________________
જિન સ્તવનો
--
દીધી ચરણની ચાકરી રે લોલ, હું સેવું હરખે કરી રે લોલ સાહિબ સામું નીહાળજો રે લોલ, ભવ સમુદ્રથી તારજો રે લોલ
શ્રી શંકર૦ ૨ અગણિત ગુણ ગણવા તણી રે લોલ, મુજ મન હોંશ ધરે ગણી રે લોલ જીમ નભને પામ્યા પછી રે લોલ, દાખે બાળક કરથી લળી રે લોલ
શ્રી શંકર૦ ૩ જો જિન તું છે પાંસરો રે લોલ, તો કર્મ તણોશો આશરો રે લોલ જો તુમ રાખશો ગોદમાં રે લોલ, તો કેમ જાશું નિગોદમાં રે લોલ
શ્રી શંકર૦ ૪ જબ તાહરી કરૂણા થઈ રે લોલ, કુમતિ કુગતિ દૂરે ગઈ રે લોલ અધ્યાત્મ રવિ ઉગી રે લોલ, પાપ તિમિર તિહાં પુગીઓ રે લોલ
શ્રી શંકર૦ ૫ તુજ મૂર્તિ માયા જીસી રે લોલ, ઉર્વશી થઈ ઉરે વસી રે લોલ રખે પ્રભુ ટાળો એક ઘડી રે લોલ, નજર વાદળની છાયડી રે લોલ
શ્રી શંકર૦ ૬ તાહરી ભક્તિ ભલી બની રે લોલ, જિમ ઔષધી સંજીવની રે લોલ તન મન આનંદ ઉપન્યો રે લોલ, કહે મોહન કવિ રૂપનો રે લોલ
શ્રી શંકર૦ ૭ ૬ (૧૬) સામાન્ય જિન સ્તવન - જિનરાજ જગત હિતકારી, મૂરતિ મોહનગારી રે સકલ કલા પૂરણ શશીની પરે, હું જાઉં બલિહારી રે. ૧ દેહ સુગંધી રૂપ અનુપમ, અનુત્તર સુર છબિહારી રે કમલ સુગંધી શ્વાસ મનોહર, દૃષ્ટિ સુધારસ ક્યારી રે. ૨ તીન લોકમાં જાસ ન ઉપમ, જગદુત્તમ જયકારી રે યૌવને ઈદ્રિય જઈ સ્થિર આતમ, તત્ત્વરૂચિ શુચિધારી રે. ૩ ભોગ કરમફળ ભોગતણી પરે, ભોગવે રાગ નિવારી રે પરવાલા પરે બાહ્ય રંગ ધરે, પણ અંતર અવિકારી રે. ૪
પિઝા