SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ સ્તવન વિભાગ (૩૫) શ્રી પાર્શ્વનાથ પ્રભુનું સ્તવન પ્રભુ પાર્શ્વજીન શામળીયા, મહાપુન્ય ઉદયથી મળીયા રે. પ્રભુ રીતિ અનુપમ ભવ તરવાની, પ્રભુજી આપ પ્રકાશી; અજર અમર અવિનાશી, નિજ આત્મ ગુણથી બલીઆ રે. પ્રભુ૦ ૧ ક્રોધ અરિને ક્ષમા ખડ્ગથી ઝેર કર્યા તુમ જડથી; ગયો થઈ હલકો અતિ ખડથી, પ્રભુ શાંત વદન તુમ કલિયા રે. પ્રભુ૦ ૨ માન રિપુ માર્દવ હથિયા રે, માયા આવે ધારી; સંતોષથી લોભ નિવારી, નહિ વિષ્ણુ સમ તમે છલિયા રે. પ્રભુ ო લીધું; રાગ દ્વેષ પ્રતિમલ્લને જીતી, વીતરાગ પદ નિજ આત્મ કારજ સીધું, જરા જન્મ મરણ ભય ટળીયા રે. પ્રભુ૦ ૪ વામાનંદન અંતરયામી, આત્મલક્ષ્મી દાતા; વલ્લભ હર્ષ ગુણ ગાતાં, સહુ મનના મનોરથ ફળિયા રે. પ્રભુ૦ ૫ ૬ (૩૬) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું સ્તવન (રાગ-કલ્યાણ) કવણ તુમારો મર્મ લઘોરી, પાર્શ્વ જિનેશ્વર તું પરમેસર; અજબ કલા કહો કોણ કહેરી, અજબ કલા કહો કોણ; ક્રોધ કષાય હણ્યાં તેં પહેલા, તવ થયો ઉપશમવંત શરીરી; ક્રોધ વિના તેં કેમ કરી ટાળ્યાં, અંતર દુર્ધર કર્મ અરીરી. પાર્શ્વ૦ ૧ ક્ષમાવંતને હણવું ઘટે નહિ, એમ કીમ અર્થ સમર્થ હુવેરી; માનું હીમ જીમ શીત પ્રકૃતિ પણ, નીલકમલ દલ વિપીન દહેરી. પાર્શ્વ૦ ૨ ૨૩૭
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy