SearchBrowseAboutContactDonate
Page Preview
Page 607
Loading...
Download File
Download File
Page Text
________________ અહંદ-ગુણ-વારિધિ-નરેન્દ્ર-નૌકા ૪ પિંડનિર્યુક્તિ સૂત્ર :- બેતાલીશ દોષ રહિત શુદ્ધ આહારાદિનો વિચાર આવે છે. F (૧૮) બે ચૂલિકા સૂત્ર E ૧ નંદિ સૂત્ર:- આમાં પાંચ જ્ઞાનનું વિસ્તારથી વર્ણન છે. ૨ અનુયોગદ્વાર સૂત્ર :- ઉપક્રમ નિક્ષેપ, અનુગમ અને નયરૂ૫ અનુયોગનું વર્ણન કરેલ છે. (૧૧ અંગ + ૧૨ ઉપાંગ + ૧૦ પન્ના + ૬ છેદસૂત્ર + ૪ મૂળસૂત્ર + ૨ ચૂલિકા સૂત્ર. આ રીતે કુલ ૪૫ આગમો છે.) SF આનંદ કામદેવ વિગેરે શ્રાવકોએ વહન કરેલ શ્રાવકની અગિયાર પ્રતિમા 5 ૧ સમ્યકત્વ પ્રતિમા :- કોઈપણ અતિચાર રહિત તથા (૧ રાજાના આગ્રહથી, ૨ સમુદાયના આગ્રહથી, ૩ બલવાન પુરૂષના જોરજુલમથી, ૪ દુષ્ટ દેવાદિના બલાત્કારથી, ૫ ગુરુના બચાવ ખાતર અને દ્ર આજીવિકા ન ચાલતી હોય અને આર્તરૌદ્ર ધ્યાનથી મરણ થતું હોય અથવા ગાઢ જંગલમાં ભૂલો પડ્યો હોય અને નિર્વાહ માટે લીધેલા વ્રતાદિનો ત્યાગ કરવો પડે આવા જે) છ આગારો-અપવાદો રહિત શુદ્ધ સમકિત પાળીશ આવો એક મહિના સુધી હૃઢ અભિગ્રહ કરવો તે. ૨ વ્રતપ્રતિમા :- પૂર્વની પેલી પ્રતિમા સહિત, લીધેલા પ્રથમના બાર વ્રતોમાં સંક્ષેપ કરવો, અતિચાર ન લગાડવા તથા છ આગારો બંધ કરવા, આવો જે બે મહિના સુધી નિયમ લેવો ૩ સામાયિક પ્રતિમા :- બંને પ્રતિમાના નિયમપૂર્વક કોઈપણ પ્રકારના દોષ રહિત મન, વચન અને કાયાના વ્યાપારના ત્યાગરૂપ સામાયિક કરવી, આવો અભિગ્રહ ત્રણ મહિના સુધી કરવો તે. ૫૭૬
SR No.032082
Book TitleNarendra Nauka
Original Sutra AuthorN/A
AuthorVidyutprabhashreeji
PublisherSuthari Jain Sangh
Publication Year1996
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy