________________
અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા gi (૧) શ્રી કુંથુનાથ જિન સ્તવન BE
(રાગ એક દિન પુંડરિક ગણધરૂ રે લોલ) કુંથ જિનેશ્વર જાણજો રે, મુજ મનનો અભિપ્રાય રે, જિનેશ્વર ! તું આતમ અલવેસરૂ હો લાલ, રખે તુજ વિરહો થાય રે; જિ0 તુજ વિરહો કિમ વેઠીયે હો લાલ, તુજ વિરહો દુઃખદાય રે; જિ0 તુજ વિરહો ન ખમાય રે. જિ૦ ખિણ વરસ સો થાય રે; જિ૦ વિરહો મોહોટી બલાય રે, જિનેશ્વર કુંથુ) એ આંકણી ૧ તાહરી પાસે આવવું રે, પહેલાં નાવે તું દાય રે, જિ0 આવ્યા પછી તો જાવવું હો લાલ, તુજ ગુણ વશે ન સુહાય રે;
જિ0 કુંથ૦ ૨ ન મળ્યનો ધોખો નહિ રે, જસ ગુણનું નહીં નાણ રે, જિ0 મળીયાં ગુણ કળીયા પછી તો લાલ, વિછરત જાયે પ્રાણ. રે.
જિ0 કુંથ૦ ૩ જાતિઅંધને દુઃખ નહીં રે, ન લહે નયનનો સ્વાદ રે, જિ નયણસ્વાદ લહી કરી હો લાલ, હાર્યાને વિખવાદ રે.
જિ૦ કુંથ૦ ૪ બીજે પણ કિહાં નવિ ગમે રે, જિસે તુજ વિરહ વંચાય રે. જિ0 માલતી કુસુમે ખાલીઓ હો લાલ, મધુપ કરીરે ન જાય રે.
જિ૦ કુંથુ ૫ વન દવ દાઝયાં રૂખડાં રે, પલાળે વલી વરસાત રે, જિ0 તુજ વિરહાનલના બળ્યા હો લાલ, કાલ અનંત ગમાત રે.
જિ0 કુંથ૦ ૬ ટાઢક રહે તુજ સંગમેં રે, આકુલતા મિટી જાય રે, જિ0 તુજ સંગે સુખીયો સદા હો લાલ, માનવિજય ઉવજઝાય રે.
જિ૦ કુંથુ૦ ૭
૧૮૮