________________
રત્નાકર પચ્ચીશી હું ક્રોધ અગ્નિથી બળ્યો વળી લોભ સર્પ ડશ્યો મને, ગળ્યો માનરૂપી અજગરે, હું કેમ કરી ધ્યાવું તને; મન મારૂં માયાજાળમાં, મોહન મહા મુંઝાય છે, ચડી ચાર ચોરો હાથમાં, ચેતન ઘણો ચગદાય છે. ૫ મેં પરભવે કે આ ભવે પણ હિત કંઈ કર્યું નહિ, તેથી કરી સંસારમાં સુખ અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. ૬ અમૃત ઝરે તુજ મુખરૂપી, ચંદ્રથી તો પણ પ્રભુ, ભિંજાય નહિ મુજ મન અરે ! શું કરું હું તો વિભુ; પત્થર થકી પણ કઠણ મારૂં, મન અરે ક્યાંથી દ્રવે ? મરકટ સમા આ મન થકી હું તો પ્રભુ હાર્યો હવે. ૭ ભમતાં મહાભવસાગરે, પામ્યો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણા; તે પણ ગયા પરમાદના વશથી પ્રભુ કહું છું ખરું, કોની કને કીરતાર આ પોકાર હું જઈ ને કરૂ. ૮ ઠગવા વિભુ આ વિશ્વને, વૈરાગ્યના રંગો ધર્યા, ને ધર્મના ઉપદેશ રંજન, લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું, સાધુ થઈને બહારથી. દાંભિક અંદરથી રહું. ૯ મેં મુખને મેલું કર્યું, દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિંદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વલી ચિત્તને દોષિત કર્યું, ચિંતી નઠારું પરતણું, હે નાથ મારું શું થશે? ચાલાક થઈ ચુક્યો ઘણું. ૧૦ કરે કાળજાને કતલ પીડા, કામની બીહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી, લાજ આપતણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને. ૧૧
| ૨૩