________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
જે જે આહાર મનુષ્ય ખાય છે તે તે છાતીમાં રહેલી અન્નનાળ નામની શિરાને માર્ગે જઠરમાં જાય છે અને ત્યાં પિત્તની સાથે મળે છે. જાહેરમાં તેનું જઠરાગ્નિમાં પાચન થાય છે અને તે પિત્તની સાથે એકત્ર થઈ જાય છે. હે પુત્ર! એવી રીતે તે અન્ન પાચન થતું થતું શિરાઓમાં થઈને ખરે છે માટે તેને “ક્ષીર” (દૂધ) કહે છે. એ ક્ષીર અગ્નિ માત્મક એટલે ગરમ તથા ઠંડા ગુણવાળું છે. વળી તે અમૃતરૂપ, સર્વે પ્રાણીએના જીવનરૂપ, અને બળ ઉત્પન્ન કરનારું છે.
हारीतः संशयापन्नः पप्रच्छ पितरं पुनः। कथं रसस्य सम्पत्तिः कथं संचीयते विभो!॥ कथं रक्तस्य संस्थाने क्षीरं पाण्डु समीरितम् । कथं तत्र कुमारीणां वन्ध्यानां न कथं भवेत् ॥
હારીત પૂછે છે–આત્રેય મુનિનું એવું વચન સાંભળીને સંશય યુક્ત થયેલા હારીત મુનિએ પોતાના પિતાને ફરીથી પૂછયું કે, હે વિભા શરીરમાં રસ શી રીતે પ્રાપ્ત થાય છે તથા તે શી રીતે એક થાય છે. અને વળી લેહીના સ્થાનકરૂપ શિરાઓમાં ધળું દૂધ શી રીતે ઉત્પન્ન થાય છે? વળી કુમારિકાઓ અને વાંઝણી સ્ત્રીઓને કેમ દૂધ પ્રાપ્ત થતું નથી ?
एवं पृष्टो महावीर्यः प्रोवाच मुनिपुङ्गवः। *शृणु पुत्र महाप्राज्ञ! यदुक्तं पूर्वसूरिभिः ॥ क्षीरं स्निग्धं तथा रक्तं पित्तेन पाकतां गतम् । रक्तं श्वेतत्वमायाति तथा क्षीरं सितं भवेत् ॥
આત્રેય કહે છે.—એવો પ્રશ્ન સાંભળીને મોટા બળવાળા શ્રેષ્ઠ મુનિ આત્રેય બોલ્યા કે, હે મોટી બુદ્ધિવાળા પુત્ર! પૂર્વાચાર્યોએ જે કહેલું છે તે તું સાંભળ. દૂધ મૂળમાં તે સ્નિગ્ધ અને રાતા રંગનું હોય છે, પણ તે રક્ત રંગનું દૂધ પિત્તના વેગથી પકવ થઈને શ્વેત થાય છે. એ રીતે દૂધ ધળું થાય છે.
क्षीरनाड्यः कुमारीणां जलेन परिपूरिताः। अल्पधातुबलं यस्मात्तस्मात्क्षीरं न जायते ॥
“મમતમ પુત્ર પરિy મિપરા એવો પણ પાઠ છે.
For Private and Personal Use Only