SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ અહિંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા 5 મુનિની દશવિધ ચક્રવાલ સામાચારી , ૧ ઈચ્છાકારક - અમુક કાર્ય તું તારી ઈચ્છા પ્રમાણે કર, એમ ગુર્વાદિક મોટા જે આદેશ આપે તે પોતાની ઈચ્છાએ કરવું ૨ મિચ્છાકાર - તે અનાભોગને લીધે તીર્થકરાદિકની આજ્ઞા વિરૂદ્ધ કાંઈ બોલાયું હોય તે મિથ્યા દુષ્કત આપે. ૩ તહક્કાર - તે ગુર્નાદિકે સૂત્ર અને અર્થ વિગેરે કહે છતા અથવા બીજું કાંઈ કાર્ય બતાવે છતા ડાહ્યા સાધુઓ તહત્તિ (બહુ સારૂ) કહે છે. ૪ આવસ્સિયા - તે અવશ્ય કરવા લાયક યોગ વડે જ કરવામાં આવે છે તે આવશ્યકી કહેવાય છે. તે આવશ્યકીનો શ્રેષ્ઠ મુનિઓ ઉપાશ્રયાદિકથી બહાર નીકળે ત્યારે તેમ બોલવા પણે ઉપયોગ કરે છે. ૫ નિસિહિયા - અપ્રસ્તુત કાર્યનો નિષેધ કરવાથી જે ઉત્પન્ન થાય છે. નિષેધિકી કહેવાય છે. તે નિષેલિકીનું કાર્ય કરીને ઉપાશ્રયાદિ પ્રવેશ કરતી વખતે મુનિઓ ઉપયોગ કરે છે. ૬ આપુચ્છણા - કાંઈ પણ કાર્ય કરવાની ઈચ્છા થાય ત્યારે તેને માટે ગુરુને જે પુછવું તે આપુચ્છણા કહેવાય છે. ૭ પડિપુછણા - તે કાર્ય કરતી વખતે ફરીથી ગુરુને જે પુછવું તે પ્રતિકૃચ્છના કહેવાય છે. ૮ છંદણા - સાધુએ પોતે પ્રથમ જે આહારાદિક આપ્યું હોય તે લેવા માટે ગુરુની પાસે પ્રથમ જે પ્રાર્થના કરવી તે. ૯ નિમંત્રણા - તે હું આપના માટે અનાદિક લાવું મને આપ આજ્ઞા આપો તે નિમંત્રણા કહેવાય છે. ૧૦ ઉપસંપદા - તે જ્ઞાનાદિક શિખવા માટે કેટલીક વખત અન્ય ગચ્છના આચાર્ય વિગેરેની સેવા કરવી તે. દશ પ્રકારની સામાચારી નવમા પૂર્વમાંથી ઉદ્ધરેલી છે. ૫૮O
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy