)
પ૯૫
Page #627
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
પ્રાર્થના - ચન્દ્રપ્રભજિનેન્દ્રસ્ય, નાસ્ના તારાગણાધિપ,
પસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રયિમ્ (૩) મંગલનો જાપ - ૐ મંગલાય નમઃ (લાલ રંગની માળા) પ્રાર્થના - સર્વદા વાસુપૂજ્યસ્ય, નાગ્ના શાન્તિ જયશ્રિયમ
રક્ષાં કુરુ ઘરાસૂનો, અશુભોપિ શુભમ ભવ. (૪) બુધનો જપ :- ૐ બુધાય નમઃ (પીળા રંગની મળા) પ્રાર્થના - વિમલાન્તધર્મારા, શાન્તિઃ કુંથુનમિસ્તથા;
મહાવીરશ્ચ તન્નાસ્ના, શુભોભવ સદાબુધ. (૫) ગુરુનો જાપ :- ૐ ગુરવે નમઃ (પીળા રંગની માળા) પ્રાર્થના - ઋષભાજિત સુપાશ્ચાભિનન્દન શીતલો,
સુમતિ સંભવ સ્વામી, શ્રેયાંસજિનોત્તમા ૧ એતત્તીર્થકૃતાં નાસ્ના, પૂજ્યા ચ શુભોભવ
શાતિ તુષ્ટિ ચ પુષ્ટિ ચ, કુરુ દેવગણાર્ચિત. ૨ (૬) શુક્રનો જાપ :- 35 શુક્રાય નમઃ (સફેદ રંગની માળા) પ્રાર્થના - પુષ્પદન્ત જિનેન્દ્રસ્ય, નાસ્ના દૈત્યગણાર્ચિત.
પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રિયમ્. (૭) શનિનો જાપ - શનૈશ્ચરાય નમઃ (ભૂરા કે કાળા રંગની માળા) પ્રાર્થના - શ્રી સુવત જિનેન્દ્રસ્ય નાસ્ના સૂર્યાસમ્ભવઃ
પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષાં કુરુ જયશ્રિયમ્. (૮) રાહુનો જપ :- ૐ રાહવે નમઃ (કાળા રંગની માળા) . પ્રાર્થના - શ્રી નેમિનાથ તીર્થેશ-નાસ્ના – સિંહિકાસુતઃ
પ્રસન્નો ભવ શાન્તિ ચ, રક્ષા કર જયશ્રિયમ્. (૯) કેતુનો જાપ - કેતવે નમઃ (લીલા કે કાળા રંગની માળા) - પ્રાર્થના - રાહઃ સપ્તમરાશિ સ્થઃ કારણે દ્રશ્યતેમ્બરે
શ્રી મલ્ટિપાર્થયો નાખ્યા છે તો ! શાન્તિશ્રિયં કુરુ - ત્રીશ તિથિઓના ૩ પ્રકાર :- તેમાં બે એકમ. બે ત્રીજ. બે ચોથ. બે છ૪. બે સાતમ. બે નોમ. બે બારસ અને બે તેરસ આ સોળ અપર્વતિથિઓ દર્શનતિથિ કહેવાય છે, અને તે સમ્યગદર્શનના આરાધના માટે છે. બે બીજ, બે પાંચમ, અને બે
__
પ૯ ૬
Page #628
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
અગીઆરસ; આ ‘છ' પર્વતિથિઓ જ્ઞાનતિથિ ગણાય છે અને તે ચૌદપૂર્વ સુધીનાં જ્ઞાનની આરાધના માટે છે. બે આઠમ, બે ચૌદસ, પૂર્ણિમા અને અમાવાસ્યા. આ છ પર્વતિથિઓ ચારિત્રતિથિ કહેવાય છે. અને તે ચારિત્રના આરાધન માટે છે.
કલિ પ્રભાવ :- ધર્મઃ પર્વગતઃ તપઃ કપટતઃ સત્યં ચ દૂરે ગતં, પૃથ્વી મંદલા નૃપાશ્ચ કુટિલાઃ શસ્ત્રાયુધા બ્રાહ્મણાઃ; લોકઃ સ્ત્રીપુરતઃ સ્ત્રિયોઽતિચપલા લૌલ્વે સ્થિતા માનવાઃ, સાધુઃ, સીદતિ દુર્જનઃ પ્રભવતિ પ્રાયઃ પ્રવિણે કલૌ. ૧, નિર્વીર્યા પૃથિવી નિરૌષધિરસા નીચા મહત્ત્વ ગતાઃ, ભૂપાલા નિજધર્મકર્મરહિતા વિપ્રાઃ કુમાર્ગે રતાઃ; ભાર્યા ભતૃવિયોગિની પરરતા પુત્રાઃ પિતૃદ્ધેષિણો, હા કરું ખલુ દુર્લભાઃ કલિયુગે ધન્યા નરાઃ સજ્જના ૨. વિદ્વત્તા વસુધાતલે વિગલિતા પાંડિત્યધર્મો ગતઃ શ્રોતૃણાં, હૃદયેબુદ્વિરધિકા જ્ઞાનં ગતં ચારણે, ગાથાગીતવિનોદવાકયરચના યુા જગદ્રંજિતં, જ્યોતિવૈદ્યકશાસ્ત્રસારમખિલં શૂદ્વેષુ જાતં, કલૌ. ૩. સિદંતિ સંતો વિલસંત્યસંતઃ; પુત્રા પ્રિયન્તે જનકશ્ચિરાયુઃ; સ્વજનેષુ રોપશ્ચ પરેષુ સ્નેહઃ; પશ્યન્તુ લોકાઃ કલિકૌતુકાનિ. ૪. દાતા દરિદ્રી કૃપણો ધનાઢયઃ, પાપી ચિરાયુઃ સુકૃતી ગતાયુ:; કુલીનદારૂં હ્મકુલીનરાજયં, કલૌ યુગે ષદ્ગુણ માવહન્તિ, ૫
અણાહારી વસ્તુઓ :- ત્રિફલા (હરડા બહેડા, આમળા ત્રણે વસ્તુ સાથે અને સરખાં પ્રમાણમાં હોય તો) કડુ, કરીઆતુ, ધમાસો, નઈકંદ લીંબડાના પાંચે અંગ, દાભમૂળ, બોરડીની છાલ તથા મૂળ, એળીઓ, બાવળની છાલ, ચિત્રો, કિદરૂ, ખેરમૂળ તથા છાલ, અગર, તગર, અમર, કેસર, કુંવાર, દારૂહળદર, સાજીખાર, સુરોખાર, ટંકણખાર, જવખાર, હળદર (સુકી), કસ્તુરી, રાખ, ચૂનો, રોહની છાલ, વજ, આશાગંધી (આસંધ), વખમો, ભોરીંગણી, અફીણ અતિવિષની કળી, પુવાડ, મજીઠ, બોળ, કણીઅરનાં મૂળ, આકડાના પાંચે અંગ, ખારો, ફટકડી, ચીમેડ, બુચકણ, ઉપલેટો, ઈન્દ્રાણીમૂળ, ઝેરી ગોટલી; દરૂખ, ગળો, સુખડ, હરડેદલ, ગોમુત્ર આદિ અનિષ્ટ મૂત્રો, ગુગળ,
૫૯૭
Page #629
--------------------------------------------------------------------------
________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
બોરબીયું, ઈન્દ્રજવ, ઉજવળી, દેકામારી, જીકો (લોબાનના ફૂલ), નાહીયો, કરોડા મૂળ, મલયાગરૂ, આડી, રોહિણી, પાતલી, ચુદડી, સંઘીલીંગરી, ચણીફળ, બોલ, ખેર, પંચમૂળ, દરેક જાતના વિષો, દરેક જાતની ભસ્મો વગેરે.
= બે કોડાકોડીમાં ધર્મ છે, ને ૧૮ કોડાકોડીમાં
ઘર્મ નથી તે આવી રીતે :- ક અવસર્પિણીના પહેલા ત્રણ આરામાં તથા છઠ્ઠા આરામાં ધર્મ નથી, ને ચોથા પાંચમા આરામાં છે. એ બે મળી ૧ કોડાકોડીમાં ધર્મ છે. ને ઉત્સર્પિણીના પહેલા, ચોથા, પાંચમા ને છઠ્ઠામાં ધર્મ નથી, ને બીજા; ત્રીજા (૨-૩) આરામાં છે. બીજા ત્રીજા આરા મળી એક કોડાકોડી થાય. એક ઉત્સર્પિણી ને એક અવસર્પિણી બે મળી ર-કોડાકોડી થઈ તેમાં છે. ને ૧૮ કોડાકોડીમાં નથી. ૬ સાધુની વિસ વસાની દયા અને શ્રાવકની
- સવા વસાની દયા ક સાધુને સૂક્ષ્મ ને બાઇર બંને પ્રકારે હોય. શ્રાવકને બાદરની હોય. સૂક્ષ્મથી ન હોય એટલે ૧૦ ઓછા. બાદરના પણ બે પ્રકાર. સંકલ્પ ને આરંભ. તેમાં સંકલ્પથી દયા પાળે પણ આરંભથી ન પાળી શકે. એટલે ૧૦ માંથી પાંચ ઓછા. સંકલ્પના પણ બે ભેદ અપરાધી અને નિરપરાધી. તેમાં નિરપરાધીની દયા પાળે અપરાધીની ન પાળે. એટલે પાંચમાંથી રા ઓછા નિરપરાધીના પણ બે ભેદ. સાપેક્ષ અને નિરપેક્ષની પાળે. એટલે રા માંથી ૧ ઓછો એટલે ૧ રહ્યો એટલી શ્રાવકની દયા હોય.
ક નિયમને ચાર પ્રકારના લાગતા દોષો ,
વ્રતને અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર અને અનાચાર એ ચાર પ્રકારે દોષ લાગે છે. દાખલા તરીકે કોઈએ ચઉવિહાર કર્યો હોય. હવે જ્યારે તેને અતિ તૃષા (તરસ) લાગે છે ત્યારે તે પાણી
-૧પ૯૮
૫૯૮
Page #630
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
પીવાની માત્ર ઈચ્છા જ કરે છે તે અતિક્રમ જે સ્થાનકે પાણી હોય તે સ્થળે જાય તે વ્યતિક્રમ. પાણી પીવા માટે વાસણમાંથી પ્યાલો ભરી મુખ આગળ ધરે પણ પીએ નહિ તે અતિચાર. પણ જ્યારે તે નિડરપણે ચઉવિહાર હોવા છતાં પાણી પીએ ત્યારે તે અનાચાર કહેવાય છે.
= દાન દુષિત કરનારા કારણો | ૧ અનાદરથી આપવું, ૨ ઘણી વાર લગાડીને આપવું, ૩ વાંકું મોં રાખીને આપવું, ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું, પ આપ્યા પછી પશ્ચાતાપ કરવો.
5 દાનને શોભાવનારાં કારણો SE. ૧ આનંદના આંસુ આવે, ૨ રોમાંચ ખડા થાય. ૩ બહુમાન પેદા થાય, ૪ પ્રિય વચન બોલે, પ આપ્યા પછી અનુમોદન કરે.
દાન નહિ આપવાનાં છ લક્ષણો : ૧ આપવું પડે એટલે આંખો કાઢે, ૨ ઉંચુ જુએ, ૩ આડી આડી વાત કરે. ૪ વાંકું મોટું કરીને બેસે. ૫ મૌન ધારણ કરે. દ આપતાં આપતાં ઘણો સમય લગાડે. 5 તીર્થકર અનંત બળના ઘણી કહેવાય છે
તે શી રીતે તે જણાવે છે , ઘણા માણસને પહોંચી શકે તે એ એક યોદ્ધો કહેવાય, ૧૨ યોદ્ધાનું બળ ૧ બળદમાં હોય છે, ૧૦ બળદનું ૧ ઘોડામાં હોય છે, ૧૨ ઘોડાનું બળ ૧ પાડામાં છે, ૧૫ પાડાનું બળ એક હાથીમાં હોય છે, ૫૦૦ હાથીનું બળ ૧ સિંહમાં હોય છે, ૨૦૦૦ સિંહનું બળ ૧ અષ્ટાપદ પક્ષીમાં હોય છે, ૧૦,૦૦૦૦૦ (૧૦ લાખ) અષ્ટાપદનું બળ ૧ બળદેવમાં હોય
૫૯૯
Page #631
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા છે, ર બળદેવનું બળ ૧ વાસુદેવમાં હોય છે, ૨ વાસુદેવનું બળ ૧ ચક્રવર્તીમાં હોય છે, ૧ લાખ ચક્રવર્તીનું બળ ૧ નાગેન્દ્રમાં હોય છે, કોડ નાગૅદ્રનું બળ ૧ ઇદ્રમાં હોય છે, એવા અનંત ઈદ્રોનું બળ એક તીર્થકરની ટચલી આંગળીમાં હોય છે.
BF સંસારી જીવો પાંચ પ્રકારે હોય છે !
૧ ભવ્ય, ૨ જાતિભવ્ય, ૩ અભવ્ય, ૪ દુર્ભવ્ય, ૫ ભવ્યાભવ્ય.
(૧) ભવ્ય-જે જીવો મોડા વહેલા પણ મોક્ષે જવાના છે, તે.
(૨) જાતિભવ્ય જે જીવો મોક્ષે જવાને લાયક છતાં તેવી સામગ્રી નહિ પ્રાપ્ત કરી શકવાને લીધે કદાપિ મોક્ષે ન જઈ શકે. આ સૂક્ષ્મ નિગોદ તરીકે જ ઓળખાય છે, ને જે અવ્યવહાર રાશિમાંથી વ્યવહારરાશિમાં આવ્યો નથી, અને અનંતા અનંત પુલ પરાવર્તન કાળથી ત્યાં ને ત્યાં જ રહેલ છે. અને સંસારમાં જે જીવો, દૃષ્ટિગોચર દેખાય છે તે તો અભવ્ય કે ભવ્ય જ છે, પરંતુ જાતિભવ્ય નહિ. .
(૩) અભવ્ય-જે જીવો મોક્ષે જવાને માટે કોઈપણ જાતની લાયકાત નહિ ધરાવતા હોવાથી હંમેશા સંસારમાં જ પડ્યા રહે છે. પરંતુ તેવા ઉત્તમ ગુણો પ્રાપ્ત કરી અનુત્તરમાં કે મોક્ષમાં જઈ શકતા નથી જાય તો નવ રૈવેયક સુધી જ જાય, એવા અભવ્ય જીવો માત્ર થોડા જ છે, આ અવસર્પિણીમાં ફકત આઠનાં જ નામ પ્રખ્યાત છે. (૧) પાલક પૂરોહિત અંધકમુનિના ૫૦૦ શિષ્યને ઘાણીમાં પલનાર, (૨) કૃષ્ણમહારાજનો પુત્ર, (૩) કપિલાદાસી, (૪) કાલિક કસાઈ, પાંચસો (૧૦૦) પાડાને રોજ મારનાર. (૫) ઉદાયનરાજાનો વધ કરનાર (વિનયન) (૬) વૈતરણી વૈદ્ય, (૭) અંગારમર્દક આચાર્ય, પાંચશો શિષ્યોના ગુરુ તથા (૮) સંગમદેવ. ભગવનને ઉપસર્ગ કરનાર,
(૪) દુર્ભવ્ય જે જીવો મોડા વહેલા સંસારરૂપી સમુદ્ર તરવાને
600
Page #632
--------------------------------------------------------------------------
________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ લાયક છતાં રાગદ્વેષરૂપી ગાંઠ તોડવાને સમર્થ નહિ થતાં દૂર ને. દૂર જ રહે છે.
(૫) ભવ્યાભવ્ય-મોક્ષમાં જવાને યોગ્યતા છતાં ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવાને માટે અશુભ કર્મોની બહુલતાને અંગે તેઓ ઉદ્યમ કરે નહિ તે.
55 ૧૮ ભાર દુનિયામાં વનસ્પતિ છે
૧ ભાર વનસ્પતિ કેટલી સંખ્યાએ થાય તે કહે છે. ૩૮ ક્રોડમણ ૧૧ લાખ મણ ૧૨૯૭૦ મણે એક ભાર થાય, તેવી રીતે ૧૮ ભાર વનસ્પતિ છે. ૧૮ ભારમાં ૪ ભાર પાંદડાં, ૮ ભાર ફળફુલ, ૬ ભાર વેલડી, એમ ૧૮ ભાર જાણવી.
સ્થાપનાચાર્યના ૧૩ બોલ - ૧ શુદ્ધસ્વરૂપના ધારક, ૨ ગુરુજ્ઞાનમય, ૩ દર્શનમય, ૪ ચારિત્રમય, ૫ શુદ્ધ શ્રદ્ધામય, ૬ પ્રરુપણામય, ૭ સ્પર્શનાપ, ૮ ગુરુ-પંચાચાર પાળે. ૯ પળાવે, ૧૦ અનુમોદ, ૧૧ ગુરુ-મનગુણિ, ૧૨ વચનગુપ્તિએ ગુપ્તા ૧૩ કાયતિ સહિત.
ક નવપદજી મહારાજાના આરાધનાના દૃષ્ટાંતો : (૧) અરિહંત પદારાધનથી દેવપાળ રાજા (રાજ્યના સ્વામી) તથા
કાતિક શ્રેષ્ઠી ઈન્દ્ર થયા. (૨) સિદ્ધ પદારાધનથી પુંડરીકજી, પાંડવો અને રામચંદ્રજી
મુકિત પામ્યા. (૩) આચાર્ય પદારાધનથી પ્રદેશ રાજા સૂર્યાભદેવ થયા. (૪) ઉપાધ્યાય પદારાધનથી વજસ્વામીના શિષ્યો દેવ થયા. (૫) સાધુ પદારાધાનથી રોહિણી સતીશિરોમણી થઈ. (૬) દર્શન પદારાધનથી સુલસા તીર્થકર થશે. (૭) જ્ઞાન પદારાધનથી શીલવતી પ્રકૃષ્ટ પુણ્યાત્મક થઈ.
૬૦૧
Page #633
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા (૮) ચારિત્ર પદારાધાનથી શીવકુમારના ભવે આરાધનાર જંબૂકુમાર
ચરમ કેવલી થયા. (૯) તપ પદારાથનથી વીરમતિના પૂર્વ ભવે આરાધનાર દમયંતી પ્રકર્ષ પુણ્યવતી થઈ. gs નિત્ય આરાઘના વિધિ ,
(સવારે ઉઠતી વખતે) (૧) સવારે ઉઠતાં સાત નવકાર મહામંત્ર ભણવા. (૨) ઈશાન ખુણા સન્મુખ શ્રી સીમંધરસ્વામિ પ્રભુને ત્રણ ખમાસમણ
દઈ પ્રાર્થના કરવી. હે પરમતારક દેવાધિદેવ પ્રભો! અનાદિકાલથી આજ સુધી અનન્તા ભવોમાં મારા જીવે જે કાંઈ હિંસા, જુઠ, ચોરી, મૈથુન, પરિગ્રહ ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, કલહ, અભ્યાખાન પશુન્ય, પરંપરિવાદ, રતિ, અરતિ, માયા, મૃષાવાદ અને મિથ્યા દર્શન શલ્ય એ અઢાર પાપ સ્થાનકો સેવન કર્યા હોય સેવન કરાવ્યા હોય, કરતાને અનુમોદ્યા હોય અનેરું જે કાંઈ વીતરાગ પરમાત્માની આજ્ઞા વિરુદ્ધ આચરણ કર્યું કરાવ્યું અનુમોધું હોય તેના માટે હું ત્રિવિધે ત્રિવિધ મિચ્છામિ દુક્કડ દઉં છું, મિચ્છામિ દુક્કડ દઉં , મિચ્છામિ દુક્કડ દઉં છું. હે પ્રભો ! પૂર્વે અનન્તા ભવોમાંહિ મારા જીવે જે કાંઈ શ્રી અરિહંત દેવો, ગુરુ ભગવન્તો, શ્રી જિનધર્મની વિરાધના કરી હોય, આશાતના કરી હોય, ઉસૂત્ર પ્રરૂપણા કર્યું તેના માટે હું મિચ્છામિ દુક્કડ દઉં છું, મિચ્છામિ દુક્કડં દઉં , મિચ્છામિ દુક્કડં દઉં છું. હે પ્રભો! આપના ભક્તિના પ્રભાવે મને શ્રી સમ્યમ્ દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ રત્નની પ્રાપ્તિ થાઓ ભવોભવ આપના ચરણની સેવા મળે જેના પ્રતાપે હું જિનઆજ્ઞા અનુસાર આરાધન કરવાપૂર્વક કર્મોનો નાશ કરી મોક્ષસુખ પ્રાપ્ત કરું. હે પ્રભો! આપની કૃપાથી મને એવી શક્તિ પ્રાપ્ત થાઓ જે દ્વારા
૬૦૨
Page #634
--------------------------------------------------------------------------
________________
હોળ
ઉપયોગી જણવા યોગ્ય સંગ્રહ હું મારા કર્તવ્યો, નીતિ, ન્યાય, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય. અપરિગ્રહ વ્રતોનું પાલન કરી શકું. પ્રાણિમાત્ર પ્રત્યે મૈત્રી ભાવના, ગુણશીલ પ્રત્યે કરુણ ભાવના, ગુણશીલ પ્રત્યે પ્રમોદ ભાવના, દીન દુઃખી પ્રત્યે કરૂણ ભાવના, ધર્મ વિહુણા પ્રત્યે મધ્યસ્થ ભાવના ભાવનારો બનું.
સર્વથા સહુ સુખી થાઓ, પાપ ન કોઈ આચરો, રાગ દેપથી મુક્ત થઈને, મોક્ષસુખ સહુ જગવરો. ક નિત્ય આરાધન વિધિ કા
(રાત્રે સૂતી વખતે) સાત નવકાર ગણીને નીચે પ્રમાણે પ્રાર્થના કરવી
શ્રી અરિહંત પરમાત્માનું શરણ હો. શ્રી સિદ્ધ પરમાત્માનું શરણ હો. શ્રી સાધુ ભગવન્તોનું શરણ હો. શ્રી કેવલિ-પ્રરૂપિત ધર્મનું શરણ હો.
એગોમે સાસઓ અપ્પા, નાણંદમણ સંજુઓ; સેસા મે બાહિરાભાવા, સલ્વે સંજોગ લખણા. ૧
એક મારો આત્મા શાશ્વત છે, જ્ઞાનદર્શન મારા ગુણો છે. તે સિવાય બધા પૌગલિક સંજોગો સંબંધ-ધન-સ્ત્રી-કુટુંબ વિગેરે આત્માથી જુદા છે, સાથે આવ્યા નથી, આવશે નહિ, સાથે કેવલ એક શ્રી જિનેશ્વરદેવનો ધર્મ જ આવશે.
આહાર-શરીરને ઉપધિ પચ્ચખું પાપ અઢાર; મરણ આવે તો વોસિરે જીવું તો આગાર. ૨
આજ દિવસ સુધી મારા જીવે જે કાંઈ પુદ્ગલો ગ્રહણ કરીને મૂક્યા હોય તેને ત્રિવેધે ત્રિવેધે વોસિરાવું છું, વોસિરાવું છું, વોસિરાવું છું.
હે જગદ્વત્સલ ! ભવચક્રમાં આજ દિનપર્યત મારા જીવે આપશ્રીની આજ્ઞા અનુસાર જે કાંઈ આરાધન કર્યું, કરાવ્યું હોય, કરતાનું અનુમોદન કર્યું હોય તેનું હું ત્રિવધે ત્રિવધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
sost
Page #635
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
આપશ્રીની આજ્ઞાનુસાર જ્યાં જ્યાં આરાધન થયું હોય, થતું હોય થવાનું હોય તેનું હું ત્રિવિધ ત્રિવિધે અનુમોદન કરું છું, અનુમોદન કરું છું, અનુમોદન કરું છું.
હું સર્વે જીવો ને ખમાવું છું સર્વે જીવો મને ખમાવે, સિદ્ધ પરમાત્માની સાક્ષીએ હું આલોચન કરું છું, મારે કોઈની સાથે વેર વિરોધ નથી. ચૌદ રાજલોકમાં પરિભ્રમણ કરતાં સર્વે જીવો કર્મવશ છે તે સર્વેને મેં ખમાવ્યા છે, તે સર્વે મને ખમાવે. જે જે મનથી, વચનથી, કાયાથી પાપ કર્યું હોય તે મિથ્યા દુષ્કૃત થાઓ. (નાશ પામો)
ભવાંતરમાં મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામી ૯ મા વર્ષે
કેવળજ્ઞાન અપાવતી E શ્રી સીમન્વરસ્વામિની અપૂર્વ આરાધના ,
: જાપ કરવાનો મંત્ર : શ્રી શ્રી આઈ શ્રી સીમન્વરસ્વામિને નમઃ આ ભરતે પણ કોઈ જીવ, સુલભબોધિ જેહ; જાપ જપે તુજ નામનો, લાખ સંખ્યાનો તેહ, ભવસ્થિતિ નિર્ણય તસહુવે, અથવા ધ્યાન પસાથે; ઉપજી વિદેહે કેવળ લહે, નવમ વરસ ઉચ્છાહે.
(આચાર્ય વિજયલક્ષ્મી સૂરિજી મહારાજ) ભાવાર્થ :- આ સંસારમાં પણ કોઈ સુલભબોધિ જીવ, શ્રી સીમન્વરસ્વામિ ભગવાન આપના નામનો જાપ જપે છે, તેની ભવસ્થિતિનો (સંસારમાં કેટલા ભવ બાકી છે તેનો) નિર્ણય થાય છે, અથવા તમારા ધ્યાનના પસાયથી મહાવિદેહક્ષેત્રમાં જન્મ પામી નવમા વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે.
COX
Page #636
--------------------------------------------------------------------------
________________
સુવાક્યો
સુવાક્યો
૧ તેજ વિદ્યા સાચી છે કે જે વિદ્યા મુક્તિને માટે થાય. ૨ સાધર્મિકની ભકિત તે જિનશાસનની સારભૂત વસ્તુ છે. ૩ બીજા જીવોનું હિત ચિંતવવું એ મૈત્રી ભાવના.
૪ બીજા જીવોને સુખી દેખી રાજી થવું તે પ્રમોદભાવના. ૫ બીજા જીવોના દોષોની ઉપેક્ષા કરવી તે માધ્યસ્થભાવના.
૬ સુખેથી સુવે કોણ સત્યવાન, સંતોષી, સુકર્મી.
૭ મિત્રતા માટે નાલાયક કોણ-કુડો, કપટી, કુલક્ષણી,
૮ જૈનો ઈશ્વરને બનાવનાર નહિ પણ બતાવનાર માને છે.
૯ આદર્શ પુરૂષોના જીવનમાંથી ધીરજ, શુદ્ધિ આદિ મળે છે. ૧૦ ગ્રહણ કરવાની ઈચ્છા થાય તો સૌના ગુણ ગ્રહણ કરજો. ૧૧ ઉત્તમ વાંચનથી પોતાના દોષ જોતાં શિખાય છે.
૧૨ દુઃખથી ભરેલા સંસારમાં વૈરાગ્ય એજ વિશ્રાંતિનું સ્થાન છે. ૧૩ આપ કલ્યાણ વિના કદી પણ લોક કલ્યાણ થવાનું નથી. ૧૪ દેશદ્રોહ કરતાં પણ ધર્મદ્રોહ ઘણો ભયંકર છે.
૧૫ કાંઈ કરવાની ઈચ્છા થાય તો સૌનું ભલું કરજો. ૧૬ સદ્ધર્મના તત્ત્વો ગુરુગમ અને અભ્યાસથી મેળવાય છે. ૧૭ સાંભળવાનું મન થાય તો ધર્મકથા સાંભળજો.
૬૦૫
Page #637
--------------------------------------------------------------------------
________________
અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
યક્ષિણિઓ
યક્ષો ગોમુખ
મહાયક્ષ
ત્રિમુખ યક્ષેશ તુંબરૂ કુસુમ માતંગ
ચક્રેશ્વરી અજિત બાલા દુરિતારી કાલી મહાકાલી અય્યતા શાંતા જ્વાલા સુતારિકા અશોકા શ્રીવત્સા ચંડા વિજયા અંકુશી
વિજય
અજિત
નં. ભગવાનનું નામ ૧. શ્રી ઋષભદેવ ૨. શ્રી અજિતનાથ ૩. શ્રી સંભવનાથ ૪. શ્રી અભિનંદનસ્વામિ
શ્રી સુમતિનાથ શ્રી પદ્મપ્રભપ્રભુ
શ્રી સુપાર્શ્વનાથ ૮. શ્રી ચંદ્રપ્રભપ્રભુ ૯. શ્રી સુવિધિનાથ ૧૦. શ્રી શીતલનાથ
શ્રી શ્રેયાંસનાથ
શ્રી વાસુપૂજ્ય સ્વામિ ૧૩. શ્રી વિમલનાથ ૧૪. શ્રી અનંતનાથ ૧૫. શ્રી ધર્મનાથ
શ્રી શાન્તિનાથ ૧૭. શ્રી કુંથુનાથ
શ્રી અરનાથ શ્રી મલ્લિનાથ
શ્રી મુનિસુવ્રતસ્વામિ ૨૧. શ્રી નમિનાથ ૨૨. શ્રી નેમિનાથ ૨૩. શ્રી પાર્શ્વનાથ ૨૪. શ્રી વર્ધમાન સ્વામિ
બ્રહ્મ
મનુજ સુરકુમાર
પણમુખ
પાતાલ
પ્રજ્ઞપ્તિ
કિન્નર ગરુડ ગંધર્વ અક્ષેદ્ર
નિર્વાણી અચ્ચતા ધારિણી
$ $
કુબેર
વૈરુટયા
વરુણ
અચ્છતા ગંધારી
ભૃકુટી
ગોમેધ
અંબિકા
પાર્થ
પદ્માવતી સિદ્ધાયિકા
માતંગ
COS
Page #638
--------------------------------------------------------------------------
________________
ચોવીશ તીર્થંકરોના કલ્યાણકનો કોઠો
પો. વ. ૬
ه
નામ | ચ્યવન જન્મ | દીક્ષા | કેવળ | મોક્ષ ઋષભદેવ
| ફા. વ. ૮ | મ. વ. ૮ | મ. વ. ૧૧ | પો.વ. ૧૩ અજિતનાથ વૈ. સુ. ૧૩ મ. સુ. ૮ | મ. સુ. ૯ |પો. સુ. ૧૧ ચે. સુ. ૫ સંભવનાથ | ફા.સુ. ૮ | મ. સુ. ૧૪મા. સુ. ૧૫ આ. વ. ૫ | ચે. સુ. ૫ અભિનંદન | વૈ. સુ. ૪ | મ. સુ. ૨ | મ.સુ. ૧૨ | પો. સુ. ૧૪ વૈ. સુ. ૮ સુમતિનાથ | શ્રા. સુ. ૨ | વે. સુ. ૮ | વૈ. સુ. ૯ | ચે. સુ. ૧૧ચે. સુ. ૯ પદ્મપ્રભપ્રભુ પો. આ. વ. ૧૨ આ.વ. ૧૩ .સુ. ૧૫ | કા. વ. ૧૧ સુપાર્શ્વનાથ | શ્રા. વ. ૮ જે. સુ. ૧૨ જે. સુ. ૧૨ | મા. વ. ૬ | મ. વ. ૭ ચંદ્રપ્રભપ્રભુ | ફા. વ. ૫ | મા. વ. ૧૨ મા. વ. ૧૩ મ. વ. ૭ | શ્રા. વ. ૭ સુવિધિનાથ | મ.વ. ૯ | કા. વ. ૫ | કા. વ. ૬ | કા.સુ. ૩ | ભા.સુ. શીતલનાથ ચે. વ. ૬ | પો વ. ૧૨ પો. વ. ૧૨ | મા. વ. ૧૪ ચ.વ. ૨ શ્રેયાંસનાથ | વે. વ. ૬ | મ. વ. ૧૨ મ. વ. ૧૩ પો. વ. વા | અ. વાસુપૂજ્ય જે. સુ. ૯ મ.વ. ૧૪ મ.વ. ON | મ. સુ. ૨ અ.સુ. વિમલનાથ વૈ. સુ. ૧૨ મ. સુ. ૩ | મ. સુ. ૪ | પો. સુ. ૬ | જે. વ. ૭
અનંતનાથ [ અ. વ. ૭ શૈ.વ. ૧૩ ચે. વ. ૧૪, . વ. ૧૪ | ચે. સુ. ૫ ધર્મનાથ વે. સુ. ૭ મ. સુ. ૩| મ. સુ. ૧૩ પો. સુ. ૧૫ જે. સુ. ૫ શાન્તિનાથ
| વે.વ. ૧૩ વ.વ. ૧૪ | પો. સુ. ૯ | વે. વ. ૧૩ કુંથુનાથ
ચે. વ. ૧૪ ચે. વ. ૫ | ચે. સુ. ૩ | ચે. વ. ૧ અરનાથ
| મા. સુ. ૧૦મા. સુ. ૧૧. કા. સુ. ૧૨ મિ. સુ. ૧૦ મલ્લિનાથ
મા. સુ. ૧૧મા.સુ. ૧૧ / મા. સુ. ૧૧| ફા.સુ. ૧૨ મુનિસુવ્રત ૧૫ વે. વ. ૮ | ફા.સુ. ૧૨ મ. વ. ૧૨ વૈ. વ.૯ નમિનાથ ૧૫ અ. વ. ૮ ! જે.વ.૯ | મ. સુ. ૧૧ | ચે.વ. ૧૦ નેમિનાથ
શ્રા. સુ. ૧૫ શ્રા. સુ. ૬ | ભા. વ. Oા | અ.સુ. ૮ પાર્શ્વનાથ
| મા. વ. ૧૦મા. વ. ૧૧ | ફા. વ. ૪ | શ્રા. સુ. ૭ મહાવીર અ.વ. ૬ | ચે. સુ. ૧૩ કા. વ. ૧૦ વૈ. સુ. ૧૦ આ. વ. .
ه
ತ
ಕ
ಸ
ಸ
ಸ
ಸ ತ
. ૧
૬૦૭
Page #639
--------------------------------------------------------------------------
________________
પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રી ગુણસાગરસૂરીશ્વરજી મ. સાહેબે
તૈયાર કરેલ કચ્છ-ભૂજ સ્ટાં. ટા. પ્રમાણે
પચ્ચખાણ સમયનો કોઠો માસ |સુર્યોદય સુર્યાસ્ત નવકારશી પોરસી સાઢ પોરસી પુરીમઢ | અવઢ તારીખ | ક. મિ. |ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. કે. મિ. જાન્યુઆરી ૧| ૭-૩૩, ૬-૧૬, ૮-૨૧] ૧૦-૧૪, ૧૧-૩૫ | ૧૨-૫૫ ૩-૩૬
૮, ૭-૩૫ | -૨૦| ૮-૨૩, ૧૦-૧૭, ૧૧-૩૭] ૧૨-૫૮ ૩-૩૯ ,, ૧૬| ૭-૩ -૬૬ ૮-૨૪, ૧૦-૧૯] ૧૧-૪૦ ૧-૧ |૩-૪૪ ,, ૨૪ ૭-૩૫ ૬-૩ર | ૮-૨૩ ૧૦-૨૦, ૧૧-૪૨ ૧-૪૩-૪૮
૧-૬
ફેબ્રુઆરી ૧| ૭-૩ર | ૬-૩૭, ૮-૨૦ ૧૦-૧૯ | ૧૧-૪૨ , ૮ ૭-૨૯
| ૬-૪૨ ૮-૧૭ | ૧૦-૧૮] ૧૧-૪૨ ,, ૧૬] ૭-૨૪| -૪૭, ૮-૧૨ | ૧૦-૧૫ | ૧૧-૪૧ ,, ૨૪ ૭-૧૯ [ ૬-૫૧ ૮-૭૧૦-૧૨ | ૧૧-૯
[૩-૫૧
૩-૫૪ ૧- ૩-૫૭ ૧-૨ ૩-૫૮
માર્ચ ૧| ૭-૧૫ | -૫૩, ૮-૩ ,, ૮, ૭-૮ | ક-પ૭ | ૭-૫૬ ,, ૧૬| ૭-૧ | ક-૫૯ | ૭-૪૯ ,, ૨૪, ૬-પ૩ | ૭-૨ | ૭-૪૧
૧૦-૧૦, ૧૧-૩૭ ૧-૪૩૧૦-૬ | ૧૧-૩૪ ૧-૩ ૧૦-૧| ૧૧-૩૧ ૧-૦ ૯-૫૬, ૧૧-૨૭, ૧૨-૫૮
એપ્રિલ ૧, ૬-૪૫ | ૭-૫ |
૬-૩૮ ૭-૮ ૬-૩૧ ૭-૧૧] -૨૫૭-૧૪
૭-૩૩ ૭-૨૬ ૭-૧૯ ૭-૧૩
૯-૫૦, ૧૧-૨૩ | ૧૨-૫૫ ૯-૪૬૧૧-૨૦ | ૧૨-૧૩ ૯-૪૧] ૧૧-૧૬ | ૧૨-૫૧ ૯-૩૮ | ૧૧-૧૪ ૧૨-૫૦
૬-૧૯ | ૭-૧૭, ૭-૭,
| ૭-૨૧ | ૭-૨
૭-૨૪ | -૫૮ | ૭-૨૮ | ૬-૫૫
૯-૩૪ | ૧૧-૧૧ | ૧૨-૪૮ ૯-૩૧ | ૧૧-૧૦ ૧૨-૪૮ ૯-૨૯ ૧૧-૮ ૧૨-૪૭ ૯-૨૮ | ૧૧-૮ ૧૨-૪૮
૪-૬ ૪-૮
૭-૩૧ | ૬-૫૪ ૭-૩૪ | ૬-૫૩ ૭-૩૭, ૬-૫૩] ૭-૩૯ | -૫૫
૯-૨૮, ૧૧-૮ | ૧૨-૪૯ ૪-૧૦ ૯-૨૮ | ૧૧-૯ ૧૨-૫૦ |૪-૧૨ ૯-૨૮ | ૧૧-૧૦ | ૧૨-૫૧ ૪-૧૪ ૯-૩૦ ૧૧-૧૨ | ૧૨-૪-૧૬
૬૦૮
Page #640
--------------------------------------------------------------------------
________________
- કચ્છ-ભૂજ સ્ટાં. ટા. પ્રમાણે પચ્ચખાણ સમયનો કોઠો
માસ | સુર્યોદય સુર્યાસ્ત નવકારશી પોરસી સાઢ પોરસી પુરીમઠ | અવઢ | તારીખ | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. | ક. મિ. |ક. મિ. જુલાઈ ૧, ૬-૯ | ૭-૪૦| ૬-૫૭ ૯-૩૨ | ૧૧-૧૪ | | ૧૨-૫૫ ૪-૧૮ ,, ૮| ૬-૧૨ | ૭-૩૯ | ૭-૦ | ૯-૩૪ | ૧૧-૧૫ ૧૨-૫૬ [૪-૧૮ ,, ૧૬] ૬-૧૫ | ૭-૩૮ | ૭-૩ | ૯-૩૬ ૧૧-૧૭ ૧૨-૫૭ ]૪-૧૮ ,, ૨૪ ૫-૧૮ | ૭-૩૫ | ૭-૬] ૯-૩૮ | ૧૧-૧૭ ૧૨-૫૭
ઓગસ્ટ ૧, ૬-૨૨ | ૭-૩૨ ,, ૮| -૨૪] ૭-૨૮ ,, ૧૬. ૬-૨૮ | ૭-૨ ,, ૨૪| ૬-૩૧ | ૭-૧૫
૭-૧૦ ૭-૧૨ ૭-૧૬ ૭-૧૯
૯-૪૦ | ૧૧-૧૯ ૯-૪૦ | ૧૧-૧૮ ૯-૪૨ | ૧૧-૧૯ ૯-૪૨ | ૧૧-૧૮
૧૨-૫૭ |૪-૧૫ ૧૨-૫૬ [૪-૧૨ ૧૨-૫૫
૪-૯ ૧૨-૫૪ | ૪-૪
સપ્ટેમ્બર ૧, ૬-૩૪ ૭-૮ | ૭-૨૨ ૬-૩૬
૭-૨૪ ૬-૩૮ ૬-૫૩ ૭-૨૬ , ૨૪ ૬-૪૧ | ૬-૪૫ | ૭-૨૯
૯-૪૩ | ૧૧-૧૭ | ૧૨-૫૧ | ૪-૦ ૯-૪૩ | ૧૧-૧૬
૧૨-૪૯] ૩-૫૫ ૯-૪૨ | ૧૧-૧૪ ૧૨-૪૬ [૩-૫૦ ૯-૪૨ | ૧૧-૧૩ | ૧૨-૪૩|૩-૪૪
ઓક્ટોબર ૧૬-૪૪ | -૩૮ ! | ૭-૩૨
,, ૮| ૬-૪૬ ૬-૩૨ ૭-૩૪ ,, ૧૬| -૪૯ | ૬-૨૪ ૭-૩૭ ,, ૨૪] -પ૩ ૬-૧૮ | ૭-૪૧
૯-૪૩] ૧૧-૧૨ | ૧૨-૪૧ |૩-૪૦ ૯-૪૩] ૧૧-૧૧ ૧૨-૩૯ [૩-૩૬ ૯-૪૩, ૧૧-૧૦ | ૧૨-૩૭(૩-૩૧ ૯-૪૫) ૧૧-૧૦ ૧૨-૩૬ [૩-૨૭
નવેમ્બર ૧, ૬-૫૭
૮િ|
૭-૧
, ૧૬| ૭-૬ , ૨૪ ૭-૧૧
૬-૧૨
૬-૯ ૬-૫ -૪
૭-૪૫ ૭-૪૯ ૭-૫૪ ૭-૫૯
૯-૪૬ | ૧૧-૧૧ || ૧૨-૩૫ [૩-૨૪ ૯-૪૮ | ૧૧-૧૨ ૧૨-૩૫ ૩-૨૨ ૯-૫૧ | ૧૧-૧૪ ૧૨-૩૬ ૩-૨૧ ૯-૫૫ [ ૧૧-૧૬ ૧૨-૩૮ ૩-૨૧
ડિસેમ્બર ૧, ૭-૧૬ | ૬-૩ ૮-૪ ૯-૫૮ | ૧૧-૧૯ ૧૨-૪૦ [૩-૨૨
,, ૮| ૭-૨૧ | ૬-૪ ૮-૯ ૧૦-૨ | ૧૧-૨૩ | ૧૨-૪૩|૩-૨૪ ,, ૧૬ ૭-૨૬, ૬-૮ | | ૮-૧૪ ૧૦-, ૧૧-૨૭ ૧૨-૪૭ |૩-૨૮ ,, ૨૪ ૭-૩૦ [ ૬-૧૨ | ૮-૧૮ | ૧૦-૧૧ | ૧૧-૩૧ ૧૨-૫૧ |૩-૩૨
COC
Page #641
--------------------------------------------------------------------------
________________
માસ
તારીખ
કાર. સુ. ૧ ૧. ૧
માગ. સુ. ૧ ૧. ૧
પોષ સ. ૧
મહા
જેઠ
ચૈત્ર સુ. ૧
શ્રી
સુર્યોદય | સુર્યાસ્ત નવકારશી
ક. મિ. | ક. મિ. | ક. મિ.
૩-૧૪
૧. ૧, ૭-૧૨
સુ. ૧ ૭-૮
૧. ૧
૭-૩
ફાગણ સુ. ૧-૫ ૧. ૧| -૪૮
-૧૪ -૨૪ ૭-૪૨
૭-૧
૭-૪૯
૭-૭ -૧૧ ૭-૫૫
૭-૧૧
વૈશાખ સુ. ૧૬ ૬-૨૪
સુ. ૧
૧. ૧
અષાઢ સુ. ૧
પચ્ચક્ખાણના સમયનો કોઠો
પોરસી સાઢ પોરસી
ક. મિ.
ક. મિ.
6-5
૧. ૧ ૬-૧૨
6-5
શ્રાવણ સુ. ૧| ૬-૧૮ ૧. ૧-૨૫
ભાદ. સુ. ૧| ૬-૨૫
૧. ૧| ૬-૩૦
-૪ ૮-૨
૮-૦
5-5
-૪૦
૭-૨૮
૧. ૧ -૩૨ 5-X9 ૭-૨૦
-૧૦
-૧૫
-૫૪ ૭-૧૨
૧. ૧ -૧૭ ૭-૧ 9-4
02-5
26
2h-6
૨૨ ૭-૪૪
9-39
૭-૫
૭-૧૧
-૧૧
-૮ ૭-૧૦ -૫૬
6-0
-૮ ૭-૧૦ -૫
9-5 ૭-૦
-2-60
->h-5
5-6
-૧૮ ૭-૧૩
-૫૬ ૭-૧૩
૬-૪૭ ૭-૧૮
આસો સુ. ૧| ૬-૩૦ ૬-૨૯ ૭-૧૮
૧. ૧ ૬-૪૨ ૬-૨૨
O£-6
૯-૪૭ ૧૧-૧૪
૯-૫૦
૧૧-૧૫
૯-૫૩
૯-૫૫
6h-2
૯-૫
૯-૫૪
૯-૧૧
$6--2
૯-૪૮ ૧૧-૧૪
૯-૪૪ ૧૧-૧૨
૯-૩૨
૯-૨૮
૯-૪૦ ૧૧-૧૦
૧૧-૮
૯-૨૫
૯-૨૪
૧૧-૧
૧૧-૧૭
૧૧-૧૯
૧૧-૧૮
૯-૨૯
૯-૩૯
૧૧-૧૭
૧૧-૧૫
૯-૩૯
૯-૪૦
૧૧-૬
૧૧-૪
૯-૨૪ ૧૧-૨
૯-૨
૧૧-૨
૧૧-૨
૧૧-૩
૧૧-૫
૧૧-૯
૧૧-૯
૧૧-૧૦
૯-૪૪ ૧૧-૧૨
૯-૪૫
૧૧-૧૪
પુરીમદ્ગ અવા
ક. મિ. ક. મિ.
૧૨-૩૯ | ૩-૩૨
૧૨-૩૯ ૧૩-૨૯
૧૨-૩૯ | ૩-૨૫
૧૨-૩૯ ૧૩-૨૩
૧૨-૩૯ ૧૩-૨૨
૧૨-૩૯ | ૩-૨૩
૧૨-૩૯૨૩-૨૫
૧૨-૩૯ | ૩-૨૭
૧૨-૩૯ ૨૩-૩૧ ૧૨-૩૯|૩-૩૫
૧૨-૩૯ | ૩-૩૫
૧૨-૩૯ | ૩-૪૩
૧૨-૩૯ | ૩-૪૭ ૧૨-૩૯૨૩-૫૦
૧૨-૩૯ ૧૩-૫૩ ૧૨-૩૯૨૩-૫૫
gh-2/2£-2 b
૧૨-૩૯ |૩-૫૩
૧૨-૩૯ | ૩-૫૦
૧૨-૩૯૬૩-૪૨
૧૨-૩૯૬૩-૪૨
૧૨-૩૯ | ૩-૩૯
૧૨-૩૯ | ૩-૩૪
૧૨-૩૯૨૩-૩૦
દરેક ગામવાળાએ પાંચ મિનિટ ઉમેરી પચ્ચક્ખાણ પાળવું.
૬૧૦
સમાસ
Page #642
--------------------------------------------------------------------------
________________ D ///|||||