________________
ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ
gE (૩) પદ્રવ્ય 1 ૧ ધર્માસ્તિકાય :- જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં સહાય આપનાર દ્રવ્ય.
૨ અધમસ્તિકાય :- જીવ તથા પુદ્ગલને સ્થિરતા કરવામાં સહાય આપનાર દ્રવ્ય.
૩ આકાશાસ્તિકાય :- જીવ તથા પુદ્ગલને રહેવા જગ્યા આપનાર દ્રવ્ય. - ૪ ૫ગલાસ્તિકાય :- સમયે સમયે વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી ફેરફાર થનારા દ્રવ્ય.
૫ કાલ :- નિશ્ચયથી વર્તમાન એક સમયવાળો અને વ્યવહારથી ભૂત ભવિષ્યરૂપ, નવાનું જુનુ અને જુનાનું નવું કરનાર દ્રવ્ય. દ જીવાસ્તિકાય :- જ્ઞાનાદિ ગુણના સ્વભાવવાળું દ્રવ્ય.
E (૪) પુણ્ય-પાપની ચૌભંગી ૧. પુણ્યાનુબંધિ પુણ્ય :- જે પુણ્ય ભોગવતાં નવું પુણ્ય બંધાય તે.
૨. પુણ્યાનુબંધિ પાપ ઃ- જે પાપ ભોગવતા નવું પુણ્ય બંધાય તે.
૩. પાપાનુબંધિ પુણ્ય :- જે પુણ્ય ભોગવતાં નવું પાપ બંધાય તે.
૪. પાપાનુબંધિ પાપ - જે પાપ ભોગવતાં નવું પાપ બંધાય તે.
(૫) બાર વ્રતો કે - સમ્યકત્વ :- રાગદ્વેષને જીતનાર સ્ત્રી-શસ્ત્રાદિ રહિત જિનેશ્વર ભગવંત તે જ મારા દેવ છે, કંચન-કામિનીના ત્યાગી પંચ મહાવ્રતધારક તે જ મારા ગુરુ છે અને જિનેશ્વરદેવે પ્રરૂપેલો તે જ ખરો ધર્મ છે. આવી જે શ્રદ્ધા તે “સમ્યકત્વ' કહેવાય.
૫૬૧