________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫૮
હારીતસંહિતા.
માટે તેને સંક્ષેપમાં પણ ભણવી અને તે ઉપરથી રોગના પ્રતીકાર જાણીને પછી રોગીની ચિકિત્સા કરવી.
વૈદ્યશાસ્ત્ર ન જાણવાથી હાનિ. अविज्ञाय रुजं सम्यक मोहादारभते क्रियाः। विधानज्ञोऽप्यशास्त्रज्ञो न तसिद्धिः प्रजायते ॥
જે પુરૂષ રેગને બરાબર ઓળખ્યા વિના મૂઢપણાથી તેની ચિકિત્સા કરવા માંડે છે, તે પુરૂષ કદાપિ ચિકિત્સા વિધિમાં નિપુણ હોય, છતાં શાસ્ત્ર ન ભણેલે હોય, તે તેના કાર્યની સિદ્ધિ થતી નથી.
વૈદ્યશાસ્ત્ર જાણનાર સફળ થાય છે. निदानं रोगविज्ञानं भेषजानां गुणागुणम् । विज्ञाय कुरुते यस्तु तस्य सिद्धिर्न दूरतः॥
જે પુરૂષ રેગનું નિદાન, રોગનું વિશેષ જ્ઞાન, ઔષધના ગુણ અને વગુણ, એ સર્વે જાણીને ચિકિત્સા કરે છે તેને સિદ્ધિ દૂર નથી. અર્થાત તેની ચિકિત્સા સફળ થાય છે.
રેગાદિકના જ્ઞાનની જરૂર आदावेव रुजां ज्ञानं साध्यासाध्यं विचक्षणः। याप्यं सर्वरुजां चैव ततः कुर्यात् प्रतिक्रियाम् ॥ વૈધે પ્રથમ નાના પ્રકારના રોગનું જ્ઞાન મેળવવું જોઈએ. તે પછી અમુક રોગ સાધ્ય છે કે અસાધ્ય છે તેનું જ્ઞાન પણ વિચક્ષણ વૈદ્ય મેળવવું જોઈએ. પછી બધા રોગોમાંથી યાપ્ય રેગ કયા છે તે જાથવું જોઈએ. અને તે પછી પ્રતીકાર કરવો જોઈએ.
દેશકાળાદિના જ્ઞાનની જરૂર. देशं कालं वयो वह्निसात्म्यं प्रकृतिभेषजम् । एवं विज्ञाय सद्वैद्यस्ततः कुर्यात् प्रतिक्रियाम् ॥ પાછળ આનુપ વગેરે દેશ કહ્યા છે તે દેશ, ગ્રીષ્મ, મધ્યાન્હ, વગેરે કાળ, બાલ્યાદિ વય, મંદ વગેરે અગ્નિ, ઔષધાદિકનું માફક આવવું ન આવવું તે. રેગીની વાતાદિ પ્રકૃતિ, ઔષધનું બળ, વગેરે જાણીને પછી સારા વૈધે ઉપચાર કરવા.
For Private and Personal Use Only