________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
આડંબર ધરીને બધા અવગુણો, ઢાંક્યા ઘીઠાઈ કરી, ગુણનો લેશ નહિ છતાં નિજ મુખે, કીધી બડાઈ ફરી; ધારીમેં બકવૃત્તિને કપટથી, ધોળો થઈને ફર્યો, અંતર અંજન સારિખી મલીનતા, ઈર્ષા થકી હું ભર્યો. ૫૯ પાળ્યા નહિ વ્રત પ્રેમથી, સુગુરુની વાણી નહિ સાંભળી, વાંઘા નહિ શિર નમી, દેવગુરુને જોડી દશે આંગળી; ધન લોભે નીતિન્યાયને, ભૂલી જઈ પાપો કરી રાચીઓ, હાંસી સજ્જનની કરી વિષયમાં, અંધો બની માચીઓ. ૬૦ આવે છે વિકરાલ કાળ મુજને જાશે ઉપાડી ખરે, જાણું તો પણ ધર્મને, જીવનમાં સ્થાપ્યો નહિ મેં અરે; ભાતા વિણ પરલોકમાં દુઃખ તણી સીમા ન રહેશે મને, રાખો શરણે આપના, હૃદયમાં લાવી દયા દાસને. ૬૧
આપે, પ્રકાશે. ૬૨
મુક્તિ કેરા વિમલ ઘરમાં, આપ દૂરે વસો છો, તોયે વહાલા મુજ મન સદા, પ્રેમ રૂપે રહો છો; જો કે દૂરે રવિ કમલથી, તો એ આનંદ તેવી રીતે મુજ મન વને, તેજ તારું જેના નામ પ્રભાવથી, જગતના દારિદ્ર દૂરે ટળે, જેનું ધ્યાન ધરે સદા હૃદયમાં, વાંછિત સર્વ ફળે; ધરણેન્દ્ર પદ્માવતી નિત્ય પ્રત્યે જેની કરે સેવના, તે શ્રી પાર્શ્વ જિનેન્દ્રના ચરણમાં પ્રેમે કરૂં વંદના. ૬૩
le
૧૬