________________
સ્તવન વિભાગ
વરસીદાન દે રોરતા વાળી, સંયમરાજય ઉપાયો; દીનહીનતા કબુય ન તેરે, સચિઆનંદ રાયો. ચ૦ ૨ કરુણામંથન નયને નિહાળી, ચંડકૌશિક સુખદાયો; આનંદરસભર સરગ પહુંતો, ઐસા કૌન કરાયો. ચ૦ ૩ રત્નકંબલ બ્રિજવરકો દીન, ગોશાલક ઉધરાયો; જમાલી પન્નર ભવ અંતે, મહાનંદ પદ ઠાયો. ચ૦ ૪ મત્સરી ગૌતમકો ગણધારી, શાસનનાયક ઠાયો; તેરે અવદાત ગિનું જગ કેતે, તું કરુણાસિંધુ કહાયો. ચ૦ ૫ હું બાલક શરણાગત તેરો, મુજકો કયું વિસરાયો; તેરે વિરહસે હું બહુ દુઃખ પામું, કર મુજ આતમરાયો. ચ૦ ૬
ક (૨૨) શ્રી મહાવીરસ્વામીનું સ્તવન fi તાહરે વયણે મનડું વધ્યું રે, ગિરૂઆ ગુણ દરીયા, તાહરે ચરણે ચિત્તડું ચોટયું રે, મીઠડા ઠાકુરીયા; સાકર દ્રાખ થકી પણ અધિકી, મીઠી તાહરી વાણી, સાંભળતા સંતોષ ન થાયે, અમૃત રસની ખાણીરે. ૧ વયણ તમારું સાંભળવાને, પ્રભુ આશક થઈને રહીયો; મુખડાનો મટકો નિરખતાં, ફરી ફરી ભામણે જઈએ રે. ૨ ઋદ્ધિવંતા બહુ રાજ્ય તજીને, જે મુજ વયણના રસીયા; સઘળી વાત તણો રસ છોડી, આવી તુજ ચરણે વસીયા. ૩ સુરનર મુનિ જનને મન માની, પાંત્રીસ ગુણની ખાણી; જગનાયક પ્રભુ વીરની વાણી, બુઝયા સુણી બહુ પ્રાણી રે. ૪ ત્રણ ભુવનને પાવન કરવા, નિર્મળ છે વીર વાણી; ઉદય રત્ન કહે ભવજલ તરવા, સહી તે નાવ સમાણી રે. ૫ ક (૨૩) શ્રી દિવાળીનું (મહાવીર પ્રભુનું) સ્તવન -
મારગદેશ મોક્ષનો રે, કેવલ જ્ઞાન નિધાન; ભાવદયા સાગર પ્રભુ રે, પર ઉપગારી પ્રધાન. વીર૦ ૧
'
૨૫૯