SearchBrowseAboutContactDonate
Page Preview
Page 601
Loading...
Download File
Download File
Page Text
________________ અર્હદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ પ્રતિક્રમણ :- (વંદિત્તુસૂત્રતથાપગામ સજ્ઝાય) જેનાથી પૂર્વે લાગેલ દોષની ક્ષમા માગવી અને ફરીથી તેવા દોષો ન લાગે તેની સાવચેતી રાખી આત્માને નિર્મલ બનાવવો તે. આનાથી દુર્ગતિના દ્વાર બંધ થાય છે. ૫ કાયોત્સર્ગ :- (કાઉસ્સગ્ગ) શુક્લધ્યાન અને ધર્મ ધ્યાનપૂર્વક કાયા ઉપરના મમત્વભાવનો ત્યાગ કરવો તથા આત્માને પોતાના વાસ્તવિક જ્ઞાનાદિ ગુણનો વિચાર કરવાનો સમય આપવો તે. આનાથી ધ્યાનશક્તિ વધે છે. ૬ પ્રત્યાખ્યાન :- (નવકારશી ચૌવિહારાદિ) અશન, પાન, ખાદિમ અને સ્વાદિમના ત્યાગનો નિયમ કરવો તે. આનાથી તૃષ્ણા છેદાય છે. (૧૦) દાનાદિ ચાર ૧ દાન :- પોતાની માલિકી ઉઠાવી સુપાત્રને ગુણબુદ્ધિથી અને બીજાને દયાબુદ્ધિથી આપવું તે. અથવા કોઈને ભય ન આપવો તે. ૨ શીલ :- ઈન્દ્રિયને વશ કરી બ્રહ્મચર્યમય જીવન વિતાવવું તે. ૩ તપ :- નિર્જરા માટે ખાદ્ય પદાર્થાદિકની ઈચ્છાને રોકવી અથવા સ્વાધ્યાયાદિક કરવા તે. આ તપ જેમ કીટ્ટાથી મલિન થયેલ સુવર્ણને અગ્નિ તપાવી શુદ્ધ કરે છે તેમ કર્મ કીટ્ટાથી મલિન થયેલ આત્માને શુદ્ધ કરે છે. ૪ ભાવ :- એકાંત હિતકારી આત્માની જે ચિંતવના અર્થાત્ શ્રી અરિહંત ભગવંતની આજ્ઞામાં રહીને ઈહલૌકિક કે પારલૌકિકની ઈચ્છા વિના કેવલ મોક્ષના ધ્યેયથી શુભક્રયામાં પરાક્રમ ફોરવવા વિગેરેની રુચિ ઉત્પન્ન થવી તે. ૫૦૦
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy