________________
જિન સ્તવનો
|
તાહરો આશરો વજજર સમો સર્વ જીવોનો તું સુખદાતા તાહરા મુખ વચનામૃત પાનથી મુક્તિપુરી માર્ગે જીવ જાતા. ઋષભ૦ ૫ વસ્તુ ખટાશનું નામ લેતાં થકાં સુણતાં મુખમાં પાણી છૂટે તેમજ અરિહંત નામ ઉચ્ચારતાં જીવનાં કર્મનાં બંધ તૂટે. ઋષભ૦. ૬ તાહરું શાસન પામી શ્રદ્ધા થઈ દેવ - ગુરૂ - ધર્મ ત્રણ તત્ત્વ સાચા ભ્રમણતા મુજ ચિત્તની દૂર થતાં મોહને આજ દીધા તમાચા. ઋષભ૦ ૭ શીવસુખ દાયક ધર્મના નાયક તાહરૂં બીંબ મુજ નયણ ઠારે શીતલતાકારક ખેદ નિવારક ચિત્તની ભાવ શુદ્ધિ વધારે. ઋષભ૦ ૮ ધન્ય છે ધન્ય છે દિવસ મુજ આજનો ઋષભ જિનમુખ અરવિંદ જોયું આળ પંપાળનું જન્મ જન્મનું કાળ અનાદિનું દુઃખ ખોયું. ઋષભ૦ ૯ દેવ વીતરાગ તું સુરતરૂ સાધિકો સર્વદા કામિત પૂરનારો ભક્ત જાણી કરી રહેમ દિલમાં ઘરી નીતિનો ઉદય કરવા પધારો. ઋષભ૦ ૧૦
F (૧૪) શ્રી નેમિનાથનું સ્તવન , સખી શ્રાવણની છઠ્ઠ ઉજલી, ભલી વિજળીનો ઝબકાર રે એ તે વેળા પિઉજી રહ્યા, રાણી રાજુલને દરબાર રે
!
૫૪૩