SearchBrowseAboutContactDonate
Page Preview
Page 632
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપયોગી જાણવા યોગ્ય સંગ્રહ લાયક છતાં રાગદ્વેષરૂપી ગાંઠ તોડવાને સમર્થ નહિ થતાં દૂર ને. દૂર જ રહે છે. (૫) ભવ્યાભવ્ય-મોક્ષમાં જવાને યોગ્યતા છતાં ઉત્તમ ગુણોને પ્રાપ્ત કરવાને માટે અશુભ કર્મોની બહુલતાને અંગે તેઓ ઉદ્યમ કરે નહિ તે. 55 ૧૮ ભાર દુનિયામાં વનસ્પતિ છે ૧ ભાર વનસ્પતિ કેટલી સંખ્યાએ થાય તે કહે છે. ૩૮ ક્રોડમણ ૧૧ લાખ મણ ૧૨૯૭૦ મણે એક ભાર થાય, તેવી રીતે ૧૮ ભાર વનસ્પતિ છે. ૧૮ ભારમાં ૪ ભાર પાંદડાં, ૮ ભાર ફળફુલ, ૬ ભાર વેલડી, એમ ૧૮ ભાર જાણવી. સ્થાપનાચાર્યના ૧૩ બોલ - ૧ શુદ્ધસ્વરૂપના ધારક, ૨ ગુરુજ્ઞાનમય, ૩ દર્શનમય, ૪ ચારિત્રમય, ૫ શુદ્ધ શ્રદ્ધામય, ૬ પ્રરુપણામય, ૭ સ્પર્શનાપ, ૮ ગુરુ-પંચાચાર પાળે. ૯ પળાવે, ૧૦ અનુમોદ, ૧૧ ગુરુ-મનગુણિ, ૧૨ વચનગુપ્તિએ ગુપ્તા ૧૩ કાયતિ સહિત. ક નવપદજી મહારાજાના આરાધનાના દૃષ્ટાંતો : (૧) અરિહંત પદારાધનથી દેવપાળ રાજા (રાજ્યના સ્વામી) તથા કાતિક શ્રેષ્ઠી ઈન્દ્ર થયા. (૨) સિદ્ધ પદારાધનથી પુંડરીકજી, પાંડવો અને રામચંદ્રજી મુકિત પામ્યા. (૩) આચાર્ય પદારાધનથી પ્રદેશ રાજા સૂર્યાભદેવ થયા. (૪) ઉપાધ્યાય પદારાધનથી વજસ્વામીના શિષ્યો દેવ થયા. (૫) સાધુ પદારાધાનથી રોહિણી સતીશિરોમણી થઈ. (૬) દર્શન પદારાધનથી સુલસા તીર્થકર થશે. (૭) જ્ઞાન પદારાધનથી શીલવતી પ્રકૃષ્ટ પુણ્યાત્મક થઈ. ૬૦૧
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy