________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હારીતસંહિતા.
કરવાથી સુખ થાય છે. જેઠીમધ, ઉપલેટ અને મજીઠ એ ઔષધવડે પકવ કરેલું ઘી હિતકારક છે. ઉપલેટ, જેઠીમધ, ચંદન, દીવેલાનાં પાંદડાં, એ સર્વને દૂધમાં વાટીને તેને લેપ કરવાથી તે મધ્યદગ્ધને ફાયદો આપે છે. કપૂરનું ચૂર્ણ, ગેરૂ, લેધર, એ સર્વનું ચૂર્ણ ઘીમાં કાલવીને દાઝેલી જગાએ ચેપડવું. જે પરૂ થયું હોય તે તે કોરું ચૂર્ણ ભભરાવવું તેથી પરૂ નાશ પામશે અને દાઝેલી જગાએ અંકુર આવશે, આમળાં, તલ અને ઉપલેટ એ ત્રણને પાણીમાં વાટીને દાઝયા ઉપર ચેપવું. લેધર, વરણવાળે, અને મજીઠ, એ ત્રણને ઠંડા પાણીમાં વાટીને દાઝયા ઉપર તેને લેપ કરે. અળસીના તેલને લેપ કરવાથી અથવા જેઠીમધ અને ઘીને લેપ કરવાથી દાઝેલી જગેએ અંકુર આવે છે તથા બળતરા થતી અટકે છે. એ બન્ને ઔષધે લેપ તથા અભંગમાં હિતકારક છે.
ધૂમાડાના ઉપધાતની ચિકિત્સા, धूमोपघाते वमनं क्षीरपानं तथोपरि।। जले च तरणं श्रेष्ठं धूमदाहोपशान्तये ॥
ધૂમાડાવડે ઉપઘાત થયો હોય તે રોગીને વમન કરાવીને પછી દૂધ પાવું. તથા ધૂમાડાના દાહની શાંતિને અર્થે પાણીમાં તરવું એક છે. इति आत्रेयभाषिते हारीतोत्तरे चिकित्सास्थानं नाम ..
एक षष्टितमोऽध्यायः ।
तृतीयस्थानं समाप्तम्।
*
:
For Private and Personal Use Only