________________
સ્તવન વિભાગ
સંવત અઢાર ઓગણ પચ્ચાસે, ફાગણ અષ્ટમીદિન; ઉજ્જવળ પક્ષે ઉજ્વળ હુઓ, કાંઈ ગિરિ ફરસ્યા મુજ મન.
ઈત્યાદિક જિન બિંબ નિહાળી, સાંભળી સિદ્ધની શ્રેણ; ઉત્તમ ગિરિવર કેરી પેરે વિસરે, પદ્મવિજય કહે જેણ.
તુમે તો૦ ૮
BE (૫૮) શ્રી આદિશ્વર દાદાનું સ્તવન
(પંખીડા સંદેશો કે જો મારા નાથને).
આ સંસાર અસાર સગું કોઈ એ નથી, સ્વારથની શી કરવી જગતમાં વાતો; પોત પોતાને માટે ચાહે અન્યને, સ્વારથી સરે પછી કોણ તાતને માનજો. ચેતન ચિંતા પરની શાને તું કરે. ૧
રાત દિવસ રોતી હું સુત સંતાપથી, દેતી ઠપકો ભરતને ભારો ભારજો; રૂદન કરી કરી આંખો પણ ઓછી કરી, પલ પલ પૂછું તેના હિ સમાચારજો. ૨૦ ૨
એને દુઃખે દુઃખી થઈ શોકે રહી, વર્ષોથી કરતી અતિશે. વિલોપાતજો; મારો નંદન મારો સ્નેહી પુત્ર એ, મારો રિખવો એમજ કરતી વાતો. ૨૦ ૩
જોયું આજે અનુભવ કરી, હું ન્હાવરી બની હતી આ પુત્રની પાછળ વ્યર્થજો; સુખ વિલસે એ આજે અધિકું સર્વથી, નથી પડી મુજ એણે જોયો સ્વાર્થજો ૨૦ ૪
આત્મા મારો એકજ મુજ સાથે થસે, શુદ્ધ બુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપજો; બાહ્ય ઉપાધિ વળગી તે અળગી કરૂં, તો મુજને મળશે શુદ્ધ સ્વરૂપજો. ૨૦ ૫
હાથીની અંબાડી ઉપર સ્થિર થઈ, વધતે ભાવે વરિયા કેવળજ્ઞાનજો; ધર્મધુરન્ધર પુત્રવધૂ મુખ દેખવા, પામ્યા જલ્દી જિન જનની નિર્વાણજો. ૨૦ ૬
૧ ૨૭