Book Title: Harit Samhita
Author(s): Aatrey Muni
Publisher: Jayram Raghunath

View full book text
Previous | Next

Page 837
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮૦ હારીતસંહિતા. લીધે સઘળા ઋષિએ અતિ મોટા સંકટમાં પડ્યા. તે ઋષિઓની મણે એક ઘરડો ઋષિ હતું. તેનાથી ચલાતું હતું નહિ; તેનાં અંગ સઘળાં છર્ણ થઈ ગયાં હતાં; તે હાથમાં લાકડી લઈને ચાલતો હતો; રસ્તે ચાલવાથી તે હારી ગયો હતો તેના મુખમાંથી સઘળા દાંત પડી ગયા હતા. ભૂખથી પીડાયલા તે જગોમાં રહેનારા સર્વે ઋષિઓમાં તે પ્રસિદ્ધ હતું. એ ઘરડો ઋષિ પણ ભૂખથી પીડિત થઈને પૃથ્વીમાં જે જે ફળદ્રુપ ભાગ હતા ત્યાં ત્યાં ભટકતે હતે. એમ ભટકતાં ભટકતાં કેઈકવાર પુણ્ય યોગથી સુંદર છોડવા તેના જેવામાં આવ્યા. તે છોડ લીલા શેવાળના સરખા હતા તથા તેની આસપાસ ઘણુંક લીલું ઘાસ પૃથ્વી ઉપર ઊગ્યું હતું. આ ઘરડા ઋષિ ભૂખથી પીડાયેલા હતા તેથી તેમણે તેનાં પાંદડાં છ માસ લગી ખાધાં. છ મહિના પછી તેનાં સૂકાં કાળાં ખાધાં. અને તે પછી એક મહિના લગી ઋષિએ તેના કંદ ખાધા. પછી જ્યારે સુકાળ થયો ત્યારે સર્વે હષિઓ એકઠા થયા. આ ઘરડો ઋષિ પણ જુવાન થઈને જ્યાં બધા ઋષિ હતા ત્યાં ગયો. તેને જોઈને સઘળા ઋષિએ વિસ્મય પામ્યા અને તેને પૂછવા લાગ્યા કે તમે એવો શો ઉપાય કર્યો કે જેથી ઘરડા મટીને જુવાન થયા. પણ તે ઋષિએ તેમને કઈ કહ્યું નહિ, ત્યારે સઘળાએ મળીને તેને શાપ દીધો કે “જે પદાર્થ તે ખાધો હશે તે પદાર્થ બ્રાહ્મણોને અભક્ષ્ય થાઓ તથા તે દુર્ગધવાળું અને અપવિત્ર થાઓ” એવી રીતે લસણ ઉત્પન્ન થયું છે. લસણના ગુણ अथ वीर्यं च वक्ष्यामि रसोनस्य महामते ! । रसैः पञ्चभिः संयुक्तो रसेनाम्लेन वर्जितः॥ तेन रसोनकं नाम विख्यातं भुवनत्रये । कटूष्णवीयों लशुनो हितश्च स्निग्धो गुरुः स्वादुरसोऽथ बल्यः । वृद्धस्य मेधास्वरवर्णचक्षुर्भग्नास्थिसन्धानकरः सुतीक्ष्णः ॥ हृद्रोगजीर्णज्वरकुक्षिशूलप्रमेहहिकारुचिगुल्मशोफान्। दुर्नामकुष्ठानलमान्यजं तु समीरणश्वासकफानिहन्ति । ૧ આ બે લેક બીજી બે પ્રતિમાં નથી. વી. ઘ૦ ૧ ટી. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 835 836 837 838 839 840 841 842 843 844 845 846 847 848 849 850 851 852 853 854 855 856 857 858 859 860 861 862 863 864 865 866 867 868 869 870 871 872 873 874 875 876 877 878 879 880 881 882 883 884 885 886 887 888 889 890