________________
સ્તવન વિભાગ
બીજા રે ભોણની માંડણી, આઠ હજાર એના થંભ જી; બત્રીસ હજાર પ્રતિમા વસે, મંડપ રચ્યો મહોટે ઠામ જી.
રાણકપુર૦ ૪ ત્રીજા રે ભોણની માંડણી ચોરાશી શિખરે વખાણું જી; આદીશ્વર ભગવાન શોભતા, બીજી પ્રતિમાનો પાર ન જાણુંજી
રાણકપુર૦ ૫ બસો પાંત્રીશ પગથી, એટલું દેરાનું પરિમાણ જી; કોડ નવાણું સોનામહોરો ખરચી, છે ધનેશ્વર પોરવાડે જી.
રાણકપુર૦ ૬ જ્યારે દેહરું પૂરું થયું, રાણકપુર રસ રહેશે જી; યાત્રા કરો જિનજી તણી, ટાલશો ભવનો ફેરો જી
રાણકપુર૦ ૭ માટે તે શહેર રાણકપુરું, ચાલીશ ગાઉનો ફેરો જી; ચોરાશી ગચ્છના શ્રાવક વસે, મોટા ધન્નોશા કહેવાણા જી.
રાણકપુર૦ ૮ પહેલા તે શ્રાવક એકલા, વલી તે પાંચસે માસે જી; એટલા વરસ દેહરાને થયા, મહાવીરસ્વામી બેઠા પાટે જી.
રાણકપુર ૯ સંવત અઢાર પાંત્રીશનો, રુડો તે શ્રાવણ માસ જી; મોટીરે સઈ પરમેસરી, સ્તવન રચાવ્યું પેથલ ઉસવાલે જી.
* રાણકપુર૦ ૧૦ (૧) શ્રી કેસરીયાજીનું સ્તવન 5.
(રાગ-ભમરો ઉડેરે રંગમે હોલમાં રે) આજ સફલ દિન માતરો રે, વાંધો શ્રી ધૂલેવા રાય રે, કેસરીયોજી ભેટીઓ રે, મેવાડ વાગડ વચે શોભતો રે;
બાવન જિનાલયો પ્રાસાદ રે. કે૦ ૧ મેરૂ સમ ઉરંગ દેહરો રે, કોણી અતિથી શ્રીકાર રે, કે૦ થંભે થંભે શોભે પૂતળી રે, જાણીયે દેવવિમાન રે. કે૦ ૨
૨૯૫