________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તૃતીયસ્થાન--અધ્યાય બેતાલીસમો.
૬૮૫
લાક્ષારસાદિ ધૃત, लाक्षारसं चन्दनयष्टिकानां पटोलधात्रीफलशर्कराणाम् । वधि सदुग्धं नवनीतकं च विपाचिते नस्यविधौ प्रयुज्यते ॥ भूदोषशवक्षतजक्षये वा दिनाभिवृद्धिप्रभवेऽपि दोषे ॥
इति लाक्षादिघृतम् લાખને રસ, ચંદન, જેઠીમધ, પટેલ, આમળાં, સાકર, એ સર્વની સાથે દહીં, દૂધ અને માખણ એકઠાં કરવાં. પછી તેનું ધી થાય ત્યાંસુધી તેને પાક કરે, અને પછી તેનાં ટીપાં નાકમાં નાખવાં. એ નસ્યથી આંખ ઉપરની ભમરો દુઃખતી હશે તે રેગ, લમણું દુખવાને રોગ, લેહીના વિકારથી દુખતું ભાથું, ક્ષયથી થયેલે માથું દુખવાને રોગ, દિવસ વૃદ્ધિ થવાથી માથું દુખવાને રોગ, એ સર્વે મટી જાય છે.
કુંકમાદિ ધૃત, कुङ्कमं यष्टिमधुकं कुष्ठं च शर्करासमम् । पक्कं च नवनीतेन घृतं नस्ये प्रयोजयेत् ॥ नश्यन्ति पित्तजा रोगा दिनवृद्ध्योपवर्तनात् ।
अर्धशीर्षविकारश्च प्रशमं याति सत्वरम् ॥ કેસર, જેઠીમધ, ઉપલેટ, સાકર, એ સર્વની સાથે માખણ મેળવીને અગ્નિઉપર તેને પકવ કરી ધી કરવું. એ ઘીને નાકમાં નાખવાથી પિત્તસંબંધી માથાના રોગ, દિવસ ચઢવાની સાથે વધતે જતે દિનવૃદ્ધિ નામે માથાને રેગઅને આધાસીસી રોગ, એ સર્વે થોડી વારમાં શમી જાય છે.
इति आत्रेयभाषिते हारीतोत्तरे तृतीयस्थाने शिरोरोग
चिकित्सा नाम त्रयश्चत्वारिंशोऽध्यायः ।
For Private and Personal Use Only