________________
અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા
જુગલાધર્મ નિવારણ ઈણ ગિરિ આવીયા, રિષભ જિણંદજી પૂરવ નવાણું વાર જો; કાંકરે કાંકરે સાધુ અનંતા સિદ્ધિયા;
માટે નિશદિન સિદ્ધાચળ મન ધાર જો. વિમલાચલ. ૪
ગિરિ પાગે ચઢતાં તનમન ઉલ્લસે,
ભવસંચિત સવિ દુષ્કૃત દૂર પલાય જો; સુરજકુંડમાં નાહી નિરમળ થાઈયે,
જિનવર સેવી આતમ પાવન થાય જો. વિમલાચલ. પ
જાત્રા નવાણું કરીએ તન મન લગનથી, ધરીએ શીળસમતા વળી વ્રત પચ્ચક્ખાણ જો; ધ્યાયે ગુણણું દાન સુપાત્રે દીજીયે, દ્વેષ તજી ધરો શત્રુ મિત્ર સમાન જો. વિમલાચલ, ૬ એગિરિ ભેટે ભવ ત્રીજે શિવસુખ લહે,
પાંચમે ભવ તો ભવિયણ મુક્તિ વરાય જો;
સૂરિ ધનેશ્વર શુભ ધ્યાને ઈમ ભાખીયું, પાપી અભવિથી એ ગિરિ નવી ફરસાય જો. વિમલાચલ. ૭
મૂલનાયક શ્રી આદિ જિણંદને ભેટીએ,
રાયણ નીચે પ્રણમો પ્રભુના પાય જો;
બાવન જિનાળાં ચૌમુખ બિંબને વંદીયે, સમેતશિખર અષ્ટાપદ રચના આય જો. વિમલાચલ. ૮
સકલ તીરથનો નાયક એ ગિરિરાજીઓ
તારણ તીરથ ભવાદધિ માંહી પાત જો;
સેવંતા એ ગિરિ બહુ રિદ્ધિ પામીયે, વરીયે શિવપદ કેવલ જોતાં જોત જો. વિમલાચલ. ૯
૬ (૩)
શેત્રુંજા ગઢના વાસી રે, મુજરો માનજો હૈ, સેવકની સુણી વાતો હૈ, દિલમાં ધારજો રે;
૮૪